Monday, April 1, 2024

! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ


હૈ ! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ ? તે તમને ખબર છે?

 હું 10 વર્ષ  સુધી દેશના  વડાપ્રધાન પદે અને આશરે 15 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બે બેરોકટોક ચાલુ રહ્યો છું. એ તો મારે તમને જણાવવાનું હોય જ નહીં! જુઓ! તમે બધા એક વાત સમજી લો કે, " સત્તાના રાજકારણમાં " મેં કદી હાર શું છે એ જોયું જ નથી! સૌ પ્રથમ મેં મારા ગુજરાતના ભાજપ પક્ષમાંથી જ મને હરાવવા નીકળી પડેલા ને વારાફરથી હરાવતો આવ્યો છું. કેટલાકને તો મેં નામશેષ જ કરી નાખ્યા હતા.

    સને 2014 પછી મેં કબ્જે કરેલી દેશની આધુનિક હસ્તિનાપુર રાજધાનીમાં મારા પક્ષના અને વિરોધ પક્ષના તમામ દુશમ્નોથી  મુક્ત થવાનો મારો એક માત્ર "રાજધર્મ"ની નિસરણી ચઢવાના થોડાં પગથિયાં હજુ બાકી છે. મારુ તે  "મિશને  હિન્દ" હજુ પૂરું થયું નથી. બહુ લાંબી- ચોંઢી વાત કરવાને બદલે પેલા 97 કરોડ મતદારોને સમજાવી દેવા માંગુ છું  હું " મારા ખોળિયામાં " જીવ છે ત્યાં સુધી કેમ  સત્તા  છોડીશ નહીં?

  1. ગુજરાતના 2002ના દેશને લઘુમતી -બહુમતીને ધાર્મિક નફરતપેદા કરીને આડો ઉભો વેતરી નાખવાના પવિત્ર મિશનમાં રણધીરપુરના  બિલકિસ બાનું , બરોડાના બેસ્ટ બેકરી કેસ, નરોડા પાટિયા અને નરોડા ગામ,અહેસાન જાફરીસાહેબ વાળી  ગુલબર્ગ સોસાયટી ના રહીશોની અને બીજા અનેક ઇતિહાસની નોંધ બહાર રહી ગયેલાઓની શાનને  ભાનમાં લાવવાના સુઆયોજિત યોજનામાં " नींव कि इट " બનનારા  મારા હિંસક સાથીદારોની મુક્તિ અને તેમના કુટુંબોના હિતો સાચવવાની  જવાબદારી માટે મારો વડાપ્રધાન નો પટો રીન્યુ કરવાની  જરૂર છે.

  2.  છેલ્લા 10 વર્ષોમાં મેં  દેશને  કાયદાના શાસનમાંથી ( RULE OF LAW)મુક્ત કરી  શાસનકર્તાની મરજી મુજબનું કાયદાનું રાજ્ય લાવવા    ( LAW OF RULER) મારી ઈચ્છા વચ્ચે  ઘણા વિઘ્નો છે. જે મારા " ઈલેક્શન બોન્ડ " પ્રજા કલ્યાણ લક્ષી પગલાંને રાષ્ટ્ર વિરોધ - બંધારણ વીરોધી ગણીને રદબાતલ કરે છે.

  3. મારો સત્તાનો પટો જો રીન્યુ કરવામાં નહીં આવે તો  દેશને 'મનુસ્મૃતિ' આધારિત  " હિંદુ દેશ" બનાવવાનું  ભૂલી જજો!   

  4. પેલા 82 કરોડ દેશવાસીઓ ને  તો મેં  5કિલો અનાજ બીજા 10 વર્ષો સુધી મફત આપવાના વચન આપી મત આપવા પટાવી લીધા છે.તે બધા ની તો મેં મૂઠ્ઠી ચણા આપીને  કાયમ માટે ચાંદીની કલ્લીઓ કાઢી લીધી છે.પણ મારા દેશના  બિચારા અદાણી-અંબાણી જેવા તમામ " Crony Capitalism"ના હિતો જે મારી સત્તા, મારા પક્ષના કાર્યકરોની સમૃધ્ધિ અને  દેશવાસીઓના વધતી જતી યુવા બેકારી ની ફોજનું  કલ્યાણ  કોણ કરશે? તેમના શેરહોલ્ડર્સ અને મુંબઈ શેર બજારનું શું  થશે?

  5. મારા  તમામ પક્ષની અંદરના વિરોધીઓ અને સામા પક્ષના વિરોધીઓને  લકવાગ્રસ્ત અને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાના પગલાં  તો મેં  હમણાં જ લેવાના શરુ કર્યા છે. કોઈકના  નાણાંકીય ખાતાં  અટકાવ્યા છે કે પછી ફક્ત એકલ દોકલ એક બે મુખ્ય મંત્રીઓને જેલમાં પૂર્યા છે. તમે 31મી માર્ચની મારા પાટનગર હસ્તિનાપુરની  ગઈકાલની વિરોધ પક્ષ ની સંયુક્ત રેલી જોઈ ? બોલો !એકી સાથે  તે વિરોધ પક્ષના  નેતાઓ એ બે  હાથ એકબીજાના  હાથો પકડીને  ઉભા હતા તે લાઈનની  સંખ્યા  ગણી? બોલો કેટલા બધાને  જેલમાં પુરવાના બાકી છે?

  6.  નોઈડાના મીડિયા કોન્ક્લેવ અને ગોદી -મોદી-મીડિયાના એન્કરોની  સત્તા ગયા પછીની  પેદા થવાની બેકારીનું  શું થશે? ઇડી, ઈ- ટેક્સ અને સીબીઆઈ ઉપરાંત મોદી યુગમાં  ફૂલેલી -ફાલેલી  નોકરશાહી શું થશે?

  7. આ બધાનું  જેવું વાવ્યું  હશે  તેવું  બધા લણશે ! પણ સત્તા  ગયા પછી  મોદી - શાહ ની બેલડીને  દુનિયાનો  રશિયાના પુતિન સિવાય કયો દેશ  રાખશે? પશ્ચિમના  તમામ લોકશાહી દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા તો  તેમને  વિઝીટર વિઝા પણ આપશે કે કેમ તે સવાલે  તે બેલડીની  નિંદર જ  હરામ કરી દીધી છે?               

  8. મતદાર ભાઈઓ ! મારી સત્તાનો પટ્ટો રીન્યુ  કરી આપશો ને? અયોધ્યાના પેલા મારી જ પ્રાણપ્રતિષ્ઠ્ઠાથી બિરાજમાન  થયેલા  ફક્ત મારા જ "રામજી" એ હવે તો  સને 2024ની  ઈવીએમ મશિનવાળી ચૂંટણીની  સારસંભાળ  રાખવાનું મને 22મી જાન્યારીના દિવસે " Promise" તેમની આરતી ઉતારતે સમયે આપેલ છે! " રામજી" એ તથાસ્તુઃ  - કહ્યું કે નહીં તે મેં સાંભળ્યું  નથી! 

--