Friday, December 28, 2018

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે? નસરૂદ્દીન શાહ.

આ અમારૂ ઘર (દેશ) છે. અમને કોણ તે ઘરમાંથી કાઢી શકે તેમ છે?
નસરૂદ્દીન શાહ.
એક લોક વાયકા છે " એક વાર જીન બાટલીમાંથી બહાર નીકળી ગયા પછી તેને ફરીથી તે બોટલમાં પાછો પુરી શકાતો નથી."
આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઇરાદાપુર્વક દેશના સામાજીક પોતમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. સમાજના કહેવાતા બહુમતી ધર્મપરસ્ત પરીબળોને કાયદો હાથમાં લઇને જાણે હીંસા ફેલાવવાનું લાયસન્સ કે પરવાનો મલી ગયો છે; કાંતો લવ–જેહાદ નામે, તો પછી તમારા ઘરના ફ્રીજમાં ગૌ માંસ છે અથવા તો પછી તમે ગાય અને તેના વંશનો વેચવાનો કે હેરેફેરીનો ધંધો કરો છો. તાજેતરમાંજ ઉત્તરપ્રદેશના બુંલંદશહેરમાં ગાયની બાબતે એક બાહોશ, પ્રમાણીક અને કાયદા મુજબ સોંપાયેલ ફરજ પ્રમાણે કામ કરનાર અધીકારીને ગેરકાયદેસર ટોળઆએ એકત્ર થઇને ગોળીથી મારી નાંખવાનું અમાનવીય કૃત્ય કર્યું છે. જાણે આ દેશમાં ગાયની સરખામણીમાં પોલીસ અધીકારીના જાન ની કોઇ જ કીંમત નથી.
ભારત દેશના નાગરીકને નાગરીક તરીકે કૌટુંબીક, સામાજીક, આર્થીક ને રાજકીય જીવન શાંતી અને સુખ ચેનથી પસાર કરવાને બદલે તેને તેની ધાર્મીક ઓળખને આધારે ઓળખાવાનું મોટું રાજકારણ ખેલાઇ રહ્યું છે. " એક જ દેશના નાગરીકોને અમે( WE) અને પેલા( THEY),તેવા રાજકીય ખાનામાં ગોઠવીને એક બીજા પ્રત્યે ધીક્કાર, અસહીષ્ણુતા, સામસામી હીંસાના વેરઝેરનો એક મોટો મોહોલ ઇરાદાપુર્વક પેદા કરી દેવામાં આવ્યો છે. તેને સતત ધાર્મીક નફરતનું ઇંધન સીંચીને બેકાબુ બનાવી દેવામાં આવેલ છે. આ એક જ થીયરી પર સને ૨૦૧૯ ની લોકસભાની ચુંટણી જીતવાની વૈતરણી નદી પાર થઇ જશે તેવા ખ્વાબોમાં જીવવા માંડયું છે.
ધાર્મીક ઓળખના રાજકારણમાં જે 'અમારી સાથે નથી તે પેલા લોકોની સાથે છે માટે અમારી સામે છે ' તેવું સરળ સમીકરણ મુકીને ભયનું વાતાવરણ પેદા કરી દીધું છે.અમે એટલે રાષ્ટ્રપ્રેમી, પેલા અને બીજા જે અમારી સામે અવાજ ઉઠાવનારા છે તે બધા 'દેશદ્રોહીઓ' પાકીસ્તાની એજંટો, આખરે આતંકવાદીઓના ટેકેદારો. તે બધાને પાકીસ્તાનમાં મોકલી દેવા જોઇએ! અમારી રાષ્ટ્ર,રાષ્ટ્રપ્રેમની અને રાષ્ટ્રની વફાદારીની વ્યાખ્યામાં વીધર્મીઓનું કોઇ સ્થાન જ હોતું નથી. સદર વ્યાખ્યાની બહાર અરે! જન્મે હીંદુઓ કે ધર્મનીરપેક્ષવાદીઓ, નીરઇશ્વરવાદીઓ કે પછી સામ્યવાદીઓ કોઇની ભારત દેશની વફાદારી અમને માન્ય નથી. દેશના બંધારણના આમુખમાં જણાવેલ પાયાના મુલ્યો સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ધર્મનીરપેક્ષતા અને વૈજ્ઞાનીક અભીગમને આધારે પોતાનું જીવન જીવતા, વીચારો ફેલાવતા દા;ત મહારાષ્ટ્રના અંધશ્રધ્ધા નાબુદીની ચળવળ ચલાવવા માટે શહીદ થયેલા નરેન્દ્ર દાભોલકર, ગોવીંદ પાનસરે, કર્ણાટકના પ્રો કલબુર્ગી, પત્રકાર ગૌરી લંકેશ અને બીજા નસરુદ્દીનશાહ, આમીરખાન જેવા હજારો નાગરીકોનું તેમાં કોઇજ સ્થાન હોઇ શકે નહી.
નસરૂદ્દીન શાહના નીરીક્ષણ પ્રમાણે તમે તમારા બાળકોને માનવ માનવ વચ્ચે કોઇપણ જાતના મતભેદ રાખ્યા સીવાય ફક્ત સારા મનુષ્યો બનવાનો પાઠ શીખવાડો તે પણ આ હીદુંત્વવાદીઓને અમાન્ય છે.જાણે કે વીશ્વમાં કોઇ બીનધાર્મીક નાગરીક હોઇ શકે જ નહી. વીશ્વના દેશો સમક્ષ ધાર્મીક પ્રશ્નો સીવાય જાણે કે કોઇ દુન્યવી પ્રશ્નો જેવાકે 'રોટી કપડાં ઓર મકાન' હોઇ શકે જ નહી.ખરેખરતો ભારતને એક દેશ તરીકે તેને સર્વાંગી રીતે સમજે તે ભારતીય. બીજુ જે ભારતીય બંધારણીય મુલ્યો પ્રમાણે જીવન જીવે અને તેવો સંદેશો આપ તે જ ભારતીય હોઇ શકે!


--

Saturday, December 1, 2018

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે

ધર્મ, એક ફક્ત નાણાં કમાવવા માટે સારામાં સારો ધંધો છે એટલું જ નહી . કારણકે તેમાં શરૂઆતનું મુડી રોકાણ ઓછામાં ઓછુ હોય છે. તેમાં ક્યારેય તૈયાર માલનો પુરવઠો વધી ગયો હોય તેવો પ્રશ્ન થતો જ નથી. આ ધંધો કરનાર પાસે કેટલો પુરવઠો વપરાઇ ગયો અને કેટલો પુરવઠો વપરાવાનો બાકી છે તેની કોઇ સુચી– યાદી( સ્ટોક–ઇનવેન્ટરી રજીસ્ટર) પણ બનાવવી પડતી નથી. આધ્યાત્મીક વાતો કરવાની અને ભૌતીક ચીજ વસ્તુઓ બદલા કે અવેજમાં હોંશે હોંશે લઇ જવાની. માલની ગુણવત્તા જાળવવાની કે જીએસટી ક્યારેય ભરવાનો ઉજાગરો નહી. આ માલની માંગ સ્થાનીક,પ્રાદેશીક, રાષ્ટ્રીય અને વૈશ્વીક હંમેશાં હોય છે. તેના ગ્રાહકો કોણ નથી એ મુળભુત સવાલ છે. રાષ્ટ્રના નાણાંમંત્રી કે અર્થશાસ્રીઓ રાષ્ટ્રીય આવકમાં અને જીડીપી બીડીપીમાં ગણે છે કે નહી તેની અમને માહીતી નથી.–સૌ. The God Market ( In India) by Meera Nanda  પાન નં ૧૦૮ના પ્રથમ ફકરાનો મુક્ત ભાવાનુવાદ.


--

Wednesday, November 28, 2018

આપણા બાળકમાં ગ્રેડ કે માર્કસ ......આમીરખાન

આપણા બાળકમાં ગ્રેડ કે માર્કસ કરતાં મનુષ્યત્વ વીકસે એ વધારે મહત્વનું છે.

આમીરખાન. સુપ્રસીધ્ધ સીનેમા એક્ટર.

એક સ્કુલમાં આપેલા આમીરખાનના પ્રવચનને ટુંકાવીને–

હું શીક્ષણ જગતનો માણસ નથી. હું એક કલાકાર છું. એક ક્રીએટીવ ઇન્સાન છું...... મેં શીક્ષણ ઉપર કેટલીક ફીલ્મ બનાવી છે. ' તારે જમી પર અને થ્રી ઇડીય્ટસ' આ બંને ફીલ્મો શીક્ષણના વીષય પર છે. તેમાં જણાવેલ વીચારો કેટલા તમને બધાને સાચાકે ખોટ લાગ્યા તે મને ખબર નથી. પરંતુ આજે હું તમારી સમક્ષ શીક્ષણ અંગેના મારા વીચારો રજુ કરવા માગું છું.

મારા સંશોધનથી જાણ્યું છે કે દરેક બાળક ખાસ અદ્રીતીય હોય છે. દરેક બાળકની કઇંક કાબેલીયત,કમજોરી, અલગપણું અને વીશીષ્ટતા સાથે જ આ પૃથ્વી પર આવે છે.આપણી એક મા–બાપ, વડીલ અને શીક્ષણવીદ્ તરીકે આપણે બાળકને મદદ કરવાની છે. શું મદદ કરવાની છે? આપણા સહકારથી તેનામાં શું કાબેલીયત અને શું કમજોરી છે તે શોધવામાં મદદ કરવાની છે.

 બધીજ શીક્ષણ સંસ્થાઓ અને વાલીઓ એમ જ રટ્યા કરે છે અમારે ત્યાં તો બધાજ બાળકો પ્રથમ શ્રેણીમાં જ આવે છે. મારે આપ સૌ ને એક પ્રશ્ન પુછવાનો છે કે ' આપણા બાળકો કેટલા ખુશ કે હેપી હોય છે?' હાઉ મેની ચીલ્ડ્રન આર હેપી? મારા મત મુજબ 'હેપીનેસ' એજ બાળકોના વીકાસને માપવાની સાચી પારાશીશી છે. લખવા વાંચવાનું તો ક્રમશ; તે બધા શીખી લેશે.

 મારી " થ્રી ઇડીય્ટસ' ફીલ્મ રીલીઝ થવાની હતી તે પહેલાં સમાજના જુદા જુદા વર્ગોના તે  ફીલ્મ અંગે શું અભીપ્રાયો છે તે જાણવા છે તે સમજવા માટે અમે જુદા જુદા સમાજના સામાજીક સ્તરોમાં ફીલ્મ બતાવી. તેમાં મુંબઇની એક ફેકટરીના કારીગરોને ફીલ્મ બતાવી. ફીલ્મ જોયા પછી એક કારીગરે મને સવાલ પુછયો કે  સાહેબ! આ ફીલ્મનું સર્ટીફીકેટ તો જાવેદ જાફરી સાહેબને મળ્યું છે: તમને તો મળ્યું નથી.

પેલા કારીગરનો પ્રશ્ન ઘણો વીચારવા લાયક છે. જયારે હું ગોખણપટ્ટી કરૂ છું, પછી પુછેલા સવાલોના જવાબ લખી નાંખું છું, પાસ થઇ જઉ છું, પછી મારા હાથમાં સર્ટીફીકેટ આવી જાય છે. તેના આધારે મને અને મારી આજુબાજુની દુનીયાને ખબર પડે છે કે હું કેટલું ભણેલો છું.પરંતુ તમે જયારે એમ ઇચ્છો છો કે મને જ્ઞાન મળે , વીધ્યા મળે ત્યારે પેલા કાગળના સર્ટીફીકેટની કોઇ કીંમત હોતી નથી.

પેલા કારીગરને મેં બે પ્રશ્ચો પુછયા. ભાઇ! તું મને સારો એકટર ગણું છું? તેણે જવાબ આપ્યો કે હા,' તમે દેશભરમાં સારા એકટર તરીકે જાણીતા છો. તેને મેં જવાબ આપ્યો કે ભાઇ!, હું સારો એકટર છું તેનું કોઇ સર્ટીફીકેટ મારી પાસે નથી. તેમ છતાં બધા લોકો મને સારા એકટર તરીકે સ્વીકારે છે.

મારો બીજો પ્રશ્ન હતો કે ભાઇ!, મેં તારા બોસ પાસેથી જાણયું છે કે તું આ કારખાનામાં બધા કરતાં સારામાં સારો કટર છું. તારી પાસે તે અંગે સાબીતી બતાવતું કોઇ સર્ટીફીકેટ છે? નહી 'સર' મારી પાસે આવું કોઇ સર્ટીફીકેટ નથી. જો ભાઇ! મારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને!

' ધી એજયુકેશન ઇઝ બીયોન્ડ માર્કસ, બીયોન્ડ ગ્રેડસ એન્ડ બીયોન્ડ સર્ટીફીકેટસ. ઇટ ઇઝ વોટ યુ લર્ન.' મારી ઇચ્છા છે કે આપણા દેશમાં આપણે બધા શીક્ષણને આ રીતે જોઇએ. આપણે આપણા બાળકોને ખરેખરૂ શીક્ષણ આપીએ. કારણકે શીક્ષણ એ કેવળ જ્ઞાન હોતું નથી. આપણાં બાળકો એક મનુષ્ય તરીકે વીકસીત થાય એવું કરીએ. શીક્ષણને પરીણામે વીધ્યાર્થી આગળ જતાં એક ઉત્તમ મનુષ્ય બને તે જોઇએ કે જેથી આગળ જતાં પોતાના પગ પર ઉભો રહી શકે. આગળ જતાં તે કોઇના ચહેરા પર ખુશી લાવી શકે, બીજાઓને મદદ કરી શકે. આ મારી શીક્ષણની ભાવના છે.  

મારી સાથે પણ બાળપણમાં ઉલટું થયું છે. બધાં બાળકો સાથે જાય છે. તેઓ ઘેર આવે એટલે માબાપ પુછે છે કે તને કેટલા માર્ક્સ મળ્યા? પહેલો નંબર આવ્યો કે બીજો? જો બીજો નંબર આવ્યો હોય તો ઠપકો મળે.અને જો દસમો નંબર આવ્યો હોય તો  હાલત જ ખરાબ થઇ જાય.એનાથી બાળકને લાગે છે કે ફર્સ્ટ આવવું બહુ જરૂરી છે. જેમ રેસમાં પહેલો આવ્યો કે બીજો તેમ લોઅર કે જી માંથી આ રેસ શરૂ થઇ જાય છે.લોઅર કે જી માં મોંમાં ચમચી લઇને લીંબુ લઇને  બાળક દોડે ત્યારથી પુછવાનું શરૂ થઇ જાય છે કે તું પહેલો આવ્યો કે બીજો? બાળક મોંમાં ચમચી લઇને દોડતો હોય ત્યારે માબાપ રાડો પાડીને  ને કહે છે કે બેટા ભાગો હજુ તેજ, પહેલો નંબર લાવ. આમાંથી બાળકને લાગે છે કે મારે ફર્સ્ર્ટ નંબરે આવવું જરૂરી છે.બીજા કરતાં મારે આગળ નીકળવાનું છે. શીક્ષકો પણ આવું જ પુછે છે.

આને કારણે જયારે બાળક ૨૧ વર્ષનું થાય છે ત્યારે ખુબજ સ્વાર્થી બની જાય છે. તેને એવો સ્વાર્થી બનાવ્યો કોણે? મેં અને તમે તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણી શીક્ષણ પધ્ધતીએ તેને આવો સ્વાર્થ્ બનાવ્યો છે. આપણે સૌ એ તેને પહેલેથી જ શીખવ્યું છે કે તું પહેલે નંબરે જ આવવો જોઇએ. બાકીનાને ભુલી જા. પછી જયારે તે યુવાન થાય છે ત્યારે તેને લાગે છેકે મારે બીજાની ચીંતા કરવાની જરૂર જ નથી. મારે તો માત્ર આ જગતની ફરીફાઇમાં સફળ થવાનું છે.

મારી તો અહીંયા હાજર રહેલા વીધ્યાર્થીઓ, શીક્ષકો અને વાલીઓને વીનંતી છે કે  આવતી કાલે તમે બધા માબાપ બનો ત્યારે  પોતાના બાળકોને ક્યારે ન પુછશો કે બેટા! તું કેટલા માર્કસ લાવ્યો? કયે નંબરે પાસ થયો? પરંતુ ચોક્ક્સ પુછજો કે બેટા! આજે તેં કોઇને મદદ કરી છે કે નહી? તે બીજાના ચહેરા પર ખુશી લાવે તેવું કોઇ કામ કર્યું છે કે કેમ? તો બાળકને લાગશે કે મારા માબાપને  મારા માર્કસ કરતાં હું બીજાને મદદ કરૂ બીજાને ખુશી આપું તે વધારે ગમે છે.તો હું એવું કરૂ.બાળક આવી માનસીક્તા સાથે સ્કુલે જશે, મોટું થશે તો તે બાળક ભણશે પણ ખરૂ. સાથે સાથે તેનો જીવન પ્રત્યેનો અભીગમ પણ બદલાઇ જશે.

આવાં બાળકો જયારે નવજુવાન થશે ત્યારે આપણો આખો સમાજ બદલાઇ જશે. ત્યારે આપણા સમાજમાં એવી વ્યક્તીઓ હશે  જે પોતાને માટે નહી પણ બીજાને માટે વીચારતા હશે. જો આવો ફેરફાર થશે તો આપણો દેશ ખુબજ બદલાશે, મોટું પરીવર્તન વી શકશે. સૌ. ગોરસ ત્રી માસીક.   

 


--

Friday, November 23, 2018

કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.


કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.

 ટી.એમ.ક્રીશ્ના (કાર્નેટીક મ્યુઝીશયન)

(The Colour of ART is not  SAFFRON. nor GREEN but  GOLD.)

કાર્નેટીક મ્યુઝીક તે દક્ષીણ ભારતમાં કર્ણાટકી સંગીત તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં તેની શરૂઆત આશરે ૬૦૦ વર્ષ પહેલાં થઇ હતી. ટી. એન ક્રીશ્ના (રહેવાસી કર્ણાટક ઉંમર વર્ષ ૪૨) આ સંગીતના ખુબજ ઉંચીકક્ષાના ગાયક તરીકે જાણીતા છે. ક્રીશ્નાને કાર્નેટીક સંગીતમાં મેળવેલી અસાધ્ય નીપુણતાને કારણે તેઓને મેગ્નસાસ એવોર્ડથી સન્માનીત પણ કરવામાં આવ્યા છે.

તારીખ ૧૭ અને ૧૮નવેંબરના રોજ દીલ્હીના નહેરૂ પાર્કમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે નામની સાંસ્કૃતીક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અન્ય સંગીતના કાર્યક્રમો સાથે સંગીતકાર ક્રીશ્નાનો 'કાર્નેટીક સંગીત' નો કાર્યક્રમ અગાઉથી નક્કી કરી આયોજીત કરવામાં આવ્યો હતો. મોદી સરકારના બે મંત્રીઓ અને ઇન્ટર નેટ પર ધમકીઓ આપનાર ઉગ્રહીંદુવાદીઓ જેને અંગ્રેજીમાં ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેમની સંયુક્ત દખલગીરીઓથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાએ ૧૩મી નવેંબરની રાત્રે જાહેર કરી દીધું કે અમે સદર કાર્યક્રમ મુલતવી રાખેલ છે.

Airports authority scraps T M Krishna concert after trolls call him anti-India સૌ. ઇન્ડીયન એકપ્રેસ.

                

સંગીતકાર ક્રીશ્નાને પોતાનો કાર્યક્મ મુલતવી રહ્યો છે તેવી માહીતી મળતાં તેઓનો પ્રથમ પ્રત્યઘાત હતો કે  દીલ્હીમાં મને કોઇપણ સંસ્થા કાર્યક્રમ કરવા માટે આમંત્રણ આપે તો હું કાર્યક્રમ કરવા તૈયાર છું. હું આવીશ અને ગાઇશ. આવી ધમકીઓથી આપણે ક્યારેય ગભરાવું નહી અને ડરપોક બનવું નહી.

 ક્રીશ્નાનો કાર્યક્રમ મુલતવી રહ્યો છે તેવા સમાચાર મળતાં જ દીલ્હીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીના અગ્રણી મનીષભાઇ સીસોદીયાએ  પોતાની પ્રવૃત્તીના " અવામ કી આવાઝ" ભાગ રૂપે ' ગાર્ડન ઓફ ફાઇવ સેન્સીસ' દક્ષીણ દીલ્હીમાં આવેલા સ્થળે ક્રીષ્નાનો કાર્યક્રમ ગોઠવી દીધો. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના સાથી સીસોદીયાને ચીંતાતુર માનસીકતાથી પુછી લીધું કે શું આ બધું આટલા ટુંકા ગાળામાં ગોઠવાઇ જશે?

" અવામ કી આવાઝ"નો કાર્યક્રમ આમ આદમી પાર્ટી તરફથી પોતાની પ્રવૃત્તીના ભાગરૂપે સને ૨૦૧૭ના ઓકટોબર માસથી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી તેના નેજા હેઠળ ચાર કાર્યક્રમો તો થઇ ગયા હતા. આવા કાર્યક્રમોમાં ખાસ કરીને વીદ્રોહ અને વીરોધના (Protest & Dissent) ગીતો ગાવામાં આવે છે.

મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે  સદર કાર્યક્રમમાં હાજર રહીને જણાવ્યું કે ' જે લોકો દેશમાં ભાગલા પાડીને દેશનો વીનાશ કરવા મેદાને પડેલા છે તેને ભાઇ ક્રીષ્નાનો કાર્યક્રમ જબ્બર જવાબ આપે છે.' સંગીતકાર ક્રીશ્નાએ ઇન્ડીયન એકપ્રેસમાં આ મુદ્દે મુલાકાત આપતાં જણાવ્યું કે ' આ કાર્યક્રમમાં ઉપસ્થીત થયેલા સૌ દીલ્હીવાસીઓ માટે આજનો દીવસ ખુબજ મહત્વનો દીવસ બની ગયો છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે  આપણે બધા ભેગા મળીને ધીક્કાર, હીંસા અને ગુસ્સાનું વાતવરણ દેશમાં જે રીતે પેદા કરવામાં આવ્યું છે તેનો મુકાબલો કરીએ.

ટી.એન. ક્રીશ્નાના નક્કી કરલા કાર્યક્રમો સામે હીંદુત્વવાદી  ટેકેદારો તરફથી તેઓના કાર્યક્રમોને બંધ કરાવવા અને ધમકી આપવાનો આ પ્રથમ પ્રસંગ નથી. કારણકે ક્રીશ્નાની દેશના બંધારણીય મુલ્યો, જેવાકે ધર્મનીરપેક્ષતા, સામાજીક ન્યાય અને સમાનતાની તરફેણમાં અને વર્ણવ્યવસ્થાની વીરૂધ્ધના વીચારોથી સામાવાળા પુરેપુરા પરીચીત છે. સને ૨૦૧૮ના ઓગષ્ટ માસમાં અમેરીકાના મેરીલેંડ મંદીરમાં એન આર આઇ, હીંદુત્વવાદી કર્મનીષ્ઠોએ! ભાઇ ક્રીશ્નાનો કાર્યક્રમ એટલા માટે રદ કરાવ્યો હતો કે તે હીંદુ ભજન સાથે ખ્રીસ્તી અને ઇસ્લામના પણ ભજનો ગાય છે. પરંતુ તે જ દીવસે મેરીલેંડની નજીક આવેલા વોશીંગટન સ્ટેટના જયોર્જીયાટાઉનમાં તે કાર્યક્રમ ક્રીશ્નાના સંગીતપ્રેમીઓએ સરસ રીતે સંપન્ન કરેલ હતો.

આ વર્ષે તામીલનાડુના ત્રીચી શહેરમાં હીંદુત્વની જમણેરી પાંખે ક્રીશ્નાના કાર્યક્રમને બંધ રખાવવાના ખુબજ પ્રયત્નો કર્યા હતા. પરંતુ રાજય તરફથી કાયદો અને વ્યવસ્થાનો સખત બંદોબસ્ત પુરો પડાતાં પેલા પરીબળોની મેલી મુરાદો બળ આવી નહી. આ કાર્યક્રમમાં ક્રીશ્નાએ જીસસ, અલ્લાહ અને તમીલ લેખક પેરૂમલ મુગૃન જેના પર જમણેરી હીંદુત્વવાદી પરીબળોએ સખ્ત હુમલો કરીને હવે પછી કશું પણ નહી લખવાની પુરેપરી બાંહેધરી લઇ લીધી હતી તેના ગીતો પણ ગાયા હતા.

" અવામ કી આવાઝ"ની કાર્યક્રમની સફળતા માટે  મુખ્યમંત્રી કેજરીવાલે દૈનીક પેપરમાં જાહેરાતો, ઉપરાંત સોશીઅલ માડીયા અને વોટ્ટસઅપ ગૃપ્સમાં નીચે મુજબનો સંદશો ફરતો કર્યો.

 

 

" આપ સૌને આ કાર્યક્રમમાં પધારવાનું અમારૂ આમંત્રણ છે. જો તમે દેશની અખંડતા અને સર્માવેશક ' એન ઇન્કલુઝીવ ઇંડીયા' માં માનતા હોય તો, તેમજ  ભારતદેશ બધાજ ધર્મો, શ્રધ્ધાઓ, જાતીઓ અને જ્ઞાતીઓનો દેશ છે,તો આપ સૌ ની હાજરીથી જે લોકો આ દેશને ધર્મ અને જાતીના નામે ભાગલા પાડી તોડી નાંખવા માંગે છે તેને યોગ્ય જવાબ મળશે."

" Krishna sings, Krishna is heard"  Curiosity, coincidence and love of Carnatic music draw over 1000 to T.M. Krishna"s consort.

સૌ પ્રથમ તેઓએ ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભજનાવલીમાંથી ગીત ગાયું. આ ઉપરાંત મરાઠી સંત તુકારામના ભજનો મરાઠીમાં અને કન્નડના તત્વજ્ઞાની, કવી અને વીચારક બસાવાના ભજનો ગાયા હતા. આ ઉપરાંત સંત કબીર, જીસસ અને નાગુર સીદ્દીકી જેવા મુસ્લીમ સુફી લીખીત ને નાગુર હનીફાએ સ્વરબધ્ધ કરેલ પવીત્ર ઇસ્લામીક ગીત પણ ગાયું.

 

 સાંભળનારાઓથી સ્થળ એટલું બધું ખીચોખીચ ભરાઇ ગેયલું હતું કે ઘણા બધા આમંત્રીતો બે કલાક સુધી ઉભા જ રહ્યા. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આ દેશ હીંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી, શીખ, તમીલો,મલાયાલીઝ, હરીયાણીવીઝ, પંજાબી વી નો છે. વીશ્વમાં મને ખબર નથી કે આટલા બધા વૈવીધ્યવાળો બીજો કોઇ દેશ હશે. આ સામાજીક વૈવીધ્યતા આપણો ભવ્ય વારસો છે તેને સહેજ પણ ઉની આંચ આવે તે જાળવવાની આપણા સૌ ની જવાબદારી છે.

મુખ્યમંત્રી શ્રી અરવીંદ કેજરીવાલાની બાજુમાં સીતારામ કેસરી ( જનરલ સેક્રેટરી સી પીએમ માર્કસવાદી) બેઠા હતા. દીલ્હીમાં છેલ્લા આઠવર્ષોથી રહેતા ફ્રેન્ચ આર્ટીસ્ટ જુલીઇન સીગાર્ડ સહીત ક્રીશ્નાના કાર્યક્રમો હાજર રહેનાર મહાનુભાવોમાં નીવૃત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.પી.શાહ, આર ટી આઇ પાયોનીયર અરૂણા રોય, પર્યાવરણસંરક્ષક સુનીલ નરેઇન,સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ ઇંદીરા જેસીંગ, પ્રો ઝોયા હુસેન અને વૈજ્ઞાનીક ગોહર રઝા જેવા ઘણા બધા વીઆઇપી હતા. અને સૌ એ  કર્ણાટકી કાઇનેટીક મ્યુઝીક બે કલાક કરતાં વધારે સમય સુધી માણ્યુ હતું. હાજર રહેલા સંગીત માણવા આવેલા ટોળાના વડીલોનો મત હતો કે " We are here for a quiet evening of pure, divine music."  સવર્ણલાય નામનું સાંસ્કૃતીક કેન્દ્ર ચલાવતા ભાઇ અશોકનનું નીરીક્ષણ હતું કે ' હું ક્રીશ્નને આપણા સમયના શ્રૈષ્ઠ સંગીતકાર તરીકે ગણું છું. તે પોતા 'કાર્નેટીક મ્યુઝીક' માટે આપણા દેશની મહમુલ્યવાન મુડી છે. આપણે ભલે ક્રીશ્નના રાજકીય વીચારો સાથ સહમત ન થઇએ પણ  તેનું સંગીત તો આપણા સૌમાં એકતા પેદા કરનારૂ છે.'

સ્વામીનાથ એ. ઐયર ' સ્વામીનોમીક્સ' નામની દર રવીવારે પ્રકાશીત થતી ટાઇમ્સ ઓફ ઇંડીયાની ૧૮મી નવેંબરની કોલમમાં લખે છે કે ક્યારેય હીંદુ માર્શલ મ્યુઝીકની દાદાગીરીના અવાજ પ્રમાણે નાચશો નહી. મારે દુ;ખ સાથે જણાવવું પડે છે કે બીજેપી પક્ષ અને સરકારમાં એટલા બધા ધાર્મીક ઝનુની વીદુષકો છે કે (so much clout) જેને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાને ક્રીશ્નનો કાર્યક્રમને કેન્સલ કરવો પડયો છે.  આ તો બીલકુલ સાંસ્કૃતીક જંગલીયાત જ છે.( This was cultural barbarism.) આપણો દેશ તો બહુવીધ ભાષાઓ અને વીવીધ ધર્મોનો બનેલો દેશ છે. આ સામાજીક અને સંસ્કૃતીક વીવીધતતા જ આ પણા દેશનું મહામુલ્ય નજરાણું છે. જેને કોઇપણ ભોગે આપણે પ્રજાતરીકે સુરક્ષીત રાખવું પડે અને વીકસાવું પડે!

સ્વામીનાથન વધુમાં લખે છે કે  ભારતીય સંગીતનાં મુળ ઘણાં ભવ્ય છે.તેજ આપણા માટેનું પ્રેરણાસ્રોત છે. દા.ત. આધુનીક સીતારએ મુળ ત્રણ તારવાળી પર્શીયન સીતારનું જ વીકસેલું સ્વરૂપ છે. તે જ રીતે આપણું સંગીત વાજીંત્ર સરોદના જન્મદાતા અફઘાનીસ્તાનનું વાજીંત્ર રૂઆબ છે. હાર્મોનીયમ તે યુરોપીયન એકોર્ડમાંથી વીકસેલું છે. તેથી આ બધા વાજીંત્રો મુસ્લીમ, ક્રીશ્ચન કે પરદેશી બની જતા નથી. તે હીદુસ્તાની સંગીતનો બીલકુલ અંતર્ગત અને અનીવાર્ય ભાગ છે. બીસમીલ્લાખાન, અમજદ અલી ખાન જેટલા ભારતીય સંગીત માટે અનીવાર્ય છે તેટલાજ અનીવાર્ય પંડીત રવીશંકર અને હરીપ્રસાદ ચોરસીયા છે. તે બધાના ધર્મો આ મુદ્દે બીલકુલ અપ્રસતુત છે.  

રામચંદ્ર ગુહા ( જાણીતા ઇતીહાસવીદ્ જેઓને તાજેતરમાં ગુજ.યુનીના એબીવીપીના નેતાઓએ ફોન પર ધમકીઓ આપીને યુનીર્વસીટીમાં જોબ સ્વીકારતા અટકાવ્યા હતા.) ક્રીષ્ના વીષે લખે છે કે તેને મળેલ સંગીત એક કુદરતી દેન છે. સંગીતના ક્ષેત્રમાં તે ખુબજ જાણીતા છે તે ઉપરાંત પણ તે એક જાહેર પ્રજાલક્ષી નીસ્બત ધરાવતા મોટાગજાના બૌધ્ધીક છે. દીલ્હીમાં જે જમણેરી પરીબળોએ ક્રીષ્નાને સંગીતને કારણે નહી પણ વીચારોને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તેનો સંગીતનો પોગ્રામ બંધ કરવા મજબુર કરી છે તે બીના દેશના પાટનગરમાં બની છે તે બીલકુલ અસંસ્કૃત, જંગલી ( અનસીવીલાઇઝડ વર્લડ) દુનીયામાં બનેલી ઘટના છે. ગુહા વધુમાં લખે છે કે " હું તો ફક્ત ચોપડીઓ લખું છું જયારે ક્રીષ્નાએતો પોતાના સંગીતમાં ભારતીય સંસ્કૃતીની મહાનતા, વીવીધતા અને સમૃધ્ધીને આમેજ કરેલી છે. તેઓનું સમગ્ર વ્યક્તીત્વ અને કલામાં તો સતત ભારતીય સંસ્કૃતીનો ધબકાર જ સંભળાય છે." Unlike Hindutva barbarians, these musicians know that music and musical instruments have no borders."

 મારા એક સાથી મીત્ર જે હીંદી ફીલ્મ સંગીતના સારા એવા જાણકાર છે તેઓ જણાવે છે કે ભજનને આપણે હીંદુ ધાર્મીક સંગીત ગણવું જોઇએ. તે રીતે જોઇએ તો મુસ્લીમ સંગીત ગાયકોએ આપણા સર્વ શ્રૈષ્ઠ ભજનો ગાયા છે. તેમાં મહંમદ રફી સાહેબ સૌથી મોટાગજના ભજનના ગાયક હતા. દા. તરીકે બૈજુ બાવરા ફીલ્મનું અતી પ્રચલીત અને સદા બહાર ગીત ' દુનીયા કે રખવાલે સુન દર્દ ભરે મોરે...ને લખનાર શકીલ બદાયુની, સંગીતકાર નૌષાદ અને ગાનાર રફી સાહેબ હતા.  ભજન ત્રણે મોટા ગજાના મુસ્લીમ બીરાદરોનું સર્જન છે. જે આપણે સૌ હીંદુઓ તે ભજનને ચાહીએ છીએ. કારણકે સંગીતને કોઇ સીમાઓમાં બાંધી શકાતું નથી.

તેવીજ રીતે 'અમર' ( સને ૧૯૫૦) ફીલ્મનું ભજન ' ઇન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ' ઉપર જણાવેલે મુસ્લીમ ત્રીપુટીએ જગવીખ્યાત બનાવ્યું છે. પણ આ ફીલ્મની વીશેષતા એ હતી કે તેના પ્રોડયુસર મહેબુબખાન હતા. અને અભીનેતા અને અભીનેત્રીઓમાં 'દીલીપકુમાર (યુસુફખાન) મધુબાલા( મુમતાઝ જેહન દેહલ્વી) અને નીમ્મી ( નવાબ બાનુ). શું આ બધા ફીલ્મ પ્રોડ્યુસરમાંથી અન્ય કલાકારો અને સંગીતકારો મુસ્લીમ હોવાને કારણે શું આ ભજનમાં કોઇ લેશ માત્ર ફેર પડયો હતો? તે તો એક વીજયી અદભુત નીર્દશન હતું જે સંદેશો મુકતું ગયું છે કે સંગીત માનવ સર્જીત બધીજ સીમાઓ ને જીતી શકે છે. ' સારે જહાંસે અચ્છા હીંદુસ્તાં હમારા'ના રચનાર કવી મોહમંદ ઇકબાલ હતા. ટુંકમાં રાષ્ટ્રપ્રેમ અને સંગીત બંનેને ધર્મ સાથે કોઇલેવા દેવા નથી.

 

 

--

Thursday, November 15, 2018

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર–

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર

( પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે ધાર્મીક નીંદાના(બ્લેસ્ફમી) ગુના હેઠળ મોતની સજા ભોગવતી એક ખ્રીસ્તી ખેતમજુર નામે " આશીયા બીબીને" ૩૧મી ઓક્ટોબરના રોજ સંપુર્ણ નીર્દોષ જાહેર કરી છે.)

 

 દરેક ધર્મોના આદર્શો (ઉપદેશો) કાંઇક હોય છે અને તેજ ધર્મોનો ખાસ કરીને ધાર્મીક લઘુમતીઓ સામે પોતાનો વ્યવહાર અને વર્તન બીલકુલ કેટલું બધું અમાનવીય. ગેરબંધારણીય, કાયદા વીરૂધ્ધનું  અને ઘાતકી હોય છે તેનાથી આપણે બધા પુરેપરા પરીચીત છીએ. થોડા દીવસ પહેલાં મારી પાસે પોસ્ટથી એક નાનકડી પુસ્તીકા મળી છે. જે મુસ્લીમ તહેવાર ' મહોરમનું મહત્વ' સમજાવે છે. પુસ્તીકાના લેખક છે ફાધર વાલેસ અને બીજા છે મોહમદ યાસર.

 માનનીય ફાધર વાલેસ સાહેબ લખે છે કે મને ઇન્ટરનેટમાં હુસેનની ઘણી પ્રેરણાત્મક ઉક્તીઓ વાંચવા મળી. અહીં તેમાંથી એક ઉક્તી નીચે મુજબ છે.

() બીજાની સતામણી કરવામાં આવે ત્યારે ચુપ રહેનાર માણસો પોતેજ  સતામણીના ગુનેગારો છે.

પુસ્તીકાના બીજા લેખક ' મોહમદ યાસર ખલીફાના નીચે મુજબના વાક્યો છે.

() માનવીય ઇતીહાસમાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ (સલ્લે.) સાહેબને  અંતીમ પયગંબર ગણે છે. તેમણે એક ઉદાત્ત અને આદર્શ સમાજની સ્થાપના કરી છે. સમાજના અનુયાયીઓ અલ્લાહની આજ્ઞાઓને સમર્પીત હોય. તે સમાજ આર્થીક ન્યાય, સામાજીક સમાનતા અને રાજકીય સ્વતંત્રતાના સીધ્ધાંતો પર રચાયો હોય. તે માનવીના મુળભુત અધીકારોના સંરક્ષણની સંપુર્ણ ખાતરી આપતો હોય.

() ઇસ્લામમાં માનવીને સૌ પ્રથમ માનવી ગણવામાં આવે છે. ત્યાં ધર્મજાતી, કે વર્ણ આધારીત ઉંચનીચના ભેદભાવ ના હોય, સ્રી કે પુરૂષ પણ એક માનવી તરીકે  સમાન નજરે  જોવાતા હોય, ત્યાં અનાથો, વીધવાઓ, વૃધ્ધો અને લાચારોની સંભાળ અને દરકાર લેવાતી હોય, ત્યાં કાયદાની સમક્ષ સૌ સમાન હોય, દરેક વ્યક્તીને કોઇપણ જાતના ભેદભાવ વગર યોગ્ય અને સાચો ન્યાય મળી રહેતો હોય, અને જ્યાં એક સામાન્ય માનવી પછી ભલે તે મુસ્લીમ ના હોય  તો પણ એક સલામત જીવન  સ્વામાનભેર જીવી શકતો હોય તેવો સમાજ હોય.

 હવે આપણે પાકીસ્તાન નીવાસી આશીયા બીબીના ધાર્મીક નીંદાના ગુના સમજીએ.

આપણો પડોશી દેશ પાકીસ્તાન એક મુસ્લીમ દેશ છે. ઇસ્લામ તેનો બંધારણીય ધર્મ છે.ઉપરના બોધ વચનોનો અમલ વાસ્તીક સમાજજીવન અને રાજય વહીવટમાં કેવો થાય છે તે જાણીએ.

આશીયા બીબી મુળે ધર્મે ખ્રીસ્તી,એવી એક ખેતમજુર હતી. તેણીએ ખેતરમાં કામ કરતાં તરસ લાગી હોવાથી એક જગમાંથી પાણી પીધું. ત્યારબાદ તેની સાથે ખેતરમાં કામ કરતી પણતેની પડોશી મુસ્લીમ ખેતમજુર બહેનોએ તેજ જગમાંથી પછી પાણી પીવા માટે આપ્યું. તેની સામે ધાર્મીક નીંદાની  ફરીયાદ કરવામાં આવી કે તેણીએ ઇરાદપુર્વક પોતાના પાણી પીધેલા જગમાંથી મુસ્લીમ બહેનોને પાણી પીવડાવીને વટલાવી છે. સને ૨૦૧૦માં સદર ધાર્મીક નીંદાના ગુના માટે ફાંસીની સજા જીલ્લા કોર્ટે ફરમાવી હતી. હાઇકોર્ટે તેના કૃત્યને ખુબજ નીંદનીય કૃત્ય ગણીને નીચલી કોર્ટની ફાંસીની સજા માન્ય રાખી. જેને પાકીસ્તાનની સર્વોચ્ચ અદાલતે  તેણીના ગુનાને બેબુનીયાદ ગણીને તેણીને ગુના મુક્ત કરીને પાકીસ્તાનને એક દેશ તરીકે અને વીશ્વને એક આંચકો આપ્યો છે.

On October 31, the Supreme Court of Pakistan took a monumental decision, against the grain of recent history in that country. By acquitting Asia Bibi, a Christian woman convicted of blasphemy on the flimsiest of grounds by a sessions court — a decision that was upheld by the Lahore High Court — the country's apex court showed great courage.

સૌ , ઇન્ડીયન એકપ્રેસ તંત્રી લેખ તા. ૧૨મી નવેંબર ૨૦૧૮.

 આશીયાની તરફેણમાં અને જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાની વીરૂધ્ધમાં પોતાના અભીપ્રાયો જાહેરમાં જણાવ્યા હતા, તેવા પંજાબના ગવર્નર સલમાન તાસીર અને ભુતપુર્વ માઇનોરીટી એફર્સના પાકીસ્તાન સરકારના મીનીસ્ટર શાહબાઝ ભટટી બંનેના ખુન કરી નાંખવામાં આવ્યા છે.દેશની સર્વોચ્ચ અદાલતના જે ન્યાયધીશોએ (ડીવીઝન બેન્ચ) ચુકાદો આપ્યો છે, તેને મોત ની ધમકીઓ મળી ગઇ છે. સર્વોચ્ચ અદાલતમાં જે એડવોકેટે આશીયા બીબીનો કેસ લડયો તેને પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી જવું પડયું છે.

તા૩૧મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યો જેને પાકીસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને ટેકો આપ્યો. ત્યારબાદ દેશમાં મુદ્દા પર  જે ધાર્મીકઉગ્રવાદી રાજકીય પાર્ટી(તેહરીકે લબબીક પાકીસ્તાન) TLP ને  ઇમરાનખાનની પાર્ટી સામે તાજેતરના ઇલેક્શનમાં એક પણ સીટ મળી નહતી તેણે ધાર્મીક કટરવાદીઓની મદદ લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે દેશ વ્યાપી આંદોલન શરૂ કર્યું. દેશના લશ્કરના વડાઓને ઇમરાનખાન સામે બળવો કરવા હુકમ કર્યો. આશીયાબીબી દેશ છોડીને જઇ શકે તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન ઇમરાન ખાનને આશીયાબીબીની તરફેણમાં અને સદર  ચુકાદા માટે સુપ્રીમ કોર્ટને બીરદાવી ત્રણ દીવસ પહેલાં હતી, તે બધા ઉચ્ચારણો પાછા ખેંચવા માટે મજબુર કરવામાં આવ્યા છે.

વધારામાં આ ટી એલ પી પાર્ટીએ ઇમરાન ખાનની સરકાર પાસેથી બાંહેધરી લઇ લીધી છે કે ટીલીપી આશીયા બીબીના સુપ્રીમ કોર્ટના ચુકાદા વીરૂધ્ધ રીવ્યુ પીટીશન દાખલ કરે તો તેનો વીરોધ નહી કરે.આ ઉપરાંત સખત બહુમતીથી ચુંટાયેલી ઇમરાન સરકારે લેખીત બાંહેધરી આપી છે કે જે લોકો દેશ છોડીને ભાગી જવા માંગતા હોય તેમાં આશીયા બીબીનું નામ ઉમેરવામાં વાંધો નથી.

 

દેશના વડાપ્રધાન બન્યા પછીના ત્રણ માસમાં ઇમરાન ખાન માટે દેશના હીતમા યોગ્ય નીર્ણય લીધા પછી ઇસ્લામીક ધાર્મીક  કટરવાદીઓના દબાણને વશ થઇને પોતાનો નીર્ણય બદલવાનો પ્રથમ નીર્ણય નથી.

In his three months in office, this is Imran Khan's second visible cave-in. Earlier, he asked Princeton professor Atif Mian to resign from his Economic Advisory Council when hardline elements, notably the TLP, objected to the latter's Ahmadi heritage.( સૌ.તંત્રી લેખ. ઇ એકપ્રેસ તા.૧૨–૧૧–૧૮.) વડાપ્રધાન ઇમરાન ખાનને સારી રીતે ખબર છે કે આર્થીક રીતે દેશની શું સ્થીતી છે. પાકીસ્તાની નાગરીક અમેરીકાની વીશ્વવીખ્યાત પ્રીન્સટોન યુની.માં અર્થશાસ્રના પ્રોફેસર આતીફ મીયાન  તરીકે કામ કરતા વીદ્ધવાનને  નાણાંકીય સલાહકાર તરીકે આમંત્રણ આપ્યુતે પણ ઉગ્રધાર્મીક પરીબળોના વીરોધને કારણે  કેન્સલ કરવું પડયું. કારણકે પેલો અર્થશાસ્રનો પ્રોફેસર પાકીસ્તાની નાગરીક હતો પણ તે મુસ્લીમ નહતો. દેશની લઘુમતી કોમ અહેમદીયા તેનો વારસો હતો.

ઇટાલીના નાયબ વડાપ્રધાન એમ સલવીનીએ આશીયાબીબીના કેસની તરફેણમાં મજબુત લાગણી પ્રદર્શીત કરતાં જણાવ્યું છે કે સને૨૦૧૮માં અને તે પણ ૨૧મી સદીમાં " We cannot allow a situation like this in 2018,, women and children should not be in danger." ( T O I page 9 8th Nov 2018.) આશીયા બીબીના પતિ આશીક મસિહે ખુબજ દુ;ખ સાથે જણાવ્યું છે કે તેની પત્નિ અને તેના બે બાળકો ગમે ત્યારે ધાર્મીક ઉગ્રવાદીઓના હુમલાનો ભોગ બની શકે તેમ છે. તે બધાને રાજકીય આશ્રય આપવા યુકે, યુએસએ અને કેનેડાની સરકારોને વીનંતી કરી છે. યુરોપીયન પાર્લામેંટના પ્રમુખ એનટોનીયોએ આશીયા બીબીના કુટુંબને રાજકીય આશ્રય આપવાની તૈયારી બતાવી છે.વીશ્વગુરૂ અને વારંવાર ' વસુધૈવ કુટુંબની દુહાઇ જુદા જુદા દેશો સમક્ષ પોતાના વીદેશ પ્રવાસોમાં પુકારનાર ભારતના વડાપ્રધાન મોદીજીએ બીજા ઘણા બધા મુદ્દાઓની માફક આ મુદ્દે પણ મૌન સેવવાનું યોગ્ય માન્યું છે.

For Pakistan, and even beyond its borders, the dangers of relying on religion for political ends are becoming starkly clear from the Asia Bibi episode: Sooner or later, such a politics undermines state sovereignty, constitutional morality and the rule of law. સૌ. ઇ એકપ્રેસ ના તંત્રી લેખની છેલ્લી લીટોઓનો ભાવાનુવાદ.

ફક્ત પાકીસ્તાન માટેજ નહી પણ તેની સરહદોની પેલેપાર પણ ' રાજકીય હેતુઓ માટે ધર્મ અને ધાર્મીક લાગણોનો ઉપયોગ આશીયાબીબીના કેસ પરથી કેવાં ગંભીર પરીણામો લાવી શકે છે તેવો બોધ પાઠ આપે છે. આવું રાજકારણ આજે નહીતો કાલે  રાજયના સાર્વભૌમત્વ,બંધારણીય નૈતીકતા અને કાયદાના શાસનને અપ્રસતુત બનાવી દે છે. 


--