Thursday, March 22, 2018

આઇનસ્ટાઇનનો ઇશ્વરના અસ્તીત્વ અંગે એક મૌલીક પત્ર–––


આઇનસ્ટાઇનનો ઇશ્વરના અસ્તીત્વ અંગે એક મૌલીક પત્ર–––

( Two things are infinite. The universe  & human stupidity. I am not so sure about the Universe but ----બે વસ્તુઓ અનંત છે. એક બ્રહ્માંડ અને બીજી માનવીય મુર્ખતા. મને બ્રહ્માંડ અંતહીન છે કે નહી તેની ખબર નથી પણ......) આઇસ્ટાઇન.

સને ૧૯૫૪ની ૩જી ઓગસ્ટના રોજ આલબર્ટ આઇનસ્ટાઇને તત્વજ્ઞાની એરીક ગુટકીંડને એક પત્ર લખ્યો હતો. જે જગમશહુર થઇ ગયો છે. ખરેખર બીના એ બની હતી કે ગુટલીંડે પોતાની નવી એક ચોપડી લખી હતી. જેનું નામ હતું '  Choose life ! The Bibelical call to revolt ' . આ ચોપડીનું મુલ્યાંકન કરવા ગુટલીંડે આઇનસ્ટાઇનને ભલામણ કરેલી હતી. જે ચોપડી વાંચીને આઇનસ્ટાઇને પોતાના વીચારો નીચે મુજબ રજુ કર્યા હતા.

આઇનસ્ટાઇન જન્મે યહુદી હતા. તેઓને બીજા રાષ્ટ્રપતી બનવાનું આમંત્રણ ઇઝરાઇલ દેશની સરકારે યહુદી હોવાને નાતે આપ્યું હતું. સદર આમંત્રણને આઇનસ્ટાઇને તરતજ ફગાવી દીધું હતું. કારણકે યહુદી ધર્મ એમ શીખ આપે છે કે તેમનો ધર્મ જગતના બીજા ધર્મો કરતાં એટલા માટે શ્રૈષ્ઠ છે તેમના અનુયાઇઓ ઇશ્વરના સૌથી પ્રીય સંતાનો છે. બીજા એક પ્રસંગે આઇનસ્ટાઇન જેરૂસલેમ ગયા હતા. ત્યાંના દેવળની 'વેલીંગ વોલ'  (પવીત્ર સ્થળ) ને અડકીને કેટલાક યહુદીઓ પોતાનું નાક ઉપર નીચે ઘસતા હતા અને પછી લાગણીવશ થઇને સમુહમાં રડતા હતા. આવું દશ્ય જોઇને આઇનસ્ટાઇને કહ્યું કે આ બધા લાગણીસભર યુવાનો જે હકીકત ભુતકાળની થઇ ગઇ છે તેને ગાંડાની માફક પકડી રહ્યા છે. યહુદી પ્રજા આ રીતે પોતાનો ભુતકાળ વીસરાઇ ન જાય માટે  તેને બોચીમાંથી પકડી રાખ્યો છે. સાથે સાથે પોતાના ભવીષ્ય તરફ સામુહીક રીતે પીઠ ફેરવી દીધી છે.

 આટલા નીરીક્ષણ પછી ગુટકીંડને લખેલા પત્રનો ઉલ્લેખ છે.

" મારા માટે ભગવાન શબ્દનો અર્થ ફક્ત મનુષ્યની કમજોરી સીવાય બીજો કશો થતો નથી. ઘણા બધા માટે બાયબલ આદરીણ પુસ્તક ભલે રહ્યું. પણ તેની બધી જ વાર્તાઓ કે પ્રસંગો બાળક બુધ્ધી માટેનાજ છે. તેનાથી વધારે કાંઇ જ તેમાં નથી. ( શું બીજા ધર્મોના પુસ્તકોમાં તેનાથી જુદી વાર્તા હોય છે? ભાવાનુવાદ કરનારનો મત). ભલે કોઇ બાયબલનું અર્થઘટન ગમે તે કરે, પણ મારો મત આ મુદ્દે જે મે પ્રદર્શીત કર્યો છે તેનાથી જુદો ક્યારે હોવાનો નથી. બીજા ધર્મોના ધર્મ પુસ્તકોની માફક  બાયબલ પણ તેના અનુયાઇઓમાં અંધવીશ્વાસ ફેલાવવાનો સંગઠીત પ્રયાસ સીવાય બીજુ કશું નથી. યહુદી પ્રજા વીશ્વભરની બીજા ધર્મની પ્રજાઓ કરતાં કોઇપણ રીતે વીશીષ્ટ પ્રજા હતી નહી અને આજે પણ નથી. તે રીતે વીશ્વના કોઇપણ ધર્મની પ્રજા બીજા કોઇપણ ધર્મની પ્રજાની સરખામણીમાં શ્રૈષ્ઠ કે વીશીષ્ઠ માને તે માનસીક ગાંડપણ સીવાય બીજું કશું હોઇ ન શકે! માનવી તરીકે જે સારૂ– ખોટું જે બધી પ્રજઓમાં હોય છે તેનાથી લેશ માત્ર જુદુ અમારી યહુદીપ્રજામાં નથી. સાચી હકીકત એ છે કે યહુદી પ્રજા તરીકે સદીઓથી રાજ્ય સત્તાથી વંચીત હતી તેને કારણે પોતાના અસ્તીત્વની જરૂરીયાતમાંથી તે અતી સંવેદનશીલ પ્રજા બની છે. તમે સત્તાવીહીનતાની માનસીકતા કાઢી નાંખો તો યહુદી પ્રજા પાસે બીજુ કશું વીશીષ્ટ તમને મલશે નહી. એક બાજુ સત્તાવીહીનતાની માનસીકતા અને બીજીબાજુ અમે ઇશ્વરનું પ્યારુ સંતાન આવી વીરોધાભાસી સ્થીતી કેવી રીતે હોઇ શકે? ઇશ્વરનું પ્યારૂ સંતાન હજારો વર્ષોથી કેવીરીતે સત્તાવીહીન સ્થીતીમાં રહી શકે? ( તો પછી પેલો ઉપર બેઠો બેઠો શુ કરે છે? ભાવાનુવાદક.) આતો સંગઠીત રીતે પોતાના દંભને સંતાડવાનો રસ્તો દરેક ધર્મોએ શોધી કાઢયો છે.

       હું જાહેરમાં આઇસ્ટાઇન તરીકે સ્પષ્ટ કહું છું કે જ્યાંસધી મારી બૌધ્ધીક પ્રતીબધ્ધતાને લાગેવળગે ત્યાંસુધી મારાવીચારો તમારા બધા કરતા બીલકુલ જુદા છે. ભીન્ન છે. તેમાં ક્યારેય મેળ ખાય તેમ નથી.

 પણ માનવ માનવ તરીકે આ વીશ્વમાં એકબીજા સાથે કેવા સંબંધો હોવા જોઇએ તે અંગે મારા અને તમારા વીચારોમાં કોઇ તફાવત નથી. ખરેખર તેમાં સામ્યતા છે, સરખાપણું છે. એકબીજાની સમસ્યાઓ કેવીરીતે ઉકેલી શકાય તે માટે આવો! આપણે સહીયારો પુરૂષાર્થ કરીએ!–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

O Ϲ����_
--
Sent with Mailtrack

Friday, March 2, 2018

About Shreedevi's last Funeral

માનવધર્મ બધા ધર્મોમાં સર્વશ્રૈષ્ઠ ધર્મ છે.

દુબઇમાં શ્રીદેવીના મૃતદેહને ભારત લાવવાની બધીજ જવાબદારી અસરફે પુરી કરી આપી.

 દુબઇની ભારતીય એલચી કચેરીએ શહેરમાં ભારતીયો અને અન્ય મૃત્યુ પામે ત્યારે જે તે મૃત્યુ દેહને વતનમાં પહોંચાડવાનું કામ કરનાર અસરફ થામારસેરીનો (એ.ટી) નો સંપર્ક સાધ્યો. આ કામ પણ તે કોઇપણ જાતના વેતન કે બદલાની આશા રાખ્યા વીના કરતો હતો. એ.ટી. મુળ કેરાલાના  ઉત્તરમાં આવેલા કોઝીકોડ જીલ્લાનો મલાયલી મુસ્લીમ છે. તેનો યુનાઇટેડ આરબ અમીરાતના શહેર દુબઇના એક પરગણામાં મોટર ગેરેજ છે. અસરફે છેલ્લા અઢારવર્ષોમાં દુબઇ  રોજગારી માટે કામ કરવા આવેલા બીનકુશળ કે બ્લુવર્કર થી માંડીને ઘણા બધાના આશરે ૪૫૦૦ મૃત દેહોને જે તે દેશોમાં મોકલી આપેલા છે.

જેના મૃત દેહને પરદેશ હવાઇ જહાજ કે સ્ટીમરમાં મોકલવાનો હોય તેના માટે યુ એ ઇના કાયદામુજબ

શબને ટકાવી રાખવા સુવાસીત કરવાની પ્રક્રીયા (Embalming ઇમ્બાલમીંગ) કરવી ફરજીયાત  (mANDATORY) ] છે. સરકારે તે માટે ખાસ ' ઇમ્બાલમીંગ સેન્ટર' ખોલેલું છે. પરદેશ મોકલાવનારા શબ માટે ત્યાં લઇ ગયા પછી સ્પેશીઅલ એરટાઇટ કોફીનમાં મુકી દેવામાં આવે છે. જે કોઇને મૃત્યુ પામેલ પોતાના સ્નેહીના અંતીમ દર્શન કે શ્રધ્ધાંજલી આપવી હોય તે માટેનું આ અંતીમ સ્થળ છે. ત્યારા પછી તે કોફીનેને ખોલી શકાય નહી. તે રીતે કોફીનમાં દેહને વીમાનામાં લઇ જવામાં આવે છે.

 દુ;ખ સાથે જણાવવું પડે છે કે શ્રી દેવી જેવી જાજરમાન એકટ્રરેસને આવા લાગણીવીભોર અપમૃત્યુના સમયે દુબઇના આ ' ઇમ્બાલમીંગ સેન્ટર' પર ફક્ત ૪૦ માણસો શ્રધ્ધાંજલી આપવા હાજર હતા. તેમાંથી મોટાભાગના  કેરલવાસી મુસ્લીમ હતા. બે માણસો ભારતની એમ્બેસી કચેરીના હતા.તેણીના કુટુંબનો તો ફક્ત એકજ માણસ હાજર હતો .

દુબઇની પોલીસ ગુનાશોધક સંસ્થા મુજબ શ્રી દેવીનું મૃત્યુ અપમૃત્યુ હતું. તેથી દુબઇ એરપોર્ટ નજીદીક આવેલા પોલીસના મરણઘર( મૉરચ્યુરી)માં લઇ જવામાં આવ્યો હતો. અસરફે ભારતીય એમ્બેસીના અધીકારીઓને જણાવ્યું કે હું આ બધી કાયદાકીય પ્રક્રીયાઓથી તે પરીચીત છે. પણ તેણીના મૃત–દેહ અંગે સ્થાનીક પોલીસ કાર્યવાહી કરી રહી હતી તેથી  મૃત શરીરનો કબજો મળતાં ત્રણ દીવસ પસાર થઇ ગયા. અસરફના કહેવા મુજબ પબ્લીક પ્રોસીક્યુટરની પોસ્ટ આપણા દેશના મેજીસ્ટ્રટે સાહેબની સમકક્ષ છે. આ બધાજ દીવસ અસરફ ખડાપગે પોતાની નીસ્વાર્થ સેવા આપી રહ્યો હતો. અસરફની નીગરાની નીચે તૈયાર થયેલ કોફીન કે શબપેટી પર અસરફનું નામ અને મોબાઇલ નંબર પોલીસ તરફથી અસરફના માનમાં લખવામાં આવતો હતો.

 પોલીસ કાર્યવાહી પુરી થતાં મૃતદેહને સાચવવાની ક્રીયા ((Embalming ઇમ્બાલમીંગ) તો ફક્ત ૩૫માં મીનીટમાં જ પુરી થઇ ગઇ હતી તેવું અસરફનું કહેવું હતું. ત્યારાબાદ તરતજ શ્રીદેવીના મૃતદેહને વીમાનમાં લઇ જવા એરટાઇટ કોફીનામાં ગોઠવી દેવામાં આવ્યો હતો.    

અસરફને પત્રકારોએ પુછયું કે ભાઇ, તું શ્રીદેવીની શબવાહીની સાથે એરપોર્ટ સુધી કેમ ગયો નહી? તેણે જવાબ આપ્યો કે મારે હજુ બીજા ચાર ભારતીયોના મૃતકોના શરીરોને અવ્વલ મંજીલેની વીધી કરવાની બાકી છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           

Q, �z�Q��N

--



Sent with Mailtrack

Sunday, February 11, 2018

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

વીશ્વના બધાજ ધર્મો ચાર્લ્સ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સંશોધનો સામે કેમ છે?

૧૨મી ફેબ્રુઆરી આજે  ચાર્લ્સ ડાર્વીનનો જન્મ દીવસ છે (૧૨–૦૨– ૧૮૦૯ મૃત્યુ ૧૯–૦૪– ૧૮૮૨) . ખાસ કરીને પશ્ચીમી જગતના બધાજ દેશો આ દીવસને 'ડાર્વીન ડે' તરીકે ઉજવે છે. તેની સામે ખ્રીસ્તી, હીંદુ અને ઇસ્લામ ધર્માના અનુયાઇઓ ડાર્વીનના 'કુદરતી પસંદગી અને સજીવોના જીવવા માટેના સંઘર્ષ' ના સીધ્ધાંતોને સંપુર્ણ રીતે અસ્વીકાર કરીને જબ્બર વીરોધ કરે છે. કેમ?

 દરેક ધર્મે આ પૃથ્વીપર માનવ સહીત સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન પોતાના ઇશ્વરે કેવી રીતે કર્યું છે તેની વીગતો પોતાના ધર્મ પુસ્તકોમાં આપી છે. અને તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે  તે બધા ઇશ્વરી તારણો છે. જે માનવીય શંકા–કુશંકાઓથી પર છે. તેની કોઇ પુરાવા કે જ્ઞાન આધારીત તપાસ ન હોઇ શકે! તે તારણો અને તેના આધારીત ઉપદેશો અને રીતી–રીવાજો અમલમાંજ મુકવાના હોય! કારણકે માનવ સહીત દરેક સજીવની ઉત્પત્તી તે ઇશ્વરી ઇચ્છાનું જ પરીણામ છે. માનવીનો જન્મ, જીવન અને મૃત્યુ પછીનું જીવન બધુ જ ઇશ્વર સર્જીત છે. માનવી જો દૈવી નીયમો સામે બળવો પોકારે તો તેને આજીવનમાં તો ખરૂ જ પણ મૃત્યુ બાદ કેવી કેવી શીક્ષાઓ થાય અને મોક્ષ કે મુક્તી ન મળે. તેની અસંખ્ય દંતકથાઓથી દરેક ધર્મપુસ્તકો ચીક્કાર ભરેલા છે. દરેક ધર્મોના ઠેકેદારોનું ખાસ કામ અને ફરજ ઇશ્વરદત્ત હોય છે. તે બધા ઉપદેશોને આધારે પોતાના ધર્મના અનુયાઇઓની તમામ સામાજીક, રાજકીય, આર્થીક, નૈતીક, કૌટુબીક જેવી તમામ ઐહીક કે દુન્યવી પ્રવૃત્તીઓનું સંચાલન અને વ્યવહારો તે મુજબ જ થવા જોઇએ. બધાજ ધર્મોએ  તેના પ્રતીનીધ્ઓની મદદથી સદીઓથી માનવ પ્રવૃત્તોઓને નીયંત્રણમાં રાખી હતી. વધારામાં એક ખાસ અમાનવીય અને અતીનીંદનીય અને હીંસક શીખ દરેક ધમોએ પોતાના અનુયાઇઓને આપી છે કે " તેનો ધર્મજ સાચો ધર્મ છે,તેથી શ્રૈષ્ઠ છે અને સામાનો ધર્મ વર્જ્ય છે." માટે વીશ્વના બધાજ ધર્મોના અનુયાઇઓને તેમના ધર્મના સંરક્ષકોઓ સદીઓથી એક બીજા સામે હીંસક રીતે લડાવ્યા રાખ્યા જ છે. હજુ પણ લડાવે રાખે છે. ગાંધીજીએ પોતાનું સમગ્ર જીંવન ' હીંદુ– મુસ્લીમ એકતા અને સર્વધર્મ સમભાવ ' અને તેના આધારે એકબીજાના હ્રદય પરીવર્તનના પ્રયત્નો તેમની હયાતીમાં અને આજે પણ 'જળકમળવત' જ રહ્યા છે. સફળ થયા નથી.

  વીશ્વના તમામ ધર્મોની આ ધાર્મીક, સામાજીક અને બૌધ્ધીક વાસ્તવીક અને નગ્ન હકીકતો છે. આવા ધર્મોને ટકાવી રાખવામાંજ તે બધા પરોપજીવીઓનું અસ્તીત્વ અને સ્થાપીત હીતો રહેલાં છે.

 તેની સામે ચાર્લ્સ ડાર્વીને સને ૧૮૫૯માં એક જગવીખ્યાત પુસ્તક બહાર પાડયું,  તેનું નામ ' ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ થીયરી ઓફ નેચરલ સીલેક્શન' છે. સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયુ હતું. ' ધી ડીસેન્ટ ઓફ મેન'. ઉપરના જીવવીજ્ઞાનના બે પુસ્તકોના તારણોને સ્વીકારવા માટે એક વીસ્તૃત વૈચારીક ક્રાંતીની જરૂર છે. બીજા કોઇપણ જીવવીજ્ઞાની કરતાં ચાર્લસ ડાર્વીન એક માત્ર એવો જીવવૈજ્ઞાનીક હતો કે જેણે  સામાન્ય માણસના આ જગત વીશેના ખ્યાલને ધરમુળથી બદલવા કારણભુત બન્યો.

 ડાર્વીને જીવવીજ્ઞાનમાં ' જૈવીક ઉત્ક્રાંતી' નામની નવીજ્ઞાનની શાખાની શોધ કરી. આ જૈવીક ઉત્ક્રાંતીની શાખાની શોધનું મહત્વ એ છે કે તેની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણી જ અસરકારક છે, એક તો ડાર્વીને ઉત્ક્રાંતીવાદનો નવો ખ્યાલ વીકસાવ્યો. બીજુ તેણે સજીવ જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ–વીભાગો ( બ્રાન્ચીઝ ઓફ ઇવોલ્યુશન)શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીસાથે ઉત્ક્રાંતીની દ્ર્ષ્ટીએ શું સંબંધ તે પણ શોધી કાઢયું. આ વીભાગીય જૈવીક સજીવ જાતીઓના દરેક ફાંટાઓ એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયુ હતું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ જૈવીક એકમ શું છે તે પણ શોધી કાઢયું. એક જૈવીક વંશમાંથી સમગ્ર જૈવીક જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક બન્યો.

વધુમાં ડાર્વીને એવું તારણ કાઢયું કે આ ઉત્ક્રાંતીની પ્રક્રીયાનો વીકાસ લાખો વરસથી ક્રમશ થતો આવ્યો છે. આ ઉત્કાંતીની જીવવીકાસ અને તેમાં થતા જૈવીક ફેરફારોની સાંકળ કોઇ જગ્યા એ થી તુટેલી કે વેરણછેરણ નથી. આ ઉત્ક્રાંતીનું કારણ  'કુદરતી પસંદગીનો સીધ્ધાંત' ( ધી પ્રીન્સીપલ ઓફ નેચરલ સીલેક્શન) છે.

આમ  જીવઉત્પત્તીના ધર્મનીરપેક્ષ ખ્યાલે ( સેક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં દર્શાવેલા જીવઉત્પત્તી અને માનવ ઉત્પત્તીના ખ્યાલોને બીલકુલ ખોટા, દંભી, પોકળ અને પુરાવા વીનાના સાબીત કરી દીધા. કોઇપણ સજીવના સર્જનમાં કશું દૈવી, ઇશ્વર આધીન નથી. દરેક સજીવનું અસ્તીત્વ ભૌતીક જ તેમ સ્પષ્ટ સાબીત કરી દીધુ છે.

ડાર્વીનના ઉપરના વીચારોની સ્ફોટક અસર વૈજ્ઞાનીક જગતમાં થઇ. વીજ્ઞાનના ક્ષેત્રમાંથી ઇશ્વરના ખ્યાલની બાદબાકી થતાં જ્ઞાન–વીજ્ઞાનના બધા જ ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજાવવાનું જ્ઞાન અને સંશોધન શરૂ થયું. ડાર્વીને તો  પોતાના વીચારોથી જ્ઞાન આધારીત વીશ્વ બનાવવાની ઇમારતનો પાયો નાંખી દીધો. તેણે તો બૌધ્ધીક ક્રાંતી પેદા કરી. ઇશ્વરને બદલે આ વીશ્વના સર્જનહાર તરીકે માનવીને કેન્દ્રમાં મુકી દીધો. માનવીય પ્રયત્નોની શરૂ થયેલી વીશ્વના સર્જનની પ્રક્રીયા માનવજાત જેટલી જ પુરાણી છે તેવું ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે સાબીત કરી દીધું.  તેમજ તે માનવજાત જ્યાંસુધી આ પૃથ્વી પર અસ્તીત્વ ધરાવતી રહેશે ત્યાં સુધીતે માનવીય પ્રયત્નોથી વીશ્વ સર્જનની પ્રક્રીયા ચાલુ રહેવાની છે. આમ ડાર્વીને ઇશ્વરની જગ્યાએ માનવીને સર્જનહાર તરીકે કેન્દ્રમાં મુકીને  તેને ઇશ્વર કરતાંપણ વધુ સર્વશક્તીમાન બનાવી દીધો. ડાર્વીને ઉત્ક્રાંતીવાદની મદદથી માનવવાદનો પાયો દૈવી સર્જનને બદલે ભૌતીક બનાવી દીધો. બધાજ ધર્મો અને તેના સ્થાપીતહીત ધરાવતા તત્વોના ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીરોધના મુળીયા અહીંયા રહેલા છે....................



--
Sent with Mailtrack

Saturday, February 3, 2018

ધર્મગુરુઓ અને સમાજ-વીક્રમ દલાલ



ધર્મગુરુઓ અને સમાજ

વીક્રમ દલાલ

'માણસ' એ હાથ વાપરતું, વીચાર કરતું અને સમાજ બાંધીને જીવતું પ્રાણી છે. બીજાં પ્રાણીઓ અને માણસ વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે બીજાં પ્રાણીઓ માત્ર વૃત્તીથી દોરવાઈને વર્તે છે. જ્યારે વીચારશક્તીને કારણે માણસ સામાજીક વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે વૃત્તી ઉપર સમઝણપુર્વક નીયન્ત્રણ રાખીને વર્તે છે. માણસમાં જેમ સમઝણ ઓછી તેમ તેના અને પ્રાણીના વર્તન વચ્ચેનો તફાવત ઘટે. બકરીને ગોથુ મારીને તેનું ઘાસ ચરી જતી ગાય, નાના બાળકનું રમકડું ઝુંટવી લેતું મોટું બાળક અને લુંટારો, એ ત્રણે વચ્ચે તાત્ત્વીક રીતે કોઈ ભેદ નથી. વાલીયા લુંટારા અને વાલ્મીકી ઋષી વચ્ચેનો તફાવત એ શરીરનો નહીં પણ સમઝણનો છે.

વીચારશક્તીને કારણે માણસ આદીકાળથી કુદરતી ઘટનાઓ બનવા પાછળનાં કારણો સમઝવા માટે અને સામાજીક સમસ્યાઓના ઉકેલ માટે મથ્યા કરે છે. દીવસ અને રાત, સુર્ય અને તારાસમુહોનું રોજ ચોક્કસ દીશામાં ઉગવું અને આથમવું, ચન્દ્રની કળાઓ, ભરતીઓટ અને ઋતુચક્ર જેવી કુદરતી ઘટનાઓનાં નીયમીત રીતે થતાં પુનરાવર્તનના અવલોકનથી તથા ગ્રહણ, ધુમકેતુ, ખરતા 'તારા' અને ધરતીકમ્પ જેવી ક્યારેક જ થતી (અને માટે અજ્ઞાતનો ભય પમાડતી) ઘટનાઓને લીધે માણસ અભાનપણે 'અવકાશ (space)' 'સમય (time)' વીશે વીચારતો થયો.

સર્જનશીલતા એ માનવપ્રાણીની વીશેષતા છે. અંગ્રેજીમાં કહેવત છે, 'Necessity is the mother of invention' (જરુરીયાત એ શોધની જનેતા છે). માણસે માટી, પાણી, પથ્થર, પાંદડાં, ઘાસ, વેલા, વાંસ, ડાળીઓ, હાડકાં, શીંગડાં અને ચામડાં જેવા કુદરતી રીતે મળી શકતા પદાર્થોનો ઉપયોગ કરીને બનાવેલી ચીજવસ્તુઓથી સગવડો ઉભી કરી. એકલે હાથે થઈ ન શકે તેવાં કામ માટે બીજાની મદદ લેવાની જરુર પડે. આ માટે હાવભાવ ઉપરાંત પોતે મુખથી કાઢી શકતા વીવીધ પ્રકારના અવાજને અર્થ આપીને માણસે ભાષા બનાવી. પ્રાણીઓ, વૃક્ષો અને કુદરતી દૃશ્યનાં ચીત્રો દોરી શકતા માણસે આગળ જતાં અવાજ માટે પણ આકૃતીઓ (અક્ષરો) નક્કી કરીને લીપી બનાવી. આમ, લખાણ દ્વારા માહીતી અને વીચારોને બીજાને દુર સુધી પહોંચાડવાની તથા આવતી પેઢીને વારસામાં આપી જવાની માણસે કરેલી શોધથી information technologyની શરુઆત થઈ. બીજું કોઈ પણ પ્રાણી આમ કરી શકતું નથી.

માણસ ટોળકીમાં રહે છે. ટોળકીના દરેક સભ્યની સુઝ સરખી ન જ હોય તેથી ટોળકી માટે કામની ચાલ નક્કી કરવાની સુઝ ધરાવનાર સભ્યની દોરવણી હેઠળ ટોળકી કામ કરે. સ્વાભાવીક રીતે જ આવો સભ્ય ટોળકીનો નેતા બને અને પોતાની સમઝણ અને કલ્પના પ્રમાણે કુદરતી ઘટનાઓ અને સામાજીક પ્રશ્નોના ઉકેલ આપે. હકીકત કે કલ્પના આધારીત અપાયેલા (ખરા કે ભુલભરેલા) ઉકેલને'ધર્મગણવામાં આવ્યો. આમ, ટોળકીનો નેતા 'ધર્મગુરુ' પણ મનાયો. 'જ્ઞાન' હમ્મેશાં અનુભવ પ્રેરીત ચીન્તનથી જ મળતું હોવાને કારણે સામાન્ય રીતે એવું બને કે ઉમ્મરની સાથે જ્ઞાન વધે; પણ શરીર નબળું પડતું જાય તેથી શારીરીક શ્રમ ઘટે. સમય જતાં પીડાદાયક શારીરીક શ્રમ છોડીને ધર્મગુરુઓ ફક્ત ચીન્તન કરવા માંડ્યા. લાઠી, પથ્થર અને વેલાથી બનાવેલા ગદા અને ગોફણ જેવાં હથીયારોની શોધને કારણે શરીરબળનું મહત્ત્વ વધ્યું અને તેથી ટોળકીનું નેતૃત્વ કરવાનું કામ સશક્ત સભ્યના હાથમાં આવ્યું. આમ છતાં 'જ્ઞાન'ને કારણે નેતા ઉપર અને તેની મારફત ટોળકી ઉપર ધર્મગુરુની પકડ રહી. ઈતીહાસ સાક્ષી પુરે છે કે એક કાળે દરેક પ્રદેશમાં રાજ્યની સત્તા મારફત ધર્મગુરુઓ પોતાના સમાજ ઉપર સમ્પુર્ણપણે છવાઈ ગયા હતા. પાકીસ્તાન જેવા સામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં સમ્પુર્ણપણે અને ભારત જેવા બીનસામ્પ્રદાયીક બંધારણવાળા દેશોમાં થોડે ઘણે અંશે પણ આ જ હકીકત છે.

લખતા થયા પછી ઉકેલોને એકત્રીત કરીને ગ્રંથ બનાવવામાં આવ્યા. આમ, ધર્મગ્રંથો એ માનવીની જે તે કાળની સમઝણ પ્રમાણેના વીજ્ઞાન અને સમાજશાસ્ત્ર છે. જેમ ભૌગોલીક કારણોસર ખોરાક, પોશાક અને રીતરીવાજોમાં તફાવત હોય છે. તેવી જ રીતે જુદા જુદા પ્રદેશના વીચારકોએ પોતપોતાની ભૌગોલીક અને સામાજીક પરીસ્થીતીને ખ્યાલમાં રાખીને સ્થાપેલા ધર્મોના ઉપદેશો, ક્રીયાકાંડ અને રીતરીવાજોમાં પણ તફાવત હોય તે સ્વાભાવીક છે. આમ છતાંદરેક ધર્મનો પાયાનો સુર એક જ છે : સમાજના હીતમાં જ વ્યક્તીનું હીત સમાયેલું છે.

જે ઘટનાઓનાં કારણો આપી શકાય તેમ હતાં તે તો ધર્મગુરુઓએ આપ્યાં; પરન્તુ જન્મમરણ, અકસ્માત કે વરસાદ જેવી જે ઘટનાઓનાં કારણોથી પોતે અજાણ હતા તે માટે કેટલાકે સર્વજ્ઞ, સર્વવ્યાપી, અમર, સ્વયમ્ભુ, સર્વશક્તીશાળી અને માણસની માફક ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરી. અને જેની કદીયે સાબીતી મળી ન શકે તેવા 'ઈશ્વરની ઈચ્છા, નસીબ અને ગયા જન્મનાં કર્મો' જેવા ઉકેલ આપ્યા. અને ત્યાં જ માણસ થાપ ખાઈ ગયો. તર્કની ગાડી 'હકીકત'ને બદલે 'માન્યતા'ના આડા પાટે ચડી ગઈ.

આપણો અનુભવ છે કે પોતે બનાવેલા નીયમને બાજુએ રાખીને માણસ તો હજીયે ભુલ માફ કરી દે; પરન્તુ ભુલ અજાણતાં થઈ હોય તો પણ પ્રકૃતીના નીયમમાં બાંધછોડ થતી નથી; કારણ કે પ્રકૃતી ઈચ્છારહીત છે. કોઈ છાપરેથી પડતું મુકે, કોઈ વીધવા માતાનો નવો પરણેલો એકનો એક કમાઉ દીકરો અકસ્માત ત્યાંથી પડી જાય છે કે છાપરાનું નળીયું ખસીને નીચે પડે એ ત્રણે જ્યારે ધરતી સાથે ભટકાય ત્યારે ત્રણેની ઝડપ સરખી જ હોય છે (5/14). આ ઉપરથી માની શકાય કે પ્રકૃતીને લાગણી જેવું કાંઈ હોતું નથી. પ્રકૃતી ક્રુર પણ નથી અને દયાળુ પણ નથી. To err is human but to forgive is divine એ વાક્યના ઉત્તરાર્ધનો અનુભવ થવો એ ક્યાં તો અકસ્માત છે અથવા ભ્રમણા છે; પણ હકીકત નથી.

ઈચ્છા ધરાવતા ઈશ્વરની કલ્પના કરવાની થયેલી ભુલની ભારે કીમ્મત માણસજાતને ચુકવવી પડી છે. સમાજમાં પ્રવર્તતી માનસીક આળસ(તમસ)ને કારણે અજ્ઞાત પરીબળોથી આવતાં પરીણામોના આવા સરળ ઉકેલો બહુજનસમાજને જચી તો ગયા; પરન્તુ તેથી તેની વીચારવાની શક્તી કુંઠીત થઈ ગઈ. ગુંચવાઈ ગયેલા માનવીમાં અજ્ઞાનતાનો ભય એટલો તો વ્યાપી ગયો કે પોતાના રક્ષણ માટે ઈશ્વરનું શરણું લેવામાં જ જીવનની સલામતી દેખાઈ. આપણા પ્રશ્નોના ઉકેલમાં 'ઈશ્વરેચ્છા જ સર્વોપરી છે' તેવી જે માન્યતા ઈશ્વરવાદીઓએ પ્રચલીત કરી છે, એ માણસજાતના વીકાસમાં મોટામાં મોટી આડખીલી સાબીત થઈ છે; કારણ કે તેનાથી પોતાની આળસ કે ઉણપ ઉપર માણસ આધ્યાત્મીકતાના સોનેરી વાઘા ચડાવી દઈને પ્રશ્નને ઢાંકી દઈ શકે છે; પણ તેથી કાંઈ પ્રશ્ન ઉકેલાતો નથી. આપણા મોટાભાગના ભજનોમાં લઘુતાગ્રંથી, અપરાધભાવ, ભીખારીવેડા, કાકલુદી અને ઈશ્વરની ભાટાઈ જોવા મળે છે તેના મુળમાં ધર્મગુરુઓએ ઉપદેશો મારફત સમાજમાં ફેલાવેલી વ્યક્તીપુજા, અન્ધશ્રદ્ધા, બીનજવાબદારી, ભય, લાલચ અને લાચારી છે.

ધર્મગુરુઓ પણ છેવટે તો માણસો જ છે. પોતાનું અજ્ઞાન છુપાવવા માટે અને સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની લાલસાને કારણે તેમણે ધર્મગ્રંથોની માન્યતાઓને 'અન્તીમ સત્ય' તરીકે ઠસાવી દીધી. આમ થવાથી તેમાં સંશય કરવાની કે ફેરફાર કરવાની મનાઈ થઈ એટલે ધર્મનો વીકાસ રુંધાઈ ગયો; કારણ કે વીકાસ એટલે જ 'યોગ્ય ફેરફાર'. ધર્મનો કુદરત સાથેનો સમ્બન્ધ નબળો પડતો ગયો. ક્ષીણ થઈ ગયેલા ધર્મમાં સડો પેસી ગયો. શ્રદ્ધાનું સ્થાન અન્ધશ્રદ્ધાએ અને ચીન્તનનું સ્થાન ક્રીયાકાંડે લઈ લીધું. 'સત્ય'ને બદલે 'માન્યતા'નો આધાર લેવાને કારણે તે અનેક સમ્પ્રદાયો અને ફીરકાઓમાં વીભાજીત અને વીકૃત થતો ગયો. માનવીની પ્રાણીસહજ વૃત્તીને કારણે કુતરાની ટોળીઓની માફક સમ્પ્રદાયો પણ આપસમાં ઝગડવા માંડ્યા. પોતાનો કક્કો ખરો કરાવવાની લહાયમાં યહુદીઓ, ખ્રીસ્તીઓ અને મુસ્લીમો વચ્ચે થયેલા 'ધર્મયુદ્ધો'માં હજારો માણસો ખપી ગયા અને માણસાઈ હોમાઈ ગઈ. કુદરતી ઘટનાઓ અંગે ધર્મગ્રંથો કરતા જુદો મત ધરાવતા વીજ્ઞાનીઓને યુરોપના ધર્મગુરુઓએ પાપી, શેતાન કે ધર્મનીન્દક ગણાવીને કો'કને જેલમાં નાંખ્યા તો કો'કને મારી નાંખ્યા. પોપે ગૅલીલીયોને કરેલા અન્યાયથી ગૅલીલીયો એકલો જ દુખી થયો હશે; પરન્તુ તેને કારણે વીજ્ઞાનના વીકાસમાં જે કાંઈ વીલમ્બ થયો હશે તેની કીમ્મત તો સમગ્ર માનવજાતને ચુકવવી પડી. અનેક દેવદેવીઓ અને એકથી વધારે ધર્મગ્રંથોની માન્યતાની આડપેદાશના રુપમાં અનાયાસે પાંગરેલી સહીષ્ણુતાને કારણે અન્ય ધર્મો કરતાં હીન્દુ ધર્મ વધારે ઉદાર હોવા છતાં ચાર્વાક નામના રૅશનાલીસ્ટ ઋષીના ગ્રંથોનો નાશ કરવામાં આવ્યો તથા ભારતમાં સ્થાપાયેલો હોવા છતાં બૌદ્ધ ધર્મ ભારતમાં ફાલી ન શક્યો.

માનવીની અદમ્ય જીજ્ઞાશાવૃત્તીને કારણે વીજ્ઞાનનો વીકાસ નીરન્તર થયા જ કર્યો છે. જેમ જેમ વૈજ્ઞાનીક જાણકારી વધતી ગઈ તેમ તેમ વીજ્ઞાનીઓ ઉપરની ધર્મગુરુઓની જોહુકમી ઘટતી ગઈ.વીજ્ઞાનની સીદ્ધીઓથી પ્રભાવીત થયેલા કેટલાક જાગ્રત અને નીખાલસ ધર્મધુરન્ધરો હવે પોતાના સમ્પ્રદાયને વીજ્ઞાન મારફત સમઝાવવાની કોશીશ કરે છે. આ છતાં, ધર્મગ્રંથોને 'સમ્પુર્ણ' માનતા કટ્ટરવાદી ધર્મગુરો વીજ્ઞાનની દરેક સીદ્ધીનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં પણ છે જ એમ લલકારીને મીથ્યાભીમાનમાં રાચે છે. તેમને ઍરોપ્લેનમાં પુષ્પક વીમાન, રેડીયોમાં આકાશવાણી, વર્ચુઅલ રીયાલીટીમાં પાંડવોનો મહેલ, ટૅલીવીઝનમાં સંજયદૃષ્ટી, અણુબોંબમાં બ્રહ્માસ્ત્ર અને હૉવરક્રાફ્ટમાં યુધીષ્ઠરનો રથ દેખાય છે. પછી ભલે જ્યારે પોતે માંદા પડે ત્યારે 'જીર્ણ થયેલા વસ્ત્ર'ને બદલવાને બદલે ઈશ્વરના દુત જેવા લાગતા ડૉક્ટર પાસે વસ્ત્રને થીગડું મરાવવા માટે અનુયાયીઓને દોડાવતા હોય કે ઍરોપ્લેનમાં ઉડીને પરદેશ જતા હોય. તેમના કહેવા પ્રમાણે ઈશ્વર જ તેમને મન્દીરને બદલે હૉસ્પીટલમાં જવાની તથા ડૉક્ટરને ઉપચાર સુઝાડવાની પ્રેરણા આપે છે. સ્વબચાવ માટે ડૉક્ટરો પણ દવા અને દુવાનું ગાણું ગાય છે.

ઈશ્વરના એજન્ટ બની બેઠેલા આધુનીક ભુવા જેવા ધર્મગુરુઓની ચુંગાલમા ફસાઈને સમાજ કેટલો બેવકુફ બની ગયો છે તેનું અનુમાન એક જ દીવસ માટે 'દુધ પીતા ગણેશ'ના વાહીયાત દાવાને અનુમોદન આપનારાની જંગી બહુમતી ઉપરથી આવી શકે તેમ છે. પોતાનું મહત્ત્વ વધારવા માટે તેમણે કેશાકર્ષણની સામાન્ય ભૌતીક ઘટનાને ચમત્કારમાં ખપાવી દીધી અને 'અભણ' સમાજે તેને સ્વીકારી પણ લીધી.(  મારા સાથી ગોવીંદભાઇ મારૂના અભીવ્યક્તીના બ્લોગ પરથી આભાર સાથે)

તા.ક. :

રસ ધરાવનારે લેખકના ઘરે*થી કે GraphonicsE – 214, G.I.D.C. Electronic Estate, Sector – 26, Gandhinagarટૅલીફોન : (079) 29 75 01 43 સરનામેથી 'રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશપુસ્તીકા મફત મેળવી લેવાની રહેશે.

 

`m�Q0

--
Sent with Mailtrack

Saturday, January 20, 2018

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.( લેખકે પોતાના પુસ્તક Essence of Royism complied by G. D. Parekh માંઆ લેખના વીચારો વ્યક્ત કર્યો છે. રોય સાહેબે સને ૧૯૧૫થી ૧૯૩૦ સુધી લેનીન–સ્ટાલીનના સોવીયેત રશીયા, જર્મની, ઇટલી, ફ્રાંસ, સ્વીસ વી યુરોપના દેશોમાં સક્રીય ક્રાંતીકારી તરીકે ભાગ ભજવ્યો હતો. જર્મનીના હીટલર અને મુસોલીનીના રાજ્કીય સત્તા વીકાસને ખુબજ નજીકથી અનુભવેલો હતો. તેમના રાષ્ટ્રવાદ અંગેના બૌધ્ધીક નીચોડમાંથી સદર લેખ તૈયાર કરવામાં આવેલ છે. રોય સાહેબના પત્ની એલન રોય મુળ જર્મન હતા.)

સમાજ વ્યવસ્થાની વધુ ઉચ્ચતર, વધુ ઉમદા અને વધુ ન્યાયી અવસ્થા માટે સ્થાન ખાલી કરવા, આગળ પ્રગતીની તમામ શક્યતાઓનાં બારણાં પુરેપુરા બંધ થઇ જવાથી, કોઇ સમાજ વ્યવસ્થા પડી ભાંગવાની અણી પર હોય ત્યારે  જુના વ્યવસાયથી જેમને ખરેખર લાભ થયો હોય તે બધા નવી વ્યવસ્થાથી ભયભીત થઇ જાય છે. અને જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને તે સ્વાભાવીક હોય છે. જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા ખાતર, નવી વ્યવસ્થાનું નીર્માણ કરનાર પરીબળો ચોક્કસ અને નક્કર આકાર ધારણ કરે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે. જુની વ્યવસ્થાના સમર્થકો અને નવી વ્યવસ્થા માટે લડવા તૈયાર થયેલા લડવૈયાઓ વચ્ચે સર્વપ્રકારનો સંઘર્ષ અનીવાર્ય બને છે. આજે વીશ્વ આ બે પ્રકારના સામ સામી હીતોના સંઘર્ષમાં વહેંચાઇ ગયું છે.

ભુતકાળમાંથી પ્રેરણા-

એક સમય હતો, જ્યારે રાષ્ટ્રવાદની એક ઐતીહાસીક જરૂરીયાત હતી.અને તેના જુના ઝંડા હેઠળ માનવ પ્રગતી સધાઇ પણ હતી.સમય જતાં જુદા જુદા રાષ્ટ્રોની આકંક્ષાઓ વચ્ચે સંપુર્ણ સંઘર્ષ ઉભો થયો. અને પોતપોતાની હરીફ આકંક્ષાઓ ને કારણે હરીફ રાષ્ટ્રો વચ્ચે સતત ઝઘડા થવા લાગ્યા.અને તેમાંથી  ઉદ્ભવતાં યુધ્ધોમાં આખું વીશ્વ ગરકાવ થઇ ગયું.

મનુષ્ય જાતીએ પ્રગતી સાધવી હોય તો રાષ્ટ્રીય સીમાડાઓથી ઉપર જ ઉઠવું રહ્યું. અન્ય પર આધીપત્ય ભોગવવા એકબીજા સામે લડવાને બદલે મનુષ્ય જાતીના એક બીજા વીભાગોએ એકબીજાની સાથે આવ્યા વીના છુટકો નથી.

આથી, સામાજીક અને આર્થીક પ્રગતીના પ્રભાવ હેઠળ સંકીર્ણ રાષ્ટ્રવાદ પર આધારીત વ્યવસ્થાને વીદાય થતી અટકાવવા માટે જુની વ્યવસ્થાના સમર્થકોએ મનુષ્ય પ્રગતીને રોકવી એટલું જ પુરતું નથી, પણ તેને પાછળ ધકેલવી, ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા બહુજ જરૂરી બને છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રવાદ પાસે અગ્રદ્ર્ષ્ટી હતી.પણ આજે તો રાષ્ટ્રવાદ ભુતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રવાદ અનીવાર્યપણે પુનરુત્થાનવાદની તરફેણ કરે છે. .. ... આજે રાષ્ટ્રવાદના હીમાયતીઓ માટે એક યા બીજા સ્વરુપે ભુતકાળને ભવ્ય સાબીત કરવો જરૂરી બન્યુ છે.સાથે સાથે તે બધાએ એમ પણ પ્રસ્થાપીત કરવું જ રહ્યું કે છેલ્લાં ૧૦૦– ૨૦૦ વર્ષોની પ્રગતીને કારણે  માનવજાત વીનાશને આરે આવીને ઉભી છે. તેથી છેલ્લાં બસો વર્ષોમાં જે કંઇ સીધ્ધ થયું છે , તે બધુ ઉલટાવી દીધા વીના , તે બધું ફગાવી દીધા વીના તો  છુટકો જ નથી. મનુષ્ય જાતીએ  મધ્યયુગનીએ શાંત, પરમ આનંદદાયી અવસ્થાએ પાછા ફર્યા સીવાય  બીજો કોઇ છુટકો નથી......

સ્વાતંત્રયના ગળે ટુંપો–

રાષ્ટ્રની સાથે ભાવનાત્મક એકતા (અમુર્ત વીભાવના) એ ફાસીવાદની લાક્ષણીક ખાસીયત છે.ફાસીવાદ હેઠળ રાષ્ટ્ર અને રાજ્ય બંને એક જ બને છે. તેમની વચ્ચે કોઇ ભેદ પાડવામાં આવતો નથી. તેમાં રાજ્યને એક અમુર્ત શક્તી કે સત્તા ગણવામાં આવે છે. રાષ્ટ્ર જેનું બનેલું છે, તેને રાજ્યના નાગરીકો, જુદા જુદા વર્ગ સમુહો તથા સંસ્થાઓથી કંઇક વીશેષ કંઇક વધુ ચઢીયાતું ગણવામાં આવે છે. આ બધા ઘટકોનું કાર્ય તેમના પોતાના હીતોને ભોગે રાષ્ટ્રની મહાનતામાં વધારવામાં ફાળો આપવાનું છે. રાષ્ટ્રવાદની મુળભુત માન્યતા કે સારત્વ પણ એ જ છે. ભાવનાત્મક, અમુર્ત, દૈવીઅસ્તીત્વ ધરાવતું તે રાજ્ય. તેને સંપુર્ણ સમર્પણ કરવું તેની પુજા કરવી તે રાષ્ટ્રવાદ......

આપણા દેશનો ભારતીય રાષ્ટ્રવાદ સંત– સરમુખ્તયારના જબ્બરજસ્ત પ્રભાવ હેઠળ આવી ગયેલો છે. તે કેવળ કોઇ અકસ્માત નથી. સરમુખત્યારશાહીની મોહીની  ભારતીય રાષ્ટ્રવાદની ચળવળનું  એક આગળ પડતું લક્ષણ પહેલેથી જ રહેલ છે. રાષ્ટ્રવાદી વીચારધારામાં નેતા પ્રત્યેનું આવું વલણ અંતર્ગત  હોવાને કારણે ફાસીવાદના પાયાના સીધ્ધાંતો  તેમજ સુપરમેન  હીટલરની ચમત્કાર કરવાની શક્તી( હાલમાં વડાપ્રધાન મોદીની ચમત્કાર કરવાની શક્તી) દેશના રાષ્ટ્રવાદીઓને અપીલ કરે તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. રાષ્ટ્ર રાજ્ય પર અંકુશ ધરાવતી નાની લઘુમતી જેણે સત્તા પચાવી પાડી છે,તે સત્તાનો ઉપયોગ મોટાભાગના લોકોના સ્વાતંત્રયને ગળે ટુપો દેવામાં તદ્દ્ન આપખુદ રીતે અને બીલકુલ નીરંકુશપણે કરે છે. રાષ્ટ્ર હીતોનું રક્ષણ, રાષ્ટ્રના ગૌરવ અને પ્રભાવ વૃધ્ધી, આ બધા ધ્યેયો ખાતર  કોઇપણ સત્તા કે સ્વતંત્રતા વગરની વીશાળ બહુમતી પાસેથી અનંત બલીદાનો માંગવામાં આવે છે. લોકોને ઓપચારીક રીતે  હક્કો આપવામાં આવે છે. પણ વ્યવહારમાં ફરજો અને જવાબદારીઓના બોજા હેઠળ તેમનો(નાગરીક હક્કોનો) ભોગવટો માત્ર નામનો જ રહે છે. દેશના દરેક નાગરીકે આ ફરજો અને જવાબદારીઓ તો રાષ્ટ્રની મહાનતા વધારવા ખાતર કોઇપણ ભોગે બજાવવી જ રહી.ફાસીવાદ અને રાષ્ટ્રવાદ બન્ને માટે આ સીધ્ધાંતો સરખા જ છે.કારણકે  બન્ને મુળે તો એક જ સરખા વીચારોની જુદી જુદી અભીવ્યક્તી છે. એક બાજુ દેશની અંદર પ્રગતીની અસરને પ્રસરતી રોકવામાં આવે છે. તો બીજી બાજુએ રાષ્ટ્રવાદી પુર્વગ્રહને કારણે પ્રગતીના મુક્તીદાયી અસરોને બહારથી આવવા દેવામાં આવતી નથી.આ બધાને કારણે પરીણામ એ આવે છે કે દેશમાંના જે સામાજીક અને સાસ્કૃંતીક પરીબળો છે તે ઉલટાના વધારે મજબુત અને ધ્દ્ઢ બને છે.  

સને ૧૯૧૭માં(બરાબરઆજથી ૧૦૦વર્ષ પહેલાં) રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે, " રાષ્ટ્રનો વીચારએ મનુષ્યએ શોધેલી સૌથી શક્તીશાળી ઘેનપ્રદ દવાઓમાંની એક છે.એની પ્રચંડ અસર હેઠળ આખો લોક સૌથી બેશરમ કહેવાય એવા સ્વાર્થની સાધના કરે છે.આખરે તેમાં એવી ભયંકર નૈતીક વીકૃતી આવે છે તેનો ખ્યાલ સુધ્ધાં તે બધાને સહેજ માત્ર આવતો નથી. હકીકતમાં જ્યારે કોઇ તેમનાં આવાં કૃત્યો તરફ ધ્યાન દોરે છે ત્યારે તેઓ ભયાનક રીતે ગુસ્સે થાય છે."

જર્મન તત્વજ્ઞાની ગોઇથેના રાષ્ટ્રવાદ અંગેના વીચારો " રાષ્ટ્રીય દુશ્મનાવટ કેવી વીચીત્ર બાબત છે! સભ્યતાની સૌથી નીમ્નકક્ષાએ તે હંમેશાં સૌથી પ્રબળ અને સૌથી ઘાતક હોય છે." ( સૌજન્ય–પુસ્તક રોય વીચાર દોહન–અનુવાદક પ્રો. દીનેશ શુક્લ અનેપ્રો. જયંતી પટેલ.ના કેટલાક અગત્યના અવતરણો.)

 


--



Sent with Mailtrack

Tuesday, January 16, 2018

વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

                 વીચારોનું આયુધ (શસ્રો) વીચારો જ હોઇ શકે.

" wEAPONS OF IDEAS ARE ideas THEMSELVES "

' જગત મીથ્યા બ્રહ્મ સત્ય ' વાળી બ્રાહ્મણવાદી હીદુંવીચારસરણીમાંથી, એટલે કે નસીબવાદી વીચારસરણીમાંથી બહાર નીકળવાના છુટાછવાયા ઘણા પ્રયત્નો આપણા દેશમાં સદીઓથી થતા આવ્યા છે. આ બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં ઉપરછલ્લા થોડા સુધારા કરવાના પ્રયત્નો તેના કર્મકાંડોની અપ્રસતુતતા માટે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અસમાન જાતીયપ્રથા અને વ્યક્તીગત શોષણના વીરોધમાં પણ થયા હતા. પરંતુ ઉપરના સીધ્ધાંત આધારીત સમગ્ર હીદું વીચારસરણી (ચારવર્ણવ્યવસ્થાને આમેજ કરેલી) અવૈજ્ઞાનીક, અભૌતીક છે. અને માનવકેન્દ્રીત નથી તે વાત ગાંધીજીથી માંડીને કોઇએ કરી નથી. તેનો સંકલીત વીકલ્પ પ્રજા સમક્ષ મુકવો અને તેને ચરીતાર્થ કરવા કોઇએ વ્યવસ્થીત પ્રયત્ન કર્યો હોય તો એક પ્રયત્ન મહાન ક્રાંતીકારી વીચારક માનવેન્દ્ર નાથ રોય (૧૮૮૭–૧૯૫૪) અને તેમના સાથીદારોએ કર્યો  છે. રોયની વીચારસરણીને 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ફીલોસોફી અંગ્રેજીમાં ગુજરાતીમાં તેને " નવમાનવવાદી વીચારસરણી" તરીકે ઓળખવામા આવે છે.

 આજના હીંદુ સંતો અને ધાર્મીક વીચારકોના હીદું સંસ્કૃતી અંગે નીચે મુજબના ખ્યાલો તારીખ ૬ઠ્ઠી જાન્યુઆરીના દીવ્ય્ભાસ્કરના અમદાવાદ આવૃત્તીના નવમા પાને આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવ્યા છે.

પુજ્ય શ્રી ભાઇ રમેશભાઇ ઓઝા–હીન્દુત્વ એક વીચારધારા છે અને સંસ્કૃતીનું નામ છે.તેને કોઇ ધર્મ સાથે કે મજહબ સાથે જોડી શકાય નહી.

જૈનાચાર્ય હેમચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે – હીદું હોવાની વ્યાખ્યા ખુબજ વ્યાપક છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો  એક કહી શકાય કે " આત્માના એક શરીરમાંથી બીજા શરીરમાં અવતરણની માન્યતામાં વીશ્વાવાસ રાખનાર દરેક હીદું છે.પુર્વજન્મ અને પુનર્જન્મમાં જેની આસ્થા છે તે હીદું છે."

 

મારૂ સ્પષ્ટ માનવું છે કે ઉપરના બે ધર્મગુરૂઓએ જે વ્યાખ્યા હીંદુત્વ વીષે જણાવી છે  તેમાં ભાગ્યેજ કોઇને વાંધો હોઇ શકે. હવે બે હજાર વર્ષો કરતાં વધુ સમયથી આ વીચારસરણીનો ઉપયોગ કર્યા પછી આપણે કેમ આર્થીક, રાજકીય, સામાજીક, શૈક્ષણીક,આરોગ્ય,આધુનીક ટેકનોલોજી અને તમામ માનવીય વીકાસના માપદંડોનાક્ષેત્રે ( Human Development Index) બીજા બધા વીકસીત દેશો કરતાં કેમ નબળા છે? જેથી આપણા વડાપ્રધ!ન મોદી સાહેબ ને " વીકાસ વીકાસ વીકાસ" 24x7   ચોવીસે કલાક અને અઠવાડીયાના સાતેય દીવસ તેનું જ સ્મરણ કમસે કમ મળેલી સત્તા ટકાવી રાખવા સતત કર્યા જ કરવું પડે છે.

નવમાનવવાદી વીચારસરણી જે હીદુંત્વવાળી પરંપરાગત વીચારસરણીનો ચોક્ક્સ વીકલ્પ બની શકે તેમ છે અને જેને છેલ્લા પાંચસો વર્ષોમા પશ્રીમના દેશો સહીત વીશ્વના અનેક દેશોએ અપનાવી છે તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.

·         માનવ શરીરમાં આત્માનું કોઇ અસ્તીત્વ વૈજ્ઞાનીક પુરાવાને આધારે નથી. માટે તેના ટેકામાં હીદુંત્વની વીચારસરણી જે પુર્વજન્મ, પુનર્જન્મ અને માનવીનો વર્તમાન જન્મ તેના પુર્વજન્મના કર્મોનું પરીણામ છે તેવી માન્યતા બીલકુલ ખોટી છે. તેના ઉપર બનાવવામાં કે રચવામાં આવેલ સુપરસ્ટક્ચર પાયાવીહીન છે.

·         હીદું ધર્મ ઉપરાંત મુસ્લીમ અને ખ્રીસ્તી ધર્મમાં,સ્વર્ગ, નર્ક, દોજખ અને જન્નત, કયામતનો દીવસ તથા સેલ્વેશન, હેલ, હેવન વી. કલ્પના સીવાય કાંઇ નથી.

·         માનવીના જન્મ પાછળ કોઇ દૈવી, ઇશ્વરી હેતુ નથી. તે એક પશુ, પંખી ઝાડ–પાન અને બીજી જૈવીક એકમોની ક્રીયાઓ જેવીજ એક સજીવનો વંશવેલો ચાલુ રાખવા માટેની કુદરતી સહજ પ્રવૃતી છે.

·         માનવીનું વર્તમાન જીવન જ એકજ અને આખરી જીવન છે. આ જન્મ પહેલાં અને આ જન્મ પછી કોઇ જ જીવન નથી.

·         સમગ્ર માનવ જીવન કે તેના બધાજ માનવીય સંબંધો, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર તથા સામાજીક, આર્થીક અને રાજકીય સંબંધો માનવ સર્જીત હોવાથી માનવ જરૂરીયાત પ્રમાણે તેમાં ફેરફાર અનીવાર્ય અને આવશ્યક છે. તે અપરીવર્તનશીલ, કાયમી અને ઇશ્વરદત્ત નથી.

·         હીદુંસંસ્કૃતીની વર્ણવ્યવ્સથા, જ્યારે માનવસમાજ શીકારી યુગમાંથી કૃષીસંસ્કૃતીમાં સ્થીર થયો ત્યારે તે જીવનપધ્ધતીને ટકાવી રાખવા અસ્તીત્વમાં આવેલી સમાજ વ્યવસ્થાથી વીશેષ કંઇ નથી. જે સમાજો અને રાષ્ટ્રોએ પોતાની સમાજ વ્યવસ્થાઓ ઔધ્યોગીક, મુડીવાદી અને ટેકનોલોજી આધારીત બનાવી છે તે બધાએ કુષીજીવન આધારીત સામંતશાહી સમાજપ્રથા, ધર્મપ્રથા અને રાજાશાહી ફગાવી દીધી છે. પણ તેને ફગાવવા માટે તે બધા રાષ્ટ્રોને આશરે ૫૦૦ વર્ષનો સંઘર્ષ કરવો પડયો હતો. જેમાંનો શરૂઆતનો સમય લોહીઆળ હતો. કારણકે જુના સ્થાપીતહીતોને પોતાની સત્તા ગુમાવવી ન હતી.

·         હીદું સંસ્કૃતીમાં કુદરતી પરીબળો જેવાંકે સુર્ય, નદી, પવન, અગ્ની, પૃથ્વી,પ્રકાશ, વરસાદ, ઠંડી, ગરમી, અવકાશી પદાર્થો વી.ને ભજવા માટેના એકમો ગણયા છે.( Nature is an object of worship).  તે બધાના સંચાલનના નીયમો જાણવાને બદલે તેની પુજા અર્ચના કરવાથી તે રાજી રહેશે એવું જ્ઞાન દરેક હીદું બાળકને જન્મથી જ આપવામાં આવેલ છે.

·         સામે પક્ષે પશ્ચીમી દેશોમાં આ કુદરતી પરીબળોને જ્ઞાન મેળવવાના એકમો ગણી,તેના નીયમો સમજીને તેનો માનવ કલ્યાણ માટે મોટા પાયે ઉપયોગ કરીને તે બધા દેશોએ કૃષીસંસ્કૃતી આધારીત સંયુક્ત અને સામંતશાહી કુટુંબપ્રથા, સમાજ વ્યવ્સ્થા, નૈતીકતા વી ખ્યાલોમાંથી બહાર નીકળીને ઘણા આગળ નીકળી ગયા. ( They consider nature as an object of knowledge not of worship like us.) જેના ફળો મબલખ પ્રમાણમાં કૃષી સંસ્કૃતીવાળા પોતાની વીકાસની ઐતીહાસીક દોડમાં પાછળ પડી ગયેલા દેશો ( પેલા પશ્ચીમી દેશોને ભૌતીકવાદી, ભોગવાદી કહીને આપણા સંતો–સ્વામીઓ અને બાબાઓ ભાંડે છે) પાસેથી તે બધાનો મબલખ ફાયદો ઉઠાવે છે.

·         જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને સદીઓથી ભારત દેશની પ્રજાને પોતાના વર્તમાન અને વાસ્તવીક પ્રશ્નો ઉકેલવામાંથી હડસેલી દઇને કાલ્પનીક અને મૃત્યુ પછીના જીવનના કલ્યાણ માટે જે કોઇ બચત પેદા કરવામાં આવતી હતી તેનો ઉપયોગ કરી નાંખ્યો.જેણે દેશમાં એક બાજુ ભવ્ય મંદીરો અને બીજી બાજુ કંગાળ માનવીની ઝુંપડીઓનું સર્જન કર્યું છે.

·         જ્ઞાન મેળવવાની અને વીતરણની એક હથ્થુસત્તા બ્રાહ્મણ વર્ગે કબજે કરી લીધી હતી . તેમાં મોટામાં મોટી ભુલ એ કરી કે જ્ઞાન મેળવવાનો આધાર અંર્તજ્ઞાન,અંર્તદ્ર્ષ્ટી, તપ–જપ શરીર દમન( Intuition became the source of knowledge)ને બનાવી દીધા. જ્ઞાનને ઇન્દ્રીયોના અનુભવ, તેના આધારીત નીરીક્ષણ અને ત્યારપછી મેળવેલુ નીષર્કશ જ્ઞાન તે સત્યને બદલે જ્ઞાનને ઇન્દ્રીયાતીત બનાવી દીધુ. રેશનલને બદલે ઇરેશનલ બનાવી દીધું.

·         નવમાનવવાદી તત્વજ્ઞાનના આધાર સ્તંભો ત્રણ છે.

·          એક, સ્વતંત્રતા, (Freedom) માનવીનું ભૌતીક જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ( Biological urge to exist) એ માનવીય સ્તરપર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. આવતા જન્મમાં મોક્ષ કે મુક્તી કે સ્વર્ગ મેળવવાનો નહી. તેની માનવીય સંભાવીત શક્તીઓના વીકાસને જે પરીબળો રોકે તેમાંથી મુક્તી  અને જે પરીબળો  તેની સંભવીત શક્તીઓના વીકાસમાં મદદ કરે તેવી સ્વતંત્રાતાને ઉજાગર કરે  તેવી સમગ્ર માનવ જીવનની વ્યવસ્થા.( Freedom from & freedom for)

·         બે, તર્કવીવેક શક્તી (Rationality) જેમ સ્વતંત્તા માટેની ઝંખના માનવની જૈવીક ઉત્ક્રાંતીની દેન છે તેવી જ રીતે માનવીની સત્ય શોધવાની મુળભુતવૃત્તી પણ એટલે કે તેની રેશનલવૃત્તી પણ જૈવીક ઉત્કાંતીની જ દેન છે.આ રેશનલવૃત્તી માનવીનI કોઇ દૈવી પરીબળો કે ઇશ્વરી દેન નથી પણ અન્ય સજીવપ્રાણીઓની માફક લાખો વર્ષોના જૈવીક ઉત્કાંતીના સંઘર્ષમાંથી વીકસેલી વૃત્તી છે. ( M.N. Roy concluded in his fourth thesis out of twenty two thesis of Humanist Manifesto that  " Rising out of the background of the law-governed physical nature, the Human being is essentially or  potentially Rational. )

·         ત્રણ ધર્મનીરપેક્ષ નૈતીકતા કે નીતી.( Secular morality) માનવીય નેતીકતાની વૃત્તી પણ તેને મળેલ ઉત્કાંતીનું જ સર્જન છે. માનવી નૈતીક છે કારણકે તેમાં તેના માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાની વીવેકશક્તી વીકસેલી છે.( The man is moral because he is rational. M.N. Roy) માનવી તરીકે સમુહમાં એક બીજાના સહકારમાં  જીવવું તે તેનું અસ્તીત્વ ટકાવી રાખવા અનીવાર્ય હતું.આમ માનવીય નૈતીક્તાનો આધાર કોઇ ધર્મ કે ઇશ્વરની બીક નહી પણ બીજાને મદદ કરવાથી પોતાની જીવવા માટેની જીજીવીષાને સંરક્ષણ મળતું હતું. તેમજ એકબીજાની જરૂરીયાતમાં મદદરૂપ થવાનો સંતોષ મળતો હતો. આવી બીજાને મદદ કરવાની સહજવૃત્તી અન્યપ્રાણીઓમાં પણ ઉત્ક્રાંતીના સંઘર્ષમાં વીકસેલી છે.

·         માનવવાદી વીચારસરણી કઇ રીતે ધર્મના આધાર સીવાય માનવ જીવનને વધુ સમૃધ્ધ બનાવી શકે છે તે માટે ઘણી માહીતી આજે વૈશ્વીક અને રાષ્ટ્રીયસ્તર પર મોટાપ્રમાણમાં ઉપલબ્ધ છે.

 

 


--
Sent with Mailtrack