Monday, November 27, 2023

જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?

તમને ખબર છે  જ્યોતિષ વિદ્યા એક બેવકૂફ બનાવવાનો અને બેવકૂફ બનવાનો સંગઠિત ધંધો છે?કેવી રીતે?
 આ વીડિયો ધૃવ રાઠીએ તૈયાર કરેલ છે.(એ) જ્યોતિષ શાસ્ત્ર અથવા ફલજ્યોતિષ (Astrology not astronomy)લોકોને છેતરવા સિવાયનો બીજો કોઈ ધંધો નથી. (બ) જ્યોતિષઓની 100 ભવિષ્યવાણી  ખોટી પડે  પણ એક સાચી પડે તો તેને ગાઈવગાડીને જ્યોતિષ સાચું  છે તેવો દાવો કરવામાં આવે છે.(ક) ઇન્ડિયન એબીપી ન્યુઝ ચેનલે 10મી નવેમ્બર 2022નારોજ  ઈગ્લેંડ વિ ઇન્ડિયા ટવેન્ટી 20 સેમિફાઇનલમાં કોણ જીતશે? 11 જ્યોતિષ વિદોના અભિપ્રાય ટેપરેકોર્ડ કરેલ છે.(ડ) ક્વોવિદ 19 સમયે  બેજન દારૂવાલા જેવા જ્યોતિષથી માંડીને અન્ય જ્યોતિષીઓએ કેટલા સમયમાં આ ચેપી વાયરસ નાબૂદ થઈ જશે તેની ભવિષ્ણ વાણી આપણી સમક્ષ રજૂ કરી છે.(ઈ)પશ્ચિમી જગતના ભવિષ્યવેત્તાઓએ ક્યારે, કયા  દિવસે  આ વિશ્વનો નાશ  થઈ જશે તેવી આગાહી ખોટી પડવાના પુરાવા આપ્યા છે.(ફ) કેવા હકારાત્મક ને દ્વીર્રથી વાક્યો બોલીને તમને સંતોષ આપે છે તેના પુરાવા પણ આપ્યા છે.(જી) ભારતીય વૈજ્ઞાનિક અને નોબેલ વિજેતા ડૉ વેંકટરામન આર કૃષ્ણને  જ્યોતિષ વિદ્યા અંગે એક  તારણ કાઢેલ છે કે " અવકાશી તારાઓ અને ગ્રહો ની ગતિથી માનવના નસીબને અસર કરે છે તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળતો નથી."
ધૃવ રાઠીની તર્કબદ્ધ દલીલોને માણવી અને સમજવાનો આનંદ અનેરો છે. મારી એકજ વિનંતી છે કે " હું તમને બધાને  જે વીડિયોની લિંક આ સાથે મોકલું છું  તેને સાંભળતી વેળા બેઠેલી ખુરશી પરથી ગબડી ન પડાય  તેવી વ્યવસ્થા પેદા કર્યા પછી વિડીયો સાંભળવાનું ચાલુ કરજો.
https://www.youtube.com/watch?v=9F1SooqB6zs





--