Saturday, August 13, 2022

પેગાસાસ સ્પાયવેર વીષે હું અને તમે, ભારતીયતરીકે કેટલું જાણીએ છીએ?

પેગાસાસ સ્પાયવેર વીષે હું અને તમે, ભારતીય તરીકે કેટલું જાણીએ છીએ?

ન્યુયોર્ક ટાઇમ્સના મેગેઝીન વિભાગે વર્ષોની મહેનત બાદ આશરે ૨૫ પાનાનો કાળજીપુર્વકની તપાસ કરીને ૩૦–૩૧ જુલાઇના રોજ પેગાસસ સ્પાયવેરના કાળા કરતુતો ઉપર એક વીશ્વભરને ચોંકાવી મુકે તેવો રીપોર્ટ બહાર પાડયો છે. રીપોર્ટ તૈયાર કરનાર બે પત્રકારોના નામો રોનેન બર્ગમેન(Ronen Bergman)અને માર્ક માઝ્ઝેટી ( Mark Mazzetti). લેખનું મથાળુ આપ્યું છે.

 " વીશ્વભરમાં પોતાના કુકર્મો– અપકીર્તી માટે નામચીન બનેલ પેગાસસ સ્પાયવેર"

( Pegasas Spyware maker The world most Notorious maker of spyware.)

1.       આ તપાસ લેખમાં પત્રકારોએ ઇઝરાયેલ સરકારે પોતે, દેશમાં પેગાસાસ જાસુસી સોફ્ટવેર બનાવનાર સંસ્થા એનએસઓ (NSO)નો ઉપયોગ કરીને વીશ્વભરમાં જે તે ખરીદનાર દેશોની મજબુરીઓનો લાભ લઇને જે વૈશ્વીક મુત્સદીગીરી પ્રાપ્ત કરી છે તે અમાપ,લાજવાબ અને અતુલ્ય છે.

2.       પેગાસસ સ્પાયવેરની મારા–તમારા, મોબાઇલ ફોનમાં જાસુસી ચાંચીયાગીરી કરવાની તાકાતને સમજીએ. જે દેશોએ આ સોફ્ટવેર ખરીદયુ હોય તેવા દેશના નાગરીકોના કોઇપણ મોબાઇલ નંબરોની તમામ માહિતી આ જાસુસી સોફ્ટવેર તે નંબરોને ક્લિક કર્યા સિવાય લઇ શકે છે. બેંકના ખાતામાંથી નાણાં ઉપાડી શકે છે. મોબાઇલ– લેપટોપ– ક્મ્પ્યુટર વી. તમામ સોસીઅલ મીડીયાના સાધનોમાં તેના માલીકની સંપુર્ણ જાણબહાર દેશનો સત્તાપક્ષ  ઇચ્છે તેવી તમામ માહીતીઓ બિનદાસ દાખલ કરી શકે છે. ત્યારબાદ જે તે વ્યક્તીના ઘરમાં પોલીસ સર્ચ વોરંટથી માલીક ઘરમાં હોય કે નહી તે સાધન કબજે લઇને બીનજામીનપાત્ર ગુનાઓમાં સંડોવી જેલમાં પુરી શકે છે.

3.      This spyware can consistently and reliably crack the encrypted communications of any iPhone or Android smartphone. This version of Pegasus was "zero click" — unlike more common hacking software, it did not require users to click on a malicious attachment or link Pegasus computers: every email, every photo, every text thread, and every personal contact. They could also see the phone's location and even take control of its camera and microphone.

 

4.        પેગાસસ સોફ્ટવેર ઇઝરાયેલ સરકાર ઇચ્છે તે દેશની લોકશાહી, રાજાશાહી, લશ્કરી સરમુખ્તયારશાહી કે કોઇપણ સરકારોને એનએસઓ કુંપની સદર સોફ્ટવેર વેચી શકે છે. સદર કુંપની કોણપણ દેશની જાહેર કે ખાનગી કુંપની કે નાગરીકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  આ જાસુસી સોફ્ટવેર વેચી શકતી જ નથી. સને ૨૦૧૭માં સાઉદી એરેબીયાના રાજાને 55million US dollars( એક મીલીયન એટલે ૧૦લાખ ડોલર ગણાય)માં આ સોફ્ટવેર વેચ્યું હતું. ઇઝરાયેલમાં દર ૧૦ મજુરોએ એક મજુર આ જાસુસી સોફ્ટવેર બનાવવાના ઉધ્યોગમાંથી રોજી મેળવે છે.

5.      સને ૨૦૧૧માં સૌ પ્રથમ એનએસઓ ઇઝારેયલ કુંપનીએ મેક્સીકોની સરકારને પેગાસસ સ્પાયવેર પોતાના ઇઝરાયેલ દેશની સરકારની પુર્વમંજુરી સાથે વેચ્યુ હતું. મેક્સીકોની સરકારે એલ ચેપો નામના ડ્રગ લોર્ડને તથા તેના સામ્રાજ્યને નાબુદ કરવા ઉપયોગ કર્યો હતો. યુરોપીયન દેશોની ઇનવેસ્ટીગેટીગ સંસ્થાઓએ આંતકવાદી અડ્ડાઓ, સંગઠીત ગુનાહીત ટોળકીઓ અને વીશ્વીક બાળકોની હેરાફેરી કરતી ગેંગો વી. ને ઝબ્બે કરવાનું કામ પણ કર્યું હતું.

6.       હવે આ સ્પાયવેરના નાગરીક સ્વાતંત્રય અધિકારોના દુરઉપયોગ માટેની ચોંકાવનારી વિગતો જોઇએ.(અ) મેક્સીકોના પ્રમુખે સદર સ્પાયવેરનો ઉપયોગ પોતાના હરીફો ને રાજકીય વિરોધીઓ તથા જર્નાલીસ્ટની જાસુસી કરવામાં કર્યો હતો.(બ) યુનાઇટેડ આરબ અમીરાતની સરકારે દેશની નાગરીક અધિકારોની ચલાવતા કર્મનીષ્ઠોના ફોન પર જાસુસી કીને તે બધાને પછી જેલમાં પુરી દીધા હતા.(ક) જે દેશમાં વીશ્વભરના મુસલમાનો માટે પવિત્ર ધામો આવેલા છે તે સાઉદી એરેબીયાના રાજાએ દેશમાં સ્રીમુક્તિ અધિકારોની ચળવળ ચલાવતી બહેનો સામે આ સ્પાયવેરનો ઉપયોગ કરીને તે બધાને જેલમાં નાંખી દીધી છે. વોશીંગટન પોસ્ટના જર્નાલીસ્ટ જમાલ ખશોગી સામે સોફ્ટવેરનો ઉપયોગ કરીને પોતાના માણસો દ્રારા ઇસ્તનબુલમાં ખુન કરાવીને તેના એક એક અંગોના ટુકડા કરાવી નાંખ્યા હતા

7.      યુનોમાં, પોતાની તરફેણમાં ઠરાવો પસાર કરાવવામાં તથા પોતાની વીરૂધ્ધના ઠરાવો રોકવામાં ઇઝરાયેલ સરકારે આ સ્પાયવેર વીશ્વના પોલેંડ, હેંગેરી, મેકસીકો, પનામા અને ભારત જેવા ધાર્મીક રાષ્ટ્રવાદી સરકારોને એનએસઓને પેગાસસ સ્પાયવેર વેચીને કામ કરાવી લીધું હતું. આ બધા સરકારોનો માનવઅધિકાર પ્રત્યે નકારાત્મક વલણો જે તે દેશમાં હોવા છતાં તેની પુરી જાણકારી સાથે ઇઝરાયેલની સરકારે સદર સ્પાયવેરનો સોદો કરવામાં લીલી ઝંડી દેખાડી હતી.

8.       ઇઝરાયેલ પોતે સારી રીતે સમજી ગયું હતું કે અણુબોંબ કરતા પેગાસસ સ્પાયવેર વૈશ્વીક દેશોમાં ઇચ્છે તે રાષ્ટ્રોને સસ્તામાં, સરળતાથી, મોટા પાયે માનવસંહાર સીવાય સિવાય દેશની અંદર સત્તા ટકાવવા, હરિફ પરિબળોને નામશેષ કરવા, સહેલાઇથી તેનો પુરવઠો પુરો પાડવા સમય જતાં એક જબ્બરજસ્ત હથીયાર બનીને ઉભરી રહેવાનું છે. વીશ્વના અમેરીકા જેવા દેશોને પણ આ સત્ય સરળતાથી ને સમયસર સમજતાં સમય ગયો હતો.

9.       સને ૧૯૪૮માં ઇઝરાયેલ, એક રાષ્ટ્ર– રાજ્ય તરીકેના જન્મ સામેના વિરોધમાં સમગ્ર આરબ જગતના તમામ દેશો પેલેસ્ટાઇનની તરફેણમાં હતા. ઇઝરાયેલનો એક રાષ્ટ્ર તરીકે ક્યારે વીશ્વના નકશા પરથી નામ ભુંસાઇ જશે તેના દિવસો ગણાતા હતા. આજે આરબ દેશોને સાઉદી એરેબીયાના સહકારથી પેગાસસ સ્પાયવેર વેચીને સીયા– સુન્નીમાં વહેંચીને યુનોમાં પોતાની તરફેણમાં મતદાન કરાવે છે.અંદર અંદર સરળતાથી એક બીજા આરબ દેશોને લડાવી શકે છે. "We will be able to exploit them and reap diplomatic profits."

 

(10) આજે ઇઝરાયેલનો આ સાયબર જાસુસી સ્પાયવેરનો ધંધો મલ્ટીબીલીયન ડોલરનો થઇ ગયો છે. માનવજાત માટે તેના ખતરનાક પરિણામો અનિયંત્રીત બની ગયા છે.( 'This issue is not about Israel's security. It's about something that got out of control.')દા;ત મેક્સીકોના વડાપ્રધાનને સત્તાપરથી લોકોએ ફગાવી દીધા પછી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નીયત્યાહુંને પોતાના દેશમાં કાયમી રાજ્યાશ્રય આપ્યો છે.

(11) ૨૦૧૭ના જુલાઇમાસમાં નરેન્દ્ર મોદી, જે હીંદુરાષ્ટ્રવાદી વિચારસરણીના ખભાપર બેસીને સને ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા હતા. તે ઇઝરાયેલની મુલાકાતે આવ્યા. ભારતદેશ સ્વતંત્ર સને ૧૯૪૭ બન્યો પછી મોદી પહેલા વડાપ્રધાન હતા જેણે ઇઝરાયેલની મુલાકત લીધી.આપણી વીદેશનીતી પેલેસ્ટાઇન–ઇઝરાયેલ–ગાઝાપટ્ટી સંઘર્ષમાં પેલેસ્ટાઇન તરફી હતી. મોદીની ઇઝરાયેલ મુલાકત ખુબજ ઉષ્માભરી, મૈત્રીપુર્ણ પણ આયોજનપુર્વકની નાટયાત્મક હતી. મોદી અને ત્યાંના વડાપ્રધાન નેત્યાનહું ને ખુલ્લાપગે એક સ્થાનીક બીચપર હાથમાંહાથ નાંખીને ચાલતા બતાવાયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન ખુબજ ખુશ એટલા માટે હતા કે મોદીજીએ બે લાખ બીલીયન ડોલરનો(બે કરોડ ડોલર્સ) સોદો પેગાસસ સ્પાયવેર ને મીસાઇલ સિસ્ટીમનો કર્યો હતો.કેટલાક માસ પછી ઇઝરાયેલના વડાપ્રધાને ભારતની મુલાકાત લીધી હતી. મોદી સરકારના યુનોના પ્રતીનીધીએ ઇઝરાયેલના ટેકામાં ને પેલેસ્ટાઇનના માનવઅધિકાર સંસ્થાની વિરૂધ્ધ યુએન ઇકોનીમીક ને સોસીઅલ કાઉન્સીલમાં મતદાન સને ૧૯૪૮ પછી પહેલી વાર કર્યું હતું.(નીચેની અંગ્રેજી મેટરનો ટુંકમાં ઉપરનો ભાવાનુવાદ છે.)

In July 2017, Narendra Modi, who won office on a platform of Hindu nationalism, became the first Indian prime minister to visit Israel. For decades, India had maintained a policy of what it called "commitment to the Palestinian cause," and relations with Israel were frosty. The Modi visit, however, was notably cordial, complete with a carefully staged moment of him and Prime Minister Netanyahu walking together barefoot on a local beach. They had reason for the warm feelings. Their countries had agreed on the sale of a package of sophisticated weapons and intelligence gear worth roughly $2 billion — with Pegasus and a missile system as the centerpieces. Months later, Netanyahu made a rare state visit to India. And in June 2019, India voted in support of Israel at the U.N.'s Economic and Social Council to deny observer status to a Palestinian human rights organization, a first for the nation.

 

(12)  અમેરીકા એક એવો દેશ છે જેણે ઇઝરાયેલની એનએસઓ કુંપનીના પેગાસસ સોફ્ટવેરને બ્લેકલીસ્ટમાં મુકી છે.તેની સાથે કોઇ વ્યવહાર બધી તપાસ કરીને સંપુર્ણ બંધ કરી દીધો છે.એટલું જ નહી પરંતુ અમેરીકાના નાગરીકોના સ્વતંત્ર અધિકારો આ જાસુસી સ્પાયવેરથી સુરક્ષીત રહે તેવી વ્યવસ્થા પણ કરી દીધી છે.

ભારતની સુપ્રીમકોર્ટે ' પેગાસસ સ્પાયવેર'ની મદદથી મોદી સરકારે કરેલા નાગરીક અધીકારોના હનની તપાસ માટે સમીતી બનાવી છે. જોઇએ સદર તપાસમાંથી શું બહાર આવે છે ને તે પણ ક્યારે?


--

Monday, August 8, 2022

Fabricated story for NAMO


 

This is a completely fabricated image, one of many in circulation featuring Prime Minister Modi. All of our factual reporting on Narendra Modi can be found at: https://nytimes.com/topic/person/narendra-modi

Image

 

3:00 PM · Sep 28, 2021·Twitter Web App

અમેરીકાના હાલમાં ગુજરાતી સમાજના સોસીઅલ મીડીયા પર ફરતી થયેલી પોસ્ટ. સામે ન્યુયોર્ક ટાઇમ્સનો તા. ૨૮મી સપટેમ્બર ૨૦૨૧ આશરે એક વર્ષ પહેલાંની કોમેન્ટ.

This is a completely fabricated image, one of many in circulation featuring Prime Minister Modi. All of our factual reporting on Narendra Modi can be found at: https://nytimes.com/topic/person/narendra-modi

 

 હું અમેરીકામાં આવ્યા પછી  તરતજ ન્યુયોર્ક ટાઇમ્સનો ઇઘ પેપરનો દૈનીક ગ્રાહક બની ગયો છુ તેથી ઉપરની હકીકત માટે સીધી તપાસ કરી. તો આ પ્રમાણે જવાબ મલ્યો છે.. સને ૨૦૨૪ માટે ભગતની ઝોળી ખાલી થઇ ગઇ છે. જોઇએ ફાંફાં (વ્યક્તી પુજા કરવાથી-Personality Cult)) મારવાથી કેટલી ભરાય છે.' તેરે દ્રાર ખડા એક જોગી ! ન માગું સોના ચાંદ!!!! ફક્ત માંગુ આપકા

--

Sunday, August 7, 2022

“હીંદુ જીવન પધ્ધતી (Hindu way of life)

 

 " હીંદુ જીવન પધ્ધતી (Hindu way of life)ને તેની સંપુર્ણતા કે સમગ્રતામાં સમજવી હોય તે આપણે શ્રીમદ્ ભગવત ગીતાને સમજવી જોઇએ." ("if there is any one text that comes near to embodying the totality of what it is to be a Hindu, it would be the Bhagavad Gita )પ્રો. જીરાલ્ડ જેમ્સ લાર્સન(1938-2019) ઇન્ડીયાના યુની.માં એક સમયના ઇન્ડીયન કલ્ચર અને સીવીલાઇઝેશનના વિષયના નામાંકિત પ્રાધ્યાપક હતા.( He was the Rabindranath Tagore Professor Emeritus of Indian Cultures and Civilization at Indiana University, Bloomington as well as Professor Emeritus of Religious Studies at the University of California, Santa Barbara.)

ભલે આ પુસ્તકને મહાભારતના યુધ્ધને ધ્યાનમાં રાખીને ' કૃષ્ણ– અર્જુન' વચ્ચે સંવાદ સ્વરૂપે ઓળખવામાં આવે છે; પણ ખરેખર તેમાં તત્વજ્ઞાન, નૈતીક વ્યવહાર(માનવ માનવ વચ્ચે સમાજમાં વ્યવહાર),વ્યક્તીગત ધોરણે મનુષ્ય તરીકે કેવી જીંદગી પસંદ કરવી વિ. મુદ્દાઓની ધ્યાનમાં રાખીને બે પાત્રો વચ્ચે સંવાદ થાય છે. સદર લેખમાં ગીતા એક ગ્રંથ તરીકે ' પવિત્ર ગ્રંથ' કેમ નથી તેની ચર્ચા કરવામાં આવી છે. અંગ્રેજીમાંHoly refers to the divine, that which has its sanctity directly from God or is connected with Him: " HOLY " શબ્દનું ગુજરાતી સાર્થ જોડણી કોષમાં ' ઇશ્વરનું, ઇશ્વર પ્રત્યે ભક્તીવાળુ, દેવાર્પીત, પવિત્ર, નૈતીક અથવા આધ્યાત્મીક દ્રષ્ટીથી શ્રૈષ્ઠ કોટીનું તેવો અર્થ ગણવામાં આવ્યો છે.

  ગીતામાં જે તત્વજ્ઞાન, નૈતીક વ્યવહારો અને કર્મના સિધ્ધાંત વિ.ને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે તેનું આધુનીક જ્ઞાન– વિજ્ઞાન આધારીત મુલ્યાંકન કરવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે.

                                                                             

સામાન્ય રીતે ગીતાની રચના આશરે ૨૪૦૦ વર્ષ પહેલાં( ઇ.સ. પુર્વે ૨૦૦ વર્ષ) થઇ હશે તેમ સદર વિષયના નીષ્ણાતોનો સ્પષ્ટ મત છે. પરંતુ તેનું વર્તમાન સ્વરૂપ સાતમી સદીમાં થઇ ગયેલ આદી શંકરાચાર્યે ૧૮ અધ્યાય ને ૭૦૦ શ્લોકમાં આપી દીધું. જેથી તેના માળખા અને શ્લોકોમાં કદાચ કોઇ ફેરફાર કરે તો પણ તેની સીમારેખાની અંદર કરે. વધારાની એક હકીકત ગીતાના સર્જકે ધ્યાનમાં રાખી હતી કે સંસ્કૃતના વ્યાકરણ ' પાણીનિના વ્યાકરણ' ના નિયમોને આધારે દરેક શ્લોકોની રચના કરવામાં આવી છે. આ વ્યાકરણ આદી શંકરાચાર્યના કાળ પહેલાં તેનો અમલ શરૂ થઇ ગયેલો હતો. દરેક શ્લોકને બે લીટીઓમાં ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે.

ગીતાના સર્જકે 'કૃષ્ણ'ને  ઇશ્વર તરીકે આ પુસ્તકમાં મુકીને સર્વસત્તાધીશ સ્થાને મુકી દીધો છે. તેને માનવ સહિત તમામ જીવો તેમજ બ્રહ્માંડના સર્જક તરીકે ગણાવી દીધા છે. દરેકનું ભાવી આ ગીતાના નાયકે નક્કી કરી દીધુ છે. તે પુર્વનીર્ણીત છે. માનવીના( મારા– તમારા)પ્રયત્નોથી તેમાં કોઇ ફેરફાર થઇ શકે નહી! આ વિચારસરણીના ટેકામાં ગીતામાં નીચે મુજબના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે.

(1) ચારવર્ણનું સર્જન મેં કરેલ છે.અધ્યાય–૪ શ્લોક ૧૩ થી ૧૫.

(2) શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે.' નહ્નયતે, નૈન છિન્દન્તી–અધ્યાય–૨–શ્લોક– ૨૦ થી ૨૫ ' જગત મિથ્યા– બ્રહ્મ સત્ય– શરીરથી આત્માના સ્વતંત્ર અસ્તીત્વનો ગીતાના તત્વજ્ઞાનમાં સ્વીકાર..

(3) તેના ટેકામાં પુર્વજન્મ– વર્તમાન જન્મ– પુનર્જન્મ– ૮૪લાખ યોની– મોક્ષ– સ્વર્ગ– નર્ક– પાપ–પુન્યની અંધશ્રધ્ધા વિ નો ઉપયોગ કર્મની થીયેરી ના બચાવ માટે.

(4) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન– નિષ્કામ કર્મ– સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં કર્મ– કર્મ યોગીનો આદર્શ( ખાસ કરીને શુદ્રો અને સ્રીઓએ વળતરની અપેક્ષા વિના– વિદ્રોહ કર્યા વિના જીંદગીભર કામ કરવાનું. અધ્યાય– ૨/શ્લોક–૪૭ થી ૫૮.

(5) સંશયી આત્મા વિનશ્યતી– સંશયી આત્માનો વિનાશ થાય છે.' વીધર્મી તથા નાસ્તીકો સંશયી આત્માઓ(?) છે. " મારા ઉપદેશોમાં શંકા રાખનારા( શરણાગતી નહી સ્વીકારનારા)માનવીઓ ક્યારેય પરમગતી(?)ને પામતા નથી." અધ્યાય–૪– શ્લોક–૪૦.

(6) ગીતાના સર્જકે 'કૃષ્ણ' ને સર્વસત્તાધીશ સર્જક–સંચાલક– સંહારક– ત્રિકાળ જ્ઞાની સાબીત કરવા ફક્ત અર્જુનને જ દેખાય(!) તેવું 'વીશ્વબ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવતા નથી પણ તેના દર્શન કરાવે છે. સાથે સાથે માનવ માત્રની નિયતી પુર્વનીર્ણીત છે તેના પુરાવા તરીકે કૌરવપક્ષના તમામ ભીષ્મપીતા– દ્રોણાચાર્ય, દુર્યોધન વિ ના મૃતશરીરો પણ પેલા 'દીવ્યસ્વરૂપ' સાથે બતાવી દેવામાં આવે છે. અધ્યાય–૧૧– શ્લોક ૧૦,૩૨,૩૩, ૪૩થી ૪૭.

(7) દરેક માનવીમાં પ્રકૃતીજન્ય ત્રણ ગુણો હોય છે. સત્વ, રજસ અને તમસ. પણ દરેકમાં તે સમાન પ્રમાણને બદલે વત્તા ઓછા પ્રમાણમાં હોય છે. અધ્યાય–૧૪.

(8) ગીતામાં તે જમાનામાં પ્રચલીત હીંદુ વીચારપધ્ધતીના જુદા જુદા મુખ્ય ત્રણ પ્રવાહોનું જ્ઞાન, કર્મ ને ભક્તી માર્ગોનો સમન્વય છે.

     ગીતાના તત્વજ્ઞાનને સમજવા ખુબજ સંક્ષીપ્તમાં મેં ઉપરના મુદ્દાઓને સરળતાથી સમજાવાની કોશીષ કરી છે. છેલ્લા આશરે ૨૫૦૦ વર્ષ કરતાં વધારે સમયથી હીંદુ સમાજ વ્યવસ્થાનો પીંડ ગીતાના વિચારોને અમલમાં મુકવાથી બંધાયો છે. જે નીર્વીવાદ છે. જેના પરીણામોમાંથી આજે પણ હીંદુ સમાજ કે પ્રજા બહાર નીકળી શકી નથી. તેનું ક્રમશ પણ ટુંકમાં પૃથ્થ્કરણ કરીએ.

(અ) તત્વજ્ઞાનીય દ્રૈતવાદ– ( Philosophical Dualism). ગીતામાં આત્મા( Soul or spirit) અને શરીર( Body or matter) બંનેને સ્વતંત્ર એકમ ગણવામાં આવ્યા છે. તેને આધારે સમગ્ર ગીતાનો પીરામીડ ઉભો કરવામાં આવ્યો છે. વૈદીક ને ઉપનીષદ કાળથી ભારતીય તત્વચિંતનમાં અદ્રૈતવાદ( ભૌતીકવાદ) ને દ્રૈતવાદ નામે બે વીચારસરણીઓના પ્રવાહો સમાંતર ચાલુ હતા. લોકાયન,ચાર્વાક વી. ભૌતીકવાદી ચીંતન પ્રણાલીના ટેકેદારો હતા. તેની સામે અન્ય ચીંતન પ્રણાલીઓ( મીમાંસાઓ) દ્રૈતવાદી હતી.

(બ) લોકાયન અને ચાર્વકનું તત્વચીંતન સંપુર્ણ ભૌતીકવાદી હતું. ' શરીર ને આત્મા જુદા નથી. શરીરના અંત સાથે આત્માનો નાશ થાય છે.' માનવીય પ્રશ્નો દુન્યવી અને આ જન્મમાં પેદા થાય છે. તેના ઉપાય પણ આ જીવનમાંથી જ શોધી શકાય. માનવીય સમસ્યાઓ ક્યારેય પુર્વનીર્ણીત હોતી નથી. જીવનનો હેતુ શરીર દમનનો નથી.વી.

(ક) ગૌતમ બુધ્ધે ભારતીય ચિંતનની આ ભૌતીકવાદી પ્રણાલીને આધારે રાજ્યવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ઉભી કરી. તે માનવકેન્દ્રી હતી, ઇશ્વરકેન્દ્રી ન હતી. તેમાં માનવને સમર્થ અને સશક્ત બનાવવાની જબ્બરજસ્ત વૈચારીક સ્વયંભુ નીહીત તાકાત હતી.તેથી તાર્કીક રીતે બુધ્ધની ચિંતન પ્રણાલીમાં માનવમાત્ર એક હતા માટે સમાન હતા.સમાજની વહેંચણી અને કામ વર્ણ આધારીત ન હતી. માનવીનું ભાવી તેના જન્મ પહેલાં ઇશ્વરના દરબારમા નક્કી થઇને આવતું ન હતું. બુધ્ધે રાજાશાહીની સામે ગણરાજ્ય–લીચ્છવી ગણ રાજ્યો– (City State) નાગરીક કેન્દ્રી નવી વ્યવસ્થાને જન્મ આપ્યો. સદર ભૌતીકવાદી ચીંતનમાં(Philosophical Materialism) કુદરત અને માનવીને કુદરતનો એક ભાગ ગણીને(ગીતાના કૃષ્ણ સર્જીત નહી) દુન્યવી પ્રશ્નો ઉકેલવાની બૌધ્ધીક ચાવી તેની પાસે હતી. માટે જ બુધ્ધના સમગ્ર કાળમાં 'નાલંદા– તક્ષશીલા' વૈશ્વીક સ્તરના જ્ઞાન–પિપાસાના કેન્દ્રો બની ગયા હતા.

(ડ) આદી શંકરાચાર્યની ' જગત મિથ્યા બ્રહ્મ સત્ય 'દ્રૈતવાદ' આત્મા અને શરીરના સ્વતંત્ર અસ્તીત્વના ટેકાવાળી ' ગીતા' પુરૂષકૃત ચાર–વર્ણ વ્યવસ્થાવાળી વીચારસરણીએ બુધ્ધ પ્રેરીત ભૌતીકવાદી ક્રાંતીની કસુવાડ કરી નાખી દીધી હતી. બુધ્ધના વિચારોના બુંદ પણ દેશમાં ન રહે ત્યાંસુધી હીંસાત્મક સાધનો ઉપયોગ કરવામાં બ્રાહ્મણવાદીઓને છોછ ન હતો.

(ઇ) ૨૫૦૦ વર્ષ પછી સને ૧૯૪૭માં અને ખાસ કરીને સને ૧૯૫૦માં ભારતે એક અડધી રાત્રે ફરીથી પેલી પોતાની ભાગ્યવીધાતાને પડકાર આપી ' પોતે જ પોતાના ભાગ્યવીધાતા બનવા– બનાવવા પોતાની જાતને સમર્પીત કરી.

(ફ) ગીતા–પુજક= કૃષ્ણપુજક ભારતીય પ્રજાએ આઝાદીના ૭૫ વર્ષ પુરા થાય પહેલાં જ સને ૧૯૫૦થી શરૂ થયેલી ભૌતીકવાદી– માનવવાદી ક્રાંતીની કસુવાડ કરવા માટે ' સુપરમેન' અને તેના લશ્કરને સુસજ્જ અને સંપન્ન કરવામાં કશું બાકી રાખ્યુ હોય તો મને જણાવવા વીનંતી છે!

 


--

Tuesday, August 2, 2022

No man is the holy man.



--
Bipin Shroff

No man is the holy man.

કોઇ માણસ પવિત્ર માણસ નથી.

 No book is the holy book.

કોઇ પુસ્તક પવિત્ર પુસ્તક નથી.

 No place is the holy place.

કોઇપણ સ્થળ પવિત્ર સ્થળ નથી.

By Taslima Nasrin. તસલીમા નસરીન.


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Sunday, July 31, 2022

“અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

 

 

"અમારાથી થયેલ સાંસ્કૃતીક નરસંહારને તમે ભુલી જાવ! (FORGET),

મારા ધર્મના પ્રતિનિધિઓ દ્રારા થયેલ કેનેડાના મુળનિવાસીઓ પરના હજારોની સંખ્યામાં બાળકો પર થયેલ હિંસક અત્યાચારો માટે દરગુજર કરો.(Forgive)"

ઉવાચ– પોપ ફ્રાન્સીસ, સમગ્ર વિશ્વના રોમન કેથોલીક ખ્રીસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ.

કેમ?

(1)          તા. ૨૪થી ૩૦મી જુલાઇ સુધી પોપ ફ્રાન્સીસ ઇટાલીના વેટીકન સીટીથી(સાર્વભોમ દેશમાંથી) ખાસ વિમાન દ્રારા કેનેડા આવે છે. આ યાત્રાનું ખાસ નામ 'પ્રાયશ્ચીત યાત્રા' ("pilgrimage of penance") રાખવામાં આવ્યું છે. કેવું રૂપાળું, સુંવાળુ અને અહીંસક નામ યાત્રા માટે પસંદ કરવામાં આવ્યું છે. " A wolf in a dress of the Lamb."

(2)          કેનેડાના મુળનિવાસી(Indigenous people)ના બાળકો એક સમયે જે સ્કુલ– કમ હોસ્ટેલ(રેસીડેન્સીઅલ સ્કુલસ) ગુરૂકુલ! માં રહેતા હતા.સને ૧૮૩૧થી ૧૯૯૬ સુધીમાં આશરે ૧,૫૦,૦૦૦ કરતાં પણ વધારે બાળકોને ગુમ કરી દેવામાં આવ્યા હતા. હકકીતમાં મારી નાંખવામાં આવ્યા છે. તે બધાના નામથી માંડીને તમામ ઓળખના પુરાવા નાબુદ કરી દેવામાં આવ્યા છે. તે બધામાંથી કેટલાકની સામુહીક કબરોના પુરાવા મલ્યા છે. આ બાળકો જાતીય શોષણ, બળાત્કાર અને કુપોષણનો ભોગ બન્યા હતા.(He was making a "pilgrimage of penance" to help heal the wrongs done to indigenous people by Roman Catholic priests and nuns who ran abusive residential schools linked to deaths of thousands of children.)

(3)          કેનેડાની સદંતર મુળનિવાસી પ્રજાનો નરસંહાર કરવાની માહિતી કેનેડામાં સને ૨૦૧૫માં નીમવામાં આવેલા તપાસ પંચ ' Canada's Truth and Reconciliation Commission' દ્રારા મલી છે. ગયા વર્ષે, કેનેડાના એક પ્રાંત બ્રિટીશ કોલમ્બીયામાં ૨૧૫ બાળકોના અવશેષોની કબરો મલવાથી પોપને સદર 'પ્રાયશ્ચીત યાત્રા' કરવાની મજબુરી ઉભી થઇ છે તેમ તારણ કાઢવું ખોટું નથી. ત્યારબાદ સમગ્ર દેશમાં આવા શંકાસ્પદ કબરસ્થાનો શોધી કઢાતાં હજારો બાળકોના મૃતઅવશેષો મલ્યા છે. Since then, the suspected remains of hundreds more children have been detected at other former residential schools around the country.આ તપાસ પંચે સદર કૃત્યને 'સાંસ્કૃતીક નરસંહાર'તરીકે જાહેર કર્યો હતો.

(4)           યુએસએમાં પણ સ્થાનીક મુળનિવાસી પ્રજા 'રેડ ઇન્ડીયન' નો નરસંહાર રોમન કેથોલીક ચર્ચના પ્રતિનીધીઓ દ્રારા જુદી રીતે કરવામાં આવ્યો નથી.

(5)           રોમન કેથોલીક ધર્મે વિશ્વભરના તમામ ખંડોની મુળનીવાસી પ્રજાનો નરસંહાર કરવાનો ધાર્મીક કરાર સોળમી સદીમાં, તે પણ લેખીત વેટકીન સિટીમાંથી પોતાના દસ્તાવેજો પર મહોર લગાવીને સહી સીકકા કરીને કરેલો છે. જે આજેપણ ઐતીહાસીક દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે.જેનો ફોટો પણ ગુગલસર્ચમાંથી વીકીપીડીયાની શોધથી સરળતામાં પ્રાપ્ત છે.

(6)          'WHAT'S AN APOLOGY?' We don't need an apology. We need action,'" Cameron said.

વૈશ્વીક સ્તર પર ' ફેડરેશન ઓફ સોવિરીયન ઇન્ડીજીનીયસ નેશન્સ 'ના વડા બોબી કેમેરોને પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આ વર્ષના એપ્રીલ મહીનામાં એક અઠવાડીયા સુધી પોપ ફ્રાન્સીસ સાથે વેટીકન સીટીમાં મુલાકાતો કરી. પોપને શક્ય તેટલા પુરાવા સાથે ' ઇશુનો પ્રેમનો સંદેશો, તારા પડોશીને તું તારી માફક પ્રેમ કર' વિ. નૈતીક ઉપદેશોના પરિણામોની વાસ્તવીકતા બતાવી. પછી સવાલ કર્યોં  તમારી માફી કઇ બલા છે? અમારી વિશ્વભરની સાતેય ખંડોમાં સ્થાયી થયેલી મુળનિવાસી પ્રજા પર તમારો ઘા એટલો ઉંડો, સર્વસ્વ વ્યાપી ગયેલો અને ક્યારેય તે રૂઝી શકે તેમ નથી! કયા મલમ પટ્ટાથી તમે દુરસ્ત કરવા, મટાડવા નીકળ્યા છો?

 

(7)          Some indigenous leaders also want the Catholic Church to renounce a 15th-century colonial doctrine that justified dispossessing indigenous people, issued as papal bulls or edicts.

(8)          પોપ ફ્રાન્સીસ કેનેડામાં આશરે દસથી બાર સ્થળો પર પોતાના ધર્મઉપદેશોની સમુહ સભા રાખવાના છે. પોપે કેનેડાના મુળનીવાસીઓના પુન;વર્સન માટે ૩૦ મિલીયન કેનેડીયન ડોલરનું ફંડ એકત્ર કરવાની જાહેરરાત કરી દિધી છે. સમગ્ર કેનેડાના પોતાના રોમનકેથોલીક સંપ્રદાયના કેન્દ્રીત– વિકેન્દ્રીત બિશપો આ ' પવિત્ર' કામ કરવા મેદાને પડી ગયા છે. કેનેડાના બિન– મુળનિવાસી તમામ રોમન કેથોલીક ઇમિગ્રન્ટસે વિ.એ (Genuine Beneficiaries of Roman Catholic policies) ૩ મીલીયન કેનેડીયન ડોલર્સ એકત્ર કરીને પોપના પવિત્ર ચરણોમાં સમર્પીત કરી દીધા છે.

(9)          કેનેડામાં રોમન કેથોલીક ખ્રીસ્તી સંપ્રદાયની જમીની સ્થિતી– એક જમાનમાં કેનેડાની કુલ વસ્તીમાંથી ૪૦ ટકા પ્રજા નિયમીત ચર્ચમાં જતી હતી. હાલ ફક્ત પાંચ ટકા પ્રજા ચર્ચમાં જાય છે. કેનેડાના ક્યુબેક પ્રાંતમાં મોટાભાગના ચર્ચો ફક્ત એક ડોલરમાં વેચવામાં આવ્યા છે. સદર ચર્ચોમાં હાલ બટર, ચીઝ, ના ઉધ્યોગો, કોલેજના પુસ્તકલયો, જીમ, સ્પા, બ્યટી પાર્લર વિ ધંધા – ઉધ્યોગ ચાલે છે. 


--

Friday, July 29, 2022

શું વિદેશમાં ઠરીઠામ થયેલા દેશી બંધુઓ




શું વિદેશમાં ઠરીઠામ થયેલા દેશી બંધુઓ હિંદુ સંપ્રદાયો, અને હિંદુ પુનઉત્થાનવાદી સંસ્થાઓ માટે દુઝણી ગાયો જ છે? ( આ નોંધ- મારા સાથી રમેશભાઇ સવાણીના સ્વામીનારાયણ સંપ્રદાયના તાજેતરના લેખના સંદર્ભમાં વાંચવા ને સમજવા વિનંતી છે. તે લેખ Cut-paste-copy  મારા આ લેખ નીચે સાદર રજુ કર્યો છે.)

અમેરીકા અને બીજા પશ્ચીમના દેશો( ઓસ્ટ્રેલિયા– ન્યુઝીલેંડ સહીત સમજવું)માં ઠરીઠામ થયેલા ભારતીયો ને ખાસ કરીને ગુજરાતીઓ, હિંદુ સંપ્રદાયો અને આર એસ એસ, વિશ્વ હિંદુપરિષદ, બજરંગ દળ જેવી અનેક નામી– અનામી સંસ્થાઓ માટેની દુઝણી ગાયો છે. ગોરી પ્રજાએ પાંચસો વર્ષ સુધી એશીયા,આફ્રીકા અને દક્ષિણ અમેરીકાના દેશોની પ્રજાઓની સંપત્તી– સાધનો લુંટી ગયા અને માલેતુજાર થયા હતા. આ બધા હિંદુસંપ્રદાયો, તેના સંચાલકો અને પેલી હિંદુ ધર્મ અને તેની સંસ્કૃતીના પુન;ઉધ્ધારના નામે અમેરીકા અને અન્ય પશ્ચીમના દેશોમાં ફુલીફાલેલી સંસ્થાઓનો જુદો ધંધો લેશ માત્ર નથી નથી જ. ગોરા શોષણખોરોની ચામડી રંગને કારણે ગાંધીજી જેવા તે બધાને ઓળખી ગયા. અહીયાં, પશ્ચીમી દેશોમાં યુવાન ભારતીય બૌધ્ધીકૌ ( કહેવાતા બૌધ્ધીકો અંદરથી હિદુત્વવાદીઓ) જે પોતાની શૈક્ષણીક કુશળતાને આધારે ' સેલેબેલ કોમોડીટી' વેચાણપાત્ર ચીજવસ્તુ' તરીકે  અહીંયા આવ્યા છે, ઠરિઠામ વર્ષોના સખત પરીશ્રમ બાદ થાય છે. તેની મહામુલી બચત ધર્મ, સંપ્રદાય, હિંદુ સંસ્કૃતીને ( આધ્યાત્મિક સંસ્કૃતી પશ્ચીમી ભોગવાદી નહી,) ના લોભામણા નામે ઉસેડી જવાનો( ભેગુ– એકઠુ કરી લેવાનું) ધંધો પેલા ગોરાશોષણખોર કરતાં ખુબજ લુચ્ચાઇપુર્વક, " મૃત્યુ પછી  વીમો પાકે પણ તેનું પ્રીમીયમ જીવતા જીદંગીભર આપ્યા કરવાની ગળથુથી સાથે અને શરતે" આ બધા દેશોમાં ફુલી ફાલ્યો રહયો છે. ગોરી સલ્તનતોના શોષણનો ચરખો વિશ્વભરમાં પાંચસો વર્ષ ચાલ્યો. દેશી ધર્મો,સંપ્રદાયો અને સંસ્કૃતીઓના જુમલેબાજ ઉધ્ધારકોનો માનવીય શોષણનો ચરખો કેટલી સદીઓ સુધી હજુ ચાલશે?

(Ramesh Savani)

  · 

સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું ભયંકર અપમાન કરે છે !

દેશ-વિદેશમાં સ્વામિનારાયણ મંદિરો એક ઈન્ડસ્ટ્રીઝની જેમ વિકસી રહ્યા છે ! સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેક ફાંટાઓ છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર-વિમુખ કરેલ BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા મૂળ સંપ્રદાયને પછાડીને આગળ નીકળી ગઈ છે. ભક્તો પોતાના સંપ્રદાયને 'સ્વામિનારાયણ ધર્મ' તરીકે પણ ઓળખાવે છે ! ગુજરાત સિવાય ભારતના લોકો 'સ્વામિનારાયણ ભગવાન'ને ઓળખતા નથી; એટલે વિદેશોમાં સ્વામિનારાયણ મંદિરને 'હિન્દુ ટેમ્પલ' તરીકે ઓળખાવે છે ! 24 જુલાઈ 2022ના રોજ એક મિત્રના આગ્રહવશ અમેરિકાના ન્યૂજર્સી Robbinsville સ્થિત BAPS મંદિરની મુલાકાત લીધી. સવારના 10:48નો સમય હતો. રવિવારના કારણે મંદિરમાં 1000થી વધુ લોકોની ભીડ હતી. મૂર્તિઓ આડે પડદા હતા; થોડીવારે એ પડદા ખૂલ્યા અને આરતી શરુ થઈ ! 'સ્વામિનારાયણ ભગવાનની' જય બોલાતી હતી. ક્યાંય કૃષ્ણ/રામ/શિવનું નામ બોલાતું ન હતું ! મંદિરમાં રામ-સીતા; રાધા-કૃષ્ણ; શંકર-પાર્વતીની નાની મૂર્તિઓ હતી; મુખ્ય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામિની હતી; જે મોટી હતી ! સહજાનંદ સ્વામિનું (3 એપ્રિલ 1781 / 1 જૂન 1830) મૂળ નામ ઘનશ્યામ પાંડેય હતું.

સહજાનંદ સ્વામિએ 1826 માં શિક્ષાપત્રી લખી હતી. તેના શ્લોક નંબર-108/ 110/ 113/ 115/ 147નો અહીં સ્પષ્ટપણે ભંગ થતો હતો ! શ્લોક-108 કહે છે : 'શ્રીકૃષ્ણ ઈશ્વર છે; તે આપણા ઈષ્ટદેવ છે; ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વે અવતારના કારણ છે !' શ્લોક- 110માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણને નરનારાયણ એ નામે જાણવા.' શ્લોક-113માં જણાવ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ પૃથ્વી ઉપરના સર્વે મનુષ્યે કરવી. આ ભક્તિ સિવાય બીજું કલ્યાણકારી સાધન નથી, એમ જાણવું.' શ્લોક-115માં લખ્યું છે : 'શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. મનુષ્ય તથા દેવાદિક જે જીવ છે; તે તો શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તોપણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું !' શ્લોક-147 કહે છે : 'સત્સંગીઓએ પોતાના પરિશ્રમથી જે ધનધાન્યાદિક હાંસલ કરેલ હોય તેમાંથી દસમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો.' આ બધા શ્લોક દર્શાવે છે કે ખુદ સહજાનંદ સ્વામિએ શિક્ષાપત્રીમાં જે આદેશો કર્યા છે; તેનાથી ઉલટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ/ભક્તો કરી રહ્યા છે ! જો શ્રીકૃષ્ણ ભગવાન સર્વે અવતારીના ઈશ્વર હોય તો સહજાનંદ સ્વામિના/સંપ્રદાયના ગુરુઓના/ભક્તોના ઈશ્વર કહેવાય કે નહીં? જો શ્રીકૃષ્ણ સર્વોચ્ચ ઈશ્વર હોય તો મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની જ આરતી કેમ? સ્વામિનારાયણ ભગવાનનો જ જયઘોષ કેમ? સહજાનંદજીની મૂર્તિ કરતા રામ/શિવની મૂર્તિ નાની હોય તે સનાતન ધર્મનું ભયંકર અપમાન નથી? શું આ 'સર્વે અવતારના કારણ' શ્રીકૃષ્ણનું અપમાન નથી? ખુદ સ્વામિનારાયણ ભગવાન હયાત હતા; ત્યારે દેશ ઉપર અંગ્રેજો શાસન કરતા હતા; તેમની વિરુદ્ધ એક શબ્દ પણ કેમ બોલ્યા નહીં હોય?

આ મંદિરમાં સફેદ મારબલ વપરાયો છે; અમેરિકાના હવામાનના કારણે મારબલ ઝાંખો ન પડી જાય તે હેતુથી સમગ્ર મંદિરને વિશાળ ટ્રક્ચરથી ઢાંકી દીધું છે ! સવાલ એ છે કે સહજાનંદ સ્વામિ/સ્વામિનારાયણ ભગવાન પોતાના મંદિરનો મારબલ ઝાંખો થતો રોકી શકતા નથી; એટલું ભક્તો કેમ વિચારતા નહીં હોય?rs)

 

 


 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Wednesday, July 27, 2022

Re: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ

બીગ બ્રધર ઈઝ વોચિંગ યુ ની ગંભીર ફરિયાદ તો ઉપરાષ્ટ્રપતિપદનાં યુપીએનાં ઉમેદવારે કરી છે. તેમના ફોન અને તેમને ફોન કરનારના ફોન પણ નજરમાં રખાય છે! પેગાસસ માટે ભલે જવાબ આપવામાં નટસમ્રાટ મોદીએ નાદારી નોંધાવી, પણ કામગીરી તો ચાલુ જ છે!
***
ખાદી વાળાને લટકાવી પોલિયેસ્ટર ત્રિરંગા અંદાજે બે કરોડ એકલા ગુજરાતમાં ફરકાવવાનું લક્ષ્ય છે. એક ધ્વજની કિંમત રૂ. ૨૫ રખાઈ છે.
રાષ્ટ્રીય પ્રતીકોનું મોદીકરણ થઈ ચૂક્યું છે. તાજેતરના સિંહના રાષ્ટ્રીય પ્રતીક ક્રૂર ને ઘાતકી દર્શાવી પોતાની માનસિકતા જાહેર કરી હવે માફીવીરના જર્મન  રાષ્ટ્રવાદના પ્રતીક એવા પોલીયેસ્ટર ધ્વજ લાવ્યા છે.
૨૦૨૪ પછી બેવડા ત્રિકોણ વાળો ભગવો લહેરાવાય તો તો હિંદુ રાષ્ટ્રના વૈશાખનંદનો  ખુશાલીમાં આળોટીને ગર્દભગાન કરતા નિહાળવા મળશે!
***
ભારતવર્ષ, આનંદો! મુંગેરીલાલ મોદીકે હસીન સપને ક્રમશઃ સાકાર હો રહે હૈં!

From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Sent: Tuesday, July 26, 2022 5:21:10 PM
To: shekhar.shroff.manavvad@blogger.com <shekhar.shroff.manavvad@blogger.com>
Subject: બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ
 

 

બીગ બ્રધર ઇઝ વોચીંગ યુ !

 ( હિટલરનો વિજય થાવ)  "Heil Hitler!" (Hail Hitler!),મારા નેતાનો વિજય થાવ!"Heil, mein Führer!

સને ૧૯૩૦થી ૧૯૪૫ જર્મનીના દરેક નાગરીકે જ્યારે પણ એક બીજાને મળવાનું થાય ત્યારે અભિનંદન કે આવકાર આપવા ઉપરના શબ્દો વ્યક્ત કરવા નાગરીકની ફરજ બની ગઇ હતી. ન બોલવું તે ક્રીમીનલ ગુનો બની ગયો હતો. દરેક ઘરમાં બાળકોને રાષ્ટ્રવાદનું અફીણ એવું પીવડાવવામાં આવેલું હતું કે  રાષ્ટ્રીય વફાદારી સાબીત કરવા ' પોતાના મા–બાપ દિવસમાં કેટલી ઓછીવાર અથવા બિલકુલ નથી બોલતા અથવા આ સુત્રની ટીકા– કે નિંદા કરે છે ' તેની નોંધ કરીને સ્થાનીક પક્ષની ઓફીસમાં બાળકો રાષ્ટ્રીય વફાદારીના માપદંડ તરીકે હોંશે હોંશે જણાવતા. દરેક ઘર ઉપર રાષ્ટ્રનો ધ્વજ ' સ્વસ્તિક' બધા જ જોઇ શકે તે રીતે પ્રદર્શીત કરવો ફરજીયાત હતું.  જર્મનીના દરેક શહેરની દરેક શેરીમાં રાષ્ટ્રના દુશ્મનોની ઓળખ ' જેવી કે સમાજવાદી, સામ્યવાદી, બૌધ્ધીક, વૈજ્ઞાનીકો, યહુદી વિ. કે પહેચાન નકકી કરી  દેવામાં આવી હતી. સ્થાનીક પક્ષની કચેરીના બાહુબલીઓને તે બધા ' દેશના દુશ્મનોનો' ન્યાય કરવા ' સર્વોચ્ચ બીગ બ્રધર' તરફથી સુચના (હુકમ) સાથે તમામ સજ્જતા આપી દેવામાં આપી હતી. જર્મનીના પાટનગર બર્લીન રેડીયો પર થી જાહેર કરવામાં આવ્યું હતું કે ' દેશનો એક નંબરનો દુશ્મન આલબર્ટ આઇનસ્ટાઇન છે. કારણ કે તે જન્મે યુહુદી છે.'

૨૪મી જુલાઇના ઇન્ડીયન એકપ્રેસના શ્રીનગરથી જમ્મુ– કાશ્મીર રાજ્યના નીચે મુજબના સમાચાર છે.

આગામી ૧૫મી ઓગસ્ટે આશરે વીસેક દિવસ પછી ' ભારત સરકાર' નો આઝાદીના ૭૫ વર્ષ પુરાં થતાં

" હર ઘર ઘર પે ત્રિરંગા" નો રાષ્ટ્રપ્રેમ કેળવવા માટેનો દેશ વ્યાપી કાર્યક્રમ શરૂ થવાનો છે. તેની સફળતા એ સાહેબ માટેની સફળતા! તેને સફળ બનાવવામાં સહેજ પણ કચાશ કેવી રીતે રખાય?

(1)    અનંતનાગના મુખ્ય જીલ્લા શિક્ષણ અધીકારીએ  જીલ્લાની તમામ શાળાઓના બધા જ શિક્ષકો અને વીધ્યાર્થોઓને પરિપત્ર દ્રારા જણાવી દીધું હતું કે ' રૂપીયા ૨૦/ ચુકવીને ત્રિરંગો લઇ લેવો.( On Friday, the Anantnag Chief Education Officer (CEO) Rs.20/ fee.)

(2)     આજ જીલ્લાના વહીવટી તંત્રે સમગ્ર જીલ્લામાં લાઉડસ્પીકર ફેરવીને જાહેર કર્યું કે – અનંતનાગ જીલ્લાના દરેક અનાજ– કરીયાણા વિ લાયસન્સ ધરાવનારા વેપારીઓએ આ હુકમથી રૂપીયા ૨૦/ જમા કરાવી દેવા. તંત્રની ખફા મરજીમાંથી બચવા આ વિધી પતાવી દેવી. બીજબેરા નામના તાલુકા શહેરમાં વેપારીઓને સોમવારે બપોર સુધીમાં નાણાં જમા કરાવવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.( "By order of the Anantnag District Administration, every shopkeeper is asked to deposit Rs20 in the office that gives them trade license. It is possible that one who doesn't deposit Rs 20 can face action. So to save themselves and complete this formality, they should deposit Rs20." The announcement for shopkeepers was made from a loudspeaker-equipped vehicle in the district in South Kashmir.  In Bijbehara town of the district in south Kashmir, shopkeepers were told to deposit the money by Monday noon.)

(૩) બડગામ જીલ્લાના મુખ્ય શિક્ષણ અધિકારીએ પોતાના દરેક ઝોનલ અધિકારી, સ્ટાફ અને વિધ્યાર્થોને પ્રતિ વિધ્યાર્થી દીઠ રૂ– ૨૦/ એકત્ર કરવાની સુચના આપી છે. જે ઘરમાંથી એક કરતાં વધારે વિધ્યાર્થી શાળામાં ભણવા આવતા હોય તો ફક્ત ઘર દીઠ વીસ રૂપીયા પણ ચાર દિવસમાંજ ભેગા કરી લેવા.

(૪) આ બધા જ પરિપત્રો અને વિડીયો વાયરલ થતાં સબંધીત તમામ અધિકારોએ ' પોતાના હાથ ઉંચા કરી દિધા છે.' અમે કોઇએ આવા પરિપત્રો બહાર પાડયા નથી. અમે જીપગાડી પર લાઉડસ્પીકરથી આવી જાહેરત કરવાની કરી જ નથી. જે કોઇ એ કાયદો હાથમાં લઇને આ કામ કર્યું છે તે બધાને અમે સસપેંડ પણ કરવા માંડયા છે.

(૫)  જમ્મુ અને શ્રીનગરના ભુતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મૂફ્તીએ પોતાના રાજ્યના વેપારીઓ, વીધ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને સત્તાની રૂએ જાણે રાષ્ટ્રપ્રેમ કોઇ ઉપરથી લાદવા જેવો સદ્ગુણ હોય તે અભીગમનો સખ્ત વિરોધ કર્યો હતો.

(૬) વિશ્વમાં કોઇ દેશના નાગરીકોનો રાષ્ટ્રપ્રેમ સત્તા અને બંદુકની અણીએ જો ઉત્પન્ન કરી શકાતો હોય તો હિટલર, મુસોલીની ને સ્ટાલીનની આવી બુરી હાલતો ન થઇ હોત!

 સૌ. ઇન્ડીયન એકપ્રેસ તા. ૨૪–૦૭–૨૨. ટુંકાવી ને કરેલો ભાવાનુવાદ.

          

 

 


--