Sunday, March 12, 2023

ચાર્વાક દર્શન ભાગ– ૨. ચાર્વાક દર્શનમાં ઇશ્વરનો ખ્યાલ–


 

ચાર્વાક દર્શન ભાગ– ૨. ચાર્વાક દર્શનમાં ઇશ્વરનો ખ્યાલ–

અભ્યાસની દ્ર્ષ્ટીએ ઇશ્વરના ખ્યાલને ત્રણ ભાગમાં વહેંચી શકીએ. એક,ઇશ્વરવાદી, બીજા નાસ્તીકને ત્રીજા અનિઇશ્વરવાદી. ચાર્વક દર્શન પ્રમાણે જે લોકો વેદોને સત્યના પ્રમાણ તરીકે સ્વીકારતા નથી તે નાસ્તીક છે.દા:ત સાંખ્ય દર્શન આસ્તિક દર્શન છે. તે વેદોને પ્રમાણીતતાને સ્વાકારે છે. પણ ઇશ્વરના અસ્તીત્વનો સ્વીકાર કરતું નથી.ઇશ્વરના અસ્તીત્વ અંગેની ચર્ચા માનવીના અસ્તીત્વ સાથે પ્રારંભ થઇ છે. જે આજે પણ ચાલુ છે. ને નજીકના ભવિષ્યમાં પણ તે ચર્ચાનો અંત દેખાતો નથી.

ઇશ્વરવાદી– (અ) એક એવી શક્તિ જે બ્રહ્માંડને નિયંત્રિત કરે છે.સામાન્ય રીતે દર્શનશાસ્રમાં તેને વ્યવસ્થા પર આધારીત તર્ક તરીકે ઓળખવામાં આવે છે. જો આ વ્યવસ્થા આધારીત નિયમબધ્ધ રીતે બ્રહ્માંડનું સંચાલન થતું હોય તો તેનું સંચાલન કરનાર તો કોઇ હશે ને? સંચાલન કરનાર સિવાય કેવી રીતે સંચાલન શક્ય બને? તો સદર સંચાલન કરનાર ઇશ્વર સિવાય બીજું કોઇ કેવી રીતે હોઇ શકે?(બ) કાર્યકારણનો સિધ્ધાંત–પ્રત્યેક કાર્ય માટે કોઇને કોઇ કારણ ચોક્કસ હોય છે.કારણ સિવાય કોઇ ઘટના ઘટે જ નહી! મહાવિસ્ફોટ ' બીગ બેન્ગ' થીયેરીનું સર્જન કરનાર પણ કોઇ હશે ને? એક સ્થિતિ એવી પેદા થશે કે જ્યારે કારણની દલીલ અંત આવશે ત્યારે ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવશે.(ક) દરેક સર્જનની પાછળ સર્જનહારનો હેતુ–પ્રયોજન હોય છે. ઇશ્વરે સદર પૃથ્વીપરના તમામ જીવોના કર્મોનો ફળો આપવા માટે સર્જન કરેલ છે. ' જેવા કર્મ કરશો તેવા ફળ પામશો.' માટે પુર્વજન્મના કર્મો પ્રમાણે વર્તમાન જન્મમાં ફળો મળશે! એટલે આ તર્ક પ્રમાણે, પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ, આત્મા, પરમાત્મા, સ્વર્ગ– નર્ક,મોક્ષ, પાપ–પુન્ય આખી શ્રંખલા તૈયાર. આત્રણે દલીલો– તર્કથી સાબિત કરે છે કે ઇશ્વર એક સર્જનહાર, સર્વસત્તાધીશ અને દયાળુ તરીકે અસ્તીત્વ ધરાવે છે.

હવે મેદાનમાં ઇ.પુર્વ ૬ઠ્ઠી શતાબ્દીના ક્રાંતીકારી વિચારક ચાર્વાક દર્શનનો પ્રવેશ થાય છે.(અ) ઇશ્વરી સર્જનની સામે ચાર્વાક દર્શનની દલીલ છે કે પૃથ્વી સહિત બ્રહ્માંડ ચાર  જડ તત્વો પાણી, વાયુ, અગ્નિ અને પૃથ્વીના સ્વભાવ(નેચર)નું પરિણામ છે. તેમનું સર્જન છે.(બ) ઇશ્વરે જો તમામ સજીવો–જડ વિ સર્જન કર્યુ હોય તો ઇશ્વરનું સર્જન કરનાર કોણ? ઇશ્વર સ્વયંભુ હોય તો પછી પૃથ્વી–બ્રહ્માંડ અને તમામ સજીવો વિ. સ્વયંભુ કેમ નહી?તો પછી કાર્યકારણના સિધ્ધાંતની જ બૌધ્ધીક અને તર્કબધ્ધ રીતે છેદ ઉડી જાય છે. સદર સિધ્ધાંતને આધારે આપણે ઇશ્વરના અસ્તિતત્વને સાબિત કરી શકીશું નહી! (ક) ઇશ્વર વ્યવસ્થાપક હોય તો આ બધી અવ્યવસ્થાઓ કેમ? તે દયાળુ,પરમકૃપાળુ હોય તો દેશ ને દુનીયામાં ન્યાય સામે અન્યાય અને જિસકી લાઠી ઉસકી ભેંસ એવી વ્યવસ્થા કેમ? ઘરડા જીવતા રહે અને કુમળા બાળકોના મૃત્યુ કેમ?

(ડ) અવ્યવસ્થા માટે માનવી જવાબદાર હોય તો પછી જે કોઇ વ્યવસ્થા વર્તમાનમાં છે તે પણ માનવ સર્જીત જ ગણાય ને? ગયા જન્મના કર્મોના ફળ ભોગવવા પડે! ચાર્વાક કહે છે કે ભાઇ! આત્મા નથી, માટે પુર્વજન્મ નથી, પુનર્જન્મ નથી, સ્વર્ગ– નર્ક નથી, પાપ–પુન્ય નથી. વર્તમાન જન્મ પહેલાં કોઇ જન્મ હતો નહી,ને વતર્માન જન્મ પછી પુનર્જન્મ પણ નથી." भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत |" જે દેહ ભસ્મીભુત થઇ ગયો તે પછી પુનર્જન્મ કેવી રીતે પામીને સજીવ થાય? પુનર્જન્મ ન હોય તો કર્મફળનો ગીતાનો સિધ્ધાંત કોના માટે?

(ઇ)  सुख मेव स्वर्ग; दुख मेव नरक | સુખ અને દુ:ખ જેને સ્વર્ગ– નર્ક તરીકે વર્ણન કરેલ છે તે પણ અહીં જ છે. એકવાર મૃત્યુ પામ્યા પછી સ્વર્ગ કે નર્કમાં ગયા તે કોણે જાણ્યું? 'વૈકુઠવાસી– ગોકુલધામ, પ્રસ્થાન આ બધા ખ્યાલો માનવમનની પેદાશો સિવાય બીજું શું હોઇ શકે?

(ફ) આમ ઇશ્વરનો ખ્યાલ જ ભ્રમ, ડર અને આસ્થાના ખ્યાલ સિવાય કશું જ નથી.બાકી ઇન્દ્રીયજન્ય અનુભવ અને તર્કને આધારે ચાર્વાક દર્શન મુજબ ઇશ્વરના અસ્તીત્વને સાબિત કરી શકાય તેમજ નથી.

માટે ચાર્વાક કહે છે કે " આ જિવનને બિલકુલ તનાવ મુક્ત બનાવી દો! पित्वा पित्वा पुन; पित्वा यावत्पतति भुतले. उत्थायच पुन: पीत्वा, पुनर्जन्म न विध्यते| "यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत  જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો.

      ચાર્વાક દર્શન પ્રમાણે વર્તમાન જીવન એ માત્ર વાસ્તવિકતા છે.માટે તે જીવન સારી રીતે અન્યના સહકારથી તર્કની મદદથી જિવવું તે જ નૈતીક છે. મૃત્યુ પછીના સુખીજીવન માટે વર્તમાન જીવન જિવવું તે બિલકુલ અનૈતીક છે. અમાનવીય છે. તેમાં કોઇ માનવધર્મ સમાયેલો નથી.વેદ અને ઉપનિષદમાં જણાવ્યું છે કે પૃથ્વી પરના જીવોનું સર્જન 'પંચ મહાભુતો'  થી બનેલું છે. ચાર્વકનું તારણ છે કે ભાઇ! પાંચ નહિ પણ ચાર મહા–તત્વોનું બનેલું છે. જેવા કે વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી અથવાપદાર્થ. ચાર્વાકના તર્ક પ્રમાણે–ઇશ્વર ઇશ્વર કરીને સતત સ્મરણ કર્યા કરવું તે એક માનસિક બિમારી છે. ઇશ્વર એક ખુશ કરવાનું રમકડું છે, અને તેને ખુશ કરવાના માનવીય બુધ્ધી અને તર્કથી જેટલા પ્રયત્ન કરવામાં આવે છે તે એક Mentally disorder થી વિશેષ કાંઇ નથી. ઉપવાસ, તીર્થ– જાત્રા–યાત્રા વાસ્તવિક જિવનમાંથી ભય, ડર અને અસલામતી વિ. ની ભ્રમણામાંથી માનસિક રીતે મુક્ત થવાની છટકબારી છે. આ માનસિકતામાંથી જેટલો છુટવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેટલો જ ભય, ડર અને અસલામતી આ બધા લોકો પર હાવી થઇ જાય છે. ઇશ્વરમાં શ્રધ્ધા એક માનસીક સલામતી બક્ષે છે. માનસીક અથવા ભાવાનાત્મક સુરક્ષા પુરી પાડે છે.

 આપણા જીવનમાં નિષ્ફળતા, હતાશા વિ. ને આપણે ઇશ્વર મરજીના મગજમાં રહેલા ખાનામાં મુકી દઇએ છીએ. શનિની પનોતી, સાડા સાતની પનોતી, કાળસર્પદોષ વિ, વી બધી માનસીકતાઓ નબળા મનના આશ્રય સ્થાનો છે.

ચાર્વાકનું અંતિમ સત્ય–' પ્રત્યક્ષ જ સત્ય' છે. સત્ય હંમેશાં પુરાવા આધારીત છે.
http://bipinshroff.blogspot.com/

 

--

Thursday, March 9, 2023

ચાર્વાકના ભૌતીકવાદી દર્શનને સમજીએ.–

ચાર્વાકના ભૌતીકવાદી દર્શનને સમજીએ.–

શું એ જરૂરી છે કે આ દેશમાં જન્મેલો દરેક હિંદુ મોક્ષ મેળવવાની પાછળ જ જીંદગીભર દોડતો રહે? શું દરેક હિંદુ માટે જરૂરી છે કે તે આ લોક ને બદલે ડગલે ને પગલે 'પરલોક' ની ચીંતામાંજ વર્તમાન જીંદગી બરબાદ કર્યાજ કરે? શું આ જીંદગીને જ સુંદર, ભવ્ય ને સુખથી ભરી ભરી બનાવવાનો આપણો કોઇ ધ્યેય હિંદુ તરીકે હોઇ શકે જ નહી? ઉપર આકાશમાં કશું જ નથી. તમામ ધર્મો પુસ્તકોમાં ઉપરના જુદા જુદા કપોળકલ્પિત વર્ણનો કરવામાં આવ્યા છે પણ ત્યાંતો બધુ જ શુન્ય શુન્ય જ છે. ખાલી અવકાશ સિવાય કશું છે જ નહી! ભારતીય દર્શનોમાં કુલ નવ દર્શન છે. તેમાંથી ચાર્વાક સિવાય કોઇ દર્શન ભૌતીકવાદી દર્શન નથી.

       ચાર્વાક શબ્દનો સંસ્કૃતમાં અર્થ ચાર એટલે સારુ અને સુંદર, વાક એટલે દર્શન. સારુ દર્શન.ચાર્વાક દર્શન એક એવું ભારતીય દર્શન છે જે વેદને ઇશ્વરી સર્જન છે તેનો સંપુર્ણ અસ્વીકાર કરે છે.તેથી ચાર્વાક દર્શન  વેદ, ઉપનિષદ, ઇશ્વર, પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષ અને કર્મના સિધ્ધાંતને સ્વીકારતું નથી.વેદ અને ઉપનિષદોમાં અતિઆધ્યાત્મિક પરંપરાઓને મહત્વ આપવામાં આવ્યું હતું. વેદ અને ઉપનિષદોમાં આપણા વાસ્તવીક જગત અને પ્રકૃતિ (Natura)ની ધરાર ઉપેક્ષા કરવામાં આવી હતી.આ બધા વિચાર દર્શનનો પાયો 'બ્રહ્મ સત્ય અને જગતમિથ્યા' ના ભ્રામક પિરામિડ પર રચવામાં આવેલો હતો. તેની સામે એક વિદ્રોહ તરીકે ચાર્વાક દર્શન અસ્તીત્વમાં આવ્યું હતું.

તેના મુળસ્થાપક બ્રહ્યસ્પતિ રૂષી ગણાય છે. ચાર્વાક દર્શનનું બીજુ નામ લોકાયન છે. એટલે કે લોકોના વાસ્તવિક કે ભૌતીક હિતાર્થે અસ્તિત્વમાં આવેલ વિચારધારા. તેથી સદર વિચારધારાને મોટા પ્રમાણમાં સામાન્ય લોકોની(ઉપલાવર્ગો સિવાયની)સ્વીકૃતિ પ્રાપ્ત થઇ હતી.આ દર્શનના વચનો અને તેના આધારીત વર્તનો લોકોને ગમતા હતા, આનંદ આપતા હતા માટે તે લોકભોગ્ય અને સર્વસ્વિકૃત હતા.સારા વચનો, સારુ ભોજન, સ્વાદ, સુગંધ, સ્પર્શ અને આંખને ગમે તેવું દશ્ય જોવાનું કોને ન ગમે? માટે તેને લોકાયન તરીકે પણ ઓળખવામાં આવે છે.તેની સામે શરીરને કષ્ટ, તપ, ઉપવાસ, મૌન, આંખબંધ, વિપસ્યના વિ. ને સાચા સુખ(બ્રહ્મ સત્ય) તરીકે કોણ સ્વીકારે?ચાર્વાક દર્શનનું સર્જન આશરે ૨૮૦૦ વર્ષ અથવા ઇસ પુર્વે ૬ઠ્ઠી સદીમાં થયું હતું.

ચાર્વક દર્શન મુળભુત રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી, સુખવાદી દર્શન છે.તેની સામે વેદ–ઉપનિષદોએ  રહસ્યવાદ( રહસ્યમય અનુભવ), આધ્યાત્મવાદ, અંતરપ્રજ્ઞા, બિનપ્રત્યક્ષવાદ(Mysticism- Knowledge without Sense perception) જેવી મૌલીક સંકલ્પનાઓ ને જ જ્ઞાનના એક માત્ર માધ્યમ તરીકે સ્વીકારવામાં આવી હતી .ચાર્વક દર્શનને તેના ચિંતન અને વર્તનમાં ફક્ત પાંચ ઇન્દ્રીયોનો અનુભવ અને માનવ મનમાં તેના સંયોજનથી પ્રાપ્ત થતું જ્ઞાન કે બોધ, સમજશક્તીને(Cognition)સત્યનો આધાર માન્યો હતો. માનવ મનમાં પેલા ઇન્દ્રીયજન્ય અનુભવના સંયોજનથી થતી સમજશક્તીને ચાર્વાકે છઠ્ઠી ઇન્દ્રીય તરીકે ગણાવી છે.

     ચાર્વાક દર્શન ઘણું જ પ્રાચીન દર્શન છે. તેની આલોચના આપણને બૌધ્ધ તેમજ જૈન ગ્રંથોમાં પણ મલે છે. ચાર્વાકનો કોઇ આધારભુત ગ્રંથ ઉપલબ્ધ નથી. સદર વિચારસરણીના વિરોધીઓએ તેના તમામ પુરાવા નષ્ટ કરી નાંખ્યા છે.પણ જુદા જુદા આલોચકોએ પોતાના ગ્રંથોમાં ચાર્વક દર્શનની જે ટીકાઓ કરી છે તેના અભ્યાસ પરથી આપણને ચાર્વાક દર્શનના મુળભુત સિધ્ધાંતોની માહિતી મલે છે. બૌધ્ધ અને જૈન ધર્મોમાં ભૌતીક સુખવાદની આલોચના કરવામાં આવી છે.તેમજ ચાર્વાકના પ્રત્યક્ષ જ્ઞાનવાદના સિધ્ધાંતની આલોચના પણ આ બંને ધર્મોમાં કરવામાં આવી છે.

રામાયણ અને મહાભારતમાં પણ ચાર્વાક દર્શનના વિચારો સ્વીકૃત હતા. તેના પ્રમાણ પણ મળે છે.દા.ત રામાયણના અયોધ્યા કાંડના શ્લોક ૧૦૮માં જાંબાલી રૂષી રામને નાસ્તિક તર્કો દ્રારા વનવાસ જવા માટે રોકાઇ જવાનું કહે છે.' વનવાસ અને જંગલ જીવનના ગુણગાન ગવાય નહી.' જે સુખ તમને રાજ્ય ભોગવવામાં મલવાનું છે તે તમને રાજ્યને ત્યજી દેવાથી કેવી રીતે સુખ મળવાનું છે? મહાભારતમાં પણ લોકાયત અને ભૌતીક દર્શનના નામે ચાર્વાક દર્શનના સંદર્ભો મલે છે. જયરાશી ભટ્ટએ પોતાના તત્વપલ્લવ– સિંહ નામના ગ્રંથમાં સુગ્રથિત રીતે  ચાર્વાક દર્શનના સિધ્ધાંતોની આલોચના છે. વધારે અધિકૃત ગ્રંથ  માધવાચાર્યનો 'સર્વગ્રહ સંગ્રહ' છે. જેમાં ચાર્વાક દર્શન અંગે જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહ કરીને આલોચના– મુલ્યાંકન સાથે  ચાર્વાક દર્શનના સિધ્ધાંતો ઉપલબ્ધ છે. તેની જાણકારી આપણને મળે છે.

 ચાર્વાકનો ભૌતીકસુખવાદ એટલે શું? ભૌતીકસુખવાદ એટલે જે સુખ આપણી પાંચેય ઇન્દ્રીયોને મળે તે જ ભૌતીક સુખ.વર્તમાનમાં મળે તે જ સુખ સાચુ; કારણકે ભવિષ્યમાં મળનારા સુખની ને ખાસ કરીને મૃત્યુબાદ પ્રાપ્ત થનારા સુખની ગેરંટી ને પુરાવો કયો? વર્તમાનના કર્મોના ફળ ક્યારે અને કેવી રીતે મળવાનાં? માટે જે સુખ મનુષ્ય તરીકે ભોગવવાના છે તે વર્તમાનમાં જીવીત અવસ્થામાંજ ભોગવી શકાય! ભવિષ્યની ચિંતા અને અપેક્ષાઓનો ચાર્વાક ભૌતીક દર્શનમાં કોઇ સ્થાન જ નથી.

ચાર્વાક દર્શનના તત્વજ્ઞાનને હકારાત્મક ને બદલે નકારાત્મક ઢબે સમજાવતાં કેટલાક સુપ્રસિધ વાક્યો.

  જે ચાર્વાકના ભૌતીકવાદી તત્વજ્ઞાનને ટેકો આપવાને બદલે બટ્ટો લગાડવા, બદનામ કરવા, હીણ, અનૈતિક, તથા અધાર્મીક પુરાવા– દાખલા–પ્રમાણ વિ. આપીને સાબિત કરવાનું કામ કરે છે.જેને અંગ્રેજીમાં " A strawman fallacy " તરીકે ઓળખવામાં આવે છે. કારણકે આપણી પાસે ચાર્વાક દર્શનનો મુળગ્રંથ ઉપલબ્ધ નથી.આધ્યાત્મીક ચિંતન તથા બ્રાહ્મણવાદી આત્મા– પરમાત્મા, સ્વર્ગ–નર્ક, પાપ–પુન્ય, કર્મઆધારીત વર્ણવ્યવસ્થા વિ, ના ખ્યાલોને મહાન બતાવવા તોડ–મરોડ કરીને મૂકવામાં કેવી રીતે આવ્યા છે તેને પણ સમજીએ.

(१)     यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत; भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत;

જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો, મનુષ્ય દેહ એક વાર નાશ પામશે પછી તે પાછો આવવાનો નથી.

(२)     वरुमध कपोत; न रवो मयुर; मरण मेव अप वर्ग; सुख मेव स्वर्ग; दुख मेव नरक;

આજે મળેલ કબુતરનો શિકાર કરીને આનંદ માણ, કાલે મોરનો શિકાર મળશે તેવી આશાએ આજના કબુતરના શિકારને જવા દઇશ નહી. કાલ કોણે જોઇ! મૃત્યુ એજ મોક્ષ છે. માટે આ જીવનમાં જે સુખ મળે તેને તું સ્વર્ગ સમજી લે અને દુ:ખ મળે તેને આ જીવનમાં નરક સમજી લે!.

(३)     पित्वा पित्वा पुन; पित्वा यावत्पतति भुतले. उत्थायच पुन: पीत्वा, पुनर्जन्म न विध्यते.

જ્યાંસુધી  તું દારૂ પીને તારી ઉભા રહેવાની સ્થિરતા ગુમાવી ન દઉ, ત્યાંસુધી બસ પીધા જ કર, પીધા જ કર! બીજી શ્લોકમાં તો એમ કહે છે, ઉભો થઇને ફરી પીવા માંડ કારણકે પુનર્જન્મ તો દેખાતો જ નથી( વિધ્યમાન જ નથી). માટે આ જન્મમાંજ જેટલું પીવાય તેટલું પી લે!.

ઉપરના તમામ સંસ્કૃત વાક્યોના અભ્યાસ કરતાં આપણે બે તારણ કાઢી શકીએ તેમ છે. ચાર્વાક દર્શનમાં સુખનો ખ્યાલ ઐહીક નૈતીકવાદી સુખ (Secular Moral Happiness)છે.પણ બીજુ આત્યાંતિક ભોગવાદી સુખનો ખ્યાલ( Hedonist Pleasure)આપણી સમક્ષ નકારાત્મક રીતે રજુ કરવામાં આવેલ છે.

 

  

 

 

 

 

Monday, February 27, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

 

                     માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

અમારા પ્રથમ લેખમાં એ સાબિત કરવાની કોશીષ કરવામાં આવી હતી કે  'માનવવાદ'ની વીચારસરણી વૈજ્ઞાનીક છે.પુરાવા આધારીત છે. જેના પુરાવા સાબિત થઇ શકે તેમ છે. તપાસી શકાય છે. ઇન્દ્ર્યજન્ય છે.માટે તે ભૌતિકવાદી(Materialism)છે.પણ આધ્યાત્મવાદી નથી. તેથી તે ઇશ્વરપ્રેરીત બિલકુલ નથી.તે કોઇ પરલોકવાદી વીધ્યા બિલકુલ નથી.

(1)    માનવવાદ એક ભૌતીકવાદી તત્વજ્ઞાન હોવાથી તેમાં આત્મા અને શરીર જેવા દ્વંદને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. શરીરમાં કોઇ આત્મા જેવા અશરીરી એકમના અસ્તીત્વ તે નકારે છે.આત્માના અસ્તિત્વને વૈજ્ઞાનીક પુરાવાનો કોઇ આધાર કે સાબિતી નથી. માનવ મગજ એ માનવ શરીરનો એક બીજા શરીરના અંગો જેવા કે હ્રદય, ફેફસાં,મુત્રપીંડ, આંખ. પાચનતંત્ર જેવો અનિવાર્ય ભાગ છે. માનવ મગજ શરીરના અસ્તિત્વ સાથે સંકળાયેલુ છે. શરીર મૃત્યુ પામતાં તમામ અન્ય અંગોની માફક તે પણ કામ કરતું બંધ થઇ જાય છે. માનવ મન(Human Mind) તે માનવ મગજની પેદાશ છે. જે અગાઉ જણાવ્યા પ્રમાણે શરીરના અન્યભાગોની માફક તે પણ શરીરનો એક ભાગ છે.આમ માનવવાદી વિચારસરણીમાં શરીર અને આત્માના દ્વંદનો સંપુર્ણ અસ્વિકાર કરવામાં આવે છે. માનવવાદી વિચારસરણીએ જૈવીક ઉત્ક્રાંતીની વાસ્તવિકતા પર આધારીત હોવાથી તેની સાંકળમાં કોઇ જગ્યાએ કે સ્થાનમાં આત્માની ઘુસણખોરી કે પ્રવેશની સાબિતી નથી.

(2)    માનવ શરીર અન્ય પ્રાણીઓના શરીરની માફક ફલીનીકરણ પામેલ એક કોષમાંથી(A single fertilized cell) વિકાસ પામે છે. એક કોષમાંથી અનેક કોષો નવા સતત બનતા જાય છે. પણ આત્મા જેવો કોઇ કોષ અસ્તિત્વ ધરાવતો નથી. જે કાયમી જે તે નિશ્ચિત સ્વરૂપમાં, વધ્યાઘટયા સિવાય શરીરમાં જીવતો રહેતો હોય!. માનવ મગજમાં જે અસંખ્ય કોષો અસ્તિત્વ ધરાવે છે તેની યાદશક્તિ ( Memory) બનેલી છે.માનવ મગજ માનવ શરીર સાથે જ નાશ પામે છે.પછી  તેમાં કોઇ સભાનતા કે ચેતના બાકી રહેતી નથી.(The mind dies with the body & no consciousness can be left behind.)

(3)    આત્માના સ્વતંત્ર અસ્તીત્વનો ખ્યાલ કેમ હજુ આટલી બધી વૈજ્ઞાનીક સાબિતીઓ પછી પણ ચાલુ રહે છે? માનવવાદી અભિગમ મુજબ આપણે એ સ્વીકારવા તૈયાર નથી કે માનવ વ્યક્તીત્વ માનવ મૃત્યુ સાથે જ ભુંસાઇ જાય છે!. આમ તો આત્માનું અસ્તિત્વ શરીરમાં હોય કે નહી તે માનવવાદી માટે બિલકુલ મહત્વનો મુદ્દો નથી.

(4)    પણ તકલીફ એ છે ' ચોર( એટલે આત્મા) સિપાઇ( એટલે બિચારું શરીર) ને દંડે છે'. આત્માના ઉધ્ધાર માટે, તેના કલ્યાણ માટે બ્રહ્મચર્ય પાળો, ઉપવાસ કરો, શરીર પર માનવ બુધ્ધીથી વિચારવામાં એટલા દમન શરીર પર કરો. તે બધા ત્યાગ, દમન અને ઉપવાસ કરનારાને પુજનીય ગણીને વાજતેગાજતે તેમનું સ્વાગત કરો! આખરે એવો દંભી સમાજ, ધર્મ અને વ્યવસ્થાઓ ઉભી કરો જે આત્મા–પરમાત્માની માયાજાળમાં લોકોને કાયમી ડુબાડી રાખે. ખરેખર દરેક માનવીને સમતોલ જીંદગી જીવવી છે. તેને આત્માની મુક્તિ– મોક્ષ માટે શરીરને જીવનભર ડગલે ને પગલે શીક્ષા આપવાની જરૂર બિલકુલ નથી.

(5)    ઇશ્વર અને ધર્મમાં માનવી કેમ વિશ્વાસ રાખે છે? જીવનની અચોક્કસતાઓને કારણે માનવીને ઇશ્વર નામના તરણાનો હાથ પકડવાથી બચી જવાશે તેવો ભ્રામક ખ્યાલ વિકસેલો છે. માનવકેન્દ્રી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા જો માનવીને જન્મથી માંડીને કબર સુધીની તમામ ભૌતીક સલામતી પુરી પાડે તો પછી આપોઆપ બિલાડીના ટોપની માફક ઠેર ઠેર નીકળી પડેલી ઇશ્વર અને ધર્મની દુકાનોને તાળાં વાગી જશે.પશ્ચીમના દેશોમાં બિનઉપયોગી થઇ ગયેલા ખ્રીસ્તી ધર્મસ્થાનો, ચર્ચો, દેવળો વિ. ને ખરીદનારી પ્રજા હિંદુઓ ને મુસ્લીમો છે!. વધુ ભાગ–૩માં ' માનવવાદી વિચારસરણી કેવી રીતે ભૌતીકવાદી છે તે સમજાવશે!.

 


--

Sunday, February 26, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

 

 

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

     વૈજ્ઞાનીક સત્ય હંમેશાં સંબંધિત(Relative truth not absolute truth)હોય છે. તે સત્ય કાયમી, એકપક્ષી કે કોઇ અધિકૃત સત્તા, વ્યક્તિ કે ગ્રંથ વિ પર ક્યારે અવલંબિત હોતું નથી. નવી માહિતી અને સંશોધનોથી વૈજ્ઞાનીક સત્યમાં કાયમી વધારો ઘટાડો થયા જ કરે છે. જો તત્વજ્ઞાનની વિચારસરણીમાંથી વૈજ્ઞાનીક અભીગમની બાદબાકી કરી નાંખવામાં આવે તો તે તત્વજ્ઞાન ફક્ત ધર્મ બની જાય છે. માટે તે સત્ય પછી બંધિયાર, અસહિષ્ણુ અને અપરિવર્તનશીલ બની જાય છે. ધાર્મિક સત્ય હંમેશાં એકહથ્થુસત્તાનું પોષક વ્યક્તિકેન્દ્રી હોય છે. જ્યારે વૈજ્ઞાનીક સત્ય હંમેશાં જ્ઞાન આધારીત, વાસ્તવિક અને વ્યક્તિગત અભિપ્રાયથી મુક્ત હોય છે.વૈજ્ઞાનીક સત્યની કાયમી સંશોધન વૃત્તીથી માનવીએ કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં સતત વિજય મેળવીને અન્ય સજીવોની સરખામણીમાં પોતાની જીંદગી ભૌતીક રીતે સુખી અને સમૃધ્ધ બનાવી છે.

માનવી પૃથ્વી પરના તમામ સજીવોના સંઘર્ષોમાં છેલ્લો આવેલો કે ઉતક્રાંત થયેલો સજીવ છે. પરંતુ એક સજીવ તરીકે માનવીનું નાભી–નાડ જોડાણ એકકોષી જીવ અમીબાથી શરૂ થયેલું છે. જે માનવીના સહોદર ગોરીલા, ચીમ્પાનઝી, ઉરાંગઉટાંગથી માંડીને 'હોમોસેપીયન્સ' સુધીના બહુકોષી જીવો સુધીના તેના તમામ જૈવીક જોડાણોની સાંકળ અતુટ અને કડીબધ્ધ ભૌતીક પુરાવા આધારીત અકબંધ છે. માનવવાદી (વૈજ્ઞાનીક)વિચારસરણીનું પ્રથમ તારણ છે કે માનવી સજીવ ઉત્ક્રાંતીની  પરિણામ છે. બાયબલ, કુરાન કે ગીતા સર્જીત કોઇપણ ધર્મપુસ્તકો અને તેના સર્જકો આધારીત ઇશ્વરી સર્જનનું પરિણામ નથી. પોતાના પુરોગામી સજીવ જીવોના સંઘર્ષોમાંથી વારસાગત રીતે જે આનુવંશિક લક્ષણો પોતાની જીજીવિષા ટકાવી રાખવા પ્રાપ્ત થયેલા છે;(દા.ત આંખ. નાક, કાન, ચામડી, જીભ વિ.) તે બધાની મદદથી પોતાનું ભૌતીક અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મેળવી છે.

માનવવાદને સમજવા સૌ પ્રથમ ખુબજ ટુંકમાં માનવીના પૃથ્વીપરના આગમન પહેલાંનો ભૌતીક ઇતીહાસ સમજી લઇએ.

(1)     બીગબેંગ મહાવિસ્ફોટને કારણે સુર્યમાંથી અન્યગ્રહોની માફક છુટા પડેલા ગ્રહોમાં પૃથ્વીનો એક ગ્રહ તરીકે જન્મ આશરે પાંચ અબજ વર્ષ જુનો છે. પૃથ્વી પર મળેલ અશ્મીઓને આધારે એવા પુરાવા મલ્યા છે કે પ્રથમ એક કોષી સજીવની ઉત્પત્તી એક અબજ વર્ષની આસપાસ થયેલી હતી. બીજા અર્થમાં એમ તારણ કઢાય કે પૃથ્વીના જન્મ પછી એક કોષી સજીવને જન્મ પામતાં પૃથ્વી પર ચાર અબજ વર્ષ નીકળી ગયા હતા.

(2)     આજના પૃથ્વી પરના વાતાવરણ કરતાં તે સમયનું વાતવારણ બીલકુલ જુદુ જ હતું. તે સમયગાળામાં પૃથ્વી પરના વાતવરણમાં પ્રાણવાયુ(ઓકસીજન)જ ન હતો. પૃથ્વીપરનું વાતાવરણ અને સમુદ્રનું વાતાવરણ આજના પ્રમાણમાં ઘણું ગરમ હતું. તે વાતાવરણ હાઇડ્રોજન, મીથેલ અને અમોનીયાના વાયુઓનું બનેલું હતું. પૃથ્વી પર સુર્યના અલ્ટ્રાવાયેલેટ કીરણો સીધા પડતા હતા. આજે જે ઓઝોન(O3)નું પૃથ્વી પર વીસ માઇલનું જે પડ છે તે સમય ન હતું. તે સમયે પૃથ્વી પર વનસ્પતીનો જન્મ જ થઇ શકે તેવું વાતાવરણ જ શક્ય નહતું. વૈજ્ઞાનીકોના મતે તે વાતાવરણમાં એકકોષી જીવોના પુરોગામી જેવા જટિલ કાર્બન પરમાણુ અસ્તીત્વમાં આવ્યા હતા. હાઇડ્રોજન, મિથેલ ને એમોનીયાના વાયુઓ  જે બધા નિર્જીવ (Non- Organic elements))સંયોજનો હતા તેમાંથી જટિલ કાર્બન પરમાણુઓ બન્યા હતા. આજે તેવાજ નિર્જીવ વાયુઓ એકત્ર કરીને પ્રયોગશાળામાં જટિલ કાર્બનપરમાણુઓ બનાવવામાં વૈજ્ઞાનીકો સફળ થયા છે.

(3)    સદર જટિલ કાર્બન પરમાણુઓ એક કોષી જીવોના લક્ષણો ધરાવતા હોવાથી સ્વપ્રજોપ્તિ (Autocatalysis) ઉત્પ્રેરણ સહાયક્રીયા કરી શકતા હતા. જેમાંથી પ્રથમ સજીવ જીવ જન્મ પામ્યો હતો. પણ નિર્જીવમાંથી સજીવ બનવાની ક્રીયા પૃથ્વી અને સુર્ય વચ્ચે નડતરરૂપ કે મદદરૂપ(!) વિકાસ પામેલા ઓઝોનના વીસ માઇલ પડને કારણે અલ્ટ્રાવાયેલેટ કીરણો પૃથ્વી પર આવતા કાયમ માટે બંધ થઇ ગયા. પણ સદર વાતાવરણે નાના વનસ્પતીના છોડ અસ્તીત્વમાં આવ્યા જેણે પોતાની શ્વાસોચ્શ્વાસમાં પ્રાણવાયુ બહાર કાઢયો જેનાથી લાંબેગાળે ૨૦ માઇલનું લાંબુ પહોળું ઓઝોનનું પડ બન્યુ હતું. ક્રમશ તેમાંથી શ્વાસોચ્શ્વાસ આધારીત સજીવો ઉત્ક્રાંત થયા હતા.

(4)    ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–નિર્જીવમાંથી સજીવ કેવી રીતે પેદા થયો તે હકીકત સમજ્યા પછી ચાર્લસ ડાર્વીને સને ૧૮૫૯માં પોતાના પુસ્તક 'ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ પ્રીન્સપલ ઓફ નેચરલ સીલીકેશન' પુસ્તકમાં દરેક સજીવ જાતિ–પ્રજાતિમાં કેવા ફેરફારો થયા તે કુદરતી પસંદગીના સિધ્ધાંતને આધારે પુરેપુરા ભૌતીક પુરાવા સાથે સમજાવ્યુ છે.દરેક સજીવો પોતાના જીવ ટકાવવા કે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં( Struggle for existence & survival of the fittest) રોકાયેલા છે તે સમજાવ્યુ છે. સદર સંઘર્ષમાં દરેક સજીવે કુદરતી ભૌતીક વાતવરણને અનુકુળ કેવી રીતે પોતાના શરીરમાં ફેરફાર કરવા પડે છે અથવા વાતાવરણને અનુકુળ થવું પડે છે તે સમજાવ્યું છે.

(5)    ડાર્વીનના સમકાલીન જીવશાસ્રી ગ્રેગા મેન્ડલે ડાર્વીનની ખુટતી કડી  દરેક સજીવ વારસાગત રીતે પોતાના મા–બાપોના આનુવંશીક લક્ષણો ને રંગસુત્રો દરપેઢી દીઠ કેવી રીતે ફેરફારો સાથે(Mutations &Adaptions) આગળ લઇ જાય છે તે સમજાવ્યું છે. ડાર્વીનનું તારણ હતું કે તમામ ઇન્દ્ર્યજન્ય અંગો જેવાકે આંખ, નાક, કાન વિ. ઉપરાંત તે બધાના સંદેશાઓનું પૃથ્થકરણ કરતી, સજીવના મગજમાં વિકસતી વિચાર શક્તિની ક્રીયા વિ. કુદરતી પસંદગીના સિધ્ધાંત તેમજ પેઢી દર પેઢી સજીવોમા થતા ફેરફારોનું જ પરિણામ છે. ભુખ અને પ્રજોપ્તિ માટેની જાતિય ઇચ્છા દરેક સજીવની જીજીવીષા ટકાવી રાખવાની પ્રબળ ઇચ્છાઓનું પરિણામ છે.

(6)    સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયું હતું. તેનું નામ છે 'ધી ડીસેન્ટ ઓફ મેન'. સદર પુસ્તકમાં ડાર્વીને માનવની ઉત્પત્તી અન્ય સજીવોની માફક જ પણ વધારે વિકસીત સજીવો કોષોમાંથી ઉત્પન્ન કેવી રીતે  થઇ તે વિગતે સમજાવ્યું છે. ડાર્વીને મનુષ્યના ગર્ભની પ્રાથમીક અવસ્થામાં કેટલી બધી સામ્યતા અન્ય પ્રાણીઓ જેવાકે કુતરૂ, સસલુ, વિ ના ગર્ભઓ સાથે છે તેના પુરાવા આપ્યા છે. જેનો ફોટો અત્રે નીચે આપેલ છે. આમ માનવી કેવી રીતે અન્ય સસ્તન પ્રાણીઓમાંનોજ એક પૂર્વગામી( A common Progenitor) સહોદર છે તે ડાર્વીને પુરાવા સાથે સાબિત કર્યું છે. ડાર્વીને માનવીનું સર્જન ઇશ્વરી નથી એવું આઘાતજનક બીજું તારણ કાઢયું છે. તમામ વનસ્પતીમાંનું હરીત દ્રવ્ય( Green Chlorophyll of plants)અને માનવીના શરીરનું લાલ લોહીના રૂધિરકોષો( Red hemoglobin of human blood) બંને રાસાયણિક પિતરાઇ(Chemical cousins) છે.બંનેના કાર્યો સજીવ તરીકે એક જ છે.

(7)    અંતમાં ડાર્વીને સાબિત કરી દીધું કે કાળા માથાનો માનવી, દરેક સજીવોની માફક જ કુદરતનો એક ભાગ જ છે.( The man is the part of Nature nothing more & nothing less.) પરંતુ ડાર્વીને એ પણ તારણ કાઢયું છે કે માનવી અન્ય નજીકના કે દુરના સજીવોની સરખામણીમાં ભાષા અને માનવ મગજના વિકાસમાં વધુ વિકસેલો હોવાથી તેણે  કુદરતી પરિબળોની અસરોનો જે અન્ય સજીવો આંધળા ભોગ બને છે તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી છે તે પણ સમજાયું છે. હવે માનવ ઉત્ક્રાંતિ જૈવીક નથી રહી. પણ સામાજીક, સાંસ્કૃતીક અને માનસીક છે. આ હકીકતે આપણે માનવ સ્વભાવ એક કુદરતનો ભાગ છે તેને આધારે માનવ પ્રશ્નો ઉકેલવાના સાધનો શોધવાના છે. વધુ આવતા અંકે ભાગ–૨માં.


--

Sunday, February 12, 2023

‘ પીએમ કેર ફંડ‘ કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)


' પીએમ કેર ફંડ' કોના હિતમાં?( In whose interest PMCARE FUND WAS CREATED?)

વડાપ્રધાન મોદીજી તરફથી ૨૭મી માર્ચ ૨૦૨૦ના રોજ  કોવીડ–૧૯ જે દેશ વ્યાપીજ નહી પણ વિશ્વવ્યાપી મહામારી હતી, તેની સામે પ્રતિકાર કરવા જરૂરી સાધન તાત્કાલીક ઉભી કરવા સદર એક ટ્રસ્ટની રચના કરવી પડી હતી. તેઓની પાસે સને ૧૯૪૮માં સ્થપાયેલ 'પ્રાઇમ મીનીસ્ટર રીલીફ ફંડંઅને સને ૨૦૦૫માં સ્થપાયેલ ' નેશનલ ડીઝાસ્ટર રિસપોન્સ ફંડ વર્ષોથી કાર્યરત હતાં. દેશના નાગરિક તરીકે આપણને રસ છે કે' પીએમ કેર ફંડ' માં નાણાં કેવી રીતે ભેગા કરવામાં આવ્યા ને વાપરવામાં આવે છે. આપ સૌની માહિતી માટે 'નેશનલ ડીઝાસ્ટર રીસપોન્સ ફંડ'માં નાણાં નાગરીકો પાસેથી સીધા એકત્ર કરવામાં આવતા ન હતા. જો કે તે નાણાંનો ઉપયોગ તો પેલા બે નાણાં ફંડોથી જુદો ન હતો.

(1)  એક ' પીએમ કેર ફંડ' દેશના વડાપ્રધાનના હોદ્દાના નામે છે.રાષ્ટ્રના પ્રતિકમાં તેનો ઉપયોગ છે. પણ તેને ભારત સરકારના કોઇપણ નિયમો બંધન કરતા નથી. તે એક ખાનગી ટ્રસ્ટ છે. તેના નાણાંનો ઉપયોગ તેના ટ્રસ્ટીઓ જેમાં વડાપ્રધાન સહિત અન્ય ટ્રસ્ટીઓની મનસુફી(the discretion)કે વિવેકબુધ્ધી પર સંપુર્ણ આધારીત છે.કાયદા મુજબ સદર ટ્રસ્ટ ભલે આમ દેખાય કે તે જાહેર હિતાર્થે માટે રચવામાં આવ્યું છે. પણ તેની લેવડ –દેવડના હિસાબો સામાન્ય નાગરીક તો નહી જ પણ ભારત સરકારનું ઓડીટર અને કંટ્રોલરના કાર્યક્ષેત્રની પર છે (It is not subject to audits by India's Comptroller and Auditor General. The complete documentation for the Fund's establishment has not been made public.) વડાપ્રધાન મોદીજી હોદ્દાની રૂએ તેના ચેરમેન છે અને અગત્યના ટ્રસ્ટીઓમાં ગૃહમંત્રી, અમિતશાહ,સંરક્ષણમંત્રી રાજનાથસીંગ, નાણામંત્રી નિર્મલા સિતારામન અને જાહેર વ્યક્તીઓમાં શ્રી રતન ટાટા અને સુધામુર્તી છે.

(2)  ' પીએમ કેર ફંડ' કુલ કેટલા નાણાં ભેગા કરવામાં આવ્યા છે અને કોણે કોણે તેમાં કેટલા નાણાં દાનમાં આપ્યા તે પણ નાગરીક તરીકે ' રાઇટ ટુ ઇનફર્મેશન' ની અરજી કરીને જાણી શકાય નહી.? સરકારી ફંડ નથી કે જાહેર ટ્રસ્ટ નથી પછી  આ ફંડના આવક–જાવકના હિસાબોનો વહીવટ નાગરીકોને જાણવાનો અધિકાર કેવી રીતે હોઇ શકે?

(3)  ' પીએમ કેર ફંડ'માં દેશ પરદેશના સામાન્ય નાગરીકો, ખાનગી અને જાહેર પબ્લીક ઔધ્યોગીક એકમો(પીએસયુ), તે બધાના કર્મચારીઓનો એક દિવસનો પગાર તેમાં ભેગો કરવામાં આવેલ છે.પુટીનના રશીયાની સરકારી ડીફેન્સ કુંપની જે ભારત સરકારને લશ્કરી શસ્રો વેચે છે તેને ' પી એમ કેર ફંડ' માં નાણાં આપેલ છે.(Russia's State-owned defence exports company Rosoboronexport). દેશના તમામ પરદેશોમાં સ્થિત રાજદુતોને પત્ર લખીને નાણાં એકત્ર કરવાની સુચનો પણ આપેલ હતી.

(4)    કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે સદર ફંડ દ્રારા એકત્ર કરેલ નાણાંનો ઉપયોગ કેવીડ–૧૯ સામે વેકસીનવેન્ટીલેટરો ખરીદવા તેમજ ઓકસીજન માટેના નવા પ્લાંટ બાંધવા કરવામાં આવ્યો છે.સને ૨૦૨૨ના અંતસુધી લગભગ આ એકત્ર કરેલ ફંડમાંથી વેકસીન સંશોધન અને વિકાસ ક્ષેત્રે કોઇ નાણાં ફાળવવામાં આવ્યા નથી. બેતૃતીયાંશ(૨/૩) ભાગનું ફંડ વણવપરાયેલું પડયું છે.( While funds have been promised for vaccine development in 2020, these have not been allotted as of 2022, and two-thirds of the corpus remains unspent.)

(5)  જે વેન્ટીલેટરો દેશની જુદી જદી અગત્યની હોસ્પીટલમાં ખરીદીને આપવામાં આવેલા તેની માહિતી આ પ્રમાણે છે. સૌ પ્રથમ, ૫૦,૦૦૦ વેન્ટીલેટરો 'મેઇડ ઇન ઇંડીયા' ના ખરીદવા સદર ફંડના નાણાંનો ઉપયોગ કરવાનું નકકી કર્યું હતું.તે બધાની મુખ્ય ફરીયાદ હતી કે તે દર્દીઓ માટે વાપરી શકાય તેવા હતા જ નહી.ખરીદેલા વેન્ટીલટરોની ગુણવત્તા કે ક્વોલીટી એટલી ખરાબ હતી કે લેનાર દર્દીઓનો જાન જ જોખમમાં મુકાઇ જાય!. વેન્ટીલેટર બનાવનાર કુંપનીઓ એવી હતીકે જેણે ક્યારેય પોતાની ફેકટરીમાં વેન્ટીલેટરો બનાવ્યા જ નહતા.

(6)   ૧૦૦૦ કરોડ રૂપીયા કોવીડ–૧૯ને કારણે સ્થળાંતરીત મજુરો(migrant workers)ને શહેરી વીસ્તારમાંથી પોતાના મુળઘરે જવા ખોરાક–પાણી, દવા અને વાહનની સગવડો પુરી પાડવા રાજ્ય સરકારોને આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. દેશના સર્વોચ્ચ લેબર કમીશ્નરે લેખીત જવાબમાં જણાવ્યું છે કે અમારા વિભાગને કોઇનાણાં સ્થળાંતરીત મજુરોને મદદ કરવા આપવામાં આવેલ નથી.(A similar petition filed with the Chief Labour Commissioner received a response indicating that no funds had been earmarked for migrant labor as yet.

(7)  ૧૦૦ કરોડ રૂપિયા વેકસીનનાવધુ રીસર્ચ– સંશોધન માટે ડિપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજીને આપવાનું નક્કી કર્યુ હતું.

(8)    સક્રોલનામની વેબસાઇટે(Scroll in April 2021) પોતાના સંશોધનમાં જણાવવામાં આવ્યું છે સદર ફંડમાંથી  મોદીજીની કેન્દ્ર  સરકારે દેશ વ્યાપી ૧૬૨ ઓક્સજનના નવા પ્લાંટ નાંખવાના નક્કી કર્યા હતા. તેમાં૧૧ પ્લાંટ ઉભા કરવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ પ્લાંટ કાર્યરત થયા હતા.દીલ્હી હાઇકોર્ટમાં મોદી સરકારે સોગંદવીધી કરીને લેખીત જણાવ્યું હતું કે ૨૨–૦૪–૨૧ સુધીમાં આઠ ઓક્સીજનના પ્લાંટ દિલ્હીમાં નવા ચાલુ કરવાના હતા. ફક્ત એકજ હાલમાં ચાલુ છે.

(9)   જાન્યુઆરિ ૨૦૨૧માં દેશના ૧૦૦ જેટલા નિવૃત્ત સીવીલ સર્વટંસે મોદીજીને લેખીત અરજી કરી હતી કે અમે અમારા પોતાના નિવૃત્તીની મોંઘી બચતમાંથી 'પીએમ કેર ફંડ' ઉમદા હેતુ માટે દાનમાં નાણાં આપ્યાં છે. તેની આવક–જાવકના હિસાબો ન મળે તે કેવી રીતે યોગ્ય છે? અરજદારમાં સૌ પ્રથમ દેશની સર્વોચ્ચ જાસુસી સંસ્થા 'રો' ના એક સમયના વડા શ્રી એએસ દુલાત છે.

(10)               ' પીએમ કેર ફંડ' ના આવકજાવકના હિસાબો અંગે રાઇટ ટુ ઇનર્ફમેશન અને જાહેર હિતની ઘણી અરજીઓ દિલ્હીની હાઇકોર્ટ ને સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી જે તમામ ખારીજ કરવામાં આવી હતી.

(11)         દેશના એક પ્રતિષ્ઠીત અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇંડીયાએ એવી જાહેરાત ૧૯મી મે ૨૦૨૦ તેના અંદાજ મુજબ એટલે કે સદર ફંડની રચના કર્યા પછીના ફક્ત બે જ માસમાં આશરે ૧૦,૬૦૦/ કરોડ રૂપીયા ભેગા થઇ ગયા હતા.

(12)        ગઇકાલની મારી પોસ્ટ આર એસ એસના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો આજના   ' પીએમ કેર ફંડ'ના આર્થીક કાયદાકીય વ્યવહારોનો મુદ્દો કઇ રીતે જુદા છે?

 

 

--

Friday, February 10, 2023

રાષ્ટ્રીય સેવક સંઘ(આર એસ એસ) અંગે હું અને તમે કેટલું જાણીએ છીએ?

 

રાષ્ટ્રીય સેવક સંઘ(આર એસ એસ) અંગે હું અને તમે કેટલું જાણીએ છીએ?

(1)    આર એસ એસની સ્થાપના સને ૨૭મી સપ્ટેમ્બર ૧૯૨૫માં થયેલી હતી. તેના સ્થાપક કે.બી. હેડગેવર હતા.તે એક ઉગ્રહિંદુવાદી, બિનલોકશાહી સંગઠન(Right wing) છે. તેની દેશભરની શાખાઓમાં કુમળીવયથી( બૌધ્ધીક રીતે પુખ્ત ન હોય ત્યારે) સ્વયંસેવકોની ભરતી કરી અર્ધલશ્કરી( Paramilitary Training)તાલીમ આપવામાં આવે છે.તે એક સક્રીય સંસ્થા છે. તેનો હેતુ ભારતને હિંદુરાષ્ટ્રવાદી દેશ બનાવવાનો છે, જે તેની પ્રત્યક્ષ વિચાર અને કાર્યપધ્ધતીમાં સ્પષ્ટ છે.સંસ્થાના સર્વોચ્ચ વડાને પ્રમુખ, ચેરમેન, વિ નામોને બદલે સરસંઘસંચાલક અને સામાન્ય મંત્રી, કે જનરલ સેક્રેટરીને બદલે સરકાર્યવાહક તરીકે સંબોધન કરીને ઓળખવામાં આવે છે.હાલમાં અનુક્રમે મોહન ભાગવત અને દત્તાત્રય હોસબલે તે હોદ્દાઓ ધરાવે છે. તેની મુખ્ય ઓફીસ કે હેડક્વાટર્સ નાગપુરમાં છે.

(2)    આર એસ એસ ઇન્ડીયન ટ્રસ્ટ એકટ ૧૮૬૦ અને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ૧૯૫૦ નીચે બિલકુલ નોંધાયેલી સંસ્થા નથી. તેના તમામ નાણાંકીય વાર્ષીક વ્યવહારો અને પ્રવૃત્તીઓ દેશના તમામ આવક વેરાના કાયદોથી પર છે.તે ક્યારેય સંસ્થા તરીકે પ્રત્યક્ષ કે સીધી સરકારી ગ્રાંટ લેતી નથી. સરકારી પરોક્ષ સહકાર વિષે કોને માહિતી નથી! તે ક્યારેય પહોંચ આપીને દાન સ્વીકારતી નથી.શાબાશ! માટે ઇડી.સીબીઆઇ વિ. તેની પ્રવૃત્તીઓથી જોજન દુર હોય છે! તેને ગુરૂદક્ષિણા દ્રારા દાન સ્વિકારવામાં વાંધો નથી, હકીકતમાં તે એક જ જબ્બરજસ્ત નાણાંનો પુરવઠો એકત્ર કરવાનું દૈવી અને પવિત્ર સાધન છે. તે સાધનનો ઉપયોગ કરવામાં કોઇ ધર્મ,સંપ્રદાય, બાબાઓ ગુરૂઓ અને બાપુઓ બાકી નથી. હિંદુરાષ્ટ્ર બનાવવા માટેના નાણાંકીય સાધનોનો પુરવઠો પણ હિંદુ ધાર્મીક પ્રણાલી પ્રમાણેના જ જોઇએ ને! તે ભારતના બંધારણને વફાદાર કેવી રીતે હોઇ શકે?

(3)   આર એસ એસની સ્થાપના વર્ષ ૧૯૨૫થી દેશ બંધારણીય દ્ર્ષ્ટીએ પ્રજાસત્તાક બન્યો સને ૧૯૫૦ સુધીનો તેના ભુતકાળને ટુંકમાં સમજીએ. સદીઓથી વિદેશી આક્રમણોને કારણે પેદા થયેલી ગુલામ માનસીકતાનું કલંક અને હવે બહુમતી હોવાને કારણે અમે બરાબરી કરી શકીએ તેમ છે તેવી માનસીકતાના વૈચારીક સંમિશ્રણે આર એસ એસની વિચારસરણીને બૌધ્ધીક ઇંધન પુરું પાડેલ છે. લઘુમતીઓને 'બીજીકક્ષાના' ગણીને તેમના મુળઅસ્તીત્વમાં જ ભય ઉભો કરવા આર એસ એસે પોતાના સ્વયંસેવકોને એક અર્ધલશ્કરી તાલિમ આપતી સંસ્થા બનાવી દીધી. સ્વયંસેવકોને તાલીમમાં લાઠી, તલવાર, ભાલો અને કટારી કેવી રીતે દુશ્મનો પર ચલાવવી તેની તાલીમ આપવાની શરૂ કરી હતી. કાળી ટોપી, સફેદ અડધી બાંયનું શર્ટ અને ખાખી ચદ્દી યુનીફોર્મ પણ હતો.( Taught them paramilitary techniques with lathi (bamboo staff), sword, javelin, and dagger) સ્વયંસેવકોને તે બધામાં વૈચારીક ઉગ્રપ્રતિબધ્ધતા કેળવવા રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા જેવા આવેગમય ગુણો કેળવવા માંડયા.

(4)   આર એસ એસને હિંદુત્વની વિચારસરણી અને હિંદુરાષ્ટ્રના સ્વપ્નનો આધારસ્તંભ બનાવવામાં વિનાયક દામોદર સાવરકરના ચિંતનનો સીંહ ફાળો હતો. આ વિચારોની ખુબજ ગંભીર અસર આર એસ એસના આધ્યસ્થાપક હેડગેવરના વર્તન ને પ્રવૃત્તીઓમાં પડી હતી.ગાંધીજીના નેતૃત્વ નીચે તે સમયમાં ચાલી રહેલા સ્વાતંત્રય સંગ્રામને ટેકો આપવાને બદલે સને ૧૯૨૫થી તે બધાના સ્વપ્નાં હિંદુરાષ્ટ્ર સ્થાપવાના હતા. તેને કારણે આઝાદીના સંઘર્ષમાં આર એસ એસની સંપુર્ણ ટોચની નેતાગીરીમાંથી માંડીને પ્રાથમિક શાખાઓ સુધી નેતાગીરીનો રોલ નકારાત્મક અને ગેરફાજરીનો કેવી રીતે હતો તે જોઇએ.( In accordance with Hedgewar's tradition of keeping the RSS away from the Indian Independence movement, any political activity that could be construed as being anti-British was carefully avoided.)

(5)   સને ૧૯૩૦ પછી આર એસ એસે ૨૬મી જાન્યુઆરીને પ્રતિવર્ષે સ્વાતંત્ર દિવસ તરીકે સ્વીકારાવાનું બંધ કરી તેને ઉજવવાનું માંડીવાળ્યું હતું. સાથે સાથે આઝાદીની ચળવળના અગત્યના પ્રતિક ત્રિરંગા રાષ્ટ્રધ્વજથી પોતાની જાતને વેગળી કરી દીધીહતી. શિવાજીના ભગવો ઝંડા ને જ હિંદુરાષ્ટ્રના પ્રતિક તરીકે માન–સન્માન આપવાનું ચાલુ રાખ્યુ છે.સને ૧૯૩૪થી કોંગ્રેસે ઠરાવ પસાર કરીને નક્કી કર્યું હતું કે તેના કોઇ સભ્યોએ આર એસ એસ, હિંદુમહાસભા અને મુસ્લીમ્ લીગના સભ્ય બનવું નહી.

(6)   સને ૧૯૪૦માં આર એસ એસના બનેલા સરસંચાલક ગોલવાલકરે જાહેર કર્યું હતું કે " આપણી પ્રવૃત્તીઓનું લક્ષ્ય હિંદુરાષ્ટ્ર અને હિંદુ સંસ્કૃતીનું સંરક્ષણ કરીને સ્વતંત્રતા મેળવવાની છે; નહી કે  બ્રીટિશ સરકાર સામે લડીને!" ( In his view, the RSS had pledged to achieve freedom through "defending religion and culture", not by fighting the British.) તેમને ભારતની ગોરીસલ્તનત આર એસ એસની પ્રવૃત્તીઓ પર પ્રતિબંધ મુકે તેવું કોઇ બહાનું આપવું નહતું. સદર વિદેશી સરકાર તરફથી જે હુકમો બહાર પાડવામાં આવતા હતા તેનું પોતાના નેતૃત્વ નીચે સંપુર્ણ પાલન કરાવતા હતા.સવિનય કાનુનભંગની તમામ ચળવળોમાં આર એસ એસ બિલકુલ ભાગ ન લેતું હોવાથી ગોરી સરકારે તેની અન્ય પ્રવૃત્તીઓને નજર અંદાજ કરતું હતું. સને ૧૯૪૨ની હિંદછોડો(Quit India Movement) આંદોલનથી પોતાની જાતને વિમુક્ત રાખી હતી.(The RSS, in turn, had assured the British authorities that "it had no intentions of offending against the orders of the Government".) સને ૧૯૪૫માં  રોયલ નૌકાદળ તરફથી ગોરી સરકાર સામે જે લશ્કરી બળવો કરેલો તેને આર એસ એસે ટેકો આપ્યો ન હતો અને તે સશસ્ર્ બળવામાં ભાગ પણ લીધો નહતો.( The RSS neither supported nor joined in the Royal Indian Navy mutiny against the British in 1945.)

(7)   સદર સંસ્થાના નેતોઓએ જર્મનીના હીટલર ને ઇટાલીના મુસોલીનીને પોતાના ' રોલમોડેલ' તરીકે અપનાવ્યા હતા. એક તબક્કે જર્મનીમાં વ્યવસ્થિત થતા યહુદોના નરસંહાર સામે કોઇ વાંધો નહતો. પણ હવે યહુદીઓનું આરબજગતની છાતી પર ઇઝરાયેલની એક ધર્મ, એક સંસ્કૃતી ને એક ભાષા આધારીત રાષ્ટ્ર સાથે રાજકીય સંવનન કરવામાં બીજેપી અને આર એસ એસને આનંદ આવે છે.

(8)   આર એસ એસ ભારતના ધર્મઆધારીત ભાગલા અને ત્યાર પછીના કોમી દંગાઓ માટે ગાંધીજી, નહેરુ ને સરદાર પટેલના નબળા નેતૃત્વને જવાબદાર ગણે છે.

(9)   ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દીલ્હી મુકામે રાષ્ટ્રપિતા ગાંધીજીનું ખુન નથ્થુરામ ગોડસે એ કર્યું હતું. જે સને ૧૯૪૬ સુધી આર એસ એસ સક્રીય સભ્ય હતો. તા. ૪થી ફેબ્ર્આરી સને ૧૯૪૮ થી દેશના ગૃહમંત્રી સરદાર પટેલે સદર સંસ્થા પર પ્રતિબંધ મુકી દીધો હતો.અને તેની ટોચની નેતાગીરીને જેલમાંપુરી દીધી હતી.(વર્તમાન ભાજપની નરેન્દ્ર મોદી સહીત ટોચની નેતાગીરી સરદારનું "સ્ટેયુ ઓફ યુનીટી" બનાવી કોંગ્રેસ સામે સત્તાના સમીકરણો સરખા કરવા ઉપયોગ કરે છે.) However, the then Indian Deputy Prime Minister and Home Minister, Sardar Vallabhbhai Patel had remarked that the "RSS men expressed joy and distributed sweets after Gandhi's death)

(10) ગોલવાલકરને ગાંધીજીના ખુનના કાવતરાના સંદર્ભમાં પકડવામાં આવેલા હતા.ઓગસ્ટ ૧૯૪૮માં અટકાયતમાંથી મુક્ત થયા બાદ સંઘના સરસંચાલકના હોદ્દાની રૂએ સંઘ પરનો પ્રતીબંધ ઉઠવવા તે સમયના ગૃહમંત્રી સરદાર પટેલને અરજી કરી હતી. સરદાર સાહેબે તેની સામે સંઘને નીચે મુજબની લેખીત શરતોએ કબુલાતનામું આપવા ફરજ પાડી હતી. એક, સંસ્થાને પોતાનું કાયદેસરનું બંધારણ હોવું જોઇએ, બે, તેમાં પોતાની સંસ્થા દેશના બંધારણને વફાદર છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઇએ.ત્રણ, ત્રિરંગા રાષ્ટ્રધ્વજને ભગવા ઝંડાને બદલે સ્વીકારવો જોઇએ, ચાર, સંસ્થાનું બંધારણ લોકશાહી મુલ્યોને વરેલું હોવું જોઇએ જેમાં તમામ હોદ્દેદારોની ફરજો અને સત્તાનો ઉલ્લેખ કાયદા મુજબનો લેખીત હોવો જોઇએ. તેમના કાર્યસંચાલનના ઠરાવો પ્રજામાટે ખુલ્લા હોવા જોઇએ. સંસ્થાની શાખોમાં સગીર યુવકોની ભરતી તેમના માબાપોની લેખીત પરવાનગી સીવાય ન કરી શકાય તેવી જોગવાઇ સંસ્થાના બંધારણમાં હોવી જોઇએ.

(11)  પોતાની સંસ્થાપરનો પ્રતિબંધ ઉઠાવવા સંસ્થાના વડા તરીકે ગોલવાલકરે સરદાર સાહેબની તમામ શરતો માન્ય છે તેવી લેખીત બાંહેધરી આપ્યા પછી ૧૧મી જુલાઇ સને ૧૯૪૯ પર તેના પરનો પ્રતિબંધ ઉઠાવાયો હતો.. સંઘના રોજબરોજના વર્તન, વિચારો અને વ્યવહારોમાં તેનાથી કોઇ ફેરફાર પડયો નથી તેનાથી કોઇ અજાણ છે? (However, the organisation's internal democracy which was written into its constitution, remained a 'dead letter')

(12)  દેશનું બંધારણ,સંઘ ને મનુસ્મૃતિના સંબંધો –જે દિવસે ૨૬મી જાન્યુઆરી સને ૧૯૫૦ ના રોજ  દેશ પ્રજાસત્તાક બન્યો ને બંધારણના કાયદાઓ દેશના સમગ્ર સંચાલન માટે સર્વોપરી બની ગયા હતા. તે દિવસથી તેનો સખત વિરોધ સંઘે શરૂ કરી દીધો હતો. સંઘના મુખપત્ર ' ઓર્ગેનાઇઝર' દ્રારા બંધારણની સખત ટીકાઓ શરૂ થઇ ગઇ હતી.તા. ૩૦મી નવેંબર ૧૯૪૯ના સદર મુખપત્રના તંત્રી લેખમાં ' મનુ સ્મૃતિ' આધારીત કાયદા પ્રમાણે દેશના બંધારણમાં સમાજના સંચાલનનો કોઇ ઉલ્લેખ નથી તેનો જોરદાર વિરોધ કરેલ હતો. આજ મુખપત્રમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરી સને ૧૯૫૦ના એક લેખનું મથાળું હતું– " Manu rules our heart " સંઘ,તેના તમામ હોદ્દ્દારો અને કાર્યકરોનો વિરોધ બંધારણનો વિરોધ સને ૨૦૨૩સુધી પણ લેશમાત્ર ઓછો થયો નથી તેને કોને ખબર નથી? ( સૌ. ગુગલ સર્ચ વીકીપીડીયા પાનુ ૧થી ૭૫.માંથી ટુંકાવીને ભાવાનુવાદ સાથે–સાભાર.)

(13) સને ૧૯૫૦ થી ૨૦૨૩ સુધી સંઘને તેના સાચા સ્વરૂપે કોણ ઓળખતું નથી?

 


--

Tuesday, February 7, 2023

માર્કસવાદ(MARXISM) અને માનવવાદમાં શું તફાવત છે ?

 કેટલાક મિત્રો તરફથી નીચે મુજબના પ્રશ્નો પુછવામાં આવ્યા છે. આ સોસીયલ મીડીયાના માધ્યમમાં ખુબજ ટુંકમાં જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ પ્રશ્ન અને પ્રશ્ન ચારમાં લગભગ સામ્યતા છે. તેથી બે પ્રશ્નોનો એક જવાબ આપ્યો છે.

(૧) માર્કસવાદ(MARXISM) અને માનવવાદમાં શું તફાવત છે?

(૨)માનવવાદમાં હિંસાનો શું ખ્યાલ છે?

(૩) માનવવાદની રાજનીતીમાં વ્યક્તિગત સંપત્તીના અધિકારનું શું સ્થાન છે?

(૪) સમાજવાદ અને માનવવાદમાં શું તફાવત છે?

(૫) ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે.

 

(1)    માર્કસવાદ અને સમાજવાદમાં સમાજપરિવર્તનના સાધન તરીકે ઉત્પાદનના સાધનો ( Means of production) અને તેની માલીકીને પ્રાધાન્ય આપેલ છે.માનવીને નહી. માર્કસે માનવજાતના ઇતિહાસને મિલકત આધારીત વર્ગીય સંઘર્ષના ઇતિહાસનું પરિણામ ગણ્યો છે.( The history of the mankind is the history of the class struggle). કાર્લમાર્કસના વર્ગીય હિતોના સંઘર્ષવાળા અર્થઘટન અને તાર્કીક કારણને આધારે કોઇ ક્રાંતી તેમના જીવન દરમ્યાન કોઇ દેશમાં થઇ ન હતી.સમગ્ર યુરોપમાં તે સમયે સૌથી વધારે ઔધ્યોગીક રીતે વિકસિત દેશો જેવા કે ઇગ્લેંડ, જર્મની, ને ફ્રાંસ વિ.માં જેમાં કામદારો અને માલીકોના હિતો બિલકુલ એકબીજાના આર્થીક હિતો ઉત્તર દક્ષીણ હતાં તેવા દેશોમાં ક્રાંતી થઇ ન હતી. સને ૧૯૧૭માં માર્કસના તારણથી વિરૂધ્ધ ઔધ્યોગીક વિકાસના તમામ માપદંડોથી નક્કી કરવામાં આવે તો પછાત ગણાય તેવા દેશ રશીયામાં ક્રાંતી કરનાર કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ રશીયાના નેતૃત્વ દ્રારા કરવામાં આવી હતી.

(2)     માનવવાદમાં કેન્દ્ર સ્થાને માનવ છે. કોઇ પક્ષ, રાજ્ય, ધર્મ, સમાજ, કે કુટુંબ જેવા અન્ય કોઇ સમુહ નથી. માનવજાતના ઇતિહાસનું અર્થઘટન તમામ પ્રકારના સામુહિક હિતો સામેના માનવ કેન્દ્રી મુક્તિ સંઘર્ષનું છે. માનવ મુક્તિ સંઘર્ષનો ઇતિહાસ ભૌતીક જ્ઞાન આધારીત છે. તેમાં માનવનો વિદ્રોહ જે કોઇ સામુહિક પરિબળો તેને ગુલામીની જંજીરોમાં કોઇપણ પ્રકારના સમુહ કે જુથના સાધન તરીકે ઉપયોગ કરવા પ્રયત્નશીલ હતા અને આજે પણ છે તેની સામે છે. તમામ સામુહીક એકમો માનવીએ પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા અને પોતાની જૈવીક શક્તિઓ આધારીત સતત વિકાસ કરવા સર્જન કરેલ છે. માટે માનવી તે તમામ સામુહિક એકમોનો માલિક છે. બોસ છે. ગુલામ કે તે સામુહિક એકમોનો પ્યાદુ નથી.

(3)     માનવવાદ એક એવી વિચારસરણી છે જે માનવ સશક્તિકરણને સર્વાંગી રીતે ઉજાગર કરે છે. ભારતમાં ગાંધીજી, દક્ષિણ આફ્રીકામાં નેલ્સન મંડેલા અને અમેરીકમાં જુનીયર માર્ટીન લ્યુથર કીંગ અહીંસક સાધનો દ્રારા સફળ એટલા માટે થયા હતા કે સામે પક્ષે સત્તા સમુહો લોકશાહી મુલ્યો આધારીત સંચાલિત હતા.જ્યાં આધનિક રાજ્યો લશ્કર,ધર્મ અને વ્યક્તિ કે પક્ષની સરમુખત્યારીથી સત્તા ધરાવતાં હોય ત્યાં અહીંસક અને લોકશાહી મુલ્યોના માર્ગે માનવવાદ કેન્દ્રી રાજ્યવ્યવસ્થાનું સર્જન કરવું અશક્ય છે તેની ગવાહી માનવજાતનો ઇતિહાસ પુરી પાડે છે.

(4)      માનવવાદમાં અર્થતંત્રનું મોડેલ સહકારી અર્થવ્યવસ્થાવાળુ વિકેન્દ્રત છે. કેન્દ્રીકરણવાળુ નહી. રાજકીય સત્તા અને સંપત્તીના તમામ પ્રકારના કેન્દ્રીકરણની વિરૂધ્ધ માનવવાદી પ્રવૃત્તીઓ હોય છે. મિલકત કે સંપત્તિનું સર્જન અને માલીકી માનવીને વ્યક્તિગત કક્ષાએ તેના જૈવીક સંઘર્ષને સલામતી બક્ષે છે. પણ તેમાં માનવીય નિયમન વ્યક્તિગત હિતમાં આવકાર્ય અને અનિવાર્ય છે.

(5)    ગાંધીવાદ અને માનવવાદમાં શું તફાવત છે? ગાંધીજીએ સમગ્ર જીવન દરમ્યાન તમામ સમસ્યાઓના ઉકેલ માટે અથવા વ્યક્તી અને સમાજ પરિવર્તન માટે હ્રદય પરિવર્તનના માધ્યમને પ્રાથમિકતા આપી હતી. માનવવાદની દ્રષ્ટીએ માનવ અને સામુહિક સમસ્યાઓના ઉકેલ જ્ઞાન આધારીત જ હોઇ શકે.

 


--

Monday, January 30, 2023

આપણે મનુસ્મૃતિ વિષે કેટલું જાણીએછીએ?


આપણે મનુસ્મૃતિ વિષે કેટલું જાણીએ છીએ?

સને ૨૦૧૪ પછી બીજેપી–મોદી સરકારની આઠવર્ષની સત્તામાં હવે' હિંદુરાષ્ટ્ર', હિંદુ હ્રદયસમ્રાટ, દેશના બંધારણનો વિકલ્પ મનુસ્મૃતી, હિંદુબહુમતીવાદ' વિ. શબ્દસમુહો ચલણીનાણાંની માફક સામાજીક ચલણ બની ગયા છે. હિંદુરાષ્ટ્ર એટલે મનુસ્મૃતિના નિયમો સંચાલિત રાજ્ય.

1.    મનુસ્મૃતિની રચના ચાર વેદોને આધારે છે. વેદોની રચના બ્રહ્મા– ઇશ્વરી સર્જન છે માટે તે સત્ય છે. તેના નિયમો દરેક હિંદુને બંધનકર્તા છે. હિંદુધર્મી એટલે કોણ? તેની ઓળખ માટેના લક્ષણો કયા કયા છે. મનુસ્મૃતિની રચના બૌધ્ધ, જૈન અને શીખ ધર્મો પહેલાંની છે. માટે આ બધા ધર્મોના અનુયાઇઓને મનુસ્મૃતિના કાયદા કે નિયમો બંધન કરતા નથી.

2.     હિંદુની ઓળખ માટેના લક્ષણો– એક, વેદ ને ઇશ્વરી સર્જન ગણનાર.એટલે અવતારવાદ અને પુર્વજન્મ– પુનર્જન્મમાં શ્રધ્ધા રાખનાર, બે,વર્ણવ્યવસ્થા આધારીત સમાજ રચનાનો ટેકેદાર, ત્રણ,ગૌરક્ષાનો ટેકેદાર, અને ચાર મુર્તીપુજામાં શ્રધ્ધા રાખનાર.

3.    મનુસ્મૃતિના નિયમો, કાયદો કે બંધનો વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણો– બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના એકબીજા સાથેના સામાજીક, આર્થીક ને રાજકીય વ્યવહારો નક્કી કરે છે. સદર વ્યવહારોની પુર્વશરત છે કે તે વર્ણવ્યવસ્થા આધારીત ચાર વર્ણના સામાજીક અસમાનતા, ઉંચ–નીચના સ્તરો જે જન્મ આધારીત છે તેને ઇશ્વરદત્ત ગણે છે. અપરિવર્તનશીલ ગણે છે.

4.    ચારવર્ણોનું સર્જન ઇશ્વરી છે. ઇશ્વરના અનુક્રમે મુખમાંથી બ્રાહ્મણ, ક્ષત્રીય હાથમાંથી, વૈશ્ય જાંઘમાંથી ને શુદ્ર પગમાંથી જન્મેલા છે. તે પ્રમાણે આ બધાનું સામાજીક ઉંચનીચનું સ્થાન પુર્વનિર્ણીત છે.

5.    મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણ જ તપ–જપ–યજ્ઞ વિ કરી શકે. રામાયણમાં ઉલ્લેખ કરેલ શુંબક જેવો શુદ્ર તપ કરે તો તેના કાનમાં ગરમ ગરમ ઉકળતું સીસુ શિક્ષા તરીકે નાંખવાનો ઉલ્લેખ છે.અને મહાભારતમાં એકલવ્ય જેવા આદિવાસીનો જમણાહાથનો અંગુંઠો ગુરૂ દક્ષીણામાં કાપી લેવાનો પણ ઉલ્લેખ છે.

6.    મનુસ્મૃતી પ્રમાણે હિંદુરાષ્ટ્ર જે એક રાજાશાહી કે સરમુખત્યારશાહી એકહથ્થુ સત્તા હોવાથી તેમાં નીચલી જાતીનો કોઇપણ હિંદુ પોતાનીથી વર્ણવ્યવસ્થામાં ઉલ્લેખ કરેલ ઉપલી જાતનો કોઇ વ્યવસાય કરે તો રાજ્યસત્તાને તેની તમામ મિલકત જપ્ત કરીને દેશ નિકાલ કરવાનો અબાધિત અધિકાર હોય છે. આ કાયદામાં કોઇ અપીલ માટેની જોગવાઇનો ઉલ્લેખ નથી.

7.     આ નિયમો પ્રમાણે બ્રાહ્મણ ચારવર્ણોમાં સર્વોચ્ચ ઇશ્વરી સર્જન હોવાથી અને તેનું સર્જન ઇશ્વરના મુખમાંથી થયેલું હોવાથી અન્યવર્ણના લોકોએ પોતાનામૃત્તજન પાછળ દાનમાં આપેલ તમામ ચીજો તેના મુખમાં મુકેલ અન્નની માફક ઇશ્વરને પહોંચે છે. બ્રાહ્મણનું વર્ણવ્યવસ્થામાં કાર્ય પોસ્ટ ઓફીસ તરીકેનું છે. દેવોની ભાષા સંસ્કૃત હોવાથી ને તેના અર્થઘટન– શિક્ષણ–પ્રચાર વિ અબાધિત અધિકાર બ્રાહ્મણનો છે.

8.     સમકક્ષ જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણ અને શુદ્ર સમાન સ્તર બેસી શકે નહી. આવો દાવો કરનાર શુદ્રનો મનુસ્મૃતીમાં શિક્ષા તરીકે શિરચ્છેદની જોગવાઇ છે.

9.    મનુસ્મૃતિના કાયદા પ્રમાણે સ્રીનું નિયંત્રણ બાળપણમાં પિતા, લગ્ન પછી તેના પતિ ને પતિના મૃત્યુબાદ દિકરાને હસ્તાંતર કરેલ છે. સ્રી એક ચીજ વસ્તુથી વિશેષ સ્થાન વર્ણવ્યવસ્થા આધારીત હિંદુ સમાજમાં ધરાવતી નથી. માટે જ રામાયણના સ્થાપક તુલસીદાસે આ ગ્રંથમાં એક શ્લોકમાં લખ્યું છે કે ' ઢોલ, ગંવાર,શુદ્ર,પશુ અને સ્રી, સબ હૈ તાડન (માર ખાવા માટેના)કે અધિકારી(લાયક) છે.( Ramcharitmanas of Tulsidas says women and shudras deserve to be beaten " Dhol, ganwaar, shudra, pashu, naari, yeh sab hain taadan ke adhikaari "

10. વિધુરને પુર્નલગ્નનો અધિકાર મનુસ્મૃતિ પ્રમાણે અબાધિત છે. પરંતુ હિંદુ વિધવાને જીવે ત્યાંસુધી વૈધવ્ય જ પાળવાનું તેના લલાટે નકકી કરેલું છે.

11. મનુસ્મૃતી આધારીત અસ્તીત્વમાં આવેલ હિંદુ કાયદાનો સિધ્ધાંત સામાજીક અસમાનતા પર આધારીત છે.(The Hindu law as codified by Manu is based on the principle of inequality.) મનુના હિંદુ સમાજમાં એકજ પ્રકારનો ગુનો કરનારઅને ગુનાનો ભોગ બનનારની શિક્ષા તેની વર્ણ–જ્ઞાતી આધારિત હોય છે. દા:ત જો એકજ પ્રકારનો ગુનો બ્રાહ્મણ ને શુદ્રે કર્યો હોય તો મૃત્યુ દંડની સજામાં બ્રાહ્મણ માટે મૃત્યુ દંડ એટલે તેનું ટકો–મુંડન જ્યારે શુદ્ર માટે ફાંસીની વાસ્તવીક સજા.(For example, if a Brahmin is awarded death sentence, it is sufficient to shave his head, but Kshatriya, Vaishya and Shudra are to actually die.)

12.  હિંદુ કોડબીલ પ્રમાણે શુદ્રોને તમામ ઉપલી વર્ણોના કામના બદલામાં વેતન આપ્યા સિવાય વેઠ કરવી શકે. કારણકે હિંદુ ધર્મમાં શુદ્રોનો જન્મ જ ઉપલી વર્ણોની વિના વેતન જીવનભર 'કર્મયોગી' તરીકે કામ કરીને આધ્યાત્મિક આનંદ લેવા માટે જ છે.

13.  બ્રાહ્મણ શુદ્રનું ખુન કરે તો તેને સજા તરીકે બિલાડી,દેડકો, ઘુવડ કે કાગડામાંથી ગમેતે એક  ને મારવાની સજા ભોગવવાની! (Such is the unequal justice of Manausmruti).

14.  હૈ! ભારત દેશના નાગરિકો! મનુસ્મૃતી આધારીત કાયદાનું શાસન અને હિંદુરાષ્ટ્રની સ્થાપના માટે મેદાને પડેલાઓથી સાવધાન!

15. મનુસ્મૃતિ દહન દિવસ–૨૫મી ડીસેમ્બર ૧૯૨૭. આપણે સને૨૦૨૩માં આશરે ૧૦૦ પછી ક્યાં ઉભા છીએ! ખુબજ દુ;ખદ.

 

 

--