Friday, September 29, 2017

મોદી દેશને ભયંકર અને ખતરનાક દીશામાં ઢસડી રહ્યા છે.–પ્રેમ શંકર જ્હા.


મોદી દેશને ભયંકર અને ખતરનાક દીશામાં ઢસડી રહ્યા છે.–પ્રેમ શંકર જ્હા.

(વરીષ્ઠ પત્રકાર અને એક સમયના હીન્દુસ્તાન ટાઇમ્સ, ટાઇમ્સ ઓફ ઇંડીયા અને ઇકોનોમીક્સ ટાઇમ્સના એડીટર.)(સૌ.www.thewire.in) અંગ્રેજી લેખનો ભાવાનુવાદ.

 

મારા મત પ્રમાણે રાજનીતીજ્ઞ કે રાજનીતીમાં કુશળ પુરૂષ તેને કહેવાય કે જે  પોતાની ભુલો કબુલ કરે, સૌજન્યતાથી તે ભુલો દેશમાં બહુ મોટુ નુકશાન કરે તે પહેલાં તે બધી ભુલોને સુધારી લે. કમનસીબે વડાપ્રધાન મોદીએ, બે માંથી કોઇ સદગુણ તેમનામાં હોય તેવું લેશ માત્ર દેખાડયું નથી. લાલ કીલ્લાપરથી સ્વતંત્ર દીવસે તેઓએ જે ભાષણ આપ્યું હતું તેના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે.તેમાં પોતાની ભરપુર સ્વબડાઇઓ (self congratulation)અને પોતાના ચવાઇ ગયેલા દાવાઓની વાતોના પુનરાર્વતન સીવાય બીજું કાંઇ ન હતું. દા;ત " આપણા દેશમાં દરેક સમાન છે. જે લોકોએ દેશને લુંટયો છે અને ગરીબોને લુંટયા છે તેમની ઉંઘ મેં ખરાબ કરી દીધી છે. ભારત જોડો, ચાલો નવું ભારત બનાવીએ." આ બધા વાક્યોના અર્થમાં કોઇ દમ જ નથી.( – that are entirely devoid of content.) પણ આ બધા તેઓના સંતોષના આધારો બીલકુલ નથી. તેઓના આત્મવીશ્વાસનો આધાર તો એ છે કે તેમણે ઘણા લાંબા સમય સુધી તેમનો પક્ષ બીજેપી રાજ્ય સત્તાપર ટકી રહે તેવું સુનીશ્ચીત કરી દીધું છે.

તેઓએ સને ૨૦૧૯ સુધી વીરોધપક્ષ એક થઇને બીજેપી સામે ચુંટણી લડી શકે તેવી શક્યતાને જ ખલાસ કરી દીધી છે. વ્યવસ્થીત રીતે દેશની ધર્મનીરપેક્ષ લોકશાહીના જે બંધારણીય મજબુત પાયા હતા તેને ચાલાકીપુર્વક બીનઅસરકારક બનાવી દેવામાં મોદી માહેર થઇ ગયા છે.આ બધા લોકો પ્રતીનીધી સરકારના માળખામાં રહીને જ શતરંજ પ્યાદાની માફક રમતો રમીને પોતાની ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં જીત અત્યારથી જ હાંસલ કરી લીધી હોય તેવો માહોલ પેદા કરી દીધો છે.

મોદીએ દેશને કઇ દીશામા લઇ જવો છે તેનો માર્ગ સ્પષ્ટ રીતે બતાવી દીધો છે. મોદી અને અમીત શાહે ભેગા થઇને તે જે ' નવા ભારત' ની વારંવાર વાત કરે છે તેની વચ્ચે આવતી બધીજ આડખીલીઓને ખરુ જોતાં દુર કરી દીધી છે. બીજેપી પાસે રાષ્ટ્રપ્રમુખ અને ઉપપ્રમુખ બંને પોતાની પસંદગીના છે. મોદી મોકેલે કે સુચવે તે સુચના મુજબ ભવીષ્યમાં દેશના સર્વૌચ્ચ વડા નીર્ણય કરે તેવી પુરી શક્યતા પેદા થઇ ગઇ છે.ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ અને આસામમાં બીજેપી સત્તારૂઢ થઇ ગઇ છે. તેથી હવે રાજ્યસભામાં પણ ભવીષ્યમાં બંધારણીય ફેરફાર કરવા બહુમતી મેળવી લેશે તેવી પુરી શક્યતા ઉભી થઇ ગઇ છે.મોદીએ લશ્કરમાં પરંપરાગત બઢતી માટેની ચાલુ રહેલી બંધારણીય 'સીનીયોરીટી–કમ– મેરીટ' પધ્ધતીને બદલે સ્પ્ષ્ટ અને સૌને દેખાય તેવો સંદેશો મોકલી દીધો છે કે લશ્કરે વડાપ્રધાન મોદીની સુચના પ્રમાણે કામ કરવાનું રહેશે બંધારણ પ્રમાણે નહી! લશ્કરી તંત્રમાંથી છુટાછવાયા જે નીવેદનો આવે છે તે સાબીત કરે છે કે બીજેપીનો વીરોધ એટલે રાજદ્રોહ તેવા સમીકરણનો સંદેશો તે તંત્રને મળી ગયો છે.(The spate of statements from all and sundry in the armed forces that have begun to equate dissenting with the BJP with treason shows that the army has got the message.)

        આ બધામાં સુપ્રીમકોર્ટ એક અડચણરૂપ છે. સુપ્રીમકોર્ટના ચીફજસ્ટીસ જે.એસ ખેહરે મોદી સરકારના 'ધી જ્યુડીસીઅલ એકાઉન્ટેબીલીટી' બીલને રદબાતલ કરી દીધુ હતું. ઉપરના નીર્ણયે સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નીમણુંક માટે 'કોલીજીયમ સીસ્ટીમ' ને બચાવી લીધી હતી. થોડાજ સમયમાં જસ્ટીસ ખેહર સાહેબ નીવૃત થવાના છે. એવું આપણે ચોકકસ ધારી શકીએ કે તે ન્યાયાધીશ સાહેબ  રીટાયર્ડ થયા પછી ઉચ્ચ ન્યાયતંત્રની સ્વતંત્રતાને નાબુદ કરવાનો સંઘર્ષ મોદી ચાલુ રાખશે.

મોદીનું આદર્શ રાજ્ય–Modi's ideal state

ન્યયાતંત્ર, લશ્કર અને તેવા અન્ય તંત્રોને પોતાની હકુમત નીચે લાવીને ઇચ્છા મુજબ કામ કરાવવામાં હવે એક માત્ર વચ્ચે આડખીલી હોય તો તે દેશની ચુંટણી પ્રથા છે. બીજી બધી આપ બડાઇઓ અને બણગાં ભલે ફુકવામાં આવે તેમ છતાં મોદી અને અમીત શાહ ખુબજ સ્પષ્ટપણે બીજેપીની સત્તા ટકાવી રાખવાની નબળાઇ સારી રીતે સમજે છે. સને ૧૯૬૭માં કોંગ્રેસે ૪૦.૭ ટકા મત મેળવીને ૨૮૨ બેઠકો પર વીજય મેળવ્યો હતો. સને ૨૦૧૪માં  બીજેપીએ તેટલીજ સીટો ૩૧ ટકા મત મેળવીને જીતી છે. તેઓને જ્યાંસુધી બીજા વધારાના ૧૦ ટકા મતો મળશે તેવી પુરી ખાત્રી નહી થાય ત્યાં સુધી તેમની અસલામતી ચાલુ રહેશે.

 જ્યાંસુધી તેમને સને ૨૦૧૪ કરતાં બીજા દસ ટકા વધારાના વોટ મળતા નહી દેખાય ત્યાંસુધી તે પ્રાપ્ત કરવા બે પ્રકારની તેમની વ્યુહ રચના કરશે. એક, હીદું સમાજ, જે જ્ઞાતીના ઉંચનીચના માળખામાં સદીઓથી વહેંચાઇ ગયો છે તેવા મતદારોના મનમાં હીદું સંયુક્ત ઓળખ પેદા કરવા 'અવીશ્વાસની અપવૃત્તી ' (creating paranoia among caste Hindus) જ્ઞાતીની ઓળખને બાજુપર રાખીને પેદા કરવી. બીજું યેનકેન પ્રકારે વીરોધ પક્ષો ક્યારે એક ન થાય તેવી રાજકીય ચાલ સતત રમ્યા કરવી. તે કરવા માટે મોદી–શાહની બેલડીએ બધાજ પ્રકારની નૈતીકતાને બાજુ પર મુકીને રાજ્યકક્ષાના પક્ષો જેવા કે આમઆદમી પાર્ટી દીલ્હીમાં,ત્રિનમુલ કોગ્રેસ પશ્ચીમ બંગાળમાં અને બીહારમાં જનતાદળ (યુનાઇટેડ) ને ખલાસ કરી નાંખવા. જેથી સને ૨૦૧૯માં તે બધા વીરોધ પક્ષો ભેગા થઇને સંયુક્ત મોરચો બીજેપી સામે ઉભો કરી શકે નહી.

 મોદીના મનમાં તે સફળતા હાંસલ કરવાની દ્રષ્ટી કઇ છે ? પોતાના રાજકીય વીરોધીઓને ઉધેમાર્ગે દોરવા અને પોતાની મોટાઇ કે ભવ્યતાની સખત પ્રજાના કરવેરાના પૈસે ઉભી કરાયેલી છાપને ટકાવી રાખવા(Behind the camouflage  of his grandiose) અત્યાર સુધીના બાકી રહેલા વચનો પાળવા માટેનો અફર નીર્ણય કરશે.પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે હીદું રાષ્ટ્ર બનાવવાના વચનો આપશે. તેનો છુપો ઇશારો મોદીના પંદરમી ઓગસ્ટના પ્રવચનમાં આપણ ને મળી ગયો છે. બીજેપી–મોદી– આર એસ એસના સંયુક્ત ત્રણવર્ષના શાસનમાં તેમનું હીદું રાષ્ટ્ર કેવું બનશે તેની હજુ કોને સમજાવવાની જરૂર છે!

આ રાજ્ય પડોશીઓ સાથે સુમેળભર્યા સંબંધો રાખવાને બદલે સંઘર્ષ જ કર્યા કરશે. આ રાજ્યની અંદર દેશમાં બહુધાર્મીક વીવીધતાતાને બદલે એક જ ધર્મ તે પણ હીદું ધર્મ આધારીત એકજ હીદુંત્વ સાંસ્કૃતીક સમાજ(a single homogenized culture) પેદા કરવામાં આવશે. મુસ્લીમ અને અન્ય લઘુમતીઓનું સ્થાન અમે નક્કી કર્યા પ્રમાણેનું રહેશે અને તે રીતે નભાવી લેવામાં વશે. દેશમાં હવે બહુવીધ ધાર્મીકતાઓને નીભાવી લેવામાં આવશે (પણ સ્વીકારી લેવામાં આવશે નહી.)આ દેશમાં હવે બહુવીધ સાંસ્કૃતીકતાનું (but cultural pluralism will not. ) કોઇ સ્થાન રહેશે નહી. લઘુમતીઓએ દેશની બહુમત સાંસ્કૃતીકતામાં પોતાની ઓળખને ઓગાળી દેવી કે આત્મસાત કરી દેવી(cultural assimilation) પડશે. છેલ્લા ૭૦ વર્ષોથી નહી પણ છેલ્લા ૨૦૦૦ વર્ષોથી જે બહુવીવીધતામાં એકતાનો જે રાષ્ટ્રીયતત્વનો સાંસ્કૃતીક વારસો છે તેને બદલી નાંખવાનો મોદીનો ઇરાદો સ્પષ્ટ છે. શું આવો પાયાનો અને દુરોગામી કાયમી અસરો પેદા કરનારો ફેરફાર શક્ય છે? જો ના તો તે લાવવા માટેની કોશીષોના પરીણામો કેવા આવશે? ત્રણવર્ષના તેમના સમયકાળના આધારે કેવો જવાબ હોઇ શકે તેને નજરઅંદાજ કરી શકાય નહી. તેમના શાસનના દરેક ક્ષેત્રમાં મોદી દેશને પાછાવળી ન શકાય તેવા મૃત્યુ સમીપના માર્ગે દોરી જાય છે. જો મોદી આ દીશામાં દેશને લઇ જવાનું ચાલુ રાખશે તો ચોક્કસ ભારત એક રાજ્ય તરીકે તુટી પડશે.( In every single sphere of governance, Modi is leading India into deadly peril. If he continues down this road, India's failure as a state is guaranteed.)

 કાશ્મીરમાં રાજકીય વીરોધ સામે શુન્ય સહીષ્ણુતા–Zero Tolerance in Kashmir.

ચાલો આપણે. શાંત ચીત્તે તપાસીએ કે છેલ્લા ત્રણ વર્ષમાં આ માણસ આપણા દેશને ક્યાં લઇ ગયો છે અથવા તેણે દેશને ક્યાં લાવીને મુક્યો છે? કાશ્મીર રાજ્યમાં રાજકીય વીરોધ સામે રાજ્યને અબાધીત અને ત્રાસદાયક શુન્ય સહીષ્ણુતા સાથેની સત્તા વાપરવાની બે લગામ છુટ આપી દીધી છે. આજે કાશ્મીરમાં યુધ્ધ માટે લડતા મીલીટન્ટસ નથી પણ આતંકવાદીઓ છે. જેમને શરણાગતી સ્વીકારવાની તક આપ્યા સીવાય જ મારી નાંખવામાં આવે છે. મોદી કહે છે કે' મારે કાશ્મીરઓને આવા આતંકવાદીઓ જે તમને કાંટાની માફક ખુંચે છે તે બધાથી સ્વતંત્ર કે મુક્ત બનાવવા છે. તેની સામે કાશ્મીરની શેરીઓમાં સેંકડો નહી પણ હજારોની સંખ્યામાં યુવાનો સામે આવી ગયા અને ગયાવર્ષે પાંચ મહીના સુધી આખા કાશ્મીર રાજ્યને જાણે બાનમાં લીધુ હોય તેમ બંધ કરી દીધું હતું. તે રાજ્યના મુખ્યપ્રવાહ અને અલગતાવાદી બંને પ્રકારના નેતઓએ સ્પષ્ટ શબ્દોમાં વારંવાર જણાવી દીધુ છે કે ' અમારે ભારતથી આઝાદી જોઇએ છીએ ' પણ તેનો અર્થ એ નથી કે અમારે કાશ્મીર રાજ્યને પાકીસ્તાનનો એક ભાગ બનાવવો છે. તેવીજ રીતે તે બધાને ભારત સાથેના તમામ સંબંધોનો અંત લાવવો નથી કે બધા સંબંધો કાપી નાંખવા છે. પ્રજા તરીકે અમારા પર દીલ્હી રાજ્ય ચલાવે તે બીલકુલ માન્ય નથી. બલ્કે તે અસહ્ય છે. ખાસ કરીને રાજકારણ, સાંસ્કૃતીક અને ધર્મની બાબતમાં એક રાજ્યની પ્રજા તરીકે અમને સંપુર્ણ આઝાદી જોઇએ. આજે કાશ્મીરના મધ્યમમાર્ગી( મેઇનસ્ટ્રીમ) અને અલગતાવાદી નેતાઓ બંને નવીદીલ્હીના વલણોથી ઉત્તેજીત અને ચીંતાગ્રસ્ત છે. રાજકીય સંવાદ ફરીથી ચાલુ કરવા તેઓ તૈયાર છે ત્યારે મોદી સરકાર કાશ્મીરમાં બંદુક અને બેરલના નાળચા પર આધાર રાખે છે. તેથી કાશ્મીરી યુવાનો ક્રમશ: પાકીસ્તાન તરફી અને હવે તાજેતરમાં અલકાયદા અને આઇએસઆઇએસ(al-Qaeda and ISIS) તરફી ઢળી રહ્યા છે. જે કાશ્મીર અને ભારત દેશના ભવીષ્ય માટેનો શુભ સંકેત નથી.

મોદીએ એક વર્ષ પહેલાં કાશ્મીર રાજ્યના વીરોધપક્ષના નેતાઓને વચન આપ્યું હતું તે કાશ્મીરમાં શાંતી સ્થાપવા અથવા કોઇ ઉપાય શોધી કાઢવા દેશના બંધારણના માળખાની અંદર રહીને સંવાદ કરવા તૈયાર છે. પરંતુ મોદી તો ખરેખર કોઇપણ સ્થાનીક સરકારો કે દેશના કોઇપણ રાજ્યની સરકારો વધુ સત્તાશાળી કે સ્વાયત્ત બને તે તો તેમની મજબુત રાષ્ટ્ર– રાજ્યની પરીકલ્પનાની વીરૂધ્ધ જાય છે તેથી આવા કોઇ ઉપાયો કે ઉકેલોને તે કેવી રીતે માન્ય કરે કે કબુલ રાખે ! જો વીકેન્દ્રીત સમવાયી રાજ્યો મજબુત અને શક્તીશાળી થઇ જાય તો પછી મોદીની દીલ્હીની સત્તાનો ભાવ કોણ પુછે? રાજ્ય મજબુત= રાજ્યનો મુખ્યપ્રધાન મજબુત = કેન્દ્ર સરકાર નબળી=કેન્દ્રનો નેતા નબળો. આ સમીકરણ અમલમાં આવે તો મોદી ક્યાં જાય? કાશ્મીર સમસ્યાનો ઉકેલ મોદી સરકાર પોતાની સત્તા નબળી પાડીને કેવીરીતે લાવી શકે?

ભયંકર નુકશાનકારક વીદેશ નીતી–A dangerous foreign policy

મોદીની સખ્તાઇ ભરેલી કાશ્મીર સામેની નીતી ને કારણે કાશ્મીરની પ્રજા પાકીસ્તાન અને જેહાદી લોકોના હાથનો શીકાર બની ગઇ છે. મોદીની આ નીતીને કારણે પાકીસ્તાની લશ્કરી તંત્રને સને ૨૦૦૭થી દેશની લોકશાહી સરકારો સામે લશ્કરી સત્તાના કેન્દ્રીકરણ માટે જે તક આટલા વર્ષોથી નહતી મળતી તે સોનેરી તક પુરી પાડી છે.પાકીસ્તાની દેશના લોકશાહી પરીબળો પાસેથી આ બાના હેઠળ લશ્કરે રાજકીય સત્તાનું પલ્લુ પોતાની તરફેણમાં નમાવી દીધુ છે.પાકીસ્તાન દેશનું રાજકીય સુકાન લોકશાહી પરીબળો પાસેથી ત્યાંના લશ્કરે મોદીની કાશ્મીરની નીતીને કારણે પોતાને હસ્તક લઇ લીધું છે. ભારત સરકારે સને ૨૦૧૨માં પાકીસ્તાનની નાગરીક સરકારને પોતાની હુંડીયામણની નાણાંકીય કટોકટી ઉકેલવામાં અનુકુળતા અને સગવડ ભર્યો અભીગમ દાખવીને જે ગુડવીલ તે દેશની સરકારો અને પ્રજામાં પણ ઉભી કરી હતી તેને મોદીની વીદેશ નીતીએ ધોઇ નાંખી છે. સને ૨૦૧૬માં લાઇન ઓફ કંટ્રોલમાં સામ– સામી ફાયરીંગમાં ૩૯ ભારતીયો મૃત્યુ પામ્યા અને ૧૩૩ ઘવાયા અને સને ૨૦૧૭ની સાલમાં અત્યાર સુધીમાં ૨૪ મૃત્યુ પામ્યા અને ૧૭૦ ઘવાયા છે. પાકીસ્તાને કબજે કરેલ કાશ્મીરમાં ૫૦૦ ગરીબ ને સંપુર્ણ નીર્દોષ નાગરીકોએ જાન ગુમાવ્યા છે અને તેટલીજ જાનહાની જમ્મુ અને કાશ્મીરમાં થઇ છે. મોદી પોતે અને પાકીસ્તાનનું લશ્કરી તંત્ર બંને સારી રીતે જાણે છે એટલુંજ નહી પણ સમજે છે કે આ લશ્કરી મુડભેડથી બેં માંથી કોઇ દેશને એક ઇંચ પણ જમીન વધારાની પ્રાપ્ત થઇ નથી.

મારા મત મુજબ મોદીની ચીન સાથેની નીતી સને ૧૯૬૨મા નહેરૂએ જે નીતી અને ત્યારબાદ સંઘર્ષ માથે લઇ લીધો હતો તેનાથી જુદી નથી.

 મેં મારા લેખોમાં ખુબજ વીસ્તૃત રીતે, સંઘ પરીવાર દ્રારા સતત નીષ્ઠુર રીતે ભારતીય મુસલમાનો,સેક્યુલર બૌધ્ધીકો, ડાબેરીઓ અને ભાજપના વીરોધીઓ પર જે હીંસક હુમલા કરવા–કરાવવામાં આવે છે તે અંગે લખ્યું છે. તેમાં સરકારપણ પોતાના કાયદા તંત્રનો ઉપયોગ અને ગેરઉપયોગ બેફામ રીતે કરે છે. આ બધા વીષે આ લેખમાં વીગતે લખવા માંગતો નથી કારણકે તેમાં વાતનું પુનરાર્વતન થાય છે.

તે જ કારણોસર ભારતીય અર્થતંત્રમાં છેલ્લા ત્રણ વર્ષોમાં જે આઘાતજનક રીતે ગીરાવટ આવી છે, જેને મોદી સરકાર યુક્તીપ્રયુક્તીઓ કે છળપ્રપંચથી ઢાંકવાની કોશીષો કરી રહ્યું છે તેની વાત પણ અહીયાં કરીશ નહી.આ બધી આર્થીક નીતીઓ નહી પણ કુનીતીઓને કારણે દેશમાં લાખો માણસોએ પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે.અને નવી રોજગારી છેલ્લા ત્રણ વર્ષોમાં શુન્યપર (close to zero) આવી ગઇ છે. તે અંગે પણ લખીશ નહી. પરંતુ મોદી તેની રાક્ષસી કે હીમાલય જેટલી ભુલો પાકીસ્તાન, ચીન, નેપાલ,અને ભારતીય અર્થતંત્રની સાથે નોટબંધી વી. જે રમતો રમીને કરી છે તેમાંથી પાછા વળવું તેના સ્વભાવમાં નથી. સત્તા ભુખ્યા રાજકારણીનું નહી પણ બાહોશ રાજનીતીજ્ઞનો એ સદગુણ હોય છે કે તે પોતાની ભુલો સ્વીકારે છે અને તે ભુલો સુધારીને પોતાના પગલાં કે નીતીઓથી દેશને થતું નુકશાન અટકાવે છે. મોદીએ પોતાના વ્યક્તીત્વમાં આવા રાજનીતીજ્ઞ જેવા સદગુણ હોય તેમ હજુ સુધી બતાવ્યું નથી.( Prem Shankar Jha is a senior journalist and the author of several books including Crouching Dragon, Hidden Tiger: Can China and India Dominate the West?)

 

 

--

Friday, September 22, 2017

રામચંદ્ર ગુહા, સોલી સોરાબજી અને બીજાના ગૌરી લંકેશના ખુન સામે પ્રતીભાવો

 | રામચંદ્ર ગુહા , તમે આર એસ એસ ની જાહેરમાં માફી માંગો અથવા કોર્ટમાં ફોજદારી કેસ લડો. ( લેખને ટુંકાવીને ભાવાનુવાદ કરેલ છે)

કેમ? કારણકે તમે એવો આક્ષેપ કર્યો છે કે જર્નાલીસ્ટ ગૌરી લંકેશની હત્યામાં આર એસ એસનો હાથ છે.આવી રીતની નોટીસ ભારતીય જનતા પાર્ટીએ આપી છે. જેના પર આક્ષેપ કર્યો છે તે આર એસ એસએ સંસ્થા તરીકે કોઇ નોટીસ આપી નથી.બીજેપીના કર્ણાટક રાજ્યના રાજ્ય મંત્રી શ્રી કરૂણકુમાર ખાસલેએ આ નોટીસ આપી છે. તેમનો આક્ષેપ છે કે ગુહાએ એક સમાચાર સંસ્થાને આપેલ ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું છે કે ' તેણીના ખુનીઓ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના ખુનીઓ જે સંઘપરીવારની સંસ્થાના હતા તેજ સંસ્થાના હોય તેમ લાગે છે.' અંગ્રેજીમાં ઇ. એકસપ્રેસે આ પ્રમાણે લખ્યું છે. . "It is very likely that her murderers came from the same Sangh Parivar from which the murderers of Dabholkar, Pansare and Kalburgi came," વધુમાં નોટીસની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે ગુહા આ ઇન્ટરવ્યુ  Scroll.in. 11 Sep ના રોજ આપેલ છે. આ ઇન્ટરવ્યુમાં ગુહાએ વધુમાં જણાવ્યું હતું કે ' અટલ વીહારી વાજપાઇએ કહ્યું હતું કે  કોઇ ચોપડીના કે લેખના લખાણ સામે વાંધો હોય તો તેની સામે આપણે બીજી ચોપડી કે લખાણ લખીને જ જવાબ આપવો જોઇએ.પણ આપણે આજે વાજપાઇના યુગમાં નહી  મોદીના યુગમાં જીવીએ છીએ તે ભુલવું ન જોઇએ. આજે ભારતમાં સ્વતંત્ર લખાણ લખતા લેખકો, જર્નાલીસ્ટો ને અસહ્ય રીતે ત્રાસ આપવામાં આવે છે, તેઓને જુદા જુદા ગુનામાં સંડોવવામાં આવે છે, અરે! મારી પણ નાંખવામાં આવે છે.ગુહા વધુમાં આજ ઇન્ટરવ્યુમાં જણાવે છે કે તેથી અમે તેમની શરણાગતી સ્વીકારીશું નહી.'

( સૌ.By: Express Web Desk | New Delhi | Published:September 11, 2017 9:35 pm)

ઉગતી હીંસાને ડામી નહી દેવામાં આવે તો––

કેરાલ રાજ્યની અંદર 'હીદું એક્ય વેદી' નામની સંસ્થાના નેતા કેપી શશીકલાએ પત્રકાર ગૌરી લંકેશની હત્યાને બીરદાવીને દેશના સેક્યુલર લેખકોને જાહેરમાં ધમકી આપે છે. ' તમારુ ભાવી ગૌરી લંકેશથી જુદુ નહી હોય જો તમારુ નીરઇશ્વરવાદી રેશનાલીસ્ટ લખવાનું બંધ નહી કરોતો? તમારે અમારાથી બચવું હોય તો પ્રાર્થના કરવા મંડી પડો ! આવી જાહેરમાં હીંસા ભડકાવે તેવું બોલવા માટે તાત્કાલીક ક્રીમીનલ કાયદા મુજબ પગલાં ભરવામાં આવ વાં જ જોઇએ. આવું જાહેરમાં બોલનાર રાજકીય નેતા, ધાર્મીક નેતા કે સામાજીક કર્મનીષ્ઠ, ગમે તે હોય તો તે કાયદા થી પર ન હોવો જોઇએ.

 આપણા દેશમાં જે અસહીષ્ણુતાનું વાતવરણ બનાવવામાં આવ્યું છે તેનું કારણ ગુનેગારોને કાયદા મુજબ ત્વરીત કાર્યવાહી અને સજા નથી તેનું પરીણામ છે.તેથી આવા કે.પી. શશીકલા જેવા નેતાઓ આવું હીંસાને ટેકો મળી શકે તેવા જાહેર ઉચ્ચારણો કરી શકે છે. આ કોઇ અભીવ્યક્તીના સ્વાતંત્રય કે વાણી સ્વાતંત્રયના અધીકારના બચાવ માટેનું સાધન ન હોઇ શકે! ભારતીય દંડસંહીતાની કલમ ૫૦૩, ૫૦૬ અને ૫૦૭ મુજબ ગુનાહીત કે ગુનો કરવા માટે પ્રેરાય તેવી ધાકધમકીની જોગવાઇ મુજબ તેમની સામે કાર્યવાહી થઇ શકે તેમ છે. પણ આવા મોટી લાવગ ધરાવતા 'મોટા માથા ' સામે કોણ કેસ કરવાની હીંમત કરી શકે! ( સૌ.ટાઇમ્સ ઓફ ઇંડીયા.૧૨–૯– ૨૦૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

મોદીજી,

સત્તા સામે વીરોધી અવાજ કાઢનારાને પુરતું સંરક્ષણ આપો.તેમના સંરક્ષણની સંપુર્ણ જવાબદારી રાજય સત્તાની છે.અને જે બધા સત્તા અને ધર્મ સામે અસહમતીનો મત રજુ કરનારા છે તે બધાને હીંસક નીશાન બનાવનારને શીક્ષા કરો.–– સોલી સોરાબજી.ભુતપુર્વ એટર્ની જનરલ ઓફ ઇંડીયા.

             કોઇપણ રાજયસત્તાના સુશાસનનો માપદંડ તે છે જ્યાં પોતાનાથી વીરોધી મતને સહન કરવામાં આવે છે અને તેવા અસહમતીઓને સંરક્ષણ આપવામાં આવે છે.  તાજેતરમાં ગૌરી લંકેશનું જે પુર્વઆયોજીત ખુન (premeditated murder) કરવામાં આવ્યું છે તે કોઇ અંગત દુશ્માનવટ કે નાણાંકીય લેવડદેવડ માટે કરવામાં આવેલ નથી. આ ઘટના ખરેખર દુ;ખદાયક છે. તે બનાવ દેશની લોકશાહી માટે આઘાતજનક છે. લોકશાહીમાં વીરોધી મત તો તે લોકશાહી પ્રથાના હ્રદયનો ધબકાર છે. (Because dissent is the soul of democracy)

સુસંસ્કૃત સમાજમાં રાષ્ટ્ર માટે સારુ શું કે ખોટું તે અંગે જુદા જુદા પ્રમાણીક અભીપ્રાયો લોકોના હોવાજ જોઇએ. સહીષ્ણુ સમાજમાં જુદા જુદા મત મતાંતરો ધરાવતા જેવાકે ઉદ્દામવાદીઓ અને પ્રત્યાઘાતીઓ, માલીકો અને કામદારો, ધાર્મીકો અને નીરઇશ્વરવાદીઓ, મુડીવાદીઓ અને સામ્યવાદીઓ, તથા અગણીત જાતભાતના ચક્ર્મો કે તરંગીઓ અને ધર્મઝનુનીઓ સહીતના ને પોતાના મતો કાયદાની મર્યાદાઓમાં રહીને શાંતીમય રીતે હીંસાને ઉશ્કેરાયા સીવાય વીચારો અને પ્રવૃતીઓ કરવાની સ્વતંત્રતા હોવી જોઇએ.

કોઇપણ સત્તાધીશોની સામે ભીન્ન મત રજુકરનારને કાયદાનો ભંગ કરનાર, દેશવીરોધી કે રાષ્ટ્રદ્રોહીનું લેબલ લગાડી દેવાય નહી. બદમાશ કે હરામખોરો પાસે પોતાના બચાવનું છેલ્લું હથીયાર 'દેશપ્રેમ' ની દલીલનું હોય છે.(Remember, patriotism is the last refuge of a scoundrel.)શાંતીમય વીરોધ અને સત્તાવીરોધી અવાજ, તે બંને લોકશાહી સમાજનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વીકસાવવાના અનીવાર્ય અંગો છે. તેથી શાંતીમય વીરોધ કરનારાને જેલમાં ભરી દેવા તે કોઇપણ લોકશાહી ઢબે ચુંધાયેલી સરકારોનું ગેરબંધારણીય કૃત્ય છે. જે નીંદા અને વખોડવાને પાત્ર છે.

ગૌરી લંકેશ માટે એમ કહેવાય છે કે તેણી નક્ષલવાદીઓની તરફેણ કરતી હતી, તેણી ઉગ્ર હીંદુત્વવાદીઓની વીરોધી હતી. તેણીના વીચારોને કારણે તેણી ઘૃણાને પાત્ર બની ગઇ હતી. પણ  તેણીની પ્રવૃત્તીઓ અને લખાણો તેણીના વીરોધીઓને લેશમાત્ર હાની પહોંચાડતા નહતા. વીરોધી અવાજને બંદુકની ગોળીઓથી શાંત બનાવી દેવાય નહી.( Dissenting views cannot be silenced by the bullet of a gun) હજુ આપણે જાણી શકતા નથી કે કોણે પ્રો. કલબુર્ગી, ગોવીંદ પાનસરે અને ડૉ નરેન્દ્ર દાભોલકરને મારી નાંખ્યા છે? રેશનાલીઝમ અને ધાર્મીક ઉગ્રવાદીઓના સંઘર્ષમાં દુ;ખ સાથે જણાવવું પડે છે કે ધાર્મીકઉગ્રવાદીઓનું પલ્લુ ઘણુ ભારે છે. જે દેશમાટે ભયજનક છે.(સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૯–૯–૧૭ નો ભાવાનુવાદ.)

(The writer is a former attorney general of India )

 

 

 

 

 

 

 


--

Monday, September 18, 2017

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

 

ગૌરી લંકેશે પોતાની પત્રીકામાં છેલ્લો સંપાદકીય લેખ નીચે પ્રમાણે લખ્યો હતો.

તેની પત્રીકાનું નામ હતું  ગૌરી લંકેશ પત્રીકે. તે ૧૬ પાનાની અઠવાડીક પત્રીકા હતી. તે તા. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પ્રકાશીત થવાની હતી. તે કન્નડ ભાષામાં પ્રકાશીત થતી હતી. જેનું પ્રીન્ટીંગ વી. પુર્ણ થઇ ગયું હતું તેણીનો તે પત્રીકામાં પાન નંબર ત્રણ પર લખેલા સંપાદકીય લેખની વીગત નીચે મુજબ છે. જે તેણીના જીવનનો છેલ્લો લેખ બની ગયો. ગૌરી કન્નડમાં ' કંડા હોગે' ના નામથી લેખ લખતી હતી જેનો અર્થ થાય છે ' જે મેં જોયું. તેવું લખ્યું.' તેણી પોતાની માતૃભાષામાં લખતી હતી. તેને કારણે તેણીની કલમ ધારદાર હતી. તે કેટલી ધારદાર હતી તે તેણીના છેલ્લા સંપાદકીય લેખથી આપણને ખબર પડશે. તેણીના છેલ્લા સંપાદકીય લેખનું ટાઇટલ હતું ' ફેક ન્યુઝના જમાનામાં'

   જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હીટલરના સાથી ગોબ્લેસ, જે જર્મનીમાં પોતાના નેતાની સત્તા ટકી રહે માટે જે જુઠ્ઠાણા ફેલાવતો હતો તેથી વીશ્વ વ્યાપી બની ગયો હતો. તેની માફક મોદીના વાહ વાહ કરવા જે બનાવટી સમાચારો ' ફેક ન્યુઝ'  જુઠ્ઠાણા ફેલાવવાની કે તૈયાર કરવાની ફેકટરી બનાવવામાં આવી છે તેની વાત ગૌરીએ પોતાની આ છેલ્લી પત્રીકામાં લખી હતી.

જુઠ્ઠા સમાચારોની ફેકટરી મોટે ભાગે મોદી ભક્તો દ્રારા જ ચલાવવામાં આવે છે. હું આવા જુઠ્ઠાણા ફેલાવવાથી જે નુકશાન થઇ રહ્યું છે તેની વાત આ સમયના મારા સંપાદકીય લેખમાં કરવાની છું.

 બે દીવસ પહેલાં જ ગણેશ ચતુર્થીનો તહેવાર ગયો. તે દીવસે સોસીઅલ મીડીયામાં એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું. આ જુઠ્ઠાણું આર એસ એસવાળા તરફથી ફેલાવવામાં આવ્યું હતું. હવે તે જુઠ્ઠાણું કેવું હતું તે જોઇએ. જુઠ્ઠાણું એવું હતું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર જે ગણેશ ભક્તોને  ગણેશજી માટે મંદીર બાંધવું હશે તેને જમીન આપશે. પણ કેટલીક શરતોને આધીન. જેવીકે સરકારમાં " " જમીન માંગનારે દસ લાખ રૂપીયા ડીપોજીટ સરકારમાં ભરવી પડશે, મુર્તીની ઉંચાઇ કેટલી રાખવાની તે સરકાર નક્કી કરશે. બીજા ધર્મના લોકોના રહેણાંક વીસ્તારોમાંથી ગણપતી વીસર્જન કરવા વરઘોડા નહી કઢાય, વરઘોડામાં ફટાકડા ફોડવાની પરવાનગી નહી મળે, ઉપર મુજબનું જુઠ્ઠાણું આર એસ એસના લોકોએ ખુબજ ફેલાવ્યું. આ જુઠ્ઠાણું સોસીઅલ મીડીઆ પર એટલું બધુ ફેલાઇ ગયું કે કર્ણાટક રાજ્યના પોલીસ વડાશ્રી આર. કે. દત્તા સાહેબને રાજ્ય કક્ષાની પત્રકાર પરીષદ બોલાવી પડી. અને હોદ્દાની રૂએ જાહેર કરવું પડયું કે આ બીલકુલ જુઠ્ઠાણું છે. સરકારે આવી કોઇ નીયમાવલી જાહેરાત કરેલ નથી. અ બધા જુઠ્ઠાણા છે.

 આ જુઠ્ઠાણું કોણ અને કેવી રીતે ફેલાવે છે તે શોધી કાઢવાનો મેં પ્રયત્ન કયો. તો હું એક વેબસાઇટ પર પહોંચી જેનું નામ હતુ 'POSTCARD.IN ' આ વેબ સાઇટ કટ્ટર હીંદુત્વવાદીઓની નીકળી. તેનું દરરોજનું કામ આવા બનાવટી ' ફેંક ન્યુઝ બનાવીને સોસીઅલ મીડીયા પર મુકવા અને ફેલાવવા.'

 ૧૧મી ઓગસ્ટે આ વેબ સાઇટ POSTCARD.INમાં એક મોટું મથાળ બનાવીને લખવામાં આવ્યું કે ' કર્ણાટકમાં તાલેબાન સરાકાર'.આવા મથાળાની મદદથી સમગ્ર કર્ણાટક રાજ્યમાં જુઠી અફવા ફેલાવાનું આયોજન કરવામાં આવ્યું. આવી અફવા ફેલાવનારા સંઘના લોકો તેમાં સફળ થયા. જે લોકો મુખ્યમંત્રી સીધ્ધારમૈયાની સરકારથી નારાજ હતા તે બધાએ આ જુઠ્ઠા સમાચારને પાતાનું હથીયાર બનાવી દીધું. સૌથી દુ:ખદ અને આઘાતજનક બાબત એ છે કે લોકોએ પણ આવા સમાચારની સચ્ચાઇને તપાસ્યા સીવાય જ સાચી માની લીધી. તે બધાએ પોતાના કાન, નાક અને દીમાગનો ઉપયોગ જ ન કર્યો.

ગયા અઠવાડીયે  જ્યારે હરીયાણાની એક કોર્ટે રામ રહીમનામના એક ઢોંગી બાબાને બળાત્કારના ગુના માટે  ૨૦ વર્ષની સજા ફટકારી. તે સાથે આ ઢોંગી બાબા સાથે બીજેપીના જુદા જુદા નેતાઓની તસ્વીરો સોસીઅલ મીડયા પર ઝડપથી અને મોટા પાયે ફેલાઇ ગઇ. તેનાથી બીજેપી અને સંઘની નેતાગીરી બચાવમાં આવી ગઇ, મુશ્કેલીમાં મુકાઇ ગઇ. તેના પર પ્રતીહુમલો કરવા માટે  કેરલાના મુખ્યમંત્રી પીનરાઇ વીનીયનનો ફોટો આ ઢોંગીબાવા સાથેનો સોસીઅલ મીડીઆ પર ફરતો કરી દેવામાં આવ્યો. ખરેખર આ તસ્વીર ફોટોશોપની કારીગીરી હતી. જેમાં એકનું માથું કાઢી નાંખીને ગણપતીની માફક બીજાના માથાપર થોપી દેવામાં આવ્યું હતું. પછી તરતજ સંઘના પ્રચાર તંત્રે તેને સોસીઅલ મીડીયા પર મુકી દીધું. મઝાની હકીકત તે બની કે લોકોએ ફોટોશોપના ફોટાને દુર કરીને અસલી ફોટો સાથે મુકી દીધો. આ રીતે સોસીઅલ મીડીયાપર જુઠનો પર્દફાશ કરવામાં આવ્યો હતો.

ગયાવર્ષ સુધી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આ ફેકન્યુઝના ક્ષેત્રે બોલબાલા હતી. તેને કોઇ પડકારતું ન હતું. હવે ઘણા બધા આ ફેક ન્યુઝના જુઠ્ઠાણાને પડકારા તૈયાર થઇ ગયા છે. તે માટેની કમ્પ્યુટર નીપુણતાથી સજ્જ થઇ ગયા છે. હવે આવા ફેક ન્યુઝની સાથે જ સાચા સમાચાર મુકી દેવામાં આવે છે. હવે લોકો તેથી બંને સમાચારો વાંચી – સમજી શકે!

બીજું એક ઉદાહરણ આપું.–૧૫મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીજીએ લાલકીલ્લા પરથી ભાષણ કર્યું હતું. તેમાં રજુ કરેલ હકીકત તારીખ ૧૭મી ઓગસ્ટના રોજ સોસીઅલ મીડીયા પર ખુબજ વાયરલ થઇ. ધ્રુવ રાઠી નામના એક આઇ ટી નીષ્ણાતે જે આમ તો નવજુવાન કોલેજીયન લાગે છે તેની મુખ્ય પ્રવૃતી સોસીઅલ મીડીયા પર મોદીના ફેલાવવામાં આવતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો. તેનો મુકેલો વીડીયો એક જ દીવસમાં એક લાખ લોકો સુધી પહોંચી ગયો. ગૌરી લંકેશ મોદીને હંમેશાં કન્નડ ભાષાના મુહાવરો " બુસી બુસીયા" થી સંબોધતી હતી.  જેનો અર્થ થાય છે, 'જ્યારે પણ તે બોલશે ત્યારે જુઠ જ બોલશે.' પેલાઆઇ ટી નીષ્ણાત ધ્રુવ રાઠીએ સાબીત કર્યુ કે આ બુસી બસીયા સરકારે રાજ્ય સભામાં મેં ૨૦૧૭ની જણાવ્યું હતું કે  નોટબંધી પછી નવા ૩૩ લાખ કરદાતાઓ આવ્યા છે. તેનાં પહેલાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે નોટબંધી પછી ૯૧ લાખ નવા કરદાતાઓ જોડાયા છે. આખરે જે આર્થીક સર્વે દેશ સમક્ષ રજુ થયો તેમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત પાંચ લાખ ચાલીસ હજાર નવા કરદાતાઓ નોટબંધી પછી વધ્યા છે. ધ્રવ રાઠીએ પોતાના વીડીઓમાં એ સવાલ ઉઠાવ્યો હતો કે આ ત્રણમાંથી સાચો આંકડો કયો?  

આજનું મેઇનસ્ટ્રીમ મીડીયા કેન્દ્ર સરકાર અને બીજેપી પાર્ટી દ્રારા જે આંકડા તથા હકીકત ન્યુઝ આપવામાં આવે છે તેને વેદ વાક્ય તરીકે સ્વીકારીને જેમના તેમ મુકી દે છે. તેમાં પણ આજની ટીવી ચેનલ આ બધામાં આવા ન્યુઝ ફેલાવામાં દસ પગલાં આગળ છે.

જ્યારે રામનાથ કોવીંદે રાષ્ટ્રપતી તરીકે સોંગદ લીધા ત્યારે દેશની ઘણી બધી અંગ્રેજી ચેનેલોએ સમાચાર રમતા મુક્યા કે એક કલાકમાં રાષ્ટ્રપતીના ટ્વીટર માધ્યમ પર ફોલોઅરની સંખ્યા ૩૦ લાખ થઇ ગઇ. (वो चिल्लाते रहे कि 30 लाख बढ़ गया, 30 लाख बढ़ गया।) આ ન્યુઝ મીડીયાનો હેતુ દેશને બતાવવાનો હતો કે  જુઓ અમારા આ નીર્ણયના ટેકામાં દેશમાં કેટલા બધા લોકો છે.!  આ બધી ટીવી ચેનેલો જાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓની માફક કામ કરે છે. પોતાના ટીવી દેખનારાઓને સમાચાર ને બદલે સંઘ સુચીત સમાચારનું પીરસણ કરે છે. ત્રીસ લાખ કોવીંદના ટેકેદારોની બાબતમાં હકીકત એ છે કે રાષ્ટ્રપતી ભવનના સરકારી તંત્રે ગઇકાલે નીવૃત થયેલા રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જીના ટવીટર ખાતાના ફોલોઅર્સ કે સભ્યોને બીજા દીવસથી કોવીંદના ખાતામાં મુકી દીધા. જોકે તે ઉપરથી એક આડ વાત એ સાબીત થઇ કે વીદાય થતા રાષ્ટ્રપતીના ખાતામાં ત્રીસલાખથી વધારે  ફોલોઅર્સ હતા.

આજે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની દ્ર્રારા ફેલાવવામાં આવતા બધાજ સમાચારોની સચ્ચાઇ જાણવા માટેના ઘણા બધા લોકો મેદાને પડી ગયા છે. ધ્રુવ રાઠી વીડીયોની મદદથી આ કામ કરી રહ્યા છે. પ્રતીક સીન્હાએ ખાસ ફેક ન્યુઝને તપાસવાની વેબસાઇટ  altnews.in બનાવી છે.આ ઉપરાંત હોક્સ સ્લેયર, બુમ ઔર ફેક્ટચેક નામની વેબસાઇટ પણ આજ કામો કરે છે. આ ઉપરાંત

THEWIERE.IN, SCROLL.IN, NEWSLAUNDRY.COM, THEQUINT.COM  જેવી વેબસાઇટો પણ ફેક ન્યુઝને પકડવા માટે તૈયાર થઇ ગઇ છે. આ બધી વેબસાઇટની મદદથી તે લોકોએ સંઘના  ઘણા બધા જુઠ્ઠાણા પકડી પાડયા છે. આવી સત્યશોધક અને ફેક ન્યુઝના પડદાફાર્શની વેબસાઇટોની સક્રીયતાથી આર એસ એસવાળાની ઉંઘ હરામ કરી દીધી છે. ફેકન્યુઝના  પડદાફાર્શ કરનારા કોઇના પે લીસ્ટ પર નથી. તે બધાએ સ્વંય, મરજીયાત રીતે આ કામ ઉપાડી લીધું છે. તે બધાનું એક જ કામ છે કે સંઘવાળા ફાસીસ્ટ લોકોની જુઠની ફેકટરીનુ જુઠ ઉત્પાદન અને વીતરણનું કામ બંધ કરાવી દેવું. અને તેમના આવા જુઠ્ઠાણા લોકોની સમક્ષ ખુલ્લા બતાવી દેવા.

થોડા દીવસ ઉપર બેંગલુરમાં ખુબજ વરસાદ પડયો હતો. તે દીવસોમાં સંઘવાળાઓએ આયોજનપુર્વક એક ફોટો સોસીઅલ મીડીયા પર ફરતો મુક્યો. તેની નીચે નોંધમાં લખ્યું હતું કે લોકોને મંગળગ્રહ પર કેવી રીતે ચલાય તે બતાવવાનો ફોટો મુક્યો હતો.બેંગલુર નગરપાલીકાએ જાહેર કર્યુ કે આ ફોટો મંગલગ્રહનો નથી. સંઘવાળાનો હેતુ આ ફોટો બતાવીને મંગંળગ્રહની ઉબડખાબડ અને ઉંચીનીચી જમીન બતાવીને ત્યાંની સ્થાનીક પ્રજાને એવો સંદેશો આપવાનો હતો કે કે જુઓ આ તમારી નગરપાલીકાના રસ્તાઓ! પછી શોધી કઢાયું કે તે ફોટો મહારાષ્ટ્રના કોઇ એક શહેરની સડકોનો હતો જ્યાં બીજેપી સરકાર રાજ્યમાં સત્તાપર છે. પોતાનું જુઠ્ઠાણું પોતાના જ ગળે વળગ્યું.

 તાજેતરમાં પશ્ચીમ બંગાળમાં તોફાનો થયાં તો આર એસ એસના કાર્યકરોએ બે પોસ્ટરો બહાર પાડયા હતા. એક પોસ્ટરની નીચે લખવામાં આવ્યું હતું કે બંગાળ સળગે છે અને લોકોની મીલકતો સળગતી બતાવવામાં આવી હતી. બીજા ફોટામાં એક મહીલાનીસાડી ખેંચવામાં આવી રહી છે. તેની નીચે લખવામાં આવ્યું હતું કે ' બંગાળમાં હીદું મહીલાઓ સાથે અત્યાચાર થઇ રહ્યો છે.'  આ બંને ફોટાઓ પાછળનું સત્ય બહુ ઝડપથી બહાર આવી ગયું. પહેલા પોસ્ટરમાં જે મીલકતો સળગતી બતાવામાં આવી છે તે સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોની હતી જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીજી તસ્વીરમાં સ્રીની સાડી ખેંચતા ફોટાનું પોસ્ટર હતું તે એક ભોજપુરી ફીલ્મનો એક સીન હતો.

 ફક્ત આર એસ એસ વાળાની જ જુઠ્ઠા સમાચાર ફેલાવવાની મોનોપોલી નથી. આવાફેક ન્યુઝ ફેલાવવામાં મોદી સરકારના  કેન્દ્રીય મંત્રી પણ બાકાત નથી. દા;ત કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક ફોટો શેર કર્યો હતો. જેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ત્રીરંગા ઝંડાને સળગાવી રહ્યા હતા. ફોટાની નીચે લખવામાં આવ્યું હતું કે' ગણતંત્રના દીવસે હૈદ્રાબાદમાં લોકો ત્રીરંગાને આગ લગાવી રહ્યા છે.'

 હમણાં ગુગલ સર્ચે એક નવી એપ બનાવી છે. જેમાં આપ કોઇપણ તસ્વીર મુકીને જોઇ શકો છો કે આ તસ્વીર ક્યાંની છે અને ક્યારે અથવા કઇ તારીખે બહાર પાડવામાં આવી હતી. altnews.in વેબ સાઇટના માલીક પ્રતીક સીંહાએ શોધી કાઢયું કે આ ફોટો મોદી સરકારના કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી દાવો કરે છે તેમ તે ફોટો હેદ્રાબાદનો નથી પણ પાકીસ્તાનમાં જે કટ્ટરપંથી સંસ્થાપર પ્રતીબંધ મુકવામાં આવ્યો છે  તેણે ભારતના વીરોધમાં આપણા ત્રીરંગા ઝંડાને સળગાવ્યો હતો.

 આવી જ રીતે એક ટીવી ચેનલની પેનલ ચર્ચામાં બીજેપીના પ્રવક્તા સંબીત પાત્રાએ જણાવ્યું હતું કે સરહદ પર દેશનો ત્રીરંગો ઝંડો ફેલાવવામાં કેટલી બધી મુસીબતો પડે છે. તેની સામે જેએનયુ ના વીધ્યાર્થીઓને ત્રીરંગો ફેલાવવામાં શું મુશ્કેલી પડે છે. આવું પુછીને પાત્રાએ એક ફોટો બતાવ્યો હતો. પછી ખબર પડીકે આ ફોટો ભારતના સૈનીકોનો કોઇ સરહદ પરનો ફોટો નથી. પણ બીજા વીશ્વયુધ્ધ દરમ્યાન જપાનના એક ટાપુ અમેરીકન સૈનીકોએ કબજો કરેલ  હતો. તેના પર પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફેલાવતા હતા. પરંતુ ફોટોશોપની મદદથી સંબીત પાત્રા આવી તસ્વીર બતાવીને લોકોને આશ્ચ્રર્ય ચકીત કરતા હતા.ટવીટર પર સંબીત પાત્રાની લોકોએ ખુબજ મઝાક ઉડાવી હતી.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલએ એક તસ્વીર બહાર પાડી. જેમાં લખ્યું હતું કે દેશમા; ૫૦૦૦૦ કીલોમીટરના રસ્તાપર મોદી સરકારે ત્રીસ લાખ એલ ઇ ડી બલ્બ લગાવી દીધા છે. પરંતુ તેઓએ જે તસ્વીર સોસીઅલમીડીઆ અને અન્ય સ્થળોએ મુકી હતી તે ફેક અથવા જુઠ્ઠી નીકળી હતી. આ તસ્વીર ભારતની નહી પણ સને ૨૦૦૯ની સાલની જપાનની નીકળી. તે પહેલા આજ ગોયેલ સાહેબે ટવીટ કર્યું હતું કે કોલસાની અવેજીનો વીકલ્પ શોધી કાઢીને સરકારે ૨૫૦૦૦ કરોડ રૂપીયા બચાવ્યા હતા. તે ટીવટ કરેલી તસ્વીર પણ ફેક નીકળી.

છત્તીસગઢ રાજ્યના પીડબલ્યુડી વીભાગના મંત્રી રાજેશભાઇ ભુણતે એક પુલનો ફોટો પોતાની વેબસાઇટ પર મુક્યો. ને લોકોને જણાવ્યું કે જુઓ, આ મારી સરકારની કામગીરી છે. તે ફોટાને ૨૦૦૦ લોકોએ 'લાઇક કર્યું' પાછળથી ખબર પડી કે તે ફોટો છત્તીસગઢ નો ન હતો પણ વીયેટનામ દેશ નો હતો.

આવા જુઠ્ઠા સમાચારો ફેલાવવામાં અમારા કર્ણાટક રાજયના આર એસ એસ અને બીજેપીનમા નેતાઓ પણ પાછા પડે તેમ નથી. કર્ણાટકના સાંસદ પ્રતાપસીંહાએ એક રીપોર્ટ પોતાના તરફથી એમ કહીને ફેલાવવામાં આવ્યો હતો કે આ ન્યુઝ ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પ્રસીધ્ધ થયા હતા. તે ન્યુઝનું મથાળું હતું કે " એક હીદું છોકરીને મુસલમાને ચાકુ મારીને મારી નાંખી છે."  આખી દુનીયાની સચ્ચાઇના બણગાં ફુંકનાર પ્રતાપ સીંહાએ જાણવાની બીલકુલ કોશીષ જ ન કરી કે તેમાં કેટલું સત્ય છે. દેશ અને કર્ણાટક રાજ્યના કોઇપણ અખબારોએ આવા સમાચાર છાપ્યા ન હતા કારણકે તે સદંતર જુઠ્ઠા હતા. ફોટોશોપની મદદથી બીજા કોઇ સમાચાર પર આ સમાચાર ચોંટાડી દીધા હતા. અને પછી આવો ફોટો ન્યુઝ તરીકે પોતાના તરફથી ફરતો કરી દીધો હતો. તેને કારણે હીદું–મુસલમાનમાં કારણ વીનાનો કોમી તનાવ પેદા થઇ ગયો હતો. પોતાના ન્યુઝના ખરાપણા માટે તેણે ટાઇમ્સ ઓફ ઇંડીયાના નામનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સાંસદ સીંહા પર આ જુઠ્ઠા સમાચારને કારણે ખુબજ ધાંધલ થઇ ત્યારે તેણે પોતાની વેબસાઇટ પરથી ફક્ત આ ફોટો કાઢી નાંખ્યો હતો. માફી માંગવાની વાત તો બાજુપર રહી. આવું ખતરનાક તંગદીલી ફેલાવે તેવું કોમી જુઠ્ઠાણું ફેલાવવા માટે આ સાસંદને લેશ માત્ર અફસોસ ન હતો.

 ગૌરી લંકેશ લખે છે કે એક દીવસ મેં પટનાની લાલુ યાદવની રેલીનો ફોટો વાયરલ કરીને મુક્યો. મારા મીત્ર કહ્યું તે ફોટો સાચો નથી. તેમાં બતાવેલી જનસંખ્યા તે ફોટોશોપની કરામતથી બતાવવામાં આવી છે. તે ફોટો બનાવટી છે. મેં સાચો ફોટો અને બનાવટી ફોટો બંને મારી વેબસાઇટ પર મુક્યા અને કહ્યું કે મારી ભુલ થઇ ગઇ છે. આની પાછળ મારે કોઇ સાંપ્રદાયીક પરીબળોને ભડકાવવાનું કામ કરવાનું ન હતું. ઉપરની બધી હકીકતો લંબાણ પુર્વક રજુ કરવાનો મારો હેતુ આ બધા ફાસીવાદી પરીબળોને સાચા રંગે લોકો સમક્ષ ઓળખાવાનો હતો. મારી ઇચ્છા છે કે  આવા ખોટા અને જુઠ્ઠા સમાચારો ફેલાવનારાઓની સામે જુઠ્ઠાણાના પર્દાફાશ કરનારોની સંખ્યા દેશમાં ખુબજ વધે.

સબસે ખતરનાક વો ચાંદ હોતા હૈ

 જો હર કત્લ, હર કાંડ કે બાદ

વીરાન હુએ આંગનમેં ચઢતા હૈ

 લેકીન આપકી આંખો મેં મીર્ચી

 કી તરહ નહી ગડતા હૈ.––પાશ.

 

------------------------The end----------------

 


--

Sunday, September 17, 2017

ગૌરી લંકેશ( ૧૯૬૨–૨૦૧૭) ખુદ્દ્રાર જર્નાલીસ્ટને પ્રેમવીભોર શ્રધ્ધાંજલી.

ગૌરી લંકેશને આપેલી અદ્ભુત શ્રધ્ધાંજલી– સી રાજઘટ્ટા ( ભુતપુર્વ પતી)

ગૌરીના અપમૃત્યુને કારણે ઘણા બધાએ શ્રધ્ધાંજલી આપી હશે. મોટાભાગની શ્રધ્ધાંજલીઓમાં એમ લખાયું અને બોલાયું હશેકે ' ગૌરીના આત્માને શાંતી મળે, તેને સ્વર્ગ મળે, રેસ્ટ ઇન પીસ' વગેરે વગેરે.મારા મત મુજબ આવી શ્રધ્ધાંજલીઓને ગૌરી સમજી શકતી હોત તો તે ચોક્કસ મંદ મંદ હસતી હોત! મનમાં અને મનમાં મુશ્કરાય જ. કારણકે અમે બંનેએ અમારી યુવાનવયમાંજ (Teen years)  ઇશ્વર,મોક્ષ, સ્વર્ગ, પુન્ય પાપ અને મૃત્યુ પછી જીવનના ખ્યાલને વાહીયાત ગણીને ફગાવી દીધો હતો.

અમારા કોલેજકાળના સમયમાં મારા શહેર બેંગ્લોરને ભારતની રેશનાલીસ્ટ ચળવળનું કેન્દ્ર ગણવામાં આવતું હતું. તેમાં અમારી કોલેજના પ્રીન્સીપાલ અને પછી વાઇસચાન્સેલર ડૉ એન નરસીંહમૈયા અને શ્રીલંકાના આક્રમક રેશનાલીસ્ટ ડૉ અબ્રેહામ કવુર, બંને મારા અને ગૌરીના માર્ગદર્શક, મેન્ટર અને સલાહકાર હતા.અમારા બંનેનું રેશનાલીસ્ટ અને નીરઇશ્વરવાદી વ્યક્તીત્વ તે બે વડીલોની છત્રછાયા નીચે વીકસ્યું હતું. અમારા વીચારો પુરેપુરા રેશનાલીસ્ટ હતા .જે તે તેના ખુનના સંદર્ભને સમજવા માટે આ વાત મેં મુકી છે. જેથી બધાને ખબર પડે કે રેશનાલીસ્ટ અને ધર્માંધ લોકો સાથેના સંબંધો ઉત્ત્રર–દક્ષીણ ધ્રુવ જેવા હોય છે.

અમારૂ મુકામ અને બેઠક કોલેજનું પુસ્તકાલય હતું આ ઉપરાંત તે સમયની એક બુકશોપ હતી જેનું નામ 'પ્રીમીયમ બુકશોપ' હતું. તે અમને ૨૦ ટકા પુસ્તકની વેચાણ કીંમત પર કમીશન આપતો હતો. તેથી અમે ત્યાંથી નવી નવી ચોપડીઓ ખરીદતા હતા.સૌથી પ્રથમ બુક અમે –" સ્ટોરી ઓફ ફીલોસોફી" બાય વીલ ડુરાંટ ખરીદી હતી. અને બંને એ ભેગા મળીને એક પછી એક ફકરો વાંચતા હતા પછી ચર્ચા કરતા હતા.

સામાન્ય સંજોગોમાં અમારા રેશનાલીસ્ટ વીચારોને કારણે અમે બંને ખાસ ધ્યાન રાખતા હતા કે અમારા કુટુંબોની ધાર્મીક માન્યતાઓને ઠેસ ન પહોંચે. પણ કેટલીકવાર અમારા યુવાન મીજાજને કારણે અમે વડીલોના અવીચારી વીચારો અને રૂઢીઓની જોરદાર ટીકા કરી દેતા હતા.

અમારો લગ્ન પહેલાંનો પ્રેમાળ સંવનન કાળ પાંચ વર્ષનો હતો. અને ત્યારબાદ અમારુ લગ્નજીવન પણ પાંચ સાલ પછી પુરૂ થઇ ગયું.આ સમયગાળામાં અમને બીથોવન, બીટલ્સ અને દીલોનના સંગીતના સુરોએ  ખુબજ આનંદ આપ્યો હતો. દીવસે અમે કાર્લ સેગોન ખગોળ વીજ્ઞાનીનું પુસ્તક 'કોસમોસ' વાંચતા હતા અને પછી ચંદ્રમા સીવાયની અંધારી રાત્રીએ કોઇ દુર પર્વતની ટેકરી પર જઇને તારાઓ અને આકાશગંગાને નીરખવાની ગળાડુબ બસ મઝા માણયા જ કરતા હતા. તે કોલેજ કાળના  દીવસોમાં હું સીગરેટ પીતો હતો. તેણી તેનો સખત વીરોધ કરતી હતી.

 ડીવોર્સ લેવા માટે અમે કોર્ટમાં ગયા ત્યારે એકબીજાના હાથમાં હાથ પકડીને એકબીજાની આંગળીઓને રમડતા રમાડતા કોર્ટમાં પહોંચ્યા હતા. માનનીય ન્યાયધીશ સાહેબ ટકોર કરીકે  તમે ડીવોર્સ લેવા આવ્યા છો કે પરણવા? "If you want to go your own ways, better disengage, the court remarked."

   ડીવાર્સ લીધા પછી અમે બંને બેંગ્લોરમાં એમ જી રોડ પર આવેલી તાજ હોટેલના 'સધર્ન કમ્ફર્ટ' નામના ડાઇનીંગ હોલમાં બપોરનું ભવ્ય લંચ લઇને છુટા પડયા. અમે આનંદથી હસ્યા અને એકબીજાને 'ગુડબાય' કહી છુટા પડયા. હું પ્રથમ દીલ્હી, પછી મુંબઇ અને છેલ્લે વોશીંગટનમાં રહ્યો. દરેક સ્થળે ગૌરી મને મળવા આવેલી હતી.

જ્યારે મેં સીગરેટ પીવાનું છોડી દીધું ત્યારે તેણીએ સીગરેટ પીવાનું શરૂ કર્યુ હતું. ઘણાવર્ષો પછી એકવાર તેણી મારી ભુતપુર્વ પત્ની (she visited me in U.S (crazy innit? ex-wife visiting me? But she was more friend than ex !)

મેં તેણીને મારા એપાર્ટમેંન્ટમાં સીગરેટ ન પીવા વીનંતી કરી. તેણીને જણાવ્યું કે અત્યારે શીયાળો છે અને એપાર્ટમેંટ  બધેથી એરટાઇટ રીતે બંધ છે. તારી સીગરેટની ગંધ કે (સુંગધ!) કારપેટમાં ભરાઇ જશે તો પછી ક્યારેય જશે નહી.

ગૌરી પુછે છે તો હું શું કરૂ? તું મારી પાસેથી કેવી અપેક્ષા રાખે છે! તારે સીગરેટ પીવીજ હોય તો છેક ઉપર છાપરા પર જા અને ત્યાં સીગરેટ પી. પણ ઉપર અને બહારતો બરફ પડે છે.અને બહારતો કડકડતી ઠંડી છે. તને ખબર છે ને કે તારે લીધે તો મેં સીગરેટ પીવાની શરૂ કરી! ઓ! ઘરડી છોકરી મને માફ કર પણ તું સીગરેટ ઓલવી નાંખ. "Awww…sorry old girl. I'm asking you to stop." 
 ( ગૌરીનું ખુન ૫૫ વર્ષની ઉમરે થયું છે.) હું તારા કરતાં તંદુરસ્ત છું અને તારા કરતાં વધારે જીવવાનો છું. જે સાચુ પડયું. ગૌરૌ જવાબમાં કહે છે કે તું જુઠ્ઠો સાબીત થવાનો છું.

સામાન્યરીતે ડીવોર્સની પ્રક્રીયા દરમ્યાન અને તે લીધા પછી આપણા દેશામાં કે અહીંયાપણ  બંને વચ્ચેના સંબંધો કીન્નાખોરીથી ભરેલા, દ્વેવ્ષપુર્ણ અને સામન્ય ક્યારેય હોતા નથી. અમારા ભાઇબંધો પણ અમારા ડીવોર્સ પછીના સંબંધોને સમજી શકતા નહતા.અમે તે બધા દુન્યવી ખ્યાલોથી પર થઇને આદર્શો અને મુલ્યો આધારીત સંબંધો ડીવોર્સ પછી ચાલુ રાખ્યા હતા.

મારુ કુટુંબ ગૌરી જેવી પ્રખર અસમાધાનકારી અને બળવાખોર રેશનાલીસ્ટની સરખામણીમાં ઘણું રૂઢીચુસ્ત હતું. તેમ છતાં મારા મા–બાપના ગૌરી સાથેના સંબંધો ડીવોર્સ પછી પણ લાગણીસભર હતા. તેણી મને સતત ટોંટ મારતી હતી કે ભલે આપણે ડીવોર્સી છીએ તેમ છતાં 'હું તારા કુટુંબની પ્રથમ વહુ હતી તે મારૂ ટાઇટલ કોઇ છીનવી શકે તેમ નથી.' "Ha! You can never take away the honor of being the first daughter-in-law of the family."

ગયા ફેબ્રઆરી માસમાં મારા બા ગુજરી ગયા ત્યારે ગૌરી હું આવું તે પહેલાં તે પહોંચી ગઇ હતી. તેમની અંતીમવીધીમાં તેણી પહેલીથી છેલ્લે સુધી હાજર રહી હતી.

મારા ગૌરીના કુટુંબ સાથેના સંબંધો સામાન્ય લોકોને અસામાન્ય લાગે તેવા હતા. અમારા ડીવોર્સ બાદ પણ હું તેના ડેડી પીં. લંકેશ જે લેખક, નાટયલેખક અને ફીલ્મ બનાવનાર હતા.તેઓને નીયમીત મળતો રહેતો હતો.હું વોશીંગટનમાં રહેતો હતો પણ જયારે ઇંડીયા આવું ત્યારે તેમને ખાસ મળતો હતો.  અમે બંને ધીમે ધીમે વીસ્કીના એક બે પેક પીતા પીતા ભારતમાં ખેડુતોની હાલાકી, આપઘાત, રાજકારણ, ધર્મ, સાહીત્ય, નવી સીનેમો, આરોગ્ય વગેરે વીષયો પર લંબાણથી ચર્ચા કરતા હતા. ગૌરીના મા–બાપો મને ટોંટ મારીને ચીઢવતા પણ હતા કે ગૌરી સાથેનું તારૂ મુક્ત જીવન કેમ છોડી દીધુ? હું હસતાં હસતાં જવાબ આપતો હતો કે વીશાળ દ્ર્ષ્ટીબીંદુ કેળવવા માટે અંતર જરૂરનું છે. તેણીના પીતાજી સને ૨૦૦૦ની સાલમાં ગુજરી ગયા પછી ગૌરી સાચા અર્થમાં તેણીના પીતાની સાચી બૌધ્ધીક વારસદાર બની ને પીતાનું ન્યુઝપેપર ચાલુ રાખ્યું.

 


--

Monday, September 4, 2017

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

પશ્ચીમી જગતના સેક્યુલર હ્યુમેનીસ્ટોની દીર્ઘદ્રષ્ટી– રીચાર્ડ ડોકીન્સ

 

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

રીચાર્ડ ડોક્નીસ કેવીરીતે પુર્વના એશીયાઇ તેમજ આરબ દેશોના નીરઇશ્વરવાદીઓને(સેક્યુલારીસ્ટને) પોતાના દેશના ધાર્મીક સીતમ, જુલ્મ,કે સતામણીથી મુક્તી અપાવે છે તે જોઇએ.

 આપણને સૌ ને યાદ હશે કે  સને ૨૦૧૫માં 'મુક્ત મોના' નામના સેક્યુલર બ્લોગરના સંચાલક અવીજીત રોયને તેની પત્ની સાથે ખુની હુમલો  બંગલા દેશની રાજધાની ઢાકામાં કરવામાં આવ્યો હતો. જેમાં અવીજીત માર્યા ગયા હતા અને તેની પત્ની રફીદા અહેમદ ગંભીર રીતે ઘવાઇ હતી. તેણીના એક હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. અવીજીત રોય પોતાના બંગાળી બ્લોગ " Mukta Mona" નામે એક લોકશાહી સેક્યુલર માહીતી આપતો ચલાવતા હતા.ત્યારબાદ બંગલા દેશમાં આવીજ પ્રવૃતી કરતા  બીજા પાંચેક ધર્મનીરપેક્ષવાદીઓને બંગલા દેશના ધર્માંધ મુસ્લીમ કટ્ટરવાદીઓએ મારી નાંખ્યા હતા.કારણકે મુસ્લીમ ઉગ્રપંથીઓને આ બધા સેક્યુલર બ્લોગરની બીક હતી. તે બધા સેક્યુલારીસ્ટો, તત્વજ્ઞાન, ધાર્મીક આસ્થાઓનું વાસ્તવીક અનુભવને આધારે મુલ્યાંકન, વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક તારણો અને વૈજ્ઞાનીક અભીગમ સમાજમાં ફેલાવો જોઇએ તેવા લેખો પોતાના બ્લોગ પર લખતા હતા.જેનો બંગલા દેશના નાગરીકો સતત તરફથી સારો પ્રતીભાવ મળતો હતો. તેમને આ સેક્યુલારીસ્ટો ઇસ્લામ ધર્મ વીરોધી અને ધર્મના દુશ્મન તરીકે ઓળખતા હતા.કુલ પાંચ સેક્યુલર ઇન્ટરનેટ બ્લોગર્સને મારી નાંખ્યા પછી સાબીત થઇ ગયું કે બંગલા દેશમાં સ્વનીમણુક કરી બેઠેલા( સેલ્ફ એપોંઇન્ટેડ) ઇસ્લામ ધર્માના ઠેકેદારોની પકડમાં આવી ગયું છે. લોકશાહી ઢબે માનવવાદી વૈજ્ઞાનીક વીચારો ફેલાવવા દેશમાં અશક્ય બની ગયું છે.ધાર્મીક કટ્ટરવાદીઓએ શોધી શોધીને આવા વીચારો ફેલાવનારાઓની કત્લેઆમ કરવા માંડી છે. આવા ધર્મના નામે જબ્બરજસ્તીથી થતા અત્યાચારોને વીશ્વ બારીકાઇથી જોઇ રહ્યું હતું. ત્યારે ડૉ રીચાર્ડ ડોકીન્સ જેવા આવી સ્થીતીમાં શું થઇ શકે તેના વીચારમાં લાગી પડયા હતા.સેક્યુલર વીચારો ફેલાવનારાને જો તેમના દેશમાં જીવવું અશક્ય બની ગયું હોય તો બીજો વીકલ્પ શું હોઇ શકે?

 રીચાર્ડ ડોકીન્સે અમેરીકામાં વોશીંગટન સ્થીત ' સેન્ટર ઓફ ઇન્કાવાયરી' સંસ્થા જે વીશ્વભરમાં ધર્મનીરપેક્ષ માનવવાદ, વીવેકબુધ્ધીવાદ અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રચાર કરે છે તેની મદદથી એક 'સેક્યુલર રેસક્યુ' નામનો વીભાગ પોતાની સંસ્થામાં જ ઉભો કર્યો. તેનો મુખ્ય ઉદ્દેશ પુર્વના દેશોમાં કામ કરતા સેક્યુલારીસ્ટો જેની પર જાનનું જોખમ છે તેને રાજકીય આશ્રય( Political Asylum) પશ્ચીમના દેશોમાં અપાવવો. અત્યાર સુધીમાં આ સંસ્થા 'સેક્યુલર રેસક્યુ' તરફથી બંગલા દેશ સહીત બીજા પણ અન્ય દેશોમાંથી કુલ ૩૦ જેટલા સેક્યુલારીસ્ટોને ધાર્મીક અંતીમવાદીઓની પકડમાંથી બચાવીને પશ્ચીમના જુદા જુદા દેશોમાં રાજકીય આશ્રય અપાવ્યો છે.

 ઇરાકના પાટનગર બગદાદ શહેરની એક ૨૦વર્ષની યુવાન સ્રી નામે લુબાના યાસીન હતી. તે બગદાદની કેમીકલ એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી પોતાના દેશ અને શહેરના રૂઢીચુસ્ત ઇસ્લામીક ધાર્મીક વાતાવરણની સુચના અને રીત રીવાજો મુજબ જીવન જીવવા માંગતી નહી. તે નાસ્તીક હતી. તેના પર લેખીત અને મૌખીક મોતની ધમકીઓનો વરસાદ વરસી રહ્યો હતો. ડોકીન્સની સંસ્થાની મદદથી હાલ તે કેલીફોર્નીયા– અમેરીકામાં રહે છે. આવા રાજકીય આશ્રયદાતાઓને મદદ કરવા તેઓની સંસ્થાને મફત વકીલ(a pro bono lawyer) પણ મળ્યા છે.

આવીજ રીતે બંગલા દેશમાંથી અર્પીતા રોય ચૌધરી (not her real name) જે તેણીનું સાચુ નામ નથી તેને જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેણી બંગલા દેશમાં નારીવાદી મુક્તી અંગે પ્રવૃતીઓ પોતાના ઇન્ટરનેટ સેક્યુલર બ્લોગ દ્રારા કરતી હતી. તેણીને તેના શહેરના ઇસ્લામી જેહાદી તત્વોએ ખુબજ હેરાન કરી. અને છેલ્લે તે તત્વોએ તેણીને મોતની ધમકી આપી હતી.

શમ્મી હક(Shammi Haque, 22,) બંગલાદેશી ધર્મનીરપેક્ષતા અને વ્યક્તી સ્વાતંત્રય જેવા મુલ્યોની જોરદાય હીમાયતી છે. ઇસ્લામીક ખુનીઓની (found herself the target of Islamist assassins) તેણી નજરે પડી ગઇ. તેણીએ પોતાની જીંદગી જોખમમાં છે  તેવું ડોકીન્સની સંસ્થા સેક્યુલર રેસક્યુને તાત્કાલીક જણાવ્યું. તેણીને યુધ્ધના ધોરણે જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો.( CFI gave her emergency assistance to relocate and eventually be granted asylum in Germany.)

શમ્મી હકે પોતાની આપવીતીમાં જણાવ્યું કે' હું જે દીવસથી મારા શહેરના સ્થાનીક ધર્માંધ તત્વોના હીટ લીસ્ટમાં આવી ગઇ ; ત્યારબાદ હું સખત ગભરાઇ ગઇ હતી. દરરોજ રાત્રે સુતા સમયે વીચાર કરતી હતી કે આજનો દીવસ મારી જીંદગીનો છેલ્લો દીવસ હશે. હું આવતીકાલના દીવસનો ઉગતો સુર્ય ચોક્કસ જોવાની નથી.'

મને ડોકીન્સની સંસ્થા 'સેન્ટર ઓફ ઇન્કાવયરી'ની માહીતી મળી. આવા સંજોગોમાં પણ તે સંસ્થાનો જીવંત સંપર્ક સધાયો તે મારા માટે બહુજ મોટી વાત બની ગઇ. તે સંસ્થાએ મને તાકીદની મદદ પુરી પાડી. અને તેથી હું જર્મનીમાં રાજકીય આશ્રય મેળવીને મારી જાન બચાવી શકી. હું ડોકીન્સની સંસ્થા અને જર્મન સરકારની ખુબજ રૂણી છું કારણકે તે બંને એ મને આટલો ઝડપથી રાજકીય આશ્રય પુરો પાડયો છે.

બંગલા દેશના જાણીતા લેખક અહેમદ રશીદ ચોધરી પર ત્યાંના  જેહાદી ઇસ્લામી તત્વોએ મરણતોલ હુમલો કર્યો. તે બાલ બાલ બચી ગયા. તેઓએ ડોકીન્સની આ સંસ્થાને પોતાના કુટુંબ સાથે  કોઇ દેશમાં રાજકીય આશ્રય અપાવો તેવી વીનંતી કરી. રશીદ ચૌધરીને જરરી સાધન સંપત્તી પુરી પાડીને તેમને નોર્વેમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેમને ગયાવર્ષના હીંમતવાન લેખક તરીકેનો વૈશ્વીક પી ઇ એન એવોર્ડ મળ્યો છે.                                                                                                                                                                                  

મુક્ત મોનાના બ્લોગર અવીજીત રોયના સાથીદાર રહીયાન અબીર જેણે રોય સાથે એક પુસ્તક લખેલું હતું તેને કેનેડાની ' ફ્રી ઇન્ક્વાયરી' સંસ્થાની મદદથી  કેનેડામાં રાજકીય આશ્રય તેના કુટુંબ સાથે અપાવ્યો હતો. જ્યારે તે ઢાકામાં મોટરસાયકલ ચલાવતા હતા તો સતત પાછળ બેઠેલી પત્નીને સુચના આપ્યાજ કરતા હતા કે ' ધ્યાન રાખજે!  મારો કોઇ પીછો તો કરતું નથીને!'

રહીયાન  આબીરે લંડનમાં જણાવ્યું હતું કે ' બંગલા દેશના નાગરીકોને સાંસ્કૃતીક રીતે પાછા જંગલીયાતવાળી સમાજ વ્યવસ્થામાં લઇ જવાના જબ્બરજસ્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે સેક્યુલર બ્લોગર્સ વીવેકબધ્ધી અને ધર્મનીરપેક્ષતાના વીચારોવાળા લખાણો લખીને તે બધાને પડકારવાની કોશીશ કરી રહ્યા છે. કોઇને પણ અમારા વીચારોને પડકારવા હોય તો  સામે વ્યાજબી દલીલોથી લખાણ લખીને પડકારે. પણ  મહેરબાની કરીને અમારી સામે મોતના ફતવા શા માટે બહાર પાડો છો? શા માટે ભાડુતી ખુનીઓ કે હત્યારાઓને બરછી અને બંદુકો લઇને અમને મારી નાંખવા મોકલો છો!'

ભારતમાં મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકર, ગોવીદ પાનસરે અને કર્ણાટકના પ્રો કલબુર્ગી જેવા રેશનાલીસ્ટીની હત્યા પછી આજદીન સુધી તે બધાના ખુનીઓને પકડવામાં આવતા નથી. પોલીસ   તરફથી કોઇ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. શું ભારતના રેશનાલીસ્ટો, સેક્યુલારીસ્ટો અને નાસ્તીકો માટે પશ્ચીમના દેશોમાં રાજકીય આશ્રય લેવાના દીવસો હવે દુર નથી એવું તમને લાગતું નથી?

 


--

Saturday, September 2, 2017

પાખંડી બાબાઓ અને પવીત્ર ગુફાઓમાં શું તફાવત છે?

પાખંડી બાબાઓ અને પવીત્ર ગુફાઓમાં શું તફાવત છે? મુખ્યમંત્રીઓની અને આપણી દ્રષ્ટીમાં શું તફાવત છે?

શું આપણે સંવેદનહીન થઇ ગયા છે.? નીર્દોષ, સાધારણ, ભલાભોળા, ઇમાનદાર નાગરીકોને મારી નાંખવામાં આવે છે. આપણે કઇં જ કહેતા નથી.

 હરીયાણામાં રસ્તાઓ પર હત્યારાઓ લોહી વહાવે છે. આપણે ચુપ રહીએ છીએ.

 ઉત્તરપ્રદેશમાં નાનાં બાળકો શ્વાસ લઇ શકતા નથી.રૂંધાઇ રૂંધાઇને મરવા માટે મજબુર કરવામાં આવે છે. આપણે ઠીકથી રોઇ પણ શકતા નથી.

મુંબઇમાં ભ્રષ્ટ કુપ્રશાસન લાંચ લઇને નદી– નાળાં–સરકારી ભુખંડો–સાર્વજનીક મેદાનો અને નાળીઓ પર દબાણ થવા દે છે. અને બીજી બાજુએ સમુદ્રના એકદમ કીનારે વસેલા વીરાટ મહાનગરમાં ઉછળતા મોજામાંથી નીર્લજ્જ, નીર્દયી અને નીકૃષ્ટ શાસકો તેમજ તેમના મળતીઆઓને કોઇ ભય નથી. કારણકે નદીઓનું શોષણ કરવાથી ઉઠેલા મહા જલપ્રલયથી તેમની સત્તાની ઉંચી અટારીઓના ઉપરના તળ ક્યારેય નહીં ડુબે. મજબુર નીર્ધન જ ડુબે છે. મુંબઇમાં ડુબવાથી બચી જશો તો તો કોઇ જુની ઇમારતમાં રહેવાનો મૃત્યુદંડ તમને મળશે. નહીં મળેતો એવો સંકેત સમજવો કે રહેવાસી અસહાય છે.– આથી મરવા માટે છોડી દેવાયા છે.

   કોઇ પાંદડું સુધ્ધાં હાલતું નથી.એક આંસુ સુધ્ધાં નથી પડતું. કોઇ દોષ પણ નથી માનતા. આથી કોઇને ક્યારેય કઠોર દંડ પણ થતો નથી.આવું આપણે શાંત રહીએ છીએ એટલે થાય છે. આપણે ભારતીય, બધું જ સહન કરતા રહીએ છીએ. આપણને આંચકો લાગે છે પણ તે ક્ષણીક હોય છે.......

(૧) આપણને હુમલા– હીંસા–હત્યાઓ જોવાની આદત પડી ગઇ છે.

(૨) દરેક દુર્ઘટનામાં આપણને ઇશ્વરનો પ્રકોપ લાગે છે.

(૩)આપણને સ્વાભાવીક જ લાગે છે કે સરકારી હોસ્પીટલોમાં ઇલાજ અને ઓક્સીજનના અભાવે બાળકો મરી જશે.

(૪) આપણને મુક્તપણે ખબર છે કે પ્રત્યેક સોમાંથી નવ્વાણું બાબા– સાધુ–સંત–સ્વામી વાસ્તવમાં ઢોંગી છે, પાખંડી છે, ભ્રષ્ટ છે,અથવા જાતીય ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુનાઇત– અસામાજીકગુંડા–બદમાશોને શીષ્યો બનાવી બેઠા છે.ના–ના પ્રકારના કૌતુકપર અંધવીશ્વાસ પેદા કરે છે. છેતરપીંડી કરીને અંધકાર ફેલાવે છે.મનઘડંત, અસત્ય – આધારીત પ્રચાર કરીને લાખો ભોળા–ભલા નાગરીકોને અંધભક્ત બનાવવામાં  કુટીલતાપુર્વક સફળ થઇ રહ્યા છે....સઘળું સત્ય જાણવાં છતાં ક્યાંક ને ક્યાંક તેમનાથી પ્રભાવીત રહીએ છીએ.કટુ સત્ય તો એ છે કે આપણે, આપણા સ્વજનો કે પ્રીયજનો,પરીચીતો, આપણને ઓળખનારાઓ,માનનારાઓ સૌ કોઇ એક સંન્યાસી–મૌલવી, પાદરી, સાથે જોડાયેલા છે.તેમને માનીએ છીએ. તેમના પ્રત્યે શુધ્ધ આસ્થા ધરાવીએ છીએ. તેમાં ખોટું શું છે? તે તો મારી વ્યક્તીગત 'પ્રાઇવસી' છે. .....

આસ્થાની સામે લાખો અંધભક્ત જે હરીયાણા અને બીજા ચાર રાજ્યોમાં આગ લગાવી રહ્યા હતા તેઓ હવે અંધભક્ત કહેવાયા.આસ્થાતો તો તે બધાની પણ આપણા જેવીજ પવીત્ર હતી.પરંતુ કેટલાય મહાન,નીસ્વાર્થ અને તેજસ્વી વ્યક્તીત્વ પ્રત્યે આપણી આસ્થા હોય– જે દીવસે તે તાર્કીક ન રહે, સાર્થક ના લાગે, અને વ્યવહારીક સત્યથી દુર જવા લાગે– તે દીવસે જ તે અંધભક્તી થઇ જશે અને આપણને પતન તરફ દોરી જશે.અને અન્યને પણ નકારણ નુકશાન કરશે........

જે નેતૃત્વ પાસે દ્રષ્ટી ન હોય તે સમગ્ર તંત્રને, આખા રાજ્યને ,દેશને, તેના વાતવરણને દ્રષ્ટીહીન બનાવી દે છે. તેમની પાસે આંખ હશે તો દ્રષ્ટી નથી. વળી તે પોતાની આંખનો ઉપયોગ જેટલું તેમને જોવું હોય તેટલું જોવા માટે જ ઉપયોગ કરશે. અમે સમજીએ છીએ કે તેમની પાસે અને કોઇપણ માણસ પાસે ' દીવ્ય દ્રષ્ટી તો ક્યારે ય નહોય પણ નેતાઓ પાસે દીર્ઘ દ્રષ્ટી તો જોઇએને! તે તો એક વીઝન છે જે બધાની પાસે ન હોય, બધા ન જોઇ શકે પણ નેતાઓ પાસે તો તેવી દ્રષ્ટી તો જોઇએ ને!

જો હરીયણામાં નરસંહાર ક્યારેય નહીં થાત  જો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે આવી દ્રષ્ટી હોત....જો યોગી આદીત્યનાથ પાસે આ દ્રષ્ટી હોત તો યુપીમાં ક્યારેય આટલાં બધાં બાળકો, નવજાત શીશુ ગુંગળાઇને નમર્યા હોત! આવી જ રીતે દેવેન્દ્ર ફડણનીસ પાસે આ દ્ર્ષ્ટી હોત તો મુંબઇમાં મીઠા પાણીની નદીઓ પર જામેલો ભારે કાદવ કાઢીને ક્યારનો ય ફેંકી દેવામાં આવ્યો હોત! મુંબઇમાં જે ગેરકાયદેસર સેંકડો બાંધકામોની  વારંવાર ચર્ચા થાય છે તે બધાને સખત રીતે તોડી પાડવામાં આવ્યા હોત!.... એકજ દિવસમાં ન કારણ ત્રીસ જેટલા મુંબઇના નાગરીકોના અપમૃત્યુ દુરંદેશી દ્રષ્ટીના અભાવે થયાં.

અંતે નાગરીક માટે એટલી દ્ર્ષ્ટી જરૂરની છે, તે દ્ર્ષ્ટીથી જોવાનું છે કે જ્યારે આપણા દેશના અલગ અલગ ભાગમાં સરકારોની ગુનાહીત બેદરકારી, કે લાપરવાહીથી નાગરીકો માર્ગો–હોસ્પીટલ અને ઇમારતોમાં મરી રહ્યા હોય તો તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધે સીધા જવાબદાર હોય તો પણ એક શબ્દ બોલતા ન

 દેખાય અને આવી જ રીતે વીપક્ષની જવાબદારી ઉઠાવનારા કોંગ્રેસના કર્ણધાર રાહુલ ગાંધી આ મોતની મુલાકાતોને બદલે વીદેશ પર્યટન પર જતા દેખાય!

તમે જોઇ શકો છો કે કેટલી સહજ પરંતુ કેટલી મહત્વપુર્ણ છે આ

' દીર્ઘ દ્રષ્ટી'. આપણા નેતાઓમાં,આપણી સરકારોમાં, ખાસ કરીને આપણા મુખ્યમંત્રીઓમાં આવી દ્રષ્ટી હોય તે અસંભવ છે. પરંતુ તે લાવવી પડશે. કેમકે દેશવાસીઓ પાસે  એક ત્રીજી આંખ છે જેનાથી સંપુર્ણ સત્તા ભસ્મ થઇ શકે છે.( સંપુર્ણ લેખને ટુંકાવીને)

લે–કલ્પેશ યાગ્નીક– દૈનીક ભાસ્કર ગ્રુપ એડીટર છે. સૌ. દી.ભાસ્કર શનીવાર, બીજી સપ્ટેમ્બર૨૦૧૭.                                                                                                                                                                                                                                                    

 


--