Friday, October 30, 2020

વીશ્વભરના તમામ ધાર્મીક અને રાજકીય અસહીષ્ણુવાદીઓને સાર સપ્રેમ રજુ–

વીશ્વભરના તમામ ધાર્મીક અને રાજકીય અસહીષ્ણુવાદીઓને સાદર સપ્રેમ રજુ–       

" તમે જે વાત લખો છો, બોલો છો  કે અન્ય કોઇ રીતે રજુ કરો છો તેની સાથે હું સમંત થતો નથી ;

પણ તમને તમારી વાત રજુ કરવાના અધિકારના સંરક્ષણ માટે હું મારા મૃત્યુ સુધી ઝઝુમીશ." ફ્રેન્ચ તત્વજ્ઞાની વોલ્તેર ( 1694-1778).       

" I do not agree with what you have to say, but I will defend to the death your right to say it." Voltaire.

આ વાક્યનો પાયાનો ખ્યાલ સ્પષ્ટ છે. વૈચારીક મતભેદ ને કારણે અસંમતી દર્શાવવા કોઇનું ખુન ન થઇ શકે. અથવા તો અસંમતી દર્શાવવા ટોળુ બનાવીને કાયદો હાથમાં લઇને હિંસક બનીને ન્યાય નક્કી કરાય નહી. તમને તમારા મત મુજબ જીવવાનો અધિકાર છે  તેટલો જ હક્ક બીજાને પણ તેના મત મુજબ જીવન જીવવાનો અબાધિત અધિકાર છે. વૈચારીક મતભેદતો તે માનવજાતના જ્ઞાનનું પ્રેરક અને ચાલક બળ છે તે આપણે ન ભુલવું જોઇએ. માનવજાત અને તેના સમાજોએ પોતાના ઉભા કરેલા બંધીયાર પુર્વગ્રહોમાંથી બહાર કાઢવાનું ક્રાંતીકારી બૌધ્ધીક સાધન હોય તો તે  ' શાંતીના માર્ગે મતભેદ રજુ કરવાનો અબાધિત અધિકાર  " Right to Desent".

ફ્રાંસની ક્રાંતીના તમામ બૌધ્ધીક વૈચારીક દોહનનો નીચોડ તેના ત્રણ મુલ્યોમાં સ્પષ્ટ મુકાયેલો છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. આ મુલ્યો આધારીત ક્રાંતી કરવાનું માર્ગદર્શન ફ્રાંસના તત્વજ્ઞાની વોલ્તેરના વિચારો અને કાર્યોમાં રહેલું છે. આજના ફ્રાંસની નગર સંસ્કૃતી તેની નીપજ છે. અને તેમાં તે પ્રજાનું ગૌરવ છે.

પેરીસના નજીકના સબર્બનની સ્કુલમાં એક ઇતિહાસના શીક્ષકે પોતાના અભ્યાસક્રમના ભાગરૂપે એક પોસ્ટ  સોસીઅલ મિડિયા પર મુકી.. જે પોસ્ટને ફક્ત ૧૯–૨૦ વર્ષના વિધ્યાર્થીને પોતાના ધર્મના સ્થાપક વિરૂધ્ધની તેમજ અપમાનજનક  લાગી. તેથી તા. ૧૬મી ઓકટોબરના રોજ  તે વિધ્યાર્થીએ પોતાના શિક્ષકનું ગળું કાપી નાંખ્યું. વીશ્વભરના તમામ મુસ્લીમ દેશો પેલા વિધ્યાર્થીના ટેકામાં  સડક પર ઉતરી આવ્યા. તેની સામે ફ્રાંસની પ્રજા જેને પોતાને ગુસ્સો  વ્યક્ત કરવાનું વ્યાજબી કારણ હતું તે શાંત, અહીંસક અને સહીષ્ણું બનીને પ્રતીકાર કરી રહી છે.

એક બાજુ સાતમી સદીના ઇસ્લામીક મુલ્યોને  પોતાની રીતે સમજીને  પ્રજા અને રાજ્યકર્તોઓ પેલા અસહીષ્ણું કૃત્યની નીંદા કરવાને બદલે બીરદાવે છે, ગાજે છે તેની સામે ફ્રાંસ અને સમગ્ર પશ્ચીમ જગત ફ્રાંસ ક્રાંતીના મુલ્યો અને ત્યાર પછી અસ્તીત્વમાં આવેલા જ્ઞાન–પ્રબોધન યુગના સહીષ્ણુ મુલ્યોને આધારે કાયદા અને જ્ઞાન આધારીત  સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. જુના અસહીષ્ણુ મુલ્યો આધારીત ધાર્મીક પુન;ઉત્થાનની પ્રવૃત્તીઓ અને તેના  માટે રાજ્યસત્તાઓનો ઉપયોગ બિલકુલ અમાનવીય અને ભયંકર જોખમી છે. તેમાંથી મુક્ત થવા માં જ માનવજાતનું વ્યક્તીગત અને સામુહિક શ્રૈય રહેલું છે.


--

Thursday, October 29, 2020

કોવીડ–૧૯ રસીનું વેકસીનમાં પણ બીજેપીનું રાજકારણ

કોવીડ –૧૯ની વેકસીનમાં પણ બીજેપીનું રાજકારણ–

બિહારની ચુંટણીમાં દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું કે ' તમે અમને મત આપો–અમે કોવીડ–૧૯ની રસી તમને મફત આપીશું'

આપણે આ પક્ષના માંધાતઓને પુછી શકીએ ખરા કે સાહેબો ! તમારી પાસે બિહાર રાજ્યનો વહીવટ તો નિતીશકુમાર સાથે ઘણા સમયથી હતો ને? શું કર્યું અત્યાર સુધી  ? નિતીશકુમાર ખુદની પાસે આ રાજ્યનો વહીવટ છેલ્લા ૧૫ વર્ષોથી છે. તમારા બંને પાસે એકની પાસે દેશનું સુકાન અને બીજા પાસે પંદર વર્ષોથી રાજ્યની ધુરી તેમ છતાં રાજ્યના મતદારો પાસે પ્રમાણીક અને લોકશાહી મુલ્યો અધારીત  કોઇ પ્રગતી, વિકાસની વાતોની રજુઆત કરવાની છે જ નહી કે જેથી દેશના નાણાંમંત્રી  મફત કોવીડની રસી સામે મત માંગે છે? આજને તબક્કે તો આ મુદ્દે બિહારની પ્રજાએ નક્કી કરવાનું છે. મારે  તો વાત આ રસીની વહેંચણી બાબતમાં કરવી છે.

મોદી સરકાર અને વડાપ્રધાન પોતે રસીની વહેંચણી એક વ્યક્તીગત પોતાની કોઈ મહાન સિધ્ધી હોય તે રીતે  અત્યારથી આયોજન કરવા માંડશે.  દરેક મતદારના બેંકના ખાતામાં ૧૫ લાખા રૂપીયા વિદેશમાંથી કાળું નાણું લાવીને જમા કરવામાં આવશે, નોટબંધી, જી એસ ટી અને થાલી બજાઉ, દિયા ઔર મશાલ જલાઉ કોરાના ભગાઉ ની માફક   એક મહાન જુમલો કે ' ઇવેટ' તરીકે મસ મોટી રાષ્ટ્રવ્યાપી જાહેરાત કરીને કદાચ રાત્રીનો બાર વાગ્યાનો સમય પસંદ કરીને તેનું પણ આઝાદી પછી કોઇ વડાપ્રધાને ન કર્યું હોય તેવો મહાન કર્મ કાંડ કે ક્રીયા કાંડ કરીને શરૂઆત કરશે.

વેકસીનની વહેંચણીનો સમગ્ર પ્રોજેક્ટ સાહેબ પોતાની પીએમઓ ઓફીસ મુખ્ય  અને કેન્દ્ર સરકાર દ્રારા સંપુર્ણ સંચાલનથી કરશે. આરોગ્ય મંત્રાલયના મંત્રી અને તેઓનું તંત્ર શું કરશે તે પણ સમગ્ર દેશ જોશે!

 ઝેકોસ્લોવેકીયાના એક સમયના પત્રકાર– વીચારક શ્રી ફ્રેન્તીસેક મારકોવીકે એક સરસ વાક્ય લખ્યું છે. "  જ્યારે રાજ્ય તરફથી મળતી મફત સેવા ઓછી પારદર્શક હોય( રાજકીય સત્તા સંચાલીત હોય ) ત્યારે તેનું મુલ્ય ખરેખર મોઘું  તેમજ ઓછું મહત્વનું થઇ જાય છે. કારણકે તે સેવાની  તમામ પ્રકારની ગુણવત્તા ક્રમશ; ઘટતી જતી હોય છે." ( સૌં ટા ઓફ ઇં તા. ૨૪–૧૦–૨૦)

હવે વાસ્તીવક ધરતી પર ઉભા રહીને  કોવીડ રસીના કેટલાક સત્યોને  મેડીકલ જ્ઞાન– વીજ્ઞાન આધારીત  પતાસીએ.

(૧) ભારત દેશની આશરે એક અબજ ને પાંત્રીસ કરોડની વસ્તી, કુલ ત્રીસ કરતાં વધારે રાજ્યો અને કેન્દ્ર્ શાસીત  પ્રદેશોમાં  જે તે રાજ્યોના જીલ્લા, તાલુકા અને ગામડાઓમાં વહેંચાયેલી છે. પચાસ ટકા લેખે ગણીએ તો પણ ૬૦ થી૭૦ કરોડ લોકોને રસી આપાવાનું વિકેન્દ્ર્ત રીતે પેલા ગ્રામ્ય એકમો સુધીનું આયોજન કરવું પડે!

(૨)  કોવીડની રસી કે તમામ વેકસીનો દર્દીને  આપતાં પહેલાંની મેડીકલ વિજ્ઞાનને આધારે અનીવાર્ય પુર્વ શરતો. (અ) વેકસીનને ૨ ડીગ્રી સેન્ટીગ્રેડ થી  ૮ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધીના ઠંડા તાપમાનમાં તેના યોગ્ય પરીણામ માટે રાખવી અનીવાર્ય છે. જે વૈજ્ઞાનીક સત્ય છે. વેકસીન બનાવનાર કુંપનીના ગોડાઉનમાંથી નીકળ્યા બાદ દર્દીના શરીરમાં મુકતા સુધી તેને ઉપર જણાવેલ તાપમાનમાં રાખવી અનિવાર્ય છે. આ શરતને નજર અંદાજ કરવાનું પરીણામ શું આવે? ( બ) દરેક વેકસીન લેનાર દર્દીને  વેક્સીન આપનાર મેડીકલ કર્મચારીએ  વેકસીન  પેલા દર્દીને તેના હાથના કે થાપાના મસ્લસમાં નહી પણ તેની હાથની ચામડીની નીચે મુકવાની ( Subcutaneous level )હોય છે. તેનું જ્ઞાન દેશના આરોગ્ય મંત્રી ડૉ  હર્ષવર્ધનજી ને હોય કે નાણાંમંત્રી નિર્મલા સીતારામનજીને?

(3) મોદી સરકારની સંપુર્ણ કેન્દ્ર્ સંચાલીત વેક્સીનની નીતીથી શું દેશની પ્રજાએ લોકડાઉનમાં જે હાલાકી આર્થીક, સામાજીક અને વ્યક્તીગત ભોગવીને પણ જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે બધું હવે નામશેષ થઇ જશે? બિહાર, તામીલનાડુ,  કર્ણાટક, મધ્યપ્રદેશ વી રાજ્યોએ જાણે વેકસીન મેળવવાની બાબતમાં હોડ  કે હરીફાઇ કરવા માંડી હોય તેવું વાતાવરણ પેદા કરવા માંડયું છે. બીજી બાજુ બીજેપીના સોસીઅલ મીડીયાના વડા અમીત માલવીયાએ એવું નિવેદન કર્યું છે કે રાજ્યોને પોતાને અનુકુળ હોય તે પ્રમાણેની વેકસીનને વહેંચાવીની નીતીની રચના કરી શકે છે.

() એક પ્રશ્નઆપણે બધા સ્વીકારવું પડશે કે વેકસીનની વહેંચણી અને મુકવાની બાબતે દેશના તમામ લોકોને પહેલા તબક્કામાં મલવાની શક્યાતા નથી. તો બાકી રહેલા લોકોને ક્યારે, ક્યાં સુધી રાહ જોવાની? વેકસીન મફત મલવાની દેશ વ્યાપી માનસીકતા પેદા કરવાથી તો દેશમાં મોટા પાયે અંધાધુધી, અશાંતી અને જાહેર કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પેદા ચોક્કસ થઇ જશે.

(૫) રાજ્યો અને કેન્દ્ સરકારોની નાણાંકીય સ્થીતી કેવી છે તે અંગે જેટલું ઓછું બોલીએ તેટલું જ સારુ! વેક્સીન ની વહેંચણી અને મુકવાની કૈન્દ્ર અને રાજ્ય સરકારોની નીતીઓ વચ્ચે સંકલન અને સુમેળ નહી હોય તો તે દેશના સારા ભાવીની નીશાની નથી

( સૌં ટા ઓ ઇ તંત્રી લેખ તા. ૨૪–૧૦–૨૦નો ભાવાનુવાદ)


--

Tuesday, October 27, 2020

Monday, October 26, 2020

દશેરાના દિવસે શસ્રપુજા – એક અંધશ્રધ્ધા


માનનીય મોહન ભાગવતજી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી,

આપણો ઇતીહાસ સાક્ષી પુરે છે કે એક દેશ તરીકે, શર્સોની પુજા કરનારા આપણે  સદીઓથી નાના મોટા તમામ પરદેશી આક્રમણો સામે બુરી રીતે હારતા આવ્યા છે. કેમ? કોઇ દિવસ આપણે આપણી જાતને પ્રશ્ન પુછયો છે ખરો? થોડો ઇતિહાસ તપાસીએ!

મહાભારતના ખરા પુજનીય હીરો તો પેલા બે જ જણ હતા. એક એકલવ્ય અને બીજો પાંડવોની માતા  કુતીએ એક સમયે, કુંવારી માતા બની અને ત્યજી દિધેલો અને પછી માછી પુત્ર બનેલો દાનવીર ( કોના હિતમાં બનેલો દાનવીર) કર્ણ. આ બંનેને બાણવીધ્યા શીખવાડનાર સરકારી– દરબારી દ્રોણાચાર્ય ન હતા. આ હકીકત તો સુપ્રીધ્ધ છે.આ એકલવ્ય અને કર્ણ બંનેએ ક્યારેય શસ્રોમાં નિપુણતા પંડિતો અને બ્રાહ્મણો પાસેથી શીખી ન હતી. પણ હા, બંને શસ્ર નિષ્ણાતોની નિપુણતાને કાયમ માટે નાશ કરવાનું કામ તો સદીઓથી ચાલુ રહેલી બ્રાહ્મણવાદી  સમાજ(વર્ણવ્યવસ્થા) વ્યવસ્થાના ટેકાવાળી રાજાશાહી કરતી આવી હતી. જેનું પરીણામ આપણે ભોગવી રહ્યા છે. આ વ્યવસ્થાના તત્વજ્ઞાનને એક જ લીટીમાં સમજવું હોય તો આ રીતે  સમજાય. " કુદરતી પરિબળો સર્જીત માનવીય સમસ્યાઓ ભજવાથી , પુજવાથી જ ઉકેલાશે;  નહી  કે  કુદરતના સંચાલનના નિયમો માનવમગજમી મદદથી ( WITH THE HELP OF HUMAN BRAIN ) સમજવાથી."

ભારત દેશમાં દર દશેરાને દિવસે તમારા જેવા રાજ્યની ધુરા સંભાળનારા શસ્રોની પુજા તો સદીઓથી કરતા આવ્યા છે. પણ દુ;ખદ હકીકત એ છે કે જે શસ્રોની પુજા કરો છે તે શસ્રો મોટાભાગના પરદેશથી આયાત કરેલા  જ હોય છે. આપણી પાસે રામાયણ અને મહાભારતના શસ્રોની, યાદીમાં તલવાર, ભાલા ગદા,ચક્ર ,બાણ વિ હતા. બાકી મોગલો તોપ અને દારૂગોળો લાવ્યા, બ્રીટીશરો તમામ આધુનીક ફક્ત શસ્રો જ નહી પણ  આધુનીક જ્ઞાન–વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણા દેશમાંથી આર્થીક લુંટ દાયકાઓ સુધી કેવી  રીતે  સ્થાનીક રાજાઓ, નોકરો અને પ્રજાના સહકારથી થઇ શકે તે રીતે રાજ્ય કરી શક્યા.

 ફ્રાન્સના રાફેલ, રશીયાની ટેન્કો, જર્મન ફાઇટર અને અમીરીકન ડ્રોન વી શસ્રો આયાત કરીને તેની પુજા કરવાથી દુનીયાના કોઇ દેશે પોતાની માત્તુભુમીનું રક્ષણ કર્યું હોય તેવા દાખલા માનવ ઇતીહાસમાં નથી. હા, સને ૧૯૭૧ની બંગાલા દેશમાં પાકીસ્તાની એક લાખના સૈનીકો સાથે અમેરીકન  પેટન્ટ ટેન્કો ત્યજી દઇને શરણાગતી સ્વીકારેલી છે. શસ્રોના પુરવઠાની પુજા કરવાથી યુધ્ધ જીતી શકાશે નહી.

તમારી મોદી સરકારે દિલ્હીમાં સત્તા પર આવીને એક કામ મહાન કર્યું છે! છેલ્લા ૭૦ વર્ષોમાં આધુનીક જ્ઞાન–વિજ્ઞાન આધારીત તમામ આધુનીક સંસ્થઓનો ક્રમશ; ખાત્મો બોલાવી દેવો.. પછી ભજવા– પુજા કરવા સિવાય પ્રજા પાસે બાકી શું રહેશે? હા! પણ હિંદુ રાજ્ય ની સ્થાપના તો મનુસ્મૃતી આધારિત તો થઇ જશે ને!

 

 

 

 

                                                                     

 


--

Wednesday, October 21, 2020

પુસ્તક પરિચય

પુસ્તક પરીચય–" વિવેકબુધ્ધિવાદ  ( Rationalism) શું અને શા માટે?–

 લે .અશ્વીન કારીઆ અને બીપીન શ્રોફ.

મુળ લેખક– રવિપુડી વેંકટાદ્રિ, ( જન્મ સને ૧૯૨૨) વર્તમાન ઉંમર ૯૯ વર્ષ પુરા.ભુતપુર્વ પ્રમુખ, રેશનાલીસ્ટ એસોસીએશન ઓફ ઇંડીયા.સને ૧૯૪૦ થી વિવેકબુધ્ધ્વાદી પ્રવૃતી સાથે જોડાયાલા છે અને સને ૧૯૪૫થી માનવવાદી ચળવળ સાથે  જોડાયેલા છે. તેઓએ વિવેકબુધ્ધિવાદી અને માનવવાદી વિચારોની કેળવણી અર્થે અનેક અભ્યાસ શિબિરનું આયોજન કરેલ છે. માર્કસવાદ, વિજ્ઞાન, ધર્મ, નાસ્તિકતા, માનવવાદ વિગેરે વિષયો પર અનેક પુસ્તકો લખેલા છે. તેઓના લખેલા ૮૦ પુસ્તકોમાંથી કેટલાક પુસ્તકોનું દેશની અન્યભાષાઓમાં ભાષાંતર થયેલ છે. તેઓ ધર્મના સખત ટીકાકાર અને વિવેકબુધ્ધિવાદ અને માનવવાદી વિચારસરણીના  મજબુત સમર્થક છે. આટલી મોટી જૈફ વયે પણ તેઓ વૈચારીક ક્રાંતી માટે મથી રહ્યા છે.

સદર પુસ્તકમાં  રવિપુડીના કેટલા ચુંટાયેલા લેખોનો ભાવાનુવાદ કરેલ છે. તેઓનો મુખ્ય હેતુ ગુજરાતના રેશનાલીસ્ટો સમક્ષ  માનવવાદ અને રેશનાલીઝમ સંબંધિત કેટલા પાયાના ખ્યાલોની સ્પષ્ટતા કરવા એક પુસ્તીકા તૈયાર કરવી. તેમાં રવિપુડીની આટલી લાંબી રેશનાલીસ્ટ તથા માનવવાદી જીંદગીના અનુભવોનો નિચોડ મદદરૂપે મલી ગયો.

આ ઉપરાંત વિવેકબુધ્ધીવાદ અંગે કેટલીક ગેરમાન્યતાઓ જે પ્રચલીત છે તેનો ભ્રમનિરસન કરવાનો પ્રયત્ન પણ આ પુસ્તકમાં કરેલ છે. દા.ત. સમાજમાં ચોફેર ફેલાયેલી અંધશ્રધ્ધાઓનો પ્રતીકાર એટલે વિવેકબુધ્ધિવાદ, ચમત્કારોનો પર્દાફાશ એટલે વીવેકબુધ્ધિવાદ, વિજ્ઞાન અને વાસ્તવીક પુરાવાના આધાર વિનાની ધાર્મીક પરંપરાઓનો વિરોધ એટલે વિવેકબુધ્ધિવાદ.

માનવવાદી વિચારસરણીના ત્રણ અગત્યના  મુલ્યો અનુક્રમે સ્વતંત્રતા, વિવેકબુધ્ધિવાદ અને ધર્મનીરપેક્ષ નીતિ કોને કહેવાય તેની વિગતે પણ ખુબજ સરળ ભાષામાં વાત રજુ કરી છે.પૃધ્વી પરના તમામ સજીવોની માફક માનવી પણ ઇશ્વરી કે દૈવી સર્જન નથી તેને ચાર્લસ ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સિધ્ધાંતોને આધારે સમજાવી છે.

હવે પુસ્તકમાંથી સદર વિવેકબુધ્ધિવાદના સિધ્ધાંતોને સમજવવા પસંદ કરેલા કેટલાક અગત્યના વાક્યો.

(1)     જે વિચાર પધ્ધ્તીથી જ્ઞાન, સત્ય,  સ્વાતંત્રય, નીતિમત્તા અને માનવવાદને સમજવાની તક મળે છે તે વિવેકબુધ્ધિવાદ.

(2)     વાસ્તવમાં નાસ્તિકતા ભૌતીકવાદમાં પરિણમવી જોઇએ અને ભૌતીકવાદ માનવવાદમાં પરિણમવો જોઇએ. તબક્કાવાર આ ઉત્ક્રાંતીની પ્રક્રીયા વિવેકબુધ્ધિવાદી રીત છે.

(3)     બુધ્ધિ સાધન છે. તેમાંથી વિચારધારાનું સર્જન થાય છે. તેથી વિવેકબુધ્ધિવાદ વિચારધારામાં સુધારા સુચવે છે અથવા જે બુધ્ધીની કસોટીએ પાર ન પડે તેને નકારે છે.

(4)      જે લોકો  જુના વિચારો અને પ્રણાલીઓને  વળગી રહે છે તેમનામાં મુક્ત વિચાર પ્રવેશી શકે નહી.

(5)     દરેક ધાર્મીક કુટુંબો પોતાના બાળકોને પ્રણાલિકાગત ધાર્મીક બનાવવામાં પોતાની ફરજ સમજે છે. પણ ધાર્મીક વ્યક્તીઓ સ્વતંત્ર માનસથી વિચારી શકતા નથી. ધાર્મીક વ્યક્તીએ પોતે વિચારપુર્વક ધર્મ સ્વીકારેલ હોતો નથી. તેમને આ ધાર્મીકતા વારસામાં મળેલી હોય છે.

(6)     માનવને  માનવીય દ્ર્ષ્ટીકોણથી નિહાળવામાં વર્ણભેદ મોટો અવરોધ છે. જ્યાં સુધી આ અવરોધ દુર નહી થાય, ત્યાંસુધી વૈચારીક ગુલામી જળવાઇ રહેવાની છે. આ અવરોધ દુર થશે ત્યારે જ વૈચારીક ક્રાંતી શક્ય બનશે.

(7)      માનવ તમામ બાબતનો માપદંડ છે.– પ્રોટોગોરસ.

 માનવ પોતેજ પોતાનો ઇતિહાસ બનાવે છે.– કાર્લ માર્કસ.

 માનવ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે.– એમ એન રોય.

 હું દેવોને ખુશ કરવા નીતિમાન બનવા માંગતો નથી. પરંતુ મારી પોતાની પ્રસન્નતા માટે નીતિમાન બનવા માંગુછું. –એપિકયુરસ.

(8)      આપણે આકાર વિનાના સમાજમાં રહીએ છીએ. જ્યાં રાજકીય તકવાદ તેની ટોચ પર છે. દેશના વિભાજન બાદ ૭૦ વર્ષ પછી પણ  આપણે હિંદુ–મુસ્લીમ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી. રામ જન્મભુમીના વિવાદ પછી હવે કૃષ્ણ જન્મભુમી વિવાદે માથું ઉચક્યું છે..... આ બનાવો એમ પુરવાર કરે છે કે  સ્વાતંત્રય જંગ દરમ્યાન હિંદુ રાષ્ટ્રવાદને  ભારતીય રાષ્ટ્રવાદ તરીકે સમજવામાં મોટી ભુલ થઇ હતી.

(9)     આપણો જન્મ માનવ તરીકે થયો છે. તે પુરતું નથી. પરંતુ માનવ તરીકે  ગૌરવપુર્વક જીવન જીવવાની કળા પણ આપણે સાધ્ય કરવી જોઇએ.  માનવ તરીકેની વિચારણામાં રાષ્ટ્ર, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ વગેરે પરિબળો આવવા ન જોઇએ. આ બધા પરિબળો માનવ પ્રગતીમાં અવરોધક છે. સમાજમાં માત્ર વ્યક્તીનું જ મહત્વ રહેવું જોઇએ. સમાજ જીવનનો અર્થ સહકારી ભાવના અને ભ્રાતૃભાવની વૃધ્ધી કરવાનો છે.

આ પુસ્તકના કુલ પાના  ૬૬ છે. તેને  બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ દ્રારા પ્રકાશીત કરવામાં આવ્યું છે.

 પુસ્તકનું પ્રાપ્તી સ્થાન– ગિરીશભાઇ સુંઢીયા, મંત્રી, બ કાંઠા જી અં નિ સમિતિ,

૬૯, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, મું પાલનપુર (૩૮૫૦૦૧)

મો. ૯૪૨૬૬ ૬૩૮૨૧.

 

 


--

Saturday, October 17, 2020

કાશ્મીરના નેતા ફારુક અબ્દુલા બોલે છે...

કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલા બોલે છે કે " અમે કાશ્મીરની સ્વાયત્તા માટે ચીનની મદદ માંગીશું !" દુશ્મનનો દુશ્મન એ અમારો મીત્ર.

 આ વાક્ય પાછળના તર્ક અને ઐતીહાસીક સત્યને તપાસવા આપણે ચાલો થોડી બૌધ્ધીક કસરત કરીએ.

સને ૧૯૩૯થી ૧૯૪૫ના બીજા વીશ્વયુધ્ધના સમયમાં એકબાજુ ગાંધીજીના નેતૃત્વ નીચેની કોંગ્રેસના સ્થાનીક કાર્યકરથી માંડીને દેશના ટોચના કાર્યકરો જર્મનીના નાઝી સરમુખત્યાર હીટલરની બ્રીટીશરો સામેની આગેકુચને ખુશમિજાજથી બિરદાવતા હતા. ( કારણકે જર્મની બ્રીટનનું દુશ્મન હતું.) હીટલરની સેના એક પછી એક યુરોપના દેશોને  પોતાની એડી નીચે પ્રથમ કચડીને પછી ગુલામ બનાવતી હતી. આવા સમયમાં આપણા દેશનો રાષ્ટ્રવાદી જુવાળ બ્રીટશરો સામે વધુ સશસ્ર બળવાની જાણે તૈયારી કરતો હોય તેવું વાતાવરણ દેશમાં પેદા થતું હોય તેવો અહેસાસ થવા માંડયો હતો. સને ૧૯૪૨માં ગાંધીજીએ  'હિંદ છોડો' Quit India ચળચળ શરૂ કરી હતી.

બીજી બાજુએ લગભગ તેજ સમય ગાળામાં પુર્વભારતમાં સુભાષચંદ્ર બોઝે ' આઝાદ હિંદ ફોજ' ની રચના કરીને  હીટલરના યુધ્ધમાં સાથીદાર દેશ જપાન સાથે કરાર કર્યો હતો. આપણા દેશમાં જપાનનું લશ્કર સુભાષબાબુના ' આઝાદ હિંદના ફોજ' સાથે મદદમાં રહીને  હીંસક યુધ્ધ લડીને બ્રીટીશરો પાસેથી આઝાદી ઝુંટવી લે. સને ૧૯૪૩માં ' આઝાદ હિંદ' ની સ્થાપના દેશ તરીકે તેઓએ કરી.અને તે પણ તેના ખાસ રાષ્ટ્રધ્વજ સાથે  કરવામાં આવી. બર્મામાં આઝાદ હિંદ ફોજે પોતાને જપાન સરકારના સંપુર્ણ ટેકાની સાથે જાહેર કરી હતી. જપાન આ યુધ્ધ બ્રીટને પુર્વ એશીયામાં ઉભા કરેલા સંસ્થાનોને મુક્ત કરવા લડતું હતું.પણ તે સંસ્થાનો જીતી લઇને પોતાની સત્તા નીચે લાવવાના હતા.  જપાન બ્રીટનનું દુશ્મન હતું, ભારત પણ પોતાની બ્રીટીશ ગુલામીમાંથી મુક્ત થવા સ્વતંત્રતાનો સંઘર્ષ કરતું હતું. જપાને પોતાના સહ દુશ્મન સામે સુભાષબાબુની આઝાદ હિંદ ફોજને મદદ કરતું હતું.

આ હકીકત સને ૧૯૪૫ની આસપાસ બની હતી. બરાબર આશરે ત્રીસ વર્ષ પહેલાં સને ૧૯૧૫માં પહેલા વીશ્વયુધ્ધમાં પણ જર્મની અને બ્રિટન આમને સામને યુધ્ધમાં હતા. દુશ્મનનો દુશ્મન એ મીત્ર એ થીયરી પ્રમાણે દેશના ક્રાંતીકારીઓ જર્મન કોનસ્યુલેટનો સંપર્ક કરવા માંડયા. બંગાલના ક્રાંતીકારીઓએ બ્રીટીશ હકુમત સામે સશસ્ર બળવો જરૂરી શસ્રો ખરીદવા કેટલાક સ્થળો જેવાકે 'ગાર્ડન રીચ'માં આ ભુગર્ભ ક્રાંતીકારીઓએ લુંટ ને ડેકોટી કરી હતી.

અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ જર્મન સરકાર પાસે  શસ્રો ખરીદવા એક અગત્યના બંગાળી ક્રાંતીકારી એમ. એન. રોય ને બટાવીઆ (જાવા–ઇન્ડોનેશીઆ) ડચ ઇસ્ટ ઇન્ડીઝ કોલોનીમાં મોકલવામાં આવ્યા. શસ્રોની સંખ્યા અને નાણાંકીય લેવદેવડ બધુ બંને પક્ષોને અનુકુળ ગોઠવાઇ ગયું. તે સમયે જર્મનીનું પણ હિત હતું કે બને તેટલા સ્થળો પર બ્રીટનને યુધ્ધમાં જોડાયેલું રાખવું.

ઉપરાંત જર્મન કોન્સયુલેટે એમ એન રોયને એક ખુબજ અગત્યનો વેધક પ્રશ્ન પુછયો. ધારો કે તમારી ઇચ્છા મુજબ અમે જર્મનીએ તમારા દેશમાંથી બ્રીટશરોને કાઢી મુક્યા તો ભારતની અમારી હકુમત નીચે પ્રતીવર્શે અમને કેટલા નાણાં અને અન્ય વિશેષ સગવડો આપશો?

એમ એન રોયની ક્રાંતીકારી પ્રતીબધ્ધતાને સખત માનસીક આઘાત લાગ્યો. રોય સાહેબનો ૨૮ વર્ષની ઉંમરે જવાબ હતો "  જો મારા દેશે તમારી મદદ માટે સોદો કરવાનો હોય તો તમારી દરખાસ્તનો સાદો સીધો અર્થ થાય છે કે અમારી પ્રજાએ એક માલીકને છોડીને બીજા માલીકને પોતાના માથે ગુલામ તરીકે બેસાડવા! પણ અમારે ગુલામી તો ચાલુ જ રાખવાની. "  Your proposal only amounts to a substitution of one master for another." આ તો ઘણીજ  શરમજનક વાત છે. અમે તો ક્યારેય તમારી આવી દરખાસ્ત સાથે સંમત જ ન થઇએ. અમે તેને ફક્ત ના મંજુર કરતા નથી પણ અમે તો અમારી માતૃભુમીને પરદેશી શોષણખોરને વેચનારા સામે પણ પુરી તાકાતથી શસ્રો સાથે લડી લઇશું.

 "  We shall never agree to that. Not only do we reject it but shall be up-in- arms  against any body showing readiness to sell our mother –land to foreign exploiters. We thought, Germany would help us against a common enemy. But it had proved to be a myth. Indians shall no more be slaves to any foreign power. The Germans are no exception."

" To-day Roy continued, now I am fully convinced that the Indian people  shall have to  organize themselves  and shall have to depend  solely on their strength and have to be revolutionaries themselves to fight for the liberty from foreign yoke."( સૌ. પુસ્તકનું નામ–M.N. Roy;  The Man Who Looked Ahead. P 32 to 35.)

રોય તો પોતાની વાત પુરી કરીને બારણુ ખોલી ને જતા હતા. પેલા કોન્સયુલેટે તેમને બેસાડીને વાત કરી– " મી. રોય મેં ઘણા ભારતીય ક્રાંતીકારીઓ સાથે આજ વાત કરી હતી. તે બધા મારી દરખાસ્ત સાથે સંમત થયા હતા. પણ તમે તેમાં એક અપવાદ નીકળયા.

રોયે તેઓને જવાબ આપ્યો "  બ્રીટીશરોને કાઢવા માટે ઉત્સાહમાં આવી જઇને તે લોકોએ તમારી દરખાસ્તના ઘાતકી પરીણામોનો નજર અંદાજ કર્યો હશે. બાકી તો તે બધા જ મારા જેવા જ દેશ પ્રેમીઓ  જ છે.

મને લાગે છે કે સુભાષચંદ્ર બોઝ, પેલા સને ૧૯૪૨ના 'ક્વીટ ઇંડીયા મુવમેંટના નામે હીટલરના વીજયમાં ખુશ થઇને પેંડા વહેચનારા અને કાશ્મીરી નેતા ફારૂક અબ્દુલાના વિચારોને આપણે મહાન ક્રાંતીકારી વિચારક એમ. એન. રોયના તારણોને આધારે તટસ્થ રીતે મુલ્યાંકન કરવું જોઇએ.



--

Friday, October 16, 2020

ભારતીય સમાજમાં બળાત્કાર અને સ્રીઓ પર જાતીય હુમલાના મુળને તપાસીએ.

ભારતીય સમાજમાં બળાત્કાર અને સ્રીઓ પરના જાતીયહુમલાના મુળને તપાસીએ!

 દેશમાં પ્રતિ ૧૬મિનીટે એક સ્રી પર પર જાતીય બળાત્કાર થાય છે. પ્રતિ આઠ મિનીટે,એક દલીત સ્રી પર જાતીય બળાત્કાર થાય છે. આપણા દેશમાં આવા સામાજીક અનીષ્ટ માટે આપણો રૂઢીચુસ્ત ધર્મપરસ્ત વર્ણ અને જ્ઞાતીપ્રથામાં તથા ઉંચનીચના સામાજીક સ્તરોમાં વહેંચાયેલા સમાજની માનસીકતા અને અરસપરસના વાસ્તવીક વર્તનો જવાબદાર છે. આ નગ્ન હકીકતને આધારે  આપણે  ચર્ચા કરીશું.

વર્ણ અને જ્ઞાતી આધારીત ભારતીય સમાજવ્યવસ્થાની જન્મદાતા આપણી બ્રાહ્મણવાદી સમાજ રચના છે. સદર બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ આપણા સમાજને સામાજીક રીતે જન્મ આધારીત ચારવર્ણ અને તેના આધારીત જ્ઞાતીઓ અને પેટાજ્ઞાતીઓ વાળી અસમાન સામાજીક પ્રથામાં વહેંચી નાંખ્યો છે. તેને ઉભો અને આડો વહેંરી પણ નાખ્યો છે. તેમાં દરેક વર્ણમાં જન્મેલા માણસોના કાર્યો (કર્મ) પણ વહેંચી નાંખવામાં આવ્યા છે. આવા કર્મોને ન્યાયી ઠેરવવા માટે સદર બ્રાહ્મણવાદી વ્યવસ્થાએ માનવીના જન્મને  ' પુર્વજન્મ, વર્તમાન જન્મ અને મૃત્યુ પછીનો પુનર્જન્મ' ના અંતવીહીન પાપ–પુન્યના વર્તુળમાં ગોઠવી દીધો છે. માનવીનો જે તે વર્ણ– જ્ઞાતીમાં વર્તમાન જન્મ તેના પુર્વજન્મોના કર્મોનું પરીણામ હોવાથી તેની સામે વિદ્રોહ કર્યા સિવાય બિનશરતી સ્વીકારમાં જ તેનું આ જન્મનું અને હવે પછીના જન્મનું પણ હિત સમાયેલું છે. આવું ધાર્મીક સત્ય જડબેસલાક સદીઓથી સમાજ વ્યવસ્થા પર ઠોકી બેસાડવામાં આવ્યું છે.  તે સત્યને અમલમાં મુકવા રાજ્ય,ન્યાયતંત્ર, પોલીસતંત્ર અને સમાજનો નૈતીક વ્યવહાર પોતાની બધીજ તાકાતથી  સદીઓથી પેલી અસમાન અને અમાનવીય શોષણખોર ચારવર્ણમાં વહેંચાયેલી સમાજ વ્યવસ્થાના ટેકામાં રાત– દિવસ કામ કરી રહ્યો જ છે.

 બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં સ્રીનુંસ્થાન વર્ણવ્યવસ્થાના ચોથા અને છેલ્લા ક્રમ શુદ્રની સમકક્ષ સામાજીક રીતે મુકવામાં આવેલ છે. આ સમાજ વ્યવસ્થા જે રીતે શુદ્રો સાથે વ્યવહાર રાખે છે. તેવો જ વ્યવહાર ગમે તે વર્ણની સ્રી હોય તેની સાથે કુટુંબમાં અને  કુટુંબ બહાર પણ કરવામાં આવે છે. ટુંકમાં બ્રાહ્મણવાદી વ્યવસ્થામાં  શુદ્ર અને સ્રીના સામાજીક સ્થાનમાં કોઇ તફાવત નથી. તેઓ બંને આ સમાજના સ્થાપીત હિતોને ટકાવી રાખવાના સીધા સાદા સાધનો જ છે. માટે જ બંને પરના જાતીય હુમલા પણ સમાન કે સરખા જ હોય છે.

રોગ છે, તેના કારણો  છે તો તેના ઉપાયો પણ  હોઇ શકે ને?

ઉપર જણાવેલ બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાએ જે તે સમયની  કૃષી અર્થવ્યવસ્થાને ટકાવી રાખવાની ઐતીહાસીક ફરજ પુરી કરી દીધી છે. તેથી તેની જરૂરીયાતમાંથી અસ્તીત્વમાં આવેલ સંસ્થાઓની ઉપયોગીતા પણ પુરી થઇ ગઇ છે. તેણે પેદા કરેલ વર્ણવ્યવસ્થા,જ્ઞાતી પ્રથાઓ, તેના વ્યવહારો અને તેના નૈતીકતાના ખ્યાલો હવે એક બોજારૂપ બની ગયા છે. છેલ્લા હજારો વર્ષોથી આ વિશાળ મૃતપાય થઇ ગયેલો આપણો ઐતીહાસીક પુરાતન વારસો એક એવો મોટો બોજ બની ગયો છે. તેને માનવજાતના વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સાધનોની મદદથી તેને ટેબલ પુરી મુકીને શબછેદન ( Dissection) વાઢકાપ કરવાની  જરૂર છે. આ વારસામાં ઘુસી ગયેલ કપોળકલ્પનાઓ, દંતકથાઓની પુજા કરવાને બદલે ફગાવી દેવાની જરૂર છે. તેમાં કોઇ નક્કર હકીકતો હોય તો શોધીને તે પ્રમાણે અમલ કરવો જોઇએ.

આપણા પેલા મૃત્યપાય બોજરૂપ બની ચુકેલા અંધારા (ભવ્ય!) ભુતકાળમાં  વિજ્ઞાનની સર્ચલાઇટનો પ્રકાશ ફેંકીશું તો તે ઢગલામાંથી સાચા હીરા હશે તો આપણે  તેમને બહાર કાઢી શકીશું. જે હવે પછીના આપણા ભવીષ્યને માર્ગદર્શન આપશે. જેમ આપણે  ફોતરા નાંખી દઇને દાણા જ ભેગા કરીઅ છીએ તેમ આપણને  આવા વૈજ્ઞાનીક પ્રયત્નથી  ખબર પડશે કે  અત્યાર સુધી જેને પકડી રાખી ભારતના ભવ્ય ભુતકાળના ગુણગાન હતા, જેની પુજા કરતા હતા તે તો ફક્ત ફોતરા જ હતા.

 ભારતનો ઇતીહાસ જેનો વૈજ્ઞાનીક આધાર છે તેવો ભુતકાળ માત્ર ૨૫૦૦ વર્ષ જુનો છે. તેના પહેલાંનો ઇતીહાસ બૌધ્ધ ધર્મે નાશ કરી દીધો છે. તેના કોઇ પુરાવા રહ્યા નથી . ત્યારપછી આવેલા શંકરાચાર્ય બૌધ્ધ ધર્મના તમામ સાહીત્યનો નાશ કરેલ છે. હાલમાં આવું જ કામ વર્તમાન શાસન કરી રહ્યું છે.

ભારતના રાષ્ટવાદનો એક શ્રધ્ધા મંત્ર બની ગયો છે. " અમે ભારતવાસીઓ આધ્યત્મવાદીઓ અને પેલા પશ્ચીમવાદીઓ ભૌતીકવાદીઓ. અમે વીશ્વગુરૂ છે અને વીશ્વે અમારી પાસેથી શીખવાનું છે."

હવે આપણા  મુળ વિષયને લગતી વૈજ્ઞાનીક માહીતીઓની વાત કરીએ.  

(૧) જન્મ –કર્મના સીધ્ધાંત આધારીત વર્ણવ્યવસ્થાને વિજ્ઞાનનો કોઇ આધાર નથી. વર્તમાન જન્મ પહેલાં કોઇ જન્મ મનુષ્યનો હતો નહી અને મૃત્યુ પછી પણ કોઇ જન્મ હોવાનો નથી.                

(૨) દરેક સજીવની માફક માનવીનો જન્મ  જૈવીક ઉત્ક્રાંતીનું પરીણામ છે. તે ઇશ્વરી કે દૈવી સર્જન નથી. માનવી અને તેની સમાજ વ્યવસ્થાનું સંચાલન કોઇ દૈવી કે ઇશ્વરી ઇચ્છાથી ચાલતું નથી. માનવ સર્જીત તમામ સામાજીક, રાજકીય, આર્થીક વી વ્યવસ્થાઓ માનવની વ્યકતિગત સુખાકારી માટે માનવ સર્જીત છે. માનવીના વ્યક્તીગત કે સામુહીક હીતની વિરૂધ્ધની આ બધી સંસ્થાઓમાં પરીવર્તન લાવવાનો અબાધિત અધિકાર માનવીને છે.

(૩) માનવ માત્ર  સામાજીક રીતે સમાન છે. કોઇ સંપત્તી,જન્મ કે સામાજીક સ્થાન આધારીત ઉંચનીચ નથી. આવી દેખાતી અસમાનતા ભ્રામક છે, માનવ સર્જીત છે. તેમાં પરીવર્તનને પુરેપુરો અવકાશ છે.  

(૪) કાયદાનું શાસન, સામાજીક ન્યાય અને માનવીય ગૌરવના પાયાપર ભારતના બંધારણની ઇમારત ઉભી થયેલી છે. તેમાં કોઇપણ પ્રકારના સમાધાનને સ્થાન જ ન હોવું જોઇએ.

(૫) પશ્ચીમી દેશોની સરખામણીમાં ભારતે એક રાષ્ટ્ર અને પ્રજા તરીકે આપણે  માનવ વિરોધી અનીષ્ટોને  બૌધ્ધીક જ્ઞાન આધારીત ક્રાંતીકારી રીતે મુળભુત રીતે પડકારીને  તેમાં ફેરફાર લાવવામાં સંપુર્ણ નીષ્ફળ ગયા છીએ..સમયે સમયે દેશમાં માનવ પ્રગતીના ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા પેલા ' જેસેથે વાદી' ઓ સફળ થયા  છે. હાલમાં દેશનું સુકાન આવા પ્રત્યાઘાતીઓના હાથમાં આવી ગયું છે.

સ્રી બળાત્કાર અને સ્રીઓ પર થતા જાતીય હુમલાનો પોષક, સંવર્ધક અને ટેકેદાર વર્ણવ્યવસ્થા આધારીત આપણી જ્ઞાતી પ્રથા છે. વર્તમાન રાજકીય સત્તાના સંચાલકોનું સ્થાપિતહીત તેમાં રહેલું છે જે આપણને યુપીના 'હથરસ'  કાંડ માં પુરેપુરી ખબર પડી ગઇ છે. આવા લોકોને તેમના સાચા રંગે અને સ્વરૂપે ઓળખી લઇને તેમને પડકારવાનો સમય પાક ગયો છે. " સારા માનવકેન્દ્રી કામ માટે ક્યારેય મોડા નથી." શુભેચ્છા સાથે.                           



--

Sunday, October 4, 2020

યોગી આદીત્યનાથની યુપી સરકારે દેશની લોકશાહીની કરોડરજ્જુ કાયમમાટે તોડીનાંખી છે.


 

યોગી આદીત્યનાથની યુપી સરકારે દેશની લોકશાહીની કરોડરજ્જુ કાયમ માટે તોડી નાંખી છે.–

 માનેકા ગુરૂસ્વામી ( સિનીયર એડવોકેટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.)

ચાલો! આપણે તેનું નામ  ઇંડીયા રાખીશું.કારણકે હજુ સુધી તેણીનું નામ આપણને મલ્યું નથી. તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ સવારે પોતાના ઘરની પાસે આવેલા ઠાકુરના ખેતરમાં મજુરી કરવા જાય છે.તેણીનું ગામ હથરસ પશ્રીમ ઉત્તરપ્રદેશના જીલ્લામાં આવેલું છે.તેની માતાએ આપેલા રીપોર્ટ પ્રમાણે  પેલા પડોશી ઠાકુરના ખેતરમાં ઇંડીયાનું શરીર નગ્ન અવસ્થામાં પડયું હતું. તેણીના મોઢાંમાંથી જીભ બહાર નીકળી ગઇ હતી. તેણીના આંખોના ડોળા બહાર નીકળીને સુજી ગયા હતા. તેણીના મોંઢામાંથી લોહી નીકળીને ગરદન, આંખો અને મોઢાપર ફેલાઇ ગયેલું હતું. તેણીની યોનીના ભાગમાંથી પણ લોહી નીકળતું હતું. તેણીનું નગ્ન શરીર મારી સાડીના પાલવથી ઢાંકી દીધું. પછી ખુબજ મોટે મોટેથી મેં ચીસો પાડવા માંડી.

મારા મત પ્રમાણે ઉપરની સ્થીતીમાં પોલીસે એફ આઇ આર દાખલ કરી, ઇજા પામેલાની સ્થીતી ગંભીર જોતાં તેણીને હોસ્પીટલમાં મોકલી આપવી જોઇએ, મેજીસ્ટ્રેટને દર્દીનું સ્ટેટમેંટ રેકોર્ડ કરવા બોલાવી લેવા જોઇએ. બળાત્કારનો ભોગ બનેલ સ્રી ગુજરી જાયતો તેણીનું પોસ્ટમોર્ટમ કરી, તેણીની લાશ તેના કુટુંબીજનને બોલાવીને અંતીમ સંસ્કાર માટે સોંપી દેવી જોઇએ. ( સૌ. ઇ એક્ષપ્રેસ ૦૩ ઓકટોબર)

યોગી આદીત્યનાથની પોલીસે શું કર્યું તે જોઇએ.

(૧) ઇંડીયા ઉપર થયેલા બળાત્કાર પછી ઘણા દિવસો બાદ તેની યોનીના  પ્રવાહીના નમુના લેવામાં આવ્યા. જેથી હવે રાજ્યના પોલીસ વડા ઉંચે અવાજે ગૌરવ સાથે જાહેર કરે છે કે તેણીના પર બળાત્કાર થયો નથી. માટે હવે એફ આઇ આરમાં કઇ કલમો આવશે તે આપણે વિચારી લેવાનું ! પણ ખોટું કરનારાને એ ખબર નથી કે સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં યોનીમાં બળજબરી થી પ્રવેશ ( Penetration)ને જ ગેરકાયદેસર અને તેથી સજા માન્ય કૃત્ય ગણેલું છે.

(૨) તા. ૩–૧૦– ૨૦ના ઇ. એકસપ્રેસના તંત્રી લેખમાં લખ્યુ છે કે "The crime in Hathras was Heinous."  " હથરસમાં કરવામાં આવેલું ગુનાહિત કૃત્ય ભયાનક અને ઘૃણાસ્પદ હતું."

(૩) યુપીની અલ્હાબાદ હાઇકોર્ટે જાતે સદર ગુનાની ગંભીરતા લઇને , પોતે ફરીયાદી બની ( Suo Motu Conisance) જાહેર કર્યું કે દેશના દરેક નાગરીકને ગૌરવભેર અને સભ્યસમાજના સભ્ય તરીકે જીવવાનો મુળભુત અધીકાર છે. મૃતવ્યક્તીના કુટુંબીજનને પણ તેમના રીતરીવાજો પ્રમાણે અંતીમવીધી કરવાનો અબાધીત અધિકાર છે. તો આ યોગી સરકારનું પોલીસતંત્ર આ કેસમાં રાત્રે બે વાગ્યે જાણે કોઇ કચરો કે ગારબેજ સળગાવતું હોય તેવી રીતે મૃત્ય દેહને કેવી રીતે કાયદો હાથમાં લઇને  સળગાવી શકે ? કોર્ટે સરકારને જવાબ આપવા ૧૨મી ઓકટોબરની તારીખ આપી છે.

(૪) દેશમાં કાયદાનું શાસન છે. યુપી એક રાજ્ય તરીકે કોઇના બાપની જાગીર નથી. અને યોગી ની  તો નહી જ. તો પછી વિરોધ પક્ષના નેતાઓને  ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરાને કઇ રીતે ઇંડીયાના મા–બાપને મળવા જતા રોકવામાં આવે? શરદ પવાર, એન સી પી. મહારાષ્ટ્ર.

(૫) ભારતમાં યોગી આદીત્યનાથનું યુપી સિવાય બીજુ કોઇ રાજ્ય નથી જ્યાં  સૌથી વધારે નાગરીકો પોલીસ એનકાઉન્ટરમાં ( EXTRA JUDICIAL KILLING) મારી નાંખવામાં આવ્યા છે. –માનેકા ગુરૂસ્વામી, એડવોકેટ સુપ્રીમ કોર્ટ.

 

(૬) સ્ટોપ પ્રેસ ન્યુઝ –આજે રાહુલ ગાંધી , પ્રિયંકા  વાડરા અને બીજા  ત્રણ  તેમના સાથીઓને હથરત ગામની પીડીતાના મા–બાપને  મલવાની સગવડ કરી આપી.

(૭) ટાઇમ્સ ઓફ ઇંડીયાએ તેના ૦૩–૦૯–૨૦ના તંત્રી લેખમાં યોગી સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે દીલ્હીના નીર્ભયા કાંડને કારણે જ યુપીએ–૨ની કોંગ્રસ સરકાર અને શીલા દીક્ષીતની રાજકીય કારકીર્દીનો અંત આવ્યો હતો. મોદીજી, ૧૯ વર્ષની સ્રી પર પશુથી પણ બદતર રીતે ત્રાસ ગુજારીને મારી નાંખવામાં આવી છે તેને વીશ્વનો કોઇ નાગરીક સમાજ ચલાવી લે જ નહી. યોગી સરકાર સૌ પ્રથમ તેના પોલીસતંત્રને  રાજ્યની પ્રજા માટે અને પોતાની સરકારના હીતમાં સરખું કરે!

(૮) (અ) ઉમા ભારતી એક સમયના ભાજપના અગ્રણી નેતા જણાવે છે કે  હથરત કાંડથી યોગીજી સમજી લે કે તમારી સરકારની આબરૂ ખાસ તળીયે આવી ગઇ છે. વધુ બગાડતી અટકાવવી હોય તો  વીરોધ પક્ષના નેતાઓ તથા પત્રકારો, મીડીયા પર્સનને તેણીના માબાપોને મળવા દો.

(બ) અડધી રાત્રે જ્યારે સમગ્ર દુનીયા નીંદ્રામાં પોઢી ગઇ હતી ત્યારે  ઇંડીયાના અંતીમ ક્રીયા કરી નાંખવામાં આવી હતી. ( સૌ. ટા ઓફ ઇંડીયા તા.૦૨ ઓકટોબર.

 (ક)  We eat by ourselves,  talk among ourselves, live by ourselves, they have nothing to do us. We do not have anything to say about upper caste families.  They do not acknowledge us as if we don't exist, ઇડીંયાના ભાઇનું નિવેદન " અમે અમારી જાતે એકલા ખાઇએ છે,વાતો પણ અમે એકલા કરીએ છે,  જાણે અમને બધાને એક સંપુર્ણ અલાયદા કરી નાંખવામાં આવ્યા છે. અમારે  પેલી ઉંચી કોમના કુટુંબો સામે કાંઇ કહેવાનું નથી. તે લોકો અમે માણસ છીએ અને જીવીએ છીએ તેની નોંધ લેવા જ તૈયાર નથી.–( ઉપરના ત્રણેય ફકરા માટે સૌ. ટા ઇ ઓફ ઇં પાનુ–૬ તા ૦૨જી ઓકટોબર.)

(૯) યુપીના બલરામપુર જીલ્લામાં ૨૨વર્ષની  દલીત સ્રીને ગેંગરેપમાં મારી નાંખવામાં અઅવી છે. જેમાં બે ની ધરપકડ કરવામાં આવી છે.

(૧૦) રાષ્ટીય વીમેન કમીશને ( NCW)એ યોગી સરકાર અને તેના પોલીસતંત્રને લેખીત મોકલ્યું છે કે અમને સમજાવો કે કયા કારણોસર પોલીસને અડધી રાત્રે અને  ગુનાનો ભોગ બનનારના કુટુંબની ગરેહાજરીમાં તેણીની લાશને સળગાવી દેવામાં આવી છે.( ટા ઇ ઇંડીયા પાનું ૬ તા. ૦૨ઓકટોબર)

(૧૧) મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી શીવરાજ સીંગ ચૌહાણે તાજરતેમાં ગેંગરેપનો ભોગ બનેલ દલીત સ્રીના આપઘાત માટે  જવાબદાર બે પોલીસ અધીકારીને સસપેંડ કરીને કાયદેસરના પગલાં લેવાનું નક્કી કર્યું છે. પોતાની સાથે થયેલ ગેંગરેપની ફરીયાદ કરવા ગયેલા દલીત પતી–પત્નીને તેમની એફ આઇ આર નોંધવાને બદલે પોલીસચોકીમાંથી બહાર નીકળવાના પોલિસે ૫૦૦૦/ રૂપીયા માંગ્યા હતા. ગેંગરેપનો ભોગ બનેલ દલીત સ્રી દલીત સમાજ માટે અલગ બનાવવામાં આવેલ કુવા પર પાણી ભરવા ગઇ ત્યારે અન્ય સ્રીઓએ તેણીના પર  ચારીત્ર્ય હીન ટીકા કરતાં તેણીને આપઘાત કરવા મજબુર કરી. ( સૌ. ઇ. એકસપ્રેસ તા. ૦૩ ઓકટોબર.)

(૧૨) આપણા દેશમાં છેલ્લા આઠવર્ષોમાં દુષ્કર્મોના બે લાખ છાસઠ હજાર કેસો પોલીસના દફતરે નોંધાયેલા છે. તેમાંથી ફક્ત ૨૭ ટકા કેસોમાં આરોપીઓને સજા થઇ છે. સૌ. દી ભાસ્કર ૦૪ ઓકટોબર.

આપણા દેશનો કોઇપણ ખુણો, દલીતો,સ્રીઓ, વંચીતો, આદીવાસીઓ, ધાર્મીક લઘુમતીઓ અને સરકાર સામે વૈચારીક મતભેદ ધરાવનારા બૌધ્ધીકો માટે શાંતીથી જીવવા માટે બાકી રાખ્યો છે ખરો?

Top of Form

Bottom of Form


--