Friday, June 9, 2023

welcome speech of Sam Pitroda in English.

Welcome Speech by SP.

Sam Pitroda' s speech in Santa California.

It is a special privilege and honor to be here in Silicon Valley to welcome Rahul Gandhi to you. Thanking Rahul Gandhi for taking time from his busy schedule for 6 days and spending with us. He came in the morning at 7 am & he is here with us at 12-00. He will have a major event tomorrow at Stanford University. Then we go to Washington DC- where we have serious interaction with Press, critical leaders, think tanks people, NGOS' & Business leaders, then we go to New York, where we shall have lunch with a group of intellectuals, another lunch with a group of Artisans, creative people, & cultural people. Then we have a Mega event with Indian the diaspora.

 I am delighted to get to gather here. Indian Overseas congress is in 32 countries besides the Middle East USA & Canada happens to be a priority.   It is not an easy task for us to arrange public discourses with Rahul Gandhi in different parts of the US. Whenever we organize a meeting for Rahul Gandhi. Hundreds & hundreds of requests come to see him personally, take photos with him etc. Unfortunately we cannot entertain all the requests because of lack of time.

But I must say that enthusiasm during these proposed visits is much more than what I have seen before. It is because of partly the recent election assembly victory of Karnataka state & mainly because of R G's 4000 KM, 150 days in13 Indian states- Bharat Jodo Yatra. He met thousands & thousands of people during this Yatra. I saw images of 50,000 people walking with him, absolutely mind boggling. I believe this is the turning point not only for our party but for the future of India.

We are here & we will be visiting the Indian diaspora in different countries very soon. Because we believe that Indian democracy is the larger public good. We have 1.4 billion people. So our democracy has to be vibrant & alive. I am deeply worried about the existing status of our different institutions. They are captured, our civil society is not allowed to function and is viewed as a watchdog. We have lost logical rational conversation with all of them. You see on Indian Television what goes on & you will see what will happen to the next young generation of Indians. When they start their life as a workforce, what will their life be like in future of India!

 I worry a lot about what is going on in India. I am sure many of you will feel the same way. We want to have a large conversation with people who stay abroad. Because Indian democracy is passing through some serious strains. That is the situation in many parts of the world. We have in the US since the last 4 years many confusion regarding the functioning of Democracy. We are not still done with it. Even in some countries like Mexico, Turkey & others nations the same situations prevail regarding democracy. Democracy is going through serious challenges for its survival throughout the world.

Today in India, Jobs are a major crisis. We are not creating enough jobs for our young people particularly according to their skill. We have planned to discuss AI (Artificial Intelligence). On the one hand we know the new technology will make young people more jobless in many fields. On the other hand we need many more jobs. Our challenges are very special.

 We need young minds like Rahul who can lead the country.  We need someone with an open mind, we need who has some broader exposure, global experience that is the reason we are all here interacting with large numbers of people. I know the road ahead is very complicated, it is not that simple. Because our people of India have something in their minds which is hard to get rid of. "That India belongs to only Hindus."

Our idea of India is very different which has been threatened by the present rulers of India. Our core ideas of India are of diversity, inclusion, truth and love are challenged. This hurts me. At my age, believe me, it hurts me very emotionally. In my old age, I will fell that what type of India I will give to my grandchildren in future.

We have made a lot of progress in the last 75 years. In fact we are here because India gave us education at a very low cost. The credit goes to our founding fathers Pundit Nehru & others who had vision to build IITS, IIMs, laboratories, space programmed, atomic energy & Rajiv Gandhi gave push to IT & telecom.

    I had a chance to work with him. & I will never forget that he gave meaning to my life. My life had no meaning except as an engineer. Rajiv Gandhi had the political will to give vision to not only my life but to create jobs for millions & millions like us.  P M Mody says that nothing has been done in India in the last 70 years, it hurts, but that is ok, because I am used to listening to lies. So I have nothing against individuals. My problem with India is that the idea of India with I am grownup has been challenged.

 With this I invite the great son of India, I want to invite a young leader to tell us a little bit about his journey of 4000KMs. I want you, including myself, to learn how he could do it, what he could mean to him, and a little bit about keeping him going. What is his view for taking India forward & the world? Thank You.

 


--

Tuesday, June 6, 2023

ધર્મનીરપેક્ષ નૈતિકતા( Secular Morality)–

ધર્મનીરપેક્ષ નૈતિકતા( Secular Morality)

ઉત્ક્રાંતિવાદના ભૌતિક જૈવીક સંઘર્ષમાં જીજીવિષા ટકાવી રાખવા માનવીએ જે મુલ્યો વિકસાવ્યા તેમાં સ્વતંત્રતા અને રેશનાલીટી(તર્કવિવેકબુધ્ધિ)અંગે અગાઉના બે લેખોમાં વિગતે ચર્ચા કરી છે. આજે આ લેખમાં ધર્મ કે ઇશ્વર પર આધાર રાખ્યા સિવાય ,માનવ માનવ વચ્ચે સહકાર,સુમેળભર્યુ, શાંતિમય, નૈતિક જીવન જીવતાં માનવી કેવી રીતે શીખ્યો તેની ચર્ચા કરીશું.

 પહેલી પાયાની વાત માનવી વિષે તત્વચિંતક એરિસ્ટોટલે માનવ વર્તણુકને વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું હતું કે માનવી એક સમુહમાં જીવનારૂ પ્રાણી છે.(The man is a gregarious animal.) માનવસર્જીત સમુહમાં જીવવાનો ખ્યાલ તેને પોતાની જીજીવિષા ટકાવી રાખવાની મુળભૂત ઝંખનામાંથી( Urge to exist)વિકસ્યો છે.તે તેની સહજવૃત્તિ(Instinct) છે. તે વિકસવા માટે બે કારણો જવાબદાર છે. એક કુદરતી પરિબળોની આફતો તથા બે,જંગલી–હિંસક પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા એકબીજા માનવોનો સહકાર અનિવાર્ય બન્યો હતો. સહકારભર્યા જીવનના વિકાસ(જેનું બીજુ નામ નૈતિક જીવન છે.)માટે એકબીજાને સંદેશા વ્યવહારની આપલે કરવા ભાષા વિકસી હતી. સમય જતાં ભાષાના વિકાસ સાથે વિકસેલી બુધ્ધિ અને નિર્ણયશક્તિએ તેના કરતાં શારિરીક રીતે વધુ શક્તિશાળી તમામ સજીવો સામે જૈવિક સંઘર્ષમાં માનવી પ્રભુત્વ મેળવી શકયો હતો. આમ ભાષા દ્રારા એકત્ર થયેલું જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતર થયું. તેમાંથી માનવસંસ્કૃતિનો ઉદય થયો છે. એકબીજા માનવો સાથેના નૈતિક માનવ વ્યવહારમાં ક્યાંય કોઇ ઇશ્વર, દેવ, ધર્મ કે ધર્મ પુસ્તક વચ્ચે આવતું  નથી.

  માનવ સહકાર માટે એકબીજા પ્રત્યે લાગણી, અનુકંપા, સહાનુભુતિ, સામાજીક સંપ વિ. લાક્ષણિકતાઓ માનવીય નૈતીક જીવનનો સ્રોત બની.માનવીય નૈતીક ભાવના આમ કુદરતી જીવશાસ્રીય લાક્ષણિકતા છે. નૈતીકતા ભાવના એક પ્રબુધ્ધ સ્વાર્થ છે. સ્વાર્થ સાથે પરમાર્થ(બીજા માનવીનો સ્વાર્થ) છે. માટે જ બીજા એક ગ્રીક તત્વચિંતક એપીક્યુરસે નૈતિક આચરણથી જે સંતોષ મળે છે તેને સમજાવતાં જણાવ્યું છે કે " હું નૈતીક થવા ઇચ્છું છું પણ તે દેવોને પ્રસન્ન કરવા નહી પણ પણ મારી પોતાની પ્રસન્ન્તા માટે."

 નૈતિક વર્તન કોને કહીશું? કોઇપણ માનવ વર્તન જ્યારે રાજ્યના દંડની કે પછી ધર્મ, ઇશ્વરનો પારલૌકીક ભય, સજાને કારણે કરવામાં આવે તેને આપણે નૈતિક વર્તન કહી શકીશું ખરા? જે માનવીય વર્તનમાં પોતાની સ્વૈચ્છીક ઇચ્છાશક્તિનો અભાવ હોય તેને આપણે નૈતિકવર્તન ગણાવી શકીશું ખરા? નૈતિક વર્તન માટે બે ક્રિયાઓ એકી સાથે થવી જોઇએ. નૈતિક વર્તન કરવાની સૌ પ્રથમ ઇચ્છા જોઇએ અને તે ઇચ્છાને અમલમાં મુકવા વર્તન જોઇએ. કોઇ ભિક્ષુકને તમે એક રૂપિયો આપવાની ઇચ્છા રાખો પણ તમે આપો નહી તો તેને નૈતિક વર્તન કહેવાશે ખરૂ? તે રીતે તમારા હાથમાં એક રૂપિયા પડી જાય છે અને તે રસ્તા પરથી પસાર થતા ભિક્ષુકને મલી જાય છે! તો આ વર્તનને પણ આપણે નૈતિક વર્તનની વ્યાખ્યામાં મુકી શકીશું નહી?નૈતીક વર્તન એટલે ઇચ્છા અને વર્તનનો સમન્વય.

માનવી તરીકે તેનો સૌ પ્રથમ પરિચય કુટુંબ સાથે થાય છે. તેનો બીજા સાથેનો નૈતીક વ્યવહાર વડીલોની સુચનાઓ અને આગ્રહ પ્રમાણે નક્કી થાય છે. વડીલોની મંજુરી અને નામંજુરીથી બાળકનું નૈતિક વર્તન ઘડાય છે. સમાજમાં જ્ઞાતિ વિષયક અને સ્રી સાથેના વ્યવહારો પેલી વડીલશાહીની જ દૈન છે.  જે તે સામાજીક રૂઢીઓ અને ધાર્મીક ઉપદેશોની નિપજ હોવાથી મોટેભાગે હાનિકારક તેમજ દમનકારક હોય છે. તમામ ધર્મોએ નૈતીકતાની વ્યાખ્યા અને વર્તનમાં સ્વદમન, સ્વપીડન, કોઇપણ સમુહ માટે શહીદી, સ્વનાશ, બલિ જેવા ગુણોને!(દુર્ગુણોને)આમેજ કરવામાં આવેલા છે.

માનવીય રેશનાલીટી,માનવીના સ્વાતંત્રય માટે વ્યક્તિગત ધોરણે અનિવાર્ય છે. તેવીજ રીતે માનવીય રેશનાલીટી સામાજીક, આર્થિક અને રાજકીય રીતે અનૈતીક રૂઢી રિવાજો અને અબૌધ્ધીક સ્થાપિત પરંપરાઓ, અન્યાયો સામે સંઘર્ષ કરવા ઉદ્દિપક તરીકે કામ કરે છે. તમામ ધાર્મિક વ્યવહારો,ધાર્મિક નૈતીક ઉપદેશો, માનવીય નૈતીકતાથી ઉલટી દિશના વર્તનો શીખવાડે છે. ભલે ભુતકાળમાં માનવ વિકાસના પ્રાથામિક તબક્કામાં ધર્મે હકારાત્મક ફાળો ભજવ્યો હશે પણ તમામ ધર્મોની ભુમિકાઓ નકારાત્મક ને સમાજના સ્થાપિતહિતો સાથે મીલીભગતની જ રહી છે. જે હજુ પણ ચાલુ છે.

   વૈજ્ઞાનીક સમાજવાદના પ્રણેતા કાર્લ માર્કસના તારણ મુજબ તમામ ધર્મો પોતાના કંઠીબંધ ભગતોને ધર્મનું અફીણપાઇને મદહોશ બનાવી, વાસ્તવિક જીંદગીમાંથી ભાન ભુલાવીને તેમના ખીસ્સાં કાતરવાનું કામ કરે છે.મોટાભાગના ધાર્મિક કંઠીબંધોની અફીણી મદહોશતા જન્મની સાથે આપવામાં આવેલી ગળથુથી શરૂ થઇને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે. એટલું જ નહી પણ પોતાના વારસદારોને મિલકતની માફક જ વારસમાં આપતા જ જાય છે. ' मंदिर वहीं बनायेगें- अयोध्या झांखी है- काशी मथुरा बाकी है|  આ ધાર્મીક અફીણીઓને કોણ સમજાવશે કે વીશ્વના તમામ ધર્મોએ માનવોને અંદર અંદર લડાવીને સતત વિનાશને માર્ગે લઇ ગયા છે. જ્યારે વિજ્ઞાને જ માનવી માટે સુખાકરી,પ્રગતિઅને શાંતિ માટેનો રસ્તો ધાર્મીક સત્યોને પડકારીને બનાવ્યો છે. "The science is the basic source of development while the religion is the only source of destruction of the mankind."

 માનવજાતની મર્યાદા એવી સાબિત થઇ છે કે તેણે જે ઝડપથી ટેકનોલોજીનો વિકાસ કર્યો તેટલી ઝડપથી માનવીય નૈતીકતાનો વિકાસ સાધી શક્યો નહી. વર્તમાન સમયમાં જે ભરપેટ સામુહિક નૈતીકતાનો હ્રાસ થતો ને નૈતીક મુલ્યોનું સતત ધોવાણ થતું ઠેરઠેર જોવા મલે છે તેનો ઉપાય કે માર્ગ ધાર્મિકતા તરફ પલાયન કે છટકબારીમાં નથી. માનવ કેન્દ્રી નૈતીકતા એ યોગ્ય અને એકમાત્ર સાધન છે. જેને માનવીએ આત્મસાત કરીને, તેનો ઉપયોગ કરીને લાખો વર્ષનો જૈવીક સંઘર્ષ કરીને આપણી પૃથ્વીને સુજલામસુફલામ બનાવી છે. માનવીય નૈતીકતાના માર્ગદર્શકો.

·         એક તમામ માનવીઓ જૈવીક ઉત્કાંતિની નીપજ હોવાથી મુળભુત રીતે એક જ છે. કોઇ માનવીનું સર્જન કોઇપણ ધર્મગ્રંથોમાં લખ્યા મુજબનું બિલકુલ નથી ને નથી જ. માટે કોઇ માનવી જન્મથી ખ્રીસ્તી નથી, મુસ્લીમ નથી, હિંદુ પણ નથી જ.

·         માનવીય રેશનાલીટી સિવાય જ્ઞાન પ્રાપ્ત કરવાનો કોઇ માર્ગ નથી. તમામ ધર્મોના ઇશ્વરી સાક્ષાત્કારના પુરાવાને કોઇ ભૌતીક–વૈજ્ઞાનીક આધાર નથી. તેવા તમામ દાવા છેતરપીંડી, બદમાશી અને ખીસ્સા કાતરવાના અનૈતીક અને ગેરકાનુની જ ધંધાઓ છે.

·          કોઇપણ નાગરિક અને સમગ્ર માનવજાતના કલ્યાણનો માર્ગ ' ધર્મનિરપેક્ષ માનવવાદ' સિવાય બીજો કોઇ નથી. તે માનવકેન્દ્રીત છે. માનવીના વૈયક્તિક ભૌતીક સર્વાંગી વિકાસ સિવાયના કોઇપણ માપદંડથી તેને મપાય જ નહી. કોઇપણ માનવસર્જીત સમુહમાં મારી અને તમારી શરણાગતી, વફાદારી એ લલચાવનારો ગુલામીનો માર્ગ છે ભલે પછી તેને  હીરે– સોનીથી મઢેલો હોય!

·         ડાર્વીનના ઉત્ક્રાંતિવાદનું એક જ સત્ય– દરેકે સજીવે જિવન ટકાવી રાખવા સંઘર્ષ વ્યક્તિગત ધોરણે કર્યો છે. હા! તેણે સમુહનો સહકાર સ્વતંત્ર બનવા લીધો છે. જે સમુહ તમને ઉપદેશ ગુલામ બનાવવાનો કરે તો તમારે તમારી રેશનાલીટીનો ઉપયોગ કરીને તેને બધાને ઇતિહાસની કચરા પેટીમાં સત્વરે ફગાવી દો! અને માનવકેન્દ્રીત સશક્ત સમાજ વ્યવસ્થાના સર્જન તરફ આગળ પ્રયાણ ચાલુ રાખવું જોઇએ. માનવકેન્દ્રીત સુખાકારીનો માર્ગ અનંત ને સીમાહીન છે.    

 

 

 

 

 


--

Friday, June 2, 2023

માનવવાદનું પાયાનું બીજુંમુલ્ય– શ્રધ્ધા નહી પણ રેશનાલીટી. (NO FAITH BUT REASON)

માનવવાદનું પાયાનું બીજું મુલ્ય– શ્રધ્ધા નહી પણ રેશનાલીટી.

                     (NO FAITH BUT REASON)

 ઉત્ક્રાંતિવાદે,વૈજ્ઞાનીક માનવવાદને( The Radical Humanism) બક્ષેલું બીજું માનવ મુલ્ય 'તર્કવિવેક શક્તિ' (Rationality)છે. તર્કવિવેકશક્તિ એટલે સારું કે ખોટું શું તે નક્કી કરવાની પધ્ધતિ.ખરેખર તે સત્ય શોધવાની પધ્ધતિ છે.દરેક સજીવોએ પોતાની જીજીવિષા ટકાવવા કુદરતી પરોબળો કે નિયમો (Laws of nature)ને સમજીને પોતાના જૈવીક અંગો વિકસાવવા પડે છે. જૈવીક અંગોમાં ફેરફારો થતાં હજારો નહી પણ લાખો વરસ નીકળી જાય છે. જે સજીવો કુદરત પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્ત થવા પોતાના અંગોમાં ફેરફાર કરી શકે તે અસ્તીત્વના સંર્ઘષમાં ટકી શકે!

માનવીય સ્તર પર તર્કવિવેકશક્તિ બે રીતે માનવીને પોતાની જીજીવિષા ટકાવી રાખવા મદદ કરે છે. એક કુદરતના નિયમોને સમજવા અને બીજુ સામાજીક પરિબળોને સમજવા. ગુજરાતી ભાષામાં રેશનાલીટી શબ્દ તર્કવિવેકશક્તિનો પર્યાય બની ગયો છે. તેથી હવે પછી ચર્ચામાં રેશનાલીટી શબ્દ જ વાપર્યો છે.

માનવીને સત્ય શોધવામાં રેશનાલીટી બે રીતે મદદરૂપ થાય છે. એક ઇન્દ્રીયજન્ય અનુભવ અને બે, બૌધ્ધીક સમજશક્તિ(Cognition). ઇન્દ્રીયજન્ય અનુભવ(Sense perception)એટલે આપણને પાંચ ઇન્દ્રીયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી ની મદદથી થતો અનુભવ. આ તમામ ઇન્દ્રીયોનો સ્પર્શ વ્યક્તિગત કે સામુહિક ધોરણે મન(વિચાર કેન્દ્ર)ને સંદેશો પહોંચાડે છે.મન, કારણ અને તેની અસર( Cause and Effect)ને સમજીને નિર્ણય કરવાનો હુકમ જે તે ઇન્દ્રીયને આપે છે. માનવ સહિત દરેક સજીવ અનુભવને આધારે જે નિર્ણય કરે છે તે તેની ઉપર જણાવેલ રેશનલ પ્રક્રિયાનું પરિણામ હોવાથી તે ક્રિયા ભૌતીક હોય છે. તેમાં કશું દૈવી કે આધ્યાત્મિક બિલકુલ નથી.

હવે, ઇન્દ્રીયાતીત અનુભવના(Spiritual) ખ્યાલને સમજીએ. સદર અનુભવ એટલે તમામ ઇન્દ્રીયોની મદદ સિવાય થતો અનુભવ! જે અનુભવ પ્રાપ્ત કરવામાં ઇન્દ્રીયો કોઇપણ રીતે સંકળાયેલી ન હોય તેને કારણે તે સર્વે ઇન્દ્રીયો આપણા મનને કે તેના વિચાર કેન્દ્રને કોઇ સંદેશો મોકલી શકતી નથી.માટે આવા ઇન્દ્રીયાતીત અનુભવનો કોઇ પુરાવો માનવી મેળવી શકતો નથી. જો કોઇપણ માનવી જ્યારે એવો દાવો કરે કે તેને ઇન્દ્રીયાતીત અનુભવ થયો છે, કોઇને પ્રાપ્ત નથાય તેવો અસાધારણ અનુભવ( Extra ordinary experience) થયો છે. તો તે દાવો કરનારે અસાધારણ પુરાવો(Extra ordinary Evidence) કોઇપણ જાતની છેતરપીંડી કે લુચ્ચાઇ કર્યા સિવાયનો આપવો પડે! તમામ ધર્મોના સ્થાપકોએ પોતાને ઇશ્વરી સંદેશા મળેલા છે, તે બધાજ સંદેશાઓ ઇન્દ્રીયાતીત હતા. માટે તે બધા દૈવી અનુભવો માનવ ઇન્દ્રીયો તથા તેની સાથે કામ કરતા વિચાર કેન્દ્રથી થતી તપાસને વર્જય છે. હા! મઝાની હકીકત એ છે કે તે બધા ઇશ્વરી સંદેશાઓના ઇશ્વરી સંદેશાવાહકો જે પાછા છે, તો મારા તમારા જેવા માનવી ઓ જ. જે ઉંમર થતાં ઘરડા થઇને મૃત્યુને હવાલે થયા હતા. સંદેશાઓ ઇશ્વરી, ઇશ્વરી સંદેશાવાહકોમાંથી કોઇની ભાષા હીબ્રુ, ઉર્દુ, સંસ્કૃત,મરાઠી,પાલી વિ. વિ. તો શું દેશકાળ અને ભુમિપ્રમાણે તેમના ઇશ્વરી દરબારો(કદાચ) જ્યાં હોય ત્યાં જુદા જુદા હશે!

 હવે, આપણે રેશનાલીટી કઇ રીતે માનવીય સ્વતંત્રતાને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે તે સમજીએ. માનવીને રેશનાલીટી પ્રમાણે વિચાર કરવાની શક્તિ જ તેને સ્વતંત્ર્ય માટેની લડતનો માર્ગ સરળ કરી આપે છે. જીવન ટકાવી રાખવાની ઝંખના, જીજીવિષા એટલે સત્ય શોધવાનો સંઘર્ષ. તે માટે રેશનલ માર્ગ કે એપ્રોચ. જીવન ટકાવવા,તેને સમૃધ્ધ બનાવવાનો પ્રાથમિક સંઘર્ષ એટલે કુદરતના નિયમોને સમજીને પોતાનું જીવન ગોઠવવું. કોઇપણ માનવ સહિત તમામ સજીવ, કુદરતી પરિબળોના નિયોમોમાં ફેરફાર કરી શકતા નથી. તેના નિયમોને સમજીને પોતાનું જીવન કેવી રીતે ટકી રહે તે શીખે છે. માનવવાદી મુલ્ય રેશનાલીટી દરેક માનવીને જીવન ટકાવી રાખવામાં કુદરતને સમજવામાં મદદરૂપ થાય છે. કુદરત એ માનવી માટે એક જ્ઞાનનો સ્રોત છે.પણ જ્ઞાનનો આધાર તો તર્કબુધ્ધી કે રેશનાલીટી છે. માટે જ રેશનાલીટી માનવપ્રગતિનું મુખ્ય સાધન છે. કુદરતએ ભજવા પુજવાનું સાધન નથી. પ્રકૃતિ,સંબંધી ઉત્તરોત્તર વધતું જ્ઞાન, માનવીને કુદરતી ઘટનાઓ તેમજ ભૌતીક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા સકંજામાંથી ક્રમશ; મુક્ત બનાવે છે.

આમ માનવવાદી વિચારસરણીનું બીજું મુલ્ય રેશનાલીટી માનવમુક્તિ માટેનો માર્ગ છે. રેશનલ માનવી એટલે માનસિક રીતે સ્વતંત્ર.તેનામાં લેશમાત્ર અંધશ્રધ્ધા ન હોય. તેના નિર્ણયનો આધાર વૈજ્ઞાનિક અભિગમ હોય છે અથવા રેશનલ અભિગમ હોય છે. તે માનવીને સત્ય શોધવાના માર્ગમાં સ્વાવલંબી બનાવે છે. પરાવલંબી નહી. તે કોઇ ગુરૂ, દૈવી સત્તાના એજંટોનો ગુલામ ક્યારેય હોઇ શકે નહી.

માનવીય રેશનાલીટી એ જૈવીક ઉત્કાંતીનું મુળભુત લક્ષણ છે. કેવી રીતે? ઇન્દ્રીયોનો ઉપયોગ કરીને પ્રાણીઓ પણ વિચાર–સમજ પ્રમાણે નિર્ણય કરતા જ હોય છે. માટે જ જીવે છે. માનવ મગજ પણ કુદરત સાથે અનુકુલન સાધતાં જીવશાસ્રીય ઉત્ક્રાંતિ દરમ્યાન જ વિકસ્યું છે. તેથી માનવ રેશનાલીટી એક જીવશાસ્રીય ગુણધર્મ છે. માનવવાદના ત્રીજા મુલ્ય ધર્મનીરપેક્ષ નીતી(Secular Morality) ની ચર્ચા હવે પછી ના ભાગ– ૩ માં.

 

 

 


--

Thursday, June 1, 2023

सेनफ्रान्सीको में राहुल गांधी-


सेनफ्रान्सीको में राहुल गांधी-

कुछ लोगोको गुमान होता है कि वो सबकुछ जानते है|

सेनफ्रान्सीको में राहुल गांधीने बीजेपी को बुरी तरह घेर लिया| अपने भाषणमें राहुल गांधीने बोल दिया कि कुछ लोगोको गुमान है कि " हम सुब कुछ जानते है| मोदिजीभी उनमे से एक है| अगर मोदीजी भगवानके सामने बैठ जाये तो भगवान को समजा दे के उसे ब्रह्मांड केसे चलाना है|

इस धारणा में न रहें कि आप सब कुछ जानते हैं। दुनिया इतनी बड़ी और जटिल है कि कोई भी व्यक्ति इसे समझ नहीं सकता है कि वह इसके हर पहलू को समझ सकता है। यह एक प्रकार की बीमारी है कि हमारे पास भारत में ऐसे लोगों का एक समूह है जो पूरी तरह से आश्वस्त हैं कि "वे सब कुछ जानते हैं।" मुझे लगता है कि वे भगवान से ज्यादा जानते हैं। वे बैठ सकते हैं और भगवान को समझा सकते हैं कि क्या हो रहा है? आप हमारे प्रधान मंत्री ऐसे ही नमूने हैं। मुझे लगता है कि वह सोचता है कि वह भगवान से ज्यादा जानता है।

अगर आप मोदीजी को भगवान के बगल में बिठाएंगे तो वह शुरू करेंगे और भगवान को समझाएंगे कि ब्रह्मांड को कैसे काम करना चाहिए! और ईश्वर भ्रमित करेगा कि मैंने क्या बनाया था! तो ये मज़ेदार बातें हैं लेकिन भारत में यही हो रहा है। हमारे पास ऐसे लोगों का समूह है जो दावा करते हैं कि वे सब कुछ समझते हैं।

  वे वैज्ञानिकों से बात करते हैं और समझाते हैं कि विज्ञान क्या है। वे इतिहासकार से बात कर सकते हैं और बता सकते हैं कि उनके लिए इतिहास क्या है। वे सेना को युद्ध के बारे में समझा सकते हैं और हमारी वायु सेना को सलाह दे सकते हैं कि युद्धक विमानों को कैसे उड़ाया जाए। और आप जानते हैं कि इसके दिल में एक औसत दर्जे का है। असल में उन्हें कुछ समझ ही नहीं आता।

  यदि आप सुनने के लिए तैयार नहीं हैं तो जीवन में आप कुछ भी नहीं समझ सकते। यह सबसे बड़ा सबक है जो मैंने भारत जोड़ी यात्रा से सीखा है। हर किसी से कुछ न कुछ सीखने को मिलता है। हम उन बच्चों से बहुत बड़े हैं।

एक महिला का सवाल- मूल रूप से कर्नाटक की रहने वाली एनआरआई- सबसे पहले राहुलजी का आभार स्वीकार करें, हमारे राज्य का चुनाव जीतने के लिए। उसके लिए भी हमारे पास आंसुओं का आनंद है। लेकिन हम भारत वापस जाना चाहते हैं और अपनी मातृभूमि के लिए काम करना चाहते हैं। लेकिन हम दिल्ली में हमारी महिला पहलवानों के विरोध के मुद्दे को संभालने में मोदी सरकार के असंवेदनशील, अशोभनीय और अशोभनीय व्यवहार से बहुत चिंतित हैं।

राहुलजी का जवाब- मीडिया द्वारा तथ्यों को तोड़-मरोड़ कर पेश किया जा रहा है. भारत वह नहीं है जो मीडिया दुनिया के सामने रख रहा है। सत्ता में पार्टी मीडिया से एक विशेष प्रकार के नैरेटिव पेश करती है। राष्ट्रीय मीडिया भाजपा की मदद करता है। यह देश का प्रतिनिधित्व करता है कि भाजपा और उसके नेता क्या पेश करना चाहते हैं। इस बात पर ध्यान न दें कि मीडिया जो पेश कर रहा है वह सच है। आप जैसे नौजवान के रूप में हमारे देश को आपकी जरूरत है। आपका कौशल और ऊर्जा देश के लिए बहुत काम आएगी। कृपया मातृभूमि की सेवा के लिए वापस जाएं। शुभकामनाएँ।

राहुलगांधी मन कि बात ओर जन कि बात के बिच तफावत क्या है वह अपनी सेनफ्रान्सीसको की इन्डीयन डायसपोरा के बिच एन आर आइ को समझाते है |

Comments from Prof Akhil Swami- राहुलजीने ये कल्पना कि बात रखी कि मोदिजी ब्रह्मा के पास जाय, वि, में भी वौ बात आगे कल्पना कर ले जाना चाहता हूं|

प्रों ए.स्वामी- अगर अपने मोदीजी ब्रह्मा, विष्णु और महेश के सामने बैठ जाय तो

मोदीजी- पहेलां मेरे मन की बात सुनो१ ब्रह्माजी, तुमने ये सृष्टी ठीक नही बनाइ, आपने सृष्टी ठिक बनाइ होती तो हरे रंग के पत्ते क्युं बनाए? सारे पत्ते भगवा रंग के होने थे! पुरे विश्वका रंग ही भगवा होना था| ए पोधे ओर पत्ते हरे रंग के रख कर तुमने हिंदुधर्म से अन्याय क्यो किया है? हमारी देशकी बहुमती आबादीको ठेस पहांचाइ है|

मोदीजी- सीधे विष्णु के पास- तुम कैसे पालनहार हो ? तुमने मुगलोका शासनमें कितने अत्याचार हुए तब तुम कहॉ थे?  मोदीजी फिर ब्रीटीश शासन की बात भुल कर सीधा महात्मा गांधी और जवाहरलाल नहेरु का सन १९४७ का शासनकी बात शरु कर देते है| आपने वीश्व संचालक होते हुए भी एसे लोगो के हाथमें स्वतंत्रताकी सत्ता क्युं दे दी?

मोदीजी- फिर वो महादेव से कहेते है- महादेवजी ! आप सृष्टीका संहार करतो हो, नाश करते हो ! तुम क्या संहार करते हो? में बताता हुं के में केसे संहार करता हुं? देखो मेंने जंतरमंतर पर कैसे अपनी बेटीयो को ही घसीट घसीट कर मारा? देश के किसानोको १३ महिने तक दिल्ही की चारो ओर घेर के रख्खा? महादेव में तुमसे ज्यादा शक्तिशाली हुउ!

प्रो.अखिल स्वामी- हम हिंदुलोग भुल गये है कि हम हिंदुलोग भगवान के सामने मीट्टी या धुल के बराबर है| मगर मोदी भक्त कहेते है कि श्री राम को मोदीने घर दिलाया है!

प्रो.अखिल स्वामि-राहुलजीने ये मुद्दा चर्चा में लाकर हर को अपनी ओखात कतिनी है वो दिखाइ दी है| समग्र विश्वमें ज्ञानका समुद्र् है ओर मेर पास ज्ञान का एक लोटा भी नही है ! फिर गुमान क्यू?

सौ- यु टयुब-https://www.youtube.com/watch?v=w_QodDPItts. भावानुवाद-

 

--

Tuesday, May 30, 2023

“અમારે ત્યાં એક યુરોપથી આવ્યા.

(1)    "અમારે ત્યાં એક યુરોપથી આવ્યા. અને અમારી પ્રજાના એક હાથમાં બાયબલ પધારવી દીધુ.  બીજા અરબસ્તાનથી આવ્યા અને બાકીના હાથમાં કુરાન આપી દીધું. ત્રીજા, કોલબંસે શોધેલી નવી દુનિયામાંથી  તે લોકો આવ્યા. 'અમારા વહાલા થઇને' સ્ટીમરોની સ્ટીમરો ભરીને સાંકળોથી મારા વડીલોને બાંધી બાંધીને ન્યુયોર્ક, વોશીંગટન ને શીકાગોના 'એમ્પયાર સ્ટેટ બીલ્ડીંગ, સીયર્સ ટાવર અને વોશીંગટન ડીસી બનાવવા લઇ ગયા." –  લીઓ ઉગ્વે(Leo Igwe)– પ્રમુખ હ્યમેનીસ્ટ એસોસીયેશન, નાઇજીરીયા. ( Key note Address – 82nd American Humanist Association- Denver- Colorado( USA).

(2)     ઉપરના તજજ્ઞોની સરખામણીમાં ભારતીય ધર્મસ્થાપકોનો બુધ્ધિ આંક (I Q) સર્વશ્રૈષ્ઠ પુરવાર થયો! તેઓએ પોતાના જ એક જ ઉદરમાંથી( ગર્ભમાંથી) સહોદરીઆઓને જ 'ગીતાના' સ્થાપક કૃષ્ણ સર્જીત હિંદુ વર્ણવ્યવસ્થામાં દલીત બનાવી દીધા. તેમના સામુહિક શ્રમનો પેઢીઓ પ્રતિ પેઢીઓ 'નિષ્કામ કર્મ અને તે પણ સ્થિપ્રજ્ઞ સ્થિતિમાં' ઉપયોગ કરી કરીને ગોકુલ મથુરા, અયોધ્યા, કાશી અને તિરુપતિ બાલાજી બનાવી દિધા. શાબાશ,અભિનંદન.

ભારતીય ધર્મસ્થાપકો અને તેના વર્તમાન દિલ્હી સ્થિત સત્તાધીશ વારસદારોને!.   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


--

Saturday, May 27, 2023

માનવવાદી વિચારસરણીનોવૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.


                     માનવવાદી વિચારસરણીનો વૈજ્ઞાનીક પાયો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ.

 

ધર્મનિરપેક્ષ માનવવાદની સમૃધ્ધ વૈજ્ઞાનીક વિચાસરણીની ઇમારતનો પાયો ચાર્લસ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પર ઉભેલો છે.કેવી રીતે? ચલો સમજવાની કોશીષ કરીએ!.

(1)  ઉત્ક્રાંતિવાદનું પ્રથમ તારણ:– દરેક સજીવનો જન્મ કુદરતી છે. ઇશ્વર કે દૈવી નથી.માનવનો જન્મ એક સજીવ તરીકે જ થયો છે. માટે તેના જન્મમાં પણ કશું ઇશ્વરી કે દૈવી નથી, કુદરતી છે. દરેક સજીવ એક ભૌતીક એકમ છે. માટે માનવી એક સજીવ તરીકે પણ ભૌતીક એકમ જ છે.શરીર અને આત્મા( Body & Spirit)ના દ્વંદને ઉત્ક્રાંતિવાદ નકારે છે. જે કોઇ ધર્મો શરીર અને આત્માના દ્વંદને સ્વીકારે છે તથા આત્મા અમર છે, નાશવંત નથી, તથા આ બધાની પાછળ મોક્ષ, પુનર્જન્મ, પાપ–પુન્ય, કર્મ–વર્ણ, કયામત,મુક્તિ વિગેરેની કપોળકલ્પનાઓ સ્થાપિતહિતના ટેકાવાળી ઉભી કરે છે તેને ઉત્ક્રાંતિના 'કુદરતી પસંદગી'ના સિધ્ધાંતનો ટેકો નથી. તમામ સજીવોની માફક માનવી એક ભૌતીક એકમ છે. માટે નાશવંત છે.આ જન્મ જ પહેલો અને આખરી જન્મ છે. આ જન્મ પહેલાં કોઇ જન્મ હતો નહી અને નાશવંત શરીર પછી કોઇ જન્મ થવાનો નથી.

(2) ઉત્ક્રાંતિવાદનું બીજુ પાયાનું અને ક્રાંતીકારી તારણ છે કે દરેક સજીવ જાતી–પ્રજાતી કુદરતી વાતવારણ સામે પોતાનું શરીરી કે ભૌતીક વ્યક્તિગત ધોરણે અસ્તિત્વ ટકાવી સંઘર્ષ કરે છે. દરેક સજીવની માફક માનવીનું સજીવ તરીકે  પૃથ્વી પર આગમન કોઇપણ જાતના ઇશ્વરી કે ખાસ હેતુ માટે નથી. પુર્વજન્મના હિસાબ ચુકવવા ભુલેચુકે છે તેવું કોઇ લેશ માત્ર માને નહી.જીવનના દુ:ખો તરફ પીઠ ફેરવીને પલાયન થઇ જવાથી સ્વતંત્રતા હાંસલ થતી નથી. પુર્ણ જીવન પ્રાપ્ત કરવાના માર્ગમાં જે જે અવરોધો,આડખીલીઓ, નિયંત્રણો આવતાં હોય તે બધાને દુર કરવામાં જ સ્વાતંત્રય રહેલું છે.

(3) માનવી તરીકે જીવવું એટલે શું? દરેક સજીવની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની (શરીર ટકાવી રાખવાની) અદ્મય ઇચ્છા મુળભુત છે.( Basic urge to survive.)માનવ તરીકે જીજીવીષા ટકાવી રાખવાની અદ્મય ઇચ્છા એટલે સ્વતંત્રતાની ઝંખના છે.આમ સ્વતંત્રતા એક પાયાનું મુલ્ય છે. બીજા માનવીય મુલ્યો સ્વતંત્રતાના ખ્યાલમાંથી ઉદ્રભવે છે.

(4) માનવીય સ્વતંત્રતાની ઝંખનાના બે પહેલુ છે. એક માનવીએ કયા કયા પરિબળોની અસરોમાંથી મુક્ત થવા સંઘર્ષ કરવાનો,માનવ વિકાસને અટકાવાતા નકારાત્મક પરિબળો(Freedom From)માંથી મુક્તિ. બીજુ, માનવીય સ્વતંત્રતા કોના માટે? માનવ વિકાસને મદદકર્તા હકારાત્મક પરિબળો(Freedom For).

(5) કયા કયા દુન્યવી પરિબળો માનવીને તેની સ્વતંત્રતા માટેની ઇચ્છાને પરિપુર્ણ કરતાં રોકે (Freedom From) છે? સૌ પ્રથમ શરૂઆત આપણે બાયબલની પેલી આદમ–ઇવની સુપ્રસિધ્ધ વાર્તાની હકીકતથી કરીએ. બાયબલના ગોડે આદમ– ઇવને સ્વર્ગના બગીચામાં આવેલા એક ઝાડમાંથી ફળ તોડવાની મના કરી હતી.( Photo of Tree of Knowledge put at the end of this article) સાવચેત પણ કર્યા હતા. કે જો તમે પેલા ગોડની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો સ્વર્ગની તમામ સાહેબી કાયમ માટે ગુમાવી દેશો! બાયબલનો પુરૂષ બીકણ, ડરપોક અને અનિર્ણયતાનો કેદી હતો. પણ તેની "ઇવ" એક સ્રી તરીકે સમજી ગઇ હતી કે સ્વતંત્રતાના ફળો ગોડના આજ્ઞાપાલનમાં નહી પણ તેના ઉલ્લંઘનમાં છે. જે દિવસથી ઇવે ઇશ્વરી હુકમનો સરિયામ અનાદર કરીને જીવવાનું શરૂ કર્યું ત્યારથી તે બંનેને ખબર પડી ગઇ કે આ ઝાડતો બાયબલના ઉપદેશો સામે સ્વતંત્રતાથી કેવી રીતે મોજમઝાથી જીવાય માટે જ્ઞાન આપતું 'જ્ઞાનનું ઝાડ છે'(Tree of Knowledge).

(6) ઉપરની વાર્તાનો ઉદ્દેશ સરળ છે કે માનવ સ્વતંત્રતાના પંથમાં જે કોઇ માનવ સર્જીત સામુહિક પરિબળો દખલ કરતાં હોય તે તમામની સામે વ્યક્તીગત અને સામુહિક સહપંથીઓના સહકારથી પ્રતિકાર કરવો તેનો અર્થ જ જૈવીક ઉત્ક્રાંતિના ઉદ્દેશ પ્રમાણે જીવવું. બાકી સમુહમાં એક ટોળા તરીકે આજ્ઞાપાલન કરી જીવવું.

(7) ડાર્વીનના સમગ્ર ઉત્ક્રાંતિવાદનું વૈજ્ઞાનીક સત્ય છે કે જે જીવો કુદરતી પરિબળો સામે પોતાના અંગોમાં જરૂરી ફેરફાર કરીને વાતવરણને અનુકુળ જીવે છે તે જ જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાં ટકી રહે છે. જો ઇવે ગોડની આજ્ઞા પ્રમાણે જીવવાનું પસંદ કર્યુ હોત તો હજુ પણ માનવ ઇતિહાસ જ શરૂ  ન થયો હોત! અને સ્વર્ગની બહાર નીકળ્યા જ ન હોત! માનવી તરીકે જીવવા માટે ઇશ્વરી આજ્ઞા ને પૃથ્વી પરના તેના દલાલોની નાગચુડ પકડમાંથી મુક્ત થવાના સંઘર્ષમાં, તે બધાની આજ્ઞાના ઉલ્લંઘનમાં માનવ મુક્તિ રહેલી છે. તે બધાના આજ્ઞાંકિત થઇને જીવવું એટલે કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્ત થવા તેમને ભજવા,પુજવા અને અંતે તે અસરોને કારણે મૃત્યુ પામવું.

(8) આજ્ઞાપાલન (Obedience)અને આજ્ઞાનું ઉલ્લંઘન(Disobedience) બે ખ્યાલો અંગે વિગતે ચર્ચા કરવી જરૂરી છે. કારણકે તેને સીધો સંબંધ પાયાના માનવ મુલ્ય સ્વતંત્રતા સાથે છે.કોઇપણ સત્તા ભલે તે આ–લોક ની હોય કે પર–લોકની તેને સ્વીકારવી એટલે કે પોતાની વિવેકશક્તિને આ બધી સત્તાઓની ગુલામ બનાવવી, તેની હકુમતની અબાધિત રીતે શરણાગતિ સ્વીકારવી. સત્તાની આજ્ઞાનો સ્વીકાર એટલે માનવ વીકાસની યાત્રાની સંપુર્ણ સ્થગિતતા. જે ખાસ કરીને ભારત અને તમામ મુસ્લીમ દેશો, જેવા વિશ્વના ધર્મપરસ્ત દેશો, છેલ્લા હજારો વર્ષોથી તે સ્થગિતતા ગુણગાન ગઇને સ્વમદહોશ સ્થિતીમાં ફક્ત જીવતા નથી પણ તેમાં વિશ્વગુરૂ બનવાના સ્વપ્ના વેચે છે.

(9) માનવી તરીકે જે દિવસથી પોતાની સદ્વિવેક શક્તિનો ઉપયોગ, પેલી તમામ હકુમતો સામે બળવાખોર બનીને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની શરૂઆત કરવામાં આવે તે દિવસથી માનવજાતનો ઇતિહાસ શરૂ થાય છે. માનવજાતનો ઇતિહાસ માનવોના આજ્ઞાંકિત ટોળાથી બનતો નથી. ઇશ્વરી અને તેના તમામ ધાર્મીક સામાજીક, રાજકીય અને આર્થીક એજંટોના ઉપદેશ સામે તર્કવિવેકબુધ્ધિનો ઉપયોગ કરીને 'ના'( To say no- not to say yes)  કહેવાની હિંમત સાથે શરૂ થાય છે. તમામ સત્તાઓના ઉલ્લંઘનમાં સત્તાધીશોના હિતોના સંરક્ષણ માટે તે પાપ છે, સત્તા સામે બળવો છે. પણ માનવી માટે તે તેના સ્વભાવ પ્રમાણે ફક્ત આજ્ઞાના ઉલ્લંઘનથી વિશેષ કાંઇ નથી. જે તેની જીજીવિષા ટકાવી રાખવાની જૈવીક અનિવાર્ય જરૂરીયાત છે.તેમાં તો માનવ સદ્રવિવેકબુધ્ધિનો ઉપયોગ આમેજ છે.

(10) કોઇપણ પ્રકારની હકુમતની(Power) વિવેકબુધ્ધિ ને શરણે થઇને જીવવું એટલે તેમના ભય નીચે જીવવું! તેમની સત્તાના આદેશ નીચે, તે નક્કી કરે તે સારુ અને ખોટુ તે પ્રમાણે માનવ તરીકે જીંદગી એક ગુલામ તરીકે પસાર કરવી! આવી સત્તાના આદેશ નીચે જીવનારા પોતાની નીજી માનસિકતાને પેલી સત્તાની માનસીકતાને અનુકુળ હોય તે પ્રમાણે ગોઠવી દઇને સ્વપીડનનો આનંદ ભોગવે છે.

 (11) માનવવાદી સદ્વવિવેકબુધ્ધિના ઉપયોગમાં માનવીય અસ્ત્તીત્વને ટકાવી રાખવાના અને તેને વિકસાવવા માટેના સંઘર્ષમાં સ્વઅવાજનો રણકો હોય છે. તેમાં પ્રતિબધ્ધતા હોય છે. સર્વસ્વ ન્યોચ્છાવર કરવાની ખુમારી નિર્હિત હોય છે.

(12) માનવજાતના બળવાખોર શહીદોનો ઇતીહાસ ગવાહી પુરે છે કે ભલે તે ધાર્મીક, સામાજીક, વૈજ્ઞાનીક સત્યો કે રાજ્ય સત્તા સામને બળવો હોય! તે બધાએ પોતાની સદવિવેકબુધ્ધીના નિર્ણય પ્રમાણે વર્તન કર્યા હતા. તે બધાએ સત્તાધીશો સામે પોતાના શાણપણના આધારે કરેલા નિર્ણયને પસંદગી આપી હતી. તે ખરેખર તો સમગ્ર માનવજાતનો અવાજ હતો!.

 (13) પશ્ચીમી સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષ નૈતીકતા (Secular Morality) માનવીય સદ્રવિવેકબુધ્ધિનું પરિણામ છે. સદર પ્રજાએ કુદરતી નિયમો સમજીને(( Laws of Nature) તેની સાથે જ્ઞાન આધારિત સંવાદિતા કેળવી લીધી છે.જ્યારે પુર્વની ધર્મ આધારિત વિચારસરણીના ટેકાવાળી તમામ સત્તાઓને શરણે સ્થાનિક પ્રજાઓએ બિનશરતી શરણાગતી સ્વીકારી લીધેલી છે. માનવજાતનો એક સમુહથી વધારે કાંઇ નથી. દરેક સૈકામાં તેવા માનવ ટોળાને હાંકનારા મળી જાય છે. તેમાં પેલા ભરવાડ અને તેના વફાદાર ટોળાને બંનેને બલ્લે બલ્લે હોય છે.

(14) સ્વતંત્રતા એક મુલ્ય તરીકે માનવીને સત્તાધીશો માટેની ફરજનું પ્યાદુ બનવાનું ક્યારેય શીખવાડતું નથી. તે બધાના સંગઠિત અને સામુહિક હિતો માટે બલીદાન, ત્યાગ અને સ્વપીડન કરવાનું પણ શીખવાડતું નથી. તમામ સામુહિક સર્જનો માનવ બુધ્ધીની નિપજ છે. તે બધાનો ઉપયોગ માનવ ઉત્થાન અને કલ્યાણ કરવા માટે છે. તેથી તેના સર્જકને તેની જરૂરીયાત પ્રમાણે ફેરફાર કરવાનો, તેમાં પરિવર્તન કરવાનો કુદરતી પાયાનો વ્યક્તિગત અધિકાર છે(Inalienable individual right).

(15) તર્કવિવેકબુધ્ધિ આધારીત સત્તા (Rational Authority) તેના વિધ્યાર્થીઓ, સાથીદારો, સભ્યો અને તેની નીચે કામ કરનારઓને જ્ઞાન– વિજ્ઞાન આધારીત માનવી માટે સારુ શું ખોટું શું તે નક્કી કરવાની પધ્ધતિ શીખવાડે છે. તે બધાની શક્તિઓને પોષે છે, વિકસાવે છે, તેમના જીવનમાં સુખ,શાંતિ અને સમૃધ્ધી લાવવામાં મદદરૂપ બને છે. શોષણ, ભય કે સત્તાને બદલે બંધુત્વ અને માનવીય ગૌરવ જેવા ગુણોને વિકસાવે છે. આમ સ્વતંત્રતા એક જૈવીક ઉત્ક્રાંતીમાંથી ઉદ્રભવેલું માનવીય મુલ્ય છે.તેના સંરક્ષણ માટે નાગરીકોમાં અહર્નીષ જાગૃતતા હોવી અનિવાર્ય છે.(The price of freedom is eternal vigilance- Jawaharlal Nehru.)

 ભાગ–૨– શ્રધ્ધા અને તર્કવિવેકબુધ્ધિ(  Faith & Reason).

 

 

 

 

 

 

 

 

 

 

 

     

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

--

Tuesday, May 23, 2023

વિનાશ કાળે વિપરીત બુધ્ધી–

                                  વિનાશ કાળે વિપરીત બુધ્ધી–

             મોદી સરકારનો સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલા ચુકાદા વિરૂધ્ધ વટહુકમ.

(1)    ૧૧મી મેના રોજ સર્વોચ્ચ અદાલતે વડાપ્રધાન મોદી–અમીત શાહ સરકાર સામે અરવિંદ કેજરીવાલની દિલ્હીના મતદારોએ પ્રચંડ બહુમતી અને ધારાસભ્યોની સીટસ(૭૦માંથી ૬૫ અને ફરી ૬૩)આપીને વિજેતા બનેલી લોકપ્રતિનિધિ સરકારને લેફ્ટન્ટ ગવર્નરની કાયમી દખલગીરી થી મુક્ત કરી લોક કલ્યાણના કામો બંધારણની સીમામાં કરવા સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો.

(2)    સદર ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે મોદીની કેન્દ્ર સરકાર અને કેજરીવાલની દિલ્હી સરકાર બંનેને મતદારોના બહુમતી પ્રતિનિધિઓથી ચુંટાયેલી સર્વાંગી રીતે સમકક્ષ સત્તાધીશ સરકાર ગણી છે. પોતાના કાર્યક્ષેત્રમાં દરેકને પ્રજાલક્ષી કામ કરવાનો અબાધિત અધિકાર છે. બંનેનું અસ્તિત્વ અને સ્વાયત્તા બંધારણીય છે.

(3)    સને ૨૦૧૪થી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારથી ૨૦૨૩ સુધીમાં તેઓની ભાજપ સરકારે દેશની ૯ રાજ્યોની બહુમતી મતદારોના મતોથી વિજયી બનેલી બીજા પક્ષોની સરકારોને ઉથલાવીને સત્તા ઝુંટવી લઇને કબજો લઇને રાજ કરે છે.  જે કોઇ વિરોધ પક્ષોની સરકારોને ઉથલાવી શક્યા નથી તેને કેન્દ્રની મોદી સરકાર પોતાના નિમેલા રાજ્યપાલોની મદદથી સતત દખલગીરી કરીને પ્રજાલક્ષી કામો નહી કરવા દેવાનો જ સંગઠિત ધંધો કેન્દ્રની મોદી સરકાર કર્યા જ કરે છે.

(4)    દિલ્હીમાં જે દિવસથી ભાજપને ત્રણવાર મરણતોલ શિકસ્ત આપીને કેજરીવાલની સરકાર સત્તાધીન બની છે તે દિવસથી તેને પ્રજાલક્ષી કામ નહીંજ કરવા દેવાના એકમાત્ર સોંગદ લઇને કેન્દ્રની મોદી સરકાર એકપછી એક પગલાં લીધા જ કરે છે. કેજરીવાલના વહીવટ સંચાલિત પબ્લીક સ્કુલ, મહોલ્લા ક્લીનીક. મર્યાદિત યુનીટ સુધી વિજળી મફત અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ,વિ. પ્રજાલક્ષી કામોએ મોદી– શાહના નફરત,કોમી વૈમન્સ્ય, અને ઉગ્ર હિદુત્વના મોડેલને જાણે કાયમી રૂકસદ આપી દિધી છે.

(5)    સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ દેશના અન્ય સમવાયી રાજ્યોની માફક દિલ્હી વિધાનસભાને સમકક્ષ બંધારણીય દરજ્જો આપી દીધો છે. જેને મોદી– શાહની આપખુદી સત્તાકીય માનસિકતા પચાવી શકતી નથી. માટે તેઓને સદર વટહુકમ લાવવાની તાત્કાલિક જરૂર પડી છે. જેથી કેજરીવાલની સરકારના લોકકલ્યાણના કામો કરવાની પ્રચંડ ઇચ્છાશક્તિને બ્રેક મારી શકે.

(6)     તારીખ ૨૨મી મે નારોજ ઇન્ડીયન એક્ષપ્રેસે પોતાના તંત્રી લેખનું મથાળું આપ્યું છે. "HIJACKING DELHI" સદર વટહુકમે દિલ્હીની કેજરીવાલ સરકારનો ગેરકાયદેસર કબજો(HIJACK) લઇ લીધો છે. સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે આ વટહુકમથી દેશના સમવાયી કે 'ફેડરલ' તંત્ર પર જે કઠુરાઘાત કરેલ છે તેમાંથી મુક્તિ અપાવે! આ વટહુકમ તો બિનકુશળ, અપરિપક્વ, બેશરમ કે લાજશરમ વિનાનો છે.(Unwisely and unabashedly). દિલ્હીની કેજરીવાલ સરકારે, જે વર્ષોથી કાયદાકીય સંઘર્ષ કરીને ન્યાયિક ચુકાદો મેળવેલ છે તેને ધુળધાણી કરી નાંખનારો છે. વધુમાં તંત્રી લેખમાં જણાવ્યું છે કે સદર વટહુકમ દેશના સમવાયી બંધરણીય માળખાને જ મુળભુત રીતે ધોકોદેનોરો(Undermines)છે. શું હવે સર્વોચ્ચ અદાલત બંધારણના લોકશાહી મુળભુત ઢાંચાને(The basic structure of federalism) વટહુકમથી ઝુંટવાઇ જતો બચાવશે? (The SC must ensure that the eloquent and essential defense of democratic federalism by its Constitution bench is not hijacked.)

(7)    આજ દિવસે ઇ–એક્ષપ્રેસના તંત્રીલેખના પાનાપર એક પરિપક્વ અને દુરંદેશી  કટારલેખક ભાનુપ્રતાપ મહેતાએ કેન્દ્ર સરકારના વટહુકમને એક ખુબજ બેશરમ રાજકીયકૃત્ય મોદી સરકારનું છે એમ જણાવ્યું છે. "તે લોકશાહીના ભવિષ્ય માટે સારી નિશાની નથી". (It bodes ill for the future of democracy.) સદર વટહુકમ કેન્દ્ર સરકારની માનસીકતાની ચાડી ખાય છે કે દેશમાં તે વિરોધી રાજકીય પક્ષોની સરકારોની સત્તા કોઇપણ સંજોગોમાં પોતાની હકુમત નીચે ચલાવી લેશે નહી. મહેતા સાહેબ વધુમાં લખે છે કે વટહુકમ એ ખરેખરતો સીધો જ સર્વોચ્ચ અદાલતના સર્વાનુમતે આપેલ ચુકાદાનું નિર્લજ્જ અપમાન છે. જાવ! થાય એ કરી લો! અમારા વટહુકમે તમે બચાવેલી પ્રચંડ પ્રજામતથી ચુંટાયેલી સરકારને લોકઉપયોગી કામ કરતી જ બંધ કરી દીધી છે. બંધારણીય સમવાયી માળખું અમારી અનુકુળતા માટે છે. પણ સામાવાળા રાજકીય હરીફ પક્ષોની સત્તા ટકાવી રાખવા માટે બિલકુલ નહી.( "Federalism for me, but not for thee")

(8)    મોદી સરકારે એક જ વટહુકમના કાંકરે બે પક્ષીઓને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવાનો પડકાર આપી દીધો છે. એક દિલ્હીની કેજરીવાલ સરકાર અને બીજી કાયદાકીય સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતને બિલકુલ અપ્રસતુત બનાવી.મોદી સરકાર તો રાહ જોઇને બેઠી છે કે ક્યારે દેશની સર્વોચ્ચ અદાલતને પોતાની સત્તા સામે નતમસ્તક ઝુકાવી દેવી! ચુંટાયેલી કેન્દ્ર સરકારની સત્તાકીય સર્વોપરીતા સર્વોચ્ચ અદાલતના સદર ચુકાદાને અપ્રસતુત બનાવી ને જ બતાવી શકાય ને!

( The executive will claim the mandate of the popular national will to delegitimize the judiciary.)

હિંદુત્વ આધારીત રાજ્યસત્તાના મ્યાનમાં એક સાથે બે તલવારો રહી શકતી નથી. હિટલરના નાઝીવાદ અને મુસોલીનીના ફાસીવાદનો ઇતિહાસ નહીતો ખોટા સાબિત થાય!.

(સૌ.ઇ એક્ષ.ના ઉપર જણાવેલા લેખોનો ટુંકમાં ભાવાનુવાદ.)

 


--