Saturday, September 25, 2021

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન– ગુજરાત–આયોજીત “ માનવવાદ” HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનગુજરાતઆયોજીત

 " માનવવાદ" HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ.

સુચીત વિષયોની યાદીમાનવવાદ શું છે?

()માનવવાદી વિચારસરણીનો વૈશ્વીક અને ભારતીય ઇતિહાસ, માનવજાતનું મુળ માનવ છે., તે માનવકેન્દ્રી વિચારસરણી છે. માનવ સ્વયંમ જ પોતે જ પોતાના માટે સારુ છું કે ખોટું શું નક્કી કરનારો છે. ( The man is the measure of everything.)

() કુદરત નિયમબધ્ધ છે, માનવી કુદરતનો ભાગ છે માટે તેનું સંચાલન નિયમબધ્ધ છે. અન્ય સજીવોની માફક માનવ જૈવીક ઉત્કાંતીનું સર્જન છે. માનવીય મુલ્યોનું સર્જન અન્ય પ્રાણીઓની માફક જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી પેદા થયેલું છે્

() સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મનિરપેક્ષ નૈતીકતા, ત્રણ પાયાના માનવ મુલ્યો છે.

() આ ઉપરાંત, બીજા તમામ સામાજીક, આર્થીક, રાજકીય વિ સમસ્યાઓ  પ્રવાહોનું માનવવાદી વિચારસરણી આધારીત મુલ્યાંકન,

() માનવવાદી ક્રાંતિનું બીજી અન્ય ક્રાંતિઓ જેવી કે ધર્મ આધારીત ક્રાંતિ, લશ્કરી ક્રાંતિ, સામ્યવાદી ક્રાંતિ અને ગાંધીવાદી ક્રાંતિની સરખામણીએ મુલ્યાંકન.

() - માનવવાદ એ તર્ક અને મૂલ્યોઆધારિત વિચારપદ્ધતિ છેજડ, આચારકેન્દ્રી, કોઈ વ્યક્તિ કે પુસ્તકના શબ્દોને આખરી સત્ય ગણતી વિચારધારા નથી.- માનવવાદી વલણ અપનાવવા સામેના પડકારો- ભૂતકાળમાં અને વર્તમાનના સંદર્ભમાં - માનવવાદી હોવું એટલે શું (લક્ષણોની યાદી) અને શું નહીં (લક્ષણોની યાદી).

સુચીત વિષય નિષણાતોની યાદીબીપીન શ્રોફ ભુતપુર્વ પ્રમુખ, (ગુ મુ રે અ).અશ્વીન કારીઆ નિવૃત આચાર્ય લો કોલેજ પાલનપુર, ડૉ.પ્રો.મિહીર દવે (કોમર્સ કોલેજ પાલનપુર,) ડૉ ઉર્વીશ કોઠારી,જાણીતા પત્રકાર,મનિષી જાની લેખક,તથા ફિલ્મ પ્રોડયુસર, અને બીજા.

રજીસ્ટે્શન તથા અન્ય જરૂરી વિગતો

અભ્યાસક્રમની શરૂઆતતા ૨૧૦૨૧ શનિવારગાંધી જન્મજયંતિ.

અભ્યાસક્રમની સમય મર્યાદાપ્રતિ શનિવાર અને રવીવાર નિયમિત સાંજના ૫-૦૦થી ૬૦૦ ઓન લાઇન વેબીનાર કુલ ૨૪ કલાસ ત્રણ માસ.

સદર કોર્સમાં પ્રવેશમાં મેળવવાની અનિવાર્ય લાયકાતો

() શૈક્ષણીક લાયકાત સ્નાતક કે ગ્રેજયુએટ કોઇપણ વિધ્યાશાખાના.

() ઉંમર વર્ષ ૪૦ થી (ફરજીયાત નહી) ઉપર  નહી..

() અભ્યાસ ક્રમને અંતે નિયમ પ્રમાણે કોર્સ પુરો કરનારને સંસ્થા વતી પ્રમાણપત્ર આપવામાં આવશે.

  ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેસન વતી

 ડૉ સુજાત વલી પ્રમુખ (ગોધરા)(99794 22129).

 પિયુષભાઇ જાદુગર એડવોકેટ) ચાંદખેડા અમદાવાદ. (94260 48351 ).

સંપર્ક વ્યક્તીઓડૉ પ્રો. મિહિર દવે (94283 69261) પાલનપુર.

  ડૉ નરેન્દ્ર શાસ્રી 98980 75677 (અમદાવાદ) 

  ડૉ અનીલ પટેલ ( 93278 35215)(ગાંધીનગર).

અને અરૂણ ગાંધી વિધ્યાપીઠ ( 94282 14260) ગાંધીનગર.

 સિધ્ધાર્થ દેગામી, પ્રમુખ. સત્ય શોધક સભા, સુરત

 (94268 06446).

વિધ્યાર્થીઓ તથા અભ્યાસક્રમમાં જોડાવા માટેનો ફોર્મનો નમુનો

 *ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશિએશન* *આયોજીત માનવવાદી  ONLINE અભ્યાસક્રમનું પ્રવેશ ફોર્મ :*

 

 

(1)વિધ્યાર્થીનું નામ :

 

[English મા  આધાર કાર્ડ મુજબ નામ લખવું]

:

 

 

(2)કાયમી સરનામું :

 

 

 

(3)જન્મ તારીખ :

      

 

(4)વર્તમાન/પૂર્ણ કરેલ કૉલેજના અભ્યાસક્રમનું નામ :

 

(5)કૉલેજ અને સંલગ્ન યુનીવર્સીટીનું નામ :

 

(6)મોબાઇલ નંબર :

 

WhatsApp Number :

 

 

(7)Email  :

 

 

8) વિદ્યાર્થીનો વ્યવસાય/પ્રવૃત્તિ/કાર્યક્ષેત્ર અંગે ટૂંક માં માહિતી  : ( ફરજીયાત નથી)

 

 

 

 

ફોર્મ ભર્યા તારીખ :

 

વિદ્યાર્થીની સહી :

 


--

Thursday, September 2, 2021

“ जिस जगह पैदा हुए, उस जगह निकले दम “

 કાબુલીવાલા ફીલ્મના ગીતની વચ્ચેથી લીધેલી લીટીઓ છે.

जिस जगह पैदा हुए, उस जगह निकले दम "

 માનવી તરીકે મારૂ ઘર કયું? મારૂ રહેઠાણ કયું? મારુ ગામ, રાજ્ય, દેશ, મારો સમાજ, મારી ખાસ સંસ્કૃતી, ધર્મ, વિ શું છે? આ બધી વળગણો શા માટે? આ બધી જંજીરો, બેડીઓ જે માનવ સર્જીત છે તે ૨૧ સદીમાં તો મને ચોક્કસ લાગે છે કે મને હવે તારવાને બદલે ડુબાડવા માટેનું કામ કરે છે.

 હજારો વર્ષો પહેલાં શિકાર યુગમાં અસ્તિત્વ ટકાવી રાખવા બનાવેલી ટોળીઓ કે ટોળાશાહી માનસિકતામાંથી મારી મુક્તિ ક્યારે?

મારી પંજાબી પ્રિય લેખીકા અમૃતા પ્રિતમની એક કવિતા

        " મેરા પતા

આજે મેં મારા ઘરનો નંબર ભુસી નાંખ્યો છે.

અને ગલીને નાકે લગાડેલું ગલીનું નામ દૂર કર્યું છે.

અને દરેક સડકની દિશાનું નામ ભુંસી નાંખ્યું છે.

 પણ જો તમારે મને મળવું જ હોય તો,

દરેક દેશના, દરેક શહેરની, દરેક ગલીનું દરેક બારણું ખખડાવો,

આ એક શાપ છે, એક વરદાન છે.

અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય,

 સમજી જજો તે એ મારુ ઘર છે.

(સૌ. પાનુ ૨૦૮, પુસ્તકનું નામરેવન્યુ સ્ટેમ્પ, જીવન કથાઅમૃતા પ્રિતમ)   


--

Serum Vaccinatioon Achievments

સીરમ ઇન્સ્ટી્ટયુટ પૂના( ઇંડીયા)એ વેક્સીન ક્ષેત્રે ઇતીહાસ બનાવી દીધો છે.

આપણા દેશને "કોવીશીલ્ડવેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં નિયમીત પુરો પાડીને દેશના નાગરીકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે. દેશના નાગરકો, સરકાર અને વિશ્વ માટે ગંભીર ચીંતાનો વિષય હતો કે આશરે ૧૩૫થી ૧૪૦ કરોડની વસ્તીવાળો દેશ કોવીડ૧૯ના હુમલા સામે  કેટલી ઝડપથી આટલી મોટી વસ્તીને આ વાયરસની પકડમાંથી જીવતદાન આપી શકશે?

જેમ એક જમાનામાં ફ્રાંસના નેતા નેપોલીયન બોનાપાર્ટ માટે કહેવત હતી કે તેના શબ્દકોષમાં અશક્ય(Imposssible)શબ્દજ ન હતો. " Everything is possible ". તેવું આપણા દેશમાં વેક્સીનના ક્ષેત્રે ' સીરમે' વૈશ્વીક કક્ષા એ સાબિત કરી બતાવ્યું કે આ કુંપનીમાં તકલીફોને તકોમાં બદલવાની પુરેપુરી ક્ષમતા છે."

સદર કુંપનીના પરાણે આશરે ૪૦ વર્ષની ઉંમરના ચીફ એક્ઝીક્યુટીવ શ્રી આદર પુનાવાલાએ વેક્સીનના ક્ષેત્રે બહુ મોટા આર્ષદ્રષટા (A Great Visionary) છે તે પુરવાર કરી દીધું.  કેવી રીતે?

ભારત સરકારને જાન્યુઆરી૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં પુરા પાડેલા વેકસીન ડોઝીઝ પરથી સમજવાની કોશીશ કરીએ.

ભારત સરકારે ગઈકાલે જાહેર કર્યુ છે કે ઑગસ્ટના અંત સુધીમાં કુલ ૬૫ કરોડ વેક્સીન ડોઝ નાગરીકોને આપ્યા છે, તેમાંથી ૬૦ કરોડ ડોઝ ફક્ત સીરમ ઇન્સ્ટીટયુટ પુના એ પુરા પાડયા હતા.

*January 2 crore 10 lakh*

February 2 crore 50 lakh

March 4 crore 73 lakh

April 6 crore 25 lakh

May 5 crore 96 lakh

June 9 crore 68 lakh

July 12 crore 37 lakh

*August 16 crore 92 lakh* So far provided to Govt.of India.

સપ્ટેમ્બર માસમાં સરકારને ૨૦ કરોડ વેકસીનના ડોઝ પુરા પાડવાની ક્ષમતા કુંપની ધરાવે છે.

વિશ્વ વ્યાપી વાયરસમાંથી દેશની પ્રજાને મુક્તિનો માર્ગ પુરો પાડનારનું મુલ્ય આપણી સરકાર અને દેશના નાગરીકો કેવી રીતે સમજશે અને બીજાને સમજાવશે.

 


--

Friday, August 27, 2021

લીવ–ઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ , સામાજીક માન્યતાઓ અને કાયદો

લીવઇન રીલેશનશીપ એટલે શું? બે પુખ્ત ઉંમરના સ્રીપુરૂષ જે અન્ય સાથે પરણેલા હોય, ત્યક્તા હોય, છુટા છેડા લીધેલા હોય અથવા લગ્નના બંધન સિવાય સાથે રહેવા માંગતા હોય તે એક કરાર કરીને અથવા કરાર ન કરીને પણ અને પરિપકવ સમજથી જ્યાં સુધી સાથે રહેવા ઇચ્છા હોય ત્યાં સુધી, આવા કપલને કાયદો સામાજીક પુર્વગ્રહો સામે કેવી રીતે સંરક્ષણ આપી  શકે?  નામદાર કોર્ટનું વલણ આ મુદ્દે કેવું છે અને કેવું હોઇ શકે?

તા૨૫૦૮૨૧ના ટાઇમ્સ ઓફ ઇંડીયાના તંત્રી પેજ ૧૦ પર "  The Right to live-in Relationship " ના લેખમાં લેખક રોબીન ડેવીડે સરસ ચર્ચા કરી છે. માનવાવદી તરીકે અને માનવ અધિકારના ટેકેદાર તરીકે આ સંબંધોનું મુલ્યાંકન ભારતીય સમાજની બદલાતી તાસીરમાં કેવી રીતે સમજવા જોઇએ તે લેખકે સમજાવાનો પ્રયત્ન કરેલ છે.

દેશની જુદી જુદી હાઇકાર્ટસ અને તેની સામે સુપ્રીમ કોર્ટના તારણો ને પણ સમજવાની જરૂર છે. શક્ય તેટલી સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને સમજાવાની કોશીષ કરેલ છે.

() પંજાબના એક જીલ્લામાં રહેતા એક કપલે પોલીસ પાસે પોતાના લીવઇન રીલેશનશીપના સંબંધોને બચાવવા સંરક્ષણ માંગ્યું હતું. પંજાબની હાઇકોર્ટે સંરક્ષણ આપવાને બદલે એવું વલણ લીધું કે લીવઇન રીલેશનશીપ એ લગ્ન નથી. સામાજીક અને નૈતીક રીતે તે સંબંધો અસ્વીકાર્ય હોવાથી ( Socially and morally not acceptable) અમાન્ય છે. માટે પોલીસ સંરક્ષણ આવા સંબંધોમાં ન મલે.

()  ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટે લીવઇન રીલેશનીપના કેસમાં એક પરણીત સ્રીએ તેના પતિથી વિમુખ થઇને ( Estranged) બીજા પુરુષ સાથે લીવઇન નો સંબંધ બાંધી પોલીસ પાસે કાયદાનું સંરક્ષણ માંગ્યું. કોર્ટે તેણીને સંરક્ષણ તો ન આપ્યું પણ ૫૦૦૦/ રૂપીયાનો દંડ કર્યો. નામદાર હાઇકોર્ટના ન્યાયાધીશો ( એટલે મોટે ભાગે ડીવીઝન બેંચ હશે) એ  પોતાના ટેકામાં એવી દલીલ કરી હતી કે  આવા ગેરકાયદેસરના સંબંધોને કાયદેસર બક્ષતા તો દેશનું સામાજીક માળખું તુટી પડે! ( The judges feared that providing her protection would give legal sanctity to an illicit relationship and would also hurt the country's social fabric.)

()  દેશની સર્વોચ્ચ અદાલતનું નૈતીક અને સામાજીક નહી પણ કાયદાકીય વલણ 

() જ્યારે કોર્ટ સમક્ષ નાગરીકનું સંરક્ષણ અને વ્યક્તીગત સ્વાતંત્રયનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે કોર્ટે સામાજીક માળખું અને નૈતીકતાને બદલે પ્રાથમીકતા વ્યક્તીગત જીવનના સંરક્ષણ અને સ્વાતંત્રયને આપવી જોઇએ ( To protect the life & liberty of the individual) . તેમાં કોઇ સમાધાન થાય જ નહી. કોર્ટ કાયદાના સંરક્ષણ માટે છે દેશના સામાજીક અને નૈતીક માળખાને બચાવવા અસ્તીત્વ્માં આવેલ નથી.

(બ્) સને ૨૦૧૮માં સર્વોચ્ચ અદાલતે વ્યભીચારને (Adultery) ફોજદારી ગુનો નથી તેવો ચુકાદો આપી રદબાતલ કરી દીધો છે. જેને સમાજ અનૈતીક ગણતો હોય અને તે કાયદામાં ગેરકાયદેસર ન હોય તો કોર્ટે અનૈતીકતાને બચાવવા કાયદેસરતાનો બલી ન લેવાય! માટે પંજાબ અને અલ્હાબાદ કોર્ટોના આ મુદ્દે ચુકાદાઓને રદ બાતલ ગણી જે તે રાજ્યોની પોલીસ તંત્રને અરજદારોને તાત્કાલીક સંરક્ષણ પુરુ પાડવાના હુકમો કર્યા અને પેલા બેનનો ૫૦૦૦/રૂપીયા દંડ પણ ખારીજ કર્યો. જ્યારે વ્યભીચાર ગુનો  ન હોય તો કોર્ટ અને પોલીસ તંત્ર કેમ અરજદારને સંરક્ષણ કેમ ન આપે?

() કોર્ટને આપણે પુછીએ ખરા કે આ દેશના કયા કયા સમાજોનું સામાજીક માળખું ( સોસીઅલ ફ્રેબીક) તમારે બચાવવુ છે? દલીતો, આદીવાસીઓ, મુસ્લીમો, અને વર્ણવ્યવસ્થામાં સદીઓથી ઉભા અને આડા  સામાજીક  રીતે અસમાન અને ઉંચનીચમાં વહેંચાઇ ગયેલા ગ્નાતી આાધારીત હિંદુ સમાજના માળખાને તમારે બચાવવું છે?

() બે પુખ્ત ઉંમરના સજાતીય સંબંધો એકબીજાની સંમતીથી બાંધે તેમાં કશું ગુનાહિત કૃત્ય બની જતું નથી.  તેથી તે સમાજ અરાજકતા તરફ ધકેલાઇ જતો નથી.

() અલ્હાબાદ હાઇકોર્ટ પાસે પેલી સ્રી એ પોતાની જીંદગી બચાવવા પોલીસ પાસે સંરક્ષણ માંગ્યું હતું. કોર્ટે પાસે એવી દાદ નહોતી માંગી કે મારે કોની સાથે જીંદગી ગુજારવી તે નક્કી કરો? (  What the woman was asking from Allahabad court & Supreme court of India that her life be protected. & that she has liberty to live with whoever she chooses .

() જ્યારે વ્યભીચાર એ ગુનો જ કાયદાની ભાષામાં ન ગણાતો હોય ત્યારે તમામ લીવઇન રીલેશનશીપ વાળાને પોલીસ સંરક્ષણ માંગે તો ચોક્કસ પોલીસ તંત્રે પુરુ પાડવું જ જોઇએ.

( જી) પેલા દેશના સામાજીક નૈતીક માળખાને બચાવવા નીકળી પડેલા નૈતીક પોલીસોને પુછી જુઓ કે અમેરીકા અને પશ્ચીમી સંસ્કૃતીની અસર નીચે અભ્યાસ કરતા કે નોકરી કરતા તમારા અમેરીકન સીટીઝન પૌત્રો કે પૌત્રીઓ ને પુછી જોજો કે લગ્ન પહેલાં અવિવાહીત જીવન પોતાના સાથીદાર સાથે કેટલું લાંબું હોય છે. અને પેલી ' રિંગ સેરેમની' ક્યારે આવે છે?  બીજો સવાલ આ પણ પુછી જોજો . જો તમારામાં જવાબ સાંભળવાની ધીરજ હોય aતો?  તું ક્યારે લગ્ન કરીશ?  Is it your problem?


--

Thursday, August 26, 2021

નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન મંડળના એક પ્રધાન શ્રી નરેન્દ્ર રાણેની મહારાષટ્ સરકારે કરેલી ધરપકડ.

નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન મંડળના એક પ્રધાન શ્રી નરેન્દ્ર રાણેની મહારાષટ્ સરકારે કરેલી ધરપકડ.

મોદીજી, દેશનું રાજકારણ હજુ કેટલી નીચી કક્ષાએ લઇ જવું છે? પ્રધાન શ્રી રાણે સાહેબે પોતાની એક સભામાં પોતાના એક વ્યક્તવ્યમાં રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને  લાફો મારવાની વાત કરી. પછી જે પ્રમાણે રાજકીય દુશ્મનાવટના શતરંજના સોગઠા ગોઠવાય તેમ બંને પક્ષે રમતો રમવા માંડી. મહારાષટ સરકારના પોલીસ ખાતા તરફથી શ્રી રાણેની ધરપકડ કરવામાં આવી. જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટે જામીન ન આપ્યા. શ્રી રાણે સાહેબની આજની રાત્રી કદાચ જેલમાં કે હોસ્પીટલમાં પસાર કરવી પડશે તેવું 'પ્રીય પ્રસન્ન બાજપાઇ' પત્રકારનું નીરીક્ષણ હતું. રાજ્યના બીજા આશરે નવ પોલીસ સ્ટેશન પર તાત્કાલીક એફ આઇ આર દાખલ થઇ ગઇ. શ્રી રાણેના મુંબઇના બંગલા પર શીવસેનાના સૈનીકોએ પથ્થર મારો કરીને શક્ય તેટલું નુકશાન કર્યું. રાજ્યની અંદર જુદા જુદા શહેરોમાં આવેલ બીજેપીની સ્થાનીક ઓફીસોમાં પણ શીવસેનાના સૈનીકોએ (કાર્યકરોએ !) તોડફોડ કરીને પોતાની બિનલોકશાહી તાકાત બતાવી દીધી.

આજના તંત્રી લેખમાં ઇન્ડીયન એકસપ્રેસ (૨૬૦૮૨૧) લખે છે કે બીજેપીની ટોચના નેતાઓને સારી રીતે ખબર છે કે પોતાના પ્રધાન શ્રી રાણે અને બાલઠાકરેનું આખું પરિવાર જાની દુશ્મન વર્ષોથી છે.( It is well known that the Sena and Rane are intimate enemies.) તેમ છતાં બીજેપીની કેન્દ્રીય નેતાગીરીએ ગણતરીપુર્વક શ્રી રાણે દ્રારા " જન આશીર્વાદ યાત્રા " ની શરૂઆત કરવાનું નક્કી કરીને શીવસેનાને  શેરીઓમાં લડતી પાર્ટી તરીકે ખુલ્લી પાડવામાં સફળતા મેળવી. કારણકે બીજેપીની ગણતરીમાં બોમ્બે મ્યુનીસીપલ કોર્પો ની ફેબ્રુઆરી આવતી ચુંટણી છે. જેનો કબજો છેલ્લા ત્રીસ વર્ષોથી શીવસેના પાસે છે.

બીજેપી સંચાલિત બીજા રાજ્યોની સરકારોં  વિરોધ પક્ષો અને સત્તાના વિરોધ કરતા કર્મનીષઠો અને પત્રકારો પર આનાથી જુદી પધ્ધતિ દ્રારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો નથી. સત્તા પરની સરકારનો વિરોધ એટલે રાષટ્દ્રોહ, કે એન્ટીનેશનલ, અર્બન નક્ષલ વિ. વિ. અલ્હાબાદ અને દીલ્હી હાઇકોર્ટના તાજેતરના ચુકાદાઓ પરથી આ વાત સરળતાથી સાબિત થાય તેમ છે.

આજના દિવ્યભાસ્કરના તંત્રી લેખના કેટલાક દેશ માટે ચિંતાજનક તારણો" .......... જરા વિચારો, દેશના નેતાઓના સંવાદનું સ્તર કેટલું નીચે ગયું છે કે, તેઓ પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે હિંસક ભાષાનો ઉપયોગ કરતા પણ ડરતા નથી. કાયદો બનાવનારા ' માનનીય' ની નીચલા સ્તરની ભાષા ગ્નાન અને ઉગ્રતા પાછળનું એક મોટું કારણ છે. કાયદા પ્રત્યેની તેમની હીન દ્ર્ષટી જ કેમ કારણભુત ન હોય!.......

તંત્રી લેખમાં વધુ આગળ લખ્યું છે કે દેશભરમાં માજી અને ચાલુ વર્તમાન સંસદ સભ્યો વિરુધ્ધ વર્ષોથી ૧૨૧ કેસો પડતર છે. જેમાં ૫૮ કેસો એવા છે કે જેમાં આજીવન કેદની સજા છે. ૪૫ કેસો તેમની સામે એવા છે કે જેમાં હજુ ચાર્જશીટ પણ દાખલ થયું નથી.

...... જેનું દુ;ખદ પરિણામ આપણે એક મહિલાના આઠ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટ સામે આત્મવિલોપનમાં જોયું. જેનું મૃત્યુ ગઇ કાલે થયું. ત્રણ વર્ષ પહેલાં તે સ્રીએ એક સંસદ સભ્ય પર જાતીય સતામણીનો આરોપ મુક્યો હતો. ત્યારે તે ' માનનીય' સામે તો  ત્યારે કોઇ પગલાં લેવાયા નહી. પરંતુ પેલી સ્રી પર  નકલી જન્મ પ્રમાણપત્ર દાખલ કરવાના આરોપમાં પોલીસે તેણી સામે કેસ કરી નાંખ્યો. હવે તેણીના આત્મવિલોપન પછી અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે........સૌદિ ભાસ્કર પાનું ૮ તા૨૬૦૮૨૧


--

Sunday, August 22, 2021

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

હા, એ હકીકત બની છે અને ભવિષયમાં ચોક્કસ બનશે કે તાલિબાન, અલકાયદા, અને આઇએસઆઇએસ (ISIS), જેવા ઉગ્ર, હિંસક અને અરાજકતાવાદી પણ ધર્માંધ, લોકશાહી અને માનવમુલ્યો વિરોધી પરિબળો જુદા જુદા દેશોમાં જ્યાં સક્રીય હશે ત્યાં તે બધાને અફઘાનીસ્તાનમાંની તાલેબાની જીતથી  જબ્બરજસ્ત નૈતીક બળ મલશે. આફ્રીકા, મધ્યપુર્વના આરબદેશો, એશીયા ખંડના દેશોમાં અમેરીકન શાહીવાદી શોષણની રીતરસમો વધારે અમાનવીય, હિંસાત્મક અને ઉગ્ર બનશે. અમેરીકામાં ગમે તે પક્ષની સરકાર હોય  રિપબ્લીકન કે ડેમોક્રેટસ અમેરીકન નાગરિકોના સતત વધતા જતા આર્થીક જીવન ધોરણને ટકાવીનાર રાખનાર   કોઇ પરિબળ હોય તો તે ફક્ત લશ્કરી શસ્રોની નિકાસ છે. જે કોઈ રાજકીય પક્ષ હોય તેણે પોતાનો રાજકીય વહીવટ અને પરદેશ નીતિ આ મુખ્ય વેપારી હિતને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે. આ દેશ બે જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ખેતપેદાશમાં ઘંઉઅને મકાઇ અને બીજા આધુનીક શસ્રો. કન્ઝયુમર્સ મોલ જેવાકે મેસી, વોલમાર્ટ, સીઅર્સ, વિ.માં કોઇપણ ચીજવસ્તુના ઉત્પાદકનું નામ માટે તેનું ટેગ જોશો તો ચોક્ક્સ ૧૦૦ ટકા મેઈડીન યુએસએ નહી જ હોય!

 કાર્લ માર્કસે તે જમાનામાં મુડીવાદી અર્થવ્યવસ્થાનું પૃથ્થકરણ કરતાં તારણ કાઢેલું કે  જ્યારે મુડીવાદી દેશમાં આંતરીક રીતે ચોખ્ખો નફો પેદા કરવો શક્ય નહી બને ત્યારે જે તે દેશ પરદેશોમાં બજારો પેદા કરી નફો મેળવશે અને સ્થાનીક શોષણનો ચરખો ચાલુ રાખશે.

અમેરીકા અને યુરોપના દેશોની વીશ્વના તમામ ગરીબ દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા અને આધુનીક ઔધ્યોગીક સમાજ સ્થાપવાના દંભ નીચે  કેટલી હાર ખાઇને પાછા આવ્યા છે તેનું લીસ્ટ જોઇએ.
ઇરાક, લીબીયા, વિયેટનામ, અફઘાનીસ્તાન, સોમાલીયા, લેબેનોન, ઇરાનથી માંડીને દક્ષીણઅમેરીકાના ચીલી દેશની સરકારોને આંતરિક બળવો કરીને ઉથલાવી છે,ખાનગી હિંસક શસ્રોનો ઉપયોગ કરીને  કોલમ્બીયા, ઇક્વાડોર, ગુઅટેમાલા, લાઓસ અને એલસ્લેવાડોર વિ. પાકિસ્તાન અને સાઉદી અરેબીઆની સરમુખ્ત્યાર રાજાશાહી અને લશ્કરી પાકિસ્તાની સરકારોને ટેકો આપ્યો છે. જે બંને એ અમેરીકાના ડોલર્સ, શસ્રો અને અન્ય આધુનીક સાધનોનો ઉપયોગ અમેરીકાની જ સામે તાલીબાન અને અન્ય આતંકી સંગઠનોને મજબુત કરવામાં બેફામ ઉપયોગ કરીને અફઘાનીસ્તાનમાંથી નામોશી ભરી હાર સાથે વાપસ જવા મજબુર કરેલ છે. આ બધા દેશમાં સંઘર્ષ કરવામાં જે તે દેશોના હજારો નિર્દોષ નાગરીકોનો ભોગ લેવાયો છે વધારામાં.

સને ૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધના અંત પછી પશ્ચીમના દેશોની અને અમેરીકાની આવી પરદેશ નીતિ આજદિન સુધીની હોવા  છતાં અને અબજો ડોલર્સની બરબાદી પછી પણ તે દેશની માથાદીઠ આવકમાં કોઇ ગિરાવટ આવી નથી. મંદી આવી નથી, પ્રજા બેકાર કે રોજગારી વિનાની થઇ નથી.

બીજી બાજુએ તાલેબાન, અલકાયદા અને આઇએસઆઇએસની પ્રવૃત્તીઓને બળવત્તર બનાવવામાં મોટી રાજકીય સત્તાઓ સામેનો વિરોધ તો જવાબદાર તો હતો જ; પરંતુ જુનીપુરાણી ધાર્મીક સંસ્કૃતીઓમાંથી પેદા થયેલ જીવન પધ્ધતીઓને સજીવન કરવાનો ફાળો કાંઇ કમ ન હતો. અફઘાનીસ્તાનમાં અફીણ અને નારકોટીક્સના ઉત્પાદનની આવકે તાલેબાનને આધુનીક શસ્રો ખરીદવા સવલતો પુરી પાડી. કોઇ એવું ન માને કે આ બધો વ્યવહાર અમેરીકાની ધ્યાન કે નજર બહાર થતો હતો. જો આ હકીકતની ખબર નથી તેવો કોઇ દાવો કરે તો તે દંભ જ નહી પણ શાહી દંભ ( Emperal self-deception )કહેવાહ. અમેરીકાની આવી દખલગીરીએ જે તે દેશોમાં અરાજકતા (lawlessness) પેદા કરી છે. શસ્રો, નાણાં અને હિંસાની બોલબાલા આ દેશના નાગરિક જીવનમાં સામાન્ય બની ગઇ.

અફઘાનીસ્તાનના તાલેબાની સત્તાકીય હસ્તાંતર થી દેશ ચલાવવાની જવાબદારી આધુનીક જગતમાં ઓછી પેદા થવાની નથી. ચીન,રશીયા અને પાકીસ્તાન જેવા દેશો અફઘાનીસ્તાનમાં પેદા થયેલા  શુન્યવકાશને ભરવા તલપાપડ છે. પણ અફઘાનીસ્તાન માટે તો માલિકો બદલવા જેવીજ  સ્થિતિ પેદા થવાની છે.સાથે સાથે કોઇ એવું લેશ માત્ર તારણ ન કાઢે કે તાલેબાની સત્તાધીશો પોતાના ભુતકાળના પડછાયાથી દુર થઇને દેશના નાગરિકોને સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ આધારીત માનવીય ગૌરવનું સન્માન કરતો સમાજ બનાવશે જ્યાં સ્રીઓને પ્રાથમીક આઝાદી હશે.

આવતી કાલનું જગત વધારે અરાજકતા તરફ ( an anarchic world) ઢસડાતું લાગે છે.

 


--

Thursday, August 19, 2021

કોરોના– વર્ક ફ્રોમ હોમ–


Subકોવીcococoocoocoકોરોનાાાscribe today for 99¢. 

 

કોરોનાવર્ક ફ્રોમ હોમનવું ઘર તલાવ કિનારે શા માટે નહી?

ખાસ કરીને અમેરીકામાં બધી જ White Colour jobs from home થઇ ગઇ છે. હવે કુંપનીઓ પોતાના ફેકટરી ઉત્પાદનના કર્મચારીઓ સિવાયના સ્ટાફને ' વર્ક ફ્રોમ '  ઘરેથી જ  કામ  કરવા ફરજીયાત મજબુર કરે છે. કપ્મ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ,અને ઓન લાઇન નેટ વર્કીંગે  ઓફીસનું કામ બધુંજ ઘરેથી થઇ શકે તેવો ' વર્કકલચર ' ક્રમશ; વિકસતો હતો, તેમાં કોવીડ૧૯ના વાયરસે વિશ્વવ્યાપી પેન્ડેમીકે ઘણા સમય સુધી લોકોને ઘરમાં જ રહેવા મજબુર કરી દીધા હતા. અને છે. તેને કારણે 'વર્ક ફ્રોમ હોમ ' ફરજીયાત બની ગયું. ઘણીવાર કુંપની અઠવાડિયે એક વાર કે બે વાર પોતાની ઓફીસે આ કર્મચારીઓને બોલાવતી. ધીરે ધીરે તે રીતે બોલાવવાનું પણ ઓછું કરતી ગઇ. કર્મચારીના પગાર અને અને અન્ય ફાયદામાં કુંપનીનો વ્યવહાર પહેલાં જેવો જ રહ્યો. ઘણીવાર વધારે માયાળુ એટલા માટે રહ્યો કે પોતાના કર્મચારીને 'વર્ક ટુ હોમ' કલ્ચરમાંપોતાના બાળકો અને કુટુંબ સાથે ગોઠવાવાનું ( Mentally adjust) હતું..

 

આવા લોકોને પણ ' આ વર્ક ફ્રોમ કલ્ચર' ની પધ્ધતિ સર્વ પ્રકારે વધારે આકર્ષક, અને માનસીક રીતે તનાવ મુક્ત ( Stress Free) અનુભવવા માંડી.  દરરોજ સમયસર સવારે વહેલા ઉઠવાનું, તૈયાર થવાનું. Drive કરીને, Trafic Stress & Tensions સાથે  જવાનું આવવાનું, આ બધું જ એકાએક કાયમ માટે બંધ. હજારો માણસો પોતાના વાહનો સાથે   એકાએક રોડ પરથી ગાયબ. નો પોલ્યુશન, નો ટા્ફીક જામ, નો રોડ એકસીડટસ, નથીંગ.

 આધુનીક કુંપનીઓની મોટી મોટી વિશાળ ઓફીસો, તેનું મીલીયન્સ ઓફ ડોલર્સનું મુડી રોકાણ, ઇનફ્રાસ્ટ્ક્ચર વિ, બેકાર. બેંકોનું તમામ નાણાંકીય લેવદેવડ ઓન લાઇન, ગ્રાહક વિનાની બેંકોની શાખાઓ એકાએક બિનઉપયોગી. હેડઓફીસ કે કેન્દ્રીય સંચાલન દ્રારા બધું જ કામ થવા માંડયું.

નાગરીકો વિચારવા માંડયા જો  સ્ટે્સ ફી વર્ક હોય તો જીંદગી કેમ સ્ટે્સ ફ્રી નહી? મારે જો ' વર્ક ફ્રોમ હોમ ' જ કરવાનું હોય તો એવી જગ્યા રહેવા માટેની પસંદ કેમ ન કરૂ જ્યાં ઘોંઘાટ, અવાજ, ટા્ફીક, પેલા એલીવેટર કે લીફ્ટમાં ૨૦૨૨ના ટોળા સાથે  આવવા જવાના એવા એપાર્ટમેંન્ટ કે કોન્ડો માં રહેવાનું શા માટે? ૨૧મી સદીની ઔધ્યોગીક કોવીડ૧૯ પછીની સંસ્કૃતીએ તો મને જગસુપ્રસિધ્ધ પુસ્તક ' થર્ડ વેવ' ના લેખક ઑલવીન ટોફલરના ' Electronic Cottage' ની વિભાવનાને ( Concept) ને વાસ્તવિક બનાવી દીધી. ' વર્ક ફ્રોમ હોમ' કલ્ચરે તો ઘરમાંથી કામ કરનાર નાગરીકને એક બાજુ ઉત્પાદક અને સાથે સાથે બીજી બાજુએ ગ્રાહક પણ બનાવી દીધો.

ઔધ્યોગીક સમાજના માનસીક તનાવ પુર્ણ જીવનમાંથી 'વર્ક ફ્રોમ હોમ'માંથી પેદા થયેલી મુક્તીએ સદર અમેરીકન નાગરીકને અતિ વિશાળ કદવાળા ' લેક' ના કિનારે રહેવા માટે લાવીને મુકી દીધો. જ્યાં જ્યાં આવા વિશાળ કદવાળા લેક છે દા;ત ન્યુયોર્કનું ફીંગર લેક,( New York's Finger Lakes) શીકાગોની વેલવર્થ કાઉન્ટીના લેક પર(Chicagoans are moving and lakefront home sales in Walworth County,) 

જ્યોર્જીયા રાજ્યના અટલાંટા શહેરના લેક ઓકની અને લેક લીનીયર વિ. ઉપરની જમીનોની કિંમત રાતોરાત આસમાને પહોંચી ગઇ.

 ખાસ કરીને અમેરીકન વયસ્ક નાગરીકો લેકને કિનારે નિવૃત્ત જીવન જીવવાનું પસંદ કરતા હતા. પણ આ ' વર્ક ફ્રોમ હોમ' ના વ્યવહારે જુવાન, મીડલ એજેડ વિ. નાગરીકોને પણ લેકને કિનારે હાઉસ બાંધવા મુડી રોકાણ કરતા કરી દીધા. ઔધ્યોગીક સમાજે પેદા કરેલ ' ડાઉન ટાઉન' સંસ્કૃતીમાંથી અમેરીકન નાગરીકને  સાચી માનવ મુક્તીનો અહેસાસ ' લેક કલ્ચર'માં થવા લાગ્યો. હાઉસની બહાર અઠવાડીયે એકવાર લીસ્ટ બનાવીને 'શોપીંગ' કરવા જવાનું, ફરગેટ બાય વન ગેટ ટુ મેન્ટાલીટી. મન થાય તો લેકમાં પોતાની કાયાક અને પેડલ બોર્ડીગ લઇને સવારે સાંજે, ચાંદની રાતે નીકળી પડવાનું!(kayaking, paddle boarding. We're dubbing it a 'fitness lake') તેમના જેવા લેકમાં લહેર કરનારાની નજીક જઇને ' કોલ્ડ બીયર'ની આપલે પણ કરી લેવાની.

They are getting their dream lake house in places with lower taxes," Phillips says. "You're seeing a lot of people in California and the northern states moving to Georgia, Alabama, the Carolinas( નોર્થ એન્ડ સાઉથ કેરોલીના), Texas, and getting lake houses where they can enjoy all the recreational activities and be in nature — at a lower cost."

 

t


--