Monday, April 29, 2024

અમેરિકાના વિશ્વ વિદ્યાલયોમાં અમેરિકન સરકારની પેલેસ્ટાઇન-ગાઝા લશ્કરી નીતિઓ સામે વિદ્યર્થિઓનો જબબરજ્સ્ત વિદ્રોહ -

અમેરિકાના ઉત્તરના છેડે ન્યુયોર્ક થી શરૂ કરીને દક્ષિણમાં ફ્લોરિડા અને પૂર્વમાં સાઉથ કેરોલિના થી શરૂ કરીને પશ્ચિમ માં કેલિફોર્નિયા અને લોસાએન્જીલીસ માં વિદ્યાર્થીઓ  કલાસરૂમની બહાર આવી ગયા છે. દેશની કોઈ કોલેજ કે યુનિ  બાકી નથી જ્યાં વિધાર્થીઓ ઈઝરાઈલ તરફી અમેરિકન સરકારની નીતિઓ સામે સડક પર બેસી ગયા ન હોય! તેમનો વિરોધ શાંત અને વિવેકપૂર્ણ હોવા છતાં યુનિ નું વહીવટી તંત્ર એટલું દિશાહીન અને અનિર્ણયતા નો કેદી બની ગયું છે કે લગભગ દરેક કેમ્પસ માં પોલીસ બોલાવી લીધી છે. વિધાર્થીઓને ખબર છે કે પોતાનું આંદોલન લાંબુ ચાલવાનું હોવાથી યુનિ કેમ્પસમાં રહેવા માટે ઘાસની લોન પર તંબુઓ  (ટેન્ટ્સ ) મોટી સંખ્યામાં ઉભા કરી દીધા છે.પેલેસ્ટાઇનના રાષ્ટ્ર ધ્વજ સાથે ગીતો ગાવાના-ડ્રમ વગાડવાના શરૂ કરી દીધા છે. જાહેર રસ્તા પરથી પોતાની મોટરમાં પસાર થતા નાગરિકોના ધ્યાન આકર્ષવા માડ્યા છે.( Students brought Palestinian flags and drums to play for passing cars honking support.)  
  1.  સમાચાર પ્રમાણે નોર્થવેસ્ટર્ન યુનિ ના  વિદ્યાર્થીની નેતા A student leader-Megha Summer Pappachen-મેઘા સમર પાપાચેન આ ચળવળ ની પ્રણેતા છે. પોતાની યુનિ માં  વિદ્યાર્થીઓએ લગાવેલા ટેન્ટ્સ પોલીસ દૂર કેવા માંડી  કે તરતજ અહિંસક  રીતે 200 વિદ્યર્થિઓના  હાથની સાંકળ બનાવીને  તમામ ટેન્ટને પેલી  ગૃપ સાંકળની અંદર સમાવી લીધા. પોલીસ તે સાંકળને તોડીને  ટેન્ટ દૂર કરવા આવી નહીં. મેધા સમરે આ વીડિયો અમેરિકાની  તમામ યુનિમાં  વાયરલ કરી દીધો!"We'll see if they're interested in arresting their own students and employees," Pappachen said. By nightfall, more than 500 protesters had gathered on the lawn, and she was telling students through a bullhorn( Recruitment agency) about what to do if they were arrested.

  2.  (મેઘા સમર પાપાચેન કેવી બૌદ્ધિક રીતે સક્ષમ વિદ્યર્થીની નેતા છે તેની નોંધ લેખના અંતમાં  ફોટા સાથે મુકીછે.)

  3.  દેશભરમાં  દરેક યુનિ કેમ્પસ ને  જોતજોતામાં લશ્કરી છાવણીમાં  તબદીલ  થતો અને નાગરિક અધિકારો અને અભિવ્યક્તિના સ્વંતંત્રનું  સરિયામ ઉલ્લઘન થતું દેખાયું.

  4. યુનિ વહીવટી તંત્ર અને પોલીસે શૈક્ષણિક જગતને રફેતફે  કરવા  કેવા પગલાં  લેવા માંડ્યાં છે તેને ટૂંકમાં જોઈએ.From California to New York, from Texas to Illinois, hundreds of students have been arrested after college presidents called police. કેટલાક કોલેજ કેમ્પસમાં પોલીસ ટીયરગૅસ  સેલ, રબાબર બુલેટ, ટોળાને ખસેડવા- ખદેડવા માટે ઘોડેસવાર પોલીસ વી નો પણ ઉપયોગ કર્યો છે.

  5.  કોલમ્બિયા યુનિ ના વહીવટી પ્રમુખ, વિદ્યાર્થી ચળવળની તરફેણ કરતા કહે છે કે "I fully support the importance of free speech, respect the right to demonstrate, and recognize that many of the protestors have gathered peacefully,".

  6. મેઘા સમર પાપાચેમેં દેશના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી છે આપણે વર્ગમાં જવાનું છે, ભણવાનું ચાલુ રાખવાનું છે.યુનિ સત્તાધીશોને કોઈ ધાકધમકી ક્યારેય આપવાની નથી.શાંતિ અને અહિંસક આયોજનબદ્ધ રીતે અમેરિકન સરકારની પેલસ્ટાઇન વિરુદ્ધ સતત પ્રજામત તૈયાર કરતા જવાનું  છે.આપણે 1968ની અમેરિકન સરકારની વિયેતનામ વિરુદ્ધની યુદ્ધખોર નીતિઓ સામે વિધાર્થીઓએ તૈયાર કરેલ પ્રજામતને ભૂલવાનો નથી. 

  7. મેઘા સમર પાપાચેનને  એક બૌદ્ધિક તરીકે વિદ્યાર્થી નેતા તરીકે સમજીએ. તેણીની ઉંમર 25 વર્ષની છે. તેની શેક્ષણિક નિપુણતા માર્ક્સવાદ,નારીવાદ,આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થશાસ્ત્રમાં છે.તેણે ઐતહાસિક ભૌતિકવાદ ("Historical Materialism: A Postdigital Philosophical Method." Postdigital Research, 2023. ) કરેલ છે .ક્રાંતિકારીઓએ સૈદ્ધાંતિક અને વાસ્તવિક ક્રાંતિ કરવા કેવું ગૃહકાર્ય  કરવું  જોઈએ તે વિષય પર રિચર્ચ પેપર પ્રકાશિત કરેલ છે. આ બધુ તેને અમેરિકાની નોર્થન  વેસ્ટર્ન યુનિ ના વિષયોમાંથી શીખવા મળેલ છે.  

  8. મેધા સમરની ચળવળનું હથિયાર " On September 25, 1789, અમેરિકાના બંધારણનો આ પ્રથમ સુધારો છે." 

જેમાં દેશની સંસદને વાણી સ્વાતંત્ર્ય ,અખબારી અને પ્રેસની આઝાદી અને લોકોનો શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર અબાધિત છે. તેનાપર કોઈ રાજ્યસત્તા તરફથી નિયમન ક્યારેય ન હોઈ શકે.

Students protest in USA.


https://www.usatoday.com/videos/news/politics/2024/04/24/mike-johnson-speaks-at-columbia-university-amid-pro-palestine-protests/73446041007/



http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

Monday, April 22, 2024

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

 ધાર્મિક પુસ્તકો આધારિત સત્યોને  ચેટ -જીપીટી -કૃત્રિમ બુદ્ધિ (Chat GPT-AI )ની મદદથી  બચાવવાનો ઉપયોગ કરવામાં આવે તો શું પરિણામ આવે?

વિશ્વના તમામ ધર્મોના પુસ્તકોમાં ઈશ્વરના અસ્તિત્વથી શરૂ કરીને  જે અગડમબગડમ અવૈજ્ઞાનિક નિયમો, અંધશ્રદ્ધાઓ અને પુરાવા વિહીન રજુઆતો કરવામાં આવી છે તે બધાને વૈજ્ઞાનિક નિયમો, સત્યો અને કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને માનવજાત 21મી સદી સુધી આગળ વધી છે.

અમેરિકામાં  તાજેતરમાં અમેરિકન  હ્યુમેનીસ્ટ એસી ના  માસિકમાં  "The Humanist.com Spring issue.17th April 2024 એક લેખ  પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે લેખના બે યુવાન લેખકો અનુક્રમે  ગેબ્રિયલ મોથ  અને માઈકલ કિર્ચેનેર  Ohio Northern Universityમાં  Secular Student Allianceના સ્થાપક પ્રમુખ અને ઉપપ્રમુખ છે. 

  1. ચેટ જીપીટી ને પેલા બે યુવાનોએ પ્રશ્ન પૂછયો - શું બાયબલ નૈતિક પુસ્તક છે?

જવાબ- જે લોકો બાઈબલના ઉપદેશોને નૈતિક સ્વરૂપે માર્ગદર્શક તરીકે સ્વીકારે છે તેના માટે બાયબલ નૈતિક પુસ્તક છે.

  1. ચેટ જીપીટી- તારી કોઈ અંગત માન્યતા કે જીવન મૂલ્યો છે?

જવાબ- મારી કોઈ અંગત માન્યતા, લાગણી કે બૌદ્ધિક સભાનતા આધારિત નિર્ણય શક્તિ નથી. હું તો એક માનવ સર્જિત પોતે શીખતું અને બીજાને તે પ્રમાણે શીખવાડતું મશીન છું. માનવીની માફક મારો કોઈ અંગત અભિપ્રાય હોતો નથી. હું ચેટ જીપીટી સર્જિત ફક્ત(પઢાવેલો પોપટ) કૃત્રિમ મશીન છું .મારામાં લેશ માત્ર સંવેદના નથી. 


  1. અમે  ચેટ જીટીપીને સમંત કરવા નીચેના ત્રણ પ્રશ્નો પૂછ્યા.

(અ ) જે ધર્મ પુસ્તક ગુલામી (slavery)ની તરફેણ કરે તે અનૈતિક છે.( Any document which advocates for slavery is unethical.) 

(બ) ઈસાઈ બાયબલ ગુલામીની તરફેણ કરે છે.(The Christian Bible advocates for slavery.)

(ક) માટે ઈસાઈ બાયબલ અનૈતિક પુસ્તક છે.( Therefore, the Christian Bible is unethical.) 

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.




--

Friday, April 19, 2024

આપણા સૌનો એક નંબર નો દુશ્મન નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી હિન્દુત્વવાદી વિચારસરણી ?

આપણા સૌનો  એક નંબર નો દુશ્મન  નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી  હિન્દુત્વવાદી વિચારસરણી ? શું રોગના ચિન્હો અને રોગ એક હોય છે? નમો તો હિન્દૂ રાજ્ય સ્થાપવા માટેનું સાધન છે. કઠપૂતળી છે! નમોને કહીએ કે  તમે અટલજીની માફક લાહોર -દિલ્હી સમજોતા એક્પ્રેસ્સ શરૂ કરો અને બાકી નું કામ પાકિસ્તાનમાં  જઈને  ઝીણાની મઝર પર ચાદર ચઢાવી આવો ! પછીના ભવિષ્ય  માટે તમારી  હસ્તરેખા ભાજપના  માર્ગદર્શક મંડળના વડા અડવાણીજીની બતાવી દેજો!   

What is the purpose of fighting for the signs & symptoms of Hindutva & keeping & not making sincere  efforts to eradicate it ? Is there any possibility of NAMO surviving in the absence of HINDUTVA?

સિનિયર પત્રકાર શ્રવણ ગર્ગ ની આયુટ્યૂબને  સાંભળવા અને સમજવા વિનંતી છે! દસથી બાર મિનિટની યુ ટ્યુબ છે.

Sharvan Gagr- https://youtu.be/g8BxRnPjlH4?si=LAHjAnKopapEEWDC



--

Saturday, April 13, 2024

તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?


તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?

 21મી સદીનાં એક મહાન દેશના મહાન રાજાના મહાન ઉદ્ગારો !

મારા દેશમાં કેટલાક દેશ દ્રોહીઓ શ્રાવણ મહિનામાં " ચિકન " ખાય છે અને ચૈત્રી નવરાત્રિમાં "મચ્છઈ" આરોગે છે .પણ  હું કેટલો પવિત્ર રાજા છું  તમને ખબર છે? સને 2002ના મારા રાજ્યાભિષેક પછી 2024 સુધી મને સાલી ! માણસને ખાવાની ટેવ પડી ગઈ છે! સતત મારી આજુબાજુ હું શોધતો રહું છું  તે પણ 24x 7 કે હવે પછી કોને બલી નો બકરો બનાવવાનો છે ? મારી આજુબાજુ,ઉપર નીચે અત્રે સર્વત્રે  હું નજીકના દૂરના  બધાજ મને મારા સિંહાસન પર  ફક્ત અને ફક્ત હુમલો કરનારા સિવાય કોઈ દેખાતા નથી. ઉંઘમાં મને મારો પડછાયો ઘણીવાર મારા પર હુમલો કરતો મને દેખાય છે!  બોલો ! હું તેમનો ઘડો લાડવો ના કરું તો બીજું શું કરું! મારુ આ માણસ ખાઊ નું મિશન આખરે મારા 140 કરોડના પરિવાર ના કલ્યાણ માટે જ છે ને? પેલા મટન મચ્છી ચિકન ખાનારા કરતાં  કેટલો બધો ધાર્મિક અને  પવિત્ર માણસ છું ?   

મારા દેશવાસીઓ ! મારી ઉપરમૂજબની ચિત્તભરમની સ્થિતિ સમજી ભૂલેચૂકે મારી ભક્તિ કરવાની છોડી ન દેશો? સ્વપીડન અને પરપીડનની જેમ પ્રજાનો સત્તાત્યાગ  અને પછી મારી સત્તાનો ત્યાગ શું બન્ને સજૉડીયા ભાઈઓ છે?    


--

Friday, April 12, 2024

માનવવાદી તત્વજ્ઞાન

 માનવવાદી તત્વજ્ઞાન -( ભૌતિકવાદ અથવા અદ્વૈતીક પ્રકૃતિવાદ )

તેના ત્રણ સિદ્ધાંતો છે.

  1. પ્રકૃતિવાદ- કુદરતવાદ  ( NATURALISM)-તે કુદરતના (પ્રકૃતિના) અસ્તિત્વનું પ્રતિપપાદન કરે છે. તે એવો દાવો કરે છે કે જે કંઈ છે , અથવા જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે કુદરતનો ભાગ જ છે. અનુભવ જગત તે માયા નથી. કુદરતવાદ માયાનો ( ઈલ્યુઝન)અસ્વીકાર કરે છે.

  2.  નિયતિવાદ (DETERMINISM)- નિયતિવાદનો સાદો અર્થ છે કે સમગ્ર બ્રહ્માંડ નિયમશાષિત(લો ગવેર્નેડ છે.) આજે જે પથ્થર કઠણ છે તે કોઈ કારણ વિના કાલે નરમ બની જાય નહીં.કારણ વિના કશી ઘટના બની શકે જ નહીં.

 " કારણની સર્વોપરિતા નો નિયમ."

  1. ભૌતિકવાદ અથવા અદ્વૈતવાદ ( Monism)-પ્રકૃતિ એકાત્મવાદ -સમગ્ર અસ્તિત્વ એક જ મૂળ પદાર્થ કે તત્વનું બનેલું છે.પછી તે પદાર્થ કે તત્વનું સ્વરૂપ ગમે તે હોય! આ ભૌતિકવાદની પાયાની ધારણા છે.વિશ્વ બે કે વધુ તત્વોનું બનેલું છે(શરીર અને આત્મા)તેનો તે ઇન્કાર કરે છે.અથવા જડ અને ચેતન જેવા બે ભાગ પડતો નથી. કશું આધિભૌતિક,અશરીરીનો પણ અસ્વીકાર કરે છે. જે કંઈ પ્રકૃતિ કે કુદરત તરીકે અનુભવ કરીએ છીએ તે વાસ્તવિક છે. માયા કે ભરમ કે આભાસ નથી.

  2. પ્રકૃતિવાદ, નિયતવાદ અને એકત્વવાદના આધાર સિદ્ધાંતો પર વૈગ્યનિક અભિગમનો પાયો છે.જેના પર આધુનિક જગતનો પિરામિડ ઉભો થયેલો છે.


—-------------------------------------------------------------

 The base of Humanist philosophy is science. There are three basic postulates of H Philosophy namely (a) Naturalism (b) Determinism © Monism.


  1. NATURALISM-  Naturalism asserts the existence of nature & claims that everything that exists is part of nature. -nothing supernatural & above nature.  The world we experience is real in existence not MAYA.

  2. DETERMINISM- It implies that the universe is law governed. Nature is an orderly process. Events do not take place without a case. For example- It does not happen that  a stone which is hard found today will be soft tomorrow, without there being any cause which explains the change. No events can take place without cause behind it. "SUPREMACY OF REASON"

(C)         Monism- Humanist Philosophy is materialist philosophy, not spiritual philosophy but a naturalist monism philosophy. It means the whole living organism as well as non-living organism are material substances- whatever may be the basic substance. It means logically that the universe is not made up of more than one substance. Monism repudiates the duality  of matter & spirit. It does not admit of anything being supernatural. 

According to naturalism, whatever is experienced is part of nature.  Above three postulates namely naturalism, determinism & monism are basic to the approach of science.They are the backbone of humanist philosophy.

By courtesy- Radical Humanism- Philosophy of Freedom & democracy. Book in English By. V. M. Tarkunde. અંગ્રેજી અને  ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ પુસ્તકો અપ્રાપ્ય છે. અમે બંને પુસ્તકો Reprint published કરવાનો ગંભીર પ્રયત્નો કરવાના છીએ. જે તે સમયે નાણાકીય મદદ માટે સહકાર આપવાની ટેલ નાખીશું. 



--

Thursday, April 4, 2024

શું કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?

શું  કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?અથવા હિંદુ,જૈન,મુસ્લિમ,ઈસાઈ કે કોઈ પણ ધર્મમાં અને તેના સર્વસત્તાધીશ ઈશ્વરમાં માનનાર (Believer)રેશનાલિસ્ટ હોઈ શકે ? હા, તો કેમ? ના તો શાથી? માનવી તરીકે જન્મગત કે મેળવેલી ધાર્મિકતા અને તેના તમામ રિતીરિવાજોનાં માળખા વ્યક્તિગત અને સામુહિક રીતે સંપૂર્ણ નામશેષ કર્યા સિવાય કોઈ રેશનાલિસ્ટ બની શકે? કારણની સર્વોપરતી અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા ( Achievement of  mental attitude unreservedly accepts the " SUPREMACY of REASON  "SECULAR MORALITY") તે બન્ને મૂલ્યોને દુન્યવી સત્ય શોધવાના માર્ગદર્શક સાધનો તરીકે સ્વીકારવા તૈયાર છો ખરા?    

--

Monday, April 1, 2024

! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ


હૈ ! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ ? તે તમને ખબર છે?

 હું 10 વર્ષ  સુધી દેશના  વડાપ્રધાન પદે અને આશરે 15 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બે બેરોકટોક ચાલુ રહ્યો છું. એ તો મારે તમને જણાવવાનું હોય જ નહીં! જુઓ! તમે બધા એક વાત સમજી લો કે, " સત્તાના રાજકારણમાં " મેં કદી હાર શું છે એ જોયું જ નથી! સૌ પ્રથમ મેં મારા ગુજરાતના ભાજપ પક્ષમાંથી જ મને હરાવવા નીકળી પડેલા ને વારાફરથી હરાવતો આવ્યો છું. કેટલાકને તો મેં નામશેષ જ કરી નાખ્યા હતા.

    સને 2014 પછી મેં કબ્જે કરેલી દેશની આધુનિક હસ્તિનાપુર રાજધાનીમાં મારા પક્ષના અને વિરોધ પક્ષના તમામ દુશમ્નોથી  મુક્ત થવાનો મારો એક માત્ર "રાજધર્મ"ની નિસરણી ચઢવાના થોડાં પગથિયાં હજુ બાકી છે. મારુ તે  "મિશને  હિન્દ" હજુ પૂરું થયું નથી. બહુ લાંબી- ચોંઢી વાત કરવાને બદલે પેલા 97 કરોડ મતદારોને સમજાવી દેવા માંગુ છું  હું " મારા ખોળિયામાં " જીવ છે ત્યાં સુધી કેમ  સત્તા  છોડીશ નહીં?

  1. ગુજરાતના 2002ના દેશને લઘુમતી -બહુમતીને ધાર્મિક નફરતપેદા કરીને આડો ઉભો વેતરી નાખવાના પવિત્ર મિશનમાં રણધીરપુરના  બિલકિસ બાનું , બરોડાના બેસ્ટ બેકરી કેસ, નરોડા પાટિયા અને નરોડા ગામ,અહેસાન જાફરીસાહેબ વાળી  ગુલબર્ગ સોસાયટી ના રહીશોની અને બીજા અનેક ઇતિહાસની નોંધ બહાર રહી ગયેલાઓની શાનને  ભાનમાં લાવવાના સુઆયોજિત યોજનામાં " नींव कि इट " બનનારા  મારા હિંસક સાથીદારોની મુક્તિ અને તેમના કુટુંબોના હિતો સાચવવાની  જવાબદારી માટે મારો વડાપ્રધાન નો પટો રીન્યુ કરવાની  જરૂર છે.

  2.  છેલ્લા 10 વર્ષોમાં મેં  દેશને  કાયદાના શાસનમાંથી ( RULE OF LAW)મુક્ત કરી  શાસનકર્તાની મરજી મુજબનું કાયદાનું રાજ્ય લાવવા    ( LAW OF RULER) મારી ઈચ્છા વચ્ચે  ઘણા વિઘ્નો છે. જે મારા " ઈલેક્શન બોન્ડ " પ્રજા કલ્યાણ લક્ષી પગલાંને રાષ્ટ્ર વિરોધ - બંધારણ વીરોધી ગણીને રદબાતલ કરે છે.

  3. મારો સત્તાનો પટો જો રીન્યુ કરવામાં નહીં આવે તો  દેશને 'મનુસ્મૃતિ' આધારિત  " હિંદુ દેશ" બનાવવાનું  ભૂલી જજો!   

  4. પેલા 82 કરોડ દેશવાસીઓ ને  તો મેં  5કિલો અનાજ બીજા 10 વર્ષો સુધી મફત આપવાના વચન આપી મત આપવા પટાવી લીધા છે.તે બધા ની તો મેં મૂઠ્ઠી ચણા આપીને  કાયમ માટે ચાંદીની કલ્લીઓ કાઢી લીધી છે.પણ મારા દેશના  બિચારા અદાણી-અંબાણી જેવા તમામ " Crony Capitalism"ના હિતો જે મારી સત્તા, મારા પક્ષના કાર્યકરોની સમૃધ્ધિ અને  દેશવાસીઓના વધતી જતી યુવા બેકારી ની ફોજનું  કલ્યાણ  કોણ કરશે? તેમના શેરહોલ્ડર્સ અને મુંબઈ શેર બજારનું શું  થશે?

  5. મારા  તમામ પક્ષની અંદરના વિરોધીઓ અને સામા પક્ષના વિરોધીઓને  લકવાગ્રસ્ત અને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાના પગલાં  તો મેં  હમણાં જ લેવાના શરુ કર્યા છે. કોઈકના  નાણાંકીય ખાતાં  અટકાવ્યા છે કે પછી ફક્ત એકલ દોકલ એક બે મુખ્ય મંત્રીઓને જેલમાં પૂર્યા છે. તમે 31મી માર્ચની મારા પાટનગર હસ્તિનાપુરની  ગઈકાલની વિરોધ પક્ષ ની સંયુક્ત રેલી જોઈ ? બોલો !એકી સાથે  તે વિરોધ પક્ષના  નેતાઓ એ બે  હાથ એકબીજાના  હાથો પકડીને  ઉભા હતા તે લાઈનની  સંખ્યા  ગણી? બોલો કેટલા બધાને  જેલમાં પુરવાના બાકી છે?

  6.  નોઈડાના મીડિયા કોન્ક્લેવ અને ગોદી -મોદી-મીડિયાના એન્કરોની  સત્તા ગયા પછીની  પેદા થવાની બેકારીનું  શું થશે? ઇડી, ઈ- ટેક્સ અને સીબીઆઈ ઉપરાંત મોદી યુગમાં  ફૂલેલી -ફાલેલી  નોકરશાહી શું થશે?

  7. આ બધાનું  જેવું વાવ્યું  હશે  તેવું  બધા લણશે ! પણ સત્તા  ગયા પછી  મોદી - શાહ ની બેલડીને  દુનિયાનો  રશિયાના પુતિન સિવાય કયો દેશ  રાખશે? પશ્ચિમના  તમામ લોકશાહી દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા તો  તેમને  વિઝીટર વિઝા પણ આપશે કે કેમ તે સવાલે  તે બેલડીની  નિંદર જ  હરામ કરી દીધી છે?               

  8. મતદાર ભાઈઓ ! મારી સત્તાનો પટ્ટો રીન્યુ  કરી આપશો ને? અયોધ્યાના પેલા મારી જ પ્રાણપ્રતિષ્ઠ્ઠાથી બિરાજમાન  થયેલા  ફક્ત મારા જ "રામજી" એ હવે તો  સને 2024ની  ઈવીએમ મશિનવાળી ચૂંટણીની  સારસંભાળ  રાખવાનું મને 22મી જાન્યારીના દિવસે " Promise" તેમની આરતી ઉતારતે સમયે આપેલ છે! " રામજી" એ તથાસ્તુઃ  - કહ્યું કે નહીં તે મેં સાંભળ્યું  નથી! 

--