Thursday, January 30, 2020

સંવિધાનશબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.


સંવિધાન શબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.

 વર્ષના શ્રૈષ્ઠ શબ્દ તરીકે પસંદગી.

 અંગ્રેજી ઓકસફર્ડ ડિક્શનરીમાં samvidhaan શબ્દ શોધીએ તો તેનો અર્થ અંગ્રેજીમાં સમજાવવામાં આવે–' it has come to mean the rules a society chooses to live by, those basic principles under which politics, society and individuals find themselves.' તેનો ભાવાનુવાદ– જે તે સમાજે પોતાના વ્યક્તીગત ને સામાજીક, રાજકીય અને અન્ય વ્યવહારો માટે પસંદ કરેલા નિયમો–

 સંવિધાન કે બંધારણ હવે આ શબ્દ કાયદો અને તેના નિષ્ણાતો પાસેથી આંદોલન કરનાર હજારો લોકોના મોઢેંથી ગૌરવભેર નીકળતો શબ્દ બની ગયો છે.  નાગરિક સુધારા કાનુન, પછી એન પી આર અને એન સી આરના વિરોધમાં તાજેતરમાં શરૂ થયેલી ચળવળે આ શબ્દને કાયદાના ક્ષેત્રમાંથી એક લોકચળવળને પ્રેરણા આપતો શબ્દ બનાવી દીધો છે.

    જેમ શરીરના અન્ય અંગોને તેનું હાડપિંજર દેખાવ, સુંદરતા (હાડપિંજર) અને અન્ય ગુણો બક્ષે છે. તેવીજ રીતે દેશનું સંવિધાન પણ જે તે રાષ્ટ્ર,દેશ કે તેના સમાજના સંચાલનનું મુળભુત(હાડપિંજર) માળખું આપે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જેમ તેના પીંછાથી રળિયામણો છે તેવીજ રીતે ભારતીય રાષ્ટ્ર અને સમાજ, તેના સંવિધાનમાં આમેજ કરેલા માનવીય મુલ્યોનો કેટલો અમલ કરીને જીવે છે તેના પર જ તે ધબકતો રહે છે. સુશોભિત રહે છે.

    જે દિવસે માનવ શરીરના હાડપિંજરને નુકશાન થતાં જ તેની અનિવાર્યતા જીવન ટકાવી રાખવા માટે સમજાય છે. તેવું જ દેશના સંવિધાન બાબતે છે. જે તે દેશમાં તેના માનવ મુલ્યો આધારિત બંધારણને, તેના મુળભુત માળખામાં કુઠારાઘાત મારવાના શરૂ થાય છે ત્યારે આપણે સમજી લેવાનું કે તે દેશ માટે અને સમાજ તરીકે જીવવું ક્રમશ; અસહ્ય બની જવાનું છે. આવો સમાજ ખુબજ ઝડપથી નાગરીક સમાજમાંથી(સિવિલ સોસાયટી) જંગલી સમાજ(મારે તેની તલવાર અને જીસકી લાઠી ઉસકી ભેંસ) તરફ જઇ રહ્યો છે એમ સ્પષ્ટ જ સમજવું.

છેલ્લા થોડા વર્ષોથી આપણે સૌ નાગરિકો તરીકે અહેસાસ કરી રહ્યા છે કે દેશના સંવિધાનના મુળભુત માળખા( બેઝીક સ્ટ્રક્ચર ઓફ ધી કૉન્સ્ટિટયૂશન) ઉપર ખુબજ આયોજન પુર્વક હુમલા થઇ રહ્યા છે.પરંતુ તેનો અર્થ એ નથી કે આવા હુમલા કરનારા સાચા છે.

આજના સંદર્ભમાં મુખ્ય ચર્ચા ધાર્મીક શ્રધ્ધા અને બંધારણે બક્ષેલી સમાનતા વચ્ચે શું સંબંધ છે? સમનાતાના હિતોના સંરક્ષણ માટે રાજ્ય પેલી શ્રધ્ધાને ક્યાં સુધી નિયંત્રણમાં રાખી શકે છે? રાજ્ય અને કેન્દ્રના સંબંધો એકતરફી રદબાતલ થઇ શકે ખરા? શું અરજદારના ધર્મને ધ્યાન માં રાખીને તેની નાગરિકતા નક્કી કરી શકાય ખરી?

 ઓક્ષફર્ડ ડીક્ષેનરીમાં સંવિધાન(samvidhaan) શબ્દના અર્થમાં આ બધું આવી જાય છે. તેની સાથે એક બીજો પણ શબ્દ ઉમેરવાની જરૂર છે. તે શબ્દ છે સંવાદ(samvaad). કારણકે બંધારણ સભાના સભ્યોએ સને ૧૯૫૦ સુધીમાં ઘણા સંવાદો પછી આપણા સંવિધાનને આખરી વર્તમાન સ્વરૂપ આપ્યું હતું. આજે, આપણા દેશના સી એ એ વિરૂધ્ધ આંદોલન કરતા નાગરિકોએ, બંધારણના મુલ્યોની ચર્ચાને, તેને કાયદાની પુસ્તકાલયની અટારીયેથી ઉતારીને શેરીના આંદોલનોમાં લાવી દીધી છે. તે આંદોલન કરતી નવી પેઢીએ પોતાની રીતે બંધારણના મુલ્યોનું અર્થઘટન કરીને આંદોલન જારી રાખ્યું છે. સૌ.ઇન્ડીયન એક્ષપ્રેસ તા. ૩૦મી જાન્યુઆરીના તંત્રી લેખનો ભાવાનુવાદ. બિપીન શ્રોફ.
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--