Friday, December 27, 2019

માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ


માનનીયશ્રી જનરલ બીપીન રાવલ સાહેબ  ( ચીફ ઓફ ભારતીય આર્મી )

આપનાથી લક્ષ્મણરેખા ન ઓળંગાય! (Crossing a line) સૌ. તંત્રી લેખ ઇ. એકસપ્રેસ(તા.૨૭મી ડીસે ૨૦૧૯).

(1)   નાગરીક સંશોધન કાયદા વીરૂધ્ધ ભારતભરના વીશ્વવીધ્યાલયોના કેમ્પસમાં જે વીરોધ પ્રદર્શન થઇ રહ્યા છે,તેના વીષે મોદી સરકારના પક્ષકાર તરીકે આપનો અભીપ્રાય આપવો તે આપના તટસ્થ હોદ્દાના ગૌરવને અને તેની ગરીમાને શોભા આપતો નથી. દેશના છેલ્લા ૭૦ વર્ષના ઇતીહાસમાં કોઇ લશ્કરી વડાઓ, (દેશની સરકારો સામે અનેક નાગરીક ચળવળો થઇ હતી દા.ત સને ૧૯૭૪ની જેપી ચળવળ,અન્ના હજારે આંદોલન વી.) તેમાં ક્યારેય સરકારના સીધા કે પરોક્ષ પક્ષકાર બન્યા નથી. આપશ્રીએ તો લશ્કર દેશમાં શાંતીના સમયમાં પોતાની બેરેકમાં જ રહે અને કાયમી સજ્જ રહે તે નીયમની વીરૂધ્ધ અભીપ્રાય આપ્યો છે. લોકશાહી દેશમાં લશ્કરનું સ્થાન ક્યારેય નાગરીક જીવનથી સર્વોપરી ન હોઇ શકે!

ખરેખરે તો નરેન્દ્ર મોદી સરકાર, જે છેલ્લા થોડાક દીવસોથી નાગરીકો–વીધ્યાર્થીઓના વીરોધને, ચળવળને, જાણે ફોજદારી ગુનાહીત કોઇ પ્રવૃત્તી હોય તેવીરીતે મુલ્યાંકન કરીને સામનો કરી રહી છે તેમાં આપની કોમેન્ટે બળતામાં ઘી નાંખવાનું કામ કર્યું છે. (General Rawat's comments reinforce attempts by the Narendra Modi government in the last few days to criminalise the protests.

(2)    આજના ટાઇમ્સ ઓફ ઇડીંયાએ તેના પ્રથમ પાને ' બોલ્ડ અને બીગ' અક્ષરોમાં લખ્યું છે " Army Chief triggers row with remark on " Arson & Violence".

(3)   નીવૃત્ત નેવી ચીફ એડમીરલ એલ રામદાસે  જનરલ ચીફ ઓફ આર્મી શ્રી બી. રાવલ સામે પોતાનો અભીપ્રાય આપતાં જણાવ્યું છે કે " અમે લશ્કરી અધીકારીઓ તરીકે દેશનું સંરક્ષણ કરવાની સેવા– ફરજ બજાવીએ છે.  નહી કે કોઇ રાજકીય પરીબળોના હાથા તરીકે કામ કરીએ. આ નીયમ દેશની લોકશાહી પ્રથા સંચાલીત લશ્કરનો કાયમનો અલીખીત નિયમ છે."

(4)   The rule is very clear that we serving the country and not the political forces… to express any political views as we have heard today is quite a wrong thing for any personnel, whether he is the top gun or at the bottom rank…. Admiral L Ramdas ( Retd)  Former Navy Chief. સૌ. ટા ઓફ ઇં પાન નં ૧. તા. ૨૭–૧૨–૧૯.

(5)   ઇ. એક્સપ્રેસ પોતાના તંત્રી લેખની છેલ્લી લીટીમાં જણાવે છે કે " આવી ઘડીઓમાં જનરલ રાવત જેવા લશ્કરની ટોચની વ્યક્તીએ સત્તા પક્ષની હા એ હા માં બેસી જવાથી તેઓએ પોતાના હોદ્દાની ગરીમાને તથા વ્યક્તી તરીકેની આબરૂને ભારે હાની પહોંચાડી છે.

(6)   શ્રી રાવત સાહેબ પોતાના વર્તમાન હોદ્દેથી ૩૧મી ડીસેમ્બરે નીવૃત્ત થાય છે. અને બીજા જ દીવસે સરકાર તરફથી દેશની કોઇ ભુતકાળની કેન્દ્ર સરકારોએ કદાપી ન બક્ષેલો તેવો તદ્દન નવો હોદ્દો દેશના લશ્કરની ત્રણેય પાંખના વડા તરીકેનો હોદ્દો ' આર્મી ચીફ' તરીકે આપવાનું નક્કી કરી દીધું છે. આજદીન સુધી દરીયાઇ (નેવી), ભુમી અને હવાઇ લશ્કરોના ત્રણેય વડા સીધા રાષ્ટ્રપતીને વફાદાર અને જવાબદાર હતા.દેશની લશ્કરી સત્તા વીકેન્દ્રીત હતી. મોદી સરકારે શ્રી રાવત સાહેબને ત્રણેય એકમોના સીધા વડા બનાવી દીધા.

(7)   હાલમાં મોદી સરકારમાં ધર્મ અને રાજકીય સત્તાનું ગઠબંધન પ્રત્યક્ષ અને પરોક્ષ છે. તેના પરીણામો તો આપણે અનુભવી રહ્યા જ છીએ. તેમાં હવે લશ્કરી સત્તાની રહેમ નજર ભળે તો દેશનું શું થાય તે વીચાર જ ભયજનક છે.

( ભાવાનુવાદ– બીપીન શ્રોફ.) ખાસ નોંધ – સાદા ડ્રેસ માં નીવૃત ચીફ રામદાસ છે. અને લશ્કરી ગણવેશમાં આર્મી ચીફ બીપીન રાવત છે.

 

 


--

Sunday, December 15, 2019

સરકારથી ટેક્ષ ભરનારાના પૈસા કોઇધર્મને મદદ કરવા વપરાય નહી.

સરકારથી ટેક્ષ ભરનારાના પૈસા કોઇધર્મને મદદ કરવા વપરાય નહી.અમેરીકન નીરીઇશ્વરવાદી સંગઠનોની(from non-religious Americans) ચુંટણી લડતા પક્ષોને ગંભીર ચેતવણી.­­–––

        યુએસએ (અમેરીકા)માં આવતા વર્ષે નવેંબરમાસ ૨૦૨૦માં રાષ્ટ્રપ્રમુખની ચુંટણી આવે છે.ત્યાં મુખ્ય બે પક્ષ છે.રીપબ્લીકન અને ડેમોક્રેટીક પાર્ટી.

        તાજેતરમાં ડેમોક્રેટીક પક્ષનું ઓહાયો રાજ્યમાં તેના રાષ્ટ્રપ્રમુખ તરીકેના ઉમેદવાર નક્કી કરવા પ્રાથમીક ચર્ચા કરવા ( પ્રાઇમરી ડીબેટ)અધીવેશન ભરાયું હતું. હાલ આ દોડમાં ત્રણ ઉમેદવારો છે. ઓબામા સમયના ઉપપ્રમુખ જો બીદેન, બીજા સેનેટર ઇલીઝાબેથ વોરેન,અને ત્રીજા પી. બેટીંગ મેયર. આ ડીબેટ સીએનએન ન્યુઝ એજન્સી તથા ન્યુયોર્ક ટાઇમ્સના સૌજન્યથી સુંયુક્ત ઉપક્રમે યોજાઇ હતી.

       આ અધીવેશનમાં દેશની અધાર્મીક અમેરીકન સંસ્થાઓ જેમાં નાસ્તીકો, નીરીઇશ્વરવાદીઓ, નોન– બિલીવર્સ, એગનોસ્ટીક વી.નો સમાવેશ થાય છે, આ બધી સંસ્થાઓના તેમના પસંદ કરાયેલા પ્રતીનીધીઓ હાજર રહ્યા હતા. તેમના પ્રતીનીધીઓએ આ પક્ષમાં મતદારો તરીકે સદર જુથનું કેટલું મોટું મહત્વ છે તે સમજાવતાં જણાવ્યું કે દેશની કોઇપણ ચુંટણીમાં ડેમોક્રેટીક પક્ષને મત આપનાર દરેક ત્રીજો મતદાર એ નોન–બીલીવર્સ છે. અમારી એક નોન –બીલીવર્સ ગ્રુપ તરીકે તમારા પક્ષના ચુંટણી લડતા ઉમેદવારો સામે ચાર રજુઆતો છે.

(૧) તમે બધા ચુંટાયેલા પ્રતીનીધીઓ એટલું સમજી લેજો કે અમે કરદાતા તરીકે સરકારને પૈસા કોઇપણ ધાર્મીક સીધ્ધાંતોના પ્રચાર માટે જમા કરાવતા નથી.(Make sure taxpayers aren't funding religious dogma.) તમે બંને રાજકીય પક્ષોએ અમારા કરદાતાઓના પૈસા ધાર્મીક આસ્થાઓ ધરાવનાર જુથો(faith-based groups) જેઓ બધાએપોતાની સંસ્થામાં ફક્ત જે તે ધર્મમાં શ્રધ્ધા ધરવાનારઓને જ નોકરી પર રાખીને ભેદભાવભર્યું વર્તન કરલું છે.વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો આ મુદ્દે માઝા મુકી દીધી છે. ન્યાયતંત્રમાં ન્યાયાધીશ તરીકે પોતાના ધર્મમાં વિશ્વાસ રાખનાર ન્યાયાધીશોની જ પસંદગી કરી છે. વધારામાં આ પ્રમુખેતો એવા વીચારને અમલમાં મુકી દીધો છે કે કરદાતાના કરવેરાના નાણાં ધાર્મીક સંસ્થાઓને રાજ્ય તરફથી આપવામાં આવે તે વ્યાજબી છે.

આ સંદર્ભમાં આવનારા ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપ્રમુખે એ સ્પષ્ટ રીતે સમજી લેવું પડશે કે પ્રજાના પૈસા ધાર્મીક સંસ્થાઓની જરૂરીયાત પુરી કરવા માટે નથી. બીજુ તે પ્રમુખે ધર્મ અને રાજ્યના કામ કરવાના ક્ષેત્રો બીલકુલ અલગ અને સ્વતંત્ર છે તે પ્રમાણે સ્વીકારી, સોંગદ લઇને પોતાનો કાર્યભાર કરવાનો રહેશે.( who respect the wall of separation between church and state.) ન્યાયાધીશોની નીમણુકો પણ તે બંધારણીય સીધ્ધાંતને આધારે જ કરવી પડશે. 

(૨) Make sure secular Americans have a seat at the table. સદર અધીવેશનમાં હાજર રહેલા અમેરીકન નાસ્તીક સંસ્થાના પ્રમુખ નીક ફીશે જણાવ્યું હતું કે  રાષ્ટ્રપ્રમુખના વહીવટી તંત્રે પણ સમજી લેવું કે ' અમેરીકન દેશભક્તી (patriotism) અને ધાર્મીક રાષ્ટ્રવાદ બંને વીચારો બીલકુલ એક નથી જ. કેન્દ્રીય વહીવટી તંત્રમાં જે કોઇ સંસ્થામાં ધાર્મીક સંસ્થાઓના પ્રતીનીધીઓની જેટલી સંખ્યામાં નીમણુક કરવામાં આવશે તેટલીજ સંખ્યામાં અમેરીકન એથીસ્ટ અને હ્યુમેનીસ્ટ સંસ્થાઓના પ્રતીનીધીઓની નીમણુક કરવી પડશે.

(૩)  તમારા વહીવટી તંત્રના કામોમાં ઇશ્વરને અને તેના પ્રતીનીધીઓને વચ્ચે લાવવાની કોઇ જરૂર નથી.(Stop the unnecessary god talk.) અમેરીકન દેશભક્તીને કોઇ ધર્મ હોઇ શકે નહી. ખરેખરતો દેશભક્તીને જે તે દેશના ધર્મ સાથે કોઇ સંબંધ જ હોઇ શકે નહી.( Freedom From Religion Foundation attorney Andrew Seidel put it bluntly: "Patriotism has no religion.")

(૪) અમારી સરકારને વીનંતી છે કે જ્યારે પણ તમારી પાસે ધર્મને મદદ કરવાની વાત આવે ત્યારે તે વાત બીલકુલ ભુલી જવાની. તમારે રાજ્યનો ધર્મનીરપેક્ષ (સેક્યુલર) વહીવટ ચલાવવાનો છે. નહી કે ઇટાલીમાં રોમ શહેરના વેટીકન ચર્ચનો વહીવટ.We want the government to stop playing favorites when it comes to religion.

 

 

 


--

Saturday, December 14, 2019

ABC of Rationalism Part 25 dated 15th Dec 2019


ABC of Rationalism Part 25 dated 15th Dec 2019

Inbox
x

Bipin Shroff <shroffbipin@gmail.com>

5:44 PM (14 minutes ago)
to me
--

Friday, November 29, 2019

આપણા બૌધ્ધીક પછાતપણાની શરૂઆત ક્યારે થઇ?

આપણા બૌધ્ધીક પછાતપણાની શરૂઆત ક્યારે થઇ?

જે દિવસે રામરાજ્યમાં રુષીમુનીઓ અને પંડિતોના ઉપદેશથી શ્રી રામે શમ્બુક નામના અબ્રાહ્મણને તપ કરતો ( જ્ઞાન મેળવતો) અટકાવ્યો, કૌરવ– પાંડવ રાજ્યમાં રાજગુરૂ દ્રોણાચાર્યે અર્જુન અને બીજા રાજકુંવરોની તરફેણમાં સ્વબુધ્ધી અને સ્વપુરૂષાર્થથી બાણવિધ્યામાં નિપુણતા મેળવેલ એકલવ્યનો જમણા હાથનો અંગુઠો હોંશીયારીથી ગુરૂદક્ષિણામાં પડાવી લીધો તે દિવસથી હીદું સમાજમાં જ્ઞાનપ્રાપ્તીનો હક્ક ફક્ત બ્રાહ્મણો સિવાય કોઇનો નથી ત્યારથી દેશમાં જ્ઞાનનો અંધકારયુગ શરૂ થઇ ગયો છે.

બ્રીટીશરોના આગમનપછી અને રાજારામમોહનરાય, મહાત્મા જ્યોતીબા ફુલે અને બાબાસાહેબ આંબડકર જેવા અનેક માનવવાદીઓના અથાગ પ્રયત્નો પછી પણ વર્તમાન રાજ્યકર્તાઓની અને સમાજની  આધુનીક જ્ઞાન વિરોધી માનસિકતા હજુ અકબંધ છે. તેનો પુરાવો આપણને બનારસ હીંદુ યુની ના પ્રો. ફીરોજખાનની સંસ્કૃતના પ્રોફેસર તરીકેની નિમણુકના વિવાદમાં, અને જેએનયુ સામેની મોદી સરકારની શિક્ષણનિતીમાં આંખે ઉડીને વળગે છે.

અરે, આપણા દેશના તમામ નાગરીકોને સરળતાથી અને સસ્તુ પ્રાથમીક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણનું જ્ઞાન ઉપલબ્ધ થાય તે માટેની નાણાંકીય સગવડો પુરી પાડવામાં આઝાદી પછીની તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારોએ અક્ષમ્ય ઘોર બેદરકારી ઇરાદાપુર્વક કરી છે. દરેક બજેટમાં શિક્ષણ માટે કેટલા નાણાં ફાળવવામાં આવે છે તેના પરથી પણ સાબિત થશે. સને ૨૦૧૪ પછીની મોદી સરકારનો તેમાં પ્રથમ નંબર આવે છે. આ સરકારે તો શિક્ષણનું ઇરાદાપુર્વક ખાનગીકરણ કરીને તે સમાજના કયા વર્ગો અને હિતો માટે રાજ્ય કરે છે તે સાબિત કરવાની આપણા માટે જરૂર જ નથી.

આમ સદીઓ અને પરંપરાથી ચાલુ રહેલી જ્ઞાનવીરોધી માનસીકતા આપણા સર્વપ્રકારના પછાતપણા માટે સંપુર્ણ જવાબદાર છે.


--

Thursday, November 28, 2019

દેશ તરીકે કઇ દિશામાં જવું છે?


દેશ તરીકે કઇ દિશામાં જવું છે?

બે રસ્તા છે.એક ચીલા ચાલુ ને બીજો આર્ષદ્રષ્ટા ( Visionary)

(1)    સુપ્રીમ કોર્ટે રામમંદીર–બાબરી મસ્જીદ કેસમાં મિલકત કોની છે ( ટાઇટલએન્ડ પઝેશન સુય્ટ) તે નક્કી કરતાં સાબીત થયું કે દાવાવાળી મીલકતની માલીકી ઝઘડતા પક્ષકરોમાંથી કોઇની નથી.

(2)    કાયદા પ્રમાણે ચુકાદો આપવાને બદલે સુપ્રીમ કોર્ટે તેની સત્તાની ખાસ કલમ ૧૪૨નો ઉપયોગ કરીને વિવાદિત સ્થળ જેનો હાલનો કબજો સંપાદિત કરેલ જમીન કેન્દ્ર સરકારના કબજા–માલીકીની હોવાથી તેને હુકમ કર્યો કે સદર સ્થળ પર એક ટ્રસ્ટ બનાવી ત્યાં રામમંદિર બનાવવું અને યોગ્ય સ્થળે અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બનાવવા વિવાદિત સ્થળના પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડને આપવાનું ઠરાવ્યું.

(3)    સમગ્ર વિવાદના અગત્યના પક્ષ કરતા સુની વક્ફ બોર્ડે સદર ચુકાદા પર રીવ્યુપિટીશન કે અપીલ ન કરાવાનો શાણપણ ભરેલો યુગવર્તક અને આર્ષદ્રષ્ટ્રા નિર્ણય લીધો. જે દેશના તમામ નાગરીકો માટે અને ખાસ કરીને હીંદુઓ માટે સંપુર્ણ આવકાર્ય અને હિતાવહ છે.

(૪) તેની સામે એક બીજો ગંભીર બનાવ બનારસ હીંદુ વીશ્વવિધ્યાલયમાં બન્યો છે. બનારસ હીંદુ વીશ્વવિધ્યાલયમાં એક સંસ્કૃતના પ્રોફેસરની પોસ્ટ ખાલી પડી હતી. પસંદગી સમિતિએ સર્વાનુમતે પ્રો. ફીરોજખાનને તમામ અન્ય ઉમેદવારોની સરખામણીમાં શ્રૈષ્ઠ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સંસ્થાના ચાલુ પ્રોફેસરોએ માહિતિ મુજબ વડાપ્રધાન અને રાષ્ટ્રપતીને પ્રો ફીરોજખાનની નીમણુક રદ કરવા ઘણા બધા મેમોરન્ડમ મોકલ્યા છે. જાણે કે દેશમાં કાયદાનું શાસન જ ન હોય. અને દરેક નિર્ણયની અબાધિત અને આખરી સત્તા વડાપ્રધાન વી. પાસે જ હોય! વીશ્વવિધ્યાલયના વિધ્યાર્થોનI દલીલ છે કે વૈદીક ધર્મ એક જન્મે મુસ્લીમ માણસ કેવી રીતે ભણાવી શકે? આ બધાને કોણ સમજાવે કે પ્રોફેસરે સંસ્કૃત એક વિષય અભ્યાસ ક્રમના ભાગ તરીકે ભણાવવાનો છે. કોઇ ધર્મના પ્રચાર કે વિરોધ માટે ભણાવવાનો નથી. અમેરીકા જેવા દુનિયાના સર્વોચ્ચ મુડીવાદી દેશમાં કાર્લ માર્કસ, લેનીન અને સામ્યવાદના વિષયો દરેક વિશ્વવિધ્યાલયમાં સંપુર્ણ વિગતે ભણાવવામાં આવે છે. તેમ છતાં ત્યાં કોઇ અર્બન નક્ષલો પેદા થતા નથી!

આપણા માટે પ્રશ્ન એ છે કે આધુનીક જ્ઞાન ને ધર્મ અને માનવીના જન્મની કોમ,જ્ઞાતિ, જાતિ,પ્રદેશ કે રાષ્ટ્ર સાથે શું સંબંધ? આપણા બંધારણના આમુખમાં પહેલા શબ્દો છે " અમે ભારતના લોકો ". બંધારણે અમે શબ્દનો ઉલ્લ્ખ કર્યો છે. ઉપર જણાવેલી સંકિર્ણ ઓળખોનો ઉલ્લ્ખ કરેલો નથી. જો આપણા દેશમાં કોઇપણ નાગરીકોને જે તે સંકિર્ણ ઓળખોને આધારે જે બધાએ સખત શૈક્ષણીક મહેનત કરીને મેળવેલ જ્ઞાન, કુશળતા અને વિશિષ્ટતાને ધોરણે કામ કરતા રોકવામાં આવશે તો દેશનું ભવિષ્ય કોના હાથમાં જશે અને તેના પરિણામો કેવા આવશે તે આજુબાજુના પડોશી દેશોના નાગરીકોને પુછી જુઓ? તાલેબાનો અને આતંકવાદીઓને બનાવવાની ફેકટરીઓ દેશના વીશ્વવિધ્યાલયો નથી તે સમજી લેવાની તાત્કાલીક જરૂર આજે પહેલાં ક્યારે નહતી.

--

Saturday, November 23, 2019

ABC of Rationalism part -22.dated 24-11-19

JNU Impasse



WRITE FOR TOI BLOGS

JNU's crisis matters much beyond JNU – Public higher education should not be compromised

November 23, 2019, 3:00 AM IST Sanjay Kumar in TOI Edit Page | Edit PageIndia | TOI

The JNU impasse is important not just for the JNU community. It is important for the entire country as it mirrors the watershed in India's entire public education system. While central and state governments may not openly acknowledge their intention to privatise the public educational institutions, their actions indicate that they are least interested in rejuvenating the public education system.

The country's political masters are elected on the assurance of improving governance in every field, which ought to include the public education system. The JNU impasse is a failure of JNU's leadership. The series of events in JNU in the last few years demonstrate that there is serious mistrust between the JNU leadership on the one hand, and faculty and students on the other.

A world that does not understand the importance of higher education, including of liberal education, will always stand against the voice of JNU students and for that matter students of any other university. The fee hike at JNU is not a standalone activity, but a well-designed strategy of forces that are willing to cedeસોંપી દેવું public control of higher education. Fee hikes are also happening in various colleges of Delhi University and other universities across the country. Rather than filling out vacant posts in various universities, regularly updating the curriculum, strengthening the research ecosystem, university leaders keep experimenting heavily on the students.

India cannot afford to mess with the public education system for at least 50 years or so. Public education is the foundation of human progress. Investment in education is real and long-term. It strengthens ability to navigate and solve challenges humanity will face in coming times.

Universities like JNU, DU, Allahabad University, Patna University and other public universities have produced thousands of able ministers, bureaucrats, scientists, journalists, development activists and so forth. Two Cabinet ministers in the current central government are from JNU and there are so many serving in state governments.

JNU and other universities like it groom the overall personality of students. These universities are leadership labs, which provide a unique platform and environment to students from diverse regions and backgrounds and help them to become leaders in any area they choose. As a developing nation, India still needs to support the students that aspire to pursue higher education.

Investment in higher public education would always remain a wise use of taxpayers' money. Else children of even taxpayers would end up repaying loans for many years, if they need to pay high fees as in Western countries. Indian public universities need leaders who believe in the wisdom of retaining and improving the public education system rather than privatising courses and hostels.

It is indeed hard for every citizen to understand the reasons why students are protesting. It is not wise to see JNU in its current form of protests and make a judgment. Look, instead, at the list of alumni JNU and other public universities have produced. They are not lesser nationalists in any way. They are serving across the country and humanity beyond geographies. Moreover, it's not that the JNU protest is the first and last one by university students. Protests and strong differences of opinion are attributes of any democracy.

Higher education should not be politicised. History will not forgive us for our biases against institutions that are strong pillars of the nation building process.

The students of JNU should also understand that the entire nation has been watching them. They should definitely protest within the ambit of the law. It is very important for students of public educational institutions to also speak up whenever the quality of teaching is compromised, and not just around the issue of fees and hostels. The country is investing in citizens of tomorrow with good quality education, which they should never forget.

( The writer, a JNU alumnus, is currently serving as India country Director of the Mittal Institute. Harward University. By Courtesy with TOI dated 23-11-19.)

DISCLAIMER : Views expressed above are the author's own.

 

--

Wednesday, October 30, 2019

એક હતો આલ્બેરકામૂ

એક હતો આલ્બેર કામૂ– (શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ?)

આ કામૂ કોણ હતો? પહેલા વિશ્વયુધ્ધ પછી યુરોપીયન સાહીત્યમાં અસ્તીવાદી વૈચારીક ચળવળ ચાલી, તેનો તે અગ્રેસર હતો. તેમાં ઝયાંપોલ સાત્રે,( 1905-1980 ફ્રાન્સ) આલ્બેર કામૂ (1913-1960 જર્મની) ફ્રાંઝ કાફ્કા ( 1883-1924.પોલેંડ) જેવા લેખકો હતા.ઔધ્યોગીક મુડીવાદે જે એકલાવાયાપણાની ( Alienation) પશ્ચીમી સમાજને ભેટ આપી તેના પ્રતીકાર તરીકે જે અસ્તીત્વાદની તરફેણ કરતું સાહીત્ય પેદા થયું તેના તે બધા છડી પોકારનાર હતા. ખાસ કરીને સાત્રેને તો માર્કસના સામ્યવાદી ચીંતનમાં અને સોવિયેત રશીયામાં થઇ રહેલા તેના અમલમાં માનવ જાત માટે બીજો વીકલ્પ દેખાયો હતો. સાત્રે અને કામૂને તો સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળેલું હતું.

પણ આજે મારે વાત કરવી છે આલ્બેર કામૂની.

ગુજરાતી સાહીત્યમાં છેલ્લા સાડા છ વર્ષથી પ્રતી છ માસે એક (પુસ્તક) મેગેઝીન બહાર પડે છે. તેનું નામ છે 'સાર્થક જલસો'. જેની વીગત લેખના અંતે મુકી છે. તેની ટીમના સુકાનીઓ છે ઉર્વીશ કોઠારી, દીપક સોલીયા અને બીરેન કોઠારી. તેના ૧૩મા અંકમાં દીપક સોલીયાએ એક વીચારપ્રેરક લેખ લખ્યો છે. લેખનું ટાઇટલ છે ' આ કામૂ કોણ હતો' ? આ લેખના કુલ ૧૩ પાના મઝાના છે. દરેક પાનાને તેની આગવી વીશીષ્ટતાઓ છે. લેખના લેખક ભાઇ સોલીયાએ જે કામૂના પ્રથમ ફકરામાં જણાવેલ વૈચારીક સંઘર્ષનું નીરૂપણ કર્યું છે તે પોતેજ અતી કામણગારુ છે. તે લખાણ અને તેના લેખકના પ્રેમમાં ના પડી જવાય તો જ નવાઇ! વધુ ચર્ચાને બદલે સીધા આપણે સોલીયાએ કરેલ કામૂના વીચારોની કરેલ આતશબાજીને દીવાળીના દીવસોમાં અચુક માણી લઇએ.

(1) આ એક જુની જાણીતી મુંઝવણ છે કે અન્યાય, શોષણ, કુસંપ, સરમુખત્યારશાહી વગેરે સામે કઇ રીતે લડવું? શાસકો બહેરા હોય ત્યારે તેમને કઇ રીતે જગાડવા? આ માટે મુખ્ય બે રસ્તા વીચારાતા હોય છે. (અ)  ગાંધી માર્ગ જેમાં સત્યાગ્રહથી, સૌમ્ય મક્કમતાથી અન્યાયીઓને ઝુકવવાની નીતી અપનાવાય છે.

(બ) ભગતસીંઘનો માર્ગ, જેમાં બહેરા શાસકોને જગાડવા માટે મોટા ધમાકા કરવામાં આવે છે. આ થઇ સામાજીક મુંઝવણ. આ ઉપરાંત બીજી એક વ્યક્તીગત મુંઝવણ ઘણી જુની અને જાણીતી છે. તે એ છે કે  જીંદગી જો આટલી દુ;ખમય હોય, ગમે ત્યારે મોત ટપકી પડવાની સંભાવના ધરાવતું હોય, સરવાળે માણસ ગાંધી–કૃષ્ણ કે હીટલર સુધ્ધાં હોય તો પણ એમનું જીવનકાર્ય એક હદથી વધુ પ્રભાવ પાડી શકતું નથી. તો પછી સામાન્ય માણસ આ ધરતી પર સતત અસ્તીત્વ ટકાવવાનો કીડાઓ જેવો સંઘર્ષ વેઠીને  છેવટે શો કાંદો કાઢી લે છે? બીજા શબ્દોમાં કહીએ તો શું જીવન સાર્થક છે ખરૂ?

આ બંને મુદ્દે ઉડું ચીંતન કરનાર ૨૦મી સદીના વીચારકનું નામ છે ' આલ્બેર કામૂ'.  પાનુ ...૧.

(2)  એક દીવસ એવું બન્યું કે તેના પીતા સવારે વહેલા ઉઠયા અને નગરમાં એક જણનો શીરચ્છેદ થવાનો હતો એ ઘટનાજોવા ગયા..... આલ્બેરના પીતાએ તે વીધી જોઇ. પછી ઘેર પાછા આવ્યા ત્યારે કશી વાત કરવાને બદલે  એમણે થોડી વાર લંબાવ્યું અને પછી ઉભા થઇને ઉલટી કરી..... કામૂને સમજાયું કે  હીંસામાં કશોક લોચો છે તેનાથી ઉલટી થાય છે....પાનુ. ૨...

(3) શાસક ડાબેરી ( સામ્યવાદતરફી) હોય કે જમણેરી (ધાર્મીક) તે બધાને યેનકેન પ્રકારે  સત્તા મેળવવા– ટકાવવામાં જ રસ છે એવું સમજતાં કામૂએ સામ્યવાદી પાર્ટીનો સાથ તો છોડી દીધો. પરંતુ નૈતીકતા અને રાજનીતી વચ્ચે મેળ કેમ બેસાડવો એ વીશે કામૂનું મંથન જીવનભેર ચાલ્યું.... " કુદરત નીષ્પક્ષ છે. પ્રકૃતીમાં નૈતીકતા નથી. શીષ્ટાચાર નથી.અને સાર્થકતા પણ નથી." કામૂના એક પાત્રે સૃષ્ટી સામે બળવો પોકારવા  તમામ પ્રકારની નૈતીકતા ફગાવીને  બેફામ ક્રુરતાનો માર્ગ અપનાવ્યો. એણે કારણ વીના અનેક લોકોની હત્યા કરાવી... તેનું પાત્ર સંવાદમાં આગળ બોલે છે " ઇશ્વર સમકક્ષ બનવું હોય તો  એક જ રસ્તો છે...એના જેવુ ક્રુર બનવું પડશે... નાટકના અંતે તેજ પાત્ર હળવેકથી બોલે છે ' સાલો ખુનખરાબો પણ ઇલાજ તો નથી જ ' પાન ..૩.

(૪)   જીંદગી પોતે નીરર્થક હોય તો પણ એમાંના સંઘર્ષ માણસને જીવવા માટેનું બળ પુરું પાડે છે...પાન–૪

(૫) અંગત તેમ જ વ્યાપક નીરર્થકતાનો માણસ પર કેવો કેવો પ્રભાવ પડી શકે એ વીશે કામૂએ ખુબ વીચારેલું. અમુક ચોક્ક્સ પ્રકારની નીર્લેપતા ધરાવતો માણસ  કેવો હોઇ શકે  તેની કલ્પના કરીને  કામૂએ બે નવલકથા લખેલી. એમાંની પહેલી હતી ' એ હેપી ડેથ ' એક સુખી મોત ....તેમાંનો હીરો બોલે છે  ' ખુન એ મૌલીક છે કે પ્રેરીત એ બાબતે ભલે અસ્પષ્ટ છે'. એટલું સ્પષ્ટ છે કે આખી વાતમાં નૈતીકતા ક્યાંય નથી આવતી . ખુનનો હીસાબ સાદો છે; સુખી થવા માટે ' જે કરવા જેવું લાગે છે એ માટે પેલો હીરો ખુન કરે છે. તે અમીર બની જાય છે. પૈસાના જોરે ફુરસદ મેળવે છે '....પાન..૫.

(૬) પૈસાના જોરે ખરીદેલા સમયની મદદથી જાત અને જગત સાથેના લાંબા સંઘર્ષને અંતે  હીરો છેવટે સુખેને પામે છે ખરો? પછી એ માંદો પડે છે. અને મરી જાય છે. ઉત્પાતીયા માનવીની માટી છેવટે સ્થીર શાશ્વત માટીમાં મળી જાય છે... પાન.. ૬.

(૭) અ હેપી ડેથની નવલકથાનો હીરો ખુન કરે છે. તેની એક જ રીવોલ્વરની ગોળીએ સામાનું મૃત્યુ થાય છે. પણ થોડીવાર હીરો ઉભો રહી સામાના મૃત્ત શરીર પર બીજી ચાર ગોળીઓ છોડે છે. પછી પાછો સ્વગતોક્તી ( Soliloquy) બોલે છે; " એક ગોળીથી મરેલો માણસ બીજી ચાર ગોળીઓથી 'વધુ' થોડો મરી જવાનો છે."... તેના પર કેસ ચાલે છે. ફરીયાદી વકીલ કોર્ટને સમજાવવાની કોશીષ કરે છે કે ખુની લાગણી શુન્ય રાક્ષસ છે. કારણકે પેલો વકીલ દલીલ કરે છે કે મી લોર્ડ " આ માણસે તેની માતાના મોત સમયે સહેજ પણ લાગણી  નહોતી દર્શાવી! ખુનની ઘટનાને બદલે માતાની અંતીમવીધી વીશે કોર્ટમાં ચર્ચા વધુ થાય છે. છેવટે જજ ચુકાદો આપે છે " જાહેરમાં આ માણસનું માથુ ધડથી અલગ કરી દો..... પાછો તે બોલે છે કે મારી એકલતા ઓછી થાય એટલા ખાતર ઇચ્છું છું કે મને જ્યારે દેહાંત દંડ અપાય ત્યારે બહુ બધા લોકો હાજર રહી અને બરાડી બરાડી ને મને બદદુઆ દે....".. પાન..૭

(૮)આલ્બેર કામૂની એક બીજી વીશ્વવીખ્યાત નવલકથા છે ' ધ આઉટસાઇડર'. આ નવલકથામાં માણસ ટુંકમાં સૃષ્ટીમાં અમથેઅમથું જીવન જીવતો માણસ અમથેઅમથા નૈતીક નીયમોના વર્તુળની બહાર રહીને જીવે તો તેનું જીવન કેવું હોઇ શકે એની ચોંકાવનારી કલ્પના આ નવલકથામાં છે....પાનુ ૮

(૯) તેની બીજી નવલકથાનું નામ છે ' પ્લેગ'. એક ગામમાં પ્લેગ ફાટી નીક્ળે છે. માણસો ટપોટપ મરવા માંડે છે. આખા શહેરને જગતથી વીખૂટું પાડી દેવામાં આવે છે. ન કોઇ શહેરમાંથી બહાર જઇ શકે કે પછી ન કોઇ બહારનો માણસ શહેરમાં આવી શકે! ... ગામનો પાદરી પ્લેગને " માણસોના પાપની ઇશ્વરે ફટકારેલી સજા ગણાવે છે." રોગનો ભોગ સૌથી વધારે ગામના બાળકો બને છે. બાળકો તો હજુ પાપ કરવા જેટલા  મોટા પણ થયા નથી હોતાં તો પછી તેમને ઇશ્વર કયા પાપોની સજા આપતો હશે?  આ સવાલનો જવાબ પેલા પાદરી પાસે નથી. બાળમૃત્યુના મામલે પેલા પાદરીની શ્રધ્ધા સહેજ ડગે છે. અને તે માંદા પડે છે. તેને પ્લેગ થયો નથી. લેખકનો ઇશારો એવો છે કે  પાદરી પ્લેગથી નહી પણ શ્રધ્ધાના મોતથી મૃત્યુ પામે છે. પાનુ..૯

(૧૦) પ્લેગની નવલકથાના હીરોનું નામ છે ટેરો. તે ગામના ડૉ રીઓ ને પુછી નાંખે છે કે હે! ડૉકટર તમે આસ્તીક ન હોવા છતાં કઇ રીતે થાક્યાકંટાળ્યા વીના હોસ્પીટલમાં દર્દીઓની સારવાર બસ કર્યા જ કરો છો? હીરો ટેરોનું માનવું છે કે ઇશ્વરીય આદેશ ધમકી પ્રલોભનો ના નામે ધર્મ માણસને 'સીધો' રાખવા મથે છે. હીરો પોતાના મનમાં વીચારી રહ્યો છે કે " ધર્મને વચ્ચે લાવ્યા વીના સમાજમાં નૈતીકતા જાળવી શકાય?" શું ધર્મ અને ઇશ્વર વીના માણસના હ્રદયમાંથી પ્લેગના રોગ જેવા લોભ– ધીક્કાર– હીંસા દુર કરી શકાય ..ખરા? આપણો હીરો પેલા ડૉ રીઓને પુછી નાંખે છે ' શું ઇશ્વર વીના માનવી સંત બની શકે ખરો? નાસ્તીક સંત બની શકાય ખરૂ? ...પાનુ.૧૦

(૧૧) નવલકથામાં ગામના પ્લેગના રોગથી વ્યથીત માણસો જે બધાએ પોતાના આપ્તજનો ગુમાવ્યા છે. તેઓ વીચારે છે કે તર્કબધ્ધ અને અર્થસભર જીવન જ હોય નહી ( જેમ ગમેતે માણસ પેલા પ્લેગના ભરડાનો ભોગ બની જાય છે) તેનો અર્થ એટલો જ કે માણસના હાથમાં કશું છે જ નહી. આશા રાખવાનો કોઇ અર્થ નથી. માટે આ બધી વાતે ત્રાસેલા લોકો  છેવટે ધર્મને ફગાવી દઇને જલસા અને ઐયાશી પર ઉતરી આવે છે. પાનું.૧૧

(૧૨)કામૂની નવલકથા " ધી રીબેલ' પછી કામૂ અને વીચારક સાર્ત્રે વચ્ચે સાધન અને સાધ્યના મુદ્દે ખુબજ ગંભીર મતભેદો ફ્રાન્સના વીચાર જગતમાં બહાર આવે છે. કામૂ તેમાં ગાંધીજીના પક્ષે રહે છે. સાધ્ય ગમે તેટલું ઉમદા હોય તેમછતાં તે સીધ્ધ કરવા હીંસાને કામૂ વર્જય ગણે છે. કામૂને મન માનવતા પહેલી. ક્રાંતી કે બળવા પાછળનો આદર્શ ભલે ગમે તેટલો ઉંચો હોય ,પણ તેના પાયામાં નીતીમત્તા તો હોવીજ જોઇએ. પનુ. ૧૨..

(૧૩) સાર્ત્રે ઉવાચ– ક્રાંતીકારી સત્તા જો પ્રેસ પર થોડો અંકુશ લાદે, લોકો પાસે  બળજબરીથી મજુરી કરાવે અને જરૂર લાગે તો ફટાફટ  મોતની સજા પણ ફટકારી દે ..તો એમાં ખોટું શું છે? ક્રાંતીને આગળ ધપાવવા આવું બધું કરવું પડે...ક્રાંતીના લડવૈયાઓએ નેતાને અનુસરવું જ રહ્યું....શીસ્ત તો જોઇએ..સાચા ખોટા અંગે  સૌ જાતે જ નીર્ણય લેવા લાગે એ તો કેમ ચાલે? ...પાનું ૧૩.

સૌજન્ય–સાર્થક જલસો–૧૩. તેમાં જુદા જુદા લેખોમાં કેટલાક ' ફીલ્મ હેલ્લારો,( લે. અભીષેક શાહ) હોમાયા વ્યારાવાલા તમારા શું થાય? (પરેશ પ્રજાપતી) જ્યારે અસ્તીત્વની સમગ્ર ચેતના સ્પંદન બનીને  વહેવા માંડે ( આશીષ કક્ક્ડ) મેમરી ટ્રઝર( રજનીકુમાર પંડયા) હોંગકોંગનો સંઘર્ષ( રૂતુલ જોષી), માધવબાગની સભા ખરેખર કેવી હતી ( ઉર્વીશ કોઠારી) છે. સંપર્ક– બુકશેલ્ફ, ૧૬ સીટી સેન્ટર, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ–(૩૮૦૦૦૯) ફોન–૦૭૯–૨૬૪૪ ૧૮૨૬.

  


--

Saturday, October 26, 2019

હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમચાલ્યો નહી?


હાઉડી મોદીનો અમેરીકન ડોલર મહારાષ્ટ્ર અને હરીયાણામાં કેમ ચાલ્યો નહી? પેલી કાશ્મીરની ૩૭૦ની કલમનો નાશ અને સ્વરચીત રાષ્ટ્રવાદના વીસા સર્ટીફીકેટ પણ બંને રાજયોના મતદારોને બીજેપીની તરફેણમાં મત આપવા કેમ પ્રેરણાસ્રોત ન બન્યા? મોદીશાહની બેલડીની વીધ્યુતવેગી ચુંટણી સભાઓ કેમ અમને અર્થશાસ્રમાં ભણાવવામાં આવતા Father of Economics- Adam Smithના ' ઘટતી સીમાંન્તતાના સીધ્ધાંત ( The law of diminishing return)નો ભોગ બન્યા.? " જેટલી વધુ ચુંટણી સભાઓ એટલી બીજેપીની ઓછી સીટોની જીત. બંને રાજ્યોમાં તમામ વીરોધ પક્ષોની ચુંટણી લડવા માટેની ગણી ગણાય નહી તેટલી મજબુરીઓ છતાં મતોનો કળશ (કમળ નહી) તે બધાના શીરપર જ કેમ ઢોળ્યો? બીજેપીનું નહી પણ મોદીજીનું અંગત વોટ કેચીંગ મશીન 'વ્યક્તી પુજા' ( Personality Cult) ના અફીણી ઘેનનો જાદુ પેલા ઇવીએમ ચુંટણી મશીનોમાં મતદારોને આકર્ષવામાં કેમ સફળ ન થયો? છેલ્લે ઘણા સમયથી બીજેપીનું રાજકીય પ્રચાર કાર્ડ કાયમ માટે મતદારોની વાસ્તવીક આર્થીક મજબુરીઓ પર હાવી જતું હતું તેમાં કેમ પંચર પડયું? મહારાષ્ટ્રના મરાઠાવાડા, વીદર્ભ, આર એસ એસ ના નાગપુર જેવા વીસ્તારો જેમાં બીગ શોટ નીતીન ગડકરી, વર્તમાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડન્વીસ વી. ની ગૃહભુમીમાં તેમના બીજેપીના પ્રધાનો અને વર્તમાન ધારાસભ્યો કેમ હાર્યા?
મોદીજી, સમજીલો કે તમારા નોટબંદી અને કમસમયની અણઘઢ જીએસટીના અમલે તમારી સંપુર્ણ રાજકીય કારકીર્દીની અને તમારા રાજકીય પક્ષના ભવીષ્યની ઘોર ખોદી નાંખી છે. આપ સાહેબ! કેમ હમેંશાં હાર્વર્ડ અને ક્રેમબ્રીજનાના આર્થીક ભારતીય તજજ્ઞનો અને અન્ય બૌધ્ધીકોની સરખામણીમાં કેવા માણસોને પસંદ કરો છો?
જુઓ ભાઇ! વીશ્વના જુદા જુદા દેશોના ટોચના નેતાઓ, તમારા જેવા સમાજ અને વ્યક્તીના આમુલ પરીવર્તનમાં રાજકીય સત્તાના ઉપયોગથી પ્રમાણીક રીતે મથનારઓને મુડીવાદી બજાર વ્યવસ્થાએ ફગાવી દીધા છે.કારણકે તમે બજારના નીયમોની સામે પડેલા છો. જે નગ્ન સત્યને હજુ પણ તમે, તમારી સરકાર અને આર એસ એસના વડા મોહન ભાગવત સ્વીકારવા તૈયાર નથી.
સામ્યવાદના પ્રણેતા કાર્લમાર્કસ, ત્યારબાદ તેના સૈધ્ધાંતીક ચીલે ચાલનાર, લેનીન, સ્ટાલીન, માઉત્સે તુંગ, અને સ્વદેશી અર્થકારણના પ્રણેતા ગાંધીજી વગેરે બજાર વ્યવસ્થાની સામે પડયા તો તે બધા અત્યારે ક્યાં છે?. સામ્યવાદી સોવીયેત સોશીયાલ્સ્ટ રશીયામાંથી ફક્ત રશીયા થઇ ગયુ. ચીને સામ્યવાદ છોડયો અને મુડીવાદ પસંદ કર્યો તો તાકાતવાન બન્યો છે. વીશ્વના શેર બજારોમાં(શેર માર્કેટ) એક સત્ય શાશ્વત છે. " જે બજારની સામે પડે છે તેની કબર પણ શેર બજારનાં પગથીયા નીચે જ બને છે."
તમારા આર્થીક નીર્ણયોથી જે મંદી દેશમાં પેદા થઇ છે તેની જવાબદારીમાંથી છટકવા મહેરબાની કરીને જુદા જુદા બાના ન શોધશો.મંદી કોર્પોરેટ ક્ષેત્રના કરવેરા ઘટાડવાથી ક્યારે દુર નહીં થાય! તે ક્ષેત્રની કુંપનીના માલીકોને પુછો તો ખરા ભાઇ! કેમ તમે ઉત્પાદન ઓછું કરી દીધું કે બંધ કરી દીધું છે? " અમારા માલ કે ઉત્પાદનને ખરીદનાર નથી!" મંદીને ઓળખવાનું એક જ લક્ષણ છેસતત માંગનો ઘટાડો. દેશના ખેતી ક્ષેત્રથી માંડીને ટોચના પાંચ ટકા માલેતુજાર વર્ગને બાદ કરતાં તમામ આર્થીક સંગઠીતઅસંગઠીત ક્ષેત્રો (Unorganized sectors)પર આધારીત પ્રજાની આવકમાં જબ્બરજસ્ત ઘટાડો થઇ ગયો છે. લોકો પોતાની ખરીદશક્તીના ઘટાડાને કારણે જીવવા માટે જેટલું મજબુરીથી ખરીદવું પડે તેનાથી વધુ ખરીદવાનો નીર્ણય મુલતવી રાખે છે. અથવા લંબાવે છે.
દેશની મોટાભાગની પ્રજાની આવકમાં સતત ઘટાડો, સરકારની ખેતી ક્ષેત્રની સમસ્યો સુલઝાવવામાં સરીયામ નીષ્ફળતાઓ અને અસંગઠીત ક્ષેત્રના લોકોની આવકમાં (નોટબંધી અને જીએસટીના પરીણામોને કારણે) સતત અચોક્ક્સતાઓ, દેશની મંદી માટે કારણભુત બનેલ છે. બેરોજગારી,યુવાનોમાટેનું અનીશ્ચીત ભાવી જેવા પરીબળોમાં તેમાં ઇધન પુરુ પાડે છે.
ખાલી હરીયાણા રાજ્યમાં બીજેપીનો કુલ મતદાનમાં લોકસભાની ચુંટણી સમયે ફાળો ૫૮ ટકા હતો તે ઘટીને વીધાનસભામાં ૩૬ ટકા થઇ ગયો છે. તેવુંજ મહારાષ્ટ્રમાં પણ બન્યું છે. કોઇપણ દેશમાં મંદીના પરીબળો રાતોરાત પેદા થતાં નથી તેજ પ્રમાણે મંદીને કોઇ રાતોરાત દુર કરી શકતું પણ નથી. ક્રમશ; મંદીનો અસરો તમારી સૌનું રાજકીય ભવીષ્ય આ બે રાજ્યોના પરીણામોની માફક નક્કી કરશે. આવા સંજોગોમાં તમારા ચુંટણી જીતવવાના તમામ જુના સાધનો અને વ્યુહ રચનાઓ કામમાં ઉપયોગી નીવડતી નથી તે બોધપાઠ આપણને સૌને આ બે રાજ્યોની ચુંટણીના પરીણામો આપે છે.


--

Comment & Reply

 ·         Rajul P Desai Respected Bipinbhai,

I couldn't resist myself from reacting to your post , but as such I strongly believe it is a waste of time , instead of doing something constructive for the society.
From sometime I am observeing -- For all self proclaimed rationalist and pseudo intellectual, soft target is Modi Govt. only , Why so biased approach by a rationalist person like you ? You have become so blind folded that you cannot see anything good work of this government ? You people do not have sense of appreciation to applude the global achievement of a person who is in your hate list !
In the recent past Modiji received many International awards, even from Muslim Countries but you people overlook to it.
You people consider yourself champion of Human rights and freedom of speech. If you will take trouble to case study of 80 years old Social activist IITian Mr.H.S.Sharma , who was put behind the bars for exposing scandals of Nehruji !
You didn't find anything wrong when Mrs.Sonia ruled as Proxy P.M. ! Straight from P.M.O files.
In March 2013 GDP Rate was 4-3 % with Inflation 14.72% and Fiscal Deficit 4.9%.
Now it's Deep to GDP Rate 5% with Inflation 3.18 and Fiscal Deficit 3.19% despite Global Recession.
I M F reported Global economy is in a synchronised slowdown.
In India Business News :
In the gloomy global economic picture painted by I M F, India retains it's rank as the world's fastest - growing major economy tying with China.
Since my childhood I am travelling a lot in train and at different places but never ever seen this type of cleanliness. Is this not making of new India with the ideology of clean India ?
Don't behave like agent of some political party. How we can consider Uttambhai as Rationalist when we see his affiliation with a political party ?
You better need to understand that counting Modi's fault will not take you anywhere. You need to introspect why MANAVWAD had to be closed down ?
You people always seem to be waiting for mistakes to be committed by Modi like Dogs waiting outside the restaurant for the left over.
Here I w'd like to response about the education / qualifications. Like Indiraji there are many great personality who where successful in their respective fields inspite of not having adequate education / degree. Why single out one person ?

Don't be so quick to believe what you hear because lies spread faster than the fact.  

સ્નેહી ભાઇ રાજુલભાઇ,

તમારો પત્ર અંગ્રેજીમાં છે. પણ હું જવાબ ગુજરાતીમાં આપું છું. જેથી અન્ય વાચકો પણ મારી વાત સમજી શકે. મેં મારા લેખમાં બે વાત લખી છે. (૧) મહારાષ્ટ્ર અને હરીયાણાની વીધાનસભાના ચુંટણીના પરીણામો. (૨) આવા પરીણામો માટે મોદી સરકારની આર્થીક નીતીઓ જવાબદાર છે તેવું મારૂ તારણ હતું. ખાસ કરીને નોટબંધી અને જીએસટી. આશરે છ માસ પહેલાં લોકસભાના ચુંટણીના આ બે રાજ્યોના પરીણામોમાં બીજેપીને જબ્બરજસ્ત બહુમતી મળી હતી. અને એકદમ શું થયું કે મહારાષ્ટ્રમાં ૨૮૮માંથી બીજેપીને ૧૦૩ સીટ મળી અને હરીયાણામાં ૯૦ સીટોમાંથી ફક્ત ૪૦ સીટો મળી! બંને રાજ્યોમાં જે વીસ્તારો ખેતી અને નાના ઉધ્યોગોવાળા હતા તેમાં બીજેપીના ઉમેદવાર હાર્યા છે. મહારાષ્ટ્ર રાજ્યનો વીદર્ભ વીસ્તાર એવો છે કે જેમાં દેશમાં સૌથી વધારે આપઘાત તાજેતરના વરસોમાં તેના ખેડુતોએ પોતાનું બેંકનું દેવુ ચુકવવા અસમર્થ બનવાથી કર્યા છે. દેશના ઉધ્યોગપતીઓએપોતાનું બેંકોનું દેવુ ચુકવવા આપઘાત નથી કર્યા એ મને, તમને અને સૌ ને ખબર છે. તે ન ચુકવવા બીજી કઇ રીતરસમોનો ઉપયોગ કર્યો છે તેના વી[i]શે કોણ અજાણ છે!

o     બીજી અગત્યની માહીતી એ હતી કે વીરોધ પક્ષોનું કોઇ અસરકારક ચુંટણીના પરીણામલક્ષી આયોજન અને સાધન સંપત્તી બીજેપીની સરખામણીમાં નહીવત હતું. તેવા સંજોગોમાં બીજેપીના ઉમેદવારો અને તેપણ વર્તમાન સરકારના પ્રધાનકક્ષાના ઉમેદવારો હારે તેની પાછળ આપણે કયા પરીબળોને જવાબદાર ગણીશું?

·           રેશનાલીસ્ટ તરીકે અમે સ્પષ્ટ છીએ. શેના માટે? ભક્તી અને જ્ઞાન વચ્ચે તફાવત છે. ભક્તી કરવા માટે જ્ઞાન, તર્કવીવેક (રેશનાલીટી),કે વૈજ્ઞાનીક માહીતીની જરૂર નથી. ભક્તોની દ્રઢ માન્યતા હોય છે કે ભગવાનને મેળવવા માટે તેના વિષે જ્ઞાન વી. પ્રાપ્ત કરવાની જરૂર નથી. ફક્ત તેનું રટણ કર્યા કરીશું તો પણ ભગવાન આપણને મલી જશે. વ્યક્તી પુજા, ભગવાનની હોય કે કોઇ નેતા કે અન્યની હોય તેમાં બલીદાન ફક્ત જ્ઞાનનું જ લેવાતું હોય છે.  

·           આપની જાણ માટે હું કોઇ પક્ષનો સભ્ય કે ટેકેદાર છેલ્લા પચાસ વરસોથી નથી. મારી રાજકીય પક્ષો અંગે કેવી વીચારસરણી છે તે સમજવા ગઇ તા. ૨૦મી ઓકટોબર અને આવતીકાલ ૨૭મી ઓકટોબરનો  Bipin Shroff you tube video જોવા અને સમજવા વીનંતી છે.

 

--

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 



[i]


--