Tuesday, March 26, 2019

રાફેલ વીામાનોનો સોદો


 

Logo with black stylised word "Rafale" against white background

શું રાફેલ લશ્કરી વીમાનનો કરાર આપણા દેશને ગાફેલ (ગફલત)માં નાંખી દેશે?

દેશનો ચોકીદાર ચોર છે. રાહુલ ગાંધી.

હું દેશનો ચોકીદાર છું. વડાપ્રધાન મોદી.

રાફેલનામનું લડાકુ વીમાન ફ્રાંસદેશના પાટનગર પેરીસમાં આવેલ દાસો( Dassault ) કુપની બનાવે છે.  ફ્રેન્ચ ભાષામાં તેનો ઉચ્ચાર 'દાસો' થાય છે. ગુજરાતીમાં ઘણા બધા દાસોલ્ટ ઉચ્ચાર કરે છે. દાસો કુંની સ્થાપનાને(સને ૧૯૨૯) નેવું વર્ષ થશે. સને ૨૦૧૮ની ૩૧મી ડીસેમ્બરે આ કુપનીમાં આશરે ૧૧૫૦૦ કર્મચારી નોકરી કરતા હતા. તે નાગરીક ઉડ્ડયન તથા લશ્કરી વીમાનો બનાવે છે. ઉપરાંત અવકાશમાં ઉપગ્રહો વી. ને લગતી કામગીરીનું ઉત્પાદન કરે છે.

૩૧મી ડીસેમ્બરે ૨૦૧૮ના જ તેનો ચોખ્ખો નફો આશરે ૬૮૦ મીલીયન યુરો હતો. –એક મીલીયન એટલે દસ લાખ. અને ડોલર પાઉન્ડ વી. માફક યુરો,યુરોપીયન યુનીયનના દેશોનું ચલણ છે. જેનો આજનો ભાવ તા. ૨૬મી માર્ચે એક યુરો બરાબર ભારતીય રૂપીયામાં ફક્ત ૭૭. ૮૭પૈસા થાય છે.જ્યારે એક અમેરીકન ડોલરની આજની કીંમત આશરે ૬૯/ રૂપીયા પુરા છે.

 દાસો કુંપનીએ સને ૧૯૮૧થી રાફેલ વીમાનો બનાવવાનું શરૂ કરેલ છે. આ કુપનીમાં ફ્રાંસની સરકારનું મુડી–શેર ફાળો આશરે ૫૦ ટકાની આસપાસ( દાસોની અન્ય સબસીડીયરી કુંપનીઓ સાથે) રહે છે. તેનો અર્થ સ્પસ્ટ છે કે દાસોના ખાસ કરીને રાફેલ જેવા લડાકુ વીમાનોના અન્ય દેશોની સરકારો સાથેના સોદા– કરારમાં ફ્રાંસની સરકારનો રોલ નીર્ણાયક ભુમીકા હોય છે. ફ્રાંસની સરકારોએ (ગમે તે પક્ષની સરકાર હોય તો પણ) અન્ય દેશોની સરકારો સાથે સોદા કરવામાં ઘણીવાર દાસો કુંના કાયદેસરના કરારોમાં રાફેલ વીમાન ખરીદનાર દેશોની નાણાંકીય ગેંરટર અને જામીન પણ બની છે. આવા સોદા ફ્રાંસની સરકારે ખાસ કરીને આફ્રીકા, દક્ષીણ અમેરીકા વી, દેશોમાં કરેલ છે. અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જેવા સમૃધ્ધ દેશો દાસો કું એ ડીજીટલ, ઇલોકટ્રોનીક અન્ય નવી લશ્કરી વૈજ્ઞાનીક કરેલ શોધો માટેનું પોતાના એરોડ્રામનો મુક્ત ઉપયોગ એકબીજાની અનુકુળ શરતોએ કરવા દે છે. રાફેલ લડાકું વીમાનનું પહેલું નીદર્શન અમેરીકાના સ્વતંત્ર દીવસ ૪થી જુલાઇના રોજ સને ૧૯૮૬માં કરવામાં આવેલું હતું. અન્ય લશ્કરી વીમાનોની સરખામણીમાં તે એક જ રાફેલ ઘણા બધા કામો એકી સાથે કરી શકે છે. અંગ્રેજીમાં તેને Omnirole design Rafel તરીકે ઓળખવામાં આવેલ છે. ટોરનીડોના પવનની ઝડપ કરતાં અતીઝડપથી આવે છે("gust of wind" and "burst of fire") અને આંખના પલકારામાં વીસ્ફોટ કરીને પરત આવી જાય છે. આવો રાફેલનો ફ્રેંચ ભાષામાં અર્થ થાય છે.  

તાજેતરમાં સીરીયા દેશમાં અમેરીકાની પુરી સંમતીથી સીરીયાની કઠપુતલી સરકારે રાફેલ વીમાનોનો ઉપયોગ કરીને આતંકી તમામ જુથોનો સફાયો કરેલ છે. અત્યારસુધીમાં અફઘાનીસ્તાન, લીબીયા, માલી, ઇરાક અને સીરયા જેવા માનવ વીકાસના તમામ માપદંડોમાં અતીપછાત ગણાય તેવા દેશોએ પશ્ચીમના દેશોની મદદથી અને ખાસ કરીને અમેરીકાના સહકારથી આ બધા દેશમાં આતંકવાદી પ્રવૃતીનો સફાયો કરવા રાફેલ લડાકુ વીમાનોનો ઉપયોગ કર્યો છે.

બીજી એક અગત્યની હકીકત ભારત દેશના નાગરીક તરીકે આપણું હીત શેમાં છે તે ન ભુલવું જોઇએ. અમેરીકાએ જાતે પોતે સોવીયેત રશીયાના વીઘટન પછી અફઘાનીસ્તાનમાંથી રશીયાનો કાંટો કાઢવા માટે એક સમયના ખુબજ શક્તીશાળી ગણાતા આતંકવાદી બીનલાદેન જેને બીનલાદેન બનાવનાર અમેરીકાએ જ તેને અને તેના ઇસ્લામીક જુથ તાલેબાનને સર્વપ્રકારની લશ્કરી તાલીમ અને મદદ પુરી પાડી હતી. એશીયા– આફ્રીકાના પાકીસ્તાન અને ભારત સહીત તમામ દેશમાં આતંકવાદની ખેતી કરવા, ખાતર, પાણી, બીયારણ વી, અમેરીકા,ઇઝરાઇલ સહીત પશ્ચીમના દેશો આપે છે અને પછી તે તૈયાર થયેલ આતંકવાદી ફસલને લણવા માટે રાફેલ જેવા લડાકુ વીમાનો પણ તે બધા જ દેશોને પુરા પાડે છે. તેની સામે આપણા જેવા પડોશીની પરદેશ નીતી કેવી હોવી જોઇએ?

હવે આટલી પ્રાથમીક ભુમીકા પછી આપણા ચોકીદારે કરેલા સોદાની હકીકત તપાસીએ.

    (૧) આજદીન સુધીમાં દાસો અને ફ્રાંસની સરકારે જે રાફેલ વીમાનો જે તે દેશની સરકારોને વેચ્યા છે તેમાં કોઇ દલાલ કે વચોટીયો(અનીલ અંબાણી)છે જ નહી. રાફેલ, લડાકુ વીમાન હોવાથી કોઇપણ દેશની સરકાર જ તેનો સોદો પોતાના સંરક્ષણ માટે(નાગરીક ઉડ્ડયન માટે નહી)દાસો અને ફ્રાંસની સરકાર સાથે કરે છે. કોઇપણ સોદામાં ફ્રાંસની સરકારની સંપુર્ણ સામેલગીરી હોય છે.

     (૨) રાફેલ વીમાનના પચાસ ટકા સ્પેરપાર્ટસ દાસો પોતે બનાવે છે. બાકીના પચાસ ટકા સ્પેપાર્ટસ મુખ્ય ફ્રાંસની બે કંપનીઓની  અન્ય ૫૦૦ કુંપનીઓને બનાવવા આપે છે. અંદાજી તેમાં બીજા હજારો માણસો રોકાયેલા હોય છે.રાફેલના વીમાનનો એક પણ સ્પેરપાર્ટસ વીશ્વના કોઇપણ દેશમાંથી બની ને ફ્રાંસમાં આવતો નથી.

      (૩)દરેક વીમાનને તેના તમામ સ્પેરપાર્ટસ સાથે જોડીને તૈયાર કરતાં બે વર્ષનો સમયગાળો લાગે છે. દાસો કુંપની વર્ષમાં ફક્ત ૧૧ (અગીયાર) વીમાન જ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

      (૪) તાજેતરમાં ઇજીપ્તને ૮ રાફેલ એક સીટવાળા અને ૧૬ બે સીટવાળા મળીને કુલ ૨૪  વીમાનો આપેલ છે. તેની કુલ કીંમત યુરોના ચલણમાં ૬.૪ બીલીયન યુરો થાય છે. એક બીલીયન યુરો એટલે ૧૦૦ કરોડ યુરો. એક વીમાનની કીંમત વાંચનારને પોતાની થોડી તસ્દી લઇને ગણવા વીનંતી છે.

        (૫–અ) કોઇપણ દેશનું ઓડર પ્રમાણે વીમાન તૈયાર થઇ જતાં તેના પાયલોટને તમામ પ્રકારની અધ્યતન ટ્રેઇનીંગ રાફેલ બનાવતી ફ્રાંસની કુપંની દાસો પોતાને ત્યાં બોલાવીને આપે છે.

       (૫–બ્) મનમોહનસીંગની સરકાર સાથેનો  ૧૩૬ વીમાનનો સોદો કેન્સલ કરવા માટેના બે મહત્વના મુદ્દા હતા. એક દાસો કું કોઇપણ હીસાબે ભારતમાં આવીને હીન્દુસ્તાન એરોનોટીક કું (ભારત સરકારનું સાહસ)  સાથે રાફેલ વીમાનોનું ઉત્પાદન કરવા એટલા માટે તૈયાર નહતી કારણકે તે આવા વીમાનો બનાવવાની અતીમુશ્કેલ ટેકનોલોજીનું સ્થળાંતર કરવા માંગતી નહતી. બીજુ ભારતમાં પોતાના ચોખ્ખા નફાના ૫૦ ટકા નાણાં ભારતમાં સદર વીમાનોના રીપેરીંગ તથા લશ્કરી સંશોધન વી . માટે વાપરવા તૈયાર ન હતી.

        (૬) હવે આપણા દેશના ચોકીદારને આપણે ખુબજ નમ્રતાથી પુછી શકીએ ખરા કે ભાઇ.ચોકીદાર, અનીલ અંબાણી જે તાજેતરના દેશની સુપ્રીમ કોર્ટે એરીકસન કું ની તરફેણમાં આશરે ૫૦૦ કરોડનું હુકમનામું કરેલું હતું. તેના નાણાં છેલ્લી તારીખ સુધીના એક દીવસ પહેલાં ભરી શક્યા ન હતા. તે નાણાં તેઓના ભાઇ મુકેશ અંબાણીએ ભર્યા. આર્થીક રીતે આવી મજબુર સ્થીતમાંથી પસાર થનાર અનીલભાઇએ મોદીસરકારે દોસો સાથે સોદો કર્યો તેના સાત દીવસ પહેલાં એક કુંપની નામે રીલાયન્સ ડીફેન્સ લી.ની સ્થાપના કરી હતી. અને તેને દાસો કું કયા પ્રેમથી પોતાના નફામાં કમીશન આપવા રાજી થાય? શેના માટે?

        (૭) અનીલ અંબાણીની કુપનીએ દાસોની રાફેલ વીમાન બનાવવાની કુંપનીમાં ફ્રાંસમાં જઇને કયા પ્રકારની મેન્યુફેક્ચરીંગ, પ્રોસેસીંગ કે અન્ય ઉત્પાદનની પ્રક્રીયામાં ભાગ લેવાનો છે?

        (૮) મોદીજી, ચોકીદાર તરીકે પોતાની ઘણી બધી લાયકાતો બતાવીને દેશના  તમામ રાજકીય પક્ષોની સામે એક માત્ર મજબુત નેતા છે તેવું જોરદાર માર્કટીંગ કરે છે. તેઓને પુરા આદર સાથે વીન્રમતાથી પુછી શકીએ ખરા કે સાહેબ, આપના સંરક્ષણ જેવા અતીમહત્વની મીનીસ્ટ્રીની ઓફીસમાંથી રાફેલ વીમાનના સોદાની ફાઇલોની ચોરી થાય, અને સુપ્રીમ કોર્ટમાં આપની સરકારના એટોર્ની જનરલ એડવોકેટ વેણુગોપાલ તમારી સરકારના સોંગદનામામાં કબુલ કરે તો પછી પ્રજાએ તમને મોદીજી કેવી રીતે ઓળખવા?

(૯) તમે તો " હુંચોકીદાર છું" એ મુદ્દાને કારણવગર ગાઇવગાડીને જાણે પોતાની તરફેણનો મુદ્દો હોય એમ લોકો પાસે મુકી દીધો. બાકી રહ્યું હોય તમારા પ્રધાન મંડળના પ્રધાનોએ ' હું ચોકીદાર છુ' તે નામના લેબલ પોતાના નામની આગળ સોસીઅલ મીડીયામાં ગોઠવવા માંડયા છે. તમે પોતે ચોકીદારના મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવીને ૨૫ લાખ ચોકીદારોને એકાએક કયા વીજાણું અને ઇલોકટ્રોનીક માધ્યમથી સંદેશો પહોંચાડવા ભેગા કરી શક્યા તે પણ સમજાતું નથી. કારણકે સોસાયટીના ગેટપર કે કારખાનાના દરવાજે ૧૦ થી ૧૨ કલાક  નોકરી કરતા ચોકીદારની જીંદગીમાં તમારી આ બધી પ્રવૃતીઓથી કોને લાભ થવાનો છે? આમાંથી કોની શોભા કે આબરૂ વધે છે તે પણ સમજાતું નથી? 

--

Sunday, March 24, 2019

વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,


 વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,

હું તમને બંનેને ચેંલેન્જ આપું છું કે મારી બાલકોટાની ટીપ્પ્ણી સામે હીંમત હોય તો ખુલ્લી ચર્ચા કરવા તૈયાર થઇ જાવ. સામ પીત્રોડા. ૨૩મી માર્ચ ૨૦૧૯.

Top of Form

I Challenge Modi, Shah for Debate, Says Pitroda

 આખું વીશ્વ જાણે છે કે સામ પીત્રોડા રાહુલ ગાંધીના ખુબજ નજીકના અને વીશ્વાસપાત્ર માણસ છે. સામ પીત્રોડાએ ભારતના સૈન્ય તરફથી પાકીસ્તાનના બાલકોટા આતંકી છવાણી પર હુમલો કરીને ભારતના વીમાન સહીસલામત પરત આવ્યા છે તે અંગે પીત્રોડા સૈન્યના કાર્યને બીરદાવે છે. પરંતુ સૈન્યના વડા તરફથી નહી પણ વડાપ્રધાન મોદી અને અમીત શાહ તરફથી કોઇ ૩૦૦ ,કોઇ ૨૫૦( અમીત શાહનો તાજેતરમાં ગુજરાતમાં આવીને જાહેર કરેલો આંકડો)નો આંકડો સદર આતંકી કેમ્પમાં માર્યા ગયેલા આતંકીઓનો આપવામાં આવે છે. પીત્રોડાને સૈન્યની કાર્યવાહી સામે કાંઇ કહેવાનું નથી. સીવાય કે સલામ. પણ પીત્રોડા એક વીશ્વગજનો ઇનર્ફમેશન ટેકનોલોજીનો વૈજ્ઞાનીક છે. તેના સત્યના તારણો, આંકડા, કે ડેટા, વગેરે હકીકત આધારીત જ  હોય છે. તેમાં કશી લાગણીકે રાજકીય મુડી ભેગી કરવાની હોય જ નહી. તેથી પીત્રોડા, મોદી– શાહની બેલડીને આ કેટલી સંખ્યામાં આતંકી માર્યા ગયા તેના પુરાવા રજુ કરવા પડકાર ફેંકે છે. આ સત્યને પોતાના એક ભારતીય નાગરીક તરીકે તે જાણવાનો અધીકાર છે. તેને આ બેલડી અને તે બધાનું વાજુ વગાડનારા કેવી રીતે અટકાવી શકે!

 મોદીજી , તમે તો દેશના વડાપ્રધાન તરીકે આવી માહીતીઓ મેળવનાર પ્રથમ અને વીશ્વાસપાત્ર વ્યક્તી જ છો. પુરાવા હોય તો સમગ્ર દેશ અને દુનીયાને ફટાફટ બતાવી દો ને!  ફુલવામામાં દેશના જ્યારે આત્મીઘાતી બૌબરથી ૪૬ જવાનો શહીદ થયેલા હતા ત્યારે ફાયરબ્રીગેડના માણસો માર્યા ગયેલા શહીદોના લોહીથી લદબદ થઇ ગયેલી સડકને પાણીના મારાથી સાફ કરતા સમાચાર બધાએ જોયેલા છે. તમારો તો તે હવાઇ હુમલામાં ૨૫૦ થી ૩૦૦ આતંકી માર્યા ગયા તેવો દાવો છે. જે ખરેખર સાચુ હોય તો લોહીના ખાબોચીયા નહી પણ લોહીની નદી અને હાથ–પગ અને ખોપરીઓના હાડકાનો પર્વત ઉભો થઇ ગયો હોય. જેને હજુ છોડતા નથી. અને જે તે અંગે સાબીતી માંગે તે બધા દેશદ્રૌહી, પાકીસ્તાની એજંટ.

 તેથી હું સામ પીત્રોડા, મોદીજી, તમારા સહીત  તમારાપક્ષના ટોચના વ્યક્તીઓને હળાહળ જુઠ્ઠાણું બોલનારા તરીકે જ જાહેર કરૂ છું.( S. Pitroda did not say anything disrespectful of Jawans or the armed forces, terming the claims by Prime Minister Narendra Modi and other top functionaries of the government and the ruling Bharatiya Janata Party on his remarks as a blatant lie.)  

મેં ૪૦ મિનીટનો ટેપરેકોર્ડેડ ઇન્ટરવ્યુ આઇએન એસ (INS)ને આપેલો છે. હું મોદી– શાહની બેલડી તથા તેમના મળતીઆઓને પડકાર આપું છું કે મારા ટેપેકોર્ડેડ ઇન્ટરવ્યુંમાંથી ફક્ત એક શબ્દ શોધી કાઢે, જેમાં દેશના લશ્કર વીરૂધ્ધ એક શબ્દ બોલ્યો હોઉ તો!.પછી તેને આધારે જાહેરમાં પ્રજામંચ ઉપર ડીબેટ માટે આવી જાય. મોદીજી, આ તો તમારા બધાનો બકવાટ, અક્કલવીનાનું અને મુર્ખતા ભરેલું કૃત્ય જ છે.( "What nonsense is this..")  તમે બીજા કોઇનું ચારીત્રય હનન કરી શકો છો.( દેશનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સહીત) હું આ દેશમાં છેલ્લા ત્રીસ વર્ષોથી કામ કરૂ છું. તમને માહિત્તો હશે જ કે મેં તે માટે મેં મારૂ અમેરીકન નાગરીકત્વ (સીટીઝનશીપ)ત્યજી દઇને ભારતીય નાગરીકત્વ પસંદગીથી સ્વીકારેલું છે. અને તમે મારા પર જુઠ્ઠાણા ફેલાવીને હુમલો કરો છો! (you want to attack me with lies.)   

     મોદીજી, તમે બોલ્યા છો કે " વીરોધ પક્ષો વારંવાર આપણા દેશના લશ્કર અને તેના જવાનોનું સતત અપમાન કરે છે. હું મારા દેશના ૧૩૦ કરોડ લોકોને અપીલ કરૂ છું કે વીરોધપક્ષની આવી કઢંગી રીમાર્કને ભુલશો નહી. ( ખાસ તો ચુંટણી ટાઇમે! બીજું મારી વીરૂધ્ધ આક્ષેપ એટલે તમારે સમજવાનું કે તે આક્ષેપ દેશના ૧૩૦ કરોડ ઉપરનો છે. હું એટલે ફક્ત દેશ એવું સમજી લેવાનું) જુઓ હવે, કોંગ્રેસ પક્ષ જે દેશના લશ્કરને સતત આતંકી પરીબળો સામે સહકાર આપવા તૈયાર નથી, તેવું જ ગાણું હવે કોંગ્રેસનો દરબારી સામ પીત્રોડા ગાય છે."

 મેં જ્યારે ન્યુયોર્ક ટાઇમ્સમાં વાંચ્યું કે બાલકોટાના હુમલામાં કોઇ મર્યુ નથી ત્યારે મને તમે કેવી રીતે કહી શકો કે ૩૦૦ આતંકી માર્યા ગયા? મોદીજી, તમારો પ્રશ્ન શું છે? આવું પુછવાથી મેં કોના માનમરતબાને હાની પહોંચાડી છે? હું દેશના જવાનોને સલામ કરૂ છું. તેમની દેશ માટેની શહાદત માટે નતમસ્તકે હું ગૌરવ અનુભવું છું.

 " ( When I read in The New York Times that nobody got killed, you tell me 300 were killed. I want to know. What is the problem, that does not show any disrespect for anybody," he said, adding "I respect our forces, I applaud their sacrifice but I want to ask a question.")

 સામ પીત્રોડા સારી રીતે સમજે છેકે કયા કયા કારણોસર સમગ્ર બીજેપી પક્ષની  તમામ ઉપરથી નીચે સુધીની નેતાગીરી તેની સામે પડી ગઇ છે.  કારણકે  યેદીયુરપ્પાની ડાયરીનો જે પ્રશ્ન છે તેનાથી ધ્યાનને બીજી બાજુ વાળવા તે બધાએ આ ધંધો કરેલ છે. બીજુ કારણ એ પણ છે કે મોદી અને તે બધા સારી રીતે જાણે છે કે હું કોણ છું?

નરેન્દ્ર મોદી મને સત્યમભાઇ કહીને સંબોધે છે. મારી પત્ની સાથેના કૌટુબીક સંબંધો પણ ઘણા સારા છે. મોદી અને તેના પક્ષને એટલા માટે ચીંતા ઉભી થઇ છે કે હું આ ચુંટણી દરમ્યાન પુરા બે મહીના દેશમાં રહેવાનો છું. ' મારી અલમારી ઘણા બધાના હાડપીંજરોથી ભરેલી છે. મારી પાસે તો મારૂ બેંકનું ખાતું જ નથી. કોઇ મીલકત પણ નથી. મેં કોઇ પરસ્રી સાથે સંબંધો રાખવાની મુર્ખામી કરેલ નથી. હું કદાચ ગાંધીવાદી કહેવાઉ. મેં કોઇ ટેક્ષની ઉચાપત કરેલ નથી. હવે તમે બધા આમાથી કશું કરી શકો તેમ નથી. માટે આ શોધી કાઢયું છે. ( સૌ. મુક્ત ભાવાનુવાદ. બીપીન શ્રોફ.(Gautam Datt can be contacted at datt.gautam@gmail.com) http://www.indiatomorrow.net/images/logopng.png.

(IANS)



 

 

 

 

 

 

 



 

Top of Form

Bottom of Form

 

 

--

Tuesday, March 19, 2019

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકેે?

 

શું ભારતમાં નજીક્ના ભવીષ્યમાં ફાસીવાદ સરળતા આવી શકે તેની ફસલ છેલ્લા પાંચ વર્ષોમાં તૈયાર કરવામાં આવી છે ખરી? આકાશ બેનરજી.

આકાશ બેનરજીએ પોતાની યુ ટયુબમાં ૧૪ મુદ્દાની વીસ્તૃત ચર્ચા કરી છે કે કેવી રીતે આ દેશમાં ખુબજ નજીકના  ભવીષ્યમાં ફાસીવાદ  આવી શકે તેમ છે.

સૌજન્ય–––https://www.youtube.com/watch?v=JpVTmlSXRck

(૧) દેશ ભક્તી– બેનરજીનું કહેવું છે કે જો આપણે ઇતીહાસના પાનામાં ફાસીવાદના ઉદય અને સત્તા પ્રાપ્તીના સમયનો અભ્યાસ કરીશું તો સહેલાઇથી એક સત્ય શોધી શકીશું કે કોઇપણ દેશમાં ફાસીવાદ રાતોરાત દેખા દેતો નથી. તે એક દીવસમાં જે તે દેશની સત્તા કબજે કરતો નથી. તે દેશના અગત્યના અંગો રાજકારણ, સમાજકારણ, અર્થતંત્ર, શીક્ષણ,ધર્મ. આધુનીક સંસ્થાઓ જેવી કે ન્યાયતંત્ર, કાયદાનું શાસન. ફીલ્મ ઉધ્યોગ, લશ્કર, દેશનું વહીવટ તંત્ર વગેરમાં ઘુસી જઇને, કેન્સરની માફક ધીમે ધીમે ફેલાઇ જાય છે. તે દેશને દેશ બનાવનાર બધાજ તંત્રોને લુણો લગાડીને અંદરથી ઉધઇની માફક ઓંહીંયા કરીને અંતમાં લોકશાહીનો જ મૃત્યુ ઘંટ બોલાવી દે છે.

રાષ્ટ્રીય ફાસીવાદીને ઓળખવાનું પ્રથમ લક્ષણ એ કે તેનો ઠેકેદાર પક્ષએ રાષ્ટ્રવાદનો ઠેકેદાર અથવા કોન્ટ્રાક્ટર છે. તે નક્કી કરે છે કે દેશના નાગરીકો અને ખાસ કરીને તેની પોતાની આપખુદ સત્તા પ્રાપ્તીની આડે આવતા દુશ્મનો કોણ છે તે બધાના તમામ કાર્યોને દેશદ્રોહીની વ્યાખ્યામાં સમાવી દેવામાં આવે છે. દેશના દરેક નાગરીક પાસેથી પોતાની રાષ્ટ્રભક્તીની પોતે નક્કી કરેલી વ્યાખ્યા પ્રમાણે વફાદારીનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે. " દેશમાં રહેના હૈ તો વંદેમાતરમ્ બોલના નહી, ચીલ્લાના પડેગા ઓર ભારત માતાકી જય બોલના પડેગા". નહી તો દેશ વીરોધી, પાકીસ્તાની દલાલ, એંજટ. " હીંદુસ્તાન કા ખાતા હૈ ઔર પાકીસ્તાન કા ગાતા હૈ.... રવી બાત્રા બીજેપી ટીવી સ્પોકપર્સન.

(૨) માનવ અધીકારનું શું મહત્વ છે? આ તો કઇ બલા છે? તેના તો કોઇ ગુણગાન ગાવાના હોય! દેશનું હીત મહત્વનું કે એક ક્ષુલ્લક નાગરીકના અધીકારોનું? તમે બધા માનવીના અધીકારોના સંરક્ષણની વાત કરો છો તો શું આ દેશમાં ગાય ઇન્સાન નથી? તે તો માનવ કરતાં પણ વધારે પવીત્ર છે તેવું તો આપણા શાસ્રોમાં કહ્યું છે. ગાયના અધીકારોનું શું? માનવી અને ગાયના બંનેના અસ્તીત્વને ટકાવી રાખવાના અધીકારમાં આપણે શું પસંદ કરીશું? કેમ શાથી?

(૩) ફાસીવાદનો દુશ્મન કોણ? ફાસીવાદે પોતાના દેશના નાગરીકોને ઓળખી બતાવવો પડે છે કે દેશના દુશ્મનો કોણ છે? દેશનો દુશ્મન એ જ બહુમતી પ્રજાનો દુશ્મન. ઇટાલીના ફાસીવાદી નેતા બેનીટો મુસોલીનીએ  ફ્રાંસમાંથી પોતાને ત્યાં રોજગારીએ આવતા મજુરોને પોતાના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા. જર્મનીના નાઝીવાદના નેતા એડોલ્ફ હીટલરે દેશની લઘુમતી પ્રજા યહુદીઓને દેશના દુશ્મન તરીકે જાહેર કર્યા હતા.  

      ફાસીવાદીઓ દેશના બહુમતી નાગરીકોની અંદર સતત બીનસલામતીની લાગણી ફેલાવી પોતાના હીત સાધવા ભયભીત બનાવે છે. ફાસીવાદી નેતૃત્વ પ્રજાને એમ શીખવાડે છે કે દેશની અંદરના દુશ્મનો બાહ્ય દુશ્મનો કરતાં દેશ માટે વધુ જોખમી છે. તે બધા દેશના વીકાસના દુશ્મનો છે, દેશની તરક્કીની આડે આવે છે. જે લોકો અમારી ફાસીવાદી ગ્રાન્ડ યોજનામાં પ્રશ્નો પુછે છે તે બધા દેશની એકતા અને અખંડીતતાને તોડનારા અને દેશના ટુકડે ટુકડે કરનારા છે. ફાસીવાદ તે બધાને ' સબક શીખવાડવાનું કામ કરશે– વો સબ આપકે પૈસે સે પઢાઇ કરતે હૈ ઔર આપ કે પૈસે સે દેશકી બુરાઇ કરતે હૈ.' ઉમર ખલીફ, કનૈયાકુમાર અને જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટી આ બધા દેશદ્રોહીઓ છે. તેમનામાં કેટલી દેશ વીરોધી 'સોચ' છે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની જરૂર છે.આશરે ૮૩૦૦ વીધ્યાર્થીઓ જે એન યુ માં અભ્યાસ કરે છે. સરકાર તેમની પાછળ પ્રતીવર્ષે ૨૪૪ કરોડ રૂપીયા તેમની પાછળ ખર્ચે છે. આ પૈસા તો લોકોના ટેક્ષના છે. અને પાછા દેશ વીરોધી સુત્રો ત્યાંના વીધ્યાથીઓ બોલાવે છે.

(૪) દેશમાં લશ્કરની સર્વોપરીતા– લશ્કરને કોઇ પ્રશ્ન પુછાય જ નહી. સેનાનો રંગ ભગવો થઇ જાય કે નહી તે ખબર નથી. પણ ભગવો પહેરનારા  પોતાનો રંગ બદલીને લશ્કરના ગણવેશમાં તમારી સામે દેશ પ્રેમ બતાવવા સામે આવીને ખડા થઇ જાય!. સરકારને કે તેના સંરક્ષણ ખાતાને રાફેલના સોદા–કરારની શર્તો માટે પ્રશ્નો કરો એટલે દેશના લશ્કર વીરૂધ્ધ અને તેથી દેશની સલામતી વીરૂધ્ધ.

(૫) ફાસીવાદમાં સ્રીઓનું સ્થાન– " સ્રીઓનું કાર્ય બાળકો પેદા કરવાનું છે જેથી આગળ જતાં સૈનીકો બની શકે.... રણભુમીમાં લડતાં લડતાં ખપી જવું, એના કરતાં વધુ ઉચ્ચ આદર્શ જીવનમાં બીજો એકેય નથી.".. એડોલ્ફ હીટલર. " આપણા મહાકાવ્યોમાં રણભુમીમાં લડતાં લડતાં વીરગતી પ્રાપ્ત કરવી તેને અત્યંત ગૌરવપુર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. ગીતામાં અર્જુનનો વીષાદ જે ખરેખર વ્યાજબી હતો કે હું મારા નજીકના બાંધવો, આચાર્યો, વડીલો સામે યુધ્ધ કરવા માંગતો નથી. ત્યારે મહાભારતના વીષ્ટીકાર કૃષ્ણે અર્જુનને તેનો ક્ષાત્રધર્મ યાદ કરાવ્યો હતો." એમ . એન રોય.

આપણા દેશના વર્તમાન ફાસીવાદી નેતૃત્વને મન સ્રી પુરૂષ સમોવડી હોઇ શકે તે વીચાર જ અમાન્ય છે. તે બધા નૈતીક પોલીસો, ભારતીય નારીઓ જીન્સ પહેરે છે કે સાડી તે પરથી તેનું ચારીત્ર નક્કી કરે છે.  ભારતીય સ્રીઓ પાસે કોઇ કૌશ્લય હોય તો તે મા બનવાનું. તે સીવાયનું બૌધ્ધીક, શૈક્ષણીક કૌશલ્ય, કલા, નીપુણતા તેમને અમાન્ય અને નીષેધ છે.

(૬) દેશના તમામ પ્રકારના સમાચારના સાધનો( મીડીય)પર ફાસીવાદી તંત્રનો સીધો કે પ્રછન્ન કાબુ– પ્રજાને અને તમામ પ્રકારના રીપોર્ટરને સુચના આપવામાં આવે છે કે સરકાર અને તેની સત્તાકીય રીતીનીતીઓ સામે સવાલ મત પુછો! સરકાર અને તેના નેતા સીવાય 'કોઇની મનકી બાત' સાંભળવી નહી.અને રાજ્ય તરફથી જે માહીતી આપવામાં આવે તેના પર શંકા કરવી નહી. બનાવટી સમાચારો અને ગોદીમીડીયા( સોલ્ડ આઉટ ચેનલો) ફાસીવાદ માટે ફળદ્રુપ જમીન છે.કોઇપણ સરકાર અને મીડીયા તંત્રની મીલીભગત નવું ભારત બનાવવાની પુર્વશરત જ બની શકે! " નયાભારતમેં બીનાસવાલ પુછે બુલેટ ટ્રેઇનમેં સફર કરને આપ જાના ચાહતૈ હૌ યા નહી!"

(૭)  રાષ્ટ્રીય સલામતીનો સતત ભય ઉભો કરીને પ્રજાને માનસીક રીતે ઘેરાયેલી રાખવી( obsession with National security)  દેશને કોનો ભય છે? દેશને તેના બહારના દુશ્મનો કરતાં વધારે મોટો ભય દેશના આંતરીક દુશ્મનોથી છે. આંતરીક દુશ્મનો કોણ છે? બૌધ્ધીકો, અર્બન નક્ષલ, સામ્યવાદીઓ, રેશનાલીસ્ટો, નાસ્તીકો, નવાવૈજ્ઞાનીકો, એવોર્ડ વાપસી કરનારા, જે એન યુ,ના ટીચીંગ સ્ટાફ અને વીધ્યાર્થીઓ અને તમામ લઘુમતીઓ. આ બધાજ ' એન્ટીનેશનલ' દેશ વીરોધી કાવતરાં કરનારા છે.આ બધા આપણી ભારતમાતાના ઘરમાં ઘુસી ગયેલા ગદ્દારો છે. " સબ મીલકે ઇંડીયા કો ખતમ કરને કા ચક્કરમેં પડ ગયેં હૈ ."

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશમાં મેકસીકન ગેરકાયદેસર વસવાટીઓ ઘુસી ન જાય માટે દીવાલ બનાવવા માંગે છે. આપણી સરકારે દેશમાં જે એન યુ વાળી સંસ્કૃતી દેશમાં ફેલાઇ ન જાય માટે તે યુનીવર્સીટીની ચોફેર બાજુથી મોટી દીવાલ બનાવવી જોઇએ. બર્માથી આવતા રોહીંગયાઆ નીર્વાસીતોના જથ્થાને દેશમાં એકઠ્ઠા કરવાની જરૂર નથી. તે દેશની સલામતી માટે ભયરૂપ છે.

(૮) ધર્મ અને રાજ્યનું ગઠબંધન–

ભારતે સ્વતંત્રતા પછીના છેલ્લા ૭૦ વર્ષમાં નહી અનુભવેલુ રાજ્ય અને ધર્મનું ગઠબંધન છેલ્લા પાંચ વર્ષોમાં સ્પષટ જોવા અને અનુભવવા મળ્યું છે.માનવજાતે  છેલ્લા એકહજાર વર્ષોના સંઘર્ષ પછી જે રાજ્ય અને ધર્મ વચ્ચેનું સંપુર્ણ વીયોજન વીકસાવેલું છે તેને દેશના ઉભરી રહેલા ફાસીવાદી પરબળો નષ્ટ કરવા મેદાને પડયા છે. બંધારણીય રાષ્ટ્રવાદ અને બંધારણીય નેતીકતાને બાજુપર કે હોંસીયામાં હડસેલી દઇને  હીંદુ રાષ્ટ્રવાદ અને હીંદુધર્મ આધારીત નૈતીકતાની દુહાઇ આ ફાસીવાદી પરીબળો કરવા મચી પડ્ડયા છે. દેશનો કોઇ ધર્મ સને ૧૯૫૦ના માન્ય કરેલ બંધારણ પછી હોય તો તે બંધારણીય ધર્મ છે. તેને સર્વોપરી ગણવો જોઇએ. તે પ્રમાણે રાજ્યસત્તા અને પ્રજાના તમામ વ્યવહારો થવા જોઇએ.

ફાસીવાદીઓના આ તર્કને સમજીએ. છેલ્લી ઘણી બધી સદીઓથી દેશમાં મુસ્લીમ સત્તા અને ત્યારબાદ ખ્રીસ્તી ધર્માના શાસકોના હાથમાં રાજકીય સત્તા હતી. ત્યારે દેશનો હીંદુધર્મ ખતરામાં ન હતો. તેને માથે પોતાનું અસ્તીતવ ટકાવી રાખવા માટેનું જોખમ તે સમયે પેદા થયું ન હતું. દેશની ૮૦ ટકા વસ્તી તે સમયે અને આજે પણ હીંદુ જ રહી છે. " અબ હીંદુ પ્રજા ખતરમેં આ ગઇ". માટે એક મજબુત નેતાની જરૂર ઉભી થઇ છે. લોકશાહીમાં સત્તાનું વીકેન્દ્ર્કરણ હોવાને કારણે નેતાગીરી સહીયારી અને વહેંચાયેલી હોય છે. ફાસીવાદીની સત્તા ફક્ત એક જ મજબુત નેતાથી જ ટકી રહે છે. આવો નેતા હોવો તેમાં ઇશ્વરી સંકેત હોય છે તેવા પાઠ ફાસીવાદ જે તે દેશની પ્રજાને ભણાવે છે.

(૯) ફાસીવાદની આર્થીક નીતી દેશના દસ–બાર ઔધ્યોગીક ગૃહો ( કોર્પોરેટ હાઉસીસ)ની હંમેશાં તરફેણ કરનારી જ હોય છે. ફાસીવાદી નેતા અને અને તેનો પક્ષના બધાજ હીતો સાથે આ બધા ઔધ્યોગીક ગૃહોને નીજી સંબંધો હોય છે. એક બીજાની પ્રવૃત્તીઓ એક બીજાની પુરક હોય છે.

" દેશકા કીસાન સબકો રોટી દેતા હૈ, મગર દેશ કે ઉધ્યોગપતીઓ દેશકે રાજકીય પક્ષોકો ચુનાવ કે લીએ ચંદા દેતા હૈ ." આ ફાસીવાદી રાજકીય નેતાઓ અને પક્ષો કીસનના હળ ને બચાવશે કે પેલા ઉધ્યોગપતીના હેલીકોપ્ટરને જે ચુંટણી લડવા કામમાં આવવાનું છે? દેશના કીસાનના આપઘાત અને અસંતોષથી ફાસીવાદના દોડતા અશ્વમેઘને કોઇ ફરક પડતો નથી. " પહેલે ભી કીસાન મરતે થે આજ ભી કીસાન મરતે હૈ.મગર પહેલે કીસાન આસમાનકી બુરાઇ સે મરતે થે, આજ કીસાન સલ્તનતકી બુરાઇસે મરતે હૈ." તેમની સરકારોતો 'સુટબુટ'ની અને 'બુલેટ ટ્રેઇન' સરકારો છે. આ ફાસીવાદી સરકારો ખેડુતોની જમીનો ' પ્રજાહીત'ના નામે જમીન સંપાદન કરીને જમીન વીહોણા બનાવી દે છે.

(૧૦) મજુરચળવળોને કચડી નાંખીને દબાવી દેવી– ફાસીવાદીઓને મુડીપતીઓના હીતોને ટકાવી રાખવા રાજયનીતીઓ મજુરવીરોધી હોવી અનીવાર્ય છે.ફાસીવાદની નીતીરીતીઓને કારણે આ વધતી મજુર બેકારોની ફોજ તો ફાસીવાદીઓને સરહદ પરના દુશ્મનો સામે રાષ્ટ્રભક્તી અને રાષ્ટ્રપ્રેમના નામે બલી ચઢાવવા ખુબજ કામમાં લાગે છે. ખેતીમાંથી ફેંકાઇ ગયેલા જમીન વીહોણા ખેડુતોના છોકરાઓ હળને બદલે બંદુક પકડે તેમાં પેલો ફાસીવાદી કાળમુખો પોતાની મુછો અને દાઢીમાં મુસ્કરાય છે!

ફાસીવાદી સરકારોને જાહેર ક્ષેત્ર (પબ્લીક સેકટર)ના ઉધ્યોગોના ખાનગીકરણમાં અમાપ હીત હોય છે. જાહેર ક્ષેત્રના ઉધ્યોગો ન રહે તો પછી તેના મજુરસંગઠનો કેવી રીતે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે? " જબ  ન રહેગા બાંસ તબ બાંસુરી કેસે બજેગી." શીક્ષીત બેકારોની ભીડતો ફાસીવાદઓને દેશના આંતરીક દુશ્મનો સાથે હીસાબ ચુકવવાની સડકપરની ફૌજ( Strom troopers) છે.

(૧૧) ફાસીવાદના એક નંબર દુશ્મનો દેશના બૌધ્ધીકો, કલાસર્જકો વી.–

 જે વીચારે તે દુશ્મન અને ફાસીવાદ સાથે 'કદમતાલ' ( માર્ચ) કરે તે તેનો ટેકેદાર. ફાસીવાદને સૌથી મોટા પડકારનો ભય હોત તો તે અગાઉ જણાવ્યું તે પ્રમાણે સરહદ પારના દુશ્મનોનો નહી પણ દેશના આ બધા માની લીધેલા ગદ્દારોનો. " દેશકે બુધ્ધીજીવીઓ, ઐવોર્ડ વાપસી વાલે, કલાકારો, અર્બન નક્ષલ( કોણ છે? શહેરી પ્રોફેસર, શીક્ષક, જર્નાલીસ્ટ,લેખક વી.) અને પેલા જેએનયુ વાલે સબ ફાસીવાદકે લીયે બારુદી સુરંગ હૈ !"  "સવાલ પુછ કર દેશકી તરક્કીમેં બાધા ડાલનેકા કામ કરતે હૈ".

(૧૨) ફાસીવાદ માને છે કે આ બધા તેમના વીરોધીઓ સામે કામ લેવા કાયદાના રાજયની અને બંધારણ આધારીત કામ કરતા ન્યાયલયોની બીલકુલ જરૂર નથી. ' હમ હૈ ઔર અમારી કેડર હી પુરતી હૈ.'  મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નીર્મુલનની ચળવળ ચલાવતા ડૉ નરેન્દ્ર દાભોલકર, કોલ્હાપુરના ગોવીંદ પાનસરે, કર્ણાટકના ધારવાડના ભુતપુર્વ વાઇસ ચાન્સેલર એમ. એમ કલબુર્ગી અને બેંગલોરની પત્રકાર ગૌરૌલંકેશ વી ના અવાજોને કાયમ માટે શાંત કરવા આ બધાએ કાયદા અને ન્યાયતંત્રનો સહારો લીધો ન હતો.

(૧૩) ફાસીવાદની જીવાદોરી ભ્રષ્ટાચાર અને નીજી મુડીપતીઓ ( Crony Capitalism ) છે.

(૧૪) ચુંટણીમાં ગોટાળા કરી અને સત્તા કબજે કરવા તમામ સાધનોનો ઉપયોગ ( દુરઉપયોગ)–

તે ફાસીવાદની નેતાગીરી માટે સામાન્ય બાબત હોય છે. નાગરીકો પોતાના જોખમે આ બધાને તેમના સાચા રંગથી ન ઓળખે તેમાં વાંક કોનો?  તમારો અને મારો!............ The End………ભાવાનુવાદક – બીપીન શ્રોફ.


--

Saturday, February 23, 2019

ચલો! ભારતના બંધારણની કલમ ૩૭૦ કાશ્મીર રાજયના સંદર્ભમાં સમજીએ.


 ચલો! ભારતના બંધારણની કલમ ૩૭૦ કાશ્મીર રાજયના સંદર્ભમાં સમજીએ.

પરંતુ તે પહેલાં આટલી માહીતી જાણી લઇએ કે ભારતે આઝાદી કે સ્વતંત્રતા ફક્ત બ્રીટીશરો પાસે જે જમીન હતી, જેના પર ગોરી સરકારની  હકુમત કે સત્તા હતી તે ભુમી આઝાદી પેટે મેળવી હતી.

(1) દેશમાં જે રજવાડી રાજયો હતા( Princely states) જેની સંખ્યા ૫૦૦ ઉપરની હતી તે બધાની તમામ સત્તા પોતાની હસ્તક ભુમીમાં ગોરી સરકાર જેટલીજ હતી. તે રજવાડી રાજયોમાં ગોરી સરકારની હકુમત નહતી તેથી તે બધાને સને ૧૯૪૭માં દેશમાં ભેળવીને એક રાષ્ટ્ર બનાવવાની પ્રક્રીયા બાકી હતી અથવા અધુરી હતી.

(2) તમામ દેશી રજવાડી રાજયોમાંથી ઉત્તરમાં કાશ્મીર(બહુમતી પ્રજા મુસ્લીમ– રાજા હીંદુ), દક્ષીણમાં હૈદ્રાબાદના નીઝામ ( બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ) અને પશ્ચીમમાં એટલે કાઠીયાવાડમાં જુનાગઢ (બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ)આવા પણ દેશી રાજયો હતા.

(3) ભારત સરકાર પાસે તે સમયે ત્રણ રાજયોના સત્તા– હસ્તાંતરના પ્રશ્નો થયા હતા.સદર ત્રણ દેશી રાજયો સીવાયના દેશના બધાજ રજવાડાની પ્રજા અને રાજા બંને હીંદુઓ હોવાથી તે સરદાર સાહેબના નેતૃત્વ હેઠળ તે બધા રાજાઓએ પોતાનો સાર્વભૌમત્વનો હક્ક (ભારત એટલે હીંદુસ્તાન નહી પણ (યુનીયન ઓફ ઇંડીયન સ્ટેટસ) કેટલીક સાલાયાણા જેવી શરતો સાથે ભારતની તરફેણમાં કાયમ માટે અન્ય ખાસ શરતો સીવાય હસ્તાંતર (ટ્રાન્સફર) કર્યો હતો.

(4) પેલા ત્રણ રાજયોમાંથી હેદ્રાબાદના નીઝામ અને જુનાગઢના નવાબ સાથેનો પ્રશ્ન લશ્કરી બળની મદદ લઇને તેમની સાથે સાર્વભૌમના હસ્તાંતર કરાર દેશની તરફેણમાં સરદાર સાહેબ કરાવી શક્યા હતા.

(5) કાશ્મીર એટલે કાશ્મીર ખીણ પ્રદેશમાં જેના ડોગ્રા રાજા હીંદુ  હરીસિંગ ભારત સાથે જોડાવા તૈયાર ન હતા. બીજુ આ પ્રદેશમાં બહુમતી કાશ્મીરી મુસ્લીમ પ્રજા અને લઘુમતી હીંદુ કાશ્મીરી ડોગ્રા ( બ્રાહ્મણ વી.) બંને પ્રજાના નેતાઓ કાશ્મીરને હિંદુ રાજા હરીસીંહ અને તે પહેલાં તેના પિતા ગુલાબસીંગ સામે (બ્રીટીશરો સામે નહી,) આઝાદીની સ્વતંત્ર લડત નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીર નેજા હેઠળ ઘણા વર્ષોથી લડી રહ્યા હતા.

(6) ગાંધીજી. નહેરૂ, સરદારવાળી, રેંટીયો, ખાદી, અહીંસા અને સર્વધર્મ સમભાવની પ્રાર્થના જેવા સીધ્ધાંતોવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ ત્યાં ન હતી.

(7) નેશનલ કોન્ફરન્સના નેતાઓ શેખ અબ્દુલા, પ્રેમનાથ બજાજ, સાદીક અલી વી. તે સમયમાં સંપુર્ણ અને સૈધ્ધાંતીક અર્થમાં નીરઇશ્વરવાદી, ધર્મનીરપેક્ષ અને ધર્મને બાકાત રાખીને માનવ માત્ર સમાન છે તેવી સુફી તત્વજ્ઞાનવાળી ઇસ્લામીક નહી, તેવી જીવન પધ્ધતીમાં માનનારા અને તે પ્રમાણે જીવન જીવનારા હતા. તે બધાને રાજા રામમોહનરાયની ૧૯મી સદીની સતીપ્રથા વીરોધી, નવજાગરણની ચળવળે પ્રેરણા આપતી હતી. કાશ્મીરી પ્રજાને આ મુદ્દે કેળવવા માટે તેની તરફેણ કરતા પુસ્તકો પણ લખ્યા, તેમજ પ્રકાશીત કર્યા હતા.

(8) કાશ્મીર જે હીંદુરાજા અને મુસ્લીમ બહુમતી પ્રજાનું રાજય હતું ત્યાં રાજાએ સૌ પ્રથમ સ્વતંત્ર રાજય (ઓટોનોમસ કંટ્રી) એટલે કે ભારતીય સંઘમાં( યુનીયન ઓફ ઇંડીયા) પણ નહીં અને પાકીસ્તાનમાં પણ નહીં જોડાવાનો નીર્ણય લીધો હતો.પોતાના રાજયની નેશનલ કાઉન્સીલને જે સ્થાનીક હીંદુરાજાશાહી સામે લડતી હતી તેને પણ કાશ્મીર રાજયને સ્વીઝંર્લેંડ જેવું સ્વાયત્ત રાજય બનાવવું હતું. ભારત અને પાકીસ્તાન તેવા કાશ્મીર રાજયની સંરક્ષણ, નાણું અને અન્ય વિદેશી સંબંધો જેવી જવાબદારી લે તેવી માંગણી હતી. સ્થાનીક મુસ્લીમ પ્રજાનો પણ ઉપર મુજબનો મત હતો.

(9) આ પુર્વભુમીકા સામે, ભારત– પાકીસ્તાનના ભાગલા પડ્યા અને ૫૦૦ ઉપરાંતના હીંદુરાજયોનો ભારતીય સંઘમાં વિલીનીકરણની પ્રક્રીયા શરૂ થઇ. સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી કે ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ હતા.

(10)                   તે સમયે કાશ્મીરીની બહુમતી પ્રજા મુસ્લીમ હોવાથી અને તેની સરહદો વીનાની હદો  હતી. પાકીસ્તાને તે પ્રદેશ ઉપર પોતાના લશ્કરને(કબાયલીયોઅથવા તાયફાવાળાના છુપા ડ્રેસમાં) આક્રમણ કરાવીને શ્રીનગરથી નજીકમાં આવેલ બારામુલા વીસ્તારમાં પોતાનો કબજો ઉભો કરી દીધો. શ્રીનગર તરફ કબજો કરવા આગળ વધવા માંડ્યું હતું. શ્રીનગરને કબજે કરવા આશરે ફક્ત ૭૨ કલાકનો જ સમયગાળો બાકી હતો.

(11)                  ઉપર મુજબના અતીકપરા સંજોગોમાં અને કાશ્મીરના હીંદુ રાજા હરીસીંહ પાસે પાકીસ્તાનના તાયફાવાળા લશ્કર સામે મુકાબલો કરવાની કોઇ તાકાત નહોતી.તેથી સરદાર પટેલના નેતૃત્વ નીચે કાશ્મીરના રાજાએ ભારતીય સંઘના એક ભાગ તરીકે કેટલીક શરતોને આધીન પોતાની સાર્વભૌમ સત્તાનું ભારતમાં જોડાણ કર્યુ હતું. કાશ્મીરને ભારતીય સેનાએ તાત્કાલીક શ્રીનગરના હવાઇ મથક પર ખુબજ મોટી સંખ્માં ઉતારીને પાકીસ્તાનના લશ્કરને યુધ્ધ વીરામની હદ સુધી જે પાછળથી આઝાદ કાશ્મીર ( પાકિસ્તાની ઓક્યુપાઇડ કાશ્મીર) તરીકે ઓળખાય છે ત્યાંસુધી ખદેડી દીધું. આમ કાશ્મીરના બે ભાગ પડી ગયા. આપણે  યુનાઇટેડ નેશનની જનરલમાં એસ્મબ્લીમાં દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ એવી લેખીત બાંહેધરી આપી હતી કે સમગ્ર કાશ્મીરમાં શાંતી સ્થપાશે ત્યારે કાશ્મીરની પ્રજાની મતદાન પાત્ર બહુમતી કોની સાથે જોડાવાનો નીર્ણય કરશે ( યુનોની નીગરાની નીચે જનમત પ્લેબીસાઇટ) તે પ્રમાણે કાશ્મીર રાજય તરીકે અસ્તીત્વ ધરાવશે.) અને તે પ્રમાણે યુધ્ધવીરામ બે દેશો વચ્ચે થયો.(વીશ્વમાં ફક્ત ત્રણ વર્ષ પહેલાં સને ૧૯૪૫માં બીજા વીશ્વ યુધ્ધની તારીજીના દશ્યો સૌની આંખ સમાન હોવાથી વીશ્વ મત પણ તે સમયે વડાપ્રધાન નહેરૂની યુધ્ધ નહી પણ શાંતીની તરફેણમાં હતો.) જે હવે સીમલા કરાર પછી લાઇન ઓફ કંટ્રોલ ( એલ ઓ સી) તરીકે ઓળખાય છે.એટલે કે સને ૧૯૪૮માં જે દેશ પાસે જે ભુમી રહી તે કાશ્મીરની બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા બની ગઇ. (ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ બીટવીન ટુ નેશન્સ)

(12)                  ભારતમાં કાશ્મીર સહિત બધાજ દેશી રાજયોને પોતાના વિધિસરના ભારતીય સંઘ સાથેના જોડાણ માટેની શરતો નક્કી કરવા બંધારણ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાશ્મીર સીવાય કોઇ દેશી રાજયોના વડાઓએ બંધારણ સભાએ જે નીયમો ઘડ્યા હતા તે માન્ય રાખ્યા. ભારતીય સંઘે પોતાના સાર્વભૌમત્વના સંદર્ભમાં સાલીયાણા વી,ની જે શરતો નક્કી કરી હતી તે વિના વીરોધે માન્ય રાખી.

(13)                  તે સમયની જમ્મુ – કાશ્મીરની સરકારે રચવામાં આવેલી પોતાની બંધારણ સભાએ પોતાના બંધારણમાં ૩૭૦મી કલમ દાખલ કરી. જેને ભારતીય બંધારણે સ્વીકાર કર્યો. ત્યાર બાદ તે કલમ જમ્મુ – કાશ્મીરની બંધારણ સભાએ રદબાતલ કર્યા સીવાય (abrogation) જે તે બંધારણ સભાને સને ૧૯૫૭માં વીખેરી નાંખવામાં આવી હતી. માટે તે કલમ ૩૭૦ ભારતીય બંધારણનો પણ એક અનીવાર્ય ભાગ બની ગઇ. (After the J&K Constituent Assembly later created the state's constitution and dissolved itself without recommending the abrogation of Article 370, the article was deemed to have become a permanent feature of the Indian Constitution) સને ૨૦૧૮ સુધી એટલે કે ગયા વર્ષ સુધી જુદા જુદા કેસોમાં દેશની સર્વોચ્ચ અદાલત અને જમ્મુ– કાશ્મીરની હાઇકોર્ટે તે કલમને કાયમી ગણીને જ પોતાના ચુકાદા આપ્યા છે.

(14)                  બંધારણીય કાયદા નીષ્ણાતો માટે સવાલ એ છે કે જે કરાર ભારતની બંધારણ સભાએ સ્વીકાર કર્યો હોય અને પાસ કર્યો બાદ બંધારણના મુળભુત ઢાંચાનો એક ભાગ બની ગયો હોય તેને બદલ; શકાય ખરો? તેના સામા પક્ષકારની સંમતી સિવાય ભારતની સંસદ પાસ કરી શકે?

(15)                  હવે જોઇએ કે કલમ ૩૭૦ માં શું આવે છે? અથવા તે કલમમાં કઇ કઇ શરતો મુકવામાં આવેલી છે.

(અ) કાશ્મીર રાજય સીવાય અન્ય ભારતીય સંઘના રાજયોના વડાને રાજયના ગર્વનર તરીકે ઓળખાશે,જયારે કાશ્મીરનો ગર્વનરને ' સદરે– રીયાસત'(Sadr-i-Riyasat) થી ઓળખાશે.

(બ) જમ્મુ– કાશ્મીરના મુખ્ય મંત્રીને કાશ્મીરના વડાપ્રધાન ધી પ્રાઇમ મીનીસ્ટર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર તરીકે ઓળખાય અને તે પ્રમાણે સંબોધીત થશે.આ બંને સંબોધનો સને ૧૯૬૪ની આસપાસ કાઢી નાંખવામાં આવ્યા છે. ભારત રાજયના પોતાના જોડાણમાં વીશ્વાસ મુકી આ નાનો સરખો સેફટી વાલ્વ પોતાની સ્વતંત્ર ઓળખને ઉજાગર કરતો હતો તેને નાબુદ કરી દીધો.

 (ક)ભારત સાથેના જોડાણમાં મહારાજા હરીસીંગે કલમ સાતમાં એવી શરત મુકી છે કે જમ્મુ અને કાશ્મીર રાજય હવે પછી ભારતના સદર બંધારણ સીવાય કોઇ બંધારણ કે તેનો સુધારો સ્વીકારશે નહી. વધારામાં જમ્મુ– કાશ્મીરની સરકાર અને તેણે બનાવેલું બંધારણ નક્કી કરશે કે પોતાના હીતમાં તે ભારતીય બંધારણને નવી કઇ કઇ સત્તા આપવા માંગે છે.

(ડ) આપણા દેશના બંધારણીય નીષ્ણાત એડવોકેટ એ.જી.નુરાનીના મત પ્રમાણે કલમ ૩૭૦ નો કરાર સંપુર્ણ વીધીસરનો કરાર છે. તેમાં ખુદ જમ્મુ–

(ઇ) સને ૧૯૫૨માં કલમ ૩૭૦માં ૩૫–એ દીલ્હી એગ્રીમેંટ નામનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ જમ્મુ– કાશ્મીર રાજયના મુળ નીવાસીઓ ભારતના નાગરીક બનશે.આવા મુળ નાગરીકો સીવાય ભારતના નાગરીકો કાશ્મીરમાં કોઇ સ્થાવર મીલકત રાખી શકશે નહી.

(ફ્) સને ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં એવું વચન આપ્યું હતું કે તે સત્તા પર આવશે તો તે જમ્મુ– કાશ્મીરને વીશેષ દરજજો આપતી કલમ ૩૭૦ અને ૩૫– એ નાબુદ કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમાં ટેકો હતો.

(એચ) કાશ્મીર ખીણમાં ભારત દેશમાંથી સંપુર્ણ સ્વાયત્તા માટેની ચળવળ ચલાવતા ભાગલાવાદી પરીબળોતો રાહ જોઇને બેઠા છે કે ક્યારે મોદી સરકાર અથવા તેમના જેવી અન્ય કેન્દ્ર સરકાર, સદર ચર્ચાસ્પદ કલમ ૩૭૦ને કાઢી નાંખે છે. કારણકે તે કલમને આધારે તો કાશ્મીરના રાજા હરીસીંગે ભારત સાથે જોડાણ કર્યું હતું. હવે તેજ કલમ ૩૭૦ રદબાતલ કરવામાં ભારત સરકાર તરફથી જ શરૂઆત કરવામાં આવે તો સામા પક્ષકારને પોતાની રીતે નવેસરથી યોગ્ય લાગે તેની સાથે જોડાણ કરવાનો કરાર કરવાની છુટ ખરી કે નહી? ત્યારબાદ વીશ્વ સમક્ષ સાબીત કરી શકાય કે ભારતે હવે ગેરકાયદેસર રીતે કાશ્મીર ખીણનો કબજો મીલીટરી દ્રારાજ લઇ લીધો છે. જે લશ્કરી આક્રમણ સીવાય કંઇજ નથી તેમ સ્પષ્ટ થાય...............

જમ્મુ અને કાશ્મીર સીવાય કલમ ૩૭૦ દેશમાં સીક્ક્મ, હીમાચલ પ્રદેશ, અરૂણાચલ, નાગાલેંડ, આંદામાન નીકોબાર અને ઉત્તર પુર્વના રાજયોમાં પણ આ કલમ લાગુ પડે છે. આ બધા રાજયોમાં પણ જે તે રાજય સિવાયનો કોઇપણ ભારતીય નાગરીક સ્થાવર મીલકત ખરીદી શકતો નથી.

 

 

--

Thursday, February 21, 2019

પ્રીતેશ નંદી બોલે છે.

પ્રીતેશ નંદી બોલે છે.....

ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી કોઇને ખબર નથી હોતી કે લોકો કોને વોટ આપશે?. મારો અનુભવ એ છે કે લોકો ક્યારેય કોઇ ચીજની તરફેણમાં વોટ નથી આપતા. તેઓ હંમેશાં કોઇ વાતના વિરોધમાં વોટ આપે છે. બાંગ્લાદેશ યુદ્ધનાં નાયિકા ઇન્દિરા ગાંધી કટોકટીને કારણે 1977ની ચૂંટણી હારી ગયા. 10 વર્ષ બાદ તેમના પુત્ર રાજીવ બોફોર્સના કારણે ચૂંટણી હારી ગયા. દેશને આર્થિક સુધારાના પથ પર લાવનારા નરસિંહ રાવ 1996માં બાબરી મસ્જિદ ધ્વંસ અને તેની અસરને કારણે હારી ગયા.

હું નથી માનતો કે ભાજપ 2014ની ચૂંટણી મોદીના કરિશ્માને કારણે જીત્યો. બની શકે કે તેનાથી મદદ મળી હોય પણ ભાજપ જીત્યો એ કારણથી કે લોકોએ યુપીએ-2નાં કૌભાંડોની વિરુદ્ધમાં વોટ આપ્યા. મોદી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ચહેરો હતા અને તેના કારણે તેમને એવા નેતા બનવામાં મદદ મળી, જેમને લોકો પાંચ વર્ષ પછી પણ સાંભળવા તૈયાર છે.

બાકી મોદીની વર્તમાન સરકાર મોટા ભાગના મોરચે નિષ્ફળ રહી છે.
રાજકારણમાં પાંચ વર્ષ લાંબો સમય હોય છે. તેમ છતાં 2014માં ભાજપે આપેલાં વચનો મોટા ભાગે અધૂરાં જ છે. ઘણા મતદારોને ખાસ કરીને સંકટમાં ફસાયેલા ખેડૂતો અને બેરોજગાર યુવાનોને હવે એ વચનો બનાવટી લાગે છે. ભાજપ પાસે ક્યારેય એવા લોકો હતા જ નહીં કે જે કોઇ યોજનાને વ્યાવહારિક ધરાતલ પર ઉતારી શકે અને તેવું કરવાનો તેમનો ક્યારેય ઇરાદો હતો જ નહીં.

........આ દરમિયાન પાંચ વર્ષ વીતી ગયા. પાછું વાળીને જોઇએ તો લાગે છે કે જે તક મળી હતી તે વેડફાઇ ગઇ. બધા સત્તા મળ્યાનો જશ્ન મનાવવામાં વ્યસ્ત થઈ ગયા.નવા વડાપ્રધાન આવતાં જ બધા દિલ્હીમાં જવાબદારી વિનાના આરામના પદની તલાશમાં આવવા લાગ્યા અને તેનાથી એ વર્ગ પેદા થયો કે જે 'નવું જમણેરી જૂથ' (ન્યૂ રાઇટ) કહેવાયો. આ સરેરાશ દરજ્જાના લોકોનું ટોળું હતું, જેમના પર ગાય, બનાવટી ઇતિહાસ અને એ રામ મંદિરનું ઝનૂન સવાર છે કે જેને બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નથી.
........લાગે છે કે તેઓ પહેલા દિવસથી જ 2019ની તૈયારી કરી રહ્યા હતા. તેઓ લગભગ દરેક ભાષણમાં રાહુલના પરનાના નેહરુ પર હુમલો કરતા અને 1947થી દેશ સાથે જે કંઇ પણ ખોટું થયું છે તેના માટે તેમને જવાબદાર ઠેરવતા. પછી તેઓ સોનિયા અને રાહુલને પણ ઢસડી લાવતા. ભ્રષ્ટાચારનો મુદ્દો તેમના મન પર એ રીતે હાવી છે કે તેમને બીજું કંઇ દેખાતું જ  નથી.
.........વંશવાદી રાજકારણ પર હુમલા અને ભ્રષ્ટાચાર સામે લડવાના આ બે ઝનૂનના કારણે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર પંગુ થઇ ગઇ એટલું જ નહીં, દરેક ખોટા નિર્ણય પાછળનું કારણ પણ આ જ હતું.
..........દરેક જાણે છે કે, નોટબંધી અને ઉતાળવમાં લાગુ કરાયેલા જીએસટીએ કરોડો ગરીબો અને મધ્યમવર્ગીય લોકોની આજીવિકા ખતમ કરી નાંખી. જે ધનવાનો અને અતિ ધનવાનોને પકડવા માટે આ પગલાં લેવાયા હતા તેઓ બચી ગયા કારણ કે, તેઓ જાણતા હતા કે સરકારી સિસ્ટમને કેવી રીતે છેતરવાની છે.......

સામાન્ય લોકો માટે ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, ઊલટાનો વધ્યો. ઓક્સફામના આંકડા કહે છે કે,આપણા દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધનવાનો વધુ ધનવાન થયા છે, જ્યારે બીજાના હાલ ખરાબ થયા છે.

........આ બધા વચ્ચે રાહુલ ગાંધી પર વારંવાર હુમલા કરીને નરેન્દ્ર મોદી પોતાને કેન્દ્રસ્થાને લઈ આવ્યા કારણ કે, રાહુલ ગાંધી રાજકારણમાં થોડા નવા હતા. જોકે, રાહુલ તેમના મુખ્ય વિરોધી અને સમકક્ષ થઈ ગયા, જ્યારે મોદી તેમને રાજકારણની બહાર કાઢવા માંગતા હતા. મોદી જેટલા આક્રમક થાય છે, એટલા જ રાહુલ કોંગ્રેસ અને વિપક્ષ માટે મહત્ત્વપૂર્ણ થઈને બહાર આવે છે. આજે મોદી આક્ષેપ મૂકે છે કે, ભાજપને અલગ કરીને બધા જ એકજૂટ થઈ રહ્યા છે, તો વાંક તેમનો જ છે. તેમણે જે શેખી મારી તેનું જ આ પરિણામ છે.

..............મોદીના સતત હુમલાએ રાહુલને એટલી હિંમત આપી છે કે, હવે તેઓ ચતુરાઈથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં લઈ આવ્યા છે. તેઓ જાણે છે કે, મોદીના હુમલાથી પ્રિયંકાને પણ તાકાત મળશે. આ ઉપરાંત પાંચેક વર્ષમાં રોબર્ટ વાડરાને પણ જે રીતે સાણસામાં લેવાયા છે, તેથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ જ શંકાસ્પદ બની ગઈ છે અને રફાલ સોદામાં રોજ નવી વાતો બહાર આવી રહી છે ત્યારે તો ખાસ. જો રફાલના કૌભાંડો બહાર આવે છે તો ઓગસ્ટા વેસ્ટલેન્ડના ભૂતને જગાડવાનો કોઈ અર્થ નથી. સરકારની હાલ ખરાબ થઈ રહી છે કારણ કે, તેઓ ફક્ત રફાલના તથ્યો નથી છુપાવતી પરંતુ ઘટતી જતી નોકરીઓ અને ખેડૂતોના આત્મહત્યાના આંકડા પણ સામે નથી આવવા દેતી. 
...........હવે રાહુલ ગાંધી રફાલના તીર સાથે શક્તિશાળી વિરોધીનો સામનો કરવા તૈયાર છે. હવે બીજા પક્ષો પણ તેમની સાથે છે. શું તેઓ એકજૂટ થઈને મોદીનો કરિશ્મા ખતમ કરી શકશે?

 અત્યારે તો કોઈ નથી જાણતું પણ એટલું નક્કી છે કે, ભાજપ માટે આ ચૂંટણી જીતવી સરળ નહીં હોય. જો વિપક્ષ દરેક બેઠક પર ભાજપ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર ઊભો રાખે છે તો તેમના માટે આ ચૂંટણી સરળ રહેશે. ..........ગઠબંધન મુદ્દે કેટલીક ખોટી ધારણાઓ છે, પરંતુ ભારતની સરકારોએ ગઠબંધન હેઠળ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે, અને એ પણ એવા સમયે, જ્યારે તેઓ અસ્થિર હતા અને તેમને ટકી રહેવાનો વિશ્વાસ પણ ન હતો. એવા સમયે અર્થતંત્ર સારું હતું, માનવાધિકાર રેકોર્ડ પણ સારો હતો અને નેતાઓએ વિનમ્રતાથી વાત કરવાનું શરૂ કર્યું હતું. એ જ સમયે સત્તાધારીઓના અહંકારની જગ્યા કરુણાએ લીધી હતી. આદેશના બદલે સામૂહિક સંમતિનું ચલણ પણ વધ્યું હતું.

એ પણ હકીકત છે કે, અટલ બિહારી વાજપેયીએ સૌથી સારી રીતે ગઠબંધન સરકાર ચલાવી હતી. હું પણ ત્યારે સંસદમાં હતો. હું જાણું છું કે, તેઓ દરેકની વાત સાંભળતા હતા અને તેમણે ક્યારેય પોતાના વિરોધીઓને નીચા નહોતા પાડ્યા. તેઓ જીતવા માટે હંમેશા ઝૂકવા તૈયાર રહેતા હતા. સૌથી મોટી વાત એ છે કે, તેમણે સુપરમેન હોવાના વાઘા ક્યારેય નહોતા પહેર્યા .

સૌ. આજનું દીવ્યભાસ્કર. લેખને ટુંકાવીને અત્રે મુકેલ છે.

1 / 2


 

--

Tuesday, February 19, 2019

વધારે નહી થોડું ક જ વીચારીએ!


વધારે નહી થોડું ક જ વીચારીએ!

આપણા દેશમાં જુદી જુદી કોલેજો ને વીશ્વવીધ્યાલયોમાં કાશ્મીર ખીણ પ્રદેશના ઘણા બધા વીધ્યાર્થીઓ વર્ષોથી અભ્યાસ કરે છે. તા. ૧૪મી ફેબ્રુઆરીના બનાવે રાતો રાત આ બધા કાશ્મીરી વીધ્યાર્થોઓ દેશ દ્રોહી બની ગયા હોય તેમ કેટલાક સ્વ દેશ પ્રેમી તત્વોએ તે બધા પર હુમલા કરવા માંડ્યા છે. આ વીધ્યાર્થીઓ અને વીધ્યાર્થીનીઓને પોતાની હોસ્ટેલોમાં પુરાઇ રહેવું પડ્યું છે. અને બહાર ટોળું રાહ જોઇ ને ઉભું રહ્યું છે.

વૈશ્વીક અને સ્થાનીક અખબારી જગત " પાપડી ભેગી ઇયળ બળી ન જાય તેને માટે સરકારને વીનંતી કરે છે. ગૃહમંત્રી રાજનાથે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરીને સંયમ રાખવાની વીનંતી કરી છે..આપણે દેશના સમજદાર નાગરીક તરીકે પોતાની જાતને પ્રશ્ન પુછી શકીએ ખરા કે  આ બધા વર્ષોથી અભ્યાસ કરવા આવેલા બધાજ વીધ્યાર્થીઓને  કાશ્મીરમાં મોકલીને કોના હાથા બનાવવા છે.? ત્યાં જઇને જે બેકાર નવયુવાનો છે તે હાલ જો આત્મઘાતી બોબ્મબર બનવા તૈયાર હોય તો તેમાં આપણા આ પગલાંથી કોના હાથ મજબુત થશે! કોણ કોની ચાલમાં ફસાશે? વધારે નહી થોડું ક જ વીચારીએ! આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખના આ બધા વાક્યોને સમજીશું ખરા?

" If that idea should become besieged or threatened by mobs wielding patriotism as a weapon against India's own, it would be the terrible success that the Pulwama suicide bomber aimed for. What else is the terror project, after all, but the bid to maximise the terror fallout." સૌ. ઇ. એક્સ, તંત્રી લેખ તાં ૧૯–૦૨–૧૯.

--

Thursday, February 14, 2019

મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

     મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટ–૧૭મી જાન્યુઆરી ૨૦૧૯.ડીવીઝન બેંચ– જસ્ટીસ સીકરી અને જસ્ટીસ અશોક ભુષણનો ચુકાદો.

મહારાષ્ટ્ર સરકાર સને ૨૦૦૫થી સતત ડાન્સબાર હોટેલ્સમાં 'ગર્લ્સ ડાન્સ' કરીને પોતાનું ભરણપોષણ ન કરી શકે તેવા સુધારા પોતાના પોલીસ રૂલ્સમાં કર્યા કરતી હતી. સને ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીમાં ડાન્સબારના માલીકો કાયદેસરના નીયમોનું પાલન કરીને લાયસન્સ લઇને તે બીઝનેસ કરી શકે તેવી કોઇ શક્યતા મહારાષ્ટ્ર સરકારે રાખી નહતી. બોમ્બે હાઇકોર્ટે  સદર સરકારના નીયમો જે દેશના બંધારાણના નાગરીકનોના મુળભુત અધીકારોનું ખાસ કરીને આર્ટીકલ ૧૪ અને ૧૯નું ઉલ્લંઘન કરતા હતા તેવા નીયમોને ગેરબંધારણીય ઠરાવ્યા હતા. તો પણ તેમાં નાનો મોટો ટેકનીકલ ફેરફાર કરીને મહારાષ્ટ્ર સરકારે નાગરીકની નૈતીક (મોરલ) પોલીસ બનીને નીયમો જ એવા પોતાની વીધાનસભામાં પસાર કરાવ્યા હતા કે જેથી આ વ્યવસાય કરી જ નશકાય. સરકારનો સ્પષ્ટ ખ્યાલ હતો કે ડાન્સબારનો ધંધો ભારતીય સંસ્કૃતીની મુલ્યોની વીરૂધ્ધનો છે માટે અમે તેને કાયદેસરનો ધંધો ગણીને ચાલવા દઇશું નહી. ડાન્સબારના હોટેલ માલીકો તથા ડાન્સબાર ગર્લ્સ એસોસીયેશને સુપ્રીમ કોર્ટમાં  મહારાષ્ટ્ર પ્રોહીબીશન ઓફ ઓબસીન ડાન્સબાર, હોટેલ્સ, રસ્ટોંરન્સ એન્ડ બારરૂમ્સ એન્ડ પ્રોટેક્શન ઓફ ડીગનીટી ઓફ વુમન એક્ટ ૨૦૧૬' વીરૂધ્ધ પીટીશન દાખલ કરેલ હતી. સદર પોલીસ નીયમોને કારણે ૭૫૦૦૦ ડાન્સબાર ગર્લ્સે પોતાનો પ્રમાણીક વ્યવસાય ગુમાવ્યો હતો અને મજબુરીથી તેમાંના ઘણાબધાએ પ્રોસ્ટીટયુશનનો(વેશ્યાગીરી) ધંધો પોતાના આર્થીક નીભાવ માટે સ્વીકારવો પડયો હતો.

મહારાષ્ટ્ર સરકારે પોતાના પોલીસ રૂલ્સમાં ડાન્સબાર બીઝનેસ માટે લાયસન્સ લેવા માટે જે નીયમો ઘડયા હતા તે નીચે મુજબ છે.

(૧) સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ.

(૨) ડાન્સબારનું સ્થળથી એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ.

(૩) ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી.

(૪) ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી.

(૫)ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ.

(૬) દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપાર દર્શક પાર્ટીશન (નોન ટ્રાસ્નપરન્ટ)દીવાલ હોવી જોઇએ

(૭) ડાન્સબાર રૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals).

(૮) ડાન્સ બાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય.તેવો અશ્લીલ વર્તણુક ન હોવી જોઇએ.

 

હવે દેશની સર્વોચ્ચ અદાલતની ડીવઝન બેંચના આદરણીય ન્યાયધીશ એ. કે. સીકરી સાહેબ અને અશોક ભુષણ સાહેબે નાગરીક હીત (પબ્લીક ઇન્ટરેસ્ટ) અને નાગરીકોના જીવન જીવવાનો બંધારણીય અધીકાર વચ્ચે કેવી તર્કબધ્ધ રીતે સમતુલા અને સંવાદીતા જાળવીને પોતાનો ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કરીએ.

(In a bid to maintain a balance between public interest and the constitutional right to earn a livelihood.

 

(1)          સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ. કોર્ટના મતમુજબ આ નીયમ મનસ્વી(સબજેક્ટીવ છે  ઓબજેક્ટીવ નથી.) એટલા માટે છે કે તેને નક્કી કરનારા માણસ પર આધાર રાખે છે. ક્રીમીનલ રેકર્ડની બાબતમાં ફોજદારી ગુના હેઠળ સજા થઇ છે, ગુનાનો પ્રકાર કેવો હતો અને એવું તો નથી ને ૧૦ વર્ષથી ફક્ત એફ આઇ આર  દાખલ થઇ હોય. આ નીયમને કોર્ટે રદબાતલ ઠરાવ્યો છે.

(2)        ડાન્સબારની હોટેલની નજીકના એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ. મુંબઇ જેવા શહેરમાં મંદીર,( કેમ મસ્જીદ કે ચર્ચ કેમ નહી) સ્કુલ, કોલેજ એક કીલોમીટર દુરના અંતરે ડાન્સબાર હોવો અશ્કય છે. માટે તે નીયમને પણ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે.

(3)       ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી. સદર નીયમના વીકલ્પે કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ગ્રાહક બાર ડાન્સરને વ્યક્તીગત ધોરણે ટીપ્સ આપી શકશે. જેને હોટેલનો માલીક લઇ શકશે નહી. પોતાને ત્યાં કામ કરનાર ડાન્સબારનું ખાતું બેકમાં ખોલાવવું ફરજીયાત છે. તે અંગે પગાર, અન્ય ભથ્થાં તેમજ સગવડો પુરી પાડવાનો કરાર હોટેલ માલીકે ડાન્સબાર સાથે કરવો પડશે. તે ડોક્યુમેંટની નકલ જે તે વીસ્તારના પોલીસ ડીપાર્ટમેંટને માલીકે આપવી ફરજ્યાત રહેશે.

(4)           ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી. આ સંદર્ભમાં કોર્ટે પોતાની ટીપ્પણી રજુ કરતાં જણાવ્યું છે કે  ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ થી રાત્રીના ૧૧–૩૦ સુધીનો જ રહેશે. ત્યારબાદ સહીસલામત રીતે ડાન્સબારને પોતાના ઘરે પહોંચડવાની તમામ જવાબદારી બારના માલીકની ફરજીયાત રહેશે.

(5)          ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ. કોર્ટે પોલીસ નીયમની આ કલમ ગેરબંધારણીય જાહેર કરીને કાઢી નાંખી છે. પોતાનું તે અંગે નીરીક્ષણ જણાવ્યું છે કે આ નાગરીકની અંગત ( પ્રાવેસી) અધીકારનો ભંગ હોવાથી ચાલુ રાખી શકાય નહી.

(6)       દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપારદર્શક પાર્ટીશન (નોન ટ્રાન્સપરન્ટ ) દીવાલ હોવી જોઇએ.આ નીયમનું કોઇ વ્યાજબીપણું કે તેમાં તર્કબધ્ધતા નહી લાગતાં તેને પણ રદબાતલ કરવામાં આવ્યો છે.

(7)        ડાન્સબારરૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. છાકટા બની જાય.કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals). તે નીયમને પણ કોર્ટે રદબાતલ કર્યો છે. સરકારની એ ધારણા પાયાવીહોણી છે કે આવનાર ગ્રાહકો દારૂ પીવાથી ડાન્સર્સ સાથે અયોગ્ય ચેનચાળા કરશે અથવા અયોગ્ય રીતે વર્તન કશે. શું આજ તર્ક થ્રીસ્ટાર અને ફાઇવ સ્ટાર્સ હોટેલના ગ્રાહકોને નહી લાગુ પડે! ત્યાંપણ દારૂ વહેંચવાનુ કામ ( ટુ સર્વ લીકર) તો સ્રીઓ કરે છે !

(8)       ડાન્સબાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય. આ મુદ્દાને દેશની અદાલતે ખુબજ ગંભીર ગણીને વીદ્વતાપુર્ણ ચર્ચા કરેલ છે. કોર્ટે સરકારને પુછયું કે શું સમાજમાં સામાજીક, શૈક્ષણીક, આર્થીક અને માનવ મુલ્યોના પ્રસારણથી અશ્ચીલલતા કે બીભત્સતાના ખ્યાલમાં પરીવર્તન નથી આવતું? મુંબઇ જેવા વૈશ્વીક સંસ્કૃતી ધરાવતા શહેર( કોઝ્મોપોલીટન સીટી) અને ગ્રામીણ સમાજના સેક્સ વીષેના વીચારો એક છે કે ભીન્ન?

વીશ્વની જુદા જુદા દેશોની અદાલતોએ અને સર્વોચ્ચ અદાલતે પોતે ભુતકાળમાં આપેલ અશ્લીલ કે બીભત્સતા અને કામતુરતાના અભીપ્રાયોને ટાંકતા જણાવ્યું કે આ બધા મુદ્દાઓનું અર્થઘટન વ્યક્તીદીઠ, સમાજ કે દેશ દીઠ પણ એક સમાન હોતું નથી. તેમજ સમય સંજોગો બદલાતાં આ ખ્યાલો અંગેની લોકમાન્યતાઓમાં ફેરફારો આવ્યા જ કરે છે.

આ બાબતમાં કોર્ટે તેના ચુકાદાના પાન નંબર ૬૪ના પેરા નંબર ૬૭ માં વીગતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે એક જગવીખ્યાત પણ એક જમાનામાં અશ્ચલીલ ગણાતા  પુસ્તક ' લેડી ચેટરલી'ઝ લવર' જેના નવલકથાકાર હતા  ડી. એચ લોરેન્સ. આ પુસ્તક સને ૧૯૨૬માં ઇટાલીથી સૌ પ્રથમ પ્રકાશીત થયું હતું. તેનાપર સને ૧૯૨૬થી ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ અને અમેરીકા જેવા દેશમાં તેમાં વર્ણવેલ કામાતુર વર્ણનોને કારણે અશ્ચીલ ગણીને પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો. તે પ્રતીબંધ સને ૧૯૬૦ સુધી ચાલુ રહ્યો. આપણા કહેવાતા બૌધ્ધીકો અને ન્યાયવિદ્ પણ તેના પર પ્રતીબંધ સને ૧૯૬૦માં ઇગ્લેંડે ઉઠાવી લીધા પછી પણ ચાલુ રાખ્યો છે. (While the Supreme Court in India held Lady Chatterley's Lover to
be obscene, in England the jury acquitted the publishers finding
that the publication did not fall foul of the obscenity test.
) બંને ન્યાયાધીશોએ પોતાની તે પુસ્તકની ટીપ્પણી કરતાં નોંધ્યુ છે કે ૨૧મી સદીના ઇન્ટરનેટ યુગમાં કમ્પ્યુટરના માઉસ પર કીલ્ક કરીને આખુ પુસ્તક વાંચી શકાય તેમ છે. તેથી ઇન્ટરનેટ યુગમાં સામાજીક રૂઢીચુસ્તતાની નૈતીકતાની સરહદો અપ્રસતુત થઇ ગઇ છે ( ધે આર આઉટ ડેટેડ).

 

મહારાષ્ટ્ર સરકારે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને એવા નીયમો બનાવ્યા હતા કે મુંબઇની કોઇપણ હોટેલ વી.માં ડાન્સ બાર ચલાવવો અશક્ય બની ગયો હતો. આ સમયે દેશની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારની બધીજ દલીલોના જવાબ આપીને ડાન્સ બારના સંચાલન પર કેટલીક સંમત શરતો મુકીને આ વ્યવસાયને કાયદેસર બનાવવાની મહોર મારી છે.

લેખ રજુકરનારની સ્વતંત્ર નોંધ– મહારાષ્ટ્ર રાજયમાં હીંદુ સંસ્કૃતીના બચાવ માટે મેદાને પડેલી ભાજપની સરકાર છે. જેણે સને ૨૦૦૫થી સને ૨૦૧૯ સુધી પોલીસ નીયમન હેઠળ એક યા બીજા પ્રકારે નાગરીકો માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાનો પોતાનો નૈતીક અધીકાર ગણીને ડાન્સબાર પર નીયંત્રણો લાદીને બંધ કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ પણ આ સરકાર સરળતાથી ડાન્સબારનો વ્યવસાય ન ચલાવવા માટે કેવા કેવા વીઘ્નો ઉભા કરશે તે તો સમય જ નક્કી કરશે.

તેની સામે પશ્રીમ બંગાળમાં લગભગ ત્રણ દાયકાથી માર્કસવાદી સામ્યવાદી પક્ષની જયોતી બાસુના નેતૃત્વની સરકાર હતી. આ સરકારે કલકત્તાના 'રેડ લાઇટ એરીયા' (પ્રોસ્ટીટ્યુટ ઝોન)માં રેડીકલ હ્મુમેનીસ્ટના અગ્રણી સીબ નારાયણ રે, અમલન દત્તા અને બીજા સાથીઓની મદદથી નીચે પ્રમાણેનું માનવવાદી કાર્ય કર્યું હતું.

સૌ પ્રથમ આ વ્યવસાયમાંથી આજીવીકા પેદા કરતી સ્રીઓને લાયસન્સ અપાવ્યા. ત્યારબાદ તે બધાને એઇડસ કે બીજા જનનઇન્દ્રીયોને લગતા ચેપી રોગો ન થાય માટે આરોગ્યને લગતું જ્ઞાન પુરૂ પાડી અને નીરોધ (કન્ડમ) જેવા સાધનોનો ઉપયોગની માહીતી પુરી પાડી. છેલ્લે તે સ્રીઓનું વ્યવસ્થીત કૌટુંબીક સ્થાયી જીવન બને માટે હાઉસીંગની વ્યવસ્થા કરી આપી. તેમના બાળકોને સારૂ અને મફત શીક્ષણ મળે તે માટે રાજય તરફથી પુરી સુવીધાઓ એટલા માટે પુરી પાડવામાં આવી કે જેથી તેમની નવી પેઢી આ વ્યવસાયના વીકલ્પે નવો ધંધો કરી શકે.  

હે! વાંચક તમે નક્કી કરો કે નીયમો,કાયદા,દંડ, સત્તા, ધર્મ અને ઇશ્વરનો ભય બતાવીને કોઇ સમાજના સાંસ્કુતીક– નૈતીક મુલ્યોનું જતન કે સંવર્ધન થાય કે પછી માંદા અને સડી ગયેલા સમાજને બદલવાના મુળભુત કારણો શોધીને તેને દુર કરવાના વૈજ્ઞાનીક અને તર્કબધ્ધ ઉપાયો શોધીને આવા મુલ્યોનું જતન અને સંવર્ધન થાય?   


 

-- 

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--