Tuesday, May 31, 2022

બર્ટ્રાન્ડ રસેલે લખેલી એક સુંદર કથા ‘એક ધર્મગુરુનું દુ:સ્વપ્ન’



--
Bipin Shroff


 
બર્ટાન્ડ રસેલે લખેલી એક સુંદર કથા 'એક ધર્મગુરુનું દુ:સ્વપ્ન'

 


એક ધર્મગુરુ રાત્રે શાંતિથી સૂઈ ગયા. ઊંઘમાં એમણે એક સ્વપ્ન જોયું કે પોતાનું અવસાન થયું છે. મૃત્યુનું સ્વપ્ન જોતાં જ એ અતિશય પ્રસન્ન થયા. કેમકે જીવનમાં ક્યારેય એમણે કોઈ પાપ કરેલું નહીં. ન તો એ જુઠ્ઠું બોલેલા કે ન કોઈ બેઈમાનીનું કામ કરેલું. ક્યારેય કોઈનું દિલ દુભવ્યું હોય એવું પણ એમને યાદ ન હતું. આથી એ ખૂબ ખુશ હતા કેમકે મૃત્યુ પછી નર્કે જવાની તો એમના મનમાં કોઈ દહેશત જ ન હતી.
દિવસ-રાત એમણે હરિભજન કરેલું. આથી નક્કી જ હતું કે સ્વર્ગ એમને મળવાનું છે અને નામસ્મરણ પણ સતત ચાલ્યા જ કરતું. એટલે મનમાં એક ઊંડી અને અતૂટ આશા હતી કે સ્વર્ગના દ્વાર પર સ્વયં પરમાત્મા એમના સ્વાગત માટે ઊભા હશે.
જેવા એ સ્વર્ગના દ્વાર પર પહોંચ્યા તો એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. દરવાજો એટલો મોટો હતો કે ક્યાંય એનો ઓરછોર દેખાતો ન હતો. ખૂબ જોર લગાવીને એમણે દરવાજાને પીટ્યો પણ એ પછી એમને પોતાને જ ખ્યાલ આવ્યો કે મારા આ નાનકડા હાથની ચોટથી તો આ દરવાજો કંપતો પણ નથી તો અંદર સુધી અવાજ ક્યાંથી પહોંચે ? થોડીવાર મન એમનું ઉદાસ થઈ ગયું. આસ્થા પર ક્ષણભર માટે પાણી ફરી ગયું કેમકે એમને તો આશા હતી કે દરવાજા પર બેંડવાજા સાથે એમનું સ્વાગત કરીને અંદર લઈ જવામાં આવશે. પણ અહીં તો કોઈ જ ન હતું. ક્ષણ ક્ષણ એમના માટે વર્ષો જેવી વીતવા લાગી. ખૂબ ધમપછાડા કર્યા. દરવાજા પર હાથ પછાડી પછાડીને લોહીના ટશિયા ફૂટી ગયા. ચીસોય પાડી, છાતી પીટીને છેવટે રડી પડ્યા, ત્યારે એ વિરાટ દરવાજાની એક બારી ખૂલી. બારીમાંથી એક ચહેરો બહાર આવ્યો. હજાર આંખો હતી એની અને પ્રત્યેક આંખ સ્વયં સૂર્ય જેવી હતી. ગભરાઈને ધર્મગુરુ નીચે ઢળી પડ્યા અને ચીસો પાડવા લાગ્યા કે હે પરમેશ્વર ! હે પરવરદિગાર ! હું તમારા પ્રકાશને સહી શકતો નથી. થોડા આપ પાછળ હટી જાવ...' તો સામેથી અવાજ આવ્યો કે ક્ષમા કરો, આપની ભૂલ થાય છે. હું તો અહીંનો પહેરેગીર છું. કોઈ પરમાત્મા નથી. એમના તો હજુ મને પણ દર્શન નથી થયા. હું તો અહીંનો માત્ર દરવાન છું. એમના સુધી પહોંચવાની તો હજુ મારી કોઈ હેસિયત પણ નથી.
ધર્મગુરુને તો પસીનો છૂટવા લાગ્યો. લમણા પર હાથ દઈને એ તો નીચે જ બેસી ગયા. મનોમન એમને થયું કે મેં પૃથ્વી પર કેટકેટલા એમના મંદિર બંધાવ્યા. કેટલી બધી એમની કથા કરી. ચોમેર એમના નામની ધજા ફરકાવી અને તોય છેલ્લે મારી આ દશા ?!
હીંમત એકઠી કરીને એમણે પહેરેગીરને કહ્યું કે તો પણ આપ પરમેશ્વર સુધી એટલો સંદશો પહોંચાડો કે હું પૃથ્વી પરથી આવું છું. ફલાણા ફલાણા ધર્મને ચુસ્ત રીતે માનનારો અને ફલાણા ધર્મનો સૌથી મોટો ધર્મગુરુ છું. લાખો લોકો મારી પૂજા કરે છે અને લાખો લોકો મારા ચરણમાં આળોટીને ધન્યતાનો અનુભવ કરે છે. એમને કહેજો કે હું આવી ગયો છું અને મારું '' નામ છે !
તો દ્વારપાલે કહ્યું કે માફ કરજો. આપના નામનો આ રીતે ખ્યાલ આવવો મુશ્કેલ બની જશે. આપના સંપ્રદાયનો પણ સંદર્ભ આપવો શક્ય નથી. માત્ર આપ એટલું જ કહો કે આ વિરાટ બ્રહ્માંડમાંથી આપ કઈ પૃથ્વી પરથી આવ્યા છો ?.... ધર્મગુરુ છંછેડાઈ ગયા...'કઈ પૃથ્વી ?...આ તો તમે કેવી વાત કરો છો ? પૃથ્વી તો બસ એક જ છે, અમારી પૃથ્વી !'
દ્વારપાળે કહ્યું - 'આપનું અજ્ઞાન અપાર છે. અનંત પૃથ્વીઓ છે આ વિરાટ વિશ્વમાં. પ્લીઝ ! લાંબી વાતો છોડી તમારી પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર બોલો. તમારી પૃથ્વીનો અનુક્રમાંક શો છે ?'
ધર્મગુરુ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કોઈ શાસ્ત્રમાં પૃથ્વીનો ઇન્ડેક્સ નંબર તો આપેલો નથી. ધર્મગુરુને હતપ્રભ થયેલા જોઈને દ્વારપાળને દયા આવી. આથી એણે કહ્યું - 'કંઈ નહીં, પૃથ્વીનો અનુક્રમાંક યાદ ન હોય તો બસ એટલું જ બોલો કે તમે ક્યા સૌર પરિવારમાંથી આવ્યા છો ? બસ, તમારા સૂર્યનું નામ આપી દો. અથવા તો એનો     ઇન્ડેક્સ નંબર બોલો. કેમકે આવી કોઈ સ્પષ્ટ કડી વગર માત્ર નામ પરથી શોધખોળ કરવી મુશ્કેલ બને.' ધર્મગુરુ તો ગભરાઈ ગયા. હવે કરવું શું ?! એમને તો આશા જ હતી કે પરમાત્માને મારા વિશે બધો ખ્યાલ હશે. આટઆટલા મારા અનુયાયી છે. વિશ્વભરમાં સતત મારું નામ ગુંજતું રહે છે. લોકો મારા ચરણસ્પર્શ માટે લાઈનમાં ઊભા રહીને તડપે છે. એટલે મારા મંદિરને કે મારી ધર્મસંસ્થાને સ્વર્ગની યાદીમાં અંડર લાઈન કરીને કોઈ અગ્રતા  આપવામાં આવી હશે. પણ આવું તો અહીં કશું જ નથી. હું કઈ પૃથ્વી પર રહું છું, એનો પણ અહીં કોઈને ખ્યાલ નથી. જે સૂર્યમંડળમાંથી હું આવું છું એનો પણ આ લોકો ઇન્ડેક્સ નંબર માગે છે અને હું એ નંબર આપું તો પણ અનંત અનંત લોકોની યાદીમાંથી મારું નામ શોધતાં વર્ષો લાગી જશે આવું આ પહેરેગીર કહે છે તો હવે કરવું શું ?''
ગભરામણમાં અને ગભરામણાં જ એમની ઊંઘ ઊડી ગઈ અને જોયું તો પોતાના ધર્મ સામ્રાજ્ય વચ્ચે, પોતાના જ મહાલયમાં ભીની ભીની પથારીમાં તરફડતા પોતે પડ્યા છે ! અને એક વાતની એમને રાહત થઈ કે પોતે જોયેલું આ તો એક દુઃસ્વપ્ન હતું !

 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Wednesday, May 25, 2022

શા માટે હું હિંદુ નથી? અંતિમ અને ભાગ–૩

શા માટે હું હિંદુ નથી? અંતિમ ભાગ– ૩.

અગાઉના બે ભાગોની ચર્ચામાં આપણે જોયું અને સમજ્યા પણ ખરા કે હિંદુ જીવન પધ્ધતીના સર્જનમાં ચાર પરિબળો પાયામાં છે. એક ચાર વેદ, બે મનુસ્મૃતિ, ત્રણ વર્ણવ્યવસ્થા અને ચાર ભગવદ્ ગીતા.આ બધાની રચના આશરે ૨૫૦૦ વર્ષ પહેલાંની છે. હું વર્ણવ્યવસ્થાના ખ્યાલને જ હિંદુ જીવન પધ્ધતિના તમામ દુષણોનું મુળ ગણું છું. કારણકે વર્ણવ્યવસ્થા અતાર્કીક,(ઇરેશનલ) અન્યાયી, (અનજસ્ટ)અને બિનલોકશાહી( અનડેમોક્રેટીક) છે. આપણા દેશના બંધારણના પાયાના મુલ્યો  સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સંપુર્ણ સામે વર્ણવ્યવસ્થાના ઉપદેશો અને વ્યવહારો છે.

(૧) દરેક વર્ણમાં જન્મેલ હિંદુને તેની વર્ણે નકકી કરેલ ધંધો કે વ્યવસાય જ કરવો પડે.તેવીજ રીતે વર્ણ–જ્ઞાતિ–પેટાજ્ઞાતિની અંદર તેના લોકોએ લગ્ન કરવાં જ પડે. ધંધો અને લગ્નમાં પાર્ટનર નક્કી કરવાની સ્વતંત્રતા વર્ણવ્યવસ્થામાં વર્જય છે. તેવીજ રીતે શુદ્રો અને સ્રીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા એટલા માટે નથી કે તેથી તો પછી વર્ણવ્યવસ્થાની સામાજીક કીલ્લે બંધી જ તુટી જાય. કોઇપણ હિંદુને તેના જન્મથી મળેલ વર્ણના વિષચક્રને તોડવાની સત્તા જ નથી. કારણકે તેને તો ગીતાના સર્જક કૃષ્ણે વર્ણવ્યવસ્થાને પોતાનું  સર્જન ગણેલું છે. હિંદુ સમાજપ્રથાને તોડવા માટે વર્ણવ્યવસ્થા આધારીત પિરામીડને તોડવો અનિવાર્ય છે. વર્તમાન શાસન પ્રથા દેશના નાગરીકોને ઝડપથી પાયાના બંધારણીય મુલ્યો, સ્વતંત્રતા, સમાનતા ને બંધુત્વની સામે વર્ણવ્યવસ્થા આધારીત હિંદુજીવન પ્રથાની તરફ દોરી જતી માલુમ પડે છે.

(૨) હૈ! વર્ણવ્યવસ્થા! તારું બીજું નામ જ ક્રમશ સોપાની (ચઢતા–ઉતરતા ક્રમની)અસમાનતા ને તેના દ્રારા પેદા થતો સામાજીક અન્યાય છે. માનવીય ગૌરવ અને કાયદાના શાસનની ગેરહાજરીમાં હિંદુસમાજ જીવન જો છેલ્લા અઢીહજાર કરતાં વધારે વર્ષોથી ચાલુ છે તો પછી અમારે સને ૧૯૫૦માં આવેલ ભારતીય બંધારણની શા માટે અને કોના હિતો સાચવવા જરૂરત છે?

(૩)વર્ણવ્યવસ્થામાં શુદ્રોને અછુત ગણવામાં આવે છે. તે હિંદુ સમાજનો એક સામાજીક રીતે બહિષ્કૃત ભાગ છે. તે વર્ણને સદીઓથી કહેવાતા હિંદુ ઇશ્વરે, તેના ધર્મે અને પેલા ત્રણ સંપન્ન વર્ણોએ માનવીય ગૌરવ, જ્ઞાન, સત્તા અને સંપત્તીથી સંપુર્ણ વર્જીત રાખ્યો છે. હા! પણ શુદ્ર સમાજ પાસે સદીઓથી પેઢી દર પેઢી પાસેથી વેઠ કરાવીને(વળતર આપ્યા સિવાયની, નિષ્કામ કર્મ, સ્થિતપ્રજ્ઞ સ્થિતીમાં) જે પરોપજીવી હિંદુ સમાજને બનાવ્યો છે તે ગુમાવવો પોસાય તેમ નથી. તેની સાથે સાથે હિદું સમાજની તમામ વર્ણની સ્રીઓ ફક્ત જાતીય સુખ ભોગવવાનું એકમ તથા બાળકો પેદા કરવા માટેની ચીજ વસ્તુઓથી વધારે કાંઇ નથી. ઘણા બધા હિંદુધર્મને મહાન સહિષ્ણુ ધર્મ તરીકે બિરદાવે છે. પણ વિશ્વમાં હિંદુધર્મ સિવાય બીજો કોઇ ધર્મ નથી જે પોતાના જ ધર્મની ચોથાભાગની વસ્તીને સદીઓથી ગુલામ ને અછુત ગણીને પોતાના ધર્મને વિશ્વગુરૂ ગણતો હોય!  (Slavery is not peculiar to India or to Hinduism, but carrying it to the extremes of untouchability, and granting it divine and religious sanction is peculiar to Hinduism.) સહિષ્ણુતાનો સાદો સીધો અર્થ છે કે પોતાનાથી ન ગમતા કે પોતાની ધાર્મીક શ્રધ્ધા વિરૂધ્ધના વિચારો અને વર્તનોને ગૌરવભેર સમકક્ષ ગણી સ્વીકારવા અને વિકસવાની જ્ગ્યા કરી આપવી.મનુસ્મૃતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે હિંદુધર્મશાસ્રોનો જે તર્કબધ્ધ અને વાસ્તવીક જ્ઞાનધારીત મુલ્યાંકન કરે તે બધાનો સામાજીક બહીષ્કાર કરવો. નિરઇશ્વરવાદીઓ,

મુક્તવિચારકો, રેશનાલીસ્ટો અને બુધ્ધધર્મીઓની સાથે કોઇપણ પ્રકારનો સામાજીક સંબંધ કે મહેમાન ગતી બિલકુલ ન રાખવી. નિરઇશ્વરવાદીઓ પ્રત્યે એટલી બધી અસહિષ્ણુતા હતી અને હજુ પણ છે કે તે બધાને ધર્મશાસ્રોમાં શુદ્રો, ચંડાળો, ચોર, લુટેરા અને ચિત્તભ્રમ લોકો તરીકે બિરદાવ્યા છે. મનુસ્મૃતિના સર્જક મનુ એ તો નિરઇશ્વરવાદોના કુટુંબોને શક્ય તેટલી ઝડપથી સંપુર્ણ ભસ્મીભુત કરવાની સલાહ આપી છે.(The families of non-believers are destroyed sooner than later according to Manu.) જે રાજ્ય વ્યવસ્થામાં શુદ્રો અને નાસ્તિકોનું પ્રમાણ વધી જાય છે ત્યાં હિંદુ રાજ્યનો પણ નાશ થાય છે.( A state with a large number of Shudras and nastikas soon meets its destruction.) 

ઘણાબધા હિંદુધર્મના સુધારકો વર્ણવ્યવસ્થાને આદર્શ સામાજીક– આર્થીક શ્રમવિભાજનનું (Division of Labour) એકમ ગણાવીને બચાવ કરે છે.  ઇગ્લેંડના અર્થશાસ્રી આદમસ્મિથે સને ૧૭૭૬માં ' વેલ્થ ઓફ નેશન' નામનું જગપ્રસિધ્ધ પુસ્તકમાં લખ્યું હતું કે શ્રમનું વિભાજન નવી નવી ઔધ્યોગીક શોધખોળની જનેતા છે. કારણકે એકનું એક કામ વારંવાર કરવાથી તેમાં જે તે કામમાં નિપુણતા આવે છે. હિંદુ સમાજમાં શુદ્રોના વ્યવસાયી સાધન ઝાડુ, વાણીયાના વ્યવસાયી ઓળખ ધોતી, ટોપી ને ડગલો,ક્ષત્રિયોના યુધ્ધના શસ્રોમાં તલવાર અને ભાલો ને બ્રાહ્મણોની વ્યવસાયી ઓળખોમાં ટીલાં–ટપકાં–– જનોઇ અને લાલ પિતાબંરમાં કોઇ ફરક સદીઓથી પડયો નથી.
ભલે હિંદુ સમાજમાં વ્યવસાયી નિપુણતાને વર્ણ–જન્મ આધારીત  ઓળખ ગણવામાં આવી હોય પણ ખરેખર તે બધી ઓળખો શિક્ષણ, અભ્યાસ, અનુભવ આધારીત પ્રાપ્ત કરેલ ઓળખો હોય છે. માટે જ ગાંધીજી બેરીસ્ટર થઇને દેશની આઝાદીના સંઘર્ષના ટોચના નેતા બની શક્યા ને બાબાસાહેબ આંબેડકર દેશના બંધારણના આધ્યસ્થાપક બની શક્યા. જ્યારે મા–બાપો જે વારસામાં આપે છે તે જનીનતત્વો (
DNA) આપી શકે અને આપે છે. આમ શ્રમનું વિભાજન ભારત સિવાય વિશ્વના કોઇપણ દેશમાં જન્મ આધારીત ક્યાંય નથી. જે ખરેખર લાંછનરૂપ ગણવાને બદલે તે વર્ણવ્યવસ્થાને આપણે ભજીયે અને પુજયે છીએ. કયા કયા પરોપજીવોના હિતો સાચવવા અને સંવર્ધન કરવા?

આપણે આપણા બાળકોને મા– બાપ તરીકે ક્યારે આપણા વારસગત વ્યવસાયમાં દબાણપુર્વક જોતરવા ન જોઇએ. સમાજ અને રાજ્ય વ્યવસ્થાએ તેના તમામ પ્રજાજનોને સમાન તકો, કાયદાકીય શાસન અને માનવીય ગૌરવ સહજ રીતે ઉપલબ્ધ થાય તેવી રાજ્યવ્યવસ્થા ની રચના કરવી જોઇએ.ખરેખર તો આ લોકશાહી શાસનનો તેના નાગરિકો અને તેમના દ્રારા ચુંટાયેલા રાજ્યકર્તા વચ્ચેનો અબાધિત કરાર છે.

જો કે હિંદુ કાયદાને કારણે  માનવ મુલ્યો આધારીત ઘણાબધા ફેરફારો હિંદુ સમાજપ્રથામાં કરવામાં આવ્યા છે. જેવાકે બાળલગ્ન નિષેધ, વિધવાપુર્નલગ્ન, એક પત્નિત્વ, પિતાની મિલકતમાં વારસાઇ આધારીત દિકરીનો સમાન ભાગ, છુટાછેડા કે લગ્ન વિચ્છેદ, આંતરજ્ઞાતિય લગ્નો વિ. હકીકતમાં હિંદુ કાયદાના પ્રગતિશીલ સુધારાના અને હિંદુ જીવનની વર્તમાન વાસ્ત્વિકતા વચ્ચે ઘણો બધો તફાવત છે. તે દિશામાં હજુ ઘણી લાંબી મંજીલ કાપવાની બાકી છે. કારણકે આજે  જુની વર્ણવ્યસ્થા આધારીત મનુસ્મૃતિ પ્રમાણેની હિંદુ રાજ્યની રચના કરવા પ્રત્યાઘાતી પરિબળો ખુબજ સક્રિય અને સાધનસંપન્ન થતા જાય છે. જેમાં વર્તમાન શાસન વ્યવસ્થાનો કેટલોક ખુલ્લો અને બાકીનો પ્રછન્ન ટેકો છે. ભારતનું આવતી કાલનું ભાવિ પ્રત્યાઘાતી મનુવાદી પરિબળો અને લોકશાહી મુલ્યો આધારીત ક્રમશ વિકસતા જતા બંધારણીય આધુનીક સમાજના સંઘર્ષમાં નિહીત છે. ખુબ દુ;ખ સાથે દેશનો વર્તમાનતો ઝડપથી ૨૫૦૦ વર્ષ પહેલાં બૌધ્ધ ધર્મે અનુભવેલી ક્રાંતીની કસુવાડ તરફ આપઘાત કરવા અવિરત રીતે પ્રયાણ કરતો દેખાઇ રહ્યો છે. આ ઉંડી ખીણ તરફ ધસમસતી આપણી સદર અમાનવીય દોડને રોકવા હું અને તમે શું કરી શકીએ તેમ છે?


--

Monday, May 23, 2022

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

શા માટે હું હિંદુ નથી? – ભાગ- ૨.

મારી લેખમાળાના પ્રથમ ભાગમાં આપણે જોયું કે કઇ રીતે ચાર વેદો, મનુસ્મૃતિ અને તેના આધારીત વિકસેલી વર્ણવ્યવસ્થાએ હિંદુ સમાજવ્યવસ્થાનું સર્જન કરેલ છે. આ લેખમાં આપણે ભગવદ્ગગીતાના વિચારો કે તત્વજ્ઞાનનું સર્જન કઇ રીતે ચાર વેદો અને મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થાના ટેકામાં ખુબજ ચતુરાઇપુર્વક કરવામાં આવ્યું છે. તેનો અભ્યાસ કરીશું.

     આ ઉપરાંત તેમાં લોકાયન અને બુધ્ધ ધર્મએ પેદા કરેલ વૈચારીક ક્રાંતિ " આ જગત મિથ્યા નથી, વાસ્તવિક છે, ભૌતીક છે, દુન્યવી છે, માનવીય પ્રયત્નોથી કુદરતી પરિબળોને સમજીને સુખ પ્રાપ્ત થઇ શકે છે, દરેક મનુષ્યનો આ એક જ અને આખરી જન્મ છે, કોઇનો પણ પુર્વજન્મ હતો નહી અને પુનર્જન્મ ક્યારેય ભવિષ્યમાં થવાનો નથી". તેની શંકરાચાર્યના તત્વજ્ઞાન ' જગતમિથ્યા – બ્રહ્મ સત્ય'ના આધારે પ્રતિક્રાંતી કરવામાં ભગવદ્ગ ગીતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સમજવાનો ને સમજાવવાનો તાર્કીક રીતે આધુનિક જ્ઞાન આધારીત પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ ગીતાના પહેલાં અધ્યાયમાં જ અર્જુન દ્રારા યુધ્ધ નહિ કરવા માટે જે દલીલ કરવામાં આવી છે તેનો પાછળનો તર્ક એટલો જ છે કે યુધ્ધમાં પુરૂષોનો સંહાર થવાથી આપણા કુળની સ્રીઓ પછી કુલભ્રષ્ટ

    થઇ જશે ને વર્ણશંકર પ્રજા પેદા કરશે. વર્ણશંકર પ્રજા એટલે ચારેય

    વર્ણોના સ્રી–પુરૂષોના આંતરજાતીય લગ્નોની પ્રજોપ્તિથી પેદા થયેલ પ્રજા. આ રીતે અર્જુનના મુખેથી સૌ પ્રથમ વર્ણવ્યવસ્થાને બચાવવા માટે યુધ્ધ નહી કરવાની દલીલ શરૂ કરવામાં આવી છે. પ્રથમ. અધ્યા. શ્લોક ૪૦થી૪૩.

હવે જુઓ કેવી રીતે ચતુરાઇપુર્વક ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા આ પુસ્તકના કુલ અઢાર અધ્યાયમાં વર્ણવ્યસ્થા આધારીત હિંદુસમાજ પ્રથાને ટકાવી રાખવા જે પ્રછન્ન તત્વજ્ઞાન પેદા કર્યું છે તેનો તટસ્થ અભ્યાસ કરીએ. સદર વિચારોને આપણે બે ભાગમાં વહેંચી શકીશું.

     ગીતાના એક ભાગમાં જે શરૂઆતનો છે તેમાં વર્ણવ્યવસ્થાના બચાવમાં જે શ્લોકોની રચના કરવામાં આવી છે તેનો અભ્યાસ કરીશું. બીજાભાગમાં દરેક વર્ણને જન્મ–કર્મ– તેથી સ્વધર્મ પ્રમાણે જે નિષ્કામ –કર્મ– યોગ(!) આધારીત અસ્તિત્વમાં આવેલ તમામ હિંદુઓને જ્ઞાનને બદલે ભક્તિદ્રારા ચોરાસીલાખ યોનીમાંથી મુક્તિ કેવી રીતે મલશે તે સમજવાનો પ્રયત્ન પણ કરીશું.

અર્જુન જે વાસ્તવાદી હતો. જેને યુધ્ધમાં વિજેતા થવાથી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ તે ઇચ્છતો ન હતો. કારણકે યુધ્ધ એટલે સ્વજનોનો નાશ ઉપરાંત બંને પક્ષે ખુવારી, રાજકીય અંધાધુધી અને ચતુર્વણવ્યવસ્થાનો નાશ. હું ગીતામાં કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા જુદા જુદા શ્લોકોની મદદથી  અર્જુનને તેની માનસીક દ્વીધામાંથી મુક્તિ અપાવવા જે દલીલો કરવામાં આવી છે. તેને બને તેટલા ટુંકાણમાં રજુ કરવા પ્રયત્ન એટલા માટે કરીશ કે આપણા વાંચકો તે બધી વાતોથી સારી રીતે પરિચીત છે. મારા વાંચક મિત્રોને બીજી પણ વિનંતી છે કે સદર લખાણ પ્રથમ લેખના ટેકામાં હિંદુ સામાજીક પ્રથાને સમજાવવા તૈયાર કરવામાં આવ્યું છે, તે તંતુ ક્યારેય ભુલે નહી.

ગીતાના સર્જકે કૃષ્ણના વ્યક્તિત્વને ભગવાન કલ્પીને, સર્વસત્તાધીશ, ત્રણેય લોકનો નાથ,ચારેય વર્ણનો સર્જક, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણકાર અને માનવીય બુધ્ધિથી જેટલી કલ્પનાઓ દેવ તરીકે વિચારય તે બધીજ તેનામાં પ્રયોજી દીધી છે. બાયબલ, કુરાન ને અન્ય ધર્મોના પુસ્તકોમાં પણ ઇશ્વરી શક્તીની સર્વોપરીતાના લક્ષણોના વર્ણનો જે તે સર્જકોએ સહેજ પણ ઓછા મુક્યા નથી. નહીતો આ બધા ધર્મોના ધંધાઓઓ કેવી રીતે ચાલે! ગીતાના સર્જકનો મુખ્ય ધ્યેય વર્ણવ્યવસ્થા આધારીત હિંદુસમાજનું વૈચારીક રીતે સાતત્ય કેવી રીતે ટકાવી રાખવું તે હતું.

અર્જુનની શંકાઓ એક પછી એક કુનેહપુર્વક કૃષ્ણના વ્યક્તીત્વ દ્રારા કેવી રીતે દુર કરી તે જોઇએ.

(૧) ચતુર્વણવ્યવસ્થા મારુ સર્જન છે.( અધ્યાય–૪–શ્લોક ૧૩થી૧૫)

(૨) દરેક મનુષ્યનો દેહ નાશવંત છે. પણ તેમાં રહેલો આત્મા અમર છે, અવિનાશી છે.અજરાજર છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, વિ.

 ' નહન્યતે ' નૈનં છિન્દન્તિ...'( ૨–૨૦થી ૨૫) શરીર નાશવંત હોવાથી તેની પાછળ શોક થાય નહી. આત્માનો એક દેહમાંથી બીજા દેહમાં સ્થળાંતર મેં તેના કર્મો પ્રમાણે પુર્વનીર્ણીત કરી દીધેલું હોય છે.

(૩) મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ને સ્રીઓના કર્મો મનુસ્મૃતિ પ્રમાણે નક્કી કરી દીધેલા છે. તે કર્મો દરેક વર્ણોમાં જન્મ લીધેલ હિંદુઓએ નિષ્કામ કર્મ(કર્મયોગી) એટલે કોઇપણ જાતની આશા રાખ્યા સિવાય કરવાના છે. દરેક હિંદુનો વર્ણ પ્રમાણે કર્મ સ્વધર્મ બની જાય છે. સ્વધર્મનું પાલનકરતાં મૃત્યુ તે સ્વર્ગની સીડી. પણ પરધર્મ એટલે નર્ક નિશ્ચિત.

હે અર્જુન! " ક્ષત્રિય ધર્મ( સ્વધર્મ) બજાવતાં જો યુધ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગ પામીશ અને વિજેતા બનીશ તો પૃથ્વી પરનું રાજય પ્રાપ્ત થશે. ૨/૩૭. લાભમાંય લાભ અને હાનીમાંપણ લાભ."

(1) (૪) કર્મણેયવાધિકા રસ્તે મા ફલેષુ કદાચન ! ૨/૪૭. હે, હિંદુઓ! તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આ જન્મમાં ફળની આશા રાખ્યા સિવાય તમારા વર્ણ પ્રમાણે પુર્વ– નિર્મીત સ્થિતપ્રજ્ઞસ્થિતિમાં (૨/૫૮) નિષ્કામ કર્મ કર્યા કરો. .સ્થિર બુધ્ધિવાળા પુરુષના લક્ષણો– કાચબાની માફક ઇન્દ્રીયોને સંકોચી લેવી–જે ભય કે દુ:ખનો અહેસાસ મન પર લાવ્યા વિના નિષ્કામ કર્મ કર્યા કરે તેને મૃત્યુ પછી મોક્ષ મળે.(!) ખાસ કરીને શુદ્રો ને સ્રી, વર્ણ– જન્મ આધારીત કામ, વળતરની અપેક્ષા વિના જીંદગીભર કર્યા કરો.

      (૫) મારા ઉપદેશમાં જે શંકા રાખે, અવિશ્વાસ રાખે, શ્રધ્ધાવિહીન આત્માનો,

      તેવા સંશયી આત્માનો વિનાશ થાય છે.. સંશયીઆત્મા વિનશ્યતી– શ્લોક

      ૪/૪૦. વિધર્મી તથા નાસ્તિકો સંશયી આત્માઓ છે. મારામાં સંપુર્ણ શ્રધ્ધા નહી

      રાખનારા( શરણાગતી નહિ સ્વીકારનારા) પુરૂષ ક્યારેય પરમગતીને પામતો

     નથી.

 

  (૬) ત્યાગીને ભોગવ! યોગ  કર્મશુ કોશલમ.આસક્તિરહિત કર્મ– કર્મના

   બંધનોથી મુક્તિનો માર્ગ નિષ્કામ કર્મયોગ– આશા વગર કામ કરવું! નિરંતર

   સમર્પણની ભાવના. કર્મમાં સમર્પણથી સંપુર્ણ જન્મજન્મના ફેરામાંથી મુક્તિ–

   સંસારના બંધનોમાંથી મુક્તિ મળે છે.

(૭) ગીતાના સર્જકે કૃષ્ણ પાસે એ દલીલ કરાવી લીધી કે ચાર વર્ણનું સર્જન મેં કરેલું છે. દરેકે આ ભારતવર્ષમાં હિંદુ તરીકે જન્મ લઇને વર્ણ–કર્મ– નિર્મીત, નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ્ન સ્થિતીમાં કરવાનું છે. અર્જુનને કૃષ્ણ સર્વસત્તાધીશ ત્રણલોકનો સર્જક, સંચાલક અને સંહારક છે તેવું સાબિત કરવા માટે ' પોતાનું મુખારવિંદ ખોલીને 'વિશ્વ બ્રહ્માંડ– દિવ્યસ્વરૂપ' બતાવે છે એવું ન કહેવાય(!) પણ દર્શન કરાવે છે.અધ્યાય–૧૧/શ્લોક ૧૦. વધારામાં એક પછી એક  કૌરવ સેનાના અગત્યના યોધ્ધાઓ દુર્યોધનથી શરૂ કરીને ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિ. સુધીના તમામ મૃતસ્વરૂપે કૃષ્ણના મુખમાં જતા ફક્ત અર્જુનને જ દેખાય છે.૧૧/૩૨, ૩૩,, ૪૩,થી ૪૭ વિ.શ્લોકો.

(૮) કૃષ્ણનું આ સ્વરૂપ ફક્ત અર્જુનને બતાવવા માટે જ ગીતાના સર્જકે તેના ફળદ્રુપ ભેજામાંથી એટલા માટે ઉત્પન્ન કર્યુ હતું અને પછી કોઇને તે સ્વરૂપ દેખાશે નહી તેવું પણ આ બધા શ્લોકોમાં લખી દીધું છે. કારણકે અર્જુનના પાત્ર પાસેથી  એવી દ્ર્ઢ પ્રતિતિનો સંદેશો વર્ણવ્યવ્સ્થા પ્રમાણે કર્મ કરવા આપવો હતો. હે! અર્જુન ! તું મારા બ્રહ્મ વિરાટ સ્વરૂપ જોઇને સમજી લે કે તમે બધા આ પૃથ્વી પર મારી ઇચ્છાથી જન્મ લઇને મેં દરેકના વર્ણ પ્રમાણે કાર્યો કરવા નિમિત્ત માત્ર તરીકે સર્જન કર્યા છે. તમારા બધાનું નસીબ પુર્વનિર્મીત છે. પૃથ્વી પરના તમામ સજીવો મારી ઇચ્છા પ્રમાણે કઠપુતલીની માફક નાચ કરનારાથી વિશેષ લેશ માત્ર નથી. " હું કરુ હું કરુ જ એજ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે ".

(૯) તમારે અહીં જન્મ લઇને નિમિતમાત્ર પ્રમાણે જ જીવવાનું છે. કારણકે ' હું આ પૃથ્વી પર અધર્મ અને પાપોનો નાશ કરવા..... યદા યદા હી ધર્મસ્ય.....સંભવામી યુગે યુગે...અધ્યાય–૪/શ્લોક ૬,૭,૮ વિ.

(૧૦) અર્જુને ૧૮મા અધ્યાયના ૭૩માં શ્લોકમાં આખરે દેવકીપુત્રને જણાવી દીધું કે મારા તમામ સંદેહો હવે દુર થઇ ગયા છે, તમે પંચજન્ય શંખ ફુકો ને તમારી આજ્ઞા પ્રમાણે ગાંડીવ ધનુષ્યને પણછ ચઢાવી યુધ્ધ કરવા તૈયાર છું.

(૧૧) હજુ ડૉ. પ્રો રમેન્દ્ર્ ગીતાના તત્વજ્ઞાન સામે પોતાની વાત કેવી રીતે રજુ કરે છે તે અંતિમ લેખમાં સમજીશું.

 

 

 


--

Thursday, May 19, 2022

શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 શા માટે હું હિંદુ નથી? ( Why I am not a Hindu?)

 ડૉ. રમેન્દ્ર– નિવૃત પ્રો. ઓફ ફીલોસોફી. પટના યુની.( ખાસ નોંધ– સદર નિબંધના ૩૫ પાના અંગ્રેજીમાં છે. આ પ્રથમ ભાગમાં તેમાંથી જરૂરી ને મહત્વના મુદ્દાઓનો ટુંકાણમાં ભાવાનુવાદ કરીને અત્રે રજુ કર્યા છે. બીજા ભાગમાં ગીતાની તત્વજ્ઞાનીય મીમાંસા અને કર્મના સિધ્ધાંતના આધારે શા માટે હું હિંદુ નથી તે રજુ કરવામાં આવશે.).  

(આ નિબંધ બિહાર રેશનાલીસ્ટ સોસાયટી દ્ર્રારા સને ૧૯૯૩માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. મેં બર્ટ્રાન્ડ રસેલનો નિબંધ " શા માટે હું ખ્રિસ્તી નથી?" તે વાંચ્યો હતો. મને તે ખુબજ ગમ્યો હતો. સાથે સાથે મેં ગાંધીજીનો નિંબંધ " શા માટે હું હિંદુ છું." તે પણ વાંચ્યો હતો. પણ તેની સાથે હું સંમત થતો નથી. બંને વિરોધાભાસી મુદ્ઓની રજુઆતમાંથી પ્રેરણા લઇને ભલે હું હિંદુ કુટુંબમાં જન્મયો પણ ' હું હિંદુ કેમ નથી' તેની વાત તમારી સમક્ષ રજુ કરૂ છું. ડૉ રમેન્દ્ર.)

·         સૌ પ્રથમ આપણે આ ચર્ચામાં ' હિંદુ' શબ્દનો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજી લેવો જોઇએ. હિંદુ એટલે તમામ ભારતીય નહી. કારણકે આ દેશમાં હિંદુ સિવાય અન્ય ધર્મોમાં આસ્થા રાખનારા જેવા કે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ, યહુદી, પારસી, જૈન અને મારા તમારા જેવા નિરઇશ્વરવાદીઓ પણ હિંદુઓની માફક જ સદીઓથી અનેક પેઢીઓથી ભારત દેશમાં રહે છે. અમે રેશનાલીસ્ટો, ધર્મનિરપેક્ષ માનવવાદીઓ તથા નાસ્તિકોતો સ્પષ્ટ રીતે પોતાને  ' હિંદુ' તરીકે ઓળખાવતા જ નથી. આપણા દેશમાં તાર્કીક રીતે જોઇએ તો ઘણા બધા ભારતીયો હિંદુ નથી. તેવીજ રીતે ઘણા બધા હિંદુઓ છે જે ભારતીય નથી. કારણ કે તે બધા શ્રીલંકા, નેપાલ, હવે યુ એસ એ, યુ કે, ઓસ્ટેલીયા વિ દેશોના નાગરિકો બની ગયા છે. જે રીતે આપણે મુસલમાન, ખ્રિસ્તી, બૌધ્ધ કે જૈન વિ. ધર્મ પાળનારાઓને તેમની ધાર્મીક ઓળખોથી પહેંચાનીએ છીએ તે રીતે હિંદુ એક ધાર્મીક ઓળખ છે. પરંતુ ' હિંદુ લો' કે કાયદામાં બૌધ્ધ, જૈન અને શીખ ધર્મીઓને પણ ' હિંદુ' તરીકે ગણ્યા છે.

·          દિવંગત રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિષ્નને પોતાના જગવિખ્યાત પુસ્તક ' ધી હિંદુ વ્યુ ઓફ લાઇફ' માં વેદ, પુરાણ ને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોમાં અબાધિત શ્રધ્ધા ધરાવનારાઓને 'હિંદુ' ગણ્યા છે.

 

·           સને ૧૯૨૧ના ઓકટોબર માસના ' યંગ ઇન્ડીયા'ના અંકમાં ગાંધીજીએ સનાતની હિંદુ તરીકે પોતાની ચાર આસ્થાઓ જણાવી છે.(૧) હું વેદો,ઉપનિષદો,પુરાણો,પ્રાચીન હિદું તમામ ધાર્મીક ગ્રંથો ઉપરાંત પુનર્જન્મ,અને અવતારવાદમાં માનું છું.

 (૨) હું વેદીક કાળમાં જણાવેલ  વર્ણવ્યવસ્થા ધર્મમાં માનું છું. પણ વર્તમાનમાં જે કહેવાતી અસંસ્કારી વર્ણવ્યસ્થા છે તેનો વિરોધી છું.

(૩) હું પ્રચલિત જે ગૌરક્ષા સંરક્ષણનો ખ્યાલ છે તેના કરતાં અનેક ગણો ગૌરક્ષણમાં વિશ્વાસ ધરાવું છું.

·                      (૪) હું મુર્તિપુજામાં માનું છું. અથવા હું મુર્તિપુજામાં શ્રધ્ધા ધરાવતો  નથી એવું નથી.(I do not disbelieve in idol-worship. )

·          હું ડૉ રમેન્દ્ર, ગાંધીજીએ સનાતની હિદું તરીકેના જે સિધ્ધાંતો જણાવ્યા છે તે તમામનો સંપર્ણપણે સ્વીકારતો નથી. હું વેદ, પુરાણ, ઉપનિષદ અને રામાયણ અને મહાભારત, અવતારવાદ, પુનર્જન્મ, મુર્તિપુજા,માં બિલકુલ માનતો નથી. હું વધારામાં  હિંદુધર્મશાસ્રો, મનુસ્મૃતિ,અને વેદિક સમયમાં વર્ણાશ્રમધર્મ અથવા વર્ણવ્યવસ્થા જે રીતે સમજાવી છે અને તેના આધારીત  સદીઓ સુધી જે વાસ્તવીક સમાજ જીવન પેદા કર્યું છે તેમાં બિલકુલ માનતો નથી. તેનો નખશીખ વિરોધી છું. ઉપરાંત હું ગૌ માંસને ભોજન તરીકે વર્જય ગણતો નથી.

શા માટે હું હિંદુ નથી તે સાબિત કરવા હું મારી ચર્ચા અને તેની દલીલો ચાર મુદ્દા આધારિત રાખીશ. એક વેદોની વિશ્વાસપાત્રતા(the belief in the authenticity of the Vedas),બે,વર્ણાશ્રમધર્મ, ત્રણ, મોક્ષનો ખ્યાલ, ચાર, કર્મના સિધ્ધાંતનું નિશ્ચિતપણુ.

·         સૌ પ્રથમ હું સમજાવીશ કે કેમ અને શા માટે, હું ચાર વેદને ઇશ્વરી સર્જન તરીકે માનતો નથી. તેમાં જુદી જુદી છ તત્વજ્ઞાનની શાખાઓ છે. તેમાંથી પુર્વ અને ઉત્તર મિમાંસા અથવા નયામીમાંસા ઇશ્વરના અસ્તિત્વ ને વેદો ઇશ્વરી સર્જન છે તે તથ્યોને બંને તત્વજ્ઞાનીય શાખાઓને અસ્વીકાર્ય છે. આ બંને મિમાંસાઓને આપણે નાસ્તીક વિચારસરણી તરીકે પણ ઓળખી શકીએ. હું શ્રધ્ધા અને હકીકત વચ્ચે તફાવત છે તે ખ્યાલને ટેકો આપું છું. સત્ય હંમેશાં હકીકત આધારીત, ભૌતીક ને માનવીય ઇન્દ્રીયોથી તપાસી શકાય તેમ હોય છે.વેદના સત્યને આપણે આધુનિક વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત પ્રમાણોથી તપાસ ને અંતે તે બધાં વ્યાજબી સાબિત થતાં નથી. વેદોમાં રજુ કરેલી કોઇ હકીકતો સાચી હોય તેનો અર્થ નથી કે ઇશ્વરીય છે માટે સાચી છે પણ ખરેખર તે માહીતી વાસ્તવિક– હકીકત આધારીત હોવાથી સત્ય છે.

·                 દા :ત, રુગવેદમાં ઉલ્લેખ છે કે ઇશ્વરે પોતાના શરીરના જુદા જુદા ભાગોમાંથી વર્ણશ્રમધર્મ પ્રમાણે અનુક્રમે બ્રાહ્મણ મુખ, ક્ષત્રીય હાથ, વૈશ્ય જાંઘ અને શુદ્રને પગમાંથી સર્જન કરેલ છે. હું રુગવેદના આ સત્યને બે કારણોસર ધરાર સ્વીકારતો નથી. કોઇપણ માનવી પોતાની માતાના ગર્ભ સિવાય જન્મ લઇ શકે નહી. બીજુ, વર્ણાશ્રમ કે  વર્ણવ્યવસ્થાએ માનવ સર્જીત સામાજીક સંસ્થા છે. તેને ઇશ્વરી સર્જન તરીકે ક્યારેય સ્વીકારાય જ નહી. માટે માનવ જરૂરીયાત બદલાતાં વર્ણવ્યવસ્થામાં ફેરફાર થઇ શકે અથવા તેનો સંપુર્ણ નાશ પણ થઇ શકે ! માટે વેદો જેમ ઇશ્વરી સર્જન નથી તેવી જ રીતે તેમાં જણાવેલ તથ્યો માનવીય બૌધ્ધીક કસોટીને એરણે તપાસતાં સાચાં ન સાબિત થાય તો તેને ફગાવી દેવામાં લેશ માત્ર રંજ કે દુ:ખ ન થવું જોઇએ.

·            જો ઇશ્વરનો ખ્યાલ એક સર્વશક્તીશાળી,સર્વજ્ઞ, પરોપકારી અને માયાળુ સર્જનકાર તરીકે હોય તો જગતમાં ' જીસકી લાઠી ઉસકી ભેંસ' જેવી રાજ્ય ને સમાજવ્યવસ્થાનું સર્જન ન થયું હોય. માટે ઇશ્વરને અસ્ત્તીત્વને કોઇ કારણ નથી.( It is impossible for god to exist.)

·             બીજું માનવ અસ્તિત્વ અને ભાષાના ઉદ્ભવ પછી વેદો અને સંસ્કૃતભાષાનું સર્જન થયું હોય. તે પહેલાં ક્યારેય નહી. માટે વેદો ક્યારેય ઇશ્વરી સર્જન ન હતા. તેથી તે બધાનું માનવબુધ્ધી અને વિવેકશક્તીથી મુલ્યાંકન અનિવાર્ય છે.

·             ગાંધીજી વેદોને બાયબલ, કુરાન વિ. ધર્મપુસ્તકોની માફક જ સમાન મહત્વ આપતા હતા. તેમાંથી તેઓનો સર્વધર્મસમભાવનો ખ્યાલ વિકસ્યો હતો. બીજું તેઓનું સ્પષ્ટ મંતવ્ય હતું કે મારી હિંદુ તરીકેની આસ્થાનો આધાર હીંદુશાસ્રોના એક એક શબ્દ અને શ્લોકનું  ઇશ્વરી સર્જન છે તેવી માન્યતા પર બિલકુલ અવલંબિત નથી. તેમજ હું વેદો સંપુર્ણ ઇશ્વરી સર્જન છે તેવા ખ્યાલને પણ હું સ્વીકારતો નથી.( "I do not believe in the exclusive divinity of the Vedas. I believe the Bible, the Koran, and the Zend-Avesta to be as much divinely inspired as the Vedas. My belief in the Hindu scriptures does not require me to accept every word and every verse as divinely inspired,.)

·            કોઇપણ ધર્મશાસ્રોના વિધાનો જો તર્કવિવેક અને નૈતીક ન હોય તો પછી જે ગમેતેવી મહાન વ્યક્તિ દ્રારા રજુ કરવામાં આવ્યા હોય તો પણ મારે માટે તે અસ્વીકાર્ય છે. ગાંધીજીના હિંદુ ધર્મ માટેના આવા વિચારોનો અભ્યાસ કરતાં મારા મને તેઓ એક ઉદારમતવાદી હિંદુ હતા. જેમને અન્ય ધર્મો પ્રત્યે પણ સંપુર્ણ સમભાવ હતો. પરંતુ ગાંધીજી કરતાં મારો અભિપ્રાય સંપુર્ણ જુદો છે. હું તમામ હિંદુ ધર્મશાસ્રો ઉપરાંત બાયબલ ,કુરાન, ઝૈન્ડ અવસ્થાના લખાણોને માનવ સર્જીત માનું છું દૈવી બિલકુલ નહી.

વર્ણવ્યવસ્થા–

હું વર્ણવ્યવસ્થાની કોઇ આદર્શ વ્યાખ્યા આપવા માંગતો નથી. પરંતુ ચાર વેદો, ધર્મશાસ્રો અને મનુસ્મૃતીમાં જે રીતે વર્ણવ્યવસ્થા આધારીત સમાજ જીવનને દૈવી અને વાસ્તવિક વ્યાજબી ઠેરવ્યું છે તેના આધારીત મારે મુલ્યાંકન કરવું છે. આ ઉપરાંત દરેક હિંદુના જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાન ને સંન્યાસ. તેની સાથે ફરજ, અર્થ, કામ ને મોક્ષની વૃતીઓને જોડી દીધી છે. દરેક હિંદુની મુખ્ય કે અંતિમ ઇચ્છા તો મોક્ષ પ્રાપ્ત કરવાની જ હોય છે. તેને વ્યાજબી ઠેરવવા હિંદુ તત્વજ્ઞાનમાં સમયના ખ્યાલ ને  વર્તુળ આકારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. પુર્વજન્મ, વર્તમાન જન્મ, પુનર્જન્મ, આ ત્રણેય ખ્યાલોને યથાર્થ સાબિત કરવા વર્ણવ્યવસ્થા અને નૈતીક માળખાની રચના કરવામાં આવી છે. અને તે બધાના ઉલ્લંઘન માટે શારીરીક શિક્ષાની મનુસ્મૃતી પ્રમાણે જોગવાઇઓ કરવામાં આવી છે.

રામાયણમાં રામ શંબુકનો વધ એટલા માટે કરે છે કે તે શુદ્ર હોવા છતાં તે તેના જન્મ નિર્મીત કર્મ કરવાને બદલે તપ કરતો હતો. જે જ્ન્મ નિર્મીત કાર્ય તો ફક્ત બ્રાહ્મણનું જ છે. તેવીજ રીતે  મહાભારતમાં દ્રોણાચાર્ય એકલવ્યને ક્ષત્રિય નહી હોવાને કારણે બાણવીધ્યા શીખવાડવાનું ના કહે છે. જ્યારે એકલવ્ય (એક આદીવાસી) દ્રોણાચાર્યને કાલ્પનીક ગુરૂ ગણીને મનોમન તેમાંથી પ્રેરણા લઇને બાણવિધ્યામાં પેલા રાજકુવરો કરતાં વધારે પારંગત થાય છે ત્યારે દ્રોણગુરૂ ગુરૂદક્ષીણામાં તેના જમણા હાથનો અંગુઠો કપાવીને માંગી લે છે. જેથી એકલવ્ય દ્રોણના માનીતા શિષ્ય અર્જુન જેવો બાણાવળી ભવિષ્યમાં ન બને!

 મનુસ્મૃતી અંગે વિગતે ચર્ચા–

આ પૃથ્વીના સર્જન કર્તા બ્રહ્માએ (?) ક્રમશ: પોતાના મુખમાંથી બ્રાહ્મણ, હાથમાંથી શ્રત્રિય, જાંઘમાંથી વૈશ્ય અને શુદ્ર પગમાંથી બનાવ્યા છે. ખ્રિસ્તી અને ઇસ્લામના ઇશ્વરે તમામ સજીવોને છ દિવસમાં બનાવી સાતમે દિવસે આરામ કરવાનું નક્કી કર્યું હતું. જે બ્રહ્માએ ચાર વર્ણોનું સર્જન કર્યુ, તેણે જ તે બધાના સંચાલન માટે મનુસ્મૃતીનું સર્જન કર્યું છે. મનુસ્મૃતીમાં દરેક વર્ણના કાર્યો અને ફરજો નક્કી કરવામાં આવી છે. બ્રાહ્મણનું કાર્ય યજ્ઞ કરવાનું, શિક્ષણ લેવાનું અને આપવાનું, દાન દક્ષિણા લેવાની અને અપાવવાની વિ. ક્ષત્રિયોનું કાર્ય રાજ્યની સુરક્ષા અને બહારના દુશ્મનો સામે યુધ્ધ કરવું વિ. વૈશ્ય નું કાર્ય વેપાર ધંધો કરવો અને શુદ્રનું કાર્ય નિષ્કામ કર્મ કરી બદલાની કે વેતનની આશા રાખ્યા સિવાય પેલા બ્રહ્માએ સર્જન કરેલા ત્રણ વર્ણોની સેવા કરવી.આશરે છેલ્લા પાંચ હજાર વર્ષોથી મનુસ્મૃતી આધારીત હિંદુ– વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં શુદ્રો પેલા ત્રણ વર્ણોની સેવા કરવા પેઢી દર પેઢી વેઠ કરતા આવ્યા છે.મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણો પોસ્ટ ઓફીસની માફક ઇશ્વર અને આપણા મૃતસગાવહાલાઓને આપણું દાનમાં આપેલું ભોજન પોતે પોતાના પેટમાં આરોગીને તે બંનેને પહોંચાડે છે. કારણકે બ્રાહ્મણ ઇશ્વરના મુખમાંથી જન્મેલ છે. એટલે બ્રાહ્મણના મોંઢામાં કોઇ જે અન્ન જાય તે સીધું ઇશ્વરના મુખમાં જ પહોંચ્યું ગણાય!

. બ્રાહ્મણ સિવાયના ત્રણ વર્ણો બ્રાહ્મણોની દયા પર જીવન જીવે છે. ધર્મશાસ્રોનું અર્થઘટન,સમજાવવાનું ને શિખવાડવાનું કાર્ય મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણ સિવાય કોઇનું હોઇ શકે નહી. મનુસ્મૃતી આધારીત વર્ણવ્યવસ્થા જન્મ આધારીત છે. કોનો કઇ વર્ણમાં ને હવે જ્ઞાતિમાં જન્મ તે દરેકના પુર્વજન્મના કર્મોને આધિન છે.મનુસ્મૃતી પ્રમાણે  હિંદુ સ્રી તરીકે ગમે તે વર્ણમાં જન્મવું તે પણ પુર્વજન્મમાં કરેલા ખરાબ કર્મોની શિક્ષા સમાન છે. માટે જ તુલસીકૃત રામાયાણના રચનારે તુલસીદાસે( સંત?) સ્પષ્ટ લખ્યું છે કે " નારી, શુદ્ર ઔર પશુ સબ તાડન કે અધિકારી." ' બુધે નાર પાંસરી' . વેદો અને મનુસ્મૃતીના પીરામીડ પર જ હિંદુ પુરૂષપ્રધાન વ્યવસ્થાનું ચણતર થયેલું છે એ રખે ભુલતા. જે તે વર્ણ ને જ્ઞાતિ જન્મ સાથે ચાલુ થાય છે અને મૃત્યુ બાદ તેના વ્યવહારો વર્ણ પ્રમાણે ચાલુ રહે છે. વર્ણવ્યવસ્થામાં બ્રાહ્મણનું સ્થાન બીજી ત્રણેય વર્ણો કરતાં અનેક ગણુ ચઢીયાતુ હોય છે. હિંદુવર્ણવ્યવસ્થા આપણા દેશમાં સામાજીક અસમાનતા, હિંસા અને અન્યાયનો બીજો પર્યાય છે. આ ત્રણેય સામાજીક અનિષ્ઠો એક થઇને દેશના દલિતો, તમામ વંચિતો અને સ્રીઓનું સર્વપ્રકારનું શોષણ કરે છે. હિંદુ સ્રી (માલીકી) બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને પતિના મૃત્યુબાદ દિકરાના નિયંત્રણ હેઠળ મનુસ્મૃતી સંચાલિત સમાજમાં જીવન પસાર કરે છે. તેવો (ભવ્ય)વારસો હિંદુ સ્રીઓ પોતાની દિકરીઓને વારસાઇમાં આપી જાય છે. મનુસ્મૃતી સંચાલિત સમાજનો પાયો જ સામાજીક શોષણખોર અસમાનતા પર જ ઉભો કરવામાં આવ્યો છે.તેના અનેક પુરાવા મનુસ્મૃતી આધારીત હિંદુ–કાયદાની સંહિતામાં( હિંદુ કોડ બીલ) મલે તેમ છે. જેના રોજબરોજના પરિણામો આજે પણ આપણને નિયમીત જોવા મલે છે. ઉપરના વર્ગો દ્રારા શરૂ થતી ક્રમશ વધતી જતી સામાજીક અસમાનતાનું બીજુ નામ મનુસ્મૃતી સર્જીત વર્ણવ્યવસ્થા છે.

 


--

Monday, May 9, 2022

Why I am not a Christian?


 

શા માટે હું ખ્રીસ્તી નથી? બર્ટ્રાન્ડ રસેલ.

" મારા નમ્ર અભિપ્રાય મુજબ જીસસ ક્રાઇસ્ટના ચારિત્ર્યમાં શાણપણ (wisdom )અને સદ્ગુણની ક્ષમતા કરતાં માનવ ઇતિહાસમાં બીજા ઘણા મહાન લોકોમાં તે બંને ગુણો ઘણા વધારે હતા. હું ગૌતમબુધ્ધ અને સોક્રેટીસને જીસસ કરતાં આ બાબતોમાં ઘણી ઉચ્ચકક્ષાનું ચારિત્ર્ય ધરાવનાર વ્યક્તિઓ ગણું છું." – બર્ટ્રાન્ડ રસેલ.

બ. રસલે તા ૬માર્ચ સને ૧૯૨૭માં આશરે બરાબર ૯૫ વર્ષ પહેલાં  નેશનલ સેક્યુલર સોસાયટીની દક્ષિણ લંડનના શાખા તરફથી ' બટરસી ટાઉન હોલ' માં ' શા માટે હું ખ્રિસ્તી નથી? એ વિષય પર પોતાના વિચારો રજુ કરતાં ઉપરના વાક્યો પ્રવચનમાં બોલ્યા હતા.

·       સૌ પ્રથમ મારા મત મુજબ ખ્રિસ્તી કોને કહેવાય તે સ્પષ્ટ કરું છું.

·       ઘણા લોકોમાં એવી માન્યતા છે કે જે સારુ જીવન( ગુડ લાઇફ) જીવે તે ખ્રિસ્તી. શું તેનો અર્થ એવો ગણાય કે તમામ અન્યધર્મોના અનુયાઇઓ સારુ જીવન જીવતા નથી?

·       જે લોકો ખાસ કે વિશિષ્ટ ધાર્મીક માન્યતાઓ પ્રતિબધ્ધતા સાથે અમલમાં મુકી જીવન જીવતા હોય તેને આપણે ખ્રિસ્તી તરીકે ઓળખીશું. દરેક ખ્રિસ્તી બે ધાર્મીક માન્યતાઓમાં શ્રધ્ધા ધરાવતો હોય છે. એક ઇશ્વરના અસ્તીત્વમાં ને બીજું અમરત્વના( Imm    ortality) ખ્યાલમાં. ઇશ્વરીના અસ્તિત્વને તર્કવિવેકબુધ્ધી( રેશનાલીટી) કે કારણની સર્વોપરિતા(સુપ્રીમસી ઓફ રીઝન) આધારે સમજાવાની બિલકુલ જરૂર નથી.વધારામાં જેમ મુસ્લીમ મોહંમદ પયગંબર કે હિંદુ રામ અને કૃષ્ણમાં ધાર્મીક શ્રધ્ધા ધરાવે છે તેરીતે દરેક ખ્રિસ્તી જીસસના અસ્તિત્વમાં શ્રધ્ધા ધરાવતો હોવો જોઇએ. તે શાશ્વત નર્કમાં સતત આગ ચાલુ હોય છે તેમાં પણ દરેક ખ્રિસ્તીને શ્રધ્ધા હોવી જોઇએ.( Belief in eternal hell fire was an essential item of Christian belief.)

·       જ્યારે હું કહું છું કે શા માટે હું ખ્રિસ્તી નથી તેનો સાદો  સીધો અર્થ થાય છે કે હું ગોડના અસ્ત્તિવનો તેમ જ તેના અમરત્વના ખ્યાલનો અસ્વીકાર કરૂ છું. બીજું જીસસને ઐતીહાસીક દ્ર્ષ્ટીએ હું સૌથી શાણો  અને સદ્ર્ગુણ વાળો પણ ગણતો નથી. જીસસમાં નૈતીક્તાના ગુણોની કક્ષાની માત્રા પ્રમાણમાં સારી હતી તેટલું હું કહી શકું.

·       દરેક વસ્તુને તેના સર્જન માટે કારણ હોય છે. તો પછી ઇશ્વરને કોને બનાવ્યો હશે? ("Who made God?") જો ઇશ્વર સ્વયંભુ હોય તો પછી આ પૃથ્વી,બ્રહ્માંડ ને દરેક નું સર્જન કેમ સ્વયંભુ ન હોઇ શકે? હિંદુધર્મની કથાઓમાં એવી શ્રધ્ધા છે કે પૃથ્વી નાગના મસ્તીક પર બેઠેલી છે. તો પેલા નાગ દેવતા પોતે કોના પર બેઠા કે ઉભા છે?  ખરેખર દરેકનું સર્જન કરનાર કોઇ સર્જક છે તે ખ્યાલ જ બૌધ્ધીક રીતે બિનઉપયોગી છે. ડાર્વીનના ઉત્ક્રાંતિવાદે ઇશ્વરી સર્જનના ખ્યાલનો પુરેપુરો છેદ ઉડાડી દીધો છે.

·       આપણા  રોજબરોજના જીવનનો અનુભવ છે કે સારા કે સજ્જન માણસને બુરા કે બદમાસોના હાથે અન્યાય સહન કરવો પડે છે. ઇશ્વર હોય અને તે અન્યાય સામે ન્યાયની તરફેણ ન કરતો હોય તો આવું કેમ? તો ઇશ્વરને, મૃત્યુ પછીના સ્વર્ગ અને નર્કનો ખ્યાલ ઉપજાવી કાઢીને ન્યાય– અન્યાયના ત્રાજવાને સમતોલ કરવાની સત્તા આપી દીધી છે. એટલે મૃત્યુ પછી જે બધા સ્વર્ગ–નર્કની અંધશ્રધ્ધા પ્રમાણે ઉપર જાય તેમના માટે ઇશ્વરે પોતાનો ધંધો શોધી કાઢયો! અને પૃથ્વી પરના તેમના એજંટો માટે આજીવીકાનું સાધન આપી દીધું.

·       બાળપણથી મા– બાપએ પોતાના કુમળા મનના બાળકો પર અસલામતી અને ભય, આ બે ખ્યાલો( Concept) એવા ઘુસાડી દીધા કે તેને આધારે તે બધા મોટા થાય તો પણ ભગવાનમાં શ્રધ્ધા છોડે નહી.

જીસસના ઉપદેશોનું મુલ્યાંકન–

·       " અનિષ્ટો અને પાપોને રોકશો નહી,તમારા એક ગાલ પર લાફો મારે તો તમે બીજો ગાલ ધરજો.–  તમે જો બીજાને ધિક્કારશો તો તમને પણ બીજા ધિક્કારશે.– જેવું વાવશો તેવું લણશો.–('Judge not lest ye be judged.') તારી પાસે જે છે તેને જેની પાસે નથી તેને આપી દે. હું તને મૃત્યુ પછી સ્વર્ગમાં પરત આપીશ."

      ઉપરના સુવાક્યો ઉપદેશો તરીકે સારા લાગે પણ હું પ્રમાણીકરીતે જાહેર કરૂ છું કે તે પ્રમાણે હું જીવી શકતો નથી. તમે બધાએ ખ્રિસ્તોને જીસસના ઉપર મુજબના ઉપદેશો પ્રમાણે જીવન જીવતા જોયા છે ખરા? બાયબલમાં જીસસ સાથેના સંવાદમાં જે વાતો વણી લીધી છે જેમાં મારા મત મુજબ, જીસસનું ઉમદા શાણપણ ભરેલું વ્યક્તિત્વ પેદા થતું નથી કે નથી તેમાં કરૂણા જેવા ગુણોનું પ્રતિબંબ.

·       ઐતીહાસીક દ્રષ્ટીએ ખરેખર જીસસ ક્રાઇસ્ટ આ પૃથ્વી પર ખ્રિસ્તીધર્મના સ્થાપક તરીકે જીવીન જીવી ગયા કે કેમ તે જ મારા મત મુજબ શંકાસ્પદ છે.( Historically it is quite doubtful whether Christ ever existed at all, and if He did we do not know anything about Him, so that I am not concerned with the historical question, which is a very difficult one.)

જ્યારે તમારાપર ખ્રિસ્તી હોવાને કારણે જુલ્મ કે સિતમ ગુજરાવામાં આવે ત્યારે તમે આવા શહેરોમાંથી ભાગી જજો. ઇઝરાયેલના બીજા શહેરોમાં સ્થળાંતર કરજો. ત્યાં સુધીમાં તો હું પુનરુત્થાન (Resurrection) કબરમાંથી ઉભો થઇને બહાર આવીશ. ત્યારે મારી સાથેના તે સમયના ઘણા બધા મને ઓળખતા હશે તે બધા જીવતા હશે.( He believed that His second coming would happen during the lifetime of many then living. ) મૃત્યુ પામેલાની ભૌતીક વાસ્તવિકતાની ભારોભાર જે ધર્મનો સર્જક પોતે,અને તેના પ્રચારકો અવગણના કરતા હોય તેના શાણપણ અને વિચારશક્તિને કઇ શ્રેણીમાં મુકવી? (In that respect clearly He was not so wise as some other people have been, and he was certainly not superlatively wise.)

જીસસ ક્રાઇસ્ટનું નૈતીક વલણ– નૈતીક વલણ એટલે અન્ય માનવો સાથેનો વ્યવહાર. જીસસ નર્કના ખ્યાલની માન્યતામાં એટલા માટે શ્રધ્ધા ધરાવતા હતા કારણકે જે લોકો તેના ઉપદેશથી વિરૂધ્ધ જીવન જીવતા હોય, તેના માટે કાયમી શિક્ષા કરવા નર્કના ખ્યાલ સિવાયનું કોઇ સાધન તેની પાસે બીજું ન હતું. જીસસના ઉપદેશની વિરૂધ્ધ જીવન જીવતા લોકો માટે બાયબલની ધાર્મીક વાર્તાઓમાં ઝનુન અને હિંસાપુર્વક વેર લેવાની  વૃતીને સ્પષ્ટ ટેકો આપ્યો છે. બર્ટ્રાન્ડ રસેલે આ મુદ્દાપર ચર્ચા કરતાં વધુમાં જણાવ્યું છે કે અન્ય ધર્મનાસર્જકો,પયગંબરો અને પ્રચારકોએ પોતાના ધર્મના ટેકેદારોમાં આવી ઝનુની, હિંસક વેરવૃત્તી વિધર્મીઓ સામે પેદા કરવામાં સફળ થયા છે.( જેને કારણે વિશ્વમાં ધાર્મીક યુધ્ધો દ્રારા જે માનવ સંહાર થયો છે તેની સંખ્યા ગણવામાં આવે તો તેના આંકડાઓ બંને વિશ્વ યુધ્ધના માનવસંહારના આંકડાઓ કરતાં અનેક ગણા વધારે છે.) આવા વિચારો અને વલણો તમને સોક્રેટીસના વ્યક્તવ્યમાં જોવા નહી મલે.( You do not, for instance, find that attitude in Socrates. You probably all remember the sort of things that Socrates was saying when he was dying, and the sort of things that he generally did say to people who did not agree with him.)

·       જે લોકોને જીસસના ઉપદેશો ગમતા ન હતા તેના માટે બાયબલમાં લખ્યું છે કે ' તમે બધા ઝેરી સાપો જેવા દગાબાજ છો, તમે કેવી રીતે કાયમ માટે નર્કની યાતના ભોગવવાથી બચી શકશો.( You will find that in the Gospels Christ said: 'Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?' )

·        બાયબલમાં એક પવિત્ર ભુત(the Holy Ghost ભુત અને તે પાછું પવિત્ર!)નો ભય ખ્રિસ્તી લોકોને બતાવવામાં આવ્યો છે. ' જે લોકો આ પવિત્રભુત વિરૂધ્ધ બોલશે તેમને આ વર્તમાન જીવનમાં તથા આવતા જન્મમાં પણ તે પવિત્ર ભુત બદલો લેવાનું છોડશે નહી જ.  (Whosoever speaketh against the Holy Ghost it shall not be forgiven him neither in this world nor in the world of come) રસેલ ખુબજ દુ:ખ સાથે જણાવે છે કે આ પવિત્ર ભુતની અંધશ્રધ્ધાએ વિશ્વમાં ગણી ગણાય નહી તેટલી લોકોમાં માનસીકઅને ભૌતીક રીબામણી કે સતામણી પેદા કરી છે. રસેલ વધુમાં જણાવે છે કે જેના સ્વભાવમાં ભલાઇ, કરૂણા ને દયા જેવા ગુણો હોય તેવી વ્યક્તિ આ વિશ્વના લોકોના મનમાં ભય અને જુલ્મના ખ્યાલો મુકી શકે તેવું મારૂ મન માનવા તૈયાર નથી. ( I really do not think that a person with a proper degree of kindliness in his nature would have put fears and terrors of that sort into the world.)

·       વધુમાં જીસસ કહે છે કે મારા ઉપદેશ વિરૂધ્ધ જીવન જીવનારા લોકોને પકડવા હું ઘણાબધા દેવદુતોને મોકલીશ અને તે બધાને પકડી લાવીને નર્કમાં કાયમી સળગતા અગ્નીમાં ફેંકી દેશે. સળગતી આગમાં પડવાથી તે બધાના આક્રંદો, દુ:ખદ ચીસો, દાંત કચચાવતી તેમની રાડોનો ઉલ્લેખ બાયબલમાં વારંવાર કરવામાં આવ્યો છે. જાણે કે આવી સજાનો હુકમકરનારને ' પરપીડન'માં આનંદ વતો હશે.(It comes in one verse after another, and it is quite manifest to the reader that there is a certain pleasure in contemplating wailing and gnashing of teeth, or else it would not occur so often.).

·       મારૂ માનવું છે કે નર્ક હંમેશાં સળગતા અગ્નિથી ભરેલું છે તે ખ્યાલ , ઉપદેશ કે ધાર્મીક માન્યતા જ ક્રુરતાને ટેકો આપે છે.જીસસના ધાર્મીકોએ બાયબલમાંની ક્રુરતાને ન્યાયી ઠેરવતી પ્રવૃત્તીઓને આધારે, નાસ્તિકો,અને ખ્રીસ્તી માન્યતાથી ઉલટો મત ધરાવનારોને ખુબજ ઘાતકી રીતે રીબાવી રીબાવીને મારી નંખાવ્યા છે.

·       બીજી ઓછી મહત્વની કેટલીક વાતો છે. તેમાંથી એક વાતે મને હંમેશાં બિલકુલ બુધ્ધિગમ્ય લાગતી નથી.તે બાયબલમાં આવતી અંજીરના ઝાડની વાત છે. જીસસ ને ભુખ લાગી હતી, તે અંજીરના ઝાડની પાસે આવે છે. તે ઝાડપર ફક્ત પાંદડાઓ હતા. ફળ ન હતા.કારણ કે તે સમય હજુ અંજીરના ઝાડને ફળ બેસવાનો સમય થયો નહતો. જીસસ ઉવાચ: " હવે પછી કોઇપણ માણસ અંજીરના ઝાડનું ફળ ખાશે નહી." તેનો ચેલો પીટર દોડતો દોડતો આવ્યો.માલિક! જુઓ! જુઓ! " તમારા શાપ કે બદદુઆથી તે ઝાડ સુકાઇ ગયું છે." આ એક બાયબલની વિચિત્ર વાર્તા છે. અંજીરના ઝાડ પર ફળ બેસવા માટે તે યોગ્ય સમય નહી હોય.અને તેના માટે પેલા બિચારા ઝાડનો કયો દોષ?

·       માટે જ હું જીસસને તેના શાણપણ કે સદગુણ માટે,ઐતીહાસીક રીતે બીજા નામાંકિત લોકો જેવા કે ગૌતમબુધ્ધ અને સોક્રેટીસની સરખમાણીમાં સમકક્ષ બિલકુલ ગણતો નથી. જીસસ કરતાં બુધ્ધ અને સોક્રેટીસને તેમના શાણપણ અને સદગુણો માટે મને વધારે માન છે. (I should put Buddha and Socrates above Him in those respects.)

·       હું તમને એક ગંભીર સત્ય તરફ સભાન થવા જણાવું છું. " જે સમયમાં ધર્મ પ્રજા પર આત્યંતીક પ્રમાણમાં છવાઇ જાય છે,અને ધાર્મીક ઘેલછાઓના સંચાલકોની બોલબાલા ધાર્મીક સત્ય બની બેસે છે.તે સમયમાં રાજ્યસત્તાપણ સૌથી વધારે ઘાતકી બની જાય છે". રાજ્ય પુરસ્કુત ધર્મ સિવાય અન્ય વિધર્મીઓ, સંશયવાદીઓ અને નાસ્તિકોને વિ ને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે.લાખો સ્રીઓને ડાકણ જાહેર કરીને મારી નાંખવામાં આવી છે. આ સમયને માનવ ઇતિહાસમાં ધાર્મીક શ્રધ્ધાનો યુગ "ages of faith" તરીકે ઓળખવામાં આવે છે.

·        માનવીય લાગણીઓને ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓને ઓછા જુલ્મી બનાવવા, તેમાં સુધારા કરવામાં આવે, ગુલામી નાબુદ કરવામાં આવે, મજુર કાયદો વધુ કલ્યાણકારી બનાવવામાં આવે, સ્રી સમાનતાની તરફેણ રાજ્ય અને સમાજ પ્રથા વધુ ઉદાર બને, તેવા તમામ પગલાંને ધર્મો અને તેના શાસકોએ ' જે સે થે' સ્થિતી ટકાવવા મરણતોલ પ્રયાસો ભુતકાળમાં કર્યા છે અને હજુ પણ કરે છે. હું ખુબજ જવાબદારી સાથે ઇરાદાપુર્વક આક્ષેપ મુકું છું કે  ખ્રિસ્તી ધર્મ, તેના ચર્ચોના સંગઠીત કાર્યો દ્રારા વૈશ્વીક સ્તરે માનવકેન્દ્રી ધર્મનિરપેક્ષ નૈતીકતાના પ્રચાર સામેનો એક નંબરનો દુશ્મન છે.( I say quite deliberately that the Christian religion, as organised in its Churches, has been and still is the principal enemy of moral progress in the world.)

·       કદાચ તમને બધાને એવો અહેસાસ થશે કે રસેલે વધુ પડતું બોલી નાંખ્યું છે. પણ મને સહેજ પણ એવું લાગ્યું નથી. તમામ ધર્મોને વિજ્ઞાન ને ટેકનોલીજીની મદદથી માનવ સુખાકારી વધે, લોકો ભુખમરા, ગરીબાઇ, રોગથી ઓછા રિબાય તેમાં લેશ માત્ર રસ નથી.  કારણ કે જો લોકો દુ:ખી ન હોય તો ધાર્મીક સ્થાનો પર શું કરવા હજારો લાખો લોકોની લાઇનો લગાડે!

·       ધર્મના પિરામીડનો પાયો મુખ્યત્વે લોકોના ભયના ખ્યાલ પર બંધાયેલો છે. ઉભો રહ્યો છે. જે ભય મુક્ત છે તેને ધર્મની બિલકુલ જરૂર પડતી નથી. માનવીને જીવનની અચોક્ક્સતા, અસલામતી, મૃત્યુ વિ.નો ભય તેને ધર્મજીવી બનાવે છે. તેનો ઉપાય જીવનમાં વૈજ્ઞાનીક અભિગમ પ્રમાણે જીવનની સમસ્યોના નિર્ણય કરવામાં છે.વૈજ્ઞાનીક શોધોએ સાબિત કરી દીધુ છે કે ઉપર આકાશમાં કોઇ દેવી દેવતાઓ કે ઇશ્વર, ગોડ, અલ્લાહ નથી. વિજ્ઞાને આ પૃથ્વીને વિશ્વના તમામ ધર્મોએ જે બનાવી મુકીને જે વારસો સોંપ્યો છે તેના કરતાં બહેતેર, સુખી ને સમૃધ્ધ બનાવી છે. જેટલી પકડ મારા તમારા પર ધર્મોની ચાલુ છે ત્યાંસુધી ધર્મોપ્રેરીત દંગાફસાદ ચાલુ રહશે.માનવ માનવ વચ્ચેના દંગા ફસાદના ધરૂવાડીયા ધર્મોના ઉપદેશોમાં વણાયેલા છે.

·       ઇશ્વરનો ખ્યાલ જ પૌરાણીક જુલ્મી આપખુદી રાજ્યતંત્રની પેદાશ છે. જે લોકશાહી સ્વતંત્રતા આધારીત રાજ્યપ્રથાની બિલકુલ વિરોધી છે. ધર્મો પાપનો ભય બતાવી, આ પૃથ્વી પર તમે પાપી તરીકે જન્મ્યા છો, માટે તમે આત્મસભાન ગૌરવશાળી સ્વતંત્ર માનવી બની જ ન શકો. તમારે દરેકે તમારી જાતને ધર્મોએ નક્કી કર્યુ હોય તે પ્રમાણે શરણાગતી સ્વીકારવી પડે! ધર્મએ પહેરાવેલી બેડીઓમાં રહેલી સ્વતંત્રતાના(ગુલામી)આનંદના ગુણગાન તમે નહી ગાવ તો બીજા કોણ ગાશે!

·       આપણે શું કરવું જોઇએ! ધર્મના આધાર સિવાય બહેતર જીવન શક્ય છે તેવી સંપુર્ણ પ્રતિબધ્ધતા કાયમ માટે કેળવવી પડશે.આપણા સૌના સહકારથી સારુ વિશ્વ બનાવવા, જ્ઞાન–વિજ્ઞાન, કરૂણા, હિંમતની જરૂર છે. ભુતકાળની ઝંખના પાછળની ખેવના તમને ક્યાંય નહી લઇ જાય. બહુ સદીઓ પહેલાં પેલા અર્ધજ્ઞાની માણસોએ ઉચ્ચારેલા સુવાક્યો તમને આધુનીક જગત જીવવામાં કોઇ મદદ નહી કરી શકે! ધર્મભીરૂ અભિગમને બદલે આપણે ભયમુક્ત જ્ઞાન આધારીત  રેશનલ અભિગમ કેળવવો પડશે. મૃતપાય બની ગયેલા ભુતકાળનાં ભજન કરવાથી કોઇ ફળ નહી મલે.( It needs hope for the future, not looking back all the time towards a past that is dead.)

·        સદર પુસ્તક લંડન રેશનાલીસ્ટ પ્રેસ એસોશીએશને સને ૧૯૨૭માં પ્રથમ પ્રકાશિત કર્યું હતું.



 

 

--