Thursday, May 21, 2020

આ ઔધ્યોગીક સંસ્કૃતીએ તેના મુળમાં જ કઠુરાઘાત કરવા ત્રણ પરીબળો પેદા કર્યા છે. એક મુડીવાદ, બે રાષ્ટ્રવાદ અને ત્રણ, સંપત્તી અને રાજકીય સત્તાનું સમાજના ખુબજ ગણ્યાગાંઠયા હાથોમાં એકત્રીકરણ.

ગયા લેખમાં આપણે ચર્ચા કરી હતી કે કૃષી સંસ્કુતી પછી જે સંસ્કૃતી વીકસી તેને આપણે ઔધ્યોગીક સંસ્કૃતી તરીકે  ઓળખીએ છીએ. વીશ્વમાં આ નવી સંસ્કૃતીની શરૂઆત લગભગ ૧૫મી સદીથી થઇ છે. કૃષી સંસ્કૃતીમાં ઉત્પાદનના સાધનની માલીકી સામંત (Feudalism) કે જમીનદાર પાસે હતી. સામંતશાહીમાં જમીનના માલીકો એટલે કે સામંતો કે જમીનદારોએ પોતાના હીતોના સંરક્ષણ ને વીકાસ માટે ધર્મગુરૂઓ અને રાજાઓનો ઉપયોગ કર્યો હતો. રાજાઓ અને ધર્મગુરૂઓ બંને પરોપજીવીઓ (Parasite)  હતા. ' જેનું ખાય તેનું ગાય!' આ બંને પોતે કોઇ ભૌતીક વસ્તુઓનું ઉત્પાદન કરતા નહતા. (આ બંને વર્ગ આજે પણ પરોપજીવી જ છે.અને પ્રજા પર બોસ બનીને રાજ્ય કરે છે. નાગરીકો તરીકે આપણે તેમને આપણા ઉધ્ધારક સમજીને ખભે બેસાડીને ફરેવવામાં ગૌરવ અનુભવીએ છીએ.)

પણ જે વર્ગ પાસે ઉત્પાદનના સાધનો હતા( જમીનદારો) તેના હીતો જાળવી રાખવામાં રાજ્યના કાયદા અને ધાર્મીક નીતીઓનું સર્જન કરવામાં આવ્યું હતું. સામંતો કે જમીનદારો સામે તેમના ગણોતીયાઓ કે વેઠીયાઓ ( જે બધા હળ ચલાવતા હતા) જે અસહ્ય મજુરી કરીને જે ખેત ઉત્પાદન તૈયાર કરતા હતા તે તેના ઉત્પાદનના માલીક નહતા. તેના પર અસલ હક્ક સામંતોનો છે તેવી સમાજવ્યવસ્થાના વ્યવહારો, કાયદાઓ, રાજ્યનો દંડ અને ધાર્મીક નૈતીકતા ખુબજ ચતુરાઇપુર્વક વીકસાવવામાં આવી હતી. નાગરીકનો મીલકતનો અધીકાર તે જીવન જીવવાના અધીકાર જેવો કુદરતી અધીકાર નથી . {Right to own the private property is not a natural right like a right to life but it is a legal right.} તેમ છતાં કૃષી સંસ્કૃત્તી અને ઔધ્યોગીક સંસ્કૃતીમાં જે લોકો પાસે ઉત્પાદનના સાધનોની માલીકી છે તે મીલકતના માલીકો બની ગયા છે. તે બધાએ ભેગા થઇને મીલકતની માલીકીના હક્કના બચાવ માટે કાયદાઓ ઘડ્યા છે.

 ચાલો! હવે, આપણે ઉપરની ચર્ચાને આધારે દેશની વર્તમાન આર્થીક સ્થીતીને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કરોડોની સંખ્યામાં શહેરી ઇંડીયામાં ૨૩મી માર્ચ ૨૦૨૦ સુધી ( લોકડાઉનના આગલો દીવસ) ગ્રામ્ય ભારતમાંથી આવેલા સ્થળાંતરીત મજુરોના પ્રશ્ન તથા શક્ય ઉપાયને સમજવા કોશીષ કરીએ.

આપણે સારી રીતે જાણીએ છીએ કે  આટલી મોટી સંખ્યામાં આ બધા ભારતમાંથી ઇંડીયામાં આવેલા શહેરી ઔધ્યોગીક ચરખા ચલાવનારા માલીકો નહતા. તે તો પોતાની ફક્ત અને ફક્ત ભૌતીક મજુરીને વેચવા શહેરી ઇંડીયામાં આવેલા હતા. ઔધ્યોગીક સંસ્કૃતીમાં પેલી કૃષી સંસ્કૃતીની માફક રાજ્ય સત્તા અને ધર્મ સત્તા કોના હીત માટે છે અને વીકસેલી છે તેની શું આ બધા ' ભૌતીક મજુરી ' વેચનારાને ખબર જ નહતી ? બીજો પ્રશ્ન. ભારત છોડીને ઇંડીયામાં આવે કેટલો સમય થયો? કાયમી નોકરી, બેંકમાં ખાતુ, રહેવાની કોટડી આમાંનું કશું પણ તેમની પાસે હતું ખરૂ? ન હતું તો કેમ ન હતું?  તે બધુ ભવીષ્યમાં ક્યારે મળવાની આશા હતી ખરી? વર્તમાન રાજ્યસત્તાની લોકકલ્યાણ યોજનામાં તેમનું કોઇ સ્થાન હતું ખરૂ?

હવે આપણા માટે મુખ્ય પ્રશ્ન છે આનો કોઇ ઉપાય છે? ઉપાય એટલે શું? ઇંડીયામાંથી લોકડાઉનમાં ભારત પહોંચેલા આ બધા એન આર આઇ ક્યારેય પાછા ઇંડીયા ના આવે તેવી વ્યવસ્થા ખુબજ ઝડપથી આપણે ઉભી કરી શકીએ તેમ છીએ? દેશની પુર્વીભારતની રાજ્ય સરકારો તે બધાને સ્થાનીક ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડી શકે તેવી નવી અર્થવ્યવસ્થા ઉભી કરી શકે તેમ છે?

આપણે વર્તમાન અર્થવ્યવસ્થાના મોડેલના દેશ અને દુનીયા વ્યાપી પરીણામોની અસરોને સમજી ચુક્યા છે. તો આપણે કરવું શું?

(૧)  ઉત્પાદનના સાધનોની માલીકી હાલને તબક્કે થોડા માણસોના હાથમાં કેન્દ્રીત થઇ ગઇ છે. તેને બદલે તેનું વીકેન્દ્રીકરણ થઇ શકે તેમ છે? તેવું જ રાજકીય સત્તાના કેન્દ્રીકરણ માટે પણ લાગુ પડે છે.  ગુજરાતમાં દુધ, કપાસ ને શેરડી જેવા ખેતઉત્પાદનના પાકોમાં સહકારી પધ્ધતી દ્રારા આર્થીક પ્રવૃત્તીનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પરીણામો સારા આવેલા છે. પરંતુ શેરડી જેવા પાકોની ખેતીમાં તો તેમાં ખેતમજુર તરીકે કામ કરનારાઓનું શોષણ ઔધ્યોગીક કામદારો જેટલું જ થાય છે તેવા સંશોધનના રીપોર્ટ છે.

(૨) સહકારી બેંકોનો વહીવટ અને તેની સાથે જોડાયેલાં તે બધાના વહીવટ કર્તાઓના રાજકીય હીતો જુના જમાનાના શાહુકારોને સારા કહેવડાવે તેવા સાબીત થયા છે. રાજકીય સ્થાપીત હીતોનો અડ્ડો ઘણીવાર સહકારી અર્થવ્યવસ્થા બની જાય છે. સહકારી અર્થવ્યવસ્થા માટે એમ કહેવાય છે કે ભલે તે નીષ્ફળ જતી પણ પરંતુ તેને સફળ બનાવ્યા સીવાય મુડીવાદના સકંજામાંથી બચવાનો બીજો ઉપાય નથી.

(૩) ડીજીટલ સંશાધનો, ઇન્ટરનેટ, વર્ક ફ્રોમ હોમ. તમામ પ્રકારની માનવ જીવનની પ્રવૃત્તીઓની જેવીકે શીક્ષણ, વીજ્ઞાન. સ્પેસ ટેકનોલીજી, બેંકીગ, તમામ પ્રકારના સેવા ઉધ્યોગ, આ બધાને  નવી મુડી– સંપત્તીના સર્જકો તરીકે આપણે સ્વીકારવા પડશે. દેશની જીડીપીમાં તેનો ફાળો હવે એક તૃત્તીયાંશથી પણ વધારે થતો જાય છે. ગ્રામીણ ભારતના વીપુલ માનવ શ્રમને તેમાં ઉપયોગમાં લેવાના સઘન પ્રયત્ન કરવા પડશે. કારણકે હવે ખેતીક્ષેત્રની દરેક પ્રવૃત્તીઓમાં ક્રમશ; યાંત્રીકરણ થવાથી માનવ શ્રમ રોજગારી વીહીન બનતો જાય છે.

(૪) ખેતપેદાશોનું આધુનીક ટેકનોલોજીની મદદથી પ્રોસેસીંગ કરી પેલા વધારાના ગ્રામ્યકક્ષાના બચેલા માનવશ્રમને અર્થપુર્ણરીતે રોજગારી આપી શકાય.

(૫) દેશમાં કેન્દ્રની મોદી સરકાર અને બીજેપી સંચાલીત આ ત્રણ રાજ્ય સરકારો દા;ત ઉત્તરપ્રદેશ (યુપી) મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સ્થળાંતરીત મજુરોના પ્રશ્નોને ગંભીરતાથી ઉકેલવાને બદલે તેમના રાજ્યોમાં પ્રમાણમાં બધા લેબર લોઝ કે મજુર કાયદાઓનો અમલ જ બંધ કરી દીધો છે.

(૬) ભારત જેવા ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં જેમાં અડધા ઉપરાંત વસ્તી યુવાનોની હોય ત્યાં મુડીપ્રધાન ઉધ્યોગપ્રથા આધારીત આર્થીક વીકાસનું મોડેલ બીલકુલ ચાલી શકે નહી. કારણકે તે માનવશ્રમને બદલે લેટેસ્ટ માનવશ્રમના વીકલ્પ તરીકે કામમાં ઉપયોગ લેવાય તેવી અધ્યતન ટેકનોલોજીને પ્રાધાન્ય આપે છે. લેબર ઇન્ટેસીવ, માનવશ્રમને પ્રાધાન્ય આપતી ટેકનોલોજી જોઇએ.

 


--

Tuesday, May 19, 2020

-- ભારતના એન આર આઇ( NRI) ઇંડીયાથીકરોડોની સંખ્યામાં ઘરે પાછા આવ્યા.



-- ભારતના એન આર આઇ( NRI)  ઇંડીયાથી કરોડોની સંખ્યામાં ઘરે પાછા આવ્યા.

કોવીડ–૧૯ની સંક્રમણ અસરે સમગ્ર શહેરી–ઓધ્યોગીક– બીઝનેસના પશ્ચીમી ઇંડીયામાંથી હજારો કે લાખો નહી પણ કરોડોની સંખ્યામાં સફેદ કે બ્લૂ કોલર મજુરો નહી પણ કોલરલેસ ભારતીયો પોતાના પુર્વીભારતીય ગૃહરાજ્યોમાં હજુ પણ અવીરત પ્રવાહમાં પરત આવી રહ્યા છે. એવું ન હતું કે તે પોતાના ગામ કે ઘરમાં રોજગાર વીહીન હતા તેથી સ્થળાંતર કર્યું હતું. જેમ પશ્ચીમી જગત, અમેરીકા, કેનેડા, બ્રીટન. જર્મની વી. દેશો આપણા ભારતીયો માટે ' Land of opportunity ' છે તેવીજ રીતે ભારતમાંથી કરોડોની સંખ્યામાં આવતા સ્થળાંતરીત મજુરોને માટે ' ઇંડીયા ' એ તકો પુરી પાડતો દેશ હતો.

શહેરી ઇંડીયાના મા–બાપો પોતાના બાળકોને પ્રથમ વીદેશમાં અભ્યાસ કરવા સ્ટુડન્ટ વીસા મળે, પછી એચ–૧ વીઝા મળે ત્યારબાદ ' P R '  or G C ( પરમેંનન્ટ રેસીડન્સી કે પછી ગ્રીન કાર્ડ) મળે માટે સતત ચીંતાતુર કે આતુર હોય છે. આ બધા જ વીધ્યાર્થીઓ NRI બનતાં પહેલાં સફેદ કોલર કે બ્લૂ કોલર તો ઠીક પણ દરેક પ્રકારની કોલરલેસ ' જોબ' કરતા હોય છે. તેનો અર્થ એવો નથી કે અહીં દેશમાં આ બધા યુવાનો બેકાર, કે અજ્ઞાન કે અભણ અથવા તેમના માબાપો ગરીબ કે વંચીત હતા. પણ તે બધા અતી મહત્વકાંક્ષી ( Aspirant cum extremely Ambitious- Risk taking behavior) અને પરદેશમાં સ્થાઇ થવાની તક માટે ખુબજ ભણેલાગણેલા સાથે ' હોંશીયાર–કમ–ચાલક પણ હતા. ગ્રામીણ ભારતમાંથી શહેરી ઇંડીયા તરફ સ્થળાંતર કરનાર મજુરો પણ નવી આશાસ્પદ જીંદગી અને ખાસ કરીને પોતાની હવે પછીની પેઢીના સુખ માટે શહેરોની બધીજ 'કોલરલેસ જોબ' કરવા મજબુર હતા. આજના શહેરી ઇંડીયાના લાખોની સંખ્યામાં રહેતા નાગરીકો પોતે અથવા તેમના વડીલો એક સમયે 'દેશ' માંથી સ્થળાંતરીત મજુર તરીકે જ 'બમ્બઇ'માં આવેલા હતા!

આપણા દેશના ઔધ્યોગીક વીકાસની ભૌગોલીક સ્થીતી તરફ જરા ઉડતી નજર નાંખી લઇએ. પંજાબ, હરીયાણા, દીલ્હી સમેત સમગ્ર દરીયાકાંઠાવાળુ પશ્ચીમી ઇંડીયા. જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર, ગોવા કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, તામીલનાડુ રાજ્યો એટલે ઔધ્યોગીક ઇંડીયા. બીજીબાજુએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બીહાર, ઓડીસા, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાંચલ, પ.બંગાળ અને આસામના રાજ્યો. આ બધા રાજ્યોને બીમારૂ રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી દેશનો જીડીપી વધારવા  સ્થળાંતરીત મજુરોનું લશ્કર અગણીત સંખ્યામાં પેદા કરવામાં આવે છે.( Perpetual sources of Industrial Reserve Army). ' મેરા ભારત મહાન'. કોલરલેસ મજુરમાંથી સફેદ અને બ્લૂ કોલર મજુર બનવાની આભાસી તકો પુરી પાડતું, લેશ માત્ર માનવીય મુલ્યો નહી ધરાવતું ઇંડીયા. તેમના હીતોનું કાયમી રક્ષણ કરનાર દીલ્હીની કેન્દ્ર સરકારો હોય છે. જે આપણે બધાએ મોદી સરકારે સ્થળાંતરીત મજુરો માટે જે હમદર્દી બતાવી તેન પરથી સમજી શકીએ તેમ છે.

દસહજાર વર્ષ જુની માનવસંસ્કૃતી પછી છેલ્લા પાંચસો વર્ષોમાં અસ્ત્તીત્વમાં આવેલી ઔધ્યોગીક સંસ્કૃતીએ તેનામાં મુળભુત પરીવર્તનો પેદા થાય તેવા ગતીશીલ પરીબળોનું સર્જન કરવા માંડયું છે. આ સંસ્કૃતીએ તેના મુળમાં જ કઠુરાઘાત કરવા ત્રણ પરીબળો પેદા કર્યા છે. એક મુડીવાદ, બે રાષ્ટ્રવાદ અને ત્રણ, સંપત્તી અને રાજકીય સત્તાનું સમાજના ખુબજ ગણ્યાગાંઠયા હાથોમાં એકત્રીકરણ. ભારતની મોદી સરકાર સહીત પશ્ચીમી જગતની તમામ મુડીવાદી સરકારોએ પોતાના રાષ્ટ્રની વેન્ટીલેટર પર ચાલતી અર્થવ્યવસ્થાને બચાવવા માટેના 'બુસ્ટઅપ ડોઝ' જાહેર કરવા માંડયા છે. જુદા જુદા દેશોએ પોતાના દેશની જીડીપીના ૫, ૧૦, ૧૨ ટકા ખર્ચીને પોતાની ઇકોનોમીને પાટે લાવવા પ્રયત્નો કરવા માંડયા છે. મઝાની બીજી એક વાત બની છે. ઔધ્યોગીક સંસ્કૃતીએ જે મુડીવાદી અર્થતંત્રનું સર્જન કર્યું છે તેના રક્ષણ અને વીકાસ માટે બૌધ્ધીક જ્ઞાનનું સર્જ કર્યું છે. તેવા જ્ઞાનના આ બધા તમામ અર્થશાસ્રીઓ દા.ત આદરણીય ભુતપુર્વ વડાપ્રધાન મનમોહન સીંગ, ભુતપુર્વ આર બી આઇ ના ગર્વનર પ્રો રઘુ રાજન, નોબેલ વીજેતા અભીષેક બેનરજી અને વીશ્વના બીજા દેશોના નામંકીત અર્થશાસ્રીઓ તે જ્ઞાનના વાહકો છે. ટેકેદારો છે. મુડીવાદી પ્રથાએ જે આટલા મોટાપાયા પર અમાનવીય અનીષ્ટોનું સર્જન કર્યું છે,( દા.ત આપણો સ્થળાંતરીત મજુરોનો પ્રશ્ન) તથા રાજકીય અને આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ જેવા દુષણો પેદા કર્યા છે તેમાં રહીને જ તેમાંથી બહાર નીકળવાના ઉપાયો બતાવે છે! મોદીજીનું આર્થીક તંત્ર તો પેલી વૈશ્વીક મુડીવાદી ગ્રાન્ડ ડીઝાઇન પ્રમાણે કામ કરતું એક પ્યાદાથી વધારે કાંઇ નથી તે આપણે અમેરીકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે ક્વીનાઇનની ગોળીઓ માટે જે વલણ લીધું અને પછી મોદી સરકારે જે ફેર નીર્ણય કર્યો તેના પરથી સમજ્ શકાય તેમ છે.

તો તેમાંથી બહાર નીકળવાનો ઉપાય શો? હવે પછીના લેખમાં....

રેશનાલીસ્ટ અન્યની લાગણી દુભાઇને રેશનાલીસ્ટ પ્રવૃત્તી કરી શકે?

રેશનાલીસ્ટ અન્યની લાગણી દુભાઇને રેશનાલીસ્ટ પ્રવૃત્તી કરી શકે? રેશનાલીસ્ટના બે કાર્યક્ષેત્રો હોય છે.એક જુઠ્ઠાણાનો પર્દાફાશ (Lie Hunting) અને બીજું સત્યની ખોજ કે શોધ (Truth Seeking). બંને મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) જુઠ્ઠાણાનો પર્દાફાશ એટલે શું? રેશનાલીસ્ટ પાસે જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા માટે કેટલાક સાધનો હોય છે. (અ) ઇન્દ્રીયજન્ય અનુભવ( Sense perception) (બ) બાહ્ય નીરીક્ષણ,(ક) તર્કવીવેકબુધ્ધી ( Supremacy of reason) (ડ) કોઇપણ ગુરૂ. ગ્રંથ અને વ્યક્તી વીશેષની હકુમત આધારીત જ્ઞાનનો અસ્વીકાર.

 (અ) ઇન્દ્રીયજન્ય અનુભવ– આંખ, નાક, કાન, જીભ અને ચામડી દ્રારા જે અનુભવ થાય તે જ રેશનલ અનુભવ. ઇન્દ્રીયાતીત કોઇ અનુભવ હોઇ શકે નહી. કારણકે તેને માનવીય ઇન્દ્રીયોથી કોઇકાળે અનુભવી શકાય નહી. તેથી તેની સચ્ચાઇને માનવીય તર્કવીવેકબુધ્ધીથી તપાસી શકાઇ નહી.

(બ) બાહ્યનીરીક્ષણ એટલે શું? ઇન્દ્રીયોની મદદથી જે બાહ્યજગતનો અનુભવ થાય તેને આપણે બાહ્ય નીરીક્ષણ કહીશું. ઘરના એક રૂમમાં કે કૃત્રીમ કે કુદરતી ખડકમાંથી બનેલી ગુફામાં આંખો બંધ કરી બેસવાથી કે કહેવાતું ધ્યાન ધરવાથી જ્યાં કશું દેખાતું જ ન હોય, તેવી માનસીક સ્થીતી અથવા અનુભવને રેશનલ અનુભવ એટલા માટે ન કહેવાય, કારણકે તેને બીજા લોકો પોતાની ઇન્દ્રીયોની મદદથી સમજાવી શકે નહી, તે દાવાઓને તપાસી શકાય નહી, લાંબે ગાળે આવા લોકો ચીત્તભ્રમની સ્થીતીનો ભોગ બને છે.

(ક) તર્કવીવેકબુધ્ધી– માનવીને પોતાની ઇન્દ્રીયોની મદદથી જે બાહ્યનીરીક્ષણનો અનુભવ થાય છે તેને માનવ મન તર્કવીવેકબુધ્ધીથી વાસ્તવીક રીતે તપાસે છે કે સાચું શું છે ? અને ખોટું શું છે? રેશનલ સત્ય હંમેશાં સાપેક્ષ( રીલેટીવ, સંબંધીત) હોય છે. નીરપેક્ષ નહી. (એબસોલ્યુટ,સ્વતંત્ર, અનીયંત્રીત, નીરકુંશ, આપખુદ.) રાજાકે વડાપ્રધાન કદાપી ખોટો ન હોય! તેના નીર્ણયનું પાલન કરવાનું હોય! તેના નીર્ણયોને તમારી તર્કવીવેકબુધ્ધી કે રેશનાલીટીના પાયાપર તટસ્થ ચકાસણી તો કરાય જ નહી. તેની લાગણી દુભાવવાને બદલે સત્યનો બલી લેવાય તેમાં પેલા રાજ્યકર્તાએ તો શું ગુમાવવાનું છે? રાજ્યકર્તાની બીનશરતી શરણાગતી, ભક્તી, વ્યક્તીપુજા અને તેણે પ્રાપ્તકરેલી અમર્યાદીત સત્તા તે રાજ્યકર્તાને અને તેમાં આંધળો વીશ્વાસ રાખનાર પ્રજાને લાંબેગાળે અકલ્પનાતીત અમાનવીય દુ;ખના દરીયામાં ગરકાવ કરી નાંખે છે તેનો સાક્ષી માનવ જાતનો ઇતીહાસ છે. ઇતીહાસના પરીબળો બહુ ઘાતકી હોય છે. જે તેમાંથી બોધપાઠ લેતા નથી તેનું ઇતીહાસ પુનરાર્વતન પણ કરે છે.રેશનલ જ્ઞાન હંમેશાં સાપેક્ષ હોય છે. નવી માહીતી મળતાં રેશનાલીસ્ટ પોતાનો અભીપ્રાય બદલતો હોય છે. તેનું મન કાયમ માટે નવી માહીતી, શોધ અને જ્ઞાનને આવકારે છે. તેનું મન  હંમેશાં ખુલ્લુ હોય છે.

માનવીની તર્કવીવેકબુધ્ધી સજીવ ઉત્ક્રાંતીની દેન છે. અન્યપ્રાણીઓમાં પણ તે બધાના બૌધ્ધીક વીકાસના સ્તર પર વીકસેલી છે. તે બધા સજીવો પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા સાચું શું છે અને ખોટું શું છે તેવો નીર્ણય કરવાની ક્ષમતા ધરાવે છે. કુદરતી વાતવારણ કે તેના નીયમો સમજીને પોતાનું અસ્તીત્વ કેવી રીતે ટકાવવું તેવા સંઘર્ષમાંથી દરેક સજીવની તર્કવીવેકબુધ્ધી વીક્સેલી છે. કુદરતી નીયમબધ્ધતાએ માનવીને નીયમબધ્ધ બનાવ્યો છે. ( The nature is law governed; and the man is the part of nature, so the man is also law governed.)  આ કુદરતી નીયમબધ્ધતાનું સંચાલન તેના નીયમોને આધીન છે.કોઇપણ દૈવી, ઇશ્વરી કે ઇન્દ્રીયાતીત પરીબળો તેમાં ચંચુપાત કરી શકે છે તે માન્યતા કે હકીકત ૧૦૦ % અસત્ય છે. તેને વીજ્ઞાનનો કોઇ આધાર નથી.

(ડ) કોઇપણ ગુરૂ. ગ્રંથ અને વ્યક્તી વીશેષની હકુમત આધારીત જ્ઞાનનો અસ્વીકાર. આ વાક્ય તો મારા ગુરૂએ કહ્યું છે, જુઓ આ તો મારા ધર્મ પુસ્તકમાં લખ્યુ છે. આ બધા ઉપદેશો તો મને સંસ્કાર તરીકે મારા માબાપો, વડીલો અને વર્ગ શીક્ષકે મને ભણાવ્યા છે. તે કેવી રીતે ખોટા હોઇ શકે? તમે રેશનાલીસ્ટો અમારી આ બધી રોજબરોજના જીવનમાં માર્ગદર્શન આપતી ગુરૂ, ગ્રંથ કે પછી વડીલશાહી દ્રારા સંચાલીત નૈતીક પ્રવૃત્તીઓને સીધી જ તમારા રેશનલ માપદંડોથી નકામી બનાવી દો છો, તેના પર અસહ્ય કઠુરાઘાત કરો. તો પછી તે ઉભા થયેલા શુન્યાવકાશ કે ખાલીપણામાંથી બહાર નીકળવા શું કરવું? અમારે સામાન્ય માણસ તરીકે દરેક સમસ્યા કે મુઝવતા પ્રશ્નોના ઉકેલ માટે અમારી પોતાની તર્કવીવેકબુધ્ધીનો જ ઉપયોગ કરીને જીવન જીવવાની વાત કરો છો તે કેવી રીતે અમે કબુલ મંજુર રાખીએ? સાલુ, સવારના પોરમાં ઉઠીને કોઇ દેવ– દેવી, ગુરૂ, ધાર્મીક પુસ્તક ગ્રંથ, ગીતા, બાયબલ કુરાન, વી ને કે પછી પેલા દીવાંગત મા–બાપોના ફોટા વી. નમસ્કાર, પગે બગે લાગવાનુંજ નહી. તેના બે ચાર શ્લોકો કે આયાતો વી મોઢેંથી સુંદર અવાજે પઠન કરવાનું નહી કે ગાવાનું પણ નહી. ( તો શું અમારે તમારી યુ ટયુબમાંથી કે. એસ. સાયગલનું પેલું ગીત સાંભળવાનું " જબ દીલ હી તુટ ગયા તો..અબ જી કર ક્યા કરેંગે".)  ફોટો, દીવો, અગરબત્તી, ધુપ બુપ જ બધુજ ઘરમાં રાખવાનું જ નહી. શું એ દલીલમાં વજુદ નથી કે જે માણસે ગયા જન્મમાં સૌથી વધારેમાં વધારે પાપ કર્યા હોય તેને જ આ જન્મે ભગવાન, અલ્લાહ કે ગોડ તેને રેશનાલીસ્ટ બનાવે છે?

આ બધુ રેશનાલીઝમનું તુત તમને મુબારક!  હવે આપણો બીજો સવાલ આ લેખની શરૂઆતમાં મુકેલો છે તેની વાત પણ કરી લઇએ. હું કે તમે, પોતાની જાતને રેશનાલીસ્ટ તરીકે જાહેર કરતા હોય અને તેમાં ગૌરવ લેતા હોય તો ઉપર જણાવેલ રેશનાલીસ્ટ વીચારસરણીને આધારે મારુ– તમારુ જીવન જીવી શકીએ ખરા? વધારામાં આપણો સમાજ કેવો ઇરેશનલ, તર્કવીવેકબુધ્ધીને ગીરવે મુકીને મોટાભાગના નીર્ણય કરનારો હોય તો તેવા સમાજકારણ, ધર્મકારણ અને રાજકારણ સાથે તમારા સંબંધો કેવા હોઇ શકે? તે બધા રોજબરોજના જીવનમાં જે ઇરેશનલ નીર્ણયો લેતા હોય તેમાં તમે રેશનાલીસ્ટ તરીકે સહકાર ન આપો તો ને તેથી તેમની લાગણી દુભાય તો તમે કેવું અને કેટલાં સમાધાન કરશો?

ચલો! આપણે આ ઇરેશનલ સમાજની લાગણી દુભાય જ તેવા નીર્ણયોની યાદી બનાવીએ. પછી તે અંગે શું કરવું તે વાંચનાર પર છોડી દઇએ.

(૧) મારા–તમારા લગ્નજીવનના સાથીની પસંદગી કેવી રીતે કરશો? જ્ઞાતી, મા– બાપની ઇચ્છા, જન્માક્ષર મેળવીને, પરજ્ઞાતી, વીધર્મી ( રેશનાલીસ્ટ ને ક્યાં કોઇ માનવવાદ સીવાય બીજો ઇશ્વર સંચાલીત ધર્મ હોઇ શકે).

(૨) નક્કી કરેલા પાત્ર સાથે લગ્ન કઇ વીધી પ્રમાણે રેશનાલીસ્ટ તરીકે કરશો? સપ્તપદી– અને કન્યાદાનવાળી હીંદુ વીધી, આર્યસમાજી, નીકાહ પઢવાની કે પછી કોઇપણ ધાર્મિકવીધી સીવાય ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એક્ટ પ્રમાણે સીવીલ મેરેજ અથવા બંને પુખ્ત ઉંમરની કોઇપણ જાતી, લીંગ ભેદ સીવાય વ્યક્તીઓને મન ફાવે ત્યાંસુધી સાથે રહીને જીવન જીવવાની સ્વતંત્રતા ભોગવનાર લેસ્બીયન  (બે યુવાન સ્રી મીત્રો), બે યુવાન પુરૂષ મીત્રો( હોમોસેક્સયુઅલ) કે પછી બે યુવાન  સ્રી–પુરૂષો લગ્ન બંધન સીવાય કે કર્યા સીવાય ઇચ્છે ત્યાં સુધી સાથે સહજ રીતે સહજીવન જીવે. વડીલ તરીકે તેમના લગ્નજીવનમાં ઘર કે અન્યબારીએથી 'પીપ' કરવાની મનાઇ હોય છે.

(૩) તમારા દીકરા– દીકરીઓને રેશનાલીસ્ટ તરીકે તેઓએ નક્કી કરેલી લગ્ન પધ્ધતીને તમે ટેકો આપશો? તે બધા તેમના પાત્રો નક્કી કરે તેમાં તમારી કયા પ્રકારની સક્રીયતા કે ભુમીકા !

(૪) રેશનાલીસ્ટ પોતાના દીકરાની ચૌલક્રીયા, સુન્નત કે બેપ્ટીઝમ જેવી ધાર્મીક–સામાજીક રૂઢીમાં શું કરશે?

(૫) આપણા મા– બાપોના કુદરતી મૃત્યુ બાદ તેમની અંતીમવીધી કેવી રીતે કરવામાં સહાયભુત થશો. ચક્ષુદાન, દેહદાન.  બેસણું, શ્રાધ્ધ, વી. રેશનાલીસ્ટનું વલણ અને સહકાર કેવો?

અમે તો અહીંયાં થોડા દાખલા અમારી વાતને સમજાવવા રજુ કર્યા છે. પણ તેની યાદીમાં ઘણા બધા પ્રસંગોનો સમાવેશ થઇ શકે.....


--

અઝાન યસ બટ વીધાઉટ લાઉડસ્પીકર્સ.– અલ્હાબાદહાઇકોર્ટ.

અઝાન યસ બટ વીધાઉટ લાઉડસ્પીકર્સ.– અલ્હાબાદ હાઇકોર્ટ.

  અઝાન ઇસ્લામ ધર્મનો આંતરીક અને અનીવાર્ય ભાગ હશે તે શક્ય છે.તેના વીના ઇસ્લામ ધર્મ પુર્ણ ન ગણાય તે પણ સાચુ હશે.! પરંતુ તેનો અર્થ એ નથી કે તેના માટે લાઉડસ્પીકર્સનો ઉપયોગ પણ ઇસ્લામનો આંતરીક અને અનીવાર્ય ભાગ છે. તમારે અઝાન પુકારવી હોય તો મસ્જીદના મીનારા પર ચઢીને એક માણસ પોતાના મોઢેથી અઝાન પુકારે તેમાં કોર્ટને વાંધો નથી.

 વધુમાં કોર્ટે જણાવ્યું છે કે આપણા બંધારણના મુળભુત અધીકારોની કલમ ૨૫ મુજબ દેશના દરેક નાગરીકને તેને જે ધર્મ પાળવો હોય અને અમારી માફક કોઇપણ ધર્મ ન પાળવો હોય તેની સ્વતંત્રતા છે.  જાહેર કાયદો અને વ્યવસ્થા, જાહેર નૈતીકતા, આરોગ્ય અને તેના જેવા અન્ય નીયંત્રણો સાથે દેશનો દરેક નાગરીક પોતાની માન્યતા પ્રમાણે ધર્મ પાળવા, ન પાળવા અને તે આસ્થા પ્રમાણે પ્રચાર કરવાનો મુળભુત અધીકાર કલમ ૨૫ મુજબ છે.

મઝાની વાત અને અગત્યની હકીકત એ છે કે અલ્હાબાદ હાઇકોર્ટ પાસે પીટીશ્રનરે જે દાદ માંગી હતી તેમાં એટલું જ લખ્યું હતું કે ' ઉત્તરપ્રદેશના ગાઝીપુર શહેરમાં આવેલી જુદી જુદી મસ્જીદોના મીનારેથી ફક્ત એક માણસને મોઢેથી બોલીને અઝાન પુકારવા દે! કોર્ટે તે વાત તરતજ ઉપર મુજબના નીરીક્ષણ સાથે એટલે કે અઝાન ઇસ્લામ ધર્મનો અંતર્ગત ભાગ હશે તે માટે લાઉડસ્પીકર્સનો ઉપયોગ ઇસ્લામ ધર્મનો અંતર્ગત ભાગ ક્યારેય હોઇ શકે નહી સ્વીકારી લીધી હતી. આ ચુકાદો દરેક ધર્મોના અનુયાઇઓ પર લાગુ પડશે. તમે પ્રાર્થના, આરતી, વી. જાહેરમાં પણ માઇકના ઉપયોગ વીના ચોક્કસ કરી શકશો.

Islam", the Allahabad High Court Friday said its recitation "through loudspeakers or other sound amplifying devices cannot be said to be an integral part of the religion, warranting protection of the fundamental right enshrined under Article 25 of the Constitution of India, which is even otherwise subject to public order, morality or health and to other provisions" of Part III of the Constitution." આ સંદર્ભમાં જેને વધુ રસ હોય તે નીચે મુજબની લીંકપર જઇને વાંચી શકે છે. ( સૌ. ઇન્ડીયન એક્સપ્રેસ તા. ૧૬ મે ૨૦૨૦.)

 


--

શું મોદી સરકારકોવીડ–૧૯ સામેની લડાઇ જીતી શકશે ખરી? મને લાગતું નથી. શેખર ગુપ્તા. કેમ?

શું મોદી સરકાર કોવીડ–૧૯ સામેની લડાઇ જીતી શકશે ખરી?

 મને લાગતું નથી. શેખર ગુપ્તા. કેમ?

દીલ્હી સ્થીત ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ ( ICMR ) સંસ્થા કોરાના વાયરસ સામે મેડીકલ દ્ર્ષ્ટીએ જે નીર્ણય સત્વરે રોજબરોજ કરવાના હોય તે માટે સખત દીવસ ને રાત કામ કરે છે. તેના સંચાલક ડૉ. એસ. કે. સરીન વાયરસને લગતા વેશ્વીક કક્ષાનું જ્ઞાન ધરાવનાર સન્માનીય અને ટોચની કક્ષાના આ અંગેના વીષય નીષ્ણાત છે.

ડૉ સરીનની સુચના પ્રમાણે સદર સંસ્થાએ પ્લાઝમા થેરપીથી કોવીડ–૧૯ના સંક્રમીત દર્દી ૧૦૦ ટકા સાજો થઇ શકે છે તેવા પોતાના વૈજ્ઞાનીક સંશોધન આધારીત નીર્ણયને મંજુર કરાવવા ડ્રગ કંટ્રોલર ઓફ ઇંડીયા પાસે રજુઆત કરી. ડ્રગ કંટ્રોલર ઓફ ઇંડીયાએ ' પ્લાઝમા થેરેપી' પ્રમાણે આ વાયરસના દર્દીઓની સારવાર કરવા કાયદેસરની પરવાનગી આપી. દેશમાં દીલ્હી સહીત મુંબઇ અને અન્ય શહેરોની હોસ્પીટલોએ પ્લાઝમા થેરેપી પ્રમાણે કોવીડ–૧૯ના દર્દીઓને ટ્રીટમેંટ આપવા માંડી.

  હવે સૌ પ્રથમ આપણે એ સમજી લઇએ કે આ પ્લાઝમા થેરેપી શું છે? અને કેવી રીતે કોવીડ–૧૯ ના દર્દીઓ માટે તે ૧૦૦ ટકા અકસીર દવા છે. જે કોવીડ–૧૯નો દર્દી સાજો થઇ ગયો હોય તે દર્દીની સંમતી લઇને તેનું બ્લડ ડોનેશન, નક્કી કરેલ સમય મર્યાદામાંજ આ વીષયના નીષ્ણાત ડૉકટરોની નીગરાની નીચે લેવામાં આવે છે.( જરૂરી માત્રામાં બ્લડ લેવામાં આવે છે.) તેમાં જરૂરી અન્ય રાસાયણીક તત્વો ઉમેરીને બ્લડ પ્લાઝમા બનાવાય છે. આ બ્લડપ્લાઝમામાં કોવીડ– ૧૯ સામે પ્રતીકાર કરવા માટેના રોગપ્રતીકાર વાયરસ ( એન્ટી બોડીઝ) પહેલેથી જ અસ્તીત્વ એટલા માટે ધરાવે છે કે તે લોહી પેલા કોવીડ–૧૯વાળા પોઝેટીવ પણ સાજા થઇ ગયેલા દર્દીનું છે.  આવી રીતે કોવીડ–૧૯વાળા તદ્દન સાજા થઇ ગયેલા દર્દીનું દાનમાં લીધેલ લોહી નવા રોગવાળા દર્દીને યોગ્ય માત્રામાં' પ્લાઝમા થેરેપી સ્વરૂપે' આપવામાં આવે છે. આ રીતે આપણા દેશમાં કોવીડ–૧૯ વાળા ૨૫૦૦૦ ( પચ્ચીસ હજાર) દર્દીઓને પ્લાઝમા થેરેપી પ્રમાણે ટ્રીટમેંટ કરીને સાજા કર્યા છે. તેમની જીંદગી બચાવી છે.

 હવે દીલ્હી રાજ્યમાં તબલગી જમાતવાળા કોવીડ–૧૯ પોઝેટીવ વાળા કેટલાક દર્દીઓએ સાજા થઇને પોતાનું લોહી બ્લડ ડોનેશન તરીકે પ્લાઝમા થેરેપી માટે આપ્યું. દીલ્હી રાજ્યના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે પોતાના ટવીટર એકાઉન્ટમાં ટીવ્ટ કર્યું કે  " લોહીને કોઇ ધર્મ હોતો નથી." ' Blood has no religion.'

મોદી સરકારના આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કેજરીવાલના પેલા સનાતન અને વૈજ્ઞાનીક સત્ય સામે મેડીકલ ડૉક્ટર હોવા છતાં વાંધો પડયો. કારણકે બીજેપીની પાર્ટી લાઇનની વીચારસરણી સાથે સદર વૈજ્ઞાનીક સત્ય બંધ બેસતું ન હતું. તેમની સુચનાથી તેમના મંત્રાલયના એક અધીકારીએ આ મુદ્દે તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ ભરી ને તેમાં જાહેર કર્યું કે ' પ્લાઝમા થીયરી' નો ઉપયોગ કોવીદ–૧૯ના દર્દી માટે જોખમકારક છે. માટે હવે તેનો ઉપયોગ કરવામાં આવશે નહી. દરેક સ્થળો પર આ વાયરસથી સાજા થઇ ગયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા થેરેપી માટે બ્લડ ડોનેશન લેવાનું કામ તાત્કાલીક બંધ કરવાની સુચનો આપી દેવામાં આવી. દેશની ટોચની સંસ્થા ઇન્ડીયન  કાઉનસીલ ઓફ મેડીકલ રીસર્ચ સંસ્થાએ પોતાના મોઢેં ખંભાતી તાળુ મારી દીધું ! થોડા સમય પછી આજ સંસ્થાએ જાહેર કર્યું કે  દેશભરમાં પ્લાઝમા થેરેપી પ્રમાણે કોવીડ–૧૯ સામે પ્રતીકાર કરવા મોટાપાયે કામ કરવામાં આવશે.

પહેલાં –YES-પછી–NO- પછી  YES.

 મોદીજીનું નેતૃત્વ, કોવીડ–૧૯ સામેના સંઘર્ષમાં, પોતાની અંગત અને પક્ષ, બંનેની અવૈજ્ઞાનીક, અંધશ્રધ્ધાળુ વીચારસરણીમાંથી બહાર નીકળી, વૈજ્ઞાનીક અભીગમ અપનાવી શું ભારતનું ભાવી બચાવશે ખરા? ખુબજ દુ;ખ સાથે લખવું પડે છે કે મોદીજીએ પોતે કોવીડ –૧૯ સામે પ્રજામત જાગૃત કરવા જે માધ્યમો જેવાં કે ' થાલી બજાવો, તાલી પાડો, મીણબત્તી કે દીવા સળગાવો, મશાલ સળગાવીને ગો બેક કોરોનો, ગો બેક કોરોના' ના સુત્રો બોલાવવાનો ઉપયોગ કર્યો છે. આવી અવૈજ્ઞાનીક અને અંધશ્રધ્ધાઓને બળવત્તર બનાવતા પ્રતીકોનો ઉપયોગ કરીને શું આપણે કોવીડ–૧૯ જેવી વીશ્વવ્યાપી મહામારી સામે દેશના નાગરીકોને બચાવી શકીશું ખરા? લોકડાઉનનો સૌથી વધારે ભંગ બીજેપી સંચાલીત ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની પ્રજાએ કર્યો છે અને શું મેળવ્યું? આજ નાગરીકો છે જેમણે આપની સુચનાથી જ થાલીઓ પણ બજાવી હતી પણ સાથે સાથે ભેગા મળીને લોકડાઉનનું ઉલ્લઘંન કરીને 'ગરબા પણ ગાયા હતા! આવી અંધશ્રધ્ધાઓનો ઉપયોગ કરતી વખતે ભારતના બંધારણની કલમ ૫૧ એચ જેમાં દરેક નાગરીકની વૈજ્ઞાનીક વલણ (સાયંટીફીક ટેમ્પર) કેળવવાની ફરજ છે તે કેળવવાનો કેમ વીચાર જ ન આવ્યો? મોદીજી, ભારતીય સંસ્કૃતીનો ભુતકાળનો ઐતીહાસીક વારસો છે કે તેના રાજ્યકર્તાઓએ નવા પડકારો સામે જુના શસ્રો વાપરીને બુરી હાર સદીઓ સુધી ભોગવી છે. તે ઇતીહાસનું પુનરાવર્તન કોવીડ–૧૯ ના સંઘર્ષ સામે તો આપના નેતૃત્વમાં નહી જ થાય તેવો પુર્ણ વીશ્વાસ રાખવામાં વાંધો નથી ને?

સૌ. શેખરગુપ્તાની સદર યુ ટયુબ.

https://youtu.be/FV-ZbtqmK80

 

 

 

 


--

મજુર સુધારા નામે અમર્યાદીતશોષણની મંજુરી.

મજુર સુધારા નામે અમર્યાદીત શોષણની મંજુરી.

બીજેપી સંચાલીત ત્રણ રાજ્ય સરકારો, યુપી,મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારોએ મજુર સુધારાના નામે ખાસ વટહુકમ બહાર પાડયા છે. આ સુધારા બહાર પાડવાનો તેમનો હેતુ સ્પષ્ટ છે. આ ઉપરાંત સદર ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓ,( જ્યારે સમગ્ર દેશના નાગરીકો કોરોના વાયરસ સામે મોદી સરકારના લોકડાઉનના પગલાને સહકાર આપીને જીવ સટોસટની લડાઇ લડતાં હોય) ત્યારે મજુર કાયદા નામે નાબુદ કરવાના વટહુકમ બહાર પાડતા હોય તો આપણે શું સમજવું? શું કેન્દ્રની મોદી સરકારની પ્રત્યક્ષ કે પરોક્ષ મંજુરી સીવાય સ્વબળે મજુર કાયદા નાબુદ કરવાની હીંમત આ ત્રણ રાજ્ય સરકારો ક્યારેય કરી શકે ખરી?

આઝાદી પછી કેટલીય કાયદાકીય લડતો લડ્ડયા પછી દેશના મજુરોએ જે હક્કો મેળવેલા હતા તે બધાજ આ ત્રણ રાજ્ય સરકારે નાબુદ કરી દીધા છે. જે કાયદાઓ નાબુદ કર્યા છે તે નીચે મુજબ છે.

(૧) ધી ઇન્ડસ્ટ્રીઅલ ડીસપ્યુટ એક્ટ (૨) ધી મીનીમમ વેજીયસ એકટ (૩) ટ્રેડયુનીયન એક્ટ (૪) ફેક્ટરી લાયસન્સ એક્ટ (૫) આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશનના( ભલે ભારત એક દેશ તરીકે તેના નીયમો પાળવા માટે બંધાયેલો હોય!) કોઇ નીયમો આ રાજ્યોમાં ઉધ્યોગ શરુ કરનારને લાગુ નહી પડે.(૬) કામના કલાકો આઠ નહી બાર અને વેતન કુલ ફક્ત આઠ કલાકની મજુરીમાં જે મળવા પાત્ર હોય તેટલું જ મળશે.(૭) અઠવાડીક કામના કલાકો ફક્ત ૭૨ કલાક. ( ૮) હાયર ને ફાયર. કામદારની કોઇપણ પ્રકારની નોકરીની સલામતી નહી.(૯) કાયમી મજુર અને કોન્ટ્રાક્ટ લેબર વચ્ચે કોઇ તફાવત નહી. (૧૦) સામાજીક સલામતીનો ખ્યાલ હવે બીલકુલ ભુલી જવાનો.

સ્થાનીક સરકારોનું મુડીવાદીઓ સાથેના ગઠબંધનની તાકાત–

(૧) કર્ણાટકની યદુરપ્પા સરકારે પોતાના રાજ્યની બીલ્ડર્સ લોબીના પ્રભુત્વ હેઠળ આવીને પોતાના રાજ્યના સ્થળાંતર મજુરોને લઇ જતી ' શ્રમીક સ્પેશીઅલ ટ્રેઇન ' કેન્સલ કરી. ફરી આ સરકાર પર દબાણ આવતાં ચાલુ કરી હતી.

(૨) મધ્યપ્રદેશની સરકારે  મજુરો માટે કામનું અઠવાડીયું ૭૨ કલાકનું બનાવી દીધુ. જે કારખાનામાં ૫૦થી ઓછા મજુરો કામ કરતા હોય, ત્યાંની સરકારે લેબર ઇન્સપેક્ટની વીઝીટ કાયમ માટે કેન્સલ કરી દીધી. પહેલાં  ઉધ્યોગ બે શીફ્ટમાં આઠ કલાક પ્રમાણે ચાલતા હતા. હવે એક જ શીફ્ટ ને તે ૧૨ કલાકની રહેશે. અને મજુરને પહેલાંના ૮ કલાકનો પગાર હવે ૧૨ કલાક કામ કર્યા પછી મળશે.એકવાર  લાયસન્સની નોંધણી કરાવ્યા પછી આવતા ૧૦ વર્ષ સુધી તે લાયસન્સને રીન્યુ કરાવાની જરૂર જ નથી.

(૩) ગુજરાત સરકારે મધ્યપ્રદેશના મજુર વીરોધી કાયદા સ્વીકાર્યા ઉપરાંત ટ્રેડ યુનીયન એક્ટઅને કાયમી મજુરને જે સલામતી અને ગ્રેજ્યુટીના હક્કો મળતા હતા તેને બદલે બધાજ મજુરોની નોકરીને કોન્ટ્રાક્ટ લેબર હેઠળ લાવી દીધા. મજુરોની ' સામુહીક સોદાગીરી' " Collective Bargaining" તાકાતને કઠુરાઘાત માર્યો છે. તેવા મજુર કાયદાઓમાં પાયાના ઘણા બધા ફેરફારો મજુર વીરોધી અને માલીકોની તરફેણમાં કર્યા છે.

(૪) ઉત્તરપ્રદેશની યોગી સરકાર–  યુપી સરકારે બધાજ મજુર કાયદામાં એવા સુધારા વટહુકમથી કર્યા છે જે દેશના બંધારણ મુજબ( Con-Current Lists) કેન્દ્ર સરકારની આગોતરી મંજુરી સીવાય કરી શકાય નહી. બંધુઆ મજુરને રક્ષણ આપતો કાયદો નાબુદ કરેલ છે. ઉધ્યોગોને આકર્ષવા માટે ૩૩૦૦૦ હજાર હેક્ટર જમીન સંપાદન કરેલ છે. અને ૭ દીવસમાં તેમાંથી નવા ઉધ્યોગને આપવા માટે બધા ટાઇટલ ચોખ્ખા કરીને તબદીલ કરશે તેવી જાહેરાત કરી છે. દેશના બંધારણના આમુખના મુલ્યો અને રાજ્યના માર્ગદર્શક સીધ્ધાંતોનો તેમાં ખુલ્લેઆમ ભંગ થાય છે તેવો સ્પષ્ટ મત બંધારણીય નીષ્ણાત પ્રો. ફૈઝાન મુસ્તફા સાહેબનો મત છે.

આ ત્રણેય રાજ્યોએ મજુર કાયદાઓને પોતાના રાજ્યોમાં એવી રીતે અમલ કરવા માંગે છે કે કેન્દ્રની મોદી સરકારે સને ૨૦૧૯માં ' ધી કોડ ઓફ વેજીસ ૨૦૧૯ એક્ટની' જે જોગવાઇઓ છે તેને પણ એક બાજુએ અભરાઇ પર ચઢાવી દીધી છે. કેન્દ્ર સરકારે ૪૪ કેન્દ્રીય મજુર કાયદાઓ ઉપરથી સંકલન કરીને જે નવા ચાર કાયદા બનાવ્યા છે તેને પણ આ બધા સરકારોએ નેવે ચઢાવી દીધા છે. પશ્ચીમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરલા વી રાજ્યોની સરકારો પણ એટલા માટે આગળ વધવા માંગે છે કે જો બીજેપી સંચાલીત યુપી, એમપી અને ગુજરાત મજુર સુધારા કાયદાના નામે કેન્દ્ર સરકાર વીરૂધ્ધ વટહુકમોથી રાજ્ય કરી શકતા હોય તો પછી અમે કેમ નહી?

હવે આ ત્રણે રાજ્યોએ જે મજુર સુધારા વટહુકમથી કર્યા છે તેના પ્રત્યાઘાતો પણ સમજવા જેવા છે.

(૧) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતીય જનતા પાર્ટીની જનેતા છે તેના દ્રારા સંચાલીત ' ભારતીય મજુર સંઘ' ( બી એમ એસ; જુનું હીંદ મજદુર સંઘ અથવા એચ એમ એસ) ના વડા સજી નારાયણે આ ત્રણે રાજ્યોના મજુરકાયદાના પરીણામો અંગે ઉગ્ર ટીકા કરતાં જણાવ્યું છે કે " તેની અસરો કોવીડ–૧૯ની પેન્ડેમીક અસરો કરતાં પણ ખુબજ ઘાતક પેદા થશે. તેનાથી ઉભા થનાર ' જંગલ રાજ' ને કોઇપણ હીસાબે ચાલવા દેવાય નહી.

(૨) તા. ૧૧મી મે ના તંત્રી લેખમાં ઇન્ડીયન એક્સપ્રેસ જણાવે છે કે જ્યારે દેશનું અર્થતંત્ર ખુબજ કટોકટીભરી સ્થીતીમાંથી પસાર થઇ રહ્યું હોય અને દેશના લાખો મજુર લોકોને વર્તમાન શહેરી તમામ પ્રકારની જીવન વ્યવસ્થા સામે અસલામતીની ભાવના પેદા થઇ ગઇ હોય ત્યારે આ રાજ્ય સરકારો કેવી રીતે મજુરોની જોબ સલામતી અને તંદુરસ્તી સાથે ખીલવાટ કરી શકે.( " coming at a time of acute economic distress and labour insecurity, in a crisis that has exposed the lack of safety nets and the limited access of workers to healthcare, they must keep the concerns of labour at the centre.

(૩) આપણા દેશમાં ૯૦ ટકા મજુરો અસંગઠીત ક્ષેત્રોમાંથી રોજી મેળવે છે. જ્યાં લગભગ કોઇ મજુર કાયદાઓ મજુરોના હીતમાં કામ કરતા જ નથી. આવા સંજોગોમાં આ ત્રણેય રાજ્ય સરકારોએ મજુર કાયદાઓમાં તેમના મુળભુત હીત વીરોધી જે વટહુકમો બહાર પાડયા છે તે મજુરોની વર્તમાન દયાનીય સ્થીતીમાં ' બળતામાં ઘી નાંખવાનું ' કામ કરે છે.

(૪) ૧૨મી મે ના રોજ ઇન્ડીયન એકસપ્રેસના કોલમનીસ્ટ પ્રતાપભાનુ મહેતા લખે છે કે વટહુકમ દ્રારા મજુર કાયદાઓ બદલવા તે તો વીકૃત વીડંબના છે.

(૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આવા મજુરોના જીવનપર કઠુરાઘાત મારતા મજુર કાયદાઓ વટહુકમથી બહાર પાડવાનું કામ મજુરહીત ક્રાંતીના વૈશ્વીક મસીહા કાર્લ માર્કસના ૨૦૨મા જન્મ દીવસ પાંચમી મે ના દીવસે કર્યુ હતું..................


--

Watch"'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas"


Watch "'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube

https://youtu.be/imZQhVkmu4Y

 

Attachments area

Preview YouTube video 'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas

https://i.ytimg.com/vi/imZQhVkmu4Y/hqdefault.jpg

https://ssl.gstatic.com/docs/doclist/images/mediatype/icon_2_youtube_x16.png

'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas



" નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ"

આજે સવાર સવારમાં દીવ્યભાસ્કર દૈનીકે તેના તંત્રી પાન( અભીવ્યક્તી પાન) પર દૈનીક કોલમ ' પરદે કે પીછે' કોલમનીસ્ટ જયપ્રકાશ ચોકસીએ ઉપર મુજબની એક પંક્તી 'Watch "'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube

https://youtu.be/imZQhVkmu4Y

 

 " નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ"

આજે સવાર સવારમાં દીવ્યભાસ્કર દૈનીકે તેના તંત્રી પાન( અભીવ્યક્તી પાન) પર દૈનીક કોલમ ' પરદે કે પીછે' કોલમનીસ્ટ જયપ્રકાશ ચોકસીએ ઉપર મુજબની એક મસ્ત પંક્તી લખી નાંખી. 'નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ' .

સ્લેફ ક્વોરન્ટાઇન ની સવારે આ પંક્તી ગાનાર ગઝલકાર પંકજ ઉદાસ અને તેની આખી ગઝલ બસ સાંભળવાની એટલી બધી તડપ લાગી કે ના પુછો ની વાત! પછી તો સ્માર્ટ ફોન પર તરતજ ગુગલ સર્ચમાંથી પંકજ ઉદાસને હાજર કરીને આ ગઝલ માણવા માંડી! તેનો થોડો લાભ આપને પણ....

(૧)  સબ કો માલુમ હૈ મેં શરાબી નહી હું, ફીરભી કોઇ પીલાયે તો મેં ક્યા કરુ!

(૨) એક બાર નજરોં સે નજર મીલે, ઔર કસમ તુટ જાયે તો મેં ક્યા કરુ!

(૩) મેરી રગ રગમેં જો નશા મહોબતા કા હૈ, જો સમજમેં ન આયે તો મેં ક્યા કરુ!

(૪) જો દીલ કી મસ્તી હૈ, જો રંગ લાતી હૈ, નશા જો શરાબમેં હોતા તો નાચતી બોટલ !

ભાઇ! પંકજ ઉદાસ શાયરને કોણ સમજાવે કે બે કે ત્રણ પેક પછી પેલા સાહેબને  ખાલી બોટલ પણ નાચતી જ લાગે છે!.

નીચેની લીંક પર તમે આખી ગઝલ માણી શકશો. કદાચ થોડા સમય માટે ગઝલ સાંભળવાના  નશામાં તમે સ્વ ક્વોરંટાઇનમાં છો તે પણ ભુલી જશો!. મારી હાર્દીક શુભેચ્છા.

"'Sabko Maloom Hai Mein Sharabi Nahin...' sung by Pankaj Udhas" on YouTube

https://youtu.be/imZQhVkmu4Y

 

--

ભાઇ! શું હું અને તમેસ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછુંઆવવાનું નથી?


ભાઇ!

શું હું અને તમે સ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછું આવવાનું નથી? આ વાયરસના હુમલાએ છેલ્લા એક બે માસમાં માનવ જીવનમાં કેટલા મોટા ફેરફારો કાયમ માટે લાવી દીધા છે તે બધાને સમજવાની જરુર છે.

(૧) આ વાયરસે પ્રથમ તો આપણને સૌ ને સમુહમાં જીવન જીવતા કાયમ માટે બંધ કરી દીધા. સ્કુલ, ફેકટરી, મંદીર, મસ્જીદ,ચર્ચ, કુટુંબ, હોટેલ, પાર્ટી, અરે મૈયત અને સ્મશાન યાત્રા, રેલ્વે, બસ, એર ટ્રાવેલ, વી તમામ પ્રવૃત્તીઓમાં સામુહીક ભાગ લેવા પર સંપુર્ણ નીયંત્રણ મુકી દીધુ છે.

(૨) કોરોના વાયરસનો સ્વભાવ (Nature) જોતાં તેના વીરોધી રસી સામાન્ય માણસ સુધી ઉપલબ્ધ થતા ૨૦૨૧નો જુન આવી જશે! બીજુ આ વાયરસની પ્રકૃતી કે સ્વભાવ એવો છે કે જો કોઇપણ માણસ પાસે તે રહી ગયું તે ફરીથી સરળતાથી મોટી સંખ્યામાં ઝડપથી પહેલાંની માફક તે ચોક્કસ ફેલાઇ શકે છે. સૌથી મોટી અને નરવી વાસ્તવીકતા એ છે કે માનવ સ્વભાવ અને કોરોનાનો સ્વભાવ આમને સામને છે.  સને ૧૯૧૮માં આવેલા સ્પેનીશ ફ્લ્યુની (જે આજના કોરોના વાયરસની માફક જ વૈશ્વીક મહામારી હતો) માફક તેના પરીણામો અને સાવચેતી માટે તૈયાર રહેવું પડે.  યુરોપમાં સ્પેનીશ ફ્લુએ સને ૧૯૧૮માં લાખો માણસોને પોતાના ખપ્પરમાં લીધા પછી સને ૧૯૧૯ના શીયાળામાં યુરોપમાં બીજા વર્ષે તેટલાજ નહી બલ્કે વધારે માણસોનો ભોગ આ સ્પેનીશ ફલ્યુએ લીધો હતો. ચીન, દક્ષીણ કોરીયા જેવા દેશોમાં કોરોના વાયરસનું બીજુ ચક્ર ચાલુ થવાની માહીતી આપણને મળવા માંડી છે.

(૩) The world has completely changed. There will be vast difference between PRE- CORONA WORLD and POST CORONA WORLD. HOW?  Because of Social distancing.  લોકડાઉન પુરું થયા પછી પણ આપણે છ ફુટની દુરી કે અંતરથી આપણે એકબીજા સાથેનો વ્યવહાર ઓછામાં ઓછા એક વરસથી દોઢ વરસ સુધી ચાલુ રાખવો પડશે. કોરોના વાયરસને કારણે જે નવી જીવન પધ્ધતી અસ્તીત્વમાં આવી છે તેને મારે, તમારે સૌ એ સ્વીકારવી પડશે. ઉત્ક્રાંતીવાદના પ્રણેતા ચાર્લસ ડાર્વીનનો સીધ્ધાંત હતો કે જે સજીવો જીજીવીષા ટકાવવાના સંઘર્ષમાં પોતાના શરીરના અંગોમાં કુદરતી વાતાવરણ સામે ટકી રહેવામાં જરુરી ફેરફાર કરી શકે તે જ ટકી શકે.( Survival of fittest)  કોરોના વાયરસ સામે ટકી રહેવા ફીટેસ્ટ નહી પણ ક્વીકેસ્ટ ( Survival of the quickest, Adoption of forced changes by quickest means.)  બનવું પડશે. તેવા નીયમો  પાળવા પડશે.

(૪) છેલ્લા પાંચસો વર્ષમાં પેદા થયેલી ઔધ્યોગીક સંસ્કૃતીએ માનવીને ખેતર અને તેના ઘરમાંથી બહાર કાઢીને કારખાના, ઓફીસ, સ્કુલ– કોલેજ– બેંકો – જાત જાતના મલ્ટીનેશનલ જેવા એકમોમાં રોજગાર મેળવતો કરી દીધો હતો. મોટાપાયે અસ્તીત્વમાં આવેલ કેન્દ્રીકરણ આધારીત એકમોમાં કામ કરતો કરી મુક્યો હતો. તેની પોલ્યુશન જેવી અનેક ટોક્ષીક અસરોનો માનવી ભોગ બનવા માંડયો હતો.

(૫) Concept of Electronic Cottage-

 કોરોના વાયરસે માનવીને તેના ઘરે બેસીને કામ કરતો કરી દીધો છે. સને ૧૯૮૦માં ઓલવીન ટોફલર નામના એક અમેરીકન તત્વજ્ઞાનીએ એક પુસ્તક લખેલું હતું. તેનું નામ છે " The Third wave."  ગુજરાતીમાં તે ' ત્રીજું મોજુ' નામથી ઓળખાય છે. તે પુસ્તકમાં એક પ્રકરણનું નામ ટોફલરે 'ઇલોટ્રોનીક કોટેજ ' આપ્યું છે. તેનો ખ્યાલ  નીચે મુજબની રીતે વીકસાવ્યો છે. ટોફલરનું તારણ હતું કે ૨૧મી સદીના માનવીના કામનું સ્થળ તેનું ઘર બની જશે. તે ફક્ત ઔધ્યોગીક સંસ્કૃતીની માફક વસ્તુઓનો ગ્રાહક જ નહી પણ ઉત્પાદક પણ સાથે સાથે બની જશે. ટોફલરે તે માટે આપણને એક નવો શબ્દ આપ્યો છે. PROSUMER ( Characters of both producer & consumer.)  લેખકના મત મુજબ આ ઘર ૨૧મી સદીના તમામ આધુનીક ઇલોટ્રોનીક સાધનોથી સુસજ્જ હશે. તે ભલે આ ઘરની બહાર ન નીકળતો હોય પણ વૈશ્વીક ગ્રામ્ય ( Global Village) નો અનીવાર્ય ભાગ હશે.

 કોરોના વાયરસ આપણને પાઠ ભણાવે છે કે હૈ! માનવી, તે ૨૧મી સદીમાં આવતા સુધી તારા લોભ અને તારી સ્વાર્થી બુધ્ધીને કારણે તેં ફક્ત તારો વીનાશ જ નહતો નોતર્યો પણ સમગ્ર સજીવ સૃષ્ટી ( Total Nature as such )અને તમામ કુદરતી પરીબળોનો વીનાશ કરવા તું મેદાને પડયો હતો. તારે જીવવું હોય ને કમસે કમ ૨૨મી સદી તો તારે જોવી છે ને ! તો કોરોના વાયરસે તને ' વર્ક ફ્રોમ હોમ' ઘરેથી કામ કરવાનું અને રોજી મેળવવાનું શીખી જા.

તારા ઘર જેવી, તમારા ઘરની આસપાસ પેલી જુદા જુદા માનવીય હેતુઓને સંવર્ધન કરે તેવી ' ઇલોકટ્રોનીક કોટેજીસ' અન્ય માનવીઓની મદદથી જેઓ નવા પરીવર્તનના પડકારોને સમજી શકે ,પચાવી શકે, અમલમાં મુકી શકે તે બધાના સહકારથી બનાવવા માંડો. તેમાંથી 'ગ્લોબલ વીલેજ'ને ઉભુ કરી દો. આ માટે માનવી તારે ઔધ્યોગીક સમાજે તને જે સ્ટેટસ સીમ્બોલની લાઇફ સ્ટાઇલ જેવી કે લક્ઝયુરીયસ ગાડીઓ,તારા બેડરુમના ક્લોઝેટના ભરેલા હેંગરોમાં પેલા શર્ટસ, પેન્ટ, ટાઇ, સૂટસ વી. ઉપરાંત બુટ, ચંપલ સેન્ડલસ બધાની જોડીઓની કોઇ જ જરૂર નથી. તારા સોના–હીરા–પ્લેટીનમ ના દાગીના, ચાંદીના વાસણો જે બધુ પેલા ઔધ્યોગીક સમાજની દેન હતી તેની અહીંયા તો ઉપયોગીતા જ નથી. કોરોના વાયરસની અસરોએ સામાજીક માનવીમાંથી તેને અસામાજીક (એટલે બદમાશ નહી ) પણ નાના કટુંબ સાથે જીવન જીવનારો બનાવી દીધો છે. પાર્ટી, હોટેલ્સ,પીકનીક, સેમીનાર બધું જ અહીયાં તો ફક્ત ઓનલાઇન જ ચાલે છે. કારણકે તારે તારી ઇલોકટ્રોનીક કોટોજની બહાર જ જવાનું નથી તેવી નવી સંસ્કૃત્તી સાથે જીવવાનું છે. તેનો પહેલો પાઠ તો તને અને પેલા સૌ ને ૪૦– ૫૦ દીવસ લોકડાઉન કરીને ઘરમાં બેસાડીને તો શીખવાડી દીધો છે ને! તારી આ કોટેજ તો ઇલેકટ્રીસીટીને બદલે વૈકલ્પીક સુર્યશક્તીથી ચાલે છે.

ઓલવીન ટોફલર ને કોરોના વાયરસે બંને ભેગા મળીને આપણને સૌ ને સરસ બોધપાઠ આપી દીધો છે.

" જીવવું છે, વંશવેલો ટકાવી રાખવો છે તો આટલી વાત સમજી લો. લોકડાઉનનો સંદેશો– ઔધ્યોગીક સંસ્કૃતીના તમામ માળખાઓને બને તેટલી ઝડપથી ભુલી જાવ અને ૨૧મી સદીના ઇલોટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજ આધારીત નવી સંસ્કૃત્તીના સભ્ય બની જાવ અને જેને કોરોનાથી જાન બચાવવી હોય તો જેટલી બને તેટલી ઝડપથી નવા ફેરફારો સ્વીકારવા માંડે. હૈ! ભારતીય તો તમે તમારી  સાહેબે શીખવાડેલી થાળીઓ, તાલીઓ, દીવાઓ મશાલો વી.  બધો સામાન પેલા ઇલોકટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજમાં નકામો કે અપ્રસતુત હોવાથી તેમની સાથે જ રહેવા દેજો. શુભેચ્છા સાથે!

 

--

Wednesday, May 6, 2020

ભાઇ! શું હું અને તમેસ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછુંઆવવાનું નથી?

ભાઇ!

શું હું અને તમે સ્વીકારવા તૈયાર છીએ ખરા કે કોરોના વાયરસના હુમલાથી પહેલાનું જીવન ક્યારેય પાછું આવવાનું નથી? આ વાયરસના હુમલાએ છેલ્લા એક બે માસમાં માનવ જીવનમાં કેટલા મોટા ફેરફારો કાયમ માટે લાવી દીધા છે તે બધાને સમજવાની જરુર છે.

(૧) આ વાયરસે પ્રથમ તો આપણને સૌ ને સમુહમાં જીવન જીવતા કાયમ માટે બંધ કરી દીધા. સ્કુલ, ફેકટરી, મંદીર, મસ્જીદ,ચર્ચ, કુટુંબ, હોટેલ, પાર્ટી, અરે મૈયત અને સ્મશાન યાત્રા, રેલ્વે, બસ, એર ટ્રાવેલ, વી તમામ પ્રવૃત્તીઓમાં સામુહીક ભાગ લેવા પર સંપુર્ણ નીયંત્રણ મુકી દીધુ છે.

(૨) કોરોના વાયરસનો સ્વભાવ (Nature) જોતાં તેના વીરોધી રસી સામાન્ય માણસ સુધી ઉપલબ્ધ થતા ૨૦૨૧નો જુન આવી જશે! બીજુ આ વાયરસની પ્રકૃતી કે સ્વભાવ એવો છે કે જો કોઇપણ માણસ પાસે તે રહી ગયું તે ફરીથી સરળતાથી મોટી સંખ્યામાં ઝડપથી પહેલાંની માફક તે ચોક્કસ ફેલાઇ શકે છે. સૌથી મોટી અને નરવી વાસ્તવીકતા એ છે કે માનવ સ્વભાવ અને કોરોનાનો સ્વભાવ આમને સામને છે.  સને ૧૯૧૮માં આવેલા સ્પેનીશ ફ્લ્યુની (જે આજના કોરોના વાયરસની માફક જ વૈશ્વીક મહામારી હતો) માફક તેના પરીણામો અને સાવચેતી માટે તૈયાર રહેવું પડે.  યુરોપમાં સ્પેનીશ ફ્લુએ સને ૧૯૧૮માં લાખો માણસોને પોતાના ખપ્પરમાં લીધા પછી સને ૧૯૧૯ના શીયાળામાં યુરોપમાં બીજા વર્ષે તેટલાજ નહી બલ્કે વધારે માણસોનો ભોગ આ સ્પેનીશ ફલ્યુએ લીધો હતો. ચીન, દક્ષીણ કોરીયા જેવા દેશોમાં કોરોના વાયરસનું બીજુ ચક્ર ચાલુ થવાની માહીતી આપણને મળવા માંડી છે.

(૩) The world has completely changed. There will be vast difference between PRE- CORONA WORLD and POST CORONA WORLD. HOW?  Because of Social distancing.  લોકડાઉન પુરું થયા પછી પણ આપણે છ ફુટની દુરી કે અંતરથી આપણે એકબીજા સાથેનો વ્યવહાર ઓછામાં ઓછા એક વરસથી દોઢ વરસ સુધી ચાલુ રાખવો પડશે. કોરોના વાયરસને કારણે જે નવી જીવન પધ્ધતી અસ્તીત્વમાં આવી છે તેને મારે, તમારે સૌ એ સ્વીકારવી પડશે. ઉત્ક્રાંતીવાદના પ્રણેતા ચાર્લસ ડાર્વીનનો સીધ્ધાંત હતો કે જે સજીવો જીજીવીષા ટકાવવાના સંઘર્ષમાં પોતાના શરીરના અંગોમાં કુદરતી વાતાવરણ સામે ટકી રહેવામાં જરુરી ફેરફાર કરી શકે તે જ ટકી શકે.( Survival of fittest)  કોરોના વાયરસ સામે ટકી રહેવા ફીટેસ્ટ નહી પણ ક્વીકેસ્ટ ( Survival of the quickest, Adoption of forced changes by quickest means.)  બનવું પડશે. તેવા નીયમો  પાળવા પડશે.

(૪) છેલ્લા પાંચસો વર્ષમાં પેદા થયેલી ઔધ્યોગીક સંસ્કૃતીએ માનવીને ખેતર અને તેના ઘરમાંથી બહાર કાઢીને કારખાના, ઓફીસ, સ્કુલ– કોલેજ– બેંકો – જાત જાતના મલ્ટીનેશનલ જેવા એકમોમાં રોજગાર મેળવતો કરી દીધો હતો. મોટાપાયે અસ્તીત્વમાં આવેલ કેન્દ્રીકરણ આધારીત એકમોમાં કામ કરતો કરી મુક્યો હતો. તેની પોલ્યુશન જેવી અનેક ટોક્ષીક અસરોનો માનવી ભોગ બનવા માંડયો હતો.

(૫) Concept of Electronic Cottage-

 કોરોના વાયરસે માનવીને તેના ઘરે બેસીને કામ કરતો કરી દીધો છે. સને ૧૯૮૦માં ઓલવીન ટોફલર નામના એક અમેરીકન તત્વજ્ઞાનીએ એક પુસ્તક લખેલું હતું. તેનું નામ છે " The Third wave."  ગુજરાતીમાં તે ' ત્રીજું મોજુ' નામથી ઓળખાય છે. તે પુસ્તકમાં એક પ્રકરણનું નામ ટોફલરે 'ઇલોટ્રોનીક કોટેજ ' આપ્યું છે. તેનો ખ્યાલ  નીચે મુજબની રીતે વીકસાવ્યો છે. ટોફલરનું તારણ હતું કે ૨૧મી સદીના માનવીના કામનું સ્થળ તેનું ઘર બની જશે. તે ફક્ત ઔધ્યોગીક સંસ્કૃતીની માફક વસ્તુઓનો ગ્રાહક જ નહી પણ ઉત્પાદક પણ સાથે સાથે બની જશે. ટોફલરે તે માટે આપણને એક નવો શબ્દ આપ્યો છે. PROSUMER ( Characters of both producer & consumer.)  લેખકના મત મુજબ આ ઘર ૨૧મી સદીના તમામ આધુનીક ઇલોટ્રોનીક સાધનોથી સુસજ્જ હશે. તે ભલે આ ઘરની બહાર ન નીકળતો હોય પણ વૈશ્વીક ગ્રામ્ય ( Global Village) નો અનીવાર્ય ભાગ હશે.

 કોરોના વાયરસ આપણને પાઠ ભણાવે છે કે હૈ! માનવી, તે ૨૧મી સદીમાં આવતા સુધી તારા લોભ અને તારી સ્વાર્થી બુધ્ધીને કારણે તેં ફક્ત તારો વીનાશ જ નહતો નોતર્યો પણ સમગ્ર સજીવ સૃષ્ટી ( Total Nature as such )અને તમામ કુદરતી પરીબળોનો વીનાશ કરવા તું મેદાને પડયો હતો. તારે જીવવું હોય ને કમસે કમ ૨૨મી સદી તો તારે જોવી છે ને ! તો કોરોના વાયરસે તને ' વર્ક ફ્રોમ હોમ' ઘરેથી કામ કરવાનું અને રોજી મેળવવાનું શીખી જા.

તારા ઘર જેવી, તમારા ઘરની આસપાસ પેલી જુદા જુદા માનવીય હેતુઓને સંવર્ધન કરે તેવી ' ઇલોકટ્રોનીક કોટેજીસ' અન્ય માનવીઓની મદદથી જેઓ નવા પરીવર્તનના પડકારોને સમજી શકે ,પચાવી શકે, અમલમાં મુકી શકે તે બધાના સહકારથી બનાવવા માંડો. તેમાંથી 'ગ્લોબલ વીલેજ'ને ઉભુ કરી દો. આ માટે માનવી તારે ઔધ્યોગીક સમાજે તને જે સ્ટેટસ સીમ્બોલની લાઇફ સ્ટાઇલ જેવી કે લક્ઝયુરીયસ ગાડીઓ,તારા બેડરુમના ક્લોઝેટના ભરેલા હેંગરોમાં પેલા શર્ટસ, પેન્ટ, ટાઇ, સૂટસ વી. ઉપરાંત બુટ, ચંપલ સેન્ડલસ બધાની જોડીઓની કોઇ જ જરૂર નથી. તારા સોના–હીરા–પ્લેટીનમ ના દાગીના, ચાંદીના વાસણો જે બધુ પેલા ઔધ્યોગીક સમાજની દેન હતી તેની અહીંયા તો ઉપયોગીતા જ નથી. કોરોના વાયરસની અસરોએ સામાજીક માનવીમાંથી તેને અસામાજીક (એટલે બદમાશ નહી ) પણ નાના કટુંબ સાથે જીવન જીવનારો બનાવી દીધો છે. પાર્ટી, હોટેલ્સ,પીકનીક, સેમીનાર બધું જ અહીયાં તો ફક્ત ઓનલાઇન જ ચાલે છે. કારણકે તારે તારી ઇલોકટ્રોનીક કોટોજની બહાર જ જવાનું નથી તેવી નવી સંસ્કૃત્તી સાથે જીવવાનું છે. તેનો પહેલો પાઠ તો તને અને પેલા સૌ ને ૪૦– ૫૦ દીવસ લોકડાઉન કરીને ઘરમાં બેસાડીને તો શીખવાડી દીધો છે ને! તારી આ કોટેજ તો ઇલેકટ્રીસીટીને બદલે વૈકલ્પીક સુર્યશક્તીથી ચાલે છે.

ઓલવીન ટોફલર ને કોરોના વાયરસે બંને ભેગા મળીને આપણને સૌ ને સરસ બોધપાઠ આપી દીધો છે.

" જીવવું છે, વંશવેલો ટકાવી રાખવો છે તો આટલી વાત સમજી લો. લોકડાઉનનો સંદેશો– ઔધ્યોગીક સંસ્કૃતીના તમામ માળખાઓને બને તેટલી ઝડપથી ભુલી જાવ અને ૨૧મી સદીના ઇલોટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજ આધારીત નવી સંસ્કૃત્તીના સભ્ય બની જાવ અને જેને કોરોનાથી જાન બચાવવી હોય તો જેટલી બને તેટલી ઝડપથી નવા ફેરફારો સ્વીકારવા માંડે. હૈ! ભારતીય તો તમે તમારી  સાહેબે શીખવાડેલી થાળીઓ, તાલીઓ, દીવાઓ મશાલો વી.  બધો સામાન પેલા ઇલોકટ્રોનીક કોટેજ અને ગ્લોબલ વીલેજમાં નકામો કે અપ્રસતુત હોવાથી તેમની સાથે જ રહેવા દેજો. શુભેચ્છા સાથે!

 


--

Sunday, May 3, 2020

સ્થળાંતરીત મજુરોનામુદ્દે સરકારની ફેર વીચારણા–

સ્થળાંતરીત મજુરોના મુદ્દે સરકારની ફેર વીચારણા–

જે દીવસથી મોદી સરકારે લોકડાઉન શરૂ કર્યું કે તરતજ દેશના તમામ ઔધ્યોગીક શહેરોમાં: દા.ત દીલ્હી, મુંબઇ, અમદાવાદ, ચૈન્નઇ, બેંગલોર વગેરે શહેરોમાં સ્થળાંતરીત મજુરોની સ્થીતી ખુબજ દયાનીક બની ગઇ હતી.. તે બધાના રોજગારી અને રહેઠાણના તમામ સ્રોત્રો એકદમ, એકાએક, કેન્દ્ર સરકારના લોકડાઉનના નીર્ણયને કારણે રાતોરાત બંધ થઇ ગયા હતા અને આજે પણ બંધ છે. દેશ સમક્ષ દીલ્હીના આનંદ વીહાર, મુંબઇના બાંદ્રા સ્ટેશન, સુરતના વરછા રોડ અને ઔધ્યોગીક વસાહતોમાં આ મજુરોના અસંખ્ય ટોળાઓનો અવીરત ચાલતો સમુહ આપણને સૌને સતત દેખાતો હતો. ' માથા પર ઘરવખરીનું પોટલું અને બગલમાં તેડેલું બાળક .' બસ કે રેલ્વે બધું લોકડાઉન એટલે આ બધો વંચીતોનો અવીરત સમુહ પોતાના મુળ ગામ– પ્રદેશમાં જવા ચાલતો નીકળી પડયો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારો આ બધા ને ગઇકાલ સુધી દેશના ઔધ્યોગીક ક્ષેત્ર અને અર્થતંત્રની કરોડરજ્જુ પણ ગણતા ન હતા. તેથી તેમને  નધણીયાતા બનાવીને સડક પર ફગાવી દીધા. આ બધી સરકારોની સ્થળાંતરીત મજુરો માટેની માનસીકતાને પણ સમજવા જેવી છે. આ વર્ગને ક્યારેય સરકારો અને તેથી સમાજે પણ દેશના મુખ્યપ્રવાહનો( Mainstream) ભાગ ગણ્યો જ ન હતો. લોકડાઉનનો નીર્ણય કરતે સમયે દેશના અર્થતંત્રમાં આ વર્ગનો કેટલો ચાવીરૂપઅને ગતીશીલ ફાળો છે તેનો મોદી સરકારે ધરાર, અને ગુનાહીત બેદરકારી દાખવીને નજરઅંદાજ કર્યો હતો. તે બધા તો બીચારા અબોલ છે અને તેમના વતી બોલનારની કીમંત પણ સત્તાના બેલગામ દોરમાં કોને દેખાય! કારણકે મોદીજી, સત્તા અને રાજકારણમાં તે બધા કીસ ગીનતી મેં ! કેમ ખરૂ ને!.

તારીખ ૨૪મી માર્ચથી ૩૦મી એપ્રીલ સુધી લગભગ ૪૦ દીવસ આ વર્ગ ક્યાં છે, કેવી રીતે જીવે છે, તેના બાલબચ્ચાંને બે ટંકનું ભોજન મળે છે કે નહી? તે ક્યાં સુઇ રહે છે તેની ચીંતા સરકારને ક્યાંથી હોય? મોદી સરકારે તો બસ, રેલ્વે, વીમાની સેવા અને તમામ અન્ય વાહનવ્યહારના તમામ સાધનો ઉપર આ લોકડાઉનના સમયગાળા દરમ્યાન પ્રતીબંધ મુકી દીધા હતા. સરકારને જ્યારે આ વર્ગની વાસ્તવીક સ્થીતીમાંથી પેદા થયેલા અજંપા– બળવાને કારણે, તેણે ઠેર ઠેર કાયદો હાથમાં લઇને હીંસક બનવા માંડ્યો છે તે સમાચાર મળતાં જ એકાએક સફાળી બની ગઇ. જે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ વર્ગથી કોરોના સંક્રમણ ન ફેલાય માટે જ્યાંહોય ત્યાં રહેવા મજબુર કરવા પોલીસ અને દંડા રાજ્યનો ઉપયોગ કરતી  હતી તે જ સરકારો તા. ૧લી મે થી આ મજુરોને પોતાના માદરે વતનના રાજ્યમાં મુકવા માટે સ્પેશીઅલ નોન–સ્ટોપ પેંસજર ગાડીઓ(મજુરોના ભાડાના પૈસા લઇને જ)દોડાવા માંડી છે.

જુદી જુદી રાજ્ય સરકારો આ તાકીદની સમસ્યા ઉકેલવા શું કરી રહી છે તેના પર આપણે નજર નાંખી લઇએ. તેને માટે આજના તા.૩–૦૫–૨૦ના રોજના ટાઇમ્સ ઓફ ઇંડીયાના સમાચારોનો સાથ લીધો છે.

(૧)  પાન નં એક– ગઇકાલે દાહોદ( મધ્યપ્રદેશ) અને શામળાજી( રાજસ્થાન)ની સરહદ પર ગુજરાતમાંથી કાયદેસર નીકળતા સ્થાળાંતર મજુરોને બંને રાજ્યોની સરકારોએ પ્રવેશ બંધી કરી દીધી. ગુજરાત સરકારના અંદાજ મુજબ આશરે ૨૦લાખ કરતાં પણ વધારે મજુરો પોતાના વતન જવા દ્રઢનીશ્ચય કરીને બેસી ગયા છે. બંને દાહોદ અને શામળાજી(અરવલ્લી જીલ્લા)ની ચેકપોષ્ટ પર આ મજુરોઓ પોલીસો ઉપર પથ્થ્રમારો કર્યો હતો. વડોદરાની બહારના સુરત તરફના રીંગ રોડ પર આ મજુરોના આશરે ૨૦૦૦થી વધુના ટોળાએ પોલીસના હુકમનો બીલકુલ અનાદર કરીને સુરત જવાનું બંધ કરીને ચક્કાજામ અને સ્ફોટક પરીસ્થીતી પેદા કરી દીધી છે. રેલ્વેએ ખાસ 'સ્પેશીયલ શ્રમીક ટ્રેઇન' ૧૨૦૦ ઉ. પ્રદેશના આગ્રા સુધીના મજુરો માટે સાબરમતી રેલ્વે સ્ટેશનેથી રવાના કરી દીધી છે.ગુજરાત સરકારે કેન્દ્રના ગૃહમંત્રાલય સાથે પરામર્શ કરીને આશરે પેલા ૨૦ લાખથી પણ વધારે મજુરોને બે ભાગમાં વહેંચી નાંખીને માદરે વતન મોકલવાનું નક્કી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મજરોને બસોમાં અને તેથી દુરના રાજ્યો યુપી, બીહાર, બંગાલ ઓડીસા વી. રાજ્યોના મજુરોને લાંબા અંતરોની ટ્રેઇનમાં મોકલવાનો નીર્ણય કર્યો છે. એક પેંસજર ટ્રેઇનમાં ૧૦૦૦, અને એક બસમાં આશરે ૪૦ થી ૫૦ મજુરોને મોકલી શકાશે. પેલા આશરે ૨૦ લાખથી વધારે મજુરો ક્યારે ને કેવી રીતે માદરે વતન પહોંચશે તે આંકડાના ગુણાકાર ભાગકાર કરવાથી સમજવું સરળ નથી જ. ગુજરાત સરકારે આ સમસ્યા સરળતાથી પાર પડે માટે આશરે ૧૬ આઇ એ એસ અને આઇ પી એસ અધીકારીઓને કામ સોંપ્યું છે. ટાઇમ્સ ઓફ ઇંડીયાના રીપોર્ટરે આ રીપોર્ટમાં ગંભીરતાથી લખ્યું છે કે " The desperation among labourers to go back is so strong that by each passing day, it is becoming a challenge to maintain law and order."

 (૨) દીલ્હીમાં સ્થળાંતરીત મજુરોની સંખ્યા ૪૦ લાખથી પણ વધારે છે. એક સ્થળાંતરીત સ્રી મજુર આ પેપરના પ્રતીનીધીને જણાવે છે કે " હું એકવાર બીહારના મારાવતન પુરણીયા ગામમાં પહોંચી જઇશ પછી ક્યારે દીલ્હી આવીશ નહી.( Won't return to Delhi once I reach home in Bihar.)  રાજધાની દીલ્હીના 'લ્યુટેન' વીસ્તાર જ્યાં રાષ્ટ્રની ' થીંક ટેંક' ની ઓફીસો આવેલી છે તે બાબુઓ વીચારે છે કે " આ બધા સ્થળાંતરીત મજુરો સીવાય અમારી દીલ્હીના અને દેશના અર્થતંત્રના પાટાપરથી જે ગાડી ઉતરી ગઇ છે તેને પાટા પર કોણ ચઢાવશે? ( The city experts worries about how an economic revival can be achieved without them.)

(૩) તા. ૧લી મે ના રોજ નાસીક મહારાષ્ટ્રમાં સલવાઇ ગયેલાકે મુશ્કેલીમાં આવી પડેલા ( Stranded Labourers) ૩૫૦ મજુરોને ભોપાલ( મધ્યપ્રદેશ) સ્પેશીઅલ ટ્રેઇનમાં લઇ જવામાં આવ્યા હતા.

(૪) જમ્મુથી સમાચાર છે કે છેલ્લા ૪૨ દીવસોથી હજારો કાશ્મીરી મજુરો અને દર્દીઓ આ શહેરમાં ફસાઇ ગયા છે.પ્રશાસન તેમને લઇ જવાની કોઇ વ્યવસ્થા હજુ સુધી કરી શકી નથી.

(૫) હરીયાણાના મુખ્યમંત્રીશ્રી મોહનલાલ ખટ્ટર પોતાના રાજ્યમાં સલવાઇ પડેલા મજુરોને વીનંતી કરે છે કે મહેરબાની કરીને તમે અમારુ રાજ્ય છોડીને જશો નહી. થોડા સમયમાં બંધ પડી ગયેલા ઉધ્યોગો ચાલુ થઇ જવાના છે. પણ પેલા બધા મજુરોએ પોતાના વતન જવા માટે સ્થાનીક તંત્રો પાસે પોતાના નામો રજીસ્ટર્ડ કરાવી લીધા છે.અને જવાની રાહ જુએ છે.

(૬) કર્ણાટકના પાટનગર બેંગલોરથી સમાચાર છે કે ' દક્ષીણ પશ્ચીમ રેલ્વે' નું તંત્ર કર્ણાટક સરકાર સ્થળાંતરીત મજુરોની યાદી મોકલાવે એટલે તે પ્રમાણે મજુરોને જુદાજુદા રાજ્યોમાં લઇ જવા તૈયાર છે.

(૭) જયપુરથી બીહાર સ્પેશીઅલ ટ્રેઇન આશરે ૧૨૦૦ મજુરોને લઇને પહોંચી ગઇ છે.

લગભગ આ સ્થીતી દેશના તમામ ઔધ્યોગીક –શહેરી વીસ્તારોમાં સલવાઇ ગયેલા મજુરોની સ્થીતી છે.

તમામ સ્થળાંતરીત મજુરોની માનસીક સ્થીતી હાલને તબક્કે એવી સ્પષ્ટ દેખાય છે કે ઓછામાંઓછા બે એક વરસ સુધી આ બધા તેમના ગામોમાંથી ફરી શહેરોમાં નહી જ આવે. તેમજ પરપ્રાંતોમાં ઉધ્યોગ સીવાય ખેતી જેવા કામો કરવા પણ નહી જ આવે. પંજાબ અને હરીયાણાના ખેડુતો ઉ.પ્રદેશ, બીહાર વી. ના ખેતમજુરો પાસે ડાંગર ફેરરોપણીનું કામ કરાવતા હતા. દહેરાદુન બાસમતી ચોખા પકવતા હતા. આ બંને રાજ્યોના ખેડુતોએ ડાંગરને બદલે કપાસની ખેતી શરૂ કરી દીધી છે. તેનાથી આડકતરો ફાયદો દેશના પાટનગર દીલ્હીને થશે. દીવાળી પર ડાંગરનો પાક લીધા પછી તેની પરાર સળગાવી નાંખીને જે પોલ્યુશન પ્રતીવર્ષૅ થતું હતું તે હવે લગભગ નહીવત થશે.

પરંતુ સ્વતંત્રતા પછી જે અર્બન ઇંડીયા શહેરી આધુનીક ભારત બનતું હતું, વીકસતું હતું તેના વીકાસ પર ખુબજ મોટી બ્રેક વાગી ગઇ છે.


--

Friday, May 1, 2020

મોદીજી, જે ઉત્સાહથી લોકડાઉનશરુ કર્યું હતું એટલાજ ઉત્સાહથી હવે લોકડાઉન ઉઠાવી લો.



--
Bipin Shroff

 


મોદીજી,
જે ઉત્સાહથી લોકડાઉન શરુ કર્યું હતું એટલાજ ઉત્સાહથી હવે લોકડાઉન ઉઠાવી લો.
(
૧) લોકડાઉન શરુ કરે ૪૦ દીવસ ૩જી મે એ પુરા થશે. તેનો કોઇ અંત હોઇ શકે ખરો? આટલા મોટો સમયગાળો રાજ્યને કોરોનાથી સંક્રમીત લોકોની આરોગ્યને લગતી તમામ જરુરી સુવીધાઓ જેવી કે વેન્ટીલેટર્સ, ઓકસીજન સીલીન્ડર્સ, ડૉક્ટર્સોથી માંડીને અન્ય સ્ટાફ માટેના સંરક્ષણ માટેના સાધનોનો પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ ગયો હશે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસીતપ્રદેશોની હોસ્પીટલોમાં તે બધો પુરવઠો પહોંચી ગયો હશે. બાકી હોય તો મહેરબાની કરીને નહી પણ રાજ્યકર્તાની ફરજના ભાગરુપે આવો પુરવઠો સત્વરે પુરો પાડવાની નાગરીકો તરીકે અમે આપની સરકારને વીનંતી કરીએ છીએ.
(
૨) દેશની પ્રજાને સ્પષ્ટ રીતે તમામ માધ્યમોથી કોરોના વાયરસ સામે પ્રતીકાર પેદા કરવાની રસી કે વેક્સીન આજે તો નહી અને આવતા એકથી દોઢ વર્ષ સુધી ભારત સહીત વીશ્વના કોઇ દેશને મલવાની શક્યતા નથી જ તે જણાવી દો. આ વૈજ્ઞાનીક, તાર્કીક અને બુધ્ધીગમ્ય સત્ય નહી પણ નગ્ન સત્ય છે. પ્રયોગશાળામાં પ્રયોગ કક્ષાએ વેક્સીન શોધાયા પછી તેને દેશ અને દુનીયાના લાખો નહી કરોડો લોકો સુધી સરળતાથી આર્થીક રીતે પણ પોષાય તે રીતે મારા અને તમારા ઘર સુધી પહોંચતાં કેટલો સમય લાગશે? આપશ્રી આ સત્યને સ્વીકારો અને દેશના નાગરીકોને સત્ય જણાવવાની હીંમત બતાવો!
(
૩) આપશ્રીની લોકડાઉનની નીતીને કારણે બે અનુભવો થયા છે. જે ખુબજ પ્રશંસનીય છે. એક સરકાર કે રાજ્યના પ્રયત્નથી સામાન્ય માણસ સુધી સમજ ફેલાઇ ગઇ છે કે કોરોના વાયરસનો ફેલાવો માણસના એકબીજાના ઘનીષ્ટ સંપર્કમાં આવવાથી પેદા થાય છે. માટે મોંઢા પર માસ્ક પહેરેવો અને એકબીજાથી યોગ્ય અંતર રાખીને વ્યવહાર કરવો. બીજુ આ વરવી હકીકત હોવા છતાં જીવનજરુરીયાતની ચીજ વસ્તુઓની ખરીદીમાં બધા જ નીયમો અને ડહાપણ બાજુપર મુકીને ટોળાબંધીમાંજ આપણે ખરીદી કરીએ છીએ. જે બદલાવાની કોઇ શક્યતા નથી જ. નાગરીકો તરીકે તેના પરીણામો ભોગવવા જ પડશે. અને રાજ્યે આવા નીયમોનું ઉલ્લંઘન કરનાર રોગીઓની સેવા પણ કરવી જ રહી.
(
૪) કોરોના સંકટમાં, આપણા બધા માટે એક યક્ષ પ્રશ્ન સામે આવીને ઉભો રહ્યો છે. સામાન્ય રીતે વૈશ્વીક મહામારી (pandemic)માં રાજ્યની જવાબદારી નાગરીકોની જીંદગી બચાવવાની હોય છે.પણ વીશ્વના ભારત સહીત બધા જ દેશોની સરકારો પાસે બે ફરજો એકી સાથે બજાવવાની આવી ગઇ છે. પ્રજાની જીંદગી બચાવવાની સાથે દેશના અને નાગરીકની આર્થીક સુખાકરી પણ બચાવવાની ફરજ આવી પડી છે. એકના ભોગે બીજાને બચાવાય તેવી સ્થીતી પસંદ થાય તેમ બીલકુલ નથી. રાજ્યકર્તાઓએ સમજી લેવું પડશે કે પ્રજાની તંદુરસ્તી અને દેશના અર્થતંત્રની તંદુરસ્તી એકબીજા પર આધારીત છે.( This dilemma will always be larger than life when there is a single objective of saving lives in a pandemic. But it must also be recognised that the health of people and the health of an economy are interdependent.) મોદીજી, આ બંને વચ્ચેની સમતુલા પોલીસદંડાસરકારી સત્તાના ઉપયોગથી મેળવી શકાશે નહી.

(૫) મોદીજી, દેશના નાગરીકોની એ ક્યારેય પસંદગી ન હોઇ શકે કે અમે માંદા રહીશું અને ભુખ્યા પણ રહીશું. અમારે તો તંદુરસ્ત પણ રહેવું છે અને અન્ન ખાઇને ઓડકાર પણ લેવો છે.( be well fed.) આપણા દેશમાં એવા કુટુંબોની સંખ્યા કેટલી હશે કે જે દૈનીક, અઠવાડીક કે માસીક પગાર સીવાય પોતાના ઘરના રસોડાનો સાંજનો ચુલો સળગાવી શકે? છેલ્લા ૪૦ દીવસોના લોકડાઉનમાં આ બધા કુટુંબોના કેટલાના ઘરોમાં સાંજના ચુલા સળગ્યા અને કેટલાયના ઘરોમાં તે બધાના સભ્યો રાત્રે ભુખ્યા સુઇ ગયા? દેશની કોઇ ટીવી ચેનલે કે આપની ' મન કી બાત' માં તે બધી દેશની લોકડાઉનની વાસ્તવીકતાઓને ન્યુઝ તરીકે સ્થાન મળ્યું છે કે નહી તે મને તો ખબર જ નથી. આપના અને આર એસ એસના વડા ભાગવતજીના છેલ્લા પણ તાજેતરના તારણ મુજબ જેમ કોરાના વાયરસને કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, પ્રદેશ કે રાષ્ટ્ર નથી તેવું જ સાહેબ, માનવીની પેટની ભુખને પણ કોઇ ધર્મ, જ્ઞાતી, જાતી, પ્રદેશ નથી.
(
૬) અમારી નાગરીકો, સ્થળાંતરીત મજુરો, ઔધ્યોગીક મજુરો, શીક્ષકો, બેંક કર્મચારીઓ, અને નાના વેપારીઓ, ખેડુતો, નાના અને લઘુઉધ્યોગોના માલીકો બધાની આર્થીક મજબુરીઓની વાતને તમે બીલકુલ નજર અંદાજ તમારા જોખમે કરી શકો છો. પણ તમારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની તીજોરીઓની શું હાલત છે? તે બધાનાં તળીયાં દેખાય છે કે હજુ વાર છે? મોદીજી! તમારી કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં શું ચુકવવાનું મુલતવી રાખ્યા છે કે નહી?
(
૭) ગઇકાલના ટાઇમ્સ ઓફ ઇંડીયાના પાંચમા પાને સમાચાર છે કે કેરલા સરકારે જેણે દેશના તમામ રાજ્યોની સરખામણી કોરોના સંક્રમણ સામે સર્વશ્રૈષ્ઠ કામ કર્યું છે; તેની સરકારે તેના આવા સંજોગોમાં ખભેખભા મીલાવીને કામ કરનાર રાજ્યના કર્માચારીઓનો પગાર આવતા છ માસમાં ક્રમશ પ્રતીમાસે પાંચ દીવસનો કાપવાનું નક્કી કર્યું છે. તેની સામે કેરલા હાઇકોર્ટે તે નીર્ણયને ગેરકાયદેસર ઠરાવીને રદબાતલ કર્યો છે.
(
૮) પંજાબ સરકારના મુખ્ય મંત્રી કેપ્ટન અમરીન્દ્ર સીંહે કેન્દ્ર સરકારને લેખીત જણાવ્યું છે કે અમારી પાસે રાજ્ય ચલાવવા નાણાં નથી. અમારી રાજ્યની તમામ આવકો બંધ થઇ ગઇ છે. દારુ કે આલ્કોહલની દરેક પ્રોડકસ પર દેશના બંધારણ મુજબ તમામ રાજ્યો સરકારોને સેલ્સટેક્ષએકસાઇઝ કર નાખવાનો બંધારણીય અધીકાર છે. કેન્દ્ર સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહી. કોઇ નીયંત્રણ તે અધીકાર પર મોદી સરકાર નાંખી શકે નહી. તેમ છતાં તે કામ કેન્દ્ર સરકારે કર્યું છે. પંજાબના મુખ્યમંત્રીએ મોદીજીને લેખીત જણાવ્યું છે કે મને કાંતો બંધારણીય હક્ક મુજબ આલ્કોહોલની પ્રોડકસ પર કર લેવા દો અથવા તે ખોટની ભરપાઇ કરી આપો. ગઇકાલે પંજાબ સરકારે માજી વડાપ્રધાન મનમોહન સીંગ અને ભુતપુર્વ પ્લાનીંગ કમીશનના માજી ચેરમેન શ્રી મોન્ટેક અલ્હુવાલીયાને આવા સંજોગોમાં આર્થીક રીતે રાજ્ય ચલાવવા માટે સલાહકાર તરીકે નીમણુક કરી છે.
(
૯) દેશનું અર્થતંત્ર સંપુર્ણ ખાડે ગયેલું છે. તેના તમામ માપદંડો નકારત્મક( Negative) છે. અર્થશાસ્રીઓના મતપ્રમાણે આવતા એક વર્ષ સુધી કશું આશાસ્પદ નથી. ગુજરાતના સુરત શહેરના ભુખ્યા, રોજીવીહીન સ્થળાંતર મજુરોએ બીજીવાર કાયદો હાથમાં લઇને હીંસા પર ઉતરી આવ્યા છે તે સમાચાર પણ ગઇકાલના ટા. ઓ. ઇં. એ ચોથા પાને આપ્યા છે.
(
૧૦)દેશમાં કોરોના સંક્રમણ ફેલાવાની આજની વાસ્તવીક સ્થીતી શું છે તેનો પણ અભ્યાસ કરીએ. (અ) દાદરાનગર હવેલી, દીવદમણ, લક્ષ્દીપ, નાગાલેંડ અને સીકકીમમાં એક પણ પોઝેટીવ કેસ આજદીન સુધી નોંધાયો નથી. (બ) અરુણાચલ પ્રદેશ,મીઝોરામ,મણીપુર,ત્રીપુરા છત્તીસગઢના ૭૫% જીલ્લાઓમાં એક પણ કેસ નથી.અને આ બધા રાજ્યો ઉપરાંત ગોવા જેવા રાજ્યમાં પહેલાં તે સંક્રમીત હતા પણ છેલ્લા ૧૪ દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી. (ક) દેશના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસીત વીસ્તારોના ૫૦ ટકા જીલ્લાઓ સંપુર્ણ કોરોના મુક્ત છે.(ડ) ગુજરાત, મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, તેલગાણા અને તામીલનાડુના દરેક જીલ્લાઓમાં ઓછામાં ઓછો એક કેસ તો છે. સૌ ટા.ઓ.ઇ. પાનું૬. તા.૨૯૦૪૨૦.
ઉપરની સર્વ હકીકતો આપણા વડાપ્રધાન મોદીજીની ધ્યાન બહાર હોય તે વાત અશક્ય છે. તા. ૩જી મે ના રોજ તેઓશ્રી શું નીર્ણય કરે છે તે જોઇએ!.


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com