Monday, December 27, 2021

બાપના કુવામાં ડુબી ન મરાય !

બાપના કુવામાં ડુબી ન મરાય !

The nest leaving is the must.  જે માળામાં પક્ષીઓ જન્મે છે તે બધા ને પાંખો  આવતાં તે માળા છોડી દે છે. અને પછી પોતાનો નવો માળો બનાવે છે. તે બધાને પોતાનું જન્મ સ્થળ કાયમ માટે ભુલી જવાનો આનંદ જ અનેરો હોય છે.

માનવબાળ (?) કેમ? તે ગમે ઉંમરનો થાય છતાં બાપના કુવામાં જ પડી રહે છે? માતાના પેટમાંથી બહાર નીકળ્યા કે તરત જ નાભીનાળ, માતા સાથેનું છેલ્લું અને આખરી જોડાણ વાસ્તવીક રીતે કાપી નાંખ્યા પછી પણ તે ન્યાતો કે સંબંધ શારીરક નહી તો માનસીક રીતે કેમ ચાલુ રહે છે? તે જોડાણ ચાલુ રાખવામાં ફક્ત માબાપ ને રસ હોય છે ? કે પછી પેલા દિકરાને બાપના ધોતીયાનો છેડો અને દિકરીને મા ના સાલ્લાનો છેડો કેમ છોડવો ગમતો નથી? સાલુ ! પાછુ તો ગર્ભમાં જવાય તેમ નથી, ( One cannot go back to one's mother's womb.) માનસીક કે અન્ય અસલામતીની ભાવનાનો અંત કેમ બંને પક્ષો નો ઓછો થતો કે નાબુદ થતો નથી?

 જૈવીક ઉત્ક્રાંતીના સંઘર્ષના વારસામાં  જીવન ટકાવી રાખવું એટલે જ  બંધનોમાંથી મુક્ત થવું! જેવો માનવી, તેવું તેનું કુટુંબ, કબીલો, તેવો તેનો સમાજ અને આખરે દેશ. માનવ સમુહો, ભાત ભાતના અને જાત જાતના  બંધનોના ગુણગાન ગાઇ કે, તેની સ્વરચિત જંજીરો, બેડીઓ ને ચકચકાટ કરીને  તેની ભક્તી કરતો હોય છે. પ્રશસ્તિ અને પુજા કરતો હોય છે. કુવામાં ડુબકા મારવાની અને પોતાના વારસોને પણ વારસામાં  ડુબકીઓ મારવાની નિપુણતા આપીને જવાની સંસ્કૃતી કેટલી મહાન હતી તે છેલ્લા પાંચ હજાર વર્ષોથી અનુભવતા આવ્યા છે.તેના પરિણામો  ભરપેટ ભોગવ્યા છે, હજુ ભોગવીએ છીએ અને પાછા વારસામાં તે આપીને જવાના છીએ. જે કોઇ પેલા કુવામાંથી બહાર નીકળવાની કોશીષ કરે, અન્યનો સહકાર લેવાનો તે માટે પ્રયત્ન કરે છે તેનું પેલું ટોળુ ડબલ જોરથી સીડી ગોઠવીને પાછો નીચે પટકી પાડે અને પછી તેનો ઉત્સવ ઉજવે!

બાપના કુવામાં ડુબી મરવાને બદલે તેમાંથી બહાર નીકળવું કેવી રીતે? અન્ય સજીવોમાંથી બોધપાઠ લઇ શકાશે ખરો? માનવીય સ્તર પર જીજીવીષા ટકાવી રાખવાનો સંઘર્ષ એટલે  પોતાના બાળકોને નાનપણથી સાચુ શું છે કે ખોટું શું છે  તેના નિર્ણય કરવાની, તે પધ્ધતીએ ( તર્કવિવેક બુધ્ધીથી) ભૌતીક સત્ય, (મૃત્યુ પછીના આધ્યાત્મીક સત્ય માટે ઝોળો લઇને ભીખ માંગવાનું નહી) શોધવાની તાલીમ જાગૃત અજાગૃત રીતે શીખવાડવાની ! નિર્ણય કરવાના જોખમમાંથી ભવિષયમાં તે તેને પોતાનો માળો બનાવવી તાકાત મલશે. પછી તે ગૌરવ થી કહી શકશે " That is my Dady"s house but I will create my own. Now This is my dream since my childhood. " 

 મારે મારા બાપના કુવામાં થીંગડા મારીને કે પ્લાસ્ટર કરીને, ભાઇએ ભાગ પાડીને કે પાર્ટીશન દિવાલ કરીને જીવવું નથી જ. સ્વતંત્રતા માટેના રચનાત્મક સંઘર્ષમાંથી મળેલા સુખનો મારો આનંદ પેલા આભાસી વારસાને ટકાવી રાખવા કરતો અતિભવ્ય હોય છે.

પ્રયત્ન કરી જુઓ  દોસ્તો!   પશ્ચીમી જગતે  આશરે ૫૦૦ વર્ષ પહેલાં કોલંબસને અમેરીકા અને વાસ્કોડી ગામાને ભારત  અને ચાર્લસ ડાર્વીને  બસો વર્ષ પહેલાં સજીવ ઉત્કાંતીનું ભૌતીક મુળ શોધવા  પોતાના માબાપોના માળા ત્યજીને મોકલ્યા હતા. પરિણામ તમારી સામે છે.


--

Saturday, December 25, 2021

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

ક્રિસમસ ટી્ સામે હયુમેનીસ્ટ એન્ડ એથીયેસ્ટ ટી્ ઇન અમેરીકા.

 તારીખ ૨૫મી ડીસેમ્બરે સમગ્ર ખ્રીસ્તી જગત હેપી ક્રિસમસ ડે તરીકે ઉજવે છે. તે બધા માટે આ બહુ પવિત્ર દિવસ ગણવામાં આવે છે. ક્રીસમસ ટી્ને  રંગે ચંગે શણગારવામાં આવે છે. તેના વૃક્ષની શાખાઓ ઉપર ઘંટડી, દીવા, લાઇટની સીરીઝ અને માનવ મનમાં જે સ્ફુરે, કે વિચાર આવે તે બધુ ડેકોરેશન તરીકે   મુકીને તેને શણગારવામાં આવે છે.  પોતાના ઘરના નાના બાળકોને શ્રધ્ધાઅંધશ્રધ્ધા સાથે એવો ભયંકર જુઠઠણો વિશ્વાસ પેદા કરવામાં આવે છે  કે મોડી રાત્રે શાંતાક્લોઝ ઘરમાંની ફાયર પ્લેસવાળી ચીમનીમાંથી નીચે આવશે અને તમારા બધા બાળકો માટે ભેટસોગાદો પેલા ક્રીસમીસ ટી્ પાસે મુકી જશે. શાંતા નો આભાર માનવા કે થેક્સ કહેવા તે ઝાડ પાસે દુધનો કટોરો માબાપો મુકે છે. વધારામાં બાળકોના માબાપો પેલા ચમત્કારી રેન્ડીયરના ગાડીમાં બેસીને આવતા શાન્તા સાથે એવી ગોઠવણ કરે છે કે  બાળકો જે  ભેટોની ફરમાઇસ કરે  તેવી બધી ગીફ્ટસ શાંતા લાવીને પેલા ક્રીસમસ ટી્ પાસે , ઘરના બાળકો સુતા હોય  ત્યારે મુકી જાય છે.

 આવી ભયંકર અંધશ્રધ્ધા સામે અમેરીકન હ્યુમેનીસ્ટ, એથીકલ, અને એથીયેસ્ટ વિ. સંસ્થાઓએ નાતાલના પંદર દિવસ પહેલાંજ દરેક શહેરના બગીચાઓ,અને અન્ય જાહેર સ્થળો પર ટી્ ઓફ નોલેજ ના પ્રદર્શનો શરૂ કરી દે છે. ક્રીસમસ ટી્ ની સામે બીજા કૃત્રીમ ઝાડ ઉભા કરી દેવામાં આવે છે. તેના થડ, ડાળીઓ અને પાંદડાઓ પર ખાસ ક્રાંતીકારી, સમાજ પરિવર્તનને પ્રદર્શીત કરતી ચોપડીઓ અને ફોટાઓ અને ડાર્વિનનું ઉત્કાતિ વાળુ ટી્ ઓફ ઇવોલ્યુશન પણ બતાવવામાં આવે છે. ગેલોલીયોનું દુરબીન, બ્રનો અને કોપરનીકસ અને ડાર્વીનની ' થીયરી ઓફ ઇવોલ્યુશન, હેનગ્રે ની એનેટોમી, અમેરીકાના પ્રથમ ત્રણ નિરઇશ્વરવાદી રાષટ્પ્રમુખોના ફોટા, કપ્યુટર, મોબાઇલ. સ્પુટનીક વિ વિ. આ બધા વૃક્ષો પર સરસ ડેકોરેટ કરીને મુકવામાં અવેલા હોય છે.

 અમેરીકાની જુની રાજધાની ફીલાડેલફીયામાં થોમસ જેફરસનના સ્ટેટયુ પાસે મેં પોતે આવા ટી્ ઓફ નોલેજ જોયેલાં હતાં.  બધું જાતે જોયેલું છે. પુરાવા તરીકે ગુગલ સર્ચમાંથી અત્રે તેના ફોટા મુકેલા છે.

આપણી અંધશ્રધ્ધા સામેની લડાઇ સ્થાનીકની સાથે સાથે વૈશ્વીક પણ છે.

 

 

 

 


--

Friday, December 24, 2021

ગુજરાત મોડેલ– કુવામાં ન હોય તો હવાડામાં...

   ગુજરાત મોડેલકુવામાં ન હોય તો હવાડામાં............ એક સમાચાર. પણ શું? શાણપણ( WISDOM).

 સાહેબે બનારસકાશીમાં ગંગા નદીમાં બે ડુબકી મારી, કોરીડોરનું ઉદ્ઘાટન કર્યુ અને મહાઆરતી કરી. ભાજપા સંચાલિત ૧૧ રાજ્યના મુખ્યમંત્રીઓએ અયોધ્યા મુકામે ભેગા થઇને તે જ દિવસોમાં શહેરમાં આવેલ સરયુ નદીમાં શું કર્યુ તે સમાચાર નથી. પણ પોતાના રાજ્યોમાં હેમખેમ પાછા ફરતાં વોટસઅપ યુની્ માંથી નવીદીલ્હીની મોટી ઓફીસમાંથી એક સીલબંધ કવર મલ્યું છે તેવા સમાચાર છે. સીલબંધ કવરમાંથી સીલબંધ માહીતી મતાં સમાચાર છે કે દરેક રાજ્યોના મુખ્યંત્રીઓએ નવા ૨૦૨૨ના ગુજરાત મોડેલના પ્રોજેક્ટ પ્રમાણે પોતાના રાજ્યની તમામ નદીઓમાં ડુબકીમાર તથા નદીઓના કિનારે મહા આરતી વિ.નો નીચે મુજબનો કાર્યક્રમ રાખવો ફરજીયાત છે.

કાર્યક્રમની શરૂઆત

()  કેલીકો મીલ પાસેથી પસાર થતી સાબરમતી,વટવા ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ,  નડીઆદ ન્યુશોરોકમીલ અને ઇન્ડસ્ટી્અલ એસ્ટેટ, વડોદરા એલમ્બીક કેમીકલસ, અંકલેશ્વર, વાપી વિની પણ ઇન્ડસ્ટી્અલ એસ્ટેટસ માંથી પસાર થતી નદીઓના કિનારેથી શરૂઆત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત બધા જ મહાનગરો વિ. આ મોડેલ પ્રોજેક્ટમાંથી  બાકાત ન રહેવા જોઇએ. કારણકે સમાનતા એક મુલ્ય તરીકે આપણા બંધારણનો તો આત્મા છે.

() ટી વી પર સાહેબના ડુબકીમાર કાર્યક્રમમાં જે દર્શન થયાં તેમાં હાથ ગંગા નદીમાં નીચે જમીન સુધી અડકી ગયેલા હતા કે નહી તે જોવા મળેલ નથી પણ સાહેબ ભગવા વસ્રો સાથે નદીમાંથી ક્રમશ; પગ અધ્ધર આવતા હોય તેવા દર્શન થયેલા. તેમાં નીચે મુજબનો સુધારો કરીને દરેક રાજ્યના  સીએમ સાહેબોનો  વિડીયો લેવો તેવું ફરમાન થયેલ છે.

() ફોરેન ડાયર્કટ ઇનવેસ્ટ ( એફડીઆઇ) સાથે થયેલ નવા કરારો( એમ ઓ યુ) મુજબ દરેક કે દરેક રાજ્યના ભાજપ સંચાલીત રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે " ડુબકીમાર કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી, મહીસાગર, નર્મદા અને તાપી જેવી  વિશાળ નદીઓમાં મહાઆરતી શરૂ કરતાં પહેલાં આપણા સાહેબ કરતાં વધારે સારો વિડીયો લેવાય તેવો પ્રોજેકટ કરવાનો છે. પરદેશનાં વિશ્વગુરૂ પ્રોજેક્ટમાં આવા વિડીયો એકપોર્ટ થાય, લાખો ડોલર્સ સદર પ્રોજેક્ટમાંથી કમાવાય  અને એક રૂપીયાના એંસી ડોલર્સ મલે માટે કેટલાક પાયાના ફેરફારો મુળ પ્રોજેક્ટમાં કરવામાં આવેલ છે.

() ફેરફારદરેક સી એમ સાહેબે મોટા સાહેબ કરતાં મોટી નદીઓમાં કિનારે થી ઓછામાં ઓછા ૫૦ મીટર દુર લગભગ નદીની વચ્ચે ડુબકીમારકાર્યક્રમનું આયોજન કરવાનું છે. ત્યાં જઇને પછી સાહેબે કર્યા મુજબ ડીટટો કે કોપી ડુબકીમારકાર્યક્રમ કરવાનો છે. જે નવા કરાર માં લખેલું છે. તે એસ ઓ પી (Standard Operating Procedure) છે.

() દીલ્હીવાલા સાહેબોએ ખરા અંતરથી કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી છે.

 લેખ લખતાં લખતાં મળેલા સ્ટોપ પ્રેસ સમાચારદિ. ભાસ્કર ગૂરૂવાર તા. ૨૩ અને ૨૪ ના સમાચારો.

(1)  ઓમીક્રોનનો ખતરો છતાં ગુજરાત સરકાર સુશાસન સપ્તાહ અને નદી ઉત્સવ મનાવશે. તા. ૨૬થી ૩૧ ડીસેમ્બર સુધી આ ઉત્સવોની ઉજવણી થશે. સાબરમતી, નર્મદા અને તાપી કાંઠે મહાઆરતી થશે.

(2)  બ્રિટનમાં હાહાકાર. ૨૪ કલાકમાં એક લાખથી વધુ કેસો કોરોનાના અને ૧૨૦૦૦ ઓમીક્રોનના  કેસ નોંધાયાછે.

(3) ગુજરાત સરકાર ફરી ગાઇડ લાઇન પર. સમારંભો, ઉત્સવો, સમારોહ, સંમેલનો પર નિયંત્રણો લાવશે.  વાયબ્રન્ટ સમીટમાં ૪૦૦ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. દેશમાં ૩૦૦થી વધુ ઓમીક્રોના કેસો નંધાયા છે.

(4) ઓસ્ટે્લીયામાં એક જ દિવસમાં ૮૦૦૦ કેસ. તેની આરોગ્ય્ સંસ્થાએ જાન્યુઆરીથી રોજના એક લાખ કેસની આશંકા વ્યક્ત કરી છે.

(5) હૈ ગંગૈય! ગંગામાં, સાહેબના તાજેતરના બનારસીકાશીના કાર્યક્રમોમાં અંધશ્રધ્ધા હોય કે શ્રધ્ધા ( જો કે અમારા રેશનાલીસ્ટો માટે બે એક  જ છે. લેશ  માત્ર તફાવત નથી.) પણ ઓમેક્રોનના મરણતોલ પરિણામોથી દેશને અને ખાસ કરીને તમારા કિનારે કિનારે વસ્તી પ્રજાને બચાવજો! નહી તો અમારા ગુજરાતની પેલી માથા ફરેલ પારુલ ખક્ક્રર કવીયત્રી કવિતા લખી નાંખશે. ને પછી અમારા સાહેબના તંત્રે તેણીની સામે બબાલ કરવી પડશે.


--

Wednesday, December 22, 2021

અનૈતીક સંબંધો એટલે શું?

 અનૈતીક સંબંધો એટલે શું? આ સાથે ગુ. હાઇ કોર્ટે તાજેતરમાં ખાધાખોરાકી ના કેસમાં આપેલ ચુકાદાને આધારે. સર, તમે લિગલ બાજુને બદલે માનવીય દ્ર્ષટીકોણથી અનૈતીક સંબંધોના ખ્યાલ કે વિભાવનાને સમજાવો. હ્યુર્મેનીસ્ટ એકેડેમીના વિધ્યાર્થીએ પુછેલો પ્રશ્ન.

 દિ ભા. દૈનીકની તા. ૨૧૧૨૨૧. મહેસાણા આવૃતિના સમાચાર છે. સમચારનું મથાળુ ,

ફેમીલી કોર્ટે મંજુર કરેલા  છુટાછેડા સામે  પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.  પત્નીના અન્ય સાથે અનૈતીક સંબંધ હોય તો પણ તેણી ભરણપોષણ મેળવવા હકદાર છે ;  હાઇકોર્ટ.

જવાબમારા મત મુજબ તો પ્રથમ આપણે એ જાણવું રહ્યું કે  નામદાર ગુજરાત હાઇકોર્ટે અનૈતીક સંબંધો ' જેવો શબ્દ વાપર્યો છે કે કેમ? અથવા તો પછી દૈનીક પેપરના  અખબારી પ્રતીનિધિએ પોતે સમાચાર લખતા સમયે આ શબ્દ વાપર્યો છે? આપણે તે બાબતનું સત્ય શોધવા માટે નામદાર હાઇકોર્ટે  પોતાના અંગ્રેજી ચુકાદામાં અનૈતીક સંબંધોમાટે કયો શબ્દ અંગ્રેજીમાં પોતાના ચુકાદામાં વાપર્યો છે તે જાણવું પડે!

 તે બધાની પરોજણમાં પડયા વિના આપણા  સમાજના અનૈતીક સંબંધોઅંગે જે ખ્યાલો છે  તેમાં લગ્ન પહેલાના કે પછીના સંબંધોને તે અનૈતીક સંબંધો તરીકે જ જુએ છે.  હવે આપણે તે બે શબ્દોમાંથી એક શબ્દ અનૈતીક (Immoral) કોને કહેવાય તે સમજવાની કોશીષ કરીએ. સામાન્ય માણસને પુછીએ કે  ભાઇ! તું કોઇ વર્તનને અનૈતીક વર્તન કોને કહીશ!  સમાજે કે ધર્મે જેનો અસ્વીકાર કે વર્જ્ય ગણયુ હોય તે્ને અનૈતીક કહેવાય!  આ રિવાજ માનવજાતના બધા દેશો, બધી પ્રજાઓ માટે ફરજીયાત, સર્વસ્વીકૃત કે પછી ?

 નૈતીક્તા ધાર્મીક કે ધર્મનિરપેક્ષ ? Is morality religious or secular? માનવીના નૈતીક વ્યવહારો માનવ માનવ વચ્ચે હોય કે માનવી અને મૃત્યુ પછીના જીવન માટે? જો માનવની વ્યવહારો ખરેખર માનવ માનવ વચ્ચે હોય તો તે વ્યવહારોનો હેતુ શું હોવા હોઇએ? માનવીની તર્કવિવેકબુધ્ધી ( Rationality)  તેને બોધ આપે છે કે  હે! માનવ! જો તારે તારૂ અસ્તિત્વ ટકાવી રાખવું હશે, તેનો તારી બુધ્ધીશક્તી મુજબ વિકાસ કરવો હશે જે તે તારી જૈવીક જરૂરીયાત છે, દૈવી કે ઇશ્વરી જરૂરીયાત નથી, તો તારે એક બીજા સાથે સહકારથી , શાંતીથી કેવી રીતે જીવવું તે શીખવું પડશે. તારે પોતે જ  નક્કી કરવું પડેશે. " The man is moral because he is rational not because he is religious. બે પુખ્ત ઉંમરના વિજાતીય સ્રીપુરૂષો, સજાતીય કે સમલૈગીંક કોઇપણ જાતના લગ્નના બંધનો સિવાય એકબીજાની ઇચ્છાથી સાથે રહીને જીવન જીવે તેમાં અનૈતીક શું? થોડા સમય માટે કે કાયમ માટે આવા સંબંધોથી કોઇ કાયદાનું ઉલ્લઘન ન થતું હોય તો પછી તેમાં અનૈતીક શું?

 ૨૦મી સદીના મહાન તત્વગ્નાની બર્ટાન્ડ રસેલે પોતાની વિશ્વ વિખ્યાત પુસ્તક " Marriage & Morals" માં આ સંબંધો માટે અંગ્રેજીમાં બહુ જ વિચારપુર્વક શબ્દ શોધી કાઢયો છે " Extra marital relations" તેનો ગુજરાતી અર્થ થાય છે લગ્નોત્તર સંબંધો ", આ સંબંધોની સામાજીક જરૂરીયાત સમજાવતાં રસેલ લખ્યું છે કે  તે આપણા શહેરી અને ઔધ્યોગીક સમાજની દેન છે જેણે સ્રી ને ઘરની બહાર બૌધ્ધીક કુશળતા પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે જીવન જીવવાનું શીખવાડી દીધું છે.

આ સંબંધોને અનૈતીક સંબંધો જાહેર કરવાનું ધર્મ અને તેના ઠેકેદારોને એટલા માટે અનિવાર્ય દેખાય છે  કારણકે તેમાં તેમની સત્તા અને અધિકૃતતાને સીધો પડકાર છે. સદીઓથી તેમની પાપપુન્યના ભય વિ.ને બતાવી જે પરોપજીવી જીવન ચાલતું હતું તેના અસ્તિત્વનો ભય પેદા થયો છે.

વિદેશમાં સ્થાયી થયેલા આપણા દેશી વડીલોને આપણે એટલું જ પુછી જુઓ કે તમારા પુખ્ત ઉંમરના     દિકરા કે દિકરી ને કોઇ દિવસ પુછવાની હિંમત કરી છે ખરી કે જેની સાથે લગ્ન સિવાય દિવસો નહી પણ વર્ષો સુધી સાથે જીવન જીવો છો તો ક્યારે તમારી " Ring Ceremony" રાખી (લગ્ન માટેની દરખાસ્ત) છે?  કદાચ એવું હશે ભાઇ! દેશમાં જે અનૈતીક છે તે વિદેશમાં જતા નૈતીક સંબંધ થઇ જતો હશે.  


--

Friday, December 17, 2021

વેકસીનના સંશોધન ક્ષેત્રે ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  વેકસીનના સંશોધન ક્ષેત્રે  ઇગ્લેંડની લંડન યુની. ને સીરીમ ઇન્સ્ટીટયુટ પુનાવાલા  કુટુંબનું ૫૦૦ કરોડ રૂપીયાનું દાન.

  લંડનમાંથી સમાચાર છે કે  પુનાવાલા ફેમીલીએ ૫૦ મીલીયન પાઉંડનું દાન લંડન યુની. ને વેક્સિનોલોજીનું નવું સંશોધન કેન્દ્ર બનાવવા માટે આપેલ છે. તેમાં ૩૦૦ રીસર્ચ વૈગ્નાનીકો  કામ કરી શકે તેટલું મોટું આ કેન્દ્ર્ હશે. આ સંશોધન કેન્દ્રનું નામ પુનાવાલા વેકસીન રીસર્ચ બીલ્ડીંગ રહેશે. શીતળાની રસી શોધનાર એડવર્ડ જેનર (1749-1823 )ની  યાદમાં બનાવેલ  જેનર ઇન્સ્ટીટયુટની વડી ઓફીસને પણ આ નવા બીલ્ડીંગમાં સમાવી લેવામાં આવશે ; જેમાં કોવીડ૧૯ની એસ્ટો્જેનેકા નામની વેકસીનને સંશોધિત કરીને વિકસાવવામાં આવી હતી. પુનાની સીરમ વેકસિન ઇન્સ્ટીટયુટે તે જ વેકસિનના ૧૦૦ કરોડ ડોઝ કોવીશીલ્ડના નામે બનાવીને આપણા દેશની પ્રજાને મોટી જાનહાનીમાંથી બચાવ્યા હતા.

 લંડન યુની. ના વાઇસ ચાન્સેલર પ્રો. એલ રીચાર્ડસન આનંદ વિભોર બનીને આ માતબર દાન સ્વીકાર્તાં જણાવ્યું હતું કે આ દાનની મદદથી અમે વેકસીનને ક્ષેત્રે ઘણું સંશોધન કરી શકીશું. પુનાવાલા ફેમીલી સાથે અમારી યુની. ને ઘણો જુનો સંબંધ છે. સને ૨૦૧૯માં સાયરસ પુનાવાલાને  લંડન યુની. એ વેકસીનના ક્ષેત્રે અદ્યતીય કામકરનાર તરીકે  માનદ્ ડીગ્રી એનાયત કરીને બહુમાન કરેલુ હતું.

સૌ (ટા ઇ ઓફ ઇંડીયા તા. ૧૭ ડીસે ૨૦૨૧.)


--

Wednesday, December 8, 2021

બીલાડીની આત્મકથા ભુલ સુધાર–

બીલાડીની આત્મકથા ભુલ સુધાર

(1) ભુલ સુધાર પાનુ . ચોપડીની કિંમત  નહી લખવાની. પ્રીન્ટર્સ ચંદ્રીકા પ્રિન્ટરી,  ૧૯, અજય ઇન્ડસ્ટીઅલ એસ્ટેટ, યુનીયન બેંકની બાજુમાં, દુ દેસાઇ, દુધેશ્વર, અમદાવાદ. ૩૮૦ ૦૦૪, માલિકરાકેશ,98253 36136. .   

(2) પાન નં ૯ પર ફક્ત મારો બી. શ્રોફ નો મો . નં 97246 88733. લખવાનો.

(3) પા નં ૧૨ છે છેલ્લી લીટી  કાઢી નાંખવાનુંજુવાન જુવતીઓ. લખવાનું યુવાન યુવતીઓ.

(4)  પા. ૧૩.મહેન્દ્ર ચોટલીયાનો ફોટૌ તમે લીધેલો બરાબર છે.  તે જ ફોટો ચોટલીયાએ મને મોકલ્યો છે. ચોટલીયાનો મો. નં બદલાયો છે. નવો નંબર 70690 68921

(5) પાનું૧૭ જયંતિ પટેલની વિગત.  સરનામું ૧૦, કાદ્મબરી સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૧૫. મો. નં 94294 28822.

(6)  પાનું ૨૪ બીજો ફકરો ચોથી લીટી. પોતાના ને બદલે પિતા ના શબ્દ જોઇએ.

(7)  પાનુ.૨૯ પરેરા ત્રણ લીટી ચારખોટો શબ્દ નષેધ, ખરો શબ્દ નિષેધ.

(8) પાનું. ૩૭ છેલ્લો ફકરો છેલ્લી લીટી, એક શબ્દ છુટો છે જ   થ્થો જથ્થો જોઇએ.

(9) પાનુ.૩૯ પહેલો ફકરો ચોથી લીટી ફેંકી દે છે. ખરો શબ્દ ફુંકી દે છે.

(10)  પાનું ૪૯ નીચેના ફકરાની નીચેથી ઉપર તરફ ત્રીજી લીટી ખોટો શબ્દ અમ ખરો શબ્દ અમો જોઇએ.

બુકમા પ્રકાશન નિમીત્તે  પ્રકાશક બીપીન શ્રોફના બે બોલ.

અમારા જેવા રોયવાદી માટે  ' બીલાડીની આત્મકથા' પુસ્તકનો ઇબુક તરીકે નવો આધુનીક જન્મ એક ક્રાંતિકારી રોમાંચ પેદા કરે છે. કારણ કે  સદર પુસ્તકની તમામ હાર્ડકોપી અથવા પ્રકાશિત નકલો અલભ્ય બની ગઇ હતી. નવા પ્રકાશન અને પછી તેના વિતરણના પ્રશ્નોની માયાજાળમાંથી બહાર નીકળવું લગભગ  અશક્ય હતું.  એવે સમયે ' મણી મારુ પ્રકાશન' ના અમારા સાથી ગોવિંદભાઇ મારુ, જે ઇબુકના ક્ષેત્રમાં અમારા માટે મીત્ર, માર્ગદર્શક, અને એક સારથી છે, તેઓએે અમારો હાથ પકડયો.  મહાન ક્રાંતિકારી એમ.એન.રોયના વિચારોને આ પુસ્તક દ્રારા ગુજરાતીમાં મુકીને વિધ્યાનગર યુની. આણંદના પ્રો, મહેન્દ્ર્ભાઈ ચોટલીયાએ એક માનવવાદી વિચારસરણીને લોકભોગ્ય અને હળવાશની ભાષામાં મુકી હતી. તેની ઇબુક બનાવીને  ગોવિંદભાઇ મારુએ તેને સાત સમંદરની સીમાઓની  આજુબાજુ વસતા ગુજરાતીઓને  હવે પેલા ' બીલાડીના મ્યાંઉ' ને વૈશ્વીક બનાવી દીધું. બીજું આ ઈ બુકના જીવનને ગોવિંદભાઇએ સમયાતીત અને અમર બનાવી દીધું છે. યાદ રાખજો! દોસ્તો, ગોવિંદભાઇએ ફક્ત ઇબુકને અમરત્વ આપ્યું નથી પણ ખરેખરતો બીલાડીના મુખેથી એમ. એન. રોયે  જે વિચારો આધારીત  વિદ્રોહ માટેની ભુમી તૈયાર કરી આપી છે તે કાબીલેદાદ છે.  તે વિદ્રોહની ભુમીમાં બીલાડીના મુખેથી અવિરત વહેતા જ્વાળામુખી સાથે વિસ્ફોટક બનીને વિચારોને ખુલ્લા મને માણવાની  તક આપણા સૌના દોસ્ત ગોવિંદભાઇએ પુરી પાડી છે. સાથી ગોવિંદભાઇ, સાચા અર્થમાં તમે માનવવાદી અને રેશનલ વિચારોના રથને હાંકનારા સારથી જ બન્યા છે. હું તમારો ખુબજ ઉપકારવશ છું.

તા.૧૨૨૧. મહેમદાવાદ.


--

Saturday, December 4, 2021

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

શું નાસ્તીકતા અને રેશનાલીઝમના ખ્યાલો ( Concept) એક જ છે કે ભિન્ન?

નાસ્તિકતા કે નિરઇશ્વરવાદનો સાદો સીધો અર્થ છે ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર.

ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસ પ્રથમ હતો જેણે ઇશ્વરના અસ્તીત્વ અંગે શંકા કરી હતી. એપિક્યુરસે ઇશ્વરના અસ્તીત્વ અંગે પ્રશ્નોની હારમાળા ઉભી કરી દીધી હતી. શું ઇશ્વર ખરેખર માનવીના દુષટ અથવા ખરાબ વર્તનોને અટકાવવામાં રસ ધરાવે છે ખરો? તે ખરેખર તે અટકાવવામાં શક્તિશાળી છે ખરો? તે અસહાય,અશક્ત કે નામર્દ છે. (Then he is impotent.) વિશ્વના માનવીઓના ખરાબ વર્તનો રોકવામાં જો ઇશ્વર અશક્તિશાળી હોય અને તે દુર કરવાની લેશ માત્ર ઇચ્છા ધરાવતો ન હોય તો તેને સર્વશક્તિશાળી કહેવાની જરૂર શા માટે છે? ( Then why call him God?) Epicurus. માટે પૃથ્વી પરના તમામ બાળકો ફક્ત ને ફક્ત નાસ્તિક તરીકે જ જન્મે છે. તેમના માબાપો નવજાત શિશુ પર પોતાનો ધર્મ થોપી દે છે.

રેશનાલીઝમ અથવા તર્કવિવેકશક્તિ એ માનવીય જૈવીક સંઘર્ષમાંથી વિકસેલું એક માનવ મુલ્ય છે. જે માનવીને દુન્યવી સત્ય શોધવામાં મદદ કરે છે. તે માનવીને ઇશ્વરની કોઇપણ પ્રકારની મદદ્વ સિવાય કેવી રીતે એકબીજાના માનવીય સહકારથી સ્વ અને અન્યનું જીવન ટકાવી શકાય, વિકસાવી શકાય અને સમૃધ્ધ બનાવી શકાય, તે માટેનો માર્ગ બતાવે છે.

 બીજુ, રેશનાલીઝમ માનવીને એ શીખવે છે. તમામ પ્રકારનું માનવ જીવન એ માનવીય પ્રયત્નોનું સર્જન છે. તેથી તે જીવનને બદલી શકાય છે. કોઇપણ જીવન પધ્ધતી જો અમાનવીય હોય, શોષણખોર હોય, માનવ પ્રગતીને રૂંધનારી હોય તો તેને ચોક્ક્સ માનવીય સહકારભર્યા પ્રયત્નોથી બદલી શકાય છે. કારણકે વિશ્વભરના તમામ ધર્મોથી માંડીને દુન્યવી વ્યવહારોનો સર્જન કરતા કાળામાથાનો માનવી છે. માનવ સંસ્કૃતીમાં આવતા તમામ પરિવર્તનો માનવીય પ્રયત્નોનું જ પરિણામ હોય છે. તેમાં પેલા શક્તીમાન નહી પણ અશક્તીમાનનો કોઇ ફાળો હોતો નથી. રેશનાલીઝમ   માનવીય પરિવર્તનનો એજંટ છે. જેનું ક્રાંતિકારી કામ પૃથ્વી પરના ઇશ્વરી એજેંટોને  તેમના ઇશ્વરની માફક જ નામર્દ બનાવવાનું છે. આશરે ૨૫૦૦વર્ષ પહેલાં આ કામ ગ્રીક તત્વગ્નાની એપિક્યુરસે શરૂ કરેલું હતું તે કામ હજુ પુરૂ થવાનું બાકી છે.  


--

સમાચારો બોલે છે.

 સમાચારો બોલે છે!

()  ધર્માંધતા શિખરે અને વૈગ્નાનીક અભિગમ તળેટીમાં. પાકીસ્તાનના સમાચાર.

() વૈગ્નાનીક અભિગમ શિખરે અને અંધશ્રધ્ધા તળેટીમાં. અમુલ ડેરીના ચેરમેન રામસીંહ પરમારે રજુ કરેલા સમાચારોનો આધારે નિષકર્ષ.,ખેડાજીલ્લો.

કાર્લ માર્કસનું સદાબહાર તારણજે દિવસે વિશ્વમાંથી ખ્રીસ્તી ધર્મનો નાશ થશે(તમામ ધર્મોનો) ત્યારે મુડીવાદી શોષણખોર વ્યવસ્થાનો પણ નાશ થશે.

પણ પહેલી મરઘી કે ઇડું.!

 સમાચારો ક્મશ;પાકીસ્તાન; ઇશનિંદાના એટલે કે ધર્મ કે તેના પયગંબરની નિંદાના (Blasphemmm)આરોપમાં શ્રીલંકન મેનેજરને જીવતો સળગાવી દીધો. સિયાલકોટ, ઇસ્લામાબાદ.         સિયાલકોટમાં આવેલી એક ફેકટરીના એક્ષપોર્ટ મેનેજરને તે જ ફેકટરીમાં કામ કરતા શ્રમિકોઓએ હુમલો કરીને મારી નાંખી ત્યારબાદ તેના શબને સળગાવી દીધું હતું. મેનજરનો ગુનો શું હતો? " સ્થાનિક       પોલીસ અધિકારી મુજબ એક પોસ્ટર જે મહંમદ પયગંબર સાહેબનું હતું તેના પર આ અધિકારીએ સહી કરી હતી." બાવન માણસોની ધરપકડ કરવામાં આવી છે. ધાર્મીક બાબતોના વિશેષ પ્રવક્તા મહેમુદ અશરફીએ જણાવ્યું છે કે આ દુ:ખદ ઘટના છે. પોલીસ તંત્રને ફરીયાદ કરવાની જરૂર હતી. કાયદો હાથમાં લેવાય નહી. આ રીતે કાયદો હાથમાં લેવાથી ઇસ્લામની છબી ખરડાય છે. ( સો. દી. ભાસ્કર તા૧૨૨૧. પાનું ૧૪,

() અમુલના સમાચારખેડા જીલ્લાના દુધ ઉત્પાદકો અને દેશ અને દુનીયાના બધા દુધઉત્પાદકોનો કાયમી પ્રશ્ન હતો. ભેંસ કે ગાય વિયાય પછી જ દુધ આપવાનું શરૂ કરે છે. હવે દુધાળા પ્રાણીઓ જો ખાસ કરીને ભેંસ જો પાડાને જન્મ આપે અને ગાય જો વાછરડાને જન્મ આપે તો દુધ ઉત્પાદકો માટે તે બંને બિનઉત્પાદક છે. અને તેમને મોટા કરવા તે પેલા દુધ ઉત્પાદકોની આવકમાં સતત ખોટના ધંધા છે. અમુલે પોતાના ઓડ મુકામે શરૂ કરેલ સીમેન બેંક કે વિર્ય બેંકમા એવું સંશોધન કરી કૃત્રીમ ગર્ભધાન કરીને  ભેંસને પાડી અને ગાયને વાછરડી જ ગર્ભધાન પછી આવે! સદર પ્રોજેકટના સંચાલક ડૉ. ગોપાલ શુક્લા સંચાલીત ડેટા બેંક ને આધારે જણાવે છે કે આ પ્રયોગમાં ૯૫ % સફળતા મળેલ છે. ડેરીના ચેરમેન રામસીંહ પરમારે આ પ્રોજેક્ટ સફળ થાય માટે અંગત રસ લીધો છે. " ખેડા જીલ્લાની દુધઉત્પાદક બહેનો જે અત્યાર સુધી  પોતાની ગાય કે ભેંસને વાછરડી કે પાડી અવે તે માટે બાધા, આખડી અને દોરા ધાગા ગામના ભુવા જાગરિયા પાસે કરાવતી હતી તે બંધ કરી દીધા છે." અમુલના આ ગર્ભધાનના ડોઝની પડતર કિંમત ૯૦૦ રૂપિયા છે પણ પોતાના સભાસદને ફકત ૫૦ રૂપીયામાં આપે છે.  અત્યાર સુધીમાં કુલ ૩૦૦૦૦ સભાસદોએ આ પ્રોજેક્ટનો લાભ લીધો છે. હાલ વાછરડા અને પાડાનું પ્રમાણ ગામડામાં ૬૦% થી વધારે છે.  આ રીતે પણ લોકોમાં વૈગ્નાનીક અભીગમ વિકસાવીને અંધશ્રધ્ધાઓ દુર કરી શકાય છે. ( સૌ. દી. ભા. આજની ખેડા જીલ્લા આવૃત્તી પાનું ૪.)

 ખાસ નોંધબંને સમાચારોને સ્વતંત્ર રીતે વાંચી,સમજીને મુલ્યાંકન કરવું!


--

Monday, November 22, 2021

પ્રશ્નો તમારા–જવાબ અમારા– તા. ૨૦–૨૧ નવેંબર.

પ્રશ્નો તમારાજવાબ અમારાતા. ૨૦૨૧ નવેંબર.

() આત્માનિર્ભર ભારત અંગે માનવવાદનો ખ્યાલ શું છે? સદીઓ જુની રૂઢીચુસ્ત ગ્નાન પધ્ધ્તી, અને સ્વદેશી ટેકનોલોજી શું આપણા દેશને સ્વાવલંબી બનાવશે?

જવાબ૨૧મી સદીમાં સમગ્ર વિશ્વના દેશોએ જે આરોગ્ય,પર્યાવરણ, ભુખમરો, કુદરતી પરિબળોનું માનવ કલ્યાણ માટે ઉપયોગ અને બીજા તમામ માનવીય પ્રશ્નો ઉકેલ્યા છે .તે વૈશ્વીક સહકારનું જ પરિણામ છે. દા;, કોરોનાની રસીની શોધ એસ્ટો્જેનેકાની પ્રયોગશાળા લંડનમાં થઇ, તેને વિશ્વના ગરીબ દેશોમાં વ્યક્તી દીઠ ફક્ત ત્રણ ડોલરમાં મળે તે માટે અમેરીકાના બીલ ગેટસમિલેન્દા ફાઉન્ડેશને કરોડો ડોલર્સ ભારત સ્થિત પુનામાં આવેલી સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયાને  કોમર્શીઅલ હેતુ માટે ઉત્પાદન કરવા માટે દાન કે ભેટમાં આપ્યા. જ્યારે આપણા દેશના વડાપ્રધાન મોદીજીની રૂઢીચુસ્ત કે જડ અને આત્મનિર્ભરતાની વિચારસરણીએ થાળીયાં બજાઓ અને દીયા જલાઓ થી કોરાના ભગાઓનો કાર્યક્રમ દેશવ્યાપી રાખ્યો હતો. આજ નેતા ફરી પાછા ૧૦૦ કરોડ વેકસીનના ડોઝ નાગરીકોને લગાવ્યા તે પોતાના નેતૃત્વની અંગત સિધ્ધી હોય તે પ્રમાણે ગુણગાન બીજાઓ પાસે ગવડાવવા માંડયા.

 જ્યારે ગાંધીજીથી માંડીને મોદી સુધીના તમામ નેતાઓ ગ્રામ્ય સ્વરાજ્ય, ગ્રામ્ય સ્વાવલંબન, ગ્રામ્ય સમરસતા અને ભારત આત્મનિર્ભર ની વાતો કરે ત્યારે સમજી લેવાનું કે દેશને ગ્નાનવિગ્નાન આધારીત આધુનીક બનાવવાના વિરોધી છે. તેને બદલે હિદુંધર્મ આધારીત અસમાન, અમાનવીય અને શોષણખોર વર્ણવ્યવસ્થાને ફક્ત ટકાવી રાખવા નહી પણ ૨૧મી સદીમાં વધુ બળવત્તર બનાવવાના ખુલ્લા નહિતો પ્રછન્ન ટેકેદારો છે એમ જ ભારપુર્વક સમજવું. તે બધા વ્યક્તીગત રીતે અને સામુહિક રીતે માનવકેન્દ્રી સમાજવ્યવસ્થાને બદલે મનુસ્મૃતી આધારીત સમાજ વ્યવસ્થાને પરત લાવવાના હિમાયતી અને ટેકેદારો છે. તેથી આપણા પ્રજાસત્તાક બંધારણના વિરોધી કહેવાય. તેમનાથી સાવધાન રહેજો અને બીજાને સાવધાન કરજો.

સ્વદેશી ટેકનોલોજીના બણગા ફુંકનારા ફ્રાન્સના રાફેલ વિમાનો અને રશિયાના મોંઘાદાટ શસ્રૌ આયાત કરીને  તે જ પાછા  દશેરાના દિવસે તે બધા શસ્રોનું પુજન કરે છે. શાબાશ મેરા ભારત મહાન! મેરા ભારત વિશ્વ ગુરૂ બનેગા!

() શું નૈતીકતા માનવીય છે કે ધાર્મીક? સ્વસ્વાર્થ અને નૈતીક્તા એક બીજાના પુરક છે કે હરિફ?

જવાબધાર્મીક નૈતીકતા દેશ અને દુનીયાની પ્રજાને ઉપદેશ આપે છે કે તમારા મૃત્યુ પછીના ભવ્ય જીવન માટે વર્તમાન જીવનમાં યેનકેન પ્રકારે સર્જન કરેલી જેટલી વધારે બને તેટલી આવક અને સંપત્તિ ધાર્મિકનૈતીક બનવા વાપરો. ધાર્મીક ઉપદેશ પ્રમાણે દુન્યવી આવકસંપત્તિના સર્જન માટે ગાંધીજીનો સાધનશુધ્ધીનો ખ્યાલ જ અવ્યવહારુ છે. ધાર્મીક નૈતીક્તાથી પ્રાપ્ત કરલું તમારૂ પુન્ય ફક્ત સ્વસ્વાર્થી જ હોય છે.  સ્વર્ગમાં બેઠેલા પેલા ચિત્રગુપ્તના લેજર કે ચોપડામાં વ્યક્તીગત જ હવાલા અને એન્ટી્ પડે છે!

() વૈગ્નાનીક મિજાજનો આધાર શું?

જવાબઇન્દ્રીયજન્ય અનુભવ, તેમની મદદથી બાહ્ય નિરિક્ષણ, પ્રયોગાત્મક,તટસ્થ અને પુર્વગ્રહ વિનાની તપાસ અને આખરે પોતાની સદ્વિવેકબુધ્ધીથી તાર્કીક મુલ્યાંકન.

() આપણી શિક્ષણપ્રથા અસહીષણુ, અસમાન અને  સરમુખત્યારશાહી વલણો ધરાવતી અથવા ઉદારમતવાદની વિરોધી કેમ છે?

જવાબકારણ કે તે આપણી પરંપરાગત સંસ્કૃતિની દેન છે. તેના મુળીયાં ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષણુ, ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મં ની માનસીકતામાં રહેલાં છે. તેની સામે વિદ્રોહ કરવાની ક્ષમતા નહી કેળવીએ ત્યાં સુધીઓ  ગુરૂદક્ષીણામાં આ ચતુર ગુરૂઓ, બાહોશ એકલવ્યો જેવાના જમણા હાથના અંગુઠા દાનમાં લઇ લેશે. જેથી સ્વપ્રયત્નથી ગ્નાન મેળવી શકાય જ નહિ. ગુરૂ સિવાય ગ્નાન જ નહી. તે ધંધાદારી સુત્ર છે.

() વિપસ્યસાધના અંગે તમારો શું મત છે?

જવાબપ્રામાણીક રીતે તેમાં મારૂ ઘોર અગ્નાન છે. કારણકે સાલુ,! એંશી વર્ષોની જીંદગીમાં તેના વિષે જાણવાની ઇચ્છા જ કોઇ દિવસ પેદા થઇ નથી


--

Saturday, November 20, 2021

Let us go two steps backward for going three steps forward- Lenin.

Let us go two steps backward for going three steps forward- Lenin.

 

   ચાલો!  આપણે બે પગલાં પીછે હઠ કરીએ જેથી ભવિષયમાં ત્રણ પગલાં આગળ જઇ શકીએ!લેનીન (રશિયન ક્રાંતીના આધ્યસ્થાપક).

ભારત દેશમાં ભાજપીય વડાપ્રધાને ત્રણ કૃષીકાનુન રદબાતલ કરવા ગુરૂનાનક જયંતિના દિવસે, લખનૌની પ્રથમ અને પછી ૨૦૨૪ની દિલ્હીની ખુરશી બચાવવા પોતાના આત્માન અવાજને એકવર્ષ બાદ સાંભળીને નિર્ણય કર્યો.

સને ૧૯૧૯૧૯૨૧ સમયમાં રશિયન ક્રાંતીની કસુવાડ થતી બચાવવા માટે તથા રાજ્ય સંચાલિત મુડીવાદને( State Capitalism) જીવતદાન આપવા માટે લેનીને પોતાના ખુબજ ચાવીરૂપ ક્રાંતીના દા;ત ટો્ટસ્કી જેવા અગ્રણી સાથી કોમરેડ નેતાઓની વિરૂધ્ધ બે નિર્ણયો લીધા હતા.

એક નવી આર્થીક નીતી( New Economic policy NEP) દાખલ કરી જેમાં કિસાનોને(કુલક્સને) રાજ્યે સંપાદન કરેલી તેમને જમીન પરત આપી અને ખાનગી વ્યક્તીગત ધોરણે ખેત ઉત્પાદન કરવાની અને તે ઉત્પાદનને મુડીવાદી બજારમાં વેચવાની મંજુરી આપી. જેથી ખેતીના સામુહિકરણને( Collectivization of Agriculture) કારણે પેદા થયેલો ભુખમરો દુર થાય. જેમાં લાખો રશીયન ગરીબો ભુખમરાને કારણે મરી ગયા હતા. આ કટોકટીને રશિયન ક્રાંતીના ઇતિહાસમાં કાતરની કટોકટી ( Scissiors Crisis) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખેતપેદાશોના ભાવ આસમાને ગયા હતા અને ઔધ્યોગીક ઉત્પાદનના ભાવ તળીયે બેસી ગયા હતાતેવી સ્થિતીમાંથી  રશિયા એક દેશ તરીકે પસાર થઇ રહ્યો હતો. 

બીજુ, જર્મની સામે પહેલા વિશ્વયુધ્ધમાં રશિયા હારી ગયું હોવાથી પોતાના દેશનો જીતેલા પ્રદેશમાંથી જર્મની માંગે તેટલો પ્રદેશ કાયમ માટે આપવાની સંધી(Treaty) લેનીને સાથી ક્રાંતીકારી મિત્ર ટો્ટસ્કી વિરુધ્ધ જઇને કરી .એટલું જ નહી, પરંતુ આ હકીકત લેનીને મોસ્કોના રેડીયો પરથી જાહેરાત કરી દીધી. કારણકે સરહદ પર ટો્ટેસ્કીના નેતૃત્વ નીચે લડતા રશીયન સૈનીકો જેમાં મોટા ભાગના ખેડુતો અને તેમના દિકરા હતા તે બધા જીવ બચાવવા હથીયારો સરહદ પર મુકીને મોટી સંખ્યામાં પરત આવતા રહ્યા હતા. જે લેનીનની બાજ નજરે અનુભવ્યું હતું. લેનીનને રશીયન ક્રાંતી બચાવવી હતી. આાપણા મોદીજીની સત્તા કે ખુરશી બચાવવા પણ બાજ નજર છે જ ને? કારણકે તેમને પોતાની વિચારસરણી આધારીત મળેલી સફળતાને કેવી રીતે હાથમાંથી છટકવા દેવાય!

રશિયાએ પુરી તૈયારી સાથે સને ૧૯૨૪ પછી ફરી ખાનગી માલિકીની જમીન પધ્ધતિ નાબુદ કરી, રાજ્ય સંચાલિત ખેતીનું સામુહિકરણ કર્યું તેનો વિરોધ કરનારા આશરે ૨૦ લાખ કરતા વધુ કિસાનોને સ્ટાલીન યુગમાં વાસ્તવિક રીતે જ મારી નાંખવામાં આવ્યા હતા.રશિયાનો જે પ્રદેશ જર્મનીએ પચાવી પાડયો હતો તેને બીજા વિશ્વ યુધ્ધમાં પોતાની ભુમી પર જ  હિટલરને હરાવીને, લેનીનના રાજકિય વારસદાર જોસેફ સ્ટાલીને  પરત મેળવી લીધો હતો.

 ઐતીહાસ સત્યોનું સમય મળતાં પુનરાવર્તન ચોક્ક્સ થઇ શકે છે. જો આ કૃષી કાયદાને રદબાતલ કરવાથી સને ૨૦૨૨ ની લખનૈની ગાદી યોગીજીને અને સને ૨૦૨૪માં દિલ્હીની ગાદી મોદીજીને પરત મળે તો ! જો કે ઇતિહાસના પરિબળો અને તારણો, કોઇ ભવિષય વાણીને સાચી પાડવામાં ક્યારેય સફળ થયા નથી. તેનું જીવંત ઉદાહરણ કાર્લ માર્કસના માર્કસવાદી તારણોનું છે.


--

Friday, November 19, 2021

પ્રશ્નો તમારા–જવાબ અમારા તારીખ– ૧૩–૧૪ નવેંબરના વેબીનારને આધારે.


પ્રશ્નો તમારાજવાબ અમારા  તારીખ૧૩૧૪ નવેંબરના વેબીનારને આધારે.

() રેડીકલ હ્યુમેનીસ્ટોએ સને ૧૯૪૮માં પોતાની સ્થાપેલી ' રેડીકલ ડેમોક્રેટીક પાર્ટી કેમ વિસર્જન (Why Dissolved) કરી નાંખી ? માનવવાદીઓએ સત્તાકીય અને પક્ષીય રાજકારણમાં કેમ સક્રીય ભાગ લેવો  જોઇએ?

જવાબલોકશાહી જીવન પધ્ધ્તી અને પ્રતિનિધિ સ્વરૂપની રાજકીય લોકશાહીની સફળતાની પુર્વ શરત છે કે જે તે દેશમાં લોકો પોતાની ધર્મ, જાતિગ્નાતી, વર્ણ અને તેના જેવી સામાજીક ઓળખમાંથી મુક્ત બને. એકબીજાને લોકો નાગરિક તરીકે જ ઓળખે. આ માટે દેશનો દરેક નાગરિક તે ફક્ત નાગરિક છે તેવી સામાજીક ઓળખ તેનામાં મોટા પાયે વિકસાવવી પડે.

 ચુંટણી લડતા નેતાઓ અને પક્ષો દ્રારા નાગરિકને તેમની રૂઢીગત અને પરંપરાગત ઓળખમાંથી  બહાર કાઢીને  બિનસાંપ્રદાયિક નાગરીક બનાવવાને બદલે પેલા બિનલોકશાહી મુલ્યોના આધારે લોભાવનારા કે લચાવનારા અને લોકરંજક ચુંટણીના વચનો આપીને  તેમનો ઉપયોગ કરીને રાજકીય સત્તા મેળવવામાં આવે છે. જે પક્ષ અને તેનો નેતા સૌથી લોભવનારા વચનો કે હથેળીમાં ચાંદ બતાવી શકે તે આ સત્તાની દોડમાં જીતી શકે.

માનવવાદી મુલ્યો આધારિત રાજકારણ લોકભાગીદારી દ્રારા અસ્તીત્વમાં આવે છે. જેથી સત્તાલક્ષીને બદલે નાગરિકલક્ષી રાજ્ય વ્યવસ્થા અસ્તીત્વમાં આવે . તે માટે માનવવાદીઓ વૈચારીક પ્રરિવર્તન લાવવા પ્રયત્ન કરે છે. માનવ ઇતિહાસમાં હિટલર, મુસોલીની વિ, પોતાના દેશમાં સૌ પ્રથમ લોકશાહી માર્ગે સત્તા મેળવી અને પછી એ જ સત્તાની સીડી તેમની પાછળ બીજો કોઇ તે સીડી પર ચઢી ન આવે તેવી વ્યવસ્થા સત્તા મળ્યાના પહેલા દિવસથી જ શરૂ કરી દે છે. સત્તાલક્ષીને બદલે પ્રજાલક્ષી રાજકારણ વિકસાવવા માટે સત્તાલક્ષી અને બિનલોકશાહી માર્ગો અપ્રસતુત કે નકામા સાબિત થયા હોવાથી માનવવાદીઓએ(The Radical Humanists) સૌ પ્રથમ પ્રજામાં લોકભાગીદારીવાળી જાગૃતતા લાવવા માનવવાદી મુલ્યો અને વિચારો ચળવળ સ્વરૂપે સમાજમાં પ્રસ્થાપિત થાય માટે પોતાના પક્ષનું જ કાયદેસરનો ઠરાવ રજુ કરીને  વિસર્જન કરી નાંખ્યું હતું.

()  માનવ વિકાસ માટે કુદરતી સાધનસંપત્તીના ઉપયોગ અંગે માનવવાદી અભિગમ કેવો?

જવાબમાનવવાદી તમામ કુદરતી પરિબળો અથવા સાધનસંપત્તીને ગ્નાન આધારીત તેના નિયમો સમજીને અન્ય તેના જેવા માનવીઓના સહકારની મદદથી  પોતાના જીવવા માટેના સંઘર્ષને સરળ બનાવવા માટે ઉપયોગ કરવા માંગે છે. કુદરતી પરિબળો માનવી માટે ભજવાના એકમો નથી. નદીઓ, ખાણો, જંગલો વિનો ઉપયોગ કરતાં માનવ વસ્તી વિસ્થાપીત થાય તો તેના પુન;વર્સન માટે તમામ અગ્રતા પ્રથમ આપવી જ જોઇએ. તદ્ઉપરાંત કુદરતી સાધન સંપત્તીનો ઉપયોગ એવો ન કરવો જોઇએ કે તે માનવ જાતના અસ્તિત્વને જ જોખમમાં મુકી દે! દા.ત આપણા વાતાવરણમાં કાર્બન ગેસના મોટા પ્રમાણના ઉતસર્ગથી ઓઝોનના પડમાં ગાબડું પડવું.

() શા માટે માનવવાદીઓએ માનવવાદી મુલ્યો જેવાકે સ્વતંત્રતા,( Frreedom) તર્કવિવેકબુધ્ધી ( Rationality) અને ધર્મનિરપેક્ષ નીતી ( Secular morality) ને આધારે પોતાના ઐહીક કે દુન્યવી પ્રશ્નો ઉકેલવા જોઇએ?

 જવાબમાનવ સમસ્યાઓનો ઉકેલ વર્તમાન જીવન આ પૃથ્વી પર જ ભર્યુભાદરુ સુખી અને સમૃધ્ધ પ્રાપ્ત કરવા માનવવાદી અભિગમથી નિરાકરણ કરવું અનિવાર્ય છે. માનવવાદી અભિગમ વૈગ્નાનિક ગ્નાન પર આધારીત છે. આ અભિગમ નવાગ્નાન. સંશોધનો અને વૈગ્નાનીક શોધોને સતત ખુલ્લા મને આવકારે છે. માનવ સમસ્યાઓ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઐહીક છે. મૃત્યુ પછીના જીવન કે ધર્મ ના ઉપદેશો આધારીત બિલકુલ જ નથી. માટે આજે જે માનવીય સમાસ્યાઓનો ઉકેલ આવ્યો છે દાંત આરોગ્ય, અને કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્તિ તેનું કારણ વિશ્વના તમામ ધર્મોના ઉપદેશ અને આચરણોને બદલે માનવીય પ્રયત્નોનુ જ પરિણામ છે. રણ કે બરફની ગુફાના ગેબી અવાજના સંકતો સાંભળીને માનવ જાતે અવકાશમાં આગે કુચ કરી નથી.

() મારે મારા બાળકોને કેટલી સ્વતંત્રતા આપવી? શું સ્વતંત્રતા આપવાથી તેઓ બગડી નહી જાય? સ્વચ્છંદ નહી બની જાય? મારા ઘરના વડીલોને મારા માનવવાદી અભિગમને કારણે જે મતભેદો આધારીત જે સંઘર્ષો થાય તેનો ઉકેલ કેવી રીતે કરવો? મારા દિકરકે દિકરાના લગ્નમાં માબાપ તરીકે તમામ નિર્ણયોની પ્રક્રીયામાં અમારો શું ફાળો?

જવાબમાનવવાદનું પ્રથમ અને પાયનું મુલ્ય સ્વતંત્રતા છે. માનવીય સ્તર પર આ મુલ્યને રોકનારા તેમાં અવરોધ કરનારા બે પરિબળો છે.એક માનવીને સ્વતંત્રતા આધારીત નિર્ણય નહી કરવા દેવાવાળા પરિબળો. તે બધા, ખાસ કરીને કુંટુંબથી માંડીને ધર્મ સુધી વિસ્તરેલા છે. રેશનાલીટી આધારીત સાચુ શું છે કે ખોટું શું છે, જે માનવી માટે ખરેખર ઉપયોગી હોય તેવા વિચારો આધારીત મુલ્યાંકન કરી નિર્ણય કરવાની ટેવ પાડવાની જરૂર છે. હા. શરૂઆતની શિશુ અવસ્થામાં તે કોઇ જોખમકારક નિર્ણય અણસમજમાં કરી દે તેને રોકવામાં સ્વતંત્રતાનો એક મુલ્ય તરીકે બિલકુલ ભંગ નથી. પણ જેમ જેમ આપણા બાળકો મોટા થતા જાય તેમ તેમ તે યોગ્ય, પરિપક્વ, ગ્નાન આધારીત નિર્ણયો કેવી રીતે કરે તે માટેની મોકળાશ આપણે કુટુંબ તરીકે પુરી પાડવી જોઇશે. માનવ તરીકે ભુલ થવાની, જે સહજ છે. ભુલ થશે,  નુકશાન થશે માટે પેલાને નિર્ણય કરવાની તકમાંથી વંચિત રાખીને વડીલશાહીના હુકમને આધારે બાળકોનો ઉછેર કરવો તેને ક્યારેય ચલાવી લેવાય જ નહી. તે માટે તેના માબાપ તરીકે સંયુક્ત કુટુંબ સામે અથવા તેવી કોઇપણ સામાજીક વડીલશાહી સામે વિદ્રોહ એક જ વાર નહી પણ સતત કરવા તે જ માનવીય સદ્રગુણ છે. માનવ સંસ્કૃતીનો વિકાસ વડીલશાહી, ધર્મશાહી અને રાજકીય સત્તાધારીઓના સ્વીકારેલા સત્યો સામેના વિદ્રોહ કરવાથી જ થતો રહ્યો છે.   

 

--

Wednesday, November 17, 2021

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

તમે અમને બધાને સાચા રંગે કે સ્વરૂપે ન ઓળખો તો ભોગ તમારા!

શરૂઆાત છેલ્લા બે દિવસના સમાચારોથી કરો.

() વેજ ગુજરાત, એ જ ગુજરાત....હવે અમદાવાદમાં પણ માંસ, મચ્છી,ઇંડાની લારીઓ પર પ્રતિબંધ,,અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં મુકાયો હતો.

()  જાહેરમાં નોનવેજના પર પ્રતિબંધ મુકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય,( બોક્ષમાં સમાચાર) અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળો પર ૧૦૦ મીટરમાં લારી ઉભી નહી રખાય!

() ગુજરાતમાં ૪૦% લોકો નોનવેજ ખાય છે અને ૩૮% ઉપર બહેનો પણ નોનવેજ ખાય છે.

() સર્વે પ્રમાણે દેશમાં ૭૧% લોકો નોનવેજ ખાનારા છે. તેલંગણા રાજ્યમાં કુલ વસ્તીના ૯૧% ટકા લોકો નોનવેજ ખાનારા છે. એટલે કે આખા રાજ્યની વસ્તી જ નોનવેજ ખાનારી છે.

() અમદા. મ્યુની. કોર્પોરેશન ના  એક જવાબદાર કમીટીના ચેરમેન શ્રી દેવાંગ દાણીનો પ્રતિબંધ કેમ લગાવ્યો તેનો જવાબશહેરમાં જાહેર રસ્તા પર ચાલતી મટનમચ્છી અને ઇંડાની લારીઓને કારણે લોકોની સુરુચીનો ભંગ થાય છે. ત્યાંથી નીકળતા નાગરિકોને તેની સુગને કારણે મુશ્કેલી પડે છે.

() નિયમ ( રાતોરાત નક્કી કરેલો નિયમ, તે મુજબ કોને સત્તા આપી, અમલ કોને કરવાનો?)લાયસન્સ હોય તો પણ માંસ,મચ્છી અને ઇંડા જાહેરમાં દેખાવા  ન જોઇએ! જો સુચનાનું પાલ નહી કરવામાં આવે તો જે તે દુકાનને સીલ મારી દેવામાં આવશે.

() ગુ રા. મુખ્યમંત્રીનો પ્રતિભાવજેને જે ખાવું હોય તે ખાય, લારીનો ખોરાક હાનીકારક ન હોવો જોઇએ. બસ અમારો પ્રશ્ન આટલો જ છે."

 સુગ કે ખાવા માટે હાનીકારક બે માંથી કઇ માનસીકતા કાયદો હાથમાં લઇને ફરનારુ તંત્ર કેવી રીતે સ્થળ પર નિર્ણય કરશે? ( સૌ. દી. ભાસ્કર તા. ૧૬નવેંબેર પ્રથમ પાનું)

....................................

આજ તા. ૧૭મી નવેં ના તે જ પેપરના પ્રથમ પાનાન સમાચારનું મથાળું"  એ વેજનોનવેજ જોક હતો!

હજુ જુઓ , સમજો અને ઓળખો તેમની માનસીકતા અને વિચારપધ્ધતિને!

() ગુજ રા ના પ્રવાસન મંત્રી,શ્રી પૂર્ણેશ મોદી ઉવાચરાજ્યના યાત્રા ધામોમાં ઇંડા,માંસ મચ્છીની લારીઓદુકાનો અને કતલખાના બંધ કરવાનો લેખિત આદેશ યાત્રા બોર્ડના સચિવને કરવામાં આવ્યો છે.

() ગુજ ભાજપના પ્રદેશ પ્રમખ શ્રી, સી. આર. પાટીલ ઉવાચલારીઓ ઉપર ગરીબોનું જીવન ચાલે છે. અમે તેમને મદદ કરી શું.... જાહેરમાં ગંદકી થતી હોય તો તેની કાર્યવાહી કરી શકાય. પણ તેમને  હટાવવા કે બંધ કરવવા ભાજપ વિચારી ન શકે!

() ગુ. રા. ના મહેસુલ મંત્રી રાજેન્દ્ર્ ત્રિવેદી ઉવાચફુટપાથ પર ઉભેલી ઇંડાની લારી કે નોન વેજ ની લારી દબાણ છે.(પણ ફુટપાથ પર ઉભેલી બીજી કોઇ લારી નહી!)

()  ફરી ગુ પ્રદેશ પ્રમુખ ઉવાચમંત્રીઓને કહી દેવાયું છે કે તમારે આમને હટાવવાના નથી. મંત્રૌઓએ પોતાની જાતને આ વિવાદાસ્પદ નિવેદનો કરવામાંથી દુર રાખે!!

 શું દેશમાં પ્રચલિત ગુજરાત મોડેલ આવા તુક્કાબાજો ચલાવે છે કે પછી આવનારા દિવસોમાં જે બનવાનું છે તેની કવાયત છે?


--

Sunday, November 7, 2021

હ્યુમેનીસ્ટ એકેડેમી આયોજીત નવેંબર માસના વિષયો વિ. ની વિગતો

હ્યુમેનીસ્ટ એકેડેમી આયોજીત નવેંબર માસના વિષયો વિ. ની વિગતો

વિધ્યાર્થી મીત્રો અને અમારી સદર અભ્યાસ એકેડેમી ભાગ લેનાર અન્ય સાથીઓ અને શુભેચ્છકો,

આપ સૌના સહકારથી ઓકટોબર માસમાં આપણે માનવવાદને સંલગ્ન ૧૦ વિષયોનો અભ્યાસ કર્યો.  નવેંબરમાસના વિષયો અને તે રજુ કરનાર વિષય તજગ્નોની વિગતો આ પત્રમાં રજુ કરી છે. અગાઉ આપ સૌ એ સક્રીય સહકાર આપી પ્રોત્સાહીત કર્યા તે પ્રમાણે સહકાર ચાલુ રાખવા વિનંતી છે.

()  તા૧૩૧૪ નવેંબર.શનિરવિ. વિષયો() માનવવાદી મુલ્યો,() માનવવાદી ઉદ્ઘોષણાઓ, હ્યુમેનીસ્ટ મેનીફેસ્ટો વક્તાઅશ્વિન કારીઆ, નિવૃત પ્રીન્સીપલ, લો કોલેજ. પાલનપુર.

 () તા૨૦૨૧. નવેંબર. શનિરવિ. વિષયો() વૈગ્નાનીક અભિગમ એટલે શું? અને તેની વ્યક્તિગત અને સમાજ જીવનમાં અનિવાર્યતા, () વૈગ્નાનીક અભિગમ કેવી રીતે વિકસાવી શકાય!. વક્તાપ્રો. ડો. મિહિર દવે, જી. ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુર.

() તા.૨૭૨૮ નવેંબર. શનિરવી વિષયો() માનવવાદ અને માનવતા વચ્ચે પાયાના તફાવતો, () માનવવાદ અને ફાસીવાદ. વક્તામનીષીભાઇ જાની માર્ગદર્શક, ગુ મુ રે એસો.

સયોજકબીપીન શ્રોફ. 97246 88733.

 


--

Tuesday, November 2, 2021

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪.

પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪.

ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રોએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે તથા બીજુ કેટલાક પ્રશ્નોનું વિષયવસ્તુ એક હોવાથી જુથમાં સાથે ગોઠવ્યા છે.

 પ્રશ્ન . ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે? () માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?

જવાબ() સ્વતંત્રતા એક અધિકાર તરીકે અન્ય તમામ અધિકારોની માફક ( સિવાય અનુચ્છેદ ૨૧ જીંદગી જીવવાના અધિકાર) તેના બે પાસા છે. " Freedom to believe & not to believe in it." કોઇ પણ ધર્મમાં માનવાની સ્વતંત્રતા અને તમામ ધર્મોમાં નહી માનવાની પણ સ્વતંત્રતા.નાસ્તીકતા કે નિરઈશ્વરવાદ આ અધિકારમાં સમાયેલો જ છે.

 () માનવવાદ માનવ કેન્દ્રી વિચારસરણી છે.તેનો આધાર વૈગ્નાનીક સત્યો પર છે.તથા માનવી કુદરતનો એક ભાગ હોવાથી અને કુદરત નિયમબધ્ધ હોવાથી માનવીનું સંપુર્ણ જીવન પણ નિયમબધ્ધ છે. જેમ કુદરતી પરિબળો નિયમબધ્ધ હોવાથી તે કોઇ દેવી કે ઇશ્વરી સર્જન નથી. તેવી જ રીતે માનવી પણ દૈવી કે ઇશ્વરી સર્જન નથી. જેમ કુદરતી પરીબળોના સંચાલનના નિયમો માનવ તર્કવિવેક બુધ્ધીથી સમજી શકે છે; તેવું જ માનવ શરીરના સંચાલનની બાબતમાં છે. માનવકેન્દ્રી વિચારસરણી ઇશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એટલા માટે કરે છે કે તેના અસ્તીત્વના કોઇ પુરાવા માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી( આંખ,કાન, નાક, જીભ અને ચામડી) પ્રાપ્ત કરવા જ અસંભવ છે.અશક્ય છે. અને ઇન્દ્રીયાતીત અનુભવના દાવા માનવ ઇન્દ્રીયોથી તપાસવા અશક્ય છે.તેથી માનવવાદ માનવકેન્દ્રી, આ જન્મમાં અને અહીંયાં જ ઐહીક કે દુન્યવી ભૌતીક સુખ,(ભોગવાદી કે અકારાંતીયું ભોગવાદી જીવન બિલકુલ નહી) અન્ય તેના જેવા માનવીઓના સહકારથી પ્રાપ્ત કરવામાં પથદર્શક બને છે. તેમાં તાર્કીક રીતે નાસ્તીકતા કે નિરઇશ્વરવાદ જેવા વિચારો આવી જત હોય તો તેનું લેશમાત્ર દુ:ખ માનવાદીઓને કેવી રીતે હોઇ શકે!

 

પ્રશ્ન. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?

જવાબ. લગભગ દરેક ધાર્મીક પ્રવૃત્તીઓના ટેકા કે દાનમાં મળતાં નાણાં બિનહિસાબી હોય છે. દાનની રકમની નોંધ ભલે બિનહિસાબી હોય પણ પેલા સ્વર્ગ નિવાસી ચિત્રગુપ્તના ચોપડામાં તે કાયદેસરની બની જાય છે તેવો પેલા દાન આપનારને વિશ્વાસ હોય છે. માટે તે મંદિરોમાં દાન ખુશી ખુશીથી આપે છે, અપાવે છે. દાનવીર તરીકે પોતાનો મોભો  સતત વધતો જાય છે તેનું ગૌરવ અનુભવે છે. આવકવેરાની કલમ ૮૦જી મુજબ સંસ્થાએ મુક્તિ મેળવી હોવા છતાં દાન કરનાર અને લેનાર બંને જાણે છે કે આ બધા દાનના નાણાં કેવી રીતે ભેગા થાય છે. અરે! દેશની સંસદમાં ચુંટાયેલા તમામ રાજકીય પક્ષોના સાંસદોએ સર્વાનુમતે કાયદો પસાર કર્યો છે કે " તે બધાને ઇલેકશન બોન્ડ દ્રારા નાણાં મળે તો તેનો અધિકૃત આધાર બતાવવાની જરૂર નથી."  

પ્રશ્ન. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી  બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?

જવાબકોઇપણ જાહેર હિતના પ્રોજેક્ટનો માપદંડ માનવવાદની દ્ર્ષટીએ એટલો જ છે કે તેના લાભાર્થીઓની કુદરતી પરિબળો સામેની અસલામતી કેટલી ઓછી થાય છે.

પ્રશ્ન. માનવવાદી દ્ર્ષટીએ  સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.

જવાબ–  માનવવાદ માટે કદાચ બંને સર્વાનુમતે અને બહુમતીની પાસે  માનવીના સશક્તીકરણ કરતાં વિપરીત ખ્યાલોવાળા હિતો હોય! જે જોખમકારક હોય છે. દા:ત બાઇબલનો પૃથ્વી ગોળ નથી તેવી માન્યતાની સામે ગેલેલીયોની એકલો મત કે પૃથ્વી ગોળ છે તેવી સાબિતીવાળું સત્ય. દા:ત કોરોના વાયરસને ભગાડવા માટે થાળી વગાડો, દીયા મશાલ જલાઓ વિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખ્યાલ અને તેના ટેકામાં  રાષટ્વ્યાપી પ્રચાર. અને હવે ૧૦૦ કરોડ વેક્સીનના ડોઝ નાગરીકોએ લીધા તે પણ વડાપ્રધાનની વ્યક્તીગત સિધ્ધી !

પ્રશ્ન.  પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજો પ્રશ્નમાનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?

જવાબમાનવવાદી ઉદ્ઘોષણાઓ ( Humanist Manifesto published in 1933, 1973 & 2003,)માં પુખ્ત ઉંમરના સ્રીપુરૂષોને જાતીય પસંદગીની સ્વતંત્રતા અને તે પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતાઓ એક અનીવાર્ય ભાગ તરીકે આમેજ કરેલ છે. સ્રી માટે ગર્ભપાતને નૈતીક અને કાયદેસરના અધિકાર તરીકે માનવવાદીઓ સ્વીકારે છે. અને જ્યાં તે અધિકાર નથી તે સંઘર્ષમાં તેમનો ટેકો હોય છે.

પ્રશ્ન.  માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું?  તેને મજબુત કરવામાં કયા કયા પરિબળોન પ્રમુખ ભુમીકા છે? શું ધર્મો માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.

જવાબમાનવ સંસ્કૃતીના વિકાસના શરૂઆતના તબક્કાઓમાં ધર્મનો ફાળો હકારાત્મક હતો. પણ સમય જતાં તે સ્થાપિત હિત બની ગયો. અને અંધશ્રધ્ધાળુ, વિગ્નાન વિરોધી અને જે સે થે વાદી બની ગયો છે. પોતાનું સ્થાપિત હિત ટકાવવા તેણે રાજકીય, આર્થીક અને સામાજીક પરિબળો સાથે મીલી ભગતના સક્રીય સંબંધો બનાવેલા છે.

પ્રશ્ન. માનવવાદ લગ્નોત્તર સંબંધો ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે? સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?

જવાબ

રૂઢીચુસ્ત ધર્મો અને તેના આધારીત મર્જાદીપણું કુદરતી જાતિયવૃત્તીઓનું જબ્બ્રજસ્ત દમન કરે છે. ખરેખર કુટુંબ નિયોજન, ગર્ભપાત અને છુટાછેડાને માનવ અધિકારનો દરજજો બિલકુલ સરળતાથી મળવો જોઇએ. અસહિષણુ અને શોષણખોર જાતીય સંબંધોને કોઇ કાળે પણ માનવવાદનો ટેકો ન હોય! પરંતુ બે પુખ્ત ઉંમરના સ્રીપુરૂષની ઇચ્છા મુજબના જાતીય સંબંધોને  કાયદાનું કે સામાજીક રૂઢીઓનું નિયંત્રણ ન હોવું જોઇએ.  ( We do not approve of explottive and denigrating forms of sexual expression, neither do we wish to probhit, by law or social sanction, sexual behaviour between consenting adults. Rule 6 of Second Humanist manifestos)  

 maxium indivudual autonomy with consonant social responsibilities) અસહિષણુ વલણ જાતીય સંબંધોમાં નહી, નો એપ્રુવલ ઓફ એક્ષસપ્લોટેટીવ વર્તણુક.

સમલૈગીંક સંબંધોને અને ત્રીજી જાતી થર્ડ જેન્ડર (ટા્ન્સજેન્ડર)ને દરેક દેશમાં તમામ પ્રકારના કાયદેસરના હક્કો મલવા જોઇએે.અમેરીકામાં થર્ડજેન્ડરને પોતાના પાસપોર્ટમાં Special " X" sign કરીને એક અઠવાડીયા પહેલાંજ તમામ કાયદેસરની સુવિધાઓ લશ્કરમાં જોડાવા સુધીના તમામ અધિકારો આપી દેવામાં આવ્યા છે. જેમાં અમેરીકન હ્યુમેનીસ્ટ એસો અને અમેરીકન સીવીલ લીબર્ટીઝ એસો ની લડતનો મોટો ફાળો છે. વિશ્વના તમામ ધર્મોએ  ત્રીજી જાતીને માનવ તરીકે ક્યારે સ્વીકારી નથી. ફક્ત હડદુત જ કરેલી છે. હકીકતમાં ત્રીજી જાતી તરીકે જન્મ એ રંગસુત્રો ( ક્રોમોઝોમ્સ અને ડીએનએના અસાધારણ કે એબનોરમલ સંયોજનનું પરિણામ છે.)   

પ્રશ્નમાનવવાદી તરીકે  ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે  માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?

જવાબશાંતિપુર્વકના શક્ય હોય તેટલા ગ્નાનવિગ્નાન અને શિક્ષણ આધારીત સંવાદ અને પ્રચાર સિવાય બીજો માર્ગ નથી.

….………………………………………………………………………The end………………………………………………………..

 


--