Monday, November 22, 2021

પ્રશ્નો તમારા–જવાબ અમારા– તા. ૨૦–૨૧ નવેંબર.

પ્રશ્નો તમારાજવાબ અમારાતા. ૨૦૨૧ નવેંબર.

() આત્માનિર્ભર ભારત અંગે માનવવાદનો ખ્યાલ શું છે? સદીઓ જુની રૂઢીચુસ્ત ગ્નાન પધ્ધ્તી, અને સ્વદેશી ટેકનોલોજી શું આપણા દેશને સ્વાવલંબી બનાવશે?

જવાબ૨૧મી સદીમાં સમગ્ર વિશ્વના દેશોએ જે આરોગ્ય,પર્યાવરણ, ભુખમરો, કુદરતી પરિબળોનું માનવ કલ્યાણ માટે ઉપયોગ અને બીજા તમામ માનવીય પ્રશ્નો ઉકેલ્યા છે .તે વૈશ્વીક સહકારનું જ પરિણામ છે. દા;, કોરોનાની રસીની શોધ એસ્ટો્જેનેકાની પ્રયોગશાળા લંડનમાં થઇ, તેને વિશ્વના ગરીબ દેશોમાં વ્યક્તી દીઠ ફક્ત ત્રણ ડોલરમાં મળે તે માટે અમેરીકાના બીલ ગેટસમિલેન્દા ફાઉન્ડેશને કરોડો ડોલર્સ ભારત સ્થિત પુનામાં આવેલી સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયાને  કોમર્શીઅલ હેતુ માટે ઉત્પાદન કરવા માટે દાન કે ભેટમાં આપ્યા. જ્યારે આપણા દેશના વડાપ્રધાન મોદીજીની રૂઢીચુસ્ત કે જડ અને આત્મનિર્ભરતાની વિચારસરણીએ થાળીયાં બજાઓ અને દીયા જલાઓ થી કોરાના ભગાઓનો કાર્યક્રમ દેશવ્યાપી રાખ્યો હતો. આજ નેતા ફરી પાછા ૧૦૦ કરોડ વેકસીનના ડોઝ નાગરીકોને લગાવ્યા તે પોતાના નેતૃત્વની અંગત સિધ્ધી હોય તે પ્રમાણે ગુણગાન બીજાઓ પાસે ગવડાવવા માંડયા.

 જ્યારે ગાંધીજીથી માંડીને મોદી સુધીના તમામ નેતાઓ ગ્રામ્ય સ્વરાજ્ય, ગ્રામ્ય સ્વાવલંબન, ગ્રામ્ય સમરસતા અને ભારત આત્મનિર્ભર ની વાતો કરે ત્યારે સમજી લેવાનું કે દેશને ગ્નાનવિગ્નાન આધારીત આધુનીક બનાવવાના વિરોધી છે. તેને બદલે હિદુંધર્મ આધારીત અસમાન, અમાનવીય અને શોષણખોર વર્ણવ્યવસ્થાને ફક્ત ટકાવી રાખવા નહી પણ ૨૧મી સદીમાં વધુ બળવત્તર બનાવવાના ખુલ્લા નહિતો પ્રછન્ન ટેકેદારો છે એમ જ ભારપુર્વક સમજવું. તે બધા વ્યક્તીગત રીતે અને સામુહિક રીતે માનવકેન્દ્રી સમાજવ્યવસ્થાને બદલે મનુસ્મૃતી આધારીત સમાજ વ્યવસ્થાને પરત લાવવાના હિમાયતી અને ટેકેદારો છે. તેથી આપણા પ્રજાસત્તાક બંધારણના વિરોધી કહેવાય. તેમનાથી સાવધાન રહેજો અને બીજાને સાવધાન કરજો.

સ્વદેશી ટેકનોલોજીના બણગા ફુંકનારા ફ્રાન્સના રાફેલ વિમાનો અને રશિયાના મોંઘાદાટ શસ્રૌ આયાત કરીને  તે જ પાછા  દશેરાના દિવસે તે બધા શસ્રોનું પુજન કરે છે. શાબાશ મેરા ભારત મહાન! મેરા ભારત વિશ્વ ગુરૂ બનેગા!

() શું નૈતીકતા માનવીય છે કે ધાર્મીક? સ્વસ્વાર્થ અને નૈતીક્તા એક બીજાના પુરક છે કે હરિફ?

જવાબધાર્મીક નૈતીકતા દેશ અને દુનીયાની પ્રજાને ઉપદેશ આપે છે કે તમારા મૃત્યુ પછીના ભવ્ય જીવન માટે વર્તમાન જીવનમાં યેનકેન પ્રકારે સર્જન કરેલી જેટલી વધારે બને તેટલી આવક અને સંપત્તિ ધાર્મિકનૈતીક બનવા વાપરો. ધાર્મીક ઉપદેશ પ્રમાણે દુન્યવી આવકસંપત્તિના સર્જન માટે ગાંધીજીનો સાધનશુધ્ધીનો ખ્યાલ જ અવ્યવહારુ છે. ધાર્મીક નૈતીક્તાથી પ્રાપ્ત કરલું તમારૂ પુન્ય ફક્ત સ્વસ્વાર્થી જ હોય છે.  સ્વર્ગમાં બેઠેલા પેલા ચિત્રગુપ્તના લેજર કે ચોપડામાં વ્યક્તીગત જ હવાલા અને એન્ટી્ પડે છે!

() વૈગ્નાનીક મિજાજનો આધાર શું?

જવાબઇન્દ્રીયજન્ય અનુભવ, તેમની મદદથી બાહ્ય નિરિક્ષણ, પ્રયોગાત્મક,તટસ્થ અને પુર્વગ્રહ વિનાની તપાસ અને આખરે પોતાની સદ્વિવેકબુધ્ધીથી તાર્કીક મુલ્યાંકન.

() આપણી શિક્ષણપ્રથા અસહીષણુ, અસમાન અને  સરમુખત્યારશાહી વલણો ધરાવતી અથવા ઉદારમતવાદની વિરોધી કેમ છે?

જવાબકારણ કે તે આપણી પરંપરાગત સંસ્કૃતિની દેન છે. તેના મુળીયાં ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષણુ, ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મં ની માનસીકતામાં રહેલાં છે. તેની સામે વિદ્રોહ કરવાની ક્ષમતા નહી કેળવીએ ત્યાં સુધીઓ  ગુરૂદક્ષીણામાં આ ચતુર ગુરૂઓ, બાહોશ એકલવ્યો જેવાના જમણા હાથના અંગુઠા દાનમાં લઇ લેશે. જેથી સ્વપ્રયત્નથી ગ્નાન મેળવી શકાય જ નહિ. ગુરૂ સિવાય ગ્નાન જ નહી. તે ધંધાદારી સુત્ર છે.

() વિપસ્યસાધના અંગે તમારો શું મત છે?

જવાબપ્રામાણીક રીતે તેમાં મારૂ ઘોર અગ્નાન છે. કારણકે સાલુ,! એંશી વર્ષોની જીંદગીમાં તેના વિષે જાણવાની ઇચ્છા જ કોઇ દિવસ પેદા થઇ નથી


--

Saturday, November 20, 2021

Let us go two steps backward for going three steps forward- Lenin.

Let us go two steps backward for going three steps forward- Lenin.

 

   ચાલો!  આપણે બે પગલાં પીછે હઠ કરીએ જેથી ભવિષયમાં ત્રણ પગલાં આગળ જઇ શકીએ!લેનીન (રશિયન ક્રાંતીના આધ્યસ્થાપક).

ભારત દેશમાં ભાજપીય વડાપ્રધાને ત્રણ કૃષીકાનુન રદબાતલ કરવા ગુરૂનાનક જયંતિના દિવસે, લખનૌની પ્રથમ અને પછી ૨૦૨૪ની દિલ્હીની ખુરશી બચાવવા પોતાના આત્માન અવાજને એકવર્ષ બાદ સાંભળીને નિર્ણય કર્યો.

સને ૧૯૧૯૧૯૨૧ સમયમાં રશિયન ક્રાંતીની કસુવાડ થતી બચાવવા માટે તથા રાજ્ય સંચાલિત મુડીવાદને( State Capitalism) જીવતદાન આપવા માટે લેનીને પોતાના ખુબજ ચાવીરૂપ ક્રાંતીના દા;ત ટો્ટસ્કી જેવા અગ્રણી સાથી કોમરેડ નેતાઓની વિરૂધ્ધ બે નિર્ણયો લીધા હતા.

એક નવી આર્થીક નીતી( New Economic policy NEP) દાખલ કરી જેમાં કિસાનોને(કુલક્સને) રાજ્યે સંપાદન કરેલી તેમને જમીન પરત આપી અને ખાનગી વ્યક્તીગત ધોરણે ખેત ઉત્પાદન કરવાની અને તે ઉત્પાદનને મુડીવાદી બજારમાં વેચવાની મંજુરી આપી. જેથી ખેતીના સામુહિકરણને( Collectivization of Agriculture) કારણે પેદા થયેલો ભુખમરો દુર થાય. જેમાં લાખો રશીયન ગરીબો ભુખમરાને કારણે મરી ગયા હતા. આ કટોકટીને રશિયન ક્રાંતીના ઇતિહાસમાં કાતરની કટોકટી ( Scissiors Crisis) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખેતપેદાશોના ભાવ આસમાને ગયા હતા અને ઔધ્યોગીક ઉત્પાદનના ભાવ તળીયે બેસી ગયા હતાતેવી સ્થિતીમાંથી  રશિયા એક દેશ તરીકે પસાર થઇ રહ્યો હતો. 

બીજુ, જર્મની સામે પહેલા વિશ્વયુધ્ધમાં રશિયા હારી ગયું હોવાથી પોતાના દેશનો જીતેલા પ્રદેશમાંથી જર્મની માંગે તેટલો પ્રદેશ કાયમ માટે આપવાની સંધી(Treaty) લેનીને સાથી ક્રાંતીકારી મિત્ર ટો્ટસ્કી વિરુધ્ધ જઇને કરી .એટલું જ નહી, પરંતુ આ હકીકત લેનીને મોસ્કોના રેડીયો પરથી જાહેરાત કરી દીધી. કારણકે સરહદ પર ટો્ટેસ્કીના નેતૃત્વ નીચે લડતા રશીયન સૈનીકો જેમાં મોટા ભાગના ખેડુતો અને તેમના દિકરા હતા તે બધા જીવ બચાવવા હથીયારો સરહદ પર મુકીને મોટી સંખ્યામાં પરત આવતા રહ્યા હતા. જે લેનીનની બાજ નજરે અનુભવ્યું હતું. લેનીનને રશીયન ક્રાંતી બચાવવી હતી. આાપણા મોદીજીની સત્તા કે ખુરશી બચાવવા પણ બાજ નજર છે જ ને? કારણકે તેમને પોતાની વિચારસરણી આધારીત મળેલી સફળતાને કેવી રીતે હાથમાંથી છટકવા દેવાય!

રશિયાએ પુરી તૈયારી સાથે સને ૧૯૨૪ પછી ફરી ખાનગી માલિકીની જમીન પધ્ધતિ નાબુદ કરી, રાજ્ય સંચાલિત ખેતીનું સામુહિકરણ કર્યું તેનો વિરોધ કરનારા આશરે ૨૦ લાખ કરતા વધુ કિસાનોને સ્ટાલીન યુગમાં વાસ્તવિક રીતે જ મારી નાંખવામાં આવ્યા હતા.રશિયાનો જે પ્રદેશ જર્મનીએ પચાવી પાડયો હતો તેને બીજા વિશ્વ યુધ્ધમાં પોતાની ભુમી પર જ  હિટલરને હરાવીને, લેનીનના રાજકિય વારસદાર જોસેફ સ્ટાલીને  પરત મેળવી લીધો હતો.

 ઐતીહાસ સત્યોનું સમય મળતાં પુનરાવર્તન ચોક્ક્સ થઇ શકે છે. જો આ કૃષી કાયદાને રદબાતલ કરવાથી સને ૨૦૨૨ ની લખનૈની ગાદી યોગીજીને અને સને ૨૦૨૪માં દિલ્હીની ગાદી મોદીજીને પરત મળે તો ! જો કે ઇતિહાસના પરિબળો અને તારણો, કોઇ ભવિષય વાણીને સાચી પાડવામાં ક્યારેય સફળ થયા નથી. તેનું જીવંત ઉદાહરણ કાર્લ માર્કસના માર્કસવાદી તારણોનું છે.


--

Friday, November 19, 2021

પ્રશ્નો તમારા–જવાબ અમારા તારીખ– ૧૩–૧૪ નવેંબરના વેબીનારને આધારે.


પ્રશ્નો તમારાજવાબ અમારા  તારીખ૧૩૧૪ નવેંબરના વેબીનારને આધારે.

() રેડીકલ હ્યુમેનીસ્ટોએ સને ૧૯૪૮માં પોતાની સ્થાપેલી ' રેડીકલ ડેમોક્રેટીક પાર્ટી કેમ વિસર્જન (Why Dissolved) કરી નાંખી ? માનવવાદીઓએ સત્તાકીય અને પક્ષીય રાજકારણમાં કેમ સક્રીય ભાગ લેવો  જોઇએ?

જવાબલોકશાહી જીવન પધ્ધ્તી અને પ્રતિનિધિ સ્વરૂપની રાજકીય લોકશાહીની સફળતાની પુર્વ શરત છે કે જે તે દેશમાં લોકો પોતાની ધર્મ, જાતિગ્નાતી, વર્ણ અને તેના જેવી સામાજીક ઓળખમાંથી મુક્ત બને. એકબીજાને લોકો નાગરિક તરીકે જ ઓળખે. આ માટે દેશનો દરેક નાગરિક તે ફક્ત નાગરિક છે તેવી સામાજીક ઓળખ તેનામાં મોટા પાયે વિકસાવવી પડે.

 ચુંટણી લડતા નેતાઓ અને પક્ષો દ્રારા નાગરિકને તેમની રૂઢીગત અને પરંપરાગત ઓળખમાંથી  બહાર કાઢીને  બિનસાંપ્રદાયિક નાગરીક બનાવવાને બદલે પેલા બિનલોકશાહી મુલ્યોના આધારે લોભાવનારા કે લચાવનારા અને લોકરંજક ચુંટણીના વચનો આપીને  તેમનો ઉપયોગ કરીને રાજકીય સત્તા મેળવવામાં આવે છે. જે પક્ષ અને તેનો નેતા સૌથી લોભવનારા વચનો કે હથેળીમાં ચાંદ બતાવી શકે તે આ સત્તાની દોડમાં જીતી શકે.

માનવવાદી મુલ્યો આધારિત રાજકારણ લોકભાગીદારી દ્રારા અસ્તીત્વમાં આવે છે. જેથી સત્તાલક્ષીને બદલે નાગરિકલક્ષી રાજ્ય વ્યવસ્થા અસ્તીત્વમાં આવે . તે માટે માનવવાદીઓ વૈચારીક પ્રરિવર્તન લાવવા પ્રયત્ન કરે છે. માનવ ઇતિહાસમાં હિટલર, મુસોલીની વિ, પોતાના દેશમાં સૌ પ્રથમ લોકશાહી માર્ગે સત્તા મેળવી અને પછી એ જ સત્તાની સીડી તેમની પાછળ બીજો કોઇ તે સીડી પર ચઢી ન આવે તેવી વ્યવસ્થા સત્તા મળ્યાના પહેલા દિવસથી જ શરૂ કરી દે છે. સત્તાલક્ષીને બદલે પ્રજાલક્ષી રાજકારણ વિકસાવવા માટે સત્તાલક્ષી અને બિનલોકશાહી માર્ગો અપ્રસતુત કે નકામા સાબિત થયા હોવાથી માનવવાદીઓએ(The Radical Humanists) સૌ પ્રથમ પ્રજામાં લોકભાગીદારીવાળી જાગૃતતા લાવવા માનવવાદી મુલ્યો અને વિચારો ચળવળ સ્વરૂપે સમાજમાં પ્રસ્થાપિત થાય માટે પોતાના પક્ષનું જ કાયદેસરનો ઠરાવ રજુ કરીને  વિસર્જન કરી નાંખ્યું હતું.

()  માનવ વિકાસ માટે કુદરતી સાધનસંપત્તીના ઉપયોગ અંગે માનવવાદી અભિગમ કેવો?

જવાબમાનવવાદી તમામ કુદરતી પરિબળો અથવા સાધનસંપત્તીને ગ્નાન આધારીત તેના નિયમો સમજીને અન્ય તેના જેવા માનવીઓના સહકારની મદદથી  પોતાના જીવવા માટેના સંઘર્ષને સરળ બનાવવા માટે ઉપયોગ કરવા માંગે છે. કુદરતી પરિબળો માનવી માટે ભજવાના એકમો નથી. નદીઓ, ખાણો, જંગલો વિનો ઉપયોગ કરતાં માનવ વસ્તી વિસ્થાપીત થાય તો તેના પુન;વર્સન માટે તમામ અગ્રતા પ્રથમ આપવી જ જોઇએ. તદ્ઉપરાંત કુદરતી સાધન સંપત્તીનો ઉપયોગ એવો ન કરવો જોઇએ કે તે માનવ જાતના અસ્તિત્વને જ જોખમમાં મુકી દે! દા.ત આપણા વાતાવરણમાં કાર્બન ગેસના મોટા પ્રમાણના ઉતસર્ગથી ઓઝોનના પડમાં ગાબડું પડવું.

() શા માટે માનવવાદીઓએ માનવવાદી મુલ્યો જેવાકે સ્વતંત્રતા,( Frreedom) તર્કવિવેકબુધ્ધી ( Rationality) અને ધર્મનિરપેક્ષ નીતી ( Secular morality) ને આધારે પોતાના ઐહીક કે દુન્યવી પ્રશ્નો ઉકેલવા જોઇએ?

 જવાબમાનવ સમસ્યાઓનો ઉકેલ વર્તમાન જીવન આ પૃથ્વી પર જ ભર્યુભાદરુ સુખી અને સમૃધ્ધ પ્રાપ્ત કરવા માનવવાદી અભિગમથી નિરાકરણ કરવું અનિવાર્ય છે. માનવવાદી અભિગમ વૈગ્નાનિક ગ્નાન પર આધારીત છે. આ અભિગમ નવાગ્નાન. સંશોધનો અને વૈગ્નાનીક શોધોને સતત ખુલ્લા મને આવકારે છે. માનવ સમસ્યાઓ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઐહીક છે. મૃત્યુ પછીના જીવન કે ધર્મ ના ઉપદેશો આધારીત બિલકુલ જ નથી. માટે આજે જે માનવીય સમાસ્યાઓનો ઉકેલ આવ્યો છે દાંત આરોગ્ય, અને કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્તિ તેનું કારણ વિશ્વના તમામ ધર્મોના ઉપદેશ અને આચરણોને બદલે માનવીય પ્રયત્નોનુ જ પરિણામ છે. રણ કે બરફની ગુફાના ગેબી અવાજના સંકતો સાંભળીને માનવ જાતે અવકાશમાં આગે કુચ કરી નથી.

() મારે મારા બાળકોને કેટલી સ્વતંત્રતા આપવી? શું સ્વતંત્રતા આપવાથી તેઓ બગડી નહી જાય? સ્વચ્છંદ નહી બની જાય? મારા ઘરના વડીલોને મારા માનવવાદી અભિગમને કારણે જે મતભેદો આધારીત જે સંઘર્ષો થાય તેનો ઉકેલ કેવી રીતે કરવો? મારા દિકરકે દિકરાના લગ્નમાં માબાપ તરીકે તમામ નિર્ણયોની પ્રક્રીયામાં અમારો શું ફાળો?

જવાબમાનવવાદનું પ્રથમ અને પાયનું મુલ્ય સ્વતંત્રતા છે. માનવીય સ્તર પર આ મુલ્યને રોકનારા તેમાં અવરોધ કરનારા બે પરિબળો છે.એક માનવીને સ્વતંત્રતા આધારીત નિર્ણય નહી કરવા દેવાવાળા પરિબળો. તે બધા, ખાસ કરીને કુંટુંબથી માંડીને ધર્મ સુધી વિસ્તરેલા છે. રેશનાલીટી આધારીત સાચુ શું છે કે ખોટું શું છે, જે માનવી માટે ખરેખર ઉપયોગી હોય તેવા વિચારો આધારીત મુલ્યાંકન કરી નિર્ણય કરવાની ટેવ પાડવાની જરૂર છે. હા. શરૂઆતની શિશુ અવસ્થામાં તે કોઇ જોખમકારક નિર્ણય અણસમજમાં કરી દે તેને રોકવામાં સ્વતંત્રતાનો એક મુલ્ય તરીકે બિલકુલ ભંગ નથી. પણ જેમ જેમ આપણા બાળકો મોટા થતા જાય તેમ તેમ તે યોગ્ય, પરિપક્વ, ગ્નાન આધારીત નિર્ણયો કેવી રીતે કરે તે માટેની મોકળાશ આપણે કુટુંબ તરીકે પુરી પાડવી જોઇશે. માનવ તરીકે ભુલ થવાની, જે સહજ છે. ભુલ થશે,  નુકશાન થશે માટે પેલાને નિર્ણય કરવાની તકમાંથી વંચિત રાખીને વડીલશાહીના હુકમને આધારે બાળકોનો ઉછેર કરવો તેને ક્યારેય ચલાવી લેવાય જ નહી. તે માટે તેના માબાપ તરીકે સંયુક્ત કુટુંબ સામે અથવા તેવી કોઇપણ સામાજીક વડીલશાહી સામે વિદ્રોહ એક જ વાર નહી પણ સતત કરવા તે જ માનવીય સદ્રગુણ છે. માનવ સંસ્કૃતીનો વિકાસ વડીલશાહી, ધર્મશાહી અને રાજકીય સત્તાધારીઓના સ્વીકારેલા સત્યો સામેના વિદ્રોહ કરવાથી જ થતો રહ્યો છે.   

 

--

Wednesday, November 17, 2021

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

શરૂઆાત છેલ્લા બે દિવસના સમાચારોથી કરો.

() વેજ ગુજરાત, એ જ ગુજરાત....હવે અમદાવાદમાં પણ માંસ, મચ્છી,ઇંડાની લારીઓ પર પ્રતિબંધ,,અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં મુકાયો હતો.

()  જાહેરમાં નોનવેજના પર પ્રતિબંધ મુકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય,( બોક્ષમાં સમાચાર) અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળો પર ૧૦૦ મીટરમાં લારી ઉભી નહી રખાય!

() ગુજરાતમાં ૪૦% લોકો નોનવેજ ખાય છે અને ૩૮% ઉપર બહેનો પણ નોનવેજ ખાય છે.

() સર્વે પ્રમાણે દેશમાં ૭૧% લોકો નોનવેજ ખાનારા છે. તેલંગણા રાજ્યમાં કુલ વસ્તીના ૯૧% ટકા લોકો નોનવેજ ખાનારા છે. એટલે કે આખા રાજ્યની વસ્તી જ નોનવેજ ખાનારી છે.

() અમદા. મ્યુની. કોર્પોરેશન ના  એક જવાબદાર કમીટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીનો પ્રતિબંધ કેમ લગાવ્યો તેનો જવાબશહેરમાં જાહેર રસ્તા પર ચાલતી મટનમચ્છી અને ઇંડાની લારીઓને કારણે લોકોની સુરુચીનો ભંગ થાય છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સુગને કારણે મુશ્કેલી પડે છે.

() નિયમ ( રાતોરાત નક્કી કરેલો નિયમ, તે મુજબ કોને સત્તા આપી, અમલ કોને કરવાનો?)લાયસન્સ હોય તો પણ માંસ,મચ્છી અને ઇંડા જાહેરમાં દેખાવા  ન જોઇએ! જો સુચનાનું પાલ નહી કરવામાં આવે તો જે તે દુકાનને સીલ મારી દેવામાં આવશે.

() ગુ રા. મુખ્યમંત્રીનો પ્રતિભાવજેને જે ખાવું હોય તે ખાય, લારીનો ખોરાક હાનીકારક ન હોવો જોઇએ. બસ અમારો પ્રશ્ન આટલો જ છે."

 સુગ કે ખાવા માટે હાનીકારક બે માંથી કઇ માનસીકતા કાયદો હાથમાં લઇને ફરનારુ તંત્ર કેવી રીતે સ્થળ પર નિર્ણય કરશે? ( સૌ. દી. ભાસ્કર તા. ૧૬નવેંબેર પ્રથમ પાનું)

....................................

આજ તા. ૧૭મી નવેં ના તે જ પેપરના પ્રથમ પાનાન સમાચારનું મથાળું"  એ વેજનોનવેજ જોક હતો!

હજુ જુઓ , સમજો અને ઓળખો તેમની માનસીકતા અને વિચારપધ્ધતિને!

() ગુજ રા ના પ્રવાસન મંત્રી,શ્રી પૂર્ણેશ મોદી ઉવાચરાજ્યના યાત્રા ધામોમાં ઇંડા,માંસ મચ્છીની લારીઓદુકાનો અને કતલખાના બંધ કરવાનો લેખિત આદેશ યાત્રા બોર્ડના સચિવને કરવામાં આવ્યો છે.

() ગુજ ભાજપના પ્રદેશ પ્રમખ શ્રી, સી. આર. પાટીલ ઉવાચલારીઓ ઉપર ગરીબોનું જીવન ચાલે છે. અમે તેમને મદદ કરી શું.... જાહેરમાં ગંદકી થતી હોય તો તેની કાર્યવાહી કરી શકાય. પણ તેમને  હટાવવા કે બંધ કરવવા ભાજપ વિચારી ન શકે!

() ગુ. રા. ના મહેસુલ મંત્રી રાજેન્દ્ર્ ત્રિવેદી ઉવાચફુટપાથ પર ઉભેલી ઇંડાની લારી કે નોન વેજ ની લારી દબાણ છે.(પણ ફુટપાથ પર ઉભેલી બીજી કોઇ લારી નહી!)

()  ફરી ગુ પ્રદેશ પ્રમુખ ઉવાચમંત્રીઓને કહી દેવાયું છે કે તમારે આમને હટાવવાના નથી. મંત્રૌઓએ પોતાની જાતને આ વિવાદાસ્પદ નિવેદનો કરવામાંથી દુર રાખે!!

 શું દેશમાં પ્રચલિત ગુજરાત મોડેલ આવા તુક્કાબાજો ચલાવે છે કે પછી આવનારા દિવસોમાં જે બનવાનું છે તેની કવાયત છે?


--

Sunday, November 7, 2021

હ્યુમેનીસ્ટ એકેડેમી આયોજીત નવેંબર માસના વિષયો વિ. ની વિગતો

હ્યુમેનીસ્ટ એકેડેમી આયોજીત નવેંબર માસના વિષયો વિ. ની વિગતો

વિધ્યાર્થી મીત્રો અને અમારી સદર અભ્યાસ એકેડેમી ભાગ લેનાર અન્ય સાથીઓ અને શુભેચ્છકો,

આપ સૌના સહકારથી ઓકટોબર માસમાં આપણે માનવવાદને સંલગ્ન ૧૦ વિષયોનો અભ્યાસ કર્યો.  નવેંબરમાસના વિષયો અને તે રજુ કરનાર વિષય તજગ્નોની વિગતો આ પત્રમાં રજુ કરી છે. અગાઉ આપ સૌ એ સક્રીય સહકાર આપી પ્રોત્સાહીત કર્યા તે પ્રમાણે સહકાર ચાલુ રાખવા વિનંતી છે.

()  તા૧૩૧૪ નવેંબર.શનિરવિ. વિષયો() માનવવાદી મુલ્યો,() માનવવાદી ઉદ્ઘોષણાઓ, હ્યુમેનીસ્ટ મેનીફેસ્ટો વક્તાઅશ્વિન કારીઆ, નિવૃત પ્રીન્સીપલ, લો કોલેજ. પાલનપુર.

 () તા૨૦૨૧. નવેંબર. શનિરવિ. વિષયો() વૈગ્નાનીક અભિગમ એટલે શું? અને તેની વ્યક્તિગત અને સમાજ જીવનમાં અનિવાર્યતા, () વૈગ્નાનીક અભિગમ કેવી રીતે વિકસાવી શકાય!. વક્તાપ્રો. ડો. મિહિર દવે, જી. ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુર.

() તા.૨૭૨૮ નવેંબર. શનિરવી વિષયો() માનવવાદ અને માનવતા વચ્ચે પાયાના તફાવતો, () માનવવાદ અને ફાસીવાદ. વક્તામનીષીભાઇ જાની માર્ગદર્શક, ગુ મુ રે એસો.

સયોજકબીપીન શ્રોફ. 97246 88733.

 


--

Tuesday, November 2, 2021

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪.

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪.

ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રોએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે તથા બીજુ કેટલાક પ્રશ્નોનું વિષયવસ્તુ એક હોવાથી જુથમાં સાથે ગોઠવ્યા છે.

 પ્રશ્ન . ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે? () માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?

જવાબ() સ્વતંત્રતા એક અધિકાર તરીકે અન્ય તમામ અધિકારોની માફક ( સિવાય અનુચ્છેદ ૨૧ જીંદગી જીવવાના અધિકાર) તેના બે પાસા છે. " Freedom to believe & not to believe in it." કોઇ પણ ધર્મમાં માનવાની સ્વતંત્રતા અને તમામ ધર્મોમાં નહી માનવાની પણ સ્વતંત્રતા.નાસ્તીકતા કે નિરઈશ્વરવાદ આ અધિકારમાં સમાયેલો જ છે.

 () માનવવાદ માનવ કેન્દ્રી વિચારસરણી છે.તેનો આધાર વૈગ્નાનીક સત્યો પર છે.તથા માનવી કુદરતનો એક ભાગ હોવાથી અને કુદરત નિયમબધ્ધ હોવાથી માનવીનું સંપુર્ણ જીવન પણ નિયમબધ્ધ છે. જેમ કુદરતી પરિબળો નિયમબધ્ધ હોવાથી તે કોઇ દેવી કે ઇશ્વરી સર્જન નથી. તેવી જ રીતે માનવી પણ દૈવી કે ઇશ્વરી સર્જન નથી. જેમ કુદરતી પરીબળોના સંચાલનના નિયમો માનવ તર્કવિવેક બુધ્ધીથી સમજી શકે છે; તેવું જ માનવ શરીરના સંચાલનની બાબતમાં છે. માનવકેન્દ્રી વિચારસરણી ઇશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એટલા માટે કરે છે કે તેના અસ્તીત્વના કોઇ પુરાવા માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી( આંખ,કાન, નાક, જીભ અને ચામડી) પ્રાપ્ત કરવા જ અસંભવ છે.અશક્ય છે. અને ઇન્દ્રીયાતીત અનુભવના દાવા માનવ ઇન્દ્રીયોથી તપાસવા અશક્ય છે.તેથી માનવવાદ માનવકેન્દ્રી, આ જન્મમાં અને અહીંયાં જ ઐહીક કે દુન્યવી ભૌતીક સુખ,(ભોગવાદી કે અકારાંતીયું ભોગવાદી જીવન બિલકુલ નહી) અન્ય તેના જેવા માનવીઓના સહકારથી પ્રાપ્ત કરવામાં પથદર્શક બને છે. તેમાં તાર્કીક રીતે નાસ્તીકતા કે નિરઇશ્વરવાદ જેવા વિચારો આવી જત હોય તો તેનું લેશમાત્ર દુ:ખ માનવાદીઓને કેવી રીતે હોઇ શકે!

 

પ્રશ્ન. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?

જવાબ. લગભગ દરેક ધાર્મીક પ્રવૃત્તીઓના ટેકા કે દાનમાં મળતાં નાણાં બિનહિસાબી હોય છે. દાનની રકમની નોંધ ભલે બિનહિસાબી હોય પણ પેલા સ્વર્ગ નિવાસી ચિત્રગુપ્તના ચોપડામાં તે કાયદેસરની બની જાય છે તેવો પેલા દાન આપનારને વિશ્વાસ હોય છે. માટે તે મંદિરોમાં દાન ખુશી ખુશીથી આપે છે, અપાવે છે. દાનવીર તરીકે પોતાનો મોભો  સતત વધતો જાય છે તેનું ગૌરવ અનુભવે છે. આવકવેરાની કલમ ૮૦જી મુજબ સંસ્થાએ મુક્તિ મેળવી હોવા છતાં દાન કરનાર અને લેનાર બંને જાણે છે કે આ બધા દાનના નાણાં કેવી રીતે ભેગા થાય છે. અરે! દેશની સંસદમાં ચુંટાયેલા તમામ રાજકીય પક્ષોના સાંસદોએ સર્વાનુમતે કાયદો પસાર કર્યો છે કે " તે બધાને ઇલેકશન બોન્ડ દ્રારા નાણાં મળે તો તેનો અધિકૃત આધાર બતાવવાની જરૂર નથી."  

પ્રશ્ન. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી  બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?

જવાબકોઇપણ જાહેર હિતના પ્રોજેક્ટનો માપદંડ માનવવાદની દ્ર્ષટીએ એટલો જ છે કે તેના લાભાર્થીઓની કુદરતી પરિબળો સામેની અસલામતી કેટલી ઓછી થાય છે.

પ્રશ્ન. માનવવાદી દ્ર્ષટીએ  સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.

જવાબ–  માનવવાદ માટે કદાચ બંને સર્વાનુમતે અને બહુમતીની પાસે  માનવીના સશક્તીકરણ કરતાં વિપરીત ખ્યાલોવાળા હિતો હોય! જે જોખમકારક હોય છે. દા:ત બાઇબલનો પૃથ્વી ગોળ નથી તેવી માન્યતાની સામે ગેલેલીયોની એકલો મત કે પૃથ્વી ગોળ છે તેવી સાબિતીવાળું સત્ય. દા:ત કોરોના વાયરસને ભગાડવા માટે થાળી વગાડો, દીયા મશાલ જલાઓ વિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખ્યાલ અને તેના ટેકામાં  રાષટ્વ્યાપી પ્રચાર. અને હવે ૧૦૦ કરોડ વેક્સીનના ડોઝ નાગરીકોએ લીધા તે પણ વડાપ્રધાનની વ્યક્તીગત સિધ્ધી !

પ્રશ્ન.  પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજો પ્રશ્નમાનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?

જવાબમાનવવાદી ઉદ્ઘોષણાઓ ( Humanist Manifesto published in 1933, 1973 & 2003,)માં પુખ્ત ઉંમરના સ્રીપુરૂષોને જાતીય પસંદગીની સ્વતંત્રતા અને તે પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતાઓ એક અનીવાર્ય ભાગ તરીકે આમેજ કરેલ છે. સ્રી માટે ગર્ભપાતને નૈતીક અને કાયદેસરના અધિકાર તરીકે માનવવાદીઓ સ્વીકારે છે. અને જ્યાં તે અધિકાર નથી તે સંઘર્ષમાં તેમનો ટેકો હોય છે.

પ્રશ્ન.  માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું?  તેને મજબુત કરવામાં કયા કયા પરિબળોન પ્રમુખ ભુમીકા છે? શું ધર્મો માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.

જવાબમાનવ સંસ્કૃતીના વિકાસના શરૂઆતના તબક્કાઓમાં ધર્મનો ફાળો હકારાત્મક હતો. પણ સમય જતાં તે સ્થાપિત હિત બની ગયો. અને અંધશ્રધ્ધાળુ, વિગ્નાન વિરોધી અને જે સે થે વાદી બની ગયો છે. પોતાનું સ્થાપિત હિત ટકાવવા તેણે રાજકીય, આર્થીક અને સામાજીક પરિબળો સાથે મીલી ભગતના સક્રીય સંબંધો બનાવેલા છે.

પ્રશ્ન. માનવવાદ લગ્નોત્તર સંબંધો ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે? સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?

જવાબ

રૂઢીચુસ્ત ધર્મો અને તેના આધારીત મર્જાદીપણું કુદરતી જાતિયવૃત્તીઓનું જબ્બ્રજસ્ત દમન કરે છે. ખરેખર કુટુંબ નિયોજન, ગર્ભપાત અને છુટાછેડાને માનવ અધિકારનો દરજજો બિલકુલ સરળતાથી મળવો જોઇએ. અસહિષણુ અને શોષણખોર જાતીય સંબંધોને કોઇ કાળે પણ માનવવાદનો ટેકો ન હોય! પરંતુ બે પુખ્ત ઉંમરના સ્રીપુરૂષની ઇચ્છા મુજબના જાતીય સંબંધોને  કાયદાનું કે સામાજીક રૂઢીઓનું નિયંત્રણ ન હોવું જોઇએ.  ( We do not approve of explottive and denigrating forms of sexual expression, neither do we wish to probhit, by law or social sanction, sexual behaviour between consenting adults. Rule 6 of Second Humanist manifestos)  

 maxium indivudual autonomy with consonant social responsibilities) અસહિષણુ વલણ જાતીય સંબંધોમાં નહી, નો એપ્રુવલ ઓફ એક્ષસપ્લોટેટીવ વર્તણુક.

સમલૈગીંક સંબંધોને અને ત્રીજી જાતી થર્ડ જેન્ડર (ટા્ન્સજેન્ડર)ને દરેક દેશમાં તમામ પ્રકારના કાયદેસરના હક્કો મલવા જોઇએે.અમેરીકામાં થર્ડજેન્ડરને પોતાના પાસપોર્ટમાં Special " X" sign કરીને એક અઠવાડીયા પહેલાંજ તમામ કાયદેસરની સુવિધાઓ લશ્કરમાં જોડાવા સુધીના તમામ અધિકારો આપી દેવામાં આવ્યા છે. જેમાં અમેરીકન હ્યુમેનીસ્ટ એસો અને અમેરીકન સીવીલ લીબર્ટીઝ એસો ની લડતનો મોટો ફાળો છે. વિશ્વના તમામ ધર્મોએ  ત્રીજી જાતીને માનવ તરીકે ક્યારે સ્વીકારી નથી. ફક્ત હડદુત જ કરેલી છે. હકીકતમાં ત્રીજી જાતી તરીકે જન્મ એ રંગસુત્રો ( ક્રોમોઝોમ્સ અને ડીએનએના અસાધારણ કે એબનોરમલ સંયોજનનું પરિણામ છે.)   

પ્રશ્નમાનવવાદી તરીકે  ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે  માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?

જવાબશાંતિપુર્વકના શક્ય હોય તેટલા ગ્નાનવિગ્નાન અને શિક્ષણ આધારીત સંવાદ અને પ્રચાર સિવાય બીજો માર્ગ નથી.

….………………………………………………………………………The end………………………………………………………..

 


--

Sunday, October 31, 2021

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧–૧૦–૨૧.

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪. તા ૩૧૧૦૨૧.

ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રૌએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે. આજના વેબીનારમાં સાંજે પાંચ વાગે  પ્રથમ પ્રશ્નોના જવાબો આપવામાં આવશે ત્યાર બાદ સમય બચશે તો  વર્તમાન વિચારસરણીઓની નિષફળતા વિષય પર આગળ વિચારો રજુ કરવામાં આવશે્ તેની નોંધ લેવી.

 પ્રશ્ન . ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકાતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે?

પ્રશ્ન. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?

પ્રશ્ન. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી  બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?

પ્રશ્ન. માનવવાદી દ્ર્ષટીએ  સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.

પ્રશ્ન.  પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજૌ પ્રશ્નમાનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?

પ્રશ્ન.  માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું?  તેને મજબુત કરવામાં કયા કયા પરિબળો નો  પ્રમુખ ભુમીકા છે?

પ્રશ્ન.  શું ધર્મા માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.

પ્રશ્ન. માનવવાદ લગ્નોત્તર સંબંધૌ ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે?

પ્રશ્ન૯ સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?  

પ્રશ્ન૧૦માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?

પ્રશ્ન૧૧માનવવાદી તરીકે  ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે  માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?


--

Saturday, October 30, 2021

હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત માનવવાદી અભ્યાસક્રમના ઑકટોબર માસના છેલ્લા બે લેકચર્સ.

હ્યુમેનીસ્ટ એકેડેમી સંચાલિત માનવવાદી અભ્યાસક્રમના ઑકટોબર માસના છેલ્લા બે લેકચર્સ.

આપ સૌના સહકારથી ગુ મુ. રેશ એસો આયોજીત આ અભ્યાસક્રમનો આવતી કાલે એક માસ પુરો થશે. અમે કુલ ૧૦ લેકચર્સ આવતી કાલે પુરા કરીશું. તેની તમામ લીંક સરળતાથી વિધ્યાર્થીઓને મલે તેવું આયોજન પણ કરવામાં આવેલ છે. લેકચર્સની પીડીએફ રેફરન્સ લીંક તો નિયમિત દરેક લેકચર્સના અંત પછી મોકલીએ જ છીએ. આજ અને આવતી કાલના વેબીનારની લીંક આ સાથે મુકેલ છે.

આજે અને આવતીકાલે થઇને નીચે મુજબના વિષયો લેવામા આવશે. સૌ ને હાજર રહેવા ખાસ વિનંતી છે.

() માનવવાદી વિચારસરણી( માનવ મુલ્યો ) આધારિત આપણું જીવન બધા અવરોધોને દુર કરીને ભર્યું ભર્યું અને આનંદમય કેવી રીતે બનાવવું તેની રજુઆત કરવામાં આવશે. (જીવનની ગુણવત્તા)

() દેશ અને દુનીયામાં પ્રવર્તમાન વિચારસરણીઓ તે આદર્શ સીધ્ધ કરવામાં કેવી રીતે નિષફળ ગઇ  છે તેની રજુઆત કરવામાં આવશે. તેમાં મુખ્યત્વે ઉદારમતવાદ ( Liberalism) માર્કસવાદ(Marxism) લોકશાહી સમાજવાદ(Democratic Socialism) ગાંધીવાદ(Gandhism) ધાર્મીક અને સાંસ્કૃતીક રાષટ્વાદ(Religious & Cultural Nationalism)અને લશ્કરી સરમુખત્યારશાહી(Military Dicatirialhip) સમયની ઉપલબ્ધતા પ્રમાણે વિષયોને ન્યાય આપવામાં આવશે.

() તા ૬ અને ૭ નવેંબર તહેવારો નિમિત્તે રજા રહેશે. તા. ૧૩૧૪ શનિરવિ નિયમીત આપણો અભ્યાસ નિયમ પ્રમાણે ફરી ચાલુ થઇ જશે. તેની સૌ એ નોંધ લેવી.

આયોજક બીપીન શ્રોફ. તા. ૩૦૧૦૨૧.

 


--

Thursday, October 28, 2021

કાળી ચૌદશ, રેશનાલીસ્ટ પ્રવૃત્તીઓ અને કાર્લ માર્કસ.

કાળી ચૌદશ, રેશનાલીસ્ટ પ્રવૃત્તીઓ અને કાર્લ માર્કસ.

સને ૧૮૪૮માં કાર્લ માર્કસે ધી કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો પોતાના સાથાદાર ફેડી્ક એન્જલ સાથે બહાર પાડેલો હતો. તેમાં સ્પષટ ઉલ્લેખ કરલો હતો કે સમાજના તમામ સંબંધો, ધાર્મીક, નૈતીક, કાયદાકીય, રાજકીય, આર્થીક, સામાજીક સંબંધો વિ. એક ઉપરછલ્લું માળખું ( Superstructure) છે. જે તે સમાજના મિલકતના સંબં ધોને ટકાવી રાખવા માટે તેનું સ્રર્જન કરવામાં આવેલ છે. જ્યાંસુધી જેની પાસે છે અને જેની પાસે નથી તે બે વર્ગ વચ્ચે પેદા થયેલી તમામ પ્રકારની અસમાનતાઓ અને અમાનવીય સંબંધો દુર ન થાય ; અથવા તેને બૌધ્ધીક, વૈગ્નાનીક અને શાંતીમય માર્ગે ફેરફાર ન થાય ત્યાં સુધી પેલા ઉપલા સ્ટક્ચરે (( Superstructure) પેદા કરેલી તમામ અંધશ્રધ્ધાઓ, પરંપરાઓ, રિવાજો, નૈતીકઅનૈતીક વ્યવહારોમાં પરિવર્તન લાવી શકાય નહી.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રેશનાલીસ્ટ મિત્રો પુરા ખંતથી કાળીચૌદશને દિવસે પોતાના સ્થાનીક વિસ્તારોમાં ભુતપ્રેત નથી, તે રાત્રે સ્મશાનમાં સાથી કાર્યકરો સાથે જઇને, એકલ દોકલ કોઇ અઘોરી, તાંત્રીક વિ. ને પડકારે છે. (આ બિચારા માણસો પોતે પણ બિલકુલ અભણ, અગ્નાની, સર્વ રીતે પછાત અને ગરીબ હોય છે.) કેટલાક એવા અતિઉત્સાહી રેશનાલીસ્ટો છે જેઓએ પોતે એક બે લાખ નહી પણ એક કરોડ રૂપીયા ભુતપ્રેતના અસ્તીત્વને સાબિત કરનારને ઇનામ આપવાના પડકાર જાહેર કર્યા છે. જેની તેઓ વારંવાર જાહેરાત પણ કર્યા કરે છે.

રેશનાલીસ્ટો પોતાના ગામમાં કે શહેરમાં આવી અંધશ્રધ્ધાઓમાંથી બહાર નીકળવા નાગરીકોને જાગૃત કરવા વર્ષો વર્ષ પ્રયત્નો કર્યા કરે છે. આ ઉપરાંત નાગરીકોની માન્યતા હોય છે કે આ દિવસે પોતાની સોસાયટી કે પોળ બહાર નજીકમાં આવેલ ચાર રસ્તા કે ચકલામાં જઇને પાણી રેડી ગોળ કુંડાળું કરીને તેમાં વડા, પુરી,ઢેબરાં લીંબુ, મરચાં, ઘરમાંથી ભાગલાતુટલાં માટલાના કાંઠડા વિ. મુકી જાય છે. આ રીતે ઘરના રહીશોનો માનસીક કકરાટ દુર થઇ જશે તેવી શ્રધ્ધા અંધશ્રધ્ધા સાથે પ્રતિવર્ષે આ પરંપરાને  પેઢી દર પેઢી ચાલુ રાખે છે.

બીજી બાજુએ ગુજરાતના રેશનાલીસ્ટો પણ પ્રતિવર્ષે પોતાની સદર પ્રવૃત્તીઓની પરંપરાઓ બિનચુક કોણપણ જાતના ફેરફાર વિના ચાલુ રાખે છે. હવે તેમાં પણ સંસ્થાઓના હોદ્દેદારો બદલાતાં કે જુની પેઢીને બદલે નવી પેઢી કે વારસદાર આવતાં પેલી પરંપરાઓ શ્રાધ્ધ કે તર્પણની માફક ચાલુ રાખવામાં આવે છે. કેમ?

 બિચારો! ચાર્લસ ડાર્વિન તો સજીવની ઉત્ક્રાંતીના જૈવીક સંઘર્ષમાં લખી ગયો કે જે સજીવો કુદરતી વાતવારણ સાથે અનુકુલન સાધવામાં નિષફળ જાય છે તે સજીવો અને તેમની પ્રજાતીઓ નાશ થાય છે. તો ગુજરાતના રેશનાલીસ્ટો ત્રણ દાયકો કરતાં વધુ સમયથી ગામની સ્મશાનની દિવાલો અને કાળી ચૌદશનાં કોઇના કકરાટ દુર કરવા મુકેલા વડા ઢેબરાના કુંડાળ્ઓમાંથી માથાં અફડાવી અફડાવીને જો બહાર નીકળી શકતા ન હોય તો તેમની જાતીઓપ્રજાતીઓનું ભાવિ જોખમમાં નહી આવે? શું વૈગ્નાનીક વલણ, અભિગમ, જીવન પધ્ધતિ વિ.માંથી કશું પણ આ રેશનાલીસ્ટોની પેલી રિચાર્ડ ડોકીનસ  ના  "મેમ્સ( સામાજીક રંગસુત્રો ક્રોમોઝોમ્સ) બની ગયેલી વૃત્તીઓપ્રવૃત્તીઓ બાબતે ચર્ચા વિચારણા, કરવા તૈયાર જ નથી.જો તમારા ક્રાંતિ કરવાના સાધનો છેલ્લા ત્રીસ વર્ષોથી વાપરવા છતાં તે પરિણામ ન લાવી શકતા હોય તો તમે તે સાધનો વાપરનારાઓ કોણ છો? કાં તો સાધનો બદલો અથવા તે વાપરનાર બદલો?

 સાલુ! દોસ્તો ! હું ભુલી ગયો કે આ રેશનાલિસ્ટો પણ કાર્લ માર્કસે  તારણ કાઢેલા પેલા સુપરસ્ટક્ચરની  પેદાશ છે


--

Friday, October 22, 2021

પ્રશ્નો તમારા –જવાબ અમારા ભાગ બીજો ૨૨–૧૦–૨૧.

પ્રશ્નો તમારા જવાબ અમારા ભાગ બીજો ૨૨૧૦૨૧.

()  દિપક શાહ તરફથી ઘણા પ્રશ્નો પુછવામાં આવ્યા છે. જે પ્રશ્નો આપણા અભ્યાસક્રમને લગતા છે  અથવા તેમાંથી ઉભા થાય છે તેના જવાબ આપવામાં આવશે. તેવી જ રીતે સૌ રજીસ્ટે્શન કરાવેલ મિત્રોને પણ વિનંતી છે કે તે બધા પણ કોર્સના વિષયોને આધારિત સિવાય બીજા પ્રશ્નો ન પુછે. દિપકભાઇનો પ્રશ્નમાનવ કેન્દ્રીત તાર્કિક બુધ્ધિવાળી પરંપરા કોને કહેવાય?

જવાબપરંપરા અને તર્કવિવેકબુધ્ધી બંને એક બીજાની આમને સામને છે. પરંપરા એટલે જ ગ્નાન આધારીત ન સમજાવાય તેવી રૂઢી કે રિવાજ. પરંપરાનું કાર્ય જ માનવીય સ્વંત્રતતા ને રોકવી, નિયંત્રણમાં રાખવી. પછી કોઇપણ પરંપરા માનવકેન્દ્રીત અને તર્કવિવેકબુધ્ધી આધારીત કેવી રીતે હોઇ શકે?

() વિગ્નાન ભણવાથી વિવેક આવી શકે? વૈગ્નાનીક સત્યો કે તારણોને માનવીય નૈતીક સંબધો સાથે કોઇ સંબંધ હોઇ શકે નહી! કારણ કે વૈગ્નાનીક સત્યો ગ્નાન આધારીત હોય છે. લાગણી આધારીત નહી. દા;ત ડૉકટર અને દર્દીના સંબંધો. વૈગ્નાનીક શોધો આધારીત ટેકનોલોજીનો ઉપયોગ વૈગ્નીકોના ક્ષેત્રો બહાર આવે છે. તેના નિર્ણયો પ્રજાકીયકીય સરકારો કે સરમુખત્યારશાહી સરકારો કરે છે.

() રેશનલ, રેશનાલીટી અને  રેશનાલીઝમ  તફાવત સ્પષટ કરો? ત્રણેય ખ્યાલોમાં શું સમાન છે તે ખબર છે. પણ શું તફાવત છે તેની માહિતી નથી. આપની પાસે હોય તો શેર કરવા વિનંતી છે.

() કર્દમભાઇ આચાર્યઅમાનવીય સામાજીક પ્રથાઓ કોને કહેવાય? જે સામાજીક પ્રથાઓમાં માનવ માનવના સંબંધોમાં અસમાનતા હોય, માનવ ગરિમા નહોય (સોસીયલ ડીગનીટી) તે તમામ પ્રથાઓને  અમાનવીય સામાજીક પ્રથાઓજ કહેવાય! ભારતીય સામાજીક પ્રથામાં ગુરૂશિષયના સંબંધો પણ અમાનવીય જ કહેવાય.કારણકે તેમાં સમાનતા આધારીત સંબંધો અંતર્ગત બિલકુલ હોતા નથી. હિંદુ વર્ણવ્યવસ્થા આધારીત તમામ વ્યવહારો અમાનવીય જ હોય છે. આ વ્યવસ્થા આધારીત માનવતાને ધોરણે કરવામાં આવતી મદદ પણ અમાનવીય જ હોયછે. કારણ કે આવી મદદ કરવાની પ્રેરણા પણ પેલી અસમાન  હિંદુ સમાજની વર્ણવ્યવસ્થા પ્રથાના ટેકામાંજ હોય છે. તેનું જ સર્જન હોય છે. માનવતા આધારીત મદદનું બીજુ નામ આપણે ધાર્મીક નૈતીકતા આધારીત અમાનવીય વ્યવહાર કહી શકીએ..

(નોંધ; મારા લેપટોપની કીબોર્ડની ખામીને કારણે દા;ત શિષય શબ્દનો સ્પેલીંગ ખોટો જ પ્રીન્ટ થાય છે. માટે સુધારીને વાંચવું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.


--

Monday, October 18, 2021

પ્રશ્નો તમારા – જવાબ અમારા

પ્રશ્નો તમારા જવાબ અમારા

 હ્યુમેનીસ્ટ અકેડેમીમાં અભ્યાસ કરતા વિધ્યાર્થિઓ તરફથી કેટકાલ પ્રશ્નો આવ્યા છે. પ્રશ્નો સાથે તેના જવાબ પણ અત્રે આપવામાં આવેલ છે.

() જ્યારે મારાથી પ્રશ્ન ન ઉકેલાય ત્યારે હું ભગવાનને ભરોસે શ્રધ્ધા રાખી વાતને છોડી દઉ છું.આ દલીલના ટેકામાં મહાભારતના એક પાત્ર દ્રોપદીનો પ્રસંગ અને બીજા અન્ય દાખલાઓ રજુ કરવામાં અઅવ્યા છે. સવાલ રજુ કરનાર.જાગૃતીબેન ઠક્કર. અમદાવાદ.

જવાબઇશ્વ્રરનો ખ્યાલ જ માનવીની પ્રશ્નો ઉકેલવાની માનવીય ગ્નાનની મર્યાદાઓમાંથી પેદા થયેલ છે. કેટલા રેશનાલીસ્ટ મિત્રોની એક દલીલ છે કે ઇશ્વરનો ખ્યાલ જ ઘરની દિવાલ પર લગાવેલા ખીલા જેવો છે. જેમ બહારથી આવીને આપણાં કોટ વિ. પેલા ખીંલા પર લટકાવી દઇએ છીએ એવું જ માનવીના પ્રશ્નો ઉકેલવા ઇશ્વરને ભરોસે છોડી દેવા જેવું છે. પરંતુ આજ માનવી જેમ જેમ ગ્નાનવિગ્નાન અને ટેકનોલોજીની મદદથી પોતાની અસલામતીઓ કે અચોક્કસતા પર કાબુ મેળવતો જાય છે તેમ તેમ ઇશ્વરને ભરોસે છોડી દેવાની સમસ્યાઓનું લીસ્ટ ક્રમશ ઘટતું જાય છે. માનવકેન્દ્રી વિચારસરણી જે માનવીના આત્મવિશ્વાસ પર તમામ સમસ્યાઆોના ઉકેલ માટે તેને કટીબધ્ધ બનાવે છે તે બધાને પેલા સમસ્યાળઓ લટકાવાના ખીલાની જરૂર પડતી નથી.  

()  નિયતી,ભાગ્યવિધાતા, વિધિના લખ્યા લેખ, જન્માક્ષરની કુંડળી, અને પ્રારબ્ધ આધારીત નિર્ણયો શું ઇરેશનલ અને બિલકુલ અસત્યો છે. વિક્રમભાઇ વઝિર. પાલનપુર.

 જવાબ. હા. કારણકે માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવિ જન્મસાથે પુર્વનિર્ણીત બિલકુલ હોઈ શકે જ નહી. જો તેનું ભાવિ કે નિયતી પુર્વનિર્ણિત હોત તો તે  એપ કે ગોરીલામાંથી હોમોસેપિયન્સ બન્યો જ ન હોત.શિકારયુગથી માહિતીયુગ સુધી પહોંચવાનો માનવીનો સંઘર્ષ તે તેના ગ્નાન આધારીત સંકલ્પબળનું જ (ડીટરમીનેશન ઓફ હીઝ વીલ) પરિણામ છે. માનવીનું દ્ર્ઢસંકલ્પ બળ જ તેની નિયતિ કે ભાગ્ય ઘડનાર છે. તે માનવ સંસ્કૃતીનું ચાલકબળ છે.

() પરંપરાઓ અને રૂઢી રિવાજોમાં શું તફાવત છે? બંને એક જ છે કે જુદા? દિપક શાહ.

જવાબ. મારા મત પ્રમાણે તે બંને ખ્યાલો જુદા નથી.માનવ જરૂરીયાતોમાંથી તે બધાને સ્વીકૃતી પ્રાપ્ત થઇ છે. પણ તે બધાનો ઐતીહાસીક ઉપયોગીતા ભાર રૂપ બની જાય તો તે ભુલાતી પણ જાય છે. એ પરંપરા હતી કે કોઇપણ જમણવારના પ્રસંગમાં બધા જમીન પર પાટલાપર બેસીને જમવા બેસતા હતા. તે પ્રમાણે પિરસવામાં આવતું હતું. હવે બુફે નો રિવાજે કેટલી શાંતીથી, સરળતાથી પેલી નીચે બેસવાની પ્રથાને મૃતપાય બનાવી દીધી.

() નોંધ. માનવવાદ અને માનવતા બંને વિચારો અંગે આપણા અભ્યાસક્રમનો એક સ્વતંત્ર વિષય રાખ્યો છે. આ વિષય પર રજુઆત ચોક્ક્સ  યોગ્ય સમયે  થશે. પ્રશ્ન નં ૪શું માનવવાદના મુળમાં માનવતા છુપાઇે ખરી? રૂસ્તાગ બોરીસા.

જવાબમાનવતામાં એક મદદ કરનાર હોય છે જેની પાસે છે. તે જેની પાસે નથી તેને મદદ કરે છે. જ્યારે માનવવાદમાં માનવીઓ એકબીજા સાથે સહકાર કેળવી. કામ કે શ્રમની વહેંચણી કરીને કુદરતી કે અન્ય જૈવીક સંઘર્ષ સામે પોતાનું જીવન ટકાવી રાખે છે, વિકાસાવે છે. આ પાયાનો તફાવત બે વચ્ચે છે. માનવતામાંથી લાંબે ગાળે ધર્મઆધારીત જીવન પધ્ધતિ અસ્તિત્વમાં ઉદ્ભવે છે કે સર્જન પામે છે. જ્યારે માનવવાદ માનવીને લાંબેગાળે પોતાના આત્મવિશ્વાસથી જુની સંસ્કૃતીમાંથી બહેતર સંસ્કૃતી તરફ પ્રયાણ કરવા  તેના પોતાના ભાગ્યનો જ માલિક બનાવે છે. માનવીને દરેક નવી આગેકુચ કે ક્રાંતિનો વાહક બનાવે છે


--