Thursday, October 24, 2019

મદ્રાસ હાઇકોર્ટનીડીવીઝન બેંચનો ચુકાદો

મદ્રાસ હાઇકોર્ટની ડીવીઝન બેંચનો ચુકાદો––

 "  રામસ્વામી પેરીયરની પ્રતીમા નીચે આ પ્રમાણે જે લખાયેલું છે તેમાં કશું બંધારણીય રીતે ગેરકાયદેસર નથી. There is no God, the inventers and preachers are fools and rouges & those who worship God are barbarous. God does not exist."  ઇશ્વર નથી. તેને શોધનારા અને તેનો પ્રચાર કરનારા મુર્ખાઓ ને બદમાશ છે. ઇશ્વરની ભક્તી કરનારા સુસંસ્કૃત નથી. ઇશ્વરનું કોઇ અસ્તીત્વ નથી.. આવું લખાણ રાજ્યભરમાં જુદા જુદા સ્થળોએ મુકવામાં આવેલી પેરીયરની પ્રતીમા નીચે કોતરાવીને લખેલું છે.

સદર ડીવીઝન બેંચે વધુમાં જણાવ્યું છે કે પેરીયર જે માનતા હતા તે પ્રમાણે જ લખ્યું છે તેવો ચુકાદો આપવામાં અમને કશો વાંધો નથી. અમે પેરીયરના વીચારો કેવા હતા તે અંગે જે સંપુર્ણ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા છે (ઓન રેકોર્ડ છે) તેનો અભ્યાસ કર્યો છે. He was known for Atheism. તેઓ નાસ્તીક વીચારક તરીકે જ જાણીતા હતા. આ સંદર્ભમાં પેરીયર સામાજીક્ ન્યાય, અસમાનતાની નાબુદી, સ્રીઓની તેમની સામેના કુરીવાજોમાંથી મુક્તી,અને વંચીતોના હક્કો માટેનો સંઘર્ષ જેવા બંધારણીય અનીષ્ટો સામે જીંદગીભર સંઘર્ષ કર્યો હતો. તેમ કરવાના તેમના બંધારણીય અધીકારનું અમે સંરક્ષણ કરીએ છીએ. તેઓએ તો પોતાનો ઇશ્વર અને ધર્મ પર નાસ્તીક તરીકે મત જણાવ્યો છે. અમે તેમની વીરૂધ્ધની પ્રતીમા નીચેનું લખાણ રદબાતલ કરવાની રીટપીટીશન ખારીજ કરીએ છીએ. ડીવીઝન બેંચમાં ન્યાયધીશ તરીકે શ્રી એસ મનીકુમાર અને શ્રી .સુબ્રમોનીયમ હતા. સૌ. ન્યુ ઇન્ડીયન એક્પ્રેસ તા–૦૬–૦૯–૧૯. ભાવાનુવાદ બીપીન શ્રોફ.