Saturday, February 23, 2019

ચલો! ભારતના બંધારણની કલમ ૩૭૦ કાશ્મીર રાજયના સંદર્ભમાં સમજીએ.


 ચલો! ભારતના બંધારણની કલમ ૩૭૦ કાશ્મીર રાજયના સંદર્ભમાં સમજીએ.

પરંતુ તે પહેલાં આટલી માહીતી જાણી લઇએ કે ભારતે આઝાદી કે સ્વતંત્રતા ફક્ત બ્રીટીશરો પાસે જે જમીન હતી, જેના પર ગોરી સરકારની  હકુમત કે સત્તા હતી તે ભુમી આઝાદી પેટે મેળવી હતી.

(1) દેશમાં જે રજવાડી રાજયો હતા( Princely states) જેની સંખ્યા ૫૦૦ ઉપરની હતી તે બધાની તમામ સત્તા પોતાની હસ્તક ભુમીમાં ગોરી સરકાર જેટલીજ હતી. તે રજવાડી રાજયોમાં ગોરી સરકારની હકુમત નહતી તેથી તે બધાને સને ૧૯૪૭માં દેશમાં ભેળવીને એક રાષ્ટ્ર બનાવવાની પ્રક્રીયા બાકી હતી અથવા અધુરી હતી.

(2) તમામ દેશી રજવાડી રાજયોમાંથી ઉત્તરમાં કાશ્મીર(બહુમતી પ્રજા મુસ્લીમ– રાજા હીંદુ), દક્ષીણમાં હૈદ્રાબાદના નીઝામ ( બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ) અને પશ્ચીમમાં એટલે કાઠીયાવાડમાં જુનાગઢ (બહુમતી પ્રજા હીંદુ અને રાજા મુસ્લીમ)આવા પણ દેશી રાજયો હતા.

(3) ભારત સરકાર પાસે તે સમયે ત્રણ રાજયોના સત્તા– હસ્તાંતરના પ્રશ્નો થયા હતા.સદર ત્રણ દેશી રાજયો સીવાયના દેશના બધાજ રજવાડાની પ્રજા અને રાજા બંને હીંદુઓ હોવાથી તે સરદાર સાહેબના નેતૃત્વ હેઠળ તે બધા રાજાઓએ પોતાનો સાર્વભૌમત્વનો હક્ક (ભારત એટલે હીંદુસ્તાન નહી પણ (યુનીયન ઓફ ઇંડીયન સ્ટેટસ) કેટલીક સાલાયાણા જેવી શરતો સાથે ભારતની તરફેણમાં કાયમ માટે અન્ય ખાસ શરતો સીવાય હસ્તાંતર (ટ્રાન્સફર) કર્યો હતો.

(4) પેલા ત્રણ રાજયોમાંથી હેદ્રાબાદના નીઝામ અને જુનાગઢના નવાબ સાથેનો પ્રશ્ન લશ્કરી બળની મદદ લઇને તેમની સાથે સાર્વભૌમના હસ્તાંતર કરાર દેશની તરફેણમાં સરદાર સાહેબ કરાવી શક્યા હતા.

(5) કાશ્મીર એટલે કાશ્મીર ખીણ પ્રદેશમાં જેના ડોગ્રા રાજા હીંદુ  હરીસિંગ ભારત સાથે જોડાવા તૈયાર ન હતા. બીજુ આ પ્રદેશમાં બહુમતી કાશ્મીરી મુસ્લીમ પ્રજા અને લઘુમતી હીંદુ કાશ્મીરી ડોગ્રા ( બ્રાહ્મણ વી.) બંને પ્રજાના નેતાઓ કાશ્મીરને હિંદુ રાજા હરીસીંહ અને તે પહેલાં તેના પિતા ગુલાબસીંગ સામે (બ્રીટીશરો સામે નહી,) આઝાદીની સ્વતંત્ર લડત નેશનલ કોન્ફરન્સ ઓફ કાશ્મીર નેજા હેઠળ ઘણા વર્ષોથી લડી રહ્યા હતા.

(6) ગાંધીજી. નહેરૂ, સરદારવાળી, રેંટીયો, ખાદી, અહીંસા અને સર્વધર્મ સમભાવની પ્રાર્થના જેવા સીધ્ધાંતોવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ ત્યાં ન હતી.

(7) નેશનલ કોન્ફરન્સના નેતાઓ શેખ અબ્દુલા, પ્રેમનાથ બજાજ, સાદીક અલી વી. તે સમયમાં સંપુર્ણ અને સૈધ્ધાંતીક અર્થમાં નીરઇશ્વરવાદી, ધર્મનીરપેક્ષ અને ધર્મને બાકાત રાખીને માનવ માત્ર સમાન છે તેવી સુફી તત્વજ્ઞાનવાળી ઇસ્લામીક નહી, તેવી જીવન પધ્ધતીમાં માનનારા અને તે પ્રમાણે જીવન જીવનારા હતા. તે બધાને રાજા રામમોહનરાયની ૧૯મી સદીની સતીપ્રથા વીરોધી, નવજાગરણની ચળવળે પ્રેરણા આપતી હતી. કાશ્મીરી પ્રજાને આ મુદ્દે કેળવવા માટે તેની તરફેણ કરતા પુસ્તકો પણ લખ્યા, તેમજ પ્રકાશીત કર્યા હતા.

(8) કાશ્મીર જે હીંદુરાજા અને મુસ્લીમ બહુમતી પ્રજાનું રાજય હતું ત્યાં રાજાએ સૌ પ્રથમ સ્વતંત્ર રાજય (ઓટોનોમસ કંટ્રી) એટલે કે ભારતીય સંઘમાં( યુનીયન ઓફ ઇંડીયા) પણ નહીં અને પાકીસ્તાનમાં પણ નહીં જોડાવાનો નીર્ણય લીધો હતો.પોતાના રાજયની નેશનલ કાઉન્સીલને જે સ્થાનીક હીંદુરાજાશાહી સામે લડતી હતી તેને પણ કાશ્મીર રાજયને સ્વીઝંર્લેંડ જેવું સ્વાયત્ત રાજય બનાવવું હતું. ભારત અને પાકીસ્તાન તેવા કાશ્મીર રાજયની સંરક્ષણ, નાણું અને અન્ય વિદેશી સંબંધો જેવી જવાબદારી લે તેવી માંગણી હતી. સ્થાનીક મુસ્લીમ પ્રજાનો પણ ઉપર મુજબનો મત હતો.

(9) આ પુર્વભુમીકા સામે, ભારત– પાકીસ્તાનના ભાગલા પડ્યા અને ૫૦૦ ઉપરાંતના હીંદુરાજયોનો ભારતીય સંઘમાં વિલીનીકરણની પ્રક્રીયા શરૂ થઇ. સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી કે ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઇ પટેલ હતા.

(10)                   તે સમયે કાશ્મીરીની બહુમતી પ્રજા મુસ્લીમ હોવાથી અને તેની સરહદો વીનાની હદો  હતી. પાકીસ્તાને તે પ્રદેશ ઉપર પોતાના લશ્કરને(કબાયલીયોઅથવા તાયફાવાળાના છુપા ડ્રેસમાં) આક્રમણ કરાવીને શ્રીનગરથી નજીકમાં આવેલ બારામુલા વીસ્તારમાં પોતાનો કબજો ઉભો કરી દીધો. શ્રીનગર તરફ કબજો કરવા આગળ વધવા માંડ્યું હતું. શ્રીનગરને કબજે કરવા આશરે ફક્ત ૭૨ કલાકનો જ સમયગાળો બાકી હતો.

(11)                  ઉપર મુજબના અતીકપરા સંજોગોમાં અને કાશ્મીરના હીંદુ રાજા હરીસીંહ પાસે પાકીસ્તાનના તાયફાવાળા લશ્કર સામે મુકાબલો કરવાની કોઇ તાકાત નહોતી.તેથી સરદાર પટેલના નેતૃત્વ નીચે કાશ્મીરના રાજાએ ભારતીય સંઘના એક ભાગ તરીકે કેટલીક શરતોને આધીન પોતાની સાર્વભૌમ સત્તાનું ભારતમાં જોડાણ કર્યુ હતું. કાશ્મીરને ભારતીય સેનાએ તાત્કાલીક શ્રીનગરના હવાઇ મથક પર ખુબજ મોટી સંખ્માં ઉતારીને પાકીસ્તાનના લશ્કરને યુધ્ધ વીરામની હદ સુધી જે પાછળથી આઝાદ કાશ્મીર ( પાકિસ્તાની ઓક્યુપાઇડ કાશ્મીર) તરીકે ઓળખાય છે ત્યાંસુધી ખદેડી દીધું. આમ કાશ્મીરના બે ભાગ પડી ગયા. આપણે  યુનાઇટેડ નેશનની જનરલમાં એસ્મબ્લીમાં દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ એવી લેખીત બાંહેધરી આપી હતી કે સમગ્ર કાશ્મીરમાં શાંતી સ્થપાશે ત્યારે કાશ્મીરની પ્રજાની મતદાન પાત્ર બહુમતી કોની સાથે જોડાવાનો નીર્ણય કરશે ( યુનોની નીગરાની નીચે જનમત પ્લેબીસાઇટ) તે પ્રમાણે કાશ્મીર રાજય તરીકે અસ્તીત્વ ધરાવશે.) અને તે પ્રમાણે યુધ્ધવીરામ બે દેશો વચ્ચે થયો.(વીશ્વમાં ફક્ત ત્રણ વર્ષ પહેલાં સને ૧૯૪૫માં બીજા વીશ્વ યુધ્ધની તારીજીના દશ્યો સૌની આંખ સમાન હોવાથી વીશ્વ મત પણ તે સમયે વડાપ્રધાન નહેરૂની યુધ્ધ નહી પણ શાંતીની તરફેણમાં હતો.) જે હવે સીમલા કરાર પછી લાઇન ઓફ કંટ્રોલ ( એલ ઓ સી) તરીકે ઓળખાય છે.એટલે કે સને ૧૯૪૮માં જે દેશ પાસે જે ભુમી રહી તે કાશ્મીરની બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા બની ગઇ. (ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ બીટવીન ટુ નેશન્સ)

(12)                  ભારતમાં કાશ્મીર સહિત બધાજ દેશી રાજયોને પોતાના વિધિસરના ભારતીય સંઘ સાથેના જોડાણ માટેની શરતો નક્કી કરવા બંધારણ સભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાશ્મીર સીવાય કોઇ દેશી રાજયોના વડાઓએ બંધારણ સભાએ જે નીયમો ઘડ્યા હતા તે માન્ય રાખ્યા. ભારતીય સંઘે પોતાના સાર્વભૌમત્વના સંદર્ભમાં સાલીયાણા વી,ની જે શરતો નક્કી કરી હતી તે વિના વીરોધે માન્ય રાખી.

(13)                  તે સમયની જમ્મુ – કાશ્મીરની સરકારે રચવામાં આવેલી પોતાની બંધારણ સભાએ પોતાના બંધારણમાં ૩૭૦મી કલમ દાખલ કરી. જેને ભારતીય બંધારણે સ્વીકાર કર્યો. ત્યાર બાદ તે કલમ જમ્મુ – કાશ્મીરની બંધારણ સભાએ રદબાતલ કર્યા સીવાય (abrogation) જે તે બંધારણ સભાને સને ૧૯૫૭માં વીખેરી નાંખવામાં આવી હતી. માટે તે કલમ ૩૭૦ ભારતીય બંધારણનો પણ એક અનીવાર્ય ભાગ બની ગઇ. (After the J&K Constituent Assembly later created the state's constitution and dissolved itself without recommending the abrogation of Article 370, the article was deemed to have become a permanent feature of the Indian Constitution) સને ૨૦૧૮ સુધી એટલે કે ગયા વર્ષ સુધી જુદા જુદા કેસોમાં દેશની સર્વોચ્ચ અદાલત અને જમ્મુ– કાશ્મીરની હાઇકોર્ટે તે કલમને કાયમી ગણીને જ પોતાના ચુકાદા આપ્યા છે.

(14)                  બંધારણીય કાયદા નીષ્ણાતો માટે સવાલ એ છે કે જે કરાર ભારતની બંધારણ સભાએ સ્વીકાર કર્યો હોય અને પાસ કર્યો બાદ બંધારણના મુળભુત ઢાંચાનો એક ભાગ બની ગયો હોય તેને બદલ; શકાય ખરો? તેના સામા પક્ષકારની સંમતી સિવાય ભારતની સંસદ પાસ કરી શકે?

(15)                  હવે જોઇએ કે કલમ ૩૭૦ માં શું આવે છે? અથવા તે કલમમાં કઇ કઇ શરતો મુકવામાં આવેલી છે.

(અ) કાશ્મીર રાજય સીવાય અન્ય ભારતીય સંઘના રાજયોના વડાને રાજયના ગર્વનર તરીકે ઓળખાશે,જયારે કાશ્મીરનો ગર્વનરને ' સદરે– રીયાસત'(Sadr-i-Riyasat) થી ઓળખાશે.

(બ) જમ્મુ– કાશ્મીરના મુખ્ય મંત્રીને કાશ્મીરના વડાપ્રધાન ધી પ્રાઇમ મીનીસ્ટર ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર તરીકે ઓળખાય અને તે પ્રમાણે સંબોધીત થશે.આ બંને સંબોધનો સને ૧૯૬૪ની આસપાસ કાઢી નાંખવામાં આવ્યા છે. ભારત રાજયના પોતાના જોડાણમાં વીશ્વાસ મુકી આ નાનો સરખો સેફટી વાલ્વ પોતાની સ્વતંત્ર ઓળખને ઉજાગર કરતો હતો તેને નાબુદ કરી દીધો.

 (ક)ભારત સાથેના જોડાણમાં મહારાજા હરીસીંગે કલમ સાતમાં એવી શરત મુકી છે કે જમ્મુ અને કાશ્મીર રાજય હવે પછી ભારતના સદર બંધારણ સીવાય કોઇ બંધારણ કે તેનો સુધારો સ્વીકારશે નહી. વધારામાં જમ્મુ– કાશ્મીરની સરકાર અને તેણે બનાવેલું બંધારણ નક્કી કરશે કે પોતાના હીતમાં તે ભારતીય બંધારણને નવી કઇ કઇ સત્તા આપવા માંગે છે.

(ડ) આપણા દેશના બંધારણીય નીષ્ણાત એડવોકેટ એ.જી.નુરાનીના મત પ્રમાણે કલમ ૩૭૦ નો કરાર સંપુર્ણ વીધીસરનો કરાર છે. તેમાં ખુદ જમ્મુ–

(ઇ) સને ૧૯૫૨માં કલમ ૩૭૦માં ૩૫–એ દીલ્હી એગ્રીમેંટ નામનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ જમ્મુ– કાશ્મીર રાજયના મુળ નીવાસીઓ ભારતના નાગરીક બનશે.આવા મુળ નાગરીકો સીવાય ભારતના નાગરીકો કાશ્મીરમાં કોઇ સ્થાવર મીલકત રાખી શકશે નહી.

(ફ્) સને ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં એવું વચન આપ્યું હતું કે તે સત્તા પર આવશે તો તે જમ્મુ– કાશ્મીરને વીશેષ દરજજો આપતી કલમ ૩૭૦ અને ૩૫– એ નાબુદ કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમાં ટેકો હતો.

(એચ) કાશ્મીર ખીણમાં ભારત દેશમાંથી સંપુર્ણ સ્વાયત્તા માટેની ચળવળ ચલાવતા ભાગલાવાદી પરીબળોતો રાહ જોઇને બેઠા છે કે ક્યારે મોદી સરકાર અથવા તેમના જેવી અન્ય કેન્દ્ર સરકાર, સદર ચર્ચાસ્પદ કલમ ૩૭૦ને કાઢી નાંખે છે. કારણકે તે કલમને આધારે તો કાશ્મીરના રાજા હરીસીંગે ભારત સાથે જોડાણ કર્યું હતું. હવે તેજ કલમ ૩૭૦ રદબાતલ કરવામાં ભારત સરકાર તરફથી જ શરૂઆત કરવામાં આવે તો સામા પક્ષકારને પોતાની રીતે નવેસરથી યોગ્ય લાગે તેની સાથે જોડાણ કરવાનો કરાર કરવાની છુટ ખરી કે નહી? ત્યારબાદ વીશ્વ સમક્ષ સાબીત કરી શકાય કે ભારતે હવે ગેરકાયદેસર રીતે કાશ્મીર ખીણનો કબજો મીલીટરી દ્રારાજ લઇ લીધો છે. જે લશ્કરી આક્રમણ સીવાય કંઇજ નથી તેમ સ્પષ્ટ થાય...............

જમ્મુ અને કાશ્મીર સીવાય કલમ ૩૭૦ દેશમાં સીક્ક્મ, હીમાચલ પ્રદેશ, અરૂણાચલ, નાગાલેંડ, આંદામાન નીકોબાર અને ઉત્તર પુર્વના રાજયોમાં પણ આ કલમ લાગુ પડે છે. આ બધા રાજયોમાં પણ જે તે રાજય સિવાયનો કોઇપણ ભારતીય નાગરીક સ્થાવર મીલકત ખરીદી શકતો નથી.

 

 

--

Thursday, February 21, 2019

પ્રીતેશ નંદી બોલે છે.

પ્રીતેશ નંદી બોલે છે.....

ચૂંટણીમાં અંતિમ ક્ષણ સુધી કોઇને ખબર નથી હોતી કે લોકો કોને વોટ આપશે?. મારો અનુભવ એ છે કે લોકો ક્યારેય કોઇ ચીજની તરફેણમાં વોટ નથી આપતા. તેઓ હંમેશાં કોઇ વાતના વિરોધમાં વોટ આપે છે. બાંગ્લાદેશ યુદ્ધનાં નાયિકા ઇન્દિરા ગાંધી કટોકટીને કારણે 1977ની ચૂંટણી હારી ગયા. 10 વર્ષ બાદ તેમના પુત્ર રાજીવ બોફોર્સના કારણે ચૂંટણી હારી ગયા. દેશને આર્થિક સુધારાના પથ પર લાવનારા નરસિંહ રાવ 1996માં બાબરી મસ્જિદ ધ્વંસ અને તેની અસરને કારણે હારી ગયા.

હું નથી માનતો કે ભાજપ 2014ની ચૂંટણી મોદીના કરિશ્માને કારણે જીત્યો. બની શકે કે તેનાથી મદદ મળી હોય પણ ભાજપ જીત્યો એ કારણથી કે લોકોએ યુપીએ-2નાં કૌભાંડોની વિરુદ્ધમાં વોટ આપ્યા. મોદી ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ચહેરો હતા અને તેના કારણે તેમને એવા નેતા બનવામાં મદદ મળી, જેમને લોકો પાંચ વર્ષ પછી પણ સાંભળવા તૈયાર છે.

બાકી મોદીની વર્તમાન સરકાર મોટા ભાગના મોરચે નિષ્ફળ રહી છે.
રાજકારણમાં પાંચ વર્ષ લાંબો સમય હોય છે. તેમ છતાં 2014માં ભાજપે આપેલાં વચનો મોટા ભાગે અધૂરાં જ છે. ઘણા મતદારોને ખાસ કરીને સંકટમાં ફસાયેલા ખેડૂતો અને બેરોજગાર યુવાનોને હવે એ વચનો બનાવટી લાગે છે. ભાજપ પાસે ક્યારેય એવા લોકો હતા જ નહીં કે જે કોઇ યોજનાને વ્યાવહારિક ધરાતલ પર ઉતારી શકે અને તેવું કરવાનો તેમનો ક્યારેય ઇરાદો હતો જ નહીં.

........આ દરમિયાન પાંચ વર્ષ વીતી ગયા. પાછું વાળીને જોઇએ તો લાગે છે કે જે તક મળી હતી તે વેડફાઇ ગઇ. બધા સત્તા મળ્યાનો જશ્ન મનાવવામાં વ્યસ્ત થઈ ગયા.નવા વડાપ્રધાન આવતાં જ બધા દિલ્હીમાં જવાબદારી વિનાના આરામના પદની તલાશમાં આવવા લાગ્યા અને તેનાથી એ વર્ગ પેદા થયો કે જે 'નવું જમણેરી જૂથ' (ન્યૂ રાઇટ) કહેવાયો. આ સરેરાશ દરજ્જાના લોકોનું ટોળું હતું, જેમના પર ગાય, બનાવટી ઇતિહાસ અને એ રામ મંદિરનું ઝનૂન સવાર છે કે જેને બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નથી.
........લાગે છે કે તેઓ પહેલા દિવસથી જ 2019ની તૈયારી કરી રહ્યા હતા. તેઓ લગભગ દરેક ભાષણમાં રાહુલના પરનાના નેહરુ પર હુમલો કરતા અને 1947થી દેશ સાથે જે કંઇ પણ ખોટું થયું છે તેના માટે તેમને જવાબદાર ઠેરવતા. પછી તેઓ સોનિયા અને રાહુલને પણ ઢસડી લાવતા. ભ્રષ્ટાચારનો મુદ્દો તેમના મન પર એ રીતે હાવી છે કે તેમને બીજું કંઇ દેખાતું જ  નથી.
.........વંશવાદી રાજકારણ પર હુમલા અને ભ્રષ્ટાચાર સામે લડવાના આ બે ઝનૂનના કારણે છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકાર પંગુ થઇ ગઇ એટલું જ નહીં, દરેક ખોટા નિર્ણય પાછળનું કારણ પણ આ જ હતું.
..........દરેક જાણે છે કે, નોટબંધી અને ઉતાળવમાં લાગુ કરાયેલા જીએસટીએ કરોડો ગરીબો અને મધ્યમવર્ગીય લોકોની આજીવિકા ખતમ કરી નાંખી. જે ધનવાનો અને અતિ ધનવાનોને પકડવા માટે આ પગલાં લેવાયા હતા તેઓ બચી ગયા કારણ કે, તેઓ જાણતા હતા કે સરકારી સિસ્ટમને કેવી રીતે છેતરવાની છે.......

સામાન્ય લોકો માટે ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, ઊલટાનો વધ્યો. ઓક્સફામના આંકડા કહે છે કે,આપણા દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધનવાનો વધુ ધનવાન થયા છે, જ્યારે બીજાના હાલ ખરાબ થયા છે.

........આ બધા વચ્ચે રાહુલ ગાંધી પર વારંવાર હુમલા કરીને નરેન્દ્ર મોદી પોતાને કેન્દ્રસ્થાને લઈ આવ્યા કારણ કે, રાહુલ ગાંધી રાજકારણમાં થોડા નવા હતા. જોકે, રાહુલ તેમના મુખ્ય વિરોધી અને સમકક્ષ થઈ ગયા, જ્યારે મોદી તેમને રાજકારણની બહાર કાઢવા માંગતા હતા. મોદી જેટલા આક્રમક થાય છે, એટલા જ રાહુલ કોંગ્રેસ અને વિપક્ષ માટે મહત્ત્વપૂર્ણ થઈને બહાર આવે છે. આજે મોદી આક્ષેપ મૂકે છે કે, ભાજપને અલગ કરીને બધા જ એકજૂટ થઈ રહ્યા છે, તો વાંક તેમનો જ છે. તેમણે જે શેખી મારી તેનું જ આ પરિણામ છે.

..............મોદીના સતત હુમલાએ રાહુલને એટલી હિંમત આપી છે કે, હવે તેઓ ચતુરાઈથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં લઈ આવ્યા છે. તેઓ જાણે છે કે, મોદીના હુમલાથી પ્રિયંકાને પણ તાકાત મળશે. આ ઉપરાંત પાંચેક વર્ષમાં રોબર્ટ વાડરાને પણ જે રીતે સાણસામાં લેવાયા છે, તેથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ જ શંકાસ્પદ બની ગઈ છે અને રફાલ સોદામાં રોજ નવી વાતો બહાર આવી રહી છે ત્યારે તો ખાસ. જો રફાલના કૌભાંડો બહાર આવે છે તો ઓગસ્ટા વેસ્ટલેન્ડના ભૂતને જગાડવાનો કોઈ અર્થ નથી. સરકારની હાલ ખરાબ થઈ રહી છે કારણ કે, તેઓ ફક્ત રફાલના તથ્યો નથી છુપાવતી પરંતુ ઘટતી જતી નોકરીઓ અને ખેડૂતોના આત્મહત્યાના આંકડા પણ સામે નથી આવવા દેતી. 
...........હવે રાહુલ ગાંધી રફાલના તીર સાથે શક્તિશાળી વિરોધીનો સામનો કરવા તૈયાર છે. હવે બીજા પક્ષો પણ તેમની સાથે છે. શું તેઓ એકજૂટ થઈને મોદીનો કરિશ્મા ખતમ કરી શકશે?

 અત્યારે તો કોઈ નથી જાણતું પણ એટલું નક્કી છે કે, ભાજપ માટે આ ચૂંટણી જીતવી સરળ નહીં હોય. જો વિપક્ષ દરેક બેઠક પર ભાજપ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર ઊભો રાખે છે તો તેમના માટે આ ચૂંટણી સરળ રહેશે. ..........ગઠબંધન મુદ્દે કેટલીક ખોટી ધારણાઓ છે, પરંતુ ભારતની સરકારોએ ગઠબંધન હેઠળ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે, અને એ પણ એવા સમયે, જ્યારે તેઓ અસ્થિર હતા અને તેમને ટકી રહેવાનો વિશ્વાસ પણ ન હતો. એવા સમયે અર્થતંત્ર સારું હતું, માનવાધિકાર રેકોર્ડ પણ સારો હતો અને નેતાઓએ વિનમ્રતાથી વાત કરવાનું શરૂ કર્યું હતું. એ જ સમયે સત્તાધારીઓના અહંકારની જગ્યા કરુણાએ લીધી હતી. આદેશના બદલે સામૂહિક સંમતિનું ચલણ પણ વધ્યું હતું.

એ પણ હકીકત છે કે, અટલ બિહારી વાજપેયીએ સૌથી સારી રીતે ગઠબંધન સરકાર ચલાવી હતી. હું પણ ત્યારે સંસદમાં હતો. હું જાણું છું કે, તેઓ દરેકની વાત સાંભળતા હતા અને તેમણે ક્યારેય પોતાના વિરોધીઓને નીચા નહોતા પાડ્યા. તેઓ જીતવા માટે હંમેશા ઝૂકવા તૈયાર રહેતા હતા. સૌથી મોટી વાત એ છે કે, તેમણે સુપરમેન હોવાના વાઘા ક્યારેય નહોતા પહેર્યા .

સૌ. આજનું દીવ્યભાસ્કર. લેખને ટુંકાવીને અત્રે મુકેલ છે.

1 / 2


 

--

Tuesday, February 19, 2019

વધારે નહી થોડું ક જ વીચારીએ!


વધારે નહી થોડું ક જ વીચારીએ!

આપણા દેશમાં જુદી જુદી કોલેજો ને વીશ્વવીધ્યાલયોમાં કાશ્મીર ખીણ પ્રદેશના ઘણા બધા વીધ્યાર્થીઓ વર્ષોથી અભ્યાસ કરે છે. તા. ૧૪મી ફેબ્રુઆરીના બનાવે રાતો રાત આ બધા કાશ્મીરી વીધ્યાર્થોઓ દેશ દ્રોહી બની ગયા હોય તેમ કેટલાક સ્વ દેશ પ્રેમી તત્વોએ તે બધા પર હુમલા કરવા માંડ્યા છે. આ વીધ્યાર્થીઓ અને વીધ્યાર્થીનીઓને પોતાની હોસ્ટેલોમાં પુરાઇ રહેવું પડ્યું છે. અને બહાર ટોળું રાહ જોઇ ને ઉભું રહ્યું છે.

વૈશ્વીક અને સ્થાનીક અખબારી જગત " પાપડી ભેગી ઇયળ બળી ન જાય તેને માટે સરકારને વીનંતી કરે છે. ગૃહમંત્રી રાજનાથે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરીને સંયમ રાખવાની વીનંતી કરી છે..આપણે દેશના સમજદાર નાગરીક તરીકે પોતાની જાતને પ્રશ્ન પુછી શકીએ ખરા કે  આ બધા વર્ષોથી અભ્યાસ કરવા આવેલા બધાજ વીધ્યાર્થીઓને  કાશ્મીરમાં મોકલીને કોના હાથા બનાવવા છે.? ત્યાં જઇને જે બેકાર નવયુવાનો છે તે હાલ જો આત્મઘાતી બોબ્મબર બનવા તૈયાર હોય તો તેમાં આપણા આ પગલાંથી કોના હાથ મજબુત થશે! કોણ કોની ચાલમાં ફસાશે? વધારે નહી થોડું ક જ વીચારીએ! આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખના આ બધા વાક્યોને સમજીશું ખરા?

" If that idea should become besieged or threatened by mobs wielding patriotism as a weapon against India's own, it would be the terrible success that the Pulwama suicide bomber aimed for. What else is the terror project, after all, but the bid to maximise the terror fallout." સૌ. ઇ. એક્સ, તંત્રી લેખ તાં ૧૯–૦૨–૧૯.

--

Thursday, February 14, 2019

મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

     મહારાષ્ટ્ર સરકારે અને મુંબઇની પોલીસે પ્રજાના મોરલ પોલીસ બનવાની જરૂર નથી.

સુપ્રીમ કોર્ટ–૧૭મી જાન્યુઆરી ૨૦૧૯.ડીવીઝન બેંચ– જસ્ટીસ સીકરી અને જસ્ટીસ અશોક ભુષણનો ચુકાદો.

મહારાષ્ટ્ર સરકાર સને ૨૦૦૫થી સતત ડાન્સબાર હોટેલ્સમાં 'ગર્લ્સ ડાન્સ' કરીને પોતાનું ભરણપોષણ ન કરી શકે તેવા સુધારા પોતાના પોલીસ રૂલ્સમાં કર્યા કરતી હતી. સને ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીમાં ડાન્સબારના માલીકો કાયદેસરના નીયમોનું પાલન કરીને લાયસન્સ લઇને તે બીઝનેસ કરી શકે તેવી કોઇ શક્યતા મહારાષ્ટ્ર સરકારે રાખી નહતી. બોમ્બે હાઇકોર્ટે  સદર સરકારના નીયમો જે દેશના બંધારાણના નાગરીકનોના મુળભુત અધીકારોનું ખાસ કરીને આર્ટીકલ ૧૪ અને ૧૯નું ઉલ્લંઘન કરતા હતા તેવા નીયમોને ગેરબંધારણીય ઠરાવ્યા હતા. તો પણ તેમાં નાનો મોટો ટેકનીકલ ફેરફાર કરીને મહારાષ્ટ્ર સરકારે નાગરીકની નૈતીક (મોરલ) પોલીસ બનીને નીયમો જ એવા પોતાની વીધાનસભામાં પસાર કરાવ્યા હતા કે જેથી આ વ્યવસાય કરી જ નશકાય. સરકારનો સ્પષ્ટ ખ્યાલ હતો કે ડાન્સબારનો ધંધો ભારતીય સંસ્કૃતીની મુલ્યોની વીરૂધ્ધનો છે માટે અમે તેને કાયદેસરનો ધંધો ગણીને ચાલવા દઇશું નહી. ડાન્સબારના હોટેલ માલીકો તથા ડાન્સબાર ગર્લ્સ એસોસીયેશને સુપ્રીમ કોર્ટમાં  મહારાષ્ટ્ર પ્રોહીબીશન ઓફ ઓબસીન ડાન્સબાર, હોટેલ્સ, રસ્ટોંરન્સ એન્ડ બારરૂમ્સ એન્ડ પ્રોટેક્શન ઓફ ડીગનીટી ઓફ વુમન એક્ટ ૨૦૧૬' વીરૂધ્ધ પીટીશન દાખલ કરેલ હતી. સદર પોલીસ નીયમોને કારણે ૭૫૦૦૦ ડાન્સબાર ગર્લ્સે પોતાનો પ્રમાણીક વ્યવસાય ગુમાવ્યો હતો અને મજબુરીથી તેમાંના ઘણાબધાએ પ્રોસ્ટીટયુશનનો(વેશ્યાગીરી) ધંધો પોતાના આર્થીક નીભાવ માટે સ્વીકારવો પડયો હતો.

મહારાષ્ટ્ર સરકારે પોતાના પોલીસ રૂલ્સમાં ડાન્સબાર બીઝનેસ માટે લાયસન્સ લેવા માટે જે નીયમો ઘડયા હતા તે નીચે મુજબ છે.

(૧) સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ.

(૨) ડાન્સબારનું સ્થળથી એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ.

(૩) ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી.

(૪) ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી.

(૫)ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ.

(૬) દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપાર દર્શક પાર્ટીશન (નોન ટ્રાસ્નપરન્ટ)દીવાલ હોવી જોઇએ

(૭) ડાન્સબાર રૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals).

(૮) ડાન્સ બાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય.તેવો અશ્લીલ વર્તણુક ન હોવી જોઇએ.

 

હવે દેશની સર્વોચ્ચ અદાલતની ડીવઝન બેંચના આદરણીય ન્યાયધીશ એ. કે. સીકરી સાહેબ અને અશોક ભુષણ સાહેબે નાગરીક હીત (પબ્લીક ઇન્ટરેસ્ટ) અને નાગરીકોના જીવન જીવવાનો બંધારણીય અધીકાર વચ્ચે કેવી તર્કબધ્ધ રીતે સમતુલા અને સંવાદીતા જાળવીને પોતાનો ચુકાદો આપ્યો છે તેનો અભ્યાસ કરીએ.

(In a bid to maintain a balance between public interest and the constitutional right to earn a livelihood.

 

(1)          સદર લાયસન્સ લેનાર માલીકનું સારૂ ચારીત્રય હોવું જોઇએ,તેનો ભુતકાળ વાંધજનક ન હોવો જોઇએ અને છેલ્લા દસ વર્ષોમાં તેનો કોઇ ક્રીમીનલ રેકોર્ડ ન હોવો જોઇએ. કોર્ટના મતમુજબ આ નીયમ મનસ્વી(સબજેક્ટીવ છે  ઓબજેક્ટીવ નથી.) એટલા માટે છે કે તેને નક્કી કરનારા માણસ પર આધાર રાખે છે. ક્રીમીનલ રેકર્ડની બાબતમાં ફોજદારી ગુના હેઠળ સજા થઇ છે, ગુનાનો પ્રકાર કેવો હતો અને એવું તો નથી ને ૧૦ વર્ષથી ફક્ત એફ આઇ આર  દાખલ થઇ હોય. આ નીયમને કોર્ટે રદબાતલ ઠરાવ્યો છે.

(2)        ડાન્સબારની હોટેલની નજીકના એક કીલોમીટરના વીસ્તારમાં સ્કુલ, કોલેજ કે મંદીર ન હોવું જોઇએ. મુંબઇ જેવા શહેરમાં મંદીર,( કેમ મસ્જીદ કે ચર્ચ કેમ નહી) સ્કુલ, કોલેજ એક કીલોમીટર દુરના અંતરે ડાન્સબાર હોવો અશ્કય છે. માટે તે નીયમને પણ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે.

(3)       ડાન્સબારમાં ડાન્સ કરતી ડાન્સબાર પર નોટોનો વરસાદ કે રોકડાનાણાંનો વરસાદ વરસાવી શકાશે નહી. સદર નીયમના વીકલ્પે કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ગ્રાહક બાર ડાન્સરને વ્યક્તીગત ધોરણે ટીપ્સ આપી શકશે. જેને હોટેલનો માલીક લઇ શકશે નહી. પોતાને ત્યાં કામ કરનાર ડાન્સબારનું ખાતું બેકમાં ખોલાવવું ફરજીયાત છે. તે અંગે પગાર, અન્ય ભથ્થાં તેમજ સગવડો પુરી પાડવાનો કરાર હોટેલ માલીકે ડાન્સબાર સાથે કરવો પડશે. તે ડોક્યુમેંટની નકલ જે તે વીસ્તારના પોલીસ ડીપાર્ટમેંટને માલીકે આપવી ફરજ્યાત રહેશે.

(4)           ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ વાગ્યાથી મોડી રાતસુધી ચાલુ રાખી શકાય નહી. આ સંદર્ભમાં કોર્ટે પોતાની ટીપ્પણી રજુ કરતાં જણાવ્યું છે કે  ડાન્સબારનો સમય સાંજના ૬–૩૦ થી રાત્રીના ૧૧–૩૦ સુધીનો જ રહેશે. ત્યારબાદ સહીસલામત રીતે ડાન્સબારને પોતાના ઘરે પહોંચડવાની તમામ જવાબદારી બારના માલીકની ફરજીયાત રહેશે.

(5)          ડાન્સબાર રૂમમાં સી સી ટીવી કેમેરા હોવા જોઇએ. કોર્ટે પોલીસ નીયમની આ કલમ ગેરબંધારણીય જાહેર કરીને કાઢી નાંખી છે. પોતાનું તે અંગે નીરીક્ષણ જણાવ્યું છે કે આ નાગરીકની અંગત ( પ્રાવેસી) અધીકારનો ભંગ હોવાથી ચાલુ રાખી શકાય નહી.

(6)       દારૂ પીવાનો રૂમ ( લીકર રૂમ) અને ડાન્સબારનો રૂમ બંને જુદા હોવા જોઇએ તેમજ તેની વચ્ચે એવી અપારદર્શક પાર્ટીશન (નોન ટ્રાન્સપરન્ટ ) દીવાલ હોવી જોઇએ.આ નીયમનું કોઇ વ્યાજબીપણું કે તેમાં તર્કબધ્ધતા નહી લાગતાં તેને પણ રદબાતલ કરવામાં આવ્યો છે.

(7)        ડાન્સબારરૂમમાં ગ્રાહકોને દારૂ પીવાની છુટ ન હોવી જોઇએ. છાકટા બની જાય.કારણકે સમાજમાં લોકો નૈતીક(!) બને અને લોકો સખતરીતે નૈતીક્તાના નીયમો પાળે તે અનીવાર્ય છે.( Injury to Public Morals). તે નીયમને પણ કોર્ટે રદબાતલ કર્યો છે. સરકારની એ ધારણા પાયાવીહોણી છે કે આવનાર ગ્રાહકો દારૂ પીવાથી ડાન્સર્સ સાથે અયોગ્ય ચેનચાળા કરશે અથવા અયોગ્ય રીતે વર્તન કશે. શું આજ તર્ક થ્રીસ્ટાર અને ફાઇવ સ્ટાર્સ હોટેલના ગ્રાહકોને નહી લાગુ પડે! ત્યાંપણ દારૂ વહેંચવાનુ કામ ( ટુ સર્વ લીકર) તો સ્રીઓ કરે છે !

(8)       ડાન્સબાર ગર્લ્સ ડાન્સ એવો ન કરે જેથી જોનારા લોકો કામાતુર( not to arouse the prurient interest in audience & no obscene performance) ન થઇ જાય. આ મુદ્દાને દેશની અદાલતે ખુબજ ગંભીર ગણીને વીદ્વતાપુર્ણ ચર્ચા કરેલ છે. કોર્ટે સરકારને પુછયું કે શું સમાજમાં સામાજીક, શૈક્ષણીક, આર્થીક અને માનવ મુલ્યોના પ્રસારણથી અશ્ચીલલતા કે બીભત્સતાના ખ્યાલમાં પરીવર્તન નથી આવતું? મુંબઇ જેવા વૈશ્વીક સંસ્કૃતી ધરાવતા શહેર( કોઝ્મોપોલીટન સીટી) અને ગ્રામીણ સમાજના સેક્સ વીષેના વીચારો એક છે કે ભીન્ન?

વીશ્વની જુદા જુદા દેશોની અદાલતોએ અને સર્વોચ્ચ અદાલતે પોતે ભુતકાળમાં આપેલ અશ્લીલ કે બીભત્સતા અને કામતુરતાના અભીપ્રાયોને ટાંકતા જણાવ્યું કે આ બધા મુદ્દાઓનું અર્થઘટન વ્યક્તીદીઠ, સમાજ કે દેશ દીઠ પણ એક સમાન હોતું નથી. તેમજ સમય સંજોગો બદલાતાં આ ખ્યાલો અંગેની લોકમાન્યતાઓમાં ફેરફારો આવ્યા જ કરે છે.

આ બાબતમાં કોર્ટે તેના ચુકાદાના પાન નંબર ૬૪ના પેરા નંબર ૬૭ માં વીગતે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે એક જગવીખ્યાત પણ એક જમાનામાં અશ્ચલીલ ગણાતા  પુસ્તક ' લેડી ચેટરલી'ઝ લવર' જેના નવલકથાકાર હતા  ડી. એચ લોરેન્સ. આ પુસ્તક સને ૧૯૨૬માં ઇટાલીથી સૌ પ્રથમ પ્રકાશીત થયું હતું. તેનાપર સને ૧૯૨૬થી ઇગ્લેંડ, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડ અને અમેરીકા જેવા દેશમાં તેમાં વર્ણવેલ કામાતુર વર્ણનોને કારણે અશ્ચીલ ગણીને પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો. તે પ્રતીબંધ સને ૧૯૬૦ સુધી ચાલુ રહ્યો. આપણા કહેવાતા બૌધ્ધીકો અને ન્યાયવિદ્ પણ તેના પર પ્રતીબંધ સને ૧૯૬૦માં ઇગ્લેંડે ઉઠાવી લીધા પછી પણ ચાલુ રાખ્યો છે. (While the Supreme Court in India held Lady Chatterley's Lover to
be obscene, in England the jury acquitted the publishers finding
that the publication did not fall foul of the obscenity test.
) બંને ન્યાયાધીશોએ પોતાની તે પુસ્તકની ટીપ્પણી કરતાં નોંધ્યુ છે કે ૨૧મી સદીના ઇન્ટરનેટ યુગમાં કમ્પ્યુટરના માઉસ પર કીલ્ક કરીને આખુ પુસ્તક વાંચી શકાય તેમ છે. તેથી ઇન્ટરનેટ યુગમાં સામાજીક રૂઢીચુસ્તતાની નૈતીકતાની સરહદો અપ્રસતુત થઇ ગઇ છે ( ધે આર આઉટ ડેટેડ).

 

મહારાષ્ટ્ર સરકારે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને એવા નીયમો બનાવ્યા હતા કે મુંબઇની કોઇપણ હોટેલ વી.માં ડાન્સ બાર ચલાવવો અશક્ય બની ગયો હતો. આ સમયે દેશની વડી અદાલતે મહારાષ્ટ્ર સરકારની બધીજ દલીલોના જવાબ આપીને ડાન્સ બારના સંચાલન પર કેટલીક સંમત શરતો મુકીને આ વ્યવસાયને કાયદેસર બનાવવાની મહોર મારી છે.

લેખ રજુકરનારની સ્વતંત્ર નોંધ– મહારાષ્ટ્ર રાજયમાં હીંદુ સંસ્કૃતીના બચાવ માટે મેદાને પડેલી ભાજપની સરકાર છે. જેણે સને ૨૦૦૫થી સને ૨૦૧૯ સુધી પોલીસ નીયમન હેઠળ એક યા બીજા પ્રકારે નાગરીકો માટે સારૂ શું કે ખોટું શું તે નક્કી કરવાનો પોતાનો નૈતીક અધીકાર ગણીને ડાન્સબાર પર નીયંત્રણો લાદીને બંધ કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ પણ આ સરકાર સરળતાથી ડાન્સબારનો વ્યવસાય ન ચલાવવા માટે કેવા કેવા વીઘ્નો ઉભા કરશે તે તો સમય જ નક્કી કરશે.

તેની સામે પશ્રીમ બંગાળમાં લગભગ ત્રણ દાયકાથી માર્કસવાદી સામ્યવાદી પક્ષની જયોતી બાસુના નેતૃત્વની સરકાર હતી. આ સરકારે કલકત્તાના 'રેડ લાઇટ એરીયા' (પ્રોસ્ટીટ્યુટ ઝોન)માં રેડીકલ હ્મુમેનીસ્ટના અગ્રણી સીબ નારાયણ રે, અમલન દત્તા અને બીજા સાથીઓની મદદથી નીચે પ્રમાણેનું માનવવાદી કાર્ય કર્યું હતું.

સૌ પ્રથમ આ વ્યવસાયમાંથી આજીવીકા પેદા કરતી સ્રીઓને લાયસન્સ અપાવ્યા. ત્યારબાદ તે બધાને એઇડસ કે બીજા જનનઇન્દ્રીયોને લગતા ચેપી રોગો ન થાય માટે આરોગ્યને લગતું જ્ઞાન પુરૂ પાડી અને નીરોધ (કન્ડમ) જેવા સાધનોનો ઉપયોગની માહીતી પુરી પાડી. છેલ્લે તે સ્રીઓનું વ્યવસ્થીત કૌટુંબીક સ્થાયી જીવન બને માટે હાઉસીંગની વ્યવસ્થા કરી આપી. તેમના બાળકોને સારૂ અને મફત શીક્ષણ મળે તે માટે રાજય તરફથી પુરી સુવીધાઓ એટલા માટે પુરી પાડવામાં આવી કે જેથી તેમની નવી પેઢી આ વ્યવસાયના વીકલ્પે નવો ધંધો કરી શકે.  

હે! વાંચક તમે નક્કી કરો કે નીયમો,કાયદા,દંડ, સત્તા, ધર્મ અને ઇશ્વરનો ભય બતાવીને કોઇ સમાજના સાંસ્કુતીક– નૈતીક મુલ્યોનું જતન કે સંવર્ધન થાય કે પછી માંદા અને સડી ગયેલા સમાજને બદલવાના મુળભુત કારણો શોધીને તેને દુર કરવાના વૈજ્ઞાનીક અને તર્કબધ્ધ ઉપાયો શોધીને આવા મુલ્યોનું જતન અને સંવર્ધન થાય?   


 

-- 

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--

Thursday, February 7, 2019

મોરારીબાપુના વીડીયો આધારીત લેખ–


અગત્યની સુચના–– ફેસબુકના વાંચક મીત્રોને–

આ લેખ તમે વાંચો તે પહેલાં મોરારી બાપુનો બે મીનીટનો યુ ટયુબ વીડીયો જોવા–સાંભળવા ખાસ વીનંતી છે. જે નીચે લીંકમાં આપેલ છે.

મોરારીબાપુની યુ ટયુબ સાંભળ્યા પછી શાંતીથી, શાણપણ કે વીવેકપુર્ણ રીતે નીચેની દ્ર્ષ્ટીએ પણ શું વીચારવા જેવું નથી લાગતું?

આવી ટેવ લશ્કરને પડશે તો લોકપ્રતીનીધીઓથી ચુંટાયેલી સંસદેના બંને ગૃહો એ શું કરવાનું? એક  દિવસ એવો આવશે કે લશ્કર દેશનો  કોણ વડોપ્રધાન બનશે તે પણ નક્કી કરશે!

 પાકીસ્તાનમાં  ALL  real power to govern the country remains with the its military & religious heads.

આપશ્રીને, નાગરીક તરીકે દેશના કાશ્મીર જેવા સળગતા પ્રશ્ન પર ચીંતા હોય એ બીલકુલ સ્વભાવીક છે. ભારતીય સૈનીકોની દરરોજ કાશ્મીરી સરહદ પર થતી શહીદી પર અસહ્ય કરૂણા, દયા, અનુકંપા થાય તે વ્યાજબી અને માનવ સહજ છે. તે શહીદ જુવાનોના કુટુંબોના પોતાના સ્વજન, ભાઇ, પતિ, પિતા કાયમ માટે ગુમાવવાનો શોક આપણાથી જોઇ શકાય તેવો ચોક્કસ નથી.

 આપણે સૌ સારી રીતે સમજીએ છીએ કે વીશ્વના જુદા જુદા દેશોની  પડોશી સરહદોના પ્રશ્નો ક્યારેય યુધ્ધ અને હીંસાથી ઉકેલાયા નથી. યુધ્ધો કર્યા પછી પણ ટેબલ પર મંત્રણાઓ કરવી પડે છે.

 બીજું આપણે સૌ જાણીએ છીએ કે આધુનીક યુધ્ધો ફક્ત સરહદો પર લડાતા નથી. ભારત– પાકીસ્તાન બંને પાસે અણુશસ્રો છે. તેમાં માહિતી પ્રમાણે ભારત કરતાં પાકીસ્તાન પાસે  અણુશસ્રોનું પ્રમાણ અને તે વાપરવાની માનસીકતા(લશ્કરી તંત્રનું રાજ્યસત્તા પર પ્રભુત્વ હોવાથી) ભારતની સરખામણીમાં સહજ રીતે વધારે હોય તેમ સમજવામાં આપણે ભુલ ન કરવી જોઇએ. સને ૧૯૪૫માં પાંચ વર્ષથી ચાલુ બીજા વીશ્વયુધ્ધનો અંત જપાનના એકંદરે વધુ વસ્તીવાળા બે શહેરો હીરોશીમા અને નાગાસાકી પર બે એટમ બોમ્બ અમેરીકાએ ઝીંક્યા પછીના ૪૮ કલાકમાં જ આવ્યો હતો.

 ત્રીજું, આંતરરાષ્ટ્રીય પડોશી રાજકીય સંબંધોમાં પાકીસ્તાન સાથે ચીનના સંબંધો ઘણા ઘનીષ્ઠ છે તે આપણે નજરઅંદાજ  ન કરવા જોઇએ. ચીને આસામથી શરૂ કરીને કાશ્મીર સુધીની આપણી સરહદોની ખુબજ નજીક સડક માર્ગ ભારતની ચીંતા વીના પુરો કરી દીધો છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ આપણા મોદી સાહેબ સાથે અમદાવાદની રીવર ફ્રંટના હીંચકે ઝુલતા ઝુલતા પેલા ખમણ ઢોકરા ખાતા હતા તેથી ચીન આપણું દોસ્ત બની ગયું એમ ભુલ ન કરશો. ચીને પોતાના ૧૮ સરહદી દેશોની સરહદો અને બારેય દીશાઓમાં આક્રમક, તુડમીજાજી અને દગાખોર જ સંબંધો રાખ્યા છે.

મોદીજીના ભક્તીભાવે પેદા કરેલા રાષ્ટ્રવાદના ઘેન ને કારણે દેશના બહુ ઓછા નાગરીકોને માહિતી છે કે ભારતની ઉત્તરી સરહદે, નેપાલ. ભુતાન, તીબેટ, પુર્વની સરહદે બંગ્લાદેશ અને બર્મા, દક્ષીણમાં શ્રીલંકા અને માલદીપ સાથે મોદી સરકારના પાંચવર્ષોના કાળમાં સહેજ પણ મૈત્રીભર્યા સંબંધો નથી. આવા પડોશી દેશોથી ઘેરાયેલા ભારતને પાકીસ્તાન સરહદે યુધ્ધ થાય તો કોણ કોને મદદ કરશે? આ બધાજ પડોશીઓ સામે પક્ષે શા માટે ન જાય?

ભારત –પાકીસ્તાન સરહદ પરના પ્રશ્નમાં કાશ્મીર એક ભારતના સઘીય રાજ્ય ( One of the  Federal State) તરીકે અને તેની પ્રજાને વર્ષોથી લશ્કરની એડી નીચે રાખી વહીવટ અને સંચાલન ન થાય. તે રાજ્યની પ્રજાને કોટિલ્ય (ચાણક્ય) અને પેલા રાજાશાહીની તરફેણ કરનારા મેક્યાવેલીના ઉપદેશોથી નીયંત્રણમાં ન રખાય. ચીનના એક સમયના સર્વેસર્વા માઉત્સેતુંગના પેલા વીશ્વવીખ્યાત સુત્ર ' સત્તા અને શાંતી બંદુકના નાળચાને વરેલી છે' એ માનસીકતા દીલ્હીના સત્તાધીશોની હોય તો પણ વહેલી તકે ભુલી જવાની જરૂર છે.

માનવજાતના ઇતીહાસમાંથી ભારત– પાકીસ્તાનની, બંને દેશની પ્રજાઓએ અને તેના રાજ્યકર્તાઓએ બે બોધપાઠ લેવાની તાતી જરૂર છે.

(૧) ઇઝરાયેલમાં આવેલા જેરૂસલેમમાં ત્રણ ધર્મોના આસ્થાના સ્થાનો છે. યહુદી, ખ્રીસ્તી અને ઇસ્લામ. આ ત્રણેય ધર્મોના સંચાલકોએ તે સ્થાનનો કબજો મેળવવા ફક્ત ૧૩૦૦ વર્ષ સુધી લાખો માણસોની લાશો પર લોહીયાળ યુધ્ધો લડ્યા પછી શાંતીથી તે સ્થળના ભાગ પાડીને હજુ જીવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

(૨) યુરોપના દેશોએ  રાષ્ટ્રવાદના નામે પોતાની સરહદોના નાના ટુકડા કરીને, દુનીયાના અન્ય દેશોને ગુલામ બનાવીને છેલ્લા ફક્ત ૫૦૦ વર્ષોથી 'મેરા રાષ્ટ્ર મહાન' ના નામે લડ્યા જ કર્યું છે. જેમાંથી છેલ્લું ડહાપણ, બીજા વીશ્વયુધ્ધના અંતે કુલ ૪ કરોડ માણસોના નરસંહાર પછી તે ભૌગોલીક વીસ્તારના ૨૮ દેશોએ ' યુરોપીયન કોમન માર્કેટની' સ્થાપના કરી. રાષ્ટ્રની સીમાઓને બાજુપર મુકીને પણ યુરોપીયન ખંડની પ્રજાનો વીકાસ થઇ શકે છે તેવું સત્ય તેમને મળ્યું છે. ૨૮ દેશની પ્રજાને આ બધા દેશોમાં જવા માટે કોઇ વીસા, પરમીટની જરૂર નથી. વીશ્વના અર્થતંત્રને માન્ય હોય તેવું ચલણ ' યુરો' બજારમાં મુક્યું છે.

 ભારત, પાકીસ્તાન, બંગલા દેશની પ્રજાએ તો હજુ ફક્ત ૭૦ વર્ષ પહેલાં એકબીજા સાથેથી તલાક લીધેલા છે ને? અને તે સમયે માનવ સંહારની સંખ્યા ફક્ત દસ લાખની જ હતી ને!

 વધારામાં આપણા ગુજરાતના તાજેતરમાં જ મોદી સરકારના હાથે પ્રજાસત્તાક દિવસે પધ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત કરેલા રાજકીય વીશ્લેષક નગીનદાસ સંઘવીએ પોતાની દી. ભાસ્કરની ૬ઠી ફેબ્રુઆરી, ગઇકાલની બુધવારની ' કળશપુર્તી ' ની પહેલા પાનાની કોલમ ' તડને ફડ' માં પોતાના લેખના પૃથ્થકરણમાં નીચેના તારણો કાઢયા છે. " ધર્મા નામે અને ધર્મની ઓથ લઇને  જેટલા ઝઘડા થયા છે, અન્યાયો થયા છે, જેટલી હીંસા થઇ છે તેટલી (દુનીયામાં) બીજા કોઇ કારણસર થઇ નથી. ધર્મનું ખોટું અને સ્વાર્થપ્રેરીત અર્થઘટન દુનીયાના ઇતીહાસમાં સૌથી મોટું અનીષ્ટ છે."

 હકીકત એ છે કે દરેક ધર્મના ઠેકેદારોએ(રાજકીય સત્તાના પક્ષીય નેતાઓએ પોતાના ભક્તોને) પોતાના અનુયાઇઓને એવી કંઠી બાંધી દીધી છે કે  તે બધા બતાવે તે જ ધર્મ અને તે બોલે એ જ રાષ્ટ્રપ્રેમ !

આવા સંજોગોમાં ભારતના કાશ્મીરી– પાકીસ્તાન સરહદો પર કાયમી શાંતી અને અમન પેદા કરવાના ભાવીનો નીર્ણય ફક્ત લશ્કરી વડા પર નક્કી કરવાનું થાય તેમાં આનંદ લેવા જેવી વાત નથી.

 

આદરણીય બાપુ, આપના જેવા પાસેથી યુધ્ધની ભક્તી કરવાની અપેક્ષા

તે પણ ૨૧મી સદીની ટેકનોલિજીકલ સાધનસંપન્ન દુનીયામાં તો ન જ રખાય!

 

--

Saturday, February 2, 2019

શું મોદી સરકાર સંપુર્ણ સત્યાનાશને માર્ગે (Road to perdition) ઝડપથી જઇ રહી છે?


 શું મોદી સરકાર સંપુર્ણ સત્યાનાશને માર્ગે (Road to perdition) ઝડપથી જઇ રહી છે?––– મનોજ જોષી સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા પાન નં૧૪ તંત્રી લેખ તા, ૨–૨– ૨૦૧૯.

 મોદીજી, મહેરબાની કરીને તમારા મીથ્યાભીમાની અહંકારની વેદી પર

નેશનલ સ્ટેટીકલ કમીશન જેવી સંસ્થાનો બલી ન  ચઢાવશો!

    ગમેતે કારણોસર ભારત એક આધુનીક, સમૃધ્ધ લોકશાહી દેશ તરીકે પોતાની સ્વયંભુ તાકાત પર વીકાસ કરવામાં સફળ થયો નથી. તેની મર્યાદીત સફળતાઓને ખુબજ મોટાપાયા પર પેદા થયેલી નીષ્ફળતાઓ  ઢાંકી દીધી છે. તેમાં કદાચ સૌથી વધારે વર્તમાન સરકારનાં ખલેલ પહોંચાડનાર અને ચીંતાજનક પગલાં હોય તો તે  સ્વાયત્ત સંસ્થાઓના રોજબરોજના વહીવટોમાં આંતરીક પણ ખાસ કરીને,અવીચારી, આપખુદી, તુમાખીભરેલી દખલગીરી. તે પગલાંઓને કારણે આ બધી સંસ્થાઓનો રાજકીય હેતુઓ માટે સતત બલી ચઢાવવામાં આવે છે. આવી સંસ્થાઓની સ્વાયત્તતા છીનવી લઇને તે બધાને લકવાગ્રસ્ત બનાવી દેવામાં આવી છે.

એક જમાનામાં વડાપ્રધાન શ્રીમતી ઇંદીરા ગાંધીએ પોતાની એડી નીચે દેશના વહીવટીતંત્ર અને ન્યાયતંત્રને લાવવાનો જોરદાર પ્રયત્ન કરેલો હતો. તેને કારણે દેશને તે પગલાંની વીઘાતક અસરોમાંથી  બહાર નીકળતાં ઘણો સમય લાગ્યો હતો. શ્રીમતી ગાંધીના, માનવ અધીકારોના હનન ને પ્રેસસેન્સરશીપ જેવા કલંકી કૃત્યોને કારણે  તેણીની ભવ્ય રાજકીય સીધ્ધીઓ અને પાકીસ્તાન સામેના લશ્કરી વીજયને ઇતીહાસમાં નજરઅંદાજ કરવામાં આવે છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન, (સીબીઆઇ), રીઝર્વ બેંક ઓફ ઇંડીયા, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમીશન, નેશનલ સ્ટેસ્ટીકલ કમીશન, જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટી,( જેએનયુ), નહેરૂ મેમોરીઅલ મ્યુઝીયમ એન્ડ લાયબ્રેરી, અને તેવા બીજા અન્યો પરના મોદી સરકારના હુમલાઓને કેવી રીતે સમજાવી શકીશું? હા! તે હકીકત છે કે વર્તમાન શાસકોને 'નહેરૂ ભુતકાળ' માટે અણગમો અને પુર્વગ્રહો છે. તે અંગેના નીર્ણયોમાં આપખુદપણું, સત્તાનો દુરઉપયોગ ને અવીચારીપણાની અસરો પણ કમ નથી. આ બધું આંખે ઉડીને દેખાય તેવું છે.

મોદી સરકારે, સીબીઆઇ જે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા હતી તેની સાથે જબ્બરજસ્ત આંતરીક ગુંચવાડો ઉભો કર્યો છે. અલોક વર્મા અને તેના ડેપ્યુટી રાકેશ અસ્થાનાના આંતરીક અને ખુલ્લા મતભેદોએ  આવી રાષ્ટ્રીય હીત ધરાવતી સંસ્થાને બીલકુલ નીષ્ક્રીય બનાવી દીધી. સરકારને રાત્રે બાર વાગે " મીડ નાઇટ સર્જીકલ રીમુવ" અલોક વર્માની બદલીના નીર્ણય એટલા માટે લેવો પડયો કે કારણકે તેઓ પર એવો આક્ષેપ મુકવામાં આવે છે કે અલોક વર્માએ 'રાફેલ' ના મુદ્દે તપાસ કરવાની કાર્યવાહી તૈયાર કરી દીધી હતી.

 આ બધા આક્ષેપો મોદી સરકાર સામે ઓછા પડતા હોય તેમ દેશના નાણાંમંત્રી અરૂણ જેટલીએ પોતાના લીવરના કેન્સરની દવા કરાવા ન્યુયોર્ક ગયા છે; ત્યાંથી પોતાના બ્લોગ પર લખે છે કે સીબીઆઇએ આઇ સી આઇ બેંકના એમ ડી શ્રીમતી ગોચર પર નાણાંકીય ગેરરીતીઓ માટે જે એફ આઇ આર દાખલ કરી છે તેનો વીરોધ કરતાં અકળાઇને લખે છે કે સીબીઆઇ એ તેમને પુછયા વીના આવો 'ઇન્વેસ્ટીગેટીંગ એડવ્નેચરીઝમ' તપાસ કરવાનું જોખમી સાહસ કરવાનું,અને આમ શ્રીમતી ગોચર સામે કુદી પડવાની  બીલકુલ જરૂર ન હતી. જેટલી સાહેબના સંદેશાનો ગર્ભીત અર્થ એટલો જ છે કે સીબીઆઇ, કે ઇ ડી (એનફોર્સમેન્ટ ડીપાર્ટમેંટે) વર્તમાન સરકારની જરૂરીયાતો પ્રમાણે કામ કરવાનું હોય, સંસ્થાઓ એ રાષ્ટ્રના હીતમાં સ્વતંત્ર રીતે કામ કરવાનું હોય જ નહી. 'સીબીઆઇ હવે પીંજરનો પોપટ બીલકુલ રહ્યો જ નથી. તે તો હવે ખરેખર પીંજરમાં રહેતું  ફક્ત મરી ગયેલું પીળી પાંખોવાળું પક્ષી છે.'

આર બી આઇના ગર્વનરોની કસમયની અને હોદ્દાનો સમય પુરો થતાં પહેલાં રાજીનામા આપીને છુટા થઇ જવાની હકીકત આપમેળે વર્તમાન મોદી શાસન માટે ઘણું કહી જાય છે. રઘુરામ રાજન જેવા પ્રબુધ્ધ અને વૈશ્વીક કક્ષાના અર્થશાસ્રી તરીકે નીપુણતા ધરાવતા બૌધ્ધીક કેવી રીતે પેલા મોદીના જુમલાઇકોનોમીક્સ' (નોટબંધી)માં બંધ બેસે ! તેવી જ રીતે  શ્રી રાજનના પછી આર બી આઇના ગર્વનર તરીકોનો હોદ્દો સંભાળનાર ઉર્જીત પટેલને સરકારે આર એસ એસના અગત્યના હોદ્દેદાર એસ ગુરૂમુર્તીની બેંકની બોર્ડના સભ્યતરીકેની નીમણુકમાં વીશ્વાસઘાતની ગંધ આવે તેમાં કાંઇ જ ખોટુ કેવી રીતે હોઇ શકે! કારણકે સરકારને વ્યાજનોદર ઘટાડીને આગામી ચુંટણી જીતવા બેંકોના બાકીદારોના વહાલા થવું હતું. જ્યારે રઘુરાજન ની માફક ઉર્જીત પટેલને દેશમાં ફુગાવાને કાબુમાં રાખવા માટે વ્યાજના દરમાં કોઇ ઘટાડો કરવો ન હતો.

 દેશની સર્વોચ્ચ આંકડા એકત્ર કરતી સંસ્થાને( National Statistical Commission) પોતાના કાયદેસર એકત્ર કરેલા આંકડા જ બહાર ના પાડાવા દેવા તેનાથી વધારે મોદી સરકારનું મોટું કાવતરૂ બીજું શું હોઇ શકે? ગયા અઠવાડીયે તે સંસ્થાના એક્ટીંગ ચેરમેન તથા બીજા સભ્યશ્રીએ રાજીનામું આપી દીધું છે. બંને રાજીનામું આપનારાઓએ સરકાર સામે એવો આક્ષેપ કર્યો છે કે સને ૨૦૧૭–૧૮ના રોજગારીને લગતા ખાસ કરીને દેશના યુવા બેરોજગારીની સંખ્યાને લગતા આંકડાઓ તૈયાર હોવા છતાં બહાર પાડવા દીધા નથી. આમ કેમ? શા માટે આવું બન્યું? કારણકે દેશમાં બેરોજગારોની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં એટલે કે મોદી સરકારના વહીવટમાં ઘણા જ મોટા પાયે વધારો થયો છે. અને અર્થતંત્રનો વીકાસ બીલકુલ ધીમો થઇ ગયો છે(a slowdown of economic growth).આ ઉપરાંત મોદી સરકારે આવી પોતાની રાજકીય આબરૂને લાંછન પમાડે તેવા અર્થતંત્રના આંકડાઓને પ્રકાશીત કેવી રીતે થવા દે. ઉપરાંત પોતાને અનુકુળ આવે તેવા આંકડાઓ બહાર પાડવા અન્ય સંસ્થાઓનો ઉપયોગ કરીને બહાર પાડવા.

 સરકારે પોતાનું એવું જુઠાણું રમતું મુક્યું કે એન એસ એસ ઓ ( National Sample Survey Office)ના આંકડાકીય રિપોર્ટ હજુ તૈયાર થાય છે. ઉપરાંત તેને બહાર પાડવા માટે કેબીનેટની મંજુરીની અનીવાર્ય છે. આ સરકારનું આ બીજુ જુઠ્ઠાણું છે. ખરેખરતો તેની વીકૃત માનસીકતાની ચાડી ખાય છે. આ અગાઉ સરકારે એવું સાબીત કરવા આંકડાકીય રમત રમી હતી કે જુની મનમોહનસીંગની સરકાર કરતાં મોદી સરકારના કાર્યકાળમાં જીડીપીનો વીકાસ વધારે છે.આ સાબીત કરવા ઇન્ડેક્ષના બેઝ યરની ગણતરીમાં રમત રમવામાં આવી હતી.

સી બી આઇ, આર બી આઇ, એન એસ એસ ઓ ના કાર્યોના શોધાયેલા સત્યો સામેની દખલગીરી દેશના રાજકીય અને આર્થીક ભાવી સાથેના ઇરાદાપુર્વકના ખુબજ મોટા ચેડા છે. જે ખુબજ ગંભીર ઘટના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબજ ઉત્કટ ઇચ્છા છે કે તે પોતાની છાપ દેશપર મુકીને જાય! તેથી તેઓને પોતાની આગળના વડાપ્રધાનોએ જે કાંઇ કર્યું છે તે બધુ ભુંસી નાંખીને પોતાનો આગવો અને સ્વતંત્ર ચીલો મુકીને જવું છે. પણ આવું કરવા માટે જુની સંસ્થોને બીજી નવી સારી સંસ્થાઓ બનાવ્યા સીવાય ખલાસ કરીનાંખવી તે પધ્ધતી યોગ્ય નથી. માટે આવો અભીગમ તો દેશને સંપુર્ણ સત્યાનાશને માર્ગે દોરી જશે. તેમાં મને લેશમાત્ર શંકા નથી.( લેખનો ભાવાનુવાદ કરનાર બિપીન શ્રોફ.)

.

--

Friday, February 1, 2019

ચાલો, માનવવાદી મુલ્યો આધારીત નવો સમાજ બનાવીએ.


 

 

          ચાલો, માનવવાદી મુલ્યો આધારીત નવો સમાજ બનાવીએ.

જે સમાજમાં રૂઢીગત ધર્મોની પકડ વ્યક્તીગત નાગરીક જીવન પરથી ક્રમશ: ઘટતી જાય છે ત્યાં જે તે ધર્મોએ સમાજના ઘડતર માટે રચેલી સંસ્થોઓના વીકલ્પે નવી સામાજીક સંસ્થાઓ માનવમુલ્યોને ધ્યાનમાં રાખીને બનાવવાના પ્રયત્નો શરૂ થઇ ગયા છે. ધર્મોએ વ્યક્તીગત જીવનની ત્રણ બાબતો પર અન્ય વ્યક્તીગત બાબતોની સરખામણીમાં વધારે પ્રભુત્વ મેળવેલું છે. જન્મ પછી નામકરણની વીધી, લગ્નઅને મૃત્ય્ પછી ની ધાર્મીક વીધીઓ. દરેક ધર્મે તેના પ્રતીનીધીઓ જેવા કે પાદરી, મૌલવી, કાજી, ગોર મહારાજ વગેરે દ્રારા આ બધી વીધીઓને આધારે નાગરીકના વ્યક્તીગત જીવન પર કાબુ મેળવ્યો હતો. આ બધા  વ્યક્તી કે કુટુંબના જુદા જુદા પ્રસંગોએ ઇશ્વરના પ્રતીનીધીઓ તરીકે જુદી જુદી ધાર્મીક વીધો કરાવે છે.

હવે,  પશ્ચીમી જગતમાં આ રેશનાલીસ્ટ, માનવવાદીઓ, નીરઇશ્વરવાદીઓ, સેક્યુલારીસ્ટો ને સંશયવાદો જેવાઓએ જે  ઇશ્વરના અસ્તીત્વથી માંડીને ધર્મોના ઉપદેશોને તેના માળખા સહીત પડકારે છે તે બધા માટે ઉપર જણાવેલા પ્રસંગોએ શું કરવું એ મુઝવતો પ્રશ્ન હતો. કારણકે આખરે માનવી તો સમુહમાં જીવનારૂ પ્રાણી છે. તેથી આ દેશોની જુદી જુદી માનવવાદી સંસ્થઓએ નવા જન્મેલા બાળકની નામકરણની વીધીથી માંડીને લગ્ન,અને મૃત્યુ પ્રસંગે ધાર્મીક વીધીવીધાનો અને તેના પરોપજીવી પ્રતીનીધીઓના વીકલ્પે શું થઇ શકે તે વીચારીને મોટા પાયે અમલમાં મુકવા માંડયું છે. સ્કોટલેંડ,આર્યલેંડ, ઇગ્લેંડ, કેનેડા,અમેરીકા, ન્યુઝીલેંડ, ઓસ્ટ્રેલીયા અને નોર્વે જેવા દેશોમાં જુની ધાર્મીક વીધી–વીધાનોની પરંપરાઓ સામે નવા માનવવાદી રીતરીવાજો મોટા પાયે શરૂ થઇ ગયા છે. જેને કાયદાએ પણ માન્યતા આપવા માંડી છે.

 માનવવાદી લગ્નપ્રથા (હ્યુમેનીસ્ટ વેડીંગ)––

માનવવાદી લગ્ન પ્રથા સંપુર્ણ વ્યક્તી કેન્દ્રી અને અંગત હોય છે. તે માનવ કેન્દ્રીત હોય છે ઇશ્વર કે ધર્મ કેન્દ્રીત બીલકુલ નહી જ. આ બધા જ દેશોમાં તે ધીમે ધીમે ખુબજ પ્રચલીત બનતી જાય છે. આવા લગ્નોની સંખ્યા પ્રતીવર્ષે સતત વધતી જાય છે. જે લોકો ધાર્મીક કે ઇશ્વરવાદી નથી પણ તે બધાને  લોકમાન્ય વૈવાહીક (મેરીટલ–રીલેશન) સંબંધોમાં પ્રવેશવું છે. તેમના માટે જે તે દેશોની માનવવાદી સંસ્થાઓએ આવી નામકરણ, લગ્ન અને મૃત્યુ સમયની માનવ મુલ્યો આધારીત પ્રથાઓ વીકસાવી છે. જે સંપુર્ણ નૈતીક અને સામાજીક હોય છે.

ઇશ્વર પ્રેરીત નૈતીક મુલ્યોને બદલે માનવ અનુભવને આધારે જે હકારાત્મક નૈતીક મુલ્યો છે તેની મદદથી આ માનવવાદી સંસ્થઓએ લોકમાન્ય માનવવાદી વૈવાહીક વીધોઓ વીકસાવી છે. આ બધા આવી લગ્નગ્રંથી જોડાનારા કે લગ્ન કરનારા જન્મ પહેલાંના કે મૃત્યુ પછીના જીવનમાં વીશ્વાસ ધરાવતા નથી. તેઓ આ જીવનમાંજ બંનેના સંયુક્ત પ્રયત્નોથી સુખી અને સંપુર્ણ જીવન જીવવા પ્રયત્નશીલ છે.( તેમના મુલ્યો લાઇફ,લીબર્ટી એન્ડપર્સ્યુટ ઓફ હેપીનેસ છે.) અને બીજાઓ માટે પણ તેવું સરળ, સુખી ને સમૃધ્ધ જીવન સહેલાઇથી જીવી શકાય તેવું ઉદાહરણ પુરુ પાડવા માંગે છે.

માનવવાદી લગ્નમાં શુ થાય છે? તે અંગે સ્પષ્ટ કરતાં ધી બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસોસીયેશને જણાવ્યું છે કે તે લગ્નપ્રથા ખુબજ પ્રતીષ્ઠીત, ગૌરવવંતી અને સ્વાભીમાની છે. તે બે વ્યક્તીઓની અંગત છે. પણ તેમાં એકબીજા પ્રત્યેની કાળજી, માવજત, સંભાળ, વૈચારીક અને વાસ્તવીક રીતે અભીપ્રેત અને અંતર્ગત હોય છે. આવા લગ્નો કરવા બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસોસીયેશને વ્યવહારમાં અમલમાં મુકાય તેવી માર્ગદર્શીકા બહાર પાડી છે. જેના દ્રારા માનવવાદી લગ્ન કરનારાઓને પોતે તેમાં વૈધાનીક રીતે શું શું મુકી શકાય તે બધુ જણાવવામાં આવ્યું છે. અથવા તો આ સંસ્થાએ તે અંગેના નીપુણ અધીકૃત પોતાના માણસો( માનવવાદી ગોર મહારાજો!) તૈયાર કર્યા છે. જે નીયત કરેલ ફી લઇને આવું લગ્ન કરાવી શકે છે.માનવવાદી લગ્ન સલામત અને ગૌરવશાળી હોવાથી પોતાના ડ્રોંઇગરૂમમાંથી માંડીને પર્વતની ટોચ પર જઇને પણ થઇ શકે છે. તેમાં સરકાર માન્ય લગ્ન અધીકારી કે કાયદાકીય માન્ય નાગરીક લગ્નવીધીની(સીવીલ સેરીમનીઝ) જરૂર પડતી નથી.ઇગ્લેંડ અને વેલ્સમાં માનવવાદી લગ્નને કાયદાકીય સ્વરૂપ ગણવામાં આવ્યું નથી.તેથી માનવવાદી લગ્ન કર્યા પછી પણ કાયદાથી નીયુક્ત થયેલ લગ્ન અધીકારીની ઓફીસમાં કે આવા લગ્ન સ્થળે તેઓને લગ્નની નોંધણી માટે હાજર રાખવા અનીવાર્ય છે. સ્કોટલેંડની હ્યુમેનીસ્ટ સોસાયટીએ સરકાર માન્ય અધીકૃત કાયદેસરના માનવવાદી લગ્નો કરાવી શકે તેવા પોતાના પ્રતીનીધીઓ તૈયાર કર્યા છે.

આ ઉપરાંત સ્કોટલેંડ સહીત અમેરીકા,કેનેડા,નોર્વે,ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેંડ જેવા દેશોમાં હ્યુમેનીસ્ટ મેરેજ સેરીમનીઝને સંપુર્ણ કાયદાકીય સ્ટેટસ મળેલું છે.યુરોપમાંથી માનવવાદી વીધી પ્રમાણે કાયદેસરના લગ્નો કરવા માટે લોકો સ્કોટલેંડમાં આવેછે.સ્કોટલેંડમાં ગઇ સાલ આવા માનવવાદી લગ્ન સમારંભોમાં આશરે દસ લાખ લોકોએ મહેમાનગતી માણેલી હતી. આવા વીધીસર લગ્નો કરાવનારા નીષ્ણાતોની સંપુર્ણ માહીતી આ વેબ સાઇટ પર મળે. www.humanismscotland.org.uk.

માનવવાદી લગ્નપ્રથા સંપુર્ણ ધર્મનીરપેક્ષ કે નીઇશ્વરવાદી છે. તેમાં ક્યાંય ઇશ્વર, બાયબલ અથવા કોઇ ધાર્મીક શ્લોકો બોલવામાં આવતા નથી. આ લગ્નપ્રથામાં એવું સહેજ પણ ફરજીયાત નથીકે લગ્ન ઇચ્છુકોએ વીધી માનવવાદી સંસ્થાના પ્રતીનીધી મારફતે જ કરાવવી. તેઓ પોતે શું પ્રસંગને અનુરૂપ શું બોલવું, ગાવું, ડાન્સ કરવો વગેરે પોતે નક્કી કરી શકે છે. અને તે કામ પોતાના મીત્ર કે શુભેચ્છક દ્રારા પણ કરાવી શકે છે.આ લોકો પોતાના વીચારો પ્રમાણે બધુ લખી તૈયાર કરીને પણ રજુ કરી શકે છે. લગ્નામાં કયા કપડાં પહેરવાથી માંડીને, કોને આમંત્રણ આપવું, હોલ વી. કેવો શણગારવો કે નહી તે બધું બીલકુલ અંગત હોય છે.  આબધાની પાછળનો હેતુ તેઓનો પ્રેમ અને એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રતીબધ્ધતા સમાજમાં જાહેરાત કરવા સીવાય બીજો કોઇ હોતો નથી. The most important thing to remember is that the ceremony is about a public declaration of your love and commitment to each other.

        તાજેતરમાં એક માનવવાદી મુલ્યોમાં વીશ્વાસ ધરાવતાબ્રીટીશ નાગરીકો, બે પ્રેમીઓ સ્ટીફન મેલોઝ અને લીંડસે વીલસનને અનોખી પધ્ધતીથી હ્યુમેનીસ્ટ મેરેજ કર્યા.

લગ્નની દરખાસ્તમાટે તેઓ બંને લંડન શહેરના એક નાટક હોલમાં નાટક જોવા જાય છે. પરંતુ નાટક જોવામાં તે બંને એવા રસતરબોર થઇ ગયા હતા કે  લીંડસેનો પ્રેમી સ્ટે પોતાના કોટના ખીસ્સામાંથી વેડીંગ રીંગ કાઢીને આપવાનું જ ભુલી ગયો. બીજે દીવસે તે પોતાના નક્કી કરેલા વાઇન બારની નજીક આવેલા બગીચાના બાંકડા પર બેસીને વેડીંગ રીંગની આપ લે કરે છે.

 સૌ પ્રથમ કાયદા મુજબ તેઓએ પોતાના લગ્નને લગ્નનોંધણી કચેરીમાં રજીસ્ટર્ડ કરાવ્યું. ત્યારબાદ પોતાના મીત્રો દ્રારા નક્કી કરેલ નાટકની સ્કીપ્ટ પ્રમાણે નાટક ભજવતા ભજવતા માનવવાદી લગ્નપ્રથાથી જોડાયા. ' સૌ પ્રથમ અમે બંનેએ જે નગમતું હતું તેને અમારી યાદીમાંથી કાઢી નાંખ્યું.અને જે ગમતુ હતું તે બધાને અમારી યાદીમાં સમાવી લીધું.' ડીસ્કો અને ડીજે ને બદલે અમને ગમતું સંગીત વગાડયું. લગ્નવીધી સમયનો પ્રચલીત નાસ્તો, કેક કાપવી અને નવપરણીત જોડીને શુભેચ્છા અને આશીર્વાદ આપતી જાહેરઅભીવ્યક્તી અમારા લીસ્ટમાંથી પ્રથમ કેન્સલ કરી દીધી. આજના સમયે અમને સૌથી આનંદ આપે તે પ્રમાણે  અમે અમારો 'ગ્રાન્ડ ફીનેલો' આયોજીત કર્યો. તેનો સંપુર્ણ યશ અમારી અવીધીસરની તૈયાર કરવામાં આવેલી નાટક મંડળીને ( Cailidh) જાય છે.વાગદ્ત્તા લીંડસે પોતાના પ્રેમી લાડલા નામ 'સ્ટી'ને બતાવે છે કે આમંત્રીત યુગલો એકબીજાને ધીમેથી પોતાની કોણી 'ટચ' કરીને કહે છે જુઓ આ બંને કેવીરીતે નાટકની અંદર લગ્નની દરખાસ્ત કરે છે. સૌ પ્રથમ આમંત્રીત મહેમનાનો જાણે ખરેખર નાટકગૃહમાં આવ્યા હોય તે રીતે સ્ટેજ ઉપરથી નાટક મંડળી સાથે સ્ટીફને ગીટાર શરૂ કરી જ્યારે લીંડસે ગીટારના રણકે ગાવાનું શરૂ કર્યું. મહેમાનોને સમગ્ર કાર્યક્રમની વીગત જણાવતી બંનેના ફોટા સાથેની આમંત્રણ પત્રીકા એડવાન્સમાં આપવામાં આવી હતી જેમાં નાટક રજુકરનાર મંડળીનો આભાર પણ આગોતરો માણેલો હતો. અમે લોકોએ એક પેની પણ ફુલો અને રૂઢીચુસ્ત સજાવટ પાછળ ખર્ચો નહતો. હ્યુમેનીસ્ટ મેરેજ કર્યા પછી દંપતી હનીમુન માટે 'ડીઝની લેંડ' ફ્લોરીડા યુએસએ જાય છે.

 

 

 

 

 

--