Monday, October 30, 2017

જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–


જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–

તારીખ ૩૦મી ઓકટોબર સને ૧૯૭૭ ને દીવસે જયપ્રકાશ નારાયણે આર એસ એસ માટે નીચે મુજબના નીરીક્ષણો કર્યા હતા. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે  દેશમાં જરૂર ઉભી થાય તો આર એસ એસમાટે ખાસ કાયદો ઉભો કરવો જોઇએ. આર એસ એસના ભવીષ્ય માટે સવાલ પુછતાં જયપ્રકાશજીએ કહ્યું હતું કે " હું આર એસ એસ સામે કોઇપણ કાયદાકીય પગલાં લેવાની વીરૂધ્ધ છું પણ જરૂર પડે તો તેની સામે ચોક્ક્સ કાયદેસરનાં પગલાં લેવા જોઇએ." વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  આર એસ એસે તેની સંસ્થામાં દેશના બધીજ  કોમો માટે તેના બારણાં ખોલી નાંખવા જોઇએ. અથવા તેની આ દેશમાંથી પ્રવૃતીઓ સંકેલી નાંખવી જોઇએ. મારા મત મુજબઆ દેશમાં આર એસ એસના અસ્તીત્વને ટકાવી રાખવાનું કોઇ કારણવ્યાજબી કારણ નથી. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ એડીટોરીઅલ પેજ ૩૦– ૧૦– ર૦૧૭. (જયપ્રકાશજી જ્યારે વિચારતા હતા ત્યારે સને૧૯૯૨નો બાબરી દ્વવ્સ થયો નહતો અને ગુજરાતના ૨૦૦૨ના કોમી તોફાનો થયા ન હતા.અને તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીને રાજ્યધર્મ બજાવીને રાજીનામું આપવાની વાત કરી હતી.)

 આર એસ એસ વડા મોહન ભાગવતને મોદી સરકાર ઝેડ કેટેગરીની સુરક્ષા ૨૪ કલાક ૬૦ કમાન્ડોઝ સાથે પુરી પાડે છે.

 JP on RSS
Jayaprakash Narayan said that if necessary, there should be law to deal with the RSS. Replying to a question on the future of the RSS, he said: "I am against any legal action, but if necessary, that should be done." He said that the RSS should either open its doors to other communities
or wind up its activities. "I am clear that the RSS has no justification to exist now,"
he said.

RSS chief Mohan Bhagwat gets 'Z' VVIP security cover

   Sun, Jun 7 2015 05:58:51 PM

New Delhi, Jun 7 (PTI): Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat has been extended top category 'Z ' security cover with the commandos of CISF having been tasked with the job.

--

Sunday, October 29, 2017

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશ ભારતીય પહેલી જર્નાલીસ્ટ બની જેને આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આપણને સૌને સારી રીતે માહીતી છે કે ગૌરી લંકેશને તારીખ ૫ મી સપ્ટેમ્બરના દીવસે તેના ઘરની બહાર જ ગોળીઓનો વરસાદ વરસાવીને મારી નાંખવામાં આવી છે.

અન્ના પોલીતકવ્કા એવોર્ડને પત્રકારત્વના ક્ષેત્રે વેશ્વીક કક્ષાએ ઘણોજ સન્માનીય એવોર્ડ ગણવામાં આવે છે. સદર એવોર્ડ રશીયન રીપોર્ટર અને રાજકીય વીશ્ર્લેશક, જેને ગૌરી લંકેશની માફક જ પોતાની લોકશાહી મુલ્યો તરફી વૈચારીક પ્રતીબધ્ધતા ને કારણે ૪૮ વર્ષની ઉંમરે સને ૨૦૦૬માં ૭મી ઓકટોબરના રોજ  રશીયાના પાટનગર મોસ્કોમાં તેણીના ફેલ્ટની લીફ્ટમાંજ રશીયાના વર્તમાન પ્રમુખ પુટીનના સત્તાકાળમાં મારી નાંખવામાં આવી હતી. તેણી બે દીકરીઓની માતા હતી. ગૌરી લંકેશને આ એવોર્ડ સુંયુક્ત આપવામાં આવ્યો છે. પાકીસ્તાની શાંતી કર્મનીષ્ઠ ગુલાલી ઇસ્માઇલ ઉંમર વર્ષ ૩૧, જે તાલેબાન સામે શાંતી જાળવવામાં અને તાલેબાની હીંસક પ્રવૃત્તીઓ સામે કામ કરે છે અને જેને તાલેબાન તરફથી સતત ખુનની ધમકીઓ મળેલ છે તેણીની સાથે ભાગીદારીમાં આ એવાર્ડ આપવામાં આવ્યો છે.

 સદર એવોર્ડ આપનાર સંસ્થા ' થોમસન રાયટર્સ ફાઉન્ડેશન' લંડનને ગૌરી લંકેશની બહેન કવીતા લંકેશે જણાવ્યું હતું કે " આ એવોર્ડથી જે લોકો ગૌરીની માફક નીર્ભય અને હીંમતથી સત્ય માટે કલમ ચલાવનારા છે તે સૌ ને નૈતીક હીંમત ને શક્તી મળશે. ગૌરી તો સંદેશો આપતી ગઇ છે કે તમે બંદુકની ગોળીઓથી મારા અવાજ અને વીચારને દબાવી શકશો નહી."

એવોર્ડ આપનાર કમીટીએ પોતાનું નીરીક્ષણ કરતાં જણાવ્યું કે " ગૌરીનું કામ, તેણીનું વ્યક્તીત્વ, અને તેણીનું જે રીતે ખુન કરવામાં આવ્યું છે તે બીલકુલ અન્નાના જીવન સંઘર્ષ અને સત્ય માટેની શહીદીને મળતું આવે છે." આવો એવોર્ડ મેળવનાર ગૌરી લંકેશ પ્રથમ ભારતીય છે. ગૌરીની બહેન કવીતાએ આ સંદર્ભમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે " આ એવોર્ડ ગૌરીને કે તેણીના કુટુંબને મળ્યો નથી પરંતુ જે કોઇ સર્વે ગૌરી જેવા મુલ્યો અને પ્રવૃત્તીઓ કરી રહ્યા છેઅને ગૌરીની શહાદતની સાથે રહ્યા છે તે સૌના સન્માન માટેનો આ એવોર્ડ છે." ( Addressing a press conference here, Kavitha said the award does not belong to the family but to "everyone who stood by Gauri".) ગૌરીએ તો ભારતીય પ્રેસ જગતની સ્વતંત્રતા માટે પોતાની શહીદી વહોરી લીધી છે.કારણકે સને ૨૦૧૪ પછી બીજેપીએ જે રાજકીય સત્તામેળવીને સપાટો બોલાવી દીધો છે, તેને કારણે ગૌરીએ સતત ધાર્મીક અસહીષ્ણુતા અને હીંસા,જ્ઞાતીવાદી સામાજીક અસમાનતા અને હીદુંત્વવાદી આક્રમક પરીબળોના પ્રભાવ ઉપર સતત લખતી રહી હતી.  ભલે સોસીઅલ મીડીયાપર સત્તારૂઢ બીજેપી અને હીંદુત્વના ટેકેદારો ગૌરીની વીરૂધ્ધની વાતો કરીને ઝેર ઓકતા હોય! અમને ગૌરીના કુટુંબીજનોની બે ઇચ્છાઓ છે. એક ગૌરીના ખુનીઓને ન્યાયતંત્ર સમક્ષ હાજર કરવામાં આવે અને ગૌરીનું ખુન કરવાનો હેતુ શું હતો તે જણાય!

(સૌ. હીન્દુસ્તાન ટાઇમ્સ).


--

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

("પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે." અમેરીકન કવીયત્રી માયા એન્જેલા. (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરમાં કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે એક ઐતીહાસીક ચુકાદો આપ્યો છે. તે ચુકાદામાં કોર્ટે આંતરધર્મીય લગ્નો સામે ઝુબેશ ચલાવનારાઓને ચેતવણી આપી છે. ' પ્રેમ એ સ્વતંત્રતા સાથે કદી છુટો ન પડે તેવો ગુંથાઇ ગયેલો એક અનીવાર્ય ભાગ છે'. આજ હાઇકોર્ટે મે ૨૦૧૭માં ૨૪વર્ષની હીંદુ સ્રીને પુખ્તવયની હોવા છતાં, તેની ઇચ્છા વિરૂધ્ધ, તેના મા– બાપની એવી અરજીને દાદ આપી હતી કે તેણીને બળજબરીથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવીને પરણાવી દેવામાં આવી છે. તેણી 'લવજેહાદ' કાવતરાનો ભોગ બની છે. મા– બાપની દાદને કોર્ટે એ રીતે સ્વીકારી હતી કે તેઓનું  ફરજંદ ગમે તે ઉંમરનું હોય તો પણ મા– બાપને પોતાના ફરજંદની સ્વતંત્ર નીર્ણય કરવાના અધીકારની સામે જૈવીક મા–બાપને પોતાના વારસ માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરવાનો અધીકાર છે. કોર્ટે આ દલીલને સ્વીકારી  ૨૪વર્ષની સ્રીનો કબજો તેના પતી પાસેથી મા–બાપને સોંપ્યો હતો.આંતરધર્મીય લગ્નો એટલે બળજબરીપુર્વક ધર્માંતર કરીને કરેલાં લગ્નો એવી જે ' ઘરવાપસી અને લવ જેહાદ'ની સમાજમાં જે ધીક્કાર ફેલાવવાની ચળવળ ચાલુ થઇ છે તેને સદર ચુકાદાએ કાયદેસરતા આપી. આમ કોર્ટે જોખમી આયામ પર સમાજને મુકી દીધો હતો.

તારીખ ૧૯મી ઓકટોબરના રોજ આજ કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે ઉપર જણાવેલા ચુકાદાને રદ બાતલ કરીને મક્ક્મ અને શાણપણ ભરેલા કારણો શોધી કાઢીને નવો ચુકાદો આપ્યો છે.( Last week on Thursday, a judgment by the same court brings us back to firmer and saner ground.)સદર અરજી કોર્ટમાં તેણીના પતીએ પોતાની પત્નીને તેણીના મા–બાપ પાસેથી પરત મેળવવા કરેલી હતી. ડીવીઝન બેન્ચે 'બંદી પ્રત્યક્ષીકરણ'(a habeas corpus petition)ની અરજી નો જવાબ આપતાં લાગતાવળગતા સૌને ચેતવણી આપી હતી કે ધર્માંધ અને મતાગ્રહી લોકો દ્રારા વ્યવસ્થીત રીતે ફેલાવવામાં આવતા માનસીક ભય અને વીવેકહીન (paranoia) પ્રવૃતીઓથી દોરવાઇ ન જવું. દરેક આંતરધર્મીય લગ્નો એ ધર્મ પરીવર્તનના હેતુઓથી કરવામાં આવતાં નથી. અમે ન્યાયતંત્ર તરીકે લોકોને અપીલ કરીએ છીએ કે આવી વાહીયત વાતોના બલી ન બનશો અને ઉશ્કેરાટમાં આવી ન જશો. નામદાર કોર્ટે ભારતીય દરેક નાગરીકનો બંધારણીય અધીકાર છે કે તેની ઇચ્છા મુજબનો જીવન સાથી પસંદ કરવો અને તે પ્રમાણે જીવનનો માર્ગ નક્કી કરવો. અમે ન્યાયતંત્ર તરફથી ફરીથી એકરાર કરીએ છીએ. (It reaffirmed the constitutional right of an Indian citizen to choose her life partner and determine the course of her life — even if her community and clan are ranged against her.)  ભલે આવા તમારા નીર્ણયથી તમારી જ્ઞાતી કે સામાજીક સમુહ ખફા હોય કે વીરુધ્ધ હોય. આવા લગ્ન કરનારાના મા– બાપો પોતાના પુખ્ત ઉંમરના દીકરા કે દીકરીના આંતરજ્ઞાતી કે આંતરધર્મીય લગ્નો ને સ્વીકૃતી ન આપતા હોય તો વધુમાં વધુ તો તેઓના મા– બાપો પોતાના દીકરા– દીકરીના સામાજીક સંબંધો કાપી નાંખે.( "If the parents of the boy or girl do not approve of such inter-caste or inter-religious marriage, the maximum they can do is that they can cut off social relations with the son or the daughter," it said.) નામદાર કોર્ટે રાજ્ય સરકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તમારો આવા પોતાના બંધારણીય હક્ક મુજબ નીર્ણય કરનારાની તરફેણમાં મક્ક્મ રીતે ઉભા રહેવું તે રાજ્યની ફરજનો એક ભાગ છે.ઇન્ડીયનએકસપ્રેસના તંત્રી પોતે લખે છે કે " ખરેખરતો કોર્ટે અતીઉત્સાહી બનીને સામાજીક કે આર્થીક રીતે નાનામાં નાના નાગરીકની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઇએ. કોર્ટે, સમાજે તેના વીદ્રોહીઓ માટેની સ્વતંત્રતા માટેના બારણાં બંધ કરી દેવામાં આવ્યા છે તેને પોતાના ચુકાદાઓથી ખોલી નાંખવા જોઇએ." ("This court should be overzealous to protect the individual liberty of even the lowliest citizen… and unlock the door to [her] freedom," it said.).

આવોજ એક કેસ(Hadiya case) સુપ્રીમ કોર્ટમાં હજુ અનીર્ણીત છે. તે અંગે ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ પોતાના ૨૩–૧૦– ૧૭ના તંત્રી લેખમાં દેશની માનનીય સુપ્રીમ કોર્ટને વીનંતીપુર્વક જણાવે છે કે ' કેરાલા હાઇકોર્ટે જે નીર્ણય કર્યો છે તેને આધારે પોતાના તારણો કાઢે.' ( The honourable SC should take note of the wisdom in the Kerala HC's order, especially its unambiguous endorsement of the subversiveness and humanity of love.)

કેરાલા હાઇકોર્ટેને સલામ સાથે કહેવું પડે કે તેણે આ કેસમાં ચુકાદાની શરૂઆત મહાન અમેરીકન કવીયત્રી "માયા એન્જેલો" ની પંક્તીઓથી કરેલી છે. ' પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે.' (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરના વર્ષોમાં ઇરાદાપુર્વક ખાસ કરીને આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય પ્રેમ લગ્નો સામે દેશમાં સંપુર્ણ વ્યવસ્થીત રીતે ધીક્કારનો કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે.તેની સામે નામદાર કેરાલા કોર્ટે આપણને  યુવાનપ્રેમીઓના પ્રેમ કરી લગ્નકરવાના અધીકાર પર જે ધબ્બો કે કાળો ડાઘ જેહાદી તરીકેનો ખાસ ધર્મ સામે લાગેલો હતો તેને દુર કરી આપ્યો છે. અમેરીકન કવીયત્રી એન્જેલાએ આપણને યાદ દેવડાવી છે કે  પ્રેમ અને સ્વતંત્રતા એક બીજા સાથે એટલા ઓતપ્રોત  થઇ ગયા છે. તે બેની જોડી હોઇ શકે નહી તેવા એકરૂપ (free radicals )થઇ ગયા હોય છે. દરેક લોકશાહી સમાજ વ્યવસ્થા આવા વધુ ને વધુ ઓતપ્રોત થઇ ગયેલા પ્રેમીઓના એકરૂપ એકમોને જન્મ આપીને વીકસાવવા જોઇએ જો તે સ્વતંત્રતામાં માનતા હોય તો!.ભાવાનુવાદતંત્રી લેખનો–By Courtesy-- I. Express—Editorial dated 23rd Oct-17.

 

 


--

Sunday, October 22, 2017

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

 સને ૨૦૧૪ના સપ્ટેમ્બર માસમાં મોદી સાહેબે ' મેઇક ઇન ઇંડીયા' નો તુક્કો રમતો મુકયો હતો. બીજા બધા નોટબંધીથી માંડીને તેમના ઘણા બધા વીચારો એ તઘલઘી તુક્કોમાં કેવી રીતે રૂપાંતર થાય છે તે આપણે મે .ઇ .ઇ. ( મેઇક ઇન ઇંડીયા નું ટુંકુ રૂપ) ના ફજેતાથી જોઇએ.

કોટક સીક્યોરીટીઝ ના સુવોદીપ રક્ષીત અને બીજા બે નાણાંકીય નીષ્ણાતોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં મે.ઇ.ઇ.ના બરાબર ત્રણ વર્ષો પુરા થયા પછી એક ખુબજ ચોંકવનારો રીપોર્ટ બહાર પાડયો છે. તેમના પૃથ્થકરણ પ્રમાણે મોદી એન્ડ રાજ્ય કર્તા કુંપનીએ દેશના અર્થતંત્રની હકીકત વીરૂધ્ધનું દંભી અને આડંબરી ચીત્ર દેશ અને દુનીયાને બતાવી રહ્યા છે. પોતાના સંશોધીત રીપોર્ટનું નામ આપ્યું છે.

 "  between  scylla & charybdis ". ગ્રીક પુરાણ કથા મુજબ આ બે સીલ્લા અને ચેરીબ્ડીસ નામના બે દરીયાઇ  ખતરનાક પશુઓ હતા. બે માંથી જે પસંદ કરો તેમાં વીનાશ અનીવાર્ય હતો. હકીકતમાં તે ઇટાલી અને સીસેલી વચ્ચેની મસીહાની સમુદ્ર્ધુનીમાં આ બે એવા સાંકડા  પુર્વ– પશ્સીમના વીસ્તારો છે  જે  સમુદ્ર્ના નાવીકો માટે ખુબજ જોખમકારક આજે પણ છે.. એક બાજુ દરીયમાં ખડકો છે,અને બીજુ ચક્રવાક જેવાં ઘુમરાતા પાણી છે.નવી દીલ્હીની સરકાર માટે કાંતો બેંકોના દેવાળા કાઢીને ભભકા ચાલુ રાખો અથવા આર્થીક મજબુરીઓમાં દેશની પ્રજાને ગુંગળાવી નાંખો.

અગાઇ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં  મેક ઇન ઇંડીયાનો સીંહ સાથેનો ચક્ર અને ગીયર બતાવતો લોગોનો કોન્ટ્રાક્ટ ૧૧ કરોડમાં 'Weiden+Kennedy India Limited, 'પોર્ટલેંડ,ઓરેગોન યુએસ એની જાહેરાત કુંપનીને કોઇપણ જાતના ટેન્ડર મંગાવ્યા સીવાય ત્રણ વર્ષ માટે જાહેરાત કરવા આપી દીધો હતો. કોટક સીક્યોરીટીઝના લેખકો જણાવે છે જે  મે.ઇ.ઇ ની ગાડી પાટા પર ચડે તે પહેલાંજ ત્રણ વર્ષેની આખરે રેલનીપટરી પરથી નીચે ઉતરી ગઇ છે.

મે.ઇ.ઇ.નો સૌથી મોટા અને આશાસ્પદ પ્રોજેક્ટનું શું થયું તે જોઇએ.૨.૫ બીલીયન ડોલર્સનો એક રેલ્વેના ડીઝલ કમ ઇલેટ્રીક એન્જીન બનાવવાનો પ્રોજેકટ યુએસએની કુંપની જનરલ ઇલેટ્રીક કું( જી ઇ) ને આપેલો હતો.તે પ્રોજેક્ટ બીહાર રાજ્યના મરહોરા અને છાપરાવીસ્તારમાં શરૂ કરવાનો હતો.આશરે ચાલુ વર્ષમાં સપટેમ્બર માસની ૧૫મી તારીખની આસપાસ મોદી સરકારે આ પ્રોજેક્ટ એમ કારણ બતાવીને બંધ કર્યો કે હવે દેશને ઇલેકટ્રીક રેલ્વે એન્જીનોની જરૂર છે ડીઝલ કમ ઇલેકટ્રીક એન્જીનોની નહી. આવું જ્ઞાન સાહેબને અમેરીકાની જી ઇ કું સાથે કરાર કર્યો ત્યારે શું ખબર નહતી? એક તરફી કરાર ભંગના નાણાં રૂપીયા ૧૩૦૦ કરોડ ભારતીય રેલ ખાતું (દીલ્હી સરકાર) અપમાનીત થયેલ જી ઇ કુંની ને ચુકવશે. આપણે બીહારના મહાગઠબંધન સાથે છેડો ફાડીને આવેલા બીહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કેવી દશા  મોદી– અમીત શાહની બેલડીએ હવે કરી દીધી તેની વાત નહી કરીએ. તેની સામે બે ટર્મ સુધી રેલ્વે મંત્રી રહી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ કહે છે કે દેશના૧,૧૦૦૦૦ કીલો મીટર્સના રેલ્વે ટ્રેક્સનું વીજળીકરણ કરતાં કેટલાય યુગો નીકળી જશે. ભારત સરકારનો બીહાર માટે એવો દાવો છે કે ત્યાં રાજ્યમાં ૯૬ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે. હકીકતમાં સને ૨૦૧૫માં તે અંગે થયેલા સર્વે મુજબ બીહાર રાજ્યના ફક્ત આઠ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે અને તે દીવસમાં ૨૦ કલાક આવે છે. તે રાજ્યની આશ્ચર્યચકીત કરનારી હકીકત એ છે રાજ્યના ૮૦ ટકા ઘરોમાં રાત્રે કેરોસીન– ફાણસ વાપરીને અજવાળુ કરવામાં આવે છે.

 બીજી બાજુ વીશ્વના બધાજ દેશોમાં  રેલ્વો એન્જીનો વધુ ભાર (લોડ) ખેંચી શકે માટે વીજળીથી ચાલતા એન્જીનો બંધ કરી દેવામાં આવ્યા છે.  જનરલ ઇલેકટ્રીક કું એ અમેરીકા,ઇરાન, ચાઇના અને સોવીયેત રશીયામાં ગેસ, કે ડીઝલ અને વીજળી બંનેના સંયુક્ત ઉપયોગથી અનુક્રમે ૪૪૦૦, ૪૩૦૦, ૬૨૫૦ અને ૧૧૩૦૦ હોર્સ પાવર સુધીના એન્જીનો બનાવી આપ્યાં છે.

 દીલ્હી સરકાર એમ વીચાર કરે છે કે  વીજળીના ઉપયોગથી ડીઝલનો ખર્ચ બચશે! પણ તેઓને કોણ પુછવાની હીંમત કરે કે શું વીજળીનું ઉત્પાદન  કોઇપણ જાતના ખર્ચ વીના હવાનો ઉપયોગ કરીને થાય છે? દેશના રેલ્વે ખાતાના સંશોધન મુજબ બધાજ રેલ્વે એન્જીનો ડીઝલથી ચલાવવામાં આવે તો રેલ્વેના વીજળી બીલમાં કુલ ૨૦ ટકાની બચત થાય! અને બચત થયેલી વીધ્યુત શક્તી દેશના ઉધ્યોગો, વેપાર ધંધા, રહેણોકો અને ખેતીક્ષેત્રોને પહોંચાડી શકીએ. મેઇક ઇન ઇંડીયાની મૃતકબરના કોફીન પર મોદી સરકારે જી ઇ કું સાથેનો રેલ્વે એન્જીનનો કરાર રદ કરીને છેલ્લો ખીલો મારી દીધો છે કે જેથી તે ફરી જીવીત કે બેઠુ જ થાય નહી.

કેટલાક શેખી મારે છે કે ઇંડીયા ફાર્મસીના ક્ષેત્રે વીશ્વમાં બીજા દેશોની સરખામણીમાં સૌથી ટોચની કક્ષાએ છે.હકીકતમાં  આ ક્ષેત્રના હરીફ ચીનની સાથે સરખામણી કરીએ તો આપણો દેશ કુલ જીડીપીના ૦.૯ ટકા, એક ટકો પણ નહી દવાક્ષેત્રમાં સંશોધન માટે વાપરે છે. જ્યારે ચીન ૨.૧ ટકો પોતાના કુલ જીડીપીનો વાપરે છે. આપણાથી ડબલ. એક સંશોધન પ્રમાણે દેશના ૬૦ ટકા મેડીકલ ઇન્સ્ટીટયુટ કોઇપણ જાતના સંશોધન કામ કરતા નથી. દેશમાં જે કોઇ મેડીકલ ક્ષેત્રે રીસર્ચ થાય છે તે સરકારી સંસ્થા ઓલ ઇંડીયા ઇન્સ્ટટીયુટ ઓફ મેડીસીન દ્રારા જ થાય છે.જેના નાણાંનો ખર્ચ આપણા કરવેરામાંથી થાય છે. મેડીકલ ક્ષેત્રે નવા રીસર્ચ પેપર વીશ્વ સમક્ષ મુકવામાં આપણું સ્થાન ન ગણય છે. પણ વીશ્વ કક્ષાએ મેડીકલ ક્ષેત્રોમાં જે સંશોધન થાય છે તેમાં પ્રયોગ કરવા ભારત દેશના ગરીબ દર્દોનો ભરપેટ 'પેલા ગુઆના– પીગ્સ અથવા સફેદ ઉંદર ' તરીકે કરવામાં સરકાર મદદ કરી રહી છે.

   એક એવી ખોટી માન્યતા ફેલાવવામાં આવી છે કે આપણા દવા ઉત્પાદકો વીશ્વના જુદા જુદા દેશોના દવા ઉત્પાદકો કરતાં ઘણા શ્રૈષ્ઠ છે.  હકીકતમાં આ બધાજ ભારતીય દવા ઉત્પાદકો દવામાં વપરાતો કાચો માલ ( Active Pharmaceutical Ingredients or API ) ચીનથી મંગાવી પોતાના પેંકીગમાં પેક કરીને નીકાસ તરીકે પરદેશ મોકલે છે. સને ૨૦૦૦ની સાલમાં ચીનથી આવો કાચો માલ ફક્ત ૨૦ ટકા આયાત કરવામાં આવતો હતો. સને ૨૦૧૪–૧૫ની સાલમાં જ્યારે મેઇક ઇન ઇંડીયા પ્રોજેકટ તેની સોળે કળાયે દેશમાં ધબકતો હતો ત્યારે તે કાચા માલની આયાત ચીનમાંથી બાવન ટકા હતી.

 બીજેપી પક્ષ ડોકલમના મુદ્દે ચાઇના સામે સ્વ આનંદ માણે છે પણ તેમને સહેજ પણ ખબર નથી કે ભારતમાં દવા ક્ષેત્રે કાચોમાલ બનાવવાનું સને ૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધ પછી જ શરૂ થયું હતું. મેઇક ઇન ઇંડીયાના ટેકામાં ચીનની મોબાઇલ બનાવતી કુંપનીઓ ભારતમાં તેમના મોબાઇલ બનાવવાના કારખાના સ્થાપે માટે ચીનમાંથી આયાતી મોબાઇલ ફોન પર દસ ટકા આયાત ડયુટી નાંખવામં આવી છે. પણ આ મે ઇ ઇ વાળા ચૈન્નાઇની સ્વદેશી 'નોકીયામોબાઇલ' કુંપની ચીનના મોબાઇલ સામે ટકી રહે માટે સીધા કે પરોક્ષ કોઇ પ્રોત્સાહનો આપતી નથી. ગઇસાલ સને ૨૦૧૬માં દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કું એલ એન્ડ ટી એ ૧૪૦૦૦ પોતાના કર્મચારીઓને હરીફાઇવાળા બજારમાં ટકી રહેવા "લે ઓફ' આપી દીધો અથવા છુટા કરી દીધા છે. દેશમાં દરરોજ ૩૦,૦૦૦ યુવાનો નોકરી મેળવવા પ્રયત્નો કરે છે. પણ તેઓને નોકરી નહી મળતાં નીરાશ થઇને પાછા ઘેર આવે છે.આવો મેઇક ઇન ઇંડીયાના પ્રોજેક્ટ દેશના યુવાન બેકારોને દરરોજ ગાલે લાફો મારે છે. તે લાફો ખાનાર પેલા યુવાનને પુછી તો જુઓ કે તે લાફાની અસર તે જુવાન અને તેના કુટુંબ પર દરરોજ કેવી પડે છે!  સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા. તા.૧લી ઓકટોબર ૨૦૧૭, પાન નં ૧૭.)


--

Thursday, October 19, 2017

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

 ' મંદીર વહીં બનાયેગે' બાબરી મસ્જીદ ધ્વંસ, સને ૨૦૦૨ના તેમના મુખ્યમંત્રી પદ હેઠળ થયેલા તોફાનો, કેટલા MOU ગુજરાતમાં તેમની જુમલેબાજીમાં થયા અને તેનાં પરીણામ કેવા આવ્યા કે હજુ ૧૬મી ઓક્ટોબરના ૨૦૧૭ના રોજ પણ જાત જાતના શીલાન્યાસ અને MOU ગુજરાતમાં વારંવાર આવીને કરવા પડે છે. ત્યારબાદ સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આપેલા વચનો, પછી નોટબંધી અને જીએસટીની રાત્રે બાર વાગે દેશની સંસદમાં ઉજવણી, તેમના સાડાત્રણ વર્ષના શાસનમાં એકસો કરતાં વધારે  બૌધ્ધીકોએ કરેલ એવોર્ડ વાપસી. નોબેલ વીજેતા અમર્તસેનનું તક્ષશીલા યુનીર્વસીટીમાંથી વી. સી તરીકે રાજીનામું, નીતી આયોગમાંથી રંગરાજનની સ્વનીવૃતી, પ્રધાન મંત્રીને દેશના હાર્વર્ડના અર્થશાસ્રીઓ કરતાં પોતાના 'હાર્ડવર્ક' માં વીશ્વાસ, આ ઉપરાંત પેલા અખ્લાખ, જુનેજ. જેએનયુના નબીજ જંગનું ઐતીહાસીક કે રહસ્યમય ગુમથવું, મોહન ભાગવતની લવજેહાદ અને 'કાઉ લીંચીંગ' મોદીનું પેલુ સુત્ર ' મીનીમમ ગર્વનમેંટ અને મેક્ષીમમ ગર્વન્નસ' બદલે મેક્સીમ ગવર્મેંટ અને મીનીમમ ગર્વન્નસ, કેન્દ્ર સરકાર દીવસ ને રાત મહત્તમ સત્તા એકત્ર કરીને પક્ષ અને પક્ષ બહારના વીરોધીઓને ડામવાજ ઉપયોગ કરવો. અરૂણ શૌરીના મતે દેશની સરકાર ફક્ત અઢી માણસથી ચાલે છે, એક મોદી પોતે, બીજા અમીત શાહ અને અડધા નાણાંમંત્રી અરૂણ જેટલી.આ ઉપરાંત  બીજી ઘણી વાતો અહી રજુ કરી શકાય પણ તેમના નવા દાવને ઓળખવાની મારે વાત કરવી છે.

હવે આ સાહેબને કાયમ માટે લોકસભા અને રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ સાથે થાય તેવું તંત્ર ચુંટણી પંચનો પોતાની સત્તાનો ઉપયોગ કરીને કરવું છે. દેશના બંધારણે ભારતને એક દેશ તરીકે યુનીયન ઓફ સ્ટેટસ એટલે સમવાયી તંત્ર છે તે પ્રમાણે કાયદેસરનું અસ્તીત્વ બક્ષેલુ છે. તેને ક્રમશ નાબુદ કરવું છે. રાજ્યો પોતાની મેળે પોતાની ચુંટાયેલી સરકાર દ્રારા જે સને ૧૯૫૦થી રાજ્યશાસન ચલાવતા આવ્યા છે તેને નાણાંકીય સાથે તમામ વહીવટી અને નીતી વીષયક નીર્ણયોની સત્તા જે બંધારણે આપી છે તેને નાબુદ કરીને કેન્દ્ર હસ્તક લઇ લેવી છે. દેશની પ્રજાની વીવીધતા તો જુઓ. એક બાજુ ઉત્તરપુર્વના રાજ્યો ની સાંસ્કૃતીક અને જીવનમાં દક્ષીણ અને ઉત્તર ભારતના રાજ્યો કરતા કેટલો મોટો તફાવત. કાશ્મીરનાપ્રશ્નો, મધ્યભારતના રાજ્યોની આગવી વીશીષ્ટતા. આ બધાને કાયદાથી કે બુંદુકની અણીએ કેવીરીતે એકરૂપ બનાવાય.! આ માણસે તે માટે રમતા મુકેલા મુદ્દાઓને સમજીએ.

કેન્દ્રની લોકસભા અને બાકીના બધા રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ એકી સાથે જ થવી જોઇએ. કેમ? કારણકે અલગ અલગ ચુંટણી થતાં ચુંટણી કરવાનો ખર્ચ, તથા રાજકીય પક્ષોને ખુબજ મુસીબત પડે છે. " મારો મંત્ર છે, સમગ્ર દેશ માટે એક ટેક્ષપ્રથા, એકજ ચુંટણી, એક ધર્મ,એક ભાષા,, એક નેતા,અને એક જ સાંસ્કૃતીક મુલ્યોવાળી પ્રજા. સદીઓથી વીકસેલી બહુધર્મ, બહુ રીતરીવાજો અને અનેક ખાનીપીણીના વ્યવહારો અને સેંકડોભાષાઓ અને બોલીઓથી સંપન્ન દેશ ક્યારેય મજબુત રાષ્ટ્ર બની શકે નહી. છેલ્લા કેટલાય વર્ષોથી જે સમવાયી રાજ્ય વ્યવસ્થાને કારણે જે વીકેન્દ્રીત મજબુત રાજ્યો, તેમજ જીલ્લાપંચાયત અને સહકારી સંગઠનો વીકસ્યા છે,અને તેના રાજ્ય, જીલ્લા કે પંચાયત અને સહકારી ક્ષેત્રે નેતો પેદા થયા છે તે કેન્દ્રની એકહથ્થુ નેતાગીરીના સત્તાકીય પ્રભાવ ક્ષેત્રમાં મોટાપાયે અડચણરૂપ બને છે. 'કેન્દ્રીય નેતાગીરી મજબુત હોવી જોઇએ. નહીકે રાજ્યના સુબાઓની સત્તા. દેશના ગામડાઓથી માંડીને દરેક રાજ્યોના વીકાસ માટે  શું જરૂરી છે તે કેન્દ્ર્ની નેતાગીરીએ જ નક્કી કરવું જોઇએ. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા સાધનોની મદદથી એવી માયાજાળ પેદા કરવાની તેઓની નેમ છે કે દેશના બધાજ ગામડા નું ભાવી સીધું દીલ્હીથી જ નક્કી થાય! " મેં ડીમોનીટાઇઝેશન કે નોટબંધી કરી તેમાં ક્યાં મેં કોઇ રાજ્યોને પુછયું હતું કે  તેમની મીટીંગ બોલાવી હતી. મને મારી સત્તાના નીર્ણયમાં કોઇની મંજુરી લેવી પડે, ચર્ચા કરીને સંયુક્ત નેતૃત્વ વીકસાવવું તે મારા સ્વભાવમાં જ નથી. મારો બૌધ્ધીક અને નેતૃત્વનો વીકાસ તે રીતે થયોજ નથી." બીજા ઘણા બધા વચનો અને સુત્રો પ્રજાને મેં સને ૨૦૧૪થી આપતો આવ્યો છું તેમ આ સુત્ર પણ ભુલી જાવ. " મીનીમમ ગર્વમેંન્ટ અને મેક્સીમમ ગર્વનન્સ". મારા સાચાસ્વરૂપને ઓળખવું હોય તો " મેક્સીમમ ગર્વમેંન્ટ અને મીનીમમ ગર્વનન્સ ના સંદર્ભેમાં જ મારા દરેક પગલાં અને નીતીઓને મુલવશો તો જ તમે મને ઓળખી શકશો. મારી નીતીઓ અને પગલાના અમલ માટે મને સીબીઆઇ, ઇન્ક્મટેક્ષ તંત્ર, અને મારા ઇશારે ચાલતું કેન્દ્ર્નું વહીવટીઅને ગૃહખાતાનું માળખું પુરતું છે. ડીમોનીટાઇઝેશન વખતે મેં જરૂરત પડી તેમ આશરે ૩૦ થી ૪૦ વાર નીયમો બદલ્યા હતા. જીએસટી અંગે કોઇ બાંધછોડ નહી પણ હમણાં જ આવી રહેલી ગુજરાતની ચુંટણી ના સંદર્ભ જે કોઇ છુટછાટો આપવી પડે તેમાં મને કશું અજુગતુ લાગતું નથી. કારણકે સત્તા મેળવવા અને મળેલી સત્તા લોકોના હીતમાં(!) ટકાવી તો રાખવી પડેને.


--

Monday, October 2, 2017

દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને! ––જુલીયો રીબેરો


દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને!

– જુલીયો રીબેરો. ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૧૮મી સપ્ટેમ્બર.)  લેખનો ભાવાનુવાદ.

આજે દેશમાં પોલીસ તંત્ર કાયદાના શાસનને સમર્થન આપવાને બદલે રાજકીય સત્તા જે રાજકીય પક્ષની હોય તેના હુકમના સમર્થનમાં કામ કરે છે. હું ગુરમીત સીંઘની ધરપકડ માટે (જેને હું બાબા કે રામ રહીમ કહેવા તૈયાર નથી) તેના પંચકુલા બનાવમાં હરીયાણા સરકારે ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ( ડીજીપી)ને બદલી કરી નાંખવાની ધમકી આપી છે. આ તો ન્યાયતંત્રની હાસ્યાસ્પદ મશ્કરી કહેવાય કે જેના હાથમાં રાજ્ય સંચાલન કરવાની જવાબદારી લોકોએ સોંપી છે તે પોતે જ  મારીમચેડીને પોતાની જવાબદારીમાંથી છટકી જઇને પોતાના રાજ્યના જ પોલીસ તંત્ર પર ઢોળી દે છે. આજે દેશમાં પોલીસ પાસેથી કોઇ જાણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અપેક્ષા જ રાખતું નથી. તે માટે તો પોલીસને તાલીમ આપવમાં આવે છે. પણ જેવા જ અધીકારીઓ પોલીસ તંત્રમાં ગોઠવાઇ જાય છે કે તરતજ તે શીખી જાય છે કે તેમણે તો કાયદાના શાસન ને બદલે જે પક્ષ સત્તા પર છે તેના શાસકની ઇચ્છા મુજબ કામ કરવાનું છે.

એક એ પણ જમાનો હતો કે જ્યારે રાજકારણીઓ  સીનીયર પોલીસ અધીકારીઓને પોતાના હુકમ પ્રમાણે કામ કરવવા સાવચેતી રાખતા હતા. અધીકારીઓ આજની માફક તેમના ઇશારે નાચતા નહી. આજે તો સ્થીતી બીલકુલ બદલાઇ ગઇ છે. બધાજ રાજકીય પક્ષોના રાજકારણીઓ સરકારીબાબુઓ અને પોલીસને પોતાના રજવાડાના તાબેદાર ગણીને તેમની ઇચ્છાઓ, હુકમો પ્રમાણે ઝુકાવે છે. તે પ્રમાણે કામ કરાવે છે. એવી સ્થીતી તંત્રની પહેલાં ન હતી. જો સીનીયર અધીકારીઓ રાજકારણીઓના હુકમોનો અનાદર કરે તો પણ તેમને પોતાની બદલી થશે અને તે પણ કીન્નાખોરીથી થશે તેવો ભય તેમને ન હતો. હકીકતમા આવા સીનીયર અધીકારીઓના રાજકારણીઓના દબાણની સામે મક્ક્મ રહેવાના નીર્ણયને  રાજકારણીઓ બીરદાવવાતા હતા. જે રાજકારણીઓને પોતાની સુચના મુજબ કામ નહી કરનાર, કે બાંધછોડ નહી કરનાર અધીકારી પ્રત્યે નારાજ થતા હતા. પણ પોલીસ અધીકારીઓએ મજબુત કાયદાના અર્થઘટન પ્રમાણે લીધેલ પગલાને પડકારવાનું ડહાપણ કરતા નહી.

   મારા અંગત મત મુજબ, મને બીલકુલ શંકા નથી કે હરીયાણા સરકારે ડીજીપીને મૌખીક સુચના આપી હશે કે પોલીસ તંત્રે શાંતી માટે ગુરમીત સીંઘના ડેરાની આંતરીક મુખ્ય સલાહકાર સમીતીએ જે વીશ્વાસ આપ્યો છે તેનો ભંગ નહી થાય. હું હરીયાણાના મુખ્યમંત્રી મદનલાલ ખટ્ટરને ગુરમીત સીંઘ સાથેના ઘણા આત્મીય અને પ્રેમાળ સંબંધો રાખવામાં કશું અજુગતું જોતો નથી. કારણકે રાજકારણ આખરે તો સત્તા માટેની લડાઇ છે. અને ગુરમીતની એ તાકાત હતી કે તે ખટ્ટરની પાર્ટીને થોકડા બંધ મતો ચુંટણીમાં અપાવી શકે!  બીજા કોઇપણ રાજકીય પક્ષે કોગ્રેંસ સહીત ખટ્ટરે  જે સંબંધો ગુરમીત સાથે રાખ્યા હતા તેનાથી શું જુદા સંબંધો રાખ્યા હોત!? મારે આ દેશમાં આ બાબા અને ગોડમેનના ગુણો કે અપગુણોની ચર્ચા કરવી નથી.અથવા તે બધાનો તેમના અનુયાયીઓની વીચાર પ્રક્રીયા પર જે કમાન્ડ છે તેની પણ વાત કરવી નથી. આ બાબતમાં રાજકીય નેતાઓની નૈતીકતા અને તેને આધારે લેવાતા તેમના નીર્ણયો અંગે પણ ચર્ચા કરવી નથી. તે બધું તો આ ક્ષેત્રના ઘણા બધા જ્ઞાની અને સક્ષમ માણસોએ કરી દીધુ છે. મારેતો મારા વાંચકોને એ જણાવવું છે કે વર્તમાનમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી પાસે પોલીસ અધીકારીઓની નીમણુકો અને બદલી કરવાની અબાધીત સત્તા છે. તેની સામે આશરે દસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે પોલીસ અધીકારીઓ કાયદા મુજબ રાજકારણીઓની દખલ સીવાય સ્વતંત્ર રીતે કામ કરી શકે, ગુનાઓની તપાસ ગુણવત્તા પર આધારીત કરી શકે અને ચીફ મીનીસ્ટરનો પાવર અબાધીત પણ ન રહે માટે સ્પષ્ટ હુકમ કરેલ છે. કમનસીબે આ કામ જ થતું નથી. આપણે નાગરીકો તરીકે સારી રીતે જાણીએ છે કે, આ દેશની બધીજ રાજ્ય સરકારોને પોતાની સત્તામાં જરીકે કાપ મુકાય અથવા તો પોતાની સત્તા પરની પકડ સહેજ પણ ઓછી થાય તે માન્ય નથી.

 હું તમને મારી વાતને સારી રીતે સમજાવવા માટે કેટલાક પ્રસંગોની વાત એટલા માટે કરવા માગું છું કે જો પોલીસ તંત્રને તેની બંધારણીય અને કાયદા મુજબની ફરજ બજાવવામાં રાજકારણીઓએ આડખીલી ન કરી હોત તો ઘણા બધા નીર્દોષ નાગરીકોની જાન હાની અટકાવી શકાઇ હોત!

     સને ૧૯૮૪માં ઇંદીરા ગાંધીના ખુનના સમયે દીલ્હીમાં જે શીખોનો નરસંહાર થયો તેમાં એક જગજાહેર હકીકત છે કે કોંગ્રેસની જીલ્લા કક્ષાની નેતાગીરીની પુરેપુરી ઉશ્કેરણી જવાબદાર હતી. આ હકીકતનો પર્દાફાશ સંજય સુરીની ચોપડીમાં '1984: The Anti-Sikh Violence and After 'માં કરેલ છે. તેમાં એમ પણ જણાવેલું છે કે જે પોલીસ અધીકારીઓએ કોગ્રેંસના હુકમોને તાબે ન થયા અને કાયદોને વ્યવસ્થા જાળવી તે બધાના પોલીસ વીસ્તારમાં શીખોના ખુનો થયા નથી. તેની સામે જે પોલીસ અધીકારીઓ રાજકારણીઓના ગેરકાયદેસર હુકમોને તાબે થયા અને જેના પોલીસવીસ્તારમાં શીખોની સમુહ કત્લો કરવામાં આવી હતી તે પોલીસ અધીકારીઓને પેલા રાજકીય નેતાઓએ તેમની સામેની ફોજદારી ફરીયાદો અને તેના પરીણામોમાંથી બચાવી લીધા. ખરેખરતો આ નેતાઓ સામે જ ક્રીમીનલ પ્રોસીક્યુશન થાય તેમ હતું.

સને ૨૦૦૨ના ગુજરાત રાજ્યમાં ગોધરાની દુ;ખદ ઘટના પછી નીર્દોષ મુસ્લીમોને અમદાવાદ અને અન્ય જીલ્લાઓમાં રેહેંસી નાંખવામાં આવ્યા હતા. તે રાજ્યના બે મંત્રીઓએ પોલીસ કમીશ્નરની ઓફીસ અને કંટ્રોલરૂમનો કબજો લઇ લીધો હતો. આ કામ કરવાનો તેમનો હેતુ સ્પષ્ટ  (with an obvious intent) હતો. હું ખુબ જ સ્પષ્ટ પણે આ હકીકત લખું છું  કારણ કે જે ત્રણ પોલીસ અધીકારીઓએ કાયદો અને શાંતી જળવાઇ રહે તે માટે કામ કર્યું અને રાજકારણીઓના તાબે ન થયા તેમની પંદર દીવસ પછી જ બદલીઓ કરી નાંખવામાં આવી હતી.(આપ સૌ ને યાદ હશે કે તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી આજના વડાપ્રધાન હતા.)મારા મત મુજબ તેમાંથી શું તારણ નીકળી શકે તે સૌને દેખાય તેમ છે.

      ઉપરના બે દાખલાપરથી કોઇપણ લાગણીસભર નાગરીકોને સમજ પડે જ કે કેવી રીતે રાજકારણીઓની પોલીસ સત્તા પર પકડ હોય તો પ્રજાની જાન અને મીલકતોનું શું થાય! ખરેખર મારા મત મુજબ સુપ્રીમ કોર્ટના પ્રકાશસીંગ વાળા કેસમાં રાજકારણીઓની સત્તા નાબુદ કરવા અને પોલીસ તંત્રને કાયદા મુજબ કામ કરવા ફરજ પડે તે પ્રમાણે આપેલ સુચનોના અમલ કરવાની જરૂર છે. આ કામ ક્યારેય,  કદાપી કોઇપણ રાજકીયપક્ષના રાજકારણીઓ કરવાના નથી. તે માટે નાગરીકોએ રાજકારણીઓ પર દબાણ લાવી શકાય તેવું વાતવરણ દેશમાં પેદા કરવું પડશે.

જે પંચકુલા અને હરીયાણાના બીજા વીસ્તારોમાં થયું તે દેશના કોઇપણ રાજ્ય અને તેના વીસ્તારોમાં  થઇ શકે! હવે આવી બધી હીંસાઓ સંગઠીત સ્વરૂપની થઇ ગઇ હોવાથી થોડાક સમયમાં તે મોટા પાયે નાગરીકો અને તેની મીલકતોની જાનફેસાની કરી શકશે તેમાં મને શંકા નથી. આપણે દેશના રાજકારણીઓ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે તે બધા ગુરમીત સીંગ જેવા ગોડમેનોની લાખો મતદારોને પોતાની ઇચ્છા મુજબ મતદાન કરાવવાની તાકાતને નજર અંદાજ કરે! વધુમાં તમે રાજકારણીઓને મત મેળવવાના રાજકારણમાં પ્રમાણીક, નૈતીક કે કાયદામુજબ કામ કરે તેવી અપેક્ષાઓ પણ તે બધાની પાસેથી છોડી દો.. આપણા માટે તો ઉપાય એટલો જ છે કે પોલીસ તંત્ર પોતાને ફાળે આવતી કાયદા મુજબની ફરજ બજાવવામાંથી ચલીત ન થાય કે પાછા ન પડે! પોલીસનું ટોચનું નેતૃત્વ જો રાજકારણીઓના સત્તાના કોચલામાંથી બહાર નીકળે તો જ આ શક્ય બને. પોલીસ ઓફીસર્સે પોતાના રાજકીય માલીકોના હુકમનો અનાદર કે ઉપેક્ષા કરવી પડે. અને કાયદા અને બંધારણીય મુલ્યો પ્રમાણે નીર્ણયો લેવા પડે. તેમને એવો વીશ્વાસ સંપાદન થવો જોઇએ કે તે જો બંધારણ અને કાયદા મુજબ પોતાની ફરજ બજાવશે તો તેની બદલી નહી થાય છે કે પછી સજા નહી થાય! આ માટે ગુજરાતના ૨૦૦૨ના તોફાનો પછી યુવાન આઇ પી એસ અધીકારી રાહુલ શર્માનો દાખલો મોજુદ છે. જેના પરથી એમ લાગે કે હવે દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત થયું છે.

 મેં મારા લેખની શરૂઆતમાં જણાવ્યું હતું કે જ્યાં રાજકારણીઓ અમારી વાતને મહત્વ આપે છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વણસતી નથી.

 મને યાદ છે કે એક વારના મહારાષ્ટ્ર સરકારના કોગ્રેંસના મંત્રીએ મારી પાસે માંગણી મુકી કે બોમ્બે મ્યુનીસીપાલીટીની ચુંટણી આવે છે. કોંગ્રેસ પાર્ટીને ચુંટણીમાં મદદ કરવા બોમ્બેના જુદા જુદા વીસ્તારના જે ક્રીમીનલ ગેંગ લોર્ડસ છે, જે બધા જેલમાં છે, તેમને જેલમાંથી છુટા કરવાની જરૂર છે. 

 હું તે સમયે બોમ્બેનો પોલીસ કમીશ્નર હતો. મેં તે કામ ક્યારેય નહી બને તેવું ઘસીને કહી દીધું. પણ આ બધી ત્રીસ વરસ પહેલાંની વાત છે.

 પંજાબમાં દેશના ગૃહમંત્રી બુટાસીંગે શીખ ગુરૂદ્રારા પ્રબંધક સમીતીની ચુંટણીમાં પોતાના ઉમેદવાર જીતે માટે કેટલા શીખ મતદારોની અટકાયત કરવાની જરૂર છે. તેવી દરખાસ્ત મારી પાસે મોકલી હતી. મેં તેમને જણાવી દીધું કે તે કામ મારૂ નથી. બુટાસીંગ ઘણા નીરાશ થયા. પણ મેં તેમની ગેરકાયદેસર દરખાસ્તને ફગાવી દીધી હતી. પરંતુ આ બધા લખવાની સાથે મને ખબર છે કે પોલીસ અધીકારીઓની ખુબજ મુશ્કેલીઓ વધી ગઇ છે. હવે તે આવા રાજકારણીઓની દરખાસ્તોને ટ્રાન્સફર અથવા અન્ય શીક્ષા માટેની તૈયારી સીવાય અમલ કરી શકતા નથી.

 હું એક સમયે મુંબઇનો મુકાયેલો એક યુવાન ડીએસપી હતો. મારા કાર્યક્ષેત્રમાં મજુર નેતા જ્યોર્જ ફરન્નાડીસે એક જાહેર સભાનું આયોજન કરેલું હતું. અમારી ઇન્ટેલીજ્નસ શાખા એ માહીતી આપી કે આ મીટીંગમાં તોફાન કરીને ભાંગફોડ કરવાનું શીવસેનાના વડા બાલઠાકરે એ આયોજન કરેલ છે.અમે આ માહીતી રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડી.તેમનો જવાબ હતો કે શીવસેનાને તેના આયોજનમાં રોકશો નહી.મારા હાથમાં તે વીસ્તારનો બંદોબસ્ત હતો. મેં નક્કી કર્યુ કે  હું મારા કાર્યક્ષેત્રમાં તોફાન નહી થવા દઉં! વધારે સઘન અને ટાઇટ બંદોબસ્ત રાખ્યો અને તોફાન ન થવા દીધું. મેં તો મારા કાયદાના શાસન પાળવાની ફક્ત બંધારણીય ફરજ બજાવી છે ને! આજે કોઇ પોલીસ અધીકારી રાજ્યના મુખ્યમંત્રીના હુકમનું અનાદર કરવાની હીંમત કરી શકે ખરો? અને કરે તો પરીણામ શું આવે?

The writer, a retired IPS officer, was Mumbai police commissioner, DGP Gujarat and DGP Punjab, and is a former Indian ambassador to Romania

 

 

 

--

Friday, September 29, 2017

મોદી દેશને ભયંકર અને ખતરનાક દીશામાં ઢસડી રહ્યા છે.–પ્રેમ શંકર જ્હા.


મોદી દેશને ભયંકર અને ખતરનાક દીશામાં ઢસડી રહ્યા છે.–પ્રેમ શંકર જ્હા.

(વરીષ્ઠ પત્રકાર અને એક સમયના હીન્દુસ્તાન ટાઇમ્સ, ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇકોનોમીક્સ ટાઇમ્સના એડીટર.)(સૌ.www.thewire.in) અંગ્રેજી લેખનો ભાવાનુવાદ.

 

મારા મત પ્રમાણે રાજનીતીજ્ઞ કે રાજનીતીમાં કુશળ પુરૂષ તેને કહેવાય કે જે  પોતાની ભુલો કબુલ કરે, સૌજન્યતાથી તે ભુલો દેશમાં બહુ મોટુ નુકશાન કરે તે પહેલાં તે બધી ભુલોને સુધારી લે. કમનસીબે વડાપ્રધાન મોદીએ, બે માંથી કોઇ સદગુણ તેમનામાં હોય તેવું લેશ માત્ર દેખાડયું નથી. લાલ કીલ્લાપરથી સ્વતંત્ર દીવસે તેઓએ જે ભાષણ આપ્યું હતું તેના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે.તેમાં પોતાની ભરપુર સ્વબડાઇઓ (self congratulation)અને પોતાના ચવાઇ ગયેલા દાવાઓની વાતોના પુનરાર્વતન સીવાય બીજું કાંઇ ન હતું. દા;ત " આપણા દેશમાં દરેક સમાન છે. જે લોકોએ દેશને લુંટયો છે અને ગરીબોને લુંટયા છે તેમની ઉંઘ મેં ખરાબ કરી દીધી છે. ભારત જોડો, ચાલો નવું ભારત બનાવીએ." આ બધા વાક્યોના અર્થમાં કોઇ દમ જ નથી.( – that are entirely devoid of content.) પણ આ બધા તેઓના સંતોષના આધારો બીલકુલ નથી. તેઓના આત્મવીશ્વાસનો આધાર તો એ છે કે તેમણે ઘણા લાંબા સમય સુધી તેમનો પક્ષ બીજેપી રાજ્ય સત્તાપર ટકી રહે તેવું સુનીશ્ચીત કરી દીધું છે.

તેઓએ સને ૨૦૧૯ સુધી વીરોધપક્ષ એક થઇને બીજેપી સામે ચુંટણી લડી શકે તેવી શક્યતાને જ ખલાસ કરી દીધી છે. વ્યવસ્થીત રીતે દેશની ધર્મનીરપેક્ષ લોકશાહીના જે બંધારણીય મજબુત પાયા હતા તેને ચાલાકીપુર્વક બીનઅસરકારક બનાવી દેવામાં મોદી માહેર થઇ ગયા છે.આ બધા લોકો પ્રતીનીધી સરકારના માળખામાં રહીને જ શતરંજ પ્યાદાની માફક રમતો રમીને પોતાની ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જીત અત્યારથી જ હાંસલ કરી લીધી હોય તેવો માહોલ પેદા કરી દીધો છે.

મોદીએ દેશને કઇ દીશામા લઇ જવો છે તેનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવી દીધો છે. મોદી અને અમીત શાહે ભેગા થઇને તે જે ' નવા ભારત' ની વારંવાર વાત કરે છે તેની વચ્ચે આવતી બધીજ આડખીલીઓને ખરુ જોતાં દુર કરી દીધી છે. બીજેપી પાસે રાષ્ટ્રપ્રમુખ અને ઉપપ્રમુખ બંને પોતાની પસંદગીના છે. મોદી મોકેલે કે સુચવે તે સુચના મુજબ ભવીષ્યમાં દેશના સર્વૌચ્ચ વડા નીર્ણય કરે તેવી પુરી શક્યતા પેદા થઇ ગઇ છે.ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ અને આસામમાં બીજેપી સત્તારૂઢ થઇ ગઇ છે. તેથી હવે રાજ્યસભામાં પણ ભવીષ્યમાં બંધારણીય ફેરફાર કરવા બહુમતી મેળવી લેશે તેવી પુરી શક્યતા ઉભી થઇ ગઇ છે.મોદીએ લશ્કરમાં પરંપરાગત બઢતી માટેની ચાલુ રહેલી બંધારણીય 'સીનીયોરીટી–કમ– મેરીટ' પધ્ધતીને બદલે સ્પ્ષ્ટ અને સૌને દેખાય તેવો સંદેશો મોકલી દીધો છે કે લશ્કરે વડાપ્રધાન મોદીની સુચના પ્રમાણે કામ કરવાનું રહેશે બંધારણ પ્રમાણે નહી! લશ્કરી તંત્રમાંથી છુટાછવાયા જે નીવેદનો આવે છે તે સાબીત કરે છે કે બીજેપીનો વીરોધ એટલે રાજદ્રોહ તેવા સમીકરણનો સંદેશો તે તંત્રને મળી ગયો છે.(The spate of statements from all and sundry in the armed forces that have begun to equate dissenting with the BJP with treason shows that the army has got the message.)

        આ બધામાં સુપ્રીમકોર્ટ એક અડચણરૂપ છે. સુપ્રીમકોર્ટના ચીફજસ્ટીસ જે.એસ ખેહરે મોદી સરકારના 'ધી જ્યુડીસીઅલ એકાઉન્ટેબીલીટી' બીલને રદબાતલ કરી દીધુ હતું. ઉપરના નીર્ણયે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નીમણુંક માટે 'કોલીજીયમ સીસ્ટીમ' ને બચાવી લીધી હતી. થોડાજ સમયમાં જસ્ટીસ ખેહર સાહેબ નીવૃત થવાના છે. એવું આપણે ચોકકસ ધારી શકીએ કે તે ન્યાયાધીશ સાહેબ  રીટાયર્ડ થયા પછી ઉચ્ચ ન્યાયતંત્રની સ્વતંત્રતાને નાબુદ કરવાનો સંઘર્ષ મોદી ચાલુ રાખશે.

મોદીનું આદર્શ રાજ્ય–Modi's ideal state

ન્યયાતંત્ર, લશ્કર અને તેવા અન્ય તંત્રોને પોતાની હકુમત નીચે લાવીને ઇચ્છા મુજબ કામ કરાવવામાં હવે એક માત્ર વચ્ચે આડખીલી હોય તો તે દેશની ચુંટણી પ્રથા છે. બીજી બધી આપ બડાઇઓ અને બણગાં ભલે ફુકવામાં આવે તેમ છતાં મોદી અને અમીત શાહ ખુબજ સ્પષ્ટપણે બીજેપીની સત્તા ટકાવી રાખવાની નબળાઇ સારી રીતે સમજે છે. સને ૧૯૬૭માં કોંગ્રેસે ૪૦.૭ ટકા મત મેળવીને ૨૮૨ બેઠકો પર વીજય મેળવ્યો હતો. સને ૨૦૧૪માં  બીજેપીએ તેટલીજ સીટો ૩૧ ટકા મત મેળવીને જીતી છે. તેઓને જ્યાંસુધી બીજા વધારાના ૧૦ ટકા મતો મળશે તેવી પુરી ખાત્રી નહી થાય ત્યાં સુધી તેમની અસલામતી ચાલુ રહેશે.

 જ્યાંસુધી તેમને સને ૨૦૧૪ કરતાં બીજા દસ ટકા વધારાના વોટ મળતા નહી દેખાય ત્યાંસુધી તે પ્રાપ્ત કરવા બે પ્રકારની તેમની વ્યુહ રચના કરશે. એક, હીદું સમાજ, જે જ્ઞાતીના ઉંચનીચના માળખામાં સદીઓથી વહેંચાઇ ગયો છે તેવા મતદારોના મનમાં હીદું સંયુક્ત ઓળખ પેદા કરવા 'અવીશ્વાસની અપવૃત્તી ' (creating paranoia among caste Hindus) જ્ઞાતીની ઓળખને બાજુપર રાખીને પેદા કરવી. બીજું યેનકેન પ્રકારે વીરોધ પક્ષો ક્યારે એક ન થાય તેવી રાજકીય ચાલ સતત રમ્યા કરવી. તે કરવા માટે મોદી–શાહની બેલડીએ બધાજ પ્રકારની નૈતીકતાને બાજુ પર મુકીને રાજ્યકક્ષાના પક્ષો જેવા કે આમઆદમી પાર્ટી દીલ્હીમાં,ત્રિનમુલ કોગ્રેસ પશ્ચીમ બંગાળમાં અને બીહારમાં જનતાદળ (યુનાઇટેડ) ને ખલાસ કરી નાંખવા. જેથી સને ૨૦૧૯માં તે બધા વીરોધ પક્ષો ભેગા થઇને સંયુક્ત મોરચો બીજેપી સામે ઉભો કરી શકે નહી.

 મોદીના મનમાં તે સફળતા હાંસલ કરવાની દ્રષ્ટી કઇ છે ? પોતાના રાજકીય વીરોધીઓને ઉધેમાર્ગે દોરવા અને પોતાની મોટાઇ કે ભવ્યતાની સખત પ્રજાના કરવેરાના પૈસે ઉભી કરાયેલી છાપને ટકાવી રાખવા(Behind the camouflage  of his grandiose) અત્યાર સુધીના બાકી રહેલા વચનો પાળવા માટેનો અફર નીર્ણય કરશે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે હીદું રાષ્ટ્ર બનાવવાના વચનો આપશે. તેનો છુપો ઇશારો મોદીના પંદરમી ઓગસ્ટના પ્રવચનમાં આપણ ને મળી ગયો છે. બીજેપી–મોદી– આર એસ એસના સંયુક્ત ત્રણવર્ષના શાસનમાં તેમનું હીદું રાષ્ટ્ર કેવું બનશે તેની હજુ કોને સમજાવવાની જરૂર છે!

આ રાજ્ય પડોશીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખવાને બદલે સંઘર્ષ જ કર્યા કરશે. આ રાજ્યની અંદર દેશમાં બહુધાર્મીક વીવીધતાતાને બદલે એક જ ધર્મ તે પણ હીદું ધર્મ આધારીત એકજ હીદુંત્વ સાંસ્કૃતીક સમાજ(a single homogenized culture) પેદા કરવામાં આવશે. મુસ્લીમ અને અન્ય લઘુમતીઓનું સ્થાન અમે નક્કી કર્યા પ્રમાણેનું રહેશે અને તે રીતે નભાવી લેવામાં વશે. દેશમાં હવે બહુવીધ ધાર્મીકતાઓને નીભાવી લેવામાં આવશે (પણ સ્વીકારી લેવામાં આવશે નહી.)આ દેશમાં હવે બહુવીધ સાંસ્કૃતીકતાનું (but cultural pluralism will not. ) કોઇ સ્થાન રહેશે નહી. લઘુમતીઓએ દેશની બહુમત સાંસ્કૃતીકતામાં પોતાની ઓળખને ઓગાળી દેવી કે આત્મસાત કરી દેવી(cultural assimilation) પડશે. છેલ્લા ૭૦ વર્ષોથી નહી પણ છેલ્લા ૨૦૦૦ વર્ષોથી જે બહુવીવીધતામાં એકતાનો જે રાષ્ટ્રીયતત્વનો સાંસ્કૃતીક વારસો છે તેને બદલી નાંખવાનો મોદીનો ઇરાદો સ્પષ્ટ છે. શું આવો પાયાનો અને દુરોગામી કાયમી અસરો પેદા કરનારો ફેરફાર શક્ય છે? જો ના તો તે લાવવા માટેની કોશીષોના પરીણામો કેવા આવશે? ત્રણવર્ષના તેમના સમયકાળના આધારે કેવો જવાબ હોઇ શકે તેને નજરઅંદાજ કરી શકાય નહી. તેમના શાસનના દરેક ક્ષેત્રમાં મોદી દેશને પાછાવળી ન શકાય તેવા મૃત્યુ સમીપના માર્ગે દોરી જાય છે. જો મોદી આ દીશામાં દેશને લઇ જવાનું ચાલુ રાખશે તો ચોક્કસ ભારત એક રાજ્ય તરીકે તુટી પડશે.( In every single sphere of governance, Modi is leading India into deadly peril. If he continues down this road, India's failure as a state is guaranteed.)

 કાશ્મીરમાં રાજકીય વીરોધ સામે શુન્ય સહીષ્ણુતા–Zero Tolerance in Kashmir.

ચાલો આપણે. શાંત ચીત્તે તપાસીએ કે છેલ્લા ત્રણ વર્ષમાં આ માણસ આપણા દેશને ક્યાં લઇ ગયો છે અથવા તેણે દેશને ક્યાં લાવીને મુક્યો છે? કાશ્મીર રાજ્યમાં રાજકીય વીરોધ સામે રાજ્યને અબાધીત અને ત્રાસદાયક શુન્ય સહીષ્ણુતા સાથેની સત્તા વાપરવાની બે લગામ છુટ આપી દીધી છે. આજે કાશ્મીરમાં યુધ્ધ માટે લડતા મીલીટન્ટસ નથી પણ આતંકવાદીઓ છે. જેમને શરણાગતી સ્વીકારવાની તક આપ્યા સીવાય જ મારી નાંખવામાં આવે છે. મોદી કહે છે કે' મારે કાશ્મીરઓને આવા આતંકવાદીઓ જે તમને કાંટાની માફક ખુંચે છે તે બધાથી સ્વતંત્ર કે મુક્ત બનાવવા છે. તેની સામે કાશ્મીરની શેરીઓમાં સેંકડો નહી પણ હજારોની સંખ્યામાં યુવાનો સામે આવી ગયા અને ગયાવર્ષે પાંચ મહીના સુધી આખા કાશ્મીર રાજ્યને જાણે બાનમાં લીધુ હોય તેમ બંધ કરી દીધું હતું. તે રાજ્યના મુખ્યપ્રવાહ અને અલગતાવાદી બંને પ્રકારના નેતઓએ સ્પષ્ટ શબ્દોમાં વારંવાર જણાવી દીધુ છે કે ' અમારે ભારતથી આઝાદી જોઇએ છીએ ' પણ તેનો અર્થ એ નથી કે અમારે કાશ્મીર રાજ્યને પાકીસ્તાનનો એક ભાગ બનાવવો છે. તેવીજ રીતે તે બધાને ભારત સાથેના તમામ સંબંધોનો અંત લાવવો નથી કે બધા સંબંધો કાપી નાંખવા છે. પ્રજા તરીકે અમારા પર દીલ્હી રાજ્ય ચલાવે તે બીલકુલ માન્ય નથી. બલ્કે તે અસહ્ય છે. ખાસ કરીને રાજકારણ, સાંસ્કૃતીક અને ધર્મની બાબતમાં એક રાજ્યની પ્રજા તરીકે અમને સંપુર્ણ આઝાદી જોઇએ. આજે કાશ્મીરના મધ્યમમાર્ગી( મેઇનસ્ટ્રીમ) અને અલગતાવાદી નેતાઓ બંને નવીદીલ્હીના વલણોથી ઉત્તેજીત અને ચીંતાગ્રસ્ત છે. રાજકીય સંવાદ ફરીથી ચાલુ કરવા તેઓ તૈયાર છે ત્યારે મોદી સરકાર કાશ્મીરમાં બંદુક અને બેરલના નાળચા પર આધાર રાખે છે. તેથી કાશ્મીરી યુવાનો ક્રમશ: પાકીસ્તાન તરફી અને હવે તાજેતરમાં અલકાયદા અને આઇએસઆઇએસ(al-Qaeda and ISIS) તરફી ઢળી રહ્યા છે. જે કાશ્મીર અને ભારત દેશના ભવીષ્ય માટેનો શુભ સંકેત નથી.

મોદીએ એક વર્ષ પહેલાં કાશ્મીર રાજ્યના વીરોધપક્ષના નેતાઓને વચન આપ્યું હતું તે કાશ્મીરમાં શાંતી સ્થાપવા અથવા કોઇ ઉપાય શોધી કાઢવા દેશના બંધારણના માળખાની અંદર રહીને સંવાદ કરવા તૈયાર છે. પરંતુ મોદી તો ખરેખર કોઇપણ સ્થાનીક સરકારો કે દેશના કોઇપણ રાજ્યની સરકારો વધુ સત્તાશાળી કે સ્વાયત્ત બને તે તો તેમની મજબુત રાષ્ટ્ર– રાજ્યની પરીકલ્પનાની વીરૂધ્ધ જાય છે તેથી આવા કોઇ ઉપાયો કે ઉકેલોને તે કેવી રીતે માન્ય કરે કે કબુલ રાખે ! જો વીકેન્દ્રીત સમવાયી રાજ્યો મજબુત અને શક્તીશાળી થઇ જાય તો પછી મોદીની દીલ્હીની સત્તાનો ભાવ કોણ પુછે? રાજ્ય મજબુત= રાજ્યનો મુખ્યપ્રધાન મજબુત = કેન્દ્ર સરકાર નબળી=કેન્દ્રનો નેતા નબળો. આ સમીકરણ અમલમાં આવે તો મોદી ક્યાં જાય? કાશ્મીર સમસ્યાનો ઉકેલ મોદી સરકાર પોતાની સત્તા નબળી પાડીને કેવીરીતે લાવી શકે?

ભયંકર નુકશાનકારક વીદેશ નીતી–A dangerous foreign policy

મોદીની સખ્તાઇ ભરેલી કાશ્મીર સામેની નીતી ને કારણે કાશ્મીરની પ્રજા પાકીસ્તાન અને જેહાદી લોકોના હાથનો શીકાર બની ગઇ છે. મોદીની આ નીતીને કારણે પાકીસ્તાની લશ્કરી તંત્રને સને ૨૦૦૭થી દેશની લોકશાહી સરકારો સામે લશ્કરી સત્તાના કેન્દ્રીકરણ માટે જે તક આટલા વર્ષોથી નહતી મળતી તે સોનેરી તક પુરી પાડી છે.પાકીસ્તાની દેશના લોકશાહી પરીબળો પાસેથી આ બાના હેઠળ લશ્કરે રાજકીય સત્તાનું પલ્લુ પોતાની તરફેણમાં નમાવી દીધુ છે.પાકીસ્તાન દેશનું રાજકીય સુકાન લોકશાહી પરીબળો પાસેથી ત્યાંના લશ્કરે મોદીની કાશ્મીરની નીતીને કારણે પોતાને હસ્તક લઇ લીધું છે. ભારત સરકારે સને ૨૦૧૨માં પાકીસ્તાનની નાગરીક સરકારને પોતાની હુંડીયામણની નાણાંકીય કટોકટી ઉકેલવામાં અનુકુળતા અને સગવડ ભર્યો અભીગમ દાખવીને જે ગુડવીલ તે દેશની સરકારો અને પ્રજામાં પણ ઉભી કરી હતી તેને મોદીની વીદેશ નીતીએ ધોઇ નાંખી છે. સને ૨૦૧૬માં લાઇન ઓફ કંટ્રોલમાં સામ– સામી ફાયરીંગમાં ૩૯ ભારતીયો મૃત્યુ પામ્યા અને ૧૩૩ ઘવાયા અને સને ૨૦૧૭ની સાલમાં અત્યાર સુધીમાં ૨૪ મૃત્યુ પામ્યા અને ૧૭૦ ઘવાયા છે. પાકીસ્તાને કબજે કરેલ કાશ્મીરમાં ૫૦૦ ગરીબ ને સંપુર્ણ નીર્દોષ નાગરીકોએ જાન ગુમાવ્યા છે અને તેટલીજ જાનહાની જમ્મુ અને કાશ્મીરમાં થઇ છે. મોદી પોતે અને પાકીસ્તાનનું લશ્કરી તંત્ર બંને સારી રીતે જાણે છે એટલુંજ નહી પણ સમજે છે કે આ લશ્કરી મુડભેડથી બેં માંથી કોઇ દેશને એક ઇંચ પણ જમીન વધારાની પ્રાપ્ત થઇ નથી.

મારા મત મુજબ મોદીની ચીન સાથેની નીતી સને ૧૯૬૨મા નહેરૂએ જે નીતી અને ત્યારબાદ સંઘર્ષ માથે લઇ લીધો હતો તેનાથી જુદી નથી.

 મેં મારા લેખોમાં ખુબજ વીસ્તૃત રીતે, સંઘ પરીવાર દ્રારા સતત નીષ્ઠુર રીતે ભારતીય મુસલમાનો,સેક્યુલર બૌધ્ધીકો, ડાબેરીઓ અને ભાજપના વીરોધીઓ પર જે હીંસક હુમલા કરવા–કરાવવામાં આવે છે તે અંગે લખ્યું છે. તેમાં સરકારપણ પોતાના કાયદા તંત્રનો ઉપયોગ અને ગેરઉપયોગ બેફામ રીતે કરે છે. આ બધા વીષે આ લેખમાં વીગતે લખવા માંગતો નથી કારણકે તેમાં વાતનું પુનરાર્વતન થાય છે.

તે જ કારણોસર ભારતીય અર્થતંત્રમાં છેલ્લા ત્રણ વર્ષોમાં જે આઘાતજનક રીતે ગીરાવટ આવી છે, જેને મોદી સરકાર યુક્તીપ્રયુક્તીઓ કે છળપ્રપંચથી ઢાંકવાની કોશીષો કરી રહ્યું છે તેની વાત પણ અહીયાં કરીશ નહી.આ બધી આર્થીક નીતીઓ નહી પણ કુનીતીઓને કારણે દેશમાં લાખો માણસોએ પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે.અને નવી રોજગારી છેલ્લા ત્રણ વર્ષોમાં શુન્યપર (close to zero) આવી ગઇ છે. તે અંગે પણ લખીશ નહી. પરંતુ મોદી તેની રાક્ષસી કે હીમાલય જેટલી ભુલો પાકીસ્તાન, ચીન, નેપાલ,અને ભારતીય અર્થતંત્રની સાથે નોટબંધી વી. જે રમતો રમીને કરી છે તેમાંથી પાછા વળવું તેના સ્વભાવમાં નથી. સત્તા ભુખ્યા રાજકારણીનું નહી પણ બાહોશ રાજનીતીજ્ઞનો એ સદગુણ હોય છે કે તે પોતાની ભુલો સ્વીકારે છે અને તે ભુલો સુધારીને પોતાના પગલાં કે નીતીઓથી દેશને થતું નુકશાન અટકાવે છે. મોદીએ પોતાના વ્યક્તીત્વમાં આવા રાજનીતીજ્ઞ જેવા સદગુણ હોય તેમ હજુ સુધી બતાવ્યું નથી.( Prem Shankar Jha is a senior journalist and the author of several books including Crouching Dragon, Hidden Tiger: Can China and India Dominate the West?)

 

 

--

Friday, September 22, 2017

રામચંદ્ર ગુહા, સોલી સોરાબજી અને બીજાના ગૌરી લંકેશના ખુન સામે પ્રતીભાવો

 | રામચંદ્ર ગુહા , તમે આર એસ એસ ની જાહેરમાં માફી માંગો અથવા કોર્ટમાં ફોજદારી કેસ લડો. ( લેખને ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે)

કેમ? કારણકે તમે એવો આક્ષેપ કર્યો છે કે જર્નાલીસ્ટ ગૌરી લંકેશની હત્યામાં આર એસ એસનો હાથ છે.આવી રીતની નોટીસ ભારતીય જનતા પાર્ટીએ આપી છે. જેના પર આક્ષેપ કર્યો છે તે આર એસ એસએ સંસ્થા તરીકે કોઇ નોટીસ આપી નથી.બીજેપીના કર્ણાટક રાજ્યના રાજ્ય મંત્રી શ્રી કરૂણકુમાર ખાસલેએ આ નોટીસ આપી છે. તેમનો આક્ષેપ છે કે ગુહાએ એક સમાચાર સંસ્થાને આપેલ ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું છે કે ' તેણીના ખુનીઓ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના ખુનીઓ જે સંઘપરીવારની સંસ્થાના હતા તેજ સંસ્થાના હોય તેમ લાગે છે.' અંગ્રેજીમાં ઇ. એકસપ્રેસે આ પ્રમાણે લખ્યું છે. . "It is very likely that her murderers came from the same Sangh Parivar from which the murderers of Dabholkar, Pansare and Kalburgi came," વધુમાં નોટીસની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે ગુહા આ ઇન્ટરવ્યુ  Scroll.in. 11 Sep ના રોજ આપેલ છે. આ ઇન્ટરવ્યુમાં ગુહાએ વધુમાં જણાવ્યું હતું કે ' અટલ વીહારી વાજપાઇએ કહ્યું હતું કે  કોઇ ચોપડીના કે લેખના લખાણ સામે વાંધો હોય તો તેની સામે આપણે બીજી ચોપડી કે લખાણ લખીને જ જવાબ આપવો જોઇએ.પણ આપણે આજે વાજપાઇના યુગમાં નહી  મોદીના યુગમાં જીવીએ છીએ તે ભુલવું ન જોઇએ. આજે ભારતમાં સ્વતંત્ર લખાણ લખતા લેખકો, જર્નાલીસ્ટો ને અસહ્ય રીતે ત્રાસ આપવામાં આવે છે, તેઓને જુદા જુદા ગુનામાં સંડોવવામાં આવે છે, અરે! મારી પણ નાંખવામાં આવે છે.ગુહા વધુમાં આજ ઇન્ટરવ્યુમાં જણાવે છે કે તેથી અમે તેમની શરણાગતી સ્વીકારીશું નહી.'

( સૌ.By: Express Web Desk | New Delhi | Published:September 11, 2017 9:35 pm)

ઉગતી હીંસાને ડામી નહી દેવામાં આવે તો––

કેરાલ રાજ્યની અંદર 'હીદું એક્ય વેદી' નામની સંસ્થાના નેતા કેપી શશીકલાએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને બીરદાવીને દેશના સેક્યુલર લેખકોને જાહેરમાં ધમકી આપે છે. ' તમારુ ભાવી ગૌરી લંકેશથી જુદુ નહી હોય જો તમારુ નીરઇશ્વરવાદી રેશનાલીસ્ટ લખવાનું બંધ નહી કરોતો? તમારે અમારાથી બચવું હોય તો પ્રાર્થના કરવા મંડી પડો ! આવી જાહેરમાં હીંસા ભડકાવે તેવું બોલવા માટે તાત્કાલીક ક્રીમીનલ કાયદા મુજબ પગલાં ભરવામાં આવ વાં જ જોઇએ. આવું જાહેરમાં બોલનાર રાજકીય નેતા, ધાર્મીક નેતા કે સામાજીક કર્મનીષ્ઠ, ગમે તે હોય તો તે કાયદા થી પર ન હોવો જોઇએ.

 આપણા દેશમાં જે અસહીષ્ણુતાનું વાતવરણ બનાવવામાં આવ્યું છે તેનું કારણ ગુનેગારોને કાયદા મુજબ ત્વરીત કાર્યવાહી અને સજા નથી તેનું પરીણામ છે.તેથી આવા કે.પી. શશીકલા જેવા નેતાઓ આવું હીંસાને ટેકો મળી શકે તેવા જાહેર ઉચ્ચારણો કરી શકે છે. આ કોઇ અભીવ્યક્તીના સ્વાતંત્રય કે વાણી સ્વાતંત્રયના અધીકારના બચાવ માટેનું સાધન ન હોઇ શકે! ભારતીય દંડસંહીતાની કલમ ૫૦૩, ૫૦૬ અને ૫૦૭ મુજબ ગુનાહીત કે ગુનો કરવા માટે પ્રેરાય તેવી ધાકધમકીની જોગવાઇ મુજબ તેમની સામે કાર્યવાહી થઇ શકે તેમ છે. પણ આવા મોટી લાવગ ધરાવતા 'મોટા માથા ' સામે કોણ કેસ કરવાની હીંમત કરી શકે! ( સૌ.ટાઇમ્સ ઓફ ઇંડીયા.૧૨–૯– ૨૦૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

મોદીજી,

સત્તા સામે વીરોધી અવાજ કાઢનારાને પુરતું સંરક્ષણ આપો.તેમના સંરક્ષણની સંપુર્ણ જવાબદારી રાજય સત્તાની છે.અને જે બધા સત્તા અને ધર્મ સામે અસહમતીનો મત રજુ કરનારા છે તે બધાને હીંસક નીશાન બનાવનારને શીક્ષા કરો.–– સોલી સોરાબજી.ભુતપુર્વ એટર્ની જનરલ ઓફ ઇંડીયા.

             કોઇપણ રાજયસત્તાના સુશાસનનો માપદંડ તે છે જ્યાં પોતાનાથી વીરોધી મતને સહન કરવામાં આવે છે અને તેવા અસહમતીઓને સંરક્ષણ આપવામાં આવે છે.  તાજેતરમાં ગૌરી લંકેશનું જે પુર્વઆયોજીત ખુન (premeditated murder) કરવામાં આવ્યું છે તે કોઇ અંગત દુશ્માનવટ કે નાણાંકીય લેવડદેવડ માટે કરવામાં આવેલ નથી. આ ઘટના ખરેખર દુ;ખદાયક છે. તે બનાવ દેશની લોકશાહી માટે આઘાતજનક છે. લોકશાહીમાં વીરોધી મત તો તે લોકશાહી પ્રથાના હ્રદયનો ધબકાર છે. (Because dissent is the soul of democracy)

સુસંસ્કૃત સમાજમાં રાષ્ટ્ર માટે સારુ શું કે ખોટું તે અંગે જુદા જુદા પ્રમાણીક અભીપ્રાયો લોકોના હોવાજ જોઇએ. સહીષ્ણુ સમાજમાં જુદા જુદા મત મતાંતરો ધરાવતા જેવાકે ઉદ્દામવાદીઓ અને પ્રત્યાઘાતીઓ, માલીકો અને કામદારો, ધાર્મીકો અને નીરઇશ્વરવાદીઓ, મુડીવાદીઓ અને સામ્યવાદીઓ, તથા અગણીત જાતભાતના ચક્ર્મો કે તરંગીઓ અને ધર્મઝનુનીઓ સહીતના ને પોતાના મતો કાયદાની મર્યાદાઓમાં રહીને શાંતીમય રીતે હીંસાને ઉશ્કેરાયા સીવાય વીચારો અને પ્રવૃતીઓ કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ.

કોઇપણ સત્તાધીશોની સામે ભીન્ન મત રજુકરનારને કાયદાનો ભંગ કરનાર, દેશવીરોધી કે રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડી દેવાય નહી. બદમાશ કે હરામખોરો પાસે પોતાના બચાવનું છેલ્લું હથીયાર 'દેશપ્રેમ' ની દલીલનું હોય છે.(Remember, patriotism is the last refuge of a scoundrel.)શાંતીમય વીરોધ અને સત્તાવીરોધી અવાજ, તે બંને લોકશાહી સમાજનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વીકસાવવાના અનીવાર્ય અંગો છે. તેથી શાંતીમય વીરોધ કરનારાને જેલમાં ભરી દેવા તે કોઇપણ લોકશાહી ઢબે ચુંધાયેલી સરકારોનું ગેરબંધારણીય કૃત્ય છે. જે નીંદા અને વખોડવાને પાત્ર છે.

ગૌરી લંકેશ માટે એમ કહેવાય છે કે તેણી નક્ષલવાદીઓની તરફેણ કરતી હતી, તેણી ઉગ્ર હીંદુત્વવાદીઓની વીરોધી હતી. તેણીના વીચારોને કારણે તેણી ઘૃણાને પાત્ર બની ગઇ હતી. પણ  તેણીની પ્રવૃત્તીઓ અને લખાણો તેણીના વીરોધીઓને લેશમાત્ર હાની પહોંચાડતા નહતા. વીરોધી અવાજને બંદુકની ગોળીઓથી શાંત બનાવી દેવાય નહી.( Dissenting views cannot be silenced by the bullet of a gun) હજુ આપણે જાણી શકતા નથી કે કોણે પ્રો. કલબુર્ગી, ગોવીંદ પાનસરે અને ડૉ નરેન્દ્ર દાભોલકરને મારી નાંખ્યા છે? રેશનાલીઝમ અને ધાર્મીક ઉગ્રવાદીઓના સંઘર્ષમાં દુ;ખ સાથે જણાવવું પડે છે કે ધાર્મીકઉગ્રવાદીઓનું પલ્લુ ઘણુ ભારે છે. જે દેશમાટે ભયજનક છે.(સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૯–૯–૧૭ નો ભાવાનુવાદ.)

(The writer is a former attorney general of India )

 

 

 

 

 

 

 


--

Monday, September 18, 2017

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

 

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

તેની પત્રીકાનું નામ હતું  ગૌરી લંકેશ પત્રીકે. તે ૧૬ પાનાની અઠવાડીક પત્રીકા હતી. તે તા. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પ્રકાશીત થવાની હતી. તે કન્નડ ભાષામાં પ્રકાશીત થતી હતી. જેનું પ્રીન્ટીંગ વી. પુર્ણ થઇ ગયું હતું તેણીનો તે પત્રીકામાં પાન નંબર ત્રણ પર લખેલા સંપાદકીય લેખની વીગત નીચે મુજબ છે. જે તેણીના જીવનનો છેલ્લો લેખ બની ગયો. ગૌરી કન્નડમાં ' કંડા હોગે' ના નામથી લેખ લખતી હતી જેનો અર્થ થાય છે ' જે મેં જોયું. તેવું લખ્યું.' તેણી પોતાની માતૃભાષામાં લખતી હતી. તેને કારણે તેણીની કલમ ધારદાર હતી. તે કેટલી ધારદાર હતી તે તેણીના છેલ્લા સંપાદકીય લેખથી આપણને ખબર પડશે. તેણીના છેલ્લા સંપાદકીય લેખનું ટાઇટલ હતું ' ફેક ન્યુઝના જમાનામાં'

   જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હીટલરના સાથી ગોબ્લેસ, જે જર્મનીમાં પોતાના નેતાની સત્તા ટકી રહે માટે જે જુઠ્ઠાણા ફેલાવતો હતો તેથી વીશ્વ વ્યાપી બની ગયો હતો. તેની માફક મોદીના વાહ વાહ કરવા જે બનાવટી સમાચારો ' ફેક ન્યુઝ'  જુઠ્ઠાણા ફેલાવવાની કે તૈયાર કરવાની ફેકટરી બનાવવામાં આવી છે તેની વાત ગૌરીએ પોતાની આ છેલ્લી પત્રીકામાં લખી હતી.

જુઠ્ઠા સમાચારોની ફેકટરી મોટે ભાગે મોદી ભક્તો દ્રારા જ ચલાવવામાં આવે છે. હું આવા જુઠ્ઠાણા ફેલાવવાથી જે નુકશાન થઇ રહ્યું છે તેની વાત આ સમયના મારા સંપાદકીય લેખમાં કરવાની છું.

 બે દીવસ પહેલાં જ ગણેશ ચતુર્થીનો તહેવાર ગયો. તે દીવસે સોસીઅલ મીડીયામાં એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. આ જુઠ્ઠાણું આર એસ એસવાળા તરફથી ફેલાવવામાં આવ્યું હતું. હવે તે જુઠ્ઠાણું કેવું હતું તે જોઇએ. જુઠ્ઠાણું એવું હતું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે ગણેશ ભક્તોને  ગણેશજી માટે મંદીર બાંધવું હશે તેને જમીન આપશે. પણ કેટલીક શરતોને આધીન. જેવીકે સરકારમાં " " જમીન માંગનારે દસ લાખ રૂપીયા ડીપોજીટ સરકારમાં ભરવી પડશે, મુર્તીની ઉંચાઇ કેટલી રાખવાની તે સરકાર નક્કી કરશે. બીજા ધર્મના લોકોના રહેણાંક વીસ્તારોમાંથી ગણપતી વીસર્જન કરવા વરઘોડા નહી કઢાય, વરઘોડામાં ફટાકડા ફોડવાની પરવાનગી નહી મળે, ઉપર મુજબનું જુઠ્ઠાણું આર એસ એસના લોકોએ ખુબજ ફેલાવ્યું. આ જુઠ્ઠાણું સોસીઅલ મીડીઆ પર એટલું બધુ ફેલાઇ ગયું કે કર્ણાટક રાજ્યના પોલીસ વડાશ્રી આર. કે. દત્તા સાહેબને રાજ્ય કક્ષાની પત્રકાર પરીષદ બોલાવી પડી. અને હોદ્દાની રૂએ જાહેર કરવું પડયું કે આ બીલકુલ જુઠ્ઠાણું છે. સરકારે આવી કોઇ નીયમાવલી જાહેરાત કરેલ નથી. અ બધા જુઠ્ઠાણા છે.

 આ જુઠ્ઠાણું કોણ અને કેવી રીતે ફેલાવે છે તે શોધી કાઢવાનો મેં પ્રયત્ન કયો. તો હું એક વેબસાઇટ પર પહોંચી જેનું નામ હતુ 'POSTCARD.IN ' આ વેબ સાઇટ કટ્ટર હીંદુત્વવાદીઓની નીકળી. તેનું દરરોજનું કામ આવા બનાવટી ' ફેંક ન્યુઝ બનાવીને સોસીઅલ મીડીયા પર મુકવા અને ફેલાવવા.'

 ૧૧મી ઓગસ્ટે આ વેબ સાઇટ POSTCARD.INમાં એક મોટું મથાળ બનાવીને લખવામાં આવ્યું કે ' કર્ણાટકમાં તાલેબાન સરાકાર'.આવા મથાળાની મદદથી સમગ્ર કર્ણાટક રાજ્યમાં જુઠી અફવા ફેલાવાનું આયોજન કરવામાં આવ્યું. આવી અફવા ફેલાવનારા સંઘના લોકો તેમાં સફળ થયા. જે લોકો મુખ્યમંત્રી સીધ્ધારમૈયાની સરકારથી નારાજ હતા તે બધાએ આ જુઠ્ઠા સમાચારને પાતાનું હથીયાર બનાવી દીધું. સૌથી દુ:ખદ અને આઘાતજનક બાબત એ છે કે લોકોએ પણ આવા સમાચારની સચ્ચાઇને તપાસ્યા સીવાય જ સાચી માની લીધી. તે બધાએ પોતાના કાન, નાક અને દીમાગનો ઉપયોગ જ ન કર્યો.

ગયા અઠવાડીયે  જ્યારે હરીયાણાની એક કોર્ટે રામ રહીમનામના એક ઢોંગી બાબાને બળાત્કારના ગુના માટે  ૨૦ વર્ષની સજા ફટકારી. તે સાથે આ ઢોંગી બાબા સાથે બીજેપીના જુદા જુદા નેતાઓની તસ્વીરો સોસીઅલ મીડયા પર ઝડપથી અને મોટા પાયે ફેલાઇ ગઇ. તેનાથી બીજેપી અને સંઘની નેતાગીરી બચાવમાં આવી ગઇ, મુશ્કેલીમાં મુકાઇ ગઇ. તેના પર પ્રતીહુમલો કરવા માટે  કેરલાના મુખ્યમંત્રી પીનરાઇ વીનીયનનો ફોટો આ ઢોંગીબાવા સાથેનો સોસીઅલ મીડીઆ પર ફરતો કરી દેવામાં આવ્યો. ખરેખર આ તસ્વીર ફોટોશોપની કારીગીરી હતી. જેમાં એકનું માથું કાઢી નાંખીને ગણપતીની માફક બીજાના માથાપર થોપી દેવામાં આવ્યું હતું. પછી તરતજ સંઘના પ્રચાર તંત્રે તેને સોસીઅલ મીડીયા પર મુકી દીધું. મઝાની હકીકત તે બની કે લોકોએ ફોટોશોપના ફોટાને દુર કરીને અસલી ફોટો સાથે મુકી દીધો. આ રીતે સોસીઅલ મીડીયાપર જુઠનો પર્દફાશ કરવામાં આવ્યો હતો.

ગયાવર્ષ સુધી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આ ફેકન્યુઝના ક્ષેત્રે બોલબાલા હતી. તેને કોઇ પડકારતું ન હતું. હવે ઘણા બધા આ ફેક ન્યુઝના જુઠ્ઠાણાને પડકારા તૈયાર થઇ ગયા છે. તે માટેની કમ્પ્યુટર નીપુણતાથી સજ્જ થઇ ગયા છે. હવે આવા ફેક ન્યુઝની સાથે જ સાચા સમાચાર મુકી દેવામાં આવે છે. હવે લોકો તેથી બંને સમાચારો વાંચી – સમજી શકે!

બીજું એક ઉદાહરણ આપું.–૧૫મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીજીએ લાલકીલ્લા પરથી ભાષણ કર્યું હતું. તેમાં રજુ કરેલ હકીકત તારીખ ૧૭મી ઓગસ્ટના રોજ સોસીઅલ મીડીયા પર ખુબજ વાયરલ થઇ. ધ્રુવ રાઠી નામના એક આઇ ટી નીષ્ણાતે જે આમ તો નવજુવાન કોલેજીયન લાગે છે તેની મુખ્ય પ્રવૃતી સોસીઅલ મીડીયા પર મોદીના ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો. તેનો મુકેલો વીડીયો એક જ દીવસમાં એક લાખ લોકો સુધી પહોંચી ગયો. ગૌરી લંકેશ મોદીને હંમેશાં કન્નડ ભાષાના મુહાવરો " બુસી બુસીયા" થી સંબોધતી હતી.  જેનો અર્થ થાય છે, 'જ્યારે પણ તે બોલશે ત્યારે જુઠ જ બોલશે.' પેલાઆઇ ટી નીષ્ણાત ધ્રુવ રાઠીએ સાબીત કર્યુ કે આ બુસી બસીયા સરકારે રાજ્ય સભામાં મેં ૨૦૧૭ની જણાવ્યું હતું કે  નોટબંધી પછી નવા ૩૩ લાખ કરદાતાઓ આવ્યા છે. તેનાં પહેલાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે નોટબંધી પછી ૯૧ લાખ નવા કરદાતાઓ જોડાયા છે. આખરે જે આર્થીક સર્વે દેશ સમક્ષ રજુ થયો તેમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત પાંચ લાખ ચાલીસ હજાર નવા કરદાતાઓ નોટબંધી પછી વધ્યા છે. ધ્રવ રાઠીએ પોતાના વીડીઓમાં એ સવાલ ઉઠાવ્યો હતો કે આ ત્રણમાંથી સાચો આંકડો કયો?  

આજનું મેઇનસ્ટ્રીમ મીડીયા કેન્દ્ર સરકાર અને બીજેપી પાર્ટી દ્રારા જે આંકડા તથા હકીકત ન્યુઝ આપવામાં આવે છે તેને વેદ વાક્ય તરીકે સ્વીકારીને જેમના તેમ મુકી દે છે. તેમાં પણ આજની ટીવી ચેનલ આ બધામાં આવા ન્યુઝ ફેલાવામાં દસ પગલાં આગળ છે.

જ્યારે રામનાથ કોવીંદે રાષ્ટ્રપતી તરીકે સોંગદ લીધા ત્યારે દેશની ઘણી બધી અંગ્રેજી ચેનેલોએ સમાચાર રમતા મુક્યા કે એક કલાકમાં રાષ્ટ્રપતીના ટ્વીટર માધ્યમ પર ફોલોઅરની સંખ્યા ૩૦ લાખ થઇ ગઇ. (वो चिल्लाते रहे कि 30 लाख बढ़ गया, 30 लाख बढ़ गया।) આ ન્યુઝ મીડીયાનો હેતુ દેશને બતાવવાનો હતો કે  જુઓ અમારા આ નીર્ણયના ટેકામાં દેશમાં કેટલા બધા લોકો છે.!  આ બધી ટીવી ચેનેલો જાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓની માફક કામ કરે છે. પોતાના ટીવી દેખનારાઓને સમાચાર ને બદલે સંઘ સુચીત સમાચારનું પીરસણ કરે છે. ત્રીસ લાખ કોવીંદના ટેકેદારોની બાબતમાં હકીકત એ છે કે રાષ્ટ્રપતી ભવનના સરકારી તંત્રે ગઇકાલે નીવૃત થયેલા રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જીના ટવીટર ખાતાના ફોલોઅર્સ કે સભ્યોને બીજા દીવસથી કોવીંદના ખાતામાં મુકી દીધા. જોકે તે ઉપરથી એક આડ વાત એ સાબીત થઇ કે વીદાય થતા રાષ્ટ્રપતીના ખાતામાં ત્રીસલાખથી વધારે  ફોલોઅર્સ હતા.

આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની દ્ર્રારા ફેલાવવામાં આવતા બધાજ સમાચારોની સચ્ચાઇ જાણવા માટેના ઘણા બધા લોકો મેદાને પડી ગયા છે. ધ્રુવ રાઠી વીડીયોની મદદથી આ કામ કરી રહ્યા છે. પ્રતીક સીન્હાએ ખાસ ફેક ન્યુઝને તપાસવાની વેબસાઇટ  altnews.in બનાવી છે.આ ઉપરાંત હોક્સ સ્લેયર, બુમ ઔર ફેક્ટચેક નામની વેબસાઇટ પણ આજ કામો કરે છે. આ ઉપરાંત

THEWIERE.IN, SCROLL.IN, NEWSLAUNDRY.COM, THEQUINT.COM  જેવી વેબસાઇટો પણ ફેક ન્યુઝને પકડવા માટે તૈયાર થઇ ગઇ છે. આ બધી વેબસાઇટની મદદથી તે લોકોએ સંઘના  ઘણા બધા જુઠ્ઠાણા પકડી પાડયા છે. આવી સત્યશોધક અને ફેક ન્યુઝના પડદાફાર્શની વેબસાઇટોની સક્રીયતાથી આર એસ એસવાળાની ઉંઘ હરામ કરી દીધી છે. ફેકન્યુઝના  પડદાફાર્શ કરનારા કોઇના પે લીસ્ટ પર નથી. તે બધાએ સ્વંય, મરજીયાત રીતે આ કામ ઉપાડી લીધું છે. તે બધાનું એક જ કામ છે કે સંઘવાળા ફાસીસ્ટ લોકોની જુઠની ફેકટરીનુ જુઠ ઉત્પાદન અને વીતરણનું કામ બંધ કરાવી દેવું. અને તેમના આવા જુઠ્ઠાણા લોકોની સમક્ષ ખુલ્લા બતાવી દેવા.

થોડા દીવસ ઉપર બેંગલુરમાં ખુબજ વરસાદ પડયો હતો. તે દીવસોમાં સંઘવાળાઓએ આયોજનપુર્વક એક ફોટો સોસીઅલ મીડીયા પર ફરતો મુક્યો. તેની નીચે નોંધમાં લખ્યું હતું કે લોકોને મંગળગ્રહ પર કેવી રીતે ચલાય તે બતાવવાનો ફોટો મુક્યો હતો.બેંગલુર નગરપાલીકાએ જાહેર કર્યુ કે આ ફોટો મંગલગ્રહનો નથી. સંઘવાળાનો હેતુ આ ફોટો બતાવીને મંગંળગ્રહની ઉબડખાબડ અને ઉંચીનીચી જમીન બતાવીને ત્યાંની સ્થાનીક પ્રજાને એવો સંદેશો આપવાનો હતો કે કે જુઓ આ તમારી નગરપાલીકાના રસ્તાઓ! પછી શોધી કઢાયું કે તે ફોટો મહારાષ્ટ્રના કોઇ એક શહેરની સડકોનો હતો જ્યાં બીજેપી સરકાર રાજ્યમાં સત્તાપર છે. પોતાનું જુઠ્ઠાણું પોતાના જ ગળે વળગ્યું.

 તાજેતરમાં પશ્ચીમ બંગાળમાં તોફાનો થયાં તો આર એસ એસના કાર્યકરોએ બે પોસ્ટરો બહાર પાડયા હતા. એક પોસ્ટરની નીચે લખવામાં આવ્યું હતું કે બંગાળ સળગે છે અને લોકોની મીલકતો સળગતી બતાવવામાં આવી હતી. બીજા ફોટામાં એક મહીલાનીસાડી ખેંચવામાં આવી રહી છે. તેની નીચે લખવામાં આવ્યું હતું કે ' બંગાળમાં હીદું મહીલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યો છે.'  આ બંને ફોટાઓ પાછળનું સત્ય બહુ ઝડપથી બહાર આવી ગયું. પહેલા પોસ્ટરમાં જે મીલકતો સળગતી બતાવામાં આવી છે તે સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોની હતી જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીજી તસ્વીરમાં સ્રીની સાડી ખેંચતા ફોટાનું પોસ્ટર હતું તે એક ભોજપુરી ફીલ્મનો એક સીન હતો.

 ફક્ત આર એસ એસ વાળાની જ જુઠ્ઠા સમાચાર ફેલાવવાની મોનોપોલી નથી. આવાફેક ન્યુઝ ફેલાવવામાં મોદી સરકારના  કેન્દ્રીય મંત્રી પણ બાકાત નથી. દા;ત કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ત્રીરંગા ઝંડાને સળગાવી રહ્યા હતા. ફોટાની નીચે લખવામાં આવ્યું હતું કે' ગણતંત્રના દીવસે હૈદ્રાબાદમાં લોકો ત્રીરંગાને આગ લગાવી રહ્યા છે.'

 હમણાં ગુગલ સર્ચે એક નવી એપ બનાવી છે. જેમાં આપ કોઇપણ તસ્વીર મુકીને જોઇ શકો છો કે આ તસ્વીર ક્યાંની છે અને ક્યારે અથવા કઇ તારીખે બહાર પાડવામાં આવી હતી. altnews.in વેબ સાઇટના માલીક પ્રતીક સીંહાએ શોધી કાઢયું કે આ ફોટો મોદી સરકારના કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી દાવો કરે છે તેમ તે ફોટો હેદ્રાબાદનો નથી પણ પાકીસ્તાનમાં જે કટ્ટરપંથી સંસ્થાપર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે  તેણે ભારતના વીરોધમાં આપણા ત્રીરંગા ઝંડાને સળગાવ્યો હતો.

 આવી જ રીતે એક ટીવી ચેનલની પેનલ ચર્ચામાં બીજેપીના પ્રવક્તા સંબીત પાત્રાએ જણાવ્યું હતું કે સરહદ પર દેશનો ત્રીરંગો ઝંડો ફેલાવવામાં કેટલી બધી મુસીબતો પડે છે. તેની સામે જેએનયુ ના વીધ્યાર્થીઓને ત્રીરંગો ફેલાવવામાં શું મુશ્કેલી પડે છે. આવું પુછીને પાત્રાએ એક ફોટો બતાવ્યો હતો. પછી ખબર પડીકે આ ફોટો ભારતના સૈનીકોનો કોઇ સરહદ પરનો ફોટો નથી. પણ બીજા વીશ્વયુધ્ધ દરમ્યાન જપાનના એક ટાપુ અમેરીકન સૈનીકોએ કબજો કરેલ  હતો. તેના પર પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફેલાવતા હતા. પરંતુ ફોટોશોપની મદદથી સંબીત પાત્રા આવી તસ્વીર બતાવીને લોકોને આશ્ચ્રર્ય ચકીત કરતા હતા.ટવીટર પર સંબીત પાત્રાની લોકોએ ખુબજ મઝાક ઉડાવી હતી.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલએ એક તસ્વીર બહાર પાડી. જેમાં લખ્યું હતું કે દેશમા; ૫૦૦૦૦ કીલોમીટરના રસ્તાપર મોદી સરકારે ત્રીસ લાખ એલ ઇ ડી બલ્બ લગાવી દીધા છે. પરંતુ તેઓએ જે તસ્વીર સોસીઅલમીડીઆ અને અન્ય સ્થળોએ મુકી હતી તે ફેક અથવા જુઠ્ઠી નીકળી હતી. આ તસ્વીર ભારતની નહી પણ સને ૨૦૦૯ની સાલની જપાનની નીકળી. તે પહેલા આજ ગોયેલ સાહેબે ટવીટ કર્યું હતું કે કોલસાની અવેજીનો વીકલ્પ શોધી કાઢીને સરકારે ૨૫૦૦૦ કરોડ રૂપીયા બચાવ્યા હતા. તે ટીવટ કરેલી તસ્વીર પણ ફેક નીકળી.

છત્તીસગઢ રાજ્યના પીડબલ્યુડી વીભાગના મંત્રી રાજેશભાઇ ભુણતે એક પુલનો ફોટો પોતાની વેબસાઇટ પર મુક્યો. ને લોકોને જણાવ્યું કે જુઓ, આ મારી સરકારની કામગીરી છે. તે ફોટાને ૨૦૦૦ લોકોએ 'લાઇક કર્યું' પાછળથી ખબર પડી કે તે ફોટો છત્તીસગઢ નો ન હતો પણ વીયેટનામ દેશ નો હતો.

આવા જુઠ્ઠા સમાચારો ફેલાવવામાં અમારા કર્ણાટક રાજયના આર એસ એસ અને બીજેપીનમા નેતાઓ પણ પાછા પડે તેમ નથી. કર્ણાટકના સાંસદ પ્રતાપસીંહાએ એક રીપોર્ટ પોતાના તરફથી એમ કહીને ફેલાવવામાં આવ્યો હતો કે આ ન્યુઝ ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પ્રસીધ્ધ થયા હતા. તે ન્યુઝનું મથાળું હતું કે " એક હીદું છોકરીને મુસલમાને ચાકુ મારીને મારી નાંખી છે."  આખી દુનીયાની સચ્ચાઇના બણગાં ફુંકનાર પ્રતાપ સીંહાએ જાણવાની બીલકુલ કોશીષ જ ન કરી કે તેમાં કેટલું સત્ય છે. દેશ અને કર્ણાટક રાજ્યના કોઇપણ અખબારોએ આવા સમાચાર છાપ્યા ન હતા કારણકે તે સદંતર જુઠ્ઠા હતા. ફોટોશોપની મદદથી બીજા કોઇ સમાચાર પર આ સમાચાર ચોંટાડી દીધા હતા. અને પછી આવો ફોટો ન્યુઝ તરીકે પોતાના તરફથી ફરતો કરી દીધો હતો. તેને કારણે હીદું–મુસલમાનમાં કારણ વીનાનો કોમી તનાવ પેદા થઇ ગયો હતો. પોતાના ન્યુઝના ખરાપણા માટે તેણે ટાઇમ્સ ઓફ ઇંડીયાના નામનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સાંસદ સીંહા પર આ જુઠ્ઠા સમાચારને કારણે ખુબજ ધાંધલ થઇ ત્યારે તેણે પોતાની વેબસાઇટ પરથી ફક્ત આ ફોટો કાઢી નાંખ્યો હતો. માફી માંગવાની વાત તો બાજુપર રહી. આવું ખતરનાક તંગદીલી ફેલાવે તેવું કોમી જુઠ્ઠાણું ફેલાવવા માટે આ સાસંદને લેશ માત્ર અફસોસ ન હતો.

 ગૌરી લંકેશ લખે છે કે એક દીવસ મેં પટનાની લાલુ યાદવની રેલીનો ફોટો વાયરલ કરીને મુક્યો. મારા મીત્ર કહ્યું તે ફોટો સાચો નથી. તેમાં બતાવેલી જનસંખ્યા તે ફોટોશોપની કરામતથી બતાવવામાં આવી છે. તે ફોટો બનાવટી છે. મેં સાચો ફોટો અને બનાવટી ફોટો બંને મારી વેબસાઇટ પર મુક્યા અને કહ્યું કે મારી ભુલ થઇ ગઇ છે. આની પાછળ મારે કોઇ સાંપ્રદાયીક પરીબળોને ભડકાવવાનું કામ કરવાનું ન હતું. ઉપરની બધી હકીકતો લંબાણ પુર્વક રજુ કરવાનો મારો હેતુ આ બધા ફાસીવાદી પરીબળોને સાચા રંગે લોકો સમક્ષ ઓળખાવાનો હતો. મારી ઇચ્છા છે કે  આવા ખોટા અને જુઠ્ઠા સમાચારો ફેલાવનારાઓની સામે જુઠ્ઠાણાના પર્દાફાશ કરનારોની સંખ્યા દેશમાં ખુબજ વધે.

સબસે ખતરનાક વો ચાંદ હોતા હૈ

 જો હર કત્લ, હર કાંડ કે બાદ

વીરાન હુએ આંગનમેં ચઢતા હૈ

 લેકીન આપકી આંખો મેં મીર્ચી

 કી તરહ નહી ગડતા હૈ.––પાશ.

 

------------------------The end----------------

 


--