Wednesday, September 21, 2016

ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામની ગૌરવશાળી વાતો–

આપણા ભુતપુર્વ રાષ્ટ્રપતી એપીજે અબ્દુલ કલામ કેવા ગૌરવશાળી માનવ હતા?

તેઓના સેક્રેટરી શ્રી પી.એમ નાયરે ' કલામ ઇફેક્ટ' (Kalam Effect) નામની પ્રકાશીત કરેલ ચોપડીમાં નીચે જણાવેલ માહીતીઓ અમે રજુ કરી છે.
(1)
સામાન્ય રીતે જ્યારે કોઇપણ દેશના સર્વોચ્ચ વડા બીજા દેશની મુલાકાતે જાય ત્યારે તેઓને હોદ્દાની રૂએ ઘણી કીંમતી ભેટો યજમાન દેશ તરફથી આપવામાં આવતી હોય છે. તે એક રીવાજ કે શીષ્ટાચાર છે.શ્રી કલામ સાહેબ માટે તે ભેટ– સોગાદો લેવી અને લેવી તો તે બધાનું શું કરવું તે પ્રશ્ન સતત સતાવવો હતો. જો તે ભેટોનો અસ્વીકાર કરવામાં આવે તો તે રાષ્ટ્ર માટે અવીવેક ગણાય. યજમાન દેશને શરમીંદુ બનવું પડે. આ બાબત કલામ સાહેબ માટે ખુબજ અગવડ ભરી સ્થીતી હતી.

 તેઓએ નક્કી કર્યું કે આવી ભેટ– સોગાદો સ્વીકારવી. પણ  દેશ પરત આવતાં જ  તે  ભેટોના ફોટા પાડી, તેની વ્યવસ્થીત યાદી બનાવી અને પછી રાષ્ટ્રીય દફતર ભંડાર ( નેશનલ આર્કાઇવ્ઝ)ને સોંપી દેવી. ત્યારબાદ તેઓએ ક્યારેય તે ભેટ–સોગાદો તરફ જોયું જ નથી. જ્યારે તેઓએ રાષ્ટ્રપતીભવન છોડી દીધું ત્યારે પોતાને મળેલ ભેટોમાંથી એક પેનસીલ સરખી પણ તેઓએ લીધી ન હતી.

(2) સને ૨૦૦૨માં તેઓ રાષ્ટ્રપતી બન્યા ત્યારે જુલાઇ–ઓગસ્ટ માસમાં રમઝાન મહીનો આવતો હતો. દરેક રાષ્ટ્રપતી ઇફતાર પાર્ટી રાખતા હતા. તે એક રીવાજ બની ગયો હતો. શ્રી કલામે પુસ્તકના લેખક નાયરને પુછયું કે જે લોકો ખાધેપીધે સંપન્ન છે તે બધા માટે ઇફતાર પાર્ટી શા માટે રાખવી જોઇએ? તે પાર્ટીનો અંદાજી ખર્ચ કેટલો થશે તે મને જણાવો? નાયરે જણાવ્યું કે આશરે ૨૨ લાખ રૂપીયા. શ્રી કલામે નાયરને જણાવ્યું કે કેટલાક અનાથ અને જરૂરમંત લોકોને શોધી કાઢી તે બધાને તેટલી રકમનાં અનાજ, કપડાં અને ધાબડા વી. દાનમાં મોકલી આપો. આ રીતે ઇફતાર પાર્ટીનો વીકલ્પ શોધાઇ ગયા પછી તેઓએ નાયરને પોતાની રૂમમાં બોલાવી પોતાના અંગત ખાતામાંથી રૂપીયા એક લાખનો ચેક આપ્યો. અને ખાસ સુચના આપી આ વાત કોઇને કહેવાની નથી. પણ નાયરને એકદમ માનસીક ઝાટકો લાગ્યો. ને કહ્યું કે " સાહેબ! હું રૂમમાંથી બહાર નીકળીને બધાને કહીશ." લોકોને જાણવા દો કે આ એ માણસ છે જેને પોતાના હોદ્દાની રૂએ જે ખર્ચ કરવાનો છે તે તો કરતો નથી પણ પોતાના પૈસા પણ મદદમાં આપે છે. શ્રી કલામ પાક મુસ્લીમ હોવા છતાં પોતાના રાષ્ટ્રપતી પદના સમયગાળામાં કોઇ ઇફતાર પાર્ટી રાખી નહી.

(3)  ડૉ કલામ ને ક્યારેય ' યસ સર કહેનાર' ટાઇપના માણસો બીલકુલ ગમતા ન હતા. એક વાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ આવ્યા હતા.  કોઇ મુદ્દા પર શ્રી કલામે પોતાનો અભીપ્રાય આપ્યો અને પછી નાયરને પુછયું કે '' તમે સંમત છો?' નાયરે જવાબ 'ના, સાહેબ, હું તમારા મત સાથે સંમત થતો નથી.'

ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને મારી રજુઆતથી એકદમ 'સોક' આઘાત લાગ્યો. અને તેમને લાગ્યું કે તેઓના કાને બરાબર સાંભળ્યું તો છે ને! કોઇ સીવીલ સર્વંટ જે રાજ્યનો કર્મચારી છે તે આવી અસંમતી રાષ્ટ્રપ્રમુખના મતની વીરૂધ્ધ અને જાહેરમાં આપી શકે તે માન્યામાં આવે તેવી વાત ન હતી. પછી શ્રીકલામ શા માટે મારો મત તેમના મતની વીરૂધ્ધનો હતો તે સમજવા મને પુછે. જો  તેમાં મારી હકીકત તર્કબધ્ધ ૯૯ ટકા લાગે તો તે પોતાનો મત ચોક્કસ બદલતા.

(4) શ્રી કલામે પોતાના ૫૦ સબંધીઓને દીલ્હી બોલાવ્યા. જે બધા રાષ્ટ્રપતી ભવનમાં રહ્યા. તેઓએ તે બધા માટે ભાડે બસ કરીને દીલ્હી બતાવ્યું. જેના ભાડાના પૈસા પોતે આપ્યા હતા. આ બધા દીવસો દરમ્યાન કોઇ વાહન રાષ્ટ્રપતી ભવનનું વાપરવામાં આવ્યું ન હતું. અમને બધાને તેમની પાછળ જમવાના વી.ના થતા ખર્ચની ગણતરી બરાબર રાખવાનું કહ્યું હતું. તે બીલ રૂપીયા બે લાખનું આવ્યું જે શ્રી કલામે આપ્યું હતું. આ દેશના ઇતીહાસમાં આવું કોઇએ કર્યું નથી.

(5) શ્રી કલામસાહેબની પ્રમાણીકતાની હવે ચરમસીમા જુઓ.

એક અઠવાડીયાસુધી શ્રીકલામ સાહેબના મોટાભાઇ તેમની પોતાની રૂમમાં જ સાથે રહ્યા. તેઓની ઇચ્છા હતી કે અમે બંને ભાઇઓ સાથે જ રહીએ. પછી તે બંને છુટા પડયા. શ્રીકલામ તે રૂમનું ભાડુ પણ આપવા માંગતા હતા. આપણે કલ્પના પણ કરી શકીએ છીએ ખરા કે  જે  દેશનો રાષ્ટ્રપતી પોતાના રૂમમાં રહેતો હોય તેનું પણ ભાડુ આપવા તૈયાર થાય! રાષ્ટ્રપતી ભવનના સ્ટાફે તે વાત સ્વીકારી નહી કારણકે આવી પ્રમાણીકતાનું સંચાલન કરવું તે બધા માટે શક્ય નહતું.

(6) જયારે કલામ સાહેબની રાષ્ટ્રપતી તરીકે મુદત પુરી થઇ અને તે વીદાય લેવાના હતા ત્યારે દરેક સ્ટાફ મેમ્બર તેઓને મળ્યા અને તેઓને બધાએ ભાવભીનું માન આપ્યું. આ પુસ્તકના લેખક નાયર, પોતાની પત્ની જેને પગે ફેક્ચર થયું હતું અને પથારી વશ હતી, તેથી તેણીને લીધા સીવાય એકલા શુભેચ્છા પાઠવવા આવ્યા. તેઓએ પુછયું કે કેમ તમારી પત્ની આવી નથી? મેં તેણીના અકસ્માતની વાત કહી. બીજે દીવસે સવારે નાયરે જોયુ કે તેમના ઘરની આસપાસ ઘણી પોલીસ હતી. મેં પોલીસને પુછયું કે શું છે? તેમનો જવાબ હતો કે શ્રી કલામ સાહેબ, રાષ્ટ્રપતી તમારા ઘરે મુલાકાતે આવે છે. તેઓ મારે ઘરે આવ્યા ને મારી પત્નીની તબીયતની પૃચ્છા કરી. થોડોક સમય રોકાઇ ને તે ગયા. નાયરે લખ્યું છે કે  વીશ્વના કોઇ દેશનો વડો પોતાના સીવીલ સર્વંટના ઘરે આવા બહાના હેઠળ મળવા આવે તે સંભવ છે ખરૂ ?

(7) શ્રી કલામ સાહેબનો નાનો ભાઇ છત્રીઓ રીપેર કરવાની દુકાન ચલાવતો હતો. નાયર શ્રી કલામ સાહેબના અંતીમ વીધી સમયે તે નાનાભાઇને મળ્યા. તેણે લાગણીસભર બનીને નાયરના પગને સ્પર્શ કર્યો  અને કહ્યુંકે તેણે " હું મારા ભાઇ અને તમારા પ્રત્યેના આદરભાવમાં આ કર્યા સીવાય રહી શકતો નથી.



--

મારા દેશપ્રેમની સાબીતી માટે મારે મારી દેશભક્તી બતાવવાની ન હોય!–મોહંમદ સરતાજ.

જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ (ઇનવીઝીબલ બોન્ડ) છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા એ આપણી આઝાદીની ચળવળના રાષ્ટ્રીય નામાંકીત નેતાઓએ આપેલી તે એક  (સ્વતંત્રતા)અમુલ્ય ભેટ છે. તે સન્માનીય આઝાદીના નેતાઓનો બ્રીટીશ સલ્તનત સામેનો સંઘર્ષ પોતાના નીજી સ્વાર્થો માટે કર્યો ન હતો. તે બધાને  ભારતને એક આઝાદ દેશ બનાવવો હતો જેમાં દેશના નાગરીકોનું જ્ઞાતી, વંશ, જાતી, ધર્મ કે લીંગના આધારે કોઇપણ પ્રકારનો ભેદભાવ (ડીસક્રીમીનેશન) ન હોય.

તેઓની સ્વાધીનતાની લડત કોઇ ખાસ ભારતીય નાગરીક કે દેશના કોઇ ધાર્મીક કે વંશીય જુથ માટેની ક્યારેય ન હતી. તે દેશના દરેક નાગરીક માટેની હતી. મારે માટે આઝાદી એટલે ભુલો કરવાની અને કરેલ ભુલોમાંથી શીખવાની આઝાદી. તેનો સાદો સીધો અર્થ છે કે તમે મારા વીચારવાના અને તે રજુકરવાની સ્વતંત્રતાના મોંઢે ડુચો મારી શકો નહી જયાંસુધી મારા વીચારો અને કાર્યો બીજાને હાની પહોંચડાતા ન હોય. સ્વતંત્રતાનો અર્થ પણ જેમ જેમ આપણે પુખ્ત અને બૌધ્ધીક રીતે પરીવર્તન પામીએ છીએ તેમ બદલાતો પણ જાય છે.

હું જ્યારે પ્રાથમીક શાળામાં એક બાળક તરીકે ભણતો હતો ત્યારે મને બે રજાઓની ખાસ ઇંતેજારી રહેતી હતી. એક ૧૫મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દીવસ અને બીજો દીવસ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દીવસ. કારણકે તે બે દીવસોએ કાર્યક્રમ પુરો થયા પછી મીઠાઇ વહેંચવામાં આવતી હતી. આ રાષ્ટ્રીયપર્વના કાર્યક્રમોમાં હું હંમેશાં ' યે દેશ હે વીર જવાનોકા અલબેલોકા મસ્તાનોકા' ગાતો હતો. અને શાળાના સાંસ્કૃતીક કાર્યક્રમમાં જ્યારે હું ' એ મેરે વતન કે લોગો, જરા આંખમે ભરલો પાની, જો શહીદ હુંએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની'  ગીત સાંભળીને  રડી પડતો હતો. આ કાર્યક્રમોમાંથી મને દેશને માટે કંઇક મહાન કરી છુટવાની સતત પ્રેરણા મળતી હતી. હું ચંદ્રશેખર આઝાદ, ભગતસીંહ અને  સુભાષચંદ્ર બોઝ જેવો બનવા માંગતો હતો. તે બધા મારા અતીપ્રીય પ્રેરણા મુર્તીઓ હતા.

બાળપણમાં મારા આઝાદીના ખ્યાલમાં બે વસ્તુઓ  હતી. એક સ્કુલમાંથી આપેલું હોમવર્ક ન કરવું અને બીજું જેટલું મન થાય તેટલું રમવાની આઝાદી.પણ હું જ્યારે ૧૦મી શ્રેણીમાં આવ્યો ત્યારે  સમજણ પડી કે દેશ માટે પણ કંઇ કરવું હશે તો ભણવું પડશે. હું ધોરણ દસ અને બારમામાં મારી સ્કુલમાં સૌથી વધારે માર્કસ મેળવી પહેલે નંબરે પાસ થયો.

 હું જ્યારે કોલેજમાં ભણતો થયો ત્યારે ફરી મારી આઝાદીનો ખ્યાલ બદલાઇ ગયો. તે સમયે મારા મનમાં કોઇપણ રીતે મારા કુટુંબને આર્થીકરીતે મદદરૂપ કેવી રીતે થવાય તે મુદ્દો સૌથી મહત્વનો બની ગયો. કોલેજના પ્રથમ વર્ષે હું 'એરફોર્સ ટેકનીકલ ટ્રેડ એક્ઝામીનેશ' માં બેઠો. તેમાં હું પસંદ થયો અને ટ્રેંઇનીંગમાં બેલગામ (કર્ણાટક) ગયો.

ટ્રેઇનીંગ દરમ્યાન હું ખુબજ ખુશ હતો, કારણકે મને મારા બાળપણનું સ્વપ્ન ખરૂ પડતું લાગ્યું. હું સીધોજ 'એર ફોર્સ'નામની દેશની લશ્કરની શાખામાં રાષ્ટ્રની સેવા કરવા માંડયો. મારી આ લશ્કરી સર્વીસથી મારા કુટુંબે ગૌરવ અનુભવ્યું. હું જ્યારે ઘરેથી સર્વીસ માટે જતો હોઉ ત્યારે મારા પીતાજી પોતાની હેટ ઉતારી મને સલામ કરતા હતા.

જ્યારે આપણે રાષ્ટ્રના સંદર્ભમાં સ્વતંત્રતાની ચર્ચા કરતા હોઇએ છીએ ત્યારે આપણી તે લાગણીને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. આપણી તે લાગણીનો સંબંધ અતુટ(ઇનવીઝીબલ બોન્ડ) છે. જેમ જેમ તમને દેશ પ્રત્યે વધુ ને વધુ પ્રેમ થાય અથવા તો તમે તમારી જાતને દેશ માટે વધુ ને વધુ સમર્પીત થઇ જાવ ત્યારે દેશમાટેની લાગણી વધુ ને વધુ મજબુત થતી હોય છે.

 આજના આ વાતવરણમાં કેટલાક કહેવાતા દેશભક્તો (સો કોલ્ડ દેશભક્તો) ખાસ એક કોમ કે સમાજની 'દેશભક્તી'ને તપાસવા મેદાને પડયા છે. તમારે તેમની હાજરીમાં તમારી દેશભક્તીની સાબીતી આપવાની હોય છે. મઝાની વાત એ છે કે તમારી દેશભક્તી માપવાનો કોઇ માપદંડ તેમની પાસે નથી. તે બધા તમારી દેશભક્તીને તમારા નામ, ધર્મ કે જ્ઞાતીથી ઓળખે છે. જ્યારે આવા પરીબળો તમારો દેશપ્રેમ માપવાની કોષીશ કરે છે ત્યારે તમારી આઝાદીનો ખ્યાલ જે બચપણથી વીકસાવેલો હતો તે જ મૃતપાય થઇ જાય છે. આ કહેવાતા દેશભક્તોના કાર્યોથી હું ગુગળાઇ જવા બેઠો છું. મને સતત એમ જ અનુભવાય છે કે હું અને મારો દેશ ફરીથી ગુલામ બનવા તરફ જઇ રહ્યા છે. વધુમાં હું ભારતીય તરીકે મારી ઓળખ ગુમાવતો હોઉ તેવો મને ડગલે ને પગલે અહેસાસ થવા માંડયો છે. જયારે રાજકારણીઓ એવા સુત્રો પોકારે છે કે અમારે ' કોંગ્રેસ મુક્ત ભારત –અને મુસ્લીમ મુક્ત ભારત' બનાવવું છે ત્યારે મને એમ લાગે છે કે હું મારી મહામુલી મેળવેલી સ્વતંત્રતા ખોઇ રહ્યો છું. મને વીચાર આવે છે કે તમે કેવી રીતે સમાજના એક ભાગ માટે આવા સુત્રો ઉચ્ચારી શકો? જયારે દેશમાં કહેવાતા દેશભક્તો તરફથી આવી વાતો વ્યવસ્થીત ફેલાવવામાં આવે છે ત્યારે મને અનુભવાય છે કે ફરીથી ગુલામીનો યુગ શરૂ થયો છે. શું આવા પરીબળોએ સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેનો ' કોપીરાઇટ'  દેશના નાગરીકો પાસેથી ખુંચવી લીધો છે? ખરેખરતો તે અધીકાર દેશના દરેક નાગરીકોનો મુળભુત અધીકાર છે. તે કોઇની દેન નથી કે જેથી ખુંચવી શકાય!.

લોકશાહી, સ્વતંત્રતા અને દેશભક્તી એકબીજા ઉપર અવલંબીત છે. તમારૂ લોકશાહી ભર્યું વલણ તમને વધુ દેશભક્ત બનાવે છે. જેનાથી તમે વધુ આઝાદ બનો છો કે સ્વતંત્ર બનો છો. પણ આઝાદી સાથે કાર્ય કે વર્તનની જવાબદારી પણ આમેજ હોય છે. 'સબકા સાથ સબકા વીકાસ' નો પાયો સામાજીક સહીષ્ણુતાપર આધારીત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતાનો ઉદય ,અસ્તીત્વ અને વીકાસ આઝાદીના લડવૈયાના સંઘર્ષ અને બલીદાનનું પરીણામ છે. આપણા લશ્કરી બળો તે આઝાદીનું સંરક્ષણ કરે છે અને સાચવી પણ રાખે છે. આવી આઝાદીનો ઉપયોગ ખુબજ સાચવીને સમજ– પુર્વક કરવી જોઇએ.

( લેખના લેખક ઇન્ડીયન એરફોર્સમાં સાર્જન્ટ છે.અને તે મહંમદ અખલક નો પુત્ર છે. જેને ઉત્તરપ્રદેશના દાદરી ગામમાંતારીખ ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ તેમના ફીજમાં ગૌ માંસ છે તેવો આક્ષેપ મુકીને મારી નાંખવામાં આવ્યા હતા.) સૌ. ઇન્ડીયન એકસપ્રેસ,

 અંગ્રેજી લેખનો ભાવાનુવાદ. ૧૨–૯– ૨૦૧૬.

 

--

Saturday, September 3, 2016

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

જૈન દીગંબર મુની તરૂણ સાગરે હરીયાણા વીધાનસભામાં રજુ કરેલ વીચારો–

આપણે  અહીંયા હરીયાણા વીધાનસભામાં મુળ આર એસ એસમાંથી તૈયાર થયેલા અને  હરીયાણા રાજ્યના   મુખ્યમંત્રી બનેલા શ્રી ખટ્ટરે કોઇ ધાર્મીક નેતાને પોતાની વીધાનસભામાં શ્રી રાજ્યપાલના કરતાં પણ ઉંચે આસને બેસાડી " ધર્મ અને રાજ્ય" ના સંબંધો જેવા મુદ્દે કેમ પ્રવચન આપવા બોલાવ્યા તેની ચર્ચા કરવા માંગતા નથી. અમે તેનો ચોક્ક્સ અને ગંભીર રીતે વીરોધ તો કરીએ જ છીએ. કારણકે દેશના લોકશાહી બંધારણ મુજબ રાજ્ય અને ધર્મના કાર્યો સ્પષ્ટ રીતે સ્વતંત્ર છે તેવું જણાવવામાં આવેલું છે. બંધારણે બક્ષેલા મુળભુત અધીકારોની કલમ ૧૯ અને ૨૫ મુજબ ધાર્મીક સ્વતંત્રતા એ દરેક નાગરીકનો અધીકાર છે. બંધારણ મુજબ રાજ્યની પ્રવૃત્તીઓમાં ધર્મએ દખલગીરી ન કરવી જોઇએ. અને તેવીજ રીતે ધર્મના ક્ષેત્રોમાં રાજ્યે દખલગીરી ન કરવી જોઇએ.

હવે શ્રી તરૂણસાગરે પોતાના આ પ્રવચનમાં  ' પ્રેસ રીપોર્ટ'  પ્રમાણે બે અગત્યની વાતો કરી છે. એક રાજ્ય અને ધર્મના સંબંધોમાં ધર્મની સર્વોપરીતાની તરફેણ કરી છે. રાજ્યશાસન ધર્મ પ્રેરીત અને સંચાલીત હોવું જોઇએ. આ સંબંધોની વધુ ચોખવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે ' જેમ પતીનું આધીપત્ય પોતાની પત્ની ઉપર છે તેવું ધર્મનું આધીપત્ય રાજ્ય પર હોવું જોઇએ.'  એટલે કે રાજ્યશાસન તેના જન્મદાતા અને  કર્તા ધર્મના દાસ, અને ગુલામ હોવા જોઇએ.  આ મુનીના ક્રાંતીકારી કડવા વીચારોમાં ' સ્રી–પુરૂષ' સમાનતા હજુ જોજનો દુર છે. તે જેમ પુરૂષના સ્રી પરના આધીપત્યને ધાર્મીક ગણે છે તેમ તેમને ધર્મનું આધીપત્ય રાજ્ય પર જોઇએ છીએ. હજુ તેમને માહીતી નથી અથવા આ સત્ય સ્વીકાર્ય નહી હોય કે ભારતના રાજ્યનું સર્જન દેશમાં પ્રવર્તમાન કોઇ ધર્મોએ કરેલું જ નથી. પણ ' વી ધી પીપલ ઓફ ઇંડીયા' એ બંધારણ મુજબ રાજ્યનું સર્જન કરેલ છે. ભારત દેશમાં રહેતા લોકો બંધારણ મુજબ પ્રથમ ભારતીય નાગરીક છે પછી હીંદુ કે મુસલમાન વગેરે. આ બધા ધર્મના ઠેકેદારોને દેશના નાગરીકો( સીટીઝન્સ)ને નાગરીકમાંથી હીંદુ, મુસલમાન, ખ્રીસ્તી અને જૈન બનાવવા છે. તમને ઘડીયાળના કાંટાને સને ૧૯૪૭ સાલ પહેલાંની તરફ લઇ જવા છે. પછી આ બધા ધાર્મીક ઠેકેદારોને પોતાના ધર્મના અનુયાયીઓ પર પોતાના ધર્મોની દુકાનો ચલાવવી છે. તે બધાના હીતો ધાર્મીકને બદલે ધંધાકીય થઇ ગયા છે. તેમના અનુયાયીઓ ધાર્મીકને બદલે ધાર્મીક ગ્રાહકો છે. તેમના સંબંધો મુડીવાદી સમાજ વ્યવસ્થામાં જે સંબંધો  ઉત્પાદક અને ગ્રાહકના છે  તેનાથી લેશ માત્ર જુદા હોતા નથી.

આ બંને વીચારોનું પૃથ્થકરણ કરતાં આ જૈનગુરૂની માનસીકતા અને વીચારપધ્ધ્તી શું છે તે સ્પ્ષ્ટ રીતે ખબર પડે છે.

એક, તેઓને રાજ્યવ્યવસ્થાની સામે ધર્મવ્યવસ્થાનું પ્રભુત્વ જોઇએ છીએ. આવો ખ્યાલ ફક્ત તેઓનો છે એવું બીલકુલ નથી. તેવો ખ્યાલ કોઇપણ ધર્મના વડાનો સામાન્ય રીતે હોય છે. અરે! આવો ખ્યાલ આર એસ એસના વડા મોહન ભાગવત અને તેમની ઉપરથી નીચે સુધી પ્રસરેલી ફોજનો પણ છે. તે બધાને દેશમાં હીંદુ ધર્મ પાળતી બહુમતી હીંદુઓની હોવાથી તે બધાને દેશને કાયદા મુજબના અસ્તીત્વમાં આવેલ બંધારણીય રાજ્યમાંથી  હીંદુ રાજ્યમાં રૂપાંતર કરવું છે. દેશને લોકો માટેનું કલ્યાણ રાજ્ય બનાવવાને બદલે હીંદુ ધર્મના મનુસ્મૃતીના નીયમો પ્રમાણેનું હીંદુ રાજ્ય બનાવવું છે. દેશ અને દુનીયાના દરેક ધર્મોના ધર્મગુરૂઓને, ખ્રીસ્તીઓને બાયબલ, મુસલમાનોને  કુરાન અને શરીઅત, હીંદુઓ માટે મનુસ્મૃતી અને ભગવત ગીતા પુરસ્કૃત વર્ણવ્યવસ્થાના ટેકાવાળું અને જૈનોને મહાવીર સ્વામી અને અન્ય તીર્થંકરોએ સુચવેલ પ્રમાણેનું જૈનોનું રાજ્ય શાસન જોઇએ છીએ. ૨૧મી સદીની, ખાસ કરીને નાગરીક લોકશાહી પ્રથા તે બધાને આંખના કણાની માફક સતત ખુંચે છે. લોકશાહી રાજ્યપ્રથામાં રાજ્ય પોતાના કોઇપણ નાગરીકનો ધર્મ જોવાને બદલે નાગરીક તરીકે ગણીને તેના કલ્યાણ માટેનો અધાર્મીક નહી પણ ઐહીક (સેક્યુલર) વ્યવહાર કરે છે.

જૈન દીગંબર મુની તરૂણ સાગરના વીચારો અને કાર્યો એ કોઇપણ ધર્મના વડાઓના વીચારોથી બીલકુલ જુદા નથી. તેથી આપણા પડકારો તે બધા જ સામે જ હોય. તેમાં કોઇ વધારે વીરોધી કે ઓછા વીરોધી હોઇ  શકે નહી. તે રીતે જ આપણે તે બધાના, જાગૃત અને અજાગૃત મનમાંથી વ્યક્ત થતા અમાનવીય મુલ્યો જેવાકે લોકોની ધાર્મીક ગુલામી, સ્રી–પુરૂષ અને માનવ માનવ વચ્ચે ધર્મ પ્રેરીત અસમાનતા અને સંપન્ન માણસોનો વંચીતો સામેનો અન્યાયી વ્યવહાર, વર્તન વીગેરે સામેના પડકારો ઝીલવા બહુજ ઝડપથી તૈયાર થવાનો સમય આવી ગયો છે.સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ માનવ મુલ્યો છે.આવા મુલ્યોને બચાવવા માટેનો સંઘર્ષ લાંબા ગાળાનો છે. જેમાં આપણા પક્ષે જ્ઞાન–વીજ્ઞાન અને આધુનીક ટેકનોલોજીનો સાથ છે. પણ તે બધા તેનો યેનકેન પ્રકારે જ્ઞાન–વીજ્ઞાનનો વીનાશ કરવામાં સફળ ન થાય તો! આવા સ્થાપીત હીતો ધરાવતા ધાર્મીકોને તેમના સાચા પ્રકટ અને અપ્રકટ વર્તનો સામે આપણે આપણા નાગરીક જોખમોએ જ નજરઅંદાજ કરી શકીએ.

હરીયાણાની ખટ્ટર સરકાર તરુણ સાગરને બોલાવવામાં પહેલી નથી. શીવરાજ પાટીલની મધ્યપ્રદેશની સરકારે આ જૈન સ્વામીને વીધાનસભામાં જ પ્રવચન આપવા બોલાયા હતા. તરુણસાગર અને આર એસ એસ–બીજેપી સંચાલીત આ બધાના વૈચારીક એજન્ડા બીલકુલ જુદા નથી.બીજી એક અગત્યની હકીકત છે કે લોકસભા અને રાજ્યસભા ગૃહનો 'લેક્ચર હોલ' તરીકે બીલકુલ ઉપયોગ ન થઇ શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. તો કયા કારણોસર દેશના રાજ્યોની વીધાનસભા ગૃહોને આવા કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે. વધારામાં આ મુનીને હરીયાણાની વીધાનસભામાં પ્રવચન આપવા બધાજ રાજકીય પક્ષોએ અનુમતી આપી હતી.  

 હરીયાણા સરકાર દેશના બંધારણ વીરૂધ્ધ કેવીરીતે બીન્દાસ વર્તી રહી છે તે જોઇએ.એક તેણે વીધાનસભામાં બીલ પસાર કરીને રાજ્યના અશીક્ષીત અને અભણ પુખ્ત ઉંમરના નાગરીકોનો મત આપવાનો અધીકાર છીનવી લીધો છે. બે થી વધુ બાળકો હોય તે મતદાર ઉમેદવાર તરીકે કોઇપણ સ્થાનીક, કે રાજ્યની ચુંટણી ન લડી શકે તેવું પણ બીલ પસાર કર્ય્રુ છે. દેશના બધા રાજ્યોમાં જે રાજકીય અને માનવ અધીકારો નાગરીકો ભોગવતા હોય તેને હરીયાણા સરકાર પોતાના માની લીધેલા સામાજીક આદર્શો રાજ્યના દરેક નાગરીક પર થોપી દીધા છે.

 આપણે તરુણ સાગર મુનીને પ્રશ્ન પુછી શકીએ ખરા કે જૈનોના દીગંબર સંપ્રદાયમાં પુરૂષો જ કેમ દીંગંબર અને સ્રીઓ કેમ નહી? પુરૂષ દીગંબર બને તો મોક્ષ મળે પણ સ્રી દીગંબર મહીલા મુની બને તો શું ઉપર આભમાંથી સ્વર્ગ ફાટીને નીચે આવી જાય? જૈનધર્મના બીજા ફીરકા શ્વેતાંબરમાંતો સ્રીઓને બાળદીક્ષા અપાવી દુન્યવી પ્રલોભનોમાંથી મુક્ત બનાવી મોક્ષને લાયક બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.    દીગંબરો એ સમાજ બીલકુલ ત્યજી દીધો છે. તો પછી તમારી દીગંબર શારીરીક અવસ્થા જાહેરમાં શું કામ પ્રદર્શીત કરીને બીજા બધાને મુશ્કેલીમાં મુકો છો?

 

 

 

 

 


--