Saturday, September 22, 2018

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

      તાજેતરમાં દીલ્હી મુકામે વીજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ ત્રણ દીવસ સુધી પોતાની સંસ્થાની દેશમાટેની દ્ર્ષ્ટી ' આર એસ એસ વીઝન ઓફ ઇંડીયા' દેશમાં બતાવવા માટે ગંભીર પ્રયત્ન કર્યો છે. તે બાબતે તેઓશ્રીએ જે વીધાનો કર્યા છે તે નીચે મુજબ છે.

(1)     અમારી સંસ્થા દેશના બંધારણ અને તેના આમુખમાં (પ્રીએમ્બલ) જણાવેલા મુલ્યોનો આદર કરીને સ્વીકારે છે.( મનુસ્મૃતી દેશના બંધારણાનો અમારો વીક્લ્પ નથી)

(2)    બંધારણમાં આમેજ કરેલા મુલ્યો જેવાકે ધર્મનીરપેક્ષતા (સીક્યુલારીઝમ) અને સમાજવાદ (સોસીયાલીઝમ) તે અમારી સંસ્થાની વીચારસરણીનો એક ભાગ બનશે.તેની સામે અમને વાંધો નથી.( એટલકે રેશનાલીસ્ટો, નીરઇશ્વરવાદીઓ, સામ્યવાદીઓ અને વીજ્ઞાનવાદીઓ અમારા એક નંબરના દુશ્મનો હવે નથી.) અન્ય ધાર્મીકરૂઢીચુસ્તો અંધશ્રધ્ધાઓને ટેકો આપનારાને અમારો હવે ટેકો નથી. આપણે હીંદુત્વવાદી રાષ્ટ્રવાદની ઓળખ, મુલ્યાંકન અને વર્તનમાંથી બહાર નીકળીને બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદનો (Constitutional Nationalism)દેશમાં પ્રચાર– પ્રસાર કરવો પડશે.

(3)    આઝાદની ચળવળમાં કોંગ્રસે જે ફાળો આપ્યો હતો તેને અમારી સંસ્થા બીરદાવે છે. અને તેમ ભાગ લીધેલા ટોચના નેતાના ફાળાની નોંધ લે છે. અમે કોંગ્રેસમુક્ત ભારતના ખ્યાલ ને ટેકો આપતા નથી. દેશમાં જુદા જુદા વીચારો, પ્રવૃત્તીઓ , વીવીધતામાં એકતાના ખ્યાલને ટેકો આપીએ છીએ.

(4)     અમે કોંગ્રેસમુક્ત ભારતને બદલે  દેશમાં જુદા જુદા ભીન્ન ભીન્ન વીચારો, રુઢીરીવાજો અને ખાનીપીનીની વીવીધતાની 'યુક્તી' ને ટકો આપીએ છીએ.બધા એકસાથે મળીને વીકાસ કરે તેમાં માનીએ છીએ. હું દેશના નાગરીકોની 'ભારતીય' તરીકેની ઓળખને( હીંદુ તરીકે નહી) ગૌરવ ભેર સ્વીકારૂ છું.

(5)   પોતાની સંસ્થાના હીંદુ રાષ્ટ્રના ખ્યાલની સ્પષ્ટતા કરતાં કહ્યું કે  'આજથી ૯૦ વર્ષ પહેલાં એમ એસ ગોલવેકરજીએ પોતાના પુસ્તક 'બંચ ઓફ થોટ્ટસ' માં દેશના મુસ્લીમ અને ખ્રીસ્તીઓને દુશ્મનો તરીકે ઓળખાવ્યા હતા તેને ૨૧મીસદીના પરીવર્તન પામેલા વીશ્વમાં, તે વીચાર અને તેના આધારીત વર્તનને કોઇ સ્થાન નથી.' હીંદુ રાષ્ટ્રનો અર્થ હવે એ નથી કે આપણા દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન જ નથી. વધુમાં ભાગવતે જણાવ્યું છે કે  જે દીવસે દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન રહેશે નહી તે દીવસે હીંદુત્વ પણ મૃતપાય થઇ જશે. ( Bhagwat's clarification that Hindu Rashtra "does not mean there is no place for Muslims" and that Hindutva would stop existing if "Muslims are unwanted") આજે જ્યારે હીંદુત્વવાદી પરીબળો ઉગ્રબનીને મતના રાજકારણપર હાવી ગયા છે ત્યારે ભાગવતનો આ સંદેશો રૂકજાવની બ્રેક માળવામાં સફળ થશે? કોને પુછીશું? વડાપ્રધાન મોદીજીને કે બીજેપી પ્રમુખ અમીત શાહજીને?

(6) વીશ્વના જુદા જુદા દેશોમાં જ્યારે હીંદુઓએ પોતાનું બીજું ઘર બનાવ્યું છે ત્યારે ભાગતવજીનો સ્પષ્ટ સંદેશો છે કે હીંદુત્વ આધારીત જુનો ખ્યાલ ( વીધર્મીઓને દુશ્મન ગણતો વીચાર અને વર્તન) હવે અપ્રસતુત બની ગયો છે. આ બધા દેશોમાં હીંદુઓ પોતે જ લઘુમતીમાં છે. જે રીતે બહુમતી હીંદુત્વવાદી ભારતમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લીમ ધર્મીઓ સાથેનો વ્યવહાર વર્તન કરી રહ્યા છે તેવો વ્યવહાર કે વર્તન જે તે દેશની બહુમતી ધર્મવાળી( ગોરી ખ્રીસ્તી પ્રજા) પ્રજા હીંદુ વસાહતીઓ (ઇમીગ્રંટ્ટસ) સાથે કરવા માંડશે તો તેમને કોણ બચાવશે. ત્યાં લવજેહાદ ( હિંદુ યુવાન છોકરો અને ખ્રીસ્તી ગોરી યુવાન છોકરી), અને તે અંગે 'ઘરવાપસી' ના પરીણામોમાં કોણ કોને બચાવશે! આર એસ એસના વડાને પુરેપુરી ખબર છે કે બીજા દેશોમાં પોતાની સંસ્થાના થયેલા વીકાસને ટકાવી રાખવો હશે અને અન્યત્ર  ફેલાવો હશે તો પોતાના દેશમાં કુપમંડુક જેવા વીચારો અને વર્તનોમાં ધરમુળથી ફેરફારો લાવવા પડશે. આ બધું દીલ્હીમાં  બેઠાબેઠા નહી થાય. દરેક સ્થાનીક શાખા સુધીની કેડરોના વીચારો અને વર્તનોમાં આમુલ પરીવર્તનો કરવા પડશે.

(Bhagwat's message of moderation needs to be heard and practised by the Sangh's different arms to significantly alter perceptions at the grassroots.Editorial Indian express)

બીલાડીને ઘરે કોણ ઘંટ બાંધશે! કોણ પેલી કેડર બેઝ વર્ષોથી તૈયાર કરેલા લશ્કરના જેવા એકમો,(બીજેપી, હીંદ મજદુર સંઘ, વીશ્વહીંદુપરીષદ, બજરંગદળ વી વી) ને સમજાવશે કે હવે લવજેહાદ, ઘરવાપસી, કાઉલીંચીંગ, જેટલા મોદીસરકારના વીરોધીઓ( ડીસેન્ટર્સ)તે બધા દેશદ્રોહીઓ જેવા વીચારો અને વર્તનોના દીવસો પુરા થઇ ગયા છે. અને ભાગવતજીના પ્રમાણે જો સંસ્થાને  વૈશ્વીક બનાવવી હશે તો દેશની સર્વપ્રકારની વીવીધતાઓને વાસ્તવીક ગણીને  તેમના સહઅસ્તિત્વને સ્વીકારીને જીવવું પડશે. નહીતો તમારા કૃત્યોની અસર બીજા દેશોમાંની હીંદુ લઘુમતીઓ પર પણ સામાવાળા પાડશે.

( The Sarsanghachalak (સરસંઘચાલક) is deemed the final word in the RSS. Bhagvat will now have to ensure that  Swayamsevaks( સ્વયંસેવકો) walk his talk. Times of India editorial)

આર એસ એસમાં એક સંસ્થા તરીકે આખરી શબ્દ કે સંદેશો સરસંઘચાલકનો હોય છે. હવે ભાગવતજીએ એવું સાબીત કરવું પડશે કે  તેમની સંસ્થાના સ્વયંસેવકો તેમના વીચારો પ્રમાણે ચાલશે!.

 


--

Friday, September 14, 2018

નોટબંધી, ન. મોદી અને દેશનું અમાપ નુકશાન.


 

નોટબંધી, ન. મોદી અને દેશનું અમાપ નુકશાન.

તંત્રી લેખ ગાર્ડીયન દૈનીક પેપર. બ્રીટન. તા. ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮.

 (The Guardian view on Modi's mistakes: the high costs of India's demonetization.Editorial )

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નીર્ણયો અને નીતીઓથી દેશને જે નુકશાન રોજગારી, વીકાસ અને માનવ જીવની જે હાની થઇ છે તેની જવાબદારી ચોક્ક્સ લેવી જોઇએ. જો તેઓને તે બધી ગંભીર ભુલો માટે પસ્તાવો ન થતો હોય, તે બધી જવાબદારી લેવા તૈયાર ન હોય તો સને ૨૦૧૯ની ચુંટણીમાં દેશના મતદારોએ  પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને તેઓને બરાબર સબક શીખવાડવો જોઇએ.  નોટબંધીથી થયેલ નુકશાન માટે તેઓના સીવાય કોઇને જવાબદાર ગણાવી શકાય નહી. ( 'Mr Modi has no one else to blame.' )

 આપણે સૌ, હવે ભારતની રીઝર્વ બેંકે નોટબંધી અંગે પ્રકાશીત કરેલા રીપોર્ટને આધારે  તે હકીકતને સારી રીતે જાણીએ છીએ. વીશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા લોકશાહી દેશના વડાપ્રધાન તરીકે, દેશના અર્થતંત્ર પર નોટબંધીનો નીર્ણય લઇને કોઇ કારણવીના એક વીશાળ ફુગ્ગાનો વીસ્ફોટ કર્યો. તેઓની આ ગેરમાર્ગે દોરાયેલી નીતીનો અમલ પણ ખુબજ ઝડપથી બીલકુલ બફાટ અને લોચાવાળો હતો. (with a mistaken policy implemented at high speed in a bungling manner.) નોટબંધીથી દેશના અર્થતંત્ર પર જે કાયમી, પ્રચંડ અને મહત્વની અસર( Monumental Mistake) થઇ છે, તેથી તેના માટે કોઇ ઓફીસ– અધીકારીને(the office-bearer be held accountable)બલીનો બકરો બનાવવામાં આવશે. પણ એવું કાંઇ બનવાને બદલે પોતાના મુર્ખતા ભરેલા નોટબંધીના નીર્ણયને યેનકેન પ્રકારે વડાપ્રધાન મોદીએ સાચો છે તેમ ઠસાવવાના સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે.( Mr Modi is determined not to concede the folly of demonetization).

 નોટબંધીના નીર્ણયની અસરને કારણે દેશમાં ૧૦૦ ઉપરાંત લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. ૧૫ લાખ લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે.અને પંદર કરોડ લોકોએ કેટલાય અઠવાડીયાઓ સુધી કામ કર્યા પછી પણ પગાર કે વેતન મેળવી શક્યા ન હતા.

 વડાપ્રધાન મોદીએ પોતાના સીવાય કોઇને સદર નીર્ણય માટે જવાબદાર ગણવાના નથી.( Mr Modi has no one else to blame.)સને ૨૦૧૬ના નવેંબર માસમાં જયારે સમગ્ર વીશ્વનું ધ્યાન સંપુર્ણ રીતે એકતરફી ડોનાલ્ડ ટ્રમ્પની ચુંટણીમાં કેન્દ્રીત થયેલું હતું, ત્યારે વડાપ્રધાન મોદીએ દેશના અર્થતંત્રના ચલણમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટોની નોટબંધી કરી દીધી. ભારત દેશના વડાપ્રધાને પોતાના એક જ પગલાથી બેંક બહાર ચલણમાં રહેલી ૮૬ ટકા નોટોને પસ્તીમાં નાંખવા લાયક બનાવી દીધી. જુની નોટોને મર્યાદીત પુરવઠાવાળી નવી નોટો સામે વીનીમય કરવાનું શરૂ કર્યુ. પ્રજા બેંકો સામે હજારોની સંખ્યામાં વહેલી સવારથી લાઇનમાં ઉભી રહેતી થઇ ગઇ. મોદીએ ગરીબોના નામે અગાઉ વચનોની લહાણી કરી હતી તેમ એક બીજી જુમલે બાજી શરૂ કરી.'હું તો આ બધું અર્થતંત્રમાંથી કાળુનાણું દુર કરવા અને જે ગેરકાયદેસર નોટોની થપ્પીઓ ભેગી કરી છે તે નાબુદ કરવા કામ કરુ છું. ૫૦ દીવસ પછી મારા કાર્યની સફળતા ન દેખાય તો જનતા જનાર્દન જે સજા નક્કી કરશે તે ભોગવવા તૈયાર છું.'( He had promised that "if any fault is found … I am willing to suffer any punishment".)

તાજેતરના આરબીઆઇના રીપોર્ટ પ્રમાણે  જુની નોટો ૯૯.૩૦ ટકા પરત આવી ગઇ છે. કાળા બજારીઆઓએ મોદીના જુગારને જાકારો આપ્યો છે. તે બધા લોકોએ પોતાના કાળા નાણાં સોનું, શેરબજાર અને જમીન,અને સ્થાવર મીલકતોમાં( રીયલ એસ્ટેટ)રોક્યા હતાં.અને છે. બેંકના નીરીક્ષણ પ્રમાણે જે નાણું નોટબંધી પહેલાં ચલણ અને વીનીમયના સાધન તરીકે હતું તે બધું નાણું પરત આવી ગયું છે. નોટબંધીની નીતીથી સરકાર અને વડાપ્રધાન મોદીને જે નાણાંકીય સીધા ફાયદાની આશા હતી તે બીલકુલ ઠગારી અને બોસ્ટફુલ નીકળી. (There was also no direct fiscal gain from demonetization. Mr Modi's government has been reduced to boasting).

શ્રીમાન(મીસ્ટર) મોદી પોતાને ધાર્મીક હોવાનો દાવો કરે છે.(Mr Modi claims to be a religious man. )  તેથી જ કદાચ આવી રાષ્ટ્રવ્યાપી દેશના અર્થતંત્રને  ઉપરનીચે કરી નાંખતી ખોટીનીતીથી જરી કે ચલીત થતા નથી કે ઢીલા પડતા નથી. સને ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે સત્તાપર આવ્યાં પહેલાં અને પછી પણ મોદીએ અસંખ્ય ભુલો કરી છે. તે બધી ભુલો સ્વીકારવાનું તેઓના સ્વભાવમાં જ નથી. તેમની એક જ નીતી છે કે સમય જતાં લોકોની યાદદાસ્ત ટુંકી હોવાથી પોતાની સામેની દલીલો લોકો ભુલી જશે. તેથી જ  સંસદીય નાણાંકીય સમીતીને નોટબંધીના થયેલા ફીયાસ્કાનો રીપોર્ટ પ્રકાશીત કરવું અનીવાર્ય હોવા છતાં તે પ્રકાશીત થવા દેતા નથી. અથવા તો જયારે પ્રજાનું ધ્યાન તેમના લીધેલા એક નીર્ણય વીરૂધ્ધ બરાબર નક્કી થતું હોય તે પહેલાં જ  આવા બીજા મુદ્દાઓને વચ્ચે લાવીને પેલી લોકક્લાયણની વાતોને ભુલાવે દેવામાં આવે છે. અથવા બીજે પાટે લઇ જવામાં આવે છે.(Or he changes the subject). અથવા તો પછી તાજેતરમાં જે કર્મશીલોની વીવેકહીન ધરપકડ( એબસર્ડ એરેસ્ટ) કરી તે સંદેશો આપે છે કે મારી સામેના વીરોધનું શું પરીણામ આવશે. અથવા સત્તા સામેના વીરોધને સહેજપણ સાંખી લેવામાં આવશે નહી.

 લોકશાહી રાજયપ્રથામાં એક ખ્યાલ પ્રવર્તમાન હોય છે કે સરકારો જયારે સત્તામાં હોય છે,ત્યારે પોતાના કાર્યો અને નીર્ણયો માટે જવાબદાર હોય છે. મોદીને આ પ્રથા અસ્વીકાર્ય છે.(Mr Modi exposes this as hollow). તે પોતાની દલીલો, વાકચાતુર્યની કળાથી,સમસ્યાઓનો સામનો કરવાને બદલે પેલા પાણીમાં તરતા બતક માફક પોતાનું ડોકું સતત હલાવતું અને ફરતું રાખે છે.

 વીશ્વ જગતમાં એ વાત નીર્વાવાદ સાબીત થઇ ચુકી છે ભારતીય અર્થતંત્રે તેની વીશ્વાસનીયતા ગુમાવી દીધી છે. ભારતમાંથી મોટાપ્રમાણમાં પરદેશી મુડી રોકાણકારોએ પોતાનાં નાણાં પરત લેવા માંડયા છે. મોદીના રાજકીય વીરોધીઓએ નોટબંધીની આળ થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માંડયો છે.

 ભારતમાં બીજેપીના સત્તાવાળા ત્રણ મોટા રાજયોમાં આ વર્ષના અંત પહેલાં વીધાનસભાઓની ચુંટણીઓ આવે છે. કોંગ્રેસ પક્ષનો દેખાવ એવો છે કે ત્રણે રાજયોમાં બીજેપીના સુપડાં સાફ કરી નાખશે. એવા રીપોર્ટ છે કે મોદી આ ત્રણ રાજયોની નીયમ પ્રમાણે આવતી ચુંટણીને મુલતવી રખાવીને લોકસભાની ચુંટણી સાથે કરાવવા માંગે છે. જો કે આવી બેશરમ રાજરમતને ફગાવી દેવામાં આવી છે.(Such blatant, politicking has rightly been ruled out.)

  મોદીએ સૌમ્ય બનીને પોતાની ભુલોને સ્વીકારવી જોઇએ. પરંતુ તે તો પોતાના સતત આત્મવીશ્વાસમાં જ રાચ્યા કરે છે અને ગાજતા રહે છે.. તેઓનું અતીશય ગુમાન આવતી લોકસભાની ચુંટણીમાં તેના પક્ષને તેના કર્મોનું ફળ આપશે (His hubris may mean his party meets its electoral nemesis. )

દેશના મતદારોએ પોતાને મળેલી તકનો ઉપયોગ કરીને મોદીને પોતાના વડાપ્રધાન પદના સમયકાળ દરમ્યાન કરેલ ભુલો બદલ શીક્ષા કરવી જોઇએ, કારણકે ભુલોને સ્વીકારવાનું તો તેઓના સ્વભાવ માં જ નથી.(  Voters ought to take the opportunity to punish Mr Modi for his for his mistakes if he won't own them.) મુળ અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કરવામાં આવેલો છે.

 

 

 

--

Monday, September 3, 2018

મોદી સરકારમાં દેશની લોકશાહીનું ભવીષ્ય શું?

મોદી સરકારમાં દેશની લોકશાહીનું ભવીષ્ય શું? અશોક સ્વેન (સ્વીડન)

 

સને ૨૦૧૪ ના મે માસ પછી ભારત એક લોકશાહી દેશ તરીકે કામકરતો બંધ થઇ ગયો છે.  India Has Already Ceased To Be A Democracy Since May 2014!

 તાજેતરમાં દેશમાં પાંચ કર્મનીષ્ઠોની થયેલી ધરપકડથી કોઇને આશ્ચર્ય ન થવું જોઇએ! જેમ જેમ સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી નજીક આવતી જશે તેમ તેમ વર્તમાન મોદી સરકાર મળેલી સત્તા ટકાવી રાખવા બીનલોકશાહી રીત- રસમોનો વધુ ને વધુ ઉપયોગ કરશે. જે રીતે પોલીસ તંત્ર ( સીક્યોરીટી એજન્સીઝ) માનવઅધીકારો માટે સંઘર્ષ કરતા કર્મનીષ્ઠોની દેશભરમાંથી તાબડતોબ ધરપકડ કરવા તુટી પડી છે  તે જોતાં આવા સરકારી પગલાના ટીકાકારો એમ કહે કે શું દેશ અઘોષીત કટોકટીમાંથી (undeclared emergency) પસાર થઇ રહ્યો છે તે વાત બીલકુલ વ્યાજબી છે.

વીશ્વભરના મીડીયા અને અખબારી જગતે, આવા માનવ મુલ્યો વીરોધી પગલા તરફ ભારતીય લોકશાહી ઝડપથી ધસી રહી છે તેની ગંભીર નોંધ લીધી છે. અત્યારે સમગ્ર વીશ્વ ફલક પર લોકશાહી ચુંટણી માર્ગે સત્તામાં આવેલી રાજકીય પણ પક્ષીય સરકારો (પશ્ચીમ જગતના દેશોની સરકારો સહીત) પોતાના દેશમાં સરીયામ પાયાના લોકશાહી મુલ્યો જેવાં કે ન્યાયતંત્રની સ્વતંત્રતા, અખબારી સ્વાતંત્ર્ય, નાગરીક તરીકે વ્યાજબી અને નીયમ મુજબનું પણ અબાધીત અભીવ્યક્તીનું સ્વાતંત્ર્ય જેવા પાયાના માનવ મુલ્યોનું સતત ઉલ્લઘન કરે છે. આ બધા દેશોનો માનવ કલ્યાણ ઇન્ડેક્ષ આંક સતત ઘટતો જાય છે. ત્યારે નરેન્દ્ર મોદીની એકહથ્થુ સત્તા (the authoritarian rule of Narendra Modi )વાળા કૃત્યો ' ન્યુ નોરમલ' બની ગયા છે.આપણા દેશમાં સરકારી ગૃહખાતાએ પોતાના પગલાને વ્યાજબી ઠેરવવા આ બધા " અર્બન નક્ષ્લવાદી" છે. જેવું રૂપાળુ નામ આપ્યુ છે. ભારત જેવા ધર્મ, જાતી જ્ઞાતી,પ્રદેશ અને સાંસ્કૃતીક વૈવીધ્ય ધરાવતા દેશમાં લોકશાહી જીવન પધ્ધતી અને રાજ્ય વ્યવસ્થાની પસંદગી કરવાનો સવાલ જ ઉભો થતો નથી. ખરેખરતો લોકશાહી પ્રથા તે આપણા દેશની એક અનીવાર્ય જરૂરીયાત છે. ભારતને એક દેશ તરીકે બીનલોકશાહી, રૂઢીચુસ્ત પરંપરાવાદી અને માનવ મુલ્યો વીરૂધ્ધ પ્રત્યાઘાતી દેશ બનવાનું કદી પોષાય તેમ જ નથી. (However, for a highly-segregated country like India to survive, democracy is not a choice, it is a necessity. India cannot afford to remain undemocratic like other mono-ethnic nations.)

આપણી નજર સમક્ષ જ ,જેમ જેમ ચુંટણીના દીવસો નજીક આવતા જશે, તેમ તેમ મોદી સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા વધુ ને વધુ બીનલોકશાહી રીતરસમોનો ભરપેટ ઉપયોગ કરશે. તેની વ્યુહ રચનાનો હુમલો બે પ્રકારનો રહેશે. એક તે પોતાના આપખુદ વર્તનોથી વીરોધીઓના અવાજને યેનકેન પ્રકારે ગુંગળાવી નાંખશે. બીજી બાજુએ સત્તાપક્ષનું તંત્ર ધર્મ અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર પ્રજાને આડો અને ઉભો વેતરતો અને વહેંચતો રહેશે. મોદી સરકાર સામે વીરોધ કરનાર જો મુસલમાન, ખ્રીસ્તી, દલીત કે આદીવાસી નહી હોય તો તેને રાષ્ટ્રવાદ વીરોધી ' શહેરી નક્ષલવાદી' (called 'urban Naxal') તરીકેનું લેબલ મારીને તેના અવાજને બંધ કરવાનો જોરદાર પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે દેશમાં સત્તાપક્ષના પુરેપુરા સંરક્ષણ નીચે તેમના પક્ષીય અને સમાન હીત ધરાવતી અન્ય સાથી સંસ્થાના ટેકેદારોની મદદથી દેશમાંથી નીકળતા પોતાની સામેના વીરોધી અવાજ ને દબાવી દેવા સખત રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. ગાયના સંરક્ષણના નામે લીંચીંગ કરવામાં આવે છે. મારી નાંખવામાં આવે છે. તે બધાને પ્રત્યક્ષ કે પરોક્ષ સત્તાપક્ષની  રહેમ નજર નીચે, સમાજમાં ધીકકાર અને ભયનું વાતાવરણ પેદા કરવા છુટ્ટોદોર આપી દેવામાં આવ્યો છે. નવાઇની વાત કે આશ્ચર્યજનક  વાત તો એ છે કે ઘણાબધા રાજકીય  ટીકાકારોને હવે સમજાઇ ગયું  છે  ભારતીય લોકશાહી નરેન્દ્ર મોદીના હાથ નીચે ગંભીર ખતરામાં આવી ગઇ છે.

આપણને બધાને તે હકીકત પર આશ્ચર્ય થવું ન જોઇએ કે નરેન્દ્રમોદી એક વડાપ્રધાન તરીકે સૌથી વીવાદાસ્પદ વ્યક્તી છે. તે દેશને સંપુર્ણ રીતે હીંદુ– મુસ્લીમ ધ્રુવીકરણ તરફ ઢસેડી રહ્યો છે. લગભગ સને ૨૦૦૨થી તેનો રાષ્ટ્રીયફલક પર કમનસીબ પ્રવેશ થયો છે. ત્યારથી તેના એકહથ્થુ, આપખુદ સ્વભાવ અને સરમુખ્ત્યારભરી ( બીજા અન્ય સમકક્ષો સાથે હોવા છતાં તે બધાને હોંસીયામાં ધકેલી દઇને) વહીવટી નીતીઓના રીપોર્ટ પ્રજા સમક્ષ સતત આવતા જ રહ્યા છે.

મોદીએ પોતે જ તેની કાલ્પનીક, સાચી નહી તેવી છપ્પન ઇંચની છાતી છે તેવી બડાઇ કે આત્મસ્તુતી જાહેરમાં સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં કરી હતી. તેના પક્ષના ટેકેદારો અને પરેશરાવલ જેવા બીજેપી પક્ષના લોકસભાના સભ્યે તેને દેશના એક નીર્ણાયક નેતા તરીકે ચુંટણી પહેલાં જાહેર કર્યા હતા. વધુમાં પરેશ રાવલે કહ્યું હતું કે દેશને એક હીતકારી સરમુખત્યારની  (A benevolent dictatorship is what India needs.) જરૂર છે.

પણ વીરોધપક્ષના કેટલાક દુરંદેશી દ્ર્ષ્ટી ધરાવતા નેતાઓ જેવાકે પ્રમુખ, નેશનલ કોન્ફરન્સ કાશ્મીર, ફારૂક અબદુલ્લાએ  સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં જણાવ્યું હતું કે " જો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તો ભારત ભવીષ્યમાં તેના નેતુત્વ નીચે એક સરમુખત્યાર દેશ બનશે. ભગવાન જાણે તેના આવા બીનલોકશાહી નેતૃત્વ હેઠળ દેશમાં કોણ જીવશે! "  તેથી છેલ્લા ચાર વર્ષોની મોદીની વડાપ્રધાન તરીકેની બીનલોકશાહી અને એકહથ્થુ વર્તણુકોથી કોઇને આશ્ચર્ય ન દેખાવું કે ન લાગવું જોઇએ. તેના આવા વલણ અને વર્તણુકોને મોદીએ એક મજબુત અને નીર્ણાયક નેતા તરીકે દેશના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પોતાની છબી ઉપસાવી છે.

 છેલ્લા ૫૦ મહીનાઓમાં મોદીએ સને ૨૦૧૪ની ચુંટણી પહેલાં 'અચ્છે દીન' લાયેગાના વચનો આપ્યા હતા તે બીલકુલ બુરી રીતે નીષ્ફળ સાબીત થયાં છે. આ ઉપરાંત, પોતાના મુખ્ય માણસો દ્રારા એવું બોલાવડાવામાં આવે છે કે દેશ બહારનું બધુંજ કાળુ નાણાં પરત લાવીશું અને દરેક નાગરીકના બેંકખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા કરાવીશું એ એક ચુંટણી જીતવાનો અને લોકોને મુર્ખ બનવાવાનો ચુનાવી જુમાલા થી વીશેષ કંઇ જ નહતું. સરકારી દખલગીરી ઓછામાં ઓછી અને સુશાસન

('less government more governance') નેબદલે મોદીના શાસનમાં તેની વહીવટી કીન્નાખોરી ભરેલી દખલગીરીથી દેશના નાગરીક જીવનનું એક પણ અંગ બાકી રહ્યુ નથી. (However, one thing Modi had promised at the time of election and has delivered it lock, stock and barrel is his ability to take a decision, even if the quality of the decision is extremely dangerous for the country and its people.)

 મોદીએ બીજા કોઇપણ નાણાંમત્રીથી માંડીને આરબીઆઇ, કે અન્ય કેબીનેટ મંત્રીઓની સાથે પરામર્શ કર્યા વીના પોતેજ નોટબંધીનો નીર્ણય કર્યો હતો. જે દેશને માથે ભયંકર નુકશાનકારી સાબીત થયો છે. મોદીએ પોતે  ૮મી નવેંબરની સાજે નોટબંધીની તરફેણમાં જે કોઇ ધ્યેયો બતાવ્યા હતા તેમાંથી એક પણ સફળ થયા નથી. " મોદીનો  અંગત જુલ્મી (despotic action ) અને બંધારણીય અંકુશ વીનાનો નીર્ણય હતો. આતો એવો નીર્ણય હતો જે ફક્ત ઠંડા કલેજે કોઇ સંપુર્ણ સરમુખ્તયાર સરકાર જ પ્રજાને મોટા પાયા પર રંજાડવા માટે જ લઇ શકે!" –અમર્તસેન, નોબલ વીજેતા અર્થશાસ્રી.

 મોદીસરકાર તરફથી આવો બીજો દેશના સંરક્ષણ માટે જોખમી અને નાણાંકીય ગેરરીતીઓ કરતો નીર્ણય લેવામાં આવ્યો છે. જે 'રેફલ ડીલ સ્કેમ ' તરીકે પ્રચલીત થયો છે. સને ૨૦૧૫ના જુલાઇમાસમાં મોદી પોતે ફ્રાંસ ગયો ત્યારે  તેણે પોતે વ્યક્તીગત રીતે ૩૬ ફ્રાંસની બનાવટના રેફેલ ફાયટર જેટ વીમાનો ખરીદવાનો નીર્ણય કર્યો.( On his visit to France in April 2015, Modi decided on his own to purchase 36 French-made Rafale fighter jets.) આ નીર્ણય કરતે સમયે ભુતકાળની સરકારે દરેક રેફેલ ફાયટર જેટની કીંમત નક્કી કરવા જે ચર્ચા કરવામાં આવી હતી તેને બીલકુલ નજરઅંદાજ  કરવામાં આવી. ભારત સરકારની પોતાની દેશના સંરક્ષણના ક્ષેત્રે છેલ્લા ૭૮વર્ષોથી કામ કરતી હીંદુસ્તાન એરોનોટીક લીમીટેડ નામની સંસ્થાને પણ હોંશીયામાં ધકેલી દઇને  બીલકુલ બીનઅનુભવી ખાનગી કંપનીને આ કામ માટે પસંદ કરવામાં આવી.(. He overlooked previous price negotiations, and not only decided the number of the fighters to buy but also bypassed the state-owned HAL with 78 years of experience in the business, to select a private company with no experience to be the Indian partner. This can only be termed 'decisive', but it can never be considered democratic. Only a dictator can take this highly arbitrary and extremely controversial decision.) હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવી સુફીયાણી વાતોનું બાષ્પીભવન આવા ૫૬ ઇંચની છાતી ધરાવતા  બહાદુર નેતા પાસેથી કેવી રીતે થઇ ગયું! ' સત્તા ભ્રષ્ટાચારી છે. પણ સંપુર્ણ સત્તા સંપુર્ણ ભ્રષ્ટાચારી છે." –––લોર્ડ એક્ટન બ્રીટીશ ન્યાયવીદ્.

સરમુખ્ત્યારશાહી નો અર્થ છે દેશનું સંચાલન એક વ્યકતી ચલાવે છે. કોઇપણ વ્યક્તીની સરકાર સારો કે ખોટો કોઇપણ નીર્ણય લઇ શકે છે. જ્યારે કોઇ સરમુખ્ત્યાર નીર્ણય લે છે ત્યારે તે નીર્ણય બહાદુર અને નીર્ણાયક લાગે છે. પરંતુ આવા નેતાના નીર્ણયોમાં સારુ નરસું દેશના હીતમાં મુલ્યાંકન કરવાની પ્રથા કે ચેક્સ એન્ડ બેલેન્સીસ નો સંપુર્ણ અભાવ હોય છે. લોકશાહીમાં હોય તેવો સેફટી વાલ્વ(it lacks checks and balances) આવી એકજ વ્યક્તીની સરમુખ્ત્યારશાહીમાં હોતો જ નથી. કોઇપણ સરકાર પછી ગમે તે પક્ષની કે તેના નેતાની હોય, જ્યારે તે પોતાની વ્યક્તી કે નેતાના નીર્ણયને સમગ્ર દેશના હીતનો નીર્ણય ગણે છે ત્યારે આવું સમીકરણ દેશ માટે અત્યંત જોખમી બની જાય છે.

 જે દીવસથી પ્રજાએ મોદીના નેતૃત્વ નીચે દેશને સોંપી દીધો છે ત્યારથી એટલે કે સને ૨૦૧૪થી ભારત એક લોકશાહી રાષ્ટ્ર તરીકે અસ્તીત્વ ધરાવતો બંધ થઇ ગયો છે. મારા મત મુજબ નરેન્દ્ર્ મોદી પાસે એક 'કોપીબુક ડીક્ટેટર' (of a copybook dictator) તરીકે જરૂરી હોય તેવા જ બધા લક્ષણો છે. સરમુખ્તયારોનું વ્યક્તીત્વ પ્રજાપર ભુરકી નાંખનારૂ કે મુગ્ધ કરનારૂ પણ સાથે સાથે લુચ્ચુ  (Dictators are usually charismatic and cunning )હોય છે. આવા નેતા સ્વકેન્દ્રી, આત્મશ્લાઘાવાળા અને તેમને અતીશય નહી પણ અમર્યાદીત રાજકીય સત્તાની ભુખ  હોય છે. કે જેને લીધે તે પોતાની સામેના કોઇપણ વીરોધને સાંખી શકતા નથી. તેવા વીરોધોનો કચડી નાંખવા તેઓ કોઇપણ પગલાં લેતા અચકાતા નથી. કારણકે તેમને પોતાનું રાજકીય પ્રભુત્વ ગુમાવવું બીલકુલ પોષાય તેમ જ નથી. આવી અમર્યાદીત વ્યક્તીગત સત્તા ભુખ આવા નેતાઓને સત્તાના સીંહાસેને બેસાડે પણ છે અને બુરી રીતે ફગાવી પણ દે છે.

 આવી સરમુખ્ત્યાર નેતાગીરીના રાજકીય પક્ષોના વીરોધીઓ અને ટીકાકારોએ આ હકીકત સમજીને પોતાની વ્યુહ રચનાનું આયોજન કરવું પડશે. મને ચોક્ક્સ દેખાય છે કે ભારતમાં આવતી સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી એક સામાન્ય ચુંટણી હોવાની નથી. તાજેતરમાં જે રીતે પેલા પાંચ કર્મનીષ્ઠોની રાષ્ટ્રવ્યાપી ધરપકડ કરવામાં આવી છે તે મોદીના મનમાં ચુંટણી જીતવા માટે ચાલી રહેલી ગડભાંજનું એક માત્ર પગલું છે.

સૌજન્ય. Scroll.in

 The writer is professor of Peace and Conflict Research at Uppsala University, Sweden.

 

 


--