Wednesday, February 7, 2024

અમેરિકા(યુએસએ)ને એક દેશ તરીકે આ રીતે પણ સમજવાની જરૂર છે.

અમેરિકા(યુએસએ)ને એક દેશ તરીકે આ રીતે પણ સમજવાની જરૂર છે.

Nearly 1 in 3 Americans adults  has no religious affiliation: 

પી ઈડબ્લ્યુ રીસર્ચ સેન્ટર (PEW RESEARCH CENTER)

દ્વારા એક તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો છે. આ સંસ્થા કોઈપણ રાજકીય રીતે કોઈ વિચારસરણી કે રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી.

 તે વિશ્વ અને અમેરિકાને સંબંધી પ્રશ્નો અને સમ્સ્યાઓ અંગે આંકડા અને માહિતી ભેગી કરનારી સંસ્થા છે.પોતાના સંશોધનો પર તે પોતે કોઈ નીતિવિષયક અભિપ્રાય લેતી નથી કે ઉભો કરતી નથી. It does not take policy positions.

"અમેરિકન સમાજનું ધાર્મિક બંધારણ(પોત,કે માળખું )" .

આ દેશ 1776માં બ્રિટિશ હકુમત પાસેથી સ્વતંત્ર થયો હતો. તે સમયથી તે દેશનું સંચાલન ધર્મનિરપેક્ષ,લોકશાહી બંધારણ મુજબ ચાલે છે. તેમાં એક અગત્યનો માર્ગદર્શક સુધારો છે કે રાજ્ય અને ધર્મ બંને વચ્ચે અબાધિત કાયમી વિયોજન (સેપરેશન) રહેશે.આશરે 250 વર્ષની લોકશાહી રાજ્યવ્યવસ્થા પછી જે દેશ એક સમયે સંપુર્ણ ઈસાઈ દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો હતો તેનું આજે આ દેશનું ધાર્મિક માળખું કેવું છે તે સમજવાની જરૂર છે.

  1. તાજેતરના(24-01-2024)પી.ઈ.ડબ્લ્યુ રીસર્ચ સેન્ટર સર્વે મુજબ આ દેશનો દરેક પુખ્ત ઉંમરના ત્રીજા નાગરિકને કોઈ ધર્મ નથી. (In U.S., roughly three-in-ten adults now religiously unaffiliated) તે ⅓ ભાગમાંથી 17% સંપુર્ણ નિરીશ્વરવાદી, (atheists) 20%સંશયવાદી(agnostic) જેને ઈશ્વરના અસ્તિત્વ અંગે શંકા છે તેવા,અને 63%ને કોઈ ધર્મ નથી (Nones).

  2. આ બધા શરીરમાં આત્મા છે તેમાં માનતા નથી,ઈશ્વરના અસ્તિત્વને નકારે છે અને તેની પાસે દૈવી શક્તિ હોવાનો ધરાર ઇન્કાર કરે છે. સદર કુદરતી પૃથ્વી સિવાય કોઈ ઈશ્વરી જગતના સામ્રાજ્યના અસ્તિત્વને નકારે છે. સ્વર્ગ અને નર્કના ખ્યાલને પણ તરંગી ગણે છે. મૃત્યુ પછીના જીવનના અસ્તિત્વને પુરાવા વિહીન હોવાથી નકારે છે.  

  3. આ બધા ત્રણ કારણોસર નિરીશ્વરવાદી છે .એક,તેમાંથી 60% યુવાનો કહે છે કે અમને તમામ ધર્મોના ઉપદેશો જ અસ્વીકાર્ય છે.તે બધું અગડમબગમ,અવૈજ્ઞાનિકઅને પુરાવા વિહીન છે. તે બધામાંથી 47% ને તો તમામ ધર્મોની સંસ્થાઓ માટે જ ભારોભાર નફરત છે.41% કહે છે કે અમારા જીવનમાં ધર્મની કોઈજ જરૂર જ નથી.(Because they do not see a need for religion in their lives.)

પ્રેષકની નોંધ -પૂર્વના દેશોમાંથી આયાતી વસાયતી સાથે આવેલ ધર્મોની દુકાનો અહિયાં શનિ-રવિ નિવૃત એનઆરઆઈથી(દેશીઓથી)ચાલે છે.કારણકે તેમાં ભજન ફરજીયાત -જમવાનું મફત -પ્રસાદ ડોલરમાં મળે છે.

  1. સદર ⅓ અમેરિકન યુવાનોની શેક્ષણિક લાયકાત,વંશ અને જાતિ -

આ જૂથમાંથી 77% નાસ્તિકો અને સંશયવાદીઓ ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ સુધીના ડિગ્રી ધરાવનારા ગોરા અમેરિકન( પહેલા તેમનો ધર્મ પ્રોટેસ્ટન્ટ હતો કેથોલિક નહીં.)હોય છે.સદર જૂથના 70% ની ઉંમર 50 વર્ષથી ઓછી છે.ફક્ત 2%નાસ્તિક અને 4% સંશયવાદી આફ્રિકન અમેરિકન (બ્લેક પીપલ) હોય છે. 

  1. આ જૂથની રાજકીય વિચારસરણી અને રાજકીય પક્ષ-

 70% ઉપરના લોકો ઉદારમતવાદી લોકશાહી રાજકીય

 વિચારસરણી ધરાવે છે.અને ડેમોક્રેટિક પક્ષના સભ્યો અને ટેકેદારો છે.

—---------------------------------------=---------------------





--