Wednesday, April 8, 2026

બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૩

બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૩

  1. ચિલાચાલુ ધર્મો અને બુધ્ધના ધમ્મમાં પાયાના તફાવતો કયા કયા છે? 

 (અ) ચમત્કારોમાં વિશ્વાસ કરવો અધર્મ છે. (બ)ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી તે ધર્મ નથી. (ક) આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ રાખવો તે પણ ધર્મ નથી. (ડ) વેદોનું સર્જન પણ ઇશ્વરી નથી.તે દરેક ધર્મને તેના આસ્થાઓના મુળભુત પાયાને જ જમીનમાંથી હચમચાવી નાંખવા જેવી તાર્કિક બીના છે. હવે જો ધર્મમાંથી ઇશ્વર,આત્મા અને વેદોની સત્તાને એકજ ઝાટકેથી બાદબાકી કરી નાંખવામાં આવે તો પછી સદર ધર્મમાં બાકી શું રહે? કર્મકાંડ અને યજ્ઞમાં વિશ્વાસ કરવો પણ અધર્મ છે.ધર્મગ્રંથોને સમજ્યા વિના પોપટની માફક રટણ કરવું તે પણ અધમ્મ છે. સત્ય કર્મકાંડ નથી પણ નિરિક્ષણ,તર્ક અને શાણપણ દ્વારા કરેલો નિર્ણય એ સત્ય છે. તથાગત બુધ્ધ પહેલાંનો, છેલ્લા આશરે એક હજાર વર્ષથી ચિલાચાલુ જે ધર્મ  હતો તે આ હતો જેનું બીજું નામ બ્રાહ્મણવાદ હતો. ટુંકમાં બોધ્ધ ધમ્મ તે કોઇ ટીલાટપકાં, જપતપ વિ . જેવા બાહ્ય આડંબરો દ્રારા થતો દેખાડો તે નથી. પણ સુઝબુઝથી લેવાતો નિર્ણય તે ધમ્મ છે.

(૨) જીવનની સુચિતા બનાવી રાખવી તે ધમ્મ છે. સુચિતાનો અર્થ શરીરનો દેખાડો કરીને બતાવવામાં આવે તે ધર્મ નથી.પણ મન વચન, કર્મથી કાર્ય કરવાની સંવાદિતામાં ધર્મ સમાયેલો છે. સામાવાળાને નુકશાન કરવા વિચારો અને વર્તન કરવું તે ધમ્મ નથી. નૈતિકતાનો પાયો વ્યવહારીક રોજબરોજના જીવનને સમૃધ્ધ બનાવવામાં છે.તૃષ્ણાનો ત્યાગ તે ધર્મ છે. નિર્વાણ કોઇ સ્વર્ગ કે પરલોકના ખ્યાલનો બુધ્ધે સુચવેલો વિકલ્પ હરગીજ ન હતો.  નિર્વાણ એ તૃષ્ણા અને દુ:ખમાંથી મુક્તિ પામવી તેવી માનસિક અવસ્થા છે. જેને આ જીવનમાંજ અહીયાં પ્રાપ્ત થઇ શકે તેવી બૌધ્ધીક અવસ્થા છે. કોઇપણ કર્મનો આધાર નિરિક્ષણ, તર્ક અને શાણપણ આધારિત નિર્ણય છે. તેનો હેતુ  તેવા કર્મો દ્રારા કરુણા અને સમતાના ધ્યેયને સિધ્ધ કરવાનો જ હોવો જોઇએ. સમગ્ર બ્રહ્માંડ જેમાં માનવી પણ એક ભાગ છે તે કુદરતી નિયમબધ્ધતા કે નૈતીકતાનો એક ભાગ છે. તે લૌકીક છે. તેનું સંચાલન કુદરતી પરિબળોની નિયમબધ્ધતામાં નિહિત છે.(જેવો ગુરુત્વાકર્ષણનો નિયમ!)ઇશ્વર જેવા બાહ્ય પરિબળમાં નહી.

(૩) બુધ્ધે ઉપરની ચર્ચા આધારીત પોતાના  કર્મના સિધ્ધાંતને સમજવા માટે બે ભાગમાં વહેંચણી કરી છે. એક ધમ્મ અને બીજો સધમ્મ જે આ નિજી ધમ્મનું એક વિસ્તૃત સામાજીક એકમ છે.ધમ્મ એક વ્યક્તિગત નૈતીક્તા પર આધારિત છે. જ્યારે સધમ્મ તે નૈતિકતાનો સામાજીક અમલ અને ઉપયોગ છે. સધમ્મ સમાજમાં તમામ લોકો માટે પ્રજ્ઞાનો ઉપયોગ જ્ઞાન અને વિવેકનો નિરંતર વિકાસ થતો રહે તેવી સામુહિક વ્યવસ્થાના સર્જનમાં રહેલો છે.

(૪) વેદિક સમયથી જ્ઞાન તે ચતુર્વર્ણવ્યવસ્થામાં ફક્ત બ્રાહ્મણવર્ગનો જન્મ આધારિત ઇજારો હતો. તેને સામાજીક સધમ્મના ખ્યાલે વાસ્તવિક બનાવી તોડી નાંખ્યો. બુધ્ધના કરુણાના ખ્યાલને બાબાસાહેબ આંબેડકરે તેમની અમોઘ તાર્કીક વેધક દ્રષ્ટીથી બે ભાગ કરીને સમજાવી છે.  કરુણાનો ખ્યાલ વ્યક્તિગત કર્મ છે. જેમાં જેની પાસે છે (વૈદિક યુગમાં) તે ઉચ્ચવર્ગ,જેની નીચલા વર્ગ પાસે નથી તેને કરુણા–દયાના ભાવથી મદદ કરે છે. કરુણાના ખ્યાલમાં અસમાનતાની ભાવના ઘરબાયેલી હોય છે. તે પ્રછન્ન છે. જેને બ્રાહ્મણ ધર્મે વૈદીક યુગમાં બહુ ગુણગાન ગાયાં હતાં. જ્યારે સમતા એટલે સામાજીક મૈત્રી. મૈત્રી ભાવમાં બે માંથી કોઇ પાત્ર ઉચું નથી કે નીચું નથી. ( દા.ત– સુદામા–કૃષ્ણની મૈત્રી). આવી સમતામાં બરોબરીનો ભાવ હોય છે. અને તે રીતે  ધમ્મને અરસપરસની નિસ્વાર્થી સમજ અને વર્તનથી વિકસાવવામાં આવેલો છે.આમ બુધ્ધનો ધમ્મ દયા (કરુણા) આધારીત સમાજ નહી પણ બરાબરીપણું , સમતા, સમાનતા, ભ્રાત્તૃભાવ આધારીત માનવીય નૈતીક્તા,પ્રજ્ઞા અને તર્કની ઇંટો પર બનેલો સમાજ હશે.

(૫) બુધ્ધના સધમ્મનો બીજો હેતુ હતો કે  વેદીક સમયથી ચીલાચાલુ અસમાન ચાતુર્વર્ણવ્યવસ્થાની સંપુર્ણ બાદબાકી, સર્વનાશ( Complete Annihilation of Caste & Class- Social unequal division) છે..કોઇ વ્યક્તિ જન્મથી મહાન(ઉંચ) કે નીચ હોતો નથી. પણ પોતાના અરસપરસના વહેવારમાં કરેલા કર્મોને આધારે તે વ્યક્તિ ઉમદા છે કે નહી તે નક્કી થાય છે. બુધ્ધ ધમ્મને એક ન્યાયપુર્ણ સમતાવાદી સમાજનું સર્જન કરવાની પાયાની ઇંટ ગણે છે. વ્યકતિગત ધમ્મ સમાજમાં સમતાનું સર્જન કરવા પુરતો નથી.પણ તે સમતાવાદી સમાજના પુન:નિર્માણમાં  ચોક્ક્સ મદદરુપ બની શકે!

(૬) ધર્મ અને ધમ્મ વચ્ચે તફાવત શું છે? ધર્મ માનવીને મૃત્યુ બાદ મોક્ષ, જન્ન્ત, મુક્તિ( Salvation) વિ. માટે વર્તમાન જીવન કેવી રીતે પસાર કરવું તે શીખવાડે છે. બુધ્ધે આ વાત પોતાના સાથીઓને સંઘમાં અને અનેક ચર્ચામાં કરી છે. ‘ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું, મૃત્યુ  કયાં પછી જવાનો છું? શરીરમાં આત્મા છે ક નહી? સ્વર્ગ–નર્ક, જન્ન્ત– દોજખ વિ. અંગે તમારો શું મત છે? બુધ્ધે સ્પષ્ટ કહી દીધું હતું કે મારુ મિશન પૃથ્વી પરના માનવીય દુ:ખો દુર કરવાના કારણો અને તેના ઉપાયો શોધવામાં રસ છે. મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલવામાં નહી.માનવ સહિત તમામ કુદરતી પરિબળો સતત પરિવર્તનશીલ છે. સ્થાયી કશુ નથી. જે જન્મે છે તે મૃત્યુ પામવાનું છે. આત્મા હોય તો તે પણ નાશવંત છે. બુધ્ધનો ધમ્મ માનવીય સમસ્યાઓના ઉકેલ માટે હતો. મૃત્યુ પછીની કોઇ વ્યવસ્થાનું સર્જન કરવાનો ન હતો. તત્વજ્ઞાનનો હેતુ મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલવાનો નથી પણ  દુન્યવી સમસ્યાઓના ઉકેલ માટેનો જ હોવો જોઇએ.બુધ્ધ અને બાબાસાહેબનો ધર્મ ઇશ્વરને બદલે ઇન્સાનીયત પર અને કર્મકાંડને બદલે માનવીય નૈતિકતા પર આધારિત હતો. ધર્મનો હેતુ વ્યક્તિગત મોક્ષને બદલે સામાજીક કલ્યાણ માટે બની ગયો હતો! બાબાસાહેબનો પડકાર– ઇશ્વરીય સત્તા, અંધવિશ્વાસ અને જન્મ આધારીત અસમાનતાના આધાર પર ટકી રહેલી બ્રાહ્મણવાદી વ્યવસ્થા સામે હતો.

(૭) ચર્ચાનો છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ–બુધ્ધના મુખ્ય શિષ્ય આનંદનો પ્રશ્ન– આપના દેહાંત પછી આપનો ઉત્રાધિકારી કોણ? સંઘનું માર્ગદર્શન કોણ કરશે? કોઇપણ આંદોલન, ચળવળ કે સંસ્થા માટે ખુબજ અગત્યનો સવાલ હોય છે કોણ નેતૃત્વ સંભાળશે? બુધ્ધ કોઇને પણ પોતાના ઉત્રાધિકારી બનાવવાનું સ્પષ્ટ ના કહી દે છે. કોઇ વ્યક્તિ ને બદલે વિચારને મહત્વ આપજો. બાબાસાહેબ આંબેડકરનું તારણ હતું કે બુધ્ધ મોક્ષ દાતા ન હતા. પણ માર્ગ દાતા હતા. જ્યારે લગભગ બધા જ ધર્મો ઇશ્વર કે પયગંબરને પોતાના તારણહાર તરીકે માને છે,ઉધ્ધારક ગણે છે. જ્યારે બુધ્ધ પોતાના તમામ અનુયાઇઓને આત્મનિર્ભર બનવાનું કહે છે.“ આત્મ દિપો ભવ:” બુધ્ધે ક્યારેય એવો દાવો કર્યો ન હતો કે પોતાનો જે તે અનુયાઇને મોક્ષ અપાવશે. તેઓએ દરેકને મુક્તિનો માર્ગ બતાવ્યો. પણ તે માર્ગ પ્રાપ્ત કરવા માટે ચાલવું તો પોતે જ પડશે. કોઇ વ્યક્તિની પુજા નહી પણ તેના વિચારોનું પરિક્ષણ, મુલ્યાંકન કરીને  પોતાનો માર્ગ શોધવાનો છે! શું નેતા વિહીન લશ્કર તિતરભિતર ના થઇ જાય? પણ બાબાસાહેબના મત મુજબ આ મુદ્દે બુધ્ધ વ્યક્તિ પુજાની બિલકુલ વિરુધ્ધ હતા. જો ખરેખર વિચાર પોતે જ ગુુરુ હોય તો, તે વિચારને તર્ક,અનુભવ (ઇન્દ્રીયજન્ય નિરિક્ષણ) અને પ્રજ્ઞાની મદદથી તેનું મુલ્યાંકન કરીને, નિર્ણય કરીને અમલમાં મુકી શકાય! કોઇપણ ગુરુનું આંધળુ અનુકરણ કરીને સત્ય શોધી શકાય નહી.

(૮) બાબાસાહેબ માટે આ વિચાર ફક્ત આધ્યાત્મિક મુક્તિનો માર્ગ ન હતો પણ રાજકીય મુક્તિનો માર્ગ હતો. આપણે કોઇ ગુરુ, શાસ્ર કે પુજારીના ખોળામાં માથું મુકીને નિરાંતે સુઇ જવાનું નથી. ન્યોચ્છાવર થઇ જવાનું નથી! તેના ગુલામ તો ક્યારે બનવાનું નથી. દરેકે પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ બનવાનું છે. કોઇનું ભાગ્ય પુર્વનિર્ણિત હોતું નથી.  આવો વિચાર અને તેના આધારિત તારણ જ ગુરુ છે. સધ્ધમનો અસલી સાર શું છે? બુધ્ધનો સધ્ધમ ત્રણ મજબુત સ્તંભો પર ઉભો છે. પ્રજ્ઞા, કરુણા અને સમતા. પ્રજ્ઞા એટલે તર્કપુર્ણ ચિંતન, સોચ. કોઇપણ વિચાર , ઘટના કે પ્રસંગને આંખબંધ કર સ્વીકારવાને બદલે  તેના દરેક પાસથી મુલ્યાંકન કરવું. કરુણા એટલે દયા નહી પણ સક્રીય મૈત્રી છે. સમતા એટલે ‘ વિશ્વના તમામ માનવો એક છે. કોઇપણ માનવી પૈસા, જાતિ, રંગ, જન્મ રાષ્ટ્ર  કે સત્તા વિગેરેને કારણે  ઉંચો કે નીચો ક્યારેય હોઇ શકે નહી. અધમ્મ એટલે ઇશ્વરમાં વિશ્વાસ.આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ.યજ્ઞ, બલિ અને ચમત્કારોમાં વિશ્વાસ રાખવો. કોઇપણ ધર્મ કે તેના ગ્રંથને અંતિમ સત્ય માનીને તેને આધારે જીવન સમર્પિત કરી દેવું. જન્મ પર આધારિત સામાજીક ભેદભાવને સ્વીકારવો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ચતુર્વર્ણવ્યવસ્થા આધારીત સમાજના માળખાને બિનશરતી સ્વીકાર. બાબાસાહેબ બૌધ્ધ ધર્મને એક સામાજીક અને નૈતિક દર્શન રુપે રજુ કરે છે અને તે પ્રમાણે અમલ કરવા પ્રતિબધ્ધ હતા.ધર્મનો ઉદ્દેશ સ્વર્ગ, નર્ક,મોક્ષ વિ. ની ચિંતા કરવા નથી. ધર્મ માનવ દુ:ખોના નિવારણ માટે છે. મોટાભાગના દુ:ખોનું કારણ સામાજીક અન્યાય અને અસમાનતા છે. જે બંને માનવસર્જીત છે. મનુષ્ય તરીકે મારામાં અને બીજામાં લેશ માત્ર કોઇ તફાવત નથી. માનવ માત્ર સમાન છે તે એક ક્રાંતિકારી ઘોષણા છે.બૌધ્ધ ધર્મ એ છે જે ઇન્સાન ને ઇન્સાન સાથે જોડે છે. માનવ માનવ વચ્ચે જન્મ કે અન્ય સામાજીક કહેવાતા માપદંડોથી વિભાજન કે ભાગલા પાડતો નથી.બુધ્ધ એક ભારત અને વિશ્વના ભૌતીકવાદી, તર્કવાદી અને માનવકેન્દ્રીત વિચાારક હતા. તર્ક અને વિજ્ઞાનની કસોટી પર ૧૦૦ ટકા પાર ઉતરે તેવો આ ધર્મ છે.

–––––––––––––––––––––––––––––––––––xxxxxxxxxxxxxxx—--------------------------------------








  



--

આત્મા, પુનર્જન્મ અને મૃત્યુ પછીના જીવનના મુક્તિની વિભાવના પર બૌદ્ધ ધર્મના શું મંતવ્યો છે?

What are the concepts of Budhhism

AI Mode- Gemini.


image.png


What is the concept of Budhhism on the concept of soul, rebirth & salvation of life after death?

Buddhism holds a unique and often paradoxical view on these concepts, setting itself apart from many other religions by rejecting the idea of a permanent soul.

 

1. Concept of Soul (Anatta)

Buddhism denies the existence of a permanent, unchanging, or independent soul, a doctrine known as Anatta (or Anatman). Instead of a "self," Buddhism teaches that a person is a constantly changing collection of five "aggregates" (Skandhas): physical form, feelings, perceptions, mental formations, and consciousness. The sense of a solid "I" is considered an illusion that leads to attachment and suffering. 


2. Concept of Rebirth

Despite having no permanent soul, Buddhism affirms Rebirth. This is often distinguished from "reincarnation" (which implies a soul moving to a new body). 

  • The Mechanism: Rebirth is explained as a continuity of consciousness or a "mind-stream" (Citta-santana).

  • The Analogy: It is often compared to lighting one candle from another: the flame is not the "same" flame, yet it is causally linked to the first.

  • The Driver: This process is driven by Karma—the energy of intentional actions and habits that conditions the next moment of existence.

  • 3. Salvation (Nirvana)- In Buddhism, "salvation" is not a journey to a permanent heaven, but liberation from Samsara, the endless cycle of birth, death, and rebirth. 

  • Nirvana: This is the ultimate goal, described as the "blowing out" of the three fires: greed, hatred, and delusion.

  • The State: Nirvana is an unconditioned state beyond suffering and change. Once an individual achieves full enlightenment (Arahantship or Buddhahood) and their physical body dies, they are no longer reborn. 

Deepen your understanding of Buddhist philosophy through these authoritative resources. 

Core Doctrines

Scholarly Analysis

Practical Guides

Britannica's entry on Anatta provides a concise breakdown of the 'no-self' doctrine and its contrast with Hindu beliefs.

For a detailed look at the end goal of practice, explore Wikipedia's overview of Nirvana, which covers its etymology and various school interpretations.

Lion's Roar features insights from modern masters on how rebirth functions without a permanent traveler.


એઆઈ મોડ- મિથુન.


આત્મા, પુનર્જન્મ અને મૃત્યુ પછીના જીવનના મુક્તિની વિભાવના પર બૌદ્ધ ધર્મના શું મંતવ્યો છે?


બૌદ્ધ ધર્મ આ વિભાવનાઓ પર એક અનોખો અને ઘણીવાર વિરોધાભાસી દૃષ્ટિકોણ ધરાવે છે, જે કાયમી આત્માના વિચારને નકારીને પોતાને ઘણા અન્ય ધર્મોથી અલગ પાડે છે.


1. આત્મા (અનત્ત) ની વિભાવના

બૌદ્ધ ધર્મ કાયમી, અપરિવર્તનશીલ અથવા સ્વતંત્ર આત્માના અસ્તિત્વને નકારે છે, જેને અનત્ત (અથવા અનાત્મન) તરીકે ઓળખવામાં આવે છે. "સ્વ" ને બદલે, બૌદ્ધ ધર્મ શીખવે છે કે વ્યક્તિ પાંચ "સમગ્ર" (સ્કંધ) નો સતત બદલાતો સંગ્રહ છે: ભૌતિક સ્વરૂપ, લાગણીઓ, ધારણાઓ, માનસિક રચનાઓ અને ચેતના. એક નક્કર "હું" ની ભાવનાને એક ભ્રમ માનવામાં આવે છે જે આસક્તિ અને દુઃખ તરફ દોરી જાય છે.


2. પુનર્જન્મની વિભાવના

સ્થાયી આત્મા ન હોવા છતાં, બૌદ્ધ ધર્મ પુનર્જન્મની પુષ્ટિ કરે છે. આ ઘણીવાર "પુનર્જન્મ" (જે આત્માને નવા શરીરમાં ખસેડવાનો અર્થ સૂચવે છે) થી અલગ પડે છે.

મિકેનિઝમ: પુનર્જન્મને ચેતનાની સાતત્ય અથવા "મન-પ્રવાહ" (ચિત્ત-સંતન) તરીકે સમજાવવામાં આવે છે.

સામાન્યતા: તેની તુલના ઘણીવાર એક મીણબત્તી બીજી મીણબત્તીમાંથી પ્રગટાવવા સાથે કરવામાં આવે છે: જ્યોત "સમાન" જ્યોત નથી, છતાં તે કારણભૂત રીતે પ્રથમ સાથે જોડાયેલી છે.

ડ્રાઇવર: આ પ્રક્રિયા કર્મ દ્વારા ચલાવવામાં આવે છે - ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને ટેવોની ઊર્જા જે અસ્તિત્વના આગામી ક્ષણને નિર્ધારિત કરે છે.

3. મુક્તિ (નિર્વાણ)- બૌદ્ધ ધર્મમાં, "મુક્તિ" એ કાયમી સ્વર્ગની યાત્રા નથી, પરંતુ સંસાર, જન્મ, મૃત્યુ અને પુનર્જન્મના અનંત ચક્રમાંથી મુક્તિ છે.


નિર્વાણ: આ અંતિમ ધ્યેય છે, જેને ત્રણ અગ્નિના "ફૂંકી નાખવા" તરીકે વર્ણવવામાં આવ્યું છે: લોભ, દ્વેષ અને ભ્રમ.


અવસ્થા: નિર્વાણ એ દુઃખ અને પરિવર્તનથી આગળની એક બિનશરતી સ્થિતિ છે. એકવાર વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાન (અરહંતત્વ અથવા બુદ્ધત્વ) પ્રાપ્ત કરી લે છે અને તેનું ભૌતિક શરીર મૃત્યુ પામે છે, પછી તેનો પુનર્જન્મ થતો નથી.


આ અધિકૃત સંસાધનો દ્વારા બૌદ્ધ ફિલસૂફીની તમારી સમજને વધુ ઊંડી બનાવો.


મુખ્ય સિદ્ધાંતો

વિદ્વતાપૂર્ણ વિશ્લેષણ

વ્યવહારિક માર્ગદર્શિકાઓ

અનાટ્ટા પર બ્રિટાનિકાની એન્ટ્રી 'નો-સ્વ' સિદ્ધાંત અને હિન્દુ માન્યતાઓ સાથેના તેના વિરોધાભાસનું સંક્ષિપ્ત વિભાજન પૂરું પાડે છે.

વ્યવહારના અંતિમ ધ્યેય પર વિગતવાર નજર રાખવા માટે, વિકિપીડિયાના નિર્વાણના ઝાંખીનું અન્વેષણ કરો, જે તેની વ્યુત્પત્તિશાસ્ત્ર અને વિવિધ શાળા અર્થઘટનને આવરી લે છે.

લાયન્સ રોરમાં કાયમી પ્રવાસી વિના પુનર્જન્મ કેવી રીતે કાર્ય કરે છે તે અંગે આધુનિક માસ્ટર્સની આંતરદૃષ્ટિ દર્શાવવામાં આવી છે.

—-------------------------------------------------------------------------------------------------------------------------


--

Saturday, April 4, 2026

બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ.


બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૧.

               "તથાગત બુધ્ધ મોક્ષ દાતા નહી, મુક્તિ દાતા હતા"  ––– બાબાસાહેબ આંબેડકર.

બાબાસાહેબ બુધ્ધને કોઇ દૈવી પુરુષ, ઇશ્વરી અવતાર તરીકે કદાપી સ્વીકારતા ન હતા. પણ તેમના વિચારોને એક માનવીના શાણપણ (Wisdom derived from earthly observation & its logical deduction)ભર્યા વિચારો તરીકે માન આપતા હતા. બુધ્ધને  તે માનવજાતના મોક્ષ દાતા તરીકે નહી માર્ગદાતા તરીકે  સ્વીકારતા હતા. પૃથ્વી પર આપણે ઇન્સાન તરીકે જન્મયા છીએ માટે દુ;ખ એ આપણા જીવનનો ભાગ છે. દુન્યવી દુ:ખોથી ભાગવાનું નથી. પણ દુ:ખના કારણો શોધી અને તેના ઉપાયો શોધવાના છે. આ દુ:ખોથી ગભરાઇને દુન્યવી જીવનનો ત્યાગ કે તેમાંથી છટકી જવાનો માર્ગ બોધ્ધનો ધમ્મ નથી. બાબાસાહેબે બુધ્ધને પોતાના માર્ગદાતા તરીકે  સ્વીકારીને અને પોતાના શાણપણ અને તર્કને આધારે બુધ્ધના ધમ્મમાં વ્યક્તિગત અને સમાજના પ્રશ્નોનું નિરાકરણ શોધ્યું હતું.

  1. બુધ્ધના ગૃહત્યાગમાં સામાન્ય લોકવાયકાના ચાર પ્રસંગો, ઘરડો માણસ,એક બિમાર આદમી,સંન્યાસી અને શબ જે જોવાથી દુન્યવી દુ:ખો દુર કરવાનો માર્ગ શોધવા ગૃહત્યાગ કર્યો હતો. બાબાસાહેબનું આ મુદ્દે એક ક્રાંતીકારી અને તર્કબધ્ધ તારણ જુદુ છે. તેમનું તાર્કીક મન એ સ્વીકારવા તૈયાર નથી કે બુધ્ધના માટે પેલા જન્મ પછી રાજ જોષીએ જે ભવિષ્ય વાણી કરેલી કે આ રાજકુંવર તરીકે મહેલોની ઐયાશીથી પ્રભાવિત નહી થાય અને ગૃહત્યાગ કરીને મહાન રુષી બનશે. આ સરળ લોકવાયકા બાબાસાહેબને અસ્વીકાર્ય છે. 

  2. બાબાસાહેબની પ્રજ્ઞા ઉપરની હકીકતને તાર્કીક રીતે એટલા માટે સ્વીકારવા તૈયાર નથી.કારણકે  સિધ્ધાર્થ   જેવો મેઘાવી વ્યક્તિત્વ ધરાવનાર રાજકુંવર, જેને તે ઉંમરમાં તમામ પ્રકારની રાજ્ય સંચાલનની તાલિમ ન મળી હોય? ૨૯ વર્ષ સુધી દુનીયાના પેલા ચાર દુ:ખોની માહીતીથી અજાણ હોય! સહેલાઇથી મનમાં ઉતરી જાય તેવી દલીલ નથી. સિધ્ધાર્થના ગૃહત્યાગ પાછળ કોઇ વ્યક્તીગત કારણને બદલે કોઇ ગંભીર સામાજીક કે રાજકીય ઘટના ખરેખર જવાબદાર હોવી જોઇએ.

  3. શાક્ય ગણરાજ્ય(સિધ્ધાર્થનું ગણરાજ્ય) અને કોહીલી ગણરાજ્યની વચ્ચે રોહીણી નદીના પાણીની વહેંચણીનો વિવાદ ઘણા વર્ષોથી ચાલુ હતો. તે વર્ષ દુકાળ પડયો અને તે પાણીની વહેંચણી વિવાદ બે રાજ્યો વચ્ચે એટલો ગંભીર બની ગયો કે સામસામી યુધ્ધની નોબત આવી ગઇ! શાક્યોના સેનાપતિએ પોતાના ગણરાજ્યની સભામાં સદર યુધ્ધના પ્રસ્તાવની દરખાસ્ત મુકી.ગણરાજ્યના મોટાભાગની પ્રતિનિધિઓ યુધ્ધની તરફેણમાં હતા! શાક્ય રાજ્ય સિધ્ધાર્થનું ગણરાજ્ય હતું. તેમણે વિરોધ કર્યો કે કોઇપણ પ્રશ્નનો ઉકેલ યુધ્ધ તો ન હોવો જોઇએ! યુધ્ધમાં તો બંને પક્ષકારો વચ્ચે કાયમી નફરતનાં બી નાં વાવેતર થાય છે. નફરતથી નફરતનો અંત આવતો નથી. તેનો અંત તો પ્રેમથી આવે! અને અંતે બંને પક્ષોની ખુવારી જ થાય છે.સંઘ કે સભાના સભ્યો સિધ્ધાર્થની વાત માનવા તૈયાર ન હતા.બહુમતીને યુધ્ધ કરવું હતું.

  4. શાક્યની સભાએ સિધ્ધાર્થ સમક્ષ ત્રણ શરતો મુકી. એક યુધ્ધમાં ભરતી થઇ જાવ. બે યુધ્ધમાં ના જોડાવું હોય તો શાક્યગણ રાજ્યમાંથી કાયમી દેશ નિકાલ. ત્રણ તમારા પરિવારનો કાયમી સામાજીક બહિષ્કાર ઉપરાંત તમારી તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.સમગ્ર સભાથી વિરુધ્ધ જઇને સિધ્ધાર્થે શું નિર્ણય કર્યો? એક બાજુ પોતાનો સિધ્ધાંત અને બીજીબાજુ અમલ ન કરે તો સર્વનાશ! બાબાસાહેબના તારણ પ્રમાણે આ કોઇ એકાએક સ્વયંભુ પેદા થયેલ વૈરાગ્ય ન હતો.સિધ્ધાર્થ માટે આ એક સામાજીક અને નૈતીક સંઘર્ષ હતો.એકબાજુ સિધ્ધાંતનો અમલ કરવાની પ્રતિબધ્ધતા અને બીજીબાજુએ પોતાના કુુટુંબની સ્થિરતા, શાંતિ અને પ્રેમ વચ્ચે પસંદગી કરવાની હતી. સિધ્ધાર્થે યુધ્ધમાં જોડાવાને બદલે સામુહિક માનવતાના કલ્યાણનો માર્ગ પસંદ કર્યો! પરિવ્રાજક(સંન્યાસ) બનવાનો માર્ગ પસંદ કર્યો.

  5.  ડૉ. બાબાસાહેબના મત પ્રમાણે આ કોઇ એકાએક ચમત્કારીક રીતે કે પેલા ચાર દુન્યવી દુ:ખો જોઇને ભાવનાત્મક બનીને ગૃહત્યાગનો નિર્ણય ન હતો. તે સિધ્ધર્થના શાણપણ, નૈતિક અને સામાજીક સંઘર્ષનું પરિણામ હતું.યુધ્ધમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો! માનવતાના કલ્યાણ માટે રાજપાટ,કુટુંબ અને ગૃહત્યાગ કર્યો. બાબાસાહેબનું દર્શન તર્ક અને સામાજીક ન્યાય પર આધારીત છે.તેમના માટે બુધ્ધ એક ક્રાંતિના પ્રતિક હતા. બુધ્ધનો યુધ્ધનો વિરોધ એક વ્યક્તિગત નિર્ણયને બદલે રાજનૈતિક આખરીનામું (અલ્ટિમેટમ) હતું. તે સમાજના બુધ્ધ એક જનનાયક બની ગયા . જેને પ્રજાએ એક એવા જનનાયક કે જે પ્રજા સાચાકલ્યાણ માટે નિજી સર્વસ્વનો ત્યાગ કરે છે.જે માનવ કલ્યાણ અને શાંતિ વિરુધ્ધના બહુમતના નિર્ણય સામે ઝુકવાનો ઇન્કાર કરે છે. બુધ્ધના આ નિર્ણયને કારણે તેઓ સમગ્ર સંઘર્ષની સ્થિતિમાં મુકપ્રેક્ષકને બદલે સક્રીયરીતે અન્યાયપુર્ણ યુધ્ધની સામે પ્રતિકાર કરવા કટીબધ્ધ રીતે ઉભા રહે છે. સદર નિર્ણય બુધ્ધના ચારિત્ર્યને વધારે સક્રિય અને સંઘર્ષશીલ બનાવે છે. બસ ત્યાર પછી સિધ્ધાર્થમાંથી તથાગતબુધ્ધ બનવા માટેનું મહાભિનિષ્કરણ શરુ થાય છે. જેણે  એક ઉદ્દેશને સિધ્ધ કરવા માટેનો નીજી સંબંંધો અને રાજપાટથી ભરેલા જીવનનો ત્યાગ હતો. 

  6.  મહાભિનિષ્કરણ પહેલી નજરે એક લાંબી અંતવિહિન યાત્રાની શરુઆત હતી. સૌ પ્રથમ તે સમયના રુષિમુનીઓ, ધર્મગુરુઓ વિ.પાસેથી સત્યશાોધક તરીકે સંવાદ, ચર્ચા, કઠોર તપશ્ચર્યા, શરીર દમન વિ. માધ્યમો દ્વારા માનવીના વ્યક્તિગત અને સામુહિક પ્રશ્નોના ઉત્તરો શોધવા પ્રયત્નો કર્યા જે સફળ ન થયા. " શરીરને કષ્ટ આપીને મનના પ્રશ્નો ઉકેલી ન શકાય" તેવા દ્રઢ તારણ પણ તે આવી ગયા. સત્યશોધક તરીકે ખુબજ સહજતાથી તે સમજી ગયા કે  શરીર દમન એ વ્યક્તિ કે સામુહિક મુક્તિનો માર્ગ બની શકે નહી. " આત્યંતિક ભોગવિલાસ કે આત્યંતિક સ્વદમન કે પરદમનનો માર્ગ માનવીય સમસ્યાના ઉકેલનો માર્ગ ન બની શકે." બંનેની વચ્ચેનો મધ્યમ માર્ગ જ શ્રૈષ્ઠ માર્ગ છે.

  7. અંતિમ પડાવ ગયા મુકામે પિપળાના વૃક્ષ નીચે જે પરમ જ્ઞાન પ્રાપ્ત થયાની માન્યતા છે તેનો અર્થ એટલો જ છે કે તે દિવસથી દિવ્ય જ્ઞાન, પરમ જ્ઞાન, ચમત્કાર કે ઇશ્વરી કૃપાની શોધના માર્ગો ભુલીને " આત્મ દિપો ભવ" નો માર્ગ જ  શ્રૈષ્ઠ માર્ગ છે તેને આધારે બાકીનું જીવન જીવવાનું નક્કી કર્યો. તે નિર્ણયે જ ગૌતમ કે સિધ્ધાર્થને "તથાગત બુધ્ધ" બનાવી દીધા. ૨૯ વર્ષની ઉંમરે તથાગત બુધ્ધ બનતાં શાણપણ લાધ્યું કે " મારે જ મારા ભાગ્યના વિધાતા બનવાનું છે." કોઇ મને મોક્ષ માર્ગ શોધી આપશે જ નહી. માટે મારે મારા મોક્ષ દાતાને બદલે મારા પોતાના જ મુક્તિ દાતા બનવાનું છે.

         —--------------------------------------------------------xxxxxxxxxxxxxxxxxxx—-------------------------------------


 બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૨

  1.   હવે તથાગત બુધ્ધે શોધી કાઢયું હતું કે જેને શોધવામાં રાજગાદી,  પત્નિ યશોધરા, પુત્ર રાહુલ વિ. નો ત્યાગ કર્યો હતો! માનવ માત્રના દુ:ખનું કારણ શું છે? અને તેનો ઉપાય પણ શું છે? તેમણે શોધી કાઢયું કે માનવ માત્રના દુ:ખનું કારણ "તૃષ્ણા" ( Insatiable human wants) છે. તેના સંતોષ માટેની અજ્ઞાનતા કે અવિધ્યા– આધારિત સાધનોનો બેરોકટોક ઉપયોગ છે. માનવ જીવનમાં વ્યક્તિગત અને સામાજીક દુ:ખોના કારણો પાંચ ઇન્દ્રીયોની મદદ લઇને, નિરિક્ષણો કરીને  પ્રજ્ઞા, વિવેક–સમજનો ઉપયોગ કરીને તર્કને આધારે શોધી શકાય છે. માનવીય સમસ્યાઓના ઉપાયો માટે કોઇ આકાશી દેવોને રિઝવવાની જરુર  બિલકુલ નથી. ઇન્દ્રીયજન્ય અનુભવનું સત્ય શોધવા માટે વિવેક–સમજ–પ્રજ્ઞાનો ઉપયોગ કરવાની જરુર છે. શું  માનવ સમાજની સામુહિક સમસ્યાઓના ઉપાય  પણ નીજી સમસ્યાઓના ઉકેલની માફક ચોક્ક્સ થઇ શકે? માટે તો પેલા પોતાના ગણ રાજ્ય શાક્યના કોહલી ગણ રાજ્યની સાથેના પાણીની વહેંચણીના પ્રશ્ને શાંતિ,ધૈર્ય, વિવેક અને જ્ઞાન કે પ્રજ્ઞા આધારીત ઉકેલી શકાય તેવી પોતાના જ્ઞાન આધારિત તારણની તરફેણમાં રાજ્ય, ગૃહત્યાગ વિ.સહજતાથી કરીને તે સત્યને આધારે સર્વસ્વ ન્યોચ્છાવર કરી દઇને આખરે તથાગત બુધ્ધ બન્યા.

  2. બુધ્ધને માટે, જે છ વર્ષો સુધી મહાભિનિષ્ક્રમણ કરીને જે માનવ દુ:ખોના  વ્યક્તિગત અને સામુહિક  કારણો અને ઉપાયો શોધી કાઢયા તેને કેવી રીતે વ્યક્તિગત અને સમાજ પરિવર્તનની ચળવળ કે ક્રાંતિમાં રુપાંતર થઇ શકે તે એક ખુબ જ ગંભીર પ્રશ્ન હતો. કારણકે તેઓને પોતાના પહેલાંના છેલ્લા એક હજાર વર્ષોથી જે વેદો–ઉપનિષદો વિ. આધારીત  બ્રાહ્મણવાદી– સનાતની ધાર્મીક વિચારસરણીએ જે સમાજમાં સામુહિક અને વ્યક્તિગત સ્થગિતતા, બંધિયારપણું અને પરોપજીવી કર્મકાંડી પ્રણાલીઓ પેદા કરી હતી તેનો માનવીય પ્રજ્ઞાનો ઉપયોગ કરીને વિકલ્પ –અવેજ પુરો પાડવો હતો.બુધ્ધને મન વેદિક ધર્મ  માનવીને ઇશ્વરનો ઉપયોગ એક ક્ષણિક પીડાશામક તરીકે અથવા થોડા સમય માટેના 'પેઇન કીલર' તરીકે ઉપયોગ કરવાનું શીખવાડતો હતો. તેઓના મનમાં આ મુદ્દે પણ ખુબજ મહામંથન ચાલતું હતું. માનવ દુ:ખો (કર્મો) તમામ ભૌતીકવાદી છે. દુન્યવી છે. તેના સર્જન માટે માનવ અજ્ઞાન,અંધશ્રધ્ધા અને ઇન્દ્રીયજન્ય અનુભવોના ખોટા તારણ જવાબદાર છે.માટે બુધ્ધ એ જમાનામાં કદાચ વિશ્વના પ્રથમ ભોતીકવાદી દાર્શનીક– ધર્મનિપેક્ષ માનવવાદી( Secular Humanist) હતા જેણે માનવ સમસ્યાઓના ઉકેલ માટે તમામ ઇશ્વરી દાવાઓને ફગાવી દઇને માનવ પ્રજ્ઞાને સત્ય શોધવાના માર્ગ તરીકે ધમ્મ બનાવ્યો.

  3. બાબાસાહેબને મન તથાગત બૌધ્ધ કોઇ ઇશ્વરી પેગંબર,મોક્ષ દાતા,કે કોઇ દિવ્ય ચમત્કારી પુરુષ ન હતા. પણ એક સામાજીક વૈજ્ઞાનીક કે ભૌતીકવાદી દાર્શનિક હતા. બુધ્ધે પોતે ઇશ્વરી સંદેશાવાહક તરીકેનો કોઇ દાવો કર્યો જ નહતો. બાબાસાહેબને મન બુધ્ધ એક આપણા સૌના જેવાજ હાડ–માંસ–અને ચામડીથી બનેલા સિર્ફ એક પ્રબુધ્ધ ઇન્સાન હતા. જેણે પોતાની પ્રજ્ઞા–સમજ–શાણપણ નો ઉપયોગ કરીને માનવ દુ:ખોના કારણો શોધી કાઢીને માનવીય સહકારથી તેના ઉપાયો શોધી કાઢયા હતા.ખરેખર બુધ્ધે છ વર્ષના મહાભિનિષ્ક્રમણમાં કોઇ રાતોરાત, એકાએક આંખ મીચી, પલાઠીવાળી ધ્યાન કરવા બેઠા અને પછી ચમત્કાર થઇ ગયો, દિવ્યપ્રકાશ દેખાયો કે ઇશ્વરી સત્ય લાધ્યુ તેવો કોઇ દાવો કર્યો જ નથી. હા! આવી વેદીક ધર્મે સદીઓથી પેદા કરેલ આવી અંધશ્રધ્ધાને પડકારી. સાથે સાથે માનવ દુ:ખોના પેદા થવાના કારણો શોધી કાઢયા અને માનવ પ્રજ્ઞા, તર્ક અને સમજનો ઉપયોગ કરીને કુદરતી નિયમબધ્ધતાના સંચાલન કરતા જ્ઞાન આધારીત નિયમો શોધી કાઢીને એક નવાજ ધમ્મનું સર્જન કર્યું.બુધ્ધ બનવાની એક લાંબી સતત વિકસતી જતી બૌધ્ધીક પ્રક્રીયા છે. સતત આત્મ ચિંતન,અનુભવ અને સુધારનું પરિણામ છે; પણ તે એક માનવીય પ્રક્રીયા છે. તેમાં કોઇ ઇશ્વરી મદદ કે ચમત્કારનું સ્થાન બિલકુલ નથી.

  4. હવે બુધ્ધને માટે એક ખુબજ વિશાળ સમસ્યા પેદા થઇ ગઇ! એક હજાર કરતાં વધુ સમયથી બંધિયાર બનેલા, યજ્ઞો, બલી, દાન, સુરા અને સુંદરીમાં એકબાજુ ભોગવિલાસ ભોગવતા સ્થાપિત હિતોના સંરક્ષક અને સાથે સાથે  કર્મકાંડી નસીબવાદી બનેલા વેદીક સમાજમાં "તું તારા દિલનો દિવો બન! આત્મ દિપો ભવ:" તે તત્વજ્ઞાન આધારીત "બુધ્ધમ શરણંમ ગચ્છામિ, ધમ્મ શરણંમ ગચ્છામિઅને સંઘમ શરણંમ ગચ્છામી."ના માનવીય સત્યોનું સર્જન તે બધામાં કેવી રીતે કરવું? બ્રાહ્મણ ધર્મના "મોક્ષ"ના ખ્યાલ સામે બુધ્ધે " કરુણા" આધારીત ધમ્મનું સર્જન કરવાનો  વિકલ્પ પેદા કર્યો.

  5. બુધ્ધના ધમ્મમાં પેલા વેદીક ધર્મે પેદા કરેલ સામાજીક વિકૃતીઓ જેવી કે એક બાજુ આમ પ્રજાનું ધાર્મીક શોષણ કરીને એકત્ર કરેલ સાધન સંપત્તીમાં ભોગ વિલાસમાં ઉપયોગ કરવો અને બીજુ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે વર્તમાન વ્યવસ્થામાં પોતાના શરીરનું દમન કરવું. બંને માર્ગ યોગ્ય નથી. જીવનમાં દુ:ખના ઉપાયો માટે સદર બંને આત્યંતિક માર્ગો ન ચાલે! યોગ્યતો મધ્યમ માર્ગ જ શ્રૈષ્ઠ માર્ગ છે. હું ઉપરના બંને માર્ગો માંથી પસાર થયો છું. અને ત્યારબાદ મેં મધ્યમ માર્ગ પસંદ કર્યો છે.

  6. મધ્યમ માર્ગના ત્રણ ભાગો છે. એક અષ્ટાંગિક માર્ગ– બેે શીલ માર્ગ અને ત્રણ પ્રજ્ઞાનો માર્ગ.બુધ્ધના ધમ્મમાં અંધશ્રધ્ધાને કોઇ સ્થાન નથી. વૈજ્ઞાનિક અનુભવને સ્થાન છે.ઇન્દ્રીયજન્ય આત્મ અનુભવ, તેના આધારિત ચિંતન પછી તર્કનો ઉપયોગ કરીને સત્ય શોધવું અને તેનો માપદંડ "કરુણા". માનવીમાં તે પ્રમાણે ક્ષમતા પેદા કરીને પોતાનામાં પરિવર્તન લાવવું અને પછી તેવા અન્ય સાથીઓને પેદા કરીને સમાજમાં પરિવર્તન લાવવું. બુધ્ધના ધમ્મનું સત્ય નિરિક્ષણ, તર્ક અને માનવ અનુભવ પર આધારીત છે.તેમાં કોઇ પારલૌકીકતાનો અંશ લેશ માત્ર નથી.બુધ્ધનો ધમ્મ કોઇ વ્યક્તિગત મોક્ષનો માર્ગ નથી. પણ આ જીવનમાં સારુ જીવન કઇ રીતે જીવાય તેના માટેનો ક્રાંતિકારી માર્ગ છે.તે ધર્મપુસ્તકને બદલે  દુન્યવી દુ:ખોનો  તર્ક આધારિત માર્ગ શોધી કાઢીને  જીવન કેવી રીતે તે પણ સંપન્નતાથી જીવાય તેનો માનવીય ઢંઢેરો હતો.

  7. પરંપારિક ધર્મ અને બુધ્ધના ધમ્મ વચ્ચે મુળભુત તફાવત કયા કયા છે? શું ધર્મનો અર્થ  દુન્યવી વાસ્તવિકતાઓને સમજી અને તેના ઉકેલ માટે મથવું કે પછી કે  તે દુનિયાની બધી વાસ્તવિકતાઓથી ભાગવું? બુધ્ધે ક્યારેય દૈવી વાણી પ્રાપ્ત થઇ કે તપ–જપ–ત્યાગના સમયે કોઇ ઇશ્વરી સંદેશો મલ્યો અને બુધ્ધ તેના વાહક, શોધક હતા તેવો દાવો ક્યારેય કર્યો ન હતો. તે મોક્ષ દાતા નહી પણ માર્ગદાતા હતા તે તેમના ધમ્મનો મુળભુત પાયો હતો! માનવીએ આ પૃથ્વીપર સારુ,સુખ–શાંતિમય જીવન જીવવા માટે કોઇ પુજારી, ગુરુ કે ચમત્કારી નો હાથ તારણહાર તરીકે પકડવાની જરુર નથી.આત્મ દિપોભવ: માનવ મુક્તિ કે નિર્માણનો આધાર માનવીના સ્વપ્રયત્નો પર છે. કોઇ બાહ્ય માનવીયત્તર પરિબળ પર બિલકુલ નહી. માટે જ બોધ્ધ ધમ્મ એક ભૌતીકવાદી, નિરઇશ્વરવાદી  દુન્યવી ધમ્મ હતો.તે કોઇ આસમાનથી ઉતરી આવેલો ધર્મ નહતો.એક ઇન્સાન દ્વારા ઇન્સાનો માટે શોધી કાઢેલો તર્ક સંગત માર્ગ હતો.તે એક માનવકેન્દ્રીત માનવધમ્મ હતો.

–––––––––––––––––––––––––xxxxxxxxxxxxxxxxxxxxxxxxxx—-----------------------------------


  હવે પછી –બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૩.




Thursday, March 12, 2026


  • અમેરિકામાં ચર્ચ કેમ બંધ થઈ રહ્યા છે? યુ.એસ.માં ૧૦૦,૦૦૦ ચર્ચો બંધ થઈ શકે છે તે કેટલું સાચું છે?


  • યુ.એસ.માં ૧૦૦,૦૦૦ ચર્ચો બંધ થઈ શકે છે તે દાવો વ્યાપકપણે અહેવાલિત અંદાજ છે, જોકે તે તાત્કાલિક સામૂહિક બંધ નહીં પણ લાંબા ગાળાની આગાહી દર્શાવે છે.

  • દાવાનો સ્ત્રોત અને સંદર્ભ–

  • મૂળ: આ આંકડો નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ (NCC) દ્વારા કરાયેલા અંદાજમાંથી ઉદ્ભવ્યો છે, જે અંદાજે છે કે આશરે ૧૦૦,૦૦૦ ચર્ચોના સંચાલન કરતી સંસ્થાઓ( congregations) - જે યુ.એસ.ના તમામ ચર્ચોના લગભગ એક ચતુર્થાંશ છે - "આવતા વર્ષો" માં બંધ થઈ શકે છે.

  • સમયમર્યાદા: જ્યારે કેટલાક અહેવાલો આ સંખ્યાને નજીકના ભવિષ્ય સાથે જોડે છે, અન્ય વિશ્લેષણ સૂચવે છે કે તે એક લાંબા ગાળાનો વલણ છે જે ૨૦૫૦ સુધી ચાલી શકે છે.

  • સ્કેલ: યુ.એસ.માં અંદાજિત ૩૮૦,૦૦૦ થી ૪૨૦,૦૦૦ ચર્ચ છે. ૧૦૦,૦૦૦નું નુકસાન અમેરિકન ધાર્મિક લેન્ડસ્કેપમાં મોટો ફેરફાર કરશે.

  • વર્તમાન વલણો અને ડેટા-

  • જ્યારે 100,000 નો આંકડો એક અંદાજ છે, વાસ્તવિક વર્ષ-દર-વર્ષનો ડેટા સ્થિર પરંતુ ઓછો "વિસ્ફોટક" ઘટાડો દર્શાવે છે:

  • 2025 અંદાજ: લાઇફવેના ભૂતપૂર્વ નેતાઓ સહિત કેટલાક નિષ્ણાતો, રોગચાળા અને વૃદ્ધ   ચર્ચોના સંચાલન કરતી સંસ્થાઓ( congregations)ની લાંબા ગાળાની અસરોને કારણે ફક્ત 2025 માં 15,000 ચર્ચો સુધીના બંધ થવાની આગાહી કરે છે.

  • જોખમમાં નાના મંડળો: નાના ચર્ચ સૌથી વધુ સંવેદનશીલ છે; 10 માંથી 7 યુ.એસ. ચર્ચમાં 100 કે તેથી ઓછા હાજરી હોય છે, અને 50 થી ઓછા લોકો એવા હોય છે જેમને લાગે છે કે તેઓ એક દાયકા કરતાં વધુ સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકશે નહી.

  • આ અંદાજોને ઘણા પરિબળો પ્રેરિત કરી રહ્યા છે:

  • ઘટતી હાજરી: છેલ્લા 25 વર્ષોમાં આશરે 40 મિલિયન( ચાર કરોડ) અમેરિકનોએ  ચર્ચમાં હાજરી આપવાનું બંધ કરી દીધું છે.

  • નાણાકીય તંગી: ઘણી જૂની ઇમારતો સંકોચાઈ રહી છે, વૃદ્ધ કે જર્જરીત બનેલા ચર્ચોની માટે જાળવણી કરવી ખૂબ ખર્ચાળ બની રહી છે.

  • પાદરીઓની અછત: સરેરાશ 1,400 પાદરીઓ બર્નઆઉટ અથવા નિવૃત્તિને કારણે દર મહિને સેવા છોડી દે છે, જેના કારણે ઘણા ચર્ચોના સંચાલન માટે પાદરીઓની અછતને કારણે ચર્ચો બંધ કરવાની નોબત ઉભી થઇ છે.

  • આ વિશ્લેષણ યુ.એસ.માં 100,000 ચર્ચ બંધ થવાના વ્યાપક અહેવાલ અને તેમાં ફાળો આપનારા કારણોની તપાસ કરે છે:

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––




--

Friday, March 6, 2026

વિશ્વના જુદા જુદા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ– અંગે અમેરીકાએ પ્રકાશિત કરેલ વાર્ષીક રીપોર્ટ.

વિશ્વના જુદા જુદા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ– અંગે અમેરીકાએ પ્રકાશિત કરેલ વાર્ષીક રીપોર્ટ.––

" ભારત સરકાર માટે ખતરેકી ઘંટી"

રીપોર્ટ ગઇકાલે ૪ થી માર્ચના રોજ પાટનગર વોશીંગટન ડીસી માંથી બહાર પાડવામાં આવ્યો છે.

સને ૨૦૨૫ના પુરા થયેલા વર્ષનો " Annual Report of the USA Commision on International Religious Freedom" વિશ્વના જુદા જુદા દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ઉપર બહાર પાડયો છે. તેમાં અફઘાનીસ્તાનથી શરુ કરીને ઇરાન, ઇરાક, કતાર,બર્મા, ચીન, ઉત્તર કોરીયા પાકિસ્તાન અને ભારત સહિત ૭૮ દેશોની યાદી છે. આશરે ૧૦૦ પાના ઉપરનો રીપોર્ટ છે. રીપોર્ટમાં પ્રથમ જે તે દેશની ખાસ કરીને ધાર્મિક લઘુમતીઓની સામાન્ય સ્થિતિ ઉપર અધિકૃત માહિતિ છે અને તેને આધારે અમેરીકન સરકારે જે તે દેશને કઇ શ્રેણીમાં મૂકવો તેના ગંભીર સુચનો લેખિત કરેલાં છે. ભારત અંગેનો રીપોર્ટ પાન નં ૨૮–૨૯ પર પ્રકાશિત કરવામાં આવેલ છે. જેને ટુંકમાં અત્રે રજુ કરેલ છે.

2025 માં, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સતત બગડતી રહી - કારણ કે સરકારે ધાર્મિક લઘુમતી સમુદાયો અને તેમના પ્રાર્થનાસ્થળોને લક્ષ્ય બનાવતા નવા કાયદા રજૂ કર્યા અને લાગુ કર્યા.

ઘણા રાજ્યોએ ધર્માંતરણ વિરોધી કાયદાઓ રજૂ કરવા અથવા મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા જેથી કડક જેલની સજાનો સમાવેશ થાય. ભારતીય સત્તાવાળાઓએ નાગરિકો અને ધાર્મિક શરણાર્થીઓની વ્યાપક અટકાયત અને ગેરકાયદેસર હકાલપટ્ટી પણ કરી અને ધાર્મિક લઘુમતી સમુદાયો સામે જાગ્રત હુમલાઓને સહન કર્યા.

આખું વર્ષ, ઘણા રાજ્યોમાં હિન્દુ રાષ્ટ્રવાદી ટોળાએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે ત્રાસ ગુજાર્યો, ઉશ્કેર્યા અને હિંસા ભડકાવી. માર્ચમાં, મહારાષ્ટ્રમાં હિંસા ફાટી નીકળી - એક કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી જૂથ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ 17મી સદીના મુઘલ શાસક ઔરંગઝેબની કબરને દૂર કરવાની હાકલ કર્યા પછી. ત્યારબાદ થયેલા રમખાણોમાં ડઝનેક લોકો ઘાયલ થયા અને કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો, જે ભારતીય જનતા પાર્ટી (BJP) ના અધિકારીઓ દ્વારા VHP ના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોમાં કુરાનનું અપમાન કરવામાં આવ્યું હોવાની અફવાઓને કારણે થયું. જૂન મહિનામાં, ઓડિશામાં એક હિન્દુ રાષ્ટ્રવાદી ટોળાએ 20 ખ્રિસ્તી પરિવારો પર હુમલો કર્યો, જેમણે હિન્દુ ધર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ હુમલાઓમાં પોલીસ હસ્તક્ષેપ કરવામાં આવ્યો ન હતો, જેમાં આઠ લોકો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

એપ્રિલમાં, મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીરના પ્રદેશમાં ત્રણ બંદૂકધારીઓએ મુખ્યત્વે હિન્દુ પ્રવાસીઓના જૂથ પર હુમલો કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા. ગુનેગારોએ પીડિતોને કલમા, એક ઇસ્લામિક શ્લોક, વાંચવા કહ્યું અને જેઓ તેમ કરવામાં અસમર્થ હતા તેમની હત્યા કરી.આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ દિવસનો સંઘર્ષ શરૂ થયો. ભારતમાં મુસ્લિમ વિરોધી ભાવના વધુ તીવ્ર બની, જેમાં લક્ષિત હુમલાઓનો પણ સમાવેશ થાય છે.

  હુમલા બાદ કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં કથિત નફરતના ગુનાઓમાં મુસ્લિમો માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશમાં, એક હિન્દુ રાષ્ટ્રવાદી જૂથના સ્વયં-કહેવાતા સભ્યોએ એક મુસ્લિમ રેસ્ટોરન્ટ કાર્યકરને ગોળી મારીને હત્યા કરી હતી, અને કાશ્મીર હુમલામાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

મે મહિનામાં, ભારતીય અધિકારીઓએ 15 ખ્રિસ્તીઓ સહિત 40 રોહિંગ્યા શરણાર્થીઓની અટકાયત કરી હતી, જે બધાને બર્માના દરિયાકાંઠાની નજીકના આંતરરાષ્ટ્રીય પાણીમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને ફક્ત લાઇફ જેકેટ સાથે બર્મીઝ કિનારે તરવાની ફરજ પાડવામાં આવી હતી.

જુલાઈમાં, ભારતીય અધિકારીઓએ ભારતીય નાગરિક હોવા છતાં સેંકડો બંગાળી ભાષી મુસ્લિમોને આસામથી બાંગ્લાદેશ હાંકી કાઢ્યા હતા. શાસક ભાજપના અધિકારીઓએ હાંકી કાઢવામાં આવેલા લોકો પર બાંગ્લાદેશથી મુસ્લિમ "ઘુસણખોરો" હોવાનો આરોપ લગાવ્યો હતો, જે ભારતની રાષ્ટ્રીય ઓળખ માટે ખતરો છે. કથિત "ગેરકાયદેસર સ્થળાંતર" માં કડક કાર્યવાહીને વધુ સરળ બનાવવા માટે, સરકારે સપ્ટેમ્બરમાં વિદેશી કાયદા માટે નિયમો અને આદેશોનો એક નવો સેટ પસાર કર્યો હતો.

સદર આદેશ વિદેશી ટ્રિબ્યુનલ્સની ધરપકડ વોરંટ જારી કરવાની અને "વિદેશી" હોવાના શંકાસ્પદ લોકોને યોગ્ય પ્રક્રિયા વિના અટકાયતી સેન્ટરો( ડિટેન્સન હોમ્સ) માં મોકલવાની સત્તાને વિસ્તૃત કરે છે.

સમગ્ર વર્ષ દરમિયાન, સરકારે ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું જેથી તેમને રાજ્યના નિયંત્રણ હેઠળ લાવી શકાય. મે મહિનામાં, ભારતની સંસદે વકફ બિલ પસાર કર્યું, જે પરંપરાગત રીતે મુસ્લિમો દ્વારા સંચાલિત વકફ જમીન દાનનું સંચાલન કરતા બોર્ડમાં બિન-મુસ્લિમોનો ઉમેરો કરે છે. આ દાનમાં ધાર્મિક સ્થળો, જેમ કે મસ્જિદો, મદરેસાઓ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. બિલના પ્રતિભાવમાં, પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઘાતક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા, જેમાં ત્રણ લોકોના મોત થયા. સપ્ટેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે બિલની મુખ્ય જોગવાઈઓને સ્થગિત કરી દીધી, જેમાં એક જોગવાઈનો સમાવેશ થાય છે જેમાં સરકાર વિવાદિત મિલકત વકફ છે કે નહીં તે નક્કી કરી શકે છે. કોર્ટે ફેડરલ બોર્ડના બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા વધુમાં ચાર સુધી મર્યાદિત કરી. તે જ મહિને, ઉત્તરાખંડની વિધાનસભાએ સ્ટેટ ઓથોરિટી ફોર માઇનોરિટી એજ્યુકેશન (USAME) એક્ટ પસાર કર્યો, જે મદરેસા બોર્ડને વિખેરી નાખે છે અને શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ માટે મદરેસા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય નિયંત્રણ હેઠળ લાવે છે.

યુ.એસ. સરકારને અમારી ભલામણો

■ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ (IRFA) દ્વારા વ્યાખ્યાયિત વ્યવસ્થિત, ચાલુ અને ગંભીર ધાર્મિક સ્વતંત્રતા ઉલ્લંઘનોમાં સામેલ થવા અને તેને સહન કરવા બદલ ભારતને "ખાસ ચિંંતાનો દેશ" અથવા Country of Particular concern તરીકે જાહેર કરો.

■ USCIRF અને યુ.એસ. રાજ્ય વિભાગ જેવી યુએસ સરકારી સંસ્થાઓને ભારત દેશમાં  ધાર્મિક સ્વતંત્રતા સ્થિતિઓનું સ્થળ પર જઇને મૂલ્યાંકન કરવાની મંજૂરી આપવા માટે ભારત પર દબાણ કરો;

■ અમેરીકએ ભારત સરકારની જાસુસી સંસ્થા રીસર્ચ એન્ડ એનાલીસિસ વીંગ (રો) અને રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘ (આરએસએસ) બંને સંસ્થાઓની અમેરીકામાંની સંપત્તીઓને સ્થગિત કરી દો. તેમના પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રતિનીધિઓના યુએસ પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દો.( Impose targeted sanctions on individuals and entities, such as India's Research (RAW) and Analysis Wing and the Rashtriya Swayamsevak Sangh (RSS), for their responsibility and tolerance of severe violations of religious freedom by freezing those individuals' or entities' assets and/or barring their entry into the United States.

■ ભવિષ્યની યુ.એસ. સુરક્ષા સહાય અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર નીતિઓને ધાર્મિક સ્વતંત્રતામાં સુધારા સાથે જોડો; અને  યુ.એસ. નાગરિકો અને ધાર્મિક લઘુમતીઓ સામે સતત ધાકધમકી અને ઉત્પીડનના કૃત્યોના આધારે ભારતને શસ્ત્રોનું વેચાણ અટકાવવા માટે શસ્ત્ર નિકાસ નિયંત્રણ કાયદાની કલમ 6 લાગુ કરો.

  યુ.એસ. કોંગ્રેસે(સંસદ) યુનાઇટેડ સ્ટેટ્સમાં ધાર્મિક લઘુમતીઓને લક્ષ્ય બનાવતી ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય દમનના કૃત્યોના વાર્ષિક અહેવાલની આવશ્યકતા માટે 2024 ના આંતરરાષ્ટ્રીય દમન રિપોર્ટિંગ એક્ટને ફરીથી રજૂ કરવો અને પસાર કરવો જોઈએ.

સૌ–USCIRF-2026-AR-3326-NEW.  ટુકમાં ભાવાનુવાદ. પ્રકાશિત તા. ૪–૦૩–૨૬.



--

Wednesday, February 25, 2026

અદ્વૈત વેદાંત–

અદ્વૈત વેદાંત–

પરમ સત્ય જાણવાનો ખ્યાલ જ  ખોટો છે. માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી તે જાણવું  શક્ય નથી. માનવી તરીકે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું, તે તમામ પ્રશ્નો વાહિયાત છે.માનવ શરીરમાં એવું શું છે જે પરિવર્તનશીલ નથી? શરીરની અંદર છતાં દેખાય નહી, અનુભવાય નહી તેવી ચેતના, જાગરુકતા (સ્વપ્ન) નો દાખલો! હું કોણ છું તેપુછવું તે એક ધ્યાનનો પ્રકાર છે. બહારની દુન્યવી ઓળખને બદલે મનની અંદરની ઓળખની શોધ! માનવી તરિકે હું અને તમે તમારી શરીરી ઓળખથી મુક્ત કેવી રીતે બની શકો? શું શરીરી ઓળખ શું ભ્રમ છે? માયા છે? વાસ્તવિકતાને માયા ગણવી અને માયાને વાસ્તવિકતા ગણવી એટલે આદિ શંકરાચાર્યનું અદ્વેત વેદાંત દર્શન !

બ્રહ્મ શું છે તેની ખરાખરી?

પરમ સત્ય, અસિમ ચેતના,શાશ્વત આનંદ કે પરમ આનંદ! બ્રહ્માંડનું અંતિમ સત્ય! બ્રહ્માંડની દરેક વસ્તુનો સર્જક– ( બધાજ બોગસ શબ્દો!) માનવીય ઇન્દ્ર્ીયજન્ય અનુભવથી તપાસી ન શકાય તેવી વિભાવનાઓ ! માનવ શરીર અસત્ય્ પણ તે શાશ્વત ચેતના છે જે શરીર અને મનની પેલે પાર પણ શરીરની અંદર અસ્તિત્વ ધરાવે છે.!

 શાશ્વત ચેતના શું છે? તેનું સ્વરુપ શું છે? આ બ્રહ્માંડ સાથે તેને શું સંબંધ છે? બ્રહ્મ કોઇ દેવતા નથી.( અશરીરી નથી. તે કોઇ ઇશ્વર જેવી વ્યક્તિ નથી જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે.બ્રહ્મ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વિશાળતા છે.બ્રહ્મ સત્ય છે. સોનુ અને તેના દાગીના( મુળ સ્વરુપ તો સોનું જ છે.)તમામ બ્રહ્માંડની વસ્તુઓ ભલે જુદી જુદી છે પણ તેમાં રહેલ તત્વ બ્રહ્મ તત્વ એક જ છે. તે જ પરમ તત્વ છે. બ્રહ્માંડની તમામ માનવીથી શરુ કરીને આકાશગંગા સુધીની ભૌતીક વસ્તુઓ બ્રહ્મનો જ એક અંશ છે. સર્વમ ખલ વિદમ બ્રહ્મમ.(ઇલેકટ્ટ્રીક કરંટ નો દાખલો– વિજળીનો બલ્બ, પંખો, હિટર. વિ.) બ્રહ્માંડમાં જે કાંઇ છે તે બ્ર્હ્મ જ છે.

બ્રહ્મ એટલે સત ચિદાનંન્દ. ' બ્રહ્મ જ સત્ય જગત મિથ્યા" બ્રહ્મ નો ન તો જન્મ, ન મૃત્યુ,પાંચ ઇન્દ્રીયોથી બ્રહ્મને ઓળખાય નહી. તે ઇન્દ્ર્ીયાતીત છે…બ્રહ્મનો આદિ ન અંત. ભૌતીક પદાર્થ વિહીન ચેતના.( વૈજ્ઞાનીક ભૌતીકવાદ નો પાયો બ્રહ્માંડનો દરેક પદાર્થ જ ભૌતીક છે. ચેતનાનું કોઇ અસ્તિત્વ ભૌતિક પદાર્થમાં હોઇ શકે જ નહી.બ્રહ્મ એટલે શાશ્વત અસતિત્વ, શુધ્ધ પરમઆનંદ,સમગ્ર બ્રહ્માંડ બ્રહ્ન સર્જીત છે. માનવી તે બ્રહ્મમાંડનો જ એક ભાગ છે. તેથી માનવી પણ તે બ્રહ્મનું જ સર્જન છે.માટે તે પણ ફક્ત ભૌતીક પદાર્થ નથી પણ શુધ્ધ ચેતના છે.કારણકે તેનું સર્જન પણ બ્રહ્મ દ્વારા થયેલું છે.પરમાનંદ એટલે અશરીરી આનંદ? એટલે શું?

 "બ્રહ્મનું અસ્તીત્વ એટલે શાશ્વત અસ્તિત્વ,શુધ્ધ ચેતના,અને અસીમ આનંદ." માનવી બ્રહ્મનું સર્જન હોવાથી તે પોતે પણ " પરમ સત્તા છે. પુર્ણ છે, મુક્ત છે." એટલે મોક્ષ, અથવા આત્મસાક્ષાત્કાર–૧૦–૫૫ મિનિટસ.

    વીશ્વના તમામ માનવો ફક્ત અને ફક્ત બ્રહ્મ સર્જીત છે. માટે એક છે. તો પછી માનવીય એકતાનું સર્જન કેમ થતું નથી?માનવીય આત્મા અને માનવીનો બ્રહ્મ તરીકેનો અંશ બે એક કે જુદા?

આત્માનું રહસ્ય– આત્મા અને બ્રહ્મ બે અલગ અલગ ચીજો નથી પણ એક જ છે.

અહમ બ્રહ્માસ મી. હું જ બ્રહ્મ છું.આત્માનું અસ્તિત્વ બ્રહ્મના અસ્તિત્વનો એક ભાગ છે. બીજી એક વાક્ય તત્વંમસિ. માનવીના શરીરની વાસ્તવિકતા તેને આત્મા અને બ્રહ્મનો અનુભવ કરવા દેતી નથી. તે અમારુ સાચુ અસ્તિત્વ્ છે જે ચેતના નામથી પણ ઓળખાય છે.આદિ શંકરાચાર્ય ના મત પ્રમાણે આત્માના ત્રણ ભાગ છે. એક શરીર,( દેહ જે મૃત્યુ સાથે નાશ પામે છે. બીજુ માનવીનું સુક્ષમ શરીર મન, બુધ્ધિ અને અહંકાર જે દેહ સાથે નાશ પામતું નથી.(?) તે નયાજન્મ કે પુનર્જન્મનું કારણ બને છે. તે બીજ છે જેમાંથી વારંવાર સુક્ષમ શરીર વારંવાર જન્મ લે છે. આત્માત્રણેય ને પ્રકાશિત કરનારુ પરિબળ છે.તેનુ કામ શરીરની દરેક વસ્તુને પ્રકાશિત કરવાનું કામ કરે છે. શરીર, મન, બુધ્ધિ અને અહંકાર..પણ આત્મા પોતે બિનપ્રભાવિત રહેતી હોય છે. જીવનનો હેતુ આત્માસાક્ષાત્કાર, મોક્ષ વિ તરીકે ઓળખવામાં આવે છે. આત્માની ઓળખ માટે વર્તમાન બહારની દુનીયામાંથી  કાચબો જેમ ભય દેખાતાં પોતાના અંગો સમેટી લે છે તેમ બહારના વિશ્વમાંથી નિવૃત્તિ લઇને આત્માની ખોજમાં પરોવાઇ જવાની વાત કરે છે. તમે માનવી તરીકે 'ચલતા ફિરતા' બ્રહ્મ છો.

બ્રહ્મ અને આત્માના અનુભવ કરવાથી કોણ તમને રોકે છે? " રહસ્યમયી આવરણ" . જવાબ ; માયાની જાળ" 

માયાનો સિધ્ધાંત–બ્રહ્મની અકલ્પનીય શક્તિ– એટલે માયા. સત્યને ઢાંકનારુ અને માયાનું આવરણ ઉભું કરનારુ..માયા માનવ બુધ્ધી પર આવરણ લગાવી દે છે. સાચા બ્રહ્મ સ્વરુપને ભુલાવી દે છે. શું ભુલાવી દે છે? માનવી અનંતમય આત્મા છે. વાદળ જેવી રીતે સૂર્યને ઢાંકી દે છે. માયાને કારણે આપણુ આત્મસ્વરુપ દેખાતું નથી. સત્યની જગ્યાએ બીજુ કશું બતાવવું.! તેની જગ્યાએ અસત્યનું સર્જન કરી દે છે. ( અંધારામાં  દોરડાને સાપ સમજવો)

બ્રહ્મ સ્વરુપનું નામસ્વરુપ દુનિયામાં રુપાંતર! ઇન્દ્રીયજન્ય અનુભવનું પરિણામ! અદ્વ્ૈત વેદાંત આ સંસારને મિથ્યા ગણે છે. વ્યવહારીક સ્તરપર આ દુનિયા સત્ય્ છે માયા નથી. પરમસત્યના દ્ર્ષ્ટિ કોણથી આ દુનિયા સત્ય નથી. માયા છે એક સ્વપ્ન છે. અદ્વેત કહે છે કે આપણે બધા અજ્ઞાનની નીંદમાં ફસાયેલા છે. આ દુનિયાના સ્વપ્નને સત્ય માનીને જીવી રહ્યા છે. ફક્ત આત્મજ્ઞાનથી જ સમજાય!  માયા પર શરીરની ઇદ્રીયો છવાઇ ગઇ છે.

માયામાંથી બહાર નિકળવાનો રસ્તો જ્ઞાન અને વિવેક છે…ધ્યાન ચિંતન,સાક્ષી સ્વરુપ – માયામાંથી મુક્તિ,

સત્ય પ્રાપ્ત કરવાનો જ્ઞાન માર્ગ–

(૧) વિવેક થી સત્ય શોધવાનો માર્ગ– આત્મા જ નિત્ય અને શાશ્વત છે.( બાકીનો માયાનો ખેલ–) (૨) વૈરાગ્ય– માનસિક અવસ્થા. જીવન પ્રત્યેનો અનાષક અભિગમ. પરમ સત્યને જાણવા સમજવા માટે વૈરાગ્ય–(૩) ૬ માનસિક ગુણ–મનનું નિયંત્રણ, ઇન્દ્ર્ીયોનું નિયંત્રણ, જીવન પ્રત્યેનો અનાસ્કત અભિગમ, સહનશીલતા,શ્રધ્ધા–અથવા તર્કપુર્ણ માર્ગ,–સમાધાન.૩૩.૩૪ મિનિટસ.

મોક્ષની તીવ્ર ઇચ્છા. મુક્તિ માટેની અસ્હય ઇચ્છા–આત્મ સાક્ષાત્કાર.. ચાર વાક્યો– વેદોનો સાર– મહાવાક્ય–શુધ્ધ ચેતના–આત્મ એ જ પરમ બ્રહ્મ છે,– તતવ મસી.વહ સર્વવ્યાપી તુમ છો. મુક્ત આત્મા. અહમ બ્રહ્મસ્મિ– પરમ જ્ઞાન અને મુક્તિ. જ્ઞાનનો પુરો માર્ગ.

કર્મનાં બંધન– સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને નિસ્વાર્થ કર્મ ગીતાનો સિધ્ધાંત– જીવન મુક્તિ ખ્યાલની ચર્ચા– 

–   




--