Friday, July 16, 2021

“ રાજદ્રોહની કલમ ૧૨૪–એ મૃત્યુ દંડ કે ફાંસીની સજાને લાયક છે.

" રાજદ્રોહની કલમ ૧૨૪એ મૃત્યુ દંડ કે ફાંસીની સજાને લાયક છે." સરકારશ્રી તમે ક્યારે તેનો અમલ કરો છો? આજનો ટા.ઇ.તંત્રી લેખ

( " The sedition law deserves a quickly administered death sentence.")

૭૫ વર્ષની સ્વતંત્રતા ભોગવ્યા પછી અને બ્રિટને ગુલામીના વારસામાં આપેલા રાજદ્રોહના કાયદાની કયા કારણોસાર આપણા રાજ્યકર્તાઓને જરૂરત છે? દેશની સર્વોચ્ચ અદાલના વડા આદરણીય ન્યાયમુર્તી શ્રી એન વી રમનાએ મોદી સરકારને કડક શબ્દોમાં જણાવ્યું છે કે તમે  સરકાર તરીકે આ કાયદો નાબુદ કરી નાંખો!

ગઇકાલે સર્વોચ્ચ અદાલત સમક્ષ સરકારના એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટ સમક્ષ ક્બુલ કર્યુ છે કે એ વાત સાચી છે કે રાજદ્રોહના કાયદાનો વર્તમાન સરકારે દુર ઉપયોગ ( Misuse) કર્યો છે. કાયદો રદ બાતલ કરવાને બદલે કેટલાક સુધારા તેમાં સુચવીયે જેથી તેનો દુર ઉપયોગ ન થાય. કોર્ટે  તે વાત સ્વીકારી નહતી.

 અમારે આ કાયદાના મૃત્યુ સિવાય બીજુ ખપે તેમ જ નથી. વર્તમાન સરકારે રાજ્યદ્રોહના કાયદાનો પોતાની સામેના વિરોધી અવાજોને દબાવવા બેફામ ઉપયોગ કર્યો છે. રાજદ્રોહના કાયદોનો સરકારે તો એવો ઉપયોગ કર્યો છે જાણે કોઇ સુથારને કરવતી લઇને  જંગલમાંથી એક લાકડાનો ટુકડો કાપવાની પરવાનગી આપી અને આ  વિશ્વાસઘાતી સુથારે તો આખું જંગલ કાપવા માંડયું છે. દેશમાં કાયદાની આ અસર ઉભી કરી છે. ( There is enormous misuse. The use of sedition is like " giving a saw to the carpenter to cut a piece of wood, and the carpenter uses it to cut the entire forest. This is the effect of the law. સદર લખાણ સ્પેશીઅલ બોક્ષ બનાવીને પહેલા પાને પેપરે મુક્યું છે.) ગુજરાતીમાં એક કહેવત છે કે રાજ્યકર્તાની ચામડી સત્તા મલ્યા પછી મગરની જેવી જાય છે.અને તેથી આ નેતાઓના આંખના આંસુઓ પણ મગરના આંસુ જેવા બની જાય છે. ( The skin of crocodile & tears of crocodiles) બની જાય છે.

આશરે ૬૦ વર્ષો પહેલાં સર્વોચ્ચ અદાલતે ' કેદેારનાથ કેસં' માં રાજદ્રોહ કોને કહેવાય  અને તે નક્કી કરવાના નિયમો પણ નક્કી કર્યા હતા. તેને આ બધી સરકારો ધોઇને પી ગઇ છે. અને મન માન્યું જ કરે છે.

 હવે તો ફક્ત સર્વોચ્ચ અદાલત જ નહી પણ દેશની હાઇકોર્ટો અને જીલ્લા કોર્ટોએ પણ રાજદ્રોહ અને યુએપીએના કેસોમાં સરકાર વિરુધ્ધ ચુકાદા આપવા માંડયા છે. પોલીસતંત્ર બે થી અઢી વર્ષ સુધી એફઆઇઆર કોર્ટમાં દાખલ જ ન કરે. અને આ કાયદાની કલમો બિનજામીનપાત્ર હોવાથી પેલા સેંકડો આરોપીઓ જેલમાં સડયા જ કરે.

 બેંગલોરની રહેવાસી અને વિશ્વભરમાં પર્યાવરણ બચાવ માટેની ચળવળની ૨૨ વર્ષની દિશા રવીને  દિલ્હી પોલીસે તેની સામે રાજદ્રોહ નો કેસ કર્યો હતો. તેને દિલ્હીની  સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતા. નતાશા નરવાલ, દેવાંના કાલીક અને આસીફ ઈકબાલને નાગિરીક સુધારા વિરૂધ્ધ ( CAA) યુ્એપીએ હેઠળ બિનજામીનપાત્ર ગુનો ગણીને એકદ વર્ષથી જેલમાં પુરી રાખ્યા હતા તેને દિલ્હીની હાઇકોર્ટે જામીન પર છુટા કર્યા છે. જે રીતે દિલ્હીના પોલીસ તંત્રે દિલ્હી કોમી દંગામાં કાયદાકીય કામોમાં અગણીત અને અક્ષમ્ય બેદરકારી કરી છે  તેની દિલ્હીની સ્થાનીક કોર્ટોએ સખત ટીકાઓ કરી છે.  જે રીતે ફાધરસ્ટેન સ્વામીનું જેલવાસ દરમ્યાન ( Custodian Death)મૃત્યુને ચોક્કસ અટકાવી શકાયું હોત, તેને વિશ્વભરના નાગરિક સ્વતંત્રતા પરિબળોએ સખત ટીકા કરી ને ભારતમાં ' સીવીલ લીબરટીઝં ' ના ક્ષેત્રે જે સ્થિતી દેશમાં પ્રવર્તમાન છે તેની ચિંતા કરી છે. દેશની લોકશાહી પ્રથાના ભવિષય અંગે પ્રશ્ન ચિન્હ મુક્યું છે. તંત્રીએ દેશના ન્યાયાધીશોને ખાસ વિનંતી કરી છે કે આપ સૌ ની પાસે જ્યારે નાગરિક સ્વતંત્રતાને  ' સીવીલ લીબર્ટીઝ' ના કેસો આવે તો તે પણ રાજદ્રોહ, યુએપીએ વિ. હોય  ત્યારે મહેરબાની કરીને જામીન આપવામાં મોડું ન કરતા તેટલો બોધપાઠ આપણને સૌને ફાધર  સ્ટેન સ્વામીનું અપમૃત્યુ આપી જાય છે. તંત્રીના મતે રાજદ્રોહની કલમ ૧૨૪એ નું બને તેટલું ઝડપની વહીવટી સરકાર દ્રારા મૃત્યુ થઇ જાય તે ખુબજ આવકાર્ય છે.  


--

Monday, July 12, 2021

સાહેબ, દેશને અંબાણી, અદાણી, ટાટા.અને બિરલાની સાથે સાથે વધુને વધુ ‘ અમુલ‘ ની પણ જરૂરીયાત છે.


India needs many more Amuls alongside the Ambanis, Adanis and Tatas.& Birlas etc.

માનનીય સહકારમંત્રી શ્રી અમીતભાઇ શાહ,

દેશના અર્થતંત્ર માટે આપના સંચાલનમાં નવું વહીવટી ખાતુ ' સહકાર મંત્રાલય'  નાગરિક અને સમાજ પરિવર્તનનું ક્રાંતિકારી એકમ બની રહે તેવી શુભેચ્છા સાથે અભિનંદન.

 સાહેબ, દેશને અંબાણી, અદાણી, ટાટા.અને બિરલાની સાથે સાથે વધુને વધુ ' અમુલ' ની પણ જરૂરીયાત છે. ઔધ્યોગીક સમાજે કૃષી અર્થતંત્રમાંથી વિકસીને સાટા પધ્ધતિવાળા (Barter Economy) અર્થતંત્રને છોડી દઇને નાણાંકીય મુલ્ય આધારીત વિનિમય–અર્થતંત્ર (Money based Exchange Economy) વિકસાવ્યું છે. પણ તેનાથી માનવજાતની આર્થીક વિકાસની ગાડી  ઉંધેપાટે ચડી ગઇ છે.

            પંદરમી સોળમી સદી પછી ઓધ્યોગીક સમાજે એક એવું આર્થીક મોડેલ વિકસાવ્યું જેને આપણે 'મુડીવાદી મોડેલ' તરીકે ઓળખીયે છીએ. મુડીવાદી મોડેલમાં જેના હાથમાં ' ઉત્પાદનના સાધનોની માલીકી' ( Means of Production owned by Capitalist) તેના હાથમાં તમામ ખાનગી ઔધ્યોગીક એકમોનો નફો. કુલ ઉત્પાદન ખર્ચમાંથી મશીન, જમીન, કે મુડી જેવા નિર્જીવ ઉત્પાદનના સાધનો શ્રમજીવીના શ્રમ ( Labour Power) વિના ચોખ્ખો નફો ( Surplus-Capital known as profit) પેદા કરી શકતા નથી. પણ તે નફાની માલીકી જે શ્રમજીવી નફો ઉત્પન્ન કરે છે તેની હોવાને બદલે પેલા ઉત્પાદનના સાધનોના માલીકની બની જાય છે. પેલા શ્રમજીવીને કલાક પ્રમાણે કેટલાય સંઘર્ષો પછી જીવન–વેતન(Living wage) પરાણે મલી રહે છે. નફાનું મુડીના માલીકના હાથમાં કેન્દ્રીકરણ એવી આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ કરાવે છે કે તે આર્થીક, સામાજીક, રાજકીય સત્તાઓ અને ન્યાયતંત્ર સહીતનો પોતાના મુડીવાદી હિતોને ટકાવી રાખવા અને વિકસાવવા સરળતાથી ઉપયોગ કરી શકે છે. મુડીવાદ, આર્થીક સત્તાનું કેન્દ્રીકરણ વ્યક્તીગત અને સામુહીક ધોરણે મુડી–સંપત્તીની અસમાન વહેંચણી કરીને સામજીક રીતે અસમાન સમાજનું નિર્માણ કરે છે. મુડીવાદી અર્થતંત્રે માનવ કલ્યાણ વિરોધી બે પરિબળો પેદા કર્યા છે. એક અકરાંતીયો ઉપભોગક્તાવાદ અને બે નફાનો વધુ સંપત્તી પેદા કરવા અને આર્થીક સત્તાના કેન્દ્રીકરણ માટે ઉપયોગ. પરિણામ સ્વરૂપે માનવ સર્જીત નૈતીકતાના તમામ મુલ્યોનો મુડીવાદી વ્યવસ્થાએ હ્રાસ કરી નાંખ્યો છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ખાનગી મુડીવાદી અર્થતંત્ર અને રાજ્યસંચાલીત મુડીવાદી અર્થતંત્રના હિતો સામાન્ય નાગરોકોના હિતો વિરોધી જ હોય છે.

આમાંથી નાગરીકને મુક્ત કરવા 'સહકારી અર્થતંત્ર' અસ્તીત્વમાં આવેલ છે. અહીંયાં આર્થીક પ્રવૃત્તીની માલીકી સહકારી સભ્યોમાં વહેચાઇ ગઇ હોય છે. ઉત્પાદન અને નફાની વહેંચણી પણ સેંકડો સભ્યો વચ્ચે વહેંચાઇ જાય છે. સહકારી મંડળી પોતાના સભ્યોના અન્ય કલ્યાણો અંગે પણ  સભાન છે. મંડળીનો સભાસદ જે ખરેખર પ્રાથમીક ઉત્પાદક છે તેનું ઉત્પાદન કેમ વધે તેની ગંભીર ચિંતા મંડળી અને તેનું સંચાલક મંડળ  સતત કરે છે. કારણકે તેમાં તમામનું સામુહિક હિત છે. અહીયાં ઉત્પાદનની પ્રક્રીયાના તમામ નિર્ણયોમાં સભ્યોની ભાગીદારી હોય છે. નફાથી માંડીને સંચાલન સુધીના તમામ નિર્ણયોમાં કેન્દ્રીકરણ ને બદલે વિકેન્દ્રકરણ હોય છે. નિર્ણયો અને નફાનું કેન્દ્રીકરણ સમાજમાં અસમાનતા અને સત્તાના કેન્દ્રીકરણને જન્મ આપે છે. નિર્ણયો અને નફામાં સભાસદોની ભાગીદારી અને વહેંચણી સમાન હિતો વાળો સત્તાના વિકેન્દ્રકરણવાળો સમાજ પેદા કરે છે.  આ અમુલ મોડેલ છે. સભાસદોની આર્થીક હિતોનું વિકેન્દ્રીકરણ લાંબાગાળે રાજકીય હિતોના વિકેન્દ્રીકરણ વાળો સમાજ બનવાની ક્ષમતા ધરાવે છે. "Distribution of income & profit to people generates economic power to people. Sooner or later it converts in to political power. This is people's empowerment."

ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ વિ. રાજ્યોમાં દુધ, કપાસ, શેરડી મગફળી,શાકભાજી વિ. ખેતપેદાશોનું ઉત્પાદન અને વહેંચણી સહકારી ધારણે થાય છે. આ ઉપરાંત ગ્રાહક સહકારી મંડળો,ગૃહમંડળીઓ, ખાતર, બિયારણ,ધિરાણ બેંકો, ખનીજ ઉત્પાદનની પેદાશો કરનાર સભ્યો વિ ની સહકારી મંડળીઓ દેશમાં છે.

સહકારીઅર્થતંત્રની સફળતા પોતાના સંચાલકોની ઉચ્ચ નૈતીક સદગુણો પર આધારીત છે. જેમ લોકશાહી રાજ્યવ્યવસ્થા રાજકીય લોકભાગીદારીનું સાચા અર્થમાં એકમ છે. તેવી જ રીતે વિકેન્દ્રીત અર્થકારણ (સમાજવાદ) તે આર્થીક લોકભાગીદારીનું એકમ છે. બંનેમાં ખાનગી મુડીવાદ અને રાજ્યમુડીવાદના સત્તાના કેન્દ્રીકરણ સામે લોકસશકતીકરણની વ્યાપક ગુજાશ છે. આજને તબક્કે દેશમાં સહકારી પ્રવૃત્તી કાંતો થોડાક કુટુંબોની માલીકી કે રાજકીય સત્તાના સાઠમારીના કેન્દ્રો બની ગયા છે. વોટબેંકના રાજકારણથી આ ક્ષેત્ર પણ બાકાત નથી.

 પશ્ચીમી સમાજમાં સહકારી અર્થતંત્રનો વિકાસ મુડીવાદે સર્જન કરેલી તમામ પ્રકારની અસમાનતા,શોષણ, અરાજકતા અને ફાસીવાદી રાજકીય સત્તા સામે સમજપુર્વકના વિકલ્પ તરીકે થયો છે. આ બધા રાષ્ટ્રોમાં નાગરીકોની માથાદીડ આવક અને શૈક્ષણિક સ્તર બંને ઘણુ ઉચ્ચ છે. આપણે ત્યાં ગાડાની આગળ બળદ જોડીને ચાલવા જેવું છે.( Putting the horse before the cart). મોદીજીના નવાપ્રધાન મંડળમાં ગૃહમંત્રીને સહકાર ખાતું આપવાના નિર્ણયમાં લોકોને આશા કરતાં ચિંતા વધારે એટલા માટે લાગે છે કે  કેટલાક રાજ્યોમાં રાજકીય સત્તા સહકારી ક્ષેત્રમાંથી વહે છે. તે સત્તાના શતરંજમાં આપણા શાહ સાહેબ સફળતા પુર્વક માહેર સાબિત થયેલા છે. બાકી આ સહકારી ક્ષેત્રનું ભવિષ્ય બતાવશે.


--

Saturday, July 10, 2021

મોદિજીના પ્રધાન મંડળની કેટલીક વિશીસ્ટ લાયકાતો.


મોદીજીના નવા પ્રધાન મંડળની કેટલીક વિશિષ્ટ લાયકતો–

( 1)  કાયદા મુજબ કુલ પ્રધાનોની સંખ્યાની ૮૧રાખી શકાય છે. મોદીજીના પ્રધાન મંડળમાં તે સંખ્યા ૭૮ છે.

(2)  એસોસીયેશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મ સંસ્થાના આંકડા પ્રમાણે કુલ ૭૮પ્રધાનોમાંથી ૩૩પ્રધાનો (૪૨ ટકા) સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. તેમાંથી ૨૪ પ્રધાનો સામે ગંભીર ગુનાઓ જેવા કે ખુન, ખુન કરવાનો પ્રયત્ન ને લુંટમાં સંડોવયેલા છે.(Of these 78, however, as many as 33 ministers (42%) have criminal cases against them. Of these, 24 have serious ones related to murder, attempt to murder and robbery, a report published by poll rights group Association for Democratic Reforms (ADR) stated.)

(3) નવા પ્રધાનોની શૈક્ષણીક લાયકાતો– બે પ્રધાનો ધો. ૮ પાસ છે, ત્રણ ૧૦ ધો. પાસ છે, ૭ પ્રધાનો ધો. ૧૨ પાસ છે. પણ ૯ પ્રધાનો પીએચડી, ૨૧ પ્રધાનો પોસ્ટગ્રેજ્યુએટ અને ૧૭ પ્રધાનો ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ ગ્રેજયુએટ છે.

(૪)  ૭૮ પ્રધાનોમાંથી ૭૦ પ્રધાનો કરોડપતી છે. તેમાંથી જ્યોતીરાવ સિંધીયાની સંપત્તી ૩૭૯ કરોડ,પિયુષ ગોહેલની સંપત્તી ૯૫ કરોડ, નારાયણ રાને ૮૭ કરોડની સંપત્તી,અને રાજીવ ચંદ્રશેખરની ૬૬ કરોડની સંપત્તી છે.

(૫) ત્રિપુરામાંથી ચુંટાઇને આવેલ કેબીનેટ મંત્રી પ્રતિમા ભૌમીકની સંપત્તી ફક્ત ૬ લાખ છે, પશ્ચીમબંગાળનાજ્હોન બર્લાની ૧૪લાખ,રાજસ્થાનના કૈલાષ ચૌધરીની ૨૪લાખ, ઓડિસાના બિશેશ્વર તેડુ તધા મહારાષ્ટ્રના વી. મુરલીધરનની સંપતી બંનેની ૨૭ લાખ છે.  ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ તા. ૧૦–૦૭–૨૧.)

 

 

 

 

 

 


--

Thursday, July 8, 2021

પ્યુ રીસર્ચ સેન્ટરનું માનવવાદી મુલ્યો આધારીત મુલ્યાંકન

ચલો! ભારતનું (અમેરીકન પ્યુ રિસર્ચ સેન્ટરના સંશોધનોની મદદથી) માનવવાદી–રેશનલ અભિગમથી મુલ્યાંકન કરીએ.

" ભારત એક અસહિષ્ણુ, અલગતાવાદી, રૂઢીચુસ્ત, ધર્મઆધારીત એકહથ્થુ સત્તાવાદની તરફેણ કરનારો બંધીયાર દેશ છે."

(1) આપણો દેશ હજુ સર આઇઝેક ન્યુટન( ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધનાર) પહેલાના સમાજમાં( Pre Newtonian Society) જીવે છે. ભૌતીક વૈજ્ઞાનીક ન્યુટન ૧૭ – ૧૮મી સદીમાં થઇ ગયો. ન્યુટન પહેલાના વિશ્વને રૂઢીચુસ્ત, અવૈજ્ઞાનીક અને ધાર્મીકસત્તા આધારીત સંચાલન થતા રાષ્ટ્રોના વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. પ્યુ સંશોધન પ્રમાણે આપણા દેશના તમામ ધાર્મિક ફિરકાઓની પ્રજા નસીબવાદી, પાપ–પુન્યમાં માનનારી અને પુર્નજન્મમાં માનનારી છે. તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ બિલકુલ નથી. ગંગાનદીમાં સ્નાન કરવાથી પુન્ય મલે, પાપ ધોવાઇ જાય તેવી અંધશ્રધ્ધામાં જીવે છે. કર્મનો સિધ્ધાંત અને વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક ભેદભાવ( Social Discrimination)માં માને છે. પશ્ચીમી જગતના સંશોધકો પ્રમાણે વિશ્વ અને ખાસ કરીને પશ્ચીમના દેશો નિરઇશ્વરવાદી ઝડપથી બનાતા જાય છે. જ્યારે ભારતમાં ધાર્મીકતાનું પ્રમાણ છેલ્લા દસકાથી કુદકે અને ભુસકે વધી રહ્યું છે.

(2)  વિશ્વના લોકશાહી દેશોમાં ધર્મ અને રાજ્ય વચ્ચે સંપુર્ણ વિયોજન ( Complete Separation)માટેના બંધારણીય સુધારા અને ચળવળો ચાલી રહી છે. જ્યારે આ સર્વે મુજબ દેશના ૬૪ હિંદુ માને છે કે અમારે હિંદુરાષ્ટ્રવાદ જોઇએ. અને તે પ્રમાણેનું બંધારણ જોઇએ. ધર્મનું ખાસ કરીને હિંદુધર્મનું પ્રભુત્વ રાજ્યના સંચાલનમાં હોવું જ જોઇએ.

(3) આંતરધાર્મીક અને આંતરજ્ઞાતીય લગ્નોની વિરૂધ્ધ તમામ ધર્મોના ૬૦ ટકા થી વધુ વડીલો છે. આ બધા જ ધર્મોવાળા અરસપરસમાં પડોશી તરીકે પોતાના ધર્મવાળાઓ જ હોવા જોઇએ તે સ્પષ્ટ પ્રમાણે જણાવ્યું છે.માટે બીજેપી –આર એસ એસ સંચાલિત 'લવજેહાદ' એક રાજકીય સત્તાલક્ષી સ્ટંટથી વધારે કાંઇ નથી. પરદેશમાં ખાસ કરીને પશ્ચીમના દેશોમાં એશીયાઇ અને ખાસ કરીને અમેરીકન ઇન્ડીયન (હિંદુઅને મુસ્લીમ) મા–બાપોના યુવાન દીકરા– દીકરીઓ કયા ધર્મના કે ધર્મવિહિન પોતાના પાર્ટનર નક્કી કરે છે તે જાણવાનો પણ તેમના વડીલોને અધિકાર નથી. " Daddy, it is not your problem?".

(4)  ધર્મ આધારીત ખાવાપીવાની ટેવોનું સ્પષ્ટ વિભાજન આપણા દેશમાં જે પ્રમાણે છે તેવું ભાગ્યે જ બીજા કોઇ દેશોમાં જોવા મલશે. અમેરીકન ઇન્ડીયનની ત્યાં જન્મેલી બીજી જ યુવાન પેઢી ખુબજ સરળતાથી 'બીફ અને ટર્કી બર્ડ' મીટ ખાનારી અને વાઇન– ડાઇન–ડાન્સ–ડેટીંગ કરનારી સરળતાથી બની ગઇ છે. ત્યાંના દેશી વડીલો ( NRI)  પોતાના યુવાન દિકરા– દિકરીઓ માટે 'ભાણે ખપતા' ઇન્ડીયન ઓરીજન' ( જેમાં બંગાળી, સાઉથ ઇન્ડીયન, પંજાબી પણ નોન શીખ, તેલુગુ, ઓરીયા, આસામીઝ) ચાલશે,ફાવશે વાળા થઇ ગયા છે.

(5)  આ સર્વે પ્રમાણે આપણો દેશ એક ધાર્મીક દેશ જ છે. લોકશાહી મુલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનીક અનુભવ આધારીત વ્યક્તીગત જીવન જીવનારો દેશ નથી. આપણા દેશની જીવન પ્રણાલી લોકશાહી નથી ( It is undemocratic way of life). ભલે તેમાં ધાર્મીકતા આધારીત વિવિધતા હોય પરંતુ તે વિવિધતા સાથે  એકબીજા ધાર્મિક અને સામાજીક સમુહોનો આંતરવ્યવહાર અસહિસ્ણુ, તિરસ્કારથી ભરેલો , ધિક્કારમય અને અલગતાવાદી હોય છે. 'રાષ્ટ્રની ઓળખ એટલે હિંદુત્વ' અમારે જોઇએ બિનશરતી એકહથ્થુ સત્તાવાદ જ્યાં સત્તાનું સંપુર્ણ કેન્દ્રીકરણ થયેલું હોવું જોઇએ.

(6)  શું આપણો દેશ આ માનવમુલ્યો વિરોધી અને તેથી લોકશાહી જીવન પધ્ધતી વિરોધી પરિબળોનો ભોગ બની જશે? કે તેમાંથી બહાર નીકળી શકશે ખરો? વિશ્વના લોકશાહી દેશોમાં તેનો જવાબ પ્રજાએ શોધી કાઢયો છે. આપણી પ્રજાને કદાચ ઇશ્વર હશે તો બચાવશે!

(7) સદર રિપોર્ટને આધારે આપણા માનવવાદી– રેશનલ પડકારો !

(અ) આપણી ઓળખ સમુહવાદી ધાર્મીક છે. દેશના બંધારણમાં લખેલી " We the People of India" ની ઓળખ નથી. બંધારણના ઉદ્દ્શો દેશના નાગરીકોને ધર્મનીરપેક્ષ માનવ બનાવવાનો છે. જ્યારે સમુહવાદી માનસીકતા કાલ્પનીક અસલામત લોકોને ધાર્મીક સલામતી આપે છે.તેમાં આપણું રેશનાલીસ્ટ કાર્ય શું હોઇ શકે?

(બ) અમે ધાર્મીક છીએ. કુદરતને ભજનારા–પુજનારા– અર્ચના કરનારા છીએ. ' थाली बजाके, मशाल जलाके कोरना को भ्गाद्द ने वाले है '. બંધારણમાં આમેજ કરેલ નાગરીકોની ફરજ બજાવતી કલમ ૫૧એચ/એ ' દેશના નાગરીકની ફરજ છે કે તે વૈજ્ઞાનીક મિજાજ– અભિગમ' કેળવશે.' वो क्या चीज हें? हमारा सब दूखोका इलाज गंगामैया हें. સમાજમાં વ્યક્તી આધારીક વૈજ્ઞાનીક અભિગમ કેળવવા આપણી શું વ્યુહ રચના હોઇ શકે?

(ક) સામુહિક ગુલામગારી પછી એ ધર્મ,રાજ્ય,વડિલશાહી,રાજકીય પક્ષ કે તેના નેતાની હોય કે પછી ઇશ્વર કે અલ્લાહની હોય તેમાં સમર્પિત થઇ જવું  કે પોતાની જાતને ન્યોચ્છાવર કરી દેવામાં અમારી સલામતી સદીઓથી પ્રાપ્ત થયેલી છે. સ્વતંત્રતાનો વિચાર જ અમને ભય પેદા કરે છે.( Fear of Freedom is unbearable). કારણકે સ્વતંત્રતામાં જીવન ટકાવી રાખવાની અને વિકાસની જવાબદારી વ્યક્તિગત છે. અમારે આવી સ્વતંત્રતાની જરૂર નથી જે અમારી માનસીક ગુલામી તોડી નાંખે! માનવવાદી– રેશનાલીસ્ટોએ આ પ્રજાને  તર્કવિવેકબુધ્ધી આધારિત સ્વતંત્ર નિર્ણય કરનારો માનવ સમુહ બનાવવાની ક્ષમતા અને સંસાધનો છે? આપડકાર ઉપાડવા આપણે કેટલા કટીબધ્ધ છીએ? (ડ) પ્યુ રીસર્ચ સસંશોધન પ્રમાણે અમે બધા ધાર્મીક ઉપદેશો પ્રમાણે નૈતીક છીએ. તે પ્રમાણે વર્તન કરનારા,જીવનારા છીએ. અમારે દુન્યવી નૈતીકતા ના જોઇએ. દુન્યવી નૈતીકતાનો આધાર માનવીય અરસપરસના સહકારથી પોતાનું અને અન્ય માનવોનું જીવન ટકાવવા માટે જરૂરી છે. ધાર્મીક નૈતીકતા મૃત્યુ પછીના જીવના મોક્ષ અને સ્વર્ગ માટે અનિવાર્ય છે. માનવવાદી અને રેશનાલીસ્ટોની નિરઇશ્વરવાદી નૈતીકતા( Secular Morality) માનવની જૈવીક સંભવીત શક્તીઓના વિકાસ કરી સ્વ સાથે સમષ્ટિના વિકાસમાં છે. આવું સમજવવા અને સમજાવવા માનવવાદી– રેશનાલીસ્ટોની પ્રતિબધ્ધ્તા કેટલી સજ્જ છે?

...............................................The end…………………………………….

 



--

Thursday, July 1, 2021

નિરઇશ્વરવાદી લવજેહાદ– કોને કહેવાય !

 નિરઇશ્વરવાદી લવજેહાદકોને કહેવાય ! 

 પહેલાં આપણે બે અગત્યના શબ્દોના અર્થ સમજીયે.

 નિરઇશ્વરવાદી વ્યક્તિ કોને કહેવાય. 

(1) પ્રથમ તે માનવ સહિત તમામ સજીવને દૈવી કે ઈશ્વરી સર્જનનું પરીણામ છે તે બિલકુલ સ્વીકારતો નથી. તેથી તમામ ધર્મો કે સંપ્રદાયો માનવ સર્જીત જ છે. માનવ હિતો માટે જ તે બધાને પેદા કરવામાં આવ્યા છે.              

(2) પૃથ્વીના જન્મ પહેલાં તેથી માનવીના જન્મ પહેલાં પણ બ્રહ્માંડ હતું. પૃથ્વી અને માનવીના નાશ પછી પણ બ્રહ્માંડ રહેશે.

(3) તમામ કુદરતી ( Nature) પરિબળો જેવાકે સુર્ય, તેના સુર્યમંડળના તમામ ગ્રહો, ઉપરાંત પૃથ્વી પરના તમામ પદાર્થો અને વાતાવરણના તમામ પરિબળો નિયમબધ્ધ અને ભૌતીક છે.. તમામ સજીવ માનવ સહિત બધાજ કુદરતનો એક ભાગ જ હોવાથી તે તમામનું સંચાલન પણ નિયમબધ્ધ છે. ઇશ્વર, દેવ કે નસીબ જેવું કોઇ બાહ્ય પરિબળ આ નિયમબધ્ધતા ( The nature is law governed)માં ખલેલ પહોંચાડી શકે તેમ નથી.. હા, કુદરતી નિયમો માનવ બુધ્ધી કે ગ્નાનથી સમજીને તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થઇ શકે તેમ છે. કુદરતી પરિબળોને ભજવાની કે પુજવાની જરૂર ન હોય!

ઉપર મુજબનો મારો નિરઇશ્વરવાદી અભિગમ છે.

બીજો શબ્દ છે જેહાદ જેને અંગ્રેજીમાં (CRUSADE) તરીકે ઓળખવામાં આવે છે. સદર અંગ્રેજી શબ્દનું ગુજરાતી સ્વીકૂત અનીષટ સામેની ચળવળ કે આંદોલન સરળતાથી સમજવા માટે આપણે કહી શકીએ કે મહંમદ પેગંબર સાહેબની મક્કા સમાજના જુના પુરાણાધાર્મીક ખ્યાલો સામે ફક્ત ૭૦ માણસોને લઇને મદીના તરફ જે હિજરત હતી તેને ચોક્કસ જેહાદ કહી શકીએ.તેમાંય જો કે  હિત તો દુન્યવી ક આર્થીક હતું.  

હવે નિરઇશ્વરવાદી લવ જેહાદના મુદ્દા પર આવીએ. તે એક માનવવાદી વિચારસરણીનો એક અગત્યનો પાયો છે. જેમાં સ્વતંત્રતા એક સર્વોચ્ચ મુલ્ય છે. સને ૧૯૪૮માં સ્થપાયેલ યુનો ના માનવ અધિકાર ઉદ્ઘોષણામાં જાહેર કરેલ છે કે પુખ્ત ઉંમરના વ્યક્તીને પોતાની ઇચ્છા મુજબ લગ્ન કરવાનો અધિકાર છે. આપણો દેશે તેના ટેકામાં સહી સીકકા કરેલ છે.

()  અમારી આ જેહાદમાં ધર્મ, એક કોઇપણ પ્રકારનું નિર્ણાયક પરિબળ નથી. તેમજ તે કોઇ બાધક પણ પરિબળ નથી. બંને પાત્રો પોતાની અંગત ધાર્મીક માન્યતાને પ્રેમ સાથેની અંગત વિકસતી સમજની ઉત્કાતીમાં તેને અપ્રસતુત બનાવી દે છે. લગ્ન સમયે, પછીના કોઇપણ પ્રસંગો કે ઘટનાઓમાં ધર્મ આધારીત કોઇપણ પ્રવૃત્તીઓનું સ્થાન તેમના ઘરના ઝાંપાની બહાર જ હોય છે. તેના ટેકેદારોનું સ્થાન પણ તેમના ઘરના ઝાંપાની અંદર નથી હોતું.

(બ્) પુખ્ત ઉંમરની બે વ્યક્તીઓ, પછી ભલે તે યુવાન સ્રીપુરૂષ હોય , બે પુખ્ત ઉંમરના પુરૂષો હોય કે પછી બે પુખ્ત ઉંમરની સ્રીઓ હોય તેમને સહજીવન જીવવાનો બિનદાસ અધિકાર છે. અને તેના વિરોધીઓને તેમના ઘરના ઝાંપામાં પ્રવેશ નિષેધ છે. અને ન હોય તો કાયદાથી રક્ષણ મળીને પણ હોવો જોઈએ. બીજાના અંગત જિવનમાં ફઇબા બનીને ડોકીયાં (PEEPING) સજ્જન સમાજમાં વર્જ છે.

( ) નિરઇશ્વરવાદીઓનો ઇશ્વર તો ક્યારનો મરી ચુક્યો હોય છે. માટે લગ્ન પછી આવા અધાર્મીક લોકો ભલે પછી તે સ્રી હોય કે પુરૂષ તેમનો કોઇ ધર્મ જ ન હોય તો પછી ધર્માંતર "ક્યા ચીજ હૈ"

()  કદાચ આવું પણ બની શકે ! બે માંથી એક પાત્ર નિરઇશ્વરવાદી હોય અને બીજુ પાત્ર ઇશ્વરમાં માનનારુ પણ હોય . તો પણ તેમાં કોઇએ પોતાની પ્રતીબધ્ધતા છોડવાની કે બીજાને છોડાવવાની બિલકુલ જરૂર નથી. તે ક્ષેત્રને જીવનભર એક ફ્રોજન બોક્ષમાં મુકીને એકબીજાની સ્વતંત્રતા આધારીત માનવીય ગૌરવને મૂલ્ય તરીકે સ્વીકારીને પણ જીવન જીવી શકાય. અને તમારી માફક તમારા બાળકોને એમને રીતે સ્વતંત્ર રીતે નિર્ણય કરવાની ટેવ પાડો. તેમાં તેમના ભુલ કરવાના અધિકારનું પણ સહજતાથી સ્વીકાર કરો. પેલા ઇશ્વર શ્રધ્ધાળુને  કયા ધર્મમાં ધર્માંતર કરાવવાનુ?તેના સાથીને તો જયાં કોઇ ધર્મ જ નથી. !

() આંતરજાતીય, આંતરધાર્મીક, આંતરરાષટીય જેવા શબ્દો અને વ્યવહારો અમારી માનવવાદની ડીક્ષનેરીમાં છે જ નહી. માનવવાદી સાચા અર્થમાં વૈશ્વીક છે. માટે પ્રેમ લગ્ન કરનારે પોતાના કોઇ ધર્મો કે માન્યતાઓ  છોડવાની જરૂર બિલકુલ નથી. તેવીજ રીતે પ્રેમલગ્ન માટે સામા પાત્રનો ધર્મ પણ સ્વીકારવાની જરૂર નથી. તમે કોને પ્રેમ કરો છો? તમારા પ્રેમી કે પ્રેમીકાને, તેના કુટુંબને કે તેના ધર્મ અને રૂઢીઓને?  પ્રેમને કોઇ પણ દુન્યવી બંધનો અસ્વીકાર્ય છે તેવો તેનો ઇતીહાસ છે. જે ક્ષણે બંધનો સ્વીકાર્ય બને તે ક્ષણો તમારો પ્રેમ મૃત્યુ પામ્યો તેમ જ સમજી લેવાનું.

(ફ) પુખ્ત ઉમરની વ્યક્તીને કાયદો તેના તમામ નિર્ણય માટે જવાબદાર ગણે છે. તો પછી પુખ્ત ઉમરની વ્યક્તી ગમે તે કારણોસર ધર્મપરિવર્તન કરે તો તેને કઇ રીતે કાયદો તેને ગેરકાયદેસર ઠરાવી શકે? જો કાયદો પુખ્ત ઉંમરની વ્યક્તીને. જે વિધર્મી સાથે લગ્ન કરવાની ના પાડી શકતો ન હોય તો તે જ વિધર્મીનો ધર્મ સ્વીકારવાની ના કેવી રીતે પાડી શકે્?


--