|
હૈ ! દેશવાસીઓ,
હજારો વર્ષોથી ભુતકાળની ધાર્મિક દંતકથાને ભજવા– પુજવા બદલે જ્ઞાન આધારિત મૂલ્યાંકન કરવાનું શીખીએ.
એક સમાચાર.
“ ભારત– શ્રી લંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં ૫૭ હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો.” ગુજ–સમાચાર દૈનિક–પાનું ૧ ( આજની તારીખ– ૨૯ મે ૨૦૨૬. સંશોધક– બનારસ હિંદુ(?) યુની અને કોલંબો યુની– સંયુક્ત સંશોધન.
બિન વૈજ્ઞાનિક તથ્યો– રજુ કરેલ સમાચારોને આધારે.
(૧) ગપ્પુ નં એક– “હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વ નો સ્વીકાર થયો છે.
જવાબ–” વર્તમાન આફ્રિકા ખંડના મધ્યમાં આવેલા “સવાના” જંગલ મા “હોમો સેપીયન્સ” તરીકે ઓળખાતી માનવ ઉત્ક્રાંતિ માનવ– જાતી ફક્ત ત્રણ લાખ વર્ષ જૂની જૈવિક રીતે ઉત્ક્રાંત થયેલી હતી. એટલે કે ત્રણ લાખ વર્ષોના ભૂતકાળ થી શરુ કરીને આજ દિન સુધી એટલે કે સને ૨૦૨૬ સુધી સમગ્ર માનવજાતનો ૯૬ થી ૯૭ ટકા સમય ફક્ત અને ફક્ત ખોરાક માટે શિકાર કરવામાં અને જંગલની વનસ્પતિની પેદાશો ભેગી કરીને ભૌતિક જીવન ટકાવી રાખવામાં ભટકતા પસાર થયો છે.( For the vast majority of our existence, hunting and gathering was the only way humans lived.If we look specifically at Homo sapiens (anatomically modern humans), our species live exclusively as hunter-gatherers for roughly 290,000 years before the very first agricultural societies began to emerge.)
સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કૃષિ ક્રાંતિ ની શરુઆત ફક્ત ૧૦,૦૦૦ વર્ષ જુની છે. ૫૭૦૦૦ વર્ષ પહેલા જે કોઇ સ્થળે ભટકતી–રખડતી માનવ ટોળીઓ કે સમૂહોને “ રામસેતુ” બાંધવાની જરુર જ શા માટે હોય!
(૨) બીજુ ગપ્પુ– ભારતમાથી શ્રી લંકા જવા ‘રામસેતુ”નો ઉપયોગ ૫૭૦૦૦ વર્ષ પહેલાં કર્યો હતો. સમાચારની છેલ્લી લીટી– આજથી રામનો સમયગાળો સાડા સાત હજાર થી દસ હજાર વર્ષો પૂર્વે નો હોય એવું કહેવામાં આવે છે. રામે રામ સેતુ પોતાના વાનર લશ્કરની મદદથી બાંધ્યો હતો કે પછી ૫૭૦૦૦ વર્ષો જુના પેલા હિન્દ મહાસાગરના ઢાંચાને આપણે રામસેતુ નો ઉપયોગ કર્યો હતો?
(૩) ત્રીજુ ગપ્પુ– દક્ષિણભારતના લોકો અને શ્રી લંકાના ડીએનએમાં ઘણું સામ્ય શોધી કાઢયું છે.
જવાબ– સમગ્ર માનવજાતની એકતા–ડીએનએ સિક્વન્સિંગ દ્વારા પ્રગટ થયેલ સૌથી ગહન જૈવિક સત્યોમાંનું એક એ છે કે બધા માનવીઓ 99.9% આનુવંશિક રીતે સમાન છે. * જાતિનો ભ્રમ: આનુવંશિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે "જાતિ" ની પરંપરાગત વિભાવનાઓનો કોઈ કડક જૈવિક આધાર નથી. કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે “ ચાર વર્ણ નું સર્જન મેં કરેલું છે.”
What scientific truths are derived from Human DNA? The Unity of All Mankind –One of the most profound biological truths revealed by DNA sequencing is that all humans are 99.9% genetically identical. * The Illusion of Race: Genetic science has proven that traditional concepts of "race" have no strict biological basis.
હવે મુખ્ય પ્રશ્ન– આવી પુરાતન ધાર્મિક દંતકથાનો અત્યારે કયા કયા હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે? આવા પ્રછન્ન ઐતિહાસિક તથ્યો ના ગુણગાન ગાવાથી કોને ફાયદો? કોને મદહોશ દશામાં રાખીને બિહામણી વાસ્તવિકતાઓ જેવી કે બેકારી, ભાવ વધારો, નીટ અને સીબીએસી ની પરીક્ષા ના વિધ્યાર્થીઓની પેપર લીક થી બેહાલી, આર્થીક ક્ષેત્રે સરિયામ નિષ્ફળતા વિ.થી બીજે ધ્યાન ભટકાવું છે? ક્યાં સુધી છેતર્યા કરશો?
બધા નાગરિકોને બધા સમય સુધી મૂર્ખ બનાવી શકતા નથી.( વૈજ્ઞાનિક તારણો શોધવા AI નો ઉપયોગ કર્યો છે.)



