Friday, January 4, 2019

મોદીજી બધા માણસોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા નથી.

મોદીજી, બધા માણસોને બધા સમય માટે મુર્ખ બનાવી શકાતા

નથી. 

બીજુ, દરેક નવી ક્રાંતી( સને ૨૦૧૯ની લોકસભાની ચુંટણીના સંદર્ભમાં) માટે જુના સાધનો( દા;ત રામમંદીર કે ઉગ્રહીંદુત્વ) કામમાં લાગતાં નથી.

સને ૨૦૧૪માં મોદીજી, તમે જે વચનોની લાહ્ણી કરીને તથા જાણે દેશમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખની ચુંટણી હોય તેમ તે ચુંટણી લડયા અને જીત્યા પણ હતા. દરેક નાગરીકાના ખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા થશે, ભષ્ટ્રાચાર નાબુદ થશે, પરદેશની બેંકોમાં જે ભારતીયોના કરચોરીના નાણાં છે તે તમામ કાળાનાણાં પરત લાવવામાં આવશે. સબકા સાથ સબકા વીકાસ તેવી બધી મમળાવામાં સારી લાગે તેવી લોલીપપો આપી હતી.

તમારા તે સમયના ચુંટણી વચનોમાં, લવ જેહાદ, ગૌ માંસ  ગૌ–રક્ષા, 'અમે(વી) અને પેલા( ધે), નોટબંધી, જીએસ ટી, દેશના સર્વપ્રકારના દુ;ખો માટે જવાબદાર ૭૦ વર્ષોથી ચાલુ રહેલી દેશનાપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની નીતીઓ વી. ની વાતો તમારા પ્રવચનોમાં કરી ન હતી. 'કોગ્રેસમુક્ત' ભારત પણ તમારા તે સમયના એજન્ડામાં નજરે પડયુ ન હતું.

તે સમયે અને ભવ્ય સમારંભ રચીને સત્તા ગ્રહણ કર્યા પછી નજીકના સમયમાં જે બૌધ્ધીકોને નહેરૂજીના સમાજવાદી મોડેલના વીકલ્પે મુક્ત અર્થતંત્ર, અને પરમીટ ક્વોટા–લાયસન્સવાળા રાજયતંત્રનો અંત ઇચ્છતા હતા તે બધા નરસીંહરાવના વડાપ્રધાન પદે જે આર્થીક સુધારાનો પવન હતો તેને ફરીથી આગળ લઇ જવા માંગતા હતા તે બધા આપના ભરપેટ વખાણ કરનારા અને સમર્થકો બની ગયા.        કેટલાક તો વળી આપની ફતેહને અંગત ફતેહ ગણીને "અમેરીકાની સીવીલ વોર ના વીજેતા અને અમેરીકન આફ્રીકનો (નીગ્રો)ના મુક્તીદાતા અબ્રેહામ લીંકન માટે જે કહેવાય છે કે From Log Cabin to White House તેમ તમારા માટે From Chaywala  to Prime minister office" ને મુલવવા માંડી.

આ ધ્યેય સાથે હાર્વડ અને અન્ય વૈશ્વીક ટોચની યુનીર્વસીટીઓમાં જે ભારતીય આર્થીક નીષ્ણાતો હતાતેમજ મુક્ત અર્થ્તંત્રની વીચાસરણીમાં માનનારા હતા, તે બધાને તમે પણ એક પછી એક ટોચની દેશની આર્થીક,  નાણાંકીય,(આર બી આઇ) તથા નીતીઆયોગ (પ્લાનીંગ કમીશન)જેવી સંસ્થાઓની વહીવટી સેવાઓ આપવા તૈયાર થઇ ગયા. સાથે સાથે વૈશ્વીક કક્ષાના અન્ય બૌધ્ધીકો જેવા કે અર્થશાસ્રમાં નોબેલ પ્રાઇઝ વીજેતા અને નાલંદા યુનીર્વસીટીના વાઇસ ચાન્સેલર અર્મતસેન વી. આપના લોલેલોલમાં હા નાપુરાવી શકે તેવા હતા તે બધાને ક્રમશ પણ ચતુરાઇપુર્વક ફગાવી દેવામાં આવ્યા. કેટલાક સમજપુર્વક પોતાની માનહાની થાય તે પહેલાં બહાર નીકળી ગયા.દેશમાં જુદા જુદા બૌધ્ધીક વીષયોના નીષ્ણાતોને પોતાની સીધ્ધીઓ માટે,જેવાકે સાહીત્યકારો, વૈજ્ઞાનીકો વી, જેને દેશ અને પ્રાદેશીક રાજયોએ બહુમાન કરીને જુદા જુદા એવોર્ડથી નવાજયા હતા તે બધાએ  (જે રીતે મોદીસરકારની રોજબરોજની નીતીઓ સામે અવાજ ઉઠાવ્યો) પોતાના એવોર્ડ પરત આપી દીધા. દેશની બધાજ પ્રકારની સ્વાયત્ત સંસ્થાઓ છેલ્લા સાત દાયકાઓથી સત્તાના રાજકારણથી અલગ રહીને કામ કરતી હતી, તે બધી જ સંસ્થાઓ ઉપર આર એસ એસના માણસોને થોપી દીધા. તમારી આપખુદનીતીઓની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જયારે દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીવાય અન્ય ચાર ન્યાયાધીશોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ' કયો કેસ કોને આપવો' તે અંગે આપની સરકાર દ્રારા થતી દખલગીરીનો  વીરોધ કર્યો.   

પેલા આર્થીક અને નાણાંકીય વૈશ્વીક કક્ષાની નીપુણતા ધરાવતા હતા જેવાકે રઘુરાજન, અરવીંદ સુબ્રમનીયમ, છેલ્લે ઉર્જીત પટેલ વી. ક્રમશ તમારા વહીવટ અને નીર્ણયો લેવાની પ્રક્રીયાને સમજતાં દેશમાંથી વીદાય લઇ લીધી. કારણકે તમને પણ ' હાર્વડ કરતાં હાર્ડવર્ક' ( સમજીયા વીના હાજી હા કરનારા હજુરીયા તરીકે વૈતરુ કરનારા)'માં દીલચશ્પી વધારે હતી.

શરૂઆતને તબક્કે મોદી મેજીકથી મુગ્ધ બનેલાઓની યાદી આમ તો ઘણી લાંબી છે. પણ અરૂણ શૌરી, સુબ્રમનીયમ સ્વામી, રામજેઠમલાણી, ઇનડીયન એકસપ્રેસ દૈનીકના કાયમી પત્રકાર તવલિન સીંઘ,અને યશવંત સીંહા મુખ્ય હતા. તેમાં છેલ્લા તવલીન સીંધ વીચારોને જાણીએ.

" મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વીધાનસભાના પરીણામો સુચવે છે કે મોદી વેવ હવે બીલકુલ બીનઅસરકારક થઇ ગયું છે. મારા મત પ્રમાણે મોદી એક રાજકીય નેતા ને બદલે જાણે લોકોનો તારણહાર(Messiah)હોય તે પ્રમાણે નીર્ણયો કરે છે.તેઓના નીર્ણયોમાં ક્યારેય પોતાના મંત્રીમંડળ સાથે ચર્ચા,સંવાદ,સાથીઓના મતને સમજવો તેવો કોઇ પ્રતીભાવ આજદીન સુધીમાં દેખાતો નથી. દા;ત નોટબંધીનો નીર્ણય લેતી સમયે તેમનામંત્રીમંડળને જાણે એકાંતવાસમાં પુરી દીધા હોય(સોલીટરી કનફાઇનમેન્ટ) તે રીતે મુકી દીધા હતા.( Modi acted alone. His ministers were kept in solitary confinement till he made his announcement.)કોઇ રાજકીય નેતા હોય જે દસવાર નોટબંધી જેવો નીર્ણય લેવા માટે વીચાર કરે તે નીર્ણય નવેંબરની સાંજે તેઓએ લઇ લીધો. જેને લીધે દેશના ૯૦ ટકા નાણાંકીય ચલણને ગેરકાયદેસર જાહેર કરી દીધું. આવા નીર્ણયોમાં મને જાણે પયગંબર કે તારણહાર ક્યારેય ખોટો નીર્ણય ન કરે તેવો ઘમંડ (અરોગન્સ) તેમના સ્વભાવમાં દેખાયો! તેઓએ નોટબંધીના નીર્ણયથી ઘણું બધુ કાળું નાણાં બહાર આવશે તે ધારણા બીલકુલ ખોટી પડી. નોટબંધીથી નવી હજારો કે લાખોની સંખ્યામાં રોજગારી વધશે તેવી આશા પણ બીલકુલ ઠગારી નીવડી. ખરેખર તેનાથી મોટાઉધ્યોગોનો વીકાસ ઠપ થઇ ગયો. મધ્યમ, નાના ઉધ્યોગો અને અસંગઠીત 'ઇનફોરમલ બીઝનેસીસ' ની કમર જ તોડી નાંખી..... આ ઘમંડી તારણહારના બીજા નીર્ણયને સમજીએ! ગુડસ અને સર્વીસીસ ટેક્ષ. વીશ્વમાં કોઇ રાજકીય પક્ષનો નેતાએવો હોય જે પાર્લામેંન્ટના હોલમાં રાત્રીના બારવાગે  કોઇ નવો ટેક્ષ નાંખતો હોય તેની ઉજવણી કરે! જેમાં સામાન્ય માણસની પ્રાથમીક જરૂરીયાત હોય તેવી એક સીમેંટની થેલી પર ૨૮ ટકા ટેક્ષ નાંખ્યો. રૂપીયા ૩૦૦ની કીંમતની એક સીમેંટની બેગ પર ૮૪ રૂપીયા જીએસટી.ટેક્ષ. નોટબંધી અને જીએસટીની ટેક્ષ ટકાવારીને કારણે ઘણા બધા રક્ષીત ધંધાઓ કાયમ માટે બંધ થઇ ગયા.(The manner in which the Prime Minister announced the arrival of his new tax is another sign of  messianic behaviour. Nobody celebrates taxes. But, messiah Modi decided he was doing something so special that a dramatic ceremony was organised in Parliament in July last year to announce the tax.)

મોદી જેવા મસીહા કે પેગંબરના વહેમમાં રહેતા નેતાઓનો ઘમંડ એવો હોય છે કે અમે ચર્ચા કે સંવાદથી હંમેશાં પર છે. પ્રજાતો મારા મનનીવાત સાંભળવા માટે જ સર્જયેલી છે. પ્રજાના મનની વાત મારે જાણવાની કે ધ્યાનમાં રાખવાની શી જરૂર છે? લોકશાહીમાં તો પ્રજા તો એક કઠપુતલી વધારે કશું જ નથી. મારા જેવા એ તો પેલી કઠપુતલીઓને આંગળીથી નચાવનાર મદારીથી વીશેષ કોઇ રોલ ભજવવાનો હોતો જ નથી. અને તે પણ પાંચ વષે એક જ વાર ચુંટણીના મંડપમાં બસ ભેગાજ કરી દેવાના હોય ને! પછી બાકીના પાંચ વર્ષ તો આખી દુનીયામાં તેમના કરવેરાના પૈસે લટારો જ માર્યા કરવાની ને!  Who cares? For Whom? For why?

તવલીન સીંઘ વધુમાં પોતાનો બળાપો(ચાર વર્ષ સુધી રહેલા મોદી ભક્ત) મોદી સામે કાઢતાં સદર લેખમાં લખે છે કે  છે કે જે કોગ્રેંસ મુક્ત અને નહેરૂ કુટુંબ મુક્ત દેશની વાતો કરે છે તેને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ચુંટણીના પરીણામોએ મોદી મેજીકની કઠપુતલી બનવાનો કાયમ માટે ઇન્કાર કરી દીધો. પણ મસીહાના કે તારણહારના વહેમમાં રહેનારો આ ઘમંડી મોદીએ ૨૦૧૯ની ચુંટણી ગુમાવી દીધી છે. આ દેશના વડાપ્રધાન બીજી બનવાનાં સ્વપ્નાં જોવવાનાં કાયમ માટે બંધ કરી દે!.( If he continues to remain in messianic mode it can be safely said that winning another term will be next to impossible........ To lose in vital Hindi heartland states comes as a loud warning that Uttar Pradesh could go too. And, then for Modi, the chance of a second term is over. સૌ. ૧૬ ડીસેમ્બર ૨૦૧૮ ઇન્ડીયન એકપ્રેસ ના અંગ્રેજી લેખનો ભાવનુવાદ.)


--