Friday, February 1, 2019

-- સરકાર અને સમાજ બન્નેય સ્ત્રી સન્માનમાં નિષ્ફળ રહ્યાં છે !



-- સરકાર અને સમાજ બન્નેય સ્ત્રી સન્માનમાં નિષ્ફળ રહ્યાં છે !

- મનીષી જાની

30 જાન્યુઆરી એટલે ગાંધીજીને ગોડસેએ ગોળીએ વીંધી નાખ્યાં હતા એ દિવસ.જ્યારે કોઈ વ્યક્તિનાં વાણી-વિચાર અને પ્રભાવને રોકવા અને તેને ચૂપ કરવા પોતાના તર્ક, દલીલ ને વિચાર ઊણા પડે છે ત્યારે ધર્મઝનૂની કટ્ટરપંથીઓ બંદૂકનો સહારો લે છે.

ગોડસે કટ્ટરવાદી હતો.એની વિચારધારા ધર્મ પર આધારિત હતી અને ધરતી પરના તમામ મનુષ્યોને એકસમાન માનનારા ને સર્વ ધર્મોને સમભાવથી જોનારા મહાત્મા ગાંધી,ગોડસે જેવા કટ્ટરપંથીઓ થી સહન થઈ શકે એમ ન હતા.

અને એટલે આયોજનપૂર્વક એક વૃદ્ધ ના અવાજને ચૂપ કરવા ગોડસે એ પૂરેપૂરી સમજ સાથે, કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ વિના ઠંડા કલેજે ત્રણ ગોળી ગાંધીજી ની છાતીમાં ધરબી દીધી હતી.

ગાંધીજી માણસની સમાનતા માં માનતા એટલે માણસ, માણસને અસ્પૃશ્ય માને એ તેમને સ્વીકાર્ય ન હતું.તેમણે કહ્યું હતું કે 'અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું કલંક છે'.અલબત્ત, એમણે હિન્દુ ધર્મની અજીબ ભેદભાવપૂર્ણ વ્યવસ્થારૂપ વર્ણવ્યવસ્થા નો વિરોધ ન હતી કર્યો એ વાત પણ સ્વીકારવી રહી.

પરંતુ પુરૂષપ્રધાન વ્યવસ્થા માં સ્ત્રીઓ ની દશા જે રીતે ઊભી કરાઈ છે અને તેને ટકાવી રાખવા નાં પ્રયત્નો સતત ચાલ્યા કરે છે તેનાં તેઓ ઘોર વિરોધી હતા અને તે અંગે અવારનવાર કહ્યાં કર્યું છે, લખ્યાં કર્યું છે.

તેમણે આજથી લગભગ એંશી વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને થી કહ્યું હતું :'સ્ત્રીઓની સારામાં સારી ભાવના આજના લેખકો નથી રજુ કરતા...એટલે અહીંના સાહિત્યકારો ને હું કહું છું કે તમે સ્ત્રી માગે એવી પૂજા તેને આપો. તમારી રીતે એને ન પૂજો.... એ મારા જ્ઞાન થી હું કહું છું કે આજે તમે સ્ત્રીને જે રીતે ચીતરી રહ્યા છો તેમાં સ્ત્રીનું નથી સન્માન રહ્યું,નથી પૂજા રહી....મને કહેવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષો ને બહુ દુષ્ટ ચીતરી રહી છે.હા ચીતરે છે.પણ કેમ ન ચીતરે ? પુરુષોએ એની કનડગત કરવામાં કાંઈ બાકી રાખી છે કે ?એમ.એ. થયેલા પણ સ્ત્રી ને કેવી રીતે રાખે છે એ બતાવનારા દયાજનક કાગળો મારી પાસે પડ્યા છે.એટલે હું તો કહું કે સ્ત્રી પુરુષની સામે થાય એટલું જ નહીં, પણ સ્ત્રી પુરુષના અત્યાચાર સામે તેને દાંત થી પીસવાને તૈયાર થાય તો યે એને હું અહિંસા ગણું..'

પ્રસ્થાપિત ગુજરાતી સાહિત્યકારો એ ગાંધીજી ની આ વાતો  ગળે ઉતારી અને તે દિશામાં કંઈ આગળ વધ્યા હોય એવું તો હજી સુધી લાગતું નથી. સાહિત્યકારો જ શું કરવા? દેશની સરકારો કે આખાય સમાજે હજી ય આ સ્ત્રી સન્માન, સ્ત્રી ગૌરવ ને લઈ ને માત્ર પ્રચાર ને હોહા સિવાય ખાસ કશું નક્કર કર્યું હોય એવું લાગતું નથી.

આપણી ચારેય બાજુ જે કંઈ બની રહ્યું છે તે દેશની મહિલાઓ નાં સંદર્ભે જોવા જઈએ તો નિરાશાજનક અને દુખદ છે.

આપણે વર્ષોથી 'દીકરી એટલે સાપનો ભારો' - એ સામંતી માનસિકતામાં થી હજી બહાર નીકળ્યા નથી અને પહેલાંના જમાનામાં દીકરીઓને જન્મ પછી 'દૂધ પીતી' કરી મોતને ઘાટ ઉતારી દેવાતી અને અત્યારે તેને જન્મતાં પહેલાં જ મા નાં પેટમાં જ ખતમ કરી નાખવાં નાં પેંતરા સતત ચાલ્યા કરે છે. અને એટલે જ છેલ્લી વસતી ગણતરી ના આંકડા મુજબ 1000 પુરુષોએ સ્ત્રીઓ ની સંખ્યા 914 જેટલી જ છે અને આપણા ગુજરાતમાં તો તે ફક્ત 854 થી જેટલી જ જોવા મળે છે.

આ અસમાનતા કુદરતનાં સંતુલનની  વિરુદ્ધ ઊભી થયેલી છે.

આજનાં જમાનામાં સ્ત્રીઓ તરફના આવા ચિંતાજનક ભેદભાવો તો ન જ ચાલે અને સ્ત્રીઓ તરફના પૂર્વગ્રહો દૂર થાય, પુરુષ ની સરખામણી માં જ સ્ત્રીઓ ની સંખ્યા નો આદર્શ ઊભો થાય એ માટે સરકારે 2014 માં 'બેટી બચાવો,બેટી પઢાઓ' નાં સૂત્ર સાથે આ ભગીરથ કામ હાથ ધરવા 648 કરોડ રૂપિયા ફાળવ્યા.પણ હમણાં તાજેતરમાં આ નાણાં ચાર વર્ષ માં ક્યાં વપરાયાં તેનો હિસાબ પાર્લામેન્ટ માં માંગવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ફક્ત 154 કરોડ રૂપિયા જ રાજ્યો-જિલ્લાઓને વાપરવા અપાયા જ્યારે 364.66 કરોડ માત્ર ને માત્ર પ્રચાર માટે મીડિયા માં વાપરવામાં આવ્યાં અને 54 કરોડ રૂપિયા ખર્ચ્યા જ નહીં !

નક્કર કામગીરી માં જરૂરી રૂપિયા વાપરવા નહીં અને આત્મપ્રચાર સાથે નાં ઠાલાં સૂત્રો માં નાણાં વાપરવા એ જ આ દેશનાં  નેતાઓ, સરકારી તંત્રો ને સ્ત્રી પુરુષ નાં ભેદભાવથી મુક્ત થવામાં કેટલો રસ છે તે દર્શાવનાર બની રહે છે.

ખરેખર તો જ્યાં જ્યાં લિંગ પરિક્ષણ થતાં હોય,ભૃણ હત્યા થતી હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરી; સરકારી તંત્રો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સચિન્ત નાગરિકો નાં સહયોગથી કામ કરવાની જરૂર હતી.મા નાં પેટમાં જ દીકરીને જન્મ પૂર્વે જ ખતમ કરી નાંખતા ડોક્ટરો ને જેર કરવા અને ભૃણ પરિક્ષણો નાં સાધનોની નેસ્તનાબૂદી અગ્રતાક્રમે બનવી જોઈતી હતી.

સરકારો તો ઉદાસિન છે જ પરંતુ સમાજ પોતે પણ એટલો જ નિષ્ક્રિય જણાય છે.

તાજેતરમાં જ અમદાવાદમાં એક લગ્નપસંદગી મેળો પાટીદાર સમાજ દ્વારા યોજાયો હતો. ગુજરાતમાં સ્ત્રી- પુરુષ વસતી માં અસમાનતા ભારે છે અને જે જ્ઞાતિસમુદાયો માં સ્ત્રી નું મૂલ્ય ઓછું અંકાય છે અને દહેજ પ્રથા છે ત્યાં આ અસમાનતા એ ઘણાં સામાજિક પ્રશ્નો ઊભા કર્યા છે. મુરતીયાઓને લગ્ન માટે યુવતીઓ ની અછત નો સામનો કરવો પડે છે.પાટીદાર સમાજના આ પસંદગી મેળામાં ખાસ ગુજરાત બહારની અન્ય રાજ્યોમાં રહેતી કુર્મી સમાજની  લગ્ન ઈચ્છુકયુવતીઓ ને નોતરવા માં આવી હતી.22 યુવતીઓની સામે 175યુવાનો આવ્યા !

ગુજરાત નાં પાટીદાર જ્ઞાતિમંડળોએ બહાર નાં રાજ્યોની યુવતીઓ નાં પરિવારોને ખાતરી આપી કે તેઓ તેમની દીકરીઓની અહીં પોતાની દીકરી જેવી જ સંભાળ રાખશે તેની જવાબદારી સ્વીકારે છે !

સમાજની આ સ્થિતિ જોઈ મહત્વનો સવાલ તો એ જ ઊભો થાય છે કે બહારથી યુવતીઓને લાવી પરણવાનું ગોઠવતાં આ જ્ઞાતિ મંડળો અહીં જ ભૃણ હત્યા રોકવા,બાબો કે બેબી માટે ભૃણ પરિક્ષણ કરતાં ડૉક્ટરો ને કાયદા હેઠળ પકડાવી દેવા હલ્લાબોલ કે સામાજિક આંદોલનો કેમ નથી ચલાવતાં ?

દીકરીઓને જન્મતી જ રોકી દેવાની આ અમાનુષી જંગલી પ્રથા સામે ભણેલાં ગણેલા અને સમાજના મોભી થઈ ને ફરનારા જ્ઞાતિ આગેવાનો ની કેમ કોઈ સંવેદના જાગતી નથી ?કેમ બેટી બચાવો,બેટી પઢાઓ અભિયાનની આગેવાની નથી લેતાં ?સમાજની આ ચૂપ રહેવાની રીત શરમજનક છે.

એ જ રીતે હમણાં કેરળ રાજ્ય, જ્યાં દેશમાં સૌથી વધુ શિક્ષિતો છે, કન્યા શિક્ષણ માં પણ દેશમાં અવ્વલ છે ત્યાં સબરીમાલ મંદિર માં સ્ત્રી પ્રવેશ ને લઈ કેવાં કેવાં હિંસક દૅશ્યો સર્જાયાં ?!

સુપ્રીમ કોર્ટે બંધારણની રુએ તમામ ધાર્મિક સ્થાનો માં તમામ લોકોનાં પ્રવેશ ના અધિકાર ને લઈ સબરીમાલ મંદિર માં 10થી50વર્ષની ઉમ્મરની સ્ત્રીઓની પ્રવેશબંધી ને ગેરકાયદેસર ઠરાવી પ્રવેશની છૂટ આપી.તેની સામે દેશની બે મુખ્ય રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટના નિર્ણય ની સામે આસ્થા નાં નામે મંદિર ના નિયમોને યોગ્ય ઠેરવવા ને ધાર્મિક લાગણી નો મુદ્દો બનાવ્યો.

કેટલીક સ્ત્રીઓએ પોતાના સમાનતાના હક્કને પ્રસ્થાપિત કરવા આવાં ભયજનક, ધાર્મિક ઝનૂની વાતાવરણ વચ્ચે પણ મંદિર પ્રવેશ ની હિમ્મત કરી.

સત્તાધારી ડાબેરી સરકારે પૂર્ણ મિજાજ થી આ સ્ત્રીઓ ના હક્ક નાં રક્ષણ ની જવાબદારી અદા કરી નથી અને ક્યારેક પોલીસનું ઢીલું પોચું વર્તન શરમજનક પુરવાર થયું છે.

હદ તો ત્યારે થઈ કે બે સ્ત્રીઓએ સાથે મળીને આ મંદિરમાં પ્રવેશની હિમ્મત કરી. જેમાં એક 41વર્ષની કનકદુર્ગા હતી.સાહસ કરીને એ મંદિરમાં જઈ આવી પણ પછી ધર્મઝનૂનીઓ અને તેની સાથે સંકળાયેલા રાજકીય કાર્યકરોએ તેની હાલત કફોડી કરી નાખી.

ધર્મઝનૂનીઓ થી છૂપાતી રહી અને છેવટે પોતાના ઘરે પહોંચી તો સાસુએ તેને ધર્મ ની અવમાનના બદલ લાઠી ફટકારી ને ઘરમાં થી કાઢી મૂકી.હોસ્પિટલમાં સારવાર લેતી આ કનકદુર્ગા ને એનાં પતિએ પણ સાથ ના આપ્યો અને આ ધર્મવિરોધી કામ માટે જાહેર માફી માંગવા તેનાં પર દબાણ કરવા માંડ્યું. અને આ બહાદુર સ્ત્રી ના ભાઈએ પણ એને જાકારો આપ્યો અને એણે પણ પોતાની બહેન વતી જાહેર માં સમાજની માફી માંગી ! કનકદુર્ગાને દસ વર્ષનું સંતાન છે તેને પણ પરિવારજનો મળવા દેતાં નથી.

અત્યારે મહિલાઓ માટે નાં સરકારી સંરક્ષણગૃહમાં કનકદુર્ગા રહે છે.એની હિમ્મત હજી તૂટી નથી.પોતાના ઘરમાં પ્રવેશ લેવાં કાનૂની પગલાં લેવા સક્રિય બની છે. સુપ્રીમ કોર્ટે પણ તેનાં રક્ષણ માટે રાજ્ય સરકારને જણાવ્યું છે.

પણ સવાલ તો ખરો એ જ છે કે સમાજના લોકો કેમ ચૂપ છે ?કેમ પડોશીઓ, ગામનાં લોકો, જાગૃત નાગરિકો આ સ્ત્રી નાં સપોર્ટમાં બહાર નીકળી ને નથી આવતાં ?સમાજની આ માનસિકતા અકળાવનારી છે.

આ માત્ર હિન્દુ ધર્મના લોકોની જ વાત નથી.આ જ કેરળમાં એક ખ્રિસ્તી સાધ્વી એ પાંચ મહિના પૂર્વે બિશપ-ધર્મગુરૂ સામે બળાત્કાર નો આરોપ મૂકી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.

ધાર્મિક મઠાધિશો, રાજકીય નેતાઓ, પોલીસતંત્ર આ બધાં નાં મેળાપીપણામાં ધાર્મિક વડા પર લાગેલા બળાત્કાર નાં ગંભીર આરોપ ની તપાસ તો શરૂ ના થઈ પણ કેટલાક સત્તાખોર રાજકીય નેતાઓ એ તો સાધ્વી નાં ચારિત્ર્ય પર જ 'વેશ્યા છે' એવાં સામા આક્ષેપો લગાવ્યા !

છેવટે સાધ્વી ની સાથે કામ કરનારી અન્ય યુવાન સાધ્વીઓ એ 'સીસ્ટરહુડ' દાખવી બળાત્કાર નો કેસ બિશપ પર દાખલ થવો જ જોઈએ તે માટે જાહેર પ્રદર્શનો-દેખાવો યોજ્યાં.

અને છેવટે ઉભરાતા આક્રોશ ને જોઈ તમામ આ સત્તાખોરો ઝૂક્યા અને બિશપ સામે બળાત્કાર નો કેસ દાખલ કરી જામીન ન મળ્યાં ત્યાં સુધી તેમને જેલમાં પણ ખોસી દેવાની ફરજ પડી.

પણ વાત અહીં થી ના અટકી. બળાત્કાર નો ભોગ બનનાર સાધ્વીની લડાઈ માં સાથ આપનાર અન્ય ચાર યુવાન સાધ્વીઓને પહેલાં તો ચર્ચમાં પ્રવેશી ધાર્મિક વિધિઓ કરવા પર બંધી ની સજા કરાઈ. આ સાધ્વીઓ તેમાં ઝૂકી નહીં.સમય જતાં અત્યારે આ સાધ્વીઓને 'બગાવત'ની સજા રૂપે દૂર દૂર તેમની ટ્રાન્સફર-બદલીઓ કરી નંખાઈ છે ! ન્યાય માટે લડનારાને જ સજા !

ગરીબો અને છેવાડાના લોકો માટે કામ કરનારી આ ધાર્મિક મીશનરી સંસ્થાના મઠાધીશો પણ પિતૃસત્તાક માનસિકતાવાળા જ નીકળ્યા !

ધર્મ ગમે તે હોય,આ બધાં જ પરંપરાવાદી પિતૃસત્તાક વ્યવસ્થા માં શ્રદ્ધા રાખીને ચાલનારા છે.તમામ મનુષ્ય સમાન છે એવો દૃઢ સંકલ્પ એકેય ધર્મમાં હોતો નથી.તમામ ધર્મો સંકુચિત અને પોતે સૌથી શ્રેષ્ઠ એવાં ચીલાચાલુ હરિફાઈ નાં વર્તુળ ની અંદર રાચતા અને આંતરિક શિસ્તના નામે એકહથ્થુ અને દમનકારી પુરવાર થઈ રહ્યાં છે.

આ ધર્મોની દિશામાં જ આપણો સમાજ પણ મહિલાઓના સમર્થનમાં સંગઠિત અવાજ ઊભો કરવામાં  નિષ્ફળ આજે દેખાઈ રહ્યો છે. જાણે કે પુરુષ જેટલું જ માન-સન્માન મેળવવામાં મહિલાઓને હજી ખુદ લાંબા સંઘર્ષ કરવા પડશે.મનુષ્યની સમાનતા અને સન્માનનું સપનું હજી સાકાર નથી થતું એ આજનાં સભ્યસમાજ માટે લાંછનરૂપ ગણવું જ રહ્યું.

(સૌ: ગુજરાત ગાર્ડિયન,30 જાન્યુઆરી,2019)



Top of Form

 

Saturday, January 26, 2019

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.


રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારાએમ એન રોય.
( ભારતીય રાષ્ટ્રવાદ, એ શક્તીશાળી પણ પાછળની દીશામાં દોડતી મોટર છે.)

( લેખકે પોતાના પુસ્તક Essence of Royism complied by G. D. Parekh માંઆ લેખના વીચારો વ્યક્ત કર્યો છે. રોય સને ૧૯૧૫થી ૧૯૩૦ સુધી લેનીનસ્ટાલીન સાથે સોવીયેત રશીયા, જર્મની, ઇટલી, ફ્રાંસ, સ્વીસ વી યુરોપના દેશોમાં સામ્યવાદી સક્રીય ક્રાંતીકારી તરીકે ભાગ ભજવ્યો હતો. જર્મનીના હીટલર અને મુસોલીનીના રાજ્કીય સત્તાના વીકાસને ખુબજ નજીકથી અનુભવેલો હતો. તેમના રાષ્ટ્રવાદ અંગેના બૌધ્ધીક નીચોડમાંથી સદર લેખ તૈયાર કરવામાં આવેલ છે. રોયના પત્ની એલન રોય મુળ જર્મન હતા.)

સમાજ વ્યવસ્થાની વધુ ઉચ્ચતર, વધુ ઉમદા અને વધુ ન્યાયી અવસ્થા માટે સ્થાન ખાલી કરવા, આગળ પ્રગતીની તમામ શક્યતાઓનાં બારણાં પુરેપુરા બંધ થઇ જવાથી, કોઇ સમાજ વ્યવસ્થા પડી ભાંગવાની અણી પર હોય ત્યારે જુના વ્યવસાયથી જેમને ખરેખર લાભ થયો હોય તે બધા નવી વ્યવસ્થાથી ભયભીત થઇ જાય છે. અને જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને તે સ્વાભાવીક હોય છે. જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા ખાતર, નવી વ્યવસ્થાનું નીર્માણ કરનાર પરીબળો ચોક્કસ અને નક્કર આકાર ધારણ કરે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે. જુની વ્યવસ્થાના સમર્થકો અને નવી વ્યવસ્થા માટે લડવા તૈયાર થયેલા લડવૈયાઓ વચ્ચે સર્વપ્રકારનો સંઘર્ષ અનીવાર્ય બને છે. આજે વીશ્વ આ બે પ્રકારના સામ સામી હીતોના સંઘર્ષમાં વહેંચાઇ ગયું છે.
ભુતકાળમાંથી પ્રેરણા-
એક સમય હતો, જ્યારે રાષ્ટ્રવાદની એક ઐતીહાસીક જરૂરીયાત હતી.અને તેના જુના ઝંડા હેઠળ માનવ પ્રગતી સધાઇ પણ હતી.સમય જતાં જુદા જુદા રાષ્ટ્રોની આકંક્ષાઓ વચ્ચે સંપુર્ણ સંઘર્ષ ઉભો થયો. અને પોતપોતાની હરીફ આકંક્ષાઓ ને કારણે હરીફ રાષ્ટ્રો વચ્ચે સતત ઝઘડા થવા લાગ્યા.અને તેમાંથી ઉદ્ભવતાં યુધ્ધોમાં આખું વીશ્વ ગરકાવ થઇ ગયું.
મનુષ્ય જાતીએ પ્રગતી સાધવી હોય તો રાષ્ટ્રીય સીમાડાઓથી ઉપર જ ઉઠવું રહ્યું. અન્ય પર આધીપત્ય ભોગવવા એકબીજા સામે લડવાને બદલે મનુષ્ય જાતીના એક બીજા વીભાગોએ એકબીજાની સાથે આવ્યા વીના છુટકો નથી. 
આથી, સામાજીક અને આર્થીક પ્રગતીના પ્રભાવ હેઠળ સંકીર્ણ રાષ્ટ્રવાદ પર આધારીત વ્યવસ્થાને વીદાય થતી અટકાવવા માટે જુની વ્યવસ્થાના સમર્થકોએ મનુષ્ય પ્રગતીને રોકવી એટલું જ પુરતું નથી, પણ તેને પાછળ ધકેલવી, ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા બહુજ જરૂરી બને છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રવાદ પાસે અગ્રદ્ર્ષ્ટી હતી.પણ આજે તો રાષ્ટ્રવાદ ભુતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રવાદ અનીવાર્યપણે પુનરુત્થાનવાદની તરફેણ કરે છે. .. ... આજે રાષ્ટ્રવાદના હીમાયતીઓ માટે એક યા બીજા સ્વરુપે ભુતકાળને ભવ્ય સાબીત કરવો જરૂરી બન્યુ છે.સાથે સાથે તે બધાએ એમ પણ પ્રસ્થાપીત કરવું જ રહ્યું કે છેલ્લાં ૧૦૦૨૦૦ વર્ષોની પ્રગતીને કારણે માનવજાત વીનાશને આરે આવીને ઉભી છે. તેથી છેલ્લાં બસો વર્ષોમાં જે કંઇ સીધ્ધ થયું છે , તે બધુ ઉલટાવી દીધા વીના , તે બધું ફગાવી દીધા વીના તો છુટકો જ નથી. મનુષ્ય જાતીએ મધ્યયુગનીએ શાંત, પરમ આનંદદાયી અવસ્થાએ પાછા ફર્યા સીવાય બીજો કોઇ છુટકો નથી......
સ્વાતંત્રયના ગળે ટુંપો
રાષ્ટ્રની સાથે ભાવનાત્મક એકતા (અમુર્ત વીભાવના) એ ફાસીવાદની લાક્ષણીક ખાસીયત છે.ફાસીવાદ હેઠળ રાષ્ટ્ર અને રાજ્ય બંને એક જ બને છે. તેમની વચ્ચે કોઇ ભેદ પાડવામાં આવતો નથી. તેમાં રાજ્યને એક અમુર્ત શક્તી કે સત્તા ગણવામાં આવે છે. રાષ્ટ્ર જેનું બનેલું છે, તેને રાજ્યના નાગરીકો, જુદા જુદા વર્ગ સમુહો તથા સંસ્થાઓથી કંઇક વીશેષ કંઇક વધુ ચઢીયાતું ગણવામાં આવે છે. આ બધા ઘટકોનું કાર્ય તેમના પોતાના હીતોને ભોગે રાષ્ટ્રની મહાનતામાં વધારવામાં ફાળો આપવાનું છે. રાષ્ટ્રવાદની મુળભુત માન્યતા કે સારત્વ પણ એ જ છે. ભાવનાત્મક, અમુર્ત, દૈવીઅસ્તીત્વ ધરાવતું તે રાજ્ય. તેને સંપુર્ણ સમર્પણ કરવું તેની પુજા કરવી તે રાષ્ટ્રવાદ......
આપણા દેશનો ભારતીય રાષ્ટ્રવાદ સંતસરમુખ્તયારના ( ગાંધીજીના) જબ્બરજસ્ત પ્રભાવ હેઠળ આવી ગયેલો છે. તે કેવળ કોઇ અકસ્માત નથી. સરમુખત્યારશાહીની મોહીની ભારતીય રાષ્ટ્રવાદની ચળવળનું એક આગળ પડતું લક્ષણ પહેલેથી જ રહેલ છે. રાષ્ટ્રવાદી વીચારધારામાં નેતા પ્રત્યેનું આવું વલણ અંતર્ગત હોવાને કારણે ફાસીવાદના પાયાના સીધ્ધાંતો તેમજ સુપરમેન હીટલરની ચમત્કાર કરવાની શક્તી( હાલમાં વડાપ્રધાન મોદીની ચમત્કાર કરવાની શક્તી) દેશના રાષ્ટ્રવાદીઓને અપીલ કરે તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. રાષ્ટ્ર રાજ્ય પર અંકુશ ધરાવતી નાની લઘુમતી જેણે સત્તા પચાવી પાડી છે,તે સત્તાનો ઉપયોગ મોટાભાગના લોકોના સ્વાતંત્રયને ગળે ટુપો દેવામાં તદ્દ્ન આપખુદ રીતે અને બીલકુલ નીરંકુશપણે કરે છે. રાષ્ટ્ર હીતોનું રક્ષણ, રાષ્ટ્રના ગૌરવ અને પ્રભાવ વૃધ્ધી, આ બધા ધ્યેયો ખાતર કોઇપણ સત્તા કે સ્વતંત્રતા વગરની વીશાળ બહુમતી પાસેથી અનંત બલીદાનો માંગવામાં આવે છે. લોકોને ઓપચારીક રીતે હક્કો આપવામાં આવે છે. પણ વ્યવહારમાં ફરજો અને જવાબદારીઓના બોજા હેઠળ તેમનો(નાગરીક હક્કોનો) ભોગવટો માત્ર નામનો જ રહે છે. દેશના દરેક નાગરીકે આ ફરજો અને જવાબદારીઓ તો રાષ્ટ્રની મહાનતા વધારવા ખાતર કોઇપણ ભોગે બજાવવી જ રહી. ફાસીવાદ અને રાષ્ટ્રવાદ બન્ને માટે આ સીધ્ધાંતો સરખા જ છે. કારણકે બન્ને મુળે તો એક જ સરખા વીચારોની જુદી જુદી અભીવ્યક્તી છે. એક બાજુ દેશની અંદર પ્રગતીની અસરને પ્રસરતી રોકવામાં આવે છે. તો બીજી બાજુએ રાષ્ટ્રવાદી પુર્વગ્રહને કારણે પ્રગતીના મુક્તીદાયી અસરોને બહારથી આવવા દેવામાં આવતી નથી.આ બધાને કારણે પરીણામ એ આવે છે કે દેશમાંના જે રૂઢીચુસ્ત સામાજીક અને સાસ્કૃંતીક પરીબળો છે તે ઉલટાના વધારે મજબુત અને સુ્દ્ઢ બને છે. 
સને ૧૯૧૭માં(બરાબરઆજથી ૧૦૦વર્ષ પહેલાં) રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે, " રાષ્ટ્રનો વીચારએ મનુષ્યએ શોધેલી સૌથી શક્તીશાળી ઘેનપ્રદ દવાઓમાંની એક છે. એની પ્રચંડ અસર હેઠળ આખો લોક સૌથી બેશરમ કહેવાય એવા સ્વાર્થની સાધના કરે છે.આખરે તેમાં એવી ભયંકર નૈતીક વીકૃતી આવે છે તેનો ખ્યાલ સુધ્ધાં તે બધાને સહેજ માત્ર આવતો નથી. હકીકતમાં જ્યારે કોઇ તેમનાં આવાં કૃત્યો તરફ ધ્યાન દોરે છે ત્યારે તેઓ ભયાનક રીતે ગુસ્સે થાય છે."
જર્મન તત્વજ્ઞાની ગોઇથેના રાષ્ટ્રવાદ અંગેના વીચારો " રાષ્ટ્રીય દુશ્મનાવટ કેવી વીચીત્ર બાબત છે! સભ્યતાની સૌથી નીમ્નકક્ષાએ તે હંમેશાં સૌથી પ્રબળ અને સૌથી ઘાતક હોય છે." ( સૌજન્યપુસ્તક રોય વીચાર દોહનઅનુવાદક પ્રો. દીનેશ શુક્લ અનેપ્રો. જયંતી પટેલ.ના કેટલાક અગત્યના અવતરણો.)


રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારાએમ એન રોય.
( ભારતીય રાષ્ટ્રવાદ, એ શક્તીશાળી પણ પાછળની દીશામાં દોડતી મોટર છે.)

( લેખકે પોતાના પુસ્તક Essence of Royism complied by G. D. Parekh માંઆ લેખના વીચારો વ્યક્ત કર્યો છે. રોય સને ૧૯૧૫થી ૧૯૩૦ સુધી લેનીનસ્ટાલીન સાથે સોવીયેત રશીયા, જર્મની, ઇટલી, ફ્રાંસ, સ્વીસ વી યુરોપના દેશોમાં સામ્યવાદી સક્રીય ક્રાંતીકારી તરીકે ભાગ ભજવ્યો હતો. જર્મનીના હીટલર અને મુસોલીનીના રાજ્કીય સત્તાના વીકાસને ખુબજ નજીકથી અનુભવેલો હતો. તેમના રાષ્ટ્રવાદ અંગેના બૌધ્ધીક નીચોડમાંથી સદર લેખ તૈયાર કરવામાં આવેલ છે. રોયના પત્ની એલન રોય મુળ જર્મન હતા.)

સમાજ વ્યવસ્થાની વધુ ઉચ્ચતર, વધુ ઉમદા અને વધુ ન્યાયી અવસ્થા માટે સ્થાન ખાલી કરવા, આગળ પ્રગતીની તમામ શક્યતાઓનાં બારણાં પુરેપુરા બંધ થઇ જવાથી, કોઇ સમાજ વ્યવસ્થા પડી ભાંગવાની અણી પર હોય ત્યારે જુના વ્યવસાયથી જેમને ખરેખર લાભ થયો હોય તે બધા નવી વ્યવસ્થાથી ભયભીત થઇ જાય છે. અને જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને તે સ્વાભાવીક હોય છે. જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા ખાતર, નવી વ્યવસ્થાનું નીર્માણ કરનાર પરીબળો ચોક્કસ અને નક્કર આકાર ધારણ કરે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે. જુની વ્યવસ્થાના સમર્થકો અને નવી વ્યવસ્થા માટે લડવા તૈયાર થયેલા લડવૈયાઓ વચ્ચે સર્વપ્રકારનો સંઘર્ષ અનીવાર્ય બને છે. આજે વીશ્વ આ બે પ્રકારના સામ સામી હીતોના સંઘર્ષમાં વહેંચાઇ ગયું છે.
ભુતકાળમાંથી પ્રેરણા-
એક સમય હતો, જ્યારે રાષ્ટ્રવાદની એક ઐતીહાસીક જરૂરીયાત હતી.અને તેના જુના ઝંડા હેઠળ માનવ પ્રગતી સધાઇ પણ હતી.સમય જતાં જુદા જુદા રાષ્ટ્રોની આકંક્ષાઓ વચ્ચે સંપુર્ણ સંઘર્ષ ઉભો થયો. અને પોતપોતાની હરીફ આકંક્ષાઓ ને કારણે હરીફ રાષ્ટ્રો વચ્ચે સતત ઝઘડા થવા લાગ્યા.અને તેમાંથી ઉદ્ભવતાં યુધ્ધોમાં આખું વીશ્વ ગરકાવ થઇ ગયું.
મનુષ્ય જાતીએ પ્રગતી સાધવી હોય તો રાષ્ટ્રીય સીમાડાઓથી ઉપર જ ઉઠવું રહ્યું. અન્ય પર આધીપત્ય ભોગવવા એકબીજા સામે લડવાને બદલે મનુષ્ય જાતીના એક બીજા વીભાગોએ એકબીજાની સાથે આવ્યા વીના છુટકો નથી. 
આથી, સામાજીક અને આર્થીક પ્રગતીના પ્રભાવ હેઠળ સંકીર્ણ રાષ્ટ્રવાદ પર આધારીત વ્યવસ્થાને વીદાય થતી અટકાવવા માટે જુની વ્યવસ્થાના સમર્થકોએ મનુષ્ય પ્રગતીને રોકવી એટલું જ પુરતું નથી, પણ તેને પાછળ ધકેલવી, ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા બહુજ જરૂરી બને છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રવાદ પાસે અગ્રદ્ર્ષ્ટી હતી.પણ આજે તો રાષ્ટ્રવાદ ભુતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રવાદ અનીવાર્યપણે પુનરુત્થાનવાદની તરફેણ કરે છે. .. ... આજે રાષ્ટ્રવાદના હીમાયતીઓ માટે એક યા બીજા સ્વરુપે ભુતકાળને ભવ્ય સાબીત કરવો જરૂરી બન્યુ છે.સાથે સાથે તે બધાએ એમ પણ પ્રસ્થાપીત કરવું જ રહ્યું કે છેલ્લાં ૧૦૦૨૦૦ વર્ષોની પ્રગતીને કારણે માનવજાત વીનાશને આરે આવીને ઉભી છે. તેથી છેલ્લાં બસો વર્ષોમાં જે કંઇ સીધ્ધ થયું છે , તે બધુ ઉલટાવી દીધા વીના , તે બધું ફગાવી દીધા વીના તો છુટકો જ નથી. મનુષ્ય જાતીએ મધ્યયુગનીએ શાંત, પરમ આનંદદાયી અવસ્થાએ પાછા ફર્યા સીવાય બીજો કોઇ છુટકો નથી......
સ્વાતંત્રયના ગળે ટુંપો
રાષ્ટ્રની સાથે ભાવનાત્મક એકતા (અમુર્ત વીભાવના) એ ફાસીવાદની લાક્ષણીક ખાસીયત છે.ફાસીવાદ હેઠળ રાષ્ટ્ર અને રાજ્ય બંને એક જ બને છે. તેમની વચ્ચે કોઇ ભેદ પાડવામાં આવતો નથી. તેમાં રાજ્યને એક અમુર્ત શક્તી કે સત્તા ગણવામાં આવે છે. રાષ્ટ્ર જેનું બનેલું છે, તેને રાજ્યના નાગરીકો, જુદા જુદા વર્ગ સમુહો તથા સંસ્થાઓથી કંઇક વીશેષ કંઇક વધુ ચઢીયાતું ગણવામાં આવે છે. આ બધા ઘટકોનું કાર્ય તેમના પોતાના હીતોને ભોગે રાષ્ટ્રની મહાનતામાં વધારવામાં ફાળો આપવાનું છે. રાષ્ટ્રવાદની મુળભુત માન્યતા કે સારત્વ પણ એ જ છે. ભાવનાત્મક, અમુર્ત, દૈવીઅસ્તીત્વ ધરાવતું તે રાજ્ય. તેને સંપુર્ણ સમર્પણ કરવું તેની પુજા કરવી તે રાષ્ટ્રવાદ......
આપણા દેશનો ભારતીય રાષ્ટ્રવાદ સંતસરમુખ્તયારના ( ગાંધીજીના) જબ્બરજસ્ત પ્રભાવ હેઠળ આવી ગયેલો છે. તે કેવળ કોઇ અકસ્માત નથી. સરમુખત્યારશાહીની મોહીની ભારતીય રાષ્ટ્રવાદની ચળવળનું એક આગળ પડતું લક્ષણ પહેલેથી જ રહેલ છે. રાષ્ટ્રવાદી વીચારધારામાં નેતા પ્રત્યેનું આવું વલણ અંતર્ગત હોવાને કારણે ફાસીવાદના પાયાના સીધ્ધાંતો તેમજ સુપરમેન હીટલરની ચમત્કાર કરવાની શક્તી( હાલમાં વડાપ્રધાન મોદીની ચમત્કાર કરવાની શક્તી) દેશના રાષ્ટ્રવાદીઓને અપીલ કરે તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. રાષ્ટ્ર રાજ્ય પર અંકુશ ધરાવતી નાની લઘુમતી જેણે સત્તા પચાવી પાડી છે,તે સત્તાનો ઉપયોગ મોટાભાગના લોકોના સ્વાતંત્રયને ગળે ટુપો દેવામાં તદ્દ્ન આપખુદ રીતે અને બીલકુલ નીરંકુશપણે કરે છે. રાષ્ટ્ર હીતોનું રક્ષણ, રાષ્ટ્રના ગૌરવ અને પ્રભાવ વૃધ્ધી, આ બધા ધ્યેયો ખાતર કોઇપણ સત્તા કે સ્વતંત્રતા વગરની વીશાળ બહુમતી પાસેથી અનંત બલીદાનો માંગવામાં આવે છે. લોકોને ઓપચારીક રીતે હક્કો આપવામાં આવે છે. પણ વ્યવહારમાં ફરજો અને જવાબદારીઓના બોજા હેઠળ તેમનો(નાગરીક હક્કોનો) ભોગવટો માત્ર નામનો જ રહે છે. દેશના દરેક નાગરીકે આ ફરજો અને જવાબદારીઓ તો રાષ્ટ્રની મહાનતા વધારવા ખાતર કોઇપણ ભોગે બજાવવી જ રહી. ફાસીવાદ અને રાષ્ટ્રવાદ બન્ને માટે આ સીધ્ધાંતો સરખા જ છે. કારણકે બન્ને મુળે તો એક જ સરખા વીચારોની જુદી જુદી અભીવ્યક્તી છે. એક બાજુ દેશની અંદર પ્રગતીની અસરને પ્રસરતી રોકવામાં આવે છે. તો બીજી બાજુએ રાષ્ટ્રવાદી પુર્વગ્રહને કારણે પ્રગતીના મુક્તીદાયી અસરોને બહારથી આવવા દેવામાં આવતી નથી.આ બધાને કારણે પરીણામ એ આવે છે કે દેશમાંના જે રૂઢીચુસ્ત સામાજીક અને સાસ્કૃંતીક પરીબળો છે તે ઉલટાના વધારે મજબુત અને સુ્દ્ઢ બને છે. 
સને ૧૯૧૭માં(બરાબરઆજથી ૧૦૦વર્ષ પહેલાં) રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે, " રાષ્ટ્રનો વીચારએ મનુષ્યએ શોધેલી સૌથી શક્તીશાળી ઘેનપ્રદ દવાઓમાંની એક છે. એની પ્રચંડ અસર હેઠળ આખો લોક સૌથી બેશરમ કહેવાય એવા સ્વાર્થની સાધના કરે છે.આખરે તેમાં એવી ભયંકર નૈતીક વીકૃતી આવે છે તેનો ખ્યાલ સુધ્ધાં તે બધાને સહેજ માત્ર આવતો નથી. હકીકતમાં જ્યારે કોઇ તેમનાં આવાં કૃત્યો તરફ ધ્યાન દોરે છે ત્યારે તેઓ ભયાનક રીતે ગુસ્સે થાય છે."
જર્મન તત્વજ્ઞાની ગોઇથેના રાષ્ટ્રવાદ અંગેના વીચારો " રાષ્ટ્રીય દુશ્મનાવટ કેવી વીચીત્ર બાબત છે! સભ્યતાની સૌથી નીમ્નકક્ષાએ તે હંમેશાં સૌથી પ્રબળ અને સૌથી ઘાતક હોય છે." ( સૌજન્યપુસ્તક રોય વીચાર દોહનઅનુવાદક પ્રો. દીનેશ શુક્લ અનેપ્રો. જયંતી પટેલ.ના કેટલાક અગત્યના અવતરણો.)


--

Tuesday, January 22, 2019

ફાસીવાદ એટલેશું?

ફાસીવાદ એટલેશું?

જ્યાં લોકો ગરીબી અને અજ્ઞાનતામાં ડુબેલા હોય, આત્મવીશ્વાસના અભાવથી પીડાતા હોય અને પોતાના ઉધ્ધાર માટે ઇશ્વર અથવા તો કોઇ તારણહાર નેતા સામે મોં વકાસીને બેસી રહેતા હોય ત્યાં ફાસીવાદનો ઉદય અને વીકાસ થઇ શકે તેમ છે.                                                                                                                                                                                                                                                                                                                                          આધ્યાત્મીક– પારલૌકીક ફીલોસોફી અને અભીગમ આપણા દેશમાં પ્રચુર માત્રામાં હોવાથી ભારત તેના ઉદ્ભવ અને વીકાસ માટે ઘણી ફળદ્રુપ ભુમી કહેવાય. તેથી ભારત ફાસીવાદનો સરળતાથી ભોગ બની શકે તેમ છે......એમ એન રોય.

(1)    નીતીમત્તા, ન્યાય, અને સ્વાતંત્ર્ય જેવા ઐહીક ધોરણોને ફગાવી દઇ અથવા તેની સરીયામ અવગણના કરીને  ફાસીવાદ પોતાને દૈવી(ધાર્મીક) સમર્થન કે પીઠબળ છે તેવો દાવો કરે છે.

(2)     ફાસીવાદનો પાયો ધાર્મીક શ્રધ્ધા પર બનેલો છે. " માણસ કુદરતી રીતે જ ધાર્મીક પ્રાણી છે. તે ધર્મમાં એટલેકે  ઇશ્વરમાં ગાઢ શ્રધ્ધા ધરાવતું પ્રાણી છે. ફાસીવાદી તત્વજ્ઞાન પ્રમાણે વીચાર કરવો એનો અર્થ જ ઇશ્વરનું ચીંતન કરવું એવો થાય છે.માણસ જેટલું વધારે વીચારે તેટલો તે ઇશ્વરની હાજરી વધુ અનુભવે. ઇશ્વર સાથે તે એટલી એકરૂપતા અનુભવે. માણસ તો ઇશ્વરની આગળ તુચ્છ છે. ઇશ્વર સર્વવ્યાપી છે, સર્વશક્તીમાન છે."

(3)    ઉપર મુજબનું ફાસીવાદી તત્વજ્ઞાન મનુષ્યોને એક પ્રકારની ધાર્મીક ઘેલછા હેઠળ આત્મવીલોપન કરવાની અને પોતાનું સર્વસ્વ ફગાવી દેવાની શીખ આપે છે.  જે ખુદ અભદ્ર (વલગર) ભૌતીકવાદની જ અભીવ્યક્તી છે...... બર્બરતા અને હીંસાના કૃત્યોને વ્યાજબી ઠેરવી શકાય તે માટે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી રહેલા એવા દૈવી ઉદેશ્યને ( વીશ્વગુરૂ) પરીપુર્ણ કરવા સારું આ બધું કરવામાં આવેલ છે તેમ ઠસાવવામાં આવે છે. અને આવાં કૃત્યો કરવાની જેમાંથી પ્રેરણા મળે છે તે વીચાર– પ્રક્રીયાને ભારે આડંબરીક ભાષામાં ' ઇશ્વરના ચીંતન' તરીકે ઘડાવવામાં આવે છે. આવાં કૃત્યો પાછળ ઇશ્વરી પ્રેરણા કામ કરી રહેલ હોય એમ પોતાની કેડરને ભરમાવવામાં આવે છે.

(4)    હીંદુ રહસ્યવાદ કે ગુઢવાદ એટલે શું? " પ્રયોગો કરીને તારવેલા અને નીદર્શન દ્રારા રજુ કરવામાં આવેલા વૈજ્ઞાનીક સત્યો અને રેશનાલીઝમ (તર્કવીવેક શક્તી) રીતે પ્રસ્થાપીથ થયેલા  દાર્શનીક ખ્યાલોને ફગાવી દઇને , અથવા તેમનો અસ્વીકાર કરીને જે પુરાણપંથી માન્યતાઓ અથવા ચીલાચાલુ રૂઢીઓ છે તેમનો આશરો લેવો, તેમાં જ રચ્યાપચ્યા રહેવું, એને આપણે હીંદુ રહસ્યવાદ કે ગુઢવાદ કહી શકીએ. ઉપર મુજબનું તારણ ઇસ્લામ, ખ્રીસ્તી અને બીજા અન્ય ધર્મોને સહેજ પણ ઓછું લાગુ પડતું નથી.

(5)   પહેલાં એક સુત્ર હતું કે " રાજા કદાપી ખોટું કરી શકે નહી" કારણકે રાજાની સત્તાને દૈવી સમર્થન હતું. ફાસીવાદના તત્વચીંતકો એ રાજ્ય માટે નવું સુત્ર આપ્યું છે. ક્ષીણથતા મુડીવાદના સર્વપ્રકારના ટેકો લઇને સત્તા પ્રાપ્ત કરનાર " રાજ્ય કદાપી ખોટું કરી શકે નહી."

(6)   આમ ઉંડી આધ્યાત્મીક પ્રેરણા ફાસીવાદી ચળવળને ચાલના પુરી પાડે છે. ફાસીવાદનો સીધ્ધાંત શું છે તે સમજવું હોય તો તે તેના કાર્યો અને વ્યવહારોમાંથી સમજી શકાય. તેને કોઇ વીચારો કે સીધ્ધાંતોમાં બંધાવું પોષાય તેમ જ નથી.એવું કોઇ વળગણ તેને હોતું નથી. ફાસીવાદની આધ્યાત્મવાદી લાક્ષણીકતા તેની મનસ્વીતામાં હોય છે. ધાર્મીક રૂઢી, રીવાજોના બચાવમાં તે કેવી રીતે ભારતના બંધારણસર્જીત કાયદા કાનુનનો અને ન્યાયી ચુકાદાઓનો તે પણ પોતાની વીરૂધ્ધના ચુકાદાઓનો સ્વીકાર કરે?

(7)   આમ ફાસીવાદ ધર્મપરાયણ છે. તેથી તે જ્ઞાન–વીજ્ઞાન, રેશનાલીઝમ, માનવવાદ અને ધર્મનીરપેક્ષ નૈતીક મુલ્યો વગેરેને ધર્મવીરૂધ્ધ અને અકુદરતી જાહેર કરી અને તેનો જબ્બરજસ્ત વીરોધ કરે છે. ફાસીવાદનું તત્વજ્ઞાન અને વ્યવહાર દેખાડો કરવા ભૌતીકવાદનો વીરોધ કરે છે. અને પોતાના તરફથી જબ્બરજસ્ત ભોગવાદી પ્રર્દશનો કર્યા જ કરે છે.

(8)   ફાસીવાદ ધર્મનો રક્ષક છે ! કારણકે શ્રધ્ધા અજ્ઞાનને ટેકો આપે છે. અને અજ્ઞાનના કારણે  તો સામાન્ય લોકોનું પરંપરાવાદી સાધનો અને માન્યતાઓનો ઉપયોગ કરીને પોતાના દેશના નાગરીકોનું સરળતાથી શોષણ કરે છે.

(9)   ધર્મ એ તો સામાન્ય પ્રજાને સત્તાધીશો અને મુડીવાદીઓ સાથે બાંધી રાખનાર બેડીઓની ગરજ સારે છે. તે સત્તાધીશ ટોળકી પેલી બહુમતી પ્રજા ક્યારેય તેમની સામે વીદ્રોહ ન કરે તેવી વૃત્તીઓને ધર્મ અને તેના પરોપજીવીઓની મદદથી રૂંધી નાંખે છે.  

(10)                    આમ જ્યારે ધર્મ સમાજ ઉપર સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરે છે, અન્ય કોઇ ધ્યેયના સાધન તરીકે નહી, પણ સ્વયંમેવ ધ્યેય બનવા પ્રયાસ કરે છે ત્યારે હંમેશાં જે તે સમાજના બુરા હાલ થાય છે. સંસદીય લોકશાહીના નીકંદન માટે અને ધર્મના ટેકાવાળી ફાસીવાદી સરમુખ્તયારશાહીને સ્થાપવા માટે પ્રજાને યેનકેન પ્રકારે સામુહીક ઘેનમાં કે હીપનોટીક અસર નીચે રાખવામાં સતત યુક્તી–પ્રયુક્તો કરવી પડે છે.

(11)                    અંતમાં આવા સરમુખ્તયાર માટે રાજ્ય જ સર્વસ્વ છે. રાજ્યની આપખુદ, અમર્યાદીત સત્તાના સોગઠા સીવાય અસ્તીત્વ ધરાવવાનો વૈયક્તીક નાગરીકોને કોઇ હક્ક છે જ નહી. સત્તાધીશને મનફાવે ત્યારે રાજ્યની સત્તાનો ઉપયોગ કરીને ( દા;ત નોટબંધી) નાગરીકોની જીદંગીનો જુગાર ખેલી શકે છે. આપખુદ ફાસીવાદી શાસકનું મીથ્યાભીમાન અને તેના તરંગો સર્વશક્તીમાન રાજ્યની લોહીથી ખરડાયેલી વેદી પર બલીદાન આપવા સામાન્ય લોકોને  ફરજ પાડી શકે છે. તે બધુ પાછું રાજ્ય પ્રત્યેની વફાદારી અથવા દેશપ્રેમની એક શ્રૈષ્ઠ ફરજના ભાગરૂપે. ભલે પછી વાસ્તવમાં રાષ્ટ્રય હીત સાથે એ બધાને  કશો નહાવાનીચોવાનો સંબંધ જ ન હોય!

(12)                    આપણી કબર પરના શીલાલેખમાં ભલે એમ કોતરવામાં આવે કે આપણે રાજ્યકર્તા તરીકે ઘણા કઠોર, નીર્દય હતા. પણ સાથે સાથે એમ લખાશે કે આપણે બધા ઘણા સારા રાષ્ટ્રભક્ત જર્મનો હતા......એડોલ્ફ હીટલર.

(13)                    પોતાના જ કાયદા–કાનુનનો ભંગ કરવાની હીંમત રાજ્યકર્તામાં હોવી જોઇએ.–––ગોબેલ્સ (હીટલરના કુકૃત્યોનો સાથીદાર.)

 

( સૌ. Essence of Royism પુસ્તકનું ભાષાંતર 'રોય વીચાર દોહન" ગુજરાતીમાં કરેલું છે. તેમાંનું  એક આ એક પ્રકરણ છે. જેનું નામ " ફાસીવાદ: ફીલોસોફી, માન્યતાઓ અને વ્યવહાર." સને ૧૯૩૮માં એમ. એન.રોયે લેખક તરીકે પ્રકાશીત કરેલું. તેનું ભાષાંતર આપણા સાથી પ્રોફેસર મીત્રો જયંતી પટેલ અને દીનેશ શુક્લે કરેલું છે. ગુજરાતી પુસ્તકનુંપ્રકાશન ' ગુજરાત યુની. ગ્રંથનીર્માણ બોર્ડે કરેલ છે.'

 


--