Thursday, April 27, 2023

મોદી સત્તામાં ‘ સજાએ મોતના‘ હુકમનો પ્રમાણીક અમલ કેવી રીતે થાય?


મોદી સત્તામાં ' સજાએ મોતના' હુકમનો પ્રમાણીક અમલ કેવી રીતે થાય?

(૧) ફાંસીએ ચઢનારની અંતિમ ઇચ્છા સ્વીકારવામાં આવે છે.

(૨) આ કાર્ટુનમાં ફાંસીમાટેના ગુનેગારની ન્યાયધીશ સમક્ષ રજુ કરવામાં આવેલી અંતિમ ઇચ્છા–

(૩) " મારે મૃત્યુ પામતા પહેલાં ભારતીય જનતા પાર્ટીનો(BJP) સભ્ય બનવું છે."

(4) ન્યાયાધીશ તેની ઇચ્છા પુરી કરે છે. " તથાસ્તુ".

(૫) જેલની બહાર રાજકીય નેતા પેલા ફાંસીના માંચડેથી મુક્તી પામેલાના ખભાપર હાથ મુકીને કહે છે કે " તું ખરેખર નિર્દોષ હતો."

--

Monday, April 24, 2023

-કર્ણાટક રાજ્યનીવિધાનસભાની ચુંટણીમાં નાગરિકોનો ચુંટણી ઢંઢેરો–



--કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં નાગરિકોનો ચુંટણી ઢંઢેરો–

કર્ણાટક રાજ્યની વિધાનસભાની ચુંટણી તા.૧૦મી મે ના રોજ છે. પરિણામ તા.૧૩ મેના રોજ છે.

 સામાન્ય સંજોગોમાં દરેક પક્ષ ચુંટણી અગાઉ પોતાનો ચુંટણી ઢંઢેરો બહાર પાડે છે. રાજકીય પક્ષોના ચુંટણી ઢંઢેરાનું કોઇ મહત્વ હવે રહ્યું નથી. તે એક પક્ષીય શિષ્ટાચારથી વિશેષ કાંઇ નથી. દરેક રાજકીય પક્ષોને મતદાર એટલે નાગરિક બિલકુલ નહી. મતદારોને આ બધા પક્ષોએ ધર્મ, સંપદ્રાય, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ ઉપરાંત વર્ણ, વર્ગોમાં આડાઉભા વેતરી નાંખ્યા છે.વહેંચી નાંખ્યા છે. નાગરિકને પાંચ વર્ષે એક વાર ચુંટણીના મંડપમાં હિંદુ કે મુસ્લીમ, દલિત કે આદીવાસી, તરીકે ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રદેશ વિ નું અફિણ પાઇને લાવીને મતદાન કરાવી દેવું. ભારતીય લોકશાહી પ્રથા એટલે ફક્ત ને ફક્ત પાંચવર્ષે એકવાર મતદાન કરી રાજ્ય સંચાલન કરવાની પધ્ધતિ.

આવા સંજોગોમાં કર્ણાટકની વર્તમાન ચુંટણી સમયે ઘણાબધા નાગરિક સંગઠનોએ એકત્ર થઇને એક ' નાગરિક ચુંટણી ઢંઢેરો ' બહાર પાડયો છે. સદર સંગઠનો પોતાના સ્થાનિક વિસ્તારોમાં વર્ષોથી પ્રજાના જે પ્રશ્નો ખરેખર છે તે બધાનો વૈજ્ઞાનીક, વાસ્તવિક અને જમીની હકીકતોનો અભ્યાસ છે. " રાજકીય સત્તા માટે નહી" પણ પ્રજાની સામેલગીરીથી નાગરીકો સમર્થ થાય, લોકશાહીના નામે રાજકીય સત્તાના દલાલો પાસેથી જે પ્રજાની સત્તા ઝુંટવાઇ ગઇ છે તે પુન;પ્રાપ્તથાય તે માટેનો પ્રજાલક્ષી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે.

' સરકારી રેવડી અને મફત પાંચ કિલો અનાજ'ની આભાસી મુક્તિમાંથી કેવી રીતે આઝાદ થવાય તેવો મુક્તિદાતા ઢંઢેરો છે. આ ઢંઢેરામાં લવજેહાદ ને બદલે નાગરિક સ્વાયત્તાના જેહાદનો અવાજ છે. આ ઢંઢેરામાં તમને હિંદુ રાજ્ય, ભારતમાતાકી જય, દેશના યુવાનોને એક નેતા, એકપક્ષ,એક ભાષાથી ગુમરાહ બનાવવાની કોઇ જડીબુટ્ટી નહી મલે! આજે નાગરીકોના ખભાપર ચઢીબેસી જે નફ્ફટ, નફરત અને નિંદનીય રાજકીય સત્તાનો ખેલ પાંચવર્ષ સુધી રમ્યા કરે છે તે બધાને તે ખભા પરથી નીચે ઉતારી, નાગરિકો, ન્યાયતંત્ર ને અભિવ્યક્તિના સ્વાતંત્રયને જવાબદાર બનાવવા છે. It is the people's manifesto for the people, by the people & of the people. But it is not for any political party, its leader or any religion.

(1) અમારા રાજ્યનો સ્થાનિક પંચાયતથી માંડીને તાલુકા,જીલ્લા અને રાજ્યનો વહીવટ સંપુર્ણ ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઇએ. દિલ્હીની સત્તા વિષે અત્યારે કાંઇ અભિપ્રાય આપવા માટેનો સમય નથી.

(2)  રાજ્યના કિસાનોની ઉપજ માટે લઘુતમ ટેકાના ભાવ(Minimum Support price MSP) દરેક સીઝનની શરૂઆત પહેલાં જાહેર કરો ને તેના અમલ માટેનું માળખું કાયમી કિસાનોના પ્રતિનીધોની ભાગીદારી સાથે સ્થાનિક કક્ષાએ બનાવો.

(3)  ગામડામાંથી સતત શહેરીકરણ તરફ થઇ રહેલા સ્થળાંતરના સંદર્ભમાં કાયમી શહેરીવસવાટ માટેની નીતિ,આયોજન અને નાણાંકીય ફાળવણી સ્પષ્ટ કરો. જેથી ઝુંપડપટ્ટી, તથા શહેરોના નાના વિસ્તારોમાં વસ્તીના ભારણ અને આરોગ્યની સમસ્યો પેદા ન થાય! તેમાં શિક્ષણ, આરોગ્ય અને ઔધ્યોગીક કામદારોની સમસ્યાઓને ધ્યાનમાં રાખવામાં આવે.

(4) પંચાયતી રાજ્ય અને સત્તાના વિકેન્દ્રીકરણને આધારે જ, રાજકીય અને રાષ્ટ્ર–રાજ્યના કુદરતી અને અન્ય સાધન સંપત્તિનું આયોજન, વહેંચણી અને કાયદાકીય અધીકાર સંપન્ન થવો જોઇએ.

(5) સ્રી સશક્તિકરણ,વૃધ્ધો અને અપંગો માટે આત્મસન્માન અને ગૌરવભેર જીવન માટેનું વાસ્તવિક આયોજન કરવામાં આવે.

(6)  શહેરી ઘનકચરા માટે(solid waste management) તથાશહેરના સ્થાનીક પ્રવાસીઓ માટેની સરળ, વ્યાજબી ભાડાવાળી, નિયમીત અને ઝડપી વાહન વ્યવહારની કાયમી ઉપલબ્ધતાનું વાસ્તવિક આયોજન કરો.

(7) અમારા રાજ્યમાંથી સ્થાનીકથી માંડીને તમામ શહેરી રહેણાંકોમાં ધાર્મીક ધિક્કાર, નફરત અને સામાજીક ધ્રુવિકરણનો કાયમી અંત લાવો!.કાયદો અને ન્યાય હાથમાં લઇને સ્થાનીક હિંસાત્મક નૈતીક પોલીસ(vigilante groups)બનેલા જુથોની સત્તા પર તાત્કાલિક નિયંત્રણો મુકો. વર્તમાન સત્તાધીશો સાથેની તેમની સાંઠગાંઠથી બનેલા હિંસાત્મક ભયજનક વાતાવરણમાંથી નાગરીકોને મુક્ત બનાવો.

(8)  ધાર્મીક ધ્રુવિકરણને લક્ષમાં રાખીને ઇતિહાસના તોડમરોડની પ્રવૃત્તિઓને શૈક્ષણીક જગતમાંથી તાત્કાલીક તિલાંજલિ આપો.(History should not be distorted to serve divisive agendas.)

(9) ધાર્મીક સ્વતંત્રતાના બંધારણીય અધિકાર મુજબ દરેક નાગરિકને પોતાની ધાર્મીક માન્યતા પ્રમાણે જીવન જીવવાનો, તેનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે.  દરેકે નાગરીકે શું ખાવું પીવુ, કેવા કપડાં પહેરવાં, કયો ધંધો–વ્યવસાય પસંદ કરવો અને કોની સાથે પુખ્ત ઉંમરના બન્યા પછી વિવાહિત જીવન જીવવું તે માટે કોઇ રાજકીય,સામાજીક કે ધાર્મીક જુથે નૈતીક પોલીસ બની કાયદો હાથમાં લેવાની જરૂર નથી.

(10)                    અમે બિનસરકારી સ્વૈચ્છીક સંસ્થાઓએ ઘણી બધી જમીની હકીકતો ભેગીકરી અને આંકડોને આધારે'નાગરિક ચુંટણી ઢંઢેરો' તૈયાર કર્યો છે. દરેક પક્ષોને વિનંતી છે કે અમારા સદર ઢંઢેરાના મુદ્દોને પોતાના ચુંટણી ઢંઢેરામાં આમેજ કરે ને સત્તા મળતાં તેનો અમલ કરવાની બાંહેધરી લોકોને આપે!

(11)સદર ચુંટણી ઢંઢેરમાં ખાસ વિનંતી કરવામાં આવી છે કે 'ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તેના રાજકીય પક્ષોને વિનંતી' કે તમે સદર વિધાનસભાની ચુંટણીનું જે પરિણામ આવે તેને માન આપી સરકાર બનાવો.પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ ને સરકારોને પરિણામ પછી ઉથલાવવાનું કામ ન કરશો!. 

Sunday, April 16, 2023

ભક્ત બેનરજીનો વિડીયો.અનેવાયર યુ ટયુબનો કરણ થાપર નો સતપાલ મલિકનો ઇન્ટરવ્યુ. વિડિયો.

ભક્ત બેનરજીનો વિડીયો.અને વાયર યુ ટયુબનો વિડિયો.

 इन्टरवीयु वायर को दिया- लीया करन थापरने- इन्टरव्यु देनार मोदीजी के क्ल्म् ३७० नाबुद करेके बाद पसंद किया सत पाल मलिक निवृत गवर्नर ओफ जममु- काश्मीर.

    ઇન્ટરવ્યુમાં સત પાલ મલિકે સાહેબે  નીચેના  સત્યો પુરી જવાબદારી અને જોખમ સાથે રજુ કર્યા છે. જે તમે વિગતે કરણ થાપર– સત પાલ મલિકની ચર્ચામાંસાંભળી શકશો. મોદી સરકારે સદર ઇન્ટરવ્યુ તમામ ટી વી ચેનલો પર પ્રતિબંધ મુકી દીધેલ છે.

(1)    पुलवामा हमला हमारी गलती से हुआ है, तुम अभी चुप रहो- न. मोदी.

(2)    CRPF Asked for Aircraft- Home ministry denied. I told modi,  ये हमारी गलती से हुआ हे, मोदी और अजीत दोओले बोला आप चुप रहो. To keep quiet.

(3)    It was policy of Govt to blame Pakistan for Pulwama to win the election. Instead of finding the root cause, we shifted the blame somewhere else. Narrative shifting of blames.

(4)    How 30 kg RDX came in Kashmir-

(5)    Govt had good reasons to hide of the Pulvama attack & use it for some other purpose.

(6)    अदानि की फीनानशीअल इनवोलमेंटमें मोदी की दिल चश्पी है, दील चश्पी है तो फायदा भी होगा.

(7)    जो बीजेपी शासीत स्टेट गर्वमेंटस है, वो पुरा पैसा खा नही रहे है, वो पैसा यहां दिल्हीमें भी आ रहा है, और यहांसे वो पैसा अदाणी के पास भी जाता होगा.

(8)    Adani will demolish Modi & BJP to an extent की वो पहेचान तक भी नही जायेंगी.

(9)    मोदीजी एक केस बता दे जहां उन्होने करप्शन बंध कर दी. में दो केस बता रहा हुं जिसमे मोदीजीने कोइ ऐकश्न नही ली. उनको करप्शन से बहोत ज्यादा नफरत नही है.

(10) Modijee is very ill informed person. उनको कोइ जानकारी नही है. वो अपने में मस्त है. To hell with  जो हो रहा है.

(11) देशके राष्ट्रपति की सभी मुलाकता पीएम ओफीससे क्लियर होति है. She is the puppet of the PM.

(12) पिछले दो साल में सेन्ट्रल युनीवर्सीटी के जो वाइस चान्सेलर चुने गए है, जो आर एस एस से कनेकश्न वाले को ही चुने गये हो. इनमे से ज्यादा तो स्कुल के प्रीन्सीप्ल बनने के लायक भी नही है.

(13) संसदीय लोकशाही प्रथामें पहेली दफा इतना गलत राहुलको संसद के गृहमें ना बोलने दे कर हुआ है. बहोत सेमफुल काम कीया है.

 હું તમને બે યુ ટયુબ લીંક મોકલું છું. એક ભક્ત બેનરજી અને બીજી Wire U tube- જેમાં કરણ થાપર જેવા સમૃધ્ધ– બાહોશ ઇન્ટરવ્યુ લેનાર છે તેઓ એ વડા પ્રધાન મોદીજીએ પસંદ કરેલ ત્રણ રાજ્યોમાં બનેલ ગવર્નર સત પાલ મલિકનો ઇન્ટરવ્યુ આશરે એક કલાકનો અંગ્રેજી –હીંદીમાં મીક્ષ લીધેલ છે. નીચે મુજબની લીંક મોકલી છે. શુભેચ્છા સાથે. કોઇ પુર્વગ્રહ વિના.

Most Important two U tube videos- never miss to hear up to last & Share.

(1)    Interview by Karan Thapar of Sat Pal Malik Ex- Governor of Jammu & Kashmir. https://www.youtube.com/watch?v=b8wmHUhLvOI

(2)  Bhakat Benjerjee- u tube-

https://www.youtube.com/watch?v=9a3qi9mF1xw

 

 

 

 


--

Saturday, April 15, 2023

વધુ માટે ભાગ– ૫ . તસલીમા નસરીનની પસંદ કરેલ ૭૫ અખબારી કોલમનું પુસ્તક

વધુ માટે ભાગ– ૫ .

તસલીમા નસરીનની પસંદ કરેલ ૭૫ અખબારી કોલમનું પુસ્તક. સદર પુસ્તકને કોલકત્તા દૈનિક' અમૃતબઝાર પત્રિકાનો સને ૧૯૯૨ પુરસ્કાર મળેલ હતો. તેમાંથી થોડા પસંદગીના ક્રાંતિકારી ફકરાઓ.

(1)    No man is the holy man.  કોઇ માણસ પવિત્ર કે દૈવી માણસ નથી.

No book is the holy book, કોઇ પુસ્તક પવિત્ર પુસ્તક નથી. તમામ ધાર્મીક પુસ્તકો માનવસર્જીત છે. No place is the holy place on the earth. પૃથ્વી પર કોઇપણ પવિત્ર સ્થળ હોઇ શકે નહી. તમામ ભૌગોલીક સ્થાનો હોય છે.તેમાં વિવિધતા સ્થળ, સમય અને કુદરતી હોય છે. ઇશ્વરી કે દૈવી નહી.

(2)    માનવ સંસ્કૃતીના ઉષાકાળથી માનવીનું બૌધ્ધીક સંચાલન ધર્મ અને સમાજે કર્યું છે. તેમાંય ધર્મે હંમેશાં સ્રીને અપમાનીત ગણીને વ્યવહાર કર્યો છે. ધર્મ પુસ્તકોમાં લખેલા ઉપદેશોનો ઉપયોગ પુરૂષસમાજે સ્રીઓને કાયમી જ્ઞાનના અંધારામાં રાખી મુકવા કરેલ છે.

(3)     મારા લખાણોએ અખબારી અને સાહિત્ય જગતમાં કાયમી તુફાનોનું સર્જન કર્યું છે. મને સમજણ બિલકુલ પડતી નથી કે હું મારા વાંચકોને કેવી રીતે મારા લખાણોમાંથી આનંદમાં રાખું. હું જ્યારે મારી કોલમ લખું છું ત્યારે સૌ પ્રથમ મારી આંખો આંસુઓથી ભરાઇ જાય છે. કોલમમાં  લખેલો દરેક શબ્દ મારા હ્રદયના આવેગોમાંથી લખાય છે નહી કે મારી પેનમાં થી.

(4)     મારી શૈક્ષણીક લાયકાત(મેડીકલ ડૉકટર),મારી તર્કવિવેક બૌધ્ધીકતા અને મારી સુંદરતા કે કોમલતાએ ક્યારેય મારા દેશમાં મને ' માનવ' બનવા દીધી નથી. મને તો મારા દેશ અને મુસ્લીમ સમાજે ફક્ત એક 'સ્રી' જ સમજીને મારી સાથે વ્યવહાર કર્યો છે.

(5)     લિંગ– જાતી આધારીત તફાવતનો અર્થ ભૌતીક છે. લૈંગીક સમાનતા એટલે લિંગ આધારિત અસમાનતા બિલકુલ નહી.( Gender equality is the opposite of gender inequality, but not of gender difference.) લૈંગીક અસમાનતા આધારીત વ્યવહારોમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન નિહીત છે.

(6)    નવી શિક્ષિત સ્રી, આધુનીક ગુલામ કેવો હોઇ શકે તેનો આદર્શ છે. વર્તમાન સ્રીઓ આભાસી સ્વતંત્રતાના ખ્યાલમાં જીવન પસાર કરી રહી છે. આપણા દેશોમાં કોઇપણ સ્રી ઘરની બહાર તથા પ્રવાસે એકલી ન જઇ શકે! કેમ? જવાબ કોની પાસે શોધીશું? આપણો સમાજ કેવો અક્ક્લહીન છે કે જે સ્રી ઉપર બેશુમાર નિયંત્રણો મુકે છે અને પેલાને બેલગામ છુટો ચરવા મુકી દે છે.(It is utterly senseless that society is very restrictive for women but liberal for men.) સ્રીને સાથે કંપની આપવામાં તેના પતિ સિવાય કોઇ પુરૂષ હોય અથવા સંબંધી હોય તેમાં કયું આભ આ સમાજનું તુટી પડે છે?

(7)     દુનિયાના તમામ ધર્મોએ નફરત, ધિક્કાર, માનવ માનવ વચ્ચે ભેદભાવો પેદા કરીને યુધ્ધો સિવાય કાંઇ આપ્યું નથી. ધર્માંધ વર્તન એટલે હિંસક વર્તન અને તે પણ માનવીનું; જંગલમાં રહેતા પ્રાણીઓનું નહી. માટે જ મારો સંદેશો માનવીએ ધાર્મીક નહી પણ ફક્ત કોરા કાગળ જેવો માનવી બનવાની જરૂર છે. વિશ્વના તમામ ધાર્મીક સ્થાનો અને તેના સંચાલકો જાણે હિંસા, નફરત, ધિક્કાર, ભેદભાવ, અને જાતીય દુર્વવ્યવહારો ને પોષવાના અને ફેલાવાના કારખાના બની ગયા છે. કે પછી તે બધા માનવીય દુષણોને જન્મ આપનારા ધરૂવાડીયા બની ગયા છે.

(8)     શા માટે હું મુસ્લીમ નથી, હિંદુ નથી, ખ્રીસ્તી નથી વિ,ના કારણો આપણા સૌ બૌધ્ધીકોએ પોતાના ધર્મ પુસ્તકોમાં જ્ઞાન–વિજ્ઞાન આધારીત તપાસીને ખાસ કરીને યુવાનોને શિક્ષિત કરવા સરળ ભાષામાં મોટા પાયે મુકવા જોઇએ.( પાનું ૧૧૧.) અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયત્રંણો સત્તાધીશોને જરૂર એટલા માટે છે કે નિર્ભેળ સત્યનો ફેલાવો તેમની સત્તા માટે લાંબેગાળે જોખમી બની શકે તેમ હોય છે.

(9)    ધર્મ અને ધર્માંધતા એક બીજાના અવિભાજ્ય અંગો છે. એક બીજાને જન્મ આપે છે. કોઇપણ દેશ બિનસાંપ્રદાયિક કે સેક્યુલર બન્યા સિવાય પોતાના નાગરિકોના રોટી કપડાં મકાન જેવા  જીવન ટકાવી રાખવાના અને વિકાસના પ્રશ્નો ક્યારેય ઉકેલી શકશે નહી..

મીહીરભાઇએ સદર મહાનિંબધ તૈયાર કરવામાં તસલીમ નસરીનના પોતાના લખાણો ઉપરાંત બીજું અન્ય ઇતર માનવ મુલ્યો કેન્દ્રીત, રેશનલ સાહિત્યનો ઘનિષ્ટ અભ્યાસ કર્યો છે. પુસ્તકના દરેક પ્રકરણના અંતે સંદર્ભ ગ્રંથો અને દેશ–પરદેશના માસીકોની યાદી પણ મુકી છે. તે સંદર્ભ ગ્રંથો વિ. નો બારીકાઇથી અભ્યાસ કરવાની પણ જરૂર છે. તેને આધારે મીહીરભાઇએ તસલીમા નસરીનને ' એક પ્રતિબધ્ધ માનવવાદી' ( The Committed Humanist) કોને કહેવાય તેની શોધ કરતાં કરતાં પોતે સવાયા પ્રતિબધ્ધ માનવવાદીની દિશામાં ઘણા આગળ વધી ગયા છે. ગુજરાતમાં માનવવાદ અને રેશનાલીઝમની પ્રવૃત્તીના સૌ સાથી મિત્રો માટે મીહીરભાઇની આ ચોપડી "Taslima Narsin- A committed Humanist" ખરેખર માર્ગદર્શક, મિત્ર બની શકે તેમ છે. ચોપડી ઓનલાઇન Amazon.in પરથી સરળતાથી મલે તેમ છે. મને અને અમારા સાથી અશ્વીનભાઇ કારીઆ સાહેબને ગૌરવ છે કે મીહીરભાઇને તસલીમા નસરીનના આ મહાનિબંધ માટે રાષ્ટ્રીય કક્ષા એ અંગ્રેજીના સારા લેખક તરીકે પણ બહુમાન કરેલ છે..... સંપુર્ણ... 


--

Thursday, April 13, 2023

તસલીમા નસરીનના માનવવાદી મુલ્યો આધારીત યથાર્થ સંઘર્ષ– ભાગ–૪.

તસલીમા નસરીનના માનવવાદી મુલ્યો આધારીત યથાર્થ સંઘર્ષ– ભાગ–૪.

નવલકથાનું નામ " ફ્રેન્ચ લવર"

તસલીમાએ ૨૦૦૧માં પોતાની બીજી નવલકથા' ફ્રેન્ચ લવર' બંગલા ભાષામાં પ્રકાશીત કરી હતી.  શ્રીજત ગુહાએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને પેગ્વીન બુક્સે પ્રકાશીત કરી. નવલકથાના મુખ્યપાત્ર નીલજંના આત્મીય પ્રેમ અને મુક્તિની ખોજ માટે ફ્રાન્સના પાટનગર પેરીસની એક  મોટેલના બંગાલી માલિક ' કિશનબાબુ' સાથે લગ્ન કરી પેરીસમાં આવે છે. પેરીસની લક્ઝરીને વ્યાજબી ઠેરવે તેવો પોશએરીયામાં વિલાસી એપાર્ટમેંટ આ કોલકત્તાના બંગાલીબાબુનો હતો. નીલ ને મન તો તે સોને મઢેલા પાંજરાથી વિશેષ ન હતો. તેમાં ન હતો સખાપણાનો ભાવ કે નહતી ઉષ્મા! તેનું લગ્નજીવન લાગણીવિહીન અને ગૃહજીવનથી વંચિત હતું. તેના બે લક્ષણો હતા, એક ગળાડુબ ગૃહીણીની ફરજો અને બીજું યાંત્રિક જાતીય સુખ. તે પ્રેમીકા પણ ન હતી અને અર્ધાંગિની પણ ન હતી. પણ તે કિશનબાબુ માટે 'સેક્સ ઓબજ્ક્ટ' ચોક્કસ હતી. તેણીની અસંતુષ્ટ ઇચ્છાઓએ સર્જન કરેલ ઉદાસીનતા ને વર્તમાન જીવનને પેદા કરેલ અણગમામાંથી મુક્તિ માટે 'કોઇ સેફ્ટી વાલ્વ' ની જરૂર હતી.

 આવા સંજોગોમાં બને છે તેમ એક નામે બેનોર દુપોન્ટ, યંગ, નીલી આંખોવાળો બ્લોન્ડ ફ્રેન્ચમેનના પ્રેમમાં નીલ પડી જાય છે. બેનોરની મૈત્રીમાં નીલ મુક્તી અને પ્રેમાળ હુંફની મઝા માણે છે.બેનોર નીલને પેલી કાયમી અપરિચીત રહેલી પેરીસની શેરીઓ,કેફે, આર્ટ ગેલેરી અને મ્યૂઝીયમોનો ઘનિષ્ઠ પરિચય કરાવે છે. નીલને તો જાણે તેણીએ નવેસરથી કોઇ નવાગ્રહ પર નવું જીવન શરૂ કર્યું. ઉદ્દામ જાતિયમુક્તિ કોને કહેવાય તેને અહેસાસ બેનોરના જીવંત સાનિધ્યે નીલને આપ્યો. નીલ ખુબજ ટુંક સમયમાં પારખી ગઇ કે બિનોરનું વ્યક્તિત્વતો આત્મરતિવૃતિ(Narcissistic Attitude)વાળું છે. બિનોર પણ જાણે ફક્ત પુરૂષ જ છે. બિનોરનીવૃતિ બંગલા દેશી પુરૂષપ્રધાન સમાજ અને તેનાથી બનેલ સમાજથી જુદી નહતી. સ્રી એટલે લગ્ન કરવાનું સાધન, મિલકત અને એક તરફી તલાક. લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ વિ. ને જાણે કોઇ રાષ્ટ્રીય સીમાઓ હોતી જ નથી.

તસલીમા આક્રોશ સાથે લખી નાંખે છે, " શું તમે જન્મ સાથે મળેલ ચામડીનો રંગ,વર્ણ કે જાતી જેવા ભૌતીક લક્ષણોથી મુક્ત માનસિકતાથી જીવી શકો જ નહી? માનવીને તેના બૌધ્ધીક સદ્રગુણોને આધારે તેની સાથે વ્યક્તિગત અને સામાજીક સંબંધોથી શું જીવી ન શકાય? બીજું ધાર્મિક સત્તાઓએ અને અંધશ્રધ્ધાને કારણે વિકસેલા પુર્વગ્રહો મુક્ત રેશનાલીટીના આધાર પર નાગરિક વ્યક્તિગત અને સામજીક જીવન શું જીવી ન શકે? આ વિશ્વમાં કોઇ એક જાતિ હોય તો તે 'માનવજાતી' છે.( There can be only one race in the world, the race of "Humanist" who can think rationally and act emotionally.") તસલીમા લખે છે કે મારૂ મિશન તો આ માનવ સર્જીત ગુલામીની જંજીરોને કાયમી ધોરણે તોડવાનું છે. બિનોરના સાચાસ્વરૂપની ઓળખ થતાં તેની સાથેથી મુક્ત થઇને, તેનાથી રહેલા ગર્ભનો પણ નીલે ગર્ભપાત કરાવી દિધો.

       સદર નવલકથાનું પુરૂષ પાત્ર કિશનબાબુ જે પેરીસમાં રહે છે, જે પેરીસ અને ફ્રાંસે માનવજાતને ફ્રાંસની ક્રાંતિ દ્રારા 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યો સમગ્ર માનવજાતને આપ્યા છે. તે પેરીસના સારી મોટેલના માલિક,સારા બીઝનેસમેન, ઉધ્યોગપતી વિ, હોઇ શકે છે પણ સારા પતિ નહી.(Kishanbabu is in any case a better businessman than a husband.) પ્રેમ, જાતીય સુખ અને વર્તમાન જીવન માણવાનો આનંદ એ ત્રણ તો માનવવાદી મુલ્યો છે. કિશનબાબુ એ ત્રણેય મુલ્યો નીલને આપવામાં નિષ્ફળ ગયા. એમ. એન. રોયે લખ્યું છે કે આ ત્રણ મુલ્યો માનવીની જીજીવિષા ટકાવી રાખવાની ઝંખનામાંથી વિકસેલા છે. કિશનબાબુ દરરોજ સાંજે જોબ પરથી ઘરે આવતા હતા, ફ્રેન્ચ વાઇન પીતા હતા, સારુ ભોજન જમતા હતા, સુતા પહેલાં જાતીય સુખ ભોગવતા હતા ને પછી પથારીમાં પડીને નસકોરાં બોલાવતા સુઇ જતા હતા. વધુમાં હવે તેમને નીલથી વારસદાર જોઇતો હતો.

પરંતુ નીલના પાત્રમાં તસલીમા છે. તે આધુનિક દ્ર્ષ્ટિબીંદુ ધરાવતી સ્રી હતી. તે પોતાની જીંદગીની આહુતિ આપવા કિશનબાબુને પરણીને પેરીસ આવી નહતી. તેણી,પુરૂષ –સ્રી બંનેના સ્વતંત્ર વ્યક્તિત્વને ઉજાગર કરવામાં લગ્નને એક સંસ્થા તરીકે સ્વીકારે છે. પણ કોઇના ભોગે લેશમાત્ર નહી. નીલને મા તરીકે બાળકના સર્જનમાં રોમાંચ છે. પણ તે બાળકો પેદા કરવાની પુરૂષ સમાજે વિકસાવેલી ફેકટરી નથી જ. વધુમાં તે સ્પષ્ટ છે કે નીલ, ઘરની અંદર અને ઘરની બહાર કેવી રીતે અને પતિ સિવાય કોની સાથે કેવા સંબંધો કેળવવા તેની લક્ષ્મણરેખા નક્કી કરવાનો અધિકાર પોતાની વિવેકશક્તી પાસે રાખી મુક્યો છે. પતિ પાસે હરગીજ ગીરવે મુકેલ નથી.

તસલીમાનું ' ફ્રેન્ચ લવર' નવલકથામાં 'નીલ'નું પાત્ર સ્રી સશક્તિકરણનું મોડેલ છે. હસ્તમેળાપ પછી શરૂઆત થાય છે ' લગ્નગ્રંથી' થી જોડાવું. અંગ્રેજીમાં તે માટે શબ્દ છે "WEDLOCK".તસલીમાનું મિશન છે LOCKશબ્દને WEDLOCKમાંથી કાઢી નાંખવો!. તો જ લગ્ન જીવનને તમામ ગ્રંથીઓએ રચેલા જાળાબાવામાંથી મુક્ત બનાવી શકાય!

વધુ માટે ભાગ– ૫ .


--

Tuesday, April 11, 2023

તસલીમા નસરીન– એક પ્રતીબધ્ધમાનવવાદી. ભાગ– ૩.

તસલીમા નસરીન– એક પ્રતીબધ્ધ માનવવાદી. ભાગ– ૩.

સૌ પ્રથમ વાંચક મિત્રો અને સાથી મીહીરભાઇની થોડી હળવી ક્ષમા માંગી લઉ.

    ગઇકાલના લેખમાં એક, સૌ પ્રથમ લખવાની હકીકત રહી ગઇ હતી. સાથી મીહીરભાઇને સદર વિષય તસ્લીમા નસરીન ઉપર પીએચડી શોધ નિબંધ લખવાનું પ્રથમ સુચન અમારા વડીલ સાથી પાલનપુર લો કોલેજના નિવૃત પ્રીન્સીપલ શ્રી અશ્વિનભાઇ કારીઆ સાહેબે કર્યુ હતું. ફક્ત તેમાં માત્ર મૌખીક શુભેચ્છક બનવાને બદલે મીહીરભાઇનો થેસીસ પુર્ણ થાય તે માટે સતત મિત્ર, માર્ગદર્શક અને દિશાસુચક તરીકેની પોતાની સક્રીય ફરજ કારીઆ સાહેબ ભુલ્યા ન હતા. બીજુ, સદર પુસ્તક મને ગુજરાતના પ્રતિબધ્ધ માનવવાદી તરીકે મને અર્પણ( Dedicated to MR BIPIN SHROFF A COMMITED HUMANIST OF GUJARAT Page-4.)કરેલ છે. આભાર દોસ્ત મહીરભાઇ.

(1)    તસલીમા નસરીનની પ્રથમ નવલકથા.– લજ્જા(1993).  સદર નવલકથાએ સમગ્ર બંગલાદેશની  ' બંગલા ભાષાના ' સાહિત્ય જગતમાં જબરજસ્ત ઉહાપોહ પેદા કર્યો હતો. હિંદી, અંગ્રેજી સહિત વિશ્વની અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલ છે. સદર પુસ્તકના પ્રકાશન પછી બંગલા દેશના ધાર્મીક નેતાઓએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા સરકાર પર સખત દબાણ કરેલ હતું. સને ફેબ્રુઆરી ૧૯૯૩ "લજ્જા"નું પ્રકાશન થયું. પાંચ માસ પછી તેના પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો. તે પહેલાં બંગલા દેશમાં ૬૦,૦૦૦ કોપીઓ આ નવલકથાની વેચાઇ ગઇ હતી. બંગલાભાષામાંથી ગુજરાતીમાં પણ તેનું ભાષાંતર થયેલ છે.

(2)    બંગલા દેશની મુસ્લીમ ઉગ્રધાર્મીક સંસ્થાઓએ સદર નવલકથાના પ્રકાશન માટે તસલીમા સામે ધર્મનીંદા(BLASPHEMY)નો ફતવો બહાર પાડયો.તેણીના શિરચ્છેદ માટે લાખો રૂપિયાનું ઇનામ પણ બહાર પાડયું. દેશના ફોજદારી કાયદા મુજબ ' અમારી ધાર્મીક લાગણી દુભાઇ' છે તેને કારણે તેણીની સામે સ્થાનિક અદાલતે 'ધરપકડ'નું વોરંટ બહાર પાડ્યું. ધર્મનિંદા માટે તેને પકડી અને ૧૦૦૦૦ ઝેરી સાપો વચ્ચે છુટી મુકી દેવામાં આવશે.તેવો મુલ્લા–મોલવીઓનો ફતવો હતો. તે દિવસથી તેણીએ પોતાનો દેશ છોડી દિધો. પણ વિશ્વના કોઇપણ દેશમાં તસલીમા સામે 'સજાએ મોત'નું જોખમ લેશમાત્ર ઓછું થયું નથી. સાથે સાથે તેણીનો જાતિસંહાર( જીનોસાઇડ), કોમવાદ અને ધર્માંધતા વિરૂધ્ધનો સંઘર્ષ જે દેશમાં હોય ત્યાંથી નિરંતર, અવિરત ચાલુ જ છે.!

(3)    'લજ્જા' નવલકથામાં કુલ ૧૩ પ્રકરણ છે. તેણીએ સાત દિવસમાં તે નવલકથા લખવાની પુરી કરી  દીધી હતી.સને ૧૯૯૨માં ભારતમાં અયોધ્યામાં જે બાબરીમસ્જીદનો ધ્વંસ થયો તે પછી બંગલા દેશની અંદર હિંદુ લઘુમતી કુટુંબોના માનસિક તનાવોનું નિરૂપણ તેમાં છે. મોટાભાગના કુટુંબોએ ભારતમાં જવાનું પસંદ કર્યુ. પણ એક કુટુંબને 'આમાર સોનાર બંગલા' પોતાની બંગલા દેશની સરકાર અનેસંસ્કૃતી પર ભરોસો હતો કે તે અમારા 'ખાનદાન'નો પણ દેશ છે. પેલી કોમી ધ્રુવીકરણની માનસીકતા સામે 'અમારી રાષ્ટ્રીયતા' અને ' વિવિધતામાં એકતાવાળી બંગલા સંસ્કૃત્તિ' અમને બચાવશે. તે એક સ્વપ્ન સાબિત થયું માટે તે આખરે ચુરચુર થઇ ગયું અને તે કુટુંબે પોતાની માતૃભુમીને ઘણી તમામ પ્રકારની કિંમત ચુકવીને આખરી અલવિદા કહી કોલકત્તા આવી ગયા!.

(4)    નવલકથાનું વિષય વસ્તુ ખરેખર લેખીકા તસલીમા નસરીનનું પોતાનું છે. તેણીએ તો યુરોપીયન રેનેશાં અને માનવકેન્દ્રી સદાબહાર પેલા ફ્રાંસની ક્રાંતીના ઉદ્દેશો– સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ' આત્મસાત કરેલા હતા. તેથી 'લજ્જા' નવલકથામાં આપણને  માનવવાદ સામે ઝનુની ધાર્મીક અસહિષ્ણુતાનો વૈચારીક સંઘર્ષનો સતત અહેસાસ થયા જ કરે છે. માટે તે સંઘર્ષ વ્યક્તિગત, પ્રાદેશીક કે રાષ્ટ્રીય બનવાને બદલે માનવીય અને વૈશ્વીક બની જાય છે.(Throughout the novel, there is a conflict between high humanism and fanatic tribalism.)

(5)    શું કોમી દંગા(Communal Riots) એટલે એક પ્રબળ શક્તિશાળી સમાજનો બીજા  નબળા સમાજના લોકોનો બલી કે શિકાર બનાવવો! કોમી દંગામાં આ સ્થિતિ સામાન્ય હોય છે. પણ તસલીમાના સત્ય પ્રમાણે કોમી દંગા એટલે એક કોમે બીજી કોમની સાધુતા, પવિત્રતા, અખંડતા અને નીજીપણા પરનો ઠંડા કલેજે, નિર્દય અને નિષ્ઠુર રીતે કરેલો હુમલો! તેથી કોમી દંગા એ કુદરતી આપત્તી નથી, જેવીકે નદીનું પુર કે જે તે સમય જતાં ઓસરી જાય, કે પછી આગની માફક થોડા સમય પછી ઓલવાઇ જાય! કોમી દંગા તો માનવજાતની એક દુ:ખદ વિકૃતિ અને દુષ્ટતા છે.( Riots are not natural calamities, nor disaster but they are simply a perversion of humanity.)કાયમ માટે માતૃભુમીનો છેડો ફાડી નાંખવો એ તો માનવીય પાપ છે.(Deserting the Homeland is a sin.) બીજું હું તો નિરઇશ્વર માનવવાદી છું. મને મારા પ્રિયતમ અને ધર્મ વચ્ચે પસંદ કરવાનું આવે તો મને મારા જન્મને આધારે મા– બાપ દ્રારા મળેલા ધર્મને કાયમ માટે 'બાય બાય' કરવાનું લેશ માત્ર દુ:ખ શા માટે હોઇ શકે? બાળકો માટે ધર્મ જન્મગત નથી,તે કૌટુંબીક દેન છે. વધુ જ્ઞાન, માહિતી અને ઉપયોગીતા બદલતાં શા માટે તે જરૂરી છે? જન્મ સાથે જીજીવિષા ટકાવી રાખવાના લક્ષણો વારસાગત ઉત્ક્રાંતિની દેન હોય છે. જ્યારે કુટુંબ ધાર્મીક લક્ષણો, રૂઢીઓ વિ ની ગળથુથી હવે મૃત્યુ પછીના જીવન માટે આપે છે. પૃથ્વીપરના તમામ સજીવોમાનવી સિવાય પોતાની ને પોતાના બાળકોની જીજીવિષા ટકાવી રાખવા સંઘર્ષ કરે છે. ફક્ત માનવી એક જ એવું સજીવ છે જે પોતાના બાળકનો બલી આપીને ધર્મ બચાવવા નીકળયો છે!

(6)    નવલકથાનું મુખ્ય પાત્ર કે હિરો પોતાના બાળકોને અભ્યાસ કરવા કુરાન, ગીતા કે રામાયણને બદલે ગેલેલીયો, ન્યુટન, આઇનસ્ટાઇન, ફ્રાંસની ક્રાંતિ અને મેક્સીમ ગોર્કી ને ટોલસ્ટોયના પુસ્તકો લાવી આપે છે. તેને પોતાના બાળકોને માનવ બનાવવા છે, ધર્મઝનુની રોબોટ નહી જે બંદુકના નાળચાનો ખોરાક બને! નબળા અને અશક્ત લોકો પર હુમલો કરીને આનંદ મેળવવો એ તો  પરપીડન વૃતી છે. જે સમાજ કે નાગરીકોનું રૂપાંતર ટોળામાં થઇ જાય ત્યાં માનવી તરીકે માનવ હિતમાં વિચારવું અને તેમાંય જો તર્કબધ્ધ રીતે (રેશનલી) વિચારવું એ તો દેશદ્રોહી કૃત્ય બની જાય! તસલીમા ખુબજ દુ:ખ સાથે લખે છે તો પછી કાંતો આપઘાત કરવો અથવા તો પછી દેશ છોડી નાસી જવું! કારણ કે અહીંયા તો મારા– તમારા સમાજે ધર્મનું અફીણ પીધું છે.(Ref- Religion is the opium of the masses. Page-63).  વધુ ભાગ–૪ની રાહ જુઓ. 


--

Taslima Nasreen- A committed Humanist

Taslima Nasreen- A committed Humanist. તસલીમા નસરીન –એક પ્રતીબધ્ધ માનવવાદી.

અમારી ગુજરાત માનવકેન્દ્રીત રેશનાલીસ્ટ ચળવળના એક અગત્યના ઉદ્દીપક(Catalyst) ડૉ.મિહિરભાઇ દવેનો(પાલનપુર, ઉત્તર ગુજ. યુની.)પોતાની પીએચ ડી માટેનો શોધ નિબંધનો વિષય હતો ' Taslima Nasreen- A committed Humanist'. " તસલીમા નસરીન" એક પ્રતિબધ્ધ માનવવાદી. ડૉ. મિહીર ખાસ અભિનંદનને પાત્ર એટલા માટે છે કારણકે સદર નિબંધ તેઓએ અંગ્રેજીમાં લખ્યો છે એટલું જ નહીં પરંતુ તેને 'બુક સ્વરૂપે' આશરે ૧૮૫ પાનામાં અંગ્રેજીમાં પણ પ્રકાશીત કરેલ છે.

મિહીરભાઇએ સદર પુસ્તકમાં તસલીમા નસરીનનો સંઘર્ષ કેવી રીતે એક બંગલા દેશી મુસ્લીમ રૂઢીચુસ્ત સમાજ સામે ક્રમશ; વિદ્રોહનું બ્યુગલ સ્થાનીક, અને રાષ્ટ્રીયમાંથી માનવીય વૈશ્વીક બની ગયું તેનું પૃથ્થકરણ કાબેલીદાદ કર્યું છે. દોસ્તો! શરત એટલી જ છે કે તમારે ' જુની આંખે નવા તમાસા'  તસલીમાના ક્રાંતિકારી રૌદ્ર મીજાજમાં ડૉ મિહીર દવેની કલમથી માણવા પડશે. તેના માટે બીજી એક નમ્ર શરત વારંવાર ડૉ મિહીરે પોતાના કલમમાં મુકી છે કે ' જુનું ભુલશો તો જ નવું શીખશો.' ડૉ. મિહીરે તસલીમાના વિદ્રોહની માનવકેન્દ્રી આગની જ્વાળાઓની દાહક અસરોને તેણીએ રજુ કરેલી કવિતાઓ, નવલકથા, નિબંધો ને જીવનકથા વિ.માણવા માટે તમારા મનની તાર્કીકતાને મદહોશ બનાવવી પડશે. એટલે કે જુના પુર્વગ્રહોના માપદંડોથી બિલકુલ વિમુક્ત  થવું પડશે. પેલી સંસ્કૃત ભાષામાં કહેવત છે ને કે ' સિંહણનું દુધ માટીના વાસણમાં ન રહે!'

(1)    સંશોધન નિંબંધના લેખકે તસલીમાના સંઘર્ષને પોતાના અંગત પ્રબુધ્ધ સ્વાર્થને( Enlightened Self-interest) માનવકેન્દ્રીત સંઘર્ષ બનાવીને જાહેરસુખ(Public Good)માં રૂપાંતરીત કેવી રીતે કર્યો છે તેની શોધ ખુબજ સરળ રીતે રજુ કરી છે. અન્યના પ્રત્યેની સહાનુભુતી અને વિકાસના સંઘર્ષમાં નીજી જીજીવીષા ટકાવી રાખવાનો સ્વાર્થ અને વિકાસ કેવી રીતે અંતગર્ત છે તે સંદેશ રજુ કરવામાં ડૉ મિહીરભાઇ બિલકુલ સફળ થયા છે.

(2)    તસલીમાના સદર સંઘર્ષને લેખકે તમામ ધર્મોના નૈતીક માપદંડોથી ઘણો મુઠી ઉંચેરો ' ધર્મનિરપેક્ષ નૈતીક' પણ માનવીય સંઘર્ષ તરીકે મુલવ્યો છે. તે જૈવીક ઉત્ક્રાંતિથી વિકસેલ માનવીય કુદરતી સ્વભાવની દેન છે. સારૂ જીવન તે એક 'પ્રેમથી ભર્યુ ભર્યુ પણ જ્ઞાન આધારીત છે' તે બર્ટ્રાન્ડ રસેલનો તત્વજ્ઞાનીય બોધની વાત કરવાનું લેખક તસલીમાના સંઘર્ષને વ્યાજબી ઠેરવવામાં બિલકુલ ભુલ્યા નથી. સદર દલીલ કરીને લેખકે તસલીમાના માનવીય સંઘર્ષને ધર્મપુસ્તકો આધરીત ઇશ્વરી ટેકણલાકડી બનેલી અંધશ્રધ્ધામાંથી માનવને મુક્ત બનાવી દીધો છે. 

(3)    બીજા અન્યો પ્રત્યેની સહાનુભુતી,(નફરત કે ધિક્કાર નહી) અને નૈતીક વ્યવહાર જ માનવ સંબંધોનું ચાલકબળ હોવું જોઇએ. તેમાં ઇશ્વર, ધર્મ અને તેના દલાલોને( Agents of God) વચ્ચે લાવવાની બિલકુલ જરૂર નથી. લેખક, માનવ વર્તનનો માપદંડ કોઇ પરલૌકીક શક્તિ ને બદલે માનવીય ભૌતીક સુખ સિવાય બીજું કશું ન હોઇ શકે તે ગ્રીક તત્વજ્ઞાની પ્રોટાગોરસના તારણને યાદ કરવાનું સદર ચર્ચામાં ભુલ્યા નથી. તસલીમાના માનવવાદી વિચારોમાં મૃત્યુ પછી મળનારા સુખને બદલે આ જીવનમાં મળનારા વાસ્તવિક ભૌતીક જીવનના સુખને પ્રાધાન્ય આપવાના અભિગમને લેખક બિરદાવે છે. માનવી પોતેજ પોતાના ભાગ્યનો વિધાતા છે. તે માનવવાદી ઢંઢેરાનો ઉદ્દેશ " No deity will save us: we must save ourselves." નો સંદર્ભ પણ લેખક ચુક્યા નથી.

(4)     માનવવાદી સત્ય શોધવાનો આધાર વૈજ્ઞાનીક અભિગમ અથવા વૈજ્ઞાનીક પધ્ધતિ છે. તેનું જે મહત્વ દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂએ તેને ધ્રુવતારક તરીકે આપેલ હતું તેને આપણે નજર અંદાજ કરવાનું પોષાય તેમ નથી. અંધશ્રધ્ધા એ તો સામાજીક પ્રગતીને કોરી ખાનારી ઉધઇ છે. માનવીય પ્રશ્નોના ઉકેલ માટે વૈજ્ઞાનીક અભિગમ જ એક આધુનિક ચાવી છે. વૈજ્ઞાનીક અભિગમના પાયાના અંગોમાં પુર્વગ્રહ મુક્ત નિરિક્ષણ, કારણની સર્વોપરિતા, રચનાત્મક કલ્પના અને દુન્યવી નૈતીકતા છે. પારલૌકીક નૈતીકતા નહી.

(વધુ ભાગ– ૨માં ઇતેંજારી સાથે.)

તસલીમા નસરીનની કવિતાઓ–

(1) તેણીની કવિતાઓ સમગ્ર પુરૂષપ્રધાન સમાજ સામે છે. તે ધર્મ, સંપદ્રાય, સંસ્કૃતિ ને રાષ્ટ્રીય સીમાઓથી પર છે. પુરૂષપ્રધાન સમાજ દ્રારા થતું શોષણ તમામ પ્રકારની સીમાઓથી પર હોય છે. ખરેખરતો આ શોષણમાં તે બધાની ભાગીદારી સ્થાપિત હિત હોય છે. મીલી ભગત હોય છે. તસલીમાના તારણ અને નિરિક્ષણ પ્રમાણે આ સંઘર્ષ અંધશ્રધ્ધા સામે વૈજ્ઞાનીક અભિગમ વિરૂધ્ધનો હોવા ઉપરાંત રૂઢીચુસ્ત સામાજીક વ્યવસ્થા સામે આધુનીક પરિબળો સામેનો પણ સંઘર્ષ છે તે ક્યારેય ભુલતા નહી. પુરૂષપ્રધાન સમાજ વ્યવસ્થાનો અન્યાય, ગુનાહિત માનસીકતા, જાતીયશોષણ વિ. જેટલું વ્યક્તિગત અમાનવીય છે તેટલું જ નુકસાનકર્તા સમગ્ર સમાજ માટે પણ છે. માનવી તરીકે વ્યક્તિગત ધોરણે ને સામુહિક એકમના ભાગ તરીકે અમને સમૃધ્ધ પૃથ્વી પરના જીવનમાં રસ છે. મૃત્યુ પછીના જીવનમાં લેશમાત્ર નહી.

(2)    મંદિર– મસ્જીદના મથાળાવાળી કવિતામાં તસલીમા નસરીન લખે છે કે આજથી હૈ! ધર્મ! તારૂ બીજુ નામ માનવતા હશે.'( From now on let religions other name be humanity'.) ધર્મપ્રેરીત મંદિર, મસ્જીદ, ગુરૂદ્રારા, ચર્ચ અને ગીરજાઘરની દિવાલોને ભસ્મીભુત કરી નાંખો! માનવજાતને તાતીજરૂરીયાત વૈજ્ઞાનીક અભિગમ અને તર્કબધ્ધ વિવેકબુધ્ધીની છે. માનવજાતને વધુ જરૂરીયાત તેના બાળકો માટે નિશાળો, કોલેજો, દવાખાના, બગીચા, રમતના મેદાનોની છે. માનવવાદી તરીકે સદર કવિતામાં તસલીમા વધુ લખે છે કે  મારે! મારા તમારા વર્તમાન જીવનને સુખી અને સમૃધ્ધ બનાવવું છે. મૃત્યુ પછીના આભાષી જીવન માટેના પ્રયત્નોમાં વર્તમાન જીંદગી બરબાદ કરવી નથી.! 

(3)     બીજી એક કવિતામાં તસલીમાના વિચારો– સ્રી એક પુરૂષપ્રધાન સમાજ માટે આનંદપ્રમોદની વસ્તુ કે ચીજ નથી. માનવજાતે સૌથી વધારે ઘાતકી ગુનાઓ ધર્મના નામે કર્યા છે. માનવીને નૈતીક દુન્યવી વર્તન કરવા માટે લેશમાત્ર કોઇપણ સ્વરૂપે ધર્મની જરૂર બિલકુલ નથી. સ્રી તરીકે અમને માનવ અધિકાર ન આપો તો ભલે! પણ અમને મુક્ત શ્વાસ તો લેવા દો! હું એક સ્રી તરીકે તમારા ધર્મો કે સામાજીક રૂઢીઓના સંરક્ષણ માટે બલીનું સાધન નથી. તસલીમાની આ ક્રાંતીકારી માન્યતા માટે તેણીને પોતાની ધર્માંધ લોકોએ કબજે કરી લીધેલી માતૃભુમીમાંથી કાયમ માટે તડીપાર કરવામાં આવેલી છે.

(4)    દેશનિકાલ– સ્વદેશત્યાગ( Exile)– ની સ્થિતી અંગે કવિતા.  વતન ની યાદ! વતનની મીટ્ટી–

હૈ! વતન, હૈ! વતન, હૈ! મારા દેશ! તું મઝામાં તો છે ને? મારું હ્રદય તો સતત તારી ખેવના બસ કર્યા જ કરે છે ! તને મારી ઝંખના છે ખરી? હું તો સતત તારા સ્વપ્નાં સેવી– સેવીને અધમુઇ થઇ જાઉ છું.! તને કાં ખબર હોય કે મારા જખમી કે આહત હ્રદયના હાલ શું છે? હૈ! મારા માદરે વતન ! તેં મારા સંતાડેલા હ્રદયના ઘાવ, દુ;ખો, આંસુઓને કદી જોયા છે ખરા!.

મારા વિખરાઇ ગયેલા વાળ અને પેલા ચમનનાં ચીમળાઇ ગયેલા ફુલો વિષે તું શું જાણે છે? હૈ! મારા પ્રિય માદરે વતન, અહીંયા જોજનો દુરથી પણ હું તારી સર્વપ્રકારની શુભેચ્છા ઇચ્છુ છું.

(5)    બંગલા દેશની કૌટુંબિક મુસ્લીમ સંસ્કૃતિમાં સ્રી તરીકે જીવવું એટલે શું? આ ધર્મ પોતાના સગાબાપને ધાર્મીક ફરજ તરીકે તેની દિકરી ફક્ત હિજાબ પહેરવાનો ઇન્કાર કરે છે માટે તે પોતાના હાથે જ દીકરીને મારી નાંખે છે! બાપની ઇચ્છા વિરૂધ્ધ દિકરી પોતાની પસંદગીના યુવાન સાથે શાદી કરવાનું નક્કી કરે છે માટે સજાએ મૌત! સ્રી સામુહિક બળાત્કારનો ભોગ બની માટે તેણીને ૨૦૦ ચાબખા અને છ માસની સજા! કુટુંબમાં દિકરી કે દિકરાની વહુ એકલી ટીવી સીરીઅલમાં એવું દશ્ય જુએ કે તેમાં ફક્ત સ્ક્રીન પર પુરૂષ હોય તો તેણીને તલ્લાક ! કારણકે તેણીએ ખાનગીમાં એક પુરૂષને  જોયો!

(6)     'સંપુર્ણ શરણાગતી' કવિતામાં તસલીમાના પ્રછન્ન નહી ખુલ્લા વિદ્રોહને સમજીએ. "  તમે મને બોલાવી, હું આવી, તમે મને કહ્યું જતી રહે હું જતી રહી! મને તે બધામાં શું મળે છે કે નહી તેની પરવા કર્યા વિના હું દરરોજ તમારા ઇશારે નાચતી રહી ! કૃપા કરીને મને કહો  હું મારા માટે જીવું છું ખરી? (Tell me, do I live for myself?)

(7)     મારી મમ્મીને જિવન જીવવા કરતાં મૃત્યુમાં વધારે ઇતેંજારી હતી. કારણકે તેણી બિચારી પોતાની અજ્ઞાનતા અને અંધશ્રધ્ધાને કારણે અમારા ધર્મે ગોઠવેલા મૃત્યુ પછીના 'ગુલાબી પિંજર'ને માણવાની અદમ્ય ઇચ્છાને સંતોષવી હતી.મમ્મીના અંતિમ શ્વાસના સમયે– કવિતા. કયામતના દિવસે મારો પુનર્જન્મ થશે. મારી મોમ, પેલા અશક્ય ગણાતા પુલ 'પુલસીરત'ને પસાર કરશે. પછી સાતમા સ્વર્ગેથી ચુંબકીય વ્યક્તીત્વ ધરાવતા મહંમદ સાહેબ તેણીને આવકારશે, આલિંગન કરશે, તેઓની વિશાળ છાતીમાં તે બિલકુલ ઓગળી જશે! તેણી રંગ બે રંગી સ્વર્ગીય ફુવારાવાળા બગીચામાં મનમુકીને ભીંજાઇ જશે! પછી તેણી આનંદમાં અભિભુત થઇને નાચશે, કુદશે.પૃથ્વી પરના જીવન જીવતાં જીવતાં જે બધી ઇચ્છાઓની કલ્પના કરેલી પણ, અતૃપ્ત રહી ગયેલી તે બધી ખાસ યાદ કરીને તેનો આનંદ લેશે. સોનાની થાળીમાં સરસ મઝાનું ચીકન પીરસેલું હશે. મારી મોમ તે પેલા પિતૃસમાજના સંપુર્ણ પ્રતિકારો અને નિગ્રહોથી પવન જેટલી હલકી બનીને તે થાળી માણશે!. પરવર દિગાર અલ્લાહ! જાતે પોતે, ચાલતા ચાલતા તે બગીચામાં મારી મોમ ને મળવા આવશે, તેણીના બાલોમાં તે સુંદર ગુલાબી ફુલ નાંખશે,અને અંતે તેણીને અદભુત આવેગભર્યા ચુંબનો– આલિંગનથી પોતાનામાં ઓગાળી નાંખશે!.

(8)    ઉપરના આવેગી વર્ણનની સામે તસલીમા લખે છે કે ' મારી મોમ, ક્યારેય કોઇ સ્વર્ગ, તેના રમણીય બગીચામાં કોઇની સાથે મુક્ત રીતે ફરવાની નથી. ખરેખર તો અમારા કબ્રસ્તાનની આગળપાછળ રખડતા પેલા લુચ્ચા શિયાળવા(Cunning Foxes) કબર ખોદીને તેણીનું માંસ ખાઇ જશે. તેણીના સફેદ હાડકાં પવન સાથે આડાઅવળા અફડાતફડી થઇને વેરવિખેરેલા જમીન પર પડેલા હશે.( Mother will go to no heaven, will not walk in any garden with any- body. Cunning foxes will entre her grave, will eat her flesh; her white bones will be spread by winds.  ઉપરના બંને વર્ણનો માનવવાદી તર્કબધ્ધ રેશનલીસ્ટ તસલીમા સિવાય અને તે પણ પોતાની મોમના સંદર્ભ સાથે કોણ કરી શકે?

Joint Photo with Salman Rushdi

 ભાગ–૩ હવે પછી.

 

 

 

 

 

                                                                                 

 


--

Saturday, April 8, 2023

હ્યુમન બ્રેઇન મુવમેંટ ઇન્ડિકેટર મશીન(!)


હ્યુમન બ્રેઇન મુવમેંટ ઇન્ડિકેટર મશીન(!)

આ મશીનના ખાસ લક્ષણો– કોઇપણ માનવી તેના મગજમાં થતી ક્રીયા–પ્રક્રીયાને મશીનના ચાર્ટમાં આવતી રોકી શકતો નથી. આપણા દેશના તાજેતરમાં ઉગ્ર હિંદુત્વવાદી રાષ્ટ્રપ્રેમી વિશ્વ ડાયેસ્પરા(Diaspora)–એનઆરઆઇ– વિષય નિષ્ણાતો ના સંયુક્ત સાહસ–સહકારથી સદર મશીન બનાવેલ છે. તેના લક્ષણો તેમાં ગોઠવેલી ચીપ્સ મુજબ નીચે મુજબ છે.

(1)     જન્મ આધારિત બહુમતી ધર્મ સિવાયના ભારત દેશના તમામ રહીશો માળખાગત સ્વરૂપે 'દેશદ્રોહી' મશીન પ્રમાણે સાબિત થશે!

(2)    દેશના જે રહીશો એક ધર્મ, એક જ ધાર્મીક જીવન પધ્ધતિ, એક નેતા, એક પક્ષ, એક ભાષા–સંસ્કૃતિ આધારીત વ્યક્તિ–પુજા–ભક્તિ– અર્ચનાના ' મન વચન અને કર્મ'થી મશીન ટેસ્ટ મુજબ પાસ થયેલા નહી હોય તે તમામ ' એન્ટીનેશનલ'ની શ્રેણીમાં મશીન'બીપ બીપ' અવાજ સાથે બતાવશે.

(3)    મનુસ્મૃતિમાં નક્કી કરેલ સામાજિક, આર્થિક, રાજકીય વ્યવસ્થાના ટેકેદારો ના હોય તે તમામ પોતાના સદર મશીને નક્કી કરેલા દેશપ્રેમના ખ્યાલ વિરૂધ્ધના માનસિક તરંગો વિ ને મશીનના ચાર્ટમાં આવતા રોકી શકશે નહી! આવા ટેકેદારોની ટોળકીને મશીનમાં ' ટુકડે ટુકડે ગેંગ' તરીકે ની ખાસ શ્રેણીમાં મુકવામાં આવી છે.

(4)     ૧૪૦ કરોડની પ્રજાના માટેના સંદેશા વ્યવહારના તમામ પ્રાચીન, અર્વાચીન ને આધુનિક સાધનો સવારથી સાંજ સુધી જે સ્તુતિ સંભળાવશે તે આપણા મશીન પ્રેરિત, સંચાલિત અને નિયમ મુજબની હશે.

(5)    તમામ મીડીયા સાધનોનો પ્રચાર– સંચાલન 'વિશ્વગુરૂ'ના પંચવર્ષીય સામુદાયિક મૂલોચ્છેદ (POGROM) – પંચજન્ય શંખ આધારીત મહાઘોષણા કરનારા વિશિષ્ટ તજજ્ઞો દ્રારા કરવામાં આવશે.

(6)     પ્રજાજનોના ઘરોમાં ફેલાતા પેલા સ્તુતી ધ્વની તરંગોને માપવાના સાધનો ટીવી. મોબાઇલ, લેપટોપ વિ,માં ઉત્પાદન સમયે સમાવિષ્ટ(ઇનબિલ્ટ) કરેલા જાસુસી ઉપકર્ણો રાખવામાં આવ્યા છે. તે બધાની મદદથી દેશની વફાદારીના માપદંડો મુજબ જે તે ઘરોને ધર્મશ્રી, ધર્મવિભુષણશ્રી,ધર્મરત્ન વિ. ના એવોર્ડ– પ્રતિકો દરેક શેરીમાં નિમાયેલ સ્ટ્રીટ–મોરલ– મસલ્સ– પોલીસની સુચના મુજબ  ઘરોના પ્રવેશદ્રાર પર મુકવામાં આવશે!.

(7)    મલેચ્છોના ભોગવાદી દેશોમાંથી પ્રસારિત વાયરસોને કાયમી ધોરણે રોકવા માટે ગૌમુત્ર સંશોધિત વેક્સીન માટે રાષ્ટ્રીય ફંડ યોજનાનું સત્વરે લોકાર્પણ કરવામાં આવશે.–

(8)     ભારતના ભવ્ય આધ્યાત્મિક ઇતિહાસ ' જગત મિથ્યા– બ્રહ્મ સત્ય' રચિત મોડેલનું આધુનિકરણ કરાવવામાં આવશે. સાથે સાથે પેલા પશ્ચીમી વિચારક કાર્લ માર્કસના ભૌતીકવાદી ઐતીહાસીક અર્થઘટનના કહેવાતા સત્ય 'માનવજાતનો ઇતિહાસ તે વર્ગીય હિતોનો સંઘર્ષ છે' તેને તો અમે અમારા મશીન ચિપ્સમાં સ્થાન આપ્યું જ નથી. फिर न रहेगा बांस और न बजेगी बांसुरी.

(9)     અમારા મશીનમાં આધુનિક વિજ્ઞાનના પ્રણેતાઓ જેવા કે ગેલેલીયો,ન્યુટન, ડાર્વીન, સિગમંડ ફ્રોઇડ, આઇનસ્ટાઇન ને છેલ્લે સ્ટીફન હોકીંગ્સની તમામ વૈજ્ઞાનીક શોધોને સામુહિક લોક કલ્યાણ માટે વર્જય  જાહેર કરવામાં આવી છે.

(10) પરંતુ મશીનની ચીપ્સ કપુર–કાચલી, નાડાછડી, અબીલ–ગુલાલ જેવા કેમીકલ તત્વોના ઉપયોગથી પેદા થતા ચમત્કારોથી સેન્સેટીવ છે.

(11) મશીન ચીપ્સના તમામ વિજાણુ– માપદંડોની રચના હિંદુધર્મ માટે માણસ છે, માણસ માટે હિંદુધર્મ નથી તેને બરાબર ખ્યાલમાં રાખીને રચના કરવામાં આવી છે.

(12)હિંદુધર્મમાં જન્મેલ માણસ ગમેતે ચાર વર્ણમાંથી ગમે તે એક વર્ણમાં કર્મના સિધ્ધાંત પ્રમાણે જન્મે છે.  દરેક વર્ણોમાં જન્મેલ માનવીએ, તેની વર્ણમાં નક્કી કરેલા કર્મો પ્રમાણે જ પોતાનું જીવન જીવવું પડે. તો જ તે મશીન ચીપ્સમાં મુકેલ ખાસ ચીપ્સ દ્રારા નક્કી કરેલ 'કર્મ યોગી' નું પ્રમાણપત્ર તેને પ્રાપ્ત થાય! જે મૃત્યુ પછી ઉપલી વર્ણમાં નવો જન્મ લેવા માટેની લાયકાત ગણાય!.

(13)મશીન ચીપ્સનો ભારતના તમામ મનુસ્મૃતિ આધારીત દલીતો, આદીવાસીઓ ને સ્રીઓ માટે આ જન્મમાં 'કર્મયોગી' બનીને પ્રમાણપત્ર લેવા 'નિષ્કામ કર્મ સ્થિતપ્રજ્ઞ' સ્થિતીમાં કર્યા કરો તે જ ક્રાંતિકારી સંદેશ છે.

 

--

Friday, April 7, 2023

હૈ! ભારત દેશના સત્તાધારીઓ!


હૈ! ભારત દેશના સત્તાધારીઓ!
તમે નાગરિકોના અભિવ્યક્તી અને અખબારી સ્વાતંત્રય પર રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને નિયંત્રણ મુકી શકો નહી. તમે બધા તો પ્રજા સમક્ષ બંધારણીય મુલ્યોના શપથ લઇને સત્તા ગ્રહણ કરો છો. દેશના નાગરિકો સાથે તમે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે કરાર કર્યો છે કે તમે બધા રાજ્યનું સંચાલન બંધારણીય મુલ્યો આધારિત નાગરિકોના કલ્યાણ માટે કરશો.
ગઇકાલની સર્વોચ્ચ અદાલતની મુખ્ય ન્યાયાધીશ માનનીય શ્રી ડી.વાય. ચંદ્રચુડ સાહેબની નિગરાણી નીચેની બેન્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા ગૃહમંત્રાલયને સીધો આક્ષેપ કર્યો કે શું તમારો રાષ્ટ્રીય સુરક્ષા'નો દાવો કોઇ તઘલઘી કે શેખચલ્લીના તુક્કાનો બનેલો છે? (National security claims cannot be made out of thin air, says CJI Bench). શું તમોને, સરકારી સત્તાધીશોને અભિવ્યક્તિના સ્વાતંત્રયના અધિકારનું કોઇ મુલ્ય જ નથી? તે અધિકાર પ્રત્યે લેશમાત્ર લાગણી, માન, ગૌરવ છે ખરૂ? તમને ખબર છે ખરી કે તે તો લોકશાહી જીવન પ્રથાના હ્રદયનો ધબકાર છે? માનનીય કોર્ટે સત્તાધીશોના આવા વલણ માટે અંગ્રેજીમાં એક અતિબૌધ્ધીક અને તર્કબધ્ધ પણ મર્મવચન વાપર્યુ છે,'Chilling effect'. સને ૧૮૦૦ની સાલની આસપાસમાં અમેરીકાના બંધારણમાં પ્રથમ સુધારો (The First Amendment) જે કરવામાં આવ્યો છે તે સત્તાધીશોની અભિવ્યક્તી અને અખબારી સ્વાતંત્રયનું ગળુ રૂંધવાની જે સહજ માનસીક વૃત્તીઓ છે તેને એટલે ,'Chilling effect' ને ગેરકાયદેસર જાહેર કરી મંજુર કરવામાં આવ્યો હતો.( Chilling effect is the concept of deterring free speech and association rights protected by the First Amendment as a result of government laws or actions that appear to target expression.)
સદર મર્મવચન વાપરીને પેલા બે મંત્રાલયોના સત્તાધીશોને અને આખરે મોદી સરકારને ન્યાયીક આદેશ કર્યો છે કે તમે રાજ્યસત્તાનું સંચાલન બંધારણીય મુલ્યોના સંરક્ષણ અને વિકાસ માટે કરો, નિયંત્રણ કે વિનાશ માટે નહી.
સત્તાધીશોએ ન્યાયતંત્રની કરોડરજ્જુને કેવી કરી નાંખી છે તેનો પુરાવા માટે આ કેસની વિગતને ટુંકમાં જોઇએ.કેરાલા રાજ્યમાં 'મિડીયા વન' નામની એક મલયાલમ ન્યુઝ ચેનલ છે. તેનું પેલા મોદી સરકારના બે મંત્રાલયો અનુક્રમે માહિતી અને પ્રસારણ અને ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સલામતીના મુદ્દે લાયસન્સ રીન્યુ કરવાની ના પાડી દીધી. કેમ ભાઇ?
કેરલા હાઇકોર્ટને દેશના ગૃહમંત્રાલયે પોતાના જવાબમાં એક 'સીલબંધ કવર' આપ્યું હતું. તે અંગે દલીલ કરવામાં આવી હતી કે કયા રાષ્ટ્રીય સુરક્ષાના કારણસર સરકારે સદર ન્યુઝ ચેનલનું લાયસન્સ રીન્યુ કરેલ નથી તે આ સીલબંધ કવરમાં જણાવ્યું છે. નામદાર હાઇકોર્ટે સીલબંધ કવરમાં શું લખ્યું છે તેની હકીકત પેલી ચેનલના માલિકને જણાવવાની જરૂરત પણ ન લાગી. અને સરકાર કાંઇ ખોટી હોય? ' તુલસીદાસ કહે છે ને કે " સમરથ કો દોષ ન ગોંસાઇ".
આની સામે ' મીડીયા વન' ના વકીલ શ્રી દુષ્યંતભાઇ દવેએ સર્વોચ્ચ અદાલતને જણાવવું પડયું કે આ તો ન્યાયતંત્રની એબીસીડી જેવા સિધ્ધાંત ' કુદરતી ન્યાય'(" Negated the principles of natural justice". )
ની વિરૂધ્ધ છે. ન્યાયતંત્ર ખુલ્લા દરવાજે અને બંને પક્ષકારો વચ્ચે સત્ય, પ્રમાણીકતા અને સમાનતા સિધ્ધાંતથી જ કામ કરે છે. બંધબારણે ને બંધ કવર આધારીત કામ કરવાનું કાર્ય તો ન્યાયની દેવીને ગુંગળાવનારુ જ હોય! (This procedure is violated the principle of an open court and of fairness to parties,")
દીલ્હીના સત્તાધીશોના મનમાં એ ખુંચતું હતું ' કાંટો ચુભતો હતો' કે સદર મિડીયા ચેનલના સમાચારો અને ટીપ્પણીઓ ' સરકાર વિરૂધ્ધની હતી''Anti-establishment' હતી. સરકારની તરફેણની ન હતી. Pro- establishment ન હતી.જાણે કે અખબારી સ્વાતંત્રય અને મિડીયાનું કાર્ય સત્તાના નિર્ણયો અને નીતીઓની ભક્તિ કરવાનું હોય! સરકારી મંત્રાલયોને તો જાણે પેલા બધા પાયાના અધિકારોને લકવાગ્રસ્ત બનાવવા હતા.મોદી સત્તાધીશોના રાજ્યમાં આ બધા અધિકારો મુર્છીત નહી તો કઇ અવસ્થામાં છે?
વધુમાં સર્વોચ્ચ અદાલતે સિલબંધ કવરવાળી પધ્ધતી જાહેર હિત વિરૂધ્ધની છે માટે ગેરકાયદેસર છે એવું પણ જાહેર કરી દીધું છે.રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું કાઢીને સત્તાધીશો દેશના નાગરીકોને કાયદા મુજબ પ્રાપ્ય મુળભુત અધિકારોના ઉપયોગ કરતા અટકાવી શકે નહી. કારણકે દેશમાં હજુ કાયદાનું શાસન( The rule of law). છે કોઇ આપખુદ નેતા કે સર્વસત્તાધીશ રાજ્યવ્યવસ્થાનું( NOT The rule of the man) નહી!
અખબારી જગતનું કામ, ફરજ, પવિત્ર ધંધો લોકો સમક્ષ સત્ય અને નિર્ભેળ સત્ય જણાવવાનું છે. સવારથી સાંજ સુધી એકજ જાતનું સરકારી વાજીંત્ર વગાડવાનું કામ નથી.
સદર ન્યુઝ ચેનલનું લાયસન્સ કેમ રીન્યુ કર્યુ નથી? દેશના ગૃહમંત્રાલયનો સર્વોચ્ચ અદાલતને જવાબ છે તે ચેનલને' જમાતે–ઇસ્લામી– હિંદ સંસ્થા સાથે લિંક છે. તો તમે જમાતે–ઇસ્લામી–હિંદ સંસ્થા પર પ્રતિબંધ મુક્યો છે? ના. તો પછી જે સંસ્થા સરકારને કાયદેસરની લાગે છે તેની સાથે લીંક ધરાવતી સંસ્થાને તમે કેમ લાયસન્સ રીન્યુ કરી આપતા નથી? કારણકે તે ચેનલ કેરાલા રાજ્યમાં અમારી મરજી મજુબનું વાજુ વગાડતી નથી!.વધુમાં સર્વોચ્ચ અદાલતે સરકારને પ્રશ્ન પુછયો કે સદર ચેનલના માલીકોને કોઇ સંબંધ જમાતે– ઇસ્લામી–હિંદ સાથે છે તેવા કોઇ પુરાવા– સાબિતી તમારી પાસે કે તમારી તપાસ એજન્સી પાસે છે? જવાબ ના. છેલ્લા લગભગ અઢીવરસથી આ મલયાલમ ચેનલનું લાયસન્સ રીન્યુ કરેલ નથી. ચાર અઠવાડીયામાં ચાલુ કરવાનો હુકમ મા. સર્વોચ્ચ અદાલતે કર્યો છે.
Congratulation for the Landmark judgement to the honourable Chief Justice Of India & his bench.
--

Wednesday, April 5, 2023

વ્યક્તિગત પરિવર્તનનાવાવઝોડા સામે વડીલોનો ગરાશ લુંટાઇ જાય તેનું શું?


વ્યક્તિગત પરિવર્તનના વાવઝોડા સામે વડીલોનો ગરાશ લુંટાઇ જાય તેનું શું?

માટે અમારો સમાજ સર્વાનુમતે ઠરાવે છે કે–

(1)       આવતી કાલથી આપણા સમાજના કુટુંબના કોઇપણ સભ્યના જન્મ દિવસે 'બર્થ ડે કેક' કાપવા પર પ્રતિબંધ છે.

(2)       સમાજના યુવાનોની ' ફેશનેબલ દાઢી' રાખવા પર પ્રતિબંધ છે. ઉલ્લંઘન માટે ફક્ત ૫૧૦૦૦/ દંડ. ક્લિન શેવ રાખવાથી જ તમે સમાજના સભ્ય છો કે નહી તે પહેચાન ગણાશે!.

(3)       લગ્નમાં ભોજન કોન્ટ્રાકટ આપી રસોઇ કરવા તેમજ બુફે પિરસવા પ્રતિબંધ.

(4)       લગ્નમાં ડી જે બેન્ડ વિ. પર પ્રતિબંધ– ફક્ત આપણી સંસ્કૃતિનું પ્રતિક  દેશી ઢોલ માન્ય.

(5)       લગ્ન પ્રસંગે વીડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ. 'ફેશનેબલ દાઢી' સિવાય અન્ય પ્રતિબંધો પર દંડની રકમ હજુ જાહેર કરવામાં આવી નથી.

(6)       સ્વજનના મૃત્યુ પછી 'અફીણ' ના ઉપયોગ પર પ્રતિબંધ. ઉલ્લંઘન કરનારને એક લાખનો દંડ.

(7)       આવા કુલ ૨૦ સુધારા સમાજની પ્રગતી માટે પસાર કરવામાં આવ્યા છે!

(8)       બનાસકાંઠા જીલ્લામાં આવેલ ધાનેરા તાલુકાના ચૌધરી સમાજના ૫૪ ગામોના જુથના વડા શ્રી રાયમલભાઇ ચૌધરીએ ઇન્ડીયન એકપ્રેસને ઉપર મુજબની માહિતી આપી હતી. હવે અમે સમુહ લગ્નોનું આયોજન કરવા માંગીએ છીએ!

(9)       સદર પેપરના આજ ખબરપત્રીને એક વડીલે પોતાનું નામ નહી જણાવવાની શરતે જણાવ્યું હતું કે અમારા સમાજને સમુહ લગ્નો શરૂ કરવા તથા અફીણના ઉપયોગના પ્રતિબંધ એમ બે કાર્યોની ચર્ચા કરવા એકત્ર કરેલો હતો. તેમાં કોઇ અગમ્ય કારણોસર ફટાફટ ઉપરછલ્લી ચર્ચા કરીને સમાજ સુધારાના નામે પેલા બધા ઠરાવો કરાવી લીધા છે! સૌ. ઇ. એક્ષ. તા. ૪–૪– ૨૩. ભાવાનુવાદ.

 

 

--