Saturday, December 30, 2017

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--



Sent with Mailtrack

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--



Sent with Mailtrack

Thursday, December 28, 2017

“ જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે.

" જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે. જો દરેક અન્યાય સામે તમે થરથર કંપી રહ્યા હો તો તમે મારા સાથીદાર છો." ચે ગુએરા.

 ચે ગુએરાની ક્રાંતી અપુર્ણ રહી હતી.અપુર્ણતામાં જે ખેંચાણ હોય છે તે સંપુર્ણતામાં નથી હોતું. સંપુર્ણતા એ સમાપ્તી છે. જ્યારે અપુર્ણતા એ યાત્રા છે. જ્યારે કોઇ મહાન ધ્યેયનું સ્વપ્ન સીધ્ધ કરવા હેતુ મળી જાય છે ત્યારે જીંદગીને દાવ પર લગાવવાની  કે અરે! હારી જવાની એક અદભુત મઝા હોય છે. મોત ત્યારે ખૌફ નથી હોતું એક અદભુત તક હોય છે.

 શું ક્રાંતી અવીરત હોઇ શકે? હા, ક્રાંતી અવીરત જ હોય છે.અને હોવી જોઇએ. ક્રાંતી થાકતી નથી. ક્રાંતીકારીઓ થાકે છે. થાકેલા ક્રાંતીકારીઓ જ્યારે સત્તા સ્થાને બેસવા માંડે છે ત્યારે એમની અંદર ક્રાંતીની જ્વાળા ઠંડી પડવા માંડે છે. સત્તા સ્થાને બેઠેલા એક સમયના ક્રાંતીકારીઓની ચામડી એટલી જાડી થઇ જાય છે કે તે અંતે પ્રજાની સંવેદના  કે અનુકંપા અનુભવવા બહેરી કે જડ થઇ જાય છે. પછી બાકી રહેલાઓએ તેમને સત્તા સ્થાનેથી હટાવવા ફરી ક્રાંતી શરૂ કરવી પડે છે.

એ ઇતીહાસ એ ગવાહી પુરે છે કે ક્રાંતીકારીઓ સફળ અને સારા શાસક ભાગ્યેજ બની શકતા હોય છે. ક્રાંતી કરવી અને શાસન કરવું એ બંને જુદીજ બાબતો હોય છે.

" યુધ્ધ લડવા તલવારો અને ભાલાઓ જોઇએ છીએ. પરંતુ દર્દીનું ઓપરેશન કરવાતો નાની અણીદાર કાતર કે સ્કાલપેલ જોઇએ છીએ. તલવારો જ્યારે સર્જરી કરવા મંડી પડે છે ત્યારે દર્દી લોહી લુહાણ થઇ જાય છે. મોટે ભાગે તે મરી જાય છે."

" જ્યારે સરમુખત્યારી એ સત્ય હોય છે ત્યારે તેની ઉથલાવી નાંખવા ક્રાંતી કરવી એ પ્રજાનો અધીકાર બની જાય છે." વીકટર હ્યુગો.

" સ્વતંત્રતા ઇચ્છતા દરેક માણસ માટે ચે ગુએરા પ્રેરણા મુર્તી હતો. નેલસન મંડેલા." ( સૌ. દીવ્ય ભાસ્કર ૨૭મી ડીસેમ્બર બુધવારની પુર્તીમાંથી ટુંકાવીને.)

ક્રાંતીની નવી વીભાવના– ૧૯અને ૨૦મી સદીના ક્રાંતીકારીઓનો ખ્યાલ સત્તાધીશ રાજ્યને લશ્કરી શસ્રો અને હીંસક બળવાથી ઉથલાવી નાંખવાનો હતો. હવે આધુનીક રાજ્ય એટલું બધુ લશ્કર અને શસ્રોથી સંપન્ન હોય છે કે તેને શસ્ર બળવાથી ઉથલાવી શકાય નહી. બીજું આવા બળવાની નીષ્ફળતાએ હોય છે કે સત્તાના દાવપેંચમાં ક્રાંતી દરમ્યાન પ્રજાને જે ગુલાબી સ્વપ્ના બતાવ્યા હોય છે તે પ્રાપ્ત કરવાની વાત તો બાજુ રહી પણ હીંસક કે અન્યપ્રકારના બળવાથી મેળવેલી સત્તાને ટકાવી ક્રાંતીકારી રાજ્ય વધુ ને વધુ જુલ્મી અને હીંસક બનતું જાય છે. સત્તા પરીવર્તનથી વ્યક્તી પરીવર્તનનો ખ્યાલ જ અપ્રસતુત બની ગયો છે. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સમજ કેળવીને અહીંસક અને શાંતીમયમાર્ગે, તથા બૌધ્ધીક અને વીવેકપુર્ણ વર્તન સીવાય વ્યક્તી પરીવર્તનના કોઇપણ પ્રયત્નો નીષ્ફળ જવાને જ સર્જાયેલા છે. ભલે તે પ્રાપ્ત કરવાના હેતુઓ સારા હોય ! કારણકે કોઇપણ પ્રકારનો સમુહ(ટોળુ), ભલે તે રાજકીય, સામાજીક કે આર્થીક હોય તેનું કામ વીચારવાનું નથી. પણ બીજા એ વીચારેલું છે તેને હુકમ ગણીને અમલમાં મુકવાનું છે. આવી રીતે આવેલો ફેરફાર કે બદલાવને  ક્રાંતી કહેવાય જ નહી. આવો ફેરફાર પણ અલ્પજીવીજ હોય છે. કારણકે તેમાં સમજપુર્વકની લોકભાગીદારી હોતી નથી. આવા ફેરફારો લાવનારાઓનું તેમાં સ્થાપીત હીત બની જતાં તેમના હીતો ક્રાંતી કે ફેરફાર માટે જાહેર કરેલા આદર્શોથી બીલકુલ વીરૂધ્ધ્ના થઇ જાય છે. અને રાજ્યના દમનના હથીયારો આવી રીતે પ્રાપ્ત કરલી સત્તાઓ ટકાવી રાખે છે. માટે જ જ્ઞાન આધારીત માનવ પરીવર્તન સીવાયની ક્રાંતીની વાતો જ સમય જતાં અમાનવીય બની જાય છે.  (બીપીન શ્રોફ.)


--
Sent with Mailtrack

Sunday, December 17, 2017

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

 

 થોડાક દીવસ ઉપર જ ફીલ્મોમાં સ્ર્કીપ્ટ રાયટર તથા હાસ્ય કલાકાર નીરજ વોરાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી કોમામાં સરી પડયા હતા. તેથી તેમના અવસાનથી આમ તો ખાસ આઘાત ન લાગે. પરંતુ મને આંખે ઉડીને વળગે તેવી માહીતીએ હતી, ફીલ્મ પ્રોડયુસર  ફીરોઝ નડીયાદવાલાએ સંપુર્ણ પથારીવશ નીરજભાઇની પોતાના ઘરે લઇ જઇને એક વરસ સુધી લાગણીસભર તરબોળ સારવાર અમાપ ખર્ચો કરીને કરી તે વાતે મને માનવી તરીકે હલબલાવી મુક્યો છે.

કેવીરીતે કરી તે ઇન્ડીયન એકસપ્રેસના સમાચારનોંધ ને આધારે જોઇએ.

એકાદ વરસ પહેલાં સને ૨૦૧૬ના ઓક્ટોબર માસમાં નીરજભાઇને બ્રેઇન હેમરેજનો હુમલો આવ્યો. તે બેશુધ્ધ અવસ્થામાં (કોમામાં) સરી પડયા હતા. તેઓને દીલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. નીરજભાઇએ ફીરોઝ નડીયાદવાલાએ બનાવેલી ઘણી ફીલ્મોમાં જેવીકે ' હેરા ફેરી, આવારા પાગલ દીવાના, ફીર હેરા ફેરી' વી. ફીલ્મોની વાર્તા લખી હતી તેમજ દીગદર્શન પણ કર્યુ હતું. શ્રી નડીયાદવાલાનો નીરજભાઇ સાથેનો વ્યવહાર ભાઇ જેવો હતો.  તે નીરજભાઇને તેવી અવસ્થામાં વીમાનમાં દીલ્હીથી લાવીને પોતાને ઘેર લઇ આવ્યા. પોતાના ઘરમાંના એક રૂમને નીરજભાઇ માટે આઇસીયુમાં ફેરવી નાંખ્યો. એક વરસ સુધી શ્રી નડીયાદવાલાએ નીરજભાઇના તમામ દવા, ડૉક્ટર્સ, નર્સીસ, ડાયેટીસીયન, રસોઇઆ જેવા તમામ ખર્ચાઓ પ્રેમથી કર્યા હતા.

એટલું જ નહી પણ,તે રૂમમાં નીરજભાઇના મમ્મી–પપ્પાના ફોટા લગાવી દીધા હતા.નીરજભાઇને પસંદ ક્લાસીકલ સંગીત અને હનુમાનચાલીસા પણ દરરોજ ક્રમશ કેસેટો દ્રારા ગાવામાં આવતા હતા. આ બધી સારાવાર અને સવલતો પછી પણ નીરજભાઇ બચી શક્યા નહી.

 ભગ્નહ્રદયે શ્રી નડીયાદવાલા કહે છે કે (A heartbroken Nadiadwala said)  -

" આશરે એક વરસ પહેલાં હું નીરજને દીલ્હીથી મારે ઘેર લઇ આવેલો. દીલ્હીના ડૉકટરોએ તે બ્રેઇન ડેડ છે અને ચાર પાંચ કલાકમાં ગુજરી જશે એવું જાહેર કરેલું હતું." મને કઇ શક્તીએ મેં જે કામ કર્યું તે કરાવ્યું તેની મને ખબર પડતી નથી. હું તેને ની:સહાય સ્થીતીમાં કેવી રીતે ગુજરી જતો જોઇ રહું? તેને મદદ કરનાર કોઇ ન હતું. તેને એક ભાઇ હતો પણ તેની આર્થીક સ્થીતી એવી સારી નહતીકે તેનો આવડો મોટો બોજ ઉપાડી શકે?

. હું નીરજને છેલ્લા આશરે બાર એક વર્ષથી ઓળખું છું. અમે ઘણી ફીલ્મોમાં સાથે કામ કર્યુ છે. અમારી મૈત્રીનું જોડાણ ઘણું ઘનીષ્ટ હતું. હું તેને દીલ્હીમાં ની;સહાય છોડીને કેવી રીતે એકલો મુંબઇ આવી શકું? હું ફક્ત મારી સાથે નીષ્ઠુર કે સહાનુભુતી વીનાનો ઇન્સાન હોઉ તો જ આવું કરી શકું!

 આજે, ભાઇશ્રી ફીરોઝ નડીયાદવાલાએ  નીરજના અંતીમ સંસ્કાર માટે શાંતાક્રુઝ સ્મશાને લઇ જતાં પહેલાં હીંદુવીધી પ્રમાણે મૃતદેહને જે વીધી હવન પુજા કરવાની હોય તે બધી જ તેણે પોતાના ઘરમાં કરાવી. હું ભગવાનનો આભાર માનુ છું કે મને નીરજની સેવા કરવાની તક આપી. ઇશ્વરની ઇચ્છા હશે કે નીરજ જીવે અને તેને જીવત્તદાન આપવામાં હું નીમીત્ત બનું. હું પ્રમાણીક રીતે માનું છું કે આપણે બધા ઇશ્વર નીર્મીત કામો કરવા માટે જ ઇશ્વરે પૃથ્વી પર મોકલ્યા છે. શું આવું આપણા બોલીવુડ જગતમાં બની શકે? જ્યાં નામ, આબરૂ, કીર્તી,અરસપરસના સંબંધો તમે બોક્ષ ઓફીસમાંથી કેટલા નાણાં પેદા કરી શકો છો તેના પર જ આધારીત છે.

 પરંતુ ફીરોઝ નડીયાદવાલા એક જુદાજ પ્રકારનો ઇન્સાન છે. મેં તેની સાથે બે દાયકા પહેલાં કામ કરેલ છે. મને ખબર છે કે તેજ આવાં કામ કરી શકે. તે એક ખુબજ આકર્ષક વ્યક્તીત્વ ધરાવે છે. તેના શરીરનો બાંધો પેલા ગ્રીક દેવતાઓ જેવો છે.જેમાં એક લાગણીથી તરબોર સુર્વણ જેવું હ્રદય રહે છે. જે આજેય લેશ માત્ર બદલાયું નથી.એક સમયે મેં જે કામ કર્યું ન હતું તેના માટે મને ગુસ્સે થઇને કાઢી મુક્યો. પછી જ્યારે શ્રી નડીયાદાવાલાને ખબર પડી ત્યારે તેઓએ મારી માફી માંગી હતી. અમારા સંબંધો એકબીજા ભાઇ સગા ભાઇ હોય તેવા હતા.તેમાં તેઓનો રોલ મોટાભાઇ તરીકેનો હતો.

એક સમયે રાત્રે આશરે બારવાગ્યાના સમયે તે તેઓની મોંઘીદાટ કે અતી કીંમતી ગાડી પોર્સચે( Porsche)મને મળવા આવ્યા. કામ પતી ગયું. હું તેમની ગાડી સામે કામુક નજરે જોઇ રહ્યો હતો. તે સમજી ગયા અને મને કહ્યું ચલો હું તમને તમારા ઘરની નજીકના વીસ્તરમાં ગાડીમાં મુકી આવું. ત્યારબાદ મને વર્લી સીફેસથી લઇને  જુહુ સુધી લઇ ગયા.શ્રી નડીયાદવાલા માટે તે ભલે નાની વાત હોય પરંતુ મારા માટે તો એ જીવનનો મહાન પ્રસંગ બની ગયો હતો. કારણકે  તે મારા જીવનનો પ્રથમ કે છેલ્લો પ્રસંગ હતો કે જ્યારે હું આવી પોર્સેચ જેવી ગાડીમાં બેઠો હોઉ.

 નીરજભાઇ અને ફીરોઝભાઇની આ સ્ટોરી ઇન્ડીયન એક્ષપ્રેસમાં વાંચીને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા.કારણકે ફીરોઝભાઇ પોતાના મીત્રની જીંદગી બચાવવા માટે જે કાંઇ પણ કરવું પડે તે બધું જ કરી શકે તેમ હતા. ફીરોઝભાઇની આસ્થા કે ધર્મ તેમાં બીલકુલ વચ્ચે આવે જ નહી. તમે વાંચક, તરીકે કલ્પના કરી શકો છો ખરા કે એક મુસ્લીમના ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠનું પઠન થાય?  હું તો તેવું વીચારી શકતો જ નથી. તે રીતે આજના દીવસોમાં કોઇ હીંદુના ઘરમાંથી દરરોજ કુરાનની આયાતો પઢાય તેની પણ હું કલ્પના કરી શકતો નથી. પણ આજે જે મારા દેશનું ધર્મો અને તેની આસ્થાઓને કારણે નાગરીકોનું જે ધ્રવીકરણ કે અલગતાવાદીકરણ થયું છે  તે હકીકતને નીરજભાઇ અને શ્રી નડીયાદવાલાની દોસ્તી સ્વીકારવાની ના પાડે છે. તે બંનેની એકબીજા સાથેની ભલાઇ અને પ્રેમ મને એવું માનવાની પ્રેરણા આપે છે કે આ દેશમાં તેઓના જેવા લાખો નાગરીકો છે જે 'ઇન્સાનીયત' ને પોતાની નીજી ધાર્મીક માન્યતોથી પર માને છે. તેમના આ સંબંધોએ મને માનતો કર્યો છે કે આ દેશમાં ભલે ' ઓરંગઝેબ કે અલાઉદ્દીન ખીલજીની' વાતો મતના રાજકારણને કારણે થતી હોય પણ હજું અહીંયા માનવતા મરી પરવારી નથી.

પ્રભુ, નીરજભાઇના આત્માને શાંતી બક્ષે, ફીરોઝભાઇ નડીયાદવાલા તમારો હ્રદયપુર્વકનો આભાર અને પ્રભુને પ્રાર્થના કરૂ છું કે દેશમાં આવી ઇન્સાયતની જ્યોતને બુઝાવા ન દે. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ. ભાવાનુવાદ બીપીન શ્રોફ.)

 


--
Sent with Mailtrack

Wednesday, December 13, 2017

When banks fail: A “bail-in”

When banks fail: A "bail-in" can be provided without undermining depositor interests

December 13, 2017, 2:00 AM IST TOI Edit in TOI Editorials | EconomyEdit PageIndia | TOI

The current generation of economic reforms revolves around creating a sound institutional architecture for a market economy. In this regard, an important legislation was the insolvency and bankruptcy code which allows for a clean end to a business failure. In the same vein, a bill which deals with failure of financial intermediaries is currently being scrutinised by a parliamentary committee. Financial intermediaries are unique, which is why they need standalone legislation. Even rumours about problems of a single financial intermediary can lead to a contagion which cripples the entire banking system.

It is to the credit of RBI that it oversaw a resolution process for five troubled banks over the last 15 years, without allowing depositors to lose money or instability to creep in. Now, the central bank along with finance ministry feels we need to move to an institutionalised resolution mechanism which covers the entire spectrum of financial activity. Consequently, the Financial Resolution and Deposit Insurance bill was introduced in Lok Sabha in August. An effective resolution mechanism needs a wide variety of tools at its disposal which the bill provides. One of them, "bail-in", has triggered anxiety.

"Bail-in" refers to statutory power given to resolution authorities to convert existing creditors to shareholders. This has triggered fears that bank deposits, for instance, may not be safe. That need not be the case. An insured deposit cannot be bailed-in. India's Rs 1 lakh deposit insurance has remained unchanged for years. It should be immediately enhanced to cover the size of most deposits. For remaining deposits, a "bail-in" provision should apply only after consent of the deposit holder which will have to be compensated with higher interest rates. It's possible to simultaneously provide all resolution tools and safeguard depositor interests. That should be the focus of parliamentary debate on this legislation.

DISCLAIMER : Views expressed above are the author's own.

 


--
Sent with Mailtrack

Saturday, December 9, 2017

મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

  મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

 મંદીર વહી બનાયેગેં, ગોધરાના કારસેવકોનો બદલો લેવાનો છે. આ બધી શાણપણકે ડહાપણ વીનાની અને બદલાની માનસીકતાવાળી લાગણીઓની માયાજાળમાંથી બહાર નીકળો!... તંત્રી લેખ ટાઇમ્સ ઓફ ઇંડીયા ૮–૧૨–૧૭. નો ભાવાનુવાદ.

 મોદી સરકારે સ્પષ્ટરીતે ખુલ્લંમ ખુલ્લા આ મુદ્દે બહાર આવવું પડશે.

અયોધ્યાના કેટલાક પણ જુદા જુદા અખાડાઓના મહંતોઓ જેને ખરેખર આધ્યાત્મીકતા કોને કહેવાય તે જ ખબર નથી (કારણકે અખાડામાં શરીર બનાવવામાં આવે છે બુધ્ધી, શાણપણ કે તર્કવીવેક કેળવવામાં આવતો નથી.) તે બધાએ ભેગા મળીને દેશની બીજેપી સરકારને 'આખરી અને અંતીમ ચેતવણી' આપી દીધી છે. સને ૨૦૦૨ના ગોધરાના કારસેવકોના અપમૃત્યુનો બદલો લેવા બાબરી દ્વંવ્સની જગ્યા એ જ રામમંદીર બાંધવું. શું આપણે તે બધાને સમજાવી શકીશું ખરા કે બદલાના રાજકારણે જ (the politics of revenge) સને ૨૦૦૨ની સાલમાં ગુજરાતમાં ભયાનક અને વીનાશક કોમીરમખાણો પેદા કર્યા હતા.

આજે આપણે બધા તો ૨૧મી સદીમાં જીવી રહ્યા છે. આ સદી તો નવી સદી છે ને! દેશની પ્રજા  સને ૧૯૪૭ના ભાગલા સમયે થયેલી હીંસા અને લોહીયાળ ખુનામરકીના વારસામાંથી બહાર આવવાની સખત કોશીષ કરી રહી છે. દેશની ૨૧મી સદીની પ્રજાને સુખ,શાંતી, સમૃધ્ધી અને વીકાસ જોઇએ છીએ. આપણા વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો ' સબકા સાથ સબકા વીકાસ'. દેશની ભુતકાળની કબરોમાં દટાઇ ગયેલા તે ભુતો કાઢવાની જે લોકો કોશીષ કરી રહ્યા છે તેનો વીરોધ ખુબજ જોરદાર રીતે કરવો જ જોઇએ.

બાબરી મસ્જીદને સેંકડો માણસોની ગેરકાયદેસર મંડળી બનાવી, જમીન દોસ્ત કરવી તે જ ફોજદારી ગુનાહીત કૃત્ય હતું અને છે. તે ગુનાહીત કૃત્ય સામે રાજકીય સત્તાધીશો આંખઆડા કાન છેલ્લા ૨૫ વર્ષોથી કરી રહ્યા છે તે કેવી રીતે ચલાવી લેવાય! કાયદાના શાસન અને બંધારણના સમાનતા અને ધાર્મીક સ્વતંત્રતા જેવા મુલ્યોનો બહુમતી કોમનાલાગણીના કારણે બલી બનાવાય નહી. તેને પેલા મુલ્યોની સામે પ્રભુત્વ ક્યારે ન અપાય. આવા બહુમતી કોમની લાગણી દુભાઇને, કાયદાના શાસન અને બંધારણીય મુલ્યો સામે પંપરાવામાં આવશે તો દેશમાં મોટા પાયે અંધાધુધી, રાજકીય અને સામાજીક અસ્થીરતા ફેલાઇ જશે. તેમાં ખુદ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થાનું રૂપાંતર હીંદુધર્મ આધારીત સરમુખત્યારશાહીમાં થઇ જશે. ભારત આપણા પડોશી દેશ પાકીસ્તાનની બીબાઢાળ કોપી ઝડપથી બની જશે.(India will come to resemble neighbouring Pakistan.)

     તેથી જ મોદીની એનડીએ સરકારે  હીંદુ જમણેરી પરીબળોના આવા કાયદો હાથમાં લઇને પોતાની વાત દબાણપુર્વક થોપી બેસાડનારા પરીબળો સામે બીલકુલ નમવું ન જોઇએ. આવા પરીબળોના દબાણોનો જો રાજ્ય ભોગ બનશે તો દેશનું ભવીષ્ય પુરેપુરુ જોખમાઇ જશે. પડોશી દેશ પાકીસ્તાનના ધાર્મીક પરીબળો ત્યાંના લોકશાહી પરીબળો પર સંપુર્ણ રીતે હામી જશે. જે આપણા દેશ માટે વધુ ઘાતક સાબીત થશે.

 બીજેપી જે દલીલો કરી રહી છે કે બાબરી દ્રંવ્સના જ સ્થળ પર રામમંદીર જ બાંધવું છે ' મંદીર વહી બનાયેંગે' તે કામથી કોઇ પ્રશ્રનો ઉકેલાવા નથી. તે તો બદલાના રાજકારણને ઉત્તેજન આપશે. તેવા રાજકારણને કાયદેસરતા આપશે. 'વેર વેરથી ક્યારેય સમ્યુ છે ખરૂ?' એક વાર તમે રાજ્યકર્તા તરીકે સત્તાની લાલચ માટે બદલાના રાજકારણને ટેકો આપશો તે પછી સામસામી બદલાનું રાજકારણ જ નીયમ બની જશે! ગીતાનો કર્મનો સીધ્ધાંત પણ એમ જ કહે છે ને જેવું વાવશો તેવું જ પામશો. જેવા કર્મ કરશો તેવાજ કર્મના ફળો મળશે. બાવળીયા ઉગાડવાથી કેરીઓ કોઇને મળી છે ખરી?

દલાઇ લામા જેણે ભારતીય તત્વજ્ઞાન પચાવ્યું છે અને જે આર્ષદ્ર્ષ્ટા છે. તેઓનું કહેવું છે " મા– બાપોના મનના નકારાત્મક વલણો તેમના બાળકો અને તેમના પણ બાળકોમાં (grandchildren) પેઢીગત ચાલુ રહે છે. જુની પેઢી પોતાના બદલો લેવાના કાલગ્રસ્ત થઇ ગયેલા પુર્વગ્રહો નવી પેઢીને હીંસા અને કાયદો હાથમાં લઇને પણ ઉકેલવાની પ્રેરણા વારસામાં આપે છે." માનવજાતના ઇતીહાસમાં ભારતને એક રાષ્ટ્ર તરીકે યુવાન દેશ છે. તેણે પોતાની જાતને ભુતકાળના 'મંદીર વહી બનાયેંગે ' જેવા ભુતવાળોમાંથી મુક્ત થવાની તાતી જરૂરત છે.  તે આજના દીવસનો (૬–૧૨–૧૭.) બાબરીદ્ર્વ્સના ૨૫વર્ષ પુરા થયાનો સંદેશ છે. જેને આપણા જોખમે નજર અંદાજ કરી શકીએ છીએ. (It deserves to be liberated from the obsessions the of the old.)

 

 

 

 


--



Sent with Mailtrack

Monday, December 4, 2017

“ જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે.”

" જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે." જંબુસરની સભામાં વડાપ્રધાન બોલ્યા.

 બુલેટ ટ્રેઇનનો વીરોધ લોકો કેમ કરે છે?

 કારણકે તમારી પાસે અર્થશાસ્રના નીયમ મુજબ કોઇપણ દેશ માટે  નાગરીકોની જરૂરીયાત સંતોષવાના ઉપલબ્ધ સાધનો( Available Resources)  મર્યાદીત હોય છે. જ્યારે નાગરીકોની જરૂરીયાત અમર્યાદીત હોય છે.

મોદીજી! તમારા શાસનમાં પ્રજાની કઇ જરૂરીયાતો સંતોષવામાં દેશના સીમીત સાધનો વાપરવામાં આવે છે તે જાણવાનો અને તે અંગે મત જણાવવાનો અબાધીત અધીકાર નાગરીકો અને દેશના બૌધ્ધીકોને છે જ. તે રખે ભુલી જતા? દેશમાં લોકોની રોટી, કપડાં, મકાન, બેકારી, મોંઘવારી, ખેડુતોને પોષણક્ષમ ભાવ, આરોગ્યના ક્ષેત્રે કંગાળ સવલતોને કારણે બાળકોથી માંડીને અનેક દર્દીઓના અપમૃત્યુ , સરકારી શીક્ષણની તમારા સમયમાં ગુજરાત અને દેશમાં બનેલી, વધુને વધુ બનતી જતી કંગાળ સ્થીતી, સરકારની રોજગારની નીતીઓમાં ફીક્સપગાર અને કોન્ટ્રાક્ટ પધ્ધ્તી, દેશના નાગરીકોનું ધર્મ આધારીત વીભાજનની વધતી ખાઇ, આવા અનેક મુદ્દાઓ મોઢું ફાડીને ઉકેલની રાહ જોઇ રહ્યા છે. ત્યારે તમારી બુલેટ ટ્રેઇન લાવવા જેવી માનસીક્તાનો વીરોધ કરે તેમાં શું ખોટું છે ?

 દેશમાં તમારા જેવાના બુલેટ ટ્રેઇન લાવવાના નીર્ણયો અને તેવી પ્રજા વીરોધી માનસીકતાથી દેશની મર્યાદીત સાધન સંપત્તી એવા વૈભવી ક્ષેત્રોમાં વપરાઇ જશે કે એક દીવસે પ્રજા પાસે જીવવા માટે  કશું બાકી નહી રહેતાં ચોરી કરીને બુલેટ ટ્રેઇનના પતરાં, સીટો અને અન્ય ચીજો વેચીને પોતાના દહાડા કાઢશે? શું પ્રજા તમારા શાસનકાળમાં એવા દીવસો આવવાની રાહ જુએ? 


--



Sent with Mailtrack

Saturday, December 2, 2017

મીસ્ટર શ્રોફ.

મીસ્ટર શ્રોફ,

 હું લોર્ડ શીવા, સોમનાથના મંદીરમાંથી બોલું છું.

બોલો, બોલો, લોર્ડ શીવા, મારા જેવા રેશનલ નાસ્તીકને, બાપુ! કેમ યાદ કરવો પડયો?

લોર્ડ શીવા–મને સારી રીતે ખબર છે કે તું ગુજરાતનો ઘણા બધામાંનો એક નખશીખ રેશનલ માણસ છું. માટે જ હું તને મારા અંગે એક ખાસ રેશનલ વાત કરવા માંગું છું. જો કે મારી વાત ખુબજ ખાનગી રાખવાની છે. પણ ખરેખર જોઇએ તો એ વાત આમ  " ઓપન સીક્રેટ" જેવી છે.

બાપુ! એવી મઝાની વાત સાલી શું હોઇ શકે? તે વાત, મને આમ પહેલે તબક્કે સમજાતી નથી. પણ બાપુ, અમે રેશનલ રીતે વીચારતાં ટેવાઇ ગયેલા એટલે મારી સમક્ષ તમારો ભુતકાળ અને દેશની આઝાદી પછીના બે ત્રણ વર્ષોમાં ફરી તમને વાજતે  ગાજતે આ સોમનાથના મંદીરમાં ' પ્રાણપ્રતીષ્ઠા' 'જીણોધ્ધાર' જેવા બહુ મોટા નામે કાયમ માટે પુરી દીધા છે એ બધું યાદ આવી ગયું છે. મને પણ બાપુ, તમારા માટે બહુ જ રેશનલ રીતે લાગી આવ્યું છે.

અમારા બાળપણમાં તમારા વીષે અમારા વડીલોએ અમારા નાના મગજમાં એવું ઠોકી બેસાડી દીધેલું કે અમારા કૃષ્ણ જેવા પરાક્રમો તમે નહી કરેલા, વધારામાં તમે કૃષ્ણ જેવી લીલા જેવું બધુ નહી કરેલું. પાછા તમે કપડાં બપડાં નામના જ પહેરતા, જંગલ કે સ્મશાનમાં  પેલા તમારા ભુત–પલીત જેવા મીત્રો સાથે, રખીયા, ભભુતી શરીર પર લગાવીને અને ડાકલાં વગાડતા ત્યાંજ નીવાસ કરતા. તેથી અમને ગમતા નહી. અમને એ પણ તે સમયે ખબર હતી કે તમારી સાસરી( પત્ની પાર્વતી દેવીજીનું પીયર) નાગાધીરાજ હીમાલયમાં કોઇક જગ્યાએ હતું. અને તમારા સાસરી પક્ષે સંબંધો સુમેળ ભર્યા ન હતા એવું ખબર હતી.પાર્વતી દેવીના પીતાજી ખાધે પીધે ખુબ સુખી હતા. તેથી બાપદીકરીએ તમારી સામે ગમે તેટલો અસંતોસ હોવા છતાં છુટાછેડા કે ખાધાખોરાકીના દાવા દુવી કરેલ નહી.

શ્રોફ, પણ મારી પાસે નહ્વાનુ કે નીચોવાનું  જેવું કશું જ ન હતું તો તે શું લઇ જાત.

 શ્રોફ, હવે તું તારૂ રેશનલ ડહાપણ બંધ કર અને મારી વાત જલદી સાંભળી લે. કારણકે કોઇ ભક્તના સ્માર્ટ ફોનના વોટસએપથી ફ્રીમાં વોઇસ મેઇલથી વાત કરૂ છું.

 બોલો, બોલો, સોરી ફોર ધી ઇન્ટરપ્શન. સુવીધા કી અવીધા માટે દુ:ખ હૈ.

તને નહી પણ આખી દુનીયાને ખબર છે કે આ સોમનાથના સ્થળે જ આશરે સાતસો આઠસો વરસ પહેલાં મારી મુર્તી તથા મારા મંદીર પર પરદેશીઓએ પાંચ સાત વાર હુમલા કરીને બધુ તોડી ફોડી નાંખ્યું હતું. લેવા જેવું બધું લુટીને લઇ ગયા હતા.

મારી દૈવી તાકાત પર અતુટ વીશ્વાસ રાખીને જે બધા ભક્તો મંદીરમાં રહ્યા હતા તે બધાનો પણ મંદીરના નાશ સાથે તેમનો પણ  નાશ થઇ ગયો હતો. હું પરદેશીઓના લશ્કરી હુમલા સામે મારા ભક્તો કે મંદીર અને તેમાં રહેલી મુર્તી વિ, ને  હું પોતે, લોર્ડ શીવા એક વાર નહી પણ પાંચ થી સાત વાર બીલકુલ બચાવી શકેલો નહી. આ રેશનલ હકીકત પુરાવા આધારીત છે.

મીસ્ટર શ્રોફ, તમારા રેશનાલીસ્ટો સીવાય મારી વાત કોઇ જ માનતા નથી. ભલે બધા જાણે છે. હજુ હું તેમનો તારણહાર હોઉં, ઉધ્ધારક હોઉં એવી અતુટ શ્રધ્ધા નહી પણ અંધશ્રધ્ધા મારામાં રાખે છે. અને હજારો માણસ નેતાઓ અભીનેતાઓ બધાજ મારી પુજાઅર્ચના રોજ કર્યા જ કરે છે.

મારી તારી સમક્ષ એક વીનંતી છે. મારી દૈવી તાકાતનો ફરી સાલુ ટેસ્ટીંગનો સમય આવે તેની ચીંતાથી મારૂ બીપી, હ્રદયના ધબકારા વી. ખાસ કરીને રાતના સમયે વધી જાય છે. સદીઓથી પડોશી મીત્ર દરીયાલાલના મોજાંનો અવાજ સાંભળતાં પાછું બધું શાંત પડી જાય છે. તમારા રેશનાલીસ્ટો પાસે મારા ભક્તો કરતાં વધુ વીવેકબુધ્ધીવાળો ઉપાય હશે જ એમ સમજીને તને ફોન કર્યો છે. બોલ રસ્તો બતાવીશ કે નહી?

 એટલામાં મંદીરમાં કોઇ ભક્ત પોતાનો ફોન ગુમ થઇ ગયાની બુમાબુમ કરે છે. સોરી, માફ કરજો! એ તો હીમાલયમાં મારી પત્ની પાર્વતીદેવી ઘણા સમયથી ગયા છે અને બાળબચ્ચાની ખબર પુછવા ફોનનો ઉપયોગ વોટસાઅપ ફ્રી હોવાથી કર્યો હતો. આભાર ભક્ત.

 


--