Sunday, July 29, 2018

માણસ કુદરતનો એક ભાગ છે. જો કુદરત નીયમબધ્ધ હોય તો પછી માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય? ભાગ–૨

માણસ કુદરતનો એક ભાગ છે. જો કુદરત નીયમબધ્ધ હોય તો પછી માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય?  ભાગ–૨

હવે આપણે જોઇએ કે માનવી કુદરતનો એક ભાગ જ હોવાથી અને ઇશ્વરી સર્જન નહી હોવાથી તે કઇરીતે નીયમબધ્ધ છે. પ્રથમતો ઉપરની ચર્ચામાં સમજી લીધું કે કુદરત એક ભૌતીક પરીબળ છે દૈવી પરીબળ નથી. હવે જો માનવ અને દરેક સજીવ પણ કુદરતના ભાગ જ હોય તો તે બધા જ ભૌતીક પદાર્થના બનેલા છે. તે બધાના સર્જનમાં પણ ભૌતીકતા જ જવાબદાર છે. તેથી કુદરતી ભૌતીક નીયમો તેને પણ બંધનકર્તા જ હોય. તે બધાના સર્જનમાં કશું જ દૈવી હોઇ શકે નહી.

 આ માટે પૃથ્વીના સર્જનકાળના સમયનો અભ્યાસ કરતાં સાબીત થયું કે પૃથ્વીપર સૌ પ્રથમ એક કોષી સજીવ બે નીર્જીવ પદાર્થોના સંયોજનથી અસ્તીત્વમાં આવેલો હતો. એમોનીયા અને મીથેલ સાથે પાણીનું સંમીશ્રણ થતાં અમીબા જેવા સ્વપ્રજનન થઇ શકે તેવા સજીવનું સર્જન થયું હતું. પણ તે સમયે હવામાં ઓકસીજનનું અસ્તીત્વ ન હતું. આજે ઘણા મોટા પ્રમાણમાં ઓકસીજનનું પ્રમાણ છે. તેનાથી જ પૃથ્વીની સપાટીથી ૨૦ માઇલ ઉંચે સુધી ઓઝોનનું પડ બન્યું છે. આ ઓઝોનનું પડ સુર્યના વીઘાતક એવા અલ્ટ્રાવાયોલેટ વીકીરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. તે સમયે પૃથ્વી પર ઓઝોનના પડની ગેરહાજરીને કારણે  સુર્યના અલ્ટ્રાવાયોલેટ વીકરણો સીધા જ પોતાની પુરી શક્તીથી પડતાં હતા. આ ઉપરાંત તે સમયે પૃથ્વીનું ઉષ્ણતામાન અત્યંત ગરમ હતું. દરીયાના પાણીનું તાપમાન પણ ઘણું ગરમ હતું. વૈજ્ઞાનીકો જણાવે છે કે  આ ત્રણેય કારણોને લીધે નીર્જીવમાંથી સજીવ અમુક પ્રકારના જટીલ કાર્બન અણુઓ પેદા થયા, જેમને આપણે જીવનના પુરોગામી તત્વો તરીકે ગણી શકીએ.

       નીર્જીવ પદાર્થમાંથી સજીવ સૃષ્ટીના સર્જનને સહાયરૂપ સ્થીતીઓનું અસ્ત્તીત્વ પેલા ઓઝોનના પડને કારણે  ક્યારનુંય નાશ પામ્યું હતુ. વનસ્પતી– સૃષ્ટીના અનેક સ્વરૂપોને કારણે ક્લોરોફીલના વધારાએ વાતાવરણમાં સતત પ્રાણવાયુનું પ્રમાણ વધતું ગયુ. આપણને સૌને માહીતી છે કે વનસ્પતીમાં રહેલું લીલું ક્લોરોફીલ પોતાનામાં રહેલા પાણીમાંથી પ્રાણવાયુને છુટો પાડવા સુર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. આ રીતે છુટો પડેલો પ્રાણવાયુ પૃથ્વીના વાતાવરણમાં સંઘરાતો ગયો.અને પૃથ્વીની પર ઓઝોનનું પડ રચવામાં ઘણી કીંમતી મદદ કરી. તેને કારણે જૈવીક ઉત્ક્રાંતી શક્ય બની. પોતાના શ્વાસમાં પ્રાણવાયુ લેતાં પ્રાણીઓ તેમાંથી પેદા થયા અને વીકાસ પામ્યા. સાથે સાથે નીર્જીવમાંથી સજીવ કરવાની જે સ્થીતીઓ હતી તેનો કાયમ માટેનો અંત આવી ગયો. હવે નીર્જીવમાંથી સજીવ પેદા કરવાની સ્થીતી જૈવીક અને રાસાયણીક વૈજ્ઞાનીકો પ્રયોગશાળામાં બનાવે છે. આપણા માટે સજીવમાંથી જ સજીવ બને તેવી સ્થીતીનું નીર્માણ થઇ ગયું છે. હા ,સીવાય કે ૨૧મી સદીમાં માનવે પેદા કરેલા અતીસમૃધ્ધીના સંસાધનોથી પેલા ઓઝોનના પડને તોડી નાંખે, તેવા વાયુનો જથ્થો ખુબજ મોટા પ્રમાણમાં પૃથ્વીના વાતાવરણમાં મોકલે. જેની શક્યતાઓ મોટે પાયે ઉભી થઇ જ રહી છે.

 હવે આપણને ૧૯મી સદીમાં થઇ ગયેલા મહાન જીવવીજ્ઞાની ચાર્લ્સ ડાર્વીને સને ૧૮૫૯માં પ્રકાશીત થયેલા તેના વીશ્વ વીખ્યાત પુસ્તક ' ઓરીજીન ઓફ સ્પીશીઝ' મા વીગતે સમજાવ્યું છે કે પૃથ્વી પરના માનવ સહીત દરેક સજીવો કેવી રીતે ઉત્ક્રાંત થયા. દરેક સજીવની વીવીધ જાતીઓ, પ્રજાતીઓ અને ઉપ–ઉપ જાતીઓમાં કેવી રીતે ફેરફારો સાથે, તે બધાનો જૈવીક વીકાસ થયો. ડાર્વીને સાબીત કરી દીધું કે પૃથ્વી પરના દરેક સજીવોની ઉત્ક્રાંતીમાં એક કુદરતી પસંદગીનો સીધ્ધાંત ( Principle of Natural selection)  અને બીજો સીધ્ધાંત, જીવન ટકાવી રાખવાની અદમ્ય જીજીવીષાએ ( Struggle for existence or urge to exist & survival of the fittest) આ બધા ફેરફાર સજીવોમાં પેદા કર્યા છે. સજીવોની આ બધીજ ઉત્ક્રાંતી ફક્ત ને ફક્ત ભૌતીક હતી. તેમાં કશું જ દૈવી, ઇશ્વરી કે આધીભૌતીક ન હતું. ડાર્વીનનું વધારાનું તારણ  હતું કે જે સજીવો પોતાના કુદરતી વાતવરણ સામે ટકી રહેવામાં,કે અનુકુલન સાધવામાં સફળ થયા તે જ ટકી રહ્યા. બાકીની હજારો લાખો જાતીઓ જે કુદરતી વાતવરણ સાથે અનુકુલન સાધવામાં નીષ્ફળ ગઇ તે બધીજ જાતીઓ નાશ પામી.

       ડાર્વીનને આ પુસ્તક સને ૧૮૪૯માં સંપુર્ણ તૈયાર કરી દીધુ હતું. પરંતુ ખ્રીસ્તી ધર્મની રૂઢીચુસ્તાના ઠેકેદારોની હવે પછી આ પુસ્તકનું સત્યશોધન ભવીષ્યમાં કેવી પરીસ્થીતી પેદા કરશે તેના ભયે પુસ્તકને પ્રજા સમક્ષ મુકતાં તેને બીજા દસ વર્ષો લાગ્યા હતા.કારણકે તેના જૈવીક સંશોધનોએ પૃથ્વી અને તેના તમામ સજીવોના સર્જનમાં ઇશ્વરની સંપુર્ણ બાદબાકી કરી નાંખી હતી.

ત્યારબાદ ડાર્વીનના સમકાલીન જીવવૈજ્ઞાનીક ગ્રેગામેન્ડેલે પોતાના સંશોધનથી દરેક સજીવનાં આનુવંશીક લક્ષણો, વારસાગત લક્ષણો જે દરેક જુની પેઢી નવી પેઢીમાં કેવીરીતે હસ્તાંતર કરે છે તે શોધી કાઢયું. ( જનીનતત્વો.)સને ૧૯૪૦માં થયેલી ડી એન એ શોધે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદની ખુટતી કડીઓ પુરી પાડી દીધી. માણસના ગર્ભ અને અન્ય સસ્તન પ્રાણીઓના ગર્ભ વચ્ચેની નીકટતા ડાર્વીને શોધી કાઢી. ગર્ભાઅવસ્થામાં મનુષ્યની ખોપરી, તેના વીવીધ અંગ–ઉપાંગો અને તેનો આખો ઢાંચો અન્ય સસ્તન પ્રાણીઓની ગર્ભાવસ્થાના અંગો કરતાં જુદો હોતો નથી. આ ઉપરાંત માનવી ઘણીબધી બાજુએથી તે સસ્તન પ્રાણી જેવો જ હોય છે. આમ મનુષ્ય સમાન પુરોગામીમાંથી ઉદ્ભવેલા અન્ય સસ્તન પ્રાણીઓનો સહોદર છે.વનસ્પતીમાં જોવા મળતા લીલા રંગના ક્લોરોફીલ અને મનુષ્યના લોહીમાં રહેલ લાલ હીમોગ્લોબીન વચ્ચે આશ્ચર્યકારક સામ્યતા જોવા મળે છે. જીવવીજ્ઞાન મુજબ તે બંને 'પીત્રાઇ' ભાઇઓ છે.

હવે માનવી કઇ રીતે તેના વીશાળ અને હજારો વર્ષોના સજીવોના જૈવીક વારસામાંથી અસ્તીત્વ ટકાવી રાખવા વીકસેલી જુદી જુદી ઇન્દ્રીયોની મદદથી ( આંખ નાક, કાન જીભ અને ચામડી અથવા ઇન્દ્રીયજન્ય અનુભવ)તર્કવીવેક શક્તીનો(રેશનાલીઝમ)ઉપયોગ કરીને પોતાના દુન્યવી કે ભૌતીક સત્યો શોધીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવામાં અને વીકસાવવામાં સફળ રહ્યો .તે વીષે થોડું જોઇએ.

 બીજા અન્ય સજીવોની સરખામણીમાં માનવીની ભાષાની શોધે અને તેને જ્ઞાનની વૃધ્ધીએ તે કુદરતી વાતાવરણ પ્રમાણે જીવવાને બદલે પોતાને અનુકુળ હોય તે પ્રમાણે વાતાવરણ બનાવતો ગયો. ડાર્વીનના જીવશાસ્રીય વારસામાંથી તે મુક્ત બની ગયો. હવે તેને તેનો સામાજીક અને સાંસ્કૃતીક વારસો તેના જીવનને અસર કરે છે. ડાર્વીનના જૈવીક લક્ષણોને બદલે રીચાર્ડ ડોકીન્સના સામાજીક 'સેલ્ફીશ જીન્સ' તેના મા બાપોની પરંપરાઓમાંથી ચાલુ આવતા ધાર્મીક અને અન્ય લક્ષણો તેનું વર્તમાન વર્તન નક્કી કરે છે. માનવી કુદરતી પરીબળોના સંચાલનની નીયમબધ્ધતા સમજીને સ્વતંત્ર બન્યો છે. પણ તેને સામાજીક અને સાંસ્કૃતીક પરીબળોની માનવ મુલ્યો વીરોધી પરંપરાઓમાંથી મુક્તી મેળવવાની બાકી છે. હવેના માનવીનો સંઘર્ષ જૈવીક નથી પણ સામાજીક છે. પોતાની માનવીય સંભવીત શક્તીઓના વીકાસની આડે આવતા સામાજીક સંઘર્ષના પરીબળોમાંથી મુક્તી મેળવવામાં માનવીને પેલા જૈવીક સંઘર્ષમાંથી બહાર નીકળતા જે હજારો કે બલ્કે લાખો વરસ કાઢવા પડયા તેટલો સમય તો તેને નહીં જ લાગે. કારણકે " The man is not rational animal but he has enough potenalities to become the rational being."



--

Saturday, July 28, 2018

કુદરત નીયમબધ્ધ છે. ભાગ–૧.

કુદરત નીયમબધ્ધ છે. ભાગ–૧.

માણસ કુદરતનો એક ભાગ છે. તો તે માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય?

કુદરત એટલે શું? (What is the nature?) Nature, in the broadest sense, is the natural, physical, or material world or universe. "Nature" can refer to the phenomena of the physical world, and also to life in general.

(૧) કુદરતને આપણે પ્રકૃતીના નામથી પણ ઓળખીએ છીએ. કુદરત એટલે ભૌતીક જગત, બ્રહ્માંડ જે વાસ્તવીક છે. તે માયા નથી.(  It is not an illusion.) કુદરત કે પ્રકૃતીને આપણે ઘણા નામોથી ઓળખીએ છીએ જેવાકે, ધરતી, કુદરતી વાતવરણ, બધાજ અવકાશી પદાર્થો, બ્રહ્માંડ, કુદરતી પરીબળો જેવાકે પવન,વરસાદ, પ્રકાશ,અગ્ની, ધરતીકંપ વગેરે. આ ઉપરાંત દરેક સજીવ.

 (૨) હવે કુદરત નીયમબધ્ધ છે તેનો અર્થ છે તે નીયમશાસીત છે. (The universe is law governed.) દરેક કુદરતી પરીબળો તેના નીયમો પ્રમાણે ચાલે છે. તે એક સુવ્યવસ્થીત પ્રક્રીયા છે. તેનું કોઇ બાહ્ય પરીબળોથી (દા.ત ઇશ્વર કે તેના જેવા બીજા અલૌકીક પરીબળો)થી સંચાલન ભુતકાળ, વર્તમાન કે ભવીષ્યમા કયારેય થતું નથી. કુદરતી નીયમોને કાળામાથાનો દરેક માનવી સમજી શકે છે. જો તેની ઇચ્છા હોય તો! દરેક કુદરતી ઘટના બને તેની પાછળ તેનું કારણ હોય છે. કારણ વીના કશું ,(શુન્યમાંથી કશું) બની શકે નહી.  કુદરત નીયમ શાસીત છે એટલે શું? દા;ત. દરરોજ સવારે સુર્ય ઉગે છે અને સાજે આથમે છે. પાણી ઉપરથી નીચે તરફ વહે છે. દરેક અવકાશી પદાર્થોને પોતાના ગુરૂત્વાકર્ષણનું બળ હોય છે. જે તે પદાર્થોને અવકાશમાં પોતાના સ્થાન પર ટકાવી રાખે છે. પાણી ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડેના ઉષ્ણતામાને ઉકળવા માંડે છે વગેરે. સુર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય સંપુર્ણરીતે એક જ સીધી લીટીમાં આવે તો જ ગ્રહણ થાય  નહી તો ના થાય. તે એક ખગોંળીય ઘટના છે. તેને માનવીય વર્તણુક સાથે કોઇ સંબંધ નથી.

(૩)  આ તત્વજ્ઞાન કે વીચારસરણીને અંગ્રેજીમાં મોનેસ્ટીક નેચરાલીઝમ તરીકે ઓળખવામાં આવે છે.ગુજરાતીમાં તેને આપણે ભૌતીકવાદી એકાત્મવાદ અથવા પ્રકૃતીવાદી એકાત્મવાદ તરીકે ઓળખાવી શકીએ. તેનો સાદો અર્થ એ થાય છે કે સમગ્ર બ્રહ્માંડ કે જેને આપણે કુદરત તરીકે ઓળખીએ છીએ તે બધું એક જ ભૌતીક પદાર્થનું બનેલું છે. તેમાં કશું અભૌતીક, આધ્યાત્મીક, અશરીરી, આત્મા કે પરમાત્મા, ઇશ્વરી કે દૈવી જેવા કોઇ પરીબળ અસ્તીત્વ ધરાવતું નથી. માનવ સહીત કોઇપણ કુદરતી પરીબળને આવા અભૌતીક કે ઇશ્વરી પરીબળો અસર કરી શકે છે  તે માત્ર ને માત્ર અસત્ય છે.સંપુર્ણ જુઠ્ઠાણું છે. તેમાં અંધશ્રધ્ધા સીવાય બીજુ કશું હોતું નથી. તેમાં પુરેપુરી અવૈજ્ઞાનીકતા અને ઇરેશનાલીટી જ સમાયેલી છે.

આમ ભૌતીકવાદી એકાત્મવાદ, પદાર્થ (મેટર) અને આત્મા જેવા ચેતનના દ્વંદને મુળભુત પાયામાંથી જ સ્વીકારતો નથી. પૃથ્વી સહીત દરેક સજીવનું સર્જન ફક્ત અને ફક્ત ભૌતીક છે. તમામ કુદરતી પરીબળોના અસ્તીત્વને આપણે અનુભવી શકીએ છીએ. અનુભવજન્ય છે. હકીકત છે. કદાચ કોઇપણ ઘટનાને વર્તમાન સમયમાં ન સમજાવી શકાય તેનો અર્થ એ નથી કે તેમાં કશું દૈવી કે અકુદરતી છે. પણ તેનું કારણ શોધવા માટેની શોધ થઇ શકે તેમ છે. દરેક કુદરતી બનતી ઘટનાનું કારણ શોધતો શોધતો માનવી શીકાર યુગમાંથી તો ઇન્ટરનેટ અને ર્ટીફીસીઅલ ઇન્ટેલીજન્ટની શોધ કરીને ૨૧મી સદી સુધી આવી શક્યો છે. માનવીએ  કુદરતી પરીબળોના નીયમો જ્ઞાન ,વીજ્ઞાનની મદદથી સમજીને તે બધાની પુજા, અર્ચના કરીને નહી તેનો માનવી તરીકે જીવવા માટેનો સંઘર્ષ સરળ બનાવ્યો છે. જે જે માનવ સંસ્કૃતીઓએ કુદરતી પરીબળોને સંચાલન કરતા નીયમોને પોતાની વીવેકશક્તી આધારીત સમજવાને બદલે તેને આજદીન સુધી ભજવાનું ચાલુ રાખ્યું છે  તે બધીજ માનવ સંસ્કૃતીઓ માનવ જીજીવીષાના સંઘર્ષની દોડના બધાજ માપદંડોમાં પાછળ રહી ગઇ છે. અસહ્ય દુ;ખની વાત તો એ છે કે આવા બૌધ્ધીક પછાતપણાને પોતાની સંસ્કૃતીનું ગૌરવ સમજીને તેને પોષે છે, તેના ગુણગાન ગાયા કરે છે. તેના મીથ્યાઅભીમાનમાં રાચે છે. કોઇપણ કુદરતી ઘટના દૈવી સર્જન છે તેવું જે માનવી કે સંસ્કૃતી સ્વીકારે તો તેમાં માનવીની તર્કબુધ્ધી કે રેશનાલીટીનો ઉપયોગ કરવાની વાત પર જ પડદો પડી જાય છે.

માણસ કુદરતનો એક ભાગ છે. તો તે માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય? હવે પછી ભાગ–૨માં



--

Tuesday, July 24, 2018

૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ નથી.

બે અગત્યના સમાચારો–

(૧)  ૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ નથી.

 (૨)  ક્યારે ચંદ્રગ્રહણ થવાનું છે તેના જ્ઞાને ક્રીસ્ટોફર કોલંબસનો જીવ બચાવ્યો.( ૨૯મી ફેબ્રુઆરીને ગુરૂવારે.સને ૧૫૦૪ ના દીવસે)

 (૧) ૨૭મી જુલાઇ ૨૦૧૮ને શુક્રવારે સંપુર્ણ ચંદ્રગ્રહણ  છે. ચંદ્ર પૃથ્વીના બરાબર મધ્યભાગના પડછાયામાંથી પસાર થશે. ૨૧મી સદીનું તે સમયના માપ પ્રમાણે લાંબામાં લાંબું ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્ર ગ્રહણ કુલ ૧૦૩ મીનીટનું છે.. તે પૃથ્વીની પુર્વઉત્તર દીશામાથી પ્રવેશ કરીને પશ્ચીમ દીશામાં વીષુવવૃત્તના ઉત્તર ભાગ પાસે સમાપ્ત થઇ જશે. ભારત સહીત પુર્વએશીઆના બધાજ દેશોમાં, ઓસ્ટ્રેલીઆ, મધ્ય એશીઆ, યુરોપ, પુર્વ અને પશ્રીમ આફ્રીકાના દેશો અને દક્ષીણ અમેરીકાના દેશોમાં દેખાશે. આ માહીતી ખગોળ વીજ્ઞાન આધારીત છે. તેની સામે  આજ ગ્રહણ અંગેના આપણા દેશના ધાર્મીક સમાચાર અને ધાર્મીક માનસીકતાને સમજીએ.

"  તારીખ ૨૭મી જુલાઇના રોજ શુક્રવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. ગ્રહણને લીધે બપોરના બે વાગ્યા બાદ અમદાવાદ શહેરના તમામ મંદીરોના દ્રાર બંધ કરી દેવામાં આવશે. ગુરૂપુર્ણીમાના દીવસે ગ્રહણ હોવાથી બે વાગ્યા પહેલાં ગુરૂપુજન ( ગુરૂ દક્ષીણા સાથે!)કરવામાં આવશે. સૌ. પાન નં-  દીવ્ય ભાસ્કર અમદાવાદ આવૃત્તી.૨૪ જુલાઇને મંગળવાર. ૨૦૧૮.

(૨) અમેરીકા, ક્રીસ્ટોફર કોલંબસની યાદમાં દરવર્ષે ઓકટોબર માસના બીજા સોમવારને 'કોલંબસ ડે 'તરીકે ગણીને રજા રાખે છે.

 હકીકતમાં કોલંબસે અમેરીકા ( નવી દુનીયા) નહી, પણ દક્ષીણ અમેરીકાના કેટલાક દેશો અને વેસ્ટ ઇન્ડીઝના ટાપુઓ શોધી કાઢયા હતા. સને ૧૪૯૨થી ૧૫૦૨ સુધીમાં તેણે દક્ષીણ અમેરીકાના જુદા જુદા દેશોનો દસ વર્ષોમાં ચાર વાર પ્રવાસ ખેડેલો હતો. છેલ્લો પ્રવાસ સ્પેનથી ચાર વહાણો (શીપ્સ) લઇને ૧૧મી મે સને ૧૫૦૨માં મધ્ય અમેરીકાનો પ્રવાસ કરેલો હતો. જેમાં તે એક પછીએક મુશ્કેલીઓમાં ફસાઇ ગયેલો હતો. આ વહાણો સ્ટીમ એન્જીનથી ચાલતા નહતા. દરીયાઇ પવનને આધારે ચાલતા હતા. શરૂઆતમાં તેના બે વહાણો દરીયાઇ ઉધઇ (shipworms)થી નાશ પામ્યા. આ દરીયાઇ પ્રવાસ તેને અધવચ્ચે પડતો મુકીને  જમૈકા ટાપુ પર મુકામ કરવો પડયો. શરૂઆતના દીવસોમાં જમૈકાના ટાપુવાસીઓએ કોલંબસના કાફલાને છ માસ સુધી ખોરાક અને રહેઠાણની જરૂરી સગવડો પુરી પાડી. ત્યારબાદ કોલંબસના  કાફલાના માણસોએ ક્યારે પરત જઇએ છીએ તે મુદ્દે તેની સામે આંતરીક બળવો કર્યો. જમૈકા ટાપુના સ્થાનીક નીવાસોને લુંટવા માંડયા, કેટલાકને તો બંદુકની ગોળીઓથી મારી નાંખ્યા. સ્થાનીક નીવાસીઓ સાથે સાટા પધ્ધતીથી (બારટર સીસ્ટીમથી) જે વીનીમય કે વ્યવહાર ચાલતો હતો તે બંધ થઇ ગયો. લગભગ કોલંબસ અને તેની ટીમ માટે ભુખમરા જેવી સ્થીતી પેદા થઇ ગઇ. આવી હતાશ કે નીરાશાજનક સ્થીતીમાં તેના કુશાગ્ર મગજે એક પ્લાન બનાવ્યો.

તે જમાનામાં એક જર્મન ગણીતશાસ્રી, ખગોળવીદ્ જ્હોન મુલરે એક વાર્ષીક પંચાગ  જેમાં સને ૧૪૭૫થી સને ૧૫૦૫ (૩૦ વર્ષોનું) બનાવેલું હતું. તેમાં સુર્ય, ચંદ્ર, બીજા ગ્રહોની વીગતે માહીતી દરેક દીવસ અને વર્ષવાર આપી હતી.આ ઉપરાંત નક્ષત્રો અને તારાઓની અવકાશી સ્થીતી અને ગતીઓના ટેબલ પણ બતાવ્યા હતા. જે દરીયાઇ ખેડુઓ માટે આશીર્વાદ રૂપ હતી. આ દરીયાઇ સાહસવીરોને આ પંચાગે દરીયાઇ જુના માર્ગોને બદલે નવા અને વણખેડાયેલા માર્ગો અને પ્રદેશો શોધવાની ભુમીકા તૈયાર કરી આપી કે જ્ઞાન આપ્યું.

કોલંબસ પાસે ખગોં\ળવીદ્ જ્હોન મુલરનું પંચાગ (Almanac) હતું. તેમાંથી તેણે ગણતરી કરીને  શોધી કાઢયું કે ૨૯મીફેબ્રુઆરીના સાંજનાચંદ્રોદય સમયે સને ૧૫૦૪ના રોજ સંપુર્ણ ચંદ્ર ગ્રહણ શરૂ થવાનું છે.ચંદ્રગ્રહણની આ માહીતી સાથે સજ્જ થઇને તેણે જમૈકા ટાપુના લોકોના મુખીયા ( Chieftain) સાથે  બેઠક ગોઠવીને જણાવ્યું કે " અમારા ખ્રીસ્તીદેવ તમારા ટાપુ પરના રહેવાસીઓ પર ખુબજ ગુસ્સે થયા છે. કારણકે તેના અનુયાઇઓને તમે ખાવા અને બીજી સગવડો પુરી પાડતા નથી." તેથી તે દેવ પોતાની નારાજગી બતાવવા આજથી ત્રણ રાત્રી પછી પુનમના દીવસે જ્યારે ચંદ્રમા સંપુર્ણ ગોળ અને બીજા અન્ય રાત્રીઓ કરતાં સૌથી વધારે મોટો હોય ત્યારે તે ચંદ્રનું પૃથ્વી પરથી નામોનીશાન મીટાવી દેશે. તે ધગધગતો લાલ ગોળો બની જશે. જે તમારી બધાની સામે તેની નારાજગી બતાવશે! તરતજ તમારા ટાપુપરના બધાજ લોકો પર સામુહીક અનીષ્ટ  ફેલાઇ જશે.

       નક્કીકરેલા દીવસે સાંજના પશ્ચીમદીશામાં સુર્યાઅસ્તપછી જેવો પુર્વદીશાની ક્ષીતીજમાં ચંદ્રે ઉગવાનું શરૂ કર્યુ કે તરતજ ચંદ્રની નીચેની ધાર અદ્રશ્ય થઇ ગઇ. એકાદ કલાક પછી ટાપુપર સંપુર્ણ અંધકાર છવાઇ ગયો. અને ચંદ્રનો પ્રકાશ પુર્ણીમાની સાંજે ગાયબ થઇ ગયો. તેની જગ્યાએ લાલ ધગધગતો ગોળો આકાશમાં દેખાયો.

    કોલંબસના દીકરા ફેરદીનાંદ ( Ferdinand )ના મત પ્રમાણે " તે ટાપુપરના રહેવાસીઓ આવી અવકાશી સ્થીતી જોઇને ભયંકર ભયભીત થઇ ગયા.આત્યંતીક રીતે રડારડ,આક્રંદ અને કલ્પાંત કરતા ટાપુના દરેક ખુણેથી અમારા વહાણ તરફ દોડતા આવવા માંડયા. સાથે સાથે તે અમારા માટે  અનાજ અને ખોરાકની ચીજો જે હાથવગી હતી તે લઇને વહાણને કેપટ્નને કાલાવાલા કરવા લાગ્યા કે તમે અમને તમારા ખ્રીસ્તી દેવના કોપમાંથી બચાવો. વધુમાં તે બધાએ વચન આપ્યું કે અમે બધા પ્રેમથી કોલંબસ તથા તેના માણસોને સહકાર આપીશું; જો તે ચંદ્રને તેની મુળસ્થીતીમાં લાવી આપે તો!" કોલંબસે તે સ્થાનીક લોકોને જણાવ્યું કે દેવની સાથે ખાનગીમાં વાતચીત અને સલાહસુચન માટે તેણે પોતાની કેબીનમાં જઇને સંપર્ક કરવો પડશે. પછી તે પોતાની કેબીન બંધ કરીને ૫૦ મીનીટ સુધી અંદર બેસી રહ્યો.

 કેબીનમાં જઇને તેણે કલાક માપવાની રેતીવાળી શીશી ( An hourgalss) પેલા વાર્ષીક પંચાગની ગણતરીઓના આધારે ચંદ્રગ્રહણની જુદીજુદી સ્થીતોનો અભ્યાસ કર્યો. ચંદ્રગ્રહણ પુરૂ થવાના થોડા સમય પહેલાં તેણે વહાણમાંથી બહાર આવીને જણાવ્યું કે તેણે તેના દેવ સાથે ચર્ચા કરી લીધી છે. તમારા બધાના કોલંબસ અને તેના માણસોના સાથેના ખરાબ વ્યવહાર માટે ટાપુવાસીઓને માફ કરી દીધા છે. થોડા સમયમાં તે ચંદ્રને પોતાની મુળ સ્થીતીમાં પાછો મુકી દેશે! આ શબ્દો પુરા થાય તે પહેલાંજ ચંદ્રની નીચલી ધારેથી જેવો પૃથ્વીનો પડછાયો દુર થવા માંડયો કે તરતજ તેનો પ્રકાશ આવવાનો શરૂ થઇ ગયો. ટાપુવાસીઓને લાગ્યું દેવના કોપમાંથી કોલંબસે તે બધાને બચાવ્યા છે. ટાપુવાસીઓએ કોલંબસને ૨૯મી ફેબ્રુઆરીથી માંડીને ૨૯મી જુન સુધી પુરા ચાર મહીના ટાપુ પર પુરો સહકાર આપીને રાખ્યા હતા. કોલંબસ સહીત તેના કાફલાને બચાવવા બીજુ વહાણ આવતાં ૭મી નવેંબર ૧૫૦૪ના રોજ સ્પેન પહોંચ્યો હતો.

ક્રીષ્ટોફર કોલંબસ કે વાસ્કો દા ગામા ભારતમાં કેમ જન્મ લેતા નથી? અમે તો હવે વીશ્વગુરૂ બનવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે? તારીખ ૨૭મી જુલાઇ ૨૦૧૮ના ચંદ્રગ્રહણ અને કોલંબસના ફોટો મુકયા છે.

 

 

.



--

Wednesday, July 18, 2018

સ્તનપાન વી. મીલ્ક પાવડરના વીવાદમાં–

સ્તનપાન વી. મીલ્ક પાવડરના વીવાદમાં–

--

Monday, July 16, 2018

સમાચારો પોતે બોલે છે.

                                 સમાચારો પોતે બોલે છે.

             અમે કોઇ ટીકા ટીપ્પણ વીના જેમ પ્રકાશીત થયા છે તેમજ રજુ કર્યા છે

(1)    પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે અને આપણા લોકો ખરીદે છે.– માનવવાદ માસીક જુન ૨૦૧૮ના તંત્રી લેખનું મથાળુ.

(2)     સ્વામીનારાયણ ગાદી સંસ્થાને ઓસ્ટ્રેલીયાના પર્થમાં ૨૦ વર્ષ જુનું ચર્ચ ૧૮ કરોડમાં ખરીદ્યું, હવે મંદીર બનાવાશે. " વીદેશમાં ભારતીય સંસ્કૃતીનું જતન કરવા માટે મંદીરના નીર્માણ કરવાનો નીર્ણય  કરાયો. .... શીખરબંધ મંદીર બનાવવા કળશ અને ધજાની આખરી મંજુરી માટે ઓસ્ટ્રેલીયન સરકાર સાથે પરામર્શ ચાલે છે.".....ઓસ્ટ્રેલીયા ખાતે ભણવા માટે એક તરફ મોટી સંખ્યામાં ગુજરાતી કે ભારતીય યુવકોનો ધસારો ચાલી રહ્યો છે ત્યારે તેમને પોતાની સંસ્કુતીથી જોડી રાખવા  માટે આ મંદીરનું નીર્માણ કરવામાં આવ્યું છે. સૌજન્ય દીવ્ય ભાસ્કર ૨–૦૭ ૨૦૧૮ પાન નં ૨.( ધર્મધુરંધરો એવી ચીંતા કરતા નથી કે શા માટે દેશના યુવાનો કેમ ઉચ્ચ અભ્યાસ કરવા દેશ છોડી રહ્યા છે. પછી કાયમ માટે પાછા દેશમાં નહી આવવાનો નીર્ણય કરે છે?)

(3)    સ્વામીનારાયણ સાધુઓના મોબાઇલ, લેપટોપ,આઇપેડ જપ્ત કરો. " કેન્યા અને લંડનના સ્ટેનમોર મંદીરના પ્રમુખનો ભુજ સ્વામીનારાયણ મંદીરના સાધુ– સંતો અને ટ્રસ્ટીમંડળને પત્ર.–– સદર પત્રમાંની કેટલીક અગત્યની વીગતો.––

(અ) ભુજ મંદીરના સાધુઓના બનાવથી મંદીર અને સ્વામીનારાયણ સંપ્રદાયની છબી ખરડાઇ છે.જે શરમજનક છે.

(બ) સાધુનો ધર્મ સત્સંગ છે. તે કરવું અને કરાવવું જોઇએ હરીભક્તો પહેલે થી જ કહે છે કે  સાધુઓ મોબાઇલ વી. રાખે છે તે અયોગ્ય છે. સદર ટ્રસ્ટી મંડળનો અનુરોધ છે કે તેઓ મોપબાઇલ વાપરે નહી. જો કોઇની પાસે હોય તો તાત્કાલીક જપ્ત  કરવા.

(ક) સંતો–પાર્ષદો, સાંખ્યયોગી બહેનો જે સ્માર્ટફોન વાપરેછે તેનાથી નીયમધર્મમાં રહેવું કઠણ બને છે. અને ત્યાગીના નીયમધર્મોમાંથી લપસી જવાય છે,

(ડ) ગાયોના ચારા માટે એકઠું થતું ફંડ જમા રહે છે તે યોગ્ય નથી. તેનો યોગ્ય ઉપયોગ કરો.

(ઇ) ભુજ મંદીર હેઠળ ચાલતા ગુરૂકુળોમાં લેવાતી ઉંચી ફી યોગ્ય નથી. .... તે મધ્યમ વર્ગને આ ફી પોષાતી નથી. સૌજન્ય  દીવ્ય ભાસ્કર ૧૨– ૦૭ – ૨૦૧૮. પાન નં ૧.

(૪)  વડતાલ વીવાદ; જે ચુકાદાની શક્યતા– " છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા સ્વામીનારાયણ વડતાલ ગાદી પ્રકરણના વીવાદનો આજે સોમવારે તા. ૧૬મી જુલાઇએ નડીયાદ કોર્ટનો ચુકાદો આવવાની શક્યતાઓ લઇને રવીવારે સાંજથી વડતાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. વડતાલમાં રવીવાર સાંજથી ૫ ડીવાયએસપી,, ૧૧ પોલીસઇન્સપેક્ટર, ૪૦ પોલીસ સબઇન્સપેક્ટર,  ૩૭૫ પોલીસકર્મીઓ અને એક એસ આર પી ની કંપનીને કાયદો અને વ્યવસ્થા સાચવવા બંદોબસ્ત તૈનાત કરવામાં વ્યો છે.

(૫) રવીવારે મોડી સાંજે મહંત સ્વામીનું આણંદમાં આગમન– તેમના સ્વાગતમાં રાજ્યસભાના સાંસદ લાલસીંહ વડોદીયા, પુર્વમંત્રી રોહીતભાઇ પટેલ, યુની.ના કુલપતી ડૉ શીરીષ કુલકર્ણી, વીધ્યાનગરપાલીકા પ્રમુખ સોનલબેન પટેલ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. ( મેટર ૪અને ૫ બંને નું સૌ. દીવ્યભાસ્કર ૧૬– ૦૭– ૨૦૧૮ને સોમવાર.



--

Tuesday, July 3, 2018

પૌરાણીક કથા ( Mythology) અને ઇતીહાસ ( History) વચ્ચે શું તફાવત છે?

 પૌરાણીક કથા ( Mythology) અને ઇતીહાસ ( History) વચ્ચે શું તફાવત છે?

સૌ પ્રથમ આપણે પૌરાણીક કથા અથવા પ્રાચીન દંતકથા ( Mythology) કોને કહેવાય તે સમજીયે. પૌરાણીક કથા તેને કહેવાય જેને લોકો ધારી લે, કલ્પના કરે કે દંતકથામાં વર્ણન કરલી ઘટનાઓ ભુતકાળમાં બની હશે. દંતકથાઓ (મોટેભાગે) સાચી હોતીજ નથી. Myths are not (mostly) true. વાસ્તવીક હકીકત કે સત્યને છુપાઇને દંતકથા બનાવનાર પોતાને મનઘડંત કથા બનાવી દે છે.

 ઇતીહાસ, જે ભુતકાળમાં બન્યુ છે, જેના પુરાવા છે, જેને સ્વતંત્ર અને તટસ્થ રીતે તપાસી શકાય તેમ છે. તેમજ જેને વ્યક્તીગત ગમા અણગમા કે પસંદગી સાથે કોઇ સંબંધ હોતો નથી. તેને ઇતીહાસ કહેવાય છે. ઇતીહાસ એટલે સત્ય અને પૌરાણીક દંતકથા એટલે સત્યના આધાર સીવાયની કથા.History= Truth, Myth= Falsehood.

ઇતીહાસ વાસ્તવીક સત્ય આધારીત છે. જેમાં અનીશ્ચીતતા, દ્રવીઅર્થ કે સંદીગ્ધપણું હોતું નથી. તેની હકીકતો પુરાતત્વવીધ્યા,શીલાલેખ, પુરાણા સીક્કાઓ, સ્મારકો, સ્તંભ જેવા બીજા અનેક પુરાવાઓની મદદથી સાબીત થઇ શકે તેમ હોય છે. અને તેમાં સંશોધન આધારીત નવી માહીતીઓ એકત્ર થતા, તે સત્યોમાં બીલકુલ જ્ઞાન અને તર્ક આધારીત ફેરફાર થઇ શકે છે.( History tells us as it really happened.")તેમાં કશું મનઘડંત કે કાલ્પનીક, તરંગી હોઇ શકે નહી.જ્યાં ઐતીહાસીક બીના બની હોય તે ઐહીક કે દુન્યવી ભૌગોલીક સ્થાનીક સ્થળનું મુળ બતાવેલું હોય છે.

આની સામે પૌરાણીક દંતકથાઓને ઐતીહાસીક હકીકતો જેવો કોઇ વાસ્તવીક આધાર હોતો નથી.તે બધી દંતકથાઓ ઉપજાવી કે જોડી કાઢેલી અથવા માની લીધેલી હોય છે.તેને આપણી વીવેકબુધ્ધી કે વૈજ્ઞાનીક ઢબે બારીકાઇથી કે ઝીણવટથી ઉંડી તપાસ થઇ શકતી નથી.દંતકથાઓનો આધાર ફક્ત અને ફક્ત વ્યક્તીગત લાગણીઓ

અને માન્યતાઓ પર અવલંબીત હોય છે. લગભગ બધાજ ધર્મોની પૌરાણીક કથાઓના ગ્રંથો ટીકાત્મક અને વૈજ્ઞાનીક ઢબે ઇતીહાસ ની રચના થઇ તે પહેલાંના છે.તેનો અર્થ એ નથી કે તે ગ્રંથોની કથાઓમાં સત્ય છે.

જ્યારે પૌરાણીક દંતકથાઓ અને ઇતીહાસ વીષે ચર્ચા કરીએ ત્યારે એક વસ્તુ સ્પષ્ટ  સમજી લેવાની જરૂર છે કે આપણે માનવ ઇતીહાસ ( હ્યુમન હીસ્ટ્રી) અને તેપણ આ પૃથ્વી પર કે દેશમાં હકીકતમાં ભુતકાળમાં બની ગયેલી ઘટનાઓની ચર્ચા કરીએ. તેમાં સ્વર્ગ, નર્ક, પાપ પુન્ય કે દેવો દાનવો,રાક્ષસો, ઇન્દ્ર,વરૂણ રાવણ, બકાસુર કે પછી દૈવી ચમત્કારોની વાતો ન આવે! આપણા પૌરાણીક ગ્રંથો જેવાકે રામાયણ અને મહાભારતમાં માનવ ઇતીહાસ સાથે દેવતાઓ અને રાક્ષસોની પણ ઘણી વાતો આવે છે. દેવતાઓ અને રાક્ષસોનો ઇતીહાસ એ માનવસંસ્કૃતીના વીકાસના ઇતીહાસ તરીકે કયારેય ગણી શકીએ નહી. પણ તે બે ગ્રંથો પૌરાણીક દંતકથાઓના જ ભાગ છે.    સામાન્ય રીતે ઇતીહાસના અધીકૃત લેખો કે દસ્તાવેજમાં જે તે સમયની પ્રજાની સામાજીક, આર્થીક, રાજકીય અને સાંસ્કૃતીક બનાવોની નોંધો હોય છે. તેમાંના કોઇ દસ્તાવેજોમાં સ્વર્ગ કે નર્કમાં બનેલા વર્ણનોની નોંધ હોઇ શકે નહી. આવા દૈવી બનાવો માનવીય તપાસથી પર હોય છે.

 મહાભારત અને રામાયણમાં કેટલાક બનાવોની નોંધ દેશમાં બનેલી હોય તેવી નોંધ છે. ઉપરાંત એવી પણ નોંધ છે કે ' જે પૃથ્વી પર નહી પણ સ્વર્ગ કે નર્કમાં બની હોય'.દા.ત.મહાભારતનું એક અગત્યનું પાત્ર અર્જુન એક વર્ષ માટે સ્વર્ગમાં જાય છે.દશરથ રાજા ઇન્દ્રને યુધ્ધમાં મદદ કરવા સ્વર્ગમાં જાય છે. યુધીષ્ઠીર પોતાના શરીર સાથે મુલાકાતી તરીકે નર્કમાં જઇને પાછા આવે છે. કૃષ્ણ બ્રાહ્મણના મરેલા દીકરાને સજીવન કરી પાછા લાવે છે. આ બધી ઘટનાઓ માનવીય સમજશક્તીથી પર છે. તેથી તેને ઇતીહાસના વીભાગમાં ગણવાને બદલે દંતકથાઓ તરીકે જ ઓળખાય કે મુકાય. ઇતીહાસના દસ્તાવેજોને કોઇ પણ જાતનાઅર્થઘટન કે મુલ્યાંકન સીવાય જે છે તેમ જ મુકવામાં આવે છે. દા;ત રાજા અશોકે કલીંગના યુધ્ધમાં ઘણો માનવસંહાર કર્યો હતો. તેણે બુધ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. અને તે ધર્મનો વીશ્વમાં પ્રચાર થાય તેવા પ્રયત્નો રાજા અશોકે કર્યા હતા. પણ બુધ્ધધર્મના ઉપદેશો તે ઇતીહાસનો ભાગ નથી. તે જુદા જ્ઞાનની શાખા છે. તેવીજ રીતે મહાભારતના ચાલુ યુધ્ધમાં કૃષ્ણ અને અર્જુનનો સંવાદ જે ગીતામાં છે તેને આપણે ઐતીહાસીક ઘટનાને બદલે તત્વજ્ઞાન, નૈતીક અને આધ્યાત્મીક ચર્ચા તરીકે ઓળખાવી શકીએ. અથવા તો તે સંવાદને ઇતીહાસ કે પૌરાણીક દંતકથાને બદલે તત્વજ્ઞાનના એક વીભાગની શાખા તરીકે ઓળખાવી શકીએ.

કોઇપણ જ્ઞાન કે તેની શાખામાં સાતત્યતા ( Consistency) અને સુસંગતપણુ અનીવાર્ય છે. જે જ્ઞાનમાં તે બંને ન હોય તેને જ્ઞાન તરીકે ઓળખાય નહી. ઇતીહાસના બધાજ  લેખકોના લખાણો અને પુસ્તકોમાં ઐતીહાસીક બનાવનો સમય અને ઘટનાક્રમમાં અનુક્રમતા અને અખંડીતતા જળવાવી જોઇએ.

ઇતીહાસ હોવાની પુર્વશરતોની દ્રષ્ટીએ તપાસીએતો રામાયણ અને મહાભારતમાં ઘણીબધી અસંવાદીતોઓ, સાતત્યતાઅને સુસંગપણાનો અભાવ છે. દા.ત રામાયણમાં એવો ઉલ્લેખ છે કે રાજા રામે ૧૧૦૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું. રામના પીતાજી દશરથ રાજા ૧૬૦૦૦ વર્ષ જીવ્યા હતા તેવો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં કૃષ્ણ જામબુવતીને મળ્યા હતા. કૃષ્ણ એકી સાથે ૧૬૦૦૦ ગોપીઓ સાથે નૃત્ય કરતા હતા. ત્યારબાદ કૃષ્ણે બીજી ૧૬૦૦૦ સાથે લગ્ન કર્યા હતા. મહાભારતમાં ક્યાંય કૃષ્ણની પ્રીયતમા રાધાનો કોઇ ઉલ્લેખ નથી. પણ આજે કૃષ્ણ મંદીરોમાં રાધાનું સ્થાન અગત્યનું બની ગયું છે. કેટલાક વૈષ્ણવ પંથોની( દા.ત રાધાવલ્લભસંપ્રદાય.) એવી રીતીનીતી છે કે  રાધાનું જ ભજન કરીએ તો કૃષ્ણને રીઝવી શકીએ. વીવેકબુધ્ધી આધારીત મન ( રેશનલ માઇન્ડ) આ બધાને પૌરાણીક દંતકથાઓના સમુહમાં મુકે છે. તેને આપણે ઐતીહાસીક સત્યોના વર્ગીકરણમાં ન મુકી શકીએ.( So rational mind considers those as mythology.)

 ટુંકમાં ઇતીહાસ એ ભુતકાળમાં હકીકતમાં બનેલા પ્રસંગોની નોંધ હોય છે. તેમાં કોઇ ચમત્કારોને સ્થાન હોય શકે નહી.

પૌરાણીક ગ્રંથો મહાભારત અને રામાયણમાં ઘણી બધી ચમત્કારોની વાતો આવે છે. દા;ત બાળ કૃષ્ણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. રાવણ પોતાના આકાશમાં ઉડે તેવા જાદુઇ રથમાં ઉડતો હતો. હનુમાન કુદકો મારીને આકાશમાં ઉડીને સમુદ્ર પસાર કર્યો હતો વગેરે. આવા, વીજ્ઞાનથી સાબીત ન થઇ શકે તેવા ચમત્કારીક બનાવોમાં લોકો વીશ્વાસ રાખતા નથી. આપણે આ બે મહાન ગ્રંથોને ઇતીહાસ તરીકે સ્વીકારવા હોય તો તેમાંથી આવા ચમત્કારો કરનારા ઘણાપાત્રોની બાદબાકી કરવી પડે!

 કોઇપણ જ્ઞાનની શાખામાં (ઇતીહાસ સહીત) વીશ્વાસપાત્રતા કે પ્રમાણભુતતા હોવી અનીવાર્ય છે. આપણને ગૌતમબુધ્ધના એતીહાસીક અસ્તીત્વ અંગે એટલા માટે શંકા નથી કારણકે તેઓના પુરાવા શીલાલેખ, ધાતુ અને જમીની પુરાવા એકત્ર કરવાથી મળી રહે છે.દા.ત હરપ્પન સંસ્કૃતી કે મોહન જો ડેરોની સંસ્કૃતી.

  તેની સામે રામાયણ અને મહાભારતમાં જે બનાવો અને તેને લગતા સ્થળોના જે વર્ણન કરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધામાં પ્રમાણભુતતા કે વીશ્ચાસપાત્રતાની ગેરહાજરી છે. દા;ત રાવણની લંકા ને આપણે આજના શ્રીલંકા તરીકે ઓળખી શકીએ? શું આખી લંકા સોનાની બનેલી હોઇ શકે? શું રામનો જન્મ વર્તમાન અયોધ્યામાં થયેલો હતો કે બીજા કોઇ સ્થળે? તે જ રીતે કૃષ્ણનું જન્મ સ્થળ કયું? આ બધા બનાવોના પ્રશ્નોના જવાબો આપણને એક સરખા મળતા નથી. તેથી આ પૌરાણીક ગ્રંથોમાં જણાવેલ સ્થળો અને બનાવોના ખરાપણા માટે શંકાઓ પેદા થતી હોય છે.

 આ બધા ગ્રંથોના લખનારા કોણ? લેખક સીવાયની માહીતીઓમાં સત્ય કેટલું અને ક્લ્પનાઓ કેટલી? ઇતીહાસ કે કોઇપણ જ્ઞાનની શાખાનું ખરાપણું ચકાસવા માટે લેખકનું નામ ઠેકાણું પ્રકાશનનું વર્ષ વી. માહીતી અનીવાર્ય હોય છે.

સંસ્કૃત અને સ્થાનીક ભાષાઓમાં સેંકડો રામાયણો લખાયેલા છે. તેવું જ મહાભારતની બાબતમાં છે. અ બધા ગ્રંથોમાં પૌરાણીક પાત્રોના કાર્યો વીષે પણ એકબીજાથી પ્રત્યક્ષ વીરોધી વાતો રજુ કરવામાં આવી છે.

ધાર્મીકવીધીઓ અને કર્મકાંડોમાં પણ એકરૂપતા કે સાતત્ય હોતું નથી.દા;ત રામાયણમાં અશ્વમેઘયજ્ઞ, રાજસુયયજ્ઞ અને પુત્ર કામેષ્ટીયજ્ઞ મહીનાઓ સુધી ચાલુ રહેવાની વાતો લખી છે. આખો દીવસ લોકો કાંઇ મંત્રૌચાર કરી શકે નહી. માટે વચ્ચેના આરામના સમયમાં રામાયણ મહાભારતની વાતો કરવામાં આવતી હતી.જે વાર્તા કહેનાર હતો તે પોતાનું મહત્વ બતાવવા પોતાનું તેમાં ઘણુ બધુ ઉમેરતો હતો.આ બધા ઉપદેશકોએ મુખ્ય વાર્તાની સાથે સાથ તેમાં ઘણી બધી ચમત્કારોની વાતો અંદર મુકી દીધી હતી. જેથી કથા સાંભળનાર લોકોમાં પોતાની શાન બાન અને આબરૂ વધે! ધાર્મીક વીધીઓ અને કર્મકાંડોનું ઇતીહાસમાં કોઇ સ્થાન હોઇ શકે નહી. તે બધુ તો પૌરાણીક દંતકથાનો એક ભાગ જ ગણાય.

અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇતીહાસ આપણા માટે દુન્યવી કે ઐહીક,સેક્યુલર હકીકતોના પુરાવા છે. તેમાં યોગ, વેદાંત કે અદ્રેત જેવા આધ્યાત્મીક વીષયોનું સ્થાન ન હોઇ શકે. તમે ઇતીહાસમાં સંતપુરૂષોનું જીવન ચરીત્રને આમેજ કરી શકો. પણ તેમની સાધના કે પંથ– ઉપદેશોને સમાવી શકો નહી.

 રામાયણ મહાભારતમાં ધર્મ, ધાર્મીક રૂઢી રીવાજો, કર્મકાંડ,જ્ઞાતીપ્રથા, જ્ઞાતી આધારીત દરેકનો સ્વધર્મ,વગેરે વીષયોની ચર્ચાને હીંદુ ધર્મના વીષયોમાં સમાવવા પડે. જેમાં બૌધધર્મ કે જૈન ધર્મની બાદબાકી થઇ જાય તે બીજા લોકો સ્વીકારે નહી. આ બંને પૌરાણીક ગ્રંથો આધારીત ધર્મ ક્યારેય વૈશ્વીક ધર્મ ન બની શકે. સદર ગ્રંથોનો સંદેશો પોતાના ધર્મીઓ પુરતો મર્યાદીત થઇ જાય છે.તે ગ્રંથો વૈશ્વીક ઇતીહાસની ચોપડીઓ પણ બની ન શકે.

 આપણે ત્યાં જ્ઞાનનું પુરાવા આધારીત પુસ્તકોમાં મુકવાની પધ્ધતી વીકસી ન હતી. ભારતનો પૌરાણીક ઇતીહાસ આપણે ને હ્યુએન સેન(ચીની મુસાફર–વીધ્યાર્થી) અને અલ– બરુની જેવા પરદેશી વીધ્યાર્થીના પુસ્તકોમાંથી મળ્યો છે. આપણી પાસે વારસામાં તો થોડાક સંસ્કૃતના પુસ્તકો છે.

ભારતીય સંસ્કૃત પુસ્તકોમાં સમયનો ખ્યાલ એક ગોળવર્તુળ કે (Cyclic) અંતવીનાનો છે. સત્ય–ત્રેતા, દ્વાપર અને કલીયુગમાં વહેંચી નાંખવામાં આવ્યો છે. આમ સમયનું ચક્ર સતત એકયુગમાંથી બીજા યુગમાં ફર્યાજ કરે છે.જેનો કોઇ છેડો કે અંત ન હોઇ શકે. ભારતીય સમય મુજબ માનવીય વીકાસ બાહ્ય રીતે ઉત્ક્રાંતીત થાય છે.પણ સાથે સાથે  આંતરીક રીતે તે વર્તુળમાં વીંટયાળાયેલો ( Involution) રહે છે.જ્યારે પશ્ચીમી સમાજમાં સમય સીધી લીટીમાં ચાલે છે. તેમજ ગોળ વર્તુળની અંદર ફરતો નથી. ભારતીયો સમયને લાગેવળગ છે ત્યાંસુધી પૌરાણીક સમયમાં(Purana centric) શ્રધ્ધા ધરાવી પોતાના કાર્યો, વ્યવહારો અને નૈતીક મુલ્યો નક્કી કરે છે.જ્યારે પશ્ચીમી સમયએ ઇતીહાસ(history centric) કેન્દ્રી હોવાથી તેમના દુન્યવી સંબંધો તે પ્રમાણે વીકસેલા છે.શું ભારતીયો તરીકે આપણે સમયના પૌરાણીક કેન્દ્રીત ખ્યાલમાથી બહાર નીકળી ઇતીહાસ કેન્દ્રીત સમય પ્રમાણે નવેસરથી મુલ્યાંકન કરી શકીએ તેમ છે?

પૌરાણીક કથાઓ અને ઇતીહાસમાં સામાન્ય માનવીનું સ્થાન–

પૌરાણીક કથાઓ રાજા,તેમના રાજકુંવરો, રાજમહેલોની ખટપટો અને એકબીજા નજીકના સગાવહાલાના હીતોના ટકરાવની આસપાસ ગુંથાયેલી હોય છે. જે તે રાજાના સમયમાં સામાન્ય પ્રજા જીવન, તેમના સામાજીક,આર્થીક અને અરસપરસના આંતરીક વ્યવહારો વીષે કોઇ વાતો રજુ થયેલી હોતી જ નથી. રામાયણમાં સામાન્ય પ્રજાજીવન સામે રાજકીય સત્તાના નૈતીક વ્યવહારો આપણને શંબુક, નાવીક કેવત કે શબરીના પાત્રોથી જાણવા મળે છે. તેવીજ રીતે મહાભારતમાં એકલવ્ય આદીવાસી હોવાથી ધનુષ્યવીધ્યા ન શીખી શકે. પણ રાજકુંવરોને ધનુષ્યવીધ્યા શીખવાડનાર ગુરૂ દ્રોણાચાર્ય પેલા એકલવ્યનો જમણા હાથનો અંગુઠો ગુરૂદક્ષીણામાં માંગી શકે! તેની સામે ઇતીહાસમાં રાજા મહારાજાઓના શાસન ઉપરાંત પ્રજાજનોનું સામાન્ય રોજબરોજના જીવનના વ્યચહારો ઉપરાંત ધંધા–ઉધ્યોગ,કલા,સાહીત્ય વીષે પણ વીગતે માહીતી મળે છે. દેશની સામાન્ય હીંદુ પ્રજા પોતાના આદર્શ અને પુજનીય વ્યક્તીઓ તરીકે રામ,કૃષ્ણ, પાંડવો,ભીષ્મપીતામહ વી. ને માને છે. તે બધા દૈવી કે ઇશ્વરી શક્તી ધરાવે છે તેવી શ્રધ્ધા સામાન્ય હીંદુમાં છે.

આમ આપણા પૌરાણીક ગ્રંથો રામાયણ મહાભારતમાં ઐતીહાસીક પુસ્તકોની માફક ભુતકાળની બની ગયેલી ઘટનાઓના વર્ણનો છે તેમજ આધ્યાત્મીક, ધાર્મીક, તથા દેવો, રાક્ષસો અને ચમત્કારોના વર્ણનો પણ છે.પૌરાણીક દંતકથાઓ અને ઐતીહાસીક ઘટનાઓને જ્ઞાન વીજ્ઞાનની મદદથી એકબીજાથી છુટા પાડવાનું કામ ખુબજ કપરૂ છે, સરળ નથી. કારણકે બીજી હકીકત એ બની છે તે બંને ના સંમીશ્રણથી ભારતીય સંસ્કૃતી અને સમાજ વ્યવહાર બન્યો છે. ( ગુગલ સર્ચના સૌજન્યથી)

 

 

 

 



--

Sunday, July 1, 2018

What can Modi do now?


What can Modi do now?

Fifth Column; 

So can Modi do anything in the next few months that would restore the lustre that once made him seem undefeatable? There are those who wander about these days predicting that he will do something melodramatic and irreparable like prohibition.

·         Written by Tavleen Singh | Updated: July 1, 2018 5:53:05 pm

madhya pradesh, modi mp visit, ajay singh, madhya pradesh opposition, madhya pradesh congress, indian expressCan Modi do anything in the next few months that would restore the lustre that once made him seem undefeatable.

In this column last week I said I saw signs that Narendra Modi's popularity had declined in recent months. This caused two very different reactions. From his foes came sounds of frenetic jubilation. From those who believe that he is still the best man to lead India because the alternative is so awful came belligerent gloom. From the first camp, I got brickbats and sneers for having supported Modi in the first place.

From the second camp, I mostly got a single question asked in different ways. Is there anything Modi can do still to ensure that he wins a second term? I got asked this so often in the past week that I mulled over it long and hard as I watched the Prime Minister's whirlwind of meetings in Mumbai.

He met Indian businessmen who told him (as usual) that all was well. He met foreign investors in Mumbai for the annual meeting of the Asian Infrastructure Investment Bank (AIIB). He told them that India was a 'bright spot' in the world economy. He also met BJP workers and told them how evil the Emergency was and how those who accuse him of demolishing institutions remained silent when Indira Gandhi did this then. And, here I shall make a small digression to remind you that this is completely true. She turned our oldest political party into a family firm. She gave her son more power than she gave her Cabinet. She turned Parliament and the President into lackeys.

Of the judiciary the less said the better. Except to remind the Supreme Court judges, who went public to declare that 'democracy was under threat today', that if there was ever a judiciary fully subservient to a prime minister, it was then. Those who speak of an 'undeclared Emergency' in India since 2014 either have no idea what the Emergency was like or are deliberately weaponising it to attack Modi.

So can Modi do anything in the next few months that would restore the lustre that once made him seem undefeatable? There are those who wander about these days predicting that he will do something melodramatic and irreparable like prohibition. As far as I know, this is something that only state governments can do, but Modi needs to remember that it worked badly in Delhi when it was tried by Indira Gandhi and later by Morarji Desai. A quick trip to Bihar will show him how badly it is working there. Besides, the last thing he needs is for more jobs to be lost when so few have been created.

If he has lost popularity, it is mostly because the public services that poorer Indians are forced to rely on have remained unforgivably awful. If a single BJP chief minister had shown the ability to create schools, colleges and hospitals that became the talk of India, we may not today have been discussing the possible defeat of Modi in the next general election. Madhya Pradesh, Rajasthan and Chhattisgarh have elections before this year ends so it is too late for real 'parivartan' there, but in Uttar Pradesh, there is still hope. I have seen schools and hospitals in UP that are so bad that I am convinced that if people were offered a choice between better education and healthcare and the Ram temple, I am certain they would forget the temple.

There are those who believe that building that temple in Ayodhya before the next election will ensure Modi a second term. I believe they are wrong. Having seen the Ram Janmabhoomi movement when it peaked after L K Advani set off on his rath yatra, I can report that the dangerous disunions that existed between Hindus and Muslims in those 'secular' times no longer do. They were created then by Rajiv Gandhi's stupid decision to give Muslims their own personal law, so the slogan that united Hindus of all castes was 'Ek Vidhan, Ek Samvidhan'.

One law, one Constitution. I can remember talking to half-literate people in villages who said that they believed it was wrong for Muslims to not come under the same laws as other Indians. Rajiv Gandhi paid for his mistake in the next general election, losing half his seats in the Lok Sabha. And, for those who may have forgotten, may I remind you that in that election he began his campaign in 1989 in Ayodhya with the promise to bring Ram Rajya. It is my view that there is less interest in building that temple in Ayodhya than there is in seeing India become a prosperous country in which ordinary people do not have to depend on government for jobs and largesse. Since it was P V Narasimha Rao's birth anniversary last week I would like to honour him by reminding you that whatever measure of prosperity India has achieved would have been impossible without his economic reforms.

 

 


--