Sunday, February 27, 2022

અમારે ભારતને ફરી સ્વતંત્ર નહીં પણ મુક્ત બનાવવાનું છે.

અમારે ભારતને ફરીથી સ્વતંત્ર નહી પણ મુક્ત બનાવવું છે.

અરે ભાઇ! આપણો દેશ તો સ્વતંત્ર છે, આઝાદ છે, પ્રજાના મતથી ચુંટાયેલી સરકાર છે, સને ૧૯૪૭ પછી અને ૨૦૨૨ સુધી ' આપણા દેશમાં આપણું રાજ્ય નથી તો કોનું રાજ્ય છે?'

(1)     અમારે તો ગાંધી વિચાર મુક્ત ભારત બનાવવું છે.

(2)    અમારે નહેરૂ મુક્ત ભારત બનાવવું છે.

(3)    અમારે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે.

(4)    અમારે નામશેષ વિરોધ પક્ષવાળુ ભારત બનાવવુ છે.

(5)    અમારે બંધારણ મુક્ત ભારત બનાવવું છે.

(6)    અમારે સામાજીક ન્યાય મુક્ત ભારત બનાવવું છે.

(7)    અમારે લોકપ્રતિનિધિ પ્રથા મુક્ત ભારત બનાવવું છે.

(8)    અમારે કોઇપણ પ્રકારની અભિવ્યક્તિ સ્વાતંત્રય મુક્ત ભારત બનાવવું છે.

(9)    અમારે કાયદાના શાસન મુક્ત ભારત બનાવવું છે.

(10) માનવ માત્ર જન્મથી જ સમાન છે તેવા પુર્વગ્રહ મુક્ત  ભારત બનાવવું છે.

(11) રાજ્ય સત્તાનું સર્જન પ્રજાકીય હિત માટે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે.

(12) પ્રજાની વર્તમાન સ્થિતિ માટે રાજ્યકર્તા જવાબદાર છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. ખરેખર તો પ્રજા તેના કર્મો અને નસીબ પ્રમાણે ભોગવે છે.

(13) કુદરતી સંસાધનો (  Natural Resources or nature itself) ના ઉપયોગથી માનવ સુખાકારી વધે છે તે પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે. કુદરતી પરિબળો ને ભજાય, પુજા અને અર્ચના જ થાય!

(14) હેપી વેલેનટાઇલ ડે , હેપી ન્યુ યર, વાળી માનસીકતા મુક્ત ભારતને બનાવવાનું છે.

(15) દેશનું ભાવિ હાર્વર્ડ, બોસ્ટન કે કેમ્બ્રીજ  રિર્ટન થી જ નક્કી થાય એ પુર્વગ્રહ મુક્ત દેશે બનવાનું છે. ખરેખર ભારતનું ભાવિ શાસન કર્તાના હાર્ડ વર્ક થી જ નક્કી થાય છે.

(16) ભારતના આધુનિક મંદિરો  ભાખરા નંગલ ડેમ, રૂરકેલા, ભીલાઇ સ્ટીલ પ્લાન, આઇ આઇ ટી, આઇ આઇ એમ અને જેએનયુ છે , એ બધા પુર્વગ્રહ મુક્ત ભારત બનાવવાનું છે;  ભારતનો સાંસ્કૃતીક સાચો જીર્ણોધ્ધાર કાશી, મથુરા અને અયોધ્યા માં છે. 

--

Saturday, February 26, 2022

Hindutav & Naxlites

Hindutav & Naxlites

નક્ષલવાદ એક વિચારસરણી તરીકે શું છે તે સમજવાની કોશીષ અગાઉના લેખમાં કરી. મિલકતની વહેંચણી અને માર્કસવાદી અર્થશાસ્રના આધારે શસ્રો અને હિંસાનો ઉપયોગ કરીને નવી રાજ્ય વ્યવસ્થા પેદા કરવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા કરી હતી.

આર એસ એસ,તેના સંચાલીત અસંખ્ય સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી પોતે પણ વ્યુહાત્મક અને વૈચારીક રીતે સ્પષ્ટ છે કે ભારતમાં અમારો આખરી ધ્યેય હિંદુ રાજ્યની  સ્થાપના કરવાનો છે. હિંદુ રાજ્યનું વૈચારીક મોડેલ મનુસ્મૃતિ અને વર્ણવ્યવ્સ્થા આધારીત દેશના તમામ નાગરિકોના સંબંધો નક્કી થશે. હિંદુ– વર્ણવ્યવસ્થા સિવાયના કોઇ અન્ય ' ઘર બાહિરે 'નું તેમાં સ્થાન અસ્વીકાર્ય છે. આ વિચારસરણીનો મુખ્ય આધાર સ્તંભ ' જગત મિથ્યા ને બ્રહ્મ સત્ય ' છે. જે હકીકત, ભૌતીક કે વાસ્તવિક છે તે માયા છે ને જે કાલ્પનિક, આભાસી છે ,ઇન્દ્રીયાતીત છે તે સત્ય છે. વધુમાં શરીર નાશવંત છે આત્મા નહી. વર્તમાન જન્મ, પુર્વજન્મના કર્મો, ને પુનર્જન્મ, આ બધુ વર્તુળ આકારે અનંતકાળથી ચાલ્યું આવે છે. ટુંકમાં આ અમારુ હિંદુ વૈચારીક મોડેલ છે. તેને અસ્થિર કરવાના પ્રયત્નો સદીઓથી ,લોકાયન, ચાર્વાક, ગૌતમબુધ્ધ  અને છેલ્લે આંબેડકર વિગેરેએ કર્યા છે.પણ અમે તે પ્રયત્નોને સફળ થવા દેતા નથી.

શું ભારત એક દેશ તરીકે હિંદુત્વવાદી નક્ષલવાદનો શિકાર બની ગયું છે? હા, તો કેવી રીતે?

ઉપરના લેખની ચર્ચામાં આપણે નક્ષલવાદની તમામ વ્યવસ્થા પરિવર્તન માટે ની વિભાવના સમજી ગયા છે. નક્ષલવાદ એક વિચારસરણી તરીકે લોકશાહી મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બંધારણીય નૈતીકતા, બંધારણીય રાષ્ટ્રવાદ, વૈજ્ઞાનીક અભિગમ, સત્તા અને નિર્ણયોના વિકેન્દ્રીકરણમાં બિલકુલ વિશ્વાસ ધરાવતો નથી. તે લોકભાગીદારીથી નાગરિકો પોતાનો વિકાસ કરી શકે છે તેમાં વિશ્વાસ નથી. તે કાયદાના શાસન તથા બંધારણીય દ્રારા વિકસીત ન્યાયતંત્રમાં વિશ્વાસ ધરાવતા નથી. નક્ષલવાદીઓના વર્તનમાં સતત અહેસાસ થાય છે કે હિંસા  દ્રારા રાજ્યનો  કબજો મેળવી શકાય છે. હિંસા અને સત્તાના ભયથી પ્રજાને નિયંત્રણમાં રાખી શકાય છે. તેમના નેતાએ કે તેમની પ્રવૃત્તીઓને સંચાલન કરતી ટોળકીના નિર્ણયો અપરિવર્તનશીલ, ચર્ચા કે સંવાદથી પર અને ઉપરથી નીચે તરફ (TOP – DOWN) સભ્યોએ કે કેડરે પોતાની વિવેકશક્તિ કે નવા જ્ઞાન કે માહિતીનો ઉપયોગ કર્યા સિવાય લશ્કરી શિસ્ત પ્રમાણે માત્ર અમલ જ કરવાનો હોય છે.

 હવે આપણે દેશના હિંદુત્વવાદીઓ અને તેમની વિચારસરણી કઇ રીતે નક્ષલવાદથી જુદી  નથી તેનો તટસ્થ અભ્યાસ કરીએ.

(1)  હિંદુત્વવાદીઓનું એક નંબરનું દુશ્મન દેશની લોકશાહી સમાજ અને રાજ્ય વ્યવ્સ્થા છે.  સને ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક વ્યવસ્થા અમલમાં આવી છે તે વચગાળાની અને હંગામી છે. તે તંત્રનો એકવાર કબજો મળે પછી શામ. દામ. દંડ અને ભયનો ઉપયોગ કરીને પછી તેમનું ધ્યેય કે સ્વપ્ન દેશને હિંદુ રાષ્ટ્ર માં રૂપાંતર કરવાનું છે.

(2)  પ્રજાસત્તાક,સાર્વભૌમ,ધર્મનીરપેક્ષ, અને દરેકને બંધારણીણ સમાનતા બક્ષતું રાજ્ય ન જોઇએ.

(3) દેશની તમામ રાજકીય, સામાજીક, આર્થીક,શૈક્ષણીક, વહીવટી, ન્યાયીક વ્યવહારો મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત હોવા જોઇએ. રાષ્ટ્ર ધ્વજ તિરંગો ન જોઇએ પણ ભગવો ઝંડો લહેરાવો જોઇએ.

(4) લોકશાહીનો મુળભુત અને પાયાનો ખ્યાલ માનવ માત્ર સમાન છે તે  હિંદુત્વને માન્ય નથી. હિંદુ રાજ્ય વ્યવસ્થામાં સ્રીઓએ ફક્ત બે કામ કરવાનાં છે. રાષ્ટ્ર માટે બાળકો પેદા કરવાના અને ઘરમાં જ રહીને હિંદુ સંયુક્ત કુટુંબ વ્યવ્સ્થા અને તેના આધારીત  નૈતીક જીવન જીવવાનું છે, વ્યવહારો કરવાના છે.સ્રીઓએ ઘરની બહાર કોઇપણ પ્રવૃત્તી કરવાની નથી. રાજા રામ મોહનરાય, મહાત્મા જ્યોતિબા ફુલે ને સાવિત્ર બા ફુલેના સંદેશાઓ હિંદુ વર્ણવ્યવસ્થાના સ્ટીમરોલર સામે કિસ ગિનતીમેં !

(5)   છેલ્લા આશરે ૭૫ વર્ષોથી સતત બંધાતા આવેલા  પ્રજાસત્તાક પીરીમીડને  યેનકેન પ્રકારે અમારે જમીનદોસ્ત કરવાનો છે. તે માટેની કોઇ સાધન શુધ્ધી અમને માન્ય નથી.પેલા માઓવાદી નક્ષલવાદીઓની પ્રવૃત્તી ' સત્તા બંદુકના નાળચામાંથી નીકળે છે તે માન્ય છે. અમાન્ય નથી.'  તે માટેના અમારા પ્રેરક બળો હીટલર, મુસોલિની ને માઓ વિ છે. મનુસ્મૃતી અને વર્ણવ્યવ્સ્થા આધારીત ઉંચનીચ અને અસમાન  સમાજ પેદા કરવામાં અમારે ક્યાં દાણી છુપાવવાની છે.

(6) હિંદુ રાજાશાહીમાં, જેમ સમાજની બચત ફક્ત રાજાઓ, જમીનદારો, શાહુકારો,અને અમીર ઉમરાવો પાસે કેન્દ્રીત હતી તેમ વર્તમાનમાં અમારી રાજ્ય સત્તાનો ઉપયોગ અદાણી– અંબાણી જેવા  મુડીવાદી કોર્પોરેટ અને રાજ્ય પ્રેરીત ધર્મસંસ્થાનોમાં એકત્રીત હશે. જ્યારે પ્રજા પાસે તે બધાના સ્થાપિત હિતો સાચવવા ભૌતિક શ્રમ સિવાય કોઇ જાતની બચત જ ન હોય  તે પ્રમાણે નીતીઓ તૈયાર કરવા અમારુ નીતી આયોગ તૈયાર છે.એક સમયે નીતી આયોગના ટોચની કક્ષાના સક્ષમ અધિકારીએ ખુલ્લે આમ જાહેર કર્યુ હતું કે  દેશના નાગરીકોને કેટલી સ્વતંત્રતા જોઇએ છીએ? દલિતો, આદિવાસીઓ,ઓબીસી,ઇબીસી, સ્રીઓ, લઘુમતીઓ અને તમામ આધુનીક શિક્ષણ લઇને પશ્ચીમી ભૌતીક–કમ ભોગવાદીનું સ્થાન અમારા ઉપર પ્રમાણેના હિંદુ રાજ્યમાં ક્યાં હોય તે પુના– ભીમા –કોરેગાંવ– વાળા  ત્રણ ચાર વર્ષોથી જેલમાં સબડતા કર્મશીલોને પુછી જુઓ? હિંદુત્વ સામેના વિરોધનો અંજામ તમે ન સમજો તો તમારાં નસીબ!

(7) અમારૂ મિશને હિંદને વૈદીક સમયના જ્ઞાન–વિજ્ઞાન, તબીબીજ્ઞાન, ખગોળશાસ્ર્ આધારિત તમામ માહિતીઓને સજીવન કરીને તેના આધારીત દેશના વર્તમાન યુવા ધનને પલોટવાનું રહેશે.

(8) હિંદુ ધર્મ સિવાય વર્તમાન તમામ ધર્મોની લઘુમતીઓને બીજી કક્ષાના નાગિરીકો ગણીને તેમની સાથેનો વ્યવહાર કરવા –કરાવવામાં આવશે. ' અમે ભારતના લોકો' એ બંધારણના આમુખની પહેલી લીટીના પ્રથમ શબ્દોને ખાસ તૈયાર કરવામાં આવેલી ' ટાઇમ કેપસ્યુલ' સાથે ભવિષ્યની પેઢીઓને ક્યારેય હાથ ન લાગે તે રીતે દાટી દેવામાં આવશે.

(9) હિંદુ વિચારસરણી આધારીત તમામ પ્રવૃત્તીઓના પ્રચાર પ્રસાર માટે,તેના ફંડ ફાળા માટે પરદેશ સ્થિર હિંદુ– એન આર– આઇ, પશ્ચીમી સંસ્કૃતીના રંગે રંગાઇને ભોગવાદી ન બની જાય, વટલાઇ ન જાય  તે પહેલાં તે બધાના કબીલા અને ટોળીઓ બનાવી સંગઠીત કરી દઇશું. કારણ કે તે બધી દુજણી ગાયો છે. તે પહેલાં તેવા પ્રથમ જનરેશન એન્ડ કુંપનીને, તેની માદરે વતનની ઓળખ સતત સતેજ રહ્યા કરે માટે  મા ભારતીને ત્યાંથી મોરારીદાસ, પ્રમુખ સ્વામીઓ, શ્રી શ્રી, પુ પુ ધુધુ, તથા પાડુંરંગ, ગાયત્રી વિ. ના વેપાર કરનારાને બિનરોક આ બધા દેશોમાં મોકલ્યા કરીશુ. ભારતમાતાના દેશમાંથી પોતાના મુળીયા ઉખડી ગયેલાઓને (Socially Rootless) માનસિક સથવારો આપવા અને અપાવવાનો પેલા વીઝિટર વિઝા પર આવેલા પેલા પવિત્ર પુરૂષોને ધંધો હશે. જે એકલતા, અતડાપણું, પશ્ચીમી સમાજમાં વેગળાપણું, જુદાઇ જે વ્યક્તિવાદ પેદા કરે છે તેમાંથી બચાવવાની કંઠીઓ, માળાઓ અને જુદા જુદા આડા ઉભા ટીલાં ટપકાં વહેંચીને દુર કરવામાં આવશે.

(10)                    માતૃભુમીને હિંદુત્વ આધારીત સાંસ્કૃતિક પુન;ઉધ્ધાર માટે (For  Cultural Hindu Revivalism) ડોલરીયુ ધન, વિશ્વના બધા દેશોમાંથી જુદી જુદી હિંદુધર્મ પુરસ્કૃત સંસ્થાઓના લેબલ લગાડી મોકલી આપીશુ. મોદીજી, તમે બાકીની દેશની સાચા અર્થમાં માનવ કલ્યાણ કરતી સંસ્થાઓને ડોલરીયુ ધન ન મળે માટે ' ફોરેન રેમીટન્સ કાયદો કરીને બંધ કરાવી દો. કારણકે આપણે એ પણ જોવાનું છે કે જો બાંસ ન રહે, તો ફિર બાંસુરી કૈસે બજેગી!

(11)                    આ પ્રોજેક્ટને અમલમાં મુકવા અમારા ચુનંદા સ્પોક-પર્સન્સ તાજતરમાં હરિદ્રારની ધર્મસંસદના એક ભગવા કપડાં પહેરલા બાવાએ લઘુમતીઓનું કેટલી સંખ્યામાં નિકદંન કરવું પડશે તેની સંખ્યા આપેલી છે, અથવા તો અમેરીકાના ભુતપુર્વ પ્રમખ  ટ્રમ્પની વિદાય સમયે જ દિલ્હીથી એક ભગવા કાર્યકરે જાહેર કરેલું કે ' ગોલી મારો.... દેશ કે ગદ્દારો ને.

(12)                    ઉપરની ચર્ચા પરથી તારણ નીકળશે કે  માઓવાદી નક્ષલવાદ ખુલ્લા હિંસક સંઘર્ષની પ્રવૃત્તીઓ કરે છે, જ્યારે હિંદુત્વવાદીઓ ફુંક મારીને કેવી રીતે કરડાય તેમજ સમય આવે સીધો જ ઝેરી ડંખ કેવી રીતે વપરાય તેમાં પણ નિપુણતા મેળવી લીધી છે.

(13)                    હિંદુત્વ આધારીત રાજ્ય વ્યવસ્થા ઉભી કરવામાં સહકાર આપવો કે તેની સામે સંઘર્ષ કરવો તે મારે અને તમારે નક્કી કરવાનું છે.

(14)                    આજના ઇ. એકપ્રેસના સ્ટોપ પ્રેસ ન્યુઝ– પ્રતિવર્ષે દેશમાંથી ફક્ત આઠ લાખ વિધ્યાર્થોઓ ઉચ્ચશિક્ષણ લેવા ૪૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને પરદેશ જાય છે. જેમાંથી મોટાભાગના જે તે દેશમાં જ સ્થાયી થઇ જાય છે.

 મેરા ભારત મહાન.. આત્મનિર્ભર ભારત ઝીંદાબાદ.

 

 


--

Friday, February 25, 2022

પેલા માઓવાદી નક્ષલવાદી....

પેલા માઓવાદી નક્ષલવાદી. રાહુલ ગાંધી વાળા અર્બન નક્ષલવાદી અને અમે હિંદુત્વવાદી પણ નક્ષલવાદી.

 નક્ષલવાદ એક હિંસક રાજકીય વિચારસરણી તરીકે ઓળખાય છે. સદર વિચારસરણી લોકશાહી, બંધારણીય માર્ગે તથા અહિંસક પરિવર્તનમાં વિશ્વાસ ધરાવતી નથી. માઓવાદી નક્ષલો માને છે કે  " ક્રાંતિ બંદુકના નાળચા કે બેરેલ ( હિંસા) માંથી જ નીકળે છે. અથવા શક્ય છે. ભારતમાં માઓવાદી નક્ષલો ખાસ કરીને છત્રીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્, આંધ્ર અને તેલંગણાના જુદા જુદા જીલ્લાઓમાં સક્રીય હતા. ક્રમશ તેમની વર્ષવાર હિંસક પ્રવૃત્તીઓમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. તેમનું વૈચારીક પ્રેરકબળ ભારતના ગામડાઓમાં પ્રવર્તમાન અસમાન જમીન માલિકીના સંબંધો છે. આ ઉપરાંત આ બધા રાજ્યોમાં આદીવાસીઓને  પોતાની ભુમિમાંથી વિકાસને  નામે વિસ્થાપિતો બનાવી દેવામાં આવે છે. જમીનના  મુળ માલીકોને  જમીન વિહોણા બનાવતાં માઓવાદીઓ નક્ષલવાદ આધારીત હિંસાકત્મક માર્ગો દ્ર્રારા જમીન માલીકો પાસેથી જમીન પરત અપાવવા જે હિંસક–રાજકીય પ્રવૃત્તીઓ કરે છે તેને માઓવાદી નક્ષલવાદ તરીકે ઓળખવામાં આવે છે. કારણકે ચીન જેવા એક જમાનાના ખેતી પ્રધાન દેશમાં માઓત્સે તુંગે સને ૧૯૪૮માં જમીન વિહોણા ખેડુતોને હથીયારો આપીને, ચીનના સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે હિંસક ક્રાંતિ દ્રારા સત્તા પલટો કરાવ્યો હતો. અને જમીનદારી પ્રથાનો કાયમ માટે અંત લાવ્યા હતા. ભારતમાં માઓવાદી–નક્ષલવાદીઓ છેલ્લા ચાર પાંચ દાયકા કરતાં વધારે સમયથી આ જીલ્લાઓમાં જમીન વિહોણા અને વિસ્થાપિતોને મદદ કરીને હિંસક પ્રવૃત્તી દ્રારા આધુનીક રાજ્યને ઉથલાવવાની કોશીષ કરે છે જે હજુ સુધી સફળ થઇ નથી.

તાજેતરમાં સંસદમાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની આર્થીક નીતીઓની ટીકા કરતાં જણાવ્યં હતું કે દેશમાં દસ ઉધ્યોગપતિઓના હાથમાં પચાસ ટકા ઉપરની મિલકત એકત્ર થઇ ગઇ છે. છેલ્લા સાત વર્ષોના મોદી સરકારના વહીવટમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરનારી વસ્તીની સંખ્યા કુલ વસ્તીના આશરે ૨૩ ટકા થઇ ગઇ છે. દેશમાં નાના–અને મધ્યમ સ્તરના ઉધ્યોગો તથા અસંગઠિત આર્થીક ક્ષેત્રોની હાલત ખુબજ દયનીય બની ગઇ છે. આ માહિતી સંસદ સમક્ષ સરકારના નીતી આયોગે પ્રકાશિત કરેલા આંકડાઓને આધારે  રજુ કરેલ છે.

વડાપ્રધાન મોદી પાસે તે આંકડાકીય સત્યને પડકારવા કોઇ વ્યાજબી દલીલ ન હોવાથી એક ભયંકર જુઠ્ઠાણું સંસદમાં સમક્ષ રજુ કર્યુ. " રાહુલની કોંગ્રેસપાર્ટી વાળા બધા અર્બન નક્ષલ છે. " હવે  આ જુઠ્ઠાણા સામે રાહુલ અને તેની પાર્ટી સાબીત કરે કે કેવી રીતે તે બધા અર્બન નક્ષલ નથી.

વિશ્વમાં કાર્લ માર્કસના વિચારો પર કોઇ ક્રાંતિ થઇ નથી. રશિયામાં સને ૧૯૧૭ અને ચીન માં સને ૧૯૪૮માં જે સામ્યવાદી ક્રાંતિઓ થઇ છે તે  ઔધ્યોગીક રીતે પછાત દેશોમાં અને સંગઠીત ઔધ્યોગીક મજુરોના ( પ્રોલોતેરીયટ) (અર્બન નક્ષલોની) ગેરહાજરીમાં થઇ હતી. માર્કસની ક્રાંતિનો વાહક તો આધુનીક શહેરોના ઔધ્યોગીક મજુરો હતા.  ભારતમાં બેરોજગાર કે રોજગાર ઔધ્યોગીક કામદારોના કોઇ સંગઠીત અન હિંસક બળવો કરી વર્તમાન મોદી સરકારને  ઉથલાવી શકે તેવા કોઇ સંગઠનો હોય અને તેની નેતાગીરી કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી પાસે હોય, અને તે બધા કાર્લ માર્કસની ભાષામાં સર્વહારા હોય તો તે બધાને રાજ્યશાસ્રના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલ તરીકે ભણાવવામાં આવે છે. આ વડાપ્રધાન મોદી કઇ યુની. ના રાજ્યશાસોના અભ્યાસક્રમમાં અર્બન નક્ષલની વિભાવના ( Political Concept) શીખ્યા હશે તે તો તેમને ખબર છે. પણ ગુજરાત યુની. ના તે સમયના એમ એ.રાજ્યશાસ્રના પ્રોફેસરો મારા નજીકના મિત્રો હતા અને છે. અને તેમની બૌધ્ધક નિપુણતાથી હું પુરો માહિતગાર છું. આ મુદ્દે કદાચ એવું હશે કે સત્તાની સાથે બેફામ અને બેજવાબદાર બોલવાનો આ વડાપ્રધાનનો ઇજારો થઇ ગયો લાગે છે. હવે તે વાયરસ તેમના સાથીદારો અને  પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સુધી પહોંચી ગયું છે.

બે દિવસ પહેલાં જ ઇન્ડીયન એક્સેપ્રેસના તંત્રી એ પોતાના તંત્રી લેખમાં દેશના વડાપ્રધાનન મોદીને વિનંતી, ચેતવણી અને પોતાના પદ અને ગરીમાને શોભે નહી છાજે તેવી ભાષા બોલવાથી દુર રહેવા ખાસ વિનંતી કરી હતી. આ ટીકા સદર અખબારના તંત્રીએ મોદીએ ' ગુજરાતમાં સાયકલપર  બોમ્બ મુકીને જે હીંસા કરનારાઓને  ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી, તે સંદર્ભનો ' મારી મચેડીને ' ઉ. પ્રદેશની ચુંટણીમાં સમાજવાદી પક્ષના ચુંટણી પ્રતિક સાયકલ હોવાથી તે પક્ષ અને તેના નેતા અખિલેશ યાદવ આતંકવાદના ટેકેદારો છે. આવું આક્ષેપ , આ મોદી સિવાય બીજું કોણ કરી શકે?

ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ શું ટીકા લખી છે તે તેના મુળ સ્વરૂપે જ સમજવાની કોશીષ કરીએ.   પ્રથમ તંત્રી લેખના મથાળાને સમજીએ.

" PM's linking SP's poll symbol cycle, to vehicle used for bombs tars and disrespects the opposition".

" In a democracy disrespect shown to the opposition can end up, becoming disrespects to people's right to chose to democracy itself. For a campaigner of the PM's stature to loose sight of these vital distinctions, in the heat of election battle is dispiriting and disheartening."

ભાવાનુવાદ– ભાઇ! વડાપ્રધાનની કક્ષા ધરાવતા સન્માનીય વ્યક્તીએ ચુંટણીના ઉત્તેજીત વાતાવરણમાં પણ લોકશાહી રાજ્યવ્યવસ્થામાં વિરોધપક્ષ અને તેના ચુંટણી પ્રતિક પ્રત્યે આવી નારાજગી બતાવવી 

એ તો ખરેખર તેઓને લોકોને લોકશાહી રાજ્ય વ્યવસ્થા પસંદ કરી છે તેનો અણગમો કે નારાજગી છે એમ જ સાબિત કરે છે. આવું વલણ તો ખુબજ હ્રદય દ્રાવક( Disheartening) અને સમગ્ર લોકશાહી વ્યવ્સ્થાને વેરવિખેર( Dispiriting) કરનારુ છે. ( હિંદુત્વવાદી નક્ષલવાદની ચર્ચા આવતી કાલે.)


--

Saturday, February 19, 2022

મને અંધારા બોલાવે– મનીષી જાની

 મને અંધારા બોલાવે– મનીષી જાની.

આપણી પાસે ગુજરાતી  સાહિત્યમાં એક વિચારપ્રેરક પુસ્તક પરિપક્વ વિચારક પાસેથી મલ્યું છે.ખરેખર આ પુસ્તક તેમના જીવન વિકાસની એક તવારીખ સમાન છે. પુસ્તકના મથાળામાં કવિની વૈચારીક પ્રતિબધ્ધ્તાને કારણે પુસ્તકના પ્રેમમાં પડી જવાય તેવું છે. 'મને અંધારા બોલાવે' એ શબ્દ પ્રયોગ આપણને કવિ તરફથી એક વિચાર સંદેશાનો તણખો (એક સ્પાર્ક) મોકલે છે.

' મને અંધારા બોલાવે છે' તેનો અર્થ ખુબજ નિસ્બત ધરાવતો વ્યાપક છે. જ્યાં જ્યાં માનવ સમસ્યાઓ છે, ખાસ કરીને શોષણ, અન્યાય ને ભેદભાવને પોષક વર્તન અને વિચારો છે ત્યાં મનીષીનો સંઘર્ષ સ્વાભાવીક હોવાનો. બીજું તે ઘણા વર્ષોથી નવા ઉગતા લેખકો, કવિઓ નિબંધકારો ને વાર્તાકારો માટે એક ગુજરાત લેખક મંડળ કરીને સંસ્થાના પ્રમુખ છે. સદર સંસ્થા નવોદિત લેખકોને એક માનસીક આત્મવિશ્વાસ પેદા કરવાનું સતત સિંચન કર્યા કરે છે. તેઓનું તારણ છે કે સર્જક જન્મતા નથી પણ બને છે. સર્જકતા એ કોઇ ઘરાનાની પેદાશ નથી. કોઇ જાતિ કે સામાજીક સ્તર વિશેષની જન્મગત પેદાશ નથી. વ્યક્તિ ને સમાજની સમસ્યાઓના બૌધ્ધીક પૃથ્થકરણના મથામણમાંથી મનીષીની પ્રતિબધ્ધતા અંધારાઓને ઉલેચવા ઉજાગરા કરે છે.  તેવો સંદશો નવોદિત લેખકોને મનીષીનો છે.

નીરવ પટેલ અને સરુપ ધ્રુવ ના કેટલાક નિરિક્ષણો સાથે પુસ્તકની કવિતાઓનો સીધો આસ્વાદ લઇએ. પણ શરૂઆત તો મનીષી થી જ કરીએ.

"  આવા માહોલમાં અમારે અભિવ્યક્તિ કરવાની હતી.

 અમારે અમારી જાતે  દિશાવિહીન વાતાવરણમાં દિશા નક્કી કરવાની હતી..

...હું લડત લડનારો માણસ છું,કોઇ લડાવે એટલે લડનારો નહી. હું લડનારો માણસ છું..

 કોઇ કાંકરીચાળો કરે ને સામે પથ્થર ફેંકું એવો લડનારો હું નથી.

 કોઇ નફરતથી બૉમ્બ ફેંકે ને એના ઘરમાં બૉમ્બ મૂકું એવો લડનારો હું નથી.

 હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.

હું લડનારો છું, હું માણસ છું." મનીષી પાનું ૨૦.

મનીષી જાનીની કવિતા એટલે  સામ્ર્પતની કાળી મીંઢ દીવાલોને ભાંગવા બુલંદ બનેલો એક મુક્કીઉછાળ અવાજ....   

દુધ– દહીંમાં તે કેવી મઝા?  મઝા જ મઝા,

 દુધ –દહીમાં છબછબીયાંની કેવી મઝા....

કવિતાની અભિવ્યક્તિ પર કવિનો ભરોસો જુઓ;

" હું કવિતાની પીઠ પર ઉભો ઉભો કવિતાની કરોડરજ્જુની તાકાતને અનુભવતો હતો;

 હું નીચે ઉતર્યો, કવિતાની આંગળI પકડતાં કહેવા માંડયુ ;

કવિતા તારી કરોડરજ્જુ મજબુત છે. કવિતા તને સલામ... ( ૨ માર્ચ વિશ્વકવિતા દિવસ)

 મનીષી રેશનાલીસ્ટ પણ ખરા ; એમની રચનાઓમાં અખાનો મિજાજ શોધવો ન પડે; જેમ કે

" મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે વનવાસમાં વિરાજતા હતા

  ત્યારે  વાંદરાઓ માટે  પ્રોઢશિક્ષણના વર્ગો ચલાવતા હતા.

( કદાચ કથાકાર મોરારીદાસને તે માહિતી નહી હોય! બી. શ્રોફ)

વર્તમાનનો એક બીજો પણ તાતો પ્રશ્ન છે ઇતિહાસ– ઇતિહાસની તોડમરોડ. મનીષી શું કહે છે એના વિશે–

" વર્તમાનને ભુતકાળ બનાવી દેવાનો કેટલાક લોકોનો ધંધો  છે.

 અમોને  ઇતિહાસની ખીચડી બનાવવામાં અને ખવડાવવામાં રસ છે.

 અમોને અમારી બનાવેલ ખીચડીને

 રાષ્ટ્રીય વાનગી બનાવવામાં ને ખવડાવવામાં રસ છે.

 ને ખીચડીમાં રાષ્ટ્ર ઇતિહાસની ખીચડી ને ખીચડીમાં ઇતિહાસ.

" જેમ અડધી આલમને બંધનની બંગડીઓમાં પુરી રખાઇ છે

 એમ જ દેશની લોકશાહીને  બંગડી આકારની પાર્લામેન્ટમાં પુરી દેવાઇ છે.

 મારી પાસે મત છે  લોકશાહી નથી."

 ભુખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની ઉઠાંતરી કરી

 ભક્તો થાળીઓના મંજીરા બનાવી લોકશાહીના ભજનો ભસી રહ્યા છે.

"ગાયને અમે ખાતા નથી

 હા, પણ ગૌચર જમીન અમે  ભચડક ભચડક ચાવી જઇએ છીએ "

 " શું અંધકારનાં પણ ગીત ગવાશે? હા! અંધકારમાં અંધારાનાં યે ગીત ગવાશે." – સરુપ ધ્રુવ. 

કલાને સામાજીક નિસ્બત હોવી જોઇએ એ વાત ઘુંટાતી ચાલી અને સાથે સાથે  સમાજ પરિવર્તન માટે કંઇક કરવું જોઇએ એ વાત પણ દ્ર્ઢ બનતી ગઇ.

 હું ગુના વગરનો ગુનેગાર છું,

મેં લોક સરઘસની આગેવાની કરતું ,

ભડભડતી મશાલનું ચિત્ર દોર્યું

 હું ગુના વગરનો ગુનેગાર છું,,,,,

મધરાતે મધરાતે અંધારે,

આંખ કશું ભાળી શકતી ન હતી ,

ત્યારે  કોયલના ટહુકામાં મેં ક્રાંતિનું ગીત જોયું,

 હું ગુના વગરનો ગુનેગાર છું...

 ઘરમાં ચારેય બાજુ, પુસ્તકો છાપાં ને  પત્રિકાઓના  ઢગલા

ને મા સરસ્વતીદેવીના મૂર્તિ કે ફોટા એકે ય નહી,

 હું ગુના વગરનો ગુનેગાર છું.

પોલીસ પૂછે છે :

 ઘરમાં તેત્રીસ કરોડ દેવ દેવીઓ માંથી એકે ય ના ફોટા કેમ નથી?

કોટ ટાઇવાળા આંબેડકર ને દાઢીવાળા દાદા માર્કસના ફોટા કેમ છે?

હું ગુના વગરનો ગુનેગાર છું.

 હું અંતહીન મુક્ત માનવસાંકળમાં હાથમાં હાથ પરોવી ઉભો છું.

 હું ગુના વગરનો ગુનેગાર છું. ( ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮, વડાપ્રધાનને ખતમ કરવા માટેના કાવતરાખોર ગણાવી દેશભરમાં માનવ અધિકાર માટે ઝઝુમતા  કેટલાક કર્મશીલો– કવિ,પત્રકાર વકીલની ધરપકડ કરાઇ..)

  છે ! મારી પાસે છત્રી છે... વરસાદ નથી..

 મારી પાસે બીજ છે  ખેતર નથી,

 મારી પાસે સુરજ છે આકાશ નથી..

 મારી પાસે મત છે લોકશાહી નથી.

 ડ્રાઉ ડ્રાઉ.  વિજ્ઞાનની પ્રયોગશાળામાં..

 ટેબલની ફરતે ઉભા રહી વિધ્યાર્થીઓ.

ટેબલ પર ખોલીને મુકેલા  દેડકાનું હ્રદય અને મગજ સમજી રહ્યા હતા.

 ત્યાં તો કુવામાંના દેડકાઓએ..

 ટેબલને, વિધ્યાર્થોઓને ઘેરી વળી ડ્રાઉ ડ્રાઉ મચાવી મુક્યું,

 ધાર્મીક લાગણી ડ્રાઉ ડ્રાઉ, જીવ હીંસા ડ્રાઉ ડ્રાઉ,

અને પ્રયોગશાળાનું ટેબલ કાયમ માટે  ઉંધુ પાડી દીધું..

 દીવો.. ઘોર અંધારા .. નથી એની પાસે  તણખો, નથી તેલ,

 કે નથી દિલેરી આગ, ને નથી દિલેરી દાઝ..

હાથમાં દિવેટનાં દોરડાં પકડી દોડયા કરે

 ચારે કોર, ચારે કોર, ડાકલાં ડાકલાં  પડકાર્યા કરે છે:

  મેં દિવો કર્યો, મેં દિવો કર્યો..

 વધુ  સંપર્ક માટે – પુસ્તકનું નામ– મને અંધારા બોલાવે– લેખક–પ્રકાશક. મનીષી જાની, કુલ પાનાં ૧૫૦. સરનામુ– ૨૪/ ૨૪૯, પરિશ્રમ એપાર્ટમેંટ, વીમાનગર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ ૩૮૦૦૧૫. મો. 94270 10011. manishijani@hotmail.com      

 


--

Saturday, January 22, 2022

ઇ – બુકને આવકાર. “ શોષણ અને વૈશ્વીક પ્રવાહો”

 બુકને આવકાર. " શોષણ અને વૈશ્વીક પ્રવાહો" મુરજી ગડા. (1944-2021)

 અભિવ્યક્તી બ્લોગના સાથી ગોવિંદ મારુએ પોતાના ઇબુકના ખજાનામાં એક ખુબજ વિચારપ્રેરક પુસ્તક ઉમેરવાનું પસંદ કર્યુ છે. આ પુસ્તક આપણી હ્યુમેનીસ્ટરેશનાલીસ્ટ પ્રવૃત્તીના ઉદ્દીપક, મુરજભાઇ ગડા દ્રારા સને ૨૦૧૬માં તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલં હતું. આ પુસ્તકને વાંચતા નહી પણ તેનો અભ્યાસ કરતાં લેખકની ખુબજ મુશ્કેલ અને તત્વગ્નાનથી ભરેલા સિધ્ધાંતો ને ગુજરાતી ભાષામાં સરળમાં સરળ રીતે  મુકવાની કળા કેટલી હસ્તગત કરેલી છે તે આપણને સદર ચોપડીનો અભ્યાસ કરતાં આંખે ઉડીને વળગે છે. લગભગ પોતાની મોટાભાગની જીંદગી અમેરીકામાં ગાળી અને તે પણ ટેકનોલીજી અને વિગ્નાન ક્ષેત્રમાં , અંગ્રેજી ભાષામાં. તેમ છતાં તળપદી અને સરળ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો રજુ કરવાની કાબેલીયાત પ્રાપ્ત કરવી તે મુરજીભાઇની એક અનોખી સિધ્ધી હતી.

 જુદા જુદા માનવ સંબંધી પ્રશ્નોને ઉકેલવા, વૈચારીક તત્વગ્નાનના તારણોનો બોજ ઉભા કર્યા સિવાય પણ તે બધા સિધ્ધાંતો સાધન તરીકે ઉપયોગ કરીને પોતાની વાત રજુ કરવામાં મુરજીભાઇએ સર્વોપરીતા કેળવી હતી. તેમના માટે આવી વાત કરવામાં કશી અતિશયોક્તિ નથી.

સદર પુસ્તકમાંથી પસંદ કરેલા કેટલાક પેરાગ્રાફ આપની જાણ માટે

 ()  પરિવર્તનનો ખ્યાલ" આ ઝડપી સામાજીક, સાંકૃતિક અને આર્થીક પરિવર્તન પાછળનું સોથી મોટું પરિબળ રહ્યું છે શહેરીકરણ અને ઘેરબેઠાં મળતી માહિતી... પરિવર્તન મોટા શહેરોથી શરૂ થાય છે, ... જે લોકો ગામડામાં રહે છે એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમા હોય  છે............. ભુતકાળમાં ધાર્મીક, સામાજીક, રાજકીય  વિચારધારા આધારિત પરિવર્તનોએ  લોકોને વિભાજીત કર્યા હતા. વર્તમાન પરિવર્તન પહેલાં કરતાં જુદુ છે. તેની દિશા અને ધ્યેય દુનિયાના એકત્રીકરણ તરફ છે......  કુદરતી વાવાઝોડા સામે જે ઝાડ ઝુકતુ નથી તે મોટા ભાગે  સમુળગુ નાશ પામે છે. પરિવર્તનના આ જબરજસ્ત વાવાઝોડા સામે  જડ અંધશ્રધ્ધા અને અગ્નાન  ટકી રહેશે, ઝુકશે કે સમુળગુ નાશ પામશે તે તો સમય જ બતાવશે........" પાનુથી .

() " અસ્પૃશ્યતા નિવારવામાં ગાંધીજી અને આંબેડકર કે અન્ય કોઇએ જેટલો ભાગ ભજવ્યો છે  તેના કરતાં ઘણો વધારે ફાળો શહેરીકરણનો છે. ગામડાઓમાં હજી મોજુદ અસ્પુશ્યતા, શહેરોમાં ઝડપથી ભુંસાઇ રહી છે. વધતું શહેરીકરણ એ વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતાના અંતની શરૂઆત છે. વધારે પડતા શહેરીકરણના ગેરફાયદા એ જુદો વિષય છે." પાનુ૧૫.

() આ શોષણને અટકાવવાની શરૂઆત પણ નોંધનીય છે. એના માટે શોષણ કરતા વર્ગેના એક ભાગે (કાળા માલીકોના એક ભાગે) પોતાના જ વર્ગના બીજા ભાગ સાથે લોહીયાળ યુધ્ધ કર્યું હતું. અમેરીકન તત્કાલીન પ્રમુખ અબ્રહામ લિંકનની આગેવાનીમાં થયેલા આંતરવિગ્રહમાં ત્રણલાખ કરતાં વધારે અમેરીકન લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

() દુનિયાનું દરેક સામ્રાજ્ય, હારેલી પ્રજાના ગુલામો વડે રચાયુ છે અને વિકસ્યુ છે. પ્રાચીન ઇજીપ્તના ફેરો અને રોમન સામ્રાજ્યથી લઇને હાલના સરમુખત્યારી દેશોની લઘુમતી પ્રજાનું શોષણ આના દાખલા છે. ધીરે ધીરે સરમુખત્યારોનો પણ અંત આવી રહ્યો છે... પાનુ.૧૬.

()  સામાજીક અન્યાયના બે કીસ્સા એવા છે કે જે કોઇ વ્યવસ્થાનું સર્જન નથી. પણ માનવ પ્રકૃતિનો જન્મજાત દુર્ગુણ છે. એક વર્ગ વિગ્રહ અને બીજો છે કૌટુંબિક સ્થળે માળખાકીય અન્યાય અને શોષણ. પુરૂષ પ્રધાન સમાજમાં સ્રીનું નીચું સ્થાન. સ્રીને ત્યાગ અને ક્ષમાની મુર્તિ તરીકે બિરદાવીને તેણીની જરૂરીયાતો અને હક્કોને સિફતથી ઝુંટવી લેવામાં આવ્યા છે. સ્રીઓ માટે નાનપણમાં પિતા,પછી પતિ, અને છેલ્લે દિકરાના આશરે રહેવાનું.......પાનુ૧૭.

() કૌટુંબિક સ્તરે જોવા મળતો એક અન્યાય છે ભારતિય સંસ્કૃતિમાં જયેષઠ પુત્રને મળતું મહત્વ. આને કારણે સંયુક્ત કુટુંબનો બધો કારભાર મોટાભાઇના હાથમાં આવતાં ઘણા વિખવાદ સર્જાયા છે...... મોટાભાઇથી ઉંમરમાં  બે કે ત્રણ વર્ષ નાનો એટલે હંમેશ માટે "નાનો" ગણવો યોગ્ય નથી..... કુંટુંબના સ્તરે જોવા મળતો બીજો અન્યાય છે;  કુટુંબમાં જન્મેલ પ્રત્યે આંધળો વિશ્વાસ અને કુટુંબમાં પરણીને આવતી વ્યક્તિ પ્રત્યેનો અવિશ્વાસ. કુટુંબના તમામ સભ્યોની પ્રમાણિકતા નક્કી કરવા લોહીની સગાઇનો માપ દંડ ભયંકર શોષણખોર અને નિંદનીય છે. ભલે તે અન્યાય સુક્ષમ લાગે પણ તે અન્યાય માળખાગત છે..... પાનું ૧૯.

() ધર્મ અને શાસ્રોને નામે ,દરેક પ્રકારની શોષણ વ્યવસ્થાને વાજબી ઠરાવીને એમને દ્રઢ બનાવવામાં કેટલાક ધર્મોના રખેવાળોએ મોટો ભાગ ભજવ્યો છે. ધર્મે વર્ણવ્યવસ્થાને પોષી છે; પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાએ તેને ટેકો આપ્યો છે. ઉંચનીચના ભેદોને સમર્થન આપ્યું છે. પુર્વ જન્મના કર્મફળની વાતો કરીને, ભય બતાવીને  એમનું શોષણ કરેલ છે..... જ્યાં સુધી કોઇપણ શોષણવ્યવસ્થાને ધર્મની ઓથ છે ત્યાં તેનો અંત લાવવો સરળ નથી. ધાર્મીક નૈતીકતાને નામશેષ કરાવ્યા વિના સામાજીક ક્ષેત્રે માળખાગત શોષણનો અંત લાવવો અશક્ય કહી શકાય તેટલો મુશ્કેલ છે.

ઉપર મુજબના તારણો મુરજીભાઇના સદર પુસ્તકના જુદા જુદા પ્રકરણોના લેખોમાં  આવે છે.

 હું, સૌ મિત્રો, રેશનાલીસ્ટ અને અન્ય વાંચક મિત્રોને પણ વિનંતી કરુ છું કે ઇબુક " શોષણ અને વૈશ્વીક પ્રવાહો " નો વાંચે ને વંચાવે નહી પરંતુ અભ્યાસ કરે ને કરાવે. મુરજીભાઇએ લખેલા આ સિવાયના ત્રણ પુસ્તકો, વિચારવા જેવી વાતો અને માન્યતાની બીજી બાજુ (પ્રકાશિત વર્ષ૨૦૧૫) અને કુદરતને સમજીએ અને છેલ્લુ પુસ્તક શોષણ અને વૈશ્વીક પ્રવાહો (પ્રકાશિત વર્ષ૨૦૧૬) આપણા સૌ માટે એક રેશનાલીસ્ટ વિચારજગત ની રચના કરવા માટે બૌધ્ધીક પાયાની ઇંટ સમાન છે તેટલું ભુલીયે નહી.

ઇ બુકની લીંકથી તમે આ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.
https://govindmaru.files.wordpress.com/2022/01/ebook_56_murji_gada_shoshan_ane_vaishvik_pravaaho_2022-01-22.pdf


--

Saturday, January 8, 2022

અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો વિક્રમસુર


  અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો  વિક્રમસુર પાલનપુર, જાગૃતિબેન ઠક્ક્રર, એડવોકેટ તથા નરેન્દ્ર્ભાઇ શાસ્રી(અમદાવાદ) વિ, એક ચર્ચા શરૂ કરી છેસ. તેના મુદ્દાઓ નીચે મુજબ છે.

વિક્રમ સુરલોકોમાં  ત્યાગ અને સમર્પણ ભાવના અંગે જુદા જુદા ખ્યાલો પ્રવર્તમાન છે. તેની સાથે  સામુહિક સામાજીક કાર્ય ( Collective Welfare) અંગે માનવવાદનો ખ્યાલ પણ સમજાવો.

 નરેન્દ્ર્ શાસ્રીઆ મારો પણ પ્રશ્ન છે. હું આપણા માર્ગદર્શક બીપીન સરને વિનંતી કરૂ છું કે તે સમજાવે.

 જાગૃતિબેન ઠક્ક્રરમાનવવાદના અભ્યાસ ક્રમમાં આપણે જોઇ ગયા છે કે માનવવાદ, માનવકેન્દ્રી વિકાસને  અને માનવ પ્રશ્નોના ઉકેલ લાવી માનવ જીવનને સુખી બનાવવાને મહત્વ આપે છે. એટલે ત્યાગ, સમર્પણ, બલિદાન જેવા ખ્યાલોની વાતો માનવવાદમાં આવતી નથી. કેમ? સામે પક્ષે માનવવાદ કોઇનું પણ શોષણ ન થાય અને સૌ ને સમાન અધિકાર મળે  તેવી વ્યવસ્થા કરે છે. વધારે બીપીન સરને વિનંતી છે તે વિગતે સમજાવે.

ત્યાગ અને સમર્પણના ખ્યાલોને માનવવાદી મુલ્યોને આધારે સમજાવો.

 ઉપરના બંને શબ્દોના અર્થ સામાન્ય માણસની  દ્ર્ષટીએ ધાર્મીક છે. તે વધારે સાચુ છે. તેનો સામાજીક રણકો, માનવ માનવ વચ્ચે મદદ કરવાનો ખ્યાલ કદાચ હોય તો તે મર્યાદિત છે. બીજુ માનવ સહકારથી માનવ જાતનું કલ્યાણ થાય, વિકાસ થાય તે માટેનો આ ત્યાગ કે સમર્પણે બદલે તેમાં વ્યક્તીએ પોતાની સાધન સંપત્તિ કે અન્ય સુખોનુ બલિદાન આપવાનું નિહીત હોય છે. વધુમાં તેમાં જે સંતોષ મળે છે તે વધારે મૃત્યુ પછીના સંદર્ભના કપોળકલ્પિત અંધશ્રધ્ધાઓને પોષનારા છે.

 વ્યક્તિનો કોઇ સામુહિક હિત જેમ કે દેશ, ગ્નાતિ, જાતિ, ગામ કે પ્રદેશ, સંયુક્ત કુટુંબ, કબીલો, ખાનદાન જેવા સામુહિક સામાજીક એકમો માટે ત્યાગ કે સમર્પણને બિરદાવવામાં આવે છે. તમામ રૂઢીચુસ્ત અને પ્રાથમિક અવસ્થામાં જીવન પસાર કરતી સંસ્કૃતીઓમાં વ્યક્તિ સમુહ માટે છે  પણ સમુહ વ્યક્તિ માટે નથી. તેવી માનવ વિરોધી નૈતીક્તા આ ત્યાગ અને સમર્પણના ખ્યાલે આપણને વારસામાં આપેલી છે. જેનું ગૌરવ સાચવવામાં માનવીનો સતત બલી જ લેવાય છે. ઐતીહાસીક સત્ય એ છે કે જે સમાજ માનવના ત્યાગ અને સમર્પણ પર ટકી રહે છે તે સમાજ, દેશ કે પછૌ કોઇપણ સમુહ વિશેષ નિર્બળ, પછાત અને અંધશ્રધ્ધાળુ બની રહે છે. જ્યારે જે સમુહો દા:ત દેશ, સમાજ, શૈક્ષણીક સંસ્થાઓ , ટેકનોલોજીના સંશોધનો વિ, વિ, પોતાના વ્યક્તિગત નાગરીકોને  સર્વાંગી રીતે વિકસાવવા પોતાની સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે તે જ દેશ કે સમુહ સતત ગતિશીલ બની રહે છે. જેનાથી વ્યક્તિ અને સમષટીનું બંનેનું ક્લ્યાણ થાય છે.

 મહાન ગ્રીક તત્વગ્નાની એપીક્યુરસનું એક સરસ વાક્ય  માનવીય નૈતીક્તાને વ્યાખ્યાતીત કરતું યાદ રાખવું જેવુ છે. હું બીજાને મદદ  કરું છું પણ તે દેવોને રીઝવવા નહી પણ તેમ કાર્ય કરવાથી મને આનંદ મળે છે.આવા ત્યાગ કે નૈતીક વર્તનને અંગ્રેજીમાં " Enlightened self interest"  તરીકે ઓળખાય છે જેને ગુજરાતીમાં આપણે તેને પ્રબુધ્ધ સ્વાર્થતરીકે સમજી શકીએ.

--

Wednesday, January 5, 2022

પ્રાર્થના– મીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદ– ભાગ–૨

પ્રાર્થનામીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદભાગ

મીસીસ ટેલરGood Morning Everybody.

  રીકતમે હ્યુમેનીસ્ટ આઇડીયોલોજી કે માનવવાદી વિચારસરણી ધરાવો છો. આ માનવવાદી વિચારસરણી શું છે? માનવવાદ અને માનવતા વચ્ચે શું તફાવત છે?

ટેલરતમામ માનવવાદી વિચારસરણી ધરાવનારા નિરઇશ્વરવાદી હોય છે. જ્યારે કુદરતી આફાત જેવીકે ધરતીકંપ, પાણીનું પુર, રોગચાળો ફાટી નીકળવો, ગરીબાઇ, ભુખમરો વિ. જેવા કામોમાં કોઇપણ જાતના માનવીય તફાવતો જોયા વિના નિ:સહાય ને સહાય કરનારા માનવતાવાદીઓ હોય છે. તે બધા ગોડ બિલીવર્સ હોય છે. પેલા મારા જેવા માનવવાદીઓ કુદરતી આફતમાં માનવતાવાદીઓ સાથે ખભેખભા મિલાવી સંપુર્ણ સહકાર આપતા હોય છે. તફાવત એટલો હોય છે કે કુદરતી આફતોને માનવતાવાદીઓ ઇશ્વર ઇચ્છાનું કે ગોડના ગુસ્સાનું પરિણામ ગણે છે. કુદરતી પરિબળોને  ભજવાના, પુજવાના, કાકલુદી કરવાના એકમો ગણે છે. તમને માહિતી છે  ખરી કે કયા દેશના વડાપ્રધાને રીવરમાં પ્રે કરતો, કપડાં સાથે બાથ લઇને, ફ્લાવર્સ નાખીને  રીવર વોટરને પોલ્યુટ કરી હતી ?  મેં ઐતીહાસીક રીસર્સ કર્યુ તો લગભગ પંદરમી સદીથી જુદા જુદા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા શરૂ થઇ છે. તે ૨૧મી સદી સુધી વિશ્વના લોકશાહી દેશોમાં આ એક જ વડાપ્રધાન તે પણ સૌથી મોટા લોકશાહી દેશનો જે જાતે પોતે રીવરને પોલ્યુટ કરતો વીડયો આખા વિશ્વમાં શેર પણ કરે છે.

સ્ટીવ, રીક, જેફરસન, સીરી, જુલી અને લગભગ બધા જ એકી સાથે બોલી ઉઠયાવેરી વેરી બેડ, અનપાર્ડનેબલ ઇન અવર નેશન. HOW CAN THE  THE NATION'S FIRST PERSON CAN DO SUCH AN ACT?

 ટેલરજ્યારે માનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવે છે.

સીરીઆપણા કેલીફોર્નીયા સ્ટેટમાં ધરતીકંપના આંચકા ઓછા રીચર્ડ સ્કેલના દરરોજ નિયમીત આવે છે. તેથી અહીયાં ન્યુયોર્ક કે શીકાગોની માફક હાઇરાઇઝ બીલ્ડીંગ નથી.આપાણા રાજ્યકર્તાઓએ કુદરતને ભજવાને બદલે તેના નિયમો શોધીનેવિગ્નાન ટેકનોલોજીની મદદ લઇને NO HIGH RISE BUILDING IN OUR STATE નો નિર્ણય કરીને તેના નાગરીકોનું જીવન સલામત બનાવ્યું છે.

રીક અને સ્ટીવ સાથે બોલે છે મધર અર્થના પર્યાવરણને બચાવવા માટે સ્વીડન અને ઇંડીયાની બંને ટીનએજર્સ સ્ટુડન્સ અનુક્રમે ગ્રેટા થુનબર્ગ અને દિશા રવિ સરસ કામ કરે છે.

 ટેલરમાનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવીને પર્યાવરણને બચાવવા માટે વૈશ્વીક પ્રજામત તૈયાર કરે છે. અમે ગ્નાન, વિગ્નાન અને ટેકનોલોજીની મદદથી એવું શોધી કાઢયું છે કે આપણા દેશમાં અર્થ ક્વેક, થંડર સ્ટો્મ, ટોરનીડો, હેવી સ્નો ફોલ વિ. કુદરતી આફતો નિયમીત છે. તે બધાને રોકી શકાય તેમ નથી. આ બધાથી બચવા આપણા નાગરીકોએ ગોડને પ્રે કરવાનો બદલે  તે આફતોની અસરોમાંથી કેવી રીતે નુકશાન ઓછું થાય, જાન હાની ઓછી થાય તેવા તર્કબધ્ધ અને ગ્નાન આધારીત ઉપાયો શોધી કાઢયા છે. We  as the people & the nation never ever bow down against natural or human calamities.

જેફરસનમેડમ ટેલર! આ ચર્ચા પરથી એવું તારણ કાઢી શકીએ ખરા કે  જે પ્રજા અને વિશ્વના દેશો કુદરતી પરીબળોને પુજનારા કે ભજનારા છે તે બધા પ્રમાણમાં માનવ વિકાસની દોડમાં આપણા કરતાં ઘણા પાછળ રહી ગયા છે.

 જુલી–  ટેલર! તમે અમને માનવવાદીઓનો ગોડ અંગેનો ખ્યાલ (Concept)  સમજાવો.

 ટેલરમાનવ જાત જેટલો લગભગ ગોડનો ખ્યાલ જુનો છે. પણ તેની શોધ કરનાર પણ માનવી જ  છે. કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી બચવા, પોતાના તૈયાર થયેલા પાક ને બચાવવા, સારો શિકાર સહેલાઇથી મલી જાય,  વિ. માટે કોઇ તેના કરતાં વધુ શક્તીશાળી શક્તી તે કુદરત. તેને ભજો, પુજો, અર્ચના કરો.

 જેફરસનઆવા કયા કયા કુદરતી પરિબળો છે? જે માનવીના નિયંત્રણ બહાર છે?

ટેલરથંડરસ્ટો્મ હરિકેન, ટોર્નીડો, ધરતીકંપ, દુકાળ, રોગચાળો ફાટી નીકળવો, માંદગી વિ. આ બધા વિનાશકારી પરિબળોની અસરોમાંથી મુક્ત થવા આપણા પુર્વજોએ કાલ્પનીક ગોડનો ખ્યાલને વિકસાવ્યો કે જન્મ આપ્યો છે. આપણા દેશમાં  નેશનલ ફુટબોલ લીગની ' સુપરબોલ' મેચમાં પ્રતીવર્ષે બંને આખરી ફાયનલમાં આવેલી ટીમના જે તે રાજ્યોના નાગરીકો ગોડને પ્રે કરે છે કે તેમની ટીમને વિજેતા બનાવેજે. ગોડ હોય તો તે બે માં થી કયા રાજ્યના નાગરીકોની પ્રે સાંભળીને નિર્ણય કરશે? નિર્ણય કરવામાં કયા કયા પરિબળો ધ્યાનમાં લેશે?

સ્ટીવભલે જુદી જુદી માનવ સંસ્કૃતીઓમાં એક કરતા વધારે ગોડને પીપલ પ્રે કે બીલીવ કરતા હોય પણ મારા મત મુજબ ગોડ એક જ છે. પણ તે આકાશમાં રહે છે.

ટેલરસ્ટીવ! તારો આ ગોડ આકાશમાં રહીને કઇ કઇ પ્રવૃતીઓા કરે છે?

 સ્ટીવપૃથ્વી પરના આપણા જેવા લોકો જે પાપો કરે છે તે બધા તે તેના ચોપડામાં લખે છે. ગોડે એવી સીસ્ટીમનું સર્જન કર્યું છે કોઇ પણ પૃથ્વી પર જન્મેલો માનવી પાપ કર્યા વિના રહે જ નહી. જો તમે અહીયાં રહીને ખુબ પાપો કર્યા હોય તો ગોડના પૃથ્વી પરના તેના એજંટ 'પ્રીસ્ટ' દ્રારા માફ ન કરાવો તો તમે મૃત્યુ પછી ક્યારેય 'હેવન' સ્વર્ગમાં જઇ શકો નહી.

 સીરીમારા મત મુજબ પૃથ્વી પરના માનવીના પાપો સાથે આ બધા ગોડ કે એજંલ્સ ને કોઇ સંબંધ નથી. પૃથ્વી પર માનવીના જન્મ પહેલાં હેવનમાં ચુંટણી થયેલી હતી. ગોડ કે એજંલ્સમાંથી બહુમતીથી જે જીત્યા તે સ્વર્ગમાં રાજ કરે છે. અને પૃથ્વી પરના ખાસ 'ચોઝન CHOSEN' પીપલને  તે સ્વર્ગમાં લઇ જાય છે. પૃથ્વી પર આ બધાએ કરેલા પાપોને તે ધ્યાનમાં લીધા વિના સ્વર્ગમાં વિશિષટ સ્થાન આપે છે. ઘણીવાર તે બધાને લેવા સામેથી આ દેવદુતો લેવા આવે છે.

જેફરસનશમારા ચર્ચના મીનીસ્ટર એમ કહે છે કે  લોર્ડ જીસસે આપણા પાપને ધોવા માટે પોતાની જાતનું બલીદાન આપેલું છે. હવે આપણે અહીંયા પાપ કરીશું તો પણ સ્વર્ગમાં જઇશું.

જુલીતમે માનવવાદી જીસસ અને તેના સંદેશાને સમજો છો ખરા?

............................................................................................................

 

 


--