Wednesday, February 25, 2026

અદ્વૈત વેદાંત–

અદ્વૈત વેદાંત–

પરમ સત્ય જાણવાનો ખ્યાલ જ  ખોટો છે. માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી તે જાણવું  શક્ય નથી. માનવી તરીકે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું, તે તમામ પ્રશ્નો વાહિયાત છે.માનવ શરીરમાં એવું શું છે જે પરિવર્તનશીલ નથી? શરીરની અંદર છતાં દેખાય નહી, અનુભવાય નહી તેવી ચેતના, જાગરુકતા (સ્વપ્ન) નો દાખલો! હું કોણ છું તેપુછવું તે એક ધ્યાનનો પ્રકાર છે. બહારની દુન્યવી ઓળખને બદલે મનની અંદરની ઓળખની શોધ! માનવી તરિકે હું અને તમે તમારી શરીરી ઓળખથી મુક્ત કેવી રીતે બની શકો? શું શરીરી ઓળખ શું ભ્રમ છે? માયા છે? વાસ્તવિકતાને માયા ગણવી અને માયાને વાસ્તવિકતા ગણવી એટલે આદિ શંકરાચાર્યનું અદ્વેત વેદાંત દર્શન !

બ્રહ્મ શું છે તેની ખરાખરી?

પરમ સત્ય, અસિમ ચેતના,શાશ્વત આનંદ કે પરમ આનંદ! બ્રહ્માંડનું અંતિમ સત્ય! બ્રહ્માંડની દરેક વસ્તુનો સર્જક– ( બધાજ બોગસ શબ્દો!) માનવીય ઇન્દ્ર્ીયજન્ય અનુભવથી તપાસી ન શકાય તેવી વિભાવનાઓ ! માનવ શરીર અસત્ય્ પણ તે શાશ્વત ચેતના છે જે શરીર અને મનની પેલે પાર પણ શરીરની અંદર અસ્તિત્વ ધરાવે છે.!

 શાશ્વત ચેતના શું છે? તેનું સ્વરુપ શું છે? આ બ્રહ્માંડ સાથે તેને શું સંબંધ છે? બ્રહ્મ કોઇ દેવતા નથી.( અશરીરી નથી. તે કોઇ ઇશ્વર જેવી વ્યક્તિ નથી જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે.બ્રહ્મ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વિશાળતા છે.બ્રહ્મ સત્ય છે. સોનુ અને તેના દાગીના( મુળ સ્વરુપ તો સોનું જ છે.)તમામ બ્રહ્માંડની વસ્તુઓ ભલે જુદી જુદી છે પણ તેમાં રહેલ તત્વ બ્રહ્મ તત્વ એક જ છે. તે જ પરમ તત્વ છે. બ્રહ્માંડની તમામ માનવીથી શરુ કરીને આકાશગંગા સુધીની ભૌતીક વસ્તુઓ બ્રહ્મનો જ એક અંશ છે. સર્વમ ખલ વિદમ બ્રહ્મમ.(ઇલેકટ્ટ્રીક કરંટ નો દાખલો– વિજળીનો બલ્બ, પંખો, હિટર. વિ.) બ્રહ્માંડમાં જે કાંઇ છે તે બ્ર્હ્મ જ છે.

બ્રહ્મ એટલે સત ચિદાનંન્દ. ' બ્રહ્મ જ સત્ય જગત મિથ્યા" બ્રહ્મ નો ન તો જન્મ, ન મૃત્યુ,પાંચ ઇન્દ્રીયોથી બ્રહ્મને ઓળખાય નહી. તે ઇન્દ્ર્ીયાતીત છે…બ્રહ્મનો આદિ ન અંત. ભૌતીક પદાર્થ વિહીન ચેતના.( વૈજ્ઞાનીક ભૌતીકવાદ નો પાયો બ્રહ્માંડનો દરેક પદાર્થ જ ભૌતીક છે. ચેતનાનું કોઇ અસ્તિત્વ ભૌતિક પદાર્થમાં હોઇ શકે જ નહી.બ્રહ્મ એટલે શાશ્વત અસતિત્વ, શુધ્ધ પરમઆનંદ,સમગ્ર બ્રહ્માંડ બ્રહ્ન સર્જીત છે. માનવી તે બ્રહ્મમાંડનો જ એક ભાગ છે. તેથી માનવી પણ તે બ્રહ્મનું જ સર્જન છે.માટે તે પણ ફક્ત ભૌતીક પદાર્થ નથી પણ શુધ્ધ ચેતના છે.કારણકે તેનું સર્જન પણ બ્રહ્મ દ્વારા થયેલું છે.પરમાનંદ એટલે અશરીરી આનંદ? એટલે શું?

 "બ્રહ્મનું અસ્તીત્વ એટલે શાશ્વત અસ્તિત્વ,શુધ્ધ ચેતના,અને અસીમ આનંદ." માનવી બ્રહ્મનું સર્જન હોવાથી તે પોતે પણ " પરમ સત્તા છે. પુર્ણ છે, મુક્ત છે." એટલે મોક્ષ, અથવા આત્મસાક્ષાત્કાર–૧૦–૫૫ મિનિટસ.

    વીશ્વના તમામ માનવો ફક્ત અને ફક્ત બ્રહ્મ સર્જીત છે. માટે એક છે. તો પછી માનવીય એકતાનું સર્જન કેમ થતું નથી?માનવીય આત્મા અને માનવીનો બ્રહ્મ તરીકેનો અંશ બે એક કે જુદા?

આત્માનું રહસ્ય– આત્મા અને બ્રહ્મ બે અલગ અલગ ચીજો નથી પણ એક જ છે.

અહમ બ્રહ્માસ મી. હું જ બ્રહ્મ છું.આત્માનું અસ્તિત્વ બ્રહ્મના અસ્તિત્વનો એક ભાગ છે. બીજી એક વાક્ય તત્વંમસિ. માનવીના શરીરની વાસ્તવિકતા તેને આત્મા અને બ્રહ્મનો અનુભવ કરવા દેતી નથી. તે અમારુ સાચુ અસ્તિત્વ્ છે જે ચેતના નામથી પણ ઓળખાય છે.આદિ શંકરાચાર્ય ના મત પ્રમાણે આત્માના ત્રણ ભાગ છે. એક શરીર,( દેહ જે મૃત્યુ સાથે નાશ પામે છે. બીજુ માનવીનું સુક્ષમ શરીર મન, બુધ્ધિ અને અહંકાર જે દેહ સાથે નાશ પામતું નથી.(?) તે નયાજન્મ કે પુનર્જન્મનું કારણ બને છે. તે બીજ છે જેમાંથી વારંવાર સુક્ષમ શરીર વારંવાર જન્મ લે છે. આત્માત્રણેય ને પ્રકાશિત કરનારુ પરિબળ છે.તેનુ કામ શરીરની દરેક વસ્તુને પ્રકાશિત કરવાનું કામ કરે છે. શરીર, મન, બુધ્ધિ અને અહંકાર..પણ આત્મા પોતે બિનપ્રભાવિત રહેતી હોય છે. જીવનનો હેતુ આત્માસાક્ષાત્કાર, મોક્ષ વિ તરીકે ઓળખવામાં આવે છે. આત્માની ઓળખ માટે વર્તમાન બહારની દુનીયામાંથી  કાચબો જેમ ભય દેખાતાં પોતાના અંગો સમેટી લે છે તેમ બહારના વિશ્વમાંથી નિવૃત્તિ લઇને આત્માની ખોજમાં પરોવાઇ જવાની વાત કરે છે. તમે માનવી તરીકે 'ચલતા ફિરતા' બ્રહ્મ છો.

બ્રહ્મ અને આત્માના અનુભવ કરવાથી કોણ તમને રોકે છે? " રહસ્યમયી આવરણ" . જવાબ ; માયાની જાળ" 

માયાનો સિધ્ધાંત–બ્રહ્મની અકલ્પનીય શક્તિ– એટલે માયા. સત્યને ઢાંકનારુ અને માયાનું આવરણ ઉભું કરનારુ..માયા માનવ બુધ્ધી પર આવરણ લગાવી દે છે. સાચા બ્રહ્મ સ્વરુપને ભુલાવી દે છે. શું ભુલાવી દે છે? માનવી અનંતમય આત્મા છે. વાદળ જેવી રીતે સૂર્યને ઢાંકી દે છે. માયાને કારણે આપણુ આત્મસ્વરુપ દેખાતું નથી. સત્યની જગ્યાએ બીજુ કશું બતાવવું.! તેની જગ્યાએ અસત્યનું સર્જન કરી દે છે. ( અંધારામાં  દોરડાને સાપ સમજવો)

બ્રહ્મ સ્વરુપનું નામસ્વરુપ દુનિયામાં રુપાંતર! ઇન્દ્રીયજન્ય અનુભવનું પરિણામ! અદ્વ્ૈત વેદાંત આ સંસારને મિથ્યા ગણે છે. વ્યવહારીક સ્તરપર આ દુનિયા સત્ય્ છે માયા નથી. પરમસત્યના દ્ર્ષ્ટિ કોણથી આ દુનિયા સત્ય નથી. માયા છે એક સ્વપ્ન છે. અદ્વેત કહે છે કે આપણે બધા અજ્ઞાનની નીંદમાં ફસાયેલા છે. આ દુનિયાના સ્વપ્નને સત્ય માનીને જીવી રહ્યા છે. ફક્ત આત્મજ્ઞાનથી જ સમજાય!  માયા પર શરીરની ઇદ્રીયો છવાઇ ગઇ છે.

માયામાંથી બહાર નિકળવાનો રસ્તો જ્ઞાન અને વિવેક છે…ધ્યાન ચિંતન,સાક્ષી સ્વરુપ – માયામાંથી મુક્તિ,

સત્ય પ્રાપ્ત કરવાનો જ્ઞાન માર્ગ–

(૧) વિવેક થી સત્ય શોધવાનો માર્ગ– આત્મા જ નિત્ય અને શાશ્વત છે.( બાકીનો માયાનો ખેલ–) (૨) વૈરાગ્ય– માનસિક અવસ્થા. જીવન પ્રત્યેનો અનાષક અભિગમ. પરમ સત્યને જાણવા સમજવા માટે વૈરાગ્ય–(૩) ૬ માનસિક ગુણ–મનનું નિયંત્રણ, ઇન્દ્ર્ીયોનું નિયંત્રણ, જીવન પ્રત્યેનો અનાસ્કત અભિગમ, સહનશીલતા,શ્રધ્ધા–અથવા તર્કપુર્ણ માર્ગ,–સમાધાન.૩૩.૩૪ મિનિટસ.

મોક્ષની તીવ્ર ઇચ્છા. મુક્તિ માટેની અસ્હય ઇચ્છા–આત્મ સાક્ષાત્કાર.. ચાર વાક્યો– વેદોનો સાર– મહાવાક્ય–શુધ્ધ ચેતના–આત્મ એ જ પરમ બ્રહ્મ છે,– તતવ મસી.વહ સર્વવ્યાપી તુમ છો. મુક્ત આત્મા. અહમ બ્રહ્મસ્મિ– પરમ જ્ઞાન અને મુક્તિ. જ્ઞાનનો પુરો માર્ગ.

કર્મનાં બંધન– સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને નિસ્વાર્થ કર્મ ગીતાનો સિધ્ધાંત– જીવન મુક્તિ ખ્યાલની ચર્ચા– 

–   




--

વેદ હુિંદુધર્મની પાયાની ઇંટ છે.

વેદ હુિંદુધર્મની પાયાની ઇંટ છે. તેના પર જ હિંદુધર્મની સમગ્ર ઇમારત ઉભી છે.વેૈદિક જ્ઞાન ઇશ્વરે રુષીમુનીઓને પ્રગટ થઇને આપેલું છે.વેદ વિરોધી  એટલે ઇશ્વર વિરોધી– નાસ્તિક.વિવેકાનંદ,દયાનંદ સરસ્વતીનો મત વેદ પરફેક્ટ છે.

(૨) આજે  વિજ્ઞાન જે સત્યો શોધી રહ્યું છે તેના બધા જ જવાબો કે ઉપાયો વેદમાં આપેલા છે.તેમાં પ્રકાશની ગતી અને હવાઇ જહાજ બનાવવાની ટેકનોલોજી છે.

(૩) વેદ બ્રાહ્મણો સિવાય કોઇ વાંચી , બોલી કે રજુ કરી શકે નહી. ખાસ કરીને શુદ્ર્ અને સ્રીઓ તો ખાસ.આજે ઇન્ટરનેટ પર જઇને કોઇપણ કાળામાથાનો માનવી વિશ્વના કોઇપણ ખુણામાં જઇને વેદનો કોઇપણ શ્લોક વાંચી, સમજી અને તેના સત્ય ને  પડકારી શકે છે.

(૧) રુગવેદનો ઇન્દ્ર્ દેવને રિઝવવાનો મંત્ર્– ૧–૩૨–૧–અને ૨. હું વ્રજધારી ઇન્દ્ર્ના પરાક્રમોનું વર્ણન કરું છું.પ્રથમ તેણે મેઘનો નાશ કર્યો, પછી પૃથ્વી,પર્વત અને ત્યારબાદ નદીઓમાં તે પાણી જમીન અને ખેતી માટે મોકલ્યું.જેથી ધરતીપરનું જીવન સજીવન થાય.વાદળો, વરસાદ વિ નું જ્ઞાન ખુબજ મર્યાદિત હતું

(૨) અગ્નિ– યજ્ઞની વેદીનો અગ્નિ આકાશમાં રહેતા દેવોને રિઝવવા જાય છે. સૂર્ય કેટલા માઇલ, અન્ય ગ્રહો કેટલા માઇલ? સત્યથી જોજનદુર .અગ્નિના માધ્યમ થી ધન, પુત્ર,અને સતત વધતી જતી સમૃધ્ધિ પ્રાપ્તથાય છે. યજ્ઞની આહુતિમાં આપેલ ચીજ વસ્તુઓને.અગ્નિને વરાળ સ્વરુપે  પ્રાર્થના કરી મોકલે છે.

(૩) સૂર્ય– ગાયત્રી મંત્ર્–સાત ઘોડાના રથ પર બેસીને દરરોજ પુર્વથી પશ્ચીમની તરફ જાય છે.૧–૫૦–૮ શ્લોક. ગેલેલીયો સત્ય્. સૂર્ય પૃથ્વીની આસપાસ નહી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ગુરુત્વાકર્ષણના નિયમને કારણે!

(૪) બ્રહ્માંડનું સર્જન– પરમ પુરુષ– હજારો શક્તિશાળી તાકાત ધરાવનાર..પરમ પુરુજ્ઞના મનથી ચંદ્ર્મા,આંખોમાંથી સૂર્ય,મુખથી ઇન્દ્ર્ અને અગ્નિ, પ્રાણોથી વાયુ.નાભીમાંથી અંતરીક્ષ,મસ્તિષ્કથી આકાશ, પગોમાંથી પૃથ્વી, કાનમાંથી દિશાઓ, આમ દેવએ પૃથ્વી પર વસ્તી પેદા કરી.  રુગવેદ ૧૦–૯૦–૦૧.

(૫) ચાર વર્ણોનો જન્મ્– બ્રાહ્મણ મુખમાંથી, ક્ષત્રિય બાહુ, વૈશ્ય નાભી અને શુદ્ર પગમાંથી. શ્લોક નં રુગવેદ–૧૦–ભગવતગીતા નો શ્લોક–અધ્યાય ૪–શ્લોક ૧૩ ' ચતુર્વણ વ્યવસ્થાનું સર્જન મેં કરેલ છે.મનુસ્મૃતી માં પણ આ રીતે જ વર્ણવ્યવસથાને ન્યાયી ઠેરવી છે.૧–૩૧.  ભગવાને કહ્યું છે કે શુદ્રની જન્મગત ફરજ છે કે  તેની ઉપરના ત્ર્ણેય  વર્ગોની સેવા કરવી–મનુસ્મૃતિના પ્રકરણ ચાર શ્લોક ૭૮થી૮૧માં શુુદ્ર્ને શિક્ષણમાંથી તદ્દન વંચિત રાખવાની વાત કરી છે. વેદ ભણે કે સાંભળે તો કાનમાં સીસુ નાંખવાની વાત કરી છે….નારાયણ પુરાણમાં પણ આજ વાત કહી છે. વેદના શ્લોકો સ્રીઓ અને શુદ્ર્ને સંભળાવવા નહી જોઇએ.શુદ્રનું રાંધેલું અનાજ ઇશ્વર અને ઉપલા વર્ગ માટે વર્જ્ય છે.

(૬) સ્રીઓ કમ બુધ્ધશાળી હોય છે. ર્ુગવેદ શ્લોક–૮–૩૩–૧૭. બાપની મિલકતમાંથી પુત્રીની બાદબાકી.૩–૩૧–૨.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

યજુર્વવેદ–મંત્રૌ વિધીઓ વિ.

આત્માનો ખ્યાલ– અમર, નાશવંત નહી.શ્લોક ૩૧–૧૮ જન્મ લેતો નથી,મૃત્યુ પામતો નથી, પુર્નજ્નમ લેતો નથી,અજન્મ, નિત્ય, શાશ્વત, શરરીર કે દેહ અવસાન પછી પણ જીવંત રહે છે.વિજ્ઞાન આત્માના પ્રમાણને સ્વીક્ારવામાં આવતો નથી.

ગાયત્રી યજ્ઞ–રુગવેદ  ૩–૬૨–૧૦ ગાયત્રી મંત્ર–ઉઉમ ભુભર્વસવ  અસતો મા જ્યોર્તિરગમય– મૃત્ર્યંજય મંત્ર્–માતૃદેવો ભવ; પિતૃ દેવો ભવ. વિ. આદર્શ– વિધ્યા દેવી સરસ્વતીની પુજા–

 



--

ભારતીય વૈદીક સમયનું તત્વજ્ઞાન ભાગ–૨.

ભારતીય વૈદીક સમયનું તત્વજ્ઞાન ભાગ–૨.

(૨) સામવેદ– સામવેદને વેદિક સાહિત્યમાં સ્વર, રાગ,ગીત, અને મંત્રોના સંગીતમય સમનવય તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ફક્ત સાંભળવાની વસ્તુ નથી. ધ્વનિ એક ઉર્જા છે, તે એક આંદોલન છે, કંપારી છે. સામવેદના મંત્રૌ ઋગ્વેદમાંથી લીધેલા છે.ખાસ સામ ગાન કહેવાય છે. દેવોને રિઝવવા માટેનું સંગીત. તેને ભારતીય સંગીતનો સ્રોત્ર કે મુળ ગણવામાં આવે છે. જીવન એક સુર છે. સુખમાં સુર ઉંચો અને દુ;ખમાં સુર નીચો.જીવન અને ચેતનાને સમજવાની ચાવી છે.ઋગ્વેદના શબ્દોને બુધ્ધીથી સમજવાની સાથે હ્રદયથી (સંગીત)થી પણ સમજીએ. શબ્દોને સંગીતમય ઢાંચામાં મુકી દીધા.કયા મંત્રને, કેવી ભાવના સાથે કયા દેવનેપુજવા, રિઝવવા ગાવો જોઇએ. સામવેદનું મહત્વ પ્રાચીન વૈદિક પરંપરામાં સૌથી વધારે મહત્વનું હતું.બ્રહ્માંડની શક્તિઓ સાથે વિશાળ સંવાદ સ્થાપવાનું સાધન સંગીતના જુદાજુદા લય હતા.યજ્ઞમાં જુદી જુદી ભુમિકાઓમાટે જુદા જુદા પુરોહિતો વચ્ચે કામની વહેંચણી કે શ્રમવિભાજન કરવામાં આવેલું.(૧) મંત્રોના પાઠ કરનાર, (૨) અધ્વર્યુ– યજ્ઞની જુદી જુદી ક્રિયાઓને સંપન્ન કરનાર (૩)  ઉદ્ગાતા–સામવેદના મંત્રૌના ગાયન કરના,ઉદ્ગાતાનુંસંગીત યજ્ઞની આત્મા હતું. તેનો રણકો,લય અને શબ્દો દેવો સુધી પહોંચતો હતો.(૪) માનવીય દુનિયાને દેવોની દુનીયા સાથે સેતુ ઉભો કરવાનું કામ ઉદ્રગાતાના અવાજ, સંગીત અને સુરોમાં હતું.  

        સામવેદને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે પુર્વ(સંગીતનું પુસ્તકાલય) અને ઉત્તર– એટલે  જુદા જુદા મંત્રો અને સુરોનો સંગ્રહ. ટુંકમાં સંગીતની સાધના.તે ગુરુ શિષ્ય પરંપરા હતી જે પેઢી દર પેઢી ચાલુ રહે તેવું આયોજન હતું. સામવેદ જ્ઞાનને અનુભવમાં બદલવાનું માધ્યમ હતું.જીવન પધ્ધતિ હતી. સામવેદનો સંદેશ ભાવના અને ભક્તિ સિવાય જ્ઞાન અધુરુ છે.ઋગ્વેદના જ્ઞાનને તત્વજ્ઞાન અને તર્કના વિષયમાંથી સંગીત અને આનંદનો વિષય બનાવી દીધો! ઇશ્વરને મેળવવાનો રસ્તો ફક્ત તપસ્યા કે વૈરાગ્ય નહિ પણ સંગીત–ભક્તિ વિ પણ છે. 

(૩)અથર્વવેદ– પરિચય– રહસ્યમય, જાદુઇ અને માનવીના સામાન્ય જીવનના પ્રશ્નોને હલ કરનાર વેદ–એટલે અથર્વવેદ–સ્વાસ્થય, સફલતા અને કૌટુબિક સંબંધોના પ્રશ્નો ઉકેલનાર..જીવન જીવવાની સંહિતા કે માર્ગદર્શીકા.તરીકે ઓળખાય છે.–રોજબરોજની સમસ્યાઓના ઉકેલ  માટેના મંત્રો–અંગત શારીરીક બિમારીઓના ઉપાય તરીકે જડીબુટ્ટટીઓ અને મંત્રોનો ઉપયોગ–ઘરમાં સુખશાંતિ બનાયે રખને કે ઉપાય–ધંધા વ્યાપારમાં સફળતા માટે પ્રાર્થના–વ્યક્તિગત અને સામુહિક સંબંધો માટે માર્ગદર્શન સદર વેદમાં મલે છે.સેલ્ફ હેલ્થ ગ્રંથ– દેવ– દેવીઓ ને રીઝવવા નહી–આધ્યાત્મિકતા કરતાં ભૌતિક જીવનને કેવી રીતે બહેતર બનાવવુ તેના ઉપાયો આ વેદમાં છે.– સીધી સાદી પ્રાર્થનાઓ–૬૦૦૦ મંત્રો ગદ્ય–પદ્ય બંને થઇને! પાણી અગ્નિ, વાય, અને ઔષધીય પાંદડા,છોડ અને વૃક્ષો નો ઉપયોગ– માનવી પ્રકૃતિનો એક ભાગ–પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને જીવવું–અસલામત દુનીયામાં સલામતી અને સુરક્ષા માટેના સાધનો શોધવા સદર વેદનો મુખ્ય હેતુ હતો. આ વેદે માનવ સ્વાસ્થય અને ચિકિત્સા ના ઉપાયો બતાવ્યા છે.–––જડીબુટીયો અને મંત્રૌના સંયુક્ત પ્રયત્નોથી તંદુરસ્ત બનવું.–

આરોગ્યનું રહસ્ય–અથર્વવેદ વિશ્વનો એક  સૌથી પુરાણો ચિકિત્સા ગ્રંથ–ઔષધિયોનો વેદ– રોગોના મુળને શોધી તેનો કાયમી ઉપચાર કરવાનો દાવો કરે છે.. કોઇપણ રોગના ચાર કારણો, શારિરિક, માનસીક,આધ્યાત્મિક અને ભાવનાત્મક. ભય, ચિંતા, ક્રોધ, નકારાત્મક ભાવોથી જ કોઇપણ બિમારી પેદા થાય છે.ઉપરાંત બહારના કિટાણુઓ ક્રુમી વિ. પણ ખરા..  ' હોલીસ્ટીંગ હીલીંગ'  સમગ્ર, કાયમી , મુળમાંથી ઉપચાર– તુલસી, અશ્વગંધા વિ જડીબુટ્ટીઓ નોંંધ અથર્વવેદમાં છે. સદર વેદમાં જડીબુટ્ટીઓ જેટલું જ  નહિ બલ્કે  વિશેષ મહત્વ મંત્રોનું બતાવ્યું છે.મંત્રૌની ધ્વનીથી રોગનેે મટાડવો..દરેક રોગની બિમારી માટે સ્વતંત્ર મંત્ર–પરકાયા આત્મા પ્રવેશને મંત્રોના ઉચ્ચારણથી શરીર બહાર કાઢવો–ભુવાજાગરિયાની પ્રતિકાત્મક ભાષા રોગીઓના મન પર અસર કરવા માટે! સાપ,વિંછીના ઝેરને ઉતારવા માટેનો મંત્ર––નદીના પાણીથી સ્નાન કે પીવાનું–દવા ઉપરાંત સકારાત્મક મન રાખો–માનસિક સુચનો–મટી જશે– ઇનબીલ્ટ તાકાત મન તથા શરીરની છે તેવો આત્મવિશ્વાસ દરદીમાં પેદા કરવો–ઘોડા, ગાય અને ઉપયોગી પશુની પણ ચિકિત્સા–તેમાં પણ મંત્રો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ–શરીર, મન અને આત્મા વચ્ચે સમનવય શોધવાનો પ્રયત્ન. 

શાંતિ કર્મો–વેપાર અને કૃષીમાં સફળતા માટે પણ યજ્ઞો–યાત્રા, નવાઘરનો ગૃહપ્રવેશ,પંચાયત રાજકારણની             સફળતા માટનો પણ મંત્ર્..મોક્ષ કે સ્વર્ગ ને બદલે વર્તમાન જીવનને સુખી બનાવવા માટેના મંત્રો–અદ્શય શક્તિઓને નિયંત્રણમાં રાખવાન મંત્રૌ અને વિધીઓથી મુક્તિ પ્રાપ્ત કરવી–મંત્રૌની મદદથી સુરક્ષા નારાણણકવચ–બિહામણા અને ભય બીકના સ્વપ્નાથી બચવા પણ મંત્રો–માનવીય સંબંંધો, પ્રેમ, વિજાતીય સંબંધ અને સાથીનો સાથ–જુદા જુદા મંત્રૌ અને સુક્ત આપવામાં આવ્યા છે..વશીકરણ–શત્રુ નાશકમંત્રો–મારણ મંત્રો–યથાર્થવાદી કે વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે મંત્રો– વિધીઓ–ભય–વહેમ જ સામાવાળાને મારી નાંખે– રાજધર્મ–નાપ્રશ્નો–પ્રજાનું કલ્યાણ. કર્તવ્ય, આદર્શ,– ન્યાય પ્રણાલિ– યુધ્ધમાંની રણનીતીઅને શત્રુઓની હાર માટે મંત્રો–

(૪) યજુર્વેદ–

યજુર્વદ ગધ્ય અથવા વાક્યોમાં લખાયેલ છે. જ્યારે ઋગ્વેદ કવિતા કે પધ્યમાં છે.–યજુર્વેદ તમામ યજ્ઞોમાં શરુઆતથી અંત સુધી કઇ કઇ વિધિઓ યજ્ઞને સંપન્ન કરવા માટે અનિવાર્ય છે તેનો માર્ગદર્શક છે.–યજ્ઞની દરેક ક્રિયા, સામગ્રી,મંત્રનો પ્રતિકાત્મક અર્થ છે.–દા.ત અગ્નિ સાક્ષીનું પ્રતિક,ઘી સમર્પણનું પ્રતિક વિ.યજ્ઞમાં અન્ય અનાજ ઇત્યાદી અહંકાર અને ઇચ્છાઓના પ્રતિક છે.સફલતા માટે ઇચ્છા  કે પ્રાર્થના પુરતી નથી.–યોગ્ય કર્મ કોને કહેવાય તો નિષ્કામ કર્મ–સ્થિતપ્રજ્ઞ કર્મ– કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન વિ. નામે–ગીતાની વૈચારીક ઇમારતની પ્રથમ ઇંટ યજુર્વેદમાં મુકવામાં આવી. વેદ દ્રારા વિકસાવવામાં આવેલી સમગ્ર જીવન પ્રણાલીએ એક પરોપજીવી હિતોને બાકીના સમાજના શ્રમથી નહી પણ વેઠ (નિષ્કામ કર્મ)થી એવો નિયંત્રણમાં લઇ લીધો કે આદિ શંકરાચાર્યના અદ્વૈત ચિંતનને પણ ખપ પુરતો ઉપયોગ કરીને અપ્રસ્તુત બનાવી દીધું..તથાગત બુધ્ધના માનવ સુખાકારી ધર્મને ભારતમાંથી નામશેષ કરી દીધો, અને ચાર્વાકના ભૌતીકવાદના કોઇ બીજ ન રહે તેવી તાકાત ઉભી કરી દીધી!– વીસમી એકવીસમી સદીમાં હજુ તે કેટલો શક્તિશાળી છે કે દેશના પ્રથમ વડાપ્રધાનના લોકશાહી સમાજવાદ અને બાબસાહેબ આંબેડકરના બંધારણને ફગાવી મનુસ્મૃતિને આધારે રાજ્ય સત્તા, ધર્મસત્તા અને સમાજસત્તાનું સંપુર્ણ ધ્રવીકરણ કરવા કુદકેને ભુસકે પોતાના અશ્વમેઘને ભુરાંટો બનાવીને છોડી દીધો છે.

 ભાગ– ૩ વેદિક વૈચારીક અને વાસ્તવિક જીવન પધ્ધતિના અમાનવીય પરિણામો. હવે પછીના અંકમાં



--

ભાગ–૧ ભારતીય વૈદિક સમયનું તત્વજ્ઞાન–

ભાગ–૧ ભારતીય વૈદિક સમયનું તત્વજ્ઞાન– 

 માનવજાતના ઇતિહાસમાં વૈદિક સમયગાળાની શરુઆત આશરે ૩૫૦૦ વર્ષ પહેલાની અંદાજી ગણાય છે. લગભગ આજ સમાંતર ગાળાની આસપાસ વિશ્વની અન્ય સંસ્કૃતીઓનો જેવીકે ગ્રીક, મેસેપોટેમિયા વિ.નો વિકાસ થયો હતો.બધીજ સંસ્કૃતિઓ માં  માનવ જાતે કુદરતના નિયમોને સમજીને પોતાનું અસ્તીતવ ટકાવી રાખવા અને વિકાસ કરવા એકબીજા માનવ સમુહો સાથે સહકારભર્યા પ્રયત્નો કર્યા હતા. ખાસ કરીને આ બધી તમામ સંસ્કૃતિઓમાં કુદરતી પરિબળો જેવા કે સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વાયુ અને પૃથ્વીની અસરો  માનવીય શારીરિક તાકાત કરતાં અનેકગણી હોવાથી તે બધાને દેવ કે ઇશ્વર તરીકે ભજવાનુ,પુજવાનું અને આરાધના કરવાનું શરુ કર્યુ. હિંદુ સંસ્કૃતિમાં ઇન્દ્ર અને ગ્રીક સંસ્કૃતિમાં જ્યુપિટરને વરસાદના દેવ તરીકે ભજવા,પુજવા અને રિઝવવા માટેના કર્મકાંડો શરુ થયા હતા.

આપણા દેશમાં પણ વૈદિક સમયમાં તમામ  કુદરતી પરિબળો અને માનવીય સમસ્યાઓના ઉકેલ માટે મંત્ર, તંત્ર, યજ્ઞ, બલિ, વિ. કર્મકાંડી પ્રથા શરુ થઇ.સમય જતાં, સદર કર્મકાંડ કરવાનો જન્મ આધારીત અધિકાર ચાર વર્ણોમાંથી બ્રાહ્મણ હસ્તક ધર્મના ટેકાથી માન્ય બનાવી દેવામાં આવ્યો હતો.રાજાસત્તા અને બ્રાહ્મણોના આધિપત્ય નીચેની ધર્મસત્તાએ બાકીના સમાજની બચત પર કાયમી પ્રભુત્વ ટકી રહે તેવા સંચાલનની વર્ણવ્યવસ્થા ' સામ,દામ, દંડ અને ભય' થી બનાવી દીધી.બ્રાહ્મણોની કર્મકાંડી ભાષા સંસ્કૃત હતી.

    દરેક ધર્મ પુસ્તકની ભાષા જે તે ધર્મના સામાન્ય માણસના બસની વાત જ નથી હોતી.દા.ત  બાયબલની જુનાકરારની ભાષા હિબ્રુ(ધર્મભાષા) હતી, નવા કરારની ભાષા ગ્રીક હતી. કુરાનની ભાષા એરેબીક હતી જે મહંમદ સાહેબના કબીલા નામે ' કુરેશાં (Quraysh) ની ભાષા હતી. મોટાભાગના ધર્મ પુસ્તકોની ભાષા સામાન્ય માણસની સમજની બહારની હતી.The Quran was revealed to the Prophet Muhammad in the 7th century CE in the Arabic dialect of the Quraysh tribe in Mecca.) જીસસ બે ભાષા જાણતા હતા,એક ગ્રીક ( જુનાકરાર કે ઓલ્ડ ટેસ્ટામેંટની ભાષા અને બીજી લેટીન ( નવા કરાર અથવા ન્યુટેસ્ટામેંટની ભાષા).  ભારતમાં દરેક હિંદુ ઇશ્વરની પોતાની પ્રાદેશિક ભાષા જે તે સ્થાનિક પ્રદેશની હોય છે. ગુજરાતી, મરાઠી, તેલુગુ, બંગાળી અને હિંદી વિ.ભારતના હિંદુ ગોડ મહાન ભાષા વિશેજ્ઞ કે ભાષાશાસ્રી (Linguist) હોવા જોઇએ! 

    આ સમય ગાળામાં ચાર વેદોની રચના થઇ..ઋગ્વેદ,સામવેદ અથર્વવેદ અને યજુર્વવેદ, સામવેદ અને અથર્વવેદ. આજે પણ વેદસંહિતા કે  તેના વાક્યોને ઇશ્વરી સર્જન ગણીને તેની અધિકૃતતાને ૨૧મી સદીના આધુનિક જ્ઞાન આધારિત મુલ્યાંકન કરવાને પણ અનૈતીક, અધાર્મીક અને નાસ્તિક કૃત્ય ગણીને ધિકકારવામાં આવે છે. વૈદિક ધર્મને સનાતની ધર્મના નામથી પણ ઓળખવામાં આવે છે. તમામ વૈદિક સાહિત્યને શ્રૃતિ ( એક પેઢી બીજી પેઢીને સંભળાવી, યાદ કરાવી, ગોખાવી પણ લખ્યા કે પ્રકાશન કર્યા સિવાય) સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેને તત્વજ્ઞાનની ભાષામાં દ્વૈત વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. દ્વૈત એટલે બે.પ્રકૃતિ અને પુરુષ, એક શરીર અને બીજુ આત્મા અથવા ભૌતીક (નાશવંત)અને આધ્યાત્મિક એટલે શાશ્વત (અમર). તમામ વેદો સંસ્કૃત ભાષામાં (બ્રાહ્મ્ણોની ભાષામાં) શ્લોક–પધ્ય–ગધ્ય સ્વરુપમાં રચવામાં આવેલા છે. તેની સમજ, ઓળખ, સત્ય અને કયા શ્લોકનો શું ઉપયોગ તે બ્રાહ્મણ–પુરોહિતના જ્ઞાન અને અર્થઘટનનો અબાધિત અધિકાર જે રાજ્યસત્તાને તથા,સમાજ જીવનમાં માન્ય હતો. 

         આપણે આગળ વાંચ્યું તે પ્રમાણે વેદ ચાર છે.ઋગ્વેદ,,સામવેદ અથર્વવેદ અને યજુર્વવેદ.

ઋગ્વેદ એ વિશ્વનો સૌથી જુનો ધાર્મિક ગ્રંથ છે તેવો દાવો વેદોના હિતરક્ષકોનો છે. જે ૧૦ મંડળો (વિભાગ) માં વહેંચાયેલો છે. તેમાં કુલ ૧,૦૨૮ સૂક્તો કે શ્લોકો અને ૧૦,૫૫૨ મંત્રો છે. આ વેદમાં અગ્નિ, વરુણ અને ઇન્દ્ર  દેવો ની સ્તુતિ એટલા માટે સ્વીકારવામાં આવી છે તેમને રાજી રાખવાથી સમગ્ર પ્રજાનું સુખ,સમૃધ્ધિ અને તંદુરસ્તી જળવાઇ રહે. વિશ્વામિત્ર, વસિષ્ઠ, ભારદ્વાજ, કણ્વ વિ, ઋષિઓએ  આ બધા કર્મકાંડો અને યજ્ઞોના વિધિ વિધાનો તૈયાર કરવામાં આવેલા હતા. તેમના ગુરુકુલોમાં  વેદોનું જ્ઞાન લેવા આવતા શિષ્યો દ્રારા પેઢી દર પેઢી  સાંભળી– કંઠસ્ત કરીને  સાચવી રાખવામાં આવ્યા. આ ઋગ્વેદને સૌથી જુના ધર્મ પુસ્તક તરીકે સ્વીકારવામાં આવેલ છે.

          ઉપર જણાવેલ ચાર વેદોમાં કુદરતી પરિબળોની આફતો જેવી કે સૂર્યની ગરમી, અતિશય વરસાદ, તોફાની પવન, દુષ્કાળ,આગ, ધરતીકંપ વિ. ના દૈવી કોપથી બચાવા જુદા જુદા  દેવોની રચના અને તે બધાને પ્રસન્ન કે રિઝવવા જુદા જુદા  વિધિ વિધાનો અને કર્મકાંડોની રચના કરવામાં આવી. યજ્ઞો, બલિ અને બ્રાહ્મણ, પુરોહીતોને દાન આપવાના રીત– રિવાજો પણ શરુ થયા હતા. સમય જતાં બ્રાહ્મ્ણ, પુરોહિતવાદ વર્ગ એક સંપન્ન્ કે શક્તિશાળી સ્થાપિત હતી જ બની ગયો.

      ઇશ્વરનો ખ્યાલ તે સમયે વિકસ્યો ન હતો. હિંદુ ઇશ્વરની મુર્તીઓ બની જ ન હતી. વેદોમાં દેવોને કેવી રીતે રાજીરાખવા, ખાસ કરીને ત્રણ દેવોને (ઇન્દ્ર,અગ્નિ અને વરુણ)  માટે મોટાભાગના શ્લોકોની રચના કરવામાં આવી છે.

           વેદનો બીજો અર્થ  જુદા જુદા દેવોને રીઝવા માટેની સ્તુતિઓ–––કવિતા અને  દર્શનનું બૌધ્ધીક સંમિશ્રણ,– કંઠસ્થ કરીને સાચવવું–સંસ્કૃત ભાષામાં શ્લોકોનો સંગ્રહ–જુદા જુદા કાલ્પનીક દેવોની પ્રશંસા, આરાધના, સ્તુતિનો કંઠસ્થ સ્વરુપે  સંગ્રહાયેલો સમુહ. આ બધા કુદરતી પરિબળોનું સંચાલન જુદા જુદા દેવો જેવા કે સૂર્ય દેવ, અગ્નિ દેવ, ઇન્દ્ર દેવ, વરુણદેવ વિ.  અલૌકીક પરિબળોને ખુશી રાખવા મંત્રોની રચના વેદોમાં છે.

    વેદિક સમયમાં,ઋષિ મુનિ અને બ્રાહ્મણોના સંગઠિત હિતોના સંરક્ષણ માટે, બંને એ ભેગા મળીને રાજાશાહી,સામંતશાહી અને કૃષિ આધારીત સમાજ વ્યવસ્થાના સૌ પ્રથમ પ્રશ્નો શોધી કાઢયા, તે પ્રશ્નોના સર્જક માન્ય દેવોને પણ શોધી કાઢયા. પછી તે બધાને રીઝવવા, મનાવવા ( રડતા બાળકને પટાવવા જે રીતરસમો અપનાવવામાં આવે છે.)શબ્દો, શ્લોકો, મંત્રો , યજ્ઞતંત્ર અને રાગ રાગીનીઓ અને વાજીંત્રો પણ શોધી કાઢયા.

         વ્યક્તિગત નાગરિકોના જીવનની સમસ્યાઓ, સર્પદંશ, વિંછી કે અન્ય ઝેરી જાનવરોના ઝેરને ઉતારવા માટેના મંત્રો, વિધીઓ, ડાકલા વગાડવા, પરકાયા પ્રવેશ, ભુતપ્રેત, નિ:સંતાનપણુ દુર કરવા, યજ્ઞની વેદી કે અગ્નિની સાક્ષીએ તમામ જન્મથી માંડીને મૃત્યુ પછીની સુધી તમામ વિધીઓ નક્કી કરી દેવામાં આવી. જાદુટોણા, અને અંગત દુશ્મનાવટની સમસ્યાઓના ઉકેલ માટે, ઉપરાંત લગ્ન કે અન્ય પ્રસંગ માટે શુભ સમય, ચોઘડિયા વિ, વિધિવિધાનો, શ્લોકો વિ,ની ચારેય વેદોમાં તેનો સવિસ્તાર નોંધો મલે છે. યજ્ઞની વેદીના અગ્નિનો ધુમાડો સૂર્યથી માંડીને દરેક દેવોને જે તે શ્લોકના અર્થ પ્રમાણે ફેરફાર કરવાનું માધ્યમ બની ગયો!


  – વેદિક મંત્રોની રચના સમાજના ઉપલા વર્ગના હિતોના સંરક્ષણોની રચના બની ગઇ. તમામ ધાર્મિક, સામાજીક અને રાજકીય  જીવન યજ્ઞોની આગળ પાછળ પ્રવૃત્તીઓની સંપૂર્ણ કેન્દ્રિત હતું.યજ્ઞમાં ઘી, અનાજ, સોમ રસ અને માનવ બલિ અને પશુબલિનો ઉપયોગ એક રિવાજ બની ગયો. દેવો પાસે  યજ્ઞમાંની આહુતી દ્વ્રારા ધન, દોલત, સારા વારસો,– લાંબુ આયુષ્ય. વિ ની અપેક્ષાઓ રાખવામાં આવતી હતી.– યજ્ઞોનો ઉપયોગ દુશ્મનો પર જીત માટેના આશીર્વાદ  મેળવવા પણ કરવામાં આવતો હતો. યજ્ઞો જાણે ફક્ત કર્મકાંડ નહી– પણ બ્રહ્માંડની સાથે જોડાણ–તાલમેલ બેસાડવાનું એક માધ્યમ બની ગયો. બ્રહ્માંડ અને  માનવ જીવન બંનેના સંચાલન સાધન એક જ છે તે યજ્ઞ.

. અગ્નિદેવને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે ના સેતુ તરીકે પુજામાં આવતા હતા. કોઇપણ યજ્ઞની શરુઆત પ્રથમ અગ્નિ ની સ્તુતિથી કરવામાં આવતી. ઋગ્વેદમાં ઇન્દ્રને( સૌથી મહત્વપુર્ણ દેવતા) રિઝવવા માટે ૨૫૦ શ્લોકો છે.  ' ઋષિમુનીઓની મુશ્કેલીઓને દુર કરવા પણ તેઓ બધા ઇન્દ્રને રિઝવવા યજ્ઞ–હવન –બલિ નો ઉપયોગ કરતા હતા.ઇન્દ્રની  એક એવા દેવ તરીકેની ઓળખ આપવામાં આવી છે કે જે સુરા(મદિરા)અનેસુંદરીના બહુ શોખીન હતા. સોમ રસ જેમાંથી બને છે તેને પણ સોમદેવ તરીકે પુજવામાં આવતો! સોમ દેવતાને રહસ્યમય દેવતા તરીકે સ્વીકારવામાં આવેલ.સોમરસ પીણા તરીકે દેવતાઓને અમર બનાવતો.સોમરસ  ઋષિમુનીઓની બૌધ્ધીકતાને આધ્યાત્મિક જ્ઞાન ની ખોજમાં મદદરૂપ થતો. સોમરસને વિચારોના સ્વામી, કવિઓના રાજા  અને ઔષધીઓના દેવતા પણ કહેવાતા હતા. સોમરસ  વૈદિક સમયના લોકો માટે ફક્ત એક નશીલુ પીણું ન હતું . સોમરસમાં એવી શક્તિ હતી કે કવિઓમાં નવી નવી કવિતાઓની રચના કરવામાં અને ઋષિમુનીઓ નવા નવા શ્લોકો બનાવવાની પ્રેરણા આપતો હતી.

વરુણ દેવને આકાશના દેવતા તરીકે પણ પૃથ્વી પરની  નૈતિક અને લૌકીક વ્યવસ્થાના સંરક્ષક તરીકે પુજવામાં આવતો હતો. સુર્યદેવ દરરોજ સવારે સાતઘોડાના રથમાં બેસીને પૃથ્વીને પ્રકાશમય બનાવે છે. અને જીવનને ટકાવી રાખે છે. દેવો ઉપરાંત સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા વિ દેવીઓનો ઉલ્લેખ છે. જેના કાર્યો શું છે તે સામાન્ય લોકોની સહજ જાણમાં છે. આમ વૈદિક લોકો કોઇપણ કુદરતી ઘટના બને તો તેમાં ઉપર મુજબના દેવ–દેવીઓની દિવ્યશક્તિઓ તેની કર્તાહર્તા તરીકે જવાબદાર ગણવામાં આવતી હતી. માટે તે બધાની પુજા, ભક્તિ અને અન્ય રીતોથી રિઝવવા યજ્ઞો વિ. માં બલી પણ ચઢાવતી હતા.

યજ્ઞ શું હતો? એક બ્રહ્માંડનું નાનું સ્વરુપ પણ સમય જતાં બ્રાહ્મણ પુરોહિતની આજીવિકા ટકાવી રાખવાનું એક માત્ર સાધન! યજ્ઞની વૈચારીક–આધ્યાત્મિક  પિરામીડ પર જ વૈદિક સંસ્કૃતી ઉભી રહેલી હતી. વૈદિક કાળમાં યજ્ઞ એક સંગઠિત, અને અનુશાસીત પ્રક્રિયા હતી. લોકસમુહને એકત્ર કરવાનો એક સુવ્યવસ્થિત પ્રસંગ હતો.

 યજ્ઞોનો વ્યક્તિગત અને સામાજિક ઉદ્દેશ પણ હતો. તે  વૈદિક સમય માં એક સામાજિક ઉત્સવ બની ગયો હતો. માનવી પોતાની ઇચ્છાઓ યજ્ઞ કરવાથી સંપુર્ણ સફળ થશે એવી શ્રધ્ધા હોવાથી તે પ્રમાણે યજ્ઞ અને તેના આધારિત  ક્રિયાકાંડો વૈદિક જીવનસરણીનો એક ભાગ બની ગયો હતો. માનવ જીવનની તમામ સમસ્યાઓ અને ઇચ્છાઓ મંત્રો અને તેના આધારિત યજ્ઞ અને કર્મકાંડો કરવાથી ઉકેલી શકાય તેવી જબ્બ્રરજસ્ત શ્રધ્ધા કે અંધશ્રધ્ધા વૈદિક સમયમાં એક જીવન પધ્ધતિ બની ગઇ. વૈદિક તત્વજ્ઞાનમાં તમામ બ્રહ્માંડના તત્વો અને માનવ શરીરનું સંચાલન કુદરતી નિયમબધ્ધતાનું પરિણામ છે અને આકાશી કાલ્પનિક દેવોની ઇચ્છાથી કઠપુતલીની માફક નાચતા પરિબળો નથી તે સત્ય કેમ સ્વિકૃત ન બન્યા તે કોયડો આજે પણ કોયડા તરીકે ચાલુ છે!

વધુ ભાગ– ૨ માં.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––



 




--

ભાગ–૩ વૈદિક જ્ઞાન.

ભાગ–૩ વૈદિક જ્ઞાન. તેના આધારિત માનવ પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો– આખરે સમાજ જીવનનો કબજો બ્રાહ્મણવાદ પાસે–પરિણામ– સમગ્ર સમાજમાં ફેલાઇ ગયેલી સામાજીક,ધાર્મીક અને આધ્યાત્મિક તમામ ચરમકક્ષાની વિકૃતી અને બદીઓનો ભોગ બન્યો.(The Aryan Community before Gautama Buddha's time was steeped in the worst kind of  debauchery, social, religious & spiritual.)

વૈદીક સમાજ એટલે આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં ગંગા–જમનાના મેદાનોની ફળદ્રુપ જમીનમાં વિકસેલી આર્યસંસ્કૃતિ.જે સમાજની જીવન પધ્ધતિ મુખ્ય વ્યવસાય કૃષિ આધારીત વર્ણવ્યવસ્થા હતી. સદર વ્યવસાયો કુદરતી પરિબળો જેવા કે વરસાદ, દુકાળ, પુર અને આગ, ધરતીકંપ વિ.ની અનિશ્ચિતતાઓ પર સંપુર્ણ આધારીત હતા. આપણે છેલ્લા બે લેખોમાં જોયું કે સમગ્ર વૈદીક જ્ઞાન, ચર્ચા અને ઉપાયો કૃષિ સમસ્યાઓને આકાશી દેવો અને કુદરતી પરિબળોને રિઝવવાથી ઉકેલી શકાય તે માન્યતા એક સત્ય બની ગઇ. સાથે સાથે તમામ માનવીય સમસ્યાઓ પણ દૈવ સંચાલિત જ છે, માટે તે સમસ્યાઓનો ઉકેલ પણ દેવોને રિઝવવાથી ઉકેલી શકાય. આકાશી દેવો અને માનવીય સમસ્યાઓ બંનેના ઉકેલ માટેનો મધ્યસ્થી બ્રાહ્મણ. જેમ દેવ દેવીઓને મંત્ર, યજ્ઞ, તેની વિધિઓ અને બલિદાનો આપીને રિઝવી શકાય તેવી જ રીતે માનવીની કાલ્પનીક કે વાસ્તવિક " આધી–વ્યાધી–ઉપાધી" તમામ બ્રાહ્મણ વર્ગના સહારે મંત્ર,તંત્ર,યજ્ઞ,કર્મકાંડ અને દાનદક્ષિણા બ્રાહ્મણોને આપીને ઉકેલી શકાય, તે સત્ય સમાજમાં પેદા થઇ ગયું.

          આમ વૈદિક સમયમાં વેદો આધારીત તમામ ક્રિયાકાંડ કરવાનો વ્યવસાય બ્રાહ્મણ વર્ગની એકહથ્થુ સર્વસત્તાધીશ માલિકીનો બની ગયો. તે વ્યવસાય સમયાંતરે જન્મગત બની ગયો.  તે જમાનામાં ખરેખર બ્રાહ્મણવર્ગ આવા ધર્મનો સંરક્ષક બની બેઠો. તેથી તે બ્રાહ્મણવાદી ધર્મનું સર્જન, બ્રાહ્મણો દ્રારા,બ્રાહ્મણ હિતો માટે અસ્તિત્વમાં આવ્યો. સામાન્યજનની જન્મ,અને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની તમામ રોજબરોજની  સમસ્યાઓના ઉકેલ માટે બ્રાહ્મણવર્ગ નૈતીકઅને વાસ્તવિક ઉધ્ધારક બની ગયો. સાથે સાથે આ વર્ગ બીજા વર્ગોની શ્રમ–ઉત્પાદનની બચત ઓહીયાં કરતો એવો બની ગયો કે  સમાજના તમામ અનૈતિક દુષણોનો ભોગ બની ગયો. સવારમાં ઉઠીને આ બ્રાહ્મણ વર્ગનો ધંધો એવા યજમાનોની શોધમાં શરુ થતો કે જે તેમના માટે દુઝણી ગાય હોય. વૈદિક ધર્મના કર્મકાંડો આધારિત સ્થાપિત હિતોના સંરક્ષક રાજાથી શરુ કરીને તે સમાજનું કોઇ અંગ બાકી ન હતું.  જુગાર, દારુ, વ્યભિચાર, અરસપરસના માલેતુજાર હિતોને  સાચવવા માટેનો સંદેશા વાહક બની ગયો. ગ્રહો, કુંડળીઓ, શુકન–અપશુકન,ત્રિકાળ જ્યોતિષ જાણનાર,આ વર્ગનો મુખ્યધંધો બની ગયો. માંગલિક પ્રસંગોના મુર્હત, શ્રાધ્ધની વિધીઓ, ભુમિપુજા, વાસ્તુવિધિ, દરેક દેવોને રિઝવવાના રંગબેરંગી પથ્થરોના રત્નો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, નક્ષત્રોની વ્યક્તિગત અસરોમાંથી બચવા જપ–વિધિ વિ. આકાશી ખરતા તારાની અસરો, તમામ શુભ–અશુભ વિધિઓની ઓળખોનો વિષય નિષ્ણાત બની બેઠો! સમગ્ર બ્રાહ્મણ વર્ગનો સવારથી સાંજ સુધી દેખાડો કરવાનો ઇશ્વરી પ્રતિનિધિનો અને વર્તન કરવાનું બિલકુલ ઇશ્વરના સુચિત ગુણો વિરુધ્ધનું. ( No man ever lived  so Godless yet so Godlike.)

   વૈદીક સમયથી આર્યવ્રતના દરેક રાજાના મહેલમાં ખાસ જુગાર રમવાનો હોલ હતો. તેઓ ખાસ નિષ્ણાત જુગારીને સારા પગાર આપીને ધંધે રાખતા હતા. જેમ કે દુર્યોધને યુધિષ્ઠિરને હરાવવા ' મામા શકુની' ને રાખેલ હતા.અને દ્રોપદીને એક મિલકત ગણીને જુગારના દાવામાં મુકીને હારી ગયેલા. રુગવેદકાળમાં જુગારની બદી રાજમહેલમાંથી નીકળીને ગરીબના ઝુંપડાસુધી ફેલાઇ ગઇ હતી. કૌટિલ્યના સમયકાળમાં જુગારખાના રાજાની કાયદેસરની પરવાનગી લઇને ( અમેરીકાના લાસવેગાસના અધિકૃત કેસીનો જુગારખાનાની માફક ) ચલાવવામાં આવતા હતા.

      આર્યો જુગારની માફક જ દારુની બદીમાં પણ ગળાડુબ હતા. સોમ રસ તે રાજા મહારાજા, ઉમરાવો અને યજ્ઞના સંચાલકોનું પીણું હતું જ્યારે સુરા નામનું માદક પીણુ બાકીના સામાન્ય જન માટે હતું. આર્યન પુરુષોની સાથે સોમરસ તે આર્યન સ્રીઓનું પણ પસંદગીનું  મધ્યપાન બની ગયું હતું.( The most shameful part of it was that even the Aryan women were addicted to drink.)


        આર્યસંસ્કૃતિમાં તે સમયે સમાજ, ચાર વર્ણોમાં આડો અને ઉભો  વહેંચાઇ ગયેલો હતો. તે સમાંતર ( આડો) કરતાં ઉભો, ઉંચનીચમાં સામાજીક, આર્થીક અને દુન્યવી હિતોના સંદર્ભમાં ચતુર્વણમાં વહેંચાઇ અને વહેરાઇ ગયેલો હતો. બ્રાહ્મણ અને ક્ષત્રિયોના હિતો એક બીજાની આમને સામને હતા.તેથી તેમની વચ્ચે લોહીયાળ યુધ્ધો સામાન્ય હતા. બ્રાહ્મણ રાજા પરશુરામે ૨૧ વાર પૃથ્વીને ક્ષત્રિયોના વંશને મુળમાંથી નાશ કરવા યુધ્ધો કર્યા હતા તેવી દંતકથા છે.( The wars between Khatriyas and Brahmins were not merely occasional riots. They were of total extermination.) ક્ષત્રિયો અને બ્રાહ્મણો પોતાનું વર્ચસ્વ એકબીજા પર ટકાવી રાખવા યુધ્ધો કરતા હતા. બંને ને વૈશ્ય અને શુદ્રોને પોતાની એડી નીચે કચડાયેલા રાખવા હતા. તેમાં ય વૈશ્ય તો એક વર્ગ તરીકે ક્ષત્રિયો અને બ્રાહ્મણો માટે 'દુઝણી ગાય' હતો.

       આર્યન સમાજમાં જાતીય વિકૃતતા અને  અનૈતીક્તા તેના ચરમ શીખરે હતી. રુગવેદમાં સગાભાઇ અને બેન વચ્ચે લૈંગીક સંબંધોનો ઉલ્લેખ છે. પિતા– દિકરી, દાદા–પૌત્રી. તેમાંથી બાકાત નથી. જાતિય સંબંધોની વિકૃતતાની એવી નોંધ છે કે રુષિઓ યજ્ઞની વેદીની સામે જાહેરમાં આવા અનૈતીક કૃત્યો કરતા હતા.( The Aryans did not mind cohabiting with women in open and within the sight of people.  કુંવારી માતા બનવાનો ઇજારો ફક્ત જીસસની માતા મેરી ન હતો. સીતાજી અને દ્રોપદી પણ કુમારી માતાની જ દિકરીઓ હતી. પાંડવોની માતા કુંતીને કર્ણ સિવાય બીજા પણ પુત્રની  જન્મદાતા તરીકેનો ઉલ્લેખ છે. મેઘાવી અને ઉચી જૈવીક લક્ષણો ધરાવતા દેવોના જુદા જુદા સમાજના પુરુષો સાથે આર્ય સમાજની સ્રીઓ જાતીય સંબંધ બાંધે તે આવકાર્ય ગણાતું. જેથી તેમાંથી જન્મેલ  વંશ વધારે પરાક્રમી બને!.( The Aryans allowed their women to have sexual intercourse with any one of the  class of Devas in the interest of  good breeding.)

         કોઇપણ યજ્ઞ કે અન્ય કોઇપણ સ્થળે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલ વિધિમાં દાન આપવું અનિવાર્ય છે. દાનનું પ્રમાણ કે જથ્થો વિધિ કે કર્મકાંડની ક્રિયા પર આધારીત હોય છે. એક જ યજ્ઞની વિધિમાં પણ તેના જુદા જુદા આરંભથી શરુ થઇને અંત સુધી દાન લેવાના  ચતુરાઇપુર્વકના રસ્તાઓ શોધી કાઢવામાં આવેલા હોય છે. બ્રાહ્મણને આપેલી ૧૦૦૦ ગાયોના દાનથી, દાન આપનારને સ્વર્ગમાં તમામ સુખની સુવિધાઓ વિનાવિઘ્ને યજ્ઞ કરાવનાર યજમાનને મલશે! ઇશ્વર જો તેના ભક્તને યજ્ઞ કરવાથી બદલો આપતો હોય તો તે કરાવનાર બ્રાહ્મણને દાન કેમ આપવામાં ન આવે! યજ્ઞમાં બલી તરીકે માનવબલી સહિત બીજા ચાર પ્રાણીઓ ઘોડો, ગાય, બળદ ઘેટા બકરાં નો ઉલ્લેખ છે. માનવબલીમાં બ્રાહ્મણ અને શુદ્રને મુક્તિ. તે માટે ક્ષત્રિય અને વૈશ્ય માન્ય. યુધ્ધમાં ઘોડાનું મહત્વ અને ખેતીમાં ગાય,બળદનું મહત્વ હોઇ ક્રમશ તે સ્થાનમા ઘેટાબકરાં વિ આવી ગયા. પણ યજ્ઞમાં પ્રાણીબલીની પ્રથા સદીઓ સુધી ચાલુ રહી. યજ્ઞ એક સમગ્ર સમાજ માટે એક સામુહિક  તહેવાર બનીને ઉજવવા માંડયો. યજ્ઞમાં આહુતિથી મળેલ  પશુઓના માંસની મિજબાની સોમરસ વિ. સામાન્ય હતુ .તમે જુઓ કે આર્યોના વૈદિક ધર્મમાં તમામ પ્રકારની વિકૃતીઓ હતીં. જેને સદાચારી ધર્મ કહેવાય તેવાં કોઇ લક્ષણો તેમાં નહતા. 

( ખાસ નોંધ– સદર લેખમાં ઘણા અંગ્રેજી વાક્યો બાબા સાહેબ આંબેડકરના  પુસ્તક– " Revolution and Counter- Revolution in Ancient India- Dr B.R. Ambedkar" - Chapters 1 to 4 ના સૌજન્ય–આભાર સહિત લીધેલ છે.) 

 આગામી  લેખ નં ૪ –૫ માં સદર બ્રાહ્મણ કે સનાતન ધર્મ સામે વિદ્રોહ કરનાર બૌધ્ધ અને ચાર્વકના વિચારોને ક્રમશ સમજીશું.



--

ભાગ–૪ બ્રાહ્મણવાદી વૈદીક ધર્મ અને આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સામે બૌધ્ધ ધર્મની જ્ઞાન આધારિત ક્રાંતિ.

ભાગ–૪ બ્રાહ્મણવાદી વૈદીક ધર્મ અને આદિ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત સામે બૌધ્ધ ધર્મની જ્ઞાન આધારિત ક્રાંતિ.

મિત્રો, અગાઉના ત્રણ ભાગમાં કુદરતી પરિબળોને ઇશ્વરી કે પારલૌકીક પરિબળો સમજીને જે કોઇ ચિંતન અને તેના આધારીત સમાજની વ્યવસ્થા કેવી ઉભી થઇ તેની વાત કરી હતી. તે હકકીતને એકાદ પેરાગ્રાફમાં વિચારોનો તંતુ જળવાઇ રહે તે સમજીને  નીચે રજુ કરી છે.

વૈદીક સમાજ એટલે આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં ગંગા–જમનાના મેદાનોની ફળદ્રુપ જમીનમાં વિકસેલી આર્ય સંસ્કૃતિ.જે સમાજની જીવન પધ્ધતિ મુખ્ય વ્યવસાય કૃષિ આધારીત વર્ણવ્યવસ્થા હતી. સદર વ્યવસાયો કુદરતી પરિબળો જેવા કે વરસાદ, દુકાળ, પુર અને આગ, ધરતીકંપ વિ.ની અનિશ્ચિતતાઓ પર સંપુર્ણ આધારીત હતા. આપણે છેલ્લા ત્રણ લેખોમાં જોયું કે સમગ્ર વૈદીક જ્ઞાન, ચર્ચા અને ઉપાયો કૃષિ સમસ્યાઓને આકાશી દેવો અને પૃથ્વી પરના કુદરતી પરિબળોને રિઝવવાથી ઉકેલી શકાય તે માન્યતા એક સત્ય બની ગઇ. સાથે સાથે તમામ માનવીય સમસ્યાઓ પણ દૈવ સંચાલિત જ છે, માટે તે સમસ્યાઓનો ઉકેલ પણ દેવોને રિઝવવાથી ઉકેલી શકાય. આકાશી દેવો અને માનવીય સમસ્યાઓ બંનેના ઉકેલ માટેનો મધ્યસ્થી બ્રાહ્મણ. જેમ દેવ– દેવીઓ અને કુદરીપરિબળોને મંત્ર, યજ્ઞ, તેની વિધિઓ અને બલિદાનો આપીને રિઝવી શકાય તેવી જ રીતે માનવીની કાલ્પનીક કે વાસ્તવિક " આધી–વ્યાધી–ઉપાધી" તમામ બ્રાહ્મણ વર્ગના સહારે મંત્ર,તંત્ર,યજ્ઞ,કર્મકાંડ અને દાનદક્ષિણા બ્રાહ્મણોને આપીને ઉકેલી શકાય, તે સત્ય સમાજમાં ઉપરના વર્ગથી શરુ કરીને શુદ્ર વર્ગ સુધી સ્વીકૃત બની ગયું.

          આમ વૈદિક સમયમાં વેદો આધારીત તમામ ક્રિયાકાંડ કરવાનો વ્યવસાય બ્રાહ્મણ વર્ગની એકહથ્થુ સર્વસત્તાધીશ માલિકીનો બની ગયો. તે વ્યવસાય સમયાંતરે જન્મગત બની ગયો.  તે જમાનામાં ખરેખર બ્રાહ્મણવર્ગ આવા ધર્મનો સંરક્ષક બની બેઠો. તેથી તે બ્રાહ્મણવાદી ધર્મનું સર્જન, બ્રાહ્મણો દ્રારા,બ્રાહ્મણ હિતો અને બ્રાહ્મણવર્ગના સંરક્ષણ માટે અસ્તિત્વમાં આવ્યો. સામાન્યજનની જન્મ,અને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની તમામ રોજબરોજની  સમસ્યાઓના ઉકેલ માટે બ્રાહ્મણવર્ગ નૈતીકઅને વાસ્તવિક ઉધ્ધારક બની ગયો. સાથે સાથે આ વર્ગ બીજા વર્ગોની શ્રમ–ઉત્પાદનની બચત ઓહીયાં કરતો એવો બની ગયો કે  સમાજના તમામ અનૈતિક દુષણોનો ભોગ બની ગયો. સવારમાં ઉઠીને આ બ્રાહ્મણ વર્ગનો ધંધો એવા યજમાનોની શોધમાં શરુ થતો કે જે તેમના માટે દુઝણી ગાય હોય! વૈદિક ધર્મના કર્મકાંડો આધારિત સ્થાપિત હિતોના સંરક્ષક રાજાથી શરુ કરીને તે સમાજનું કોઇ અંગ બાકી ન હતું.  જુગાર, દારુ, વ્યભિચાર, અરસપરસના માલેતુજાર હિતોને  સાચવવા માટેનો સંદેશા વાહક બની ગયો. ગ્રહો, કુંડળીઓ, શુકન–અપશુકન,ત્રિકાળ જ્યોતિષ જાણનાર,આ વર્ગનો મુખ્યધંધો બની ગયો. માંગલિક પ્રસંગોના મુર્હત, શ્રાધ્ધની વિધીઓ, ભુમિપુજા, વાસ્તુવિધિ, દરેક દેવોને રિઝવવાના રંગબેરંગી પથ્થરોના રત્નો, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, નક્ષત્રોની વ્યક્તિગત અસરોમાંથી બચવાના ઉપાયો, જપ–વિધિ વિ. આકાશી ખરતા તારાની અસરો, તમામ શુભ–અશુભ વિધિઓની ઓળખોનો વિષય– નિષ્ણાત બની બેઠો! સમગ્ર બ્રાહ્મણ વર્ગનો સવારથી સાંજ સુધી દેખાડો કરવાનો ઇશ્વરી પ્રતિનિધિનો અને વર્તન કરવાનું બિલકુલ ઇશ્વરના સુચિત ગુણો વિરુધ્ધનું. ( No man ever lived  so Godless yet so Godlike.) 



      ચાર વેદોની સામે ત્રણ નાસ્તિક વિચારસરણી અસ્તીત્વમાં આવી. સદર ત્રણેય વિચારસણીએ વેદોને ઇશ્વરી સર્જન છે તેનો અસ્વીકાર કર્યો. બૌધ્ધ, જૈન અને ચાર્વાક.આ ત્રણ નાસ્તિક વિચારસરણીમાં ફક્ત ચાર્વક વિચારસરણી ભૌતીકવાદી હતી. જેણે પ્રત્યક્ષ કે પરોપરુપે ભૌતિક પાંચ ઇન્દ્રીયોની મદદથી મગજને મળતા સંદેશાથી જે સમજ, જ્ઞાન અને શાણપણ આધારીત જે સત્ય મળે છે તે સિવાયના કોઇપણ જ્ઞાનનો ધરમુળથી અસ્વીકાર કર્યો હતો.આપણી ચર્ચામાં બૌધ્ધ અને ચાર્વાકના તત્વજ્ઞાને  મહત્વ આપ્યું છે.


બૌદ્ધ ધર્મ એક ક્રાંતિ હતી. તે ફ્રેન્ચ ક્રાંતિ જેટલી જ મહાન ક્રાંતિ હતી. ભલે તે ધાર્મિક ક્રાંતિ તરીકે શરૂ થઈ હતી, તે ધાર્મિક ક્રાંતિ કરતાં વધુ સામાજીક ક્રાંતિ બની હતી. તે એક સામાજિક અને રાજકીય ક્રાંતિ બની હતી. આ ક્રાંતિનું આ પાત્ર કેટલું ગહન છે તે સમજવા માટે, ક્રાંતિ શરૂ થાય તે પહેલાં સમાજની સ્થિતિ જાણવી જરૂરી છે

તેમના શિક્ષણ દ્વારા તેમણે લાવેલા મહાન સુધારાને સમજવા માટે, બુદ્ધે તેમના જીવનના મિશન પર નીકળ્યા ત્યારે આર્ય સંસ્કૃતિની અધોગતિશીલ સ્થિતિનો થોડો ખ્યાલ રાખવો જરૂરી છે.તેના માટે આ એક વાક્યને સમજવું પુરતું છે. "તેમના સમયનો આર્ય સમુદાય સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, ત્રણેય રીતે સૌથી ખરાબ વ્યભિચારમાં ડૂબેલો હતો.

"જેટલો લાંબો સમય જીવે છે, અવલોકન કરે છે અને વિચારે છે, તેટલો જ તેને ઊંડાણપૂર્વક લાગે છે કે પૃથ્વી પર એવો કોઈ સમુદાય નથી જે રાજકીય દુષ્ટતાઓથી પોતાના જ કૃત્યોને કારણે ઓછો પીડાતો હોય! હિન્દુ સમુદાય કરતાં વધુ સ્વ-લાદિત, સ્વ-સ્વીકૃત અથવા સ્વ-નિર્મિત અને તેથી ટાળી શકાય તેવા દુષ્ટતાઓથી પીડાતો હોય." – સર ટી. મધ્વ રો.પૃષ્ઠ- ૧૬.

સિદ્ધાર્થ ગૌતમનો જન્મ ૫૬૩ બી.સી.માં થયો હતો.મૃત્યુ  ૪૮૩ બી.સી.માં થયું હતું. પોતાના મિશનને પાર પાડવા માટે, બુદ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછીના બધા દિવસો આશરે ૪૦ વર્ષો સમર્પિત કર્યા. તથાગત બુધ્ધ બનતાં પહેલાં  ગૌતમ એક રાજવંશ ઘરાનામાં જન્મેલા હતા. તેમનું વ્યક્તિત્વ જ ભવ્ય હતું. તે જોવામાં સુખદ, પ્રેરણાદાયક, વિશ્વાસ પ્રેરક હતું. છે,  શરીરનો રંગ ગોરો હતો. અર્હતોના ગુણથી સદ્ગુણીહતા. ભલાઈ, સુખદ અવાજ અને નમ્ર સંબોધન તેમની અનોખી માનવીય સિધ્ધી હતી. તેમનામાં વાસનાનો કોઈ જુસ્સો બાકી નથી કે મનની કોઈ ચંચળતા નથી. તેઓએ બધા માણસોને આજ્ઞા આપી શકે તેવી વ્યક્તિગત નિપુણતા પ્રાપ્ત કરી હતી.

સાધુ ગૌતમ ધાર્મિક જીવનમાં ઉતર્યા તે પહેલાં પોતાના સગાસંબંધીઓના મહાન કુળનો ત્યાગ કર્યો છે, જમીન પર દટાયેલા અને ઉપરના ઘણા પૈસા અને સોનું, ખજાનો છોડી દીધો. ખરેખર, જ્યારે તેઓ યુવાન હતા, તેમના માથા પર સફેદ વાળ નહોતા, ત્યારે તેઓ ગૃહસ્થ જીવનથી બેઘર સ્થિતિમાં આવી ગયા.(The beauty of his early manhood, was, he went forth from household life into a homeless state) તેમના જેવા જીવનમાં માત્ર સુખદ રીતભાત, સહાનુભૂતિ અને દયા જેવા ફક્ત ગુણો નહી. પરંતુ દૃઢતા અને હિંમતની પણ માંગ હતી.તથાગત બુધ્ધના જીવનમાં વિચાર અને વર્તન વચ્ચે લેશમાત્ર વિરોધા ભાસ નહતો. વૈદિક સમાજના બ્રાહ્મણવાદી દંભી વ્યક્તીત્વની સામે બુધ્ધ પોતે જ એક સરળ વૈચારીક વિકલ્પ બની ગયા. પથદર્શક બની ગયા.તેથી તે બધાના  અસીમ પ્રિય બની ગયા. માટે જ  તેમનો ધર્મ જંગલની આગની જેમ  ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં ફેલાઇ ગયો.

મુખ્ય બલિદાન પશુ બલિદાન હતું. હજારોની સંખ્યામાં પ્રાણીઓનું બલિદાન થતું રહ્યું. યજ્ઞ એ નિયમિત પશુ હત્યાકાંડ બની ગયો જેમાં બ્રાહ્મણો કસાઇઓ તરીકે કામ કરતા હતા. યજ્ઞને સામાજિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવતો હતો. બુદ્ધે જે ઉપદેશ આપ્યો હતો તેનું પાલન કર્યું. તેમણે જે કર્યું તે સૌથી મહત્વપૂર્ણ હતું તે સારું અને શુદ્ધ જીવન જીવવાનું. જેથી તે બધા માટે એક મોડેલ તરીકે સેવા આપી શકે.  યજ્ઞ પ્રેરીત કર્મકાંડી બ્રાહ્મણ ધર્મ સામે લોકોને વિચાર–વર્તનની એકરુપતા સહેલાઇથી મેળવવા પંચશીલાના નીયમો બનાવ્યા જેને અમલમાં મુકવા સરળ હતા.

         પંચ શિલા— સામાન્ય લોકો માટે.(૧) હત્યા ન કરવી,(૨) ચોરી ન કરવી,(૩) જૂઠું ન બોલવું,(૪)વ્યભિચાર ન કરવો (૫) માદક દ્રવ્યો ન પીવા.

         સાધુઓ માટે– (૬) પ્રતિબંધિત સમયે ખાવું નહીં,(૭) ગાવું, નૃત્ય કરવું નહીં, નાટક ન કરવું (૮) સુગંધ, માળા અને આભૂષણોથી દૂર રહેવું. (૯) ઊંચા કે પહોળા પલંગથી દૂર રહેવું (૧૦) પ્રજા પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષરુપે ક્યારેય પૈસાકે અન્ય ચીજ વસ્તુઓ દાનમાં ન લેવી.

બુદ્ધે - (a) વેદો ઇશ્વર સર્જીત છે તેનો ઇનકાર કર્યો, (b) તમામ પ્રકારના યજ્ઞની ઉપયોગિતાનો ઇનકાર કર્યો (c) પ્રાણીઓની કતલ અથવા હત્યાને પોતાના ધર્મમાંથી બાકાત રાખી. (d) તેમણે જાતિ વ્યવસ્થાની નિંદા કરી. વૈદીક ધર્મે જે જન્મ આધારીત ચારવર્ણમાં સૌથી ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સીથી નીચે શુદ્ર્ આધારીત ક્રમિક અસમાનતા( Graded inequality) પ્રમાણે સમાજની વહેંચણીનો સખત વિરોધ કર્યો હતો. - બુદ્ધે શુદ્ર અને સ્ત્રીઓને ભિક્ષુ બનવા માટે સ્વીકાર્યા અને પ્રોત્સાહિત કર્યા અને શિક્ષણ માટે સમાન ગણ્યા.

     અબોલ પ્રાણીઓને મારવા નહીં- તેનો વ્યાપક અર્થ- શ્વાસ લેનારા બધા જીવો પ્રત્યે સકારાત્મક સહાનુભૂતિ.. શુભ ઇચ્છા. બધા જીવો પ્રત્યે પ્રેમ અને શાણપણ ભર્યો સરળ વ્યવહાર.. સાર્વત્રિક દયા.

      બુદ્ધે શાણપણ(Wisdom)ના સિદ્ધાંતને એટલી જ મજબૂતીથી વળગી રહ્યા હતા જેટલી મમતા તેઓને  પ્રેમના સિદ્ધાંત પ્રત્યે હતી. તેમણે કહ્યું કે નૈતિક જીવન જ્ઞાનથી શરૂ થાય છે. અને શાણપણથી સમાપ્ત થાય છે. તેઓ વિશ્વને બ્રાહ્મણવાદ ના દુષણોથી બચાવવા આવ્યા હતા.; આ લક્ષ્યને પ્રાપ્ત કરવાની તેમની પદ્ધતિ અજ્ઞાનનો નાશ અને જીવનના સાચા મૂલ્ય અને જીવન જીવવાની શાણપણપૂર્ણ રીત વિશે જ્ઞાનનો પ્રસાર હતો. બુદ્ધે લોકોને બચાવવાની શક્તિનો જાણે પોતાનો અહંકાર હોય તે રીતે ક્યારેય ઉપયોગ કર્યો નહતો. લોકોએ તે પોતાના માટે જ કરવાનું હતું.

       " આત્મ દિપો ભવ" તું તારા દિલનો દિવો બન! તે કોઇના પણ તારણહાર હતા તેવો દાવો ક્યારેય કર્યો નહતો. અને બચાવવાનો માર્ગ જ્ઞાન દ્વારા જ હતો. તેમણે જ્ઞાન પર એટલો બધો આગ્રહ રાખ્યો કે તેમને જ્ઞાન વિનાની નૈતિકતા સદ્ગુણ લાગતી નહોતી.

       તથાગત બુધ્ધે તે જમાનામાં દરેકને, જે આજે પણ સત્ય શોધવાના માર્ગ તરીકે મદદરુપ થાય તેમ છે તે આ પ્રમાણે છે.

  હું કહું છું માટે તે સત્ય છે તેમ માનીને કદાપી સ્વીકારશો નહી. તમારા વડીલો, ગુરુઓ કહે છે માટે સ્વીકારશ નહી. પરંપરાથી ચાલુ આવે છે માટે તે સત્ય છે એમ માની સ્વીકારશો નહી. કોઇપણ ધર્મ પુસ્તકમાં લખ્યું છે માટે તે સત્ય છે તેને આધારે પણ વર્તન કરશો નહી. પણ તમારી વિવેકશક્તિથી, સુઝબુઝથી જે સત્ય અનુભવાય તેને જ સ્વીકારજો.

 વધુ ભાગ–૫. હવે પછી.



--

ભાગ–૫– ચાલુ ચર્ચા બૌધ્ધ ધર્મના મુલ્યો અંગે–

ભાગ–૫– ચાલુ ચર્ચા બૌધ્ધ ધર્મના મુલ્યો અંગે–

ગૌતમબુધ્ધ– મહેલોના રાજપાટ છોડીને જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો.– જેને વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કરુણા, અહીંસા અને અપરિગ્રહનો માર્ગ પસંદ કર્યો– બુધ્ધે ઇશ્વર કે દેેવના ભક્ત બનીને તેમની શરણાગતી સ્વીકારવાને બદલે, સામાજીક ક્રાંતિના અગ્રેસર બન્યા.

(૧) ધર્મનું કામ માનવીને મૃત્યુ પછી મોક્ષ આપવાનું નથી પણ  જીવતે જીવ એક ન્યાયપુર્ણ સમાજ બનાવવાનો છે–ધર્મ કોઇ પારલૌકીક પરિબળ નથી પણ સમાજમાં શાંતિ અને સમૃધ્ધિ લાવવા માટેનું ગતિશીલ સાધન છે.––ધર્મનો સંબંધ જીવનની વાસ્તવિકતાઓ સાથે હોવો જોઇએ. કપોળકલ્પિત રુઢી રિવાજો અને કર્મકાંડો સાથે નહી!–મોક્ષ અને સ્વર્ગ સાથે તો બિલકુલ નહી. વિશ્વના તમામ ધર્મો માનવીને મૃત્યુ પછીનું જીવન કેવી રીતે જીવવું માટે વર્તમાન જીવનનમાં માર્ગદર્શન આપે છે.– બુધ્ધના ધર્મમાં બે વસ્તુઓનો અસ્વીકાર છે એક આત્મા અને બીજો ઇશ્વર.કારણકે બંને અપરિવર્તનશીલ અને પુરાવા વિહિન છે.

(૨) તો પછી ધર્મનું કેન્દ્ર શું? ધર્મનું સાચુ કેન્દ્ર્ માનવી અને તેનો અન્ય માનવો સાથેનો સમાન કક્ષાનો જ્ઞાન આધારિત  નૈતિક અરસપરસનો વ્યવહાર જ ધર્મ છે. તમારુ સારુ જીવન કે ખરાબ જીવનનો આધાર તમારા પસંદગીના કર્મો પર આધારીત છે. સદર કર્મો કદાપી વર્ણ–જ્ઞાતિ– અને જન્મ આધારિત બિલકુલ ન હોવા જોઇએ. માનવી એ પોતાના જીવનમાં જે કર્મો  પોતાના પ્રશ્નો ઉકેલવા પસંદ કરવાના છે તેની પસંદગી તર્ક અને જ્ઞાન આધારીત હોવી જોઇએ. કર્મો ઇશ્વરને ખુશ કરવા કે સ્વર્ગમાં અપ્સરા, પરીઓ અને નર્તકી મેળવવા નથી.

(૩)  માનવ સુખ ભૌતીક છે. તેનો આધાર જ ઇશ્વર અને તેના જેવા બાહ્ય પરિબળોમાંથી સંપુર્ણ મુક્તિ પર આધારિત છે. તર્ક અને જ્ઞાન આધારીત કરેલા નિર્ણયોના પરિણામે કરેલા કર્મો હંમેશાં માનવીને સુખી અને સમૃધ્ધ બનાવે છે. કારણકે તેવા નિર્ણયોમાં ફેરફાર, સુધારાનો અવકાશ, સતત નવી માહિતી અને જ્ઞાનથી બદલવાની પુરી શક્યતાઓથી સંભવિત છે.

(૪) જો ઇશ્વરનું અસ્તિત્વ ન હોય,અને તમામ માનવીઓનાં સર્જન ઇશ્વરી  હોય જ નહી તો પછી તમામ માનવો સમાન છે. જન્મથી કોઇ ઉંચી કે નીચી જ્ઞાતીનો નથી. માનવ માત્ર સમાન છે. ચારવર્ણ આધારીત સમાજ વ્યવસ્થા જ સામાજીક અસમાનતા અને શોષણના કેન્દ્રો છે.શિક્ષિત જ્ઞાન આધારીત પ્રાપ્ત કરેલ નિપુણતાને પ્રમાણે સમાજના કોઇપણ નાગરીકને( સ્રી–પુરુષ બંનેને) કોઇપણ વ્યવસાય કરવાનો અબાધિત અધિકાર છે.માનવ માત્ર જન્મથી જ  સમાન હોય તો સમાજમાં જન્મેલ દરેક માનવીને શિક્ષણ લેવાનો સમાન અધિકાર છે. શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર  કોઇ ઉચ્ચવર્ણમાં જન્મેલાનો અબાધિત અધિકાર ન હોઇ શકે. બુધ્ધના સંઘમાં શુદ્ર્, સ્રીઓ, નાઇ કે વાળંદ અને કુંભાર વિ ને પણ, તમામને ભિક્ષુક બનીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તેનો પ્રચાર–પ્રસાર કરવાનો અધિકાર હતો!

(૫) બુધ્ધ ધર્મ એટલે અહિંસા પરમો ધર્મ. અહિંસા એટલે ફક્ત કોઇના પર હિંસક હુમલો ન કરવો તે પુરતું નથી. પણ મનમાંથી  સામા માનવી પ્રત્યે નફરત જ નાબુદ કરી દેવી. તમામ સજીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને  અહિંસા. બુધ્ધના જીવનનું મિશન માનવ માત્રનું દુ;ખ આ દુનિયામાંથી નાબુદ કરવું. માનવ માત્રના દુ:ખનો ઉપાય શોધી તેને કાયમ માટે નાબુદ કરવો.

 તથાગત બુધ્ધે પોતાના જીવનભરના ત્રણ મુખ્ય ધ્યેયો નક્કી કર્યા તે આધારીત નાગરિકો તથા સમાજમાં જાગૃતતા ફેલાવો કરવા પ્રયત્નશીલ રહ્યા. એક– વેદો ઇશ્વર રચિત છે તેને પડકાર્યા, –બે–  નાગરીકના વ્યક્તિગત કે સામાજીક જીવનમાં યજ્ઞોનો તમામ સ્વરુપે બહિષ્કાર–ત્રણ– તમામ પશુબલિનો વિરોધ.

   બુધ્ધનું તારણ હતું કે માનવીની લાલસા. ઇચ્છા કે વાસનાનું કારણ તેનામાં રહેલો સ્વામિત્વ કે માલિકીપણાનો ભાવ જ મુળ કારણ છે. તેઓએ પોતાના તર્કને અંતિમ બિંદુ પર લઇ જઇને તારણ કાઢયું કે  સદર માલિકીપણાનો ભાવનું મુળ સમાજને જન્મ આધારીત ચાર વર્ણોમાં વહેંચીને ધાર્મીકતાનો ઉપયોગ કરીને સામાજીક, આર્થીક, અને રાજકીય અસમાનતા અને શોષણનો ભોગ બનાવવાનો હતો. તેમાંય શુદ્રો– સ્રીઓને શિક્ષણ,અને મિલકતના હક્કોથી વંચિત કરીને પશુવત જીંદગી જીવવા સદીઓ સુધી મજબુર કર્યા. બ્રાહ્મણવાદ (હિંદુધર્મ)નો સમાજને ચારવર્ણમાં વહેચવાના સિધ્ધાંતને બચાવવા માટે પુર્વજન્મ, વર્તમાનજન્મ અને પુનર્જન્મ અને તે બધાના ટેકમાં કર્મના સિધ્ધાંતનું અર્થઘટન અને ઉપયોગ ભરપેટ કરવામાં આવ્યો હતો. વૈદો–વેદાંતની રચનાઓ અને તેને રાજ્યસત્તાનો ટેકો મળ્યો હતો.

       બુધ્ધે પ્રથમ કામ પોતાના સંઘમાં ભિક્ષુકને માટે પ્રથમ અને કડક શરત મુકી હતી કે દરેક ભિક્ષુક પાસે કોઇપણ પ્રકારની  મિલકતની માલિકી કદાપી નહી હોય. ભિક્ષક પાસે ભિક્ષુક તરીકે આટલી મિલકત માન્ય હતી. એક, પહેરેલાં ત્રણ વસ્રો, બે, એક કમ્મર બંધ,ત્રણ, ભિક્ષાપાત્ર,ચાર, મુંડન અને દાઢી કરવાનો અસ્રો, પાંચ, કપડાં સાંધવાનો સોઇ– દોરો. બસ– આટલું બધું! રશિયામાં લેનીને પોતાના નાગરીકો પાસે તો બુધ્ધના ભિક્ષુકોની સરખામણીમાં ઘણા મિલકતના સાધનો માન્ય રાખ્યા હતા !

બુધ્ધ દ્રારા સ્થાપિત ભિક્ષુકસંઘ એક લોકશાહી એકમ હતું. તેના સ્થાપક બુધ્ધ અને અન્ય ભિક્ષુકો વચ્ચે કોઇપણ પ્રકારની અસમાનતા સગવડો વિ. બિલકુલ નહતી. તેઓએ પોતાના કોઇ ઉત્તરાધિકારીની નિમણુક પણ કરી નહતી.સંઘના માલિક કે તાનાશાહ પોતાની જાતને ન બનાયા. પોતાનો કોઇ ઉત્તરાધિકારી પણ નિમ્યો કે ઘોષિત કર્યો નહી. ' અપ દિપો ભવ; તમે તમારા દિપક સ્વંય બનો. વ્યક્તિ અને સમાજ પરિવર્તનનો માર્ગ " ધમ્મ શરણંમ ગચ્છામી." બુધ્ધના ઉપદેશો મુજબ જીવન જીવવાનો માર્ગ–ઇન્સાનના વિવેક અને નૈતિકતાને કેળવે છે." નૈતિક અને ન્યાયપુર્ણ સમાજ માટેના કેન્દ્રો તૈયાર કરવા. ન્યાય, કરુણા અને નૈતિકતા એટલે બુધ્ધનો ધમ્મા. બુધ્ધ સ્વતંત્રતા, સમાનતા અને બુંધુત્વને સાથે રાખીને પરિવર્તન કરવા માંગે છે.

 વ્યક્તિ પોતાના વિવેકથી સમાનતાના આદર્શને સ્વીકારે છે. પણ પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપીને તો નહી જ. માનવજાતનું ભવિષ્ય કોના પર આધારીત છે? નૈતિક અનુશાસન, પ્રજ્ઞા, કરુણા વિ સાધનો દ્રારા વ્યક્તિ અને સમાજ પરિવર્તન.. ન્યાય માટે સંજોગોવશાત હિંસા બુધ્ધ ને માન્ય છે. ખરેખર તો તે કર્તવ્ય બની જાય છે. અંતિમ અને મજબુરીમાં લેવાતું પગલું તે હિંસા –મોક્ષ, નિર્વાણ અને સ્વર્ગની લોલીપપ માટે તો બિલકુલ નહી.   

ભાગ–૬. ભારતમાં જ બુધ્ધ ધર્મ સ્થાપિત ક્રાંતિની કસુવાડ ! હવે પછી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––



--

આજે ભાજપ––આર એસ એસ સંચાલિત યુપી સરકાર સામે

(૧)  આજે ભાજપ––આર એસ એસ સંચાલિત યુપી સરકાર સામે– યુપી ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ આંતરધાર્મિક યુગલોના લિવ-ઇન સંબંધ ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટ. 

અલ્હાબાદ હાઇકોર્ટમાં પીટીશન કરનાર સાત મુસ્લીમ અને પાંચ હિન્દુ મહિલાઓ હતી….." 

 દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ રાજ્યની ફરજ છે તેમ જણાવતા હાઇકોર્ટે કહ્યું, "માનવ જીવનના અધિકારને ખૂબ ઊંચા સ્તરે ગણવામાં આવે છે, પછી ભલે તે નાગરિકની ધાર્મિક માન્યતા ગમે તે હોય.

(૨)  ગઇકાલના રીપોર્ટમાં ગુજરાત સરકારનો નિર્ણય અંગે–

 ભાજપ–આર એસ એસ સંચાલિત– ગુજરાત સરકાર, પુખ્ત ઉંમરના યુવક–યુવતીઓના લગ્ન કે લીવ ઇન રીલેશનથી સાથે જીવવના કાયદેસરના નિર્ણયમાં  પોતાના સને ૨૦૦૬ના લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરીને  માતાપિતાની સંમતિ પુર્વશરત અને ફરજીયાત બનાવીને માનવ વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવાનું ફક્ત સુનિયોજીત નહિ પણ પુર્વનિયોજત કાવતરું છે.

(૩)અલ્હાબાદ હાઇકોર્ટમાં પીટીશન કરનાર સાત મુસ્લીમ અને પાંચ હિન્દુ મહિલાઓ હતી.– 

અન્ય ધર્મોના પુરુષો સાથે લિવ-ઇન સંબંધમાં રહેવા બદલ કથિત રીતે ધમકીઓ મળ્યા બાદ પોલીસ સુરક્ષા માંગતી સાત મુસ્લિમ અને પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરાયેલી 12 અરજીઓને એકસાથે જોડીને, અલ્હાબાદ હાઇકોર્ટે સોમવારે અવલોકન કર્યું કે આંતરધાર્મિક યુગલોના લિવ-ઇન સંબંધ ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021 હેઠળ ગુનો નથી.

(૪)   આ કાયદા હેઠળ આંતરધાર્મિક લગ્ન પણ પ્રતિબંધિત નથી, કોર્ટે અવલોકન કર્યું.

     ન્યાયાધીશ વિવેક કુમાર સિંહની બેન્ચે અવલોકન કર્યું: "આ કોર્ટ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે કાયદો બે પુખ્ત ઉંમરની વ્યક્તિઓને પણ એક જ લિંગના( સમલિંગીક કે સજાતીય) લોકોને શાંતિથી સાથે રહેવાની મંજૂરી આપે છે, તો પછી કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે રાજ્ય બે મુખ્ય પુખ્ત વ્યક્તિઓના વિષમલિંગી( સ્રી–પુરુષ) સંબંધો સામે વાંધો ઉઠાવી શકે નહીં, જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સાથે રહે છે." 

(૫) દરેક નાગરિકના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ રાજ્યની ફરજ છે તેમ જણાવતા હાઇકોર્ટે કહ્યું, "માનવ જીવનના અધિકારને ખૂબ ઊંચા સ્તરે ગણવામાં આવે છે, પછી ભલે તે નાગરિકની ધાર્મિક માન્યતા ગમે તે હોય. અરજદારો આંતરધાર્મિક સંબંધમાં રહે છે તે હકીકત તેમને ભારતના બંધારણમાં કલ્પના કરાયેલા તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખશે નહીં, જેમ કે ભારતના નાગરિક છે. જાતિ, સંપ્રદાય, લિંગ અથવા ધર્મના આધારે કોઈ ભેદભાવ કરી શકાતો નથી."

(૬) બેન્ચે વધુમાં અવલોકન કર્યું કે કોર્ટ અરજદારોને હિન્દુ અને મુસ્લિમ તરીકે જોતી નથી પણ ફક્ત દેશના નાગરિક તરિકે જુએ છે.

       "તેના બદલે (કોર્ટ તેમને) બે પુખ્ત વયના વ્યક્તિઓ તરીકે જુએ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છા અને પસંદગીથી, લાંબા સમય સુધી શાંતિથી અને ખુશીથી સાથે રહે છે. પુખ્ત વયની વ્યક્તિનો પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહેવાનો નિર્ણય એ વ્યક્તિનો સંપૂર્ણ અધિકાર છે અને જ્યારે આ અધિકારનું ઉલ્લંઘન થાય છે ત્યારે તે તેના/તેણીના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે કારણ કે તેમાં પસંદગીની સ્વતંત્રતા, જીવનસાથી પસંદ કરવાનો અધિકાર અને ભારતના બંધારણના અનુચ્છેદ 21 માં સમાવિષ્ટ ગૌરવ સાથે જીવવાનો અધિકાર શામેલ છે," કોર્ટે અવલોકન કર્યું.

(૭)  આદેશમાં જણાવાયું છે કે અરજદારોને તેમની ફરિયાદોના નિવારણ માટે પોલીસનો સંપર્ક કરવાની સ્વતંત્રતા છે, જો તેમને કોઈ નુકસાન થાય છે.

સૌજન્ય- ભારતીય એક્સ- તારીખ 24 ફેબ્રુઆરી. રીપોર્ટર–ભુપેન્દ્ર પાંડે.




--

Tuesday, February 24, 2026

પુખ્ત ઉંમરના યુવક–યુવતીઓએ લગ્ન કે લીવ–ઇન રીલેશનમાં સાથે જીવવા સ્વનિર્ણય સિવાય કોની પરવાનગી લેવાની?



 પુખ્ત ઉંમરના યુવક–યુવતીઓએ લગ્ન કે લીવ–ઇન રીલેશનમાં સાથે જીવવા સ્વનિર્ણય સિવાય કોની પરવાનગી લેવાની?

          ગુજરાત સરકાર, પુખ્ત ઉંમરના યુવક–યુવતીઓના લગ્ન કે લીવ ઇન રીલેશનથી સાથે જીવવના કાયદેસરના નિર્ણયમાં  પોતાના સને ૨૦૦૬ના લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરીને  માતાપિતાની સંમતિ પુર્વશરત અને ફરજીયાત બનાવીને માનવ વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવાનું ફક્ત સુનિયોજીત નહિ પણ પુર્વનિયોજત કાવતરું છે.

જ્યારે કોઈ સરકાર પુખ્ત વયના લોકો પાસેથી લગ્ન માટે સંમતિ મેળવવા માટે માતાપિતાની પરવાનગી માંગે છે, ત્યારે તે ઘણી બધી લક્ષ્મણ રેખાઓ તોડે છે. તે નાગરિકોના ખાનગી જીવનનું ઉલ્લંઘન કરે છે; નાગરિક સ્વતંત્રતાઓને નબળી પાડે છે. આ તમામ કેન્દ્ર અને ભાજપની રાજ્ય સરકારોનું સત્તાધારી નેતૃત્વ, " અમે ભારતના લોકોના"  માનવ મુલ્યોના સંરક્ષક 'પ્રજાસત્તાક બંધારણ' ને યેનકેન પ્રકારે  લકવાગ્રસ્ત બનાવીને " મનુ સ્મૃતિ" પ્રમાણે અસમાન ચાર વર્ણવ્યવસ્થાવાળા હિંદુ સમાજને અમલમાં મુકવા ઇંધન પુરુ પાડે છે. આવી તમામ ભાજપ શાસિત દેશની કેન્દ્ર અને રાજ્ય  સરકારો હિંદુ – પુરુષ પ્રધાન સમાજના સીધા અને પરોક્ષ હિતોની રખેવાળ છે.

 ટુંકાણમાં મનુસ્મૃતિમાં હિંદુ કુટુંબમાં જન્મેલી દિકરીઓ, કુમારી બાળકીઓ અને તમામ સ્રીઓ માટે શું નિયમો કે કાયદા બનાવ્યા છે તે સમજીએ.

 (૧) દિવસ અને રાત હિંદુ કુટુંબના ઘરની તમામ સ્રીઓ વડીલોની દેખરેખ નીચે જ જીવવી જોઇએ. સ્રીનું બાળપણ તેના પિતાની શિસ્ત નીચે, લગ્ન પછી તેના પતિની હકુમત નીચે અને ઘડપણમાં તેના દિકરાની દેખરેખ નીચે રહેવું જોઇએ. મનુસ્મૃતિ પ્રમાણે હિંદુ સ્રી જન્મથી માંડીને ઘડપણ સુધી તો જીવે  ત્યાં સુધી નામે સ્વતંત્રતા શું ચીજ છે ? તે સમજવી જ ન જોઇએ.છેલ્લે પોતાના મૃત પતિની પાછળ "સતી" બનીને તે બધાને પોતાની ખવડાવવા–પીવડાવવા– કપડા ઓઢાઢવા સુધીની કાયમી જવાબદારીમાંથી મુક્ત કરવા! મનુ– સ્મૃ–અધ્યાય–૯ શ્લોક ૨ અને ૩, ભાવાનુવાદ)page-From 172-179 Book Named Revo & Counter Revo - DR.B. Ambedkar.

"મનુ સ્મૃતિના લેખક, બૌદ્ધ કાળમાં બધી હિન્દુ સ્ત્રીઓને મળતી સ્વતંત્રતાથી વંચિત રાખવા માંગતા હતા.--- મનુ દ્વારા પત્નીને મિલકતના મામલે ગુલામના સ્તર સુધી ઘટાડી દેવામાં આવી હતી. —--મનુના કાયદા હેઠળ સ્ત્રી શારીરિક સજાને પાત્ર છે અને મનુ પતિને તેની પત્નીને મારવાનો અધિકાર આપે છે.---- હિન્દુ સ્ત્રીઓને વેદોનો અભ્યાસ કરવાની મનાઈ હતી. જેમ કે શુદ્રને હતી. ....બ્રાહ્મણે ક્યારેય સ્ત્રી દ્વારા કરવામાં આવતા યજ્ઞમાં અપાતું ભોજન ન ખાવું જોઈએ.--- ક્રમિક અસમાનતાની વ્યવસ્થા( બ્રાહ્મણ સિવાય દરેક નીચલી વર્ણ પોતાનાથી ઉપલા વર્ણથી સામાજીક સ્તરમાં નીચી!) અસમાનતા સામે સામાન્ય અસંતોષના ઉદ્રભવને અટકાવે છે.... અસમાનતાને ઉથલાવી પાડવા માટે બધા વર્ગોમાં એકતા ઉભી થવાની કે સામાન્ય સંયોજનની કોઈ શક્યતા નથી…

બાબાસાહેબ આંબેડકરે ૨૫ ડિસેમ્બર ૧૯૨૭ ના રોજ મહાડ (મહારાષ્ટ્ર) ખાતે મનુસ્મૃતિનું દહન કર્યું હતું [૧, ૪]. તેમણે દલિતો અને સ્ત્રીઓ વિરુદ્ધ ભેદભાવ અને અસમાનતાના પ્રતીક સમાન આ ગ્રંથના કાળા કાયદાઓને નષ્ટ કરવા માટે તેમના સહયોગીઓ સાથે મળીને જાહેરમાં આ ઐતિહાસિક પગલું ભર્યું હતું [૧, ૩, ૪]. ફોટો મુક્યો છે.

        લગ્નની વય સુધી પહોંચનાર દિકરીને પ્રેમ, જાતીય સભાનતા, સંવેદનશીલતાને બદલે પરિપક્વ અને તાર્કીક નિર્ણય લેવા સુધી શૈક્ષણિક કાબેલીયાતમાંથી બાકાત રાખનાર મા–બાપ–વડીલોને શુ કહેશો? કાયદામાં પુખ્ત ઉંમરને  જો નિર્ણય કરવા યોગ્ય સ્વીકારાતી હોય તો સરકાર મા–બાપ, દિકરીઓ અને બહેનોને સારી તમામ પ્રકારની શ્રૈષ્ઠ શૈક્ષણિક સગવડો પુરી પાડવાનું મોંમેરુ કેમ પુરુ પાડતા નથી?

આ દેશની કેન્દ્ર્થી માંડીને તમામ ભાજપ શાસિત રાજ્ય સરકારોને ઓબીસી, દલિત,આદિવાસી, તમામ સ્રીઓ અને લઘુમતી નાગરીકોએ મનુસ્મૃતિના એજન્ડાને અમલમાં મુકનારાના ફક્ત પ્રતિનીધીઓ  તરિકે ઓળખી લે! તે પણ બને તેટલા સત્વરે તે દેશના હિતમાં છે.


  સ્ત્રીઓને છેતરપિંડી માટે સંવેદનશીલ અને સ્વતંત્ર પસંદગી અથવા નિર્ણય લેવામાં અસમર્થ હોવાનું માનીને શિશુત્વ આપે છે. લગ્ન નોંધણી માટે માતાપિતાની સંમતિ ફરજિયાત કરવાનો ગુજરાત સરકારનો પ્રસ્તાવ આ બધી અસ્વીકાર્ય ઘુસણખોરીને સંસ્થાકીય બનાવવાનો છે. "લવ જેહાદ" સામે ઢાલ તરીકે સજ્જ, ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006 માં કરેલા સુધારા, સાંપ્રદાયિક ખામીઓને વધુ ઊંડા કરવાનો ભય પણ ધરાવે છે. ભાજપ સરકાર દ્વારા "છોકરીઓના ગૌરવ અને સનાતન ધર્મનું રક્ષણ" ના નામે આ પ્રતિગામી પગલું ભારતના વિકાસના સ્તંભ તરીકે "નારીશક્તિ" ના વારંવારના આહ્વાન અને અંદાજો અને તેમની સરકારના દાવાઓ કે તે "સબકા વિશ્વાસ" માટે કામ કરી રહી છે તેની સાથે અસહ્ય રીતે બેસે છે.

ગુજરાત સરકારનો વ્યક્તિગત સ્વતંત્રતાને મર્યાદિત કરવાનો અને રાજકીય રીતે રચાયેલા "લવ જેહાદ" ને કાયદેસર બનાવવાનો પ્રયાસ અપમાનજનક છે. પરંતુ આ કોઇ નિર્ણય કરનારાઓની મનોવિક્રૃતિ,કે ચિત્રભ્રમની સ્થિતિનું પરિણામ નથી. રાજ્યોમાં, શંકા અને પૂર્વગ્રહ પરિવારો, સમુદાયો અને જાહેર અધિકારીઓને સ્વ-નિયુક્ત દ્વારપાલ તરીકે ફરીથી રજૂ કરવાનો ભય રાખે છે, સંમતિથી પુખ્ત સંબંધોને રોકવા માટેના જોખમો અને ઉકેલવા માટેની સમસ્યાઓ તરીકે ગણે છે. 

 ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં, "બળજબરીથી ધર્માંતરણ" ને લક્ષ્ય બનાવતા કાયદાઓ આંતરધાર્મિક સંગઠનોની આસપાસ ખેંચાણ તરીકે કામ કરે છે. ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોને અધિકારીઓ સાથે નોંધણી કરાવવાની ફરજ પાડે છે. દરેક પગલા, જે સુરક્ષા તરીકે રજૂ કરવામાં આવે છે, તેણે રાજ્યની તપાસ અને ઘનિષ્ઠ જગ્યાઓ પર આક્રમણનો વિસ્તાર કર્યો છે.

લતા સિંઘવ રાજ્ય ઉત્તરપ્રદેશ (2006) થી શફીન જહાનવ અશોકન કેએમ (2018) થી લક્ષ્મીબાઈ ચંદ્રાગી બીવી કર્ણાટક રાજ્ય (2021) સુધી, બંધારણીય ન્યાયશાસ્ત્રે સતત કલમ 21 ના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણના વચનનું અર્થઘટન કર્યું છે જેમાં બાહ્ય હસ્તક્ષેપ વિના જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. ચુકાદા પછી, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કુટુંબ કે સમુદાય પુખ્ત વયના લોકોની પસંદગી પર વધુ પડતો દાવો કરી શકે નહીં, રાજ્યની ફરજ આ સ્વાયત્તતાનું રક્ષણ કરવાની છે, તે પિતૃત્વવાદી ચકાસણીને આધિન નથી.

ગુજરાત સરકારનો પ્રસ્તાવ પુખ્ત નાગરિકો સાથે રાજ્યના સંબંધોમાં પ્રતિગામી વળાંક દર્શાવે છે. તેને રદ કરવો જ જોઇએ.


૨૫ ડિસેમ્બરને 'મનુસ્મૃતિ દહન દિવસ' તરીકે કેમ ઉજવવામાં આવે છે? ૨૫ ડિસેમ્બર, ૧૯૨૭ ના રોજ ડૉ. આંબેડકરે મનુસ્મૃતિ (અસમાનતાનું પુસ્તક) બાળી નાખ્યું." મનુસ્મૃતિનને અગ્નિમાં ભડકો કરીને સળગાવી દેવું ખૂબ જ ઇરાદાપૂર્વકનું હતું. તે ખૂબ જ સાવધાનીપૂર્ણ અને કઠોર પગલું હતું, પરંતુ જાતિ હિન્દુઓનું ધ્યાન ખેંચવા માટે લેવામાં આવ્યું હતું. સમયાંતરે આવા કઠોર ઉપાયો જરૂરી છે. જો દરવાજો ખખડાવશો નહીં, તો કોઈ તેને ખોલશે નહીં". ડૉ. બી.આર. આંબેડકરે.  ગુ. રાજ્યના મુખ્યમંત્રીએ આ મુદ્દે દરવાજો બંધ કરી દિધો છે. સંગઠિત, કાયદા મુજબનો વિરોધ કરીને તે દરવાજો આપણે ખોલાવી શકીશું ખરા! 

 સૌ– ભાવાનુવાદ– ઇન્ડીયન એક્સપ્રેસઘ તંત્રી લેખ– તા ૨૩મી ફેબ્રુઆરી.


--