Friday, August 18, 2017

ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું?

કલકત્તાની " Break through science society" તરફથી એકપુસ્તક નામે ' Science in ancient India; Reality versus myth' બહાર પાડેલું હતું. તેનો ગુજરાતી અનુવાદ, ભાઇ કેયુર કોટકે કર્યો છે. તેનું પુસ્તક રૂપે પ્રકાશન અમદાવાદ સાર્થક પ્રકાશને કર્યુ છે.(બુક વીક્રેતા ૧૬ સીટી સેન્ટર સ્વસ્તીક ચાર રસ્તાપાસે, સી.જી. રોડ નવરંગપુરા અમદાવાદ,૯) 'પ્રાચીન ભારતમાં વીજ્ઞાન– દંતકથા અને સત્યકથા ' નામથી કરવામાં આવેલો છે. અત્રે રજુ કરવામાં આવલી વીગત તેના પ્રકરણ–૫– ૬  અને ૭ માંથી સાભાર સાથે રજુ કરવામાં આવેલ છે.

પ્રકરણ 5

ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન

ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને કળાનો ભવ્યસમૃદ્ધ વારસો ધરાવતી હોવા છતાં નવમી અને દસમી સદી પછી તેનું ક્રમશઃ અધઃપતન થયુંભાસ્કર વિજ્ઞાન-ટૅક્નૉલૉજીમાં છેલ્લો ટમટમતો તારો હતા તેવું કહી શકાયભાસ્કર પછી લગભગ 800 વર્ષ સુધી વિજ્ઞાન અને કળાના ક્ષેત્રમાં ભારતે લગભગ નહિવત્ પ્રદાન કર્યું હતું (અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ બેત્રણ અપવાદને બાદ કરતા).

અહીં પ્રશ્ન એ છે કે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું? 19મી સદીના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ હિંદુ કેમિસ્ટ્રી'માં તેનાં કારણોની સમીક્ષા કરી છેતેમના જણાવ્યા મુજબભારતમાં વિજ્ઞાનટૅક્નૉલૉજીના અધઃપતન માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હતાં.

પ્રથમ કારણ ભારતીય સમાજમાં પ્રવર્તમાન જ્ઞાતિ વ્યવસ્થા હતીતેમના જણાવ્યા મુજબવિજ્ઞાનના સંવર્ધન માટે ચિંતકો-વિચારકો અને તેમના વિચારોનો વાસ્તવમાં અમલ કરનારા (સામાન્યલોકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થવું જોઈએતે આવશ્યક પૂર્વશરત છેપણ જ્ઞાતિ વ્યવસ્થાથી આ પ્રક્રિયા અટકી ગઈ હતીપ્રફુલ્લચંદ્ર રે તેમના પુસ્તકમાં લખે છે કે, 'ભારતમાં જ્ઞાતિપ્રથાને કારણે કળા નીચલી જ્ઞાતિ પૂરતી મર્યાદિત થઈ ગઈ અને વ્યવસાય વારસાગત થઈ ગયાતેના પગલે વિવિધ પ્રકારની કળા માટે કુશળતાશ્રેષ્ઠતા અને કૌશલ્ય અમુક હદે સિદ્ધ થઈ શક્યાંપણ તેની મોટી કિંમત ચૂકવવી પડીભારતીયોમાંથી બૌદ્ધિક વર્ગ ધીમે ધીમે કળા પ્રત્યે ઉદાસીન થઈ ગયોવિજ્ઞાન-ટૅક્નૉલૉજીના વિકાસ માટે પ્રજામાં કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએકોઈ ઘટના શા માટે અને કેવી રીતે બની તેની જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએપણ જ્ઞાતિપ્રથાના કારણે ભારતીયોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતાની ભાવના ધીમે ધીમે નાશ પામીતેનું સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે એક સમયે વિજ્ઞાનટૅક્નૉલૉજીનું સ્વર્ગ ગણાતા ભારતમાંથી પ્રાયોગિક અને અનુમાનજન્ય વિજ્ઞાનની કળા લુપ્ત થઈભારતની ભૂમિ બોઇલન્યૂટન જેવા વિજ્ઞાનીઓને જન્મ આપવા માટે યોગ્ય ન રહી અને વિજ્ઞાનજગતમાંથી ભારતનો એકડો નીકળી ગયો.'

વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના પતન માટે બીજું મુખ્ય કારણ 'શાસ્ત્રો' કે વિવિધ સંહિતાઓનું આગમન હતુંપવિત્ર ગણાતાં આ ગ્રંથોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છેપ્રફુલ્લચંદ્ર રેએ લખ્યું છે, 'પ્રથમ મનુસ્મૃતિમાં અને પછી પુરાણોમાં પૂજારીપુરોહિતબ્રાહ્મણ વર્ગનાં ગુણગાન ગાવામાં આવ્યાંમિથ્યા અને બનાવટી દાવાઓને સુયોજિત રીતે આગળ વધારવામાં આવ્યાસુશ્રુતના જણાવ્યા મુજબશસ્ત્રક્રિયા (સર્જરી)ના વિદ્યાર્થી માટે મૃતદેહોનું અંગવિચ્છેદન અનિવાર્ય હતુંશસ્ત્રક્રિયામાં કુશળતા પ્રયોગ અને વિશ્લેષણમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી અને સમજણમાંથી મળે છેપણ મનુને તેની સાથે કોઈ સંબંધ નહોતોમનુના જણાવ્યા મુજબમૃતદેહનો સ્પર્શ પવિત્ર બ્રાહ્મણને દૂષિત કરવા માટે પૂરતો હતોએટલે વાગભટના સમય પછી શસ્ત્રક્રિયાની વિદ્યાને પ્રોત્સાહન મળ્યું નહીંધીમે ધીમે શરીરશાસ્ત્ર (એનટોમીઅને શસ્ત્રક્રિયા હિંદુઓ માટે અપવિત્ર બની ગઈ.'

પ્રફુલ્લચંદ્ર રે ભારતમાંથી વિજ્ઞાનના પતન માટે વેદાંત ફિલસૂફીના પ્રભાવને ત્રીજું મહત્ત્વપૂર્ણ કારણ ગણાવે છેતેજગતને-ભૌતિક વિશ્વને માયા કે ભ્રમ તરીકે જોવાનું શીખવે છેતેમણે પુસ્તકમાં લખ્યું કે 'શંકર દ્વારા સંશોધિત અને વિસ્તૃત વેદાંત ફિલસૂફી ભૌતિક જગતને અવાસ્તવિકમાયા કે ભ્રમ ગણવાનું શીખવે છેઆ ફિલસૂફીએ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસથી લોકોને વિમુખ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છેશંકરે કણાદ અને તેમની પ્રણાલી પર પણ આકરા પ્રહારો કર્યા છેવેદાંત સૂત્રો પર શંકરની ટીકામાંથી એક કે બે ઉદાહરણ આ બાબત વધારે સ્પષ્ટ કરશે.' આચાર્ય રેના જણાવ્યા મુજબ કોઈ પણ વૈજ્ઞાનિકની જિજ્ઞાસા ભૌતિક જગતતેની પ્રક્રિયાઓ અને ઘટનાઓના કાર્ય-કારણ સંબંધ સાથે સંકળાયેલી હોય છેજો કોઈ વ્યક્તિ (ભૌતિકજગતને મિથ્યા તરીકે જુએતો તે વિજ્ઞાનની સમજણથી વંચિત રહી જશેશંકરાચાર્ય (. 8મી સદીદ્વારા વેદાંત ફિલસૂફીના પ્રસાર અને પ્રભાવને કારણે લોકાયત જેવી ભૌતિકવાદી વિચારસરણીઓ લુપ્ત થઈ ગઈ હતી અને સરવાળે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન થયું હતું.