Monday, April 21, 2025

તમે અમને કેવી રીતે ઓળખશો?

તમે અમને કેવી રીતે ઓળખશો?

 અમે અમારા હિતો–જરુરીયાતો પ્રમાણે અમારા રંગો બદલતા રહીએ છીએ? સ્વાર્થી હિતો માટે રંગ બદલવાની રમતમાં અમે પેલા "કાચીંડા" કરતાં પણ અનેક ઘણા ચઢીયાતા છે.બીજેપીના બે સીનીયર સંસદ સભ્યો નીશીકાન્ત દુબે(૨૦ વર્ષોથી ઝારખંડમાંથી ચુંટાઇ આવે છે)અને દિનેશ શર્માએ સર્વોચ્ચ અદાલતના સૌથી વડા ન્યાયધીશ માનનીય સંજીવ ખન્ના માટે નીચે મુજબના બેજવાબદાર અને માનહાની સ્વરુપના આક્ષેપો કર્યા છે. આ પહેલાં દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન  જગદીપ ધનકરે પણ સંજીવ ખન્ના સાહેબ સામે અને સર્વોચ્ચ અદાલતો નિર્ણયો સામે પેલા બે સંસદ સભ્યોથી લેશમાત્ર હલકી નહી એવી ટીકઓ કરી હતી.

 સર્વોચ્ચ અદાલત સમક્ષ વિવાદનો મુદ્દો એ હતો કે રાજ્યોની વિધાનસભાએ બહુમતીથી પસાર કરેલા બિલોને જે તે રાજ્યનો ગવર્નર(કે પછી રાષ્ટ્રપતિ) જેની નિમણુક કેન્દ્ર સરકારે કરી હોય તે ક્યાંસુધી મંજુરીની મહોરનો સીકકો માર્યા વિના પોતાની પાસે રાખી મુકે? આ ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુધ્ધ અભિવ્યક્તિનું સ્વાતંત્રય અને વક્ફ બોર્ડ અંગે બહુમતીના જોરે સંસદમાં બીજેપી સરકારે જે કાયદો પસાર કર્યો તેની સામે મનાઇ હુકમ લગાવતાં આ લોકો(બીજેપીના નૈતીક પોલીસો–રખેવાળો) " જે હૈયે છે તે હોઠો પર લાવતાં સહેજ પણ અયોગ્ય, બેરહમ અને મનસ્વી ટીકા કરતાં અચકાતા નથી." દેશના ઉપપ્રમુખ ધનકર અને બીજેપીના સીનીયર સભ્યોની ટીકાઓ કેવી છે અને પછી તેના સાચા સ્વરુપે મુલ્યાંકન કરીએ.

(૧) રાષ્ટ્રના ઉપપ્રમુખ જગદીશ ધનકર–જેનો હોદ્દો કાયદાકીય સત્તા વિનાનો ઔપચારિક( Ceremonial Office) શોભાના ગાંઠીયા જેવો જ છે. ઉવાચ– પશ્ચીમ બંગાળમાં ગવર્નર હતા ત્યારથી ધનકર, મમતાદીદીની સરકાર સામે બિલકુલ બેબુનિયાદ અને વાહિયાત દખલગીરી કરવા માટે  ભારતભરમાં જાણીતા હતા. પરંતુ આજે તો જાણે તે ગાય કરતાંપણ મોદી સરકારનું પ્રીય પ્યાદુ છે તેવી લાયકાત બતાવી દીધી છે.(અ) 'દેશની સર્વોચ્ચ અદાલતને સંસદ કરતાં પણ વધુ સત્તાધીશ સંસદ(Super Parliament) તરીકે ઓળખાવી દીધી છે.(બ)તેનાથી વધારે તો આ માણસે જે બકવાસ કર્યો છે. તે નીચે મુજબ છે. " સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને કોઇ  જવાબદેહી કે ઉત્તરદાયીત્વ જ નથી. કારણકે તેઓને દેશનો કોઇ કાયદો લાગુ પડતો નથી."( He said judges have "absolutely no accountability because the law of the land does not apply to them".) (ક) બંધારણની કલમ ૧૪૨મુજબ મળેલ સત્તા પ્રમાણે ચીફ જસ્ટીસ ખન્ના સાહેબની ડીવિઝન બેંચે સર્વાનુમતે નિર્ણય કર્યો કે જે તે રાજ્યના ગવર્નરો અને રાષ્ટ્રપતિએ પોતાની પાસે વિધાનસભા અને લોકસભાએ પસાર કરેલા બીલો ત્રણમાસમાં સહી કરીને પરત મોકલી દેવા. રાજ્ય અને દેશ વિધાનસભા અને લોકસભાના નિર્ણયોથી ચાલે છે. ધનકર જેવા કાયદાકીય બંધારણીય હોદ્દો ધરાવનારાઓથી તો નહી જ.બંધારણની કલમ ૧૪૨ હેઠળ આ ભાઇએ સર્વોચ્ચ અદાલતને મળેલ સત્તાને લોકશાહી પરિબળો વિરુધ્ધ મળેલ "ન્યુક્લિયર મીસાઇ૯સ" તે પણ ૨૪કલાક અને ૭ દિવસ  હરપળ અને હરસમય વાપરવાના હથીયાર તરીકે ઓળખાવ્યું છે. આ માણસ એમ સમજે છે કે આવી ચાપલુસી કરવાથી જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ નિવૃત્ત સને ૨૦૨૭માં થશે ત્યારે સદર મોદી ભક્તિ તેમને રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રાપ્ત કરવામાં ચોક્કસ ફળશે.

ઝારખંડ રાજ્યમાંથી છેલ્લા વીસવર્ષોથી સંસદ સભ્ય તરીકે ચુંટાઇ આવતા બીજેપીના નિશિકાન્ત દુબેએ ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા શ્રી સંજીવ ખન્ના સાહેબ પર એવો આક્ષેપ કર્યો કે " દેશમાં જેટલા ગૃહયુધ્ધો ચાલે છે તે માટે તેમના નિર્ણયો જવાબદાર છે."  इस देश में जितने गृह युद्ध हो रहे है उनके जीमेदार केवल यहा के चीफ जस्टिस ऑफ इडीय़ा संजीव खनना साब है(BJP MP Nishikant Dubey launched a strong attack on the Supreme Court, saying Chief Justice of India Sanjiv Khanna was responsible for "all civil wars in the country) જો આ દેશમાં કાયદો ઘડવાનું કે બનાવવાનું કામ દેશની સર્વોચ્ચ અદાલતે કરવાનુ હોય તો અમારી સંસદ ને તાળાં મારી દો!  "Kanoon yadi Supreme Court hi banayega to Sansad Bhavan bandh kar dena chahiye . વધુમાં દુબેએ આવા પણ વિચારો વ્યક્ત કર્યા.દેશની સર્વોચ્ચ અદાલતમાં દલિત, આદીવાસી,આર્થીક પછાત વર્ગોના ન્યાયાધીશો બિલકુલ નથી.મોટાભાગના ન્યાયાધીશો સવર્ણ વર્ગ માંથી આવે છે. બીજેપી પક્ષના વડા જે.પી. નડ્ડા સાહેબે એક લીટીમાં જણાવી દિધુ છે કે " આ બધા વિચારો દુબેજીના અંગત વિચારો છે. મારા પક્ષના નથી. અમે તો સર્વૌચ્ચ અદાલતના ગૌરવમાં માનીએ છીએ. દુબેજીએ પોતાના બચાવમાં કહી દીધું છે કે હું તો મારાપક્ષ અને તેની નીતિઓને વફાદાર છું.

 

 


--

Sunday, April 20, 2025

લેખ માળા ભાગ–૨– આર એસ એસની વિચારધારા શું છે?

લેખ માળા ભાગ–૨–  આર એસ એસની વિચારધારા શું છે?

બીજેપી અથવા ભારતીય જનતા પાર્ટીએ આરએસએસનું સર્જન છે. બીજેપી આરએસએસની રાજકીય પાંખ છે. તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ, હિન્દ મજદુર સભા, કિસાન સંઘ, એવા નામી અનામી ૪૦ ઉપરાંત સંગઠનો દેશ પરદેશમાં ખુલ્લા કે પ્રછન્ન સ્વરુપે કાર્યરત હોય છે. દરેક સંગઠનોનો એજન્ડા આર એસ એસ દ્રારા પુર્વનિર્ણત હોય છે. વળી દરેક સંગઠનને પોતાની આગવી કોઇ વિચારસરણી, પ્રવૃત્તી હોતી નથી. કોઇપણ સંગઠનને કે તેના સભ્યને ક્યારેય પોતાની માતૃસંસ્થા(આરએસએસ) સાથેનો નાભી–નાડનો સંબંધ તોડવાનો કોઇ અધિકાર નથી. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા જ્યારે માતૃસંસ્થા કરતાં પોતાનું કદ મોટુ કરવાના નશામાં પડી જાય છે ત્યારે તેનું કદ કેવી રીતે વેતરીને સરખું કરી દેવું તેની કાબેલીયાત માતૃસંસ્થાએ ૧૯૨૫થી ૨૦૨૫સુધીના એકસો વર્ષની ઘણી ચઢ–ઉતર પછી સરસ રીતે હસ્તગત કરી લીધી છે.

દા.ત બીજેપી પક્ષના વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડાએ સને ૨૦૨૪ની લોકસભાની ચુંટણીના છેલ્લા બે તબક્કા બાકી હતા ત્યારે એક જાહેર નિવેદન કર્યું હતું." બીજેપી પોતાની રીતે ચુંટણી લડવા (આરએસએસ) ની મદદ સિવાય પુરી સક્ષમ છે. પરિણામ અબકી બાર ૪૦૦ પાર ને બદલે ૨૪૦ પર વાવટો સમેટી ગયો.

આરએસએસ ને બદલે સંઘ શબ્દ હવે પછીની ચર્ચામાં વાપરવામાં આવ્યો છે. સંઘ જાણે હિન્દુઓનું પારિવારિક સંગઠન છે. જેમ પરિવારમાં પુજાપાઠ થાય છે તેમ સંઘમાં પણ પોતાના કોઇપણ કાર્યક્રમમાં શરુઆત અને અંતમાં નક્કી કરેલ પુજાપાઠ થાય છે. પણ તેથી સંઘ ધાર્મિક સંસ્થા નથી. સંઘમાં લાઠી, કબડ્ડી, અનેક દેશી રમતો શાખામાં રમાડવામાં આવે છે. પણ તેથી તે કોઇ અખાડીયન પેદા કરવાની સંસ્થા નથી. દરેક શાખામાં સ્વયંસેવકને બંસરી, બ્યુગલ, ઢોલ વિ કેવી રીતે વગાડવું વિ. ની.તાલીમ આપવામાં આવે છે. પણ તેનો અર્થ એ નથી કે સંઘ કોઇ સંગીત એકેડેમી છે. પરંતુ શાખામાં નાની ઉંમરમાં ભરતી કરેલ છોકરાઓને (છોકરીઓને સંઘનુ સભ્યપદ વર્જય છે.)લલચાવીને પછી કાયમ માટે એક સુઆયોજીત ફંદામાં ફસાવવા માટેનો વિશાળ નીતિનો એક ભાગ હોય છે. સંઘની વિચારસરણી પ્રમાણે હિન્દુ સ્રીના બે કાર્યો નક્કી કરેલ છે. એક ઘર સંભાળવું અને દેશને માટે બાળકો પેદા કરવાનું.! રાષ્ટ્રપ્રેમી કોઇપણ કુટુંબના વડીલો અને બાળકો સંઘની આ ચાલમાં સહેલાઇથી ફસાઇ જાય છે. શાખામાં મોટાભાગના બાળકો મધ્યમ ને ગરીબ મધ્યમ વર્ગના હોય છે. પણ હિન્દુ વર્ણાશ્રમની ચોથાવર્ણના હોતા નથી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના બેનર નીચે પુરેપુરી બ્રાહ્મણવાદી દક્ષિણપંથી સંસ્થા છે. " જુની મદિરા મગર બોતલ નઇ' દેખાડો આધુનિક અને વિચારસરણી અને વર્તન સદીઓ જુના. વર્ણવ્યવસ્થા આધારીત બ્રાહ્મણવાદી વર્ચસ્વ. સંપુર્ણ પણે વ્યક્તિગત અને સામાજીક આધુનીક પરિવર્તન વિરોધી. ભુતકાળના પાખંડને ભજનારાઅને પુજનારા.

ભારત હિન્દુ રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક લોકશાહી દેશ નહી. સંઘનું સ્વપ્ન ભારતને "અખંડ ભારત" બનાવવાનું છે. જેની સરહદો શ્રીલંકાને સમાવી બર્મા અને પશ્ચીમમાં અફઘાનિસ્તાન સુધી પહોંચે છે. ત્રીજું ભારત ક્યારે વીશ્વગુરુ હતું તે કોને ખબર પણ અમારે વીશ્વગુરુ બનવાનુ  છે. સંઘની વિચારધારામાં હિન્દુ– મુસ્લીમ નફરત અંતર્ગત છે. તેની વીચારધારામાં દુન્યવી સમસ્યાઓનું કોઇ સ્થાન જેવી કે ગરીબાઇ, ભુખમરો,આરોગ્ય, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધનો વિ ના ઉકેલ માટેનું હોઇ શકે જ નહી.ઔધ્યોગિકરણ સર્જિત તમામ આધુનિક વ્યકતિગત કુટુંબ પ્રથા, શહેરીકરણ, સ્રી સ્વતંત્ર્તા,સમાનતા,વર્ણવ્યવસ્થાની નાબુદી, તમામ સામાજીક–લોકશાહી સામાજીક એકમોની માનવકેન્દ્રી ભાગીદારી ફક્ત અમાન્ય જ નહી, પણ તેના પાયામાંથી નિર્મુલન માટે હિંસાનો સાધન તરીકે ઉપયોગ ને આવકાર્ય છે.બંધારણ મુજબનું કાયદાનું શાસન નહી. પણ મનુસ્મૃતિ સંચાલિત ન્યાયિક વ્યવસ્થા. ટુંકમાં અમારી હિન્દુ સંસ્કૃતિ અને વિચારધારાની કોઇ વ્યાખ્યા હોય તો તેને "બ્રાહ્મણ સંસ્કૃતિ અથવા વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ તરીકે ઓળખવી.

(૧) અમે લોકશાહી પ્રથાના મુળભુત સિધ્ધાંત રાજ્ય અને ધર્મના કોઇપણ પ્રકારના વિયોજનમાં (Separation)માનતા નથી. રાજ્યસત્તા અને ધર્મ સત્તાની એકરુપતા હિન્દુ રાષ્ટ્રનો અવિભાજ્ય અંગ જ છે અને હશે

(૨) દેશની તમામ લઘુમતીઓએ પોતાની વફાદારી દેશ પ્રત્યે છે તે વાણી,વિચાર અને વર્તનથી સાબિત કરવું પડશે.

(૩) બ્રીટીશ શિક્ષણશાસ્રી લોર્ડ મેકોલથી શરુ કરેલ અંગ્રેજી શિક્ષણ પ્રથા બિલકુલ ના જોઇએ. એ તો દેશની સંસ્થાનવાદી ઓળખ છે.( Colonial Mentality).

(૪) ધર્મનિરપેક્ષતા અથવા સેક્યુલારિઝમ એ માનવ મુલ્ય છે જ નહી. તે વિભાવના હિન્દુરાષ્ટ્રના ખ્યાલ થી તદ્દન વિરોધાભાસી છે.એક માન્યમાં બે એકબીજાથી તદ્દન વિરોધાભાસી તલવારો ક્યારેય સમાય જ નહી.

(૫) ભારત દેશના બંધારણ સર્જીત એક સમવાયીતંત્ર દેશ છે જેમાં આશરે ૨૮ સ્વાયત્ત રાજય અને બીજા કેન્દ્રસંચાલીત પ્રદેશોનો બનેલો દેશ છે. સંધ તેને મજબુત કેન્દ્ર વાળો સર્વસત્તાધીશ રાષ્ટ્ર ક્યારેય બની શકે નહી માટે તેને સમવાયી રાજ્ય વ્યવસ્થા જ અમાન્ય છે.વિકેન્દ્ર્ત સત્તાવાળી રાજ્ય વ્યવસ્થા તો લાંબેગાળે દેશને રાજકીય રીતે જ વિકેન્દ્ર્તઅને છિન્નભિન્ન કરી નાંખશે! દેશનું સંવિધાન તો પશ્ચીમી દેશોના બંધરણોમાંથી તૈયાર કરેલું છે. તેમાં હિન્દુત્વના કોઇ મુલ્યો આમેજ નથી. માટે સંઘને માન્ય નથી. અમારો સામાજિક કરાર તો મનુસ્મૃતિ આધારીત જ હશે.

(૬) સંઘની વિચારસરણીને આધારે તેના ત્રણ ઘોષિત દુશ્મનો છે. એક મુસલમાન, બે ઇસાઇ અને ત્રણ સામ્યવાદી. બીજું ખુબજ અગત્યની આરએસએસની સંસ્થા તરીકે વિશેષતા– " દરેક ફાસીવાદી સંગઠનમાં બુધ્ધી કે દિમાગ તેના નેતા પાસે હોય છે. અને તેના સ્વયસેવકઓ પાસે શરીર જ હોય છે. તેથી સંઘ ખુબજ મહત્વ બૌધ્ધીકવર્ગ ને આપે છે જેમાં સ્વયંસેવકોની બુધ્ધીનાશ કરવા મટે વર્ગ ચલાવવામાં આવે છે.

ઉપર મુજબની સંઘની વિચારસરણીને છેલ્લા એકસો વર્ષમાં અને ખાસ કરીને સને ૨૦૦૧ થી ૨૦૨૫ની સાલ સુધીમાં  કેન્દ્ર અને કેટલાક રાજયોમાં રાજકીય સત્તા હસ્તગત થયા પછી અમલ મુકતાં દેશના શું હાલ–બેહાલ થયા છે તે હવે પછીના અંકમાં...


--

અમારી બીજેપી અને આર એસ એસસામે લડાઇ વિચારધારાની છે

અમારી બીજેપી અને આર એસ એસ સામે લડાઇ વિચારધારાની છે. નફરતી ભારતને બદલે મહોબત્તી હિન્દુસ્તાન બનાવવાની છે. રાહુલ ગાંધી–

અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય કોંગ્રસ કારોબારીમાં રાહુલજી ગાંધીએ રજુ કરેલા વિચારોનું દોહન–

આ વિચારધારાની લડાઇ છે.અમારી વિચારધારાના સર્જકો ગાંધી બાપુ, સરદાર પટેલજી,નહેરુજી, આંબેડકરજી વિ હતા. અમારી વિચારધારા દેશના તમામ નાગરિકોને "ઇન્સાન" "માનવ" ગણે છે. અમારા પક્ષની વિચારસરણી પ્રમાણે ઇન્સાન ઇન્સાન વચ્ચે મહોબત્ત જ હોય, નફરત કદાપી હોઇ જ ન શકે.

 રાહુલજીએ હાથમાં બંધારણ રાખી સભા સમક્ષ બતાવતાં બંધારણના આમુખના પ્રથમ શબ્દો "અમે ભારતના લોકો" છે તેવું જણાવ્યું હતું. .બંધારણમાં આમેજ કરેલા મુલ્યો પ્રમાણે આપણે બધા સૌ પ્રથમ દેશના નાગરિકો છીએ. આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક ધર્મનિરપેક્ષ, સમાજવાદી સાર્વભૌમ રાષ્ટ્ર છે. દેશમાં આખરી અને સાર્વભૌમ સત્તા કોઇની હોય તો  દેશની પ્રજાની છે. બધાંરણીય મુલ્યો પ્રમાણે રાષ્ટ્રની સત્તા કોઇ પક્ષ, નેતા, ધર્મ,કે મજહબની નથી જ. બંધારણના આમુખ મુજબ કાયદાની શાસન પ્રથા( Rule of Law not rule of man) છે.

બીજેપી અને આરએસએસની વિચારધારા દેશના નાગરીકોને જુદા જુદા ધર્મોને આધારે ઓળખ ઉભી કરી એક બીજા પ્રત્યે નફરત અને ધિક્કાર પેદા કરી સામાજીક, રાજકીય અને આર્થીક ધ્રુવીકરણ કરી દેશની એકતા અને અખંડતાને જોખમ પેદા કરવાની છે. સદર વિચારધારાએ એક ધર્મના લોકોને અન્ય ધર્મના લોકો સામે ફક્ત નફરત અને ધિક્કાર પેદા કર્યો નથી.પણ હિન્દુધર્મને વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક અસમાનતામાં વહેંચી નાખ્યો છે એટલું નહી પણ ઉભો અને આડો વહેરી નાંખ્યો છે.

અમાદાવાદમાં ચાલુ પ્રવચને રાહુલજીએ પોતાના પક્ષના રાજસ્થાનની વર્તમાન વિધાનસભાના વિરોધપક્ષના નેતા ત્રિકારામ જુલીને મંચ પર આવવા વિનંતી કરી. રાહુલજીના રાજસ્થાનમાં નક્કી કરેલ આગોતરા કાર્યક્રમની જવાબદારીને કારણે તે જયપુર જવા નીકળી ગયા હતા. પરંતુ બીજેપીના રાજસ્થાનની વિધાનસભાના હવે સસપેન્ડેડ નેતા જ્ઞાનદેવ આહુજાએ કરેલ કહેવાતા ધર્મપ્રેમી કાર્યનો "ત્રિકારામ જુલીના મોઢેથી રાહુલજી બોલાવવા માંગતા હતા." ત્રિકારામ જુલીએ રાજસ્થાનના જે મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરીને બહાર નીકળ્યા પછી તે મંદિરને ચારેય બાજુથી પવિત્ર કરવા માટે જ્ઞાનદેવ કે અજ્ઞાનદેવ આહુજાએ ખાસ સુચના આપી ધોવડાવ્યું હતું. કેમ? કારણકે હિન્દુત્વવાળી બીજેપી –આરએસએસની વિચારસરણીમાં વર્ણવ્યવસ્થામાં છેલ્લી અને ચોથી વર્ણ દલિત કે શુદ્ર સમાજનું સ્થાન ક્યાં હોય? કોણ કહે છે સને ૨૦૧૪ પછી જ્યાં બીજેપી–આરએસએસ અબાધિત સત્તા હોય ત્યાં અસ્પૃશ્યતા કેવી?

 હા! અમારા કેન્દ્ર અને રાજ્યો શાસિત સરકારોમાં વર્ણવ્યવસ્થા આધારિત ભલે ઉંચનીચના સામાજીક ભેદભાવવાળી જ્ઞાતિપ્રથા છે, પણ અસ્પૃશ્યતા નથી.(!) તે "ધુલકા ફુલ" ના મા–બાપના બી–બિયારણો હવે અમારી શાખામાં સર્જન કરવાનાં બંધ કરેલ છે! જો કે અમારી કથની અને કહેની એક ક્યારેય હોય જ નહી તેવો વારસો તો અમને અમારા આધ્યપુરુષ વિનાયક દામોદર સાવરકર રંગચંગે આપીને ગયા છે.

 રાહુલજીએ બીજા ખુબજ ગંભીર મુદ્દાની વિગતે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષ સંચાલિત તેલગણા રાજ્યમાં જ્ઞાતિ આધારીત વિગતે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં તે રાજ્યમાં સર્વે પ્રમાણે ૯૦ ટકા પ્રજા આર્થિક ઉપરાંત પછાતપણાના તમામ માપદંડો પ્રમાણે પછાત છે. આજ સ્થિતિ બાજુના કર્ણાટક અને બિહારના પણ જન –જાતિ સર્વેમાં લેશમાત્ર જુદી નથી.

તેલગણા રાજ્યમાં કોઇપણ જાહેર કે ખાનગી ઉધ્યોગમાં વહીવટી કક્ષાએ ટોચના પદ પર પેલી ૯૦ ટકા પછાત વસ્તીમાંથી કોઇ નથી. યુની,ના કુલપતિ–ઉપકુલપતી, કલેકટર, જીલ્લાપોલીસ અધિકારી, ન્યાયતંત્ર, વિ. તંત્રોમાં પણ નથી. દેશના જાહેરક્ષેત્રના મોટાભાગના ઉધ્યોગો ખાનગી ક્ષેત્રોને કોડીયોના ભાવે વેચી દીધા છે. તેથી અનામત આધારિત આ લોકો માટે જાહેર ક્ષેત્રોમાં નોકરી કરવાના તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રમાં તો બધુ ખાનગીમાં જ થતું હોય તેમાં આ ૯૦ ટકા પ્રજા કિસ ગિનતી મેં.

વધુ આવતા અંકે– બીજેપી–આરએસએસની વિચારધારાના પાયાના મુલ્યો અને વ્યવહારો અને પછીના અંકમાં કોંગ્રેસની વિચારસરણીના પાયાના મુલ્યો અને વ્યવહારો..

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

    

 

 

  આર એસ એસની વિચારધારા શું છે?

 

 

 

 દેશનું બંધારણ અમારી વિચારધારા છે. હજારો સાલની ભારતીય માનવ મુલ્યોમાંથી બનેલું બંધારણ છે.આજે આ બંધારણ પર આક્રમણ થઇ રહ્યું છે.રાજ્ય સંચાલનની તમામ કેન્દ્રીય અને પ્રાદેશીક સંસ્થોનું ભગવાકરણ કરી નાંખવામાં આવ્યું છે. દેશની યુની.ઓમાં વાઇસચાન્સેલરો તમામ આરએસએસ માન્ય પસંદ કરવામાં આવેલા છે.રાજ્યોના ગવર્નરો, ન્યાયતંત્ર અધિકારીઓ,વિ. ભગવાકરણનું પ્રત્યક્ષ કે પરોક્ષ સર્જન છે. તેમના કાર્યો અને નિર્ણયોમાં ઠેરઠેર ઉગ્રહિંદુત્વના રાતદિવસ પડઘા પડે છે.

રણયો  ર્સ્થાઓ પર આકર્મણ કરવામાં આવી રહ્યં છે.દરેક યુની ના વીસી –આર એસ એસ. એક ભાષા, એક રાષ્ટ્ર–વિ– કોંગ્રેસ પાર્ટી જ પોતાની વિચારસરણીથી બીજેપી –આર એસ–એસની વાચારસરણી સામે લડી શકે તેમ છે.  જે રાજકીય પક્ષ પાસે વિચારધારાનથી, વૈચારીક સ્પ્ષ્ટતા નથી તે બીજેપી–આર એસ એસ સામે લડી શકશે નહી. મુકાબલો કોણ કરી શકે?અમારા કાર્ય કરતા દેશના નાગરિકની ઇજ્જ્ત કરે છે. ભલે તેનો ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જુદો હોય, હમારે લિયે સબ લોગ ઇન્સાન હૈ.

પાર્ટીના જીલલા પ્રમુખ પાર્ટી ઇમારતનો પાયો. નીવ કી ઇંટ બનાના ચાહતે હૈ..

 


--

Tuesday, April 15, 2025

આ વિચારધારાની લડાઇ છે. રાહુલ ગાંધી.

અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય કોંગ્રસ કારોબારીમાં રાહુલજી ગાંધીએ રજુ કરેલા વિચારોનું દોહન–

આ વિચારધારાની લડાઇ છે.અમારી વિચારધારાના સર્જકો ગાંધી બાપુ, સરદાર પટેલજી,નહેરુજી, આંબેડકરજી વિ હતા. અમારી વિચારધારા દેશના તમામ નાગરિકોને "ઇન્સાન" "માનવ" ગણે છે. અમારા પક્ષની વિચારસરણી પ્રમાણે ઇન્સાન ઇન્સાન વચ્ચે મહોબત્ત જ હોય, નફરત કદાપી હોઇ જ ન શકે.

 રાહુલજીએ હાથમાં બંધારણ રાખી સભા સમક્ષ બતાવતાં બંધારણના આમુખના પ્રથમ શબ્દો "અમે ભારતના લોકો" છે તેવું જણાવ્યું હતું. .બંધારણમાં આમેજ કરેલા મુલ્યો પ્રમાણે આપણે બધા સૌ પ્રથમ દેશના નાગરિકો છીએ. આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક ધર્મનિરપેક્ષ, સમાજવાદી સાર્વભૌમ રાષ્ટ્ર છે. દેશમાં આખરી અને સાર્વભૌમ સત્તા કોઇની હોય તો  દેશની પ્રજાની છે. બધાંરણીય મુલ્યો પ્રમાણે રાષ્ટ્રની સત્તા કોઇ પક્ષ, નેતા, ધર્મ,કે મજહબની નથી જ. બંધારણના આમુખ મુજબ કાયદાની શાસન પ્રથા( Rule of Law not rule of man) છે.

બીજેપી અને આરએસએસની વિચારધારા દેશના નાગરીકોને જુદા જુદા ધર્મોને આધારે ઓળખ ઉભી કરી એક બીજા પ્રત્યે નફરત અને ધિક્કાર પેદા કરી સામાજીક, રાજકીય અને આર્થીક ધ્રુવીકરણ કરી દેશની એકતા અને અખંડતાને જોખમ પેદા કરવાની છે. સદર વિચારધારાએ એક ધર્મના લોકોને અન્ય ધર્મના લોકો સામે ફક્ત નફરત અને ધિક્કાર પેદા કર્યો નથી.પણ હિન્દુધર્મને વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક અસમાનતામાં વહેંચી નાખ્યો છે એટલું નહી પણ ઉભો અને આડો વહેરી નાંખ્યો છે.

અમાદાવાદમાં ચાલુ પ્રવચને રાહુલજીએ પોતાના પક્ષના રાજસ્થાનની વર્તમાન વિધાનસભાના વિરોધપક્ષના નેતા ત્રિકારામ જુલીને મંચ પર આવવા વિનંતી કરી. રાહુલજીના રાજસ્થાનમાં નક્કી કરેલ આગોતરા કાર્યક્રમની જવાબદારીને કારણે તે જયપુર જવા નીકળી ગયા હતા. પરંતુ બીજેપીના રાજસ્થાનની વિધાનસભાના હવે સસપેન્ડેડ નેતા જ્ઞાનદેવ આહુજાએ કરેલ કહેવાતા ધર્મપ્રેમી કાર્યનો "ત્રિકારામ જુલીના મોઢેથી રાહુલજી બોલાવવા માંગતા હતા." ત્રિકારામ જુલીએ રાજસ્થાનના જે મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરીને બહાર નીકળ્યા પછી તે મંદિરને ચારેય બાજુથી પવિત્ર કરવા માટે જ્ઞાનદેવ કે અજ્ઞાનદેવ આહુજાએ ખાસ સુચના આપી ધોવડાવ્યું હતું. કેમ? કારણકે હિન્દુત્વવાળી બીજેપી –આરએસએસની વિચારસરણીમાં વર્ણવ્યવસ્થામાં છેલ્લી અને ચોથી વર્ણ દલિત કે શુદ્ર સમાજનું સ્થાન ક્યાં હોય? કોણ કહે છે સને ૨૦૧૪ પછી જ્યાં બીજેપી–આરએસએસ અબાધિત સત્તા હોય ત્યાં અસ્પૃશ્યતા કેવી?

 હા! અમારા કેન્દ્ર્ અને રાજ્યો શાસિત સરકારોમાં વર્ણવ્યવસ્થા આધારિત ભલે ઉંચનીચના સામાજીક ભેદભાવવાળી જ્ઞાતિપ્રથા છે, પણ અસ્પૃશ્યતા નથી.(!) તે "ધુલકા ફુલ" ના મા–બાપના બી–બિયારણો હવે અમારી શાખામાં સર્જન કરવાનાં બંધ કરેલ છે! જો કે અમારી કથની અને કહેની એક ક્યારેય હોય જ નહી તેવો વારસો તો અમને અમારા આધ્યપુરુષ વિનાયક દામોદર સાવરકર રંગચંગે આપીને ગયા છે.

 રાહુલજીએ બીજા ખુબજ ગંભીર મુદ્દાની વિગતે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષ સંચાલિત તેલગણા રાજ્યમાં જ્ઞાતિ આધારીત વિગતે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં તે રાજ્યમાં સર્વે પ્રમાણે ૯૦ ટકા પ્રજા આર્થિક ઉપરાંત પછાતપણાના તમામ માપદંડો પ્રમાણે પછાત છે. આજ સ્થિતિ બાજુના કર્ણાટક અને બિહારના પણ જન –જાતિ સર્વેમાં લેશમાત્ર જુદી નથી.

તેલગણા રાજ્યમાં કોઇપણ જાહેર કે ખાનગી ઉધ્યોગમાં વહીવટી કક્ષાએ ટોચના પદ પર પેલી ૯૦ ટકા પછાત વસ્તીમાંથી કોઇ નથી. યુની,ના કુલપતિ–ઉપકુલપતી, કલેકટર, જીલ્લાપોલીસ અધિકારી, ન્યાયતંત્ર, વિ. તંત્રોમાં પણ નથી. દેશના જાહેરક્ષેત્રના મોટાભાગના ઉધ્યોગો ખાનગી ક્ષેત્રોને કોડીયોના ભાવે વેચી દીધા છે. તેથી અનામત આધારિત આ લોકો માટે જાહેર ક્ષેત્રોમાં નોકરી કરવાના તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રમાં તો બધુ ખાનગીમાં જ થતું હોય તેમાં આ ૯૦ ટકા પ્રજા કિસ ગિનતી મેં.

 

    

 

 

 કે મુજબતે  આર એસ એસની વિચારધારા શું છે? દેશનું બંધારણ અમારી વિચારધારા છે. હજારો સાલની ભારતીય માનવ મુલ્યોમાંથી બનેલું બંધારણ છે.આજે આ બંધારણ પર આક્રમણ થઇ રહ્યું છે.રાજ્ય સંચાલનની તમામ કેન્દ્રીય અને પ્રાદેશીક સંસ્થોનું ભગવાકરણ કરી નાંખવામાં આવ્યું છે. દેશની યુની.ઓમાં વાઇસચાન્સેલરો તમામ આરએસએસ માન્ય પસંદ કરવામાં આવેલા છે.રાજ્યોના ગવર્નરો, ન્યાયતંત્ર અધિકારીઓ,વિ. ભગવાકરણનું પ્રત્યક્ષ કે પરોક્ષ સર્જન છે. તેમના કાર્યો અને નિર્ણયોમાં ઠેરઠેર ઉગ્રહિંદુત્વના રાતદિવસ પડઘા પડે છે.

રણયો  ર્સ્થાઓ પર આકર્મણ કરવામાં આવી રહ્યં છે.દરેક યુની ના વીસી –આર એસ એસ. એક ભાષા, એક રાષ્ટ્ર–વિ– કોંગ્રેસ પાર્ટી જ પોતાની વિચારસરણીથી બીજેપી –આર એસ–એસની વાચારસરણી સામે લડી શકે તેમ છે.  જે રાજકીય પક્ષ પાસે વિચારધારાનથી, વૈચારીક સ્પ્ષ્ટતા નથી તે બીજેપી–આર એસ એસ સામે લડી શકશે નહી. મુકાબલો કોણ કરી શકે?અમારા કાર્ય કરતા દેશના નાગરિકની ઇજ્જ્ત કરે છે. ભલે તેનો ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જુદો હોય, હમારે લિયે સબ લોગ ઇન્સાન હૈ.

પાર્ટીના જીલલા પ્રમુખ પાર્ટી ઇમારતનો પાયો. નીવ કી ઇંટ બનાના ચાહતે હૈ.. 


--

Wednesday, April 9, 2025

હિન્દુરાષ્ટ્ર ઉચ્ચવર્ણોનું સ્વર્ગ છે અને સામાન્ય માનવીનું નર્ક છે !


સવાણી સાહેબે નીચેના મથાળા પ્રમાણે રજુ કરેલ લેખના મારા પ્રતિભાવો.


મારે હિન્દુરાષ્ટ્ર નથી જોઇતું. હા, પણ તેનો અર્થ એ નથી કે હું ઇસ્લામીક રાષ્ટ્ર, ઇસાઇ રાષ્ટ્ર કે યુહુદી કે બોધ્ધ ધર્મ આધારીત રાષ્ટ્રની કંઠી કે ઝંડો લઇને તેનો ટેકેદાર બનવા માગુ છું. તે જ પ્રમાણે મારે સામ્યવાદ અને ફાસીવાદ જેવા સમુહવાદમાં માનવી તરીકે મારી જાતને સોંપી દેવી નથી.મારે સામંતશાહી(જમીનદારી પ્રથા), રાજાશાહી કે ધર્મશાહી, રાજકીય પક્ષશાહી, તેની નેતાશાહી કે પછી આર્થીક કોર્પોરેટ મુડીવાદી શાહીના પ્રભુત્વ નીચે પણ મારે મારી જીંદગી પસાર કરવી નથી.

  કોઇપણ પ્રકારના માનવસર્જીત સમુહો પછી તે કુટુંબથી શરુ કરીને જ્ઞાતિ, જાતિ, વંશ,ધર્મ,વર્ણ,પ્રદેશ કે દેશના હોય તે તમામ સમુહોનું એક જ સ્થાપિત હિત હોય છે. તેનો સભ્ય માનવીને બનાવીને,તેની ચુંગાલમાંથી યેનકેન પ્રકારની વફાદારી પેદા કરી–કરાવીને બહાર નિકળવા ન દેવો. માનવીની સાચી મુક્તિ (Liberation) એકલ દોકલ સમુહમાંથી નહી પણ તમામ સમુહોમાંથી સમજપુર્વકની જ્ઞાન–વિવેક આધારીત ભૌતીક અને લાગણીપ્રધાન મુક્તિ અનિવાર્ય છે.

 મારે તમામ સમુહોમાંથી મુક્તિ બે પ્રકારની જોઇએ છીએ. પણ પહેલી એક વાત મને કરી લેવા દો! મુક્તિ કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મને ભય બિલકુલ નથી. તે તો મને " મારી માતાની સાથેનો નાભી–નાળ દોરી જે ક્ષણે તોડી નાંખી હતી તે જ ક્ષણથી શરુ થયેલી મારો મુક્તિ સંઘર્ષ છે." જન્મસિધ્ધ અધિકાર છે. મારો આ જૈવીક, ભૌતીક, વાસ્તવિક સંઘર્ષ સદીઓથી મારા જેવા અન્ય માનવીઓના સહકારથી હું લડતો અને તેમાંથી વિજય મેળવતો ૨૧મીસદી સુધી આવી પહોંચ્યો છું. પેલા બદમાશ સામુહિક સત્તાધીશોની મારા માટે વર્ણ–કર્મ આધારીત પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક,પુર્વજન્મ, વર્તમાનજન્મ, પુનર્જન્મ, કયામત, સાલ્વેશન, વફાદારી, ભક્તિ, ત્યાગ, બલિદાન, શહીદી વિ.નામની બનાવેલી ચકચકીત જંજીરોને તોડતો(Freedom From) હું આવ્યો છું.

મારે ફક્ત અને ફક્ત માનવ કેન્દ્રી કલ્યાણવાળો સમાજ બનાવવો છે. માનવીના ભૌતીક,ઐહીક, દુન્યવી હિત સિવાય બીજો કોઇ ઉપદેશ, હિત મને માન્ય નથી. માનવ કેન્દ્રી હિત વાળો સમાજ કેવો હોય? માનવીની વ્યક્તિગત ધોરણે, તેનામાં જૈવીક ઉત્ક્રાંતિના સંઘર્ષમાંથી વિકસેલી જે નિપુણતાઓ, કલા–કુશળતાઓ, સંભવિત શક્તીઓ,અને તેનું જીવન ટકાવી રાખે અને વિકસાવે તેવી સત્ય શોધવાની વૃત્તીઓને  વધુ વિકસાવવા માટે અને તેના વ્યક્તિગત સશક્તિકરણનું મોકળુ મેદાન મળે તેવી માનવસર્જીત સમાજ વ્યવસ્થા. આ અમારુ માનવવાદી તત્વજ્ઞાન છે.

 તાજેતરમાં તા ૬માર્ચના રોજ બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર તરફથી ગુજરાતીમાં ખુબજ સરળ ભાષામાં માનવવાદી તત્વજ્ઞાનને સમજાવતું પુસ્તક અમારા સાથીદારો અશ્વિન કારીઆ (નિવૃત પ્રીન્સિપાલ લો કોલેજ, પાલનપુર) અને ગિરિશભાઇ સુંઢીયાના સહયોગથી પ્રકાશિત કરવામાં આવ્યું છે.

 પુસ્તકનું નામ–રેડીકલ હ્યુમેનીઝમ (સ્વાતંત્રય અને લોકશાહીની ફિલોસોફી)– મુળ અંગ્રેજીમાં લેખક– જસ્ટીસ વી. એમ. તારકુડે, ગુજરાતીમાં અનુવાદક– પ્રો. દિનેશ શુક્લ.

સંપર્ક–ગીરિશભાઇ સુંઢીયા–94266 63821.

--

Tuesday, April 8, 2025

અમને અડશો મા!––‘Hands Off!’

અમને અડશો મા!––'Hands Off!'

1.     અમેરીકમાં શનિવારે ૫૦ રાજ્યોના ૧૪૦૦ શહેરોમાં જુદા જુદા સ્થળો પર  એકીસાથે ૧૦,૦૦૦,૦૦ (દસલાખ) જવાબદાર નાગરિકોઓ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના આર્થીક સલાહકાર ઇલોન મસ્કની વિરુધ્ધમાં દેશવ્યાપી  શાંતિપુર્વક  પ્રદર્શનો કર્યા. આ રાજકીય રેલી ' દેશમાં લોકશાહી બચાવો' ના ભાગરુપે સંગઠિત રીતે આયોજિત્ કરવામાં આવી હતી. સદર વિરોધ રેલી રાજ્યના પાટનગરો, કેન્દ્ર સરકારના મકાનો સામે, વિધાનસભાકે સચિવાલયોના મકાનો સામે, સોસીઅલ સીકિયોરિટિના મુખ્ય મથકો સામે, જાહેર બગીચાઓ અને શહરોના નગર સભાગૃહોમાં આયોજિત કરવામાં આવી હતી.

2.      સરમુખત્યાર કે આપખુદ પ્રમુખ અને તેના અબજોપતિ સાથીદારથી દેશને મુક્ત કરવા આયોજીત કરવામાં આવી હતી.

3.     સમગ્ર અમેરકા ઉપરાંત યુરોપના ઇગ્લેંડના લંડન અને ફ્રાંસના પેરીસ ઉપરાંત  વિ દેશોના શહેરોમાં "–'Hands Off!' રેલીઓ,સરઘસો નીકળ્યા હતા. આ વિરોધ રેલીમાં ભાગ લેનારા નાગરીક અધિકાર સંગઠનો,નિવૃત્ત લશ્કરીના અધિકારીઓ, ગર્ભપાત વિરોધનો પ્રતિકાર કરતા તમામ મહીલા હક્ક સંગઠનો, કામદાર યુનિયનો, LGBT Collectives, એડવોકેટસ વિ. મોટી સંખ્યામાં જોડાયા હતા.

4.     અમેરીકન ન્યુઝ સંસ્થા CNN ના રિપોર્ટ પ્રમાણે અમેરીકના એક કિનારેથી બીજા કિનારા સુધીમાં લાખો લોકોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેવું રેલીના આયોજકોનો મત હતો. (CNN has not been able to independently verify how many people attended Saturday's demonstrations, but "Hands Off!" organizers say that "millions" of people turned up from coast to coast.

5.     પ્રદર્શનકારોની ત્રણ મુખ્ય માંગણીઓ હતી.

(અ) વોશિંગ્ટનમાં આવેલી રાષ્ટ્રીય વડી કચેરી " વાહ્ઇેટ હાઉસ" ને અબજોપતિની જંજીરોમાંથી મુક્ત કરો.

(બ) ટ્રમ્પ સરકારમાં પ્રવર્તમાન કાબુ બહારના, અનિયંત્રિત ભ્રષ્ટાચારનો તાત્કાલિક અંત લાવો,

(ક) સામાજીક સલામતિ (સોશીઅલસીક્યોરીટી)ના પ્રતિમાસે મળતાં નાણા, મેડીકેડ (દવાખાનાની સગવડો) અને ઔધ્યોગીક કામદારોને મળતી સગવડોમાં તમામ પ્રકારની સુવિધાઓ પરની કપાત બંધ કરો.

(ડ) આ ઉપરાંત પરદેશી ઇમીગ્રન્ટ પર હુમલાઓ, ત્રીજી જાતી (ટ્રાન્સજેન્ડર) અને અન્ય સામાજીક લઘુમતીઓ પરના રાજકીય સત્તાપક્ષ પ્રેરીત હુમલાઓ બંધ કરો.  રેલીમાં આયોજકો અને તેના સ્પીકર્સની માંગ હતી કે હીટલર અને મુસોલીનીના રાજકારણથી દેશને વહેલી તકે બચાવો.

(ઇ)આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ બંધારણના આમુખના પ્રથમ શબ્દો "અમે અમેરીકન લોકો" છે. "અમે સરમુખ્તયારો નથી". "Our founders wrote a Constitution that does not begin with 'We the dictators,' the preamble says 'We the people,' આપણા દેશના કોઇપણ નૈતીકતાને વરેલા નાગરીકો દેશના અર્થતંત્રને ભાંગીને ભુકકો બનાવી દેતા સરમુખત્યારથી બચાવવા માંગે છે. જે માણસ તેના નિર્ણયને બજારભાવ અને કિંમતથી તોલવા માંગે છે. તેને પાયાની વાત જ ખબર નથી કે અર્થતંત્ર અને માનવ સમાજ તેના મુળભુત મુલ્યોથી ગતિશીલ હોય છે. "No moral person wants an economy-crashing dictator who knows the price of everything and the value of nothing." દેશના બંધારણને તગલઘી તુક્કેબાજના વહીવટી નિર્ણયોથી બચાવો. નાગરીક અધિકારોને છંછેડશો નહી. સુરક્ષીત રાખો."Protect our Constitution" and "Hands off our rights."

(ફ)અમેરીકન નાગરીકો! આપણે જાણીએ છીએ ખરા કે દેશના કુલ ઘરેલુ ઉત્પાદનના ( Gross Domestic Production) 120%  દેવું છે. દરેક અમેરીકન નાગરીકનું માથાદીઠ દેવું $ 1,00,000/ છે. આ દેવું ફેડરલ રીઝર્વમાંથી આપવું પડે. It is $ 33 Trillion US Dollars. સને ૨૦૦૧થી ૨૦૨૫ સુધીનું ફેડરલ સરકાર ( કેન્દ્રસરકારનું) એક પણ બજેટ વું નથી કે જેમાં નફો વધારે હોય ને ખાધ ઓછી હોય!  તઘલઘી રાષ્ટ્રપ્રમુખની ટેરીફ નીતીને કારણે ચીન, જપાન અને સાઉદી એરેબીયા ( મક્કા– મદીના વાળા દેશે)એ ડોલર વેચીને સોનું છેલ્લા ચાર દિવસોથી ખરીદવા માંડયું છે. જેનોઅઢી તોલાનો ભાવ)Gold was  at $3,026/ per ounce.)Its price is record high reached last week amid the market tumult. Gold is seen as a safe-haven during turbulent times.

(જી) દેવાનો ભાર ઓછો કરવા ટ્રપ્મ સાહેબે ડોલર્સનો જથ્થા બજારમાં વધારવા નોટો છાપવાનું નક્કી કર્યુ છે. કોઇપણ દેશના અર્થતંત્રમાં જો ઉત્પાદન ન વધે અને નાણાંનો પુરવઠો વધે તો એટલે કે નાણાંનો ફુગાવો વધે તો શું થાય?

(એચ)અમેરીકન શેર બજારના તમામ ઇન્ડેક્ષ તુટી ગયા છે. અમેરીકન ઇકોનોમી અને શેર બજાર તમામ માપદંડોથી મુલ્યાંકન કરતાં મંદીના આર્થીક ઝોનમાં પ્રવેશી ચુક્યું છે. The S&P 500 on Friday posted its biggest one-day loss since March 2020, the start of the COVID-19 pandemic, and Black Monday morning tumbled into a bear market. A bear market is defined as at least 20% below its recent peak. The tech-heavy Nasdaq was already in a bear market."

. તેમ છતાં આજે સવારે ટ્રમ્પ સાહેબે ભવિષ્યવાણી આ પ્રમાણે ઉચ્ચારી હતી.

" ""Don't be Weak! Don't be Stupid! Don't be a PANICAN (A new party based on Weak and Stupid people!)," Trump said. "Be Strong, Courageous, and Patient, and GREATNESS will be the result!"

 

 

 


--

Sunday, March 30, 2025

ભાગ –૪. સાવરકરનામા(૧૯૧૦–૧૯૪૮)


ભાગ –૪. સાવરકરનામા(૧૯૧૦–૧૯૪૮)

વિનાયક દામોદર સાવરકર( જન્મ૧૮૮૩–અવસાન૧૯૬૬)

બ્રીટિશ સરકાર સામે સાવરકરે બે ગુના કર્યા હતા.એક મદનલાલ ધીંગારાને મદદ કરીને ઇગ્લંડમાં ગોરા ઓફિસરનું ખુન કરવામાં અને બીજું પેરીસથી છુપી રીતે નાસિકમાં રીવોલ્વર મોકલીને નાસિકના ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ જેકસનનું ખુન કરાવવામાં રિવોલ્વર પરી પાડવાનું વિ. સાવરકરને કુલ ૫૦વર્ષની સજા કરવામાં આવી હતી. બંને ગુનાઓ સાવરકરે પોતે કર્યા છે તેવી કબુલાત સાવરકરે કરેલી હતી.

૪–૦૭–૧૯૧૧થી ૬–૧– ૧૯૨૧સુધી અંદામાનની જેલમાં. ૧૯૨૧ થી ૧૯૨૪ રત્નાગીરી જેલમાં. આ સમયગાળા દરમ્યાન કુલ દસ દયાની અરજીઓ કરી હતી.અનુક્રમે પહેલી, વર્ષ ઓગસ્ટ૧૯૧૧(જેલમાં આવ્યા પછી દોઢ જ માસમાં) બીજી ઓકટોબર ૧૯૧૨,ત્રીજી નવેંબર ૧૯૧૩,ચોથી ઓક્ટોબર૧૯૧૭,પાંચમી૧૯૧૮,છઠ્ઠી ૧૯૧૯ અને સાત,આઠ જાન્યુઆરી અને માર્ચ૧૯૨૦. આ ઉપરાંત સાવરકરની પત્ની અને તેના ભાઇની પત્નીએ સ્વતંત્ર દયાની અરજીઓ કરી હતી.કુલ દસ દયાની અરજો કરી હતી. બ્રીટિશ રાજ્યના આશરે ૨૦૦ વર્ષ કરતાં વધુ સમયમાં સાવરકર અને તેના કુટુંબના જેટલી દયાની અરજીઓ કોઇ હિંસક ક્રાંતિકારી કે ગાંધીવાદી અહિંસક ક્રાંતિકારીએ જેલમાંથી છુટવા માટે કરી ન હતી.તો પણ " વીર"(?) નું આભુષણતો સાવરકરને ફાળે જ જાય છે. સાવરકરે પોતાની દયાની અરજોમાં શું શું લખ્યું છે.[BS1]  સ્વતંત્ર સંગ્રામની કરોડરજ્જુ જ ભાંગી નાંખે તેવું આ "વીરે" જે લખ્યું છે તે પહેલાં શહીદે આઝમ 'ભગતસીંહ'ની કક્ષાના શહીદોએ જે લખ્યું છે તેને શ્રધ્ધાંજલી રુપે આપણે આજે વાંચી તો લઇએ!

(૧) મદનલાલ ધીંગારા–ઉં વ ૨૫. લંડનના "ઇંડીયા હાઉસ"માં ટી પાર્ટી માટે બોલાવીને ગોરા અંગ્રેજ' સર કર્ઝન "Wyllie"ને પોઇંટ બ્લેન્ક ગોળી મારી અને મારી નાંખ્યા.

" કબૂલ કરું છું કે બીજા દિવસે મેં દેશભક્ત ભારતીય યુવાનોના અમાનવીય ફાંસી અને દેશનિકાલનો બદલો લેવા માટે અંગ્રેજોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આમાં મેં મારી પોતાની ફરજ સિવાય બીજું કંઈ વિચાર્યું નથી. હું માનું છું કે વિદેશી બંદુકોની બેયોનેટથી દબાયેલો દેશ કાયમી યુદ્ધની સ્થિતિમાં છે. કારણ કે ખુલ્લી લડાઈ નિઃશસ્ત્ર જાતિ માટે અશક્ય બની જાય છે, તેથી મેં મારી પિસ્તોલ કાઢી અને ગોળીબાર કર્યો.

એક હિન્દુ તરીકે, મને લાગે છે કે મારા દેશ સાથે કરવામાં આવેલું અન્યાય ભગવાનનું અપમાન છે. તેનું કારણ રામનું કારણ છે. તેની સેવા શ્રી કૃષ્ણની સેવા છે. સંપત્તિ અને બુદ્ધિમાં ગરીબ, મારા જેવા પુત્ર પાસે માતાને પોતાના રક્ત સિવાય બીજું કંઈ આપવાનું નથી અને તેથી મેં તેની વેદી પર તે જ બલિદાન આપ્યું છે. ભારતમાં જરૂરી એકમાત્ર પાઠ એ છે કે મારી શહાદતમાં મરવાનું અને ગૌરવ કેવી રીતે લેવું તે શીખવું.

    મારી એકમાત્ર પ્રાર્થના છે કે હું એ જ માતાના જન્મથી પુનર્જન્મ પામું અને જ્યાં સુધી હેતુ સફળ ન થાય ત્યાં સુધી હું એ જ કારણમાં ફરીથી મૃત્યુ પામું, અને તે માનવતાના ભલા અને ભગવાનના મહિમા માટે મુક્ત રહે. વંદેમાતરમ.

તા,ક, તે સમયના ઇંગ્લેંડના વડાપ્રધાન લોઇડ જ્યોર્જ અને વિનસ્ટન ચર્ચિલ બંનેએ મદનલાલ ધિંગારાની ફાંસી પહેલાંના કબુલાતનામું અંગે આ પ્રમાણે પ્રત્યાઘાત આપ્યો હતો.– " It was among the finest ever made in the name of patriotism."

ભગતસીંગ(ઉ વ ૨૩.)ની ફાંસી પહેલાંની રજુઆત–

પંજાબના રાજ્યપાલને -

ભગતસીંગ કહે છે કે તેઓ અને તેમના સાથીઓ ઇગ્લેંડના રાજા સામે યુદ્ધ કરવા બદલ દોષિત છે.ન્યાય દ્વારા, આપણે યુદ્ધના કેદી છીએ. ઠીક છે, પરંતુ આપણું યુદ્ધ ચાલુ રહેશે. તે જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપો ધારણ કરી શકે છે. તે હવે ખુલ્લું, હવે છુપાયેલું, હવે સંપૂર્ણ આંદોલનકારી, હવે ઉગ્ર જીવન અને મૃત્યુનો સંઘર્ષ બની શકે છે.

લોહિયાળ કે તુલનાત્મક રીતે શાંતિપૂર્ણ, તે કયા માર્ગને અપનાવવો તે પસંદ કરવાનું તમારા પર નિર્ભર છે. તમને ગમે તે પસંદ કરો. પરંતુ ક્ષુદ્ર ( Petty)(અયોગ્ય)અને અર્થહીન નૈતિક વિચારધારાઓને ધ્યાનમાં લીધા વિના તે યુધ્ધ સતત ચલાવવામાં આવશે!

જ્યાં સુધી સમાજવાદી પ્રજાસત્તાક સ્થાપિત ન થાય અને વર્તમાન સામાજિક વ્યવસ્થા સંપૂર્ણપણે સામાજિક સમૃદ્ધિ પર આધારિત નવી સામાજિક વ્યવસ્થા દ્વારા બદલવામાં ન આવે અને આમ દરેક પ્રકારના શોષણનો અંત ન આવે ત્યાં સુધી તે હંમેશા નવા જોશ, વધુ હિંમત અને અડગ નિશ્ચય સાથે રહેશે.

મારા મત મુજબ માનવજાત વાસ્તવિક અને કાયમી શાંતિના યુગમાં પ્રવેશી રહી છે.ખૂબ જ નજીકના ભવિષ્યમાં અંતિમ યુદ્ધ લડવામાં આવશે અને અંતિમ સમાધાન થશે.મૂડીવાદી અને સામ્રાજ્યવાદી શોષણના દિવસો ગણતરીના છે. યુદ્ધ ન તો આપણી સાથે શરૂ થયું હતું અને ન તો આપણા જીવન સાથે સમાપ્ત થવાનું છે. તે ઐતિહાસિક ઘટનાઓ અને હાલના વાતાવરણનું અનિવાર્ય પરિણામ છે.

આપણું નમ્ર બલિદાન એ સાંકળની એક કડી હશે જે (જતીન) દાસના અપ્રતિમ બલિદાન અને કોમરેડ ભગવતી ચરણના સૌથી દુ:ખદ પરંતુ ઉમદા બલિદાન અને આપણા યોદ્ધા ચંદ્રશેખર આઝાદના ગૌરવપૂર્ણ મૃત્યુ દ્વારા ખૂબ જ સચોટ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે.

આપણા ભાગ્યના પ્રશ્નના સંદર્ભમાં, કૃપા કરીને અમને કહેવા દો કે જ્યારે તમે મૃત્યુદંડ આપવાનો નિર્ણય લીધો છે, ત્યારે તમે ચોક્કસપણે તે કરશો. તમારા હાથમાં સત્તા છે અને શક્તિ આ દુનિયામાં સૌથી મોટું વાજબીપણું છે. અમે જાણીએ છીએ કે "શક્તિ સાચી છે"( Might is right") સૂત્ર તમારા માર્ગદર્શક સૂત્ર તરીકે કામ કરે છે. અમારી સમગ્ર ટ્રાયલ તેનો ન્યાયી પુરાવો હતો. અમે નિર્દેશ કરવા માંગતા હતા કે તમારી કોર્ટના ચુકાદા મુજબ અમે યુદ્ધ કર્યું હતું અને તેથી યુદ્ધ કેદીઓ હતા. અને અમે એવો દાવો કરીએ છીએ કે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે, એટલે કે ફાંસી આપવાને બદલે ગોળી મારીને મારી નાંખવામાં આવે. તમારી કોર્ટે જે કહ્યું તે ખરેખર સાર્થક હતું તે સાબિત કરવાનું તમારા પર છે. અમે વિનંતી કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમે ખૂબ જ કૃપા કરીને લશ્કરી વિભાગને આદેશ આપશો કે તેઓ તેમની ટુકડી મોકલે અને અમને ફાંસીને બદલે બંદુકની ગોળી મારી ઉડાવી દે!  

તમારા ભગતસિંહ..

ભગતસીંગનો બીજો પત્ર.

તેને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવશે. તેની ફાંસીના આગલા દિવસે, તે તેના સાથીઓને એક પત્ર લખે છે. તેણે લખેલો છેલ્લો પત્ર છે.

સાથીઓ,

જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ તે સ્વાભાવિક છે, હું તેને છુપાવવા માંગતો નથી. પણ હું એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે કોઈ બંધન સાથે જીવવા માંગતો નથી.

મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ગયું છે, અને ક્રાંતિકારી પક્ષના આદર્શો અને બલિદાનોએ મને ખૂબ જ ઊંચો કરી દીધો છે-એટલો ઊંચો કે હું જીવિત હોવાની સ્થિતિમાં ચોક્કસપણે ઊંચો ન હોઈ શકું.

 આજે મારી નબળાઈઓ લોકોને દેખાતી નથી. જો હું ફાંસીમાંથી છટકી જઈશ, તો તે સ્પષ્ટ થઈ જશે અને ક્રાંતિનું પ્રતીક કલંકિત થઈ જશે, અથવા કદાચ નાબૂદ થઈ જશે. પરંતુ હિંમત સાથે ફાંસીના માંચડે ચઢવાથી હિન્દુસ્તાની માતાઓ ભગતસીંગ જેવા બાળકોની આકાંક્ષા કરશે અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે સામ્રાજ્યવાદી શક્તિઓ અથવા બધી શૈતાની શક્તિઓ માટે ક્રાંતિને રોકવી શક્ય બનશે નહીં.

 અને હા, આજે પણ મને એક વિચાર આવે છે - કે મારા દેશ અને માનવજાત માટે કંઈક કરવાની જે આકાંક્ષા મારા હૃદયમાં હતી તેનો એક હજારમો ભાગ પણ હું પૂરો કરી શક્યો નથી. જો હું જીવતો અને મુક્ત રહી શક્યો હોત તો કદાચ મને તે સિદ્ધ કરવાની તક મળી હોત અને મેં મારી ઈચ્છાઓ પૂરી કરી હોત. આ સિવાય ફાંસીમાંથી બચવાની કોઈ લાલચ મારા પર આવી નથી. મારાથી વધુ ભાગ્યશાળી કોણ હોઈ શકે? આ દિવસોમાં હું મારી જાત પર ખૂબ ગર્વ અનુભવું છું. હવે હું ખૂબ જ આતુરતા સાથે અંતિમ પરીક્ષાની રાહ જોઈ રહ્યો છું. હું પ્રાર્થના કરું છું કે તે નજીક આવે.

તમારો સાથી  ભગતસીંગ.

ભગતસીંગના સાથી રામપ્રસાદ બિસમલના ફાંસીના માંચડે પહોંચીને જલ્લાદ હુકમ કરે તે પહેલા આ શબ્દો બોલ્યા હતા. " શરફરોસી કિ તમન્ના અબ હમારે દિલ મેં હૈ."

ટૂંકી નોંધો સાથે સાવરકરની દયાની અરજીઓ.

(a) ભારતીય રાજનીતિના તાજેતરના વિકાસ અને સરકારની સમાધાનકારી નીતિએ ફરી એકવાર બંધારણીય રેખા ખોલી નાખી છે. હવે હૃદયમાં ભારત અને માનવતાનું ભલું ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આંખ આડા કાન કરશે નહીં કે જેણે 1906-1907ની ભારતની ઉત્તેજિત અને નિરાશાજનક પરિસ્થિતિમાં આપણને શાંતિ અને પ્રગતિના માર્ગથી ભ્રમિત થઇને હિંસક માર્ગ પસંદ કર્યો હતો.

(b) તદુપરાંત, બંધારણીય લાઇનમાં મારું રૂપાંતર ભારત અને વિદેશમાં તે બધા ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને પાછા લાવશે. જેઓ એક સમયે મને તેમના માર્ગદર્શક તરીકે જોતા હતા.

(c) હું સરકારની તેમને ગમે તે ક્ષમતામાં સેવા આપવા તૈયાર છું, કારણ કે મારું સદર પરિવર્તનમાં મારી દાનત શુધ્ધ છે. તેને ટેકો મારા અંતરાત્માના અવાજનો છે. તે પ્રમાણે મારું ભાવીવર્તન હશે.માત્ર શકિતશાળી સરકાર મા–બાપને જ દયાળુ બનવાનું પરવડી શકે છે અને તેથી પોતાના ઉડાઉ પુત્ર(the prodigal son)ને સરકાર(મા–બાપના)ના દરવાજા સિવાય બીજે ક્યાંથી પાછો આવી શકે? આશા છે કે આપશ્રી, માનનીય કૃપા કરીને આ મુદ્દાઓને ધ્યાનમાં લેશો."

(d) હું ખાત્રીપુર્વક કહું છું કે ભારતનો દરેક બુદ્ધિશાળી પ્રેમી ભારતના હિતમાં બ્રિટિશ લોકો સાથે હૃદયપૂર્વક અને વફાદારીથી સહકાર આપશે. તેથી જ મેં 1914 - જર્મની સામેના યુદ્ધમાં સ્વયંસેવક તરીકે મારી જાતને ઓફર કરી હતી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

 

 

 


 [BS1]

--

Thursday, March 27, 2025

ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.


ભાગ–૩ સાવરકર, બોઝ અને તેમની આઇ એન એ.(INA) ઇન્ડીયન નેશનલ આર્મી.

ભારતને આઝાદી મળી ગઇ છે. ગાંધીજીનું ખુન પણ થઇ ગયું છે. તે ખુનના ગુનામાં સાવરકર સંડોવાયા હતા તેમ છતાં તે નિર્દોષ  સાબિત થયા છે.હવે સાવરકરે હિંસાના માધ્યમ દ્રારા ક્રાંતિ કરવા બનાવેલી સંસ્થા 'અભિનવ ભારત' ને સમેટી લેવાનું નક્કી કર્યું છે. કારણકે હવે દેશમાં પોતાની ચુંટાયેલી સરકાર છે. તેથી મે માસ ૧૯૫૨માં પુના મુકામે સદર સંસ્થાના વિસર્જન માટે બોલાવેલી સભામાં સાવરકરે નીચે મુજબ પોતાના નેતૃત્વ નીચે હિંસા દ્રારા બ્રીટીશ સરકારને દેશમાંથી કાઢી મુકવા જે કામ ભુગર્ભમાં રહીને કર્યા હતા તેનો અહેવાલ ચાર દિવસ ચાલેલી સભામાં આપ્યો હતો.

(૧) પ્લાન–બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન હજારોની સંખ્યામાં(આર એસ એસ) બ્રીટિશ લશ્કરમાં પોતાની વિચારસરણીવાળા કે તેના પ્રત્યે સહાનુભુતિ રાખનારાને ભરતી કરાવી દેવા.અને યોગ્ય તક ઉભી થાય ત્યારે તે જ લશ્કર બ્રીટીશ સરકાર સામે આંતરિક બળવો કરે!

(૨) મારી સુચના પર અજીત સિંગ ઇટલીમાં, સુભાષ બોઝના ભાઇ રાસબિહારી બોઝ જપાનમાં અને સુભાષબાબુ પોતે દેશમાંથી ભાગી જઇ જર્મની ને ત્યાર બાદ ૬૦,૦૦૦ જુવાન ભારતીયોની આઝાદ હીંદની ભરતી કરીને ચલો દિલ્હી, ચલો દિલ્હીના નારા સાથે બર્માના શહેર સિંગાપુરમાં ભેગા થાય.

(૩) ત્રીજા દિવસના પ્રવચનમાં એકાએક સુભાષબાબુનો ઉલ્લેખ આવી ગયો. ૨૨મી જુલાઇ ૧૯૪૦ના રોજ બાબુ 'સાવરકર ભવનમાં' મને મળવા મહંમદઅલી ઝીણા( જીન્હા)ની સુચનાથી આવી ગયા. કારણકે મારી અને ઝીણાની વિચારસરણી ગાંધીજીના અહિંસક આંદોલન દ્રારા આઝાદી પ્રાપ્ત થશે તેમાં વિશ્વાસ ન હતો. ઝીણા જેમ મુસ્લીમ પ્રજાનું હિત ધરાવતા હતા, તેવી રીતે હિંદુ મહાસભાના નેજા નીચે હું હિન્દુ પ્રજાનું હિત ધરાવું છું.અને બોઝ કોંગ્રેસમાંથી છુટા થઇને " ફોરવર્ડ બ્લોક"નું પ્રતિનિધિત્વ કરતા હતા. મારી માફક બોઝ પણ શસ્ર બળવા દ્રારા બ્રિટન સામે આઝાદીનો જંગ ખેલવા માંગતા હતા.

(૪)હિન્દુમહાસભાએ મારા નેતૃત્વ નીચે દેશમાં ફક્ત હિન્દુ યુવાનોને બ્રીટીશ હિન્દના લશ્કરમાં હજારોની સંખ્યામાં ભરતી કરાવવા માંડી છે. આ મારી હિન્દુ ક્રાંતિકારી આર્મી છે પણ ઇરાદાપુર્વક બ્રીટીશ લશ્કરમાં ભરતી થયેલ છે. આજ કામ મેં સને ૧૯૧૪માં પહેલા વિશ્વયુધ્ધના સમયે પણ કર્યું હતું પછી તે હિન્દુ યુવા લશ્કર જપાન અને જર્મનીના હાથમાં આવી ગયું હતું. ખરેખર સને ૧૯૧૧થી સાવરકર પેલા કેસનીસજામાં આંદામાનમાં જન્મટીપનો કારાવાસ ભોગવતા હતા. વધુમાં સાવરકરે પોતે આંદામાનની (અલાયદો ચારેય બાજુથી દરિયો હોય તેવો ટાપુ આંદામાન હતો અને આજે પણ છે.) જેલના  જે લેખીત પુરાવા આપ્યા છે તેમાં સદર કેદીઓને કોઇ એવી સવલત ન હતી કે કોઇ કાળે તેઓ ભારત દેશ સાથે એવો સંપર્ક શરુ કરવા શક્તિમાન હોય! જેમાં તે હજારોની સંખ્યામાં હિન્દુ આર્મી બ્રીટનના લશ્કરમાં ભરતી કરાવી શકે. ધારો  કે તે તંત્રમાં હિન્દુ યુવાનોને ભરતી કરાવી શક્યા હોય તો આ સાહેબ( સાવરકર) તો સન૧૯૧૧માં જેલમાં  હતા. તો તે કામ કરનાર સાવરકર સિવાય બીજા જે હોય તે પણ તે તો નહિજ.

·       આ મિટિંગમાં સાવરકરે નીચે મુજબનો પ્લાન બોઝને ક્રમશ: શું કરવાનો તે સમજાવ્યો!

·       બને તેટલી ઝડપથી બોઝ તમે દેશમાંથી પલાયન થઇ જાવ.

·       પહેલાં વિશ્ચયુધ્ધ પછી જે ભારતીય લશ્કરે જર્મની અને જપાન પાસે શરણાગતી સ્વીકારી છે તેમાં મોટાભાગના હિન્દુ છે તેનું હિન્દ આઝાદ સેનામાં રુપાંતર કરી નાંખો!

·       બ્રીટનને મારા પ્લાનની સમજણ પડે તે પહેલાં તેની પાસે દેશ છોડવા સિવાયનો બીજો વિક્લ્પ જ બાકી રહેશે નહી.

હકીકત– પહેલા વિશ્વયુધ્ધમાં જપાન, બ્રીટન, ફ્રાંસ, અમેરીકા અને રશીયા મિત્ર રાજ્યો હતા. તે બધા સંયુક્ત રીતે જર્મની સામે લડ્યા હતા. બ્રીટનની કોઇ ગોરી કે ભારતીય બટાલીયન જપાન સામે યુધ્ધમાં સંડોવાયેલી હતી જ નહી. જપાને પોતાને અનુકુળ ચીનનો કેટલોક ભાગ જીતી લીધો. જેમાં બ્રીટનનો પરોક્ષ ટેકો હતો. તો પછી જપાન કયા કારણોસર ભારતીય સૈનીકોને  યુધ્ધના કેદી (Prisoners of War POW) કે યુધ્ધબંધક બનાવે?

બીજી બાજુ જર્મની પ્રથમ વીશ્વયુધ્ધમાં ભયંકર રીતે હારીને બરબાદ થઇ ગયું હતું. વરસાઇલ કરાર કે ટ્રીટીમાં જીતેલા દેશોએ જર્મનીને એવા તમામ દિશામાંથી કાંડા કાપી લીધેલા હતા. હારેલા દેશ પાસે જીતેલા દેશના સૈનીક યુધ્ધક બંધક હોય ખરા?  કે પછી હારેલા દેશના કેદીઓ જિતેલા દેશના યુધ્ધબંધક હોય! સને ૧૯૭૧માં બંગલા દેશ અને ભારતે સંયુક્ત રીતે પાકિસ્તાનના લશ્કરને બંગલા દેશની ભુમી પર હરાવી આશરે ૯૦,૦૦૦ તેના દેશના સૈનીકોએ શરણાગતી સ્વીકારી હતી.ભારતે યુધ્ધબંધક તરીકે તેમને વર્ષો સુધી પાલ્યા–પોષ્યા હતા.

મેં AI, Crock, Jemini & Deep seek  ચારેયમાં તપાસ કરી તો એક જ જવાબ મલે છે કે પહેલા વિશ્વયુધ્ધ્માં જપાન કે જર્મની પાસે ભારતના કે બ્રીટિશ લશ્કરના કોઇ યુધ્ધબંધક સૈનીક હતા જ નહી.કારણકે જર્મનીએ  પ્રથમ કે બીજા વિશ્વયુધ્ધમાં ભારત પર લશ્કરી હુમલો કર્યો હોય તેવા લેશ માત્ર પુરાવા ઇતિહાસમાં નથી! સિવાય કે સાવરકરના મહાન ગપગોળા!

સાવરકર બોઝને સલાહ આપતા હતા કે તમે હિટલરનો સહકાર અને સાથ મેળવવા પ્રયત્ન કરો.

હિટલરે પોતાની જીવન કથા "Mein Kampf" યુરોપમાં છાતી કાઢીને બહાદુરીથી ફરતા બ્રીટન સામે હિંસક સત્તા પલ્ટો કરવાના સ્વપ્નાં સેવતાં ભારતીય ક્રાતિકારીઓ માટે નીચે મુજબનો અભિપ્રાય લખ્યો છે.

" હિટલરે લખ્યું છે કે આ બધા પુર્વ દેશોના કહેવાતા ક્રાંતિકારીઓને કોઇ અનુભવ નથી. તે બધા ભપકાદાર ફુલાવેલા ફુગ્ગાથી સહેજ પણ વધારે નથી. અમારે ત્યાં ઘણા જર્મન રાષ્ટ્રવાદીઓ ભારતીય ઠોઠ નિશાળીયાની વાતોમાંથી અંજાઇ જાય છે. ભરમાઇ જાય છે. તે મુર્ખાઓને પુછવામાં આવે કે તમને તમારા દેશમાંથી જર્મની સાથે કરાર કરવાની કોઇ સત્તા આપી છે? અને તે આપનારની તમારા દેશમાં કાયદાકીય કોઇ વજુદ છે ખરી? મારા મત મુજબ તેમની સાથે વાતચીત કરીને એક મિનિટ પણ બગાડવી તે જ મુદ્દાહિન અને નુકશાન કરનારી છે." વધુમાં હિટલર લખે છે કે

તે લોકોને ખબર નથી કે બ્રીટન એક જ એવો દેશ છે " British World Power" છે. શું તે તમારા દિવાસ્વપ્નોથી ભાંગીને ભુકકો થઇ જશે.! " Indian rebels will never ever successfully conquer her. We as Germans (From first world war experience) know from experience how difficult it is to conquer England. Apart form this, I, as a member of the German race, would prefer to see India under English rule than under the control of any other nation….

તો શું હિટલર બોઝના હાથે ઇગ્લેંડનો પરાજય કરવામાં મદદ કરે!

હિટલર કહે છે કે હું ઇગ્લેંડના નાગરિકોને સારી રીતે ઓળખું છું, તે દેશનો એકલો રહી ગયેલો તેનો છેલ્લામાં છેલ્લો નાગરીક પણ પોતાના દેશનું અસ્તીત્વ ટકાવવા પોતાના શરીરના છેલ્લા લોહીના બુંદ સુધી ઝઝુમશે. તમારા દેશના હિંસક ક્રાંતિ કરવા નીકળી પડેલા ને પુછો તો ખરા તમે તમારા પગથી જો ડગલા માંડવા સક્ષમ ન હોય અને બીજાઓની કાઠની ઘોડીઓની મદદથી તમે દોડવા નીકળ્યા છો?

સાવરકરે બોઝને એવું ગુલાબી ચિત્ર જર્મનીનું બતાવ્યું હતું કે જાણે હિટલર અને સત્તાધીશ ટોળકી બોઝ માટે " જાણે લાલ જાજમ પાથરીને સ્વાગત કરવા તૈયાર હોય! બોઝ જર્મની પહોંચ્યા પછી.....It took Bose one year of waiting to even get a meeting with Hitler. Hitler operational advice, his decision was to pack BOSE off in a German U -Boat to Japan. And ask Bose to raise army there.

છેલ્લું ઐતીહાસીક સત્ય– બોઝની હિંદીરાષ્ટ્રફોજ (આઇએનએ) બ્રીટિશ ભારતીય(સાવરકરવાળી હિંદુફોજ) લશ્કર સામે યુધ્ધમાં સિંગાપુર–કોહીમામાં સામ સામી આવી ગઇ ત્યારે ભારતીય બ્રીટિશ લશ્કરે બોઝની ફોજનો સંપુર્ણ ભુકકો બોલાવી દીધો હતો. બોઝની ફોજને જીવલેણ શિકસ્ત ખાવી પડી હતી. પેલા સાવરકરની કંઠી બાંધીને ગોરા લશ્કરમાં જોડાયેલ કોઇની ભાળ બોઝના આઇએનએના લશ્કરી અધિકારીઓન  મળી જ નહી.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––

ભાગ–૪ તૈયાર કરુ કે નહી તે મારા ફેસબુકના વાંચકોના અભિપ્રાય પર મુલતવી રાખું છું. મને ખબર નથી કે આ લેખમાળાના હજુ કેટલા ભાગ થશે.

 



--