Monday, June 13, 2022

તમે અમને સાચા રંગે ઓળખવામાં ભુલ કરો તો?

તમે અમને સાચા રંગે ઓળખવામાં ભુલ કરો તો?

અમે તો ખુબજ ગણતરી પુર્વક  " બે પગલાં પાછળ પીછે હઠ કરીએ છીએ કારણકે ભવિષ્યમાં અમારા ધ્યેય ભારતને  ' હિંદુ રાજ્ય'  બનાવવાની દિશામાં ત્રણ પગલાં આગળ તે પણ ઝડપથી લઇ જઇ શકીએ!" અમારો રાજકીય ઇતિહાસ છે કે અમે અમારું થુકેલું ચાટી જઇએ છે, એટલું જ નહી પણ સત્તા માટે બીજા થુંકે તો પણ મે હોંસે હોંસે ચાટી જઇએ છીએ. દા:ત ભુતકાળના ગુજરાતના કોંગ્રેસના એક સમયના નેતા હાર્દીક પટેલના બીજેપીના નેતાઓ અને તે પક્ષ અંગેના જે તે સમયનાં નિવેદનોનો અભ્યાસ કરો!. અમારા આંસુ મગરના હોય છે. જ્યારે કોઇપણ પ્રસંગની અમારી દીલસોજી કે ખરખરો સમશાન વૈરાગ્યથી કમ હોતો નથી.

ચલો! અમારું થુંકેલુ ચાટેલાના ઇતિહાસનો અભ્યાસ કરીએ.

(1)    સને ૨૦૧૫ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે કેન્દ્રની મોદી સરકારે પોતાની સરકારી જાહેરાતમાં ' બંધારણના આમુખમાંથી સમાજવાદ અને સેક્યુલર શબ્દો કાઢી નાંખ્યા હતા.' પાછળથી જાહેરાત કરવામાં આવી હતી કે તેમ કરવામાં સરકારનો કોઇ હેતુ ન હતો. ( Later clarifies that it had no intention of dropping the words)

(2)    એપ્રીલ સને ૨૦૧૮માં મોદી સરકારના મંત્રી સ્મૃતી ઇરાની જેઓ મીનીસ્ટર ઓફ બ્રોડકાસ્ટીંગ અને ઇન્ફર્મેશન હતા.તેઓશ્રીએ ફેક ન્યુઝ પ્રકાશીત કરનાર જર્નાલીસ્ટો પર કેવી કેવી સજા કરવી તેની ગાઇડલાઇન જાહેર કરી.હતી. જેની ખુબજ ટીકા થઇ. બીજે જ દિવસે વડાપ્રધાનના હુકમથી પેલા મંત્રી સાહેબાને તે ગાઇડ લાઇન પરત ખેંચી લીધી હતી.

(3)    ને ૨૦૧૮ના ઓકટોબર માસમાં, મોદી સરકારના મંત્રી એમ. જે અકબર સામે સ્રીઓ સામે જાતીય સતામાણીના હુમલાની ફરીયાદ ઉભી થઈ.પહેલાં સત્તાએ આંખમિચામણાં તેની સામે કર્યા." # Me To Campaign "  ને કારણે એમ જે અકબરને પ્રધાન મંડળમાંથી દુર કરવા પડયા હતા.

(4)     પોતાના સભ્યો સામે મોદી સરકારે વ્હીપનો ઉપયોગ કર્યો.(અ) જાન્યુઆરી ૨૦૧૫માં પોતાના પક્ષના એમ પી સાક્ષી મહારાજે જાહેર કર્યું કે દરેક હિંદુ સ્રીએ ચાર બાળકોને જન્મ આપવો જોઇએ.. પક્ષે તેની સામે શો કોઝ નોટીસ આપી ને તે નિવેદન પરત ખેંચવું પડયું. તે પહેલાં આજ સાંસદે સંસદમાં એટલા માટે માફી માંગવી પડી હતી કે ગાંધીજીના ખુની નથુરામ ગોડસેને દેશભક્તના કહ્યા હતા. (બ) સને ૨૦૧૯માં મધ્યપ્રદેશના બીજેપી સમગ્ર રાજ્યના મીડીયા સેલના વડા અનીલ સુમિત્રાને પક્ષના પ્રથમીક સભ્યપદેથી એટલા માટે કાઢી મુક્યા હતા કે આ સાહેબે એવું ક્હ્યું કે મહાત્મા ગાંધી ' પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ' છે.(ક) સને ૨૦૧૯ના નવેંબરમાસમાં, પ્રજ્ઞા સીંગ ઠાકુરને સંસદની ડિફેન્સ મંત્રાલયમાંથી એટલા માટે કાઢી મુકવા પડેલ કે સંસદ ભવનમાં ગાંધીજીના ખુની નાથુરામ ગોડસેને 'દેશભક્ત' તરીકે નવાજ્યા હતા. (ડ)ડીસેંબર ૨૦૨૧માં તેજસ્વી સુર્યા જે ભાજપની રાષ્ટ્રીય યુવા પાંખના અધ્યક્ષ અને દક્ષીણ બેંગ્લોરની સંસદીય મતવીસ્તારનાચુંટાયેલા સાંસદ છે તેઓશ્રીએ  'ઘર વાપસીં' ( રી કનર્વઝન)અંગે એવી ટીપ્પણી કરી હતી કે  દેશના દરેક મંદિર અને મઠને ' ઘરવાપસી' કરવાની સંખ્યા અથવા ક્વોટા આપી દેવામાં આવે! આ સાંસદ સાહેબનો અતી ઉત્સાહ એટલો બધો કે આપણે ' પાકીસ્તાનમાંથી દેશમાં આવેલ મુસલમાનોની પણ ઘરવાપસી કરવાનું કામ કરવું જોઇએ.'

એવું કહેવાય છે કે અકબારના દરબારમાં અઢાર રત્નો હતા. આપણા મોદી સાહેબના પ્રધાનમંડળમાં અને સમગ્ર પક્ષમાં ઉપર જણાવેલ જેવી કાબેલીયત અને નિપુણતા ધરાવનારા કેટલા રત્નો હશે !

       નુપુર શર્મા અને નવીન જીંડાલ બંને ભાજપના મહત્વના સભ્યોએ મહંમદ પયગંબર સાહેબ અંગે જે ટવીટ કરી છે અને ટીવી મીડીયાએ એક અઠવાડીયા સુધી તે પ્રસારીત કરવાનું દેશભક્તી(?)નું કામ કર્યું છે તે ઉપર જણાવેલ બીજેપી પક્ષના સાંસદો અને હોદ્દેદાર સભ્યોથી કઇ રીતે જુદુ લાગે છે? દેશની તમામ લઘુમતીઓ તથા બહેનોને સજ્જનશીલ કે અસજ્જનશીલ ભાષાઓમાં બીજેપી જે વિશ્વસ્તરપર સૌથી વધુ સભ્યો ધરાવતો રાજકીય પક્ષ હોય કે આર એસ એસ હોય કે પછી વીએચપી કેમ નહોય, આ બધાએ કશુ કહેવાનું બાકી નથી રાખ્યું તે મોદીકાળના આઠવર્ષોની સર્વશ્રૈષ્ઠ સીધ્ધી જ ગણાયને?

        તમે જોયું ને કે મોદીકાળમાં મહાત્મા ગાંધી અને નથ્થુરામ ગોડસે બંને ખભેખભા મીલાવીને કેવી રીતે એક સાથે ચાલી શકે છે.? એક બાજુ ' સબકા સાથ, સબકા વીકાસ, ને સબકા વિશ્વાસ' અને સામે પક્ષે દેશની આશરે વીસ કરોડની વસ્તીની સામે સતત નફરત ને ધ્રુવીકરણનું રાજકારણ ફેલાવીને ક્રમશ સંસદ, વિધાનસભાઓ, શિક્ષણ, રોજગારી અને આરોગ્યની સુવિધામાંથી કેવીરીતે બાદબાકી થઇ શકે છે તેની સાબીતી માટે શું જોઇએ છીએ? હવે, નુપુર શર્મા અને નવીન જીંડાલના કાર્યો કે કુકર્મોએ મોદી સાહેબની દેશમાં છેલ્લા આઠ વર્ષોથી સડસડાટ બે વીરોધી દિશાઓમાં ચાલતા બે ઘોડાપરની ચમત્કારીક બગીને ઘોંચમાં નાંખી દીધી કે પટરી પડતી નીચે ઉતારી દીધી. એક બાજુ વિકાસના સ્વપ્નાનું વેચાણ કરવું અને બીજીબાજુએ  હિંદુધાર્મીક ધ્રુવીકરણની સીડી ઉપર બેસીને નફરત અને ધિક્કારનું વાતવરણ પેદા કરીને  રાજકીય સત્તા અંકે કરી લેવાની રાજનૈતીક વ્યવહારની ગાડી પર બ્રેક વાગી ગઇ.

 ગયા રવિવારે ખાડી દેશોમાં વિધ્યુતવેગે ફરતો હેસટેગ (#)  Boycott Indian Products.આ દેશો આશરે એક કરોડ ભારતીયને રોજગારી આપે છે. અને વીશ્વમાંથી મુળભારતીયો તરફથી મોકલવામાં આવતા નાણાંની કુલ રકમમાં તે પણ અમેરીકન ડોલર્સમાં ખાડીદેશોના ભારતીયની રકમ પચાસ ટકા છે. જે ૩૭ લાખ કરોડ ડોલર્સ વાર્ષીક છે. આજનો ડોલરનો ભાવ એક ડોલર બરાબર આશરે ૮૦ રૂપીયા ગુણાકાર કરશો તો કેલક્યુલેટરની અંદર તેટલા મીંડા પણ નહી દેખાય! મોદીજી એકદમ ચોંકી ગયા કે જો વિકાસનો એજન્ડા દેશની આંતરીક બચત, પરદેશી હુંડીયામણની આવક, દેશના આંતરરાષ્ટ્રીય વેપારની લેણદેણની તુલા અને ઇનફ્રારાસ્ટક્ચર પર આધારીત હોય અને તે ઇમારત જો તુટી પડવાની નોબત આવે તો  " ન બજેગી બાંસુરી જો ન રહેગા બાંસ " જેવી સ્થીતી પેદા થઇ જાય.

      નુપુર શર્મા અને નવીન જીંડાલ જેવા તોફાની તત્વો (Fringe Elements)ની સંખ્યા દેશમાં સને ૨૦૧૪થી એટલે કે જે દિવસે સંસદભવન બહાર માથું ટેકવીને નમસ્કાર કરીને મોદી સાહેબે સત્તા ગ્રહણ કરી હતી તે દિવસથી અત્યાર સુધીમાં ( મે ૨૦૨૨ સુધી) આવા ધાર્મીક ધ્રુવીકરણ અને નફરત ફેલાવનારા ભાષણ કરનારાઓની સંખ્યા, યુ ટયુબ બ્લોગર્સ પ્રિયપ્રસન્ન બાજપાઇના સંશોધન પ્રમાણે તે ફક્ત આઠ હજારથી ઓછી લેશ માત્ર નથી. જે નેતાઓએ આવા ભાષણો આપ્યા છે તેમાં મોદી સરકારના પ્રધાન મંડળના સભ્યો અને બીજેપીના સાંસદો પણ છે. રાજ્યોની વિધાનસભાના સભ્યો ને ભુતપુર્વ રાજ્ય ગવર્નરો પણ સદર લીસ્ટમાંથી બાકાત નથી. સને ૨૦૧૪થી અત્યારસુધી બીજેપીના ટોચના નેતાઓ જે બધા આવી કાબેલીયત ધરાવે છે તેની સંખ્યા ૩૮ છે. દેશ ને વિશ્વ ફલક પર ભારતની સરકાર અને દેશ એટલે મોદી અને તેમનું નેતૃત્વ.( Larger than life) જેમાં બીજેપી, આરએસ એસ ને તમામ સંગઠનો આવી જાય છે.

એક બાજુ ખાડી દેશો અને અન્ય ઇંડોનેશીયા જેવા મુસ્લીમ દેશોમાં ક્રમશ સંગઠીત થતો ભારત વિરુધ્ધનો આક્રોશ કેવું સ્વરૂપ લેશે તેનો નીષકર્શ કાઢવા માટે કસમય છે.બે દિવસ પહેલાં શુક્રવારની નમાજ પછી દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી ને પશ્ચીમ–બંગાળથી શરૂ કરીને ગુજરાતના જુદા જુદા શહેરોમાં મુસ્લીમ જનસમુદાયના વિરોધ પ્રદર્શનોને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી.

            નફરતી ભાષણો, લઘુમતી સામે સતત સંગઠીત હીંસાઓ, બુલડોઝર્સ પ્રેરીત દરેક સરકારોની કાયદો જાળવવાની માનસીકતા, લવજેહાદ, કર્ણાટકની સરકારની હીજાબ, હલાલ, વિ, નીતીઓ, સીએએ, એનસીએ, મોદીજીનું પેલું ગંભીર અને દુ;ખદ નિવેદન ' તે લોકોને તેમના કપડાના લેબાસ કે ડ્રેસ પરથી પહેચાનો' વિ નીતોઓએ જે ચરૂ ઉકળતો રાખ્યો હતો તે બધાને નુપુર અને નવીનજીંદાલની પયગંબર સાહેબ ઉપરની ટીકાઓએ દેશ ને ખાડી દેશોની સરકારો અને મુસ્લીમ પ્રજાઓના વાતવરણને સ્ફોટક બનાવી દીધું છે.

ગાંધીજીએ સને ૧૯૪૨ માં ૯મી ઓગસ્ટે બ્રીટીશરો સામે " ક્વીટ ઇંડીયા" હિંદ છોડો આંદોલન શરૂ કર્યુ હતું . આવતી ૯મીઓગસ્ટ ૨૦૨૨ના દિવસે તેને એંસી વર્ષ પુરા થશે. મોદીજી અને સૌ દેશવાસીઓ ! ચાલો આપણે ભારત તોડોને બદલે ભારત જોડોનું આંદોલન ચોક્કસ શરૂ કરીએ. હીંદુ મુસલમાન જેવી ધાર્મીક વિભાજનકારી ઓળખને બદલે ' અમે ભારતના લોકો' ફક્ત ભારતીય ઓળખને વિકસાવીએ, દેશને મજબુત કરીએ.( સૌ. સન્ડે એક્ષપ્રેસ લેખ A New Red Line નો સારંશ.)

IS IT HOPING AGAINST HOPE! WHAT DO YOU THINK!

 


--

Saturday, June 11, 2022

વૈશ્વીક સ્તર પર ભારતની યુની.ઓની ગુણાત્મક સ્થિતી.

વૈશ્વિક સ્તર પર ભારતની યુનીવર્સીટીઓની ગુણાત્મક સ્થિતી.

વીશ્વની ટોચની ૧૫૦ યુનીવર્સિટોમાં કહેવાતા વિશ્વગુરૂ દેશ ભારતની એકપણ યુનીવર્સીટીનું નામ નહી!. વીશ્વસ્તરની પ્રથમ ૨૦ યુની.ઓ માં પ્રથમ ૯ અમેરીકાની. ઉપરાંત અમેરીકાની કુલ ૨૦૧ યુની. ટોપ વિશ્વસ્તરની. ઇગ્લેંડની કુલ ૯૦ ને ચીનની કુલ ૭૧ યુની. વૈશ્વીક સ્તરની. (With nine universities in global top 20, US continues to dominate QS World University Rankings -Overall, 201 US universities have been ranked in the QS 2023 report, the highest globally, followed by the United Kingdom's 90 and China's 71 universities, News I. Ex dated 9th June 22.)

અમેરીકાની મેસેચ્યુટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT)  વીશ્વની સર્વશ્રૅષ્ઠ પ્રથમ નંબરની યુની. છેલ્લા ૧૧ વર્ષોથી છે. આ દેશની વીશ્વમાં પ્રથમ ૧૦માંથી બીજી ચાર સ્ટેન્ડફોર્ડ (૩), હાર્ડવર્ડ (૫), કેલીફોર્નીઆ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (૬) યુની. ઓફ શીકાગો (૧૦) છે. એક સમયે જ્યારે આપણા દેશમાંથી આરબીઆઇના ગવર્નર ડૉ રઘુરાજન, ઉર્જીત પટેલ, નોબેલ વિજેતા ડૉ અમર્તસેન ( નાલંદા યુની.)વી. હાર્ડવર્ડ, શીકાગો અને યુકેની જુદી જુદી યુની.માં પરત જતા રહ્યા ત્યારે મોદી સાહેબે જણાવ્યું હતું કે " આપણે હાર્ડવર્ડની નહી પણ હાર્ડવર્કની ( સખત પરિશ્રમની) જરૂર છે."

 ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ પ્રમાણે આપણા દેશની બેંગ્લોરની ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસ ૧૫૫ નંબરે આ વર્ષે આવ્યું છે. ગઇસાલ તેનો નંબર ૧૮૬મો હતો.IIT Bombay 172, IIT Delhi 174, IIT Madras 250, IIT Kanpur 264 નંબરો વૈશ્વીક સ્તરની યુનીવર્સીટોઓમાં છે.

વૈશ્વીક સ્તરની એકથી દસનંબરની યુનીં.નો સ્કોર એમઆઇટી નો ૧૦૦ છે યુકેની યુની. ક્રેમબ્રીજ વીશ્વસ્તરમાં બીજા નંબરે છે તેનો સ્કોર ૯૮.૮ છે. ઓક્ષફર્ડ ચોથા નંબરે છે. સૌથી દસમાનંબરનો સ્કોર ૯૩ છે. આપણી બેંગલોર IISC નો સ્કોર ૩૭.૬ છે જેનો નંબર ૧૫૫મો વૈશ્વીક સ્તરપર છે.

ક્યુએસ વર્લ્ડ યુની. રેન્કીંગ સંસ્થાના પસંદગીના માપદંડોમાં –

સદર સંસ્થાએ વિશ્વની કુલ ૧૪૦૦ યુની. ની ૧૦,૦૦૦ માણસોનો સ્ટાફ રોકીને  નીચેના માપદંડો ( Parameters)ના આધારે પોતાનું સંશોધન કરીને તારણો જાહેર કરેલ છે. વૈશ્વીક કક્ષાના જુદા જુદા ૧,૩૦૦૦૦ વિષય નિષ્ણાતોની સેવા આ સંસ્થાએ લીધેલ છે. યુની.ની પ્રતિષ્ઠા બહારના ઔધ્યોગીક જગતમાં નોકરી ને વિષય નિષ્ણાત કારકીર્દીમાં કેવી છે તેનો રીપોર્ટ પણ સંસ્થાએ એકત્ર કરેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં યુની, તરફથી બહાર પાડવામાં આવેલ તમામ બૌધ્ધીક સંશોધન પેપરોની સંખ્યા ને ગુણવત્તોઓને પણ સંસ્થાએ નજરઅંદાજ કરેલ નથી.

આ બધામાં યુની. ઓક્ષફર્ડ યુની. દ્રારા કોવીડ –૧૯ અંગે જે વેકસીનનું સંશોધન કરેલ છે તેની સંપુર્ણ માનવજાત રુણી છે. જેમાંથી ભારતની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયા ' કોવોશિલ્ડ' નામની વેક્ષીનના કરોડો બલ્બ બનાવીને  માનવજાતની સેવા કરેલ છે. (Oxford-AstraZeneca Covid vaccine) બેંગ્લોરના ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયંસે કોવીડ–૧૯ના સમયગાળામાં ઓક્ષીસજન સિલીંડર, વેન્ટીલરટર્સના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં જનહિતાય કક્ષે ઉપલબ્ધ બનાવીને પ્રસંશનીય કામ કરેલ છે. (The research around Covid-19 vaccination, oxygen cylinders and ventilators, among others, has helped startups in healthcare.) બેંગ્લોરની સદર સંસ્થાએ વૈશ્વીક શૈક્ષણીક સ્તરના પ્રતીવર્ષે અઅશરે ૫૫ થી ૭૦ સંશોધન પેપરો બહાર પાડેલ છે. યુની. કોલેજ ઓફ લંડને છેલ્લા પાંચ વર્ષોમાં પંદરલાખ આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધન પેપરો બહાર પાડેલ છે. અમેરીકાની વૈશ્વીક કક્ષાની ટોપની દસમાંથી આઠ યુની. ના દરેક ફેકલ્ટી મેમ્બરે વૈશ્વીકકક્ષાના સંશોધન પેપરો રજુ કરેલ છે. એકલી હાર્ડર્વડ યુની.  છેલ્લા પાંચ વર્ષોમાં ૧,૬૫૨૦૧ રીસર્ચ પેપરો પ્રકાશીત કરેલ છે.

 ઇન્ડીયન એક્ષપ્રેસના પત્રકારે બંગ્લોરની સદર યુની. ને એકજ વર્ષમાં વૈશ્વીક યુની. ના ૧૮૮મા નંબરેથી ૧૫૫નો નંબર એકજ વર્ષમાં પ્રાપ્ત કરવાનું કારણ શું?

સંસ્થાના ફીઝીક્સના પ્રો. અરિદંમ ઘોષનું નિરિક્ષણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મારી સંસ્થાએ  તમામ પ્રકારના બાંધકામથી માંડીને વિધ્યાર્થીઓ, ટિચીંગ સ્ટાફ, સંશોધન માટેની તમામ જરૂરી સાધનો અને સેવાઓ તથા જરૂરી લેટેસ્ટ ઓનલાઇન સુવીધાઓનું માળખું વૈશ્વીક કક્ષાનું લગભગ બનાવી દીધું છે. અમને પ્રોત્સાહીત કરનારી એ હકીકત છે કે મારા યુવાન ફેકલ્ટી મેમ્બર્સે પોતાના સંશોધન પેપરો ખુબજ મોટી સંખ્યામાં પ્રકાશિત કરેલ છે. આ ક્ષેત્રમાં સંશોધનમાં કામ કરતી સંસ્થા ક્યુએસના વડા  શ્રી વીલીયમ બારબેરીનું તારણ છે કે આ બેંગ્લોરની સંસ્થા મારા તમામ માપદંડો દ્ર્રારા મુલ્યાંકન કરતાં ખુબજ યોગ્ય સાબીત થઇ છે. સદર સંસ્થાના સેન્ટર ફોર ઇકોલોજીકલ સાયંસના વડાનું તારણ ખુબજ મહત્વનું છે. શ્રી ટી. વી. રામચંદ્ર્નનનું તારણ છે કે અમારી સફળતાનું કારણ, અમને બધાને સંસ્થા તરફથી  મળતી કામ કરવાની કોઇપણ જાતની દખલગીરી સિવાયની સ્વતંત્રતા, મુક્ત મને આયોજન કરવાની સત્તા અને  તે પ્રમાણે નિર્ણય કરીને અમલમાં મુકવાની સત્તા– જેનું બીજુ નામ સહકારભરી નોકરશાહી વલણ કહેવાય તે છે.(With a cooperative bureaucracy).

ભારતના કે અન્યદેશોનો વિધ્યાર્થોઓએ પરદેશમાં કઇ યુની.માં પ્રવેશ મેળવવો તે માટે આ બધા વાસ્તવીક (Objective) માપદંડો ખુબજ મદદરૂપ થાય તેમ છે.

 (૧) શૈક્ષણીક પ્રતીષ્ઠા કે કીર્તી(Educational Reputation) ER , (૨) વિધ્વતાપુર્ણ પ્રતીષ્ઠા(Academic Reputation AR) (૩) યુની.  વહીવટકર્તાઓની સમાજમાં આબરૂ (Employer Reputation ER) (૪) શૈક્ષણીક સ્ટાફનો વિધ્યાર્થીઓ સંબંધીત પ્રમાણ (Faculty /Student Ratio FSR)(૫)પરેદેશી ટીચિંગસ્ટાફ, પરદેશી વિધ્યાર્થોની યુની.માં કુલ સંખ્યા, ( Foreign Students Faculty & Students ratio ) (૬) પ્રતિવર્ષે યુની. શૈક્ષણીક સ્ટાફ પ્રકાશીત રીસર્ચ પેપરોની સંખ્યા, (Total Research Papers).

અનુક્રમે એમઆઇટી (યુએસએ) કેમ્બીજ (યુકે.) ને આઇ આઇ એસ ઇની યુની ફોટા મુકેલ છે.

 

આપણા દેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ ને સામાન્ય શિક્ષણની શી સ્થિતી છે? મોદી શાસનના સને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીમાં કેન્દ્ર સરકારના કુલ જીડીપી ના ફક્ત ત્રણ ટકાથી ઓછા નાણાં શિક્ષણ માટે વાપરવામાં આવેલ હતા. સને ૨૦૨૨–૨૩ મોદીસરકારે ૨.૬૭ ટકા જીડીપીના શિક્ષણ ક્ષેત્રમા ફાળવ્યા હતા. જ્યારે  માંગણી ૮ થી ૯ ટકા જીડીપી ની હતી.

દેશમાં વિજ્ઞાન, સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે ગ્રાન્ટ આપતી સંસ્થાનું નામ છે યુની. ગ્રાન્ટ કમીશન. તે દેશની જુદી જુદી યુની, ઇસરો વિ જેવી સંસ્થાઓને નાણાંકીય મદદ કરેછે. તેમાં ડીપાર્ટમેંન્ટ ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી ની પહેલી ફેબ્ર્આરી ૨૦૨૨ના રજુ કરેલ બજેટમાં નાણાં મંત્રીએ ૬૭ કરોડની ગ્રાંટ ઓછી કરી નાંખી છે. ડીપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીનિ ગ્રાંટ ૩૫૦૦ કરોડમાંથી ૨૫૦૦કરોડ આશરે ૧૦૦૦ કરોડ ઓછી કરી નાંખી છે. કાઉન્સીલ અફ સાયંસટીફીક રીસર્ચની ગ્રાંટ ૫૦૦ કરોડ ઓછી કરી નાંખી છે.

ગુજરાત સરકારના વિધાનસભા સમક્ષ રજુ કરેલા  આંકડા મુજબ પ્રાથમિકશાળામાં હજારોની સંખ્યામાં શિક્ષકો નથી. તેવી જ સ્થીતી પ્રાથમીક સ્કુલના ઓરડાઓની છે. નવા ભરતી થયેલ તમામ શિક્ષકોને ફીક્ષ પગાર પાંચવર્ષ સુધી આપવામાં આવે છે. શિક્ષણમાં ફલજ્યોતીષ, કર્મકાંડ, અને ગીતાના અધ્યાયોનું શિક્ષણ ગુરૂકુલ ને અન્ય વિધ્યાલયોમાં આપવાની યોજનાઓનો અમલ કરવાનું વિચારાઇ રહ્યું છે. ગુજ સરકારે જાહેરમાં ભુવા– જાગરીયાનું બહુમાન કર્યું છે તેવાપણ સમાચાર છે. સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો જાહેર પ્રજાલક્ષી કાર્યક્રમમાં પ્રથમ ધુણતા બતાવાયા છે. રાજ્યઓ અને કેન્દ્ર સરકાર સરકાર સંચાલિત તમામ શૈક્ષણીક સંસ્થાઓના વહીવટ અને નાણાંકીય જવાબદારીમાંથી હેતુ પુર્વક પીછેહઠ કરી રહી છે. ઉચ્ચશિક્ષણના  રોજબરોજના સંચાલનમાં સત્તાકીય દખલગીરી ટોચની કક્ષાએ પહોંચી ગઇ છે.   ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે બૌધ્ધીક સ્વતંત્રતા ( Academic Freedom) આધારીત કામ કરવું તે વર્તમાન શાસકોના રાજ્યમાં એક દિવાસ્વપ્ન બની ગયું છે.Bottom of Form

 

 

 

 

 


--

Friday, June 10, 2022

તમે કેવી રીતે નાસ્તીક કે નિરઇશ્વરવાદી બન્યા?



         તમે કેવી રીતે નાસ્તીક કે નિરઇશ્વરવાદી બન્યા?

 શું જવાબ છે તમારી પાસે?

(1)     હું પહેલાં,મારો જન્મ હિંદુ અથવા મુસ્લીમ કે ખ્રીસ્તી વિ.ધર્મમાંથી ગમેતે એક ધર્મમાં આસ્થા રાખનારાવાળા મા– બાપને ત્યાં થયેલો હતો. પછી જે તે જન્મ સાથે મળેલ ધર્મ ત્યજી દિધો ને હું નાસ્તીક બની ગયો. Why you became ex-religious?  તમે શા માટે નાસ્તીક બન્યા?

(2)    મારા મા– બાપ બંને અથવા બે માંથી એક નાસ્તીક હોવાને કારણે હું નાસ્તીક બન્યો.

(3)    હું રેશનાલીસ્ટ છું માટે નાસ્તીક છું. શું રેશનાલીઝમ અને નાસ્તીકતા એક જ છે? હા, તો કેમ? ના , તો કેમ?

(4)    ઇશ્વરનો ઇન્કાર, ચમત્કારના પર્દ્દાફાશ, વૈજ્ઞાનીક અભિગમનો પ્રચાર પ્રસાર બસ આટલું મારૂ કાર્યક્ષેત્ર છે. પણ એક ગુજરતી કે ભારતીય તરીકે મને નરેન્દ્ર મોદીનું હિંદુત્વવાદી નેતૃત્વ, ઉગ્ર હિંદુત્વવાદી પરિબળો દ્રારા થઇ રહેલ  ભારતીય સમાજના ધર્મ આધારીત ધ્રુવિકરણમાં મને લેશ માત્ર વાંધો નથી. આપણો દેશ હિંદુ રાષ્ટ્ર બને તેમાં મને વાંધો નથી એટલું જ નહી પણ તેનો સક્રીય ટેકેદાર છું. બલ્કે હું તે બધા પ્રવાહોનો ચાલકપણ છું.

(5)    શું તમે રેશનાલીઝમ ને જ માનવવાદ ગણો છો?. તમારા મત પ્રમાણે રેશનાલીઝમ અને નાસ્તીકતામાં તફાવત ન હોય તો તેનો અર્થ એ ખરો જ કે નાસ્તીક ને માનવવાદી વચ્ચે કોઇ તફાવત હોઇ શકે નહી?

(6)    નાસ્તીક બન્યા પછી તમારી વૈચારીક ભુમીકા કોઇ છે ખરી? એટલે વળી શું?

(7)    દા:ત ફાસીવાદી કે નાઝીવાદી હિટલર નાસ્તીક હતો, સામ્યવાદી સરમુખત્યાર સ્ટાલીન નાસ્તીક હતો. માર્કસવાદનો પ્રણેતા કાર્લ માર્કસે ધર્મને અફીણ સાથે સરખાવી વિશ્વના તમામ માનવીય હિતોનું  ભૌતીકવાદી અર્થઘટન નાસ્તીક તરીકે કર્યું હતું. ચાર્લસ ડાર્વીને નાસ્તીક, ભૌતીકવાદી ને ઉત્ક્રાંતીવાદી વૈજ્ઞાનીક હોવાને કારણે નાસ્તિક હતો. જેણે પૃથ્વી પરના તમામ સજીવો ઇશ્વરી સર્જન નથી તે સાબીત કર્યું હતું.

(8)    વિનાયક દામોદર સાવરકર આર એસ એસના આધ્યસ્થપક પણ નાસ્તીક અથવા નિરઇશ્વરવાદી હતા. વાસ્તવિકતાને ઢાંકપિછોડા કરવા અને સાવરકરના વ્યક્તીત્વ બચાવવા એમ કહેવામાં આવે છે કે તે હિદું નાસ્તીક હતા. શું સાવરકરની હિંદુ નાસ્તીકતા અને તેમના સર્જન આર એસ એસની વિચારસરણી અને કાર્યો એક જ છે ?

(9)    પાકિસ્તાનના સ્થાપક મહંમદ અલી ઝીણા નાસ્તીક હતા. ઇસ્લામમાં જેને વર્જય ગણયું છે તેવી બધી ખાણી પીણી ઝીણાની હતી.

(10)આયન રેન્ડ કે રેન Ayn Rand (અમેરીકન) જે મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાની જબ્બરજસ્ત ટેકાદાર હતી તેણી પોતાની જાતને રેશનાલીસ્ટ ને નાસ્તીક ગણાવી હતી. શું રેશનાલીઝમ ને ખરેખર કોઇ  વિચારસરણી હોય તો તે અને આયન રેનની મુક્ત મુડીવાદી અર્થવ્યવસ્થાના ટેકાવાળી રાજકીય વિચારસરણી બંનેમાં કેટલી સામ્યતા અને વિરોધાભાસ?

(11) રીચાર્ડ ડોકીન્સ, સેમ હેરીસ, જેમ્સ રેન્ડી અને ક્રીષ્ટોફર હીચેન્સ વિ, ઉગ્ર નિરઇશ્વરવાદીઓ છે જે બધા વિશ્વની તમામ રાજ્ય સરકારોને કોઇ સંબંધ ધર્મો, ધાર્મીક પ્રવૃત્તીઓ અને તેના સંચાલકોને ન હોવો જોઇએ તેમ સ્પષ્ટ માને છે. તે અંગે વિશ્વવ્યાપી જાગૃતતા લાવવા પ્રયત્નશીલ છે.

 

(12)            દરેક ધર્મનીરપેક્ષ માનવવાદી ( Secular Humanist) સહજ રીતે નિરઇશ્વરવાદી કે નાસ્તીક હોય જ .પણ દરેક નાસ્તીક ધર્મનીરપેક્ષ માનવવાદી ન હોય.

(13)            શું પોલકુત્સનો ધર્મનીરપેક્ષ માનવવાદ ( Secular Humanist) અને એમ.એન. રોયનો માનવકેન્દી માનવવાદ(Radical Humanism)  બંને વચ્ચે કેટલી સામ્યતા અને કેટલો વૈચારીક તફાવત?

(14)            અંતમાં આ બધામાં હું અને તમે ક્યાં ઉભા છીએ?

(15)             


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Tuesday, June 7, 2022

“ નફરતી ભાષણબાજી રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતના પગમાંજ કુહાડો મારે છે.”

 " નફરતી ભાષણબાજી રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતના પગમાંજ કુહાડો મારે છે."

 ( "Hate speech hurts the nation and the national interest" આજના ઇ. એકસપ્રેસના તંત્રી લેખનું મથાળું)

મોદી સરકારે આરબ દેશોમાંના એક નાના સરખા દેશ કુવેત પાસે માફી માંગી છે. કેમ? શું થયું આ છપ્પન ઇંચની છાતી રાધવતા ભાજપના નેતાની સરકારને? ગઇકાલે રવિવાર ને દિવસે વિધ્યુત વેગે ભાજપના મોવડી મંડળે તાત્કાલીક  પોતાના પક્ષના ટોચની કક્ષાના બે નેતાઓ નામે, નુપુર શર્મા અને નવીન જીંડાલ છે તે બંનેને પોતાના પક્ષના પ્રાથમીક સભ્યપદેથી તથા પક્ષમાં ધરાવતા તમામ હોદ્દા પરથી સસપેન્ડ કરી દીધા છે. કયો રાજકીય ધંધો આ બે ભાજપી નેતોઓએ પક્ષ અને દેશની વિરૂધ્ધનો કર્યો?  જે ધંધો દિલ્હીના સર્વોચ્ચ પક્ષીય નેતાઓથી માંડીને  સ્થાનીક શહેર કે ગ્રામ્ય કક્ષાના સદર પક્ષના હોદ્દેદારો ચોવીસ કલાક અને સાતેય દિવસ ન કરતા હોય? આ સસપેંડ થયેલા બંને નેતાઓ સામે યુએપીએ ને રાષ્ટ્રદ્રોહની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવશે કે નહી તેની માહિતી હજુ ગૃહમંત્રાલયમાંથી પ્રાપ્ત થઇ નથી !

બંને સસપેંડ કરવામાં આવેલા ભાજપી નેતાઓએ ટીવી પર ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પેયગંબર સાહેબ અંગે એટલી બધી ધાર્મીક નિંદા કરી કે જેને કારણે સમગ્ર આરબ મુસ્લીમ જગતના તમામ દેશો ભારત સાથેના તમામ રાજકીયથી માંડીને આર્થીક, સામાજીક વિ. સંબંધો તોડી નાખવાના નિર્ણય પર આવી જાય તો નવાઇ નહી! આપણા દેશના ઉપરાષ્ટ્રપતી માનનીય શ્રી એમ વૈકટૈયા નાયડુ કુવેતના પાટનગર દોહાની મુલાકાતે ગયા છે. ત્યારે કુવેતની સરકારે બધાજ સન્માનીય શિષ્ટાચાર બાજુપર મુકીને સદર ધાર્મીક ટીકાના સંદર્ભમાં જે કહેવાનું હતું તે એટલું સ્પષ્ટ કહી દીધુ છે. ( In the diplomatic embarrassment that Vice-President M Venkaiah Naidu had to suffer while on an official visit to Qatar — the Indian envoy was summoned and lectured to — is the second lesson.)

ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખમાં વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડડા વિ, ની સખત ટીકા કરતાં લખ્યું છે કે ભલે તમારી સરકાર મુસ્લીમ મતોની ચિંતા કર્યા સિવાય સને ૨૦૧૪ અને ૨૦૧૯માં સત્તા પર આવી છે. પણ ત્યારથી તમારા પક્ષની રેન્ક એન્ડ ફાઇલ સવાર સાંજ દરરોજ મુસ્લીમ લઘુમતીઓ સામે  નફરત ફેલાવવાનું કામ કરે છે, ત્યારે તમે બધા ઇરાદાપુર્વકનું ગર્ભીત મૌન સેવીને સંમતી આપ્યા કરો છો.  પેલા તમારા પક્ષના સ્ટ્રીટ સોલજર્સને વિશ્વાસ બેસી ગયો છે કે સત્તાકીય સરકાર, પોલીસતંત્ર અને કાયદો અમને કશું કરવાનો નથી. પેલી હરીદ્રારની ધર્મસંસદમાં મુસ્લીમોના નરસંહારની ખુલ્લે આમ તરફેણ કરનારાઓની બદમાશી હિંમતને કેવી રીતે ન્યાયી ઠેરવશો? દરેક મુસ્લીમ વિરોધી હિંસાજનક ઉશ્કેરણી કાયદાના શાસનની વિરૂધ્ધ બેલગામ બની જાય છે ત્યારે તેના પછીનું કૃત્ય વધારે પાશવી, હિંમતપુર્વકનું, અમાનવીય અને લગભગ લોહીયાળ બની જતું હોય છે. (Result: Every such act that is allowed to go unpunished and uncensured emboldens the next.)

 

તેનો અર્થ એ ન સમજતા કે તમારી સરકાર ફક્ત દેશના હિંદુઓની જ સરકાર છે? તમને એ પણ ખબર ન હોય તો જાણી લો કે વીશ્વમાં ભારત સૌથી બીજા નંબરની વસ્તી ધરાવતો મુસ્લીમ દેશ છે. મોદી સરકાર, તમારે એ સાબીત કરવું પડશે અને તે પણ વૈશ્વીક કક્ષાએ કે તમારા શબ્દો અને કાર્યોથી (it needs to show by word and deed) કે તમારી સરકાર બધી જ કોમોની છે. મુસ્લીમ કોમ સામેની નફરત અને ધાર્મીક ધિક્કારને વ્યવસ્થિત વૈચારીક રીતે તમારા બધાના પાલનપોષણથી સંવર્ધન (Nurture)કરવામાં આવેલ છે.

મોદીજી, તમારા પક્ષે તાત્કાલીક નુપુર શર્મા અને નવીન જીંડાલને પક્ષમાંથી કાઢવાનો નિર્ણય એટલા માટે મજબુરીથી લેવો પડયો છે કે સમગ્ર મુસ્લીમ જગતમાં તેના પડઘા ભયંકર પડવા માંડયા છે. જે ભારત દેશના તમામ સંબંધો આ દેશો સાથે  કાયમી જોખમો પેદા કરનારા બની જવાની સ્ફોટક શક્યતા ધરાવે છે.આપણા વિદેશ પ્રધાન એસ જયશંકરે વિશ્વના તમામ દેશો સમક્ષ ભારતની જે મુઠી ઉચેરી છાપ ઉભી કરી હતી તેને આ બે નેતોની ત્રીસ સેંકડની ટીવી પરની ક્લ્પીંગે  જમીનદોસ્ત કરી નાંખી છે.

 મોદીજી, તમાર સરકાર ભીત ભુલે છે જો એમ સમજતી હોય કે આવી ક્પીલીંગ અને બે નેતાઓને પક્ષમાંથી સસપેન્ડ કરવાથી મુસ્લીમ જગત તમને માફી બક્ષી દેશે એ વાત ભુલી જજો. સત્તાપક્ષના સભ્યોના મોઢેથી લઘુમતી કોમને સતત નિશાન બનાવીને ધિકકાર અને નફરત પુર્વકની બયાન બાજી ક્યારેય માન્ય ન બની શકે! સંપુર્ણ રીતે અને કાયમ માટે અસ્વીકાર્ય જ હોય!.તેના પરિણામો દેશમાટે વિભાજનકારી અને રાષ્ટ્રહીતથી સંપુર્ણ વિરોધી જ છે. આશા રાખીએ કે ખાડી દેશોમાંની આપણા મિત્ર સરકારો પોતાનું શાણપણ અને સ્વસ્થતા આ પ્રસંગને કારણે નહી ગુમાવે!. ( સૌ. ઇન્ડીયન એક્ષપ્રેસના તંત્રી લેખનો ભાવાનુવાદ. તા. ૦૭–૦૬–૨૦૨૨)

તા.ક. અમે પરદેશ સ્થિત, જુદા જુદા દેશોમાં બનેલા સીટીઝન્સને ( મુળ દેશી હિંદુઓને)સારી રીતે ખબર છે અમે બધા નિર્વાસીતો જે તે દેશોમાં લઘુમતીમાં છે. અમારા દેશમાં, મોદી સરકાર સને ૨૦૧૪ સત્તાધીશ બન્યા પછી અને ૨૦૧૯નો સત્તા પટટો રીન્યુ કરાવ્યા પછી ભારતમાં પેદા થયેલ લઘુમતીઓ સામેનું નફરત અને ધિક્કારની માનસીક્તાના બીજ અહીંયાની બહુમતી ધર્મોની પ્રજામાં સક્રીયરૂપ ધારણ કરવા માંડયા છે. સને ૨૦૧૪ પહેલાં મોદીજી, તમને અમેરીકાએ વીસા માટે લાયક ગણયા નહતા. તેના ભવિષ્યના પરિણામોની નોંધ લેવાનું ચુકશો નહી.

 

 


--

Thursday, June 2, 2022

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

અરે! મારા મીત્ર, તું તો યાર નાસ્તીક છે.

આપણને બે ને કદી બનશે નહી. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષીણ ધ્રુવ. આવા એકદમ તારણ પર આવતાં પહેલાં તું કહે તો ખરો કે નાસ્તીક વ્યક્તી કેવી હોય છે? સમાજમાં અરસપરસના વ્યવહારોમાં આ નાસ્તીક માણસોના સંબંધો કેવા હોય છે? આપણા દેશની સવા અબજની વસ્તીમાં આ નીરઇશ્વરવાદીઓની સંખ્યા કેટલી છે કે જેનાથી  તમે આટલા બધા ગભરાવ છો? શા માટે તેઓના ખુન અને હત્યા કરવા મેદાને પડયા છો? રાજકીય રીતે તેમનો કોઇ પક્ષ છે, તેમના ચુંટાયેલા એમ એલ એ કે એમ પી કેટલા છે?શું તેઓ કોઇ મોટા ઉધ્યોગપતી છે? દેશમાં તેમના કેટલા નાસ્તીક સંગઠનો ગ્રામ્ય,તાલુકા, જીલ્લા, રાજય કે રાષ્ટ્રીય કક્ષાએ છે, જેના વ્યાપ કે વીસ્તારથી તમે આટલા બધા ધુંઆપુઆ થઇ ગયા છો?

 પણ મને ખબર છે તેમના વીચારો અને કાર્યો પેલા જપાનમાં નાગાસાકી અને હીરોશીમા પર પડેલા એટમબોંબ કરતાં પણ વધારે સ્ફોટક છે.અમેરીકામાં આ નાસ્તીકો જુદા જુદા નામે સંસ્થાઓ સ્થાપીને પોતાની પ્રવૃતીઓ કરે છે. અમેરીકાની બધીજ જુદા જુદા ફાંટાવાળી ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓએ તેમને ઓળખવા માટે ધર્મનીરપેક્ષ માનવવાદીઓનું( Secular Humanist) એક લેબલ મારેલું છે. તેઓની આ માનવવાદી ચળવળને અમેરીકન ધાર્મીક રૂઢીચુસ્તોએ ' Most dangerous and influential intellectual and anti religious movement in USA in 21st century.' ઓળખાવી છે. કેમ?

(૧) તેઓએ ઇશ્વરની મદદ સીવાય દરેક સજીવની ઉત્પતી, સંવર્ધન અને વીકાસ વીજ્ઞાનની મદદથી સમજાવ્યો છે.તેને ખુબજ મોટા પ્રમાણમાં વૈશ્વીક સતત સ્વીકૃતી મળતી રહી છે. આવા ધર્મનીરપેક્ષ સંશોધનો, રીસર્ચ, અને શોધખોળોની મદદથી જ આપણે બધા ૨૧મી સદી સુધી પહોંચ્યા છે.

(૨) બાયબલ, કુરાન અને ગીતાકે રામાયણના ઉપદેશો અને તથ્યોનો ખુબજ વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત બારીકાઇથી અને ઉંડાણથી અભ્યાસ કરીને તે બધાજ ધર્મગ્રંથોની મર્યાદાઓને પ્રકાશીત કરી છે. તેમાંથી બોધપાઠ લઇને ધર્મ અને ઇશ્વરના આધાર સીવાયની નૈતીકતાનો ટેકો લઇને પોતાનું જીવન જીવે છે.

( નાસ્તીકોના ધર્મનીરપેક્ષ નેતીક વ્યવહાર( Secular morality)નો આધાર તેની તર્કવીવેક શક્તી (રેશનાલીટી)માં સમાયેલો છે.તેની નૈતીકતાનો આધાર ઇશ્વરી ભય, મૃત્યુ પછીનો પાપ–પુન્ય, પુર્વજન્મ– પુન:જન્મ કે ઇશ્વરના પૃથ્વીપરના એજંટો નક્કી કરતા નથી.

(૪) માનવીય રેશનાલીટી કે તર્કવીવેક શક્તીનું સર્જનમાં કશું દૈવી કે ઇશ્વરી નથી. પણ તેનું સર્જન દરેક સજીવની જીવવા માટેની અદ્મય ઇચ્છા તથા કુદરતી પરીબળોના નીયમોની સમજમાંથી પેદા થયેલ છે. આવી રેશનાલીટી અન્ય સજીવો કીડી, હાથી, સીંહ વી. માં પણ જોવા મળે છે. માનવીના નૈતીક વ્યવહારની જરૂર મર્યા પછી સ્વર્ગ, મોક્ષ કે જન્નત માટે બીલકુલ જરૂરી નથી. કારણકે તે બધુ વાસ્તવીક આધાર વીનાનું કાલ્પનીક કે તરંગી છે. રેશનલ નૈતીક વ્યવહારની જરૂર અહીંયા સારુ, સુખી અને સમૃધ્ધ જીવન જીવવા જરૂરી છે.

(૫) આમ, ધર્મનીરપેક્ષ માનવવાદીઓ, નાસ્તીકો, નીરઇશ્વરવાદીઓ અને સંશયવાદીઓના જીવનના પાયાના ત્રણ આદર્શો છે. એક,વર્તમાન જીવનને જ મહત્વ, બે,અબાધીત સ્વતંત્રતા( unconditional freedom)અને ત્રણ, આ જીંદગીમાં જ સુખ (તે ભૌતીકવાદી પણ ભોગવાદી કે આધ્યાત્મીક નહી) મેળવવા યથાર્થ પ્રયત્ન ( Life ,Liberty, and Pursuit of Happiness)કરવો.

(૬) માનવ સહીત કોઇપણ સજીવનું આ જીવન એક જ જીવન છે. તેના પહેલાં કોઇ જીવન હતું નહી અને મૃત્યુ પછી પણ કોઇ જીવન નથી. તેથી જે કોઇ સર્જન આ દેશ અને દુનીયામાં છે તે માનવીય પ્રયત્નોની ભૌતીકસુખની જરૂરીયાતમાંથી પેદા થયું છે. કુટુંબથી માંડીને જુદાજુદા સામાજીક, ધાર્મીક, રાજકીય કે આર્થીક જુથોની રચનાઓ માનવીય હીતો માટે,માનવની તર્કવીવેકશક્તી અથવા રેશનાલીટી મદદથી થયેલી છે. જે સંબંધો માનવ સર્જીત હોય તેમાં માનવીની જરૂરીયાત પ્રમાણે સુધારો વધારો કે ફેરફાર કરવામાં આવે તેમાં કશું અનૈતીક, અધાર્મીક કે ઇશ્વરની મરજી વીરૂધ્ધનું કેવી રીતે કહેવાય? માનવીને સુખ, આનંદ,મોજ માટે માનવીય સંબંધો બનાવવાના હોય છે. મૃત્યુ પછીના જીવન માટે નહી. માનવી તરીકે જીવવું એટલે આનંદ માટે ભૌતીક સુખ માટે જીવવું. પણ સુખ અકરાંતીયા,બેફામ કે શરીરને નુકશાન કરે તે રીતે પોતાને કે અન્યને નુકશાન પહોંચાડે તેવી જીવન પધ્ધતીમાં રહેલું નથી.

(૭) આત્મા અને શરીર બે જુદી ચીજ હોય તેમ કોઇ રેશનાલીસ્ટ સ્વીકારતો નથી. માનવ મન કે હ્યુમન બ્રેઇન તે ભૌતીક શરીરનો એક ભાગ જ છે. માનવીય સભાનતા કે ચેતના શરીરના ભૌતીક નાશ સાથે નાશ જ પામે છે. તેથી માનવીય યાદશક્તી પણ ભૌતીક નીપજ છે. જે ભૌતીક શરીરના નાશ સાથે નાશ પામે છે. આ માનવ જીવન સહીત જે કાંઇપણ છે તે બધું જ ભૌતીક છે.અને તેને માનવીય બુધ્ધી કે સમજથી સમજાવી શકાય તેમ છે. કદાચ કોઇ બનાવ, કોયડો કે પ્રસંગ આજની માનવીય સમજ પ્રમાણે ન સમજાવી શકાય તેનો અર્થ એવો નથી કે તેમાં કશું દૈવી કે ઇશ્વરીય છે અને માનવીય ઇન્દ્રીય સમજ, અનુભવથી પર છે.આવતી કાલે માનવીય સર્જનની નવી શોધખોળોથી તે બધા પ્રશ્નો પણ ચોક્કસ ઉકેલાઇ જશે. માનવ સંશોધન તે એક સતત ચાલતી પ્રક્રીયા છે.

(૮) આવા માનવવાદીઓના અંગત અને અરસપર સંબંધો ખુબજ પ્રેમાળ, ઉષ્માભર્યા અને વિશ્વાસપાત્ર હોય છે. કારણકે સંબંધો પેદા કરવામાં અને ટકાવી રાખવામાં કોઇ હરીફાઇ, સત્તા, માલીકીભાવ, ઉંચનીચ,કાળાગોરા અથવા તો બીજી કોઇ નીજી ખેવના ખુલ્લી કે પ્રછન્ન હોતી નથી. આ સંબંધો ફક્ત અને ફક્ત માનવીય હોય છે. તે માનવીય અનુકંપાથી છલોછલ ભરેલા હોય છે. તે માનવીય હોવાથી તે જ્ઞાતી, જાતી, ઉંચનીચ, કાળાગોરા,ધર્મ, સંપ્રદાય, પ્રદેશ કે લીંગભેદ (gender differences)નાતફાવતો, ભાવનાત્મક અને વાસ્તવીક રૂકાવટોથી બીલકુલ સો જોજન દુર હોય છે.

(૯) ધર્મનીરપેક્ષ માનવવાદી વીચારો અન્ય સાથે રજુ કરવાનો અભીગમ અને પ્રયત્નો બીલકુલ જ્ઞાન આધારીત શાંતીમય,સહકારમય અને એકબીજાનું ગૌરવ જળવાઇ રહે તે પ્રમાણેના હોય છે. તેમાં કશું સંઘર્ષમય કે ઉગ્રપણુ હોતું નથી. કારણકે સામા માનવીને પણ જ્ઞાન આધારીત સમજાવવામાં આવે તો તે પણ પોતાની રેશનાલીટીથી નૈતીક રીતે સારુ શું કે ખોટું શું તેનો નીર્ણય કરી શકવા સક્ષમ હોય છે.

 

 


--

Tuesday, May 31, 2022

બર્ટ્રાન્ડ રસેલે લખેલી એક સુંદર કથા ‘એક ધર્મગુરુનું દુ:સ્વપ્ન’



--
Bipin Shroff


 
બર્ટાન્ડ રસેલે લખેલી એક સુંદર કથા 'એક ધર્મગુરુનું દુ:સ્વપ્ન'

 


એક ધર્મગુરુ રાત્રે શાંતિથી સૂઈ ગયા. ઊંઘમાં એમણે એક સ્વપ્ન જોયું કે પોતાનું અવસાન થયું છે. મૃત્યુનું સ્વપ્ન જોતાં જ એ અતિશય પ્રસન્ન થયા. કેમકે જીવનમાં ક્યારેય એમણે કોઈ પાપ કરેલું નહીં. ન તો એ જુઠ્ઠું બોલેલા કે ન કોઈ બેઈમાનીનું કામ કરેલું. ક્યારેય કોઈનું દિલ દુભવ્યું હોય એવું પણ એમને યાદ ન હતું. આથી એ ખૂબ ખુશ હતા કેમકે મૃત્યુ પછી નર્કે જવાની તો એમના મનમાં કોઈ દહેશત જ ન હતી.
દિવસ-રાત એમણે હરિભજન કરેલું. આથી નક્કી જ હતું કે સ્વર્ગ એમને મળવાનું છે અને નામસ્મરણ પણ સતત ચાલ્યા જ કરતું. એટલે મનમાં એક ઊંડી અને અતૂટ આશા હતી કે સ્વર્ગના દ્વાર પર સ્વયં પરમાત્મા એમના સ્વાગત માટે ઊભા હશે.
જેવા એ સ્વર્ગના દ્વાર પર પહોંચ્યા તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. દરવાજો એટલો મોટો હતો કે ક્યાંય એનો ઓરછોર દેખાતો ન હતો. ખૂબ જોર લગાવીને એમણે દરવાજાને પીટ્યો પણ એ પછી એમને પોતાને જ ખ્યાલ આવ્યો કે મારા આ નાનકડા હાથની ચોટથી તો આ દરવાજો કંપતો પણ નથી તો અંદર સુધી અવાજ ક્યાંથી પહોંચે ? થોડીવાર મન એમનું ઉદાસ થઈ ગયું. આસ્થા પર ક્ષણભર માટે પાણી ફરી ગયું કેમકે એમને તો આશા હતી કે દરવાજા પર બેંડવાજા સાથે એમનું સ્વાગત કરીને અંદર લઈ જવામાં આવશે. પણ અહીં તો કોઈ જ ન હતું. ક્ષણ ક્ષણ એમના માટે વર્ષો જેવી વીતવા લાગી. ખૂબ ધમપછાડા કર્યા. દરવાજા પર હાથ પછાડી પછાડીને લોહીના ટશિયા ફૂટી ગયા. ચીસોય પાડી, છાતી પીટીને છેવટે રડી પડ્યા, ત્યારે એ વિરાટ દરવાજાની એક બારી ખૂલી. બારીમાંથી એક ચહેરો બહાર આવ્યો. હજાર આંખો હતી એની અને પ્રત્યેક આંખ સ્વયં સૂર્ય જેવી હતી. ગભરાઈને ધર્મગુરુ નીચે ઢળી પડ્યા અને ચીસો પાડવા લાગ્યા કે હે પરમેશ્વર ! હે પરવરદિગાર ! હું તમારા પ્રકાશને સહી શકતો નથી. થોડા આપ પાછળ હટી જાવ...' તો સામેથી અવાજ આવ્યો કે ક્ષમા કરો, આપની ભૂલ થાય છે. હું તો અહીંનો પહેરેગીર છું. કોઈ પરમાત્મા નથી. એમના તો હજુ મને પણ દર્શન નથી થયા. હું તો અહીંનો માત્ર દરવાન છું. એમના સુધી પહોંચવાની તો હજુ મારી કોઈ હેસિયત પણ નથી.
ધર્મગુરુને તો પસીનો છૂટવા લાગ્યો. લમણા પર હાથ દઈને એ તો નીચે જ બેસી ગયા. મનોમન એમને થયું કે મેં પૃથ્વી પર કેટકેટલા એમના મંદિર બંધાવ્યા. કેટલી બધી એમની કથા કરી. ચોમેર એમના નામની ધજા ફરકાવી અને તોય છેલ્લે મારી આ દશા ?!
હીંમત એકઠી કરીને એમણે પહેરેગીરને કહ્યું કે તો પણ આપ પરમેશ્વર સુધી એટલો સંદશો પહોંચાડો કે હું પૃથ્વી પરથી આવું છું. ફલાણા ફલાણા ધર્મને ચુસ્ત રીતે માનનારો અને ફલાણા ધર્મનો સૌથી મોટો ધર્મગુરુ છું. લાખો લોકો મારી પૂજા કરે છે અને લાખો લોકો મારા ચરણમાં આળોટીને ધન્યતાનો અનુભવ કરે છે. એમને કહેજો કે હું આવી ગયો છું અને મારું '' નામ છે !
તો દ્વારપાલે કહ્યું કે માફ કરજો. આપના નામનો આ રીતે ખ્યાલ આવવો મુશ્કેલ બની જશે. આપના સંપ્રદાયનો પણ સંદર્ભ આપવો શક્ય નથી. માત્ર આપ એટલું જ કહો કે આ વિરાટ બ્રહ્માંડમાંથી આપ કઈ પૃથ્વી પરથી આવ્યા છો ?.... ધર્મગુરુ છંછેડાઈ ગયા...'કઈ પૃથ્વી ?...આ તો તમે કેવી વાત કરો છો ? પૃથ્વી તો બસ એક જ છે, અમારી પૃથ્વી !'
દ્વારપાળે કહ્યું - 'આપનું અજ્ઞાન અપાર છે. અનંત પૃથ્વીઓ છે આ વિરાટ વિશ્વમાં. પ્લીઝ ! લાંબી વાતો છોડી તમારી પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર બોલો. તમારી પૃથ્વીનો અનુક્રમાંક શો છે ?'
ધર્મગુરુ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોઈ શાસ્ત્રમાં પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર તો આપેલો નથી. ધર્મગુરુને હતપ્રભ થયેલા જોઈને દ્વારપાળને દયા આવી. આથી એણે કહ્યું - 'કંઈ નહીં, પૃથ્વીનો અનુક્રમાંક યાદ ન હોય તો બસ એટલું જ બોલો કે તમે ક્યા સૌર પરિવારમાંથી આવ્યા છો ? બસ, તમારા સૂર્યનું નામ આપી દો. અથવા તો એનો     ઇન્ડેક્સ નંબર બોલો. કેમકે આવી કોઈ સ્પષ્ટ કડી વગર માત્ર નામ પરથી શોધખોળ કરવી મુશ્કેલ બને.' ધર્મગુરુ તો ગભરાઈ ગયા. હવે કરવું શું ?! એમને તો આશા જ હતી કે પરમાત્માને મારા વિશે બધો ખ્યાલ હશે. આટઆટલા મારા અનુયાયી છે. વિશ્વભરમાં સતત મારું નામ ગુંજતું રહે છે. લોકો મારા ચરણસ્પર્શ માટે લાઈનમાં ઊભા રહીને તડપે છે. એટલે મારા મંદિરને કે મારી ધર્મસંસ્થાને સ્વર્ગની યાદીમાં અંડર લાઈન કરીને કોઈ અગ્રતા  આપવામાં આવી હશે. પણ આવું તો અહીં કશું જ નથી. હું કઈ પૃથ્વી પર રહું છું, એનો પણ અહીં કોઈને ખ્યાલ નથી. જે સૂર્યમંડળમાંથી હું આવું છું એનો પણ આ લોકો ઇન્ડેક્સ નંબર માગે છે અને હું એ નંબર આપું તો પણ અનંત અનંત લોકોની યાદીમાંથી મારું નામ શોધતાં વર્ષો લાગી જશે આવું આ પહેરેગીર કહે છે તો હવે કરવું શું ?''
ગભરામણમાં અને ગભરામણાં જ એમની ઊંઘ ઊડી ગઈ અને જોયું તો પોતાના ધર્મ સામ્રાજ્ય વચ્ચે, પોતાના જ મહાલયમાં ભીની ભીની પથારીમાં તરફડતા પોતે પડ્યા છે ! અને એક વાતની એમને રાહત થઈ કે પોતે જોયેલું આ તો એક દુઃસ્વપ્ન હતું !

 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Wednesday, May 25, 2022

શા માટે હું હિંદુ નથી? અંતિમ અને ભાગ–૩

શા માટે હું હિંદુ નથી? અંતિમ ભાગ– ૩.

અગાઉના બે ભાગોની ચર્ચામાં આપણે જોયું અને સમજ્યા પણ ખરા કે હિંદુ જીવન પધ્ધતીના સર્જનમાં ચાર પરિબળો પાયામાં છે. એક ચાર વેદ, બે મનુસ્મૃતિ, ત્રણ વર્ણવ્યવસ્થા અને ચાર ભગવદ્ ગીતા.આ બધાની રચના આશરે ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. હું વર્ણવ્યવસ્થાના ખ્યાલને જ હિંદુ જીવન પધ્ધતિના તમામ દુષણોનું મુળ ગણું છું. કારણકે વર્ણવ્યવસ્થા અતાર્કીક,(ઇરેશનલ) અન્યાયી, (અનજસ્ટ)અને બિનલોકશાહી( અનડેમોક્રેટીક) છે. આપણા દેશના બંધારણના પાયાના મુલ્યો  સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સંપુર્ણ સામે વર્ણવ્યવસ્થાના ઉપદેશો અને વ્યવહારો છે.

(૧) દરેક વર્ણમાં જન્મેલ હિંદુને તેની વર્ણે નકકી કરેલ ધંધો કે વ્યવસાય જ કરવો પડે.તેવીજ રીતે વર્ણ–જ્ઞાતિ–પેટાજ્ઞાતિની અંદર તેના લોકોએ લગ્ન કરવાં જ પડે. ધંધો અને લગ્નમાં પાર્ટનર નક્કી કરવાની સ્વતંત્રતા વર્ણવ્યવસ્થામાં વર્જય છે. તેવીજ રીતે શુદ્રો અને સ્રીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા એટલા માટે નથી કે તેથી તો પછી વર્ણવ્યવસ્થાની સામાજીક કીલ્લે બંધી જ તુટી જાય. કોઇપણ હિંદુને તેના જન્મથી મળેલ વર્ણના વિષચક્રને તોડવાની સત્તા જ નથી. કારણકે તેને તો ગીતાના સર્જક કૃષ્ણે વર્ણવ્યવસ્થાને પોતાનું  સર્જન ગણેલું છે. હિંદુ સમાજપ્રથાને તોડવા માટે વર્ણવ્યવસ્થા આધારીત પિરામીડને તોડવો અનિવાર્ય છે. વર્તમાન શાસન પ્રથા દેશના નાગરીકોને ઝડપથી પાયાના બંધારણીય મુલ્યો, સ્વતંત્રતા, સમાનતા ને બંધુત્વની સામે વર્ણવ્યવસ્થા આધારીત હિંદુજીવન પ્રથાની તરફ દોરી જતી માલુમ પડે છે.

(૨) હૈ! વર્ણવ્યવસ્થા! તારું બીજું નામ જ ક્રમશ સોપાની (ચઢતા–ઉતરતા ક્રમની)અસમાનતા ને તેના દ્રારા પેદા થતો સામાજીક અન્યાય છે. માનવીય ગૌરવ અને કાયદાના શાસનની ગેરહાજરીમાં હિંદુસમાજ જીવન જો છેલ્લા અઢીહજાર કરતાં વધારે વર્ષોથી ચાલુ છે તો પછી અમારે સને ૧૯૫૦માં આવેલ ભારતીય બંધારણની શા માટે અને કોના હિતો સાચવવા જરૂરત છે?

(૩)વર્ણવ્યવસ્થામાં શુદ્રોને અછુત ગણવામાં આવે છે. તે હિંદુ સમાજનો એક સામાજીક રીતે બહિષ્કૃત ભાગ છે. તે વર્ણને સદીઓથી કહેવાતા હિંદુ ઇશ્વરે, તેના ધર્મે અને પેલા ત્રણ સંપન્ન વર્ણોએ માનવીય ગૌરવ, જ્ઞાન, સત્તા અને સંપત્તીથી સંપુર્ણ વર્જીત રાખ્યો છે. હા! પણ શુદ્ર સમાજ પાસે સદીઓથી પેઢી દર પેઢી પાસેથી વેઠ કરાવીને(વળતર આપ્યા સિવાયની, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં) જે પરોપજીવી હિંદુ સમાજને બનાવ્યો છે તે ગુમાવવો પોસાય તેમ નથી. તેની સાથે સાથે હિદું સમાજની તમામ વર્ણની સ્રીઓ ફક્ત જાતીય સુખ ભોગવવાનું એકમ તથા બાળકો પેદા કરવા માટેની ચીજ વસ્તુઓથી વધારે કાંઇ નથી. ઘણા બધા હિંદુધર્મને મહાન સહિષ્ણુ ધર્મ તરીકે બિરદાવે છે. પણ વિશ્વમાં હિંદુધર્મ સિવાય બીજો કોઇ ધર્મ નથી જે પોતાના જ ધર્મની ચોથાભાગની વસ્તીને સદીઓથી ગુલામ ને અછુત ગણીને પોતાના ધર્મને વિશ્વગુરૂ ગણતો હોય!  (Slavery is not peculiar to India or to Hinduism, but carrying it to the extremes of untouchability, and granting it divine and religious sanction is peculiar to Hinduism.) સહિષ્ણુતાનો સાદો સીધો અર્થ છે કે પોતાનાથી ન ગમતા કે પોતાની ધાર્મીક શ્રધ્ધા વિરૂધ્ધના વિચારો અને વર્તનોને ગૌરવભેર સમકક્ષ ગણી સ્વીકારવા અને વિકસવાની જ્ગ્યા કરી આપવી.મનુસ્મૃતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે હિંદુધર્મશાસ્રોનો જે તર્કબધ્ધ અને વાસ્તવીક જ્ઞાનધારીત મુલ્યાંકન કરે તે બધાનો સામાજીક બહીષ્કાર કરવો. નિરઇશ્વરવાદીઓ,

મુક્તવિચારકો, રેશનાલીસ્ટો અને બુધ્ધધર્મીઓની સાથે કોઇપણ પ્રકારનો સામાજીક સંબંધ કે મહેમાન ગતી બિલકુલ ન રાખવી. નિરઇશ્વરવાદીઓ પ્રત્યે એટલી બધી અસહિષ્ણુતા હતી અને હજુ પણ છે કે તે બધાને ધર્મશાસ્રોમાં શુદ્રો, ચંડાળો, ચોર, લુટેરા અને ચિત્તભ્રમ લોકો તરીકે બિરદાવ્યા છે. મનુસ્મૃતિના સર્જક મનુ એ તો નિરઇશ્વરવાદોના કુટુંબોને શક્ય તેટલી ઝડપથી સંપુર્ણ ભસ્મીભુત કરવાની સલાહ આપી છે.(The families of non-believers are destroyed sooner than later according to Manu.) જે રાજ્ય વ્યવસ્થામાં શુદ્રો અને નાસ્તિકોનું પ્રમાણ વધી જાય છે ત્યાં હિંદુ રાજ્યનો પણ નાશ થાય છે.( A state with a large number of Shudras and nastikas soon meets its destruction.) 

ઘણાબધા હિંદુધર્મના સુધારકો વર્ણવ્યવસ્થાને આદર્શ સામાજીક– આર્થીક શ્રમવિભાજનનું (Division of Labour) એકમ ગણાવીને બચાવ કરે છે.  ઇગ્લેંડના અર્થશાસ્રી આદમસ્મિથે સને ૧૭૭૬માં ' વેલ્થ ઓફ નેશન' નામનું જગપ્રસિધ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે શ્રમનું વિભાજન નવી નવી ઔધ્યોગીક શોધખોળની જનેતા છે. કારણકે એકનું એક કામ વારંવાર કરવાથી તેમાં જે તે કામમાં નિપુણતા આવે છે. હિંદુ સમાજમાં શુદ્રોના વ્યવસાયી સાધન ઝાડુ, વાણીયાના વ્યવસાયી ઓળખ ધોતી, ટોપી ને ડગલો,ક્ષત્રિયોના યુધ્ધના શસ્રોમાં તલવાર અને ભાલો ને બ્રાહ્મણોની વ્યવસાયી ઓળખોમાં ટીલાં–ટપકાં–– જનોઇ અને લાલ પિતાબંરમાં કોઇ ફરક સદીઓથી પડયો નથી.
ભલે હિંદુ સમાજમાં વ્યવસાયી નિપુણતાને વર્ણ–જન્મ આધારીત  ઓળખ ગણવામાં આવી હોય પણ ખરેખર તે બધી ઓળખો શિક્ષણ, અભ્યાસ, અનુભવ આધારીત પ્રાપ્ત કરેલ ઓળખો હોય છે. માટે જ ગાંધીજી બેરીસ્ટર થઇને દેશની આઝાદીના સંઘર્ષના ટોચના નેતા બની શક્યા ને બાબાસાહેબ આંબેડકર દેશના બંધારણના આધ્યસ્થાપક બની શક્યા. જ્યારે મા–બાપો જે વારસામાં આપે છે તે જનીનતત્વો (
DNA) આપી શકે અને આપે છે. આમ શ્રમનું વિભાજન ભારત સિવાય વિશ્વના કોઇપણ દેશમાં જન્મ આધારીત ક્યાંય નથી. જે ખરેખર લાંછનરૂપ ગણવાને બદલે તે વર્ણવ્યવસ્થાને આપણે ભજીયે અને પુજયે છીએ. કયા કયા પરોપજીવોના હિતો સાચવવા અને સંવર્ધન કરવા?

આપણે આપણા બાળકોને મા– બાપ તરીકે ક્યારે આપણા વારસગત વ્યવસાયમાં દબાણપુર્વક જોતરવા ન જોઇએ. સમાજ અને રાજ્ય વ્યવસ્થાએ તેના તમામ પ્રજાજનોને સમાન તકો, કાયદાકીય શાસન અને માનવીય ગૌરવ સહજ રીતે ઉપલબ્ધ થાય તેવી રાજ્યવ્યવસ્થા ની રચના કરવી જોઇએ.ખરેખર તો આ લોકશાહી શાસનનો તેના નાગરિકો અને તેમના દ્રારા ચુંટાયેલા રાજ્યકર્તા વચ્ચેનો અબાધિત કરાર છે.

જો કે હિંદુ કાયદાને કારણે  માનવ મુલ્યો આધારીત ઘણાબધા ફેરફારો હિંદુ સમાજપ્રથામાં કરવામાં આવ્યા છે. જેવાકે બાળલગ્ન નિષેધ, વિધવાપુર્નલગ્ન, એક પત્નિત્વ, પિતાની મિલકતમાં વારસાઇ આધારીત દિકરીનો સમાન ભાગ, છુટાછેડા કે લગ્ન વિચ્છેદ, આંતરજ્ઞાતિય લગ્નો વિ. હકીકતમાં હિંદુ કાયદાના પ્રગતિશીલ સુધારાના અને હિંદુ જીવનની વર્તમાન વાસ્ત્વિકતા વચ્ચે ઘણો બધો તફાવત છે. તે દિશામાં હજુ ઘણી લાંબી મંજીલ કાપવાની બાકી છે. કારણકે આજે  જુની વર્ણવ્યસ્થા આધારીત મનુસ્મૃતિ પ્રમાણેની હિંદુ રાજ્યની રચના કરવા પ્રત્યાઘાતી પરિબળો ખુબજ સક્રિય અને સાધનસંપન્ન થતા જાય છે. જેમાં વર્તમાન શાસન વ્યવસ્થાનો કેટલોક ખુલ્લો અને બાકીનો પ્રછન્ન ટેકો છે. ભારતનું આવતી કાલનું ભાવિ પ્રત્યાઘાતી મનુવાદી પરિબળો અને લોકશાહી મુલ્યો આધારીત ક્રમશ વિકસતા જતા બંધારણીય આધુનીક સમાજના સંઘર્ષમાં નિહીત છે. ખુબ દુ;ખ સાથે દેશનો વર્તમાનતો ઝડપથી ૨૫૦૦ વર્ષ પહેલાં બૌધ્ધ ધર્મે અનુભવેલી ક્રાંતીની કસુવાડ તરફ આપઘાત કરવા અવિરત રીતે પ્રયાણ કરતો દેખાઇ રહ્યો છે. આ ઉંડી ખીણ તરફ ધસમસતી આપણી સદર અમાનવીય દોડને રોકવા હું અને તમે શું કરી શકીએ તેમ છે?


--

Monday, May 23, 2022

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

મારી લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે જોયું કે કઇ રીતે ચાર વેદો, મનુસ્મૃતિ અને તેના આધારીત વિકસેલી વર્ણવ્યવસ્થાએ હિંદુ સમાજવ્યવસ્થાનું સર્જન કરેલ છે. આ લેખમાં આપણે ભગવદ્ગગીતાના વિચારો કે તત્વજ્ઞાનનું સર્જન કઇ રીતે ચાર વેદો અને મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાના ટેકામાં ખુબજ ચતુરાઇપુર્વક કરવામાં આવ્યું છે. તેનો અભ્યાસ કરીશું.

     આ ઉપરાંત તેમાં લોકાયન અને બુધ્ધ ધર્મએ પેદા કરેલ વૈચારીક ક્રાંતિ " આ જગત મિથ્યા નથી, વાસ્તવિક છે, ભૌતીક છે, દુન્યવી છે, માનવીય પ્રયત્નોથી કુદરતી પરિબળોને સમજીને સુખ પ્રાપ્ત થઇ શકે છે, દરેક મનુષ્યનો આ એક જ અને આખરી જન્મ છે, કોઇનો પણ પુર્વજન્મ હતો નહી અને પુનર્જન્મ ક્યારેય ભવિષ્યમાં થવાનો નથી". તેની શંકરાચાર્યના તત્વજ્ઞાન ' જગતમિથ્યા – બ્રહ્મ સત્ય'ના આધારે પ્રતિક્રાંતી કરવામાં ભગવદ્ગ ગીતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજવાનો ને સમજાવવાનો તાર્કીક રીતે આધુનિક જ્ઞાન આધારીત પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ ગીતાના પહેલાં અધ્યાયમાં જ અર્જુન દ્રારા યુધ્ધ નહિ કરવા માટે જે દલીલ કરવામાં આવી છે તેનો પાછળનો તર્ક એટલો જ છે કે યુધ્ધમાં પુરૂષોનો સંહાર થવાથી આપણા કુળની સ્રીઓ પછી કુલભ્રષ્ટ

    થઇ જશે ને વર્ણશંકર પ્રજા પેદા કરશે. વર્ણશંકર પ્રજા એટલે ચારેય

    વર્ણોના સ્રી–પુરૂષોના આંતરજાતીય લગ્નોની પ્રજોપ્તિથી પેદા થયેલ પ્રજા. આ રીતે અર્જુનના મુખેથી સૌ પ્રથમ વર્ણવ્યવસ્થાને બચાવવા માટે યુધ્ધ નહી કરવાની દલીલ શરૂ કરવામાં આવી છે. પ્રથમ. અધ્યા. શ્લોક ૪૦થી૪૩.

હવે જુઓ કેવી રીતે ચતુરાઇપુર્વક ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા આ પુસ્તકના કુલ અઢાર અધ્યાયમાં વર્ણવ્યસ્થા આધારીત હિંદુસમાજ પ્રથાને ટકાવી રાખવા જે પ્રછન્ન તત્વજ્ઞાન પેદા કર્યું છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. સદર વિચારોને આપણે બે ભાગમાં વહેંચી શકીશું.

     ગીતાના એક ભાગમાં જે શરૂઆતનો છે તેમાં વર્ણવ્યવસ્થાના બચાવમાં જે શ્લોકોની રચના કરવામાં આવી છે તેનો અભ્યાસ કરીશું. બીજાભાગમાં દરેક વર્ણને જન્મ–કર્મ– તેથી સ્વધર્મ પ્રમાણે જે નિષ્કામ –કર્મ– યોગ(!) આધારીત અસ્તિત્વમાં આવેલ તમામ હિંદુઓને જ્ઞાનને બદલે ભક્તિદ્રારા ચોરાસીલાખ યોનીમાંથી મુક્તિ કેવી રીતે મલશે તે સમજવાનો પ્રયત્ન પણ કરીશું.

અર્જુન જે વાસ્તવાદી હતો. જેને યુધ્ધમાં વિજેતા થવાથી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ તે ઇચ્છતો ન હતો. કારણકે યુધ્ધ એટલે સ્વજનોનો નાશ ઉપરાંત બંને પક્ષે ખુવારી, રાજકીય અંધાધુધી અને ચતુર્વણવ્યવસ્થાનો નાશ. હું ગીતામાં કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા જુદા જુદા શ્લોકોની મદદથી  અર્જુનને તેની માનસીક દ્વીધામાંથી મુક્તિ અપાવવા જે દલીલો કરવામાં આવી છે. તેને બને તેટલા ટુંકાણમાં રજુ કરવા પ્રયત્ન એટલા માટે કરીશ કે આપણા વાંચકો તે બધી વાતોથી સારી રીતે પરિચીત છે. મારા વાંચક મિત્રોને બીજી પણ વિનંતી છે કે સદર લખાણ પ્રથમ લેખના ટેકામાં હિંદુ સામાજીક પ્રથાને સમજાવવા તૈયાર કરવામાં આવ્યું છે, તે તંતુ ક્યારેય ભુલે નહી.

ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તિત્વને ભગવાન કલ્પીને, સર્વસત્તાધીશ, ત્રણેય લોકનો નાથ,ચારેય વર્ણનો સર્જક, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણકાર અને માનવીય બુધ્ધિથી જેટલી કલ્પનાઓ દેવ તરીકે વિચારય તે બધીજ તેનામાં પ્રયોજી દીધી છે. બાયબલ, કુરાન ને અન્ય ધર્મોના પુસ્તકોમાં પણ ઇશ્વરી શક્તીની સર્વોપરીતાના લક્ષણોના વર્ણનો જે તે સર્જકોએ સહેજ પણ ઓછા મુક્યા નથી. નહીતો આ બધા ધર્મોના ધંધાઓઓ કેવી રીતે ચાલે! ગીતાના સર્જકનો મુખ્ય ધ્યેય વર્ણવ્યવસ્થા આધારીત હિંદુસમાજનું વૈચારીક રીતે સાતત્ય કેવી રીતે ટકાવી રાખવું તે હતું.

અર્જુનની શંકાઓ એક પછી એક કુનેહપુર્વક કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા કેવી રીતે દુર કરી તે જોઇએ.

(૧) ચતુર્વણવ્યવસ્થા મારુ સર્જન છે.( અધ્યાય–૪–શ્લોક ૧૩થી૧૫)

(૨) દરેક મનુષ્યનો દેહ નાશવંત છે. પણ તેમાં રહેલો આત્મા અમર છે, અવિનાશી છે.અજરાજર છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, વિ.

 ' નહન્યતે ' નૈનં છિન્દન્તિ...'( ૨–૨૦થી ૨૫) શરીર નાશવંત હોવાથી તેની પાછળ શોક થાય નહી. આત્માનો એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર મેં તેના કર્મો પ્રમાણે પુર્વનીર્ણીત કરી દીધેલું હોય છે.

(૩) મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ને સ્રીઓના કર્મો મનુસ્મૃતિ પ્રમાણે નક્કી કરી દીધેલા છે. તે કર્મો દરેક વર્ણોમાં જન્મ લીધેલ હિંદુઓએ નિષ્કામ કર્મ(કર્મયોગી) એટલે કોઇપણ જાતની આશા રાખ્યા સિવાય કરવાના છે. દરેક હિંદુનો વર્ણ પ્રમાણે કર્મ સ્વધર્મ બની જાય છે. સ્વધર્મનું પાલનકરતાં મૃત્યુ તે સ્વર્ગની સીડી. પણ પરધર્મ એટલે નર્ક નિશ્ચિત.

હે અર્જુન! " ક્ષત્રિય ધર્મ( સ્વધર્મ) બજાવતાં જો યુધ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પામીશ અને વિજેતા બનીશ તો પૃથ્વી પરનું રાજય પ્રાપ્ત થશે. ૨/૩૭. લાભમાંય લાભ અને હાનીમાંપણ લાભ."

(1) (૪) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન ! ૨/૪૭. હે, હિંદુઓ! તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આ જન્મમાં ફળની આશા રાખ્યા સિવાય તમારા વર્ણ પ્રમાણે પુર્વ– નિર્મીત સ્થિતપ્રજ્ઞસ્થિતિમાં (૨/૫૮) નિષ્કામ કર્મ કર્યા કરો. .સ્થિર બુધ્ધિવાળા પુરુષના લક્ષણો– કાચબાની માફક ઇન્દ્રીયોને સંકોચી લેવી–જે ભય કે દુ:ખનો અહેસાસ મન પર લાવ્યા વિના નિષ્કામ કર્મ કર્યા કરે તેને મૃત્યુ પછી મોક્ષ મળે.(!) ખાસ કરીને શુદ્રો ને સ્રી, વર્ણ– જન્મ આધારીત કામ, વળતરની અપેક્ષા વિના જીંદગીભર કર્યા કરો.

      (૫) મારા ઉપદેશમાં જે શંકા રાખે, અવિશ્વાસ રાખે, શ્રધ્ધાવિહીન આત્માનો,

      તેવા સંશયી આત્માનો વિનાશ થાય છે.. સંશયીઆત્મા વિનશ્યતી– શ્લોક

      ૪/૪૦. વિધર્મી તથા નાસ્તિકો સંશયી આત્માઓ છે. મારામાં સંપુર્ણ શ્રધ્ધા નહી

      રાખનારા( શરણાગતી નહિ સ્વીકારનારા) પુરૂષ ક્યારેય પરમગતીને પામતો

     નથી.

 

  (૬) ત્યાગીને ભોગવ! યોગ  કર્મશુ કોશલમ.આસક્તિરહિત કર્મ– કર્મના

   બંધનોથી મુક્તિનો માર્ગ નિષ્કામ કર્મયોગ– આશા વગર કામ કરવું! નિરંતર

   સમર્પણની ભાવના. કર્મમાં સમર્પણથી સંપુર્ણ જન્મજન્મના ફેરામાંથી મુક્તિ–

   સંસારના બંધનોમાંથી મુક્તિ મળે છે.

(૭) ગીતાના સર્જકે કૃષ્ણ પાસે એ દલીલ કરાવી લીધી કે ચાર વર્ણનું સર્જન મેં કરેલું છે. દરેકે આ ભારતવર્ષમાં હિંદુ તરીકે જન્મ લઇને વર્ણ–કર્મ– નિર્મીત, નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ્ન સ્થિતીમાં કરવાનું છે. અર્જુનને કૃષ્ણ સર્વસત્તાધીશ ત્રણલોકનો સર્જક, સંચાલક અને સંહારક છે તેવું સાબિત કરવા માટે ' પોતાનું મુખારવિંદ ખોલીને 'વિશ્વ બ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવે છે એવું ન કહેવાય(!) પણ દર્શન કરાવે છે.અધ્યાય–૧૧/શ્લોક ૧૦. વધારામાં એક પછી એક  કૌરવ સેનાના અગત્યના યોધ્ધાઓ દુર્યોધનથી શરૂ કરીને ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિ. સુધીના તમામ મૃતસ્વરૂપે કૃષ્ણના મુખમાં જતા ફક્ત અર્જુનને જ દેખાય છે.૧૧/૩૨, ૩૩,, ૪૩,થી ૪૭ વિ.શ્લોકો.

(૮) કૃષ્ણનું આ સ્વરૂપ ફક્ત અર્જુનને બતાવવા માટે જ ગીતાના સર્જકે તેના ફળદ્રુપ ભેજામાંથી એટલા માટે ઉત્પન્ન કર્યુ હતું અને પછી કોઇને તે સ્વરૂપ દેખાશે નહી તેવું પણ આ બધા શ્લોકોમાં લખી દીધું છે. કારણકે અર્જુનના પાત્ર પાસેથી  એવી દ્ર્ઢ પ્રતિતિનો સંદેશો વર્ણવ્યવ્સ્થા પ્રમાણે કર્મ કરવા આપવો હતો. હે! અર્જુન ! તું મારા બ્રહ્મ વિરાટ સ્વરૂપ જોઇને સમજી લે કે તમે બધા આ પૃથ્વી પર મારી ઇચ્છાથી જન્મ લઇને મેં દરેકના વર્ણ પ્રમાણે કાર્યો કરવા નિમિત્ત માત્ર તરીકે સર્જન કર્યા છે. તમારા બધાનું નસીબ પુર્વનિર્મીત છે. પૃથ્વી પરના તમામ સજીવો મારી ઇચ્છા પ્રમાણે કઠપુતલીની માફક નાચ કરનારાથી વિશેષ લેશ માત્ર નથી. " હું કરુ હું કરુ જ એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે ".

(૯) તમારે અહીં જન્મ લઇને નિમિતમાત્ર પ્રમાણે જ જીવવાનું છે. કારણકે ' હું આ પૃથ્વી પર અધર્મ અને પાપોનો નાશ કરવા..... યદા યદા હી ધર્મસ્ય.....સંભવામી યુગે યુગે...અધ્યાય–૪/શ્લોક ૬,૭,૮ વિ.

(૧૦) અર્જુને ૧૮મા અધ્યાયના ૭૩માં શ્લોકમાં આખરે દેવકીપુત્રને જણાવી દીધું કે મારા તમામ સંદેહો હવે દુર થઇ ગયા છે, તમે પંચજન્ય શંખ ફુકો ને તમારી આજ્ઞા પ્રમાણે ગાંડીવ ધનુષ્યને પણછ ચઢાવી યુધ્ધ કરવા તૈયાર છું.

(૧૧) હજુ ડૉ. પ્રો રમેન્દ્ર્ ગીતાના તત્વજ્ઞાન સામે પોતાની વાત કેવી રીતે રજુ કરે છે તે અંતિમ લેખમાં સમજીશું.

 

 

 


--