Tuesday, November 24, 2020

શું દેશની સર્વોચ્ચ અદાલત ઝડપથી ન્યાયિક અરાજકતા તરફ ધકેલા રહી છે?

શું દેશની સર્વોચ્ચ અદાલત ઝડપથી ન્યાયિક અરાજકતા ( Judicial Barbarism) તરફ ધકેલાઇ રહી છે?

–પ્રતાપ ભાનુ મહેતા, વાઇસ ચાન્સેલર અશોકા યુની. દીલ્હી અને સહાયક તંત્રી ઇન્ડીન એકપ્રેસ.

દેશની સર્વોચ્ચ અદાલત ક્યારેય ખામી મુક્ત ન હતી  પરંતુ હવે તો તે ઝડપથી ન્યાયિક અરાજકતા તરફ ધકેલાઇ રહી છે. આવો આક્ષેપ મારો કોઇ એકલ દોકલ ન્યાયાધીશ માટે કે કોઇ વ્યક્તીગત કેસ માટે, કે પ્રસંગ માટે નથી. પરંતુ હવે તો વ્યવસ્થિત રીતે  સમગ્ર સર્વોચ્ચ અદાલતની કોર્ટને મુળમાંથી જ લુણો લાગ્યો છે.

મારા મત મુજબ અરનબ ગોસ્વામીને જામીન આપીને કશું ખોટું કર્યુ નથી, પરંતુ જ્યારે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયાધીશ એસ. એ. બોબડે એમ જાહરે કરે  હવે આ કોર્ટ ,દેશના નાગરિકને આર્ટીકલ

૩૨ મુજબ મળેલા મુળભુત અધિકારના હક્ક મુજબ દાદ માંગવાના અધિકારનું નિયંત્રણ કરશે ત્યારે આ સંસ્થા કઇ દિશામાં જઇ રહી છે  તેના વિષે હવે કોઇએ ભ્રમમાં રહેવાની જરૂર નથી. બંધારણ સભા સમક્ષ જ્યારે આ અધિકાર અંગે ચર્ચા થતી હતી ત્યારે બાબા સાહેબ આંબેડકરે સદર અધિકારને બંધારણના આત્મા તરીકે બિરાવ્યો હતો. (The soul of the Indian constitution)

મહાન  અંગ્રેજ નાટયકાર શેક્સપીયરે તેના સુપ્રસિધ્ધ નાટક 'મેકબેથ' માં એક પાત્રના મોઢે બોલાવે છે " આવતીકાલે જે થવાનું છે તેની આ ભવિષ્યવાણી છે." (Coming events cast the shadows)

 વધુમાં રાજ્યશાસ્રમાં એક જાણીતી કહેવત છે કે " લોકશાહી જંગલીયાત ન્યાયિક જંગલીયાતપણામાંથી પોષણ મેળવે છે." ( Democratic barbarism is often sustained by a judicial barbarism.) સૌ પ્રથમ ન્યાયિક નિર્ણયની પ્રક્રીયામાં વ્યક્તીગત મરજીયાતપણુ પ્રવેશ કરે છે. કાયદાનું અર્થઘટન, કાયદાના શાસન કે બંધારણીય વિભાવનાઓને બદલે  વ્યક્તિગત ન્યાયાધીશના મરજીયાત ધુન કે તરંગો પર(Arbitrary whims) આધાર રાખે છે.પરિણામ સ્વરૂપે કાયદો અભિવ્યક્તીના સ્વાતંત્રયને દબાવવાનું ખતરનાક હથીયાર બની જાય છે. અથવા જુલ્મ કરનારાઓના જુલ્મમાં મદદ કરે છે.( The law becomes an instrument of oppression; or, at the very least, it aids and abets oppression.)

 ખાસ કરીને બંધારણીય મુલ્યો અને હક્કોના કેસોમાં કે નાગરીક અધિકારો અને સરકાર સામે વિરોધી અવાજ ઉઠાવનારાઓ સામે વર્તમાન સરકારની તરફેણમાં ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતે પોતાનો આગવો રાજદ્રોહનો ખ્યાલ પેદા કર્યો છે.(The court also becomes excessively concerned with its version of lese majesty રાજદ્રોહ)

પેલા મધ્યયુગી પવીત્ર રાજાની માફક કોર્ટની ટીકા ન થાય કે તેની ઠેકડી પણ ન ઉડાવાય. નામદાર અદાલત તેની પ્રમાણીક પ્રતિબધ્ધતાથી નહી પણ અવમાનના અંગે મળેલી સત્તાને કારણે સલામત હોય છે. આ તો ગંભીર સ્વરૂપની બર્બરતા કે જંગલીયાતપણુ કહેવાય.( And, finally, there is barbarism in a much deeper sense.)

આવું ક્યારે બને છે? જ્યારે રાજ્ય પોતે જ પોતાના સમગ્ર નાગરીકોમાંથી કોઇ એક નાગરીકોના પસંદ કરેલા જુથને લોકોના કે તેથી દેશના દુશ્મન હોય તેવો વ્યવહાર તેમની સાથે કરે છે. રાજકારણનો હેતુ તમામ ને સમાન ન્યાય વાળો ખ્યાલ જ મરી પરવાર્યો છે. સમાજને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવે છે. એક જુલ્મી અને બીજો જુલ્મનો ભોગ બનનાર. સત્તાધીશ જુલ્મીને ન્યાયતંત્રમાં હમેશાં પોતાના પક્ષનો કાયમી વિજય થાય તેમાં જ રસ હોય ને!

સર્વોચ્ચ અદાલત કેવી રીતે દેશને ન્યાયિક અરાજકતા તરફ ઢસેડી જાય છે તેનો અભ્યાસ કરીએ.

(૧) ભાજપે પસાર કરેલો અને બધા રાજકીય પક્ષોએ  ટેકો આપેલો ' ઇલેક્શન બોન્ડ' નો કેસ જોઇએ. લોકશાહીને એક સંસ્થા તરીકે પોતાની પ્રતીબધ્ધતા ટકાવી રાખવા  સદર કેસનું સમયસરનું 'હીયરીંગ' ખુબજ જરૂરી હતું. ઇલેક્શન બોન્ડ દ્રારા સૌથી વધારે નાણાં ચુંટણી લડવા માટે ભાજપને મળેલ છે. કોણે આટલા બધા નાણાં કરોડો રૂપીયામાં ઇલે–બોન્ડ મારફતે  બીજેપીને આપ્યાં છે તેની માહિતી કાયદા દ્રારા જ ન મલે તેવી વ્યવ્સ્થા આ બોન્ડના કાયદામાં કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટ તે કેસનું 'હીયરીંગ કરતી નથી?

(૨) કોને જામીન આપવા કે નહી તેનો નિર્ણય સર્વોચ્ચ અદલાત તથા અન્ય રાજ્યોની હાઇકોર્ટસે નવા મરજીયાત માપદંડો નક્કી કર્યા છે. હવે દરેક જેલમાં સબડતા કાચાકામના કેદીને(undertrial) સારી રીતે ખબર છે કે દેશની વર્તમાન ન્યાયિક પ્રણાલિકામાં જામીન મલવા તે નસીબની બલીહારી કહેવાય! કાયદા કે ન્યાયની નહી.

(૩) સુધા ભારદ્વાજ જેવા દેશભક્ત અને આનંદ તેલતુમબ્લે જેવા વિચારકને આ દેશના ન્યાયતંત્રમાં જામીન મલતા નથી તેવો સમય આવ્યો છે. ઉમર ખાલીદને એકાંતવાસની કોટડીમાંથી બહારનો પ્રકાશ કે અજવાળુ જોવાની ક્ષુલલક છુટ આપવામાં આવી છે. પરંતુ બીજા ઘણા બધા યુવાનો જેમણે  સીએએ કાનુન વિરોધ કર્યો હતો તે બધાનું ભાવિ હાલને તબક્કે પુરેપુરુ અચોકકસ બની ગયું છે.

(૪) એંસી વર્ષના એક બુઝર્ગ કર્મનીષ્ઠ જેઓ પાર્કીનસન રોગના દર્દી છે તેને સુવા માટે સુકા ઘાસની પથારી પણ આપવામાં આવી નથી. આ કેસને કોર્ટ પોતાની અનુકુળતાએ બોર્ડ પર લાવીને ક્યારે સાંભળશે! આનાથી વધારે  નફ્ફ્ટ ઘાતકીપણાનો દાખલો બીજો કોઇ મેં જોયો નથી. તમે સાંભળયો છે ખરો ? ( An 80-year-old social activist who is suffering from Parkinson's was denied a straw, and the court will do a hearing in its own time. One can't think of a more visible manifestation of sheer cruelty)

(૫) સેંકડો કાશ્મીરીઓને ઓગસ્ટ ૨૦૧૯થી કોઇપણ જાતના કેસ કે પુરાવા વિના અટકાયત કરેલ છે. હેબીયસ કોર્પસની કાયદાકીય સવલત હોવા છતાં  તે બધાને અટકાયતમાં રાખવામાં આવ્યા છે.(Hundreds of Kashmiris were detained without habeas corpus redress.)

આ બધા જણાવેલા કેસો કોઇ એકલદોકલ ન્યાયિક કાર્યક્ષેત્રની બેદરકારીનું પરિણામ નથી.આ બધા કેસો ખરેખર વર્તમાન રાજકારણનું સર્જન છે. જે રાજકીય વિરોધ, અસંમતિ, વિચારભેદ કે સત્તાપક્ષથી જુદા અભિવ્યકતીના સ્વાતંત્રયને ફક્ત અને ફક્ત સંભવિત રાજ્યના દુશ્મન તરીકેના ત્રિપાર્શ્ર્વ કાચમાંથી જુએ છે.  કાયદા મુજબ દેશના તે બધા સમાન નાગરિકો નથી. ઘણા કેસોમાં આ બધા લોકોને ન્યાયિક તપાસ વિના ઇરાદાપુર્વક રાજ્યને (સરકારને) ઉથલાવનારા તરીકે જાહેર કરીને તેમને જેલમાં પુરી દેવામાં આવે છે.હવે સત્તાધીશ સરકારને ન્યાયિક સત્તા ની મદદ મલી ગઇ છે. જે કામ દેશની કેન્દ્ર સરકાર કરી રહી હતી તે કામનું પુનરાવર્તન રાજ્ય સરકારો પોતાના રાજ્યોમાં રાજકીય વિરોધોને દબાવી દેવામાં કરી રહી છે.

શરૂઆતને તબક્કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો અભિવ્યક્તીના સ્વાતંત્રય જેવા મુદ્દે પોતાના વિરોધીઓ સામે ખફા હતું તે ક્રમશ; રાજ્યસત્તાને પોતાની વૈચારિક વિચારસરણીનો આધાર બનાવવા માંડયું છે.દા;ત એક પછી એક ભાજપ શાસિત રાજયો 'લવજેહાદ'ની વિરૂધ્ધ પોતાના રાજ્યોંમાં કાયદો કરવા કટીબધ્ધ થવા માંડયા છે. જાણે કે એક આખો લઘુમતી સમાજને દગાબાજ, કાવતરાખોર હોય તેમ બનાવી દીધો. હવે જુઓ ન્યાયતંત્ર કેવી રીતે સ્વતંત્રતાના મુલ્ય પર રાજય સત્તાને કાયદેસર રીતે મદદ કરે છે.(watch how the judiciary abets in legitimising this newest assault on liberty.) દેશની સર્વોચ્ચ અદાલતને એવી નબળી બનાવી દેવામાં આવી છે કે તે લોકશાહીના જંગલીયાતને જ ન્યાયિક સ્વરૂપ જ આપી દે.

 તા.ક. આ લેખ ફેસબુક પર મુકતાં પહેલાં સમાચાર મલે છે કે ' અલ્હાબાદ હાઇકોર્ટની ડીવીઝન બેંચે  ચુકાદો આપી દીધો છે કે બે પુખ્ત ઉંમરના વ્યક્તીઓને લગ્નગ્રંથી જોડાવાનો બંધારણીય અધિકાર છે. અને ધર્મની પસંદગી કે ધર્માંતરને કોઇ સંબંધ લગ્ન સાથે નથી. તે વ્યક્તીની અંગત બાબત છે. લવજેહાદને કાયદામાં કોઇ સ્થાન નથી.

 આ સત્તાધીશો સ્પષ્ટ રીતે કટોકટી જાહરે કરતા નથી. પણ જ્યારે જરૂર પડે ત્યારે મન ફાવે તે પ્રમાણે કટોકટીની માફક જ સત્તાનો ઉપયોગ બેલગામ કરી શકે છે. દા;ત અધિકાર ૩૨ને  મલુતવી  કે સશપેંડ રાખવાની જરૂર નથી પણ તે અધિકારનો ઉપયોગ ન થાય તેવું કરી દેવું સરળ છે.( Discourage, rather than suspend, the use of Article 32.) આ સંઘર્ષનો અંત સરળ રીતે આવવાનો નથી. આ બધા ન્યાયિક જંગલીયાતના પ્રવાહો ચાલુ જ રહેવાના છે.

સુપ્રીમ કોર્ટના ગણયાગાંઠયા વકીલો જેવા કે દુશ્યંત દવે, ગૌતમ ભાટિયા, શ્રીરામ પાંચુ વિ. સર્વોચ્ચ અદાલતને લાગેલા લુણા કે સડાને  જે છે તે રીતે હિંમતથી જાહેર કરે છે. પણ તેનો અર્થ એ નથી કે તે બધાના વિરોધી સુરોએ કોર્ટ તેમજ રાજકીય આંકાઓને પીછેહઠ( into a serious professional pushback) કરાવી હોય. કદાચ તમને બધાને લાગે કે  આ તો બધુ અશીષ્ટ, અસહજ કે અસંસ્કારી લાગે.પણ મારા મત મુજબ તો દેશનું ન્યાયતંત્ર સને ૧૯૩૦થી ૧૯૪૦ સુધીના જર્મનીના હિટલર સંચાલીત વેમાર ન્યાયતંત્ર ( Weimar Judiciary) તરફ ઝડપ થી ઢસડાઇ રહ્યું છે. સંસ્કારીતા, તે સામાન્ય નાગરીકો માટેનો વિકલ્પ નથી.

 ( સૌ પ્રતાપ ભાનુ મહેતા– ઇન્ડીયન એકપ્રેસ તા.૧૮–૧૧–૨૦ ના લેખનો ભાવાનુવાદ.)

 

Top of Form

Bottom of Form

 

 

 

 



--

Thursday, November 19, 2020

ક્યાં રાજા ભોજઅને ક્યાં ....


સૌ પ્રથમ સૌ ફેસબુકના મિત્રોને વર્ષ દરમ્યાન આપેલા સહકાર માટે ખુબજ આભાર. નુતન વર્ષાભિનંદન.

કયાં રાજા ભોજ અને કયાં.....

આપણા દેશના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.સંસદમાં વડાપ્રધાન અને અન્ય પ્રધાનોના નિવેદનોમાં વિરોધાભાસ જણાય છે.વિરોધપક્ષોના આગ્રહ છતાં સંસદમાં તેના પર ચર્ચા થતી નથી અને જો કોઈ સવાલ ઉઠાવે તો તેને પાકિસ્તાન જવાની સલાહ અપાય છે અથવા દેશદ્રોહીની ઉપાધિથી નવાજવામાં આવે છે.

 

કેટલાક વખતથી સત્તા પક્ષ તરફથી સરદારનું ગૌરવ વધારવાના અને નેહરુનું ગૌરવ હણવાના યોજનાપૂર્વક પ્રયાસો થાય છે.નેહરુ દમદમસાહ્યબી છોડીને 9 વર્ષ જેલમાં રહેલા.જેલમાં બેઠા બેઠા ગુગલની મદદ વિના 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' જેવું દળદાર પુસ્તક લખ્યું છે,જે ભારતની સંસ્કૃતિ અને ભારતીય લોકોનો મિજાજ સમજવા માટે અઢળક સામગ્રી પૂરી પાડે છે.નેહરુ લોકશાહીના સમર્થક જ નહીં, ચાહક પણ હતા.વિરોધપક્ષોનો અવાજ દબાવવા ક્યારેય પ્રયાસ તેમણે કર્યો નથી.પોતાના વિરોધ કરનારાઓને ત્યાં સી.બી.આઈ કે આવકવેરાના દરોડા પડાવ્યા નથી.ઉલટું તેમને સન્માન્યાછે.સંસદનાગૃહમાંપુરો સમય હાજર રહેતા.1962માં ભારતની સરહદે ચીને કરેલ આક્રમણ બદલ તેમની સામે ઘણો રોષ પ્રગટ થયો હતો.તેમના માથે માછલાં ધોવાયા હતા. 16 ઓગસ્ટ થી 12 ડિસે. 1962 નેહરુએ વિદેશ ખાતાનો હવાલો પણ સંભાળેલ હતો.તેમણે ચીન આક્રમણ પર થયેલ ચર્ચામાં સંસદમાં 32 વખત નિવેદન કરેલ હતા.ભારત-ચીન સરહદ વિવાદ અંગે તેઓ 1.04 લાખ શબ્દો બોલ્યા હતા. એટલે છાપેલા 200 પાનાં જેટલું તેનું કદ થાય.

 

નેહરુએ સંસદમાં એવી ક્યારેય દલીલ કરી ન હતી ભારત-ચીન સરહદ પર ચર્ચા થવાથી યુધ્ધના પ્રયાસોમાં બાધા ઉત્પન્ન થશે.20 ઓક્ટો. 1962 ચીને આક્રમણ કર્યું.સંસદમાં 12 થી 14 નવે.1962ના દિવસોમાં આ મુદ્દે થયેલ ચર્ચા દરમિયાન 165 સભ્યોએ નેહરુની સખત ટીકા કરી હતી. વિરોધપક્ષનાસભ્યોએ લશ્કરી તૈયારીના અભાવના મુદ્દે નેહરુ સરકારનો રીતસર ઉધડો લીધો હતો.નેહરુ આ પુરા સમય દરમિયાન હાજર રહ્યા હતા.તેમણે સંસદને વારંવાર ખાતરી આપી હતી કે તેઓ સંસદ સમક્ષ ઝીણામાં ઝીણી માહિતી રજૂ કરશે અને સંરક્ષણના નામે કોઈ માહિતી છુપાવશે કે અટકાવશેનહીં.વર્તમાનસંસદની કામગીરી તરફ નજર નાખીએ તો સંસદના શિયાળુ સત્ર દરમ્યાન વિરોધપક્ષોએ લદાખ સરહદે થયેલ અથડામણ મુદ્દે ચર્ચા કરવાની ઉઠાવેલ માગણીનો સરકારે વિરોધ કર્યો હતો. વડાપ્રધાન કે વિદેશ પ્રધાન બેમાંથી કોઈ ગૃહ સમક્ષ હાજર પણ ન થયા.પરિણામે આ વિવાદ સંબંધમાં માત્ર સંરક્ષણ પ્રધાનનું નિવેદન જ એક તરફી રજૂ થયું. તે સમયે  નહેરુની સંસદમાં હેમ બરૂઆ,નાથપાઈ,અટલ બિહારી બાજપેયી, એન.જી.રંગા, બલરાજમધોક, એચ.વી.કામથ, આચાર્ય કૃપલાની,ફ્રેન્કએંથની,મહેન્દ્રપ્રતાપસિંહ,મણીરામબાગરી અને મહાવીર ત્યાગી જેવા મહારથીઓ વિરોધ પક્ષે હતા.તે સમયે તેમને સંસદમાં યુધ્ધની તૈયારી અને વિદેશી સરકારો સાથેની વાતચીતની પ્રગતિની વિગતો અપાતી હતી.

 

ચીનનેયુનોમાં પ્રવેશ આપવાના મુદ્દે ભારતે આપેલ ટેકા સંબંધમાં લોકસભામાં તારીખ 8 નવેમ્બર 1962ના રોજ વિરોધ પક્ષની સખત ટીકાનોનેહરુ ભોગ બન્યા હતા. ટીકાના જવાબમાં નેહરુએ જણાવ્યું "આ આપણા ગમા-અણગમાનો પ્રશ્ન નથી.ચીનના યુનો પ્રવેશથી ચીની આક્રમણ પ્રશ્ન સુલ્ઝાવવામાં અને તેનું ગેરવર્તન રોકવામાં આપણને મદદ થશે." પી.કે.દેવ નામના સંસદસભ્યે ખાત્રી માગી કે ચીની આક્રમણ અટકે નહિ ત્યાં સુધી ચીન સાથે કોઈ મંત્રણા નહીં થાય.નેહરુએ જણાવ્યું પ્રથમ તો ગૃહને માહિતગાર કર્યા સિવાય કોઈ પગલું ભરવામાં આવશે નહીં. બીજું એ બાબતે આપણે બધા સંમત થવા જોઈએ કે દેશના ગૌરવને હાનિ થાય તેવું નાનું કૃત્ય પણ થવું જોઈએ નહીં.બાકીની બાબતોમાં કાર્ય કરવાનું સ્વાતંત્ર મને મળવું જોઈએ.લોકસભામાં ચર્ચા દરમિયાન સભ્યોએપંચવર્ષીય યોજના રદ કરી તેના સંસાધનો યુધ્ધની તૈયારીમાં લગાવવા આગ્રહ કર્યો હતો.નેહરૂએ કહ્યું "જો તમામ ઇજનેરોને હું લદાખ મોકલી આપું,તો તેઓ ત્યાં શું કરશે ? જો આપણે પંચવર્ષીય યોજના રદ કરીશું તો તે ચીનને શરણાગતિ થશે." વર્તમાનમાં વડાપ્રધાનેપંચવર્ષીય યોજના રદ કરેલ છે અને તેના કારણે વિકાસ દર ઘટ્યો છે.

 

નેહરુ માત્ર ચીની આક્રમણ પ્રશ્ને નહીં,POK પરત લેવાની નિષ્ક્રિયતાનામુદ્દે પણ સંસદનારોષનો ભોગ બન્યા હતા.તે સમયે તેમણે એક ઓછા જાણીતા પ્રસંગનો લોકસભામાં ઉલ્લેખ કર્યો હતો.તેમણેસભ્યોને 14 ઓગસ્ટ 1961ના રોજ જણાવ્યું કે પાકિસ્તાનની આક્રમણખોરો એ લદાખ જવાના રસ્તે ઝોલી લા પાસ ભાગ 1948-'49માં કબજે કરી લીધો છે.તેમણે કહ્યું કે આપણું લશ્કર ટેંકો સાથે ત્યાં ધસી ગયું અને તેમને ત્યાંથી હાંકી કાઢયા છે.

 

નેહરુએ તારીખ 3 મે 1962ના રોજ રાજ્યસભા સમક્ષ જાહેર કરેલ કે ચીની સરહદ વિવાદ મુદ્દે પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાનનું સમર્થન મેળવવા તેમણે અચાનક 1960ના અંત ભાગમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે આપણે ભલે મતભેદ હોય,પરંતુ ચીન સાથે સરહદ મુદ્દે બંને પડોશી દેશો સન્માન નીતિ ધરાવે તે જરૂરી છે.નેહરુએ રાજ્યસભામાં આ હકીકત જાહેર કર્યા બાદ બીજા જ દિવસે ચીનથી સમાચાર આવ્યા કે તેઓ સરહદ વિવાદ મુદ્દે મંત્રણા માટે તૈયાર છે.

 

સંસદીય કાર્યવાહીના છેલ્લા 60 વર્ષો તરફ નજર નાખીએ તો જણાશે કે સંસદીય કાર્યવાહી કેટલી અર્થપૂર્ણ અને જીવંત હતી.ચર્ચાઓ લાંબી અને સળંગ થતી હતી.સરકાર ઉતાવળથી ખરડાઓ પસાર કરાવતી ન હતી.નેહરુ પુરા સમય ગૃહમાં હાજરી આપતા હતા.વર્તમાનમાંસંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન પ્રથમ અને છેલ્લા દિવસે જ ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા.  ભાવાનુવાદક– પ્રો. અશ્વીન કારીઆ.

 

(માહિતી સ્ત્રોત : પી.રમણ નો તા. 14 નવે. 2020ના Indian Express માં પ્રગટ થયેલ લેખ)

તિખારો– વર્તમાન સત્તાપક્ષના રાજકીય નેતાઓનો સંસદીય લોકશાહી પ્રથા અને લોકશાહીના પાયાના મુલ્યો જેવાકે સ્વતંત્રતા, સમાનતા,બંધુત્વ અને ધર્મનીરપેક્ષતા વગેરે માટે  કેટલી વાસ્તવિક નીષ્ઠા કે પ્રતીબધ્ધતા છે તે જાણવા માટે  તે બધાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તાતી જરૂર છે તેવું તમને નથી લાગતું? નાર્કો ટેસ્ટમાં વ્યક્તિ જે જાગુત અવસ્થામાં જે વિચારો, મુલ્યો, અંગે દંભ કરી શકે અથવા તે અંગે ' કહેણી અને કરણી જુદી હોય તેવું આ ટેસ્ટમાં બતાવી શકતો નથી. તેનાથી ઇચ્છા હોય તો પણ આ ટેસ્ટમાં છુપાવી શકાતું નથી.સિવાય કે ટેસ્ટ કરનાર પોતે  ભ્રષ્ટ ન હોય! (પ્રેષક બીપીન શ્રોફ)


--

Friday, November 6, 2020

Directing voting v/s Mailbox voting.


ચુંટણીના દિવસે મતદાન અને  ટપાલ પેટી દ્રારા મતદાનની શુધ્ધતા, પારદર્શકતા (Transparency)      

અમેરીકામાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખની ચુંટણીમાં  દેશના દસ કરોડ નાગરીકોએ  ટપાલ પેટી દ્રારા ( મેઇલ બોક્ષ) મતદાન કર્યું છે. આ પ્રકારનું મતદાન થઇ શકે છે કે તે માટે અમેરીકાની કોર્ટે પરવાનગી આપેલી હતી. તેથી ચુંટણી તંત્રે તે પ્રકારની સુઆયોજીત વ્યવસ્થા કરી હતી. બીજું કે મેઇલ બોક્ષ દ્રારા મોકલેલો દરેક મત, જે કોઇ મતદારે આપ્યો છે તેનું આ મતપત્રવાળું ટપાલ કવર  સુઆયોજીત નકકી કરેલ ચુંટણી ઓફીસમાં પહોંચ્યું છે કે નહી તે પોતાને ઘરેથી ઇન્ટરનેટની મદદથી સરતળાથી તપાસી શકે છે. લાખો અમેરીકન મતદારોએ ( કદાચ ફક્ત વર્તમાન રાષ્ટ્રપ્રમુખ સિવાય) પોતાના મોબાઇલ પરથી પોતે મોકલેલો મેઇલબોક્ષનો મત મતગણતરીની સક્ષમ ઓફીસે પહોંચ્યો છે કે નહી તેની પારદર્શકતા તપાસેલી છે. આજદિનસુધી આ મુદ્દે કોઇ રાજકીય પક્ષોએ  તેમાં લેશમાત્ર ગેરરીતી દેખાઇ કે જોઇ નથી.

પ્રમુખ ટ્રમ્પને અહેસાસ થઇ ગયો છે કે તા. ત્રણ નવેંબરમાં સીધા મતદાન વાળી ચુંટણીમાં હું જીતી ગયો છં પણ આ મેઇલબોક્ષ દ્રારા જે મતો ગણાશે તે મને હરાવી દેશે. તેથી તેઓએ ઘણા અયોગ્ય શબ્દો અને મેઇલબોક્ષ દ્રારા ગણાતી મતગણતરીની કાયદેસરતા અંગે કોર્ટમાં જવાના પ્રયત્નો કરેલા છે. જે સફળ થયા નથી.


--

Tuesday, November 3, 2020

Supreme court on Sedition act


 

ભારતને સ્વતંત્ર દેશ રહેવા દો ! સરકાર કે તેના નેતાઓની ટીકાઓને (  Let India remain a free country. Don't treat criticism as crime) ગુનો ગણાય નહી. સર્વોચ્ચ અદાલતનો સંદેશો.

 

() વિદેશી શાસનની ધુંસરીને ફગાવીને  આઝાદ બનેલા દેશના નાગરીકોના અભિવ્યક્તી સ્વાતંત્રયને  રૂધવાનો પ્રયાસ અને પ્રવૃત્તીઓ જે તે સરકારો માટે આત્મઘાતી નીવડે છે. ટા ઓફ ના સુવાક્યનો ભાવાનુવાદ.

() "You want freedom of speech, we will teach you a lesson"  શું તારે અભિવ્યક્તિની સ્વતંત્રતા જોઇએ છીએ, અમે તને બરાબર પાઠ ભણાવીછું. વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો અને તેના પોલીસતંત્રની માનસીકતા. સર્વોચ્ચ અદાલતનું નિરિક્ષણ.

() દેશની સર્વોચ્ચ અદાલતે  જુદા જુદા શહેરોમાં પોલીસ અને સત્તાધારીઓની મીલીભગતને કારણે  આઇપીસી ની કલમ ૧૨૪ (રાજદ્રોહ કે સરકાર સામે બળવો) નો બેફામ ઉપયોગ કરવા માંડયો છે તેની સામે સર્વોચ્ચ અદાલતે સખત પાઠ ભણાવતો સંદેશો ( Chilling Message)  જાહેર કર્યો છે.  કોઇ દીલ્હીના બહેને (સ્રી)  પોતાની ફેસબુકપર કોઇ પોસ્ટ લખી હશે. તેને કોલકત્તાની પોલીસને વાંધાજનક લાગવાથી પોલીસ દીલ્હીમાં આવીને  તેણીની સામે એફ આઇ આર દાખલ કરી.

 બહુ રંજ સાથે સર્વોચ્ચ અદાલતે  આગળ જણાવ્યું છે  કે  દેશની આઝાદી માટે સંઘર્ષ કરતા આપણા સ્વતંત્રતાના લડવૈયાઓએ (Freedom Fighters) તથા બંધારણના સર્જકોના મનમાં સ્વપ્ને પણ એવો ખ્યાલ હતો કે સરકારી નીતીરીતીઓ સામે અભિવ્યક્તીની આઝાદી વ્યક્ત કર્તા નાગરીકોને  પ્રજાના મતોથી  ચુંટાયેલા સત્તાધારીઓ  પાઠ ભણાવવા રાજ્યના દંડાનો ઉપયોગ રાજ્યદ્રોહની કલમ દ્ર્રારા કરશે. બધી સરકારોએ તો રાજકીય વિરોધીઓ તથા કર્મનીષ્ઠો સામે  IPC, NSA, UAPA ના ખુબજ મોટાપ્રમાણમાં કેસો દાખલ કરી દીધા છે. જે બીલકુલ દેશને અવળેરસ્તે દોરનારુ ( Misguided ) અને મુર્ખતા ભરેલું  કૃત્ય છે.

કેસમાં સર્વોચ્ચ અદાલત જણાવે છે કે  દીલ્હીની બહેને પોતાની સોસીઅલ મીડીયાની સાઇટ પર એટલું પોસ્ટ કર્યું હતું કે પશ્ચીમ બંગાળની સરકારે કોલકત્તાની કોમને લોકડાઉનના નિયમોનું  તે પાલન  કરતી  હતી તેમ છતાં સરકાર પગલાં લેતી નથી. બોલો કેટલો મોટો ફોજદારી ગુનો બહેને કરી દીધો. જેથી ત્યાંની પોલિસને દીલ્હીમાં આવીને બેન સામે  એફ આઇ આર દાખલ કરવી પડી. શું દેશના નાગરીકો આવી ટીકા પણ સરકારોની ના કરી શકે!

 તાજેતરમાં .પ્રદેશના મુખ્યમંત્રી ' લવ જેહાદ' કાયદાની વિરૂધ્ધ વર્તનાર માટે પ્રેસમાં એવું રીલીઝ કર્યું છે ' તેનું રામ નામ સત્ય છે ' કરી નાંખીશું.

ઉત્તરાખંડની હાઇકોર્ટે એક પ્રત્રકારે તે રાજ્યના મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો , તેના પર રાજ્યદ્રોહનો આરોપ મુકેલ હતો, તે  કેસની સુનવણી કરતાં જે નિરિક્ષણો કોર્ટે કર્યા છે તે નીચે મુજબ છે.

 જ્યાંસુધી જાહેર પ્રજાના વહીવટકર્તઓના કાર્યોની ટીકાઓ થાય, તેમના નીતિવિષયક પગલાંનું મુલ્યાંકન થાય ત્યાં સુધી લોકશાહી મજબુત થાય. જો રાજ્યકર્તાઓ દેશદ્રોહના કાયદાની (૧૨૪) મદદ લઇને પોતાની સામેના વિરોધને દબાવી દે તે લોકશાહીનું પોતા નબળુ પડી જશે. સરકારની ટીકા કરવી તે ક્યારેય રાજ્યદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ બની શકે નહી.(" Criticsing the government can never be sedition.")

 દેશ માટે સમય આવી ગયો છે કે બ્રીટીશ ગુલામીના વારસા તરીકે નો  રાજયદ્રોહનો કાયદો  બંધારેણે બક્ષેલી સ્વતંત્રતાની વિરૂધ્ધનો હોવાથી  તેને ફગાવી દેવામાં આવે. ખુદ બ્રીટને પોતે રાજ્યદ્રોહના કાયદાને પોતાના દેશમાંથી ઘણા સમયથી રદ બાતલ કરેલ છે. નાગરીક સ્વાતંત્ર્ય વિરોધનો કાયદો કોના હિતોને સાચવવા અને સંવર્ધન કરવા ચાલુ રાખવામાં આવે છે.? મોદી સરકાર પાસે તો સંસદના બે ગૃહોમાં તે પસાર કરવા સ્પષ્ટ બહુમતી તો છે !

( સૌ. . એકસપ્રેસ તંત્રી લેખ તા ૩૦૧૦૨૦નો મુક્ત ભાવાનુવાદ)


--