Saturday, September 25, 2021

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન– ગુજરાત–આયોજીત “ માનવવાદ” HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશનગુજરાતઆયોજીત

 " માનવવાદ" HUMANISM અંગે ત્રીમાસીક અભ્યાસક્રમ.

સુચીત વિષયોની યાદીમાનવવાદ શું છે?

()માનવવાદી વિચારસરણીનો વૈશ્વીક અને ભારતીય ઇતિહાસ, માનવજાતનું મુળ માનવ છે., તે માનવકેન્દ્રી વિચારસરણી છે. માનવ સ્વયંમ જ પોતે જ પોતાના માટે સારુ છું કે ખોટું શું નક્કી કરનારો છે. ( The man is the measure of everything.)

() કુદરત નિયમબધ્ધ છે, માનવી કુદરતનો ભાગ છે માટે તેનું સંચાલન નિયમબધ્ધ છે. અન્ય સજીવોની માફક માનવ જૈવીક ઉત્કાંતીનું સર્જન છે. માનવીય મુલ્યોનું સર્જન અન્ય પ્રાણીઓની માફક જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષમાંથી પેદા થયેલું છે્

() સ્વતંત્રતા, તર્કવિવેકબુધ્ધી અને ધર્મનિરપેક્ષ નૈતીકતા, ત્રણ પાયાના માનવ મુલ્યો છે.

() આ ઉપરાંત, બીજા તમામ સામાજીક, આર્થીક, રાજકીય વિ સમસ્યાઓ  પ્રવાહોનું માનવવાદી વિચારસરણી આધારીત મુલ્યાંકન,

() માનવવાદી ક્રાંતિનું બીજી અન્ય ક્રાંતિઓ જેવી કે ધર્મ આધારીત ક્રાંતિ, લશ્કરી ક્રાંતિ, સામ્યવાદી ક્રાંતિ અને ગાંધીવાદી ક્રાંતિની સરખામણીએ મુલ્યાંકન.

() - માનવવાદ એ તર્ક અને મૂલ્યોઆધારિત વિચારપદ્ધતિ છેજડ, આચારકેન્દ્રી, કોઈ વ્યક્તિ કે પુસ્તકના શબ્દોને આખરી સત્ય ગણતી વિચારધારા નથી.- માનવવાદી વલણ અપનાવવા સામેના પડકારો- ભૂતકાળમાં અને વર્તમાનના સંદર્ભમાં - માનવવાદી હોવું એટલે શું (લક્ષણોની યાદી) અને શું નહીં (લક્ષણોની યાદી).

સુચીત વિષય નિષણાતોની યાદીબીપીન શ્રોફ ભુતપુર્વ પ્રમુખ, (ગુ મુ રે અ).અશ્વીન કારીઆ નિવૃત આચાર્ય લો કોલેજ પાલનપુર, ડૉ.પ્રો.મિહીર દવે (કોમર્સ કોલેજ પાલનપુર,) ડૉ ઉર્વીશ કોઠારી,જાણીતા પત્રકાર,મનિષી જાની લેખક,તથા ફિલ્મ પ્રોડયુસર, અને બીજા.

રજીસ્ટે્શન તથા અન્ય જરૂરી વિગતો

અભ્યાસક્રમની શરૂઆતતા ૨૧૦૨૧ શનિવારગાંધી જન્મજયંતિ.

અભ્યાસક્રમની સમય મર્યાદાપ્રતિ શનિવાર અને રવીવાર નિયમિત સાંજના ૫-૦૦થી ૬૦૦ ઓન લાઇન વેબીનાર કુલ ૨૪ કલાસ ત્રણ માસ.

સદર કોર્સમાં પ્રવેશમાં મેળવવાની અનિવાર્ય લાયકાતો

() શૈક્ષણીક લાયકાત સ્નાતક કે ગ્રેજયુએટ કોઇપણ વિધ્યાશાખાના.

() ઉંમર વર્ષ ૪૦ થી (ફરજીયાત નહી) ઉપર  નહી..

() અભ્યાસ ક્રમને અંતે નિયમ પ્રમાણે કોર્સ પુરો કરનારને સંસ્થા વતી પ્રમાણપત્ર આપવામાં આવશે.

  ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશીયેસન વતી

 ડૉ સુજાત વલી પ્રમુખ (ગોધરા)(99794 22129).

 પિયુષભાઇ જાદુગર એડવોકેટ) ચાંદખેડા અમદાવાદ. (94260 48351 ).

સંપર્ક વ્યક્તીઓડૉ પ્રો. મિહિર દવે (94283 69261) પાલનપુર.

  ડૉ નરેન્દ્ર શાસ્રી 98980 75677 (અમદાવાદ) 

  ડૉ અનીલ પટેલ ( 93278 35215)(ગાંધીનગર).

અને અરૂણ ગાંધી વિધ્યાપીઠ ( 94282 14260) ગાંધીનગર.

 સિધ્ધાર્થ દેગામી, પ્રમુખ. સત્ય શોધક સભા, સુરત

 (94268 06446).

વિધ્યાર્થીઓ તથા અભ્યાસક્રમમાં જોડાવા માટેનો ફોર્મનો નમુનો

 *ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોશિએશન* *આયોજીત માનવવાદી  ONLINE અભ્યાસક્રમનું પ્રવેશ ફોર્મ :*

 

 

(1)વિધ્યાર્થીનું નામ :

 

[English મા  આધાર કાર્ડ મુજબ નામ લખવું]

:

 

 

(2)કાયમી સરનામું :

 

 

 

(3)જન્મ તારીખ :

      

 

(4)વર્તમાન/પૂર્ણ કરેલ કૉલેજના અભ્યાસક્રમનું નામ :

 

(5)કૉલેજ અને સંલગ્ન યુનીવર્સીટીનું નામ :

 

(6)મોબાઇલ નંબર :

 

WhatsApp Number :

 

 

(7)Email  :

 

 

8) વિદ્યાર્થીનો વ્યવસાય/પ્રવૃત્તિ/કાર્યક્ષેત્ર અંગે ટૂંક માં માહિતી  : ( ફરજીયાત નથી)

 

 

 

 

ફોર્મ ભર્યા તારીખ :

 

વિદ્યાર્થીની સહી :

 


--

Thursday, September 2, 2021

“ जिस जगह पैदा हुए, उस जगह निकले दम “

 કાબુલીવાલા ફીલ્મના ગીતની વચ્ચેથી લીધેલી લીટીઓ છે.

जिस जगह पैदा हुए, उस जगह निकले दम "

 માનવી તરીકે મારૂ ઘર કયું? મારૂ રહેઠાણ કયું? મારુ ગામ, રાજ્ય, દેશ, મારો સમાજ, મારી ખાસ સંસ્કૃતી, ધર્મ, વિ શું છે? આ બધી વળગણો શા માટે? આ બધી જંજીરો, બેડીઓ જે માનવ સર્જીત છે તે ૨૧ સદીમાં તો મને ચોક્કસ લાગે છે કે મને હવે તારવાને બદલે ડુબાડવા માટેનું કામ કરે છે.

 હજારો વર્ષો પહેલાં શિકાર યુગમાં અસ્તિત્વ ટકાવી રાખવા બનાવેલી ટોળીઓ કે ટોળાશાહી માનસિકતામાંથી મારી મુક્તિ ક્યારે?

મારી પંજાબી પ્રિય લેખીકા અમૃતા પ્રિતમની એક કવિતા

        " મેરા પતા

આજે મેં મારા ઘરનો નંબર ભુસી નાંખ્યો છે.

અને ગલીને નાકે લગાડેલું ગલીનું નામ દૂર કર્યું છે.

અને દરેક સડકની દિશાનું નામ ભુંસી નાંખ્યું છે.

 પણ જો તમારે મને મળવું જ હોય તો,

દરેક દેશના, દરેક શહેરની, દરેક ગલીનું દરેક બારણું ખખડાવો,

આ એક શાપ છે, એક વરદાન છે.

અને જ્યાં એક સ્વતંત્ર આત્માની ઝલક દેખાય,

 સમજી જજો તે એ મારુ ઘર છે.

(સૌ. પાનુ ૨૦૮, પુસ્તકનું નામરેવન્યુ સ્ટેમ્પ, જીવન કથાઅમૃતા પ્રિતમ)   


--

Serum Vaccinatioon Achievments

સીરમ ઇન્સ્ટી્ટયુટ પૂના( ઇંડીયા)એ વેક્સીન ક્ષેત્રે ઇતીહાસ બનાવી દીધો છે.

આપણા દેશને "કોવીશીલ્ડવેકસીનનો જથ્થો પુરતા પ્રમાણમાં નિયમીત પુરો પાડીને દેશના નાગરીકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે. દેશના નાગરકો, સરકાર અને વિશ્વ માટે ગંભીર ચીંતાનો વિષય હતો કે આશરે ૧૩૫થી ૧૪૦ કરોડની વસ્તીવાળો દેશ કોવીડ૧૯ના હુમલા સામે  કેટલી ઝડપથી આટલી મોટી વસ્તીને આ વાયરસની પકડમાંથી જીવતદાન આપી શકશે?

જેમ એક જમાનામાં ફ્રાંસના નેતા નેપોલીયન બોનાપાર્ટ માટે કહેવત હતી કે તેના શબ્દકોષમાં અશક્ય(Imposssible)શબ્દજ ન હતો. " Everything is possible ". તેવું આપણા દેશમાં વેક્સીનના ક્ષેત્રે ' સીરમે' વૈશ્વીક કક્ષા એ સાબિત કરી બતાવ્યું કે આ કુંપનીમાં તકલીફોને તકોમાં બદલવાની પુરેપુરી ક્ષમતા છે."

સદર કુંપનીના પરાણે આશરે ૪૦ વર્ષની ઉંમરના ચીફ એક્ઝીક્યુટીવ શ્રી આદર પુનાવાલાએ વેક્સીનના ક્ષેત્રે બહુ મોટા આર્ષદ્રષટા (A Great Visionary) છે તે પુરવાર કરી દીધું.  કેવી રીતે?

ભારત સરકારને જાન્યુઆરી૨૦૨૧થી ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં પુરા પાડેલા વેકસીન ડોઝીઝ પરથી સમજવાની કોશીશ કરીએ.

ભારત સરકારે ગઈકાલે જાહેર કર્યુ છે કે ઑગસ્ટના અંત સુધીમાં કુલ ૬૫ કરોડ વેક્સીન ડોઝ નાગરીકોને આપ્યા છે, તેમાંથી ૬૦ કરોડ ડોઝ ફક્ત સીરમ ઇન્સ્ટીટયુટ પુના એ પુરા પાડયા હતા.

*January 2 crore 10 lakh*

February 2 crore 50 lakh

March 4 crore 73 lakh

April 6 crore 25 lakh

May 5 crore 96 lakh

June 9 crore 68 lakh

July 12 crore 37 lakh

*August 16 crore 92 lakh* So far provided to Govt.of India.

સપ્ટેમ્બર માસમાં સરકારને ૨૦ કરોડ વેકસીનના ડોઝ પુરા પાડવાની ક્ષમતા કુંપની ધરાવે છે.

વિશ્વ વ્યાપી વાયરસમાંથી દેશની પ્રજાને મુક્તિનો માર્ગ પુરો પાડનારનું મુલ્ય આપણી સરકાર અને દેશના નાગરીકો કેવી રીતે સમજશે અને બીજાને સમજાવશે.

 


--