Sunday, March 24, 2019

વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,


 વડાપ્રધાન મોદીજી અને અમીત શાહ,

હું તમને બંનેને ચેંલેન્જ આપું છું કે મારી બાલકોટાની ટીપ્પ્ણી સામે હીંમત હોય તો ખુલ્લી ચર્ચા કરવા તૈયાર થઇ જાવ. સામ પીત્રોડા. ૨૩મી માર્ચ ૨૦૧૯.

Top of Form

I Challenge Modi, Shah for Debate, Says Pitroda

 આખું વીશ્વ જાણે છે કે સામ પીત્રોડા રાહુલ ગાંધીના ખુબજ નજીકના અને વીશ્વાસપાત્ર માણસ છે. સામ પીત્રોડાએ ભારતના સૈન્ય તરફથી પાકીસ્તાનના બાલકોટા આતંકી છવાણી પર હુમલો કરીને ભારતના વીમાન સહીસલામત પરત આવ્યા છે તે અંગે પીત્રોડા સૈન્યના કાર્યને બીરદાવે છે. પરંતુ સૈન્યના વડા તરફથી નહી પણ વડાપ્રધાન મોદી અને અમીત શાહ તરફથી કોઇ ૩૦૦ ,કોઇ ૨૫૦( અમીત શાહનો તાજેતરમાં ગુજરાતમાં આવીને જાહેર કરેલો આંકડો)નો આંકડો સદર આતંકી કેમ્પમાં માર્યા ગયેલા આતંકીઓનો આપવામાં આવે છે. પીત્રોડાને સૈન્યની કાર્યવાહી સામે કાંઇ કહેવાનું નથી. સીવાય કે સલામ. પણ પીત્રોડા એક વીશ્વગજનો ઇનર્ફમેશન ટેકનોલોજીનો વૈજ્ઞાનીક છે. તેના સત્યના તારણો, આંકડા, કે ડેટા, વગેરે હકીકત આધારીત જ  હોય છે. તેમાં કશી લાગણીકે રાજકીય મુડી ભેગી કરવાની હોય જ નહી. તેથી પીત્રોડા, મોદી– શાહની બેલડીને આ કેટલી સંખ્યામાં આતંકી માર્યા ગયા તેના પુરાવા રજુ કરવા પડકાર ફેંકે છે. આ સત્યને પોતાના એક ભારતીય નાગરીક તરીકે તે જાણવાનો અધીકાર છે. તેને આ બેલડી અને તે બધાનું વાજુ વગાડનારા કેવી રીતે અટકાવી શકે!

 મોદીજી , તમે તો દેશના વડાપ્રધાન તરીકે આવી માહીતીઓ મેળવનાર પ્રથમ અને વીશ્વાસપાત્ર વ્યક્તી જ છો. પુરાવા હોય તો સમગ્ર દેશ અને દુનીયાને ફટાફટ બતાવી દો ને!  ફુલવામામાં દેશના જ્યારે આત્મીઘાતી બૌબરથી ૪૬ જવાનો શહીદ થયેલા હતા ત્યારે ફાયરબ્રીગેડના માણસો માર્યા ગયેલા શહીદોના લોહીથી લદબદ થઇ ગયેલી સડકને પાણીના મારાથી સાફ કરતા સમાચાર બધાએ જોયેલા છે. તમારો તો તે હવાઇ હુમલામાં ૨૫૦ થી ૩૦૦ આતંકી માર્યા ગયા તેવો દાવો છે. જે ખરેખર સાચુ હોય તો લોહીના ખાબોચીયા નહી પણ લોહીની નદી અને હાથ–પગ અને ખોપરીઓના હાડકાનો પર્વત ઉભો થઇ ગયો હોય. જેને હજુ છોડતા નથી. અને જે તે અંગે સાબીતી માંગે તે બધા દેશદ્રૌહી, પાકીસ્તાની એજંટ.

 તેથી હું સામ પીત્રોડા, મોદીજી, તમારા સહીત  તમારાપક્ષના ટોચના વ્યક્તીઓને હળાહળ જુઠ્ઠાણું બોલનારા તરીકે જ જાહેર કરૂ છું.( S. Pitroda did not say anything disrespectful of Jawans or the armed forces, terming the claims by Prime Minister Narendra Modi and other top functionaries of the government and the ruling Bharatiya Janata Party on his remarks as a blatant lie.)  

મેં ૪૦ મિનીટનો ટેપરેકોર્ડેડ ઇન્ટરવ્યુ આઇએન એસ (INS)ને આપેલો છે. હું મોદી– શાહની બેલડી તથા તેમના મળતીઆઓને પડકાર આપું છું કે મારા ટેપેકોર્ડેડ ઇન્ટરવ્યુંમાંથી ફક્ત એક શબ્દ શોધી કાઢે, જેમાં દેશના લશ્કર વીરૂધ્ધ એક શબ્દ બોલ્યો હોઉ તો!.પછી તેને આધારે જાહેરમાં પ્રજામંચ ઉપર ડીબેટ માટે આવી જાય. મોદીજી, આ તો તમારા બધાનો બકવાટ, અક્કલવીનાનું અને મુર્ખતા ભરેલું કૃત્ય જ છે.( "What nonsense is this..")  તમે બીજા કોઇનું ચારીત્રય હનન કરી શકો છો.( દેશનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સહીત) હું આ દેશમાં છેલ્લા ત્રીસ વર્ષોથી કામ કરૂ છું. તમને માહિત્તો હશે જ કે મેં તે માટે મેં મારૂ અમેરીકન નાગરીકત્વ (સીટીઝનશીપ)ત્યજી દઇને ભારતીય નાગરીકત્વ પસંદગીથી સ્વીકારેલું છે. અને તમે મારા પર જુઠ્ઠાણા ફેલાવીને હુમલો કરો છો! (you want to attack me with lies.)   

     મોદીજી, તમે બોલ્યા છો કે " વીરોધ પક્ષો વારંવાર આપણા દેશના લશ્કર અને તેના જવાનોનું સતત અપમાન કરે છે. હું મારા દેશના ૧૩૦ કરોડ લોકોને અપીલ કરૂ છું કે વીરોધપક્ષની આવી કઢંગી રીમાર્કને ભુલશો નહી. ( ખાસ તો ચુંટણી ટાઇમે! બીજું મારી વીરૂધ્ધ આક્ષેપ એટલે તમારે સમજવાનું કે તે આક્ષેપ દેશના ૧૩૦ કરોડ ઉપરનો છે. હું એટલે ફક્ત દેશ એવું સમજી લેવાનું) જુઓ હવે, કોંગ્રેસ પક્ષ જે દેશના લશ્કરને સતત આતંકી પરીબળો સામે સહકાર આપવા તૈયાર નથી, તેવું જ ગાણું હવે કોંગ્રેસનો દરબારી સામ પીત્રોડા ગાય છે."

 મેં જ્યારે ન્યુયોર્ક ટાઇમ્સમાં વાંચ્યું કે બાલકોટાના હુમલામાં કોઇ મર્યુ નથી ત્યારે મને તમે કેવી રીતે કહી શકો કે ૩૦૦ આતંકી માર્યા ગયા? મોદીજી, તમારો પ્રશ્ન શું છે? આવું પુછવાથી મેં કોના માનમરતબાને હાની પહોંચાડી છે? હું દેશના જવાનોને સલામ કરૂ છું. તેમની દેશ માટેની શહાદત માટે નતમસ્તકે હું ગૌરવ અનુભવું છું.

 " ( When I read in The New York Times that nobody got killed, you tell me 300 were killed. I want to know. What is the problem, that does not show any disrespect for anybody," he said, adding "I respect our forces, I applaud their sacrifice but I want to ask a question.")

 સામ પીત્રોડા સારી રીતે સમજે છેકે કયા કયા કારણોસર સમગ્ર બીજેપી પક્ષની  તમામ ઉપરથી નીચે સુધીની નેતાગીરી તેની સામે પડી ગઇ છે.  કારણકે  યેદીયુરપ્પાની ડાયરીનો જે પ્રશ્ન છે તેનાથી ધ્યાનને બીજી બાજુ વાળવા તે બધાએ આ ધંધો કરેલ છે. બીજુ કારણ એ પણ છે કે મોદી અને તે બધા સારી રીતે જાણે છે કે હું કોણ છું?

નરેન્દ્ર મોદી મને સત્યમભાઇ કહીને સંબોધે છે. મારી પત્ની સાથેના કૌટુબીક સંબંધો પણ ઘણા સારા છે. મોદી અને તેના પક્ષને એટલા માટે ચીંતા ઉભી થઇ છે કે હું આ ચુંટણી દરમ્યાન પુરા બે મહીના દેશમાં રહેવાનો છું. ' મારી અલમારી ઘણા બધાના હાડપીંજરોથી ભરેલી છે. મારી પાસે તો મારૂ બેંકનું ખાતું જ નથી. કોઇ મીલકત પણ નથી. મેં કોઇ પરસ્રી સાથે સંબંધો રાખવાની મુર્ખામી કરેલ નથી. હું કદાચ ગાંધીવાદી કહેવાઉ. મેં કોઇ ટેક્ષની ઉચાપત કરેલ નથી. હવે તમે બધા આમાથી કશું કરી શકો તેમ નથી. માટે આ શોધી કાઢયું છે. ( સૌ. મુક્ત ભાવાનુવાદ. બીપીન શ્રોફ.(Gautam Datt can be contacted at datt.gautam@gmail.com) http://www.indiatomorrow.net/images/logopng.png.

(IANS)



 

 

 

 

 

 

 



 

Top of Form

Bottom of Form

 

 

--