Thursday, April 28, 2022

On Taslim Nasrin

તસલીમા નસરીન.( Taslima Nasrin)મુળ બંગલાદેશી– સ્વીડનની નાગરીક .

જન્મ–૨૫–૦૮– ૧૯૬૨.

તસલીમા નસરીન– તેણીના પિતા વ્યવસાયે મેડકીલ ડૉકટર હતા. ઉપરાંત તેઓ મેડીકલ કોલેજમાં મેડીકો લીગલ વિષયના પ્રોફેસર હતા. તસલીમા પોતે નારીવાદી બળવાખોર લેખીકા, ધર્મનિરપેક્ષ માનવવાદી( સેક્યુલર હ્યુમેનીસ્ટ) અને માનવ અધિકારો માટે પોતાના દેશમાં અને વૈશ્વીક કક્ષાએ સંઘર્ષ કરતી કર્મનીષ્ઠ છે. ઉપરાંત તે પણ ફીઝીશ્યન– કમ– સ્રી નિષ્ણાત ડૉકટર છે. સ્રી નિષ્ણાત ડૉકટર તરીકે તેણીએ બંગલા દેશી પુરૂષપ્રધાન મુસ્લીમ સમાજમાં ખાસ નાની દિકરીઓ પરના બળાત્કાર અને જાતીય શોષણ ઉપરાંત પ્રવર્તમાન સ્રી શોષણ સામે સખત બળવાખોર લખાણો લખેલ છે. તેથી તેણીના તમામ પુસ્તકો બંગલાદેશ અને ભારતની પશ્ચિમબંગાળ રાજ્યની સરકારે પ્રકાશિત કરવા, અભ્યાસ કરવા વિ. પર સખત પ્રતિબંધ મુકેલ છે.

તસલીમા નસરીનને બંગલા દેશની સરકારે સને ૧૯૯૪થી દેશનિકાલ કરેલ છે. યુરોપ અને અમેરીકા જેવા દેશોમાં દસવર્ષ સુધી રહ્યા પછી  તેણી સને ૨૦૦૪માં ભારત આવી હતી. તેણીને ભારતનો નાગરીક બનવાની અદમ્ય ઇચ્છા હતી કારણકે  ભારત અને બંગાલાદેશની સંસ્કૃત્તી પ્રમાણમાં સમાન છે. તેણી ભારતમાં રેસીડેન્ટ વીસા પરમીટ પર રહે છે. દેશના નાગરીક તરીકે નહી.

તસલીમા પર શારિરીક હુમલા ઇસ્લામીક ધર્માંધો તરફથી વારંવાર કરવામાં આવેલા છે. તેના બે કારણો છે. એક તે જ્ઞાન આધારીત કુરાનની આયાતોમાં અને શરીયતમાં જે સ્રી વિરુધ્ધ લખાણો છે તેની સખત ટીકા કરે છે. બીજું સ્રી અને પુરૂષ વચ્ચે ધર્મ, રાજ્ય સત્તા અને તમામ સામાજીક વ્યવહારોમાં સંપુર્ણ સમાન વ્યવહારો ને સંબંધો હોવા જોઇએ તેવી માન્યતા પ્રમાણે જીવન જીવે છે અને તે માટે સંઘર્ષ પણ કરે છે.     આવી તસલીમાની ક્રીયાશીલતા પેલા ધર્મના બની બેઠેલા ઠેકેદારોને માન્ય નથી. સને ૧૯૯૪ના મે માસમાં  કોલકત્તાના દૈનીક પેપર 'સ્ટેટસમેન' ને આપેલા ઇન્ટરવ્યુમાં તસલીમાએ જણાવ્યુ હતું કે ' કુરાનને નવેસરથી લોકશાહી મુલ્યોને આધારે લખવું જોઇએ. હાલનું કુરાનની રચના પુરૂષપ્રધાન સમાજના હીતોને પોષે છે. ' ઇસ્લામીક કાયદા શરીયતને નેસ્ત નાબુદ કરવો જોઇએ. અને દેશમાં ' સમાન નાગરીક ધારો' ( Common Civil Code)  હોવો જોઇએ. તસલીમાનું તારણ  છે કે જ્યાંસુધી કુરાન અને શરીયતના ઉપદેશોની આધુનીક જ્ઞાન– વિજ્ઞાનના સત્યો આધારીત સખત મુલ્યાંકન કરી ટીકા નહી કરો ત્યાં સુધી મુસ્લીમદેશો અને પ્રજામાં ધર્મનિરપેક્ષ લોકશાહી મુલ્યોને સમર્પિત સમાજ ક્યારે બનશે નહી. આ સત્ય બાયબલ અને ગીતા, રામાયણ,વિ.જેવા તમામ ધર્મોના પુસ્તકોના ઉપદેશોને પણ સંપુર્ણ લાગુ પડે છે. વિશ્વના, ખાસ કરીને ગરીબ, અભણ, કુપોષણથી પીડાતા,અને સર આઇઝેક ન્યુટનના( Pre Newtonian Era) જમાનાના પહેલાની ધાર્મીક માનસીકતાને માથે લઇને ફરનારા તમામ દેશોની પ્રજાને લાગુ પડે છે.આ બધા દેશોમાં ધર્મ સત્તા અને રાજ્ય સત્તાનું સંમિશ્રણ કરીને પોતાના દેશના નાગરીકોની સ્વતંત્રતાને ગળે ટુંપો મારી દેવામાં આવ્યો છે. તેની સામે પ્રજાને વિદ્રોહ માટે આપણે તૈયાર કરવી પડશે. ઇસ્લામની ત્રણ તલાકની પ્રથા સંપુર્ણ ધિક્કારને પાત્ર છે. સાથે સાથે ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ બોર્ડને ફરીથી પુન;જીવત ન થાય તે રીતે જમીનદોસ્ત કરી દેવી જોઇએ.(Taslima has always advocated for an Indian Uniform civil code,[60] and said that criticism of Islam is the only way to establish secularism in Islamic countries.[61] Taslima said that Triple talaq is despicable and the All India Muslim Personal Law Board should be abolished. Taslima used to write articles for online media venture The Print in India.)

 

 આ બધા વિચારોને કારણે મુસ્લીમ ઉગ્રવાદીઓનો ખોફ તેણીના માથે આવી ગયો. ભારતના લાખો મુસ્લીમોએ તેણીને ધર્મભ્રષ્ટ જાહેર કરી. એક મુસ્લીમ ઉગ્રવાદીએ કોલકત્તાના પ્રશાસનને ધમકી આપી કે જો તમે તસલીમા નસરીનનો શિરચ્છેદ નહી કરો તો અમે આખા શહેરમાં ઝેરી સાપો છુટા મુકી દઇશું. (a member of a "militant faction threatened to set loose thousands of poisonous snakes in the capital unless she was executed.) કલકત્તાની  ટીપુ સુલતાન મસ્જીદના ઇમામે તસલીમા નસરીનને મોઢેં કોઇ મેશ ચોપડીને તેણીની માન હાની કરે તેને હજારો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સને ૨૦૦૭માં ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ બોર્ડે જે કોઇ તસલીમા નસરીનનો શિરચ્છેદ કરે તેને રૂપીયા પાંચ લાખનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. સદર સંસ્થાના ગ્રુપ પ્રમુખ તૌકીર રાઝાએ જાહેર કર્યું હતું આ જોખમમાંથી મુક્ત થવું હોય તો તેણીએ જાહેરમાં તેના બદકાર્યો માટે માફી માંગે અને તેની તમામ ચોપડીઓ, લેખો, કવિતાઓ વિ તમામ સાહિત્યને સળગાવી દે! આંધ્રપ્રદેશના શહેર હૈદ્રાબાદમાં તસલીમા નસરીનના ભાષાંતર થયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે કટ્ટર મુસ્લીમોના ટોળાએ તેણીના પર ખુની હુમલો ચાલુ પ્રસંગે કર્યો હતો. જેમાંથી મહામુસીબતે તેણી બચી ગઇ હતી.

કોલકત્તામાં એક સમયના એમ. એન. રોયના સાથીદારો પ્રો. સિબ નારાયાણ રે અને પ્રો. અમલનદત્તએ તસલીમાને સંપુર્ણ નૈતીક સથવારો તેમજ રહેઠાણ ને અન્ય સગવડો પુરી પાડી હતી. આ બંને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા બૌધ્ધીકો " મારા વૈચારીક ઉદ્દદીપકો બન્યા હતા." કોલકત્ત્તાના મારા રહેઠાણના સમયમાં હું તેમના ખોળામાં માથું મુકીને જાણે વડીલોની છત્રછાયામાં સંપુર્ણ માનસીક શાંતિ અનુભવતી હતી. ઇસ્લામના ધાર્મીક ઉપદેશો સામેની મારા  LIE HUNTING BUSINESS" ના તે બંને કાયમી મારા વડીલ મિત્ર, માર્ગદર્શક અને Philosophical Role model હતા. હું તેમના દ્ર્રારા જ 'રેડીકલ હ્યુમેનીસ્ટ' બની.. જે વિચારોએ મને પશ્ચીમી જગતમાં પ્રો. પોલ કુત્સ ને રિચાર્ડ ડોકીન્સ જેવા ધર્મનિરપેક્ષ માનવવાદીઓની હુંફ મેળવી આપવામાં સરળતા કરી આપી હતી. ભારતમાં ગીરીશ કન્નડ, મહાશ્વેતા દેવી, પારિતોષ સેન, વિશ્વાસ ચક્રવર્તી,અને બંગાલ દેશી લેખક અને તત્વજ્ઞાની કબીર ચૌધરીએ જેવા અનેક તમામ પ્રકારના બૌધ્ધીકોએ તસલીમા નસરીનની પ્રવૃત્તીને ખુલ્લો ટેકો આપ્યો હતો.

 તેણીના માતા– પિતા બંને મરણ પથારીએ હતા. તેમ છતાં બંગલા દેશની સરકારે તેણીને વીઝીટર વીસા  મા– બાપને મળવા જવા પણ ન આપ્યો . વૈચારીક પ્રતિબધ્ધતાને આધારે જીવનની નાવ ચલાવવા માટે આ બધા ઝંઝાવતો તો સામાન્ય જ ગણાય ને! હવે ક્યારેય પોતાની માતૃભુમીમાં જવાશે નહી એમ સમજીને તેણીએ પોતાના મેડીકલ પ્રોફેશનને બાય બાય કહીને સાહિત્ય અને કવિતાના સર્જનમાં જીંદગી જીવવાનો નવો પંથ નક્કી કરી દીધો.

સાહિત્ય સર્જન– સૌ પ્રથમ તેણીએ સ્રી દમન, અત્યાચાર ને શોષણ વિ. મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કવિતો લખવા માંડી. બીજી ચાર નવલકથાઓ પણ તેણીએ પ્રકાશિત કરી. તેની વૈશ્વીક કક્ષાએ સૌથી ચર્ચાસ્પદ બનેલ નવલકથા ' લજ્જા' શરમ વીશ્વની ૨૦ ભાષોમાં પ્રકાશીત થઇ. બંગલાદેશની સરકાર ' લજ્જા' નવલકથા પર પ્રતિબંધ મુકે તે પહેલાં બંગલા ભાષામાં તે પુસ્તકની ૫૦,૦૦૦, ( પચાસહજાર)કોપીઓ વેચાઇ ગઇ હતી. ગુજરાતી ભાષામાં પણ તે નવલકથા ઉપલબ્ધ છે. બીજી તેણીની નવલકથા ' દ્વી ખંડીતા' પણ છે.( In all, she has written more than thirty books of poetry, essays, novels, short stories, and memoirs, and her books have been translated into 20 different languages).

Taslima has always advocated for an Indian Uniform civil code,[60] and said that criticism of Islam is the only way to establish secularism in Islamic countries.[61] Taslima said that Triple talaq is despicable and the All India Muslim Personal Law Board should be abolished.

' દ્રી ખંડીતા' નવલકથામાં કેટલાક ફકરા એવા વિવાદાસ્પદ હતા કે તે બધાને કારણે કોલકત્તામાં  સને ૨૦૦૮માં કોમીદંગા થયા હતા.તે કારણે તસલીમાને સને ૨૦૦૮ની ૧૯મી માર્ચે ભારતમાંથી  સત્તાના દબાણથી દેશ છોડવો પડયો હતો. ત્યારબાદ તસલીમા ભારત આવી હતી. પશ્ચીમ બંગાળની સરકારે પોતાના રાજ્યમાં પ્રવેશ નિષેધ જાહેર કર્યો હતો. પરંતુ તસલીમાને ભારત સાથે બંગલા દેશ જેટલો જ માનસીક અને લાગણીસભર સાંસ્કૃતીક બંધન એટલું બધું હતું કે તેણીએ  જાહેર કર્યું હતું કે  હું ભૌતીક શરીર કે દેહ સ્વરૂપે ભલે વિશ્વભરમાં ઘુમતી રહીશ પણ 'મારો અંતરનો અવાજ' ( Conscience),પુકાર તો ભારત માટે જ રહેશે.(She claims, "her soul lived in India). માટે તેણીએ સ્વીડનની નાગરીકતા સ્વીકારતાં જાહેર કર્યું હતું કે મારા મૃત્યુ બાદ મારૂ શરીર હું કોલકત્તાની સ્વૈચ્છીક સંસ્થા (NGO) ' જ્ઞાન દર્પણ' ને મેડીકલ હેતુઓ દેહદાન કરવાનું જાહેર કરૂ છું.

સને ૨૦૧૫માં તસલીમા નસરીને અમેરીકામાં રાજ્યશ્રય મેળવી પ્રો. પોલકુત્સ અને રીચાર્ડ ડોકિન્સ ની મદદથી ' ધી સેન્ટર ઓફ ફ્રી ઇન્કવાયરી ' સંસ્થાની મેનેજમેંટ નીચે જીવન જીવવાનું શરૂ કર્યુ હતું. ' અલ કાયદા' સંચાલિત આતંકવાદીઓએ તેણીને મોતની ધમકી આપી. અમેરીકામાં તેણીના જીવન નિર્વાહ માટે ' સેન્ટર ઓફ ફ્રી ઇન્કાવયરીએ'  ઇમરજન્સી ફંડ ઉભું કર્યું. પણ છેવટે તેણીને અલ– કાયદાની ધમકી માંથી બચવા માટે અમેરીકા દેશને પણ કાયમ માટે છોડી દેવો પડયો હતો.

 

 

પરદેશમાં રાજકીય આશ્રય– બંગલા દેશની સરકારે તસલીમા નસરીનને દેશ નિકાલ કર્યા પછી તેણીને અમેરીકા કેનેડા સહિત યુરોપના લગભગ તમામ લોકશાહી દેશોએ રાજ્યશ્રય અને સલામતી માટેની સગવડો પુરી પાડવાની કોશીષ કરી હતી. ફ્રાંસના પાટનગર પેરીસના મેયરે તસલીમા નસરીનને ફ્રાન્સનું નાગરીકત્વ આપવા તેમજ સલામતી માટે તમામ કાયદાકીય સગવડ પુરી પાડવાની બાંહેધરી સદર બહુમાન કરતા સમયે જાહેર કરી હતી. સ્રી હક્કો માટે સતત સંઘર્ષ કરવા માટે પેરીસના મેયરે 'સીમેન દે બુઆ' એવોર્ડ આપ્યો હતો. સંજોગોવશાત તેણી તે સમયે ભારતમાં હતી તેથી અવોર્ડ લેવા જઇ શકી નહતી. કોલકત્તાની પીપલ્સ બુક સોસાયટીએ પ્રકાશિત કરેલ તેણીની સાત ભાગોમાં લખાયેલી આત્મકથાને ' આનંદા પુરસ્કાર'થી નવાજીત કરી હતી. સદર આત્મકથાનું સને ૨૦૦૨માં બંગલા ભાષામાંથી અંગ્રેજીમાં પણ ભાષાંતર કરી પ્રકાશીત કરવામાં આવી છે.

તસલીમા નસરીનના જીવન પર ઘણા નાટકો, કવિતાઓ, ટીવી સીરિઅલ બનેલી છે.( Her work has been adapted for TV and even turned into music. Jhumur was a 2006 TV serial based on a story written especially for the show.) સ્વીડીસ ગીતકાર માગોરીઆએ( The Swedish singer Magoria sang "Goddess in you,Taslima), ગીત બનાવીને ગાયું છે. ફ્રાંસની અંદર એક બેંડ કુંપનીએ તસલામા નસરીનનું અભિવાદન બેંડ કંપોઝ કર્યું છે.( The French band Zebda composed "Don't worry, Taslima" as an homage.) સ્ટિવ લેસીનામના સેક્સોફોનીસ્ટે (the jazz soprano saxophonist,) ' ધી ક્રાય' નામની કવીતાનું સંગીતમાં રૂપાંતર કર્યુ. જે ખુબજ આકર્ષક તેમજ વિરોધાભાસી હતું. જેણે સમગ્ર અમેરીકા અને યુરોપના જાઝ સંગીતના ચાહકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ જાઝ સંગીતનું વર્લ્ડ પ્રીમીયર શો સને ૧૯૯૬માં બર્લીનમાં આયોજીત કર્યો હતો. જેમાં તસલીમ નસરીને પોતે જીવંત ગાવાની હતી. પરંતુ આતકવાંદીઓની ધમકીને કારણે આખો શો રદબાતલ કરવો પડયો હતો.( Initially, Nasrin was to recite during the performance, but these recitations were dropped after the 1996 Berlin world premiere because of security concerns.) સને ૨૦૧૯માં જ્યારે શ્રીલંકાની સરકારે જાહેરમાં મુસ્લીમ સ્રીઓને ' બુરખા' પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો ત્યારે તસલીમા નસરીને તે નિર્ણયને આવકારતાં સખત ટીપ્પણી કરી ને બુરખાને મુસ્લીમ સ્રીઓ માટેની ' મોબાઇલ પ્રીઝન' હરતી ફરતી જેલ ગણાવી હતી. (When Sri Lanka banned the burka on 2019, Nasrin took to Twitter to show her support for the decision. She termed burqa as a 'mobile prison')

તસલીમા નસરીનને વૈશ્વીક સ્તર મળેલા એવોર્ડ અને બહુમાનો–

·         સને ૧૯૯૪માં તેણીને યુરોપીયન પાર્લામેંન્ટે ' સખારોવ પ્રાઇઝ' આપેલું.

·         પેરીસના મેયરે ' સીમોન દે બુઆ' એવોર્ડ આપેલો.

·         ફ્રાંસની સરકારે એડીક્ટ ઓફ નેન્તસ એવોર્ડ આપેલો.

·         સ્વીનની સરકારે કુર્ત તુહોસ્કી ઇનામ આપેલ.

·         જર્મનીની જર્મન એકેડેમીક એક્સચેંજ સર્વીસે સ્કોલરશીપ આપી હતી.

·         ઇન્ટરનેશનલ હ્યુમેનીસ્ટ એન્ડ એથીકલ યુનીયન ગ્રેટ બ્રીટન તરફથી સને ૧૯૯૬નો વૈશ્વીક હ્યુમેનીસ્ટ એવોર્ડ આપ્યો હતો.

·         અમેરીકાની ફ્રીડમ ફ્રોમ રીલીજીયસ સંસ્થાએ સને ૨૦૦૨માં ફ્રી થોટ હિરોઇન એવોર્ડ આપ્યો હતો.

·         સને ૨૦૦૩માં હાર્વર્ડ યુની. એ તેણીને જોન એફ. કેનેડી સ્કુલ ઓફ ગર્વમેંટ તરફથી ફેલોશીપ આપી હતી.

·          સને ૨૦૦૪માં યુનેસ્કો તરફથી તેણીની સહિષ્ણુતા અને અહિંસક પ્રવૃત્તીઓના પ્રસાર માટે પ્રાઇઝ માટે આપ્યું હતું.

·         અમેરીકન યુની.ઓફ પેરીસે તેને ઓનરરી ડૉકરેટટ ડીગ્રી આપી હતી.

·         લક્ષેમબર્ગ, ફ્રાંસ, બેલજીયમ,જેવા અનેક યુરોપીયન દેશોએ માનદ નાગરીકત્વ તસલીમાને આપેલ છે.

થોડુંક અંગત– પાલનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજીના પ્રો. મિહિર દવેએ પોતાની પી એચ ડી તસલીમા નસરીન પર સંશોધનત્મક નિબંધ લખીને કરી છે. તે વિષયનું સુચન અમારા સાથી માજી. પ્રી. અશ્વીન કારીઆએ કર્યું હતું. ઉપરાંત તેમાં જરૂરી માર્ગદર્શન બીપીન શ્રોફે આપ્યું હતું. સદર તૈયાર થતા પુસ્તકનું અર્પણ પ્રો. મિહિર દવે એ અશ્વીન કારીઆ અને ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ને કરેલ છે.

લેખના લંબાણ માટે ક્ષમા કરજો. તસલીમા નસરીનજીના સંઘર્ષને ન્યાય આપવાની ફરજ સમજીને લખાણ તૈયાર કરેલ છે.


--

Tuesday, April 26, 2022

વફા સુલતાન– જન્મ– ૧૯૫૮. દેશ સિરીયા ( હાલમાં અમેરીકનનાગરીક).

વફા સુલતાન–

જન્મ– ૧૯૫૮. દેશ સિરીયા ( હાલમાં અમેરીકન નાગરીક).

વ્યવસાય– મનોચિકીત્સક ડોકટર.

તેણીએ પોતાના કુટુંબના સખત માનસીક દબાણને કારણે મેડીકલ અભ્યાસ પસંદ કર્યો. પરંતુ  સને ૧૯૭૯માં ' મુસ્લીમ બ્રધરહુડ' આતંકવાદી સંસ્થાએ સિરાયાના નિર્દોષ નાગરીકો પર  જે અમાનુષી અત્યાચાર આત્યાંતિક ઇસ્લામીક વિચારસરણીનI તરફેણમાં કર્યો. તેને કારણે વફા સુલતાનની ઇસ્લામ અને અલ્લાહમાંથી શ્રધ્ધા ખતમ થઇ ગઇ. મારા જીવનને એક નવો અલ્લાહ, ગોડ શોધવા માટેનો રસ્તો ઉપરના પ્રસંગે બતાવ્યો. ઇસ્લામના ઉપદેશોને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીક મુલ્યાંકન કરવાનું શરૂ કરી દીધું. સને ૧૯૮૯ની સાલમાં અમેરીકા આવીને આ દેશનું નાગરીકત્વ કુંટુબ સાથે સ્વીકારી લીધું.

 વફા સુલતાન લખે છે કે " લોસએન્જીલસ ( કેલૌફોર્નીઆ)માં શરૂઆતને તબક્કે ગેસ સ્ટેશન ને પીઝા પાર્લરમાં કેશીયર તરીકે જે જોબ કરી તેમાં મારી સાથે માનવ માનવ તરીકે જે અરસપરસ વ્યવહાર સમાન ગૌરવથી કરવામાં આવતો હતો તેવો ગૌરવશાળી વ્યવહાર મુસ્લીમ દેશ સિરીયાની હોસ્પીટલમાં એક ડૉક્ટર તરીકે પણ મારી સાથે ક્યારે કરવામાં આવતો નહતો. કારણકે હું મુસ્લીમ સ્રી હતી.

અમેરીક્માં આવીને વફા સુલતાને અરેબીક ભાષામાં ઘણા લેખો તથા ત્રણ પુસ્તકો પ્રકાશીત કર્યા. આરબ જગતમાં તેણીના લેખોનો ખુબજ પ્રચાર થયો. આરબ ચેનલ અલ–ઝઝીરા અને અમેરીકન ન્યુઝ એજન્સી સી એન એન પર તેના ટીવી ડીબેટ શરૂ થઇ ગયા. સેમ્યુઅલ પી. હન્ટીંગટન લેખીત વિશ્વ વિખ્યાત પુસ્તક ' ક્લેશ ઓફ સીવીલાઇઝેશન્સ' સંસ્કૃતીઓનો સંઘર્ષ પરની ચર્ચાઓ આધારીત એક છ મિનીટનો વિડીયો બહાર પાડયો . સદર વિડીયો ન્યુયોર્ક ટાઇમ્સની ગણતરી મુજબ એકવાર દસલાખ લોકોએ જોયો. આ વિડીયોમાં વફા સુલતાને  જુદા જુદા મુસ્લીમ દેશોમાં સ્રીઓની કૌટુંબીક અને સમાજમાં પ્રવર્તમાન સ્થિતિની સખત ટીકા કરી. તેણીના યુ ટયુબ વિડીયોને આધારે ઓનલાઇન ઘણી ચર્ચાઓ શરૂ થઇ હતી.

 વફા સુલતાને અંગ્રેજીમાં પોતાનું પ્રથમ પુસ્તક પ્રકાશીત કર્યુ. તેનું નામ છે– "A God Who Hates":

The Courageous Woman Who Inflamed the Muslim World Speaks Out Against the Evils of Islam.

સદર પુસ્તકમાં તેણીએ જન્મે એક મુસ્લીમ સ્રી તરીકે પોતાની અંગત જીવન કથા લખી છે. મનોવૈજ્ઞાનીક ચિકિત્સક તરીકે  તેણીએ ઇસ્લામના ઇતિહાસનું મનોવૈજ્ઞાનીક દ્રષ્ટીએ મુલ્યાંકન કર્યું છે. તેણીએ પોતાના રીસર્ચ પેપર જેનું નામ છે આધુનિકતાઅને જંગલીયાતપણું માં તારણ કાઢયું છે કે ઇસ્લામ આધુનિકતા સામેની લડાઇ ચોક્કસ હારી જવાનું છે. ( નોંધ– જે તારણ બધા ધર્મોને ઓછું લાગું પડતું નથી.અથવા તમામ ધર્મોને પુરેપુરુ લાગુ પડે છે.) Sultan describes her thesis as witnessing "a battle between modernity and barbarism which Islam will lose".

આ પીએચ ડી થેસીસ ને કારણે વફા સુલતાનને ટેલીફોન ઉપર મોતની ધમકીઓ આવવાની શરૂ થઇ ગઇ. તેણીના મત મુજબ ઇસ્લામ એક ફફ્ત ધર્મ નથી. જે તેના અનુયાયી અને અલ્લાહ સાથે કે મૃત્યુ પછીના જીવન અંગે ઉપદેશો આપતો હોય. તેની મુશ્કેલીઓ તેના ઉપદેશોમાં જ અંતર્ગત સમાયેલી છે. તે એક રાજકીય વિચારસરણી પણ છે. ઇસ્લામીક રાજયની રચના માટે તે હિંસક સાધનોને વર્જય ગણતો નથી. એક ટીવી ચર્ચામાં તેણીએ સ્પષ્ટ કહી દીધું હતું કે ઇસ્લામના આ બધા ઉપદેશોએ જ આતંકવાદને જન્મ આપ્યો છે. જેનાથી માનવજાતની તબાહી થઇ ગઇ છે. ઇસ્લામ એક અન્ય ધર્મો અને વિચારો પ્રત્યે( ખાસ કરીને લોકશાહી મુલ્યો પ્રત્યે) સહિષ્ણુ અભિગમને બદલે અસહિષ્ણુ વર્તન ધરાવે છે. અરે! વિશ્વમાં કોઇ મુસ્લીમ દેશનો ઉદારમતવાદ આધારીત લોકશાહી મુલ્યોથી સંચાલિત રાજ્યપ્રથા અસ્તિત્વમાં જ નથી.

In her book A God Who Hates, Sultan writes that "No one can be a true Muslim and a true American simultaneously".

સને ૨૦૦૬માં ' ટાઇમ મેગેઝીને' વીશ્વમાં જે એકસો માણસો,પોતાના વિચારો,જ્ઞાન અને નૈતીક વર્તનથી વૈશ્વીક પરિવર્તન માટેની જબ્બરજસ્ત અસર પેદા કરી શક્યા છે તેમાંની પસંદ કરેલી એક અગત્યની વ્યક્તી વફા સુલતાન છે.'( "I even don't believe in Islam, but I am a Muslim.) મને ઇસ્લામમાં બિલકુલ શ્રધ્ધ્ધા નથી પણ હું મુસ્લીમ છું કારણકે મારા જન્મદાતા મા–બાપ મુસ્લીમ હતા.આજ વર્ષની અંદર તેણીને " ફ્રીડમ ફોર્મ રીલીજીયસ ફાઉન્ડેશન" તરફથી ' ફ્રી હિરોઇન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વીક કક્ષાએ વફા સુલતાન રાષ્ટ્રોના ઇસ્લામીકરણ વિરૂધ્ધની સંસ્થા (Sultan is a board member of Stop Islamization of Nations (S.I.O.N.) ની બોર્ડ મેમ્બર છે. સદર સંસ્થાના સભ્યો ઇરાન, જર્મની, કેનેડા, ઇઝરાઇલ, ભારત, સ્વીઝર્લેંડ, વિ, દેશોમાં પણ છે.

વૈશ્વીક કક્ષાએ જુદા જુદા મેગેઝીન અને ન્યુઝ પેપરે વફા સુલતાનના લેખો પ્રકાશિત કરેલ છે. સને ૨૦૦૮ની ૨૪મી ઓગસ્ટે ન્યુયોર્ક ટાઇમ્સમાં તેણીના લેખનું મથાળું હતું, " ઇસ્લામીક હિંસા અને અસહિસ્ણુતા જ તેનો નાશ કરશે."(તેવીજ રીતે આપણા દેશના વર્તમાનમાં ચાલી રહેલી હિંદુત્વ પ્રેરીત હિંસા અને અસહિષ્ણુતા હિંદુ ધર્મનો નાશ કેમ નહી કરે?) ઇઝરાયેલના દૈનીક પેપર ' જેરુસલેમ પોસ્ટ' માં ). "One on One: A woman's work in progress"The Jerusalem Post. લખ્યો હતો. પ્રકાશિત તારીખ– ૦૧–૦૧–૨૦૧૫. ઓસ્ટેલીયાના દૈનિક– ધી સીડની મોર્નીંગ હેરલ્ડના તંત્રીએ વફા સુલતાનની પોતાના દેશની મુલાકાતના અંતે નિરીક્ષણ કર્યું હતું કે ' તેણી ખુબજ હિંમતવાન સ્રી છે જેણે જેહાદી ઇસ્લામ અને પોતાના મુળ દેશ સીરિયાના રૂઢીચુસ્ત મુસ્લીમ સમાજની ટીકા કરી છે.'  સને ૨૦૦૮ના સપ્ટેમ્બર માસના રીડર્સ ડાયજેસ્ટ માસીકના લેખમાં લખ્યું છે કે  વફા સલતાન આખરે પોતાનું મોં ખોલે છે ને બોલે છે ' એક સ્રી પોતાના જાનના જોખમે સત્ય બોલે છે કે ' આતંકી ઇસ્લામ મુસલમાનો માટે ક્યારેય મુક્તિદાતા બનવાનો નથી.'

વફા સુલતાને પોતાની વૈચારીક પ્રતિબધ્ધતાને આધારે જાનના જોખમે પણ જન્મે મુસ્લીમ હોવાના નાતે  ઇસ્લામ સામે સંઘર્ષ શરૂ કરીને પોતાના સમાજમાં નવજાગૃતિ ( રેનેશાં) જ્યોત તો પ્રગટાવી દિધી છે. જેમાં આપણા બધાની તો શુભેચ્છા જ હોય ને! (Photo of WAFA SULTAN.

 


--

Monday, April 25, 2022

 આયન હિરસી અલી–

(જન્મ–૧૯૬૯) દેશ સોમાલીયા.

તેણીએ પહેલાં નેંધરલેંડ( હોલેંડ)અને હાલ અમેરીકામાં કર્મનીષ્ઠ માનવવાદી તરીકે સક્રીય રીતે કામ કરી રહી છે. આયન અલી નારીવાદી, લેખક, અભ્યાસુ વિધ્વાન અને ભુતપુર્વ રાજકારણી છે. તેણીએ ઇસ્લામ ધર્મની અતી વિધ્વાન,બાહોશ અને ઉંડા પણ વાસ્તવિક ટીકાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવેલ છે. તેણી મુસ્લીમ સ્રીઓના પાયાના હક્કો તથા તેમના આત્મ ગૌરવ પ્રાપ્ત કરવાના સંઘર્ષ માટે સક્રીય ચળવળો ચલાવે છે.તેણી ઇસ્લામમાં કુટુંબના વડીલો અને કબીલાના વડા દ્રારા નક્કી થતા લગ્નો,તથા પોતાના કુટુંબના ખાનદાનની આબરૂને બટ્ટો લગાડનાર દીકરીનું અપમૃત્યુ કરવાની પ્રથા સામે(honor killing), બાળ લગ્નપ્રથા,સ્રી– સુન્નત વિ. પરંપરાગત તમામ ઇસ્લામીક રૂઢીઓ સામે છે.( Actively opposing forced marriagehonor killingchild marriage and female genital mutilation.)

આયન હીરસી અલીએ એમ.એસસી. ઇનપોલીટીકલ સાયંસની ડીગ્રી નેંધેરલેંડની યુની.માંથી પ્રાપ્ત કરી હતી. તેણી વીશ્વની છ ભાષાઓ લખી,વાંચી અને ભાષાંતર પણ કરી શકતી હતી.( અંગ્રેજી, સોમાલી. એરેબીક, સ્વાહિલી,ડચ અને અમહારીકAmharic,) આ દેશમાં આવીને તેણીએ પોતાના દેશોમાંથી જાનના જોખમે વિદ્રોહ કરનારઓ માટે રાજ્યાશ્રય મળે તે માટે વ્યવસ્થિત એક સંસ્થા ની રચના કરીને મદદ કરતી હતી. મનોવૈજ્ઞાનીક સિગમંડ ફ્રોઇડના પુસ્તકોનો અભ્યાસ કરીને તેણી તારણ પર આવી કે ધર્મના આધાર સિવાય પણ ચોક્કસ રીતે નૈતીક જીવન જીવી શકાય છે. જે વધુ યોગ્ય હોય છે. આ અભ્યાસને આધારે તે ડચ જીવનના ધર્મનીરપેક્ષ સામાજીક અને વ્યક્તીગત જીવન પધ્ધ્તિને સમજી શકી.

રાજકીય કારકિર્દી– તેણી નેંધરલેંડ દેશની લોકસભાની ચુંટાયેલી સભ્ય બની. ઇસ્લામ ધર્મને કાયમ માટે બાયબાય કરીને તેણી સંપુર્ણ નિરઇશ્વરવાદી બની ગઇ. થીયો વોન ગોઘની સાથે રહીને સંયુક્ત રીતે તેણીએ 'સબમીશન' ( શરણાગતી કે આત્મસમર્પણ') નામની ટુંકી ફીલ્મ બનાવી. તે ફિલ્મનું મુખ્ય વિષય–વસ્તુ ઇસ્લામીક કાયદા નીચે મુસ્લીમ સ્રીઓ પર કેવો જુલ્મ ગુજરવામાં આવે છે તથા શારીરક દમન કરવામાં આવે છે તે હતો. આ ઉપરાંત તે ફીલ્મમાં ઇસ્લામના શરીયત કાયદાની  (માનવ મુલ્યોના સંદર્ભમાં મુલ્યાંકન કરીને) સખ્ત ટીકા કરવામાં આવી હતી.

' સબમીશન' ફીલ્મના પ્રોડયુસર થીયો વોન ગોઘે સદર ફીલ્મની અભિનેત્રીને અર્ધપારદર્શક બુરખો પહેરાવીને કુરાનની જે આયાતોમાં મુસ્લીમ સ્રીઓની માનવ તરીકે અપમાન કરતી છે, તે બધી આયાતોને તેણીના શરીર પર શબ્દો દ્રારા અસરકારક રીતે રજુ કરી છે. મુસ્લીમ ધર્મગુરૂઓ તે બધી આયાતોમાં જણાવેલ હકીકતો મુજબ મુસ્લીમ સ્રીઓની શરણાગતી કે તાબેદારીને રેશનલ કે વ્યાજબી ઠેરવે છે. આ ફીલ્મે ડેનમાર્કના મુસ્લીમ સમાજમાં જબ્બરજસ્ત વિરોધનો વંટોળ પેદા કર્યો હતો.

૨૬ વર્ષના મુસ્લીમ હોફતાદ નામના આતંકવાદી ગ્રુપના(Hofstad Group) સભ્ય મુળ મોરક્કોનો ડચ નાગરીક મોહમંદ બોયુયેરીએ નેંધરલેંડની રાજધાની આમસ્ટટર્ડેમની એક શેરીમાં થીયો વોન ગોઘ ને ધોળે દિવસે હેન્ડગનથી આઠ ગોળીઓ છોડીને મારી નાંખ્યો. પહેલી જ ગોળીએ વોન ગોઘ સખત ઘાયલ થઇને જમીન પર પડી ગયા હતા. પછી ઉપરાછાપરી બીજી સાત ગોળીઓ તેના પર છોડી હતી. ત્યાર પછી હુમલાખોર બોયુયેરીએ મૃત વોન ગોઘનું છરાથી ગરદન કાપી નાંખી અને શિરચ્છેદ કરી દીધો. છેલ્લે  બોયુયેરીએ વોન ગોઘની છાતી પર એક નાની છરી ઘુસાડી જેના હાથા પર ચોંટાડેલી ચીઠ્ઠી પર આયન હિરસી અલીને મારી નાંખવાની ધમકી આપી હતી. (Bouyeri left a letter pinned to Van Gogh's body with a small knife; it was primarily a death threat to Hirsi Ali). ડચ પોલીસે તરતજ બોયુયેરીની ધરપકડ કરી લીધી અને જીંદગીભરની જન્મટીપની સજા ક્યારેય પેરોલ ન મળે તેવી જોગવાઇ સાથે કરી દીધી.(Bouyeri was sentenced to life imprisonment without parole.)

 

 

 

 

 

હીરસી અલીએ ઇસ્લામ વિરૂધ્ધ બૌધ્ધીક પ્રતિબધ્ધતા કેળવી લીધી હતી. તેણીને માટે ઇસ્લામ એક એવો ધર્મ છે જેને ધાર્મીક ઉપદેશો ઉપરાંત તે એક રાજકીય– લશ્કરી વિચારસરણી આધારીત વૈશ્વીક દ્રષ્ટિ(વિશ્વગુરૂ બનવાની ક્ષમતા) પણ ધરાવે છે.( નોંધ– યહુદી( ઇઝરાયેલ), ઇસ્લામ(આરબ જગત), બૌધ્ધ( જપાન, ચીન ને સમગ્ર પુર્વના દેશો) હિંદું( અખંડ ભારત) વિ. ધર્મોને પોતાની પ્રજાને વિશ્વગુરૂ બનાવવી છે.) તેના અનુયાઇઓને સામાજીક વ્યવહારો શરીયત મુજબ, ધર્મ પ્રેરીત નૈતીક રિવાજો પ્રમાણે જીવવા ફરજ પાડે છે. જે ડચ દેશના બંધારણ, કાયદો અને જીવન પધ્ધતિથી વિરૂધ્ધ છે.

સને ૨૦૦૫માં હિરસી અલીને " ટાઇમ" મેગેઝીને  વિશ્વની ૧૦૦ સૌથી અસરકારક વ્યક્તિઓમાંની એક ગણીને એવોર્ડ આપીને સન્માનીત કરી હતી. તેણીને ડેનીસ ન્યુઝપેપર Jyllands-Posten

અભિવ્યક્તીની સ્વતંત્રતાના અગ્રેસર તરીકેનો એવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત ' ડેમોક્રેસી પ્રાઇઝ, મોરલ કરેજ એવોર્ડ, વિ થી બહુમાન કરવામાં આવ્યું હતું. સને ૨૦૦૬માં નોર્વેની સંસદે હિરસી અલીને નોબેલ પ્રાઇઝસને લાયક ઉમેદવાર તરીકે નોમીનેટ કરી હતી.હિરસી અલીને નેધરલેંડ દેશની સંસદે બે વર્ષ સુધી રાજ્યની તિજોરીમાંથી ખર્ચ કરીને સંપુર્ણ સલામતી પુરી પાડી હતી. સને ૨૦૧૧માં હિરસી અલીએ બ્રિટીશ ઇતિહાસકાર ન્યાલ ફેરગ્યુસન સાથે લગ્ન કરીને સને ૨૦૧૩માં કાયમ માટે નેધરલેંડ છોડીને અમેરીકન સીટીઝનશીપ સ્વીકારી અમેરીકામાં રહે છે. તેણીને બે બાળકો છે.

અમેરીકામાં પણ હિરસી અલી ભયમુક્ત જીવન જીવી શકતી નથી. સને ૨૦૦૭માં તેણીને પેન્સેવેનીયા રાજ્યમાં આવેલ પીટસબર્ગ યુની.માં પોતાનું પ્રવચન આપવા જવાની હતી ત્યારે પીટસબર્ગના ઇમામે તેણીને મારી નાંખવાની ધમકી આપી હતી. સને ૨૦૧૦માં વીશ્વ વિખ્યાત આતંકવાદી સંસ્થા " અલ–કાયદાએ 'સેતાનીક વર્સીસં ના લેખક સલમાન રશદી, પેરીસના પેપર શાર્લી હેબડોના તંત્રી અને ૧૧ ઇસ્લામીક સુધારાવાદીઓ સામે જે ડેથ વોરંટ ઇસ્યુ કર્યા હતાં તેમાં હિરસી અલીનું પણ નામ હતું.

 આયન હિરસી અલી–

(જન્મ–૧૯૬૯) દેશ સોમાલીયા.

તેણીએ પહેલાં નેંધરલેંડ( હોલેંડ)અને હાલ અમેરીકામાં કર્મનીષ્ઠ માનવવાદી તરીકે સક્રીય રીતે કામ કરી રહી છે. આયન અલી નારીવાદી, લેખક, અભ્યાસુ વિધ્વાન અને ભુતપુર્વ રાજકારણી છે. તેણીએ ઇસ્લામ ધર્મની અતી વિધ્વાન,બાહોશ અને ઉંડા પણ વાસ્તવિક ટીકાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી મેળવેલ છે. તેણી મુસ્લીમ સ્રીઓના પાયાના હક્કો તથા તેમના આત્મ ગૌરવ પ્રાપ્ત કરવાના સંઘર્ષ માટે સક્રીય ચળવળો ચલાવે છે.તેણી ઇસ્લામમાં કુટુંબના વડીલો અને કબીલાના વડા દ્રારા નક્કી થતા લગ્નો,તથા પોતાના કુટુંબના ખાનદાનની આબરૂને બટ્ટો લગાડનાર દીકરીનું અપમૃત્યુ કરવાની પ્રથા સામે(honor killing), બાળ લગ્નપ્રથા,સ્રી– સુન્નત વિ. પરંપરાગત તમામ ઇસ્લામીક રૂઢીઓ સામે છે.( Actively opposing forced marriagehonor killingchild marriage and female genital mutilation.)

આયન હીરસી અલીએ એમ.એસસી. ઇનપોલીટીકલ સાયંસની ડીગ્રી નેંધેરલેંડની યુની.માંથી પ્રાપ્ત કરી હતી. તેણી વીશ્વની છ ભાષાઓ લખી,વાંચી અને ભાષાંતર પણ કરી શકતી હતી.( અંગ્રેજી, સોમાલી. એરેબીક, સ્વાહિલી,ડચ અને અમહારીકAmharic,) આ દેશમાં આવીને તેણીએ પોતાના દેશોમાંથી જાનના જોખમે વિદ્રોહ કરનારઓ માટે રાજ્યાશ્રય મળે તે માટે વ્યવસ્થિત એક સંસ્થા ની રચના કરીને મદદ કરતી હતી. મનોવૈજ્ઞાનીક સિગમંડ ફ્રોઇડના પુસ્તકોનો અભ્યાસ કરીને તેણી તારણ પર આવી કે ધર્મના આધાર સિવાય પણ ચોક્કસ રીતે નૈતીક જીવન જીવી શકાય છે. જે વધુ યોગ્ય હોય છે. આ અભ્યાસને આધારે તે ડચ જીવનના ધર્મનીરપેક્ષ સામાજીક અને વ્યક્તીગત જીવન પધ્ધ્તિને સમજી શકી.

રાજકીય કારકિર્દી– તેણી નેંધરલેંડ દેશની લોકસભાની ચુંટાયેલી સભ્ય બની. ઇસ્લામ ધર્મને કાયમ માટે બાયબાય કરીને તેણી સંપુર્ણ નિરઇશ્વરવાદી બની ગઇ. થીયો વોન ગોઘની સાથે રહીને સંયુક્ત રીતે તેણીએ 'સબમીશન' ( શરણાગતી કે આત્મસમર્પણ') નામની ટુંકી ફીલ્મ બનાવી. તે ફિલ્મનું મુખ્ય વિષય–વસ્તુ ઇસ્લામીક કાયદા નીચે મુસ્લીમ સ્રીઓ પર કેવો જુલ્મ ગુજરવામાં આવે છે તથા શારીરક દમન કરવામાં આવે છે તે હતો. આ ઉપરાંત તે ફીલ્મમાં ઇસ્લામના શરીયત કાયદાની  (માનવ મુલ્યોના સંદર્ભમાં મુલ્યાંકન કરીને) સખ્ત ટીકા કરવામાં આવી હતી.

' સબમીશન' ફીલ્મના પ્રોડયુસર થીયો વોન ગોઘે સદર ફીલ્મની અભિનેત્રીને અર્ધપારદર્શક બુરખો પહેરાવીને કુરાનની જે આયાતોમાં મુસ્લીમ સ્રીઓની માનવ તરીકે અપમાન કરતી છે, તે બધી આયાતોને તેણીના શરીર પર શબ્દો દ્રારા અસરકારક રીતે રજુ કરી છે. મુસ્લીમ ધર્મગુરૂઓ તે બધી આયાતોમાં જણાવેલ હકીકતો મુજબ મુસ્લીમ સ્રીઓની શરણાગતી કે તાબેદારીને રેશનલ કે વ્યાજબી ઠેરવે છે. આ ફીલ્મે ડેનમાર્કના મુસ્લીમ સમાજમાં જબ્બરજસ્ત વિરોધનો વંટોળ પેદા કર્યો હતો.

૨૬ વર્ષના મુસ્લીમ હોફતાદ નામના આતંકવાદી ગ્રુપના(Hofstad Group) સભ્ય મુળ મોરક્કોનો ડચ નાગરીક મોહમંદ બોયુયેરીએ નેંધરલેંડની રાજધાની આમસ્ટટર્ડેમની એક શેરીમાં થીયો વોન ગોઘ ને ધોળે દિવસે હેન્ડગનથી આઠ ગોળીઓ છોડીને મારી નાંખ્યો. પહેલી જ ગોળીએ વોન ગોઘ સખત ઘાયલ થઇને જમીન પર પડી ગયા હતા. પછી ઉપરાછાપરી બીજી સાત ગોળીઓ તેના પર છોડી હતી. ત્યાર પછી હુમલાખોર બોયુયેરીએ મૃત વોન ગોઘનું છરાથી ગરદન કાપી નાંખી અને શિરચ્છેદ કરી દીધો. છેલ્લે  બોયુયેરીએ વોન ગોઘની છાતી પર એક નાની છરી ઘુસાડી જેના હાથા પર ચોંટાડેલી ચીઠ્ઠી પર આયન હિરસી અલીને મારી નાંખવાની ધમકી આપી હતી. (Bouyeri left a letter pinned to Van Gogh's body with a small knife; it was primarily a death threat to Hirsi Ali). ડચ પોલીસે તરતજ બોયુયેરીની ધરપકડ કરી લીધી અને જીંદગીભરની જન્મટીપની સજા ક્યારેય પેરોલ ન મળે તેવી જોગવાઇ સાથે કરી દીધી.(Bouyeri was sentenced to life imprisonment without parole.)

 

 

 

 

 

હીરસી અલીએ ઇસ્લામ વિરૂધ્ધ બૌધ્ધીક પ્રતિબધ્ધતા કેળવી લીધી હતી. તેણીને માટે ઇસ્લામ એક એવો ધર્મ છે જેને ધાર્મીક ઉપદેશો ઉપરાંત તે એક રાજકીય– લશ્કરી વિચારસરણી આધારીત વૈશ્વીક દ્રષ્ટિ(વિશ્વગુરૂ બનવાની ક્ષમતા) પણ ધરાવે છે.( નોંધ– યહુદી( ઇઝરાયેલ), ઇસ્લામ(આરબ જગત), બૌધ્ધ( જપાન, ચીન ને સમગ્ર પુર્વના દેશો) હિંદું( અખંડ ભારત) વિ. ધર્મોને પોતાની પ્રજાને વિશ્વગુરૂ બનાવવી છે.) તેના અનુયાઇઓને સામાજીક વ્યવહારો શરીયત મુજબ, ધર્મ પ્રેરીત નૈતીક રિવાજો પ્રમાણે જીવવા ફરજ પાડે છે. જે ડચ દેશના બંધારણ, કાયદો અને જીવન પધ્ધતિથી વિરૂધ્ધ છે.

સને ૨૦૦૫માં હિરસી અલીને " ટાઇમ" મેગેઝીને  વિશ્વની ૧૦૦ સૌથી અસરકારક વ્યક્તિઓમાંની એક ગણીને એવોર્ડ આપીને સન્માનીત કરી હતી. તેણીને ડેનીસ ન્યુઝપેપર Jyllands-Posten

અભિવ્યક્તીની સ્વતંત્રતાના અગ્રેસર તરીકેનો એવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત ' ડેમોક્રેસી પ્રાઇઝ, મોરલ કરેજ એવોર્ડ, વિ થી બહુમાન કરવામાં આવ્યું હતું. સને ૨૦૦૬માં નોર્વેની સંસદે હિરસી અલીને નોબેલ પ્રાઇઝસને લાયક ઉમેદવાર તરીકે નોમીનેટ કરી હતી.હિરસી અલીને નેધરલેંડ દેશની સંસદે બે વર્ષ સુધી રાજ્યની તિજોરીમાંથી ખર્ચ કરીને સંપુર્ણ સલામતી પુરી પાડી હતી. સને ૨૦૧૧માં હિરસી અલીએ બ્રિટીશ ઇતિહાસકાર ન્યાલ ફેરગ્યુસન સાથે લગ્ન કરીને સને ૨૦૧૩માં કાયમ માટે નેધરલેંડ છોડીને અમેરીકન સીટીઝનશીપ સ્વીકારી અમેરીકામાં રહે છે. તેણીને બે બાળકો છે.

અમેરીકામાં પણ હિરસી અલી ભયમુક્ત જીવન જીવી શકતી નથી. સને ૨૦૦૭માં તેણીને પેન્સેવેનીયા રાજ્યમાં આવેલ પીટસબર્ગ યુની.માં પોતાનું પ્રવચન આપવા જવાની હતી ત્યારે પીટસબર્ગના ઇમામે તેણીને મારી નાંખવાની ધમકી આપી હતી. સને ૨૦૧૦માં વીશ્વ વિખ્યાત આતંકવાદી સંસ્થા " અલ–કાયદાએ 'સેતાનીક વર્સીસં ના લેખક સલમાન રશદી, પેરીસના પેપર શાર્લી હેબડોના તંત્રી અને ૧૧ ઇસ્લામીક સુધારાવાદીઓ સામે જે ડેથ વોરંટ ઇસ્યુ કર્યા હતાં તેમાં હિરસી અલીનું પણ નામ હતું.

હિરસીઅલીના પ્રકાશનો–

(૧) કુંવારી પિંજરના પંખી, (

The Caged Virgin (૨) નિરઇશ્વરવાદી (Infidel: My Life (2007 in English) (૩)

એક વિચરતું – ભટકતું વ્યક્તીત્વNomad: From Islam to America. (૪) શા માટે ઇસ્લામમાં સુધારાની ખાસ જરૂર છે. ઇસ્લામનું તાર્કીક મુલ્યાંકન.Criticism.

હાલમાં અમેરીકામાં પણ હિરસી અલીને સતત મળતી 'મૃત્યુ ધમકી' ને કારણે સંપર્ક કરવો લગભગ અશક્ય છે. Photos of Hirshi Ali & Van Gogh.

 


--

Saturday, April 23, 2022

મરિયમ નમાઝી–એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખના ઇસ્લામ વિશેના વિચારો.


મરિયમ નમાઝી– એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખના ઇસ્લામ વિશે વિચારો–

અમે ઇસ્લામ ધર્મ સામે, તેના પુસ્તક કુરાનના સત્યો સામે, તેના કાનુન શરીયા વિ,સામે વિશ્વભરમાં સંઘર્ષ કરી રહ્યા છીએ. પણ છેલ્લા પંદરસો વર્ષથી આ ધર્મ અને તેના ઉપદેશોને સત્ય માની જે તેના અનુયાયીઓ ૨૧મી સદીમાં માનવ ક્લ્યાણ આંક( Human Welfare Index)ના તમામ માપદંડોને આધારે જેવા કે સરેરાશ આયુષ્ય, માથાદીઠ આવક, તેમના જીવન જીવવા ધંધાના પ્રકારો, શિક્ષણનું પ્રમાણ, રહેવાની ઘરની સ્થિતિ અને તેમાં જીવવાની ઓછામાં ઓછી પાયાની જરૂરીયાતોનો અભાવ અને વર્તમાન કમ્પ્યુટર–ઇન્ટેનેટ– મોબાઇલ– અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં આજે ક્યાં ઉભા છે? સામે પક્ષે દોસ્તો, (ભારતના અમે હિદું ૮૦% હમસફરો પણ આ મોદી સરકારના પ્રતિમાસે માથા દીઠ મળતા પાંચ કિલો અનાજ ઉપર જ આ મોંઘવારીમાં દિવસો જીવીએ છીએ. આપણા બંને ધર્મોએ કરેલી આપણી ભૌતીક બરબાદી લેશ માત્ર જુદી નથી.ઇસ્લામીક કટ્ટરતા સામે હીંદુઓમાં કટ્ટરતા ફેલાવી, આપણે દેશમાં ફક્ત વેરઝેરના વૃક્ષો વાવી રહ્યા છો. જેના બી– બિયારણોની અમાપ મુડી, મારા– તમારા પુર્વજો વારસામાં આપીને ગયા છે. તેનાથી વધારે કાંઇ મેળવી શકશો નહી. માટે બહુ મોડું થાય પહેલાં પેલી બહાર કઢાવેલી તલવારો પાછી મ્યાનમાં સત્વરે મુકાવી દઇએ. નોંધ– આ છ લાટીઓ સદર ફેસબુકની વોલ પર લખનારની છે.)

અમે, વિશ્વભરના જુદા જુદા મુસ્લીમદેશોમાં ઇસ્લામધર્મના સત્યો સામે માનવ કેન્દ્રી પુર્નજાગરણની ચળવળ ચલાવીએ છીએ. તેના અનુસંધાનમાં તારીખ ૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ જર્મનીના શહેર કોલોનમાં ૩૦ દેશોમાંથી ૫૦ વક્તાઓને આમંત્રીત કર્યા છે. અમે, ઇસ્લામીક મુલ્યો, જે માનવ વીકાસની સ્વતંત્રતા, રેશનાલીટી અને ધર્મના આધાર સિવાયની નૈતીકતા( Secular Morality) આધારીત ઐહીક જીવન પધ્ધતીની સામે આવે છે તેના વિદ્રોહને ઉજવવા(Join Celebrating Dissent) માટે ભેગા થવાના છીએ. તેમાં ભાગ લેનારા મુખ્યત્વે ઇસ્લામને એક ધર્મ તરીકે સંપુર્ણ ત્યજી દીધેલા ભેગા થવાના છીએ. ઉપરાંત (Ex- Muslim) મરિયમ નમાઝીના નેતૃત્વ બીજા અનેક નીચે એકત્ર થવાના છે. ડૉ રીચાર્ડ ડોકીન્સ જેવા મુક્ત ધર્મનીરેપક્ષ ચિંતકો પણ હાજર રહેવાના છે.

 ચર્ચાના વિષયો છે (૧) ધર્મઅને ઇસ્લામ,(૨) ધાર્મીક નીંદા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા(૩) હિજાબ અને સ્રીઓના અધિકારો. (Discussion panels: Islam and religion, blasphemy and free speech, hijab and women's rights, etc. Performance art shows: Dance, singing, poetry, etc. Visual arts exhibitions: Photography, art installations, etc. Freethought Champions Award Ceremony)

વિશ્વભરમાં ભુતપુર્વ ઇસ્લામ ધર્મીઓની પ્રવૃત્તિઓ –

આ સંસ્થાઓની શાખાઓ બ્રિટન, ફ્રાંસ, જર્મની, નેંધરલેંડ, કેનેડા અને યુએસએમાં આવેલી છે. તે સંસ્થા ખાસ કરીને આરબ,આફ્રીકાનાદેશો, પાકિસ્તાન અને બંગલા દેશોમાંથી પોતાના દેશોની પ્રવર્તમાન મુસ્લીમ પ્રથાઓ સામે વિદ્રોહ કરી જાન જોખમે રાજ્યાશ્રય લેવા માટે કાયમી સ્થળાંતર કરવામાં મદદ કરે છે. ભુતપુર્વ મુસ્લીમ ઓળખની તમામ નિશાનીઓ જેવી કે જન્મ તારીખ, માબાપના નામો, પોતાનું નામ, મુળદેશ, પ્રદેશ વિ. તમામ ઓળખો એટલા માટે બદલી નાંખવામાં આવે છે, જેથી રૂઢીચુસ્ત ઇસ્લામી ધર્મીઓ તેમને મારી ન નંખાવે.

આપણે એક્ષ–મુસ્લીમ સંસ્થા શું છે અને તે વિશ્વભરમાં કઇ કઇ પ્રવૃત્તીઓ કરી રહી છે તે તેના પ્રમુખના વ્યક્તીત્વની ઓળખ અને તેણીના સંઘર્ષની માહિતીથી કરીએ. લેખને અંતે તેણીનો ફોટો પણ મુકેલ છે.

એક્ષ– મુસ્લીમ સંસ્થાના પ્રમુખ– મરિયમ નમાઝી–ટુંકમાં પરિચય–

જન્મ– તેહેરાન– દેશ ઇરાન ( આયોતોલ્લા ખોમાનીનો દેશ) સને ૧૯૬૬.

 બ્રિટિશ– ઇરાનીયન નિરઇશ્વરવાદી, સામ્યવાદી, માનવઅધિકારવાદી કર્મનીષ્ઠ, ટીવિ એંકર વિ. અમેરીકામાં ઇરાનમાંથી આવેલા નિરાશ્રીતોને મદદ કરવાની સંસ્થાના વડા, ધર્મનિરપેક્ષ માનવવાદીનો એવોર્ડ વિજેતા સને ૨૦૦૫ એન એસ એસ તરફથી )–સને ૨૦૦૭માં કેનેડાની એલ ક્યુબેક સંસ્થઓએ મરિયમ નમાઝીને તેણીની એક્ષ–મુસ્લીમ વિશ્વવ્યાપી પ્રવૃત્તીના બહુમાનમાં 'વીમેન ઓફ ધી યર ' નો એવોર્ડ આપેલો હતો. સને ૨૦૦૯માં ઇરાનના સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. પશ્ચીમી દેશોની મોટાભાગની યુની.ઓમાં તેણીએ ખાસ કરીને ધાર્મીક નિંદાના વિષય પર તે ગુનાહિત કૃત્ય નથી તે સંદર્ભમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. જે વિચારો કોઇપણ રજુ કરે તો તેને 'સજાએ મોત– શિરચ્છેદ' ઇસ્લામમાં છે.

મરિયમ નમાઝીની એક્ષ– મુસ્લીમ તરીકે પ્રવૃત્તીઓ– તેણી ઇસ્લામના શરીયા– કાયદા નાબુદી માટે, ઇસ્લામમાં સ્રીઓની સ્થિતીના વિરોધમાં,તથા મુસ્લીમ દેશોમાંથી આવેલા શરણાર્થીઓ માટે કામ કરે છે. શરીયા સામે સ્રી સમાન કાયદો, ધાર્મીક નિંદા વિ વિરૂધ્ધ ગુના માટે પથ્થરથી મારી નાંખવાની સજા નાબદી માટે ચળવળ ચલાવે છે. સને ૨૦૦૫માં ' ડેનીસ કાર્ટુન રાયોટસ' જેમાં ડેનમાર્કના એક દૈનીકના તંત્રીએ પોતાના પેપરમાં ઇસ્લામના સ્થાપક મહંમદ પેગંબર ઉપર ૧૨ કાર્ટુન પ્રકાશિત કરેલા. તેની સામે યુરોપમાં તોફાનો ફાટી નીકળેલા હતા.. તે સમયે મરિયમ નમાઝીએ તે તોફાનો વિરૂધ્ધ આગેવાની લઇને માનવ અધિકાર ઢંઢેરો પ્રકાશિત કરેલો હતો. જેનું પ્રથમ વાક્ય હતું " એક સમયે ભુતકાળમાં વિશ્વે અને ખાસ કરીને માનવ જાતે હિટલરના નાઝીવાદ, મુસોલીનીના ફાસીવાદઅને રશિયાના સ્ટાલીનાવાદનો સામનો કર્યો હતો. હવે આધુનીક જગતે વર્તમાનમાં વિશ્વવ્યાપી ઇસ્લામી સર્વસત્તાવાદનો સામનો કરવાનો છે.( ભારતે જેમ વર્તમાનમાં ક્રમશ; આઠપગા દરિયાઇ પ્રાણીના ભરડાની માફક હિંદુ સર્વસત્તાવાદ ભરડાનો સામનો કરવાનો છે. ( "After having overcome fascismNazism, and Stalinism, the world now faces a new totalitarian global threat: Islamism." ). સદર ઢંઢેરામાં સહી કરનારા ઇસ્લામની સામે વિશ્વવ્યાપી વિદ્રોહ કરનારા જેવા કે સલમાન રશદી, ઇબ્ન વરાક, બંગલા દેશી વિદ્રોહી તસલીમા નસરીન વિ. હતા. યુરોપ, કેનેડા અને અમેરકામાં મરિયમ નમાઝીના નેતૃત્વ હેઠળ જે એક્ષ મુસ્લીમ ચળવળ ચાલે છે તેને  યુરોપમાં માનવીય સંબંધો વચ્ચેના સહિષ્ણુતા ફેલાવાના ઢંઢેરા તરીકે  એક્ષ મુસ્લીમ ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. એક્ષ મુસ્લીમ ચળવળ, ઇસ્લામમાં પાયાનું પરિવર્તન લાવનારો ન્યુ રેનેશાંન્સ છે.અને મરિયમ નમાઝી તે ચળવળની અગ્રસેર (વેનગાર્ડ) છે.  તેણીની પ્રવૃત્તીઓ ઇસ્લામમાં પ્રવર્તમાન સામાજીક નિષેધો ( સોસીઅલ ટેબ્બુઝ) ભંજક છે(Iconoclast). તેણીએ સને ૨૦૧૧, ૨૦૧૪ અને હવે ૨૦૨૨માં અનુક્રમે બ્રિટન, સાઉથ આફ્રીકા ને Keynote Address આપેલાં હતાં અને જર્મનીમાં હવે આપશે.

 હું સને ૨૦૧૦થી મરિયમ નમાઝી ને તેણીની સંસ્થા એક્ષ મુસ્લીમના ઘનિષ્ટ સંપર્કમાં છું. તેણીની સુચનાથી, બંગલા દેશી ઇન્ટરનેટ બ્લોગર અને મારા એક સમયના સાથી અવિજીત રોય ( જેને ત્રણેક વર્ષ પહેલાં જ બંગલા દેશની રાજધાની ઢાકામાં ઉગ્રમુસ્લીમવાદીઓ બરછીથી મારી નાંખ્યા હતા) ના તંત્રી સ્થાનેથી સંચાલિત ' મુક્ત મોના' ( Mukto Mona in English) માં સને ૨૦૧૦માં બે લેખો લખેલા હતા. અટલાંટામાં હું ને અવીજીત ફક્ત ૧૦ માઇલ દુરીના અંતરે રહેતા હતા.

આવી સર્વોતુમુખી ક્રાંતિકારી વ્યક્તિત્વ ધરાવતા મરિયમ નમાઝી આ વર્ષના ઓગસ્ટમાસમાં જર્મનીમાં  "Celebrating Dissent"માં પણ પોતાનું ઉદ્ઘાટન પ્રવચન આપવાના છે. હવે પછી આ લેખમાળામાં વર્તમાન બળવારખોર એક્ષ–મુસ્લીમ ચિંતકો અને કર્મનીષ્ઠોના વ્યક્તીત્વનો પરિચય આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની યાદી આ પ્રમાણે છે.

(૧) આયન હિર્સી અલી સોમાલીયા(જન્મ–૧૯૬૯) Ayaan Hirsi Ali (૨) વફા સુલતાન( જન્મ ૧૯૫૮) સીરિયા, (૩)  તસલીમા નસરીન( જન્મ૧૯૬૨)બંગલા દેશ (૪) બોન્યા અહેમદ( ૧૯૬૯) અવિજીત રોયની પત્ની. (૫) ઇબ્ન વરાક–( The God father of the Ex-Muslim movement)- આ તેનું સાચુ અને કાયદેસરનું નામ નથી. તેના માથા સાટે દસ લાખ અમેરીકન ડોલરનું ઇનામ છે. તેનો ગુનો એટલો જ છે કે તેણે " Why I am not a Muslim" નામનું પુસ્તક લખેલું છે. અનુકુળતા પ્રમાણે ઉપર જણાવેલ વ્યક્તીઓનો પરિચય કરાવવામાં આવશે.

 

 

 

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

https://mail.google.com/mail/u/0/images/cleardot.gif

 

--