Monday, February 15, 2021

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ.

ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ–  " મને ટિકીટ આપો, પેલાને ન આપશો, મારા દિકરાને ખુલ્લે બારણે ટીકીટ ન આપી તો હું પાછલે બારણેથી ટીકીટ મેળવીને રહીશ (ટીકીટ આપવાનાં કેટલા બારણાં રાખવામાં આવતા હશે )"... આ બધા પ્રવાહો પર એક વિહાંગલોકન...

આપણા રાજ્યમાં તારીખ ૨૧મી ફેબ્રુઆરી ૬ મહાનગરપાલીકા જેવી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,વી,અને૨૮મી ફેબ્રુઆરીના દિવસે ૮૧ નગરપાલીકાઓ, ૩૧જીલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતની ચુંટણી થવાની છે. લગભગ આપણે કહી શકીએ કે સદર ચુંટણી આ ગુજરાત વિધાનસભાની મધ્યસત્ર ચુંટણી જેટલા મતદાર વીસ્તારોને આવરી લેવાની છે. માટે તેનું મહત્વ લેશ માત્ર ઓછું નથી.

લોકશાહી ચુંટણીપ્રથામાં નાગરીકો સાર્વભૌમ ( Sovereign) એટલે કે સર્વસત્તાધીશ છે. તેમના મતથી પ્રતીનીધીઓ ચુંટાઇને પોતાના વિસ્તારના પ્રજાલક્ષી પાયાના તથા જે તે વિસ્તારના વિકાસના કામો કરે છે. પ્રતીનીધી સ્વરૂપની ચુંટણી પ્રથાની એક અતિ દુ;ખદ સ્થિતિ એ છે કે પેલા સાર્વભૌમ મતદારોએ દર પાંચ વર્ષે ચુંટણીના મંડપમાં જઇને મત આપ્યા પછી પોતાના મતથી જીતેલા ઉમેદવાર પર કે તેના કાર્યો કે પ્રવૃત્તીઓ પર કોઇજ નિયંત્રણ રહેતું જ નથી. આ પરિણામ સદર ચુંટણી પ્રથામાં લગભગ વૈશ્વીક છે. જે પક્ષ અને તેનો નેતા, મતદારોને લોલીપપ, લાલચ કે આકાશમાંના ચાંદ–તારા હથેળીમાં બતાવી શકે તે જ આવી ચુંટણીઓ જિતાડી શકે.  

 ખરેખર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મુદ્દાઓ પણ સ્થાનીક હોવા જોઇએ! હવે આવી રહેલી સદર ચુંટણીને લોકભાગીદારવાળી કે લોકસમિતીને બદલે રાજકીય પક્ષોએ આ ચુંટણીપ્રથાને હાઇજેક કરીને  કેવી રીતે પક્ષશાહી ચુંટણી બનાવી દીધી છે તેનો અભ્યાસ કરીએ. બીજું આ ચુંટણીમાં ચુંટણી લડતા ઉમેદવારો કે રાજકીય પક્ષો કયા કયા મુદ્દાઓ લઇને ચુંટણી લડે છે તે બધું છેલ્લા પંદર દિવસોના સ્થાનીક ગુજરાતી પેપરોમાં આવતા સમાચારોના મર્યાદિત અભ્યાસ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ ચુંટણીમાં તે લડવા માટે મતો લેવાના મતદારોના પણ  ઉમેદવારો બનવાનું રાજકીય પક્ષોનું ! વાહ ભાઇ! તો પછી આ ચુંટાયેલા રાવબહાદુરોની વફાદારી કોની? ટીકીટ મળેલ રાજકીય પક્ષની કે જે મતદારોના મતોથી ચુંટણી જીત્યા છે તે બધાની! તમે સ્થાનીક પેપરોના સમાચારો પરથી સરળ તારણ કાઢી શકશો કે પક્ષની ટીકીટ લેવા જે ધસારો, પડાપડી ને બાહુબળોની સર્વોપરીતા દેખાઇ આવે છે તે પેલા મતદારોની સર્વોપરીતા જેવા, લોકશાહી મુલ્યોનું તો તેમણે ક્યારનું બાષ્પીભવન કરી નાંખ્યું છે. બીજું કે યેનકેન પ્રકારે ચુંટણી જીતીને રાજકીય સત્તા મેળવવી એ ખુબજ ટુંકાગાળમાં  મર્યાદિત મુડીમાં આર્થીક– નાણાંકીય સામ્રરાજ્ય પેદા કરવાનો આપણા દેશમાં ૨૧મી સદીમાં સૌથી નફાકારક ધંધો બની ગયો છે. જેમાં ઉધારી,વ્યાજખાધ, દેવું, બાકીદારી અને આર્થીક બજારોની તેજીમંદીનો અવકાશ જ નથી. હવે ઉપરના તારણોને ન્યાયી ઠેરવતા સમાચારો જોઇએ.

(1)     નડીયાદ નગરપાલીકાની ચુંટણીમાં સગાવાદ– પુર્વ–સાંસદના પુત્ર, પક્ષપ્રમુખના પત્નિ અને સભાપતિના ટીકીટની લ્હાણી.

(2)    કપડવંજ, કઠલાલ અને કંજણરીમાં ક્ષત્રીય જ્ઞાતીના ઉમેદવારોને સૌથી વધુ ટીકીટ આપી.

(3)    મહાનગરપાલીકઓ બાદ જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલીકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારોની યાદી જાહેર થતાં પક્ષમાં ભડકો–– બુધવારે યાદી જાહેર થઇ હોત તો ભાજપના પક્ષની કચેરીઓ સળગી હોત ! એક સમયનો કહેવાતો શિસ્તબધ્ધ, કેડરબેઝ પક્ષ.

(4)    ખેડાજીલ્લાના કોંગ્રેસપક્ષના મહામંત્રી આ તબક્કે ભાજપમાં ભવ્ય આવકાર કે વાજતે–ગાજતે જોડાયા.

(5)    ખેડાજીલ્લાના પેટલાદ નગરપાલીકા માટે ભાજપના ઉમેદવારોનો રાફડો, કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ફાંફા..

(6)    બોરસદ નગરપાલીકામાં ચુંટણી લડી નગરસેવકો બનવાની આશા રાખનારાઓએ બે દિવસમાં ૮ લાખ રૂપીયાનો વર્ષો જુનો પોતાનો બાકી તમામ કરવેરા ભર્યા!

(7)    અમદાવાદ મહાનગરપાલીકા– ભાજપમાં જમાલપુર, ગોમતીપુર, મકનપુરામાં અસંતોષીઓનો બળવો થવાની આશંકા...

(8)     મારો પુત્ર આપણા પક્ષ( ભાજપ) માટે છેલ્લા ૧૨ વર્ષોથી કામ કરે છે. તેના માટે ટીકીટ માંગવાનો મારો અધિકાર છે. ... ભુતપુર્વ મેયર અમદાવાદ મહાનગરપાલીકા.

(9)     વયમર્યાદા અને ૩ ટર્મ પછી નો રીપીટના મુદ્દે બંનેપક્ષોમાં ભારે ખેંચતાણ તથા અપક્ષ તરીકે ચુંટણી લડવાનું આયોજન...

(10) અમદા–મહા–નગર પેલા જુના ૧૭૧ સભ્યોએ પોતાના મતવીસ્તારમાં ૧૦ કરોડના બેસવાના બાંકડા બનાવી, પ્રજાના કરવેરાના પૈસાનું આધણ કર્યુ....

(11) અમદા–મહા– નગરના જુના ૩૯ કોર્પોરટર્સની ટીકીટો કપાશે.

(12) ગુજરાતની તમામ સ્થાનીક ચુંટણીઓમાં  પ્રથમવાર લેઉઆ– કડવા પટેલો એક મંચ પર....ફરી પાટીદાર પાવરની તૈયારી..

(13) ભાજપના કાર્યકરોના કાર્યાલય (કમલક) પરના ધસારાથી બચવા ગુજ–સરકારના ગૃહ્યમંત્રી જાડેજાએ હોટેલમાં જઇને મીટીંગ કરવી પડી.

(14) કોંગ્રસે પક્ષીય બળવાને ટાળવા માટે  પોતાના ઉમેદવારોના ઘરે  મેન્ડેટ મોકલવા પડયા.

(15) ભાજપે ગોમતીપુરમાં કોંગ્રેસ, બહુજન સમાજપાર્ટી અને અપક્ષ માંથી આવેલાને ટીકીટ આપી....

(16) સુરત મહા–નગરપાલીકા.. બીજેપીના ૧૫૦ કાર્યકરોને ટીકીટ ન મલતાં પક્ષમાંથી રાજીનામું ! પક્ષની ઓફીસે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન બનતાં પોલીસ બોલાવવી પડી.

(17)રાજકોટ, સુરત ને અમદાવાદના બંને પક્ષોના ચુંટણી લડતા ઉમેદવારોએ ફુટપાથો પર મંડપોબાંધી ચુંટણી કાર્યાલયોના ઉદ્રઘાટન કર્યા.

(18) શૈક્ષણીક લાયકાતો––અમદા–મહા– નગરમાં ચુંટણી લડતા ૮૦ પક્ષીય ઉમેદવારોની શૈક્ષણીક લાયકાત ધોરણ ૧૨ પાસની પણ નથી. કેટલાક ધો–૭,૮,૯, ધોરણ પાસ છે. ગઇ ટર્મમાં કુલ ૧૯૨ સભ્યોમાંથી  ત્રીજા ભાગના સભ્યો ધો–૧૨થી ઓછું ભણેલા હતા.

(19) ઓવેસી જે મુસ્લીમ નેતા છે તેઓએ અમદા–મહા–નગર ની ચુંટણીમાં મુસ્લીમ બહુમતી મતદાર વિસ્તારો જેમાં ભાજપ કાયમ હારતી હતી ત્યાં પોતાના પક્ષના મુસ્લીમ ઉમેદવારો સ્થાનીક મુસ્લીમ ઉમેદવારો સામે ઉભા રાખ્યા. તેના પક્ષને રાજકીય વિવેચકો ભાજપની બી ટીમ તરીકે ઓળખાવે છે.

(20) ગુજ– તમામ છ મહા નગરપાલિકામાં ચુંટણી લડતા ઉમેદવારોનો ચુંટણી ખર્ચ ૨લાખ હતો વધારી ૬ લાખ કરી દીધા.

 

આ ચુંટણીઓના હાકોટા, લોલીપપ અને બાહુબળોમાંથી આવતી કાલનું ગુજરાત કેવું હશે? તેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ઔધ્યોગીક વીકાસ અને કાયદો–વ્યવસ્થા વી ની સ્થીતી કેવી હશે?......


--

Sunday, February 14, 2021

માનવવાદ અને માનવતા વચ્ચે તફાવત.

શું માનવવાદ અને માનવતા બંને એક જ છે? તફાવત છે તો કયા કયા તફાવતો બંને વચ્ચે છે.

માનવવાદ એક માનવકેન્દ્રી વિચારસરણી છે. તે એક ધર્મનીરપેક્ષ વિચારસરણી છે. તેનું તારણ છે કે વીશ્વ ને બ્રહ્માંડમાં બનતા દરેક બનાવો કે ઘટનાઓ નિયમબધ્ધ છે. તેમાં દૈવી કે ઇશ્વરી સંચાલન હોતું નથી. માનવીના વૈજ્ઞાનીક ને બૌધ્ધીક પ્રયત્નોથી કોઇપણ ઘટનાને સમજાવી શકાય છે. તેના માટે ઇશ્વર કે દૈવી પરિબળોની જરૂર નથી. તે બધાની સમજણ માટે  માનવીય પ્રયત્નો જરૂરી અને પુરતા છે.

માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે. તેનું ભાવી પુર્વનિર્ણીત બીલકુલ નથી. માટે તે તેના જેવાજ અન્ય માનવીના સહકારથી  તમામ ભૌતીક સર્જનો,વિસર્જનો ને નવસર્જનો કરતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહેવાનો છે. દુન્યવી તમામ અસમાનતાઓ જેવીકે સામાજીક, આર્થીક અને રાજકીય વી. માનવસર્જીત હોવાથી તે સંયુક્ત માનવ પ્રયત્નોથી પરિવર્તનશીલ જ હોય છે.

તમામ માનવીય સંસ્થાઓનું કેન્દ્ર ઐહીક માનવ સુખ છે. માટે બધીજ સંસ્થાઓ માનવના કલ્યાણ માટે છે. પણ માનવીનો (બલી) સંસ્થાઓના હિત માટે ક્યારેય ઉપયોગ થાય નહી. ઐહીક માનવસુખ એટલે  મોક્ષ, પુન્ય, દાન જેવી પ્રવૃત્તીઓ નહી પરંતુ માનવી તરીકેનો તેનો ભૌતીક સંઘર્ષ કે જૈવીક સંઘર્ષને તેના જેવા અન્યના સહકારોથી સરળ બનાવવો.કુદરતી વિઘાતક પરીબળોમાંથી ક્રમશ; મુક્તી.

માનવવાદના તે માટેના માર્ગદર્શક મુલ્યો સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મના આધાર સિવાયનો નૈતીક વ્યવહાર.

માનવતા એટલે શું? ધર્મ કે ધર્મના આધાર સિવાયની મદદ, દાન. જેમાં મદદ કે દાન લેનારનો હાથ નીચે હોય છે અને આપનારનો હાથ ઉપર હોય છે.માનવતામાં માનવીય અસમાનતાઓ અને તેને ટેકામાં સર્જન પામેલી તમામ સંસ્થો ક્યારેય માનવ સશક્તીકરણ ( Human Empowerment) માટે પ્રયત્ન કરતી નથી. કારણકે માનવીય સશક્તીકરણ તો માનવીને તે બધાના પરાવલંબનથી સ્વાવલંબન તરફ દોરી જાય છે. સ્વાવલંબી ક્યારેય પરોપજીવી હોતો નથી. સ્વાવલંબી પોતાના સશક્તીકરણ માટે સંસ્થાઓનું સર્જન કરે છે. માનવતાના ટેકેદારો અપરીવર્તનશીલ ને જૈસેથે વાદીઓ હોય છે. તે બધા હંમેશાં ભવ્યભુતકાળના પુજકો હોય છે.


--

કોનું માનવીય ગૌરવ વધારે?

 કોનું માનવીય ગૌરવ વધારે?

એક સમાચાર– પશ્ચીમી જગતના ખ્રીસ્તી સંચાલકો પોતાનાં ધાર્મીક (સ્થાનો) ચર્ચ વેચે છે જ્યારે પુર્વના હીંદુ ધર્મના કેટલાક સંપ્રદાયોના જેવા કે  સ્વામીનારાયણ સંપ્રદાય વી. ના સંચાલકો ચર્ચ ખરીદે છે?

(૧) સ્વામીનારાયણ ગાદી સંસ્થાએ લંડન, કેલિફોર્નીયા સહિત વિવિધ જગ્યાએ ચર્ચ ખરીદ્યા હતા. વિદેશમાં પહેલીવાર એકી સાથે ૯ ચર્ચની જગ્યાએ સ્વામીનારાયણ મંદિર સ્થપાયું. ..બ્રિટનના લંડન, અમેરીકાના બોસ્ટન, કેલિફોર્નીયા, ડેલાવર, કન્ટકી, વર્જીનીયા, તથા કેનેડા અને ઓસ્ટ્રેલીયામાં ચર્ચની જગ્યાએ ભવ્યમંદીરની સ્થાપના કરવામાં આવી છે.

(૨) અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં ૧૫૯૦ કરોડ રૂપીયા દાનમાં મળ્યા છે. ( સૌ–બંને સમાચાર આજ નું દી. ભાસ્કર તા. ૧૪–૦૨ –૨૧. પાનું ૩ અને૧૦.

અમેરીકાના શિક્ષણ જગતના ઉપરના સમાચારો સામે  અગત્યના સમાચાર.–

શૈક્ષણીક વિશ્વની સર્વોત્તમ  યુનીવર્સીટો યુ એસ એ માં છે. હું તમને મને માહીતી છે તેવી એક જ યુની બોસ્ટન ની થોડીક વાત કરીશ. જેથી ત્યાંની પ્રજા અને સરકાર માનવ સંવર્ધનમાં ( ઇનવેસ્ટમટન્ટ ઇન હ્યુમન રિસોર્સીસ) કેટલા નાણાં રોકે છે અને આપણે અને અઅપણી સરકારો શે માં મુડી રોકાણો કરે છે. બોસ્ટન યુની. સ્થાપના સને ૧૮૩૯ અઅશરે ૧૮૨ વર્ષ પહેલા. કોલેજ કેમ્પસ ૧૩૪ એકરમાં.  ફીઝીયો થેરેપીમાં પોતાના દેશની ૫૬૪ કોલેજોમાં ૬ઠઠો નંબર, શિક્ષણમાં ૯૦૦ કોલેજોમાં ૯મો નંબર, દેશની સૌધી મોટી તમામ દ્ર્ષ્ટીએ ૧૩૧ મોટી કોલેજોમાં ૯માં નંબર, યુની કેમ્પસનું મુક્ત સ્વતંત્ર વાતાવરણમાં ( લીબરલ) લવ–જેહાદ વાળું નહી ૧૬૭૫ કોલેજોમાં ૧૧મો નંબર. બો. યુનીઆંતરરાષ્ટ્રીય જગતમાં ' પાવર હાઉસ નોલેજ' તરીકે ઓળખાય છે.

 થોભો! થોભો ! મેરા ભારત મહાન કારણકે અમે એક દિવસ વિશ્વગુરૂ બનવાના છે! કદાચ ૨૨મી સદીમાં!

સુચીત રામમંદિરનો ફોટો અને બોસ્ટન યુની નો ફોટો. 


--

Thursday, February 11, 2021

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

સીમ્પલ લીવીંગ એન્ડ હાઇથીકીંગ–

શું સાદુ જિવન ઉચ્ચવિચાર કરવા માટેની પુર્વશરત છે? આ વિચાર આપણા વ્યક્તીગત અને સમાજ જીવનના માપદંડનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ઔધ્યોગીકરણ, મુડીવાદ,ઉપભોક્તાવાદ ( Consumerism) અને આધુનીકતા જેવા ખ્યાલો જાણે ' સીમ્પલ લીવીગ અને હાઇથીકીંગ ' વિચારસરણીના પાયાના દુશ્મનો બની ગયા હોય તેવી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે.

પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે વ્યક્તીગત સાદુ જીવન કોને કહેવાય? શું તેણે પોતાના જીવનની જીવવા માટેની કે ટકાવી રાખવાની તમામ પ્રવૃત્તીઓ સ્વપ્રયત્નથી જ કરવાની હોય? કે તેમાં બીજાથી ઉત્પન્ન કરેલ ઉપયોગી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો હોય! માનવી તરીકે  આપણી પાયાની જરૂરીયાતોનો વિચાર કરીએ તો " રોટી કપડાં અને મકાન" જેવી અનીવાર્યતાઓ માટે અન્યનો સહકાર કેટલા પ્રમાણમાં જોઇએ. પેલા શિકારયુગના માણસની માફક જો આપણે ખોરાક માટે શિકાર, રહેઠાણ ને ખેતી બધું જ એકલદોકલ માણસે તેના પોતાના સ્વપ્રયત્નોથી કરવાનું હોય તો તે જીંદગી કેવી હોય! આપણો આ માણસ પોતાનું અસ્તીત્વ ટકાવવાના પ્રાથમીક જરૂરીયાતોના સંઘર્ષમાંથી જ જો સમય ન બચાવી શકતો હોય તો તે બીજા કયા ઉચ્ચ કે કહેવાતા આધ્યાત્મીક વીચારો કરી શકવાનો હતો?

આપણા દેશના ૨૧મી સદીના સામાન્ય નાગરીકની વાત કરીએ! બોલો ! તેના સાદા જીવન માટે ઘર જોઇશે રાજ મહેલ નહી, બાળકોના શિક્ષણ માટે કેટલી ફી  વાર્ષીક ભરવા માટેની સગવડ કરવી પડશે, મધ્યમ વર્ગના માણસની સ્થાયી નિયમીત આવક કેટલી જોઇશે, માંદગી અને અસલામતી માટેની નાણાંકીય જોગવાઇ કેટલી જોઇશે, નોકરી કે વ્યવસાયનું સ્થળ અને રહેવાનું સ્થળ બંને વચ્ચેના સતત વધતા જતા અંતર માટે કોઇ ટુ વ્હીલર, ચાર વ્હીલર જોઇશે ખરૂ? આવું સાદુજીવન જીવવા માટેના બે છેડા ભેગા કરવાના સંઘર્ષ સાથે પુછો તો ખરા ભાઇ! તેને કેવા અદ્ભુત ઉચ્ચ વિચારો આવે છે ! સાદા જીવન માટેની આપણી લઘુતમ યાદીનું લિસ્ટ  પેલા આપણને સાદા જીવનની સલાહ આપનારને પુછી જુઓ તો ખરા!  

હવે આપણે એ શોધવું જોઇએ કે આવી ઉત્તમ સલાહ આપનાર રાવબહાદુર કોણ છે? તે પોતે કેટલું સાદુ અને કહેવાતું ઉચ્ચ વિચારવાળું–કમ– પવિત્ર જીવન જીવે છે? આપણા સામાન્ય નાગરીક તરીકેના જીવવા માટેના સંઘર્ષમાંથી જે આપણી બચત મહામુશીબતે  ભેગી કરેલી હોય છે તેને આપણી આજુબાજુના કોણ પરોપજીવીઓ હા! પરોપજીવીઓ ફક્ત આપણા જ કલ્યાણ માટે કેવી સિફતભરી રીતે ઉઠાવી જાય છે? દરેક દેશના કાયદાઓ , બંધારણે તથા ન્યાયતંત્રે આવી લુંટને સદીઓથી કાયદેસરતા બક્ષી છે.

 જે દેશ અને દુનીયામાં મંદીરો, મસ્જીદો,ચર્ચો અને તમામ ધાર્મીક સ્થળો ભવ્ય નહી પણ ભવ્યાતીત હોય છે, તે દેશની મોટાભાગની પ્રજાને માથે છાપરુ પણ આ બધા ઉચ્ચ વીચારના ટેકેદારોએ રાખ્યું જ હોતું નથી. તમારે જો ઉચ્ચ વિચારવાળાઓની જમાતમાં ભળવું હોય તો તમે જેટલો બની શકે તેટલો પ્રજાના તારણહાર તરીકે  સાદાઇ ભર્યા જીવનનો દંભ કરો ! તેવી તમારી ઓળખનું પ્રતીક શોધી કાઢો!  તે પ્રમાણે પેલા મહેનતકશ  સાદુ જીવન જીવવા સંઘર્ષ કરનારા  લાખો–કરોડો લોકો તમારી પાસેથી ઉચ્ચવિચાર (?) મેળવવા સર્વસ્વ ન્યોચ્છાવર કરવા લાઇનો લગાવશે.

ખરેખર તો આપણો માનવી તરીકેનો સંઘર્ષ ભૌતીક જ છે. જે સંઘર્ષ તે સદીઓથી કરતો આવ્યો છે અને અત્યારે તે ૨૧મી સદી સુધીમાં પણ કર્યા કરે છે. પેલી પરોપજીવી જમાતે આ માનવીના જૈવીક સંઘર્ષને  પોતાના નીજી પણ નગ્ન સ્વાર્થ માટે તેને ઉચ્ચવિચારવાળો, આધ્યાત્મીક, પરલૌકીક, પાપ– પુન્ય વી.ના ચોકઠામાં ગોઠવીને આડાફાંટે કે રસ્તે ચઢાવી દીધો છે. તેમાંથી બહાર નીકળવું પેલા સાદાજીવનવાળા લાખો– કરોડો નાગરીકો માટે ખુબજ મુશ્કેલ બનાવી દીધું છે. આપણા કહેવાતા આ બધા ઉધ્ધારક ને ઉપકારક પરોપજીવીઓએ પોતે સમગ્ર સમાજના તારણહારો છે તેવો લેબાસ, વર્તન, વાણી અને તેમની જીવન પધ્ધતી આપણને સતત આધુનીક પ્રચારના સાધનોથી આપણા માથમાં દરરોજ આપણા પૈસાથી જ મારે છે.

 માનવીય ભૌતીક( જૈવીક) સંઘર્ષ એટલે શું? તેનો સાદો અર્થ ( ઉચ્ચવિચારવાળો નહી) એટલો જ કે તમામ કુદરતી પરીબળોના નિયમો સમજીને  માનવી તરીકે પોતાના જીવનને સુરક્ષીત અને બૌધ્ધીકરીતે ( મોક્ષ માટે નહિ) સતત વિકસતું બનાવતા જવું. પણ તે માટે કહેવાતા ઉચ્ચવિચારોની બિલકુલ જરૂર નથી. તેમજ તેવા વિચારોના ઠેકેદારો પેલા પરોપજીવીઓની જરૂર તો બિલકુલ નથી.

અરે દોસ્તો! આટલું તો વિચારો– કોરાના વાયરસ સામેની વેક્સીન માનવજાતનો જીવ બચાવવા કેટલી બધી મહત્વની છે કે તે માટે પેલા પરોપજીવીઓના બુમરાણો! આ વેક્સીનના સંશોધનો કેમ દેશ અને દુનીયાના કોઇ મંદીરો. મસ્જીદો, ચર્ચો કે સંસદ ભવનોને બદલે માનવ સર્જીત લંડન, ઓકસફર્ડ અને વીશ્વની પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનીક સંશોધન કેન્દો માં જ શોધાઇ! ૨૧મી સદીના સાદા સીધા મનુષ્ય માટે, આપણા માથાપર યેનકેન પ્રકારે ચઢી બેસીને આપણા વિચારોનો કબજો કરી દીધેલા પરોપજીવીઓને સાચા અર્થમાં  વ્યક્તીગત કલ્યાણ માટે આંદોલનજીવી બનીને આપણા માથેથી ફગાવી દેવાની  જરૂર છે.    

સાદર. આજનો લેખ જૈવીક ઉત્ક્રાંતીના શોધક ચાર્લસ ડાર્વીનની સ્મૃતીમાં. કારણકે આવતી કાલે તેઓનો જન્મદિવસ છે . ૧૨મી ફેબ્રુઆરી સને ૧૮૦૯.

 


--

Tuesday, February 9, 2021

જે લોકો કીસાન આંદોલનને ટેકો આપે છે..

  " જે લોકો કીસાન આંદોલનને ટેકો આપે છે તે બધા  આંદોલનજીવી અને પરોપજીવી! " વડાપ્રધાન રાજ્યસભામાં બોલ્યા.

 જે સીધા કે પરોક્ષરૂપે  મોદી સરકારને આ મુદ્દે તેમને ટેકો આપનારા જેવા કે ક્રીકેટર સચીન તેંદુલકર, અક્ષયખન્ના, વિગેરે જે બધાએ ક્યારે હળ પકડયું નથી કે દારતડાથી કોઇ પાકની લણણી કરી નથી તે બધાને મોદી સાહેબ કયા લેબલથી નવાજી શું ?.  આજના ઇન્ડીયન એકસપ્રેસના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે મોદીજી ! આવો આક્ષેપ કિસાન આંદોલનને ટેકો આપનારા કે આંદોલન કરનારા માટે ન વપરાય! સરકારી વડા તરીકે ને કાયદા લાવનાર તરીકે  જો તમારે સંવાદ અને  આપલે ની ભુમીકા પેદા કરવી હોય તો ભાઇ! તમારા આવા ઉચ્ચારણો તો બળતામાં ઘી ઉમેરનારા સાબીત થશે ! તમારા આવા ઉચ્ચારણો માટે આ પેપરના તંત્રી એ અંગ્રેજીમાં શબ્દો વાપર્યા છે...

(When the need is to build bridges, his taunt — the nation must protect itself from the new FDI, he said, of Foreign Destructive Ideology — is counter-productive.)

તમે આ બધુ અવિવેકી બોલી ગયા હવે જ્યારે સમધાન કે ચર્ચાને ટેબલ પર બેસશો ત્યારે આપ સાહેબને ! ત્યારે તમારા શબ્દકોશમાંથી આવા અપમાનજનક શબ્દો વાપર્યા પછી  પ્રશ્નના ઉકેલ માટે  કેવા શબ્દો શોધી લાવશો? હવે તો આખા વીશ્વને  સારી રીતે ખબર છે કે બે માસ કરતાં પણ વધારે સમયથી ચાલતું કિસાન આંદોલન જેમાં આશરે ૧૫૦ કરતાં વધારે કિસાનોએ પોતાની જાન ગુમાવી છે, બિલકુલ શાંતીમય પ્રમાણમાં રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે સદર આંદોલનને શાંતીમય આંદોલન તરીકે ચલાવવાના હક્કને માન્ય રાખ્યો છે.

  તમારા રાજકીય અન્ય વીરોધીઓ માટે  તેમની મશ્કરી કરતા, હલકા શબ્દો વાપરીને  તમે તેમના તમારી નીતીઓ સામેના પ્રજામત કેળવવાના અધિકારને કેવી રીતે નકારી શકશો? તેમાં તમારી આબરૂ કે ગરીમા વધતી નથી.હજુ આ દેશમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા છે. મરી પરવારી નથી.

Now he must also find the vocabulary to communicate it to those who oppose it. Respecting their 

Now he must also find the vocabulary to communicate it to those who oppose it. Respecting their right to do so, rather than mocking them,

--