Wednesday, November 8, 2017

સને ૨૦૧૪ પછી દેશમાં મોદી સત્તાએ પેદા કરેલા લોકશાહી માટેના ગંભીર પડકારો–

                સને ૨૦૧૪ પછી મોદીજી અને તેઓની સરકારે ભારતીય લોકશાહી વ્યવસ્થા માટે કેવા પડકારો ઉભા કરી દીધા છે? – (સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા તંત્રી લેખ– કાન્તી બાજપાઇ ૪–૧૧–૧૭. નો ભાવાનુવાદ)

 એક વાત સાચી છે કે મોદીજીની વીચારસરણી જમણેરી લોકશાહી વીચારોને વળેલી છે. પણ દેશમાં લોકશાહી તો રહેવી જોઇએ ને?

" ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી છે કે નહી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીરભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનાહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારીની સમસ્યાઓ, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે."

           બહુ થોડા ભારતીયો દેશના વડાપ્રધાનને તેમની ભરપુર રમુજવૃત્તી માટે કદર કરશે. ( કુવામાં હોય તો હવાડામાં આવે ને!) કારણકે મોદી એક એવા નેતા તરીકે હવે વીશ્વભરમાં જાણીતા થઇ ગયા છે કે તે આપખુદ છે. તે આપખુદ રીતે જ નીર્ણયો લેવા ઉછેરેલા છે, ટેવાયેલા છે. તેઓના નીર્ણયો જો કે બીજેપી પક્ષ માટેના હોય છે. પણ જેનું સુકાન કે વહીવટ પડછાયામા રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે. (on behalf of a party operating in the shadow of the Rashtriya Swayamsevak Sangh (RSS).)

 ખરેખરતો દરેક રાજકીય પક્ષનું સંચાલન લોકશાહી ઢબે અને પ્રજાને તેનું સંચાલન ખુલ્લીરીતે થાય છે તેવો અહેસાસ થવો જોઇએ. આજે દેશમાં કોઇપણ રાજકીય પક્ષ તે રીતે કામ કરતો નથી. ફક્ત નહેરૂના સમયમાં કોંગ્રેસપક્ષ બીલકુલ પારદર્શક અને બહુમતમતાંતરને આવકાર આપતો પક્ષ હતો. અરે નહેરૂ ખુદે,પોતે પક્ષના સર્વેસર્વા ન બની જાય તેવી લાલચો સામે પ્રમાણીક રીતે સંઘર્ષ કર્યો હતો.( Even Nehru fought the temptation to boss his party around.)

મોદી ખુબજ હોંશીયારીપુર્વક પણ આંગળી બતાવીને નહી તે રીતે દેશમાં મીડીયાને એમ નથી જણાવતા કે તમે કોંગ્રેસ પક્ષનું સંચાલન વંશવાદ કરી રહ્યે છે તેવો પ્રશ્ન ઉઠાવો!. કારણકે બાકીની ચાર આંગળીઓ પોતાની સામે આવે છે જેમાં એમ પુછવામાં આવે કે તમારા પક્ષમાં ક્યાં આંતરીક લોકશાહી પ્રથા છે?( તમારો પક્ષ અને નેતાઓ ગુજરાતમાં આગમી ચુંટણીમાં કોના હાથ હજુ મજબુત કરવા મત માંગી રહ્યો છે?)

આ માણસની નેતા તરીકેની રાજકીય કારકીદીનો નકશો જોશો તો ખબર પડશે કે તેમાં પક્ષીય લોકશાહી કે અન્યના મતને સહીષ્ણુ કરવા તેવું તેમના સ્વભાવમાં જ નથી. 'માય વે ઇઝ હાઇવે.' મોદીની નેતા તરીકેની બાદબાકી કરીને બીજેપી પક્ષનું ભાવી શું? તેનો કોણ અને કેવો જવાબ આપશે?

તેઓનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકેનો જગજાહેર સ્પષ્ટ રીપોર્ટીંગ છે કે તેઓએ ભાગ્યે જ પોતાની કેબીનેટ કે તેના મંત્રીઓ, વીધાનસભાકે લોકસભાની ચર્ચાને આધારે,તથા દેશના મીડીયા કે પ્રેસે સુચવેલી બાબતોને ધ્યાનમાં લીધી હશે.(Modi's remarks about party democracy contrast to his record. As chief minister of Gujarat and Prime Minister of India he is widely reported to have governed with little heed to the cabinet, legislature or media.) પોતાના પ્રધાન મંડળની બૌધ્ધીક કક્ષા સામાન્ય ( Mediocrity)  હોવાથી તે આ બધાની દલીલોને સ્વીકારે નહી તે ક્ષમ્ય છે અને સ્તુત્ય કે વખાણવાલાયક છે (Commendable).

પણ કાયમ માટે પોતાની માફક જ ચુંટણી જીતીને ચુંટાયેલા અનુભવી ને વડીલ સાથીઓને કાયમ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કેબીનેટ કક્ષાના મંત્રીઓ બનાવ્યા બાદ નીર્ણયો લેવાની પ્રક્રીયાઓમાંથી બાકત કરવા( બાયપાસ કરવા) અને સીનીયર સરકારી અધીકારીઓ દ્રારા સરકાર ચલાવવી તે તો લોકશાહી રાજ્યપ્રથા માટે ખુબજ ખતરનાક છે. શું મોદીજીને પ્રતીનીધીત્વ માળખાની લોકશાહી રાજ્ય વ્યવસ્થામાંજ વીશ્વાસ નથી? નહેરૂજી સીવાય અને મોદી સહીત દેશના બધાજ વડાપ્રધાનોને લોકસભાની ચર્ચામાં ભાગ લેવો એ જાણે તે સંસદપર મહેરબાની કરતા હોય કે કૃપા કરતા હોય એમ તે બધાને લાગતું હશે. વધુમાં આપણા વડાપ્રધાનો સંસદમાં આવે પછી સંસદને માથે પોતાની લાંબી સ્પીચ આપે અને ત્યારબાદ સંસદના ગૃહમાંથી અલોપ થઇ જાય. આની સામે બ્રીટનના વડાપ્રધાનો  ત્યાંની સંસદ( જે વેસ્ટમીનીસ્ટર તરીકે જાણીતી છે)ના પ્રશ્નોત્તરી કલાકમાં  પોતાના સાંસદ સભ્યોએ કેવા પ્રશ્નો પુછયા છે, પ્રજાની કઇ મુસીબત કે વીડંબનાઓ છે તે જાણવા અને પછી તેનો જવાબ આપીને ગંભીર પગલાં લેવા તત્પર હોય છે. અને તેમાં પોતાની ફરજ બજાયાનો સંતોષ અને આનંદ પણ હોય છે. તેની સામે મોદી પોતાના એક બીજાહાથોની અદબવાળીને  આકાશમાં જોતા હોય તેવા ફોટા તેઓની સંસદની હાજરીમાં લોકોએ જોયા છે.

 મોદીએ ક્યારેય પ્રેસકોન્ફ્રરન્સને સંબોધી નથી. ભાગ્યેજ  કોઇને ઇન્ટરવ્યું આપ્યો છે. આ બાબતમાં મોદી નહેરૂજી સીવાયના બધાજ વડાપ્રધાનોની રૂઢીરીતીઓ પ્રમાણે જ ચાલે છે. મોદી એમ દાવો કરે છે કે તેઓના માથે દેશ ચલાવવાની એટલી મોટી જવાબદારી છે કે પ્રેસ, મીડીયા વી. સાથે વાતચીત કરવી કે વીચારોની આપ લે કરવાનો સમય જ નથી. ખરેખર તેઓને ખબર નથી કે પછી દરકાર જ નથી કે પ્રેસ સાથેનો સંબંધ અને સંવાદ સુશાસનનો એક અનીવાર્ય ભાગ છે.

 વડાપ્રધાનનો પક્ષીય લોકશાહીની હીમાયાત કરતો પ્રમાણીક સંદશો રમુજથી વધારે કાંઇ નથી. કારણકે તે એવા પક્ષના સભ્ય છે  જે પોતાના  અસ્તીત્વ માટે આર એસ એસ ઉપર પુરેપુરો આધારીત છે. જે સંસ્થામાં ક્યારેય ચુંટણી થતી નથી અને તેમાં સત્તાના હુકમો ક્યાંથી આવે છે તે હંમેશાં રહસ્યમય જ હોય છે. શું કોઇ એવી શંકા કરી શકશે કે આર એસ એસના નીર્ણયોજ બીજેપીમાં  આખરી હોતા નથી? દેશની કેબીનેટના મીનીસ્ટરની પસંદગીથી માંડીને કોઇપણ મહત્વનો નીતી વીષયક નીર્ણય ખુલ્લી કે ગર્ભીત આર એસ એસના વડીલોની મંજુરી સીવાય લેવાતો નથી. જ્યારે તે સંસ્થા બીજેપીના નેતા કે પક્ષની નીતીઓ વીરૂધ્ધ નીર્ણય કરે છે ત્યારે  લોકશાહી રીતે ચુંટાયેલ દેશના સવાઅબજની વસ્તીના પ્રતીનીધી વડાપ્રધાનને પણ પોતાના નીર્ણયો બદલવા પડે છે. અર્થતંત્ર માં જીએસટીના નીયમોમાં ફેરફારો અને બીજા નીતીવીષયક નીર્ણયો તેના જીવતાજાગતા પુરાવા છે.

      ભારતીય લોકશાહીને , એક રાજકીય પ્રથા તરીકે તથા જીવન પધ્ધતી સામે ભયંકર ખતરો ( Democracy as a way of life)  ઉભો થઇ ગયો છે. સૌથી મોટો પ્રશ્ન એ નથી કે પક્ષીય નીર્ણય પધ્ધતીમાં આંતરીક લોકશાહી નથી. તેઓના તરફથી સૌથી મોટો ગંભીર ભય અનુભવહીન, મુર્ખ, જડ, મંદબુધ્ધીવાળા અને જાડા બરછટ પોતવાળા, માણસની ભલમનસાઇ કે સારાપણા વીશે શંકાશીલ એવા દંભી રાષ્ટ્રવાદનો છે. (The great danger is crass and cynical pseudo-nationalism.) તેના ટેકામાં જે બીજા ખરાબ તત્વો એકત્ર થયા છે તે છે ક્રુર, પાશવી, ધર્મ આધારીત બહુમતીવાદ,આત્યંતીક ધાર્મીકતા, હીંદુ સમાજની ઉપલી જ્ઞાતીઓનું રાજકીય સત્તાના ઉપયોગમાં બેફામ વર્ચસ્વ, અનીયંત્રીત,પણ પ્રચંડ,પ્રબળ, ભયાવહ સામાજીક અસમાનતા આધારીત ગુનહીત વર્તનો, દેશના યુવાનોની વીકરાળ મોઢું ફાડીને ઉભેલી બેરોજગારી, સત્તા પ્રત્યે ખુશામતખોરી,કે ચાપલુસી, ભય, ધમકીઓ,અને સામાજીક હીંસાઓ વી. છે.

 દેશના દરેક વીરોધપક્ષના નેતા સામે  મોદી સરકારે  ભ્રષ્ટાચાર વીરૂધ્ધ તપાસની તોપો માંડી દીધેલી છે. જાણેકે પોતાની સત્તાધીશ પાર્ટીના નેતાઓ દુધે ધોયેલા છે. દેશની દરેકપ્રકારની ટીવી ચેનલો ચલાવતા મીડીયા ગ્રૃહો અને અખબારી આલમના માલીકી ગૃહો સતત ચીંતાજનક સ્થીતીમાં દીવસો પસાર કરી રહ્યા છે. કારણકે આ જમણેરી જુથો એક દીવાના કે પાગલ બની ગયેલા માણસની માફક કોના પર હુમલો કરશે તેની ભવીષ્યવાણી કરવી જ અશક્ય બની ગઇ છે. અને પછી તે બધાપર સરકાર તપાસ કરવાના હુકમો છોડશે. દેશના તમામ પ્રકારના બૌધ્ધીકો, તજજ્ઞનો, લેખકો, કલાકારો પણ સતત તપાસના તેમના દાયરામાં હોય છે.તેમના તૈયાર કરેલ તકેદારી મંડળના સભ્યો(Vigilantes) દા;ત ગૌરક્ષકો,એન્ટી રોમીયો સ્કોડના જુથો, લવજેહાદવાળાઓ આબધા નક્કી કરે તે બધાને સહેજ પણ દયા કરૂણા બતાવ્યા સીવાય રહેંસી નાંખી શકે છે. મારી નાંખી શકે છે. દેશમાં કાયદાનું શાસન (Rule of law) ને બદલે જે કાયદો હાથમાં લઇને ઉપયોગ કરે તેનું શાસન  ચાલે છે.

 આબધાજ દેશની લોકશાહી સામે સાચા પડકારો છે.( These are the real challenges of democracy in India.)

 

 

 

 

 


--

Tuesday, November 7, 2017

મોદી સરકાર!



-- મોદી સરકાર!

કેમ તમે ચુંટાયેલા પણ ગુનાહીત કારર્કીદી ધરાવતા ધારાસભ્યો અને સંસદ સભ્યો સામે સ્પેશીઅલ કોર્ટની રચના કરી કેસ ચલાવતા નથી? સુપ્રીમ કોર્ટ ઓફ ઇંડીયા.

      આજની તારીખે દેશની વીધાનસભાઓ અને લોકસભામાં થઇને આ મહાનુભાવોની કુલ સંખ્યા આશરે ૩૩% ટકા છે. ટુંકમાં આ દેશની લોકશાહી પ્રથામાં વીધાનસભા કે સંસદમાં ચુંટાયેલો દર ત્રીજો ધારાસભ્ય અને સંસદ સભ્ય ગુનાહીત કારર્કીદી ધરાવે છે. કેમ તમે દેશમાં પેદા થયેલ રાજકારણી નેતા અને ગુનેગારોની ટોળકીની સાંઠગાંઠને તોડવા માંગતા નથી? કેમ તમે લોકપ્રતીનીધી ધારામાં (a provision in the Representation of the People Act) જેનો ગુનો સાબીત થઇ ગયો હોય તેમ છતાં તે ધારાસભ્ય કે સંસદ સભ્ય તરીકે પોતાના પદ પર ચાલુ રહી શકે છે તે કાયદાને રદબાતલ કેમ કરતા નથી? બહુમતી તો છે પછી  તમને લોકપ્રતીનીધી ધારાની સદર કલમને રદબાતલ કરતાં કોણ રોકે છે? મોદી સરકારની સુપ્રીમ કોર્ટે એ દલીલને સ્વીકારી નથી કે  તે અમારી એટલે કેન્દ્ર સરકારની જવાબદારી નથી પણ રાજ્ય સરકારની જવાબદારી છે.(વધુમાં માહીતી માટે દેશના ૧૮ રાજ્યોમાં તો બીજેપીની સરકારો રાજ્ય ચલાવે છે.) સુપ્રીમ કોટે વધુ મોદી સરકારને આડેહાથ લેતાં પુછયું છે કે તમે રાષ્ટ્રીય ચુંટણી પંચની દરખાસ્ત કે જે એમ સુધારો કરવા માંગે છે કે જેનો ગુનો સાબીત થયેલો છે તે નેતા કે મતદાર  જીંદગીભર ચુંટણી નહી લડી શકે તેવું બીલ સંસદમાં લાવીને કેમ કાયદો પસાર કરતા નથી?

રાજ્યકર્તાઓની સંવેદનશુન્યતા, લાપરવાહી કે  ઉદાસીનતા આ મુદ્દે એમ સાબીત કરે છે ન્યાયતંત્રની સક્રીયતા કે ( Judicial activism) ની વાત દંભી છે. શું રાજકારણનું ગુનાહીતકરણ દરેક રાજકીય પક્ષના હીતમાં જ છે? શું અત્યારે ચુંટણી જીતવા ફક્ત બે પરીબળો પુરતા છે?  એક નાણાં કોથરી અને બીજુ બાહુબળ ( મનીપાવર અને મસલ્સ પાવર).

એસોસીયેટેડ ઓફ ડેમોક્રેટીક રીફોર્મ નામની સંસ્થાએ જે તે સમયે ઉમેદવાર તરીકે  પોતાના ચુંટણી ફોર્મમાં પોતે જણાવેલું કે સાહેબ! કેટલા ફોજદારી ગુનાઓમાં સંડોવાયેલા છે તેને આધારે નીચેનું તારણ કાઢેલું છે. દેશભરમાંથી ચુંટણી જીતીને જે ધારાસભ્યો કે સંસદ સભ્યો કાયદો ઘડનારાઓ તરીકે વીધાનસભા કે સંસદમાં બીરાજમાન છે તેમાંથી કુલ ૧૫૮૧ સામે ક્રીમીનલ ગુનાઓ માટે એફ આઇ આર દાખલ થયેલી છે.  આ લોકપ્રતીનીધીઓ સામે ફોજદારી ગુના બે પ્રકારના દાખલ થયા છે. એક જેમાં તે બધા ખુન, લુંટ, બળાત્કાર, સ્રીઓ સામે ગુનાઓ અને બીજા બીન–ફોજદારી ગુનાઓ રાજકીય વીરોધ કરવા ૧૪૪મી કલમને આધારે થયેલા ગુનાઓ. સારા, યોગ્ય રાજકીય નેતાઓ અને ક્રીમીનલ રેકોર્ડ ધરાવતા રાજકારણીઓને, બંનેની એકબીજામાં ભેળસેળ થવા દેવી પ્રજાના હીતમાં બીલકુલ નથી.

 એસોસીયેટેડ ઓફ ડેમોક્રટીક રીફોર્મ સંસ્થાએ આ બધા ઉમેદવારોના ફોર્મસની ચકાસણી કરતાં એવું ચોંકાવનારૂ અને આઘાતજનક તારણ કાઢયું છે કે દેશમાં દરેક નવી ચુંટણીમાં ગુનાહીત કારર્કીદી ધરાવતા રાજકારણીઓની તેવી ગુણવત્તા નહી ધરાવતા રાજકારણી કરતાં બે ગણી જીતવાની શક્યતાઓ  વધારે હોય છે. બીજુ તે સંસ્થાનું તારણ છે કે આ ગુનાહીત કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર પેલા ચોખ્ખી કારર્કીદી ધરાવનાર રાજકારણી ઉમેદવાર કરતાં સહેલાઇથી ચુંટણી એટલા માટે જીતી શકે છે કે સરકારી બાબુઓને પણ તેમનાં કામો કરવામાં મઝા આવતી હોય છે! લોકો આવા બાહુબલીઓને જ પછી વીજેતા બનાવે ને.

 દેશની જનતાએ જ્યારે  ગુનાહીત  નેતૃત્વ અને રાજકારણ બંને એકબીજામાં ભેળસેળ થઇ જાય ત્યારે ક્યાં સારા સરકારી વહીવટ માટે (good governance) કોની પાસે જવાનું? તારીખ ૩જી નવેંબરના ટાઇમ્સ ઓફ ઇંડીયા,આ તંત્રી લેખમાં વધુ દલીલ કરે છે કે ગુનાહીત રાજકારણીઓ માટેની સ્પેશીઅલ કોર્ટની રચના અને ફોજદારી ગુનો સાબીત થઇ ગયેલા ધારાસભ્ય કે સંસદ સભ્યની જીંદગીભર ચુંટણી ન લડી શકે તેવો લોકપ્રતીનીધી ચુંટણીધારામાં સુધારો, ચોક્ક્સ રાજકીય પક્ષોને આવા માણસોને ટીકીટ નહી જ આપવામાં મજબુર કરશે. આજના આ મુદ્દે જે સે થે રાજકારણને ચાલુ રાખવાને બદલે  ગુનેગાર–નેતાની સાંકળને તોડવા માટે  મોદી સરકાર !દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અમલમાં મુકો. ( સૌં ટા.ઓફ ઇ. ૩–૧૧–૧૭ ના તંત્રી લેખનો ભાવાનુવાદ.)

 

 

 

 

Saturday, November 4, 2017

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

શું ઘરડા ગાડાં વાળી શકે? શીવ વીશ્વનાથન.

( શીવ વીશ્વનાથન, નીવૃત રાજ્યશાસ્રી છે. હાલ તે ચેન્નાઇમાં રહે છે. પોતાનો  શૈક્ષણીક અભ્યાસ દીલ્હી યુની. અને  વ્યવસાયી જીવન દીલ્હીમાં રાજ્યશાસ્રના ક્ષેત્રે વૈશ્વીક કક્ષાએ સુપ્રસીધ્ધ " સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી સી ડી એસ"માં પસાર કરેલ છે. આ સેન્ટરના આધ્યસ્થાપક પ્રો. રજની કોઠારી તેમના બૌધ્ધીક મેન્ટર હતા તેવું  તેઓએ રજનીભાઇની શ્રધ્ધાંજલીમાં લખ્યુ હતું. આ લેખ તેઓએ પોતાની વાત એક વડીલ પણ શાણપણથી પરીપક્વ તેવા સજ્જનના મુખે કહેવડાવી છે. જેનો ટુંક સાર અત્રે રજુ કરેલ છે.)

શીવ– આ દેશના રાજકારણને બીજેપીએ શુષ્ક, આશાવીહીન અને સુનકાર બનાવી દીધું છે. નોટબંધી અને જીએસટીએ તો દેશમાં સામજીક અને આર્થીક અંધાધુધી ફેલાવી દીધી છે. આપણા તમીલ રાજ્યમાં તો તેની સામે કોઇ રાજકીય પક્ષ તરફથી વીરોધ પણ થતો નથી. સને ૨૦૧૪ પછી રાજકારણ એટલે ફક્ત દેશના નાગરીકો માટે નેતાઓના સતત શબ્દોના આડંબરથી ભરેલ ભાષણો અને ગર્જનઓ સીવાય બીજુ કશું જ નહી. મારી સામે બેઠેલા વડીલના મોંઢાપર કોઇ જાતની લાગણી કે આવેગો જોવાના મળતા ન હતા. તે તો ફક્ત બીસ્કુટના ટુકડા ખાવામાં અને બ્લેક કોફીની ધીમી ધીમી ચુસ્કીઓ ભરવામાં જ મસ્ત હતા. મારી દલીલો અડધો કલાક સુધી સાંભળ્યા પછી વડીલ ઉવાચ!

વડીલ– તે બધા સામે વીરોધ તો શરૂ થઇ ગયો છે. તને ખબર છે ખરી કે હમણાં જ ગીતકાર એ. આર. રહેમાને, નોટબંધી " ડીમોટાઇઝેશન" પર એક સરસ ગીત કંપોઝ કરેલ છે.

શીવ– તમે ગંભીરતાથી વાત કરો છો? ("Are you serious?") તે ખુબજ માર્મીકતાથી હસ્યા!

વડીલ– જુઓ! રહેમાન, તમને રસ્તો બતાવે છે. મુક્ત રીતે વીચારો! બીજેપી વીખરાઇ જશે! તેણે મારી આંખોમાં બીજેપી પ્રત્યેની જે પારાવાર ઘૃણા છે તેને વડીલે શંકાશીલ રીતે નીરખી.

 વડીલે– વધુમાં બીજેપી અંગે પોતાનું નીરીક્ષણ કહ્યું કે, બૌધ્ધીક રીતે તે હલકી કક્ષાની વીચારો પર અવલંબીત (mediocre)રાજકીય પાર્ટી છે. આ દેશની બહુમતી પ્રજા જે નવા વીચારો અને નવા પરીવર્તનો સ્વીકારવા તૈયાર નથી તે બધાએ આ પાર્ટીને જીવતી રાખેલી છે. તે પ્રજા પોતાના અપ્રસતુત થઇ ગયેલા વીચારો, હીતો, વર્તનો અને રૂઢીરીવાજો સીવાય દુનીયામાં બીજા અનેક વીકલ્પો શક્ય છે, ઉપલબ્ધ છે, તે સ્વીકારવા જ તૈયાર નથી.

    શીવ. તું તારા જ્ઞાતી આધારીત અને ચુંટણી લક્ષી રાજકારણની માનસીકતામાંથી બહાર નીકળ! બીજેપીની સફળતા એ દેશના મધ્યમ વર્ગની લઘુતાગ્રંથી, સામાજીક રીતે નીષ્ફળતાનો ભય અને પૌરાણીક સંસ્કૃતીના ખોટા, કે માની લીધેલા ગૌરવ પર સંપુર્ણ આધારીત છે. આ બધા પર આધારીત તેમના આડંબરીત ભભકો કે ડોળ તથા અણીયારા સ્થાનને રાષ્ટ્રવાદના નામે ઓળખાવે છે.

 વડીલ– પોતાના બીજેપીના પૃથ્થકરણમાં ધારદાર રીતે આગળ વધે છે. "  જુઓ અહીંયા એક પાર્ટી એવી છે કે દેશમાં તેની પાસે  ભુતકાળમાં કોઇ મહાન જમણેરી વીચારવાળા નેતા જ ન હતા. આવા મહાન નેતા વીનાના આ વંચીતો બીજાના નેતો જેવા કે સરદાર વલ્લ્ભભાઇ પટેલ, મહાત્મા ગાંધીજી ( સ્વચ્છતા અભીયાનના પ્રતીકમાં ગાંધીજીના ચશ્મા) અને ભગતસીંહને ચોરી લઇને પોતાના નેતા હોય તે રીતે પોતાની રાજકીય મુડી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ("Here is a party that does not even have great leaders and is so bereft that it tries to steal Bhagat Singh, Gandhi and Patel.")

વધુમાં વડીલ જણાવ્યું કે તને મનોવીજ્ઞાનમાં વ્યક્તીના વ્યક્તીત્વને(પર્સનાલીટી) ઓળખવા માટે જે રોરશાચ પર્સનાલીટી ટેસ્ટ(Rorschach a personality test ) જેમાં ભય બતાવીને બીજાને હરાવી શકાય છે તેવું જ કામ બીજેપી કરી રહી છે.

 શીવ– આર એસ એસ અને અમીત શાહનું શુ?

વડીલ– હસતાં હસતાં કહ્યું કે આર એસ એસની શાખાઓ તો તેમની અબૌધ્ધીક અને નીમ્નપ્રકારની વીચારસરણીને શેરીના હેતુવીહોણા ટોળાને ભેગા કરવાની પ્રવૃતી છે.

("A shakha is a lumpenisation of mediocrity. It is ideology at its worst." )

વડીલે ફરીથી વધુમાં જણાવ્યું કે તમે જ્ઞાતી અને ચુંટણીલક્ષી રાજકારણને ભુલી જાવ. કલ્પના કરો કે તમે કોંગ્રેસ પાર્ટી જે નકામો એક અવશેષ બની ગઇ છે તેને સમી સુધરી કરવા રાહુલ ગાંધીની નજરે જોઇ રહ્યા છો. તમે કેવી રીતે આપક્ષને સુધારી શકવાના છો? તે કામ તમે વર્તમાન કોંગ્રેસમેન જેવાકે સચીન પાયલોટ કે શશી થરૂર જેવા નેતાઓથી પાર્ટીને સજીવ કે ધબકતી બનાવી શકશો નહી.  તે બધા અમીત શાહ કે આદીત્ય્નાથ સામે  લોકમત ઉભો કરવા પાંચ મીનીટ પણ ટકી શકે તેમ નથી.તેઓ ઇંડીયા ઇન્ટરનેશનલ સેન્ટરના રાજકારણમાં ચાલે તેમ છે. કોંગ્રેસના પુન; ઉત્થાન માટે નવાપ્રકારની નસલ જે નવી ભાષામાં પોતાના વીચારો રજુ કરે તે જોઇએ છીએ.

 બીજેપીની સફળતા તેના મધ્યમ વર્ગીય લઘુમતી ગ્રંથીની આજુબાજુથી ઉભી થયેલી છે. તમે એક લીસ્ટ બનાવો કે બીજેપીની નીતીઓ કેવી રીતે સામાન્ય પ્રજાથી વીમુખ, વીશ્વાસઘાતી છે. જવાબમાં હીંદુત્વ, ઓબીસી, વીકાસ વી માં તેનો પડઘો નહી પડે. શાંતીથી વીચારો!

વડીલે તેના ચોથા કપમાંથી ચુસકી ભરવા માંડી, જાણે કે કોફી તેઓની જીંદગીને અનંતકાળ સુધી ટકાવી રાખવા માટેનું અમૃત હોય!

વડીલ– આ સંદર્ભમાં દેશના નકશાને નવેસરથી જોવો પડશે. તેને સીધો સંબંધ નોટબંધી અને દેશના અર્થતંત્ર સાથે છે. મને ચોક્ક્સ વીશ્વાસ છે તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે બીજેપી સામે નવાજ પ્રકારનો વીરોધ દેશમાં જરૂરથી ઉભો કરી શકો. કેવી રીતે!

 બીજેપીની પહેલી દુ;ખદ સ્થીતી એ છે કે તેણે દેશના સમગ્ર ખેતીક્ષેત્રથી પોતાની જાતને સંપુર્ણ વીમુખ બનાવી દીધી છે. તે એક એવો પક્ષ છે જે ગાયને પ્રેમ કરે છે, નદીઓને પુજે છે પણ અર્થતંત્રના બીજા ક્ષેત્રોની સરખામણીમાં ખેતીને ધીક્કારે છે. ખેતીની પડતી અને તેની સાથે જોડાયેલી જીવન પધ્ધ્તીને આ પક્ષે ધીમું ઝેર આપીને તોડી નાંખી છે. ખેતીની જમીનને વીકાસના નામે સંપાદન કરવાની સતત નીતીએ બીજેપી પક્ષે દેશમાં એક નવા હીતવાળો મતવીભાગ બનાવી દીધો છે.

ખેતી ક્ષેત્રની વાત–

બીજેપી સરકાર અને તેની પક્ષીય પાંખને ખેતી અને ખેત આધારીત જીવન પધ્ધતી શું છે તેની લેશ માત્ર ખબર જ નથી.  આર એસ એસ અને બીજેપીનો પક્ષીય ઉછેર ફક્ત બે જ મુદ્દા ' લઘુમતી કોમ પ્રત્યેના ધીક્કાર' અને ભારતના પૌરાણીક વારસાનો જીર્ણોધ્ધારમાંથી વીક્સેલો છે. મોદી સરકાર એવી નીતીઓ પર મુસ્તાક છે કે 'ટેકનોલોજી' દેશના ખેડુતોના આપઘાતનો વીકલ્પ છે.' તે વીચારી શકતી જ નથી કે દેશનું ખેતીક્ષેત્ર એ તો તેની જીવન પધ્ધતી છે.(A way of life)  દેશના દરેક રાજ્યોના ખેડુતોને ખબર પડી ગઇ છે કે આ સરકારના બધાજ પ્રયત્નો ખેતીક્ષેત્ર તથા ખાસ કરીને તેના નાના ખેડુત–સમુહનો સર્વપ્રકારનો વીનાશ કરવા મેદાને પડી છે. નાના ખેડુતની ખેતીને તેણે સંપુર્ણ બીનનફાકારક બનાવી દીધી છે.( They had made agriculture unviable, This regime has little sense of farm or farming and thinks technology is the solution to agricultural suicides.) મોદી તંત્રને ઓળખવા માટે ખેડુતોના આપઘાત પ્રત્યે જે નફ્ફ્ટ, લાગણીવીહીન અને બેદરકાર ભર્યું વલણ બતાવ્યું છે તે પુરતું છે.

મને એકદમ ખબર પડી ગઇ છે કે મોદીની મુર્ખામીભરી આધુનીકતાની દોડ( બુલેટ ટ્રેઇન)થી ભારતનું સદીઓથી જેનું અસ્તીત્વ ટકી રહ્યું છે તે સામાજીક માળખાને તોડી નાંખવાનો છે. નોટબંધી તે દેશની અસંગઠીત અને પરંપરાગત આધારીત ખેતીને વ્યવસ્થીત રીતે તોડી નાંખવાનો મોદી સરકારનો સંગઠીત પ્રયાસ છે. આ ઉપરાંત નોટબંધીએ ખેતમજુર જે દૈનીક આવકપર જીવતો હતો તેને, પરપ્રાંત–રાજ્યમાંથી આવતા મજુરોને, ધાબાવાલા,દેશી પણ કુશળઉધ્યોગો જેવા કે ભરતકામ, પીત્તળના વાસણો પર નક્ષીકામ કરનારા કારીગરો ઉપરાંત કાપડ ઉધ્યોગના છુટક કારીગરોને મરણતોલ ફટકો માર્યો છે. તે બધાની આર્થીક પ્રવૃતીઓ સરળ અને સંપુર્ણ રોકડ દૈનીક વેતન પર આધારીત હતી તેને નોટબંધીએ ખલાસ કરી નાંખી છે.

દેશના યુવાનો, (પણ તેવા આશાસ્પદ રાષ્ટ્રવાદી યુવાનો નહી જે આઇ આઇ ટી અને આઇ આઇ એમ વી. ડીગ્રી સ્રર્ટીફીકેટની ગ્રીન કાર્ડ લેવા રાહ જોઇને બેસી રહ્યા છે) એટલે જે સ્કુલ કોલેજ માં ભણે છે,ડીગ્રી મેળવે છે પણ જે ડીગ્રીથી રોટલો મેળવવો બીલકુલ અશક્ય છે તેવા યુવાનો.. દેશના યુવાનોની બેકારી કેવી બીહામણી ,ભયાનક અને મૃત્યુ તરફ ધકેલનારી છે તેનો સહેજ પણ અંદાજ મોદી અને બીજેપીની સત્તારૂઢ કંપનીને લેશ માત્ર નથી.

 તે પોતાના બજરંગ દળના સભ્યોનો પોતાની સામેના વીરોધોને કચડી નાંખવા અસામાજીક અને ગેરકાનુની રીતે ઉપયોગ કરે છે. પણ આ ગેરમાર્ગે દોરાઇ ગયેલા યુવાનોને ગૌરવભરી નોકરીઓ કેવી રીતે આપવી તે આવડતું નથી. આ એવી સત્તા છે જે પોતાની સામેના વીરોધ ને સહી શકતી નથી. કારણકે વીરોધી રજુઆતમાં પોતે લીધેલા પગલાં અને નીતીઓના વીકલ્પ હોય છે. સત્તાધીશોએ ખાસ યાદ રાખવાની જરૂર છે કે 'બેકારોની ફૌજ' ક્યારેય ગ્રાહકો  બની શકે નહી. " તમારા વીકાસ મોડેલે કદાચ જો કોઇ માલ ઉત્પન કરેલો હશે તો તેને ખરીદનાર ગ્રાહક તો જોઇશે ને" !

 લઘુમતીઓ–

 હું, એકદમ વડીલની વાતોથી આ સમયે બીલકુલ દીગ;મુઢ બની ગયો. આ વડીલ તો કોઇક નવાજ પ્રકારનું મોદી–બીજેપી સામેના વીરોધનું મોડેલ બતાવી રહ્યા છે. તે આ કે તે સામાજીક, ધાર્મીક કે જ્ઞાતી આધારીત જુથોને બદલે એક નવાજ પ્રકારના વીકલ્પનો વીચાર મુકે છે. વડીલે તો લઘુમતીના ખ્યાલને એક ચોક્કસ ઘટના બતાવીને દેશના બીમાર લઘુમતીઓના સમુહના સંખ્યાબળને સમગ્ર ઉપખંડ જેટલી વસ્તી તેમાં સમાઇ ગઇ હોય છે તેવું સ્પસ્ટ રીતે બતાવી દીધું. આમ મોદી સરકારે, તો આ બધા જુદાજુદા સમુહોને, જેવાકે નાના ખેડુતો, સર્વપ્રકારના અસંગઠીત મજુરો, નાના કુશળ કારીગરોનો સમુહ, નાના ઉધ્યોગો, અને ડીગ્રી સર્ટીફીકેટવાળા બેકાર યુવાનોની ફોજ વી. બધાને વ્યવસ્થીત રીતે પોતાની નોટબંધી અને જીએસટીની નીતીઓથી પાયમાલ કરી દીધા છે.

બીજેપીએ આમ નાગરીક સમાજને તોડી નાંખીને તેનો વીકલ્પ જાણે આર એસ એસ અને તેની શાખાઓ હોય તેમ વીચારીને વર્તન કરવા–કરાવવા માંડયું છે. નાગરીક સમાજને અને તેની કોઇપણ નાગરીક લક્ષી વીચારો અને પ્રવૃતીઓને, બીજેપીએ રાષ્ટ્ર વીરોધી લેબલનો સીક્કો મારી દીધો છે. નાગરીકો એટલે રાજ્યના સત્તાકીય હીતો માટેના ફક્ત સાધનો! 

 વડીલે થોડોક વીરામ લઇને વધુમાં વાત કરી કે – અજંપાગ્રસ્ત દેશના કૃષીતંત્રની અસંખ્ય પ્રજા, અસંગઠીત કામદારોનો અર્થતંત્રમાંનો સમુહ, શીક્ષીત બેકારોની ફોજ અને પ્રભુત્વહીન બનાવેલો નાગરીક સમાજ, આબધા જ વંચીતો છે તેમાંથી નવી કોંગ્રેસની કેડર બનાવો. બીજેપી તો દેશના પૌરાણીક કાળ અને તેના ટેકાવાળા સત્તાના સમીકરણો જે આઉટડેટેડ બની ગયા છે તેને પાછા લાવવા માંગે છે. કારણકે આજને તબક્કે તો દેશમાં બધાજ પ્રકારની મહેનતકશ પ્રજાના સર્વપ્રકારના જીવન જીવવાના સાધનોને (destruction of livelihoods) ખલાસ કરી નાંખ્યા છે. અને દેશ સંગઠીત હીંસાના અનેક સ્વરૂપમાં ક્રમશ; ગરકાવ થઇ રહ્યો છે.

 છેલ્લે આપણો વડીલ કોફી ટેબલ પર જ સુઇ ગયો. ( સૌ. (Courtesy of Mail Today)

 

 

 

 


--

Wednesday, November 1, 2017

જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?


 
  જમણેરી વીચારસરણી કેમ અસંસ્કૃત,અત્યાચાર કરનારી અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારી છે?  તેની પાછળના મનોવૈજ્ઞાનીક કારણો કયા કયા છે? – અશોક સ્વઇન.(The writer is professor of Peace and Conflict Research at Uppsala University, Sweden.)

આ દેશમાં આપણને સૌ ને સારી રીતે માહીતી છે કે છેલ્લા કેટલાય સમયથી હીંદુત્વ આધારીત વીચારસરણીને વળેલું જુથ, જેને બૌધ્ધીક રીતે ' જમણેરી જુથ' તરીકે ઓળખવામાં આવે છે તે સોસીઅલ મીડીયા, એટલે કે ફેસબુક, ટવીટર, વોટસઅપ, મેસેંજર વી પર જેને સજ્જન ભાષામાં –  ' અશીષ્ટ ' કહીએ તેવી પોસ્ટ પોતાના બચાવમાં મુક્યા કરે છે. કેમ? તેમાંના મોટાભાગના લોકો પોતાના જીવનમાં ધાર્મીકરીતે ચુસ્ત પણ પોતાને ખુલ્લા પાડયા સીવાય અનામી કે પછી બનાવટી નામેની પોસ્ટ કરતા હોય છે. જ્યારે કેટલીક જાણીતી નામાંકીત વ્યક્તીઓ કોમી લાગણીઓ ઉશ્કેરાય તેવી બીલકુલ આક્રમક પોસ્ટ સોસીઅલ મીડીયાના ઉપર જણાવ્યું તે બધા માધ્યમો દ્રારા મુકે છે. એવું બીલકુલ નથી કે આવી અશીસ્ટ પોસ્ટ મુકનારા હીંદુત્વના ટેકેદારો ઓછું ભણેલા હોય છે.અને એવું પણ નથીકે તે બધા ટેકેદારો ફક્ત સોસીઅલ મીડીયા પર જ આવી પોસ્ટ મુકે છે.
       મારા હીંદુત્વના રાજકારણની ટીકાઓને  અશીષ્ટ રીતે નીયમીત વીરોધ કરનારા વીશ્વભરની જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં કામ કરે છે. પણ તે બધા વીરોધ કરનારા મુળવંશીય ભારતીય બૌધ્ધીકો છે. તેમાંથી ઘણાબધા સાથે મેં અભ્યાસ કર્યો છે તેમજ સાથે કામ પણ કર્યું છે. આ ઉપરાંત બૌધ્ધીક  રીતે તે બધાને મદદ પણ કરેલ છે. હાલમાં હું સ્વીડનમાં રહું છું ત્યાં મને આ બધામાંથી કેટલાક સુગચડે તેવી બીભત્સ, અશ્લીલ. ત્રાસદાયક કે અધમ કક્ષાની ઇ–મેઇલસ મોકલે છે. મને દેશદ્રોહીના લેબલથી નવાજ્યો છે. સ્વીડનની ઇન્ડીયન એમ્બેસી અને અન્ય સ્થળોએ પણ ભારતીય સત્તાવાળાઓ સમક્ષ આ બધાએ મારી વીરૂધ્ધ ફરીયાદ કરી છે. જ્યારે હું આ અંગે વીચાર કરૂ છું ત્યારે એમ મહેસુસ થાય છે કે શું ઉચ્ચ અભ્યાસ કરીને સારૂ સ્થાન પ્રાપ્ત કરેલા ભારતીય બૌધ્ધીકો આવી નાજુક અને સુંદર કોમેન્ટ પણ પસાર કરી શકે છે!

 એ સામાન્ય હકીકત છે કે બૌધ્ધીકો, વૈચારીક રીતે  ઉદારમતવાળા ડાબેરી વલણ ધરાવનારા હોય છે. ઉદારડાબેરી વલણ તે બધાને કરૂણા, દયા અને  સમતાવાદી વ્યક્તીગત ધોરણે બનાવે છે. આ બધા મુલ્યો તેમના અંગત અને જાહેર વર્તનમાં સહજતાથી આમેજ થયેલાં હોય છે. જ્યારે જમણેરીઓ  રૂઢીચુસ્તતા અને જે સે થે વાદી હોય છે. પુરાપર્વથી ચાલી આવતા સામાજીક અન્ય વ્યવસ્થાઓને ટકાવી રાખવાના તરફેણ કરે છે.. જમણેરી બૌધ્ધીકોના વલણો રૂઢીચુસ્તાને ટકાવવા તે બધાને ઉગ્ર હીંદુત્વવાદી બનાવે છે. તે તેમને અશીષ્ટ વર્તન. વીચાર અને કાર્ય તરફ ઢસેડી જાય છે.

જ્યારે ઉચ્ચ શીક્ષણ સામાન્યરીતે સામાજીક ઉદારવાદી બનાવે છે. બીજાના વીચારો અને મતો પ્રત્યે ખુલ્લાપણુ વીકસાવવામાં મદદ કરે છે, પ્રોત્સાહીત કરે છે. બ્રીટનમાં તાજેતરમાં થયેલા સર્વે મુજબ આઠમાંથી દસ પ્રોફેસરો ડાબેરી ઉદારમત ધરાવતા હતા.

 યુનીવર્સીટી કક્ષાએ સામાજીક વીધ્યાશાસ્રો તથા માનવવીધ્યાઓ કે સાહીત્ય વીધ્યાઓમાં ભાગ્યેજ કોઇ જમણેરી બૌધ્ધીકતા ધરાવનારા મળે! બીજું સામાન્ય રીતે ઉદારમતવાદી ડાબેરી વીચાર ધરાવનારા વ્યવસાયીક રીતે તે એકેડેમીક લાઇફ જ પસંદ કરે છે. બીજીબાજુ એકેડેમીક વાતવરણ પણ એવુંજ હોય છે જે સામાન્ય રીતે જમણેરી વીચારો અનેવલણોને પસંદ કરતું નથી.

 રાજકારણમાં જમણેરી વીચારસરણીવાળા રાજકીય નેતાઓને લોકો પેલા ડાબેરી ઉદારવાદીઓ કરતાં વધારે પસંદ કરે છે. જમણેરી નેતાઓની બોડી લેંગવેજ પણ પેલા બધા કરતાં વધુ આકર્ષક હોય છે. જમણેરી તરફી સ્કોલર્સ વધારે બૌધ્ધીકરીતે સજ્જ હોય છે. પણ એકેડેમીક જગતમાંતો ડાબી તરફ ઢળેલા સ્કોલર્સ જ વધારે આકર્ષક મનાય છે. તાજેતરના અભ્યાસ મુજબ જમણેરી લોકો બૌધ્ધીક ગુણાંક માપનમાં ઓછા હોય છે. કેમ? શા માટે? કારણકે તેઓ હંમેશાં રૂઢીચુસ્ત વીચારસરણીને પસંદ કરે છે.. તે વીચારસરણી વર્તમાન સામાજીક ,રાજકીય અને આર્થીક માળખાને ટકાવી રાખવામાં માને છે. આ જમણેરી લોકો બીજા અન્ય સામાજીક, ધાર્મીક,  જાતીય અને વંશીય સમુહો સાથે ઓછામાં ઓછો સંબંધ રાખે છે. તેમની એવી માન્યતા હોય છે કે તેવા સંબધો બોજારૂપ અને અન્યરીતે નુકશાનકારક(નફાકારક નહી) હોય છે. જેમાં મેળવવા કરતાં ગુમાવવાનું વધારે હોય છે. સામાજીક રીતે રૂઢીચુસ્ત વીચારસરણીના ઘણા બધા લક્ષણો બીજા સામાજીક સમુહો પ્રત્યે સખત પુર્વગ્રહયુક્ત વલણો રાખે છે. આવા પુર્વગ્રહોનું પછી એક વીષચક્ર બની જાય છે. તે વીષચક્ર તેના વીરોધી પરીબળોને અતીક્રમી જાય છે.આજે ભારતમાં જમણેરી પરીબળોએ ઉભી કરેલી ક્રાંતી (Right wing revolution) તેનું પરીણામ છે. મારા મત મુજબ ફક્ત મંદબુધ્ધી વાળો માણસ જ એવી માન્યતા ધરાવી શકે કે તે દેશની ૮૦ ટકા વસ્તીનો એક ભાગ હોવા છતાં તે અસલામત છે.         ખરેખરતો આ બહુમતી વસ્તીએ જ આઝાદી પછીના ૭૦ વર્ષમાં વીકાસના ફળો પોતાના રાજકીય અને આર્થીક પ્રભુત્વને કારણે વહેંચી લીધા છે. ઉપરની ચર્ચાનું તારણ એ છે કે રૂઢીચુસ્તતા અને બૌધ્ધીકતાને વ્યસ્ત સંબંધ છે. અથવા તે બંને એકબીજાની આમને સામને છે. પરંતુ કોઇ એવું તારણ પણ ચર્ચાનું ન કાઢી લે કે બધાજ જમણેરી બૌધ્ધીકો બુધ્ધી વીનાના અને બધાજ ઉદારમતવાદી ડાબેરીઓ હોંશીયાર કે સ્માર્ટ છે.બંને પક્ષે અપવાદો હોઇ શકે પણ સામાન્ય પ્રવાહ તો ઉપર મુજબની ચર્ચા પ્રમાણેનો જ રહેવાનો. જમણેરીઓ પોતાના લખાણોમાં અને સોસીઅલ મીડીઆના ઉપયોગમાં લઘુમતી વીરોધી અભીપ્રાયો ખુલ્લંમ ખુલ્લા પ્રદર્શીત કરવામાં તેમને કોઇ છોછ નથી. આવા લોકો ફક્ત પોતાના પુર્વગ્રહો આક્રમક રીતે સોસીઅલ મીડીયામાં લખતા નથી પણ સાથે સાથે અશીષ્ટ ભાષામાં લઘુમતીઓના સામાજીક–ધાર્મીક રીવાજો માટે પણ અભદ્ર ભાષા  મીડીયામાં વાપરે છે.આ બધા જમણેરીઓને ભારતના ઇતીહાસ અને દેશની વીવીધતામાં જે એકતા સદીઓથી ટકી રહી છે તેની સંપુર્ણ માહીતી છે. તેમ છતાં ઇરાદાપુર્વક તે બધા વીરોધાભાસી તથ્યોનો ઉપયોગ કરે છે. તેઓ પોતે નવી બનાવટી હકીકતો ને આંકડાઓને પેદા કરેછે. તેઓને બધાને હીંદુત્વ બ્રાન્ડના એક નેતા, એક ધર્મ અને દેશની એજ ભાષા હોવી જોઇએ તે પ્રકારની માનસીકતાની રચના કરવા મચી પડેલા છે. આ માટે તે જાહેરમાં લોકશાહી વીરોધી અસહીષ્ણાતાને ટેકો આપે છે. અને હિંદુત્વ વીરોધી અવાજને સમાજનો સદીઓથી ચાલુ રહેલો સામાજીક વ્યવસ્થાનું ( social  order) માળખું તુટી જશે  તેવો માનસીક ભય બતાવીને દબાવી દે છે. રાષ્ટ્રીય સલામતી ના નામે આ જમણેરી તત્વો મયન્મારથી (બ્રહ્મદેશથી) શરણાર્થી તરીકે આવેલા નાના બાળકો અને સ્રીઓને આંતકવાદી તરીકે ઓળખાવે છે.આ બધા જમણેરી ટેકેદારોમાં બૌધ્ધીકતા ઓછી હોવાથી તે અસંસ્કૃત,અત્યાચાર કરનારા અને સ્રી પ્રત્યે દ્વેષભાવ રાખનારા છે. (It is not unexpected from right-wing supporters with low intelligence to be openly uncivil, abusive and misogynistic.) જ્યારે આ બધા ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવનારા જમણેરીઓ, ઘોડાની આંખે પહેરેલા ડાબલામાંની માફક જુએ છે ત્યારે તેઓ તેમની રાજકીય માનસીકતા જ છતી કરે છે. રાજકીય માનસશાસ્રીઓએ કરેલા છેલ્લા પંદર વર્ષ ઘણા બધા સર્વે એવું સાબીત કરે છે કે  જમણેરી રૂઢીચુસ્તો અને ડાબેરીતરફી ઉદારમતવાદીઓનું વ્યક્તીત્વ અને માનસીકતાની કક્ષા બીલકલ ભીન્ન ભીન્ન હોય છે.

જમણેરી રૂઢીચુસ્તોની ચીંતન કે મનન કરવાની પધ્ધતી તદ્દન અલગ હોય છે. વીશ્વમાં  જુદી જુદી પ્રયોગશાળામાં અને જુદી જુદી પધ્ધતીઓ અને ટેકનીક્થી (a variety of methodological techniques) કરેલ પરીણામોનું તારણ છે કે જમણેરી લોકોમાં નકારાત્મક પુર્વગ્રહોનુંપ્રમાણ(a huge negative bias) ભરપુર હોય છે. સામાજીક રૂઢીચુસ્તો માનસીક રીતે સરળતાથી પોતાના વાતવરણમાં સહેલાઇથી ઉશ્કેરાટ, ઘૃણા વી. સર્જી શકે છે. અગાઉ જણાવયું તે પ્રમાણે તેઓ  જડબેસલાક સામાજીક ઓડર અને તેના આધારીત ચોક્કસતાના ટેકેદાર હોય છે. પણ તેઓ કોઇપણ પ્રકારના પરીવર્તન માટે અસહીષ્ણુ હોય છે. તેઓ કાલ્પનીક કે માની લીધેલા ભયની વાસ્તવીકતાથી સખત રીબાતા હોય છે પીડાય છે. દેશમાં રાજકીય વીચારસરણી માનવઅધીકારોના ભંગની ચીંતા કર્યા વીના પણ તેઓ મુજબત લશ્કર અને સખત કાયદાના શાસનની હીમાયત કરે છે. તેમાં નીર્દોષ લઘુમતીઓ અને દલીતોને મારી નાંખવામાં આવે કે જેલમાં પુરી દેવામાં આવે તેમાં આ લોકોને લેશમાત્ર રંજ હોતો નથી. થોડાક જમણેરી અતી બૌધ્ધીકોની નકારાત્મક રાજકીય વીચરસરણી તે પેલા નબળી જમણેરી બૌધ્ધીકતાવાળા ટોળાને પ્રજા સાથેના સંવાદમાં મતાંધ, મતાગ્રહી અને સ્રી પ્રત્યે દ્રેષભાવવાળા બનાવે છે.

  ડાબેરી ઉદારમતવાદીઓ વર્તમાન સામાજીક વ્યવસ્થાના આંતરીક સંબંધો અને રાજકીય વીચારસરણી અને સત્તા પ્રત્યે તુલનાત્મક અને ટીકાત્મક ( Comparative & critical approach) અને તાત્વીક ચીંતનમય અભીગમ લે છે. સને ૧૮૬૧માં કેટલાય વર્ષો પહેલાં જે એસ મીલે પોતાની ચોપડી 'ઓન લીબર્ટી' માં લખ્યું છે કે " રૂઢીચુસ્ત વીચારો, તેના રૂઢીરીવાજો અને જે સે થે વાદને ટકાવી રાખવા બહુ બૌધ્ધીક ચપળતા, કલ્પના કે ટીકાત્મક અભ્યાસની જરૂરત નથી.". કયા કારણોસર ભારતીય બૌધ્ધીકો ખુબજ મોટી સંખ્યામાં, જે બધા રૂઢીચુસ્તો જેવો નકારાત્મક અભીગમ ધરાવતા નથી તે લોકોએ પણ પોતાના ક્રીટીકલ માઇન્ડને ફ્રોઝન કરી દીધું છે. અને પેલા જમણેરી પ્રમાણમાં હલકી બૌધ્ધીક્તા ધરાવનારાઓની સાથે  ભેગા મળીને દેશમાં જમણેરી ક્રાંતી લાવવા સહકાર આપે છે.(Unfortunately, an increasing number of academics and intellectuals in India, who even do not suffer from negative bias have succumbed to the trend of taking a mental rest and joining the right-wing revolution of people with low intelligence.) સૌ. Outlook !5th October 2017.  ભાવાનુવાદક બીપીન શ્રોફ.





 

 

 


--

Monday, October 30, 2017

જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–


જયપ્રકાશ નારાયણના આર એસ એસ પરના વીચારો–

તારીખ ૩૦મી ઓકટોબર સને ૧૯૭૭ ને દીવસે જયપ્રકાશ નારાયણે આર એસ એસ માટે નીચે મુજબના નીરીક્ષણો કર્યા હતા. જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે  દેશમાં જરૂર ઉભી થાય તો આર એસ એસમાટે ખાસ કાયદો ઉભો કરવો જોઇએ. આર એસ એસના ભવીષ્ય માટે સવાલ પુછતાં જયપ્રકાશજીએ કહ્યું હતું કે " હું આર એસ એસ સામે કોઇપણ કાયદાકીય પગલાં લેવાની વીરૂધ્ધ છું પણ જરૂર પડે તો તેની સામે ચોક્ક્સ કાયદેસરનાં પગલાં લેવા જોઇએ." વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  આર એસ એસે તેની સંસ્થામાં દેશના બધીજ  કોમો માટે તેના બારણાં ખોલી નાંખવા જોઇએ. અથવા તેની આ દેશમાંથી પ્રવૃતીઓ સંકેલી નાંખવી જોઇએ. મારા મત મુજબઆ દેશમાં આર એસ એસના અસ્તીત્વને ટકાવી રાખવાનું કોઇ કારણવ્યાજબી કારણ નથી. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ એડીટોરીઅલ પેજ ૩૦– ૧૦– ર૦૧૭. (જયપ્રકાશજી જ્યારે વિચારતા હતા ત્યારે સને૧૯૯૨નો બાબરી દ્વવ્સ થયો નહતો અને ગુજરાતના ૨૦૦૨ના કોમી તોફાનો થયા ન હતા.અને તે સમયે વડાપ્રધાન બાજપાઇજીએ ગુજરાતના મુખ્યમંત્રી મોદીજીને રાજ્યધર્મ બજાવીને રાજીનામું આપવાની વાત કરી હતી.)

 આર એસ એસ વડા મોહન ભાગવતને મોદી સરકાર ઝેડ કેટેગરીની સુરક્ષા ૨૪ કલાક ૬૦ કમાન્ડોઝ સાથે પુરી પાડે છે.

 JP on RSS
Jayaprakash Narayan said that if necessary, there should be law to deal with the RSS. Replying to a question on the future of the RSS, he said: "I am against any legal action, but if necessary, that should be done." He said that the RSS should either open its doors to other communities
or wind up its activities. "I am clear that the RSS has no justification to exist now,"
he said.

RSS chief Mohan Bhagwat gets 'Z' VVIP security cover

   Sun, Jun 7 2015 05:58:51 PM

New Delhi, Jun 7 (PTI): Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat has been extended top category 'Z ' security cover with the commandos of CISF having been tasked with the job.

--

Sunday, October 29, 2017

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશને મરણોત્તર અન્ના પોલીતકવ્કા એવોર્ડ–

ગૌરી લંકેશ ભારતીય પહેલી જર્નાલીસ્ટ બની જેને આ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આપણને સૌને સારી રીતે માહીતી છે કે ગૌરી લંકેશને તારીખ ૫ મી સપ્ટેમ્બરના દીવસે તેના ઘરની બહાર જ ગોળીઓનો વરસાદ વરસાવીને મારી નાંખવામાં આવી છે.

અન્ના પોલીતકવ્કા એવોર્ડને પત્રકારત્વના ક્ષેત્રે વેશ્વીક કક્ષાએ ઘણોજ સન્માનીય એવોર્ડ ગણવામાં આવે છે. સદર એવોર્ડ રશીયન રીપોર્ટર અને રાજકીય વીશ્ર્લેશક, જેને ગૌરી લંકેશની માફક જ પોતાની લોકશાહી મુલ્યો તરફી વૈચારીક પ્રતીબધ્ધતા ને કારણે ૪૮ વર્ષની ઉંમરે સને ૨૦૦૬માં ૭મી ઓકટોબરના રોજ  રશીયાના પાટનગર મોસ્કોમાં તેણીના ફેલ્ટની લીફ્ટમાંજ રશીયાના વર્તમાન પ્રમુખ પુટીનના સત્તાકાળમાં મારી નાંખવામાં આવી હતી. તેણી બે દીકરીઓની માતા હતી. ગૌરી લંકેશને આ એવોર્ડ સુંયુક્ત આપવામાં આવ્યો છે. પાકીસ્તાની શાંતી કર્મનીષ્ઠ ગુલાલી ઇસ્માઇલ ઉંમર વર્ષ ૩૧, જે તાલેબાન સામે શાંતી જાળવવામાં અને તાલેબાની હીંસક પ્રવૃત્તીઓ સામે કામ કરે છે અને જેને તાલેબાન તરફથી સતત ખુનની ધમકીઓ મળેલ છે તેણીની સાથે ભાગીદારીમાં આ એવાર્ડ આપવામાં આવ્યો છે.

 સદર એવોર્ડ આપનાર સંસ્થા ' થોમસન રાયટર્સ ફાઉન્ડેશન' લંડનને ગૌરી લંકેશની બહેન કવીતા લંકેશે જણાવ્યું હતું કે " આ એવોર્ડથી જે લોકો ગૌરીની માફક નીર્ભય અને હીંમતથી સત્ય માટે કલમ ચલાવનારા છે તે સૌ ને નૈતીક હીંમત ને શક્તી મળશે. ગૌરી તો સંદેશો આપતી ગઇ છે કે તમે બંદુકની ગોળીઓથી મારા અવાજ અને વીચારને દબાવી શકશો નહી."

એવોર્ડ આપનાર કમીટીએ પોતાનું નીરીક્ષણ કરતાં જણાવ્યું કે " ગૌરીનું કામ, તેણીનું વ્યક્તીત્વ, અને તેણીનું જે રીતે ખુન કરવામાં આવ્યું છે તે બીલકુલ અન્નાના જીવન સંઘર્ષ અને સત્ય માટેની શહીદીને મળતું આવે છે." આવો એવોર્ડ મેળવનાર ગૌરી લંકેશ પ્રથમ ભારતીય છે. ગૌરીની બહેન કવીતાએ આ સંદર્ભમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે " આ એવોર્ડ ગૌરીને કે તેણીના કુટુંબને મળ્યો નથી પરંતુ જે કોઇ સર્વે ગૌરી જેવા મુલ્યો અને પ્રવૃત્તીઓ કરી રહ્યા છેઅને ગૌરીની શહાદતની સાથે રહ્યા છે તે સૌના સન્માન માટેનો આ એવોર્ડ છે." ( Addressing a press conference here, Kavitha said the award does not belong to the family but to "everyone who stood by Gauri".) ગૌરીએ તો ભારતીય પ્રેસ જગતની સ્વતંત્રતા માટે પોતાની શહીદી વહોરી લીધી છે.કારણકે સને ૨૦૧૪ પછી બીજેપીએ જે રાજકીય સત્તામેળવીને સપાટો બોલાવી દીધો છે, તેને કારણે ગૌરીએ સતત ધાર્મીક અસહીષ્ણુતા અને હીંસા,જ્ઞાતીવાદી સામાજીક અસમાનતા અને હીદુંત્વવાદી આક્રમક પરીબળોના પ્રભાવ ઉપર સતત લખતી રહી હતી.  ભલે સોસીઅલ મીડીયાપર સત્તારૂઢ બીજેપી અને હીંદુત્વના ટેકેદારો ગૌરીની વીરૂધ્ધની વાતો કરીને ઝેર ઓકતા હોય! અમને ગૌરીના કુટુંબીજનોની બે ઇચ્છાઓ છે. એક ગૌરીના ખુનીઓને ન્યાયતંત્ર સમક્ષ હાજર કરવામાં આવે અને ગૌરીનું ખુન કરવાનો હેતુ શું હતો તે જણાય!

(સૌ. હીન્દુસ્તાન ટાઇમ્સ).


--

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

ઇશ્ક કા કોઇ મજહબ નહી .

("પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે." અમેરીકન કવીયત્રી માયા એન્જેલા. (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરમાં કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે એક ઐતીહાસીક ચુકાદો આપ્યો છે. તે ચુકાદામાં કોર્ટે આંતરધર્મીય લગ્નો સામે ઝુબેશ ચલાવનારાઓને ચેતવણી આપી છે. ' પ્રેમ એ સ્વતંત્રતા સાથે કદી છુટો ન પડે તેવો ગુંથાઇ ગયેલો એક અનીવાર્ય ભાગ છે'. આજ હાઇકોર્ટે મે ૨૦૧૭માં ૨૪વર્ષની હીંદુ સ્રીને પુખ્તવયની હોવા છતાં, તેની ઇચ્છા વિરૂધ્ધ, તેના મા– બાપની એવી અરજીને દાદ આપી હતી કે તેણીને બળજબરીથી મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવીને પરણાવી દેવામાં આવી છે. તેણી 'લવજેહાદ' કાવતરાનો ભોગ બની છે. મા– બાપની દાદને કોર્ટે એ રીતે સ્વીકારી હતી કે તેઓનું  ફરજંદ ગમે તે ઉંમરનું હોય તો પણ મા– બાપને પોતાના ફરજંદની સ્વતંત્ર નીર્ણય કરવાના અધીકારની સામે જૈવીક મા–બાપને પોતાના વારસ માટે સારુ શું કે ખોટું શું તે નક્કી કરવાનો અધીકાર છે. કોર્ટે આ દલીલને સ્વીકારી  ૨૪વર્ષની સ્રીનો કબજો તેના પતી પાસેથી મા–બાપને સોંપ્યો હતો.આંતરધર્મીય લગ્નો એટલે બળજબરીપુર્વક ધર્માંતર કરીને કરેલાં લગ્નો એવી જે ' ઘરવાપસી અને લવ જેહાદ'ની સમાજમાં જે ધીક્કાર ફેલાવવાની ચળવળ ચાલુ થઇ છે તેને સદર ચુકાદાએ કાયદેસરતા આપી. આમ કોર્ટે જોખમી આયામ પર સમાજને મુકી દીધો હતો.

તારીખ ૧૯મી ઓકટોબરના રોજ આજ કેરાલા હાઇકોર્ટની ડીવીઝન બેંચે ઉપર જણાવેલા ચુકાદાને રદ બાતલ કરીને મક્ક્મ અને શાણપણ ભરેલા કારણો શોધી કાઢીને નવો ચુકાદો આપ્યો છે.( Last week on Thursday, a judgment by the same court brings us back to firmer and saner ground.)સદર અરજી કોર્ટમાં તેણીના પતીએ પોતાની પત્નીને તેણીના મા–બાપ પાસેથી પરત મેળવવા કરેલી હતી. ડીવીઝન બેન્ચે 'બંદી પ્રત્યક્ષીકરણ'(a habeas corpus petition)ની અરજી નો જવાબ આપતાં લાગતાવળગતા સૌને ચેતવણી આપી હતી કે ધર્માંધ અને મતાગ્રહી લોકો દ્રારા વ્યવસ્થીત રીતે ફેલાવવામાં આવતા માનસીક ભય અને વીવેકહીન (paranoia) પ્રવૃતીઓથી દોરવાઇ ન જવું. દરેક આંતરધર્મીય લગ્નો એ ધર્મ પરીવર્તનના હેતુઓથી કરવામાં આવતાં નથી. અમે ન્યાયતંત્ર તરીકે લોકોને અપીલ કરીએ છીએ કે આવી વાહીયત વાતોના બલી ન બનશો અને ઉશ્કેરાટમાં આવી ન જશો. નામદાર કોર્ટે ભારતીય દરેક નાગરીકનો બંધારણીય અધીકાર છે કે તેની ઇચ્છા મુજબનો જીવન સાથી પસંદ કરવો અને તે પ્રમાણે જીવનનો માર્ગ નક્કી કરવો. અમે ન્યાયતંત્ર તરફથી ફરીથી એકરાર કરીએ છીએ. (It reaffirmed the constitutional right of an Indian citizen to choose her life partner and determine the course of her life — even if her community and clan are ranged against her.)  ભલે આવા તમારા નીર્ણયથી તમારી જ્ઞાતી કે સામાજીક સમુહ ખફા હોય કે વીરુધ્ધ હોય. આવા લગ્ન કરનારાના મા– બાપો પોતાના પુખ્ત ઉંમરના દીકરા કે દીકરીના આંતરજ્ઞાતી કે આંતરધર્મીય લગ્નો ને સ્વીકૃતી ન આપતા હોય તો વધુમાં વધુ તો તેઓના મા– બાપો પોતાના દીકરા– દીકરીના સામાજીક સંબંધો કાપી નાંખે.( "If the parents of the boy or girl do not approve of such inter-caste or inter-religious marriage, the maximum they can do is that they can cut off social relations with the son or the daughter," it said.) નામદાર કોર્ટે રાજ્ય સરકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તમારો આવા પોતાના બંધારણીય હક્ક મુજબ નીર્ણય કરનારાની તરફેણમાં મક્ક્મ રીતે ઉભા રહેવું તે રાજ્યની ફરજનો એક ભાગ છે.ઇન્ડીયનએકસપ્રેસના તંત્રી પોતે લખે છે કે " ખરેખરતો કોર્ટે અતીઉત્સાહી બનીને સામાજીક કે આર્થીક રીતે નાનામાં નાના નાગરીકની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જોઇએ. કોર્ટે, સમાજે તેના વીદ્રોહીઓ માટેની સ્વતંત્રતા માટેના બારણાં બંધ કરી દેવામાં આવ્યા છે તેને પોતાના ચુકાદાઓથી ખોલી નાંખવા જોઇએ." ("This court should be overzealous to protect the individual liberty of even the lowliest citizen… and unlock the door to [her] freedom," it said.).

આવોજ એક કેસ(Hadiya case) સુપ્રીમ કોર્ટમાં હજુ અનીર્ણીત છે. તે અંગે ઇન્ડીયન એકસપ્રેસના તંત્રીએ પોતાના ૨૩–૧૦– ૧૭ના તંત્રી લેખમાં દેશની માનનીય સુપ્રીમ કોર્ટને વીનંતીપુર્વક જણાવે છે કે ' કેરાલા હાઇકોર્ટે જે નીર્ણય કર્યો છે તેને આધારે પોતાના તારણો કાઢે.' ( The honourable SC should take note of the wisdom in the Kerala HC's order, especially its unambiguous endorsement of the subversiveness and humanity of love.)

કેરાલા હાઇકોર્ટેને સલામ સાથે કહેવું પડે કે તેણે આ કેસમાં ચુકાદાની શરૂઆત મહાન અમેરીકન કવીયત્રી "માયા એન્જેલો" ની પંક્તીઓથી કરેલી છે. ' પ્રેમ કોઇ સીમાઓના બંધનોને ઓળખતો નથી. તે તેની સામેના અવરોધોને ઠેકી જાય છે, સમાજે ઉભી કરેલી વાડોને કુદકો મારીને કુદી જાય છે,અને તે બધી દીવાલોનું ઉલ્લઘન કરીને જે આશાનું અંતીમ સ્ટેશન છે ત્યાં યેનકેન પ્રકારે પહોંચી જાય છે.' (The bench begins the judgment by quoting the great American poet, Maya Angelou:"Love recognises no barriers, it jumps hurdles, leaps fences, penetrates walls to arrive at its destination full of hope.")

 તાજેતરના વર્ષોમાં ઇરાદાપુર્વક ખાસ કરીને આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય પ્રેમ લગ્નો સામે દેશમાં સંપુર્ણ વ્યવસ્થીત રીતે ધીક્કારનો કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યો છે.તેની સામે નામદાર કેરાલા કોર્ટે આપણને  યુવાનપ્રેમીઓના પ્રેમ કરી લગ્નકરવાના અધીકાર પર જે ધબ્બો કે કાળો ડાઘ જેહાદી તરીકેનો ખાસ ધર્મ સામે લાગેલો હતો તેને દુર કરી આપ્યો છે. અમેરીકન કવીયત્રી એન્જેલાએ આપણને યાદ દેવડાવી છે કે  પ્રેમ અને સ્વતંત્રતા એક બીજા સાથે એટલા ઓતપ્રોત  થઇ ગયા છે. તે બેની જોડી હોઇ શકે નહી તેવા એકરૂપ (free radicals )થઇ ગયા હોય છે. દરેક લોકશાહી સમાજ વ્યવસ્થા આવા વધુ ને વધુ ઓતપ્રોત થઇ ગયેલા પ્રેમીઓના એકરૂપ એકમોને જન્મ આપીને વીકસાવવા જોઇએ જો તે સ્વતંત્રતામાં માનતા હોય તો!.ભાવાનુવાદતંત્રી લેખનો–By Courtesy-- I. Express—Editorial dated 23rd Oct-17.

 

 


--

Sunday, October 22, 2017

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

મેઇક ઇન ઇંડીયા– વાઘને કોણ કહે કે, ભાઇ! તારૂ મોં.......!

 સને ૨૦૧૪ના સપ્ટેમ્બર માસમાં મોદી સાહેબે ' મેઇક ઇન ઇંડીયા' નો તુક્કો રમતો મુકયો હતો. બીજા બધા નોટબંધીથી માંડીને તેમના ઘણા બધા વીચારો એ તઘલઘી તુક્કોમાં કેવી રીતે રૂપાંતર થાય છે તે આપણે મે .ઇ .ઇ. ( મેઇક ઇન ઇંડીયા નું ટુંકુ રૂપ) ના ફજેતાથી જોઇએ.

કોટક સીક્યોરીટીઝ ના સુવોદીપ રક્ષીત અને બીજા બે નાણાંકીય નીષ્ણાતોએ સપ્ટેમ્બર ૨૦૧૭માં મે.ઇ.ઇ.ના બરાબર ત્રણ વર્ષો પુરા થયા પછી એક ખુબજ ચોંકવનારો રીપોર્ટ બહાર પાડયો છે. તેમના પૃથ્થકરણ પ્રમાણે મોદી એન્ડ રાજ્ય કર્તા કુંપનીએ દેશના અર્થતંત્રની હકીકત વીરૂધ્ધનું દંભી અને આડંબરી ચીત્ર દેશ અને દુનીયાને બતાવી રહ્યા છે. પોતાના સંશોધીત રીપોર્ટનું નામ આપ્યું છે.

 "  between  scylla & charybdis ". ગ્રીક પુરાણ કથા મુજબ આ બે સીલ્લા અને ચેરીબ્ડીસ નામના બે દરીયાઇ  ખતરનાક પશુઓ હતા. બે માંથી જે પસંદ કરો તેમાં વીનાશ અનીવાર્ય હતો. હકીકતમાં તે ઇટાલી અને સીસેલી વચ્ચેની મસીહાની સમુદ્ર્ધુનીમાં આ બે એવા સાંકડા  પુર્વ– પશ્સીમના વીસ્તારો છે  જે  સમુદ્ર્ના નાવીકો માટે ખુબજ જોખમકારક આજે પણ છે.. એક બાજુ દરીયમાં ખડકો છે,અને બીજુ ચક્રવાક જેવાં ઘુમરાતા પાણી છે.નવી દીલ્હીની સરકાર માટે કાંતો બેંકોના દેવાળા કાઢીને ભભકા ચાલુ રાખો અથવા આર્થીક મજબુરીઓમાં દેશની પ્રજાને ગુંગળાવી નાંખો.

અગાઇ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪ના સપ્ટેમ્બરમાં  મેક ઇન ઇંડીયાનો સીંહ સાથેનો ચક્ર અને ગીયર બતાવતો લોગોનો કોન્ટ્રાક્ટ ૧૧ કરોડમાં 'Weiden+Kennedy India Limited, 'પોર્ટલેંડ,ઓરેગોન યુએસ એની જાહેરાત કુંપનીને કોઇપણ જાતના ટેન્ડર મંગાવ્યા સીવાય ત્રણ વર્ષ માટે જાહેરાત કરવા આપી દીધો હતો. કોટક સીક્યોરીટીઝના લેખકો જણાવે છે જે  મે.ઇ.ઇ ની ગાડી પાટા પર ચડે તે પહેલાંજ ત્રણ વર્ષેની આખરે રેલનીપટરી પરથી નીચે ઉતરી ગઇ છે.

મે.ઇ.ઇ.નો સૌથી મોટા અને આશાસ્પદ પ્રોજેક્ટનું શું થયું તે જોઇએ.૨.૫ બીલીયન ડોલર્સનો એક રેલ્વેના ડીઝલ કમ ઇલેટ્રીક એન્જીન બનાવવાનો પ્રોજેકટ યુએસએની કુંપની જનરલ ઇલેટ્રીક કું( જી ઇ) ને આપેલો હતો.તે પ્રોજેક્ટ બીહાર રાજ્યના મરહોરા અને છાપરાવીસ્તારમાં શરૂ કરવાનો હતો.આશરે ચાલુ વર્ષમાં સપટેમ્બર માસની ૧૫મી તારીખની આસપાસ મોદી સરકારે આ પ્રોજેક્ટ એમ કારણ બતાવીને બંધ કર્યો કે હવે દેશને ઇલેકટ્રીક રેલ્વે એન્જીનોની જરૂર છે ડીઝલ કમ ઇલેકટ્રીક એન્જીનોની નહી. આવું જ્ઞાન સાહેબને અમેરીકાની જી ઇ કું સાથે કરાર કર્યો ત્યારે શું ખબર નહતી? એક તરફી કરાર ભંગના નાણાં રૂપીયા ૧૩૦૦ કરોડ ભારતીય રેલ ખાતું (દીલ્હી સરકાર) અપમાનીત થયેલ જી ઇ કુંની ને ચુકવશે. આપણે બીહારના મહાગઠબંધન સાથે છેડો ફાડીને આવેલા બીહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કેવી દશા  મોદી– અમીત શાહની બેલડીએ હવે કરી દીધી તેની વાત નહી કરીએ. તેની સામે બે ટર્મ સુધી રેલ્વે મંત્રી રહી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ કહે છે કે દેશના૧,૧૦૦૦૦ કીલો મીટર્સના રેલ્વે ટ્રેક્સનું વીજળીકરણ કરતાં કેટલાય યુગો નીકળી જશે. ભારત સરકારનો બીહાર માટે એવો દાવો છે કે ત્યાં રાજ્યમાં ૯૬ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે. હકીકતમાં સને ૨૦૧૫માં તે અંગે થયેલા સર્વે મુજબ બીહાર રાજ્યના ફક્ત આઠ ટકા ઘરોમાં વીજ– જોડાણ છે અને તે દીવસમાં ૨૦ કલાક આવે છે. તે રાજ્યની આશ્ચર્યચકીત કરનારી હકીકત એ છે રાજ્યના ૮૦ ટકા ઘરોમાં રાત્રે કેરોસીન– ફાણસ વાપરીને અજવાળુ કરવામાં આવે છે.

 બીજી બાજુ વીશ્વના બધાજ દેશોમાં  રેલ્વો એન્જીનો વધુ ભાર (લોડ) ખેંચી શકે માટે વીજળીથી ચાલતા એન્જીનો બંધ કરી દેવામાં આવ્યા છે.  જનરલ ઇલેકટ્રીક કું એ અમેરીકા,ઇરાન, ચાઇના અને સોવીયેત રશીયામાં ગેસ, કે ડીઝલ અને વીજળી બંનેના સંયુક્ત ઉપયોગથી અનુક્રમે ૪૪૦૦, ૪૩૦૦, ૬૨૫૦ અને ૧૧૩૦૦ હોર્સ પાવર સુધીના એન્જીનો બનાવી આપ્યાં છે.

 દીલ્હી સરકાર એમ વીચાર કરે છે કે  વીજળીના ઉપયોગથી ડીઝલનો ખર્ચ બચશે! પણ તેઓને કોણ પુછવાની હીંમત કરે કે શું વીજળીનું ઉત્પાદન  કોઇપણ જાતના ખર્ચ વીના હવાનો ઉપયોગ કરીને થાય છે? દેશના રેલ્વે ખાતાના સંશોધન મુજબ બધાજ રેલ્વે એન્જીનો ડીઝલથી ચલાવવામાં આવે તો રેલ્વેના વીજળી બીલમાં કુલ ૨૦ ટકાની બચત થાય! અને બચત થયેલી વીધ્યુત શક્તી દેશના ઉધ્યોગો, વેપાર ધંધા, રહેણોકો અને ખેતીક્ષેત્રોને પહોંચાડી શકીએ. મેઇક ઇન ઇંડીયાની મૃતકબરના કોફીન પર મોદી સરકારે જી ઇ કું સાથેનો રેલ્વે એન્જીનનો કરાર રદ કરીને છેલ્લો ખીલો મારી દીધો છે કે જેથી તે ફરી જીવીત કે બેઠુ જ થાય નહી.

કેટલાક શેખી મારે છે કે ઇંડીયા ફાર્મસીના ક્ષેત્રે વીશ્વમાં બીજા દેશોની સરખામણીમાં સૌથી ટોચની કક્ષાએ છે.હકીકતમાં  આ ક્ષેત્રના હરીફ ચીનની સાથે સરખામણી કરીએ તો આપણો દેશ કુલ જીડીપીના ૦.૯ ટકા, એક ટકો પણ નહી દવાક્ષેત્રમાં સંશોધન માટે વાપરે છે. જ્યારે ચીન ૨.૧ ટકો પોતાના કુલ જીડીપીનો વાપરે છે. આપણાથી ડબલ. એક સંશોધન પ્રમાણે દેશના ૬૦ ટકા મેડીકલ ઇન્સ્ટીટયુટ કોઇપણ જાતના સંશોધન કામ કરતા નથી. દેશમાં જે કોઇ મેડીકલ ક્ષેત્રે રીસર્ચ થાય છે તે સરકારી સંસ્થા ઓલ ઇંડીયા ઇન્સ્ટટીયુટ ઓફ મેડીસીન દ્રારા જ થાય છે.જેના નાણાંનો ખર્ચ આપણા કરવેરામાંથી થાય છે. મેડીકલ ક્ષેત્રે નવા રીસર્ચ પેપર વીશ્વ સમક્ષ મુકવામાં આપણું સ્થાન ન ગણય છે. પણ વીશ્વ કક્ષાએ મેડીકલ ક્ષેત્રોમાં જે સંશોધન થાય છે તેમાં પ્રયોગ કરવા ભારત દેશના ગરીબ દર્દોનો ભરપેટ 'પેલા ગુઆના– પીગ્સ અથવા સફેદ ઉંદર ' તરીકે કરવામાં સરકાર મદદ કરી રહી છે.

   એક એવી ખોટી માન્યતા ફેલાવવામાં આવી છે કે આપણા દવા ઉત્પાદકો વીશ્વના જુદા જુદા દેશોના દવા ઉત્પાદકો કરતાં ઘણા શ્રૈષ્ઠ છે.  હકીકતમાં આ બધાજ ભારતીય દવા ઉત્પાદકો દવામાં વપરાતો કાચો માલ ( Active Pharmaceutical Ingredients or API ) ચીનથી મંગાવી પોતાના પેંકીગમાં પેક કરીને નીકાસ તરીકે પરદેશ મોકલે છે. સને ૨૦૦૦ની સાલમાં ચીનથી આવો કાચો માલ ફક્ત ૨૦ ટકા આયાત કરવામાં આવતો હતો. સને ૨૦૧૪–૧૫ની સાલમાં જ્યારે મેઇક ઇન ઇંડીયા પ્રોજેકટ તેની સોળે કળાયે દેશમાં ધબકતો હતો ત્યારે તે કાચા માલની આયાત ચીનમાંથી બાવન ટકા હતી.

 બીજેપી પક્ષ ડોકલમના મુદ્દે ચાઇના સામે સ્વ આનંદ માણે છે પણ તેમને સહેજ પણ ખબર નથી કે ભારતમાં દવા ક્ષેત્રે કાચોમાલ બનાવવાનું સને ૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધ પછી જ શરૂ થયું હતું. મેઇક ઇન ઇંડીયાના ટેકામાં ચીનની મોબાઇલ બનાવતી કુંપનીઓ ભારતમાં તેમના મોબાઇલ બનાવવાના કારખાના સ્થાપે માટે ચીનમાંથી આયાતી મોબાઇલ ફોન પર દસ ટકા આયાત ડયુટી નાંખવામં આવી છે. પણ આ મે ઇ ઇ વાળા ચૈન્નાઇની સ્વદેશી 'નોકીયામોબાઇલ' કુંપની ચીનના મોબાઇલ સામે ટકી રહે માટે સીધા કે પરોક્ષ કોઇ પ્રોત્સાહનો આપતી નથી. ગઇસાલ સને ૨૦૧૬માં દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કું એલ એન્ડ ટી એ ૧૪૦૦૦ પોતાના કર્મચારીઓને હરીફાઇવાળા બજારમાં ટકી રહેવા "લે ઓફ' આપી દીધો અથવા છુટા કરી દીધા છે. દેશમાં દરરોજ ૩૦,૦૦૦ યુવાનો નોકરી મેળવવા પ્રયત્નો કરે છે. પણ તેઓને નોકરી નહી મળતાં નીરાશ થઇને પાછા ઘેર આવે છે.આવો મેઇક ઇન ઇંડીયાના પ્રોજેક્ટ દેશના યુવાન બેકારોને દરરોજ ગાલે લાફો મારે છે. તે લાફો ખાનાર પેલા યુવાનને પુછી તો જુઓ કે તે લાફાની અસર તે જુવાન અને તેના કુટુંબ પર દરરોજ કેવી પડે છે!  સૌ. ટાઇમ્સ ઓફ ઇંડીયા. તા.૧લી ઓકટોબર ૨૦૧૭, પાન નં ૧૭.)


--

Thursday, October 19, 2017

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

 ' મંદીર વહીં બનાયેગે' બાબરી મસ્જીદ ધ્વંસ, સને ૨૦૦૨ના તેમના મુખ્યમંત્રી પદ હેઠળ થયેલા તોફાનો, કેટલા MOU ગુજરાતમાં તેમની જુમલેબાજીમાં થયા અને તેનાં પરીણામ કેવા આવ્યા કે હજુ ૧૬મી ઓક્ટોબરના ૨૦૧૭ના રોજ પણ જાત જાતના શીલાન્યાસ અને MOU ગુજરાતમાં વારંવાર આવીને કરવા પડે છે. ત્યારબાદ સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આપેલા વચનો, પછી નોટબંધી અને જીએસટીની રાત્રે બાર વાગે દેશની સંસદમાં ઉજવણી, તેમના સાડાત્રણ વર્ષના શાસનમાં એકસો કરતાં વધારે  બૌધ્ધીકોએ કરેલ એવોર્ડ વાપસી. નોબેલ વીજેતા અમર્તસેનનું તક્ષશીલા યુનીર્વસીટીમાંથી વી. સી તરીકે રાજીનામું, નીતી આયોગમાંથી રંગરાજનની સ્વનીવૃતી, પ્રધાન મંત્રીને દેશના હાર્વર્ડના અર્થશાસ્રીઓ કરતાં પોતાના 'હાર્ડવર્ક' માં વીશ્વાસ, આ ઉપરાંત પેલા અખ્લાખ, જુનેજ. જેએનયુના નબીજ જંગનું ઐતીહાસીક કે રહસ્યમય ગુમથવું, મોહન ભાગવતની લવજેહાદ અને 'કાઉ લીંચીંગ' મોદીનું પેલુ સુત્ર ' મીનીમમ ગર્વનમેંટ અને મેક્ષીમમ ગર્વન્નસ' બદલે મેક્સીમ ગવર્મેંટ અને મીનીમમ ગર્વન્નસ, કેન્દ્ર સરકાર દીવસ ને રાત મહત્તમ સત્તા એકત્ર કરીને પક્ષ અને પક્ષ બહારના વીરોધીઓને ડામવાજ ઉપયોગ કરવો. અરૂણ શૌરીના મતે દેશની સરકાર ફક્ત અઢી માણસથી ચાલે છે, એક મોદી પોતે, બીજા અમીત શાહ અને અડધા નાણાંમંત્રી અરૂણ જેટલી.આ ઉપરાંત  બીજી ઘણી વાતો અહી રજુ કરી શકાય પણ તેમના નવા દાવને ઓળખવાની મારે વાત કરવી છે.

હવે આ સાહેબને કાયમ માટે લોકસભા અને રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ સાથે થાય તેવું તંત્ર ચુંટણી પંચનો પોતાની સત્તાનો ઉપયોગ કરીને કરવું છે. દેશના બંધારણે ભારતને એક દેશ તરીકે યુનીયન ઓફ સ્ટેટસ એટલે સમવાયી તંત્ર છે તે પ્રમાણે કાયદેસરનું અસ્તીત્વ બક્ષેલુ છે. તેને ક્રમશ નાબુદ કરવું છે. રાજ્યો પોતાની મેળે પોતાની ચુંટાયેલી સરકાર દ્રારા જે સને ૧૯૫૦થી રાજ્યશાસન ચલાવતા આવ્યા છે તેને નાણાંકીય સાથે તમામ વહીવટી અને નીતી વીષયક નીર્ણયોની સત્તા જે બંધારણે આપી છે તેને નાબુદ કરીને કેન્દ્ર હસ્તક લઇ લેવી છે. દેશની પ્રજાની વીવીધતા તો જુઓ. એક બાજુ ઉત્તરપુર્વના રાજ્યો ની સાંસ્કૃતીક અને જીવનમાં દક્ષીણ અને ઉત્તર ભારતના રાજ્યો કરતા કેટલો મોટો તફાવત. કાશ્મીરનાપ્રશ્નો, મધ્યભારતના રાજ્યોની આગવી વીશીષ્ટતા. આ બધાને કાયદાથી કે બુંદુકની અણીએ કેવીરીતે એકરૂપ બનાવાય.! આ માણસે તે માટે રમતા મુકેલા મુદ્દાઓને સમજીએ.

કેન્દ્રની લોકસભા અને બાકીના બધા રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ એકી સાથે જ થવી જોઇએ. કેમ? કારણકે અલગ અલગ ચુંટણી થતાં ચુંટણી કરવાનો ખર્ચ, તથા રાજકીય પક્ષોને ખુબજ મુસીબત પડે છે. " મારો મંત્ર છે, સમગ્ર દેશ માટે એક ટેક્ષપ્રથા, એકજ ચુંટણી, એક ધર્મ,એક ભાષા,, એક નેતા,અને એક જ સાંસ્કૃતીક મુલ્યોવાળી પ્રજા. સદીઓથી વીકસેલી બહુધર્મ, બહુ રીતરીવાજો અને અનેક ખાનીપીણીના વ્યવહારો અને સેંકડોભાષાઓ અને બોલીઓથી સંપન્ન દેશ ક્યારેય મજબુત રાષ્ટ્ર બની શકે નહી. છેલ્લા કેટલાય વર્ષોથી જે સમવાયી રાજ્ય વ્યવસ્થાને કારણે જે વીકેન્દ્રીત મજબુત રાજ્યો, તેમજ જીલ્લાપંચાયત અને સહકારી સંગઠનો વીકસ્યા છે,અને તેના રાજ્ય, જીલ્લા કે પંચાયત અને સહકારી ક્ષેત્રે નેતો પેદા થયા છે તે કેન્દ્રની એકહથ્થુ નેતાગીરીના સત્તાકીય પ્રભાવ ક્ષેત્રમાં મોટાપાયે અડચણરૂપ બને છે. 'કેન્દ્રીય નેતાગીરી મજબુત હોવી જોઇએ. નહીકે રાજ્યના સુબાઓની સત્તા. દેશના ગામડાઓથી માંડીને દરેક રાજ્યોના વીકાસ માટે  શું જરૂરી છે તે કેન્દ્ર્ની નેતાગીરીએ જ નક્કી કરવું જોઇએ. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા સાધનોની મદદથી એવી માયાજાળ પેદા કરવાની તેઓની નેમ છે કે દેશના બધાજ ગામડા નું ભાવી સીધું દીલ્હીથી જ નક્કી થાય! " મેં ડીમોનીટાઇઝેશન કે નોટબંધી કરી તેમાં ક્યાં મેં કોઇ રાજ્યોને પુછયું હતું કે  તેમની મીટીંગ બોલાવી હતી. મને મારી સત્તાના નીર્ણયમાં કોઇની મંજુરી લેવી પડે, ચર્ચા કરીને સંયુક્ત નેતૃત્વ વીકસાવવું તે મારા સ્વભાવમાં જ નથી. મારો બૌધ્ધીક અને નેતૃત્વનો વીકાસ તે રીતે થયોજ નથી." બીજા ઘણા બધા વચનો અને સુત્રો પ્રજાને મેં સને ૨૦૧૪થી આપતો આવ્યો છું તેમ આ સુત્ર પણ ભુલી જાવ. " મીનીમમ ગર્વમેંન્ટ અને મેક્સીમમ ગર્વનન્સ". મારા સાચાસ્વરૂપને ઓળખવું હોય તો " મેક્સીમમ ગર્વમેંન્ટ અને મીનીમમ ગર્વનન્સ ના સંદર્ભેમાં જ મારા દરેક પગલાં અને નીતીઓને મુલવશો તો જ તમે મને ઓળખી શકશો. મારી નીતીઓ અને પગલાના અમલ માટે મને સીબીઆઇ, ઇન્ક્મટેક્ષ તંત્ર, અને મારા ઇશારે ચાલતું કેન્દ્ર્નું વહીવટીઅને ગૃહખાતાનું માળખું પુરતું છે. ડીમોનીટાઇઝેશન વખતે મેં જરૂરત પડી તેમ આશરે ૩૦ થી ૪૦ વાર નીયમો બદલ્યા હતા. જીએસટી અંગે કોઇ બાંધછોડ નહી પણ હમણાં જ આવી રહેલી ગુજરાતની ચુંટણી ના સંદર્ભ જે કોઇ છુટછાટો આપવી પડે તેમાં મને કશું અજુગતુ લાગતું નથી. કારણકે સત્તા મેળવવા અને મળેલી સત્તા લોકોના હીતમાં(!) ટકાવી તો રાખવી પડેને.


--

Monday, October 2, 2017

દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને! ––જુલીયો રીબેરો


દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને!

– જુલીયો રીબેરો. ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૧૮મી સપ્ટેમ્બર.)  લેખનો ભાવાનુવાદ.

આજે દેશમાં પોલીસ તંત્ર કાયદાના શાસનને સમર્થન આપવાને બદલે રાજકીય સત્તા જે રાજકીય પક્ષની હોય તેના હુકમના સમર્થનમાં કામ કરે છે. હું ગુરમીત સીંઘની ધરપકડ માટે (જેને હું બાબા કે રામ રહીમ કહેવા તૈયાર નથી) તેના પંચકુલા બનાવમાં હરીયાણા સરકારે ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ( ડીજીપી)ને બદલી કરી નાંખવાની ધમકી આપી છે. આ તો ન્યાયતંત્રની હાસ્યાસ્પદ મશ્કરી કહેવાય કે જેના હાથમાં રાજ્ય સંચાલન કરવાની જવાબદારી લોકોએ સોંપી છે તે પોતે જ  મારીમચેડીને પોતાની જવાબદારીમાંથી છટકી જઇને પોતાના રાજ્યના જ પોલીસ તંત્ર પર ઢોળી દે છે. આજે દેશમાં પોલીસ પાસેથી કોઇ જાણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અપેક્ષા જ રાખતું નથી. તે માટે તો પોલીસને તાલીમ આપવમાં આવે છે. પણ જેવા જ અધીકારીઓ પોલીસ તંત્રમાં ગોઠવાઇ જાય છે કે તરતજ તે શીખી જાય છે કે તેમણે તો કાયદાના શાસન ને બદલે જે પક્ષ સત્તા પર છે તેના શાસકની ઇચ્છા મુજબ કામ કરવાનું છે.

એક એ પણ જમાનો હતો કે જ્યારે રાજકારણીઓ  સીનીયર પોલીસ અધીકારીઓને પોતાના હુકમ પ્રમાણે કામ કરવવા સાવચેતી રાખતા હતા. અધીકારીઓ આજની માફક તેમના ઇશારે નાચતા નહી. આજે તો સ્થીતી બીલકુલ બદલાઇ ગઇ છે. બધાજ રાજકીય પક્ષોના રાજકારણીઓ સરકારીબાબુઓ અને પોલીસને પોતાના રજવાડાના તાબેદાર ગણીને તેમની ઇચ્છાઓ, હુકમો પ્રમાણે ઝુકાવે છે. તે પ્રમાણે કામ કરાવે છે. એવી સ્થીતી તંત્રની પહેલાં ન હતી. જો સીનીયર અધીકારીઓ રાજકારણીઓના હુકમોનો અનાદર કરે તો પણ તેમને પોતાની બદલી થશે અને તે પણ કીન્નાખોરીથી થશે તેવો ભય તેમને ન હતો. હકીકતમા આવા સીનીયર અધીકારીઓના રાજકારણીઓના દબાણની સામે મક્ક્મ રહેવાના નીર્ણયને  રાજકારણીઓ બીરદાવવાતા હતા. જે રાજકારણીઓને પોતાની સુચના મુજબ કામ નહી કરનાર, કે બાંધછોડ નહી કરનાર અધીકારી પ્રત્યે નારાજ થતા હતા. પણ પોલીસ અધીકારીઓએ મજબુત કાયદાના અર્થઘટન પ્રમાણે લીધેલ પગલાને પડકારવાનું ડહાપણ કરતા નહી.

   મારા અંગત મત મુજબ, મને બીલકુલ શંકા નથી કે હરીયાણા સરકારે ડીજીપીને મૌખીક સુચના આપી હશે કે પોલીસ તંત્રે શાંતી માટે ગુરમીત સીંઘના ડેરાની આંતરીક મુખ્ય સલાહકાર સમીતીએ જે વીશ્વાસ આપ્યો છે તેનો ભંગ નહી થાય. હું હરીયાણાના મુખ્યમંત્રી મદનલાલ ખટ્ટરને ગુરમીત સીંઘ સાથેના ઘણા આત્મીય અને પ્રેમાળ સંબંધો રાખવામાં કશું અજુગતું જોતો નથી. કારણકે રાજકારણ આખરે તો સત્તા માટેની લડાઇ છે. અને ગુરમીતની એ તાકાત હતી કે તે ખટ્ટરની પાર્ટીને થોકડા બંધ મતો ચુંટણીમાં અપાવી શકે!  બીજા કોઇપણ રાજકીય પક્ષે કોગ્રેંસ સહીત ખટ્ટરે  જે સંબંધો ગુરમીત સાથે રાખ્યા હતા તેનાથી શું જુદા સંબંધો રાખ્યા હોત!? મારે આ દેશમાં આ બાબા અને ગોડમેનના ગુણો કે અપગુણોની ચર્ચા કરવી નથી.અથવા તે બધાનો તેમના અનુયાયીઓની વીચાર પ્રક્રીયા પર જે કમાન્ડ છે તેની પણ વાત કરવી નથી. આ બાબતમાં રાજકીય નેતાઓની નૈતીકતા અને તેને આધારે લેવાતા તેમના નીર્ણયો અંગે પણ ચર્ચા કરવી નથી. તે બધું તો આ ક્ષેત્રના ઘણા બધા જ્ઞાની અને સક્ષમ માણસોએ કરી દીધુ છે. મારેતો મારા વાંચકોને એ જણાવવું છે કે વર્તમાનમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી પાસે પોલીસ અધીકારીઓની નીમણુકો અને બદલી કરવાની અબાધીત સત્તા છે. તેની સામે આશરે દસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે પોલીસ અધીકારીઓ કાયદા મુજબ રાજકારણીઓની દખલ સીવાય સ્વતંત્ર રીતે કામ કરી શકે, ગુનાઓની તપાસ ગુણવત્તા પર આધારીત કરી શકે અને ચીફ મીનીસ્ટરનો પાવર અબાધીત પણ ન રહે માટે સ્પષ્ટ હુકમ કરેલ છે. કમનસીબે આ કામ જ થતું નથી. આપણે નાગરીકો તરીકે સારી રીતે જાણીએ છે કે, આ દેશની બધીજ રાજ્ય સરકારોને પોતાની સત્તામાં જરીકે કાપ મુકાય અથવા તો પોતાની સત્તા પરની પકડ સહેજ પણ ઓછી થાય તે માન્ય નથી.

 હું તમને મારી વાતને સારી રીતે સમજાવવા માટે કેટલાક પ્રસંગોની વાત એટલા માટે કરવા માગું છું કે જો પોલીસ તંત્રને તેની બંધારણીય અને કાયદા મુજબની ફરજ બજાવવામાં રાજકારણીઓએ આડખીલી ન કરી હોત તો ઘણા બધા નીર્દોષ નાગરીકોની જાન હાની અટકાવી શકાઇ હોત!

     સને ૧૯૮૪માં ઇંદીરા ગાંધીના ખુનના સમયે દીલ્હીમાં જે શીખોનો નરસંહાર થયો તેમાં એક જગજાહેર હકીકત છે કે કોંગ્રેસની જીલ્લા કક્ષાની નેતાગીરીની પુરેપુરી ઉશ્કેરણી જવાબદાર હતી. આ હકીકતનો પર્દાફાશ સંજય સુરીની ચોપડીમાં '1984: The Anti-Sikh Violence and After 'માં કરેલ છે. તેમાં એમ પણ જણાવેલું છે કે જે પોલીસ અધીકારીઓએ કોગ્રેંસના હુકમોને તાબે ન થયા અને કાયદોને વ્યવસ્થા જાળવી તે બધાના પોલીસ વીસ્તારમાં શીખોના ખુનો થયા નથી. તેની સામે જે પોલીસ અધીકારીઓ રાજકારણીઓના ગેરકાયદેસર હુકમોને તાબે થયા અને જેના પોલીસવીસ્તારમાં શીખોની સમુહ કત્લો કરવામાં આવી હતી તે પોલીસ અધીકારીઓને પેલા રાજકીય નેતાઓએ તેમની સામેની ફોજદારી ફરીયાદો અને તેના પરીણામોમાંથી બચાવી લીધા. ખરેખરતો આ નેતાઓ સામે જ ક્રીમીનલ પ્રોસીક્યુશન થાય તેમ હતું.

સને ૨૦૦૨ના ગુજરાત રાજ્યમાં ગોધરાની દુ;ખદ ઘટના પછી નીર્દોષ મુસ્લીમોને અમદાવાદ અને અન્ય જીલ્લાઓમાં રેહેંસી નાંખવામાં આવ્યા હતા. તે રાજ્યના બે મંત્રીઓએ પોલીસ કમીશ્નરની ઓફીસ અને કંટ્રોલરૂમનો કબજો લઇ લીધો હતો. આ કામ કરવાનો તેમનો હેતુ સ્પષ્ટ  (with an obvious intent) હતો. હું ખુબ જ સ્પષ્ટ પણે આ હકીકત લખું છું  કારણ કે જે ત્રણ પોલીસ અધીકારીઓએ કાયદો અને શાંતી જળવાઇ રહે તે માટે કામ કર્યું અને રાજકારણીઓના તાબે ન થયા તેમની પંદર દીવસ પછી જ બદલીઓ કરી નાંખવામાં આવી હતી.(આપ સૌ ને યાદ હશે કે તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી આજના વડાપ્રધાન હતા.)મારા મત મુજબ તેમાંથી શું તારણ નીકળી શકે તે સૌને દેખાય તેમ છે.

      ઉપરના બે દાખલાપરથી કોઇપણ લાગણીસભર નાગરીકોને સમજ પડે જ કે કેવી રીતે રાજકારણીઓની પોલીસ સત્તા પર પકડ હોય તો પ્રજાની જાન અને મીલકતોનું શું થાય! ખરેખર મારા મત મુજબ સુપ્રીમ કોર્ટના પ્રકાશસીંગ વાળા કેસમાં રાજકારણીઓની સત્તા નાબુદ કરવા અને પોલીસ તંત્રને કાયદા મુજબ કામ કરવા ફરજ પડે તે પ્રમાણે આપેલ સુચનોના અમલ કરવાની જરૂર છે. આ કામ ક્યારેય,  કદાપી કોઇપણ રાજકીયપક્ષના રાજકારણીઓ કરવાના નથી. તે માટે નાગરીકોએ રાજકારણીઓ પર દબાણ લાવી શકાય તેવું વાતવરણ દેશમાં પેદા કરવું પડશે.

જે પંચકુલા અને હરીયાણાના બીજા વીસ્તારોમાં થયું તે દેશના કોઇપણ રાજ્ય અને તેના વીસ્તારોમાં  થઇ શકે! હવે આવી બધી હીંસાઓ સંગઠીત સ્વરૂપની થઇ ગઇ હોવાથી થોડાક સમયમાં તે મોટા પાયે નાગરીકો અને તેની મીલકતોની જાનફેસાની કરી શકશે તેમાં મને શંકા નથી. આપણે દેશના રાજકારણીઓ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે તે બધા ગુરમીત સીંગ જેવા ગોડમેનોની લાખો મતદારોને પોતાની ઇચ્છા મુજબ મતદાન કરાવવાની તાકાતને નજર અંદાજ કરે! વધુમાં તમે રાજકારણીઓને મત મેળવવાના રાજકારણમાં પ્રમાણીક, નૈતીક કે કાયદામુજબ કામ કરે તેવી અપેક્ષાઓ પણ તે બધાની પાસેથી છોડી દો.. આપણા માટે તો ઉપાય એટલો જ છે કે પોલીસ તંત્ર પોતાને ફાળે આવતી કાયદા મુજબની ફરજ બજાવવામાંથી ચલીત ન થાય કે પાછા ન પડે! પોલીસનું ટોચનું નેતૃત્વ જો રાજકારણીઓના સત્તાના કોચલામાંથી બહાર નીકળે તો જ આ શક્ય બને. પોલીસ ઓફીસર્સે પોતાના રાજકીય માલીકોના હુકમનો અનાદર કે ઉપેક્ષા કરવી પડે. અને કાયદા અને બંધારણીય મુલ્યો પ્રમાણે નીર્ણયો લેવા પડે. તેમને એવો વીશ્વાસ સંપાદન થવો જોઇએ કે તે જો બંધારણ અને કાયદા મુજબ પોતાની ફરજ બજાવશે તો તેની બદલી નહી થાય છે કે પછી સજા નહી થાય! આ માટે ગુજરાતના ૨૦૦૨ના તોફાનો પછી યુવાન આઇ પી એસ અધીકારી રાહુલ શર્માનો દાખલો મોજુદ છે. જેના પરથી એમ લાગે કે હવે દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત થયું છે.

 મેં મારા લેખની શરૂઆતમાં જણાવ્યું હતું કે જ્યાં રાજકારણીઓ અમારી વાતને મહત્વ આપે છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વણસતી નથી.

 મને યાદ છે કે એક વારના મહારાષ્ટ્ર સરકારના કોગ્રેંસના મંત્રીએ મારી પાસે માંગણી મુકી કે બોમ્બે મ્યુનીસીપાલીટીની ચુંટણી આવે છે. કોંગ્રેસ પાર્ટીને ચુંટણીમાં મદદ કરવા બોમ્બેના જુદા જુદા વીસ્તારના જે ક્રીમીનલ ગેંગ લોર્ડસ છે, જે બધા જેલમાં છે, તેમને જેલમાંથી છુટા કરવાની જરૂર છે. 

 હું તે સમયે બોમ્બેનો પોલીસ કમીશ્નર હતો. મેં તે કામ ક્યારેય નહી બને તેવું ઘસીને કહી દીધું. પણ આ બધી ત્રીસ વરસ પહેલાંની વાત છે.

 પંજાબમાં દેશના ગૃહમંત્રી બુટાસીંગે શીખ ગુરૂદ્રારા પ્રબંધક સમીતીની ચુંટણીમાં પોતાના ઉમેદવાર જીતે માટે કેટલા શીખ મતદારોની અટકાયત કરવાની જરૂર છે. તેવી દરખાસ્ત મારી પાસે મોકલી હતી. મેં તેમને જણાવી દીધું કે તે કામ મારૂ નથી. બુટાસીંગ ઘણા નીરાશ થયા. પણ મેં તેમની ગેરકાયદેસર દરખાસ્તને ફગાવી દીધી હતી. પરંતુ આ બધા લખવાની સાથે મને ખબર છે કે પોલીસ અધીકારીઓની ખુબજ મુશ્કેલીઓ વધી ગઇ છે. હવે તે આવા રાજકારણીઓની દરખાસ્તોને ટ્રાન્સફર અથવા અન્ય શીક્ષા માટેની તૈયારી સીવાય અમલ કરી શકતા નથી.

 હું એક સમયે મુંબઇનો મુકાયેલો એક યુવાન ડીએસપી હતો. મારા કાર્યક્ષેત્રમાં મજુર નેતા જ્યોર્જ ફરન્નાડીસે એક જાહેર સભાનું આયોજન કરેલું હતું. અમારી ઇન્ટેલીજ્નસ શાખા એ માહીતી આપી કે આ મીટીંગમાં તોફાન કરીને ભાંગફોડ કરવાનું શીવસેનાના વડા બાલઠાકરે એ આયોજન કરેલ છે.અમે આ માહીતી રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડી.તેમનો જવાબ હતો કે શીવસેનાને તેના આયોજનમાં રોકશો નહી.મારા હાથમાં તે વીસ્તારનો બંદોબસ્ત હતો. મેં નક્કી કર્યુ કે  હું મારા કાર્યક્ષેત્રમાં તોફાન નહી થવા દઉં! વધારે સઘન અને ટાઇટ બંદોબસ્ત રાખ્યો અને તોફાન ન થવા દીધું. મેં તો મારા કાયદાના શાસન પાળવાની ફક્ત બંધારણીય ફરજ બજાવી છે ને! આજે કોઇ પોલીસ અધીકારી રાજ્યના મુખ્યમંત્રીના હુકમનું અનાદર કરવાની હીંમત કરી શકે ખરો? અને કરે તો પરીણામ શું આવે?

The writer, a retired IPS officer, was Mumbai police commissioner, DGP Gujarat and DGP Punjab, and is a former Indian ambassador to Romania

 

 

 

--