Monday, October 31, 2022

ભાગ –૨ “ ઇશ્વરના હુકમનુંઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે.”

ભાગ –૨ " ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."

   આમ માનવી, સતત ઇશ્વરી, ધાર્મીક પુસ્તકો, અને ઇશ્વરી દેવદુતો ને પયગંબરોના હુકમોનો અનાદર કરીને, સરીયામ ઉલ્લઘન કરીને પોતાની બૌધ્ધીક શક્તી વિકસાવીને જીવનમાં સંવાદિતા પ્રાપ્ત કરતો આવ્યો છે. માનવીએ પોતાના બાહ્ય કુદરતી નીરિક્ષણ, તર્કબધ્ધતા અને સમજશક્તીથી (Cognition) પૃથ્વી પર જે સ્વર્ગ બનાવ્યું છે તે પેલા ઇશ્વરી આજ્ઞાપાલનથી સ્થગીત સ્વર્ગ કરતાં અનેકગણુ ચઢીયાતુ છે.

    પૃથ્વીપરના ઇશ્વરી એજંટોએ( આ પરોપજીવોની જમાત સૌથી વધારે ઇશ્વરપ્રીય ભારતમાં સક્રીય છે.) પોતાના સ્વાર્થી હેતુઓ માટે જે ' અગડમબગડમ' સત્યોની માયાજાળ પેદા કરી છે; સદીઓથી તેને માનવ મરજીવાઓએ શહીદી વહોરીને, તેમના સત્યો સામે બળવો કરીને જે મેળવ્યું છે તે લેશ માત્ર ઓછી સીધ્ધી નથી.

  માનવસંસ્કૃતી માટે પસંદગી બહુજ સ્પષ્ટ છે. કાંતો તેણે પેલા બની બઠેલા ઇશ્વરી એજંટોના હુકમોનું પાલન કરીને સામુહીક સ્વનાશનો માર્ગ પસંદ કરવો અથવા તેમના બકવાસભર્યા અર્થહીન વાહીયાતોમાંથી કાયમી મુક્તી મેળવવા તે બધાના હુકમો, ઉપદેશો અને કાકુલદીઓ સામે સંગઠીત પ્રતીકાર કરવો!

   કોઇ એમ ચોક્કસ કહી શકે કે ભાઇ ! તમારી આદર– અનાદર(ObedienceDisobedience)વાળી ચર્ચા હંમેશાં કે સર્વદા એકતરફી હોઇ ન શકે. કોઇ વિચાર કોઇના માટે આદર હોય,અને સામા માટે તે વિચારનો અનાદર કરવો પણ યોગ્ય લાગે! માનવજાતના કલ્યાણના ધ્યેયો રાજ્યસત્તાના નિયમો– દંડો સાથે એકરૂપ ન હોય તો બે દ્વંવ્દ વચ્ચે શું પસંદ કરશો? જે માણસ રાજ્યસત્તાનો ફક્ત હુકમ છે માટે માને છે, આદર કરે છે તે ગુલામ છે. અને જે રાજ્યસત્તાનો હુકમ દુન્યવી, વૈજ્ઞાનીક પ્રમાણો અને વાસ્તવીક સત્યો આધારીત વીરોધ કરે છે તે બળવાખોર બની જાય છે.

      કોઇપણ વ્યક્તી માટે, સંસ્થા કે સત્તાના આશ્રીત બનીને પોતાની તર્કવીવેકબુધ્ધીથી વીરૂધ્ધ જઇને આજ્ઞાપાલન કે સમર્પણ કરવું તે અક્ષમ્ય( Unpardonable) વર્તન છે. પરંતુ મારી તર્કવીવેકબુધ્ધી આધારીત આજ્ઞાપાલન(Autonomous Obedience)કરવું તે સમર્પણ નથી. કારણકે તેમાં હું મારા નિર્ણયને અનુસરુ છું. બીજાના આદેશ, હુકમ કે નિર્ણય ને નહી.

ધર્મસત્તા, રાજ્યસત્તા, રાષ્ટ્રસત્તા, પક્ષીય સત્તા કે આપખુદ નેતાની સત્તાના અંતરઆત્મા અવાજ ની સામે( (મનકી બાત)માનવીના અંતરઆત્મા, સદ્રવીવેકબુધ્ધ્ની સત્તા વચ્ચે શું પસંદ કરવું ? શાથી? કેમ? ઉપર જણાવેલ સત્તાના પ્રકારોમાંથી કોઇપણ સત્તાના અંતરઆત્માના અવાજ સામે જ્યારે તમારો સદ્રવીવેક કે અંતરનો અવાજ શરણાગતી સ્વીકારે ત્યારે સમજાવાનું કે તમે પેલી સત્તાને ખુશ કરવા માંગો છે અથવા તમને તે સત્તાની બીક લાગે છે. દા;ત બાળકનું તેના પિતાની સત્તાને સ્વીકારવું.

 સત્તાના અંતરઆત્મા( Authoritarian conscience) જેનું બીજું નામ દંડ કે હુકમ છે,તેની સામે માનવીય અંતરઆત્મા ( Humanistic conscience)નો ખ્યાલ છે.

માનવવાદી અંતરઆત્મા કે સદ્રવીવેકબુધ્ધી તે માનવમાત્રનો પોતાની જીજીવીષા ટકાવી રાખવા વીકસેલું ( (Urge to exist) એક માનવમુલ્ય છે. માનવ અંતરઆત્મા તે પુરાવા–જ્ઞાનઆધારીત માનવ સહજ જીજ્ઞાસાનું પરીણામ છે. તેમાં માનવીય હીતકારી અને અહીતકારી શું છે તે જાણવાની સમજશક્તી માનવીમાં એક જૈવીક દેન તરીકે વીકસેલી છે. પરંતુ પેલા સત્તાકીય પરીબળોના અંતરઆત્માના હુકમો સહેલાઇથી માનવીય અંતરઆત્માના વ્યક્તીત્વ પર એવા હાવી થઇ જાય છે અને માનવીને પ્રમાણમાં શક્તીહીન બનાવી જાય છે.

         પેલી ઇરેશનલ સત્તા રેશનલ સત્તાને યેનકેન પ્રકારે દબાવી દે છે. દા:ત ગુલામ અને માલીક ઇરેશનલ સત્તા અને શીક્ષક અને વીધ્યાર્થી રેશનલ સત્તા. બંને સત્તામાં સત્તાને સ્વીકારવામાં આવે છે. પણ બંને સત્તોના ઉદ્રભવ અને અમલમાં સંપુર્ણ વીરોધાભાસ છે. શીક્ષક– વીધ્યાર્થી સંબંધો વૈશ્વીક અને માનવીય છે. જ્યારે ગુલામ– માલીકના સંબંધોમાં શોષણ અને હીતોના સંઘર્ષો આમેજ હોય છે.

      કયા કારણોસર માનવી પેલી સત્તાને મોટાભાગે આદર કરવાનું વધારે પસંદ કરે છે ને વિરોધ કરવાનું ઓછું પસંદ કરે છે? જ્યારે હું રાજ્ય, ધર્મસંસ્થા કે પ્રજામતને સ્વીકારવાનું પસંદ કરૂ છું ત્યારે મને હું સતત સલામત છું તેવો અહેસાસ સતત પેદા થાય છે. મારી આભાસી શરણાગતી(Fear of Freedom) મને પેલી સત્તાની  સર્વજ્ઞતા,(Omniscience) સર્વશક્તીમય (Omnipotence)ની અંદર ભળી જવામાં માનસીક સલામતી પુરી પાડે છે. મઝાનો વીરોધાભાસ એવું સ્વરૂપ લે છે કે, ખુબ મોટા ટોળાની શરણાગતી–ભક્તી, પેલી સત્તાને કે તે ધારણ કરનાર નેતાને સલામતી બક્ષે છે, તેથી તેને વધારે પોતાના વીરોધ સામે ક્રુર અને હીંસક બનાવે છે. પણ તેની શરણાગતીમાં અમે ભક્તોને,ઓશીકે( on Pillow)માથું મુકીને નીરાંતે પેલા અફીણીની માફક નીંદરમાં જીંદગીભર બસ સુતા જ રહેવામાં 'દીવ્ય આનંદ!' ની અનુભુતી થાય છે.

 આવી માનસીકતામાંથી બહાર નીકળી શકાય? પેલા ભક્તોને પુછશો તે જવાબ મળશે ' ડાહ્યો થા મા! ડાહ્યી માનો દીકરો બનીને જે મલે છે તે ભોગવ્યા કર!'

સત્તાના હુકમ સામે પછી તે રાજ્ય. નેતા, ચર્ચ, કે કોઇ સામાજીક એકમ કેમ ના હોય તેની સામે " ના" કહેવાની હીંમત કેવી રીતે વીકસાવી શકાય? આ સંદર્ભમાં વીકસીત વ્યક્તી( Mature Mind) એટલે શું? બૌધ્ધીક રીતે પરીપક્વ વ્યક્તી આપણે તેને કહીશું જે પોતાની સદ્રવીવેકશક્તીથી પોતાને માટે જ્ઞાનઆધારીત સાચું શું છે ખોટું શું છે તે નકકી કરી શકે અને તેના આધારીત કરેલ નીર્ણય મુજબ પેલી સત્તાને " ના" કહેવાની હીંમત તેના પરિણામો ભોગવવાની સાથે હોય!

  આ હીંમત  હીબ્રુ દંતકથા પ્રમાણે ઇવમાં હતી અને ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસમાં હતી. પરીણામ ભોગવવાની તૈયારી સાથે! સત્તા સામેની સ્વતંત્રતા કે મુક્તી મને તે સત્તાનો અનાદર કરવાની તે સત્તાને પડકારવાનું મને માનસીક ઇંધન પુરુ પાડે છે. મારી સ્વતંત્રતા અને પેલી સત્તાનો અનાદર બંને એકબીજાના અનીવાર્ય અવિભાજ્ય અંગો છે.

માનવ ઇતીહાસ ગવાહી પુરે છે કે સદીઓથી દરેક સમાજમાં નાની સરખી લઘુમતી, ટોળકી વિ. બહુમતી પ્રજા ઉપર રાજ્ય કરતી આવી છે. પછી તે લઘુમતીની સત્તા ઈશ્વરઆધીન હોય, રાજ્ય સત્તા હોય, લશ્કરી સત્તા હોય કે પછી મુડીપતી અને જાગીરદારોની હોય! સત્તાધીશો લઘુમતીમાં અને રાજ્ય કરવાનું બહુમતી પ્રજા પર! બહુમતીઓનો ઉપયોગ લઘુમતીઓના સુખ માટે. લઘુમતી સત્તાધીશો કેવી રીતે, પેલી બહુમતીને ઇશ્વર, સ્વર્ગ–નર્ક, જન્નત– જહન્નમ કે પછી રાજ્યદંડની બીક સીવાય, આજ્ઞાપાલક,આજ્ઞાંકીત કે ગુલામ બનાવી શકે?

 લઘુમતી સત્તાધીશોને બહુમતી પ્રજાની " બીનશરતી શરણાગતી " 'સત્તાના અનાદર' સામેની માનસીકતા કરતાં વધારે અનુકુળ આવે છે. ઔધ્યોગીક સમાજે આજના માનવીને સત્તા સામે પોતાના સ્વઅસ્તીત્વ ટકાવી રાખવા અને વીકાસ માટે સંઘર્ષ કરવાની સંભાવનાઓને જ મૃતપાય કરી દીધી છે. સત્તા સામે અનાદર કરવાની જરૂર છે તે સાહજીકતા જ આધુનીક માનવીએ ગુમાવી દીધી છે. જે સમાજના નાગરીકોમાં સત્તા સામે " ના" કહેવાની હીંમત, સત્તાના નીર્ણયોનું ટીકાત્મક તર્કબધ્ધ મુલ્યાંકન કરી પડકારવાની હીંમત મરી પરવારે ત્યારે સમજવાનું કે તે સંસ્કૃતી હવે મૃતપાય થવાની દીશામાં ઝડપથી દોટ મુકી રહી છે.

 

 


--

Sunday, October 30, 2022

“ ઇશ્વરના હુકમનું ઉલ્લંઘનકરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે.”

" ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."

 ભાગ–૧. નવા વર્ષની માનવવાદી વીચાર ભેટ!

આપણને સૌ ને ખબર છે કે સદીઓથી રાજા– મહારાજાઓ, ધર્મગુરૂઓ, સામંતો– જમીનદારો, ઉધ્યોગપતીઓ ને કુટુંબના તમામ વડીલોએ ગુળથુથીમાં જ શીખવાડી દીધું છે કે " આજ્ઞાપાલન, આજ્ઞાધીનતા, આજ્ઞાનુસરણ તે લક્ષણો સદ્રગુણ છે અને તે બધાનું ઉલ્લંઘન, અનાદર વિ. એટલે દુષ્ટતા, દુર્ગુણ, દુર્વતન, ઇશ્વરી ગુનો,તે બધુ પાપ કહેવાય." એક મઝાની દંતકથા છે કે જેને તમામ ખ્રીસ્તી ધર્મીઓ સત્ય તરીકે સ્વીકારે છે કે " માનવજાતનો ઇતીહાસ આદમ–ઇવના ઇશ્વરી હુકમના અનાદરથી શરૂ થાય છે." તે બહાદુર કાર્ય ઇવે(સ્રી)એ કર્યું હતું એ સૌએ યાદ રાખવું જોઇએ.

       ગાર્ડન ઓફ ઇડનના તે બંને નિવાસી હતા. જ્યાં કાયમી ઇશ્વરપ્રેરીત સુખ જ હતું. બસ સુખ. ત્યાં એક ઝાડ હતું. તે જ્ઞાનનું ઝાડ હતું.(A tree of knowledge). તે ઝાડપરના ફળને ખાવાની પેલા બંનેને મના કરવામાં આવી હતી.પ્રતીબંધ હતો. ઇવે પ્રથમ તે ફળ ખાધુ. બસ પછી ઇશ્વરી,ધાર્મીકપુસ્તકો, ધર્મગુરૂઓના વિ, હુકમોનું ઉલ્લંઘન શરૂ થઇ ગયું.પેલા કહેવતા તમામ વડીલોએ જે માનવજાત ને અંધશ્રધ્ધા,વહેમ, અને અસત્યોની જંજીરો બનાવેલી 'નાભી–નાડ( The umbilical Code) હતી તે તોડવાનું કામ શરૂ થઇ ગયું. ઇશ્વરી હુકમ સામે અનાદર કરવાથી તે બંનેની આંખો જ ખુલી ગઇ. ઇશ્વરના બગીચામાં તે માનવ જ રહ્યા ન હતા.

     સ્વતંત્રતા અને માનવમુક્તિ તે ઇશ્વરી હુકમના અનાદરમાં ગર્ભીત, કે અભીપ્રેત વર્તન છે. આપણા બે પૈસા જેટલી પણ બુધ્ધી નહી ધરવતા રાજકીય નેતાઓને ખાસ કરીને ચુંટણી ટાણે કોણ ધુત્કારીને કહેશે કે " તમે મંદિરો અને ધર્મસ્થાનોમાં ભાતભાતના કપડાં પહેરીને પ્રદક્ષીણા ફરવાની બંધ કરીદો. સમગ્ર માનવજાતની મુક્તિના ઇતીહાસનું પ્રથમ પગથીયું તો જે દિવસે આદમની પ્રેમીકા ઇવે  ઇશ્વરના હુકમનો અનાદર કરીને સ્વપ્રયત્નથી જીંદગી જીવવાની નહી માણવાની શરૂ કરી છે તે દિવસથી શરૂ થઇ છે. તમારી નેતાગીરીના ધાર્મીક નાટકોને સદીઓ પહેલાં ફગાવી દઇને તેની સામે વિદ્રોહ કરીને માનવજાત ૨૧મી સદી સુધી પહોંચી છે. તમે ફાલતું નેતાઓ તમારા આવા ધાર્મીક નાટકો ને દંભી વર્તનથી માનવજાતના વિકાસના કાંટા પાછા ફેરવવા મેદાને પડયા છો. રૂક જાવ.

      જે દિવસે પેલી દંતકથાના આદમ અને ઇવે ઇશ્વરી ગાર્ડન ઓફ એડનને ફગાવીને સ્વપ્રયત્નથી કુદરતી પરિબળોને ભજવાને બદલે ઇન્દ્ર્યજન્ય જ્ઞાન આધારીત અનુભવથી પોતાની સમસ્યાઓ ઉકેલવાનું શરૂ કર્યુ તે દિવસથી જ ' માનવ' બની ગયો છે. આદમ– ઇવે ઇશ્વરી હુકમનો અનાદર કરીને જે મુળભુત પાયાનું પાપ(Original sin) કર્યુ હતું તેની માનવજાત કાયમી રૂણી છે અને રહેશે!

      ઇશ્વરના હુકમનો અનાદર કરીને માનવી બીજા માનવી સાથે સંવાદિતા–સહકાર અને કુદરત સાથે પણ સંવાદિતાથી કેવી રીતે જીવન જીવવું તે શીખી ગયો. કારણકે તેણે તો ઇશ્વરી હુકમનો તો અનાદર કરીને જીવન જીવવાનું શરૂ કરેલ હોય તેના પોતાના બાહુબળ સિવાય (Human Efforts) કોઇપણ ત્રાહિત કે માનવોત્તર પરબીળોપર આધાર રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો જ નહતો .

       હીબ્રુ દંતકથામાં જેમ આદમ– ઇવનો ઉલ્લ્ખ છે તેવી રીતે ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસની દંત કથા છે. પ્રોમેથીયસે દેવ પાસેથી અગ્નીની ચોરી કરી હતી કે ગુનો કર્યો હતો. ત્યારબાદ માનવ ઉત્ક્રાંતીનો પાયો નંખાયો હતો.આદમ–ઇવની માફત પ્રોમેથીયસને ગ્રીકદેવે પોતાના હુકમના અનાદર માટે સજા કરી હતી. સદર કૃત્ય માટે પ્રોમેથીયસને સહેજ પણ પસ્તાવો થયો નહતો કે તેણે દેવની માફી પણ માંગી નહતી. ગૌરવ સાથે પ્રોમેથીયસે સત્તાધીશો ને કહ્યું હતું કે " હું ઇશ્વરની માફી માંગીવાને બદલે તમે મને આ ખડક સાથે સાંકળોથી બાંધી દઇ શકો છો તે વધારે પસંદ કરીશ!"("I would rather be chained to this rock than be obedient servant of the Gods."

 

 


--

Wednesday, October 26, 2022

A Happy New Year.

 In Emergency-

સાહેબ ! એક દર્દીની તાત્કાલીક સારવાર કરવી પડે તેમ છે. કોણ છે? અરે! સાહેબ! આમ તો દર્દી પહેલી નજરે બિનવારસી લાગે છે! તેને કુટુંબ, કબીલો નથી, તેમ છતાં છે પણ ખરો! કુંવારો છે? પરણેલો છે? સાહેબ! હવે ૨૧મીસદીમાં સરકારી વસ્તી પરીચયવાળા ફોર્મમાંથી હવે આ બધા ખાના રદબાતલ કરી દો!. ઇમરજન્સી જોતાં બહુ વિગતમાં હાલમાં ઉતરવાની જરૂર નથી. પણ નજીકથી જોતાં અતિપરિચય વાળો લાગે છે. શું વાત કરે છે! ચલો ! ત્યારે હું તૈયાર થઇ જઉં!

તમને કાંઇ ખબર છે ખરી કે આજના દીવસે આપણો દેશ કેવી ત્રીશંકુ જેવી પરિસ્થિતીમાંથી પસાર થઇ રહ્યો છે. એક બાજુ દેશ સુર્યગ્રહણની પકડમાં થોડાસમયમાં આવી જવાનો છે. ફરી બે કલાક સુધી પેલા અવકાશી હાનીકારક તત્વો વચ્ચે ઘમસાણ યુધ્ધ થશે અને પછી ઘવાયેલા પણ વિજયી બનેલા સુરજદાદા ક્રમશ; મુળસ્થિતી પ્રાપ્ત કરશે.સાલુ! આ ત્રીકાળ સમયમાંથી પસાર થઇને બ્રેઇનનીં સર્જરી કરવાની (ગ્રહણ પહેલાં ગ્રહણ દરમ્યાન અને ગ્રહણ પછી) સરળ નથી. આવા ત્રિકાળ– ખુનખાર સમયોમાં દર્દીને ઓપરેશન થીયેટરમાં લાવવો એ પોતે જ જાણે ગંભીર જોખમને આમંત્રણ આપવા સમાન છે.

પણ સાહેબ! દર્દીને અહીંયા મુકી જનાર એક ભીમ જેવો દર્દીનો પરિચીત માણસ બબડતો હતો કે બ્રેઇન સર્જરીને બદલે તેના મગજનું ચીરફાડ છેદન(Dissection) કરવાની જરૂર છે. અમારો માણસ તો ખુબજ કોમ્પ્લેક્સ (Complex) વ્યક્તીત્વ ધરાવે છે. તેના નજીકના ને દુરના બધા જ અતિપરીચય અને આગુંતક, કોઇને ખબર પડતી નથી કે તેની ખોપરીમાંથી ક્યારે કેવું બિલાડુ મ્યાઉ કરતું બહાર નીકળશે!. તમને ખબર છે તેની ખોપરીમાંથી મોટાભાગના બીલાડાં રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ જ નીકળે છે.

ચલો ! દર્દીની આટલી કેસ હીસ્ટ્રી પુરતી છે. મને સર્જરીની તૈયાર કરવા દો! મારે તો આટલું જાણ્યા પછી આ વિષયને લગતા સભાન નિષ્ણાતોને મદદમાં લેવા પડશે. પેલા વીઝીટીંગ વીષય નીષ્ણાત ડૉકટરોથી કામ ચાલે તેમ નથી.

પણ ! સાહેબ! નોંધાયેલી કેસ હીસ્ટ્રીમાં તો દર્દીનું હ્રદય સલમાત ગતીએ કામ કરે છે.બીપી, બ્લડ સુગર અને પલ્સ વી. એબનોરમલ નથી. ફેફસાં, કીડની જેવા અગત્યના અંગોનું કામકાજ તો આપણા જેવા અંગો  કરતાં એટલા માટે સારૂ છે, કારણ કે જેવો આ દર્દી નવરો પડે કે તરતજ તેના ઘરમાં રાખેલ ગુફા જેવા ઓરડામાં જઇને દૈવી– વસ્રોનો અંગીકાર કરી ' લોમ– અનલોમ કરતાં કરતાં અગડમ બગડમ બોલવા માંડે છે.

બસ રાત્રીના, ઉંઘમાં ઉઠીને ચાલતો ચાલતો તે વારેઘડીયે વોશબેઝીનમાં જઇને પરફ્યુમવાળા સોપ– લિકવીડ હાથમાં લઇને તેના હાથ ધોયા કરે છે. અંગ્રેજીમાં પણ જાણે તેની માતૃભાષામાં બોલતો હોય તેમ  ઉવાચે છે. " નોટ ગોન. સ્ટીલ રીમેન્સ. સ્મેલીંગ બેડ, ડરટી." અર્ધજાગૃત અવસ્થામાં(Insomnia) તેના હાથમાં  જાણે કોઇ હીંસક હથીયાર પકડેલું હોય પછી નોટ ઇનફ, હેટમોર, હેટમોર, મોટે મોટેથી બોલીને પછી અટ્ટ હાસ્ય કરીને નિરાશ થઇને પાછો સુઇ જાય છે.

બ્રેઇન સર્જન કહે છે કે સાલુ! આપણા મહાન દેશમાં છેલ્લા આઠ દસ વરસોથી આવા દર્દીઓની સંખ્યાનો જીડીપીઆંક સતત અંકગણીતને બદલે ગણીતશાસ્રની ઝડપે વધાવા માંડયો છે. તે બધાની નીકાસ માટે વિદેશી વિઝા પણ કેમ જાણે કેમ મળતો નથી?

"નાઉ લેટસ બેક ટુ વર્ક". બ્રેઇન સર્જન જેમ જેમ સદર ખાસ દર્દીના બ્રેઇનમાં ઉંડા ઉતરતા ગયા તેમ તેમ તેને કાંઇ દૈવી અનુભવ થવા માંડ્યા.

(1)    ખોપરીના પ્રથમ પડમાંજ ઘણી બધી અસાધરણતા અને અપવાદાત્મકતા આંખે ઉડીને ફક્ત આ સર્જનને નહી પણ તેઓની ટીમના બીજાને પણ સરળતાથી દેખાવા માંડી!. સર્જનથી બોલી જવાયું કે જે  "બ્રેઇનની ગ્રે મેટર" બ્રેઇનમાં ઉંડે સુધી ચીરફાડ કરીએ ત્યારે સહેલાઇથી મલતી નથી, જલ્દી ઓળખાતી નથી. લો! આ સાહેબના બ્રેઇનમાંથી છેક ઉપર તરે છે. મેઇન સર્જને સાથી ટીમમાંથી સૌથી જુનીયર સર્જનને કાનમાં જઇને દર્દીની અસાધરણતા અને અપવાદાત્મકતાના કેવા કેવા લક્ષણો હોઇ શકે તે સમજાવ્યું. તરતજ બહાર જઇને પેલા જુનીયરે દર્દીને લાવનાર ખાસ સંબંધીને પાસે બોલાવીને આ અંગે પૃછા કરી તો તમામ લક્ષણોમાં જબ્બરજસ્ત એકરૂપતા જ સાબીત થઇ.

(2)    ઇસ રૂટ કી સભી લાઇન વ્યસ્ત હૈ! ધનતેરસથી લાભ પાંચમ આ બધી લાઇનો હેપી દીવાલી, બેસ્ટ વીસીસ ફોર ન્યુયર અને જે કે એસ ના મેસેજીસ લાવવા– લઇ જવામાં બીઝી છે.

Happy New year Photo.


--

Friday, October 21, 2022

એક લેટેસ્ટ સમાચાર–



-- 

એક લેટેસ્ટ સમાચાર–

બિલકીસબાનુના બળાત્કારીઓ અને તેના કુટુંબીજનોના ખુનીઓને સજામુક્તીનો નિર્ણય ફક્ત ગુજરાત સરકારનો જ ન હતો.પણ દેશની નરેન્દ્ર મોદી–અમીતશાહની સરકારનો સૌ પ્રથમ હતો!

જે હકીકત ૧૪૦ કરોડની જનતા સમક્ષ સાહેબની સરકારે છુપાવી હતી.અને આજે પણ છુપાવી છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં રજુ કરેલ ૪૦૮પાનાની એફીડેવીટમાં અમીત શાહના ગૃહમંત્રાલય તરફથી ગુજરાત સરકારને લખેલા એક પત્રમાં આ સત્ય બહાર આવ્યું છે. ૧૧બળાત્કારી– ખુનીઓને સજામુક્તી આપવાનો સૌ પ્રથમ નિર્ણય તો દેશના ગૃહમંત્રાલયે કરી દીધો હતો. આ સજા મુક્તીના નીર્ણયની કેટલીક વિગતો ખુબજ ટુંકમાં અને કેટલીક વીગતે.

(1)    ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના સત્તાકાળમાં સને ૨૦૦૨માં ' માનવ નરસંહાર'(Genoside) થયો હતો.આ સમય દરમ્યાન બિલકીસબાનું પર બળાત્કાર વી.અમાનવીય કૃત્ય ૩મી માર્ચ ૨૦૦૨ના રોજ થયું હતું. સ્થાનીક પોલીસતંત્ર, અને સત્તાતંત્ર વી,ના વર્તન વ્યવહારોથી સર્વોચ્ચ અદાલતે આ સમયના જે કેટલાક કેસો ગુજરાત બહારના રાજ્યમાં ચલાવવાનો નિર્ણય લીધો હતો તેમાં આ કેસ પણ મુંબઇમાં ચાલ્યો હતો.તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ મોદીસાહેબને ટકોર કરી હતી કે તમે તમારો"રાજ્યધર્મ" બજાવો. બાજપાઇજી રાજાનો "રાજ્યધર્મ" કોને કહેવાય તે અંગે વડીલ તરીકે વધારે સ્પષ્ટ હશે!                  

(2)     સદર કેસમાં તમામ બળાત્કારીઓને આજીવન કેદની સજા થઇ હતી.આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને રૂ–૫૦ લાખ વળતર તરીકે બીલકીસબાનુને ચુકવવાનો પણ હુકમ કર્યો હતો.આ કેસના તમામ ૧૧ બળાત્કારીઓ બિલકીસબાનુના નાનકડા ગામડા રણધીકપુર (જેની કુલ વસ્તી ભાગ્યે ૫૦૦ લોકોની હશે.)તા– લીમખેડા જી. દાહોદ.પંચમહાલના હતા. જીંદગીભર એકબીજા પડોશી તરીકે જીવતા હતા.

(3)    બીલકીસબાનુ અને પેલા બળત્કારી– ખુનીઓને કોઇ મીલકત કે બીજી કોઇ અંગત અદાવત કે ઝઘડા ક્યારેય નહતા.ફક્ત તેનું કુટુંબ લઘુમતી કોમનું હતું.

(4)     આ કેસના તમામ ૧૧ ગુનેગારોને આજીવન કેદની સજા (૧૪ વર્ષ) થઇ હતી. આ દરેક કેદીને જેલ તંત્રની રાહબરી નીચે કુલ જેલના સમય દરમ્યાન ઓછામાં ઓછા ૧૦૦૦ દિવસો કરતાં વધારે દિવસો માટે પેરોલ પર કે હંગામી ધોરણે રજા આપવામાં આવેલ હતી. ઉપરાંત તેમાંથી મોટાભાગના પેરોલ કે હંગામી સમય પુરો થઇ ગયો હોય તેમ છતાં તેમની "ગુડ બીહેવીયર"! ને કારણે મહીનાઓ સુધી જેલમાં પરત આવ્યા ન હતા.આમાંના ચંદાલાલ કરીને કેદીએ પોતાની ૧૪ વરસની સજામાં કુલ ૪ વરસ પેરોલ પર જેલઅધીકારીઓની 'ગુડ બીહેવીયેર'ને કારણે જેલની બહાર પસાર કર્યા હતા.( The time Chandana spent out of jail on parole and furlough before his release amounted to over four years. And between January and June 2015, a 14-day furlough turned to 136 days after he was late by 122 days to turn himself in.  Rajubhai Soni (58) was on leave for a total of 1348 days with a 197-day late surrender between September 2013 and July 2014.  Soni's 90-day parole from Nashik jail turned to a 287-day leave, owing to the late surrender.

(5)    રાધેશ્યામ શાહ કરીને ૧૧ કેદોમાંના એકને દાહોદ જીલ્લા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસે લેખીત જવાબમાં તેને છોડવાનું ધરાર ના કહ્યું હતું તેમ છતાં તેને છોડી મુકવામાં આવ્યો છે. આ કેદી સામે સીબીઆઇ, મુંબાઇ, દાહોદ કલેકટર, એડીજી પી. પ્રીઝન, પ્રીન્સીપલ ડીસ્ક્રટ જ્જ્જ એન્ડ સેસન્સ જ્જ્જ ઓફ ગોધરા,એ વીધીવત લેખીત વિરોધ નંધાવ્યો હતો.

(6)     તે બધાની સામે સમયસર નહી હાજર થવા માટે કોઇ કાર્યવાહી આવા ગેરકાયદેસર કે પછી સારા કૃત્યોને કારણે ક્યારેય કરવામાં આવી ન હતી. તેમજ ફરી પરોલ વી. માટે તે બધાની વર્તણુક ને "Good Behaviors" ગણીને સજામુક્તીમાંથી રજામુક્તી વારંવાર આપવમાં આવી હતી. ઉપરની હકીકત ગુજરાત સરકારે પેલી ૪૦૮ પાનાની એફીડેવીટમાં રજુ કરેલા પુરાવોમાંથી સંપન્ન થઇ છે.

 સદર એફીડેવીટમાં વધુ ચૌંકાવનારી વીગતો એવી છે મુંબઇની ફોજદારી કોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ,સીબીઆઇના સ્પેશીઅલ ન્યાયાધીશ, વી, એ પોતાના લેખીત અભીપ્રાયમાંગુજરાત સરકારને જણાવ્યું છે કે તમામ ગુનેગારોને ક્યારેય જેલમાંથી મુક્ત જ થાય નહી.ગુનેગારોનું કૃત્ય ખાસ ધર્મના નાગરીકો સામે કરેલ છે, તેમનાં બાળકોને પણ છોડયા નથી, તેમનું ગુનાહીત કૃત્ય તો માનવજાત સામેનું દુષ્ટમાં દુષ્ટ માફ ન થઇ શકે તેવું કૃત્ય જધન્ય છે.(Special Civil Judge (CBI), City Civil and Sessions Court, Greater Bombay: Crime on victims from particular religion, minor children not spared... worst form of crime against humanity. The CBI official said the offence committed was "heinous, grave and serious" and hence they "cannot be released prematurely and no leniency may be given" to them.)  ગુનેગારોના વર્તનથી ભારતીય સમાજના અંતરઆત્માને, દરેક નાગરીકની સદ્રવીવેકબુધ્ધીને કાયમી ખલેલ પહોંચાડી દીધી છે.

 

(7)    ગુજરાત સરકારે તા. ૧૮મી ઓકટોબરે સર્વોચ્ચ અદાલતમાં રજુ કરેલ એફીડેવીટમાં જણાવ્યું છે કે

 બીલકીસબાનુ કેસના દરેક ગુનેગાર– કેદીએ પોતાની કેદનીસજા ૧૪ વર્ષ પુરા કર્યા છે, તથા અમારી પાસે તેની સારી વર્તણુકના પુરાવા છે. માટે તે બધાને  કાયમી સજામુક્તીનો નીર્ણય કર્યો છે. દેશના ગૃહખાતાએ પણ લેખીત સંમતી આગોતરી આપી છે તે રીપોર્ટ અત્રે સામેલ કર્યો છે.

(8)    ગુજરાત સરકારની ૪૦૮ પાનાની એફેડેવીટ બાબતે પોતાનો પ્રથમ પ્રત્યાઘાત જણાવતાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી અજય રસ્તોગી સાહેબે જણાવ્યું કે કયા સત્યોને આધારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે તે હકીકતો ઓછી છે અને કોર્ટના ચુકાદાઓ પોતાના બચાવમાં વધારે રજુ કર્યા છે! કઇ હકીકતોને આધારે ગુજરાત સરકારે પોતાનો નીર્ણય કર્યો છે  તેની માહીતી આવા જથ્થાબંધ કાગળોમાંથી શોધવી સરળ નથી.  ગુજરાત સરકારના સોલીસીટર જનરલ તુષાર મહેતાનો જવાબ આ પ્રમાણે હતો.( Mehta agreed that it could have been avoided and said that the sole purpose was to make it easy for the judges to refer to.)

(9)    આજના ઇન્ડીયન એક્સપ્રેસના તંત્રી લેખમાં દુ;ખ સાથે જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ બધાને કાયમી છોડીને ભલે કોઇને લાગતું કે' કાયદા મજબ કામ કર્યું છે' પણ ખરેખરતો ન્યાયીક ચુકાદાની ઘોર મશ્કરી કરી છે.૧૧કેદીઓને ૧૫મી ઓગસ્ટે સજામુક્ત કરીને હારતોરા, મીઠાઇ વહેંચીને તથા ફટાકડા ફોડીને જે સ્વાગત બીજેપી પક્ષે અને લોકોએ સ્વાગત કર્યું છે ; ખુશાલી વ્યક્ત કરી છે તે સદર ન્યાયીયક ચુકાદાની જ ક્રુર મશ્કરી કરી છે. ન્યાયનો ઉપહાસ કર્યો છે. તે અક્ષ્મ્ય છે. માનવજાત પરનો કાયમી કલંક કે એક ધબ્બો સાબીત થવાનો છે.

(10)ભારત જોડો યાત્રામાં ગળાડુબ રાહુલ ગાંધીએ મોદીની સખત ટીકા કરતાં જણાવ્યું છે કે આ માણસ એક બાજુએ બળાત્કારીઓને કાયમી સજામુક્તીઓનો ટેકો આપે છે. અને બીજી બાજુએ લાલાકીલ્લા ઉપરથી ૧૫મી ઓગસ્ટે સ્રીઓના બહુમાન અને ગૌરવના સંરક્ષણની વાતો કરે છે.

(11) બીજી બાજુએ ગુજરાતમાં પગપેસારો કરવાની કોશીષ કરતી અરવીંદ કેજરીવાલની'આપ પાર્ટી' " આ મુદ્દે " અક્ષમ્ય ગુનાહીત મૌન" સેવવાનું પસંદ કરે છે. 

Monday, October 17, 2022

ઓ! કર્ણાટકના શીક્ષણકર્તાઓ અને બીજેપી પ્રેરીત રાજ્યકર્તાઓ!

ઓ! કર્ણાટકના શીક્ષણકર્તાઓ અને બીજેપી પ્રેરીત રાજ્યકર્તાઓ!

તમને સહેજપણ માનવીય અનુકંપા હોયતો સમજી લો કે મુસ્લીમ વીધ્યાર્થિની માટે હીજાબ પહેરીને વર્ગખંડમાં ભણવા આવવું તે તેણીનો અભ્યાસ ચાલુ રાખવા માટેનો કુટુંબ અને ધાર્મીક રૂઢીએ વારસમાં આપેલો અનિવાર્ય વીઝા છે. Recall the widespread "pahle niqab phir kitab" outcry. (પહેલે નીકાબ ફીર કિતાબ)

( Her hijab is her ticket to education– જસ્ટીસ સીધાંશુ ધુલીયા. સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા..)

(1)     કર્ણાટક રાજ્યના શિક્ષણ વીભાગે એક સરકારી નિયમ (Government Order) બહાર પાડયો છે કે ઉચ્ચશીક્ષણના ધોરણ ૧૧ અને ૧૨માં મુસ્લીમ વીધ્યાર્થીનીઓને હીજાબ સાથે વર્ગખંડમાં પ્રવેશ નહી મળે. પરીક્ષામાં પણ બેસવા દેવામાં નહી આવે. સદર નીર્ણયને કર્ણાટક હાઇકોર્ટે બંધારણીય ગણાવ્યો છે. અને થોડાક દીવસ પહેલાં સર્વોચ્ચ અદાલતની બે ન્યાયાધીશો બેન્ચ અનિર્ણાયક રહી છે. કારણકે એક સીનીયર ન્યાયાધીશ શ્રી ગુપ્તા સાહેબે કર્ણાટક હાઇકોર્ટના હુકમને યોગ્ય ગણયો છે.(સદર ચુકાદો આપ્યા પછી તે સાહેબ વયમર્યાદાના નીયમ મુજબ બીજા ૨૪ કલાકમાં હોદ્દાપરથી નીવૃત થઇ ગયા છે.). બીજા ન્યાયાધીશ શ્રી ધુલીયા સાહેબે મુસ્લીમ વીધ્યાર્થીનીના નીજી(પ્રાઇવેટ) ને પસંદગી નો અધીકાર છે તેમ નીર્ણય આપ્યો છે. અને ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયાને વીનંતી કરી છે કે તે પાંચ જ્જ્જોની બંધારણીય બેંચ બનાવી નીર્ણય કરે.

(2)     જસ્ટીસ ધુલીયા સાહેબે પોતાનો એક ઉદારમતવાદી પથદર્શીય ચુકાદો આપતાં(Landmark Judgment) બંધારણીય નૈતીકતા(Constitutional Morality)ને ઉજાગર કરતાં એક પ્રશ્ન પુછયો છે. " શું આપણે રાજ્યકર્તા તરીકે હીજાબ પહેરવાની સ્વતંત્રતાના અધીકારને નીયંત્રણમાં મુકીને એક સ્રી બાળકને(A Girl child) શીક્ષણમાંથી વંચીત રાખીને તેની જીંદગીને સુખી બનાવીએ છીએ? ( Are we making the life of a girl child any better by denying her education, merely because she wears a HIJAB?)

(3)     જસ્ટીસ ધુલીયા સાહેબે,ભારતીય સમાજમાં અને ખાસ કરીને મુસ્લીમ સમાજમાં એક છોકરીને પોતાનું શીક્ષણ ચાલુ રાખવામાં પોતાના બાળપણની કેટલી બાળસહજ જીજ્ઞાસા અને ઇચ્છાઓનો સતત ત્યાગ કરવો પડે છે તેની વાસ્તવીક નોંધ પોતાના ચુકાદામાં લીધી છે.

(4)     દેશના બંધારણને વફાદાર રહેવાના શપથ લઇને બનેલા રાજ્યકર્તાઓની ફરજ છે કે તે પોતાના નીર્ણયોથી નાગરીકોના તમામ પ્રકારના સશક્તીકરણને મદદ કરે. નહી કે તેમને કમજોર બનાવે!.

(5)     આ કાયદાકીય વીવાદમાં ધર્મનીરપેક્ષતા( Secularism)નો પ્રશ્ન એટલા માટે અપ્રસતુત છે કે તેમાં રાજ્યે પોતે ધર્મનીરપેક્ષ રહેવાનું હોય છે.રાજ્યને કોઇ ધર્મ નથી. તે નાગરીકના ધાર્મીક વલણની તરફેણ કે વીરોધ કરી શકે નહી. જ્યારે બંધારણીય મુળભુત અધીકાર નંબર ૨૫માં તો દેશના દરેક નાગરીકને ધાર્મીક આસ્થા રાખવાની કે નહી રાખવાની વી. ની સ્વતંત્રતા આમેજ કરેલી છે.

 


--

Thursday, October 13, 2022

ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમીજગત અને રશીયા.


ભાગ– ૩. યુક્રેન– પશ્ચીમી જગત અને રશીયા.

·         મોદીજી, ખરેખર, તમે એક નેતા તરીકે વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!. History neither forgets nor forgives.

વર્તમાન યુક્રેન– રશીયા યુધ્ધને તેના સાચા અર્થમાં સમજવા માટે ટુંકમાં યુરોપના સને ૧૯૩૯– ૧૯૪૫ના સમયગાળાના બીજાવીશ્વ યુધ્ધના પ્રવાહોને સમજવાની જરૂર છે. સદર બીજું વીશ્વયુધ્ધ યુરોપના રાષ્ટ્રો વચ્ચે લડાયું હતું. એકબાજુએ યુધ્ધમાં આક્રમક તરીકે નાઝી હીટલરનું જર્મની અને ફાસીવાદી મુસોલીનીનું ઇટલી હતાં. જ્યારે બચાવ પક્ષે યુરોપના સાર્વભૌમ દેશો હતા.અંતે જર્મનીઅને ઇટલીનો બુરો પરાજય થયો હતો. પણ તે યુધ્ધ બાદ ખાસ કરીને યુરોપીયન દેશો અને સમગ્ર જગતની રાજકીયભુગોળ અને વિચારસરણી જ બદલાઇ ગઇ.

યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઇ. નોર્થ એટલાંટીક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન( નાટો)નામે સભ્યો દેશોનું એક લશ્કરી એકમ બન્યું. યુરોપીયન કોમન માર્કેટ(ઇસીએમ– યુરો નામના નવા ચલણ સાથે) આશરે ત્રીસ દેશોનું એક આર્થીક યુનીટ બન્યું.સને ૧૯૪૫ પછી રશીયન સરમુખત્યાર સ્ટાલીને બીજા વીશ્વ યુધ્ધ પછી તરતજ પોતાના દેશની 'રેડઆર્મી 'ની મદદથી આશરે ૧૫ જેટલા પડોશી દેશોનું એક રાષ્ટ્ર તરીકેનું સાર્વભૌમત્વ નાબુદ કરીને યુનાઇટેડ સોવીયેટ સોસીઆલીસ્ટ રીપબ્લીક( યુએસએસઆર) બનાવ્યું.સને ૧૯૮૯થી ૧૯૯૨ સુધીમાં સોવીયેત પ્રમુખ મીખાઇલ ગોર્બેચોવના લોકશાહી સુધારાવાદી વીચારો(ગ્લાસનોત અને પ્રેરીસર્ટોરીકા)ને કારણે રશીયામાંથી પેલા ૧૫ દેશો સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્રો બની ગયા.

       યુએસએસઆરનો કાયમી અંત આવી ગયો.૨૫મી ડીસેમ્બર ૧૯૯૧નારોજ રશીયાએ કાયમ માટે હથોડાઅને દાતરડાવાળા(સામ્યવાદી પ્રતીકવાળો) રાષ્ટ્રધ્વજને ઉતારી લીધો અને ત્રીરંગી રાષ્ટ્રધ્વજ ક્રેમલીન પર ચઢાવી દીધો વીશ્વ કાયમ માટે શીતયુધ્ધમાંથી મુક્ત થયું. સમગ્ર માનવજાતના હજારો વર્ષોના ઇતીહાસમાં સને ૧૯૪૫થી ૨૦૨૧ સુધીનો સમયગાળો વીજ્ઞાન અને ટેકનોલીજીની મદદથી જબ્બરજસ્ત પ્રમાણમાં શાંતી ને વીકાસનો સમયગાળો બની રહ્યો છે. ભુખમરો,રોગચાળોઅને અરાજકતાથી જાણે માનવજાતે મુક્તી મેળવી!.

છેલ્લા આઠમાસથી, રશીયાના સર્વેસર્વા સત્તાધીશ પુટીને પોતાના પડોશી સ્વતંત્ર, સાર્વભૌમ, પ્રજાસત્તાક લોકશાહી દેશ સર્વદ્ર્ષ્ટીએ નાના સરખા યુક્રેન પર અમાનુષી, અનૈતીક અને હીંસક લશ્કરી આક્રમણ કરીને માનવજાતને અણુયુધ્ધની ધમકી આપીને વીશ્વ વીનાશને પગથીયે લાવીને ઉભી કરી દીધી છે. આની સામે સમગ્ર પશ્ચીમી જગત અને ભુતપુર્વ એકલદોકલ દેશ( બેલરસ) સીવાય તમામ યુએસએસઆર દેશો પુટીનના રશીયા સામે યુક્રેનને લશ્કરી મદદની સાથે તમામ માનવીય મદદ કરવા ખડેપગે તૈયાર થઇ ગયા છે.

     આધુનીક યુધ્ધ ફક્ત ટેન્કો, મશીનગન ને મીસાઇલોથી લડાતું નથી. પશ્ચીમી જગતે અમેરીકાની મદદથી ૨૪મી ફેબ્રુઆરીના પ્રથમ દીવસથી રશીયાપર આર્થીક નીયંત્રણો દાખલ કરી દીધા છે. રશીયન સરકારના તેમજ તેના તમામ ઉધ્યોગપતીઓ અને અન્ય નાગરીકોના વીદેશી નાણાં,અને અસ્કાયમતો પર. આયાત– નીકાસ– લેવદેવડ પર સખત નીયંત્રણો દાખલ કરી દીધા છે. પા–બંધી દાખલ કરી દીધી છે.એકજ પગલાથી રશીયાના ૪૦૦ અબજ ડોલર્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરીકા પશ્ચીમી દેશો અને જપાન જેવા અન્ય દેશોની પણ પોતાની બહુરાષ્ટ્રીય કુંપનીઓએ રશીયાના જુદા જુદા શહેરોમાં સ્થાપીત કરેલ તમામ વ્યાપારો બંધ કરી, સંપુર્ણ લોકઆઉટ જાહેર કરી દીધા છે. જેની યાદી આ પ્રમાણે છે.

·         ગ્રાહકોની જરૂરીયાત પુરી પાડતી બહુરાષ્ટ્રીય કુંપનીઓ જેવી કે Uniqlo જપાની કું,Adidas, British American Tobacco, Canada Goose, H&M, Ikea,Nestlé, Nike, TJX, Unilever, સેંકડો કુંપનીઓએ પોતાના તમામ રીટેલ સ્ટર્સ બંધ કરી દિધા છે.

·         પેટ્રોલ– ડીઝલ પુરી પાડતી કુંપનીઓ જેવીકે BP , Exxon Mobil,  Shell વી.  કુંપનીઓએ લાખો બીલીયન ડોલર્સ ખોટ ખાઇને પોતાના તમામ પેટ્રોલપંપ બંધ કરી દીધા છે.

·         નાણાંકીય લેવડદેવડ કરતાં Financial Houses, જેવાં કે American Express, Bank of America ,BNY Mellon, Citigroup, Deutsche Bank, Goldman Sachs, JPMorgan Chase, Mastercard, Société Générale, (France's third largest bank),Visa, Western Union અને

Zurich Insurance Group,( Switzerland's largest insurer) મીલીયનસ ઓફ ડોલર્સના નાણાંકીય વેપાર બંધ કરી દીધા છે.

·          Food Outlets- Carlsberg,(the world's third-largest brewer),  M&M's and Snickers, McDonald's had said in March that it was temporarily closing its nearly 850 locations and halting operations in Russia.PepsiCo, Burger King, Starbucks,( it was closing its 130 stores in Russia, where it has about 2,000 employees.) This follows the company's announcement that it would close 70 company-owned KFC restaurants and all 50 franchise-owned Pizza Hut restaurants.

Media- Bloomberg ,Netflix, Sony, The Walt Disney Company,   Warner Bros. તમામ મુવીઝ બીઝનેસ બંધ કરી દીધા.આ ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કુંપનીઓએ પોતાની તમામ આર્થીક પ્રવૃત્તીઓ બંધ કરી દિધી છે.

·         સમગ્ર પશ્ચીમના દેશોને અને વીશ્વને સારીરીતે માહિતી છે કે યુક્રેન ક્યારેય અમેરીકાનો કઠપુતલી દેશ હતો નહી; આજે પણ નથી. યુક્રેને માથે રશીયાએ ઠોકી બેસાડેલું યુધ્ધ અમેરીકાની આ પ્રોક્ષી–વોર નથી.અમેરીકાએ ક્યારેય યુક્રેનને નાટો લશ્કરી સંસ્થાના સભ્ય બનાવવા તરફેણ કરી નથી. ૨૪મી ફેબ્રુઆરીએ યુક્રેન સામે રશીયાએ યુધ્ધ શરૂ કર્યુ છે.બે માસ પછી અમેરીકાના પ્રમુખ બાઇડને પોતાનો રાજદુત પહેલીવાર મોકલ્યો છે.

·         પુટીને વારંવાર જાહેર કર્યું છે કે નાટો દેશો સાથે તેની સરહદો વહેંચાયેલી છે,તેમ છતાં રશીયાને નાટોનો કોઇ ભય નથી.પુટીનના રશીયાએ સને ૧૯૯૨માં મોલ્દોવા,૨૦૦૮માં જ્યોર્જીઆ, ૨૦૧૪ અને ૨૦૨૨માં યુક્રેન સામે લશ્કરી હુમલા કર્યા હતા અને કરેછે. તેને કારણે આ બધા દેશોએ નાટોના સભ્ય બનવા વિનંતી કરી હતી.પણ નાટોએ રશીયા સામે લશ્કરી સંઘર્ષથી દુર રહેવા સદર દેશોની તે વિનંતીઓ ઠુકરાવી દીધી હતી. ' ભુંડાથી ભુત પણ નાસે.'

·         યુક્રેન એક નાઝી દેશ નથી. સામાજીક અને ધાર્મીક વિવિધતા ધરાવતો અને લોકશાહી મુલ્યોથી ધબકતો દેશ છે. તેનો પ્રમુખ ઝેલેન્સકી સને ૨૦૧૯માં ૭૩ ટકા મતોથી વિજેતા બનેલો છે. ઝેલેન્સકી રશીયન ભાષી યહુદી છે. જેના ત્રણ સગાકાકાઓ હિટલર સામેના યુધ્ધમાં લડતા લડતા માર્યા ગયા હતા.

·         તેની સામે પુટીને પોતાના રાજકીય હરીફોને દેશનીકાલ કરી દીધા છે, કાંતો સાઇબીરીયાની જેલોમાં પુરી દીધા છે,અથવા ઝેર આપીને પણ માંરી નંખાવ્યા છે.પુટીન સમગ્ર યુક્રેનની પ્રજાનો એક નંબરનો ઘાતકી દુશ્મન બની ગયો છે.યુક્રેનને પુટીને પોતાનું એક સંસ્થાન( Colony)બનાવવું છે. પુટીનના દુશ્મન નથી યુરોપીયન દેશો કે અમેરીકા! પણ તેના દરવાજે ધબકતો એક લોકશાહી પડોશી દેશ છે.( Putin's real enemy is neither NATO nor Nazis, but a thriving democracy right next door to Russia.) પુટિનનો ખુલ્લમખુલ્લો યુક્રેન સામેનો સીધો નરસંહાર છે.

·         પુટીન પોતે રશીયાના લશ્કર જેવો જ નબળો નેતા છે. છેલ્લા છ માસ કરતાં વધારે સમયથી અબજો ડોલર્સ યુધ્ધમાં ખર્ચી, આશરે ૮૦,૦૦૦ સૈનીકો, ટોચની કક્ષાના શ્રૈષ્ઠ સેનાપતીઓ ગુમાવીને યુક્રેનનો જે પ્રદેશ કબજે કર્યો હતો તે તમામ પ્રદેશ ફક્ત પાંચ દિવસના યુક્રેનના લશ્કરના આક્રમક વળતા હુમલામાં ગુમાવી દીધો છે.  આ ઉપરાંત 'મોસ્કોવા' નામનું તેનું યુધ્ધ જહાજ  ગુમાવ્યું છે. બે દિવસ પહેલાં જ રશીયા– ક્રીમીયા બંને દેશ સાથેનો લશ્કરી જીવાદોરી સમાન ૧૨માઇલ લાંબો પુલ– બ્રીજ યુક્રેને તોડી નાંખ્યો છે. માટે પુટીન વીશ્વને ધમકીઆપે છે કે તે હવે અણુશસ્રોનો ઉપયોગ કરશે.

·         મોદીજી, ખરેખર તમે એક નેતા તરીકે  વીશ્વના વર્તમાન ઇતીહાસમાં ખોટીબાજુ ઉભા રહ્યા છે. માનવ ઇતીહાસ તમારા સદર કૃત્ય માટે ભુલી પણ નહી જાય અને માફ પણ નહી કરે!.

·         પુટીનના યુક્રેન સામેના જંગલીયાત ભરેલા હુમલા(The barbaric assault) સામે વીધ્યુતવેગે સમગ્ર વિશ્વના લોકશાહી દેશો એક થઇને સામનો કરવા તૈયાર થઇ રહ્યા છે.

·         મોદીજી, એક લોકશાહી દેશ તરીકે તમારી આર્થીક નીતીઓ (રશીયા પાસેથી ૩૦ ટકા સસ્તાભાવે તેલ આયાત કરી નફો કરવાની) સ્વતંત્રતાના ભોગે ક્યારે ન હોઇ શકે? જે દેશ રાજકીય સ્વતંત્રતા ગુમાવે છે તે દેશ પાતની આર્થીક સ્વતંત્રતાને બચાવી શકતો નથી.

--

Tuesday, October 11, 2022

 

રશીયન– યુક્રેન યુધ્ધ –લેખ ભાગ–૨

આ ઓકટોબર માસની ૨૪મી તારીખે યુક્રેન પર રશીયન આક્રમણને આઠ માસ પુરા થશે. સૌ પ્રથમ બંને દેશોની શક્ય તેટલી જમીની– વાસ્તવીક સ્થિતીનો વ્યાપક ક્યાસ લઇએ.

રશીયાની કુલ વસ્તી આશરે ૧૪ કરોડ ૩૫લાખ. યુક્રેનની વસ્તી ૪કરોડ ૩૮લાખ.

રશીયાનું જમીની કુલ ક્ષેત્રફળ આશરે ૧કરોડ ૭૧લાખ કી.મા, યુક્રેન ૬લાખ કી,મા.

રશીયાની માથાદીઠ આવક ૧૧૬૦૦ અને યુક્રેન ૪૧૦૦ અમેરીકન ડોલર્સ.

સડક– રશીયા ૧૨લાખ ૮૩હજાર કી મા. યુક્રેનફક્ત ૧લાખ ૭૦ હજાર કી.મા.

દરીયાઇ બંદરો– રશીયા–૨૮૭૫ યુક્રેન –૪૧૦. વીમાની મથકો રશીયા–૧૪૩ યુક્રેન– ૧૬.

ઇન્ટરનેટ વાપરનારા રશીયામાં–૧૨કરોડ ૨૦લાખ યુક્રેનમાં– ૩કરોડ ૨૦લાખ.

યુક્રેનમાં રશીયન ભાષા બોલનારાની કુલવસ્તીના ૩૨ ટકા.મુખ્ય ધર્મ રશીયામાં ૮૦ ટકા ખ્રીસ્તી, યુક્રેન ખ્રીસ્તી ૮૮ ટકા.બંને પ્રજાનો ધર્મ એક પણ સત્તાધીશોના હીતો ભીન્ન.

સંરક્ષણ માટેનું બજેટ– રશીયા–૪૬ બીલીયન ડોલર્સ વાર્ષીક અને યુક્રેન ૫લાખ બીલીયન ડોલર્સ.(એક બીલીયન= એક અબજ).

જમીનપરનું રશીયાનું લશ્કર નવલાખ, ને ૨૦લાખ રિઝીર્વ, યુક્રેન બેલાખ અને નવ લાખ રિઝર્વ. એરફોર્સ– રશીયા ૧,૬૫૦૦૦.૨ યુક્રેન ફક્ત ૩૫૦૦૦.

હવે આપણે પુટીનના યુક્રેનને જીતી લેવાના ઇરાદાઓને સમજીએ. રશીયાનું પુટીન નથી લોકશાહી દેશ કે નથી તે સામ્યવાદી દેશ! તે પુટીનની લશ્કરી એડી નીચેનો મુડીવાદી– ગ્રાહકલક્ષી સરમુખત્યારશાહી દેશ છે.જ્યાં પુટીન પોતાનું એકપક્ષીય સર્વેસર્વા તેની ઇચ્છામુજબનું શાસનચલાવે છે.જ્યાં પુટીન સા. ૧૯૯૯થી ૨૦૩૬ સુધી કાંતો વડાપ્રધાન તરીકે અથવા રાષ્ટ્રપ્રમુખ તરીકે રશીયાની સત્તા પુટીન પાસેજ રહે તેવી બંધારણીય ગોઠવણ કરાવી લીધી છે.

જે દિવસથી પુટીન રશીયાના સર્વેસર્વા બન્યા છે ત્યારથી કોઇ પડોશી દેશે નાટો સહીત રશીયા સામે કોઇ લશ્કરી હુમલા કર્યા નથી. પણ પુટીનના સદર સત્તાકાળમાં જ્યોર્જીઆ, ક્રીમેશીયા, યુક્રેન વિં દેશોપર લશ્કરી હુમલા કરીને પોતાના દેશમાં સમાવી લઇને ફરીથી રશીયાને યુએસએસઆર બનાવવાના સક્રીય પ્રયત્નો ચાલુ છે.વર્તમાન યુક્રેનપરનો લશ્કરી હુમલો તેનું જ પરીણામ છે. અમેરીકા સહીત યુરોપીયન દેશાના રશીયા સાથેના સંબંધો,યુક્રેન સાથે હતા તેના કરતાં પણ વધારે સારા હતા.યુક્રેન એક લોકશાહી દેશ છે. જ્યાં સને ૨૦૧૯માં વર્તમાનપ્રમુખ ઝેલેનસ્કી ૭૩ ટકા મતોથી ચુંટાઇને આવ્યા છે. ઝેલેન્સકી પુટીનના કઠપુતલી ટેકેદાર હરીફ– પેટ્રો પોરોશેનકો (Petro Poroshenko) હરાવ્યો હતો.

પુટીને પોતાના લશ્કરને 'તમે યુક્રેનને નાઝી હકુમતમાંથી મુક્ત કરવા જાવ છો,યુક્રેનની પ્રજા તમને ' વેલકમ' કરવાની છે, યુધ્ધ ફક્ત આઠ–દસ દીવસ માટેનું છે એમ પાકો વીશ્વાસ આપીને પોતાના લશ્કરી યુવાનોને મોકલ્યા હતા.ખરેખર પુટીનનું કોઇ દુશ્મન હોય તો તે પડોશી દેશ યુક્રેનની લોકશાહી રાજ્ય વ્યવસ્થાઅને લોકશાહી સમાજ વ્યવસ્થા છે.

૨૪મી ફેબ્રુઆરીથી રશીયાની લશ્કરી તાકાતે યુક્રેનને જાણે નેસ્તનાબુદ કરવાનું હોય તેમ ચારેય બાજુથી હુમલા છેલ્લા સાત–આઠમાસથી ચાલુ રાખ્યા છે. યુક્રેનના ચાર પ્રદેશો લુહાન્સક(Luhansk),દોનેત્સક(Donetsk), ઝાપોરીઝહઝ્હીયા(Zaporizhzhia),અનેખેરસન( Kherson)જીતી લીધા હતા.પરંતુ યુક્રેનની સેનાએ સપ્ટેમ્બરમાસના છેલ્લા અઠવાડીયામાં દક્ષીણ ખેરસન ને લેમેન વીસ્તારોમાંથી રશીયન લશ્કરને નામેશીભરી પીછેહઠ કરાવી છે. પુટીને યુક્રેનના ચારેય વિસ્તારોમાંબંદુક અણીએ,નાગરીકો પાસે મતદાન કરાવી જાહેર કર્યુ કે હવે આ વિસ્તારો આજથી રશીયાનો એકભાગ છે. તમે બધા યુક્રેનના નાગરીકો કાયમ મટી ગયા છોઅને રશીયન નાગરીકો બની ગયા છે. આજથી તમારે રશીયન નાગરીક તરીકે યુક્રેનને દુશ્મન દેશ ગણી તેની સામે લડવાનું છે. ૩૦મી સપ્ટેમ્બરે તાત્કાલીક મોસ્કોમાં સંસદ બોલાવી જીતેલા વીસ્તારો રશીયાનો એક અંતર્ગત ભાગ છે તે સર્વાનુમતે પસાર કરી પુટીને રાષ્ટ્રપ્રમુખ તરીકે સહી સીક્કા કરી દિધા.

તે જ દિવસે, પુટીને તરતજ પોતાની વીજયી ભાષણમાં બે જાહેરાતો કરી. નવા જીતેલાપ્રદેશોને માટે ત્રણલાખ નવા યુવાનોની તાત્કાલીક તાલુકા– શહેર કક્ષાએ લશ્કરી ભરતી શરૂ કરવામાં આવશે. બે જીતેલા પ્રદેશો પાછા લેવા યુક્રેનનું લશ્કર કે પશ્ચીમી દેશો યુક્રેનને મદદ કરશે તો પુટીન પોતાના અણુશસ્રોનો ઉપયોગ કરશે.(On September 30, 2022, Russian President Vladimir Putin signed agreements illegally incorporating the Ukrainian oblasts of Luhansk, Donetsk, Zaporizhzhia, and Kherson into Russia. He said Moscow would "defend our new land with all the forces and resources we have." He previously hinted this could include nuclear arms.)

પુટીને, પોતાના અનુભવી લશ્કરનો ઉપયોગ કરવાને બદલે રશીયન જેલમાં જુદાજુદા ગુનામાં સજા ભોગવી રહેલા યુવાન કેદીઓને યુક્રેનમાં યુધ્ધમાં મોકલવાનું નક્કી કરી ને ભરતી કરવા માંડયા. આ કેદીઓને એક અઠવાડીયાની શસ્રો વાપરવાની તાલીમ પણ સરહદપર આપવાનું નક્કી કરી લઇ જવા માંડયા. બીજી બાજુએ રશીયાના તમામ શહેરોઅને તાલુકા વી મથકો પર સરકારી સ્ટાફ મારફતે દરેક નાગરીકોના રહેઠાણો પર ૨૦થી ૩૦ વર્ષના યુવાનોને મતદાર યાદી પ્રમાણે પસંદ કરી સમન્સ બજાવી કામચલાઉ બનાવેલા લશ્કરી ભરતી કેન્દ્ર પર ફરજીયાત હાજર થવાના હુકમો કરી દીધા.મા–બાપઅને નાનાભાઇ બહેનોએ રો કકળ કરીને રડતે મોંએ આખરી વિદાય આપી.

તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ પુટીને રશીયન સંસદના ૩૫મીનીટના ભાષણમાં ઉપર મુજબની ત્રણલાખ નવા સૈનીકોની ભરતીની જાહેરાત કરી દીધી.પુટીનનું પ્રવચન પુરૂ થાય તે પહેલાં રશીયનની દસ દેશો સાથે જોડાયેલી સીમા–સરહદો, વીમાની મથકો, અને પડોશી દેશોના વીઝીટર વીસાધારક યુવાનોએ જે મળ્યું તે લઇને સરહદ છોડવા માડી. 'અમારે અમારા પડોશી દેશ સાથે લડવું નથી. 'અમારે અમારા દેશ માટે શા માટે શહીદ થવાનું.?

સ્વીસ અને ફીનલેંડની સરહદપર દરરોજ ૪૦૦૦ મોટરકાર સાથે રશીયનોએ દેશ છોડવા લઇનો લગાવી દીધી. જે મોટરોની સંખ્યા ૪૮કલાકમાં ૧૦૦૦૦ ઉપર થઇ ગઇ. જુદી જુદી સરહદો પરથી રશીયા તાત્કાલીક છોડનારાની સંખ્યા અઢીલાખે પહોંચી ગઇ. લશ્કરી ભરતીકરનારી કચેરીઓના કર્મચારીઓ ઉપર કેટલાક સ્થળોપર ગોળીબાર અને અન્ય સાધનો દ્રારા ખુની હુમલા કરવામાં આવ્યા. યુક્રેન સરહદ પર ફરજીયાત લશ્કરી ભરતીમાં મોકલવામાં આવેલામાંથી પચાસ ટકા ઉપરના યુધ્ધમાં લડવા બીનકાર્યક્ષમ સાબીત થતાં પરત મોકલવામાં આવ્યા.

સામે પક્ષે યુક્રેનનું લશ્કર, તેના નાગરીકો અને સમગ્ર પશ્ચીમી જગત રશીયન–પુટીનનો મુકાબલો કેવી રીતે કરે છે તે ભાગ –૩માં આપણે વાંચીશું.

ફોટો– રશિયન–ફીનલેંડ સરહદ પર મોટરગાડીઓનીની લાઇન

 


--