Sunday, December 11, 2016

મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા


મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા મને  ઝી–ટીવી ન્યુઝ ચેનલ સામે બળવો કરવાનું કહે છે.– વીશ્વ દીપક. નીવૃત્ત ઝી ટીવી જર્નાલીસ્ટ.

મારી વીવેકબુધ્ધી આધારીત નૈતીકતા મને  ઝી–ટીવી ન્યુઝ ચેનલ સામે બળવો કરવાનું કહે છે.– વીશ્વ દીપક. ઝી ટીવી જર્નાલીસ્ટ.

મારુ રાજીનામું આ દેશના લાખો નહી પણ કરોડો કનૈય્હા અને જવાહરલાલ નહેરૂ યુનીર્વસીટીના બૌધ્ધીક મીજાજથી તૈયાર થયેલા સૌ વીધ્યાર્થીઓને સમર્પીત છે. જે  વૈચારીક સ્વાતંત્રયના સ્વપ્નાસીધ્ધ કરવા સંઘર્ષ કરે છે અને તે માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયારથયા છે.

વીશ્વ દીપકે નીચે મુજબનો પત્ર ઝી ન્યુઝના માલીકોને લખ્યો હતો.

, પ્રીય ઝી ન્યુઝ,

 છેલ્લા એક વર્ષ,ચાર માસ અને ચાર દીવસ પછી મારા માટે તમારી નીતીરીતીઓ સાથે કામ કરવું અશક્ય બની ગયું છે.  ખરેખર મારે ઘણા સમય પહેલાં આ નીર્ણય કરવાની જરૂરત હતી. હવે જો આજે અને આક્ષણે રાજીનામું આપવાનો નીર્ણય ન લઉ તો હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહી.

 મારા માટેનો આ નીર્ણય કોઇ લાગણીવશ થઇને કે ગુસ્સામાં આવીને લીધેલો નીર્ણય નથી. ખુબજ વીચારપુર્વકની ગણતરી કરીને ઠંડા દીમાગ સાથે મેં આ નીર્ણય કર્યો છે. હું માત્ર જર્નાલીસ્ટ નથી. હું આ દેશનો નાગરીક પણ છું. દેશના નામે આંધળી રાષ્ટ્રપ્રેમની લાગણીઓ ખુબજ ગણતરીપુર્વક ફેલાવવામાં આવે છે. ખુબજ આયોજનપુર્વક આ દેશને ગૃહયુધ્ધ ( સીવીલ વોર) તરફ દોરી જવામાં આવે છે. મારી એક ભારતીય નાગરીક અને વ્યવસાયી જર્નાલીસ્ટ તરીકે ફરજ થઇ પડે છે કે  આ ઉદ્દામવાદી રાષ્ટ્રવાદના ઝેરને બને તેટલું ફેલાતું અટકાવવું. હું મારા પ્રયત્નોની મર્યાદાઅને શક્તી કેટલી છે તેની મને બરાબર ખબર છે. તે એક સીમાહીન અને અનંત સમુદ્રને નાના હોડકાને( બોટ) લઇને પસાર કરવાના સાહસની કક્ષાનું જ છે. પણ મારે તેની શરૂઆત તો કરવી જ છે. તેથી આપની સંસ્થામાંથી આ પત્ર લખીને રાજીનામું આપીને મારો વીરોધ દર્શાવું છું. આપણી સંસ્થાએ આ રાષ્ટ્રવાદી ઉન્માદને દેશમાં સળગાવવા માટે જરૂરી બળતણના નાનાં નાનાં લાકડાનો પુરવઠો પુરો પાડયો છે. દીલ્હીમાં આવેલી જવાહરલાલ યુની. ના વીધ્યાર્થીમંડળના પ્રમુખ "કનૈયાકુમાર" ને દેશદ્રોહી જાહેર કરવામાં " ઝી ન્યુઝ ચેનલે" આયોજનપુર્વકનું પ્રોત્સાહન પુરુ પાડયું છે.

મારા આ પત્રને અંગત દુશ્મનાવટ કે રાગદ્રેષનો મુદ્દો બનાવ્યા સીવાય સ્વીકારવા વીનંતી છે.  હું આપને બીજી પણ ચોખવટ કરી લઉં કે આ કોઇ અંગત બાબત નથી. આતો મારી વ્યવસાયી ફરજનો એક ભાગ છે. મારા રાષ્ટ્રપ્રેમ અને સામાજીક સભાનતાનો  ભાગ જ છે. મારે દુ;ખ સાથે લખવું પડે છે કે  હું ઉપર જણાવેલી ત્રણેય બાબતે (૧) વ્યવસાયી ફરજ, (૨) સામાજીક સભાનતા અને (૩) રાષ્ટ્રપ્રેમ ના મુદ્દાઓને ધ્યાનમાં લેતાં, આપની સંસ્થામાં કામ કરતો હોવાને કારણે સતત નીષ્ફળ ગયો છું.

મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી દેશમાં સમાચાર પ્રસાર કરતી ન્યુઝ ચેનલોના ન્યુઝરૂમ્સનેવત્તે ઓછે અંશે કોમવાદી વાતાવરણથી રંગી નાંખવામાં આવ્યા છે. આ બધી ન્યુઝ ચેનલ્સમાં આપણી ન્યુઝ ચેનલ " ઝી ન્યુઝ"નો ફાળો આ બાબતમાં સખત આઘાતજનક છે. (but the situation at our organisation is even more appalling).  હું આવા કડક અને ટીકાત્મક શબ્દો આપણી સંસ્થાના વર્તન અને ફાળા માટે વાપરૂ છું, તેના માટે મને દુ;ખ છે, પણ મારા શબ્દભંડોળમાં મારા વીચારો રજુ કરવા બીજા શબ્દો મને મળતા નથી. આપણી ન્યુઝ ચેનલમાં દરેક સમાચારને મોદીને ધ્યાનમાં રાખીને ( મોદીઝ એન્ગલ) તૈયાર કરવામાં આવે છે. આપણા દરેક સમાચારોના પ્રસારણમાં મોદી સરકારના એજન્ડાને હંમેશાં  યેનકેન પ્રકારે મહત્વ આપવાનો જ રહ્યો છે.

 હું મારી જાતને ગંભીરરીતે પુછુ છુ કે ખરેખર આપણે જર્નાલીસ્ટસ છીએ ખરા? મને  તો સતત અનુભવાય છે કે આપણે સરકારી વાજુ વગાડતા સાધનોથી વધારે કાંઇ નથી. મોદી આ દેશના વડાપ્રધાન છે તેથી તે મારાપણ વડાપ્રાન છે. પણએક જર્નાલીસ્ટ તરીકે હું મારી જાતને મોદીની ભક્તીમાં ઓગાળી શકતો નથી. મારી બૌધ્ધીક સભાનતા કે જાગૃતતા મારી સામેજ બળવો પોકારનારી બની ગઇ છે. મને સતત અહેસાસ થાય છે કે હું આ દ્રષ્ટીએ માનસીકરીતે માંદો પડી ગયો છું.

 આપણે ત્યાં દરેક સમાચારનીવાતની પાછળ એક છુપો એજન્ડાસમાવવામાં આવેલો છે કે મોદી અને તેની સરકાર મહાન છે. અને દરેક ડીબેટ કે ચર્ચાના મુદ્દાપર મોદી વીરોધીઓને કેવી રીતે પાડી દેવા તેના આયોજનપુર્વકના પ્રયત્નો કરવામાં આવે છે. મોદી વીરોધીઓ માટે હુમલા,કે યુધ્ધથી  હલકા શબ્દો અમને માન્ય જ નથી. આ બધુ શું છે? જયારે હું શાંતીથી આ બધા અંગે વીચારું છું તો મને  એમ લાગે છે કે હું ગાંડો તો થઇ ગયો નથીને? ( When I stop and think about it, I feel like I have gone mad.)

શા માટે અમને આટલા બધા અનૈતીક કે નીતીભ્રષ્ટ દુષ્ટ કાર્યો કરનારા બનાવી દેવામાં આવ્યા છે. મેં આપણા દેશની એક સર્વશ્રૈષ્ઠ ' મીડીયા ઇન્સ્ટીટયુટ' કે સ્કુલ ઓફ જર્નાલીઝમમાંથી અભ્યાસ કર્યો છે. અને બીબીસી, આજતક અને જર્મનીની 'ડચસે વેલે' જેવી ભવ્ય અને ગૌરવશાળી અખબારી ન્યુઝ સંસ્થાઓમાં કામ કર્યું છે. અમારી જર્નાલીસ્ટ તરીકેની કારકીર્દીના તમે ચુરેચરા ઉડાવી દીધા છે. આના માટે કોણ જાવાબદાર છે?

 આવીકેટલી બધી વાતો કરૂ? દીલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલ સામે સતત આયોજન અને ગણતરીબધ્ધ ઝુંબેશ ચલાવવામાં આવે છે. પણશા માટે? કેજરીવાલની લોકો માટેની પાયાની સગવડો પુરી પાડતીબીજલી,પાણી ને પ્રદુષણને નીયંત્રણમાં અમલમાં મુકેલી 'ઓડ ઇવન' યોજનાઓ અંગે પણ ઇરાદાપુર્વકના પ્રશ્નો પુછવામાં આવે છે.તમને કેજરીવાલ સામે અસંમત થવાનો અને તેની ટીકા કરવાનો સંપુર્ણ અધીકાર છે. પણ જર્નાલીસ્ટ તરીકે કેજરીવાલનું રાજકીય રીતે ખુન કરવાનો કોઇ અધીકાર નથી. જો હું કેજરીવાલ સામે આયોજનપુર્વક તૈયાર કરવામાં આવેલી 'નેગેટીવ સ્ટોરીઝ' નું લીસ્ટ બનાવું તો તેના ઘણા બધા પાના ભરાય તેમ છે.( If I start compiling a list of negative stories run against Kejriwal, then it will fill several pages.) હું એ જાણવા માંગું છું કે પત્રકારત્વનું મુખ્ય મુલ્ય(વેલ્યુ) આપણા દર્શકો સામે તટસ્થાતા અને પ્રમાણીકતા છે કે કેમ?

દલીત તેજસ્વી અભ્યાસી વીધ્યાર્થી રોહીત વેમુલાના આત્મહત્યાના કેસમાં આનાથી શું જુદુ થયું છે? અમે ટીવી મીડીયાએ પ્રથમ તેને દલીત સ્કોલર તરીકે સંબોધ્યો,પછી દલીત વીધ્યાર્થી ગણાવ્યો ત્યાંસુધીતો ઠીક છે.પરંતુ મીડીયાએ  અખીલ ભારતીય વીધ્યાર્થી પરીષદનાનેતા અને બીજેપીનાના નેતા બંદારૂ દત્તાત્રય, જે બંનેને કારણે  રોહીત વેમુલાને  આપઘાત કરવો પડે તેવી સ્થીતી પેદા થઇ તે મુદ્દે મારા મીડીયાએ સમજપુર્વકનું મોળુ વલણ ઉભું કર્યુ હતું. અને પેલા બે ના તારણહાર બન્યું.

જયારે ઉદય પ્રકાશ અને અન્ય પ્રતીષ્ઠીત લેખકોએ પોતાને સરકાર તરફથી મળેલા એવોર્ડઝ  દેશમાં પેદા થઇ રહેલી અસહીષ્ણુતાની સ્થીતીને કારણે પરત કરવા માંડયા ત્યારે અમે તે બધાની નીષ્ઠા સામે પ્રશ્નો ઉઠાવવા માંડયા હતા. હું તમને ફક્ત ઉદય પ્રકાશની જ વાત કરૂ જેનું સાહીત્ય લાખ્ખો લોકો વાંચે છે. આપણે જે ભાષા બોલીયે છીએ, જેનાથી આપણો રોજબરોજનો જીવનનીર્વાહ ચલાવીએ છીએ તે લોકબોલીનું તેમને ગૌરવ છે. તેઓના સાહીત્યમાં આપણી જીંદગી, તેના સ્વપ્નાઓ અને સંઘર્ષોનું પ્રતીબીબ સતત ધબકતું હોય છે. અમે મીડીયાવાળા તે બધા લોકસ્પંદનોને  એક કાવતરાનો ભાગ હોય તેરીતે ટીવી દર્શકો સામે મુકવાના પ્રયત્નો કરી રહ્યા હતા. તે સમયે હું ખુબજ દુ;ખી થઇ ગયો હતો પણ મેં તે બધુ મુંગે મોંઢે સહન કરી લીધું હતું. ( I was hurt even then, but tolerated it.)

 શા માટે અને ક્યાંસુધી મારા મનની આવી સ્થીતી ચલાવી લઉ?( But now how long should I do it – and why?) આ બધાને કારણે હું રાત્રે સારી રીતે ઉંઘી શકતો નથી. હું અસ્વસ્થ અને બેચેન થઇ ગયો છું, મારે, તમારી ન્યુઝ કુપંની સાથે જે કામો કરવા પડયા છે તેનાથી પેદા થયેલ મારૂ ગુનાહીત માનસ મને ચેનથી જીવવા દેતું નથી. કોઇપણ વ્યક્તીને આ કારણે કલંકીત, ભ્રષ્ટ,વીશ્વાસઘાતી કે દેશદ્રોહી જાહેર કરીને  સહેલાઇથીબેચેન કે અસ્વસ્થ બનાવી શકાય છે. આપણને જર્નાલીસ્ટ તરીકે કોણે અધીકાર આપ્યો છે કે આપણે બીજાને દેશદ્રોહી તરીકેનું સર્ટીફીકેટ અને ડીગ્રી આપી શકીએ? શું ખરેખર આ ન્યાયીક કાર્યક્ષેત્ર આપણું છે કે કોર્ટનું?

કનૈયાની સાથે આપણે બીજા ઘણા બધા વીધ્યાર્થીઓને દેશના નાગરીકો સમક્ષ દેશદ્રોહી કે રાષ્ટ્રવીરોધી બતાવી દીધા. આમાંથી કોઇનું આવતી કાલે ખુન થાય તો કોની જવાબદારી? તમને ખબર છે ખરી કે આપણે ફક્ત કોઇના ખુન કરવા માટે કે કેટલાક કુટુંબોનો નાશ કરવા આવી સ્થીતી પેદા નથી કરી: પણ આપણા કાર્યો અને નીતીરીતીઓથી દેશમાં કોમીદંગા ફસાદ અને આંતરીક ગૃહયુધ્ધ પેદા થાય તેવી પાકટ સ્થીતી ઉભી થાય તેવા વાતવરણનું સર્જન કર્યું છે. આપણો આ કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? આ આપણું કેવા પ્રકારનું પત્રકારત્વ ( જર્નાલીઝમ ) છે? શું આપણે " ઝી ન્યુઝવાળા" બીજેપી અને આર એસ એસની કઠપુતલીઓ છે? તે બધા જેમ નચાવે તેમ આપણે નાચવાવાળા છીએ? આપણા( ડોકટર્ડ) બનાવટી વીડીયોમાં ક્યાંય " પાકીસ્તાન ઝીંદાબાદ" જેવું સુત્ર બોલાતું કે સંભળાતું અનેદેખાતું નથી. તેમ છતાં આપણે સતત ઝી ટીવી પરથી આવું ગાંડપણ અને હીંસા ફાટી નીકળે તેવા સમાચારો ફેલાવતા રહ્યા છીએ. વીડીયોમાં અંધારામાંથી આવતા અવાજોને કોણ માનશે કે તે કનૈયા અને તેના સાથીદારોના જ હતા? આપણા પુર્વગ્રહીત વલણોને કારણે આપણે " લોંગ લીવ ઇન્ડીયન કોર્ટને બદલે ; લોંગલીવ પાકીસ્તાન" સાંભળ્યું.અને લોકોને જણાવ્યું! આ સરકારી લાઇન પર ચાલવાથી શું અને કેવા કેવાપરીણામ આવશે તેની આપ સૌને ખબર છે ખરી? કેટલાય વીધ્યાર્થીઓની આશાસ્પદ કારકીર્દીઓ, આશાઓ અને અરમાનો અને તે બધાના કુટુંબોને કાયમ માટે સર્વપ્રકારે ભાંગીને ભુકો કરી દીધા! આવા કામ કરનારી ધંધાદારી સંસ્થાઓ આપણે ભાડે રાખીને પછી આપણે તેના કેવા પરીણામો આવે છે તેવી રાહ જોઇ હોત તો વધારે સારુ!

આપણા આ સમાચારોને કારણે ઉમ્મર ખાલીદ નામના વીધ્યાર્થીની બેનને બળત્કાર (રેપ) કરવાની અને તેણીના મોઢાપર એસીડ છાંટવાની ધમકીઓ મળે છે. તેના પર દેશદ્રોહીના આરોપો મુકવામાં આવે છે. ધારોકે આવું અજુગતુ કાંઇ બને  તો તેના માટે આપણે જવાબદાર ખરા કે નહીં? કનૈયાકુમારે એક નહી હજાર વાર કહ્યું છે કે તેણે ક્યારેય દેશવીરોધી સુત્રોને  ટેકો આપ્યો નથી કે આવા સુત્રો પોકાર્યા નથી.. પણ આપણે તેને ક્યારેય સાંભળવાની તક જ લીધી નથી. આપણેતો સરકાર જેવીજ હીંસા ફાટી નીકળે તેવી લાઇન પહેલીથી જ લીધી હતી. આપણે કનૈયાના ઘર સામે જોવાની ફુરસુદ લીધી હતી ખરી? તેનું ઘર એ ઘર છે જ નહી. તે તો આદેશના ગરીબ સામાન્ય ખેડુતનું ખોરડું છે. જયાં પ્રતી સેકંડે માનવીની આશાઓને કબરમાં દાટી દેવામાં આવે છે. આપણને તો આ બધી દુન્યવી વાસ્તવીક્તાઓ દેખાતી જ નથી.

 આ બધું જણાવવામાં મને દુ:ખ એટલા માટે છે કે આવા ઘણા બધા ઘરોમાંથી હું પણ આવું છું.  ભારતના ગામડાનું જીવનમાં આવું જ કોઇપણ જાતની આશાઓ વીનાનું છે. આવી તુટેલા ઘરોની દીવાલો અને આશા વીહીન જીવનોમાં રાષ્ટ્રવાદનું ઝેર કોઇપણ જાતનાં ભવીષ્યનાં પરીણામોનો વીચાર કર્યા વીનાજ ફેલાવવામાં આવ્યું છે. જો કનૈયાના પીતાજી પોતાના દીકરાની આ સ્થીતી જોઇને લકવાગ્રસ્ત થઇ ને આઘાતથી મૃત્યુ પામતા હોય તો  તેના માટે આપણે જવાબદાર ખરા કે નહી?જો ઇન્ડીયન એક્ષપ્રેસ દૈનીક દ્રારા કનૈયાના કુટુંબની હકીકત પ્રસીધ્ધ ન કરી હોત તો  આ દેશના લોકોને ખબર પણ ન પડત કે કનૈયાનો વંચીતો તરફી લગાવનો પ્રેરણા સ્રૌત કયો છે ?

કનૈયાની માફક રામ નાગા અને બીજા વીધ્યાર્થીઓના વાલીઓનીઆર્થીક સ્થીતી ખુબજ સામાન્ય છે. ગરીબાઇ સામેનો સખત સંઘર્ષ કર્યા પછી તે બધા જેએનયુમાં રાહતદરે  શીક્ષણ મેળવવામાં સફળ થયા છે. આપણે તે બધાનો શીક્ષણ મેળવ્યા પછી નો  સ્વવીકાસ માટે નો આત્મવીશ્વાસ આંખે ઉડીને વળગે તેવો છે. પણ જે ચેનલો ટીવીના ટીઆરપી ના આંકડા કેવી રીતે વધે તેની હોડમાં આ બધાની જીંદગીઓ બરબાદ કરી નાંખી છે.

એ શક્ય છે કે આપણે તે વીધ્યાર્થીઓના રાજકીય બળવાખોર કે ક્રાંતીકારી વીચારો સાથે અસહમત હોઇએ. પણ તેથી તે બધા કેવી રીતે દેશદ્રોહી ગણાય? તેમના વીચારોને આધારે તેમનું મુલ્યાંકન કરવાનું કામ ન્યાયતંત્રને બદલે આપણે કેવી રીતે કાયદો હાથમાં લઇને  કરી શકીએ? શું દીલ્હી પોલીસે પોતાના ગુના રજીસ્ટરમાં એફ આઇ આરમાં ઝી ટીવી ન્યુઝ ચેનલનું નામ લખ્યું છે તે અકસ્માત છે? શું આ મુદ્દે દીલ્હી પોલીસ સાથે આપણું ગઠબંધન છે? આપણે લોકોને આ બાબતે શું જવાબ આપીશું? (Is it just a coincidence that Delhi Police's FIR has Zee News' name in it? Is it that we are in nexus with the Delhi Police? What answer can we give the people?)

હું તમને પ્રશ્ન પુછું છું કે  આપણે કયા કારણોસર જેએનયુ અને તેના વીધ્યાર્થોની સામે પડી ગયા છે? મારી સમજણ એ કહે છે કે જેએનયુ એ આધુનીક મુલ્યો, લોકશાહી, વીવીધતા અને એકબીજાના સામ–સામી વીચારોની સાથે પણ સહઅસ્તીત્વમાં જીવી શકાય રહી શકાય તેવા વીચારોને સંવર્ધન કરનારૂ ભારતનું બૌધ્ધીક એડન છે.( JNU an Eden in India).પણ હવે તેને આપણે દેશદ્રોહી અને ગુંડાઓના અડ્ડા તરીકે ઓળખાવી દીધુ છે.

હું એ જાણવા માંગું છું કે  કાયદો હાથમાં લેનારૂ કોણ છે?  જેએનયુ છે કે કોર્ટના કમ્પાઉંડમાં બીજેપીના નેતાઓ દ્રારા પેલા ડાબેરી નેતા પર હુમલો કરનારા છે? બીજેપીના ધારાસભ્ય અને તેના ટેકેદારો જ્યારે શેરીઓમાં સામ્યવાદી નેતાને મારતા હતા ત્યારે પોલીસ પ્રેક્ષક બનીને જોઇ રહી હતી. આ જમીની હકીકત હોવા છતાં તંત્ર બીજેપીના નેતા અને અખીલભારતીય વીધ્યાર્થી પરીષદના નેતાઆને બચાવવા મેદાને પડયું છે.

આ બધાથી હું મારી જાતને જ જર્નાલીસ્ટ તરીકે અને કશુંજ નહી કરવાની લાચારીને કારણે ધીક્કારવા લાગ્યો છું. શું આટલા જ કારણોસર મેં બીજી બધા વ્યવસાયો છોડીને  જર્નાલીઝમ પસંદ કર્યુ છે? ના ખરેખર એવું નથી. મારા માટે બે વીકલ્પો છે. એક આ જર્નાલીઝમનો વ્યવસાય છોડી દેવો અથવા તમારી નોકરી છોડી દેવી. હું બીજો માર્ગ પસંદ કરૂ છું. હું આ બધામાં મારીજાતને અને મારી કઇ ઓળખ છે તે અંગેના પ્રશ્નો પુછું છું.ભલે કોઇને લાગતો કે નાની સરખી મારી પ્રતીબધ્ધતાનો મુદ્દો છે. જ્યાં મને એક લાખ રૂપીયાનોપગાર મળવાની શક્યાતા હતી. મને સ્પષ્ટ દેખાય છે મારા આ નીર્ણયથી હવે કોઇ મને નોકરીએ પણ નહી રાખે. હું તો સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવું છું. મને સારી રીતે ખબર છે કે પગાર વીના શું થાય? પણ હું મારા અંતરઆત્માના અવાજ કે પ્રબુધ્ધ જાગરૂકતાના ગુણને ગુંગળાવી દેવા માંગતો નથી.

 આ બધી કોઇ મારી અંગત કે વ્યક્તીગત ફરીયાદો નથી. મારા વીચારો સંસ્થા અને તંત્રીબોર્ડના નીતી વીષયક નીર્ણયો સામે છે. મારા આ રાજીનામાના પત્રને બીજી કોઇરીતે મુલવશો નહી. ઝી–ન્યુઝ મીડીયાને પોતાની જમણેરી વીચારોની પસંદગી પ્રમાણે  કામ કરવાનું હોય તો જર્નાલીસ્ટોના પોતાના વીચારોનું શું? હું કોઇ રાજકીય પક્ષનો સભ્ય નથી કે તેનો ટેકેદાર. મારો ઝોક તો આ દેશના બહુમતી ગરીબોનું કલ્યાણ કેવીરીતે થાય તેની તરફેણ કરનારા વીચારોનું છે. તે જ મારી ઓંળખ છે. મેં મારૂ રાજીનામું લાખો અને કરોડો કનૈયાકુમારો અને જેએનયુના વીધ્યાર્થીઓને સમર્પીત કર્યુ છે જે પોતાના સ્વપ્નો સાકાર કરવા સંઘર્ષ કરે છે તેમજ જરૂરી ત્યાગ પણ આપે છે.

આપનો વીશ્વાસુ,  વીશ્વાસ દીપક.સૌ. letters@scroll.in.

 

--