Monday, January 15, 2018

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

શું હીદું ધર્મ, હીદુંસંસ્કૃતી,અને હીદુત્વ એક જ વીચાર છે?.

 છેલ્લા ઘણા વર્ષોથી વીચાર કરતા દેશના નાગરીકના મન પર આ શબ્દો વારંવાર આવ્યા કરે છે. શું છે હીદું ધર્મ ? તેની ઓળખ શું હોઇ શકે? તેના પાયાના લક્ષણો કયા કયા છે જે બીજા ધર્મોથી  તેને જુદા પાડે છે.

સામાન્ય રીતે હીદુંધર્મ એક સંસ્કૃતી તરીકે આશરે ચારથી પાંચ હજાર વર્ષ જુની છે . પણ તેના વૈચારીક રીતે બે ભાગ પડે છે. એક વેદીક સમયની હીદું સંસ્કૃતી અને બીજી લગભગ સાતમી સદીથી શંકરાચાર્ય પ્રેરીત  અસ્તીરત્વમાં આવેલી બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતી. જે ભાગ પાડવામાં આવ્યા છે તે સમજણ માટે પાડવામાં આવ્યા છે. પણ શંકરાચાર્ય પ્રેરીત બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીના ઘણા બધા લક્ષણો વેદીક સંસ્કુતીમાંથી ઉતરી આવેલ છે. તેમાં એક અગત્યનું લક્ષણ ચારવર્ણવ્યવસ્થા( સમાજના બ્રાહ્મણ,ક્ષત્રીય,વૈશ્ય અને શુદ્ર) છે. આ ઉપરાંત મુર્તીપુજા, યોગ વીધ્યા અને સંસાર છોડવાની વૈરાગ્યવૃત્તી જેવા રૂઢીરીવાજો પણ વૈદીક સમયની દેણ છે. જે બુધ્ધ, જૈનધર્મો તથા બ્રાહ્મણવાદી હીદું સંસ્કૃતીમાં આજદીનસુધી ચાલુ રહેલ છે.

 ટુંકમાં વૈદીક સંસ્કૃતીના માણસોએ માનવી તરીકે જીવન જીવવાના સંઘર્ષ માટે એક બાજુ સમાજની ચાર ભાગમાં પોતાની વસ્તીની વહેંચણી કરેલ હતી. અને બીજી બીજુએ કુદરતી પરીબળો જેવાકે સુર્ય, આકાશ, અગ્ની, વરસાદ જમીન, નદી, જેવી ભૌતીક પરીબળોને સમજવા કોશીષ કરતો હતો. ઉપરાંત જન્મ, જીવન, મૃત્યુ જેવી ઘટનાઓ કેમ બને છે તેના કારણો શોધવા – સમજવા સતત પોતાની મથામણ આ બધા સમયમાં સતત કરતો રહ્યો હતો.  તે બધાની ક્રીયાઓ પાછળના નીયમો વગેરેને સમજવા બૌધ્ધીક પ્રયત્નો કરેલા હતા. આવી વૈચારીક બૌધ્ધીકતાને માટે તે બધાએ શબ્દ શોધી કાઢયો હતો આધ્યાતીમકતા( સ્પીરીચ્યુઅલ). પણ તેમાં કશું ઇશ્વરી કે દૈવી ન હતું. પરંતુ આધ્યાત્મીક રીતે જે વીચારવામાં આવતું હતું તે પણ એટલા માટે ભૌતીક જ હતું કે વીચારવાની ક્રીયા માટે  મન–મગજ વગેરે જોઇએ. જે ભૌતીક શરીરનો એક અગત્યનો ભૌતીક ભાગ હતો અને આજે પણ છે. ભૌતીકતા અને આધ્યાતીમકતા એ મનુષ્યના કુદરતી નીયમો અને ઘટનાઓને સમજવા માટે પાડેલા કૃત્રીમ ભાગ છે.( The division, the materialistic & spiritualistic components of culture is purely notional. It is there to facilitate thought.)

તે બે ક્યારેય સ્વતંત્ર પ્રવૃત્તીઓ નથી. આધ્યાત્મીકતાના જ્ઞાનની જરૂર માનવીની ભૌતીક સમસ્યાઓના ઉકેલ માટે છે. તે સમાજનું સુપરસ્ટ્રક્ચર છે.  માનવી અને સમાજ સીવાય આધ્યાત્મીકતાનું અસ્તીત્વ જ શક્ય નથી. આમ વીચાર પોતે જ એક ભૌતીક તત્વ છે. ભારતીય સંસ્કૃતીનો વૈદીકયુગ સુવર્ણકાળ એટલા માટે હતો કારણકે તે સમયમાં માનવીના ભૌતીક અને આ દુનીયના પ્રશ્નો ઉકેલવા માટે આધ્યાત્મીકતાનો ભરપેટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે વીચારસરણીને  શંકરાચાર્યના 'જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય'ના ખ્યાલે મરણતોલ ફટકો માર્યો હતો. જેની અસરોમાંથી હજુ આપણે આજે બહાર તો નીકળી શક્યા નથી. પણ હવે પાછા એ તરફ કુદકે ને ભુસકે આગળ વધી રહ્યા છે.

આજના હીદું સમાજના ઘણા બધા લક્ષણોના મુળ શંકરાચાર્યવાળી બ્રાહ્મણવાદી હીદું વીચારસરણીમાં (સંસ્કૃતી) પડેલાં છે. સમગ્ર બ્રાહ્મણવાદી વીચારસરણીને એકજ વાક્યમાં સમજાવવી હોય તો  આ જગપ્રસીધ્ધ વાક્યથી સમજાવી શકાય. " જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય".  જે હકીકત છે , પુરાવા અધારીત છે, તપાસી શકાય છે, માનવ બુધ્ધીથી સમજી અને સમજાવી શકાય છે તે મીથ્યા છે , અસત્ય છે. માટે તે માનવ કલ્યાણ, તેના અસત્તીત્વ ટકાવવા અને વીકાસવવા માટે જરૂરનું નથી. અને  જેનો કોઇ પુરાવો આજદીન સુધી મળેલો નથી, જે વીચારને ભૌતીક રીતે તપાસી શકાય નથી તેને આ વીચારસરણીએ વાસ્તીક બતાવીને હીદું સમાજ પર એવી ભુરકી નાંખી દીધી છે કે આ વીચાર તેની સર્વપ્રકારની મીલકત બની ગયો છે. તેને બચાવવા ખુના મરકી કરવા તૈયાર થઇ ગયો છે.

હવે આપણે ખુબજ ટુંકમાં તથા સરળતાથી આ વીચારસરણીના કેટલાક મુળ લક્ષણો કયા કયા છે તે જાણીએ . તે બધાને પરીણામે છેલ્લા બે હજાર વર્ષોમાં દેશની શું સ્થીતી થઇ હતી અને હજુ થઇ રહી છે તેનો અંદાજ કાઢીએ.

·         જગત મીથ્યા ને બ્રહ્મ સત્ય.

·         આ જન્મનો ઉપયોગ મૃત્યુ પછીના જીવન અને ઉચ્ચજ્ઞાતીમાં પુનર્જન્મ માટે કરવાનો અને અંતીમ મોક્ષ પ્રાપ્ત કરવા જ કરવો. .

·         માટે શરીરમાં આત્માના અસ્તીત્વના ખ્યાલનું સર્જન કરવામાં આવ્યું છે.

·         પુર્વજન્મ, તેના કર્મો આધારીત વર્તમાન જન્મ અને પછી પુનર્જન્મ.

·         કહેવાતા કર્મનો અફળ સીધ્ધાંત કર્મેણ વાધીકારસ્તે મા ફલેષુ કદાચન.

·         ગીતામાં કૃષ્ણે અર્જુન ઉપદેશમાં કહ્યુ કે હીદું સમાજની ચાર વર્ણોનું સર્જન મેં કર્યુ છે.

·          તેથી દરેક હીદુંએ પોતાના પુર્વજન્મના કર્મો પ્રમાણે આ જન્મ–જાતી –વર્ણ પ્રમાણે ફળની આશા રાખ્યા સીવાય પોતાનું કર્મ કરવામાં આનંદ માણવો.

·         ગીતામાં આ બ્રાહ્મણવાદી હીદું વ્યવસ્થાને આધારે સદીઓથી અસ્તીત્વમાં આવેલી સંસ્કૃતીને ટકાવી રાખવા ચાર મુખ્ય મુદ્દાઓ વીકસાવવામાં આવેલ છે.

·         દરેક હીંદુનું ભાવી પુર્વનીર્મીત છે.અપરીવર્તનશીલ છે. તેથી તેની વર્તમાન સ્થીતીને બદલવા વીદ્રોહ કે બળવો કરવો નહી.

·         પોતાની હર કોઇ સ્થીતીમાં દરેક હીદું એ " સ્થીતપ્રજ્ઞતા" રાખવી અને ન હોય તો કેળવવી.

·         પોતાને માથે આવી પડેલું કામ " નીષ્કામ કર્મ" ફળ, વળતર કે અવેજની અપેક્ષા વીના જ કરવું.

  જગત મીથ્યા બ્રહ્મ સત્યવાળા તત્વજ્ઞાને એવો હીદું સમાજ છેલ્લા બે હજાર વર્ષોમાં પેદા કર્યો કે જેમાં દેશ આઝાદી પહેલાં સેંકડો નાના મોટા રજવાડામાં વહેંચાઇ અને વહેરાઇ ગયો હતો.  જે કોઇ પરદેશી આક્રમણો થયા તેનો દેશની પ્રજા સરળતાથી ભોગ બનતી રહી હતી.

છેલ્લા ત્રણચાર વર્ષોમાં દેશમાં જે હીદુંત્વના નામે જે ખુલ્લેઆમ પ્રવૃત્તીઓ થઇ રહી છે તે ચોક્કસ રીતે વ્યક્તી અને સામુહીક નાગરીકોના ભાવીને ભયંકર જોખમકારક દીશામાં ઝડપથી કદાચ પાછા નાવાળી શકાય તે દીશામાં ઢસડી રહી છે. આવનારા દીવસોમાં દેશનું ભાવી વધુ હીંસક સઘર્ષમય દેખાઇ રહ્યું છે.

 આનો ઉપાય શું?

 " wEAPONS OF IDEAS ARE THEMSELVES "

વીચારોનું આયુધ( શસ્રો) વીચારો જ હોઇ શકે.  આપણે ભારતીય સમાજને એ સમજાવવું પડશે કે ૨૧મી સદી જે જ્ઞાનના વીસ્ફોટની સદી તરીકે ઓળખાય છે તો તે જ્ઞાન– માહીતીને આધારે આપણે શંકરાચાર્ય પ્રેરીત ' જગત મીથ્યા બ્રહ્મ સત્ય'ની વીચારસરણીનો વીકલ્પ બતાવવો પડશે.

 

 

 

 

 


--
Sent with Mailtrack

Sunday, January 7, 2018

ભગવાનને ખુશ કરવા નહી...પણ

ભગવાનને ખુશ કરવા નહી ...પણ

 

અમારા રીસોર્ટમાં સ્વીસ દેશમાંથી આવેલી મહેમાનોની ટીમને વીદાય કરવામાં અમે રોકાયેલા હતા. ત્યાંતો અમે દુરથી એક સાદડીની શેતરંજીઓ વેચવા માટે માણસને અમારી તરફ ઝડપથી સાયકલ પર આવતો જોયો. મેં તેનું ધ્યાન અમારી તરફ દોરાય માટે તે માટે હાથ હલાવ્યો.  તેણે પાછળ જોઇને તપાસી લીધું કે મારા સીવાય બીજા કોઇને તો બોલાવા માટે હાથનો ઇશારો કરતા નથીને!

અમે તેને રાહ જોવાની સુચના આપી. કારણકે અમારે અમારા પરદેશી મહેમાનોને 'ગુડ બાય ' કરવાની હતી. મેં જોયું કે સાદડીવાળાએ તેની સાયકલ પરથી બધી સાદડીઓ પ્રદર્શનમાં બતાવવા મુકી હોય તેમ સરસ રીતે અમારા કંમ્પાઉન્ડમાં સાઇઝ અને ડીઝાઇન પ્રમાણે ગોઠવી દીધી હતી.

 

 મઝાની વાત હવે શરૂ થાય છે. અમે એકબીજાની ભાષા જાણતા નહતા. તેમ છતાં હાથની સંજ્ઞા અને મોઢાના હાવભાવથી અમે એક બીજાને સમજાવવાનું  શરૂ કર્યું હતું. મને તેની સાદડીઓના ઢગલામાંથી એક લાલ પાઇપીનના છેડાવાળી સાદડી ગમી ગઇ. પરંતુ તપાસ કરતાં ખબર પડી કે તે સાદડી લંબાઇ– પહોળાઇ (૬ ફુટ બાય ૪ ફુટ ) મારી જરૂરીયાત કરતાં ઓછી છે. મારી જરૂરીયાતની સાદડીનું માપ ૮ફુટ બાય ૪ ફુટનું હતું. તેથી મારે તેને ના કહીને વીદાય કરવો પડે.

 

   ત્યાં તો તેણે પોતાની આંગળીઓ પર કંઇક ગણવાનું શરૂ કર્યું. પછી તેણે જવાબ આપ્યો કે હું તમારી જરૂરીયાતની સાદડી મારા ઘરે જઇને ૨૦ દીવસ પછી બનાવીને લેતો આવીશ. તેને કોઇપણ હીસાબે નવો ઓડર મળે તે માટે ખુબજ આતુર હતો.

મોટી સાદડીની કીંમત તેણે ૮૦૦ રૂપીયા કહી હતી. અને બીજું તેણે ૨૦ દીવસનો વાયદો કર્યો હતો. આ બંને જરૂરીયાતો તેની કેવી રીતે પુરી કરવી તેની ચીંતામાં હું હતો.  તેની ઉંચાઇ સાથે તેના શરીરનું આખું માળખું  મોટું હતું. પણ તેનું શરીર તેના ભુખમરાને કારણે ઘણું જ નબળું દેખાતું હતું. તેનો પોષાક ચોખ્ખો અને વ્યવસ્થીત હતો. પણ તેના શરીર પર તેની ગરીબાઇની અસરોએ આંખે ઉડીને વળગે તેવી હતી. આ બધુ જોતાં અમે નક્કી કર્યું કે કમસે કમ તેને મદદ કરવા પણ તેની પાસેથી ચોક્કસ ખરીદી લઇએ તેવો ઓડર તો આપીએ. તેથી તે ઓડર મુજબની મોટી સાદડી તૈયાર થાય ત્યારે લઇને આવે! હું પછી ઘરમાં જતો હતો ત્યારે તેણે પીવાનું પાણી માંગ્યું.

 મારા નોકર રઘુએ તેને પાણી આપીને આવજો કહ્યું. પણ રઘુએ ભીની આંખોએ મને કહ્યું કે પેલા સાદડીવાળાએ તો આખી પાણીની બોટલ એકી શ્વાસે એકદમ જ ગટગટાવી ગયો.

      અમને બંને ખબર પડી કે શું થયુ છે? હું અને રઘુ ખુબજ દુ;ખી થઇને રડતા રડતા એક બીજાને ભેટી પડયા. અમારા બંનેનું એ તારણ હતું કે તે સાદડીવાળો એકી સાથે પાણીની આખી બોટલ એટલા માટે ગટગટાવી ગયો કે જેથી તેનું પેટ પાણીથી ભરાઇ જતાં પોતાની ભુખને તેટલા સમય પુરતું તો રોકી શકે!

મેં રઘુને કહ્યું કે તેને જલ્દી બુમ પાડીને બોલાવ! તેની પાસે જે સાઇઝની સાદડી છે તે ખરીદી લઇશું. આ ઉપરાંત અમે પ્રેશર કુકરમાં ઝડપથી ચોખા બાફી નાંખ્યા, સાથે સાંભર અને સવારના અમારા નાસ્તામાં વધેલી બટાટાની સુકી ભાજીનું શાક બધુ તેને જમાડવા માટેનું તૈયાર કરી દીધું. સાદડીવાળો અમારા દરવાજા પાસે ઉભો રહ્યો. તેને સહેજ પણ ખબર ન પડી કે તેની સાદડીની ખરીદી સાથે તેના માટે  જમવાનું પણ આપવાનું અમે નક્કી કયું છે. તે દરવાજે ઉભો રહ્યો હતો ત્યારે તેનું શરીર ભુખમરાથી અધમુઉં થઇ ગયેલું હતું અને ઘણા બધા કીલોમીટર સુધી સતત પેડલ મારવાથી તેના પગના સુજી ગયેલા ગોટલા ક્ષણીક રાહત મેળવવા દબાવતો હતો. અમે તેના માટે  ખોરાક લઇને આવ્યા કે તરતજ તેણે  હ્રદયપુર્વકનો અમારો આભાર માન્યો. પણ ત્યાંસુધીમાં તો ખોરાક જોઇને તેના મોંઢામાંથી લાળ પડવા માંડી. આ ઉપરાંત તેને ગરમ ગરમ ચા અને કેળા આપ્યા. જેથી રસ્તામાં ભુખ લાગે તો કામમાં લાગે.

 મારા હ્રદયને સંતોષ થયો કે ચલો! એક ખુબજ ભુખ્યા માણસનું અમે કમસે કમ પેટતો ભરાવી શક્યા છીએ ને! હું લાગણી વીભોર એવો બની ગયો હતો કે તેને આવજો કહેવા માટે પણ બહાર નીકળી શક્યો નહી. જ્યારે તે માણસ અમારો આભાર માનવા રઘુના પગે પડયો તે જોઇને હું જ દીગ્મુઢ બની ગયો.

 સાદડીવાળાની વીદાય પછી હું અને રઘુ એક બીજાને ભેટીને અમારા હ્રદયમાં જે ડુમો ભરાયો હતો તેને રડીને હળવો કર્યો.  મેં આ બ્રહ્માંડનો આભાર માન્યો કે જેણે મને સામેથી કોઇએ માંગ્યા વગર મને મદદ કરવાની ઇચ્છા પેદા કરી અને તે ઇચ્છા પુરી કરવાની સાધન સંપત્તી આપી.

 તમારે પેલા સાધુઓને કે ગુરૂઓને શ્રાધ ખવડાવવાની જરૂર નથી!

 લક્ષ્મીદેવીની કૃપા મેળવવા સાત કુંવારીકાઓને જમાડવાની જરૂર નથી!

 પુન્ય મેળવવા ચારધામની યાત્રા કરવાની પણ જરૂર નથી!

  ફક્ત તમારી આંખો ખોલો, બીજાની જરૂરીયાત તેનાથી જુઓ તેનાથી તમને બધું જ પ્રાપ્ત થઇ જશે.
Don't have to feed priests for Shraadh !

Don't have to call 7 virgins to please goddess laxmi !

Don't have to go chaar dhaam !

Just open your eyes to see the ' need ' of another and you would have achieved it all
️ .સૌજન્ય– ફેસબુક Bodhisatvayamyohu.

 

  અંતે મને ૨૫૦૦ વર્ષ પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વજ્ઞાની એપીક્યુરસનું વાક્ય યાદ આવે છે. ' હું જ્યારે બીજાને મદદ કરૂ છું તે ભગવાનને  ખુશી કરવા નહી પણ મારી જાતને  આનંદ પમાડવા મદદ કરૂ છું. તેમાં મારો પ્રબુધ્ધ સ્વાર્થ રહેલો છે. કેવળ સ્વાર્થ નહી.

 

I want to be moral, not to please Gods but to please myself. Greek Philosopher Epicurus.

 Because moral behavior is a source of self- satisfaction.

 It is an enlightened self – interest.

How nice it is to know that working for others is a source of satisfaction not only for others but also to one-self.

 




 

 

 


--
Sent with Mailtrack

Wednesday, January 3, 2018

ખ્રીસ્તી ધર્માના સ્થાપક જીસસ કુંવારી માતાના પેટે જન્મ્ લે તો તે નૈતીક્ અને પુજનીય પણ....

ખ્રીસ્તી ધર્મના સ્થાપક જીસસ કુંવારી માતાના પેટે જન્મ લે,

 તો એ નૈતીક અને પુજનીય(Moral) પણ––

 

તાજેતરમાં કેરાલા રાજ્યના એક શહેર નામે થીરૂવાઅનંતાપુરમની એક ખાનગી ખ્રીસ્તીશાળા ' સંત

થોમસ સેન્ટલ સ્કુલ' માં એક બનાવ બન્યો હતો. ૧૨મા ધોરણમાં ભણતા એક વીધ્યાર્થીએ પોતાની સ્કુલની ૧૧મા ધોરણમાં ભણતી એક વીધ્યાર્થીને જાહેરમાં આલીંગન(hugging) કરી લીધું. ચુંબન નહી.

આ બનાવે શીક્ષણ જગતમાં તથા ન્યાયના ક્ષેત્રે ઘણા બધા પ્રશ્નો પેદા કરી દીધા હતા. સ્કુલના સંચાલક મંડળે આ મુદ્દાને નૈતીકતાનો મુદ્દો ગણીને પેલા બંનેને તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા. વધુમાં  પરીક્ષામાં બેસવા માટેની મનાઇ ફરમાવી દીધી.

નીર્ણય કરનારા જુદા જુદા સત્તા મંડળોઓ જેવાકે સ્કુલ સંચાલક મંડળ, કેરાલા સ્ટેટ કમીશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, કેરાલા હાઇકોર્ટે જાણે બહુ મોટો ગુનો બની ગયો હોય તેમ મુર્ખામી ભર્યા  સવાલોની ઝડીઓ વર્ષાવા માંડી. શું આ વીધ્યાર્થીએ બહુ લાંબા સમય સુધી આલીંગન ચાલુ રાખ્યું હતું? વીગેરે.

ઇન્ડીયન એકપ્રેસ દૈનીકે પોતાના પહેલી જાન્યુઆરીના તંત્રી લેખમાં સ્કુલ સંચાલકો અને કોર્ટવાળા સામે આક્રોશમય વલણ અપનાવીને બનાવની ક્ષુલ્લકતા બતાવવા માટે અંગ્રેજીમાં એક અદભુત શબ્દ વાપર્યો છે. તે શબ્દ છે ""Kafkaesque" કેફ્કએસ્ક  આ શબ્દનું સર્જન ઝેક સાહીત્યકાર ફ્રાન્ઝ કાફકા (૧૮૮૩–૧૯૨૪)ની નવલકથાઓના(The Trial અને The Metamorphosis) નીચોડ સ્વરૂપે અંગ્રેજી અને જર્મન સાહીત્યમાં વપરાય છે. જેની વાત ફરી કરીશું.

.કેફ્કએસ્ક શબ્દનો ગુજરાતીમાં અર્થ,વહીવટકર્તા અને નોકરશાહીનું મુર્ખામીભર્યુ, અમાનવીય અને મુઢ વર્તન કહેવાય. તેમાં અસરકર્તાને બીલકુલ વાંકગુના વીના ની:સહાય અને મજબુર સ્થતીમાં મુકી દેવામાં આવે છે. પેલા ૧૨મા ધોરણના વીધ્યાર્થીને સ્વપ્નામાંપણ ખબર નહી હોય કે પોતાના આવેગ અને લાગણીભર્યા વર્તનને આ વીક્ટોરીયન યુગના ધર્મ અને નૈતીકતાના ઠેકેદારો–રક્ષકો કેવું અર્થઘટન કરીને પોતાના પર કેવા સખત પગલાં ભરશે? આ ઠેકેદારોને કાયદામાં સગીરપણું કોને કહેવાય શું તેની ખબર નહી હોય?

 શું આપણા સ્કુલના સંચાલકોને તેઓએ નક્કી કરેલી નૈતીકતાના સંરક્ષણ માટે નૈતીક પોલીસ(Moral Police) બનાવી દેવામાં આવ્યા છે? જેમાં તે કોઇના અંગત જીવનની બાબતમાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરી શીક્ષા કરવાનો અબાધીત અધીકાર પણ આપી દેવામાં આવ્યો છે?કયા કારણોસર અને કયા નૈતીક્તાના માપદંડોથી વીધ્યાર્થીઓને સ્કુલમાં વૈજ્ઞાનીક ઢબે  જાતીય વૃત્તી શું છે અને જનેન ઇન્દ્રીયોનો જૈવીક રોલ શું છે તે મુક્ત રીતે ભણાવવામાં આવતું નથી?  આ બધા વીવેકપુર્ણ બૌધ્ધીક અભીગમની ગેરહાજરીમાં યુવાન છોકરા–છોકરીઓની ધર્મ અને નીતીના ચીલાચાલુ ઉપદેશોથી દબાવી દેવામાં આવતી જાતીયવૃતીની વીકૃતીના પરીણામો શાળાઓમાં બીજા કેવા આવી શકે?

ફ્રાન્ઝ કાફ્કા  અને તેના શબ્દ Kafkaesque" કેફ્કએસ્ક અને વીક્ટોરીયા યુગની નૈતીક્તાનો ખ્યાલ, તે બે વીષયો પર ટુંક સમયમાં જ ચર્ચા ફરી કરીશું.

 કેરાલા રાજ્યના સંસદ શ્રી શશી થરૂરની સમયસરની દરમ્યાનગીરીને કારણે  બંને બાળકોને પોતાની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવું સમાધાન કરીને આ પ્રકરણનો અંત લાવવામાં આવ્યો છે.


--
Sent with Mailtrack

Monday, January 1, 2018

Save Constitution - બંધારણ બચાવો.

પહેલું પગલું–અમને દેશનું બંધારણ માન્ય નથી. ભલે અમે બંધારણની પવીત્રતા અને રક્ષણના સોંગદ લઇને સત્તાનું સુકાન સંભાળ્યું હોય!

બીજુ પગલું– દેશમાં સને ૧૯૫૦ની ૨૬ મી જાન્યુઆરીને દીવસથી બંધારણ પ્રમાણે છેલ્લા ૬૭ વર્ષોમાં જે સંસ્થાઓ અને તંત્રો ઉભા થયા છે તે બધાને નામશેષ કરવાનું અમારૂ મીશન છે.

ત્રીજુ પગલું– કોઇપણ કીંમતે દેશનો વહીવટ અને નીતીઓ મનુસ્મૃતી આધારીત હીંદુ કાયદાઓ પ્રમાણે થશે જ.

ચોથું પગલું – જે આનો વીરોધ કરી રહ્યા છે તે બધા હીંદુ વીરોધી છે. અને દેશની ૮૫ ટકા વસ્તી હીદું હોવાથી તે બધા દેશવીરોધી( હીંદુ વીરોધી) હોવાથી દેશદ્રોહીઓ છે. જે દેશમાં રહેવાને લાયક નથી.

 યદા યદા હી.....,

 જ્યારે જ્યારે કેન્દ્રમાં બહુમતી સરકાર આર એસ એસ સંચાલીત ભારતીય જનતા પાર્ટીની આવે છે

ત્યારે ત્યારે તે બધાને બંધારણ બદલાવાની ઇચ્છાઓ બેકાબુ બનીને વીસ્ફોટ થઇને બહાર આવે છે. સને ૧૯૯૯માં બાજપીયજીની સરકાર સત્તા પર આવી હતી અને સંચાલન કરવાની સ્થીરતા પણ માંડ માંડ શરૂ કરી હતી ત્યાંતો બંધારણ બદલવાનો મુસદ્દો બહાર પાડી દેવામાં આવ્યો હતો.

 સને ૨૦૧૪માં આર એસ એસ સંચાલીત બીજેપીની મોદી સરકાર સત્તા પર આવતાં વેંત જ  બંધારણને ફગાવી દેવાની વાતો પ્રેસમીડીયામાંથી ક્યારેય  ઓછી થતી નથી. છેલ્લે છેલ્લે મોદીની દીલ્હી સરકારના મંત્રી મુળ કર્ણાટકના શ્રી હેગડેએ તો સ્પષ્ટ જાહેર કરી દીધું કે અમને દેશનું આ બંધારણ બીલકુલ માન્ય નથી.તેથી તે બંધારણ મુજબનું જે જે સંચાલન થાય છે તે અમાન્ય છે. ટુંક સમયમાંજ અમે બંધારણ બદલીને જ રહીશું.

સને ૧૯૯૯માં જ્યારે દેશનું બંધારણ બદલવાનું જોર શોરથી ચાલુ હતું ત્યારે  દેશના અતી બાહોશ બંધારણ નીષ્ણાત કાયદાવીદ્ સન્માનીય  ફલી નરીમાને એમ એન રોય મેમોરીઅલ લેક્ચરમાં આજ મુદ્દા પર એક મહત્વનો પ્રસંગ ટાંકયો હતો. જે નીચે મુજબ છે.

" અત્યારે ભારતમાં જેમ બંધારણને તોડમરોડ કરવાની જોરદાર વાતો ચાલે છે. તેવીજ રીતે અમેરીકામાં પણ બંધારણને ફગાવી દેવાનું યુધ્ધ સને ૧૮૬૧માં રાષ્ટ્રપ્રમુખ લીંકનના સમયે થયું હતું. તે મુદ્દે દેશના બે વીભાગો, ઉત્તરના રાજ્યો અને દક્ષીણના રાજ્યો વચ્ચે યુધ્ધ જ શરૂ થઇ ગયું હતું. અમેરીકાની બંધારણીય લોકશાહીને આશરે ૮૫ વર્ષ જ થયેલ હતા. સને ૨૦૧૮માં ભારતની બંધારણીય પ્રજાસત્તાક લોકશાહીને ૬૮વર્ષ પુરા થશે. અમેરીકા, બંધારણ મુજબ પોતાના રાજ્યનો વહીવટ કરતો ઇગ્લેંડ કે ફ્રાન્સ કરતાં યુવાન દેશ હતો. આપણી તો આજની સ્થીતી તે બધા કરતાં પણ યુવાન છે.

 તે સમયે ફ્રાંસના એમ્બેસડરે અમેરીકાના કાયદાશાસ્રી સર જેમ્સને પુછયું હતું કે આ બંધારણ સામેના સંઘર્ષનું પરીણામ શું આવશે? તમારો દેશ કયાં સુધી આ સંઘર્ષમાં ટકી રહેશે?

સર જેમ્સનો જવાબ હીંમતવાન, વીનમ્ર અને ભાવીની આગાહી સુચક હતો. " જ્યાં સુધી અમારા ચુંટાયેલા પ્રતીનીધીઓ અને રાજકીય નેતાઓ બંધારણના ઘડવૈયાઓના આદર્શ પ્રમાણે દેશનું સુકાન ચલાવશે ત્યાંસુધી મારા દેશના અસ્તીત્વને ટકાવી રાખવામાં કોઇ વાંધો આવવાનો નથી. "

The answer was as courageous and courteous, and as  it was prophetic:

"Sir, so long as our leaders live up to and cherish the ideals of  its  Founding Fathers."

 ઉપરનું અવતરણ જણાવ્યા પછી નરીમાન સાહેબે વીનમ્રતાપુર્વક શાસનકર્તાઓને કહ્યુ હતું કે તમે તમારા ચુંટણીના કે બીજા મુસદ્દાઓને બાજુ પર મુકીને બંધારણમાં સમાવેલા આદર્શો પ્રમાણે શાસન ચલાવો." ઉપરછલ્લો મત બાંધીને દેશના બંધારણ જોડે છેડછાડ મહેરબાની કરીને ન કરશો. તેનાથી તમે કારણવીનાની અપેક્ષાઓ લોકોમાં પેદા કરશો. તેમાંથી તો નીરાશા, હતાશા અને આખરે ભારતનું એક રાષ્ટ્ર તરીકે  ઘટન, ખંડન,( perhaps even (God forbid) ultimate disintegration.) જ થશે. આપણા દેશમાં બંધારણમાં ઘણા સુધારાવધારા  થયા છે. પણ તે બધા સુધારા દેશની સાંસ્કૃતીક વીવીધતા અને રાજકીય એકતાને ભોગે નહી. આ હકીકતને ધ્યાનમાં રાખશો તો જ તમે બંધારણના ઘડવૈયાઓને ન્યાય પ્યો છે તેમ ગણાશે.

 


--
Sent with Mailtrack

Saturday, December 30, 2017

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--



Sent with Mailtrack

ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

 ગુજરાતની જનતા જનાર્દનના હાઇકમાન્ડની સુચનાથી અખબારી નીવેદન–

હે! અમારા વહાલા ગુજરાતના મતદાર ભાઇઓ અને બહેનો,

કદાચ એ હકીકત હશે છે કે તમારા ડાબાહાથના અંગુઠાની બાજુની આંગળી ઉપરની મત આપેલાની નીશાની- શાહી હજુ  ભુંસાઇ નથી. ત્યાં સુધીમાં તો તમે જોઇ શકો છો આપણા મતથી બહુમતીથી જીતેલા ગુજરાતના બીજેપી પક્ષના ટોચના નેતાઓએ શું કરવા માંડયું છે ?  તેમનાથી ગુજરાતની પ્રજાનો છેલ્લા ૨૦–૨૨ વર્ષોમાં સર્વાંગી વીકાસ થઇ ગયો હતો. પણ આ બધા પસંદ પામેલા લોકનેતાઓ(?) અને તે બધાનો પોતાનો અને તેમની સાત પેઢીનો સર્વાંગી વીકાસ બાકી રહી ગયો હતો.  હાલનો તેઓનો અસંતોષનો ઉકળતો ચરૂ થોડાજ વખતમાં કરાર– સોદાઓ અને વહેંચણીના ફળોની ફોર્મીલા તૈયાર થઇ જતાં શાંત પડી જશો. આપણી મતદાર તરીકેની જરૂર તો પેલા જાદુગર અને તેની ટીમને હવે પાંચવર્ષ પછી સને ૨૦૨૨ માં જ પડવાની છે ને!.  હા કદાચ પેલા જાદુગરને સને ૨૦૧૯માં પણ પડે. રખે ભુલતા જાદુગરની વાંસળીના પ્રભાવને તક આવે ત્યારે જવાબ આપવાનું!


--



Sent with Mailtrack

Thursday, December 28, 2017

“ જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે.

" જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે. જો દરેક અન્યાય સામે તમે થરથર કંપી રહ્યા હો તો તમે મારા સાથીદાર છો." ચે ગુએરા.

 ચે ગુએરાની ક્રાંતી અપુર્ણ રહી હતી.અપુર્ણતામાં જે ખેંચાણ હોય છે તે સંપુર્ણતામાં નથી હોતું. સંપુર્ણતા એ સમાપ્તી છે. જ્યારે અપુર્ણતા એ યાત્રા છે. જ્યારે કોઇ મહાન ધ્યેયનું સ્વપ્ન સીધ્ધ કરવા હેતુ મળી જાય છે ત્યારે જીંદગીને દાવ પર લગાવવાની  કે અરે! હારી જવાની એક અદભુત મઝા હોય છે. મોત ત્યારે ખૌફ નથી હોતું એક અદભુત તક હોય છે.

 શું ક્રાંતી અવીરત હોઇ શકે? હા, ક્રાંતી અવીરત જ હોય છે.અને હોવી જોઇએ. ક્રાંતી થાકતી નથી. ક્રાંતીકારીઓ થાકે છે. થાકેલા ક્રાંતીકારીઓ જ્યારે સત્તા સ્થાને બેસવા માંડે છે ત્યારે એમની અંદર ક્રાંતીની જ્વાળા ઠંડી પડવા માંડે છે. સત્તા સ્થાને બેઠેલા એક સમયના ક્રાંતીકારીઓની ચામડી એટલી જાડી થઇ જાય છે કે તે અંતે પ્રજાની સંવેદના  કે અનુકંપા અનુભવવા બહેરી કે જડ થઇ જાય છે. પછી બાકી રહેલાઓએ તેમને સત્તા સ્થાનેથી હટાવવા ફરી ક્રાંતી શરૂ કરવી પડે છે.

એ ઇતીહાસ એ ગવાહી પુરે છે કે ક્રાંતીકારીઓ સફળ અને સારા શાસક ભાગ્યેજ બની શકતા હોય છે. ક્રાંતી કરવી અને શાસન કરવું એ બંને જુદીજ બાબતો હોય છે.

" યુધ્ધ લડવા તલવારો અને ભાલાઓ જોઇએ છીએ. પરંતુ દર્દીનું ઓપરેશન કરવાતો નાની અણીદાર કાતર કે સ્કાલપેલ જોઇએ છીએ. તલવારો જ્યારે સર્જરી કરવા મંડી પડે છે ત્યારે દર્દી લોહી લુહાણ થઇ જાય છે. મોટે ભાગે તે મરી જાય છે."

" જ્યારે સરમુખત્યારી એ સત્ય હોય છે ત્યારે તેની ઉથલાવી નાંખવા ક્રાંતી કરવી એ પ્રજાનો અધીકાર બની જાય છે." વીકટર હ્યુગો.

" સ્વતંત્રતા ઇચ્છતા દરેક માણસ માટે ચે ગુએરા પ્રેરણા મુર્તી હતો. નેલસન મંડેલા." ( સૌ. દીવ્ય ભાસ્કર ૨૭મી ડીસેમ્બર બુધવારની પુર્તીમાંથી ટુંકાવીને.)

ક્રાંતીની નવી વીભાવના– ૧૯અને ૨૦મી સદીના ક્રાંતીકારીઓનો ખ્યાલ સત્તાધીશ રાજ્યને લશ્કરી શસ્રો અને હીંસક બળવાથી ઉથલાવી નાંખવાનો હતો. હવે આધુનીક રાજ્ય એટલું બધુ લશ્કર અને શસ્રોથી સંપન્ન હોય છે કે તેને શસ્ર બળવાથી ઉથલાવી શકાય નહી. બીજું આવા બળવાની નીષ્ફળતાએ હોય છે કે સત્તાના દાવપેંચમાં ક્રાંતી દરમ્યાન પ્રજાને જે ગુલાબી સ્વપ્ના બતાવ્યા હોય છે તે પ્રાપ્ત કરવાની વાત તો બાજુ રહી પણ હીંસક કે અન્યપ્રકારના બળવાથી મેળવેલી સત્તાને ટકાવી ક્રાંતીકારી રાજ્ય વધુ ને વધુ જુલ્મી અને હીંસક બનતું જાય છે. સત્તા પરીવર્તનથી વ્યક્તી પરીવર્તનનો ખ્યાલ જ અપ્રસતુત બની ગયો છે. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સમજ કેળવીને અહીંસક અને શાંતીમયમાર્ગે, તથા બૌધ્ધીક અને વીવેકપુર્ણ વર્તન સીવાય વ્યક્તી પરીવર્તનના કોઇપણ પ્રયત્નો નીષ્ફળ જવાને જ સર્જાયેલા છે. ભલે તે પ્રાપ્ત કરવાના હેતુઓ સારા હોય ! કારણકે કોઇપણ પ્રકારનો સમુહ(ટોળુ), ભલે તે રાજકીય, સામાજીક કે આર્થીક હોય તેનું કામ વીચારવાનું નથી. પણ બીજા એ વીચારેલું છે તેને હુકમ ગણીને અમલમાં મુકવાનું છે. આવી રીતે આવેલો ફેરફાર કે બદલાવને  ક્રાંતી કહેવાય જ નહી. આવો ફેરફાર પણ અલ્પજીવીજ હોય છે. કારણકે તેમાં સમજપુર્વકની લોકભાગીદારી હોતી નથી. આવા ફેરફારો લાવનારાઓનું તેમાં સ્થાપીત હીત બની જતાં તેમના હીતો ક્રાંતી કે ફેરફાર માટે જાહેર કરેલા આદર્શોથી બીલકુલ વીરૂધ્ધ્ના થઇ જાય છે. અને રાજ્યના દમનના હથીયારો આવી રીતે પ્રાપ્ત કરલી સત્તાઓ ટકાવી રાખે છે. માટે જ જ્ઞાન આધારીત માનવ પરીવર્તન સીવાયની ક્રાંતીની વાતો જ સમય જતાં અમાનવીય બની જાય છે.  (બીપીન શ્રોફ.)


--
Sent with Mailtrack

Sunday, December 17, 2017

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)

 

 થોડાક દીવસ ઉપર જ ફીલ્મોમાં સ્ર્કીપ્ટ રાયટર તથા હાસ્ય કલાકાર નીરજ વોરાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી કોમામાં સરી પડયા હતા. તેથી તેમના અવસાનથી આમ તો ખાસ આઘાત ન લાગે. પરંતુ મને આંખે ઉડીને વળગે તેવી માહીતીએ હતી, ફીલ્મ પ્રોડયુસર  ફીરોઝ નડીયાદવાલાએ સંપુર્ણ પથારીવશ નીરજભાઇની પોતાના ઘરે લઇ જઇને એક વરસ સુધી લાગણીસભર તરબોળ સારવાર અમાપ ખર્ચો કરીને કરી તે વાતે મને માનવી તરીકે હલબલાવી મુક્યો છે.

કેવીરીતે કરી તે ઇન્ડીયન એકસપ્રેસના સમાચારનોંધ ને આધારે જોઇએ.

એકાદ વરસ પહેલાં સને ૨૦૧૬ના ઓક્ટોબર માસમાં નીરજભાઇને બ્રેઇન હેમરેજનો હુમલો આવ્યો. તે બેશુધ્ધ અવસ્થામાં (કોમામાં) સરી પડયા હતા. તેઓને દીલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. નીરજભાઇએ ફીરોઝ નડીયાદવાલાએ બનાવેલી ઘણી ફીલ્મોમાં જેવીકે ' હેરા ફેરી, આવારા પાગલ દીવાના, ફીર હેરા ફેરી' વી. ફીલ્મોની વાર્તા લખી હતી તેમજ દીગદર્શન પણ કર્યુ હતું. શ્રી નડીયાદવાલાનો નીરજભાઇ સાથેનો વ્યવહાર ભાઇ જેવો હતો.  તે નીરજભાઇને તેવી અવસ્થામાં વીમાનમાં દીલ્હીથી લાવીને પોતાને ઘેર લઇ આવ્યા. પોતાના ઘરમાંના એક રૂમને નીરજભાઇ માટે આઇસીયુમાં ફેરવી નાંખ્યો. એક વરસ સુધી શ્રી નડીયાદવાલાએ નીરજભાઇના તમામ દવા, ડૉક્ટર્સ, નર્સીસ, ડાયેટીસીયન, રસોઇઆ જેવા તમામ ખર્ચાઓ પ્રેમથી કર્યા હતા.

એટલું જ નહી પણ,તે રૂમમાં નીરજભાઇના મમ્મી–પપ્પાના ફોટા લગાવી દીધા હતા.નીરજભાઇને પસંદ ક્લાસીકલ સંગીત અને હનુમાનચાલીસા પણ દરરોજ ક્રમશ કેસેટો દ્રારા ગાવામાં આવતા હતા. આ બધી સારાવાર અને સવલતો પછી પણ નીરજભાઇ બચી શક્યા નહી.

 ભગ્નહ્રદયે શ્રી નડીયાદવાલા કહે છે કે (A heartbroken Nadiadwala said)  -

" આશરે એક વરસ પહેલાં હું નીરજને દીલ્હીથી મારે ઘેર લઇ આવેલો. દીલ્હીના ડૉકટરોએ તે બ્રેઇન ડેડ છે અને ચાર પાંચ કલાકમાં ગુજરી જશે એવું જાહેર કરેલું હતું." મને કઇ શક્તીએ મેં જે કામ કર્યું તે કરાવ્યું તેની મને ખબર પડતી નથી. હું તેને ની:સહાય સ્થીતીમાં કેવી રીતે ગુજરી જતો જોઇ રહું? તેને મદદ કરનાર કોઇ ન હતું. તેને એક ભાઇ હતો પણ તેની આર્થીક સ્થીતી એવી સારી નહતીકે તેનો આવડો મોટો બોજ ઉપાડી શકે?

. હું નીરજને છેલ્લા આશરે બાર એક વર્ષથી ઓળખું છું. અમે ઘણી ફીલ્મોમાં સાથે કામ કર્યુ છે. અમારી મૈત્રીનું જોડાણ ઘણું ઘનીષ્ટ હતું. હું તેને દીલ્હીમાં ની;સહાય છોડીને કેવી રીતે એકલો મુંબઇ આવી શકું? હું ફક્ત મારી સાથે નીષ્ઠુર કે સહાનુભુતી વીનાનો ઇન્સાન હોઉ તો જ આવું કરી શકું!

 આજે, ભાઇશ્રી ફીરોઝ નડીયાદવાલાએ  નીરજના અંતીમ સંસ્કાર માટે શાંતાક્રુઝ સ્મશાને લઇ જતાં પહેલાં હીંદુવીધી પ્રમાણે મૃતદેહને જે વીધી હવન પુજા કરવાની હોય તે બધી જ તેણે પોતાના ઘરમાં કરાવી. હું ભગવાનનો આભાર માનુ છું કે મને નીરજની સેવા કરવાની તક આપી. ઇશ્વરની ઇચ્છા હશે કે નીરજ જીવે અને તેને જીવત્તદાન આપવામાં હું નીમીત્ત બનું. હું પ્રમાણીક રીતે માનું છું કે આપણે બધા ઇશ્વર નીર્મીત કામો કરવા માટે જ ઇશ્વરે પૃથ્વી પર મોકલ્યા છે. શું આવું આપણા બોલીવુડ જગતમાં બની શકે? જ્યાં નામ, આબરૂ, કીર્તી,અરસપરસના સંબંધો તમે બોક્ષ ઓફીસમાંથી કેટલા નાણાં પેદા કરી શકો છો તેના પર જ આધારીત છે.

 પરંતુ ફીરોઝ નડીયાદવાલા એક જુદાજ પ્રકારનો ઇન્સાન છે. મેં તેની સાથે બે દાયકા પહેલાં કામ કરેલ છે. મને ખબર છે કે તેજ આવાં કામ કરી શકે. તે એક ખુબજ આકર્ષક વ્યક્તીત્વ ધરાવે છે. તેના શરીરનો બાંધો પેલા ગ્રીક દેવતાઓ જેવો છે.જેમાં એક લાગણીથી તરબોર સુર્વણ જેવું હ્રદય રહે છે. જે આજેય લેશ માત્ર બદલાયું નથી.એક સમયે મેં જે કામ કર્યું ન હતું તેના માટે મને ગુસ્સે થઇને કાઢી મુક્યો. પછી જ્યારે શ્રી નડીયાદાવાલાને ખબર પડી ત્યારે તેઓએ મારી માફી માંગી હતી. અમારા સંબંધો એકબીજા ભાઇ સગા ભાઇ હોય તેવા હતા.તેમાં તેઓનો રોલ મોટાભાઇ તરીકેનો હતો.

એક સમયે રાત્રે આશરે બારવાગ્યાના સમયે તે તેઓની મોંઘીદાટ કે અતી કીંમતી ગાડી પોર્સચે( Porsche)મને મળવા આવ્યા. કામ પતી ગયું. હું તેમની ગાડી સામે કામુક નજરે જોઇ રહ્યો હતો. તે સમજી ગયા અને મને કહ્યું ચલો હું તમને તમારા ઘરની નજીકના વીસ્તરમાં ગાડીમાં મુકી આવું. ત્યારબાદ મને વર્લી સીફેસથી લઇને  જુહુ સુધી લઇ ગયા.શ્રી નડીયાદવાલા માટે તે ભલે નાની વાત હોય પરંતુ મારા માટે તો એ જીવનનો મહાન પ્રસંગ બની ગયો હતો. કારણકે  તે મારા જીવનનો પ્રથમ કે છેલ્લો પ્રસંગ હતો કે જ્યારે હું આવી પોર્સેચ જેવી ગાડીમાં બેઠો હોઉ.

 નીરજભાઇ અને ફીરોઝભાઇની આ સ્ટોરી ઇન્ડીયન એક્ષપ્રેસમાં વાંચીને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા.કારણકે ફીરોઝભાઇ પોતાના મીત્રની જીંદગી બચાવવા માટે જે કાંઇ પણ કરવું પડે તે બધું જ કરી શકે તેમ હતા. ફીરોઝભાઇની આસ્થા કે ધર્મ તેમાં બીલકુલ વચ્ચે આવે જ નહી. તમે વાંચક, તરીકે કલ્પના કરી શકો છો ખરા કે એક મુસ્લીમના ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠનું પઠન થાય?  હું તો તેવું વીચારી શકતો જ નથી. તે રીતે આજના દીવસોમાં કોઇ હીંદુના ઘરમાંથી દરરોજ કુરાનની આયાતો પઢાય તેની પણ હું કલ્પના કરી શકતો નથી. પણ આજે જે મારા દેશનું ધર્મો અને તેની આસ્થાઓને કારણે નાગરીકોનું જે ધ્રવીકરણ કે અલગતાવાદીકરણ થયું છે  તે હકીકતને નીરજભાઇ અને શ્રી નડીયાદવાલાની દોસ્તી સ્વીકારવાની ના પાડે છે. તે બંનેની એકબીજા સાથેની ભલાઇ અને પ્રેમ મને એવું માનવાની પ્રેરણા આપે છે કે આ દેશમાં તેઓના જેવા લાખો નાગરીકો છે જે 'ઇન્સાનીયત' ને પોતાની નીજી ધાર્મીક માન્યતોથી પર માને છે. તેમના આ સંબંધોએ મને માનતો કર્યો છે કે આ દેશમાં ભલે ' ઓરંગઝેબ કે અલાઉદ્દીન ખીલજીની' વાતો મતના રાજકારણને કારણે થતી હોય પણ હજું અહીંયા માનવતા મરી પરવારી નથી.

પ્રભુ, નીરજભાઇના આત્માને શાંતી બક્ષે, ફીરોઝભાઇ નડીયાદવાલા તમારો હ્રદયપુર્વકનો આભાર અને પ્રભુને પ્રાર્થના કરૂ છું કે દેશમાં આવી ઇન્સાયતની જ્યોતને બુઝાવા ન દે. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ. ભાવાનુવાદ બીપીન શ્રોફ.)

 


--
Sent with Mailtrack

Wednesday, December 13, 2017

When banks fail: A “bail-in”

When banks fail: A "bail-in" can be provided without undermining depositor interests

December 13, 2017, 2:00 AM IST TOI Edit in TOI Editorials | EconomyEdit PageIndia | TOI

The current generation of economic reforms revolves around creating a sound institutional architecture for a market economy. In this regard, an important legislation was the insolvency and bankruptcy code which allows for a clean end to a business failure. In the same vein, a bill which deals with failure of financial intermediaries is currently being scrutinised by a parliamentary committee. Financial intermediaries are unique, which is why they need standalone legislation. Even rumours about problems of a single financial intermediary can lead to a contagion which cripples the entire banking system.

It is to the credit of RBI that it oversaw a resolution process for five troubled banks over the last 15 years, without allowing depositors to lose money or instability to creep in. Now, the central bank along with finance ministry feels we need to move to an institutionalised resolution mechanism which covers the entire spectrum of financial activity. Consequently, the Financial Resolution and Deposit Insurance bill was introduced in Lok Sabha in August. An effective resolution mechanism needs a wide variety of tools at its disposal which the bill provides. One of them, "bail-in", has triggered anxiety.

"Bail-in" refers to statutory power given to resolution authorities to convert existing creditors to shareholders. This has triggered fears that bank deposits, for instance, may not be safe. That need not be the case. An insured deposit cannot be bailed-in. India's Rs 1 lakh deposit insurance has remained unchanged for years. It should be immediately enhanced to cover the size of most deposits. For remaining deposits, a "bail-in" provision should apply only after consent of the deposit holder which will have to be compensated with higher interest rates. It's possible to simultaneously provide all resolution tools and safeguard depositor interests. That should be the focus of parliamentary debate on this legislation.

DISCLAIMER : Views expressed above are the author's own.

 


--
Sent with Mailtrack

Saturday, December 9, 2017

મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

  મોદી સરકાર! બાબરી તોડનારી ભુતાવળોના પુર્વગ્રહોમાંથી બહાર નીકળો!

 મંદીર વહી બનાયેગેં, ગોધરાના કારસેવકોનો બદલો લેવાનો છે. આ બધી શાણપણકે ડહાપણ વીનાની અને બદલાની માનસીકતાવાળી લાગણીઓની માયાજાળમાંથી બહાર નીકળો!... તંત્રી લેખ ટાઇમ્સ ઓફ ઇંડીયા ૮–૧૨–૧૭. નો ભાવાનુવાદ.

 મોદી સરકારે સ્પષ્ટરીતે ખુલ્લંમ ખુલ્લા આ મુદ્દે બહાર આવવું પડશે.

અયોધ્યાના કેટલાક પણ જુદા જુદા અખાડાઓના મહંતોઓ જેને ખરેખર આધ્યાત્મીકતા કોને કહેવાય તે જ ખબર નથી (કારણકે અખાડામાં શરીર બનાવવામાં આવે છે બુધ્ધી, શાણપણ કે તર્કવીવેક કેળવવામાં આવતો નથી.) તે બધાએ ભેગા મળીને દેશની બીજેપી સરકારને 'આખરી અને અંતીમ ચેતવણી' આપી દીધી છે. સને ૨૦૦૨ના ગોધરાના કારસેવકોના અપમૃત્યુનો બદલો લેવા બાબરી દ્વંવ્સની જગ્યા એ જ રામમંદીર બાંધવું. શું આપણે તે બધાને સમજાવી શકીશું ખરા કે બદલાના રાજકારણે જ (the politics of revenge) સને ૨૦૦૨ની સાલમાં ગુજરાતમાં ભયાનક અને વીનાશક કોમીરમખાણો પેદા કર્યા હતા.

આજે આપણે બધા તો ૨૧મી સદીમાં જીવી રહ્યા છે. આ સદી તો નવી સદી છે ને! દેશની પ્રજા  સને ૧૯૪૭ના ભાગલા સમયે થયેલી હીંસા અને લોહીયાળ ખુનામરકીના વારસામાંથી બહાર આવવાની સખત કોશીષ કરી રહી છે. દેશની ૨૧મી સદીની પ્રજાને સુખ,શાંતી, સમૃધ્ધી અને વીકાસ જોઇએ છીએ. આપણા વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો ' સબકા સાથ સબકા વીકાસ'. દેશની ભુતકાળની કબરોમાં દટાઇ ગયેલા તે ભુતો કાઢવાની જે લોકો કોશીષ કરી રહ્યા છે તેનો વીરોધ ખુબજ જોરદાર રીતે કરવો જ જોઇએ.

બાબરી મસ્જીદને સેંકડો માણસોની ગેરકાયદેસર મંડળી બનાવી, જમીન દોસ્ત કરવી તે જ ફોજદારી ગુનાહીત કૃત્ય હતું અને છે. તે ગુનાહીત કૃત્ય સામે રાજકીય સત્તાધીશો આંખઆડા કાન છેલ્લા ૨૫ વર્ષોથી કરી રહ્યા છે તે કેવી રીતે ચલાવી લેવાય! કાયદાના શાસન અને બંધારણના સમાનતા અને ધાર્મીક સ્વતંત્રતા જેવા મુલ્યોનો બહુમતી કોમનાલાગણીના કારણે બલી બનાવાય નહી. તેને પેલા મુલ્યોની સામે પ્રભુત્વ ક્યારે ન અપાય. આવા બહુમતી કોમની લાગણી દુભાઇને, કાયદાના શાસન અને બંધારણીય મુલ્યો સામે પંપરાવામાં આવશે તો દેશમાં મોટા પાયે અંધાધુધી, રાજકીય અને સામાજીક અસ્થીરતા ફેલાઇ જશે. તેમાં ખુદ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થાનું રૂપાંતર હીંદુધર્મ આધારીત સરમુખત્યારશાહીમાં થઇ જશે. ભારત આપણા પડોશી દેશ પાકીસ્તાનની બીબાઢાળ કોપી ઝડપથી બની જશે.(India will come to resemble neighbouring Pakistan.)

     તેથી જ મોદીની એનડીએ સરકારે  હીંદુ જમણેરી પરીબળોના આવા કાયદો હાથમાં લઇને પોતાની વાત દબાણપુર્વક થોપી બેસાડનારા પરીબળો સામે બીલકુલ નમવું ન જોઇએ. આવા પરીબળોના દબાણોનો જો રાજ્ય ભોગ બનશે તો દેશનું ભવીષ્ય પુરેપુરુ જોખમાઇ જશે. પડોશી દેશ પાકીસ્તાનના ધાર્મીક પરીબળો ત્યાંના લોકશાહી પરીબળો પર સંપુર્ણ રીતે હામી જશે. જે આપણા દેશ માટે વધુ ઘાતક સાબીત થશે.

 બીજેપી જે દલીલો કરી રહી છે કે બાબરી દ્રંવ્સના જ સ્થળ પર રામમંદીર જ બાંધવું છે ' મંદીર વહી બનાયેંગે' તે કામથી કોઇ પ્રશ્રનો ઉકેલાવા નથી. તે તો બદલાના રાજકારણને ઉત્તેજન આપશે. તેવા રાજકારણને કાયદેસરતા આપશે. 'વેર વેરથી ક્યારેય સમ્યુ છે ખરૂ?' એક વાર તમે રાજ્યકર્તા તરીકે સત્તાની લાલચ માટે બદલાના રાજકારણને ટેકો આપશો તે પછી સામસામી બદલાનું રાજકારણ જ નીયમ બની જશે! ગીતાનો કર્મનો સીધ્ધાંત પણ એમ જ કહે છે ને જેવું વાવશો તેવું જ પામશો. જેવા કર્મ કરશો તેવાજ કર્મના ફળો મળશે. બાવળીયા ઉગાડવાથી કેરીઓ કોઇને મળી છે ખરી?

દલાઇ લામા જેણે ભારતીય તત્વજ્ઞાન પચાવ્યું છે અને જે આર્ષદ્ર્ષ્ટા છે. તેઓનું કહેવું છે " મા– બાપોના મનના નકારાત્મક વલણો તેમના બાળકો અને તેમના પણ બાળકોમાં (grandchildren) પેઢીગત ચાલુ રહે છે. જુની પેઢી પોતાના બદલો લેવાના કાલગ્રસ્ત થઇ ગયેલા પુર્વગ્રહો નવી પેઢીને હીંસા અને કાયદો હાથમાં લઇને પણ ઉકેલવાની પ્રેરણા વારસામાં આપે છે." માનવજાતના ઇતીહાસમાં ભારતને એક રાષ્ટ્ર તરીકે યુવાન દેશ છે. તેણે પોતાની જાતને ભુતકાળના 'મંદીર વહી બનાયેંગે ' જેવા ભુતવાળોમાંથી મુક્ત થવાની તાતી જરૂરત છે.  તે આજના દીવસનો (૬–૧૨–૧૭.) બાબરીદ્ર્વ્સના ૨૫વર્ષ પુરા થયાનો સંદેશ છે. જેને આપણા જોખમે નજર અંદાજ કરી શકીએ છીએ. (It deserves to be liberated from the obsessions the of the old.)

 

 

 

 


--



Sent with Mailtrack

Monday, December 4, 2017

“ જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે.”

" જેઓ બુલેટ ટ્રેઇનનો વીરોધ કરે છે તે બળદ ગાડુ વાપરી શકે છે." જંબુસરની સભામાં વડાપ્રધાન બોલ્યા.

 બુલેટ ટ્રેઇનનો વીરોધ લોકો કેમ કરે છે?

 કારણકે તમારી પાસે અર્થશાસ્રના નીયમ મુજબ કોઇપણ દેશ માટે  નાગરીકોની જરૂરીયાત સંતોષવાના ઉપલબ્ધ સાધનો( Available Resources)  મર્યાદીત હોય છે. જ્યારે નાગરીકોની જરૂરીયાત અમર્યાદીત હોય છે.

મોદીજી! તમારા શાસનમાં પ્રજાની કઇ જરૂરીયાતો સંતોષવામાં દેશના સીમીત સાધનો વાપરવામાં આવે છે તે જાણવાનો અને તે અંગે મત જણાવવાનો અબાધીત અધીકાર નાગરીકો અને દેશના બૌધ્ધીકોને છે જ. તે રખે ભુલી જતા? દેશમાં લોકોની રોટી, કપડાં, મકાન, બેકારી, મોંઘવારી, ખેડુતોને પોષણક્ષમ ભાવ, આરોગ્યના ક્ષેત્રે કંગાળ સવલતોને કારણે બાળકોથી માંડીને અનેક દર્દીઓના અપમૃત્યુ , સરકારી શીક્ષણની તમારા સમયમાં ગુજરાત અને દેશમાં બનેલી, વધુને વધુ બનતી જતી કંગાળ સ્થીતી, સરકારની રોજગારની નીતીઓમાં ફીક્સપગાર અને કોન્ટ્રાક્ટ પધ્ધ્તી, દેશના નાગરીકોનું ધર્મ આધારીત વીભાજનની વધતી ખાઇ, આવા અનેક મુદ્દાઓ મોઢું ફાડીને ઉકેલની રાહ જોઇ રહ્યા છે. ત્યારે તમારી બુલેટ ટ્રેઇન લાવવા જેવી માનસીક્તાનો વીરોધ કરે તેમાં શું ખોટું છે ?

 દેશમાં તમારા જેવાના બુલેટ ટ્રેઇન લાવવાના નીર્ણયો અને તેવી પ્રજા વીરોધી માનસીકતાથી દેશની મર્યાદીત સાધન સંપત્તી એવા વૈભવી ક્ષેત્રોમાં વપરાઇ જશે કે એક દીવસે પ્રજા પાસે જીવવા માટે  કશું બાકી નહી રહેતાં ચોરી કરીને બુલેટ ટ્રેઇનના પતરાં, સીટો અને અન્ય ચીજો વેચીને પોતાના દહાડા કાઢશે? શું પ્રજા તમારા શાસનકાળમાં એવા દીવસો આવવાની રાહ જુએ? 


--



Sent with Mailtrack

Saturday, December 2, 2017

મીસ્ટર શ્રોફ.

મીસ્ટર શ્રોફ,

 હું લોર્ડ શીવા, સોમનાથના મંદીરમાંથી બોલું છું.

બોલો, બોલો, લોર્ડ શીવા, મારા જેવા રેશનલ નાસ્તીકને, બાપુ! કેમ યાદ કરવો પડયો?

લોર્ડ શીવા–મને સારી રીતે ખબર છે કે તું ગુજરાતનો ઘણા બધામાંનો એક નખશીખ રેશનલ માણસ છું. માટે જ હું તને મારા અંગે એક ખાસ રેશનલ વાત કરવા માંગું છું. જો કે મારી વાત ખુબજ ખાનગી રાખવાની છે. પણ ખરેખર જોઇએ તો એ વાત આમ  " ઓપન સીક્રેટ" જેવી છે.

બાપુ! એવી મઝાની વાત સાલી શું હોઇ શકે? તે વાત, મને આમ પહેલે તબક્કે સમજાતી નથી. પણ બાપુ, અમે રેશનલ રીતે વીચારતાં ટેવાઇ ગયેલા એટલે મારી સમક્ષ તમારો ભુતકાળ અને દેશની આઝાદી પછીના બે ત્રણ વર્ષોમાં ફરી તમને વાજતે  ગાજતે આ સોમનાથના મંદીરમાં ' પ્રાણપ્રતીષ્ઠા' 'જીણોધ્ધાર' જેવા બહુ મોટા નામે કાયમ માટે પુરી દીધા છે એ બધું યાદ આવી ગયું છે. મને પણ બાપુ, તમારા માટે બહુ જ રેશનલ રીતે લાગી આવ્યું છે.

અમારા બાળપણમાં તમારા વીષે અમારા વડીલોએ અમારા નાના મગજમાં એવું ઠોકી બેસાડી દીધેલું કે અમારા કૃષ્ણ જેવા પરાક્રમો તમે નહી કરેલા, વધારામાં તમે કૃષ્ણ જેવી લીલા જેવું બધુ નહી કરેલું. પાછા તમે કપડાં બપડાં નામના જ પહેરતા, જંગલ કે સ્મશાનમાં  પેલા તમારા ભુત–પલીત જેવા મીત્રો સાથે, રખીયા, ભભુતી શરીર પર લગાવીને અને ડાકલાં વગાડતા ત્યાંજ નીવાસ કરતા. તેથી અમને ગમતા નહી. અમને એ પણ તે સમયે ખબર હતી કે તમારી સાસરી( પત્ની પાર્વતી દેવીજીનું પીયર) નાગાધીરાજ હીમાલયમાં કોઇક જગ્યાએ હતું. અને તમારા સાસરી પક્ષે સંબંધો સુમેળ ભર્યા ન હતા એવું ખબર હતી.પાર્વતી દેવીના પીતાજી ખાધે પીધે ખુબ સુખી હતા. તેથી બાપદીકરીએ તમારી સામે ગમે તેટલો અસંતોસ હોવા છતાં છુટાછેડા કે ખાધાખોરાકીના દાવા દુવી કરેલ નહી.

શ્રોફ, પણ મારી પાસે નહ્વાનુ કે નીચોવાનું  જેવું કશું જ ન હતું તો તે શું લઇ જાત.

 શ્રોફ, હવે તું તારૂ રેશનલ ડહાપણ બંધ કર અને મારી વાત જલદી સાંભળી લે. કારણકે કોઇ ભક્તના સ્માર્ટ ફોનના વોટસએપથી ફ્રીમાં વોઇસ મેઇલથી વાત કરૂ છું.

 બોલો, બોલો, સોરી ફોર ધી ઇન્ટરપ્શન. સુવીધા કી અવીધા માટે દુ:ખ હૈ.

તને નહી પણ આખી દુનીયાને ખબર છે કે આ સોમનાથના સ્થળે જ આશરે સાતસો આઠસો વરસ પહેલાં મારી મુર્તી તથા મારા મંદીર પર પરદેશીઓએ પાંચ સાત વાર હુમલા કરીને બધુ તોડી ફોડી નાંખ્યું હતું. લેવા જેવું બધું લુટીને લઇ ગયા હતા.

મારી દૈવી તાકાત પર અતુટ વીશ્વાસ રાખીને જે બધા ભક્તો મંદીરમાં રહ્યા હતા તે બધાનો પણ મંદીરના નાશ સાથે તેમનો પણ  નાશ થઇ ગયો હતો. હું પરદેશીઓના લશ્કરી હુમલા સામે મારા ભક્તો કે મંદીર અને તેમાં રહેલી મુર્તી વિ, ને  હું પોતે, લોર્ડ શીવા એક વાર નહી પણ પાંચ થી સાત વાર બીલકુલ બચાવી શકેલો નહી. આ રેશનલ હકીકત પુરાવા આધારીત છે.

મીસ્ટર શ્રોફ, તમારા રેશનાલીસ્ટો સીવાય મારી વાત કોઇ જ માનતા નથી. ભલે બધા જાણે છે. હજુ હું તેમનો તારણહાર હોઉં, ઉધ્ધારક હોઉં એવી અતુટ શ્રધ્ધા નહી પણ અંધશ્રધ્ધા મારામાં રાખે છે. અને હજારો માણસ નેતાઓ અભીનેતાઓ બધાજ મારી પુજાઅર્ચના રોજ કર્યા જ કરે છે.

મારી તારી સમક્ષ એક વીનંતી છે. મારી દૈવી તાકાતનો ફરી સાલુ ટેસ્ટીંગનો સમય આવે તેની ચીંતાથી મારૂ બીપી, હ્રદયના ધબકારા વી. ખાસ કરીને રાતના સમયે વધી જાય છે. સદીઓથી પડોશી મીત્ર દરીયાલાલના મોજાંનો અવાજ સાંભળતાં પાછું બધું શાંત પડી જાય છે. તમારા રેશનાલીસ્ટો પાસે મારા ભક્તો કરતાં વધુ વીવેકબુધ્ધીવાળો ઉપાય હશે જ એમ સમજીને તને ફોન કર્યો છે. બોલ રસ્તો બતાવીશ કે નહી?

 એટલામાં મંદીરમાં કોઇ ભક્ત પોતાનો ફોન ગુમ થઇ ગયાની બુમાબુમ કરે છે. સોરી, માફ કરજો! એ તો હીમાલયમાં મારી પત્ની પાર્વતીદેવી ઘણા સમયથી ગયા છે અને બાળબચ્ચાની ખબર પુછવા ફોનનો ઉપયોગ વોટસાઅપ ફ્રી હોવાથી કર્યો હતો. આભાર ભક્ત.

 


--