Wednesday, June 29, 2022

Re: You are from the land of Gandhi.

😊😊😊

On Wed, 29 Jun 2022 at 1:19 AM, Bipin Shroff <shroffbipin@gmail.com> wrote:

 Dada ,

 Namste,

  You are from the land of Gandhi.

સવારે હું અને જ્યોતી, અમારા સબડીવિઝનના વોક–વે પર મોર્નીંગ વોક કરતા હતા. સામે થી એક આફ્રીકન અમેરીકન નારી પણ ચાલતા ચાલતા મારી નજીક આવ્યા.

 દાદા, પ્રથમ તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યુ. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો.

 મેં ઇશારો કર્યો કે ગુડ મોર્નીંગ ને બદલે નમસ્તે કેમ?

હું જાણું છું કે તું ગાંધીના દેશનો છે. તારો ગાંધી, અમારા એમ એલ કીંગ જુ (Dr. Martin Luther King Jr.) અને નેલ્સન મંડેલાનો ગુરૂ હતો.સમગ્ર વીશ્વના રાજકારણમાં અહીંસા અને હક્કો માટે શાંત સત્યાગ્રહ (Two Valuable Human Weapons namely non-violence & peaceful resistance )કરવાનું તારા ગાંધીએ Learn કરવાનું અમને શીખવાડયું હતું.

 દાદા, તને ખબર છે , "અમારા એમ એલ કે જે" ને પણ અમને નાગરીક હક્કો મળે તે માટેની અહીંસક ચળવળ  ચલાવતાં જ ગાંધીની માફક જ ગોળીઓથી મારી નાંખવામાં આવ્યો હતો.તેને શાંતી માટેનું નોબલપ્રાઇઝ પણ મળેલું હતું.

 દાદા,  Why u r crying? ( દાદા, તું કેમ રડે છે?

Madam, Now in India, political heirs of Gandhi's Killer & his associates rule the nation presently. ( મેડમ, આજે મારા દેશમાં ગાંધીના ખુનીના રાજકીય વારસદારો અને તેના સાથીદારો રાજ કરે છે.

Dada, Are they merchants of death? દાદા. શું તે બધા મોતના સોદાગરો છે?

દાદા, હું સમજી ગઇ કે તારી આંખોમાં કેમ આંસુઓ છે. સોરી દાદા,

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાતગેરકાયદેસર છે.

અમેરીકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો– ગર્ભપાત ગેરકાયદેસર છે.

ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પે પસંદ કરેલા ન્યાયાધીશોએ ૫૦વર્ષથી માન્ય પામેલા ' ગર્ભપાત સ્રીનો હક્ક છે' જે  'રોએ વીરૂધ્ધ વાડે'( Roe v. Wade.) ના કેસમાં નક્કી થયું હતું તેને ૨૪મી જુને અમેરીકાને સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર જાહેર કર્યો છે. ગર્ભપાત કરનાર સ્રીને ફક્ત ૧૦ વર્ષની સજા અને એક લાખ ડોલર દંડ પણ નક્કી કર્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં અમેરીકાને આ ચુકાદાને તમામ રીતે ઉપરથી નીચે ઉંધુ– છતું કરી નાંખ્યું છે.

        અમેરીકા વર્તમાન રાષ્ટ્રપ્રમુખ બીડેને(Remarks by President Biden) પોતાના દેશની સુપ્રીમકોર્ટના ચુકાદા સામે નીચે મુજબનો પ્રત્યાઘાત આપ્યો છે.–

(1)      મારા દેશની સુપ્રીમ કોર્ટે તેના નાગરીકોના બંધારણીય હક્કો આ ચુકાદાથી લઇ લીધા છેજે સને ૧૭૭૬થી સંરક્ષીત હતા. કોર્ટે મર્યાદીત કર્યા નથી પણ ઝુંટવી લીધા છે.( They didn't limit it.  They simply took it away.)

(2)     દેશના ન્યાયતંત્ર માટે અને સમગ્ર દેશ માટે આજનો દિવસ ખુબજ દુ;ખી દિવસ છે.(And it's a sad for the court & for the country.)

(3)       આ અધીકારથી મારા દેશની તમામ સ્રીઓને પોતાના માટે સારુ શું છે કે તે નક્કી કરવાનો જે અન્ય નાગરીકોની માફક સમાન અધિકાર હતો, એક નીજી અધિકાર હતો. જે આ ચુકાદાથી છીનવાઇ ગયો છે.

(4)     દેશના રાષ્ટ્રપતી તરીકે હું જણાવું છું કે આ ચુકાદાના પરીણામોથી મારા દેશની સ્રીઓનું આરોગ્ય અને જીંદગી હવે જોખમમાં મુકાઇ ગઇ છે.

    અમેરીકાના તમામ મિત્ર દેશોના વડાઓ  જેવા કે બ્રીટન, ફ્રાંસ, કેનેડા વી, એ જબ્બરજસ્ત ટીકા સદર ચુકાદાની કરી છે.

(5)     ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેકરોને ચુકાદા વિરૂધ્ધ ટીકા કરતાં ટ્વીટર પર લખ્યું છે કે "  ગર્ભપાત એ દરેક સ્રીનો મુળભુત અધીકાર છે. આપણે સત્તાધીશો તરીકે તે અધીકારનું સંરક્ષણ કરવાની ફરજ છે. હું અમેરીકાની સુપ્રીમ કોર્ટ દ્રારા જે તમામ સ્રીઓનો આ હક્ક છીનવાઇ ગયો છે તેમની સાથે છું." 

(6)      પડોશી દેશ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો (Justin Trudeau) કહે છે કે " અમેરીકામાંથી આવતા સમાચાર અત્યંત ગભરામણ પેદા કરનારા છે. મારી તમામ ભલી લાગણીઓ અમેરીકાની એ સ્રીઓ સાથે છે કે જેમને હવે પછી ગર્ભપાતની જરૂરત હશે તે બધાનું શું થશે,? કોઇપણ સરકાર, રાજકારણી કે પછી પુરૂષને એ કહેવાનો અધીકાર લેશ માત્ર નથી કે સ્રી એ તેના શરીર સાથે શું કરવું અને શું ન કરવુ?"

(7)       બ્રીટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન જેઓ અમેરીકાના સૌથી ગાઢ મીત્રોમાંના એક છે તેણે સદર ચુકાદાની ટીકા કરતાં લખ્યું છે કે " મારા મત પ્રમાણે આ ચુકાદાથી અમેરીકાના સર્વાંગી વિકાસની ઘડીયાળના કાંટા પાછા ફરવા માંડશે. હું જીંદગીભર સ્રીએ શું કરવું કે ન કરવું તે અધીકારની તરફેણ કરનારો રહ્યો છું. માટે જ બ્રીટનમાં તમામ કાયદા સ્રી ના તમામ અધીકારોની તરફેણ કરનારા છે.

(8)       યુનાઇટેડ નેશન્સના માનવ અધિકારના કમીશ્નર મીશેલ બચેટનું કહેવું છે અમેરીકાની કોર્ટનો સદર ચુકાદો ખુબજ ઘાતક, જાન લેનારો, (more deadly) ખાસ કરીને વંશીય જાતીભેદવાળી લઘુમતીઓ (in particular those with low incomes and belonging to racial and ethnic minorities)અને નીચલી આવક ધરાવનારાઓ માટે નીવડવાનો છે. વીશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ છે કે પ્રતિ વર્ષે અઢી કરોડ સ્રીઓ પોતાની જાતને જોખમી હોય તેવા બધા પાસે ગર્ભપાત કરાવે છે. તેના પરિણામ સ્વરૂપે ૩૭૦૦૦ સ્રીઓ મૃત્યુ પામે છે. આ કમીશ્નર ચેતવણી આપતાં જણાવે છે કે તમે ગર્ભપાતની સગવડ કે સેવા પર નિયંત્રણ મુકશો તેનાથી ગર્ભપાત કરાવનારી સ્રીઓની સંખ્યામાં કોઇ ઘટાડો થવાનો નથી. ગર્ભપાતના કાયદાકીય નિયંત્રણો સ્રીઓ અને કુંવારી છોકરીઓ માટે શરીર માટે જોખમી, બિનઆરોગ્ય ને તબીબી રસ્તાઓનો ભોગ બનશે. ખરેખર તો અમેરીકાની સર્વોચ્ચ કોર્ટના ચુકાદાએ સ્રીઓના શરીર પર આત્યંતીક અતીક્રમણ કરેલ છે.

(9)     અમેરીકન સંસદ( કોંગ્રસ)ની સ્પીકર નાન્સી પલોસીની એક સ્રી, માતા અને દાદીમા તરીકે રીમાર્ક હતી કે તેને આ ચુકાદાથી ખુબજ આઘાત લાગ્યો છે. મારે મારી હયાતીમાં એ જોવાના દિવસો અમેરીકમાં આવ્યા છે કે જેના પરિણામ સ્વરૂપે મારા દેશની યુવાન સ્રીઓને મારા જીવનમાં  મેં જે સ્વતંત્રતા માણી,ભોગવી તેટલી સ્વતંત્રતા હવે નહી મલે! ( She described the ruling as "cruel," "outrageous" and "heart-wrenching.")

(10) રિપબ્લિકન સેનેટર સુસાન કોલિન્સ જેણે ગર્ભપાતના હક્કની વીરૂધ્ધ સેનેટમાં મત આપ્યો હતો તેનું ચુકાદા પછી કહેવું છે કે આ ચુકાદાથી દેશમાં એકાએક તેના લોકશાહીના પાયાને મુળમાંથી ઉખાડી નાંખે તેવો આંચકો આવવાનો છે.રાજકીય અંધાધુધી, અરાજકતા અને પ્રજાના ગુસ્સાને તમે રોકી શકવાના નથી. સરકાર પ્રેરીત ન્યાયતંત્ર આવો ચુકાદો પણ આપી શકે તે ખ્યાલ જ નાગરીકોનો સરકાર પોતાનામાંથી વીશ્વાસ જ ગુમાવવા બરાબર થઇ જશે.

(11)  ઓહાયો રાજ્યના રિપબ્લિકન સેનેટર જીમ જોર્ડને સંસદભવનમાંથી ચુકાદાની તરફેણમાં ખુબજ આનંદ વ્યક્ત કરતાં જણાવયું હતું કે મારા દેશની સુપ્રીમ કોર્ટને ખુજ સરસ કામ કર્યા બદલ  ભગવાન આશીર્વાદ આપે ને આવા ન્યાયાધીશો પસંદ કરવા માટે ભગવાન ભુતપુર્વ પ્રમુખ ટ્રમ્પને પણ આશીર્વાદ આપે!

(12) અમેરીકાની મલ્ટીનેશનલ કુંપનીઓ જેમાં હજારો કર્મચારી કામ કરે છે તેવી ઘણી બધી કુંપનોએ પોતાના મહીલા કર્મચારીઓને જરૂર પડે ગર્ભપાત કરાવવો અનીવાર્ય લાગેતો જે રાજ્યમાં ગર્ભપાત કરાવવાની કાયદેસર સગવડ છે તેવા રાજ્યોમાં જવા–આવવાની તમામ વિમાની સગવડો અને આરોગ્યને લગતી સેવાઓનો તમામ ખર્ચ આપશે તેવી જાહેરાતો સદર ચુકાદા આવવાની સાથે જ કરવા માંડી છે.

(13) એલજીબીટી ના અધીકારો માટે લડત લડીને જીતનાર એટર્ની જીમ ઓબેરગેફેલનું તારણ છે કે આ ચુકાદાની અસરોને લેશ માત્ર ઓછી ગંભીરતાથી લેશો નહી. ભવીષ્યમાં જો ન્યાયતંત્રની આજ માનસીક્તા ચાલું રહેશે તો આપણા નાગરીક અધીકારો ચોક્કસ જોખમમાં મુકાશે.

(14)    તા. ૨૪મી જુનની ઢળતી સાંજે કોર્ટનો ચુકાદો આવતાં જ દેશમાંથી 'ધી નેશનલ નેટ વર્ક ઓફ એબોર્શન ફંડ' નામની સંસ્થાને આશરે ૩૩૦૦૦ લોકોએ ત્રણલાખ મીલીયન ડોલર્સ વધુ કામ કરવા અને દેશ વ્યાપી ગર્ભપાત માટેની જરૂરમંત સ્રીઓને મદદ કરવા મોકલી આપ્યા છે.

(15)   અમેરીકાના બાવન રાજ્યોમાં એક શહેર કે એક કાઉન્ટિ બાકી નહી હોય જ્યાં નાગરીકોએ  આ ચુકાદાની વિરૂધ્ધ ભેગા થઇને વીરોધ નહી કર્યો હોય. દા.ત પેનસીવેનીયા રાજ્યની રાજધાની ફીલાડેલ્ફીયામાં ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકાર લખે છે કે  સદર શહેરના મ્યુનીસીપલ બીલ્ડીંગ પાસે જાણે માનવ મહેરાણમણની નદી ઉભરાતી હોય તેવો નજારો દેખાતો હતો.

(16)   આખરમાં આવા ન્યાયાધીશોની નીમણુકો કરનાર ટ્રમ્પને સ્પષ્ટ અહેસાસ થઇ ગયો છે કે તેના અને રિપબ્લીકન પક્ષ માટે સને ૨૦૨૪ ના વોશીંગટન ડીસીમાં સત્તાના સુકાન સંભાળવાના સ્વપ્નાં પર કાયમ માટે પાણી ફરી વળ્યું છે. 

 

 


--

You are from the land of Gandhi.

 Dada ,

 Namste,

  You are from the land of Gandhi.

સવારે હું અને જ્યોતી, અમારા સબડીવિઝનના વોક–વે પર મોર્નીંગ વોક કરતા હતા. સામે થી એક આફ્રીકન અમેરીકન નારી પણ ચાલતા ચાલતા મારી નજીક આવ્યા.

 દાદા, પ્રથમ તેણે બે હાથ જોડીને નમસ્તે કર્યુ. હું એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો.

 મેં ઇશારો કર્યો કે ગુડ મોર્નીંગ ને બદલે નમસ્તે કેમ?

હું જાણું છું કે તું ગાંધીના દેશનો છે. તારો ગાંધી, અમારા એમ એલ કીંગ જુ (Dr. Martin Luther King Jr.) અને નેલ્સન મંડેલાનો ગુરૂ હતો.સમગ્ર વીશ્વના રાજકારણમાં અહીંસા અને હક્કો માટે શાંત સત્યાગ્રહ (Two Valuable Human Weapons namely non-violence & peaceful resistance )કરવાનું તારા ગાંધીએ Learn કરવાનું અમને શીખવાડયું હતું.

 દાદા, તને ખબર છે , "અમારા એમ એલ કે જે" ને પણ અમને નાગરીક હક્કો મળે તે માટેની અહીંસક ચળવળ  ચલાવતાં જ ગાંધીની માફક જ ગોળીઓથી મારી નાંખવામાં આવ્યો હતો.તેને શાંતી માટેનું નોબલપ્રાઇઝ પણ મળેલું હતું.

 દાદા,  Why u r crying? ( દાદા, તું કેમ રડે છે?

Madam, Now in India, political heirs of Gandhi's Killer & his associates rule the nation presently. ( મેડમ, આજે મારા દેશમાં ગાંધીના ખુનીના રાજકીય વારસદારો અને તેના સાથીદારો રાજ કરે છે.

Dada, Are they merchants of death? દાદા. શું તે બધા મોતના સોદાગરો છે?

દાદા, હું સમજી ગઇ કે તારી આંખોમાં કેમ આંસુઓ છે. સોરી દાદા,


--

Friday, June 24, 2022

આપણે, નવીશીક્ષણ નીતીના નામે કરેલ ફેરફારો અંગે શું જાણીએ છીએ?



--
Bipin Shroff

 આપણે, નવી શીક્ષણ નીતીના નામે કરેલ ફેરફારો અંગે શું જાણીએ છીએ?

 ધોરણ છ થી બારમા ધોરણ સુધી વીજ્ઞાન, સમાજશાસ્ર અને રાજ્યશાસ્રના વિષયોમાં જે ફેરફારો ' નવી શીક્ષણ નીતી' ના નામે કરવામાં આવ્યા છે તે અંગે ઇન્ડીયન એક્સપ્રેસે તારીખ ૨૧મી જુનથી ૨૪મી જુનના ચાર દિવસનાપોતાના દૈનીક પેપરોમાં' અતી જીજ્ઞાસુ તપાસ' ( Investigative Journalism)કરીને નવી શીક્ષણ નીતીના નામે વર્ષોથી ચાલુ આવતી માહીતી રદ કરી નાંખી છે તે ચીંતા પ્રેરક છે. કારણકે દેશના શીક્ષણ ખાતાએ ઐતીહાસીક હકીકત સાથે ખીલવાડ અથવા નગ્ન છળકપટ કરેલ છે. હાલ આ બધા પાઠયપુસ્તકો નવા છપાવી શકાય તેમ નથી, શૈક્ષણીક વર્ષ ચાલુ થઇ ગયું છે,માટે ફક્ત ફેરફાર કરેલ માહીતી દેશવ્યાપી શીક્ષણ કેન્દ્રોમાં મોકલી આપવામાં આવશે! આ બધા ફેરફારો વીધ્યાર્થીઓના કોવીડ પેન્ડેમીકને બે વર્ષના શૈક્ષણીક ખોટને સરભર કરવા(શીક્ષણનો બોજ ઘટાડવા)નીર્ણય કરવો પડયો છે તેવી દલીલ કરવામાં આવી છે. જે ફેરફારો કર્યો છે તેના ચારભાગોમાંથી પ્રથમ ભાગમાં સને ૧૯૭૫ની ઇંદારીજીની એકહથ્થુ કટોકટી, કાયદાના રાજનો અંતથી શરૂ કરીને સને ૨૦૦૨ના ગુજરાતના તોફાનોની હકીકતોને જ ભવીષ્યના ધો.૬થી૧૨ સુધીના અભ્યાસ ક્રમોમાંથી સંપુર્ણ રદબાતલ કરી દીધી છે. મોદી સરકારના શીક્ષણખાતાએ હકીકત અને વાસ્તવીક સત્યોને નવી શિક્ષણ નીતીના નામે છેલ્લા છમાસથી બુધ્ધીવાદથી સુસંગત (Rationalization)  કરવાની કસરત શરૂ કરી છે તે સમજવા જેવી છે. તે નિર્ણયમાં જે શિક્ષણવીદો, તજજ્ઞોએ ભાગ લીધો છે તે બધાની શૈક્ષણીક લાયકાતો પણ આંખે ઉડીને વળગે તેવી છે. જો કે આપણે તે બધાના કાર્યો અથવા તેઓએ કરેલ નીર્ણયોથી જ સરળતાથી તેમને ઓળખી શકીશું. પછી છેલ્લે ભાગ– ચારમાં તે બધા શીક્ષણવીદોના નામો અને લાયકાતો જણાવીશું. દેશના શિક્ષણખાતાના ખુબજ અગત્યના વિભાગ ' નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ એન્ડ ટ્રેનીંગ–( NCERT) સંચાલીત એક પ્રોગ્રામ નામે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખા(NCF) દ્રારા,ધો–૬થી ૧૨ સુધીના પાઠયપુસ્તકોમાં જે ૨૧ ફેરફારો કર્યા છે તે સત્તાધારી પક્ષ અને તેની નીતીઓ ઘડવામાં જે પાયાની અને ચાવીરૂપ ભાગ ભજવે છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણીનું ખુલ્લું પ્રતીબીંબ છે. ઇતીહાસ, રાજ્યશાસ્ર( Political Science)અને સમાજવીધ્યા( Sociology)ના ૨૧ પાઠયપુસ્તકોમાંથી આ સત્ય હકીકતો રદબાતલ કરી નાંખી છે. મોદી સરકારે આવી પાઠયપુસ્તક સાથે ખીલવાડ સને ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી ખુબજ વ્યાપક ફેરફારો પ્રથમ વખત કર્યા નથી. સને ૨૦૧૭માં ૧૩૩૪ ફેરફારો ૧૮૨ પાઠયપુસ્તકોમાં અને સને ૨૦૧૯માં શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરની નેતાગીરી નીચે વીધ્યાર્થોના માથે શીક્ષણનો ભાર ઓછો કરવાના નામે કરેલ છે.  હાલના અભ્યાસક્રમમાં ફેરફારો વીધ્યાર્થીઓની ભણવામાં " Speedy Recovery" પ્રાપ્ત થાય માટે  સત્તાધીશોને વાંધાજનક ફકરાઓ પ્રકરણ કે ચેપ્ટરમાંથી રદબાતલ કર્યા છે. કોઇપણ પાઠયપુસ્તકમાંથી સંપુર્ણ પ્રકરણ બિલકુલ રદબાતલ કરેલ નથી. વર્તમાન ભારતના સંદર્ભમાં ' આંખે ઉડીને વળગે' તેવા કેટલાક ફેરફરો નીચે મુજબ છે.

(૧) સને ૨૦૦૨ના ગુજરાતના હિંદુ– મુસ્લીમ હુલ્લડ(Gujarat Riots).

ધો.૧૨માના રાજ્યશાસ્ર વિષયના છેલ્લા પ્રકરણ નામે ' આઝાદી પછીનું રાજકારણ'ના પુરા બે પાના કાઢી નાંખવામાં આવ્યા છે.તેમાં શું હતું?? ગોધરા સ્ટેશને સાબરમતી એકસપ્રેસના ડબ્બામાં કારસેવકોને લઇ જતી  ગાડીને સળગાવી દેવામાં આવી હતી ને ત્યારબાદ તારીખવાર મુસ્લીમ કોમ વિરૂધ્ધ જે તોફાનો થયા તેની વીગતોવાળા ફકરાઓ કાઢી નાખ્યા છે. પછી નેશનલ હ્યુમનરાઇટ કમીશને ગુજરાત સરકાર લાંબા સમય સુધી હીંસા અટકાવવામાં નિષ્ફળ કેમ ગઇ તે ટીકા પણ કાઢી નાંખી.માનવ અધિકાર પંચે વધુમાં ટીકા કરતાં કહ્યું હતું કે ગુજરાતની માફક ધાર્મીક લાગણોનો રાજકીય હેતુ સીધ્ધ કરવા પ્રયત્ન કરવામાં આવે તે જોખમકારક સાબીત થાય છે. તે વલણ લોકશાહી રાજકારણ માટે ખુબજ  જોખમકારક છે. સ્થાનીક દૈનીક પેપરોએ તૈયાર કરેલ તોફાનોના કોલાઝ પણ પેલા પ્રકરણમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. તે સમયના બીજેપીના વડાપ્રધાન અટલજીએ "મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ' રાજધર્મ' બજાવવાની જે સુચના આપેલી તે પણ કાઢી નાંખી છે. રાજ્યકર્તાએ જ્ઞાતી,ધર્મ કે ધાર્મીક માન્યતાને આધારે તેની પ્રજા સાથે અસમાન, અન્યાયી અને ભેદભાવપુર્ણ પગલાં ન ભરવો જોઇએ."  બાજપાઇજીની આ કોમેન્ટ પણ ડીલીટ કરી નાંખી. હકીકત, માર્ચ ૨૦૦૨માં એવી હતી કે બાજપાઇજીએ અમદાવાદમાં ભરેલ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા હતા અને તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીજી તેમની બાજુમાં બેઠા હતા.

ધો ૧૨ના સમાજશાસ્રના ચેપ્ટરમાંથી આવીજ ગુણવત્તા ધરાવતો રેફરન્સ NCERT ડીલીટ કરી નાંખ્યો. જે નીચે મુજબનો હતો. જે ચેપ્ટર–૬નું મથાળું હતું ' કોમવાદ, સર્વધર્મ સમભાવ અને રાષ્ટ્ર– રાજ્ય' . તેમાં એવું લખાણ હતું કે કોમવાદ લોકોને બળાત્કાર, લુંટ અને ખુન કરવાની પ્રેરણા આપે છે. બહુમતી કોમને જાણે પોતાનું ગુમાવેલુ ગૌરવ પરત મલ્યું તેવું અભીમાન થાય છે. તેમાં એવી દલીલ કરવામાં આવે છે કે  સદીઓ પહેલાં અમારા સહધર્મીઓએ દેશમાં ગમેતે સ્થળોએ જે અપમાન, ગૌરવહીનતા કે અપમૃત્યુ સહન કરેલા હતા તેનું અમે આજે વેરવાળ્યું છે તેથી વર્તમાનમાં અમારુ પગલું વ્યાજબી છે.

 દેશ ને દુનીયામાં કોઇ ધર્મો બાકી નથી જેણે વિધર્મીઓ સામે અને કોમવાદી હીંસાઓ ન કરી હોય! આવી કોમવાદી હિંસા દરેક ધાર્મીક સમાજે થોડા–વત્તા પ્રમાણમાં ભોગવી છે. પરંતુ લઘુમતી કોમે ભોગવેલી આવી હીંસા વધુ માનસીકરીતે આઘાતજનક (far more traumatic for minority communities) હોય છે. આ મુદ્દે કોઇ સરકારો કે સત્તાપક્ષ દુધે ધોયેલા બીલકુલ નથી. વર્તમાન સમયમાં ન ભુલાય તેવા લઘુમતી કોમોએ જે માનસીક ખતરનાક આઘાતો સહન કર્યા છે તે સને ૧૯૮૪ના શીખ કોમ વિરૂધ્ધના દીલ્હીના તોફાનો અને અપુર્વ જેના માટે અગાઉ કોઇ દાખલો ન હોય તેવી–Unprecedented-ઘટના ગુજરાતના ૨૦૦૨ના મોદીજીની મુખ્યમંત્રીપણા નીચે થયેલી મુસ્લીમ વીરોધી હીંસાઓ છે. સને ૨૦૦૨ના ગુજરાતના દંગાઓ અંગે દેશની સંસદના ટેબલપર મુકવામાં આવેલી હકીકત મુજબ ૭૯૦ મુસ્લીમો, ૨૫૪ હીંદુઓને મારી નાંખવામાં આવ્યા છે, ૨૨૩ કાયમ માટે ગુમ થયેલાઅને ૨૫૦૦ ઇજાગ્રસ્ત હતા તેમ સંસદગૃહમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સત્ય જે ડિલીટ થઇ શકે તેમ નથી તે ફકરો કોવીડ– રોગચાળાના નામે પાઠ્ય પુસ્તકમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે. કોના માથા પરથી કેટલો બોજ ઓછો કરી નાંખવામાં આવ્યો?

(૨) સને ૧૯૭૫ની ઇન્દીરાજીની કટોકટી–

સને ૧૯૭૫ની કટોકટી ઉપર ધો. ૧૨ના રાજ્યશાસ્રના પુસ્તકમાં ' સ્વતંત્રતા પછીના ભારતમાં રાજકારણ'ના ચેપ્ટરમાં પાંચ પાનાં ડીલીટ કરી નાંખ્યા છે. તેમાં 'લોકશાહી રાજ્યવ્યવસ્થામાં કટોકટી' વિભાગમાં જે કટોકટી લાગુ કર્યા પછી ઇંદીરા સરકારે જે બેફામ સત્તાનો દુર ઉપયોગ અને ગેરરીતીઓ જે આચારવામાં આવી તે આ પ્રમાણે હતી. જેવી કે હજારો રાજકીય વિરોધી નેતાઓની ગેરકાયદેસર અટકાયતો, અખબારી નીયંત્રણો, અમાનુસી અત્યાચાર, જેલમાં રાજકીય વિરોધીઓના શંકાસ્પદ મૃત્યુઓ, ફરજીયાત નસબંધી ઝુંબેશ,અને ગરીબોની ઝુંપડપટ્ટીઓની બેજવાબદાર રીતે રાતોરાત બુલડોઝર્સ ફેરવી નાબુદી, વિ. વિ. જેનો લેખીત રીપોર્ટ સને ૧૯૭૭માં આવેલ જનતાસરકાર દ્રારા નિમાયેલ જસ્ટીસ જે.સી. શાહ પંચના તારણોમાં છે તેને અભ્યાસક્રમમાંથી નવી શીક્ષણ નીતીના ભાગ રૂપે ડિલીટ કરવામાં આવ્યા છે. ધો. ૧૨ના સમાજવીધ્યા વિષયમાંથી સને ૧૯૪૭થી ૧૯૭૫ સુધીના કામદાર ચળવળની તમામ નોંધ કટોકટીના નામે સસપેંડ કરી હતી; તે નવી શીક્ષણ નીતીના ભાગરૂપે ડીલીટ કરી નાંખવામાં આવી છે.

(૩) પ્રજામતનો વીરોધ અને સામાજીક ચળવળો–

ધો. ૬થી ૧૨ સુધીના રાજ્યશાસ્રના પાઠયપુસ્તકોમાંથી આખાને આખા ત્રણ ચેપટર્સ ડીલીટ કરી નાંખવવામાં આવ્યા છે. લોકપ્રીય ચળવળોના ચેપ્ટરોમાંથી કઇ કઇ ચળવળોની માહીતી ડીલીટ કરવામાં આવી છે તે પેલા નવી નીતીના શિક્ષણ નિષ્ણાતોની ગર્ભીત માનસીકતાની ચાડી ખાય છે.

સને ૧૯૭૦નું ઉત્તરાખંડનું વૃક્ષ બચાવો ચીપકો આંદોલન, મહારાષ્ટ્રની દલિત પેન્થર ચળચળ, એંસીના દાયકાની આંધ્રપ્રદેશ ને મહારાષ્ટ્રની કીસાન ચળવળ, જન વિખ્યાત નર્મદા બચાવો આંદોલન,અને માહીતી અધિકાર પ્રાપ્ત કરવાની ચળવળ, સાપુતારા જંગલોના વનવાસીઓની વીસ્થાપીત ચળવળ, મેઘાપાટકર ને કાશીરામની પછાત અને લઘુમતી કોમોના કામદારોના અધિકારોના સંરક્ષણની ચળવળો,અને આખરી કાળા કીસાન કાયદા સામેની રાકેશ તીકેતની અહીંસક કીસાન ચળવળ, આ બધીજ લોકચળવળોની યાદીઓ, નોંધ વિ. સંપુર્ણ ડીલીટ કરી નાંખવામાં આવી છે.

(૪) લોકશાહીના પાયાના મુલ્યો–

જે લોકશાહી મુલ્યોના વિકાસથી દેશની લોકશાહીનો પાયો ઉંડો થાય ને વિસ્તૃત થાય ( Deepening & Widen base of Indian Democracy) તેવા બધી વિગતો રાજ્યશાસ્રના પાઠયપુસ્તકોમાંથી કપટતાપુર્વક ડીલીટ કરી નાંખવામાં આવી છે. બંધારણીય મુલ્યો જેવાકે સમાનતા, સામાજીક ન્યાય, લોકભાગીદારી, પ્રજાના પ્રશ્નોનું આંદોલન સીવાય સંઘર્ષ નિવારણ વી, મુલ્યોને નવી શીક્ષણ નીતીના અમલ માટે અસંગતકે અપ્રસતુત હોવાથી(Irrelative) કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યા છે. ' સ્વતંત્રતા પછીનું ભારત' પ્રકરણમાંથી બંધારણની રચના અને ભાષાવાર રાજ્યોની નીતી બંને મુદ્દાઓને ધો.૮ના ઇતીહાસના પાઠયપુસ્તકમાંથી ડિલીટ કરી નાંખવામાં આવ્યા છે. ધો.૧૦માના રાજ્યશાસ્રના પાઠયપુસ્તકમાંથી ભારતમાં વિવીધતામાં એકતા સાથે સામાજીક વર્ણવ્યવસ્થા આધારીત અસમાનતાનું ચેપ્ટર ડીલીટ કરી નાંખવામાં આવ્યું છે.

જવાહરલાલ નહેરૂજીના કેવા કેવા વાક્યો નવી શીક્ષણ નીતીમાંથી ડીલીટ કર્યા છે તેની પણ નોંધ લેવી જરૂરી છે.

(અ) ધો. ૬ના ઇતીહાસમાંથી દેશના પ્રથમ વડાપ્રધાન જ.નહેરૂજીના અતીપ્રીય વાક્ય " સમ્રાટ અશોકનું કલીંગના યુધ્ધ પછીના હીંસા દ્રારા માનવ સમાજના પ્રશ્નો ન ઉકેલાય" નો ઉલ્લેખ ડીલીટ કરી નાંખ્યો છે.

(બ) ભાખરાનંગલ બંધ ઉપર નહેરૂજીએ કરેલ નીરીક્ષણને દુર કરી નાંખ્યું છે. ધો. ૧૨ના સમાજશાસ્રના પાઠ્ઠયપુસ્તકમાંથી નીચે મુજબના નહેરૂજીના વાક્યો ડીલીટ કરવામાં આવ્યા છે." આપણા દેશના આ કામમાં રોકાયેલા ઇજનેરો અમને કહે છે કે વીશ્વમાં કદાચ આટલી ઉંચાઇ ધરાવતો ડેમ જે તે સમયે નહી હોય. સદર બંધનું કામ ખુબજ મુશ્કેલીઓ અને ગુંચવડોથી ભરેલું હતું. નહેરૂજી આગળ લખે છે કે જ્યારે હું આ બંધની નજીકમાં જઇને ચાલું છું ત્યારે મને એવો અહેસાસ થાય છે કે  સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી ભાખરાનંગલ બંધથી સૌથી મોટું મંદિર, મસ્જીદ કે ગુરૂદ્રારા કયું હોઇ શકે? જ્યાં આ ઇમારતમાં માનવશ્રમ,અને તેનો લોહી પસીના મને સતત ધબકાર સંભળાય છે. ઘણાએ તો પોતાનો જાન તેમાં ન્યોચ્છાવેર પણ કરેલ છે.

(ક)  ૧૮૭૦ના રાજ્ય દ્રોહ Sedition(દેશદ્રોહ નહી) ના કાયદા અંગે વીધ્યાર્થીઓને પ્રશ્ન પુછવામાં આવ્યો છે કે આ કાયદો સરકારને મનસ્વી સત્તા આપે છે તે અંગેનું એક કારણ બતાવો? બીજું કાયદાના શાસનથી (Rule of Law) તે બિલકુલ વીરોધી કેમ છે? ધો. ૮ના રાજ્યશાસ્રના પાઠ્ઠયપુસ્તકમાંથી ઉપરના બે વાકયો ડિલીટ કરવામાં આવ્યા છે.

(ડ) નક્ષલવાદ– નક્ષલવાદ અને નક્ષલવાદી ચળવળને લગતા તમામ રેફરન્સીસ ડીલીટ કરી નાંખવામાં આવ્યા છે. તેના આધ્યસ્થાપક નેતા ચારૂ મજમુદારનું નામ પછી કેવી રીતે બચે?

(ઇ)આવા સરસ આયોજનપુર્વકના નિર્ણય કરનારા કોણ છે?

નવી શિક્ષણનીતી ( NCERT) ના નીયામક શ્રી દીનેશપ્રસાદ સકલાનીને ઇ. એક્સપ્રેસ તરફથી અધીકૃત રીતે પુછવામાં આવ્યું. આ સાહેબે જવાબ આપ્યો કે  આ પાઠયપુસ્તકો સુધારવાનું સંપુર્ણ કામ મેં ચાર્જ લીધો પહેલાં પુરુ થઇ ગયેલું હતું. તેથી તેના અંગે હું કશું કહેવા તૈયાર નથી.  જેના સમયમાં આ બધા નિર્ણયો લેવાયા તે નીયામક શ્રીધર શ્રીવાસ્તવ કહે છે કે સંસ્થાએ કરેલા ફેરફારો હવે પબ્લીક ડોમેન માં ઉપલબ્ધ છે પછી મારે શું કહેવાનું હોય?

( સૌ. ઇ. એક. તા. ૨૧–૦૬–૨૨.નો ભાવાનુવાદ.) વધુ આવતા અંકે.

.

 


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Tuesday, June 21, 2022

આજે ૨૧મી જુનછે, વિશ્વ માનવવાદી દિવસ છે.

આજે ૨૧મી જુન છે.વિશ્વ માનવવાદી દિવસ છે.

 વિશ્વના જુદ જુદા દેશોના ધર્મનીરપેક્ષ માનવવાદી સંગઠનોના સભ્યો આ દિવસને વિશ્વ માનવવાદી દિવસ તરીકે ઉજવે છે. ખગોળશાસ્ર અને વૈજ્ઞાનીક હકીકત પ્રમાણે આ દિવસે સુર્ય ઉત્તર ગોળાર્ધમાં આકાશમાં પૃથ્વીથી ખુબજ ઉંચાઇએ તેમજ ૨૩/૫ રેખાંશ વધુ નમેલો હોય છે.૩૬૫ દિવસના વર્ષમાં બે વાર સુર્યની આ સ્થિતિ ૨૧મી જુન ઉત્તર ગોળાર્ધ અને ૨૧મી ડીસેમ્બર દક્ષીણ ગોળાર્ધમાં હોય છે.ખાસ કરીને વિષુવવૃતની ઉત્તર દિશામાં આવેલા પશ્ચીમી દેશોના માનવવાદી સંગઠનો આ દિવસને રજાનો દિવસ ગણી મઝા માણે છે. કારણકે  આ દિવસે સુર્ય ૩૬૫ દિવસમાં સૌથી મોડો આથમે છે. વર્ષનો સૌથી પ્રકાશમય દિવસ  છે. અંગ્રેજીમાં તેને Summer( June) Solstice Day તરીકે ઓળખવામાં આવે છે.

માનવવાદીઓ માટે આ દિવસ માનવવાદી જીવન પધ્ધતી શું છે તે સમજાવવાનો દિવસ છે. માનવવાદી જીવન પધ્ધતી પૃથ્વી પરના સમગ્ર માનવજીવનને વ્યક્તિગત ધોરણે જ્ઞાન– વીજ્ઞાન આધારીત પરિવર્તન લાવીને વ્યક્તિ સાથે સમષ્ટિનો સર્વાંગી વિકાસ કઇ રીતે પ્રાપ્ત કરી શકાય તેનું સાધન છે.

 ચલો! આપણે માનવવાદી વિચારસરણી આધારીત જીવન પધ્ધતીને સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) આ વિચારસરણીનો પ્રથમ શબ્દ છે ' માનવ'. તેનો સાદો અર્થ છે કે સદર વિચારસરણી 'માનવ કેન્દ્રીત' છે. તે કુટુંબ, જ્ઞાતિ– જાતિ, ધર્મ,રાજ્ય,રાષ્ટ્ર, કોઇ રાજકીય નેતાનીભક્તી, કે કોઇપણ સામાજીક સમુહમાં માનવીને વિલીન ( To merge) થઇ જવાનો બોધ ક્યારે આપતી નથી. માનવવાદી વિચારસરણી, કોઇપણ સમુહો માટે બલીદાન આપવાનું, ત્યાગ આપવાનું શીખવાડતી નથી.

(૨) માનવવાદી વિચારસરણી માનવ કેન્દ્રીત હોવાથી તેનું સ્પષ્ટ જૈવીક ને સામાજીક ઉત્ક્રાંતીને આધારે એક વૈજ્ઞાનીક તારણ છે.માનવીએ પોતાની જીજીવીષા ટકાવી રાખવા અને તમામ સજીવોની ઉત્કાંતીમાંથી  જૈવીક વારસા તરીકે મળેલા ભૌતીક અનુભવમાંથી પેલા બધા સામાજીક એકમોનું સજર્ન કરેલ છે. એટલે કે કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર જેવા તમામ સમુહોનું સર્જન માનવીય છે. દૈવી કે ઇશ્વરીય બિલકુલ નથી.માટે પેલા બધા માનવ સર્જીત સમુહોના પૃથ્વીપરના સંચાલન માટે કોઇ પયગંબરો, દૈવી પ્રતીનીધીઓ કે કોઇ રાજકીય, ધાર્મીક, આધ્યાત્મિક નેતાઓને પસંદ કરેલા ખાસ માણસોને ( The Chosen People) મોકલ્યા છે, તેવા તારણહારોએ છાંટેલી ભભૂતીઓમાંથી કેમ બહાર નીકળાય તે માનવવાદ શીખવાડે છે. માનવીએ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવાની બદલાતી જરૂરીયાતો પ્રમાણે ક્રમશ તે બધી સામુહીક સંસ્થોઓમાં ફેરફારો કરતો આવ્યો છે.કાયમી હોય તો માનવી છે નહી કે તેનું સર્જન. હાલમાં તો માનવીય સર્જન જ માનવ પર હાવી જઇને માનવીને સમુહના હીતો માટે હાંકતો થઇ ગયો છે. વાહ! કેવી બલિહારી કે વિચિત્રતા  કે જેમાં પોતાનું સર્જન જ પોતાના સર્જકને ગુલામ બનાવી,સુશોભીત,ચમકદાર જંજીરોના આભુષણો(કુટુંબ, જ્ઞાતિ–જાતિ, ધર્મ, રાજ્ય, રાષ્ટ્ર)થી શણગારી તે બધાની રાત– દિવસ ભક્તી કરવાનું તેના જન્મ સાથે ગળથુથીમાં જ તૈયાર કરે છે.

(૩) માનવવાદ માનવ કેન્દ્રીત છે એટલે શું? માનવીનું વ્યક્તીગત ધોરણે વાસ્તવીક સુખ, ભૌતીક સુખ, પણ ભોગવાદી કે ફક્ત ગ્રાહકનું ઇષ્ટ જ સર્વસ્વ(Consumerism) નહી. ભૌતીકસુખ એટલે આધ્યાત્મીક સુખ (મૃત્યુ પછી) ના કાલ્પનીક ખ્યાલથી તદ્દન સ્પષ્ટ રીતે વિપરીત કે વિરૂધ્ધનું. ભૌતીક સુખ એટલે જન્મની સાથેના પારણામાંથી શરૂ કરીને કબર સુધીની સલામતી(From cradle to grave). માનવવાદના પાયાના હકારાત્મક ત્રણ મુલ્યો છે. એક સ્વતંત્રતા, બે તર્કવિવેક શક્તિ, ને ત્રણ ધર્મના આધાર સિવાયની નૈતીકતા.

(૪) માનવવાદી તરીકે અમારો સ્વતંત્રતાનો ખ્યાલ છે કે તે મુલ્યનો આધાર રાજકીય,ધાર્મીક કે સામાજીક સત્તાઓ ક્યારેય હોઇ શકે નહી. આ બધા સમુહોનું સર્જન તો માનવીય છે. તમે બધા અમને સ્વતંત્રતા શું આપવાના હતા? અમે, તમારૂ સર્જન અમારી સ્વતંત્રતાને ટકાવી રાખવા કરેલ છે.તેનું સંવર્ધન કરવા કરેલ છે. અમારી સ્વતંત્રતાને ગુંગળાવી નાંખવા બિલકુલ નહી. અમારા જૈવીક વારસામાંથી મળેલ સંભવિત શક્તિઓના વિકાસ માટેનું મોકળું મેદાન મળે(To create the land for human opportunities)તેવી માનવકેન્દ્રી વ્યવસ્થાના સર્જન માટે કરી છે. પણ ધર્મ–રાજ્ય– રાષ્ટ્ર સત્તા કેન્દ્રી રચના માટે કયારેય નહી.

(૫) અમારી સ્વતંત્રતા માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરનારા તમે કોણ છો? અમારા સજીવ ઉત્કાંતી અને જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી તર્કવીવેકશક્તી( Rationality) કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને વિકસી છે. સદર સારુ શું કે ખોટું શું નકકી કરવાની આવડત( રેશનાલીટી) કોઇ ઇશ્વરી કે તમારા જેવા સત્તાધીનોના તરંગોને આધારે દાનમાં મળેલ નથી. તે તો અમારી માનવીય વિરાસત છે. આવી રેશનાલીટી સમગ્ર સજીવોનો વારસો એટલા માટે છે કે દરેકે સજીવોએ પોતાના જીજીવીષા ટકાવી રાખવાના સંઘર્ષમાં કુદરતી વાતવરણ સાથે જરૂરી અનુકુલન સાધી કે ફેરફારો કરીને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખ્યું છે.

(૬) અમારી નૈતીકતા એટલે માનવ માનવ સાથે સહઅસ્તીત્વથી જીવવું. તેમાં ઇશ્વર, ધર્મ કે તમારા જેવા રાજકીય નેતાઓની શી જરૂર છે? તમે બધા તો પરોપજીવી એજંટો છો. પેલી બે બીલાડીઓ વચ્ચેના ઝઘડાના ન્યાય તોલનારા બંદરથી વિશેષ તમારા બધાનું કોઇ કાર્ય જ નથી. દરેક માનવી જન્મથી જ નૈતીક છે. કારણકે તેની તર્કવિવેકશક્તી જૈવીક છે.(The man is moral because he is the rational being. M. N. Roy.)કારણકે તેને જન્મ આપનાર મા–બાપ થી માંડીને અન્ય સાથે કેવી રીતે જીવવું તે પોતાની વિવેકશક્તીથી સજીવ તરીકે શીખી ને જ આવેલ છે.

(૭) આજ ના દિવસે માનવવાદી વિચારસરણીનો ૨૧માં સદીમાં એકજ ' વન પોઇંટ એજન્ડા' છે.તે અમારા માથા પર ( અમારા માનવીના સુખના ભોગે)ચઢી બેઠેલાઓને સત્તાવિહીન (Dethrone) કરી જીવનના તમામ ક્ષેત્રોમાં સક્રીય માનવ ભાગીદારીવાળી ક્રાંતીકારી નવી સમાજ વ્યવસ્થાની રચના કરવાનો છે.

 


--

Thursday, June 16, 2022

“ બેપ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે

" બે પ્રેમીઓનો પ્રેમ તેમના મા– બાપ અને સમાજના પ્રેમ  કરતાં દીર્ઘદ્રષ્ટીહીન કે અવિચારી પણ વધુ મજબુત હોય છે (Love is blind & stronger than love of parents and society." કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી.

 એક પિતાએ કર્ણાટકની હાઇકોર્ટમાં પોતાની એન્જીનયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી દીકરી નામે નીસર્ગ, તેની હોસ્ટેલમાં તપાસ કરતાં ગુમ થયેલી છે, તેવી ખબર પડી. તે અંગે બંદિપ્રત્યક્ષીકરણ (filed a habeas corpus petition)ની પીટીશન કોર્ટ સમક્ષ હાજર કરવાની કરી. ૧૪મી જુને નીસર્ગ પોતાના પતિ નીખીલને લઇને કોર્ટ સમક્ષ હાજર થઇ. બંનેમાંથી કોઇ વિધર્મી ન હતા. પોતાને માટે દુન્યવી સત્ય શું છે તે અંગે પરિપક્વ હતા.

કર્ણાટક હાઇકોર્ટની ડીવિઝન બેંચ સમક્ષ નીસર્ગે હાજર રહીને જુબાની આપી કે તે પુખ્ત ઉંમરની છે. નીખીલ સાથે રાજીખુશીથી હિદુંવીધિ પ્રમાણે મંદિરમાં જઇને લગ્ન કરેલ છે. હું હાલમાં મારા પતિ નીખીલ સાથે મારી રાજી ખુશી થી રહું છું ને હું મારા મા–બાપની સાથે અને તેમના ઘેર રહેવા ઇચ્છતી નથી. સદર નિર્ણય મેં રાજીખુશીથી અને માનસીક સંપુર્ણ સ્વસ્થ સ્થિતીમાં કરેલ છે.( She claimed she was doing it out of her own will in a "fit state of mind".)

 

 સામાન્ય રીતે કોર્ટે આટલી હકીકતની નોંધ લીધા પછી ચુકાદો આપવાનો હોય કે નીસર્ગે પોતાનો લગ્ન કરવાનો નિર્ણય કાયદા મુજબ પુખ્ત ઉંમરે લીધો હોવાથી તે કાયદા મુજબનો નીર્ણય છે. ન્યાયતંત્રે તે નીર્ણયને માન્ય કરવા સીવાય બીજુ કોઇ ટીપ્પણી પોતાની તરફથી સામન્ય રીતે ન કરવાની હોય!.

 માનનીય અને નામદાર સબડીવીઝન બેંચે જે નીસર્ગનો નીર્ણય કાયદેસરનો છે.તેવું જાહેર કર્યા પછી નીસર્ગ અને તેના અરજદાર પિતાને ધ્યાનમાં રાખીને ટીપ્પણી કરતાં જણાવ્યું કે " કોર્ટ તરીકે અમે ચેતવણી અને પુર્વ સુચના( Gave a cautionary warning) આપીએ છીએ કે નીસર્ગે તેના માબાપ સાથે જે કર્યું છે (વિશ્ચાસઘાત) તેવું વર્તન નીસર્ગના બાળકો તેમની સાથે ભવીસ્યમાં કરી શકે?" (That what she did to her parents could come back to her from her children.)

નામદાર કોર્ટ આટલું કહીને અટકી નથી. પોતાની ટીપ્પણી આગળ જણાવતાં લખ્યું કે, આપણા ઇતીહાસનો અભ્યાસ કરતાં ( હીંદુ જીવન પધ્ધતીનો) માહીતી મલશે( "Our history reveals રિવિલસ શબ્દનું અંગ્રેજી–ગુજરાતી ડીક્ષેનરીમાં  દૈવી ચમત્કારથી જણાવવું અર્થ લખ્યો છે.)કે મા– બાપઓએ પોતાના બાળકો માટે અને બાળકોએ પોતાના મા–બાપ માટે પોતાના નીજી સુખોનો ઘણો ત્યાગ આપેલ છે. જો બંને પક્ષે એકબીજા માટે પ્રેમ, લાગણી કે આત્મીય નીસ્બત હોય તો  એકબીજાની સંમતીથી જ નીર્ણયો લેવામાં આવે. બે માંથી કોઇએ પક્ષકાર બનીને કોર્ટ સમક્ષ  પોતાના હક્કોના સંરક્ષણ કે બચાવ માટે આવવું ન પડે!

 નામદાર કોર્ટે આટલી ટિપ્પણી કરીને પોતાનો ચુકાદો પુરો કર્યો નથી.

કોર્ટે ૨૫૦૦ વર્ષો કરતાં પુરાણી મનુસ્મૃતીનો સહારો( દેશના બંધારણીય મુલ્યોના વિકલ્પે)  પોતાની દલીલને વ્યાજબી ઠેરવવા નીચે મુજબનો લીધો છે.

" મનુસ્મૃતી પ્રમાણે કોઇપણ દીકરો કે દીકરી તમને જન્મ આપનાર મા–બાપનું રૂણ ૧૦૦ વર્ષ સુધી તેમની સેવા કરો તો પણ ચુકવી શકે નહી. માટે તમારા મા– બાપ, તમને શિક્ષણ આપનાર તમારા ગુરૂને ગમે તે કરો. તો જ તમારી ધાર્મીક પ્રાર્થના ફળ આપશે." (Quoting the 'Manusmruti', it said, "Even according to Manusmruthi, no person can repay his parents even in 100 years for all the troubles that they go through to give birth to him/ her and raise him/ her to adulthood. Therefore, always try to do whatever pleases your parents and your teacher, because only then does any religious worship done by you will bear some fruit.").

 

૨૫મી ડીસેમ્બર સને ૧૯૨૭ નારોજ બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતીનું જાહેરમાં દહન કર્યા પછી  આજે પણ દેશના ન્યાયવિદો અને બૌધ્ધીકો ક્યાં ઉભા છે? કોણ કોને સમજાવશે કે મનુસ્મૃતીની વીચારસરણી અને બંધારણના માનવમુલ્યો એક બીજાની આમનેસામને છે?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

"The peculiar facts and circumstances of the present case clearly depicts that 'love is blind and more powerful weapon than the love and affection of the parents, family members and the society at large," the court said in its recent judgement.

 

 


--

Wednesday, June 15, 2022

હૈ ! ભારતના સત્તાધીશો–

હૈ ! ભારતના સત્તાધીશો,

દેશના નાગરીકોમાં મજબુરીથી બુલડોઝરની માનસીકતા પેદા કરીને ન્યાય નક્કી કરવાની ટેવ ન પાડશો. અમારો પ્રજા તરીકે ઇતીહાસ છે.વાંચો ને મોડુ થાય પહેલાં સમજી જાવ તો સારુ.!

(૧) સને ૧૩મી એપ્રીલના ૧૯૧૯ના રોજ જલીયાવાલા બાગ અમૃતસરમાં બૈશાખી તહેવાર ઉજવવા આશરે ચાર–પાંચ હજાર માણસો એકત્ર થયા હતા.તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ ગવર્નર જનરલ માઇકલ ડાયરે  નિર્દોષ(Innocent) નાગરીકો પર  અંધાધુધ ગોળીબાર કરવાનો ગુરખા રેજીમેન્ટને એવો હુકમ આપ્યો કે તમારી બંદુકની ગોળીઓ લગાવવાના શસ્રોનો સંપુર્ણ પુરવઠો ખલાસ થઇ જાય સુધી ગોળીબાર કર્યા જ કરો. ( And it stopped only when the ammunition had reached the point of exhaustion.)

(૨) સમગ્ર માનવજાતે ક્યારેય ન જોયેલા નરસંહારમાં આશરે ૧૫૦૦ નિર્દોષ માણસો,૨૫૦ બાળકો, એક છ માસનું બાળક ૧૫૦ માણસો સદર બાગમાં આવેલા કુવામાં જાન બચાવવા પડીને મૃત્યુ પામ્યા. ૧૦૦૦ માણસો સખત રીતે ઘવાયા. અંધાધુધ ગોળીઓના જલીયાવાલા બાગની દરની દિવાલો પરની નીશાનીઓ..

 ( ૩ ) ઇગ્લેંડની સંસદમાં અને ભારત દેશમાં તેના પડઘાઓ–

(અ) પ્રથમ વિશ્વયુધ્ધના સમયે વીનસ્ટન્ટ ચર્ચીલ જેઓ ઇગ્લેંડની સંસદમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર હતા તેમનો પ્રથમ પ્રત્યાઘાત હતો કે સંપુર્ણ અરૂચીકર, અવર્ણનીય અને રાક્ષસી, પ્રચંડ અમાનવીય કૃત્ય હતું. (Churchill referring to it as "unutterably monstrous") વડાપ્રધાન એસકયુઇથ તે કૃત્ય સામે જાહેરમાં બળાપો કાઢતાં જણાવ્યું હતું કે માનજાતના ઇતીહાસે કદાપી નોંધ્યું ન હોય તેવું ત્રાસ દાયક, ગ્લાની ઉપજાવે તેવુ, તથા અત્યાચારોના અતિરેકથી ભરેલું દુષકૃત્ય્ હતું. (while Asquith called it "one of the worst, most dreadful, outrages in the whole of our history.૮મી જુલાઇ સને ૧૯૨૦ને દિવસે ઇગ્લેંડની સંસદમાં ચર્ચીલે પોતાના પ્રવચનમાં ક્હયુ હતુ કે "  આ ટોળું શસ્રવિહીન હતું, તે કોઇના પર હુમલો કરતું ન હતું,  ટોળાને બહાર નીકળવાનો રસ્તો એટલો સાંકડો હતો(a narrow place considerably smaller than Trafalgar Square) કે તે ગલીમાંથી જીવ બચાવવા નાસતા નાગરીકોના એકના શરીરમાંથી બુલેટો બીજા ત્રણથી ચાર જણાના શરીરોમાં પસાર થઇ જતી હતી અને ભોગ લેતી હતી..ચર્ચીલના ઠરાવને ત્યાંની સંસદે ૨૪૭ વિરૂધ્ધ ૩૭ મતોએ પસાર કર્યો. ૩૭ મતો એવા ભક્તોના હતા કે જે બ્રીટીશ રાજ્ય ભારતમાં કાયમ ટકી રહે માટે જનરલ ડાયરના કૃત્યને વ્યાજબી ગણીને બીરદાવતા હતા.જુઓ ભારતના ૫૪૦ સાંસદો વડાપ્રધાન મોદીજી ને અમીત શાહ ગૃહમંત્રી સહિત બુલડોઝરની નીતી સામે શું કરે છે?

(બ) રવીન્દ્રનાથ ટાગોર– દેશની બ્રીટિશ સરકારે પોતાના આ કુકર્મોના સમાચાર પર ઢાંકપીછોડો કરવા બનતું કર્યું.(આપણી વર્તમાન સરકારોનો નિયમીત આનાથી જુદો ધંધો ક્યાં હોય છે?) રવીબાબુએ કલકત્તામાં ૨૨મીમે ૧૯૧૯માં જલીયાંવાલા હત્યાકાંડ વિરૂધ્ધ વિરોધી માર્ચ યોજવાનું નક્કી કર્યું હતું. ગોરી સરકાર વિરૂધ્ધ આવી ઘણી આઝાદી માટેની કુચ, સરઘસો સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ  વિ,નાના મોટા નેતાઓએ કાઢી હતી. પણ રવીબાબુનું રવીન્દ્ર્ભવન કલકત્તાનું સુભાષબોઝનું મકાન કે અલ્હાબાદનું નહેરૂજીનું તીનમુર્તી ભવન, સરદાર સાહેબનું કરમસદના મકાનો પર 'બુલડોઝર' ફેરવવાનું ગોરી સરકાર એટલા માટે ભુલી ગઇ હતી કારણકે તેમના સલાહકાર મોહન ભાગવતજી, મોદી સાહેબ, અમીત શાહ સાહેબ તથા ભગવાવસ્રધારી(!) યોગી જેવા રાજકીય સલાહકારો ન હતા.રવીબાબુએ ૩૧મીમે સને ૧૯૧૯ના દિવસે પોતાને મળેલો બ્રીટીશ નાઇટહુડના એવોર્ડ સાથે આવતા તમામ હકક,અધિકાર એક જ ઝાટકે તે સમયના વાઇસરોય ઓફ ઇંડીયા લોર્ડ ચેમ્સફોર્ડને પત્ર લખીને પરત સોંપી દીધા.મારા લાખો દેશવાસીયો ગોરી સરકારના જલીયાવાલા અમાનવીય ને બર્બર કૃત્ય સામે વિદ્રોહની આગમાં શેકાતા હોય ત્યારે તમારા મેડલો,ઇલ્કાબોની આગ મને શેકી નાંખે છે.(આ વાત ગુજરાતના વર્તમાન અને ભુતકાળના પધ્મશ્રીઓની કુંપનીઓને ધ્યાનમાં રાખીને લખી નથી તેની સખેદ નોંધ લેવી.)

(૩)  ઉધમ સીંગ– હવે ઇગ્લેંડમાં જઇને તે સમયના પંજાબના લેફ્ટેનન્ટ જનરલ ડાયરને તેના દેશમાં જઇને બંદુકથી મારી નાંખનાર ઉધમ સીંગની( જન્મ૧૮૯૯– મૃત્યુ ૧૯૪૦) શહાદતની વાત કરીએ. ૨૦ વર્ષની ઉંમરે જલીયાવાલાબાગ હત્યાકાંડમાંથી સખતરીતે ઘવાયેલો પણ કેટલાક બચી જનારમાંનો એક હતો ઉધમ સીંગ.તેના મનમાં અને શરીરના અણુએ અણુમાં બદલો લેવાની આગ પર ક્યારેય રાખ વળતીજ નહતી. તે ભારતની ગદ્દર પાર્ટી,, હીંન્દુસ્તાન સોસીયાલીસ્ટ એસો અને મજુર સંગઠનોમાં સક્રીય હતો.

સને ૧૯૪૦માં ૧૩મી માર્ચના( ૧૩મી એપ્રીલ ૧૯૧૯ જલીયાવાલા બાગની ઘટના) રોજ લંડનમાં આવેલ કેક્ષટોન હોલમાં જઇને જનરલ ડાયરને ઉપરા ઉપરી ગોળીઓ મારીને પોતાના દિલ અને દિમાગની કાયમી ન બુઝાતી આગને શાંત પાડી દીધી. ભારત દેશના તે સમયના સામાન્ય નાગરીકોએ અને ક્રાંતીકારોએ ઉધમ સીંઘની ઘટનાને અભુતપુર્વ કાર્ય ગણીને બીરદાવી દીધી. દેશના પેપર અમૃતબજાર પત્રીકાએ ઉધમ સીંગને ખુલ્લો ટેકો તેની તરફેણમાં લેખ લખીને જાહેર કર્યો. અને ટાઇમ્સ ઓફ ઇંડીયાએ ઉધમ સીંગના કાર્યને  ભારત દેશના ડબાયેલા કચડાયેલા લાખો લોકોના દિલો દિમાગમાં ન બુઝાયેલી ને રાખ વળી ગયેલા અગ્નીમાંથી સ્ફોટક વરાળ બનીને જાણે બહાર નીકળી ગઇ. ઉધમ સીંગને દેશના મહાન સ્વતંત્ર યોધ્ધા તરીકે બીરદાવી શ્રધ્ધાંજલી આપી હતી. ૩૧મી જુલાઇ ૧૯૩૯ના દિવસે લંડનની જેલમાં ભારતના તે પનોતા પુત્રને ૪૦ વર્ષની ભરયુવાનીમાં ફાંસી આપવામાં આવી હતી.

 

આજે ૧૪મી જુને સને ૨૦૨૨ના દિવસે ઇન્ડીયન એકપ્રેસના તંત્રી લેખના મથાળામાં બ્લોડ લેટર્સમાં અક્ષર લખ્યું છે કે  હૈ સત્તાધીશો બુલડોઝર્સની Demolition squad

ને સત્વરે નિયંત્રણમાં રાખવાની તાત્ક્લીક સુચના આપી છે.


--