Friday, June 28, 2024

ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન


 ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન
 જ્ઞાન પ્રકાશ યુગ(The Age of Enlightenment From 1650 to 1800)ના વિચારકોના " નાસ્તિકવાદ " અંગેના તારણો.
 લોકો ઈસાઈ ધર્મને સાચો ધર્મ માનતા હતા.દાર્શનિકો તેને ખોટો ધર્મ માનતા હતા.જયારે જે તે રાજ્યના શાસકો તેને પોતાના હિતો સાચવવા "ઉપયોગી ધર્મ માનતા હતા.
 શ્રધ્ધાનો અભાવ એ રેશનલ બનવાની પૂર્વશરત  હતી.
 ચર્ચ, યુરોપમાં સૌથી ધનાઢ્ય કોર્પોરેશનથી વિશેષ કશુંજ નથી.
 નાસ્તિકવાદ, તે કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વ માટે ખતરારૂપ છે તેવું તમામ ધર્મના ઠેકેદારો માને છે અને તેનો પ્રચાર  કરે છે ને કરાવે છે.
ઈશ્વર શ્રધ્ધાથી વધુ ભયંકર અને ખતરનાક બીજો કોઈ ખ્યાલ તે સમયમાં ન હતો.ઈશ્વર શ્રધ્ધા થી વધુ ભ્રામક બાબત ન હતી.મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ જ તેના મૂળમાં હતી. માનવીય અસલામતી પછી તે કોઈપણ પ્રકારની હોય,તેનો સ્ત્રોત્ર કોઈપણ હોય પણ તે ધર્મના નવા નવા સ્વરૂપોને જન્મ આપે છે.
જ્યાંસુધી વિશ્વ નાસ્તિકવાદી નહીં બને ત્યાં સુધી સુખી નહીં થાય.અને ત્યાંસુધી ધર્મ સંબંધી સંઘર્ષો નો પણ અંત નહીં આવે.જો નાસ્તિકવાદ પ્રસ્થાપિત થાય તો જ મનુષ્યમાં પડેલી સર્જનાત્મક શક્તિને બહાર આવવા માટે મોકળાશ અને અવકાશ ઉભા થાય અને તો જ સાચા સુખનો અનુભવ કરી શકાય.
ધર્મ એ દમનનો ભોગ બનેલાઓનો નિશ્વાશ છે.હૃદ્યહીન વિશ્વની લાગણી છે.આત્માવિહીન સંજોગોનો આત્મા છે.ધર્મએ લોકોને પીવડાવવામાં આવતું કેફી પીણું છે….કાર્લ માર્ક્સ.
લોકોની માનસિક જરૂરિયાતોને સંતોષવાની તેની ક્ષમતા જ ધર્મના અસ્તિત્વને વ્યાજબી ઠેરવે છે.ધર્મના સમર્થનમાં આ સિવાયની બીજી કોઈપણ દલીલ દાર્શનિક કે અન્ય પ્રકારના આધારની કાયદેસરતા ન હોઈ શકે.---ફોયરબાખ -જર્મન ફિલોસોફર.
  લોકોની ભૌતિક આવશ્યકતાઓ  જ સામાજિક અને રાજકીય વિચારોનો પાયો હોઈ શકે.વ્યક્તિ અને તેનું દિમાગ તેના આજુબાજુના પર્યાવરણની નીપજ છે. તેની શરીરી ચેતના તેના પાંચ  ઇન્દ્રિય અંગો અને બાહ્ય જગત વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે.---ફોયરબાખ.
માણસે ઈશ્વર વિશે વાસ્તવમાં જે કહ્યું છે  તે એક ગુહ્ય ભાષામાં તેની પોતાની જ વાત છે.અને તેને તે લાગુ પડે છે.આથી ઈશ્વરને માણસે જે ગુણો થી નવાજ્યો હોય  તે સિવાયના ગુણો ઈશ્વરમાં  કદાપિ હોઈ શકે નહીં.ખરેખરમાં આમ જે માનવીનું પોતાનું છે, તેને ઈશ્વરનું નામ આપીને,અર્પિત કરીને, જે કેવળ માનવીય અને નક્કર છે તેને માનવી કરતાં  ઘણું ઉચૂં સ્થાન આપે છે.
ધર્મ જેટલે અંશે દૈવી તત્વને સમૃદ્ધ બનાવે છે તેટલે અંશે માનવીને સત્વહીન બનાવે છે. ધર્મને નામે લોહિયાળ બલિદાન તેનો ઉત્તમ નમૂનો છે.માનવી જે પોતાનામાં નથી તે ઈશ્વરમાં છે તેવું દ્રઢ પણે માને છે. તે ઉપરાંત ધર્મ એક માનવીની બીજા માનવીઓ સાથે સંવાદિતા - સહકાર સાથે રહેવાની શક્તિ જ કુંઠિત કરી નાખે છે.    
  ટૂંકમાં ધર્મેને ઉથલાવવો એ સાચાં માનવમૂલ્યોનો સાક્ષાત્કાર કરવા બરાબર છે.જે ક્ષણે લોકો સમજશે કે ધર્મ પ્રત્યેની આસક્તિ  માનવીઓની બાળબુદ્ધિની નીપજ છે. ત્યારે તેઓ સાચા અર્થમાં માનવીય સમાજનું નિર્માણ કરી શકશે.
માનવી પોતે જ માનવીનો દેવ છે.જો માણસનું તત્વ એ જ માનવીનું પરમતત્વ  હોય તો માનવીનો માનવી પ્રત્યે પ્રેમ એ પ્રથમ અને સર્વોચ્ચ નિયમ અને કાર્ય છે.
ધર્મનું સ્થાન હવે "માનવવાદ" લેવું પડશે.જે પ્રેમ અત્યાર સુધી ઈશ્વર તરફ વહેતો હતો  તે હવે માનવકેન્દ્રી બનાવવો પડશે.તે રીતે માનવજાતની એકતા પુન:પ્રાપ્તિ થશે." આથી માનવજાતનો અભ્યાસ વાસ્તવિક,ભૌતિક વિશ્વમાં રહેતા વાસ્તવિક માનવીથી થવો જોઈએ.
****************************************************            


--

Wednesday, June 26, 2024

વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી.”

" વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી."
દુનિયાનો કોઈ ધર્મ બાકી નથી જેના ધાર્મિકો પોતાનો ધર્મ છોડીને બીજો કોઈ ધર્મ અંગીકાર કરતા નથી.ધર્મ પરિવર્તન કરતા નથી.પરંતુ પોતાનો ધર્મ ત્યજીને નિરીશ્વરવાદી,નાસ્તિક( Non Believers)બની જાય છે. અમને અમારા ધાર્મિક સત્યોમાં વિશ્વાસ નથી.ધર્મની ટેકણલાકડી સિવાય પણ માનવી તરીકે અમે અમારી જિંદગી શિક્ષિત,સમૃદ્ધ આરોગ્યમય, દીર્ઘાયુષ, શાંતિમય એકબીજાના સહકારથી વૈજ્ઞાનિક સત્યો અને શોધોને આધારે જીવી શકીયે તેમ છે.
આજે વિશ્વની કુલ વસ્તી આશરે આઠ અબજની છે.તેમાં 31%ઈસાઈ,23% મુસ્લિમ,15% હિન્દૂ,7% બૌદ્ધ,2% યહૂદી  ,6%નાના બીજા ધર્મો અને16 ટકા નિરીશ્વરવાદીઓ છે.
પુર્વ એશિયાના દેશોમાં અનુક્રમે કોરિઆના 53%,હોંગકોંગ 53%,તાઇવાન 42% જાપાનના20%,અમેરિકા 28%,નોર્વે 30% નાગરિકોએ પોતાની ધાર્મિક ઓળખને બદલે કાયદેસરની નિરીશ્વરવાદી ઓળખ સ્વીકારી લીધી છે.
ભારતમાં સને 2001ના વર્ષમાં પહેલીવાર વસ્તીગણતરીમાં"અધાર્મિક " ઓળખનું ખાનું વસ્તીગણતરીની યાદીમાં  ઉમેરવામાં આવ્યું છે. તેમાં દેશની વસ્તીમાં કુલ 7લાખ "અધાર્મિક"છે તેવું નોંધવામાં આવ્યું છે. 2011માં સદર વધીને 29લાખ નોંધવામાં આવી છે.2021ના આધારભૂત સર્વે પ્રમાણે 4કરોડ બતાવવામાં આવી છે.
વિશ્વ કક્ષાએ તમામ ધર્મોના સત્યો પરથી માનવીઓને અવિશ્વાસ આશરે 16મીસદીથી શરૂ થયેલ નવજાગૃતિની ચળવળ(Renaissence)  અને જ્ઞાનપ્રબોધન( Enlighternment age)યુગથી શરૂ થયેલ જ્ઞાન વિજ્ઞાનની અવિરત સંશોધનોને આધારે શરૂ થયો છે. છેલ્લા આશરે 500- 600વર્ષ માં  માનવજાતે રેશનલીટી(કારણની સર્વોપરિતા)વૈજ્ઞાનિક અભિગમ,માનવવાદ અને માનવજીવનના તમામ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ વિકાસની દેન છે.તેમાં વિશ્વના કોઈ એક દેશ કે ફક્ત પશ્ચિમી જગતની ફક્ત દેન નથી.
આશરે10000વર્ષોથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિને સર્જેલી જે તે ધર્મોની બેડીઓ કાયમમાં માટે ફગાવી દઈને જ્ઞાન-વિજ્ઞાન આધારિત ઔદ્યોગિક સંસ્કૃતિના વિકાસે માનવીને  માનવવાદી બનાવ્યો છે.સદર વિકાસે  માનવીને નાસ્તિક કે નિરીશ્વરવાદી બનાવનારા કુદરતી પરિબળોના નિયમોના સંચાલનની સમજ,તે બધાનો પોતાની ભૌતિક સલામતી માટે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડ્યું છે.
 21મી સદીમાં વૈશ્વિક સ્તર પર તમામ દેશોમાં નિરીશ્વરવાદી વિચારસરણીની નાગરિકોની પસંદગી મક્કમ,જ્ઞાન-વિજ્ઞાન આધારિત હોવાથી આવતા બે કે ચાર દસકાઓમાં તે તમામ ધર્મો પર સુનામીની માફક ફેલાઈ જઈને તે બધા ધર્મોના ધંધાઓની દુકાનો કાયમ માટે બંધ કરાવી દેવાની છે.
આધુનિક જ્ઞાન-વિજ્ઞાન આધારિત જે પરિબળો છેલ્લા પાંચ કે છ સૈકાઓમાં માનવજીવનના જુદાજુદા પણ તમામ ક્ષેત્રોમાં કેવી રીતે વિકસ્યા છે તેની વાતો હવે પછીના લેખોમાં પણ નીચે જણાવેલ પુસ્તકને આધારે.
 " Enlightenment Now"સદર પુસ્તકના લેખક Pro . Steven Pinker અમેરિકાની સર્વોત્તમ વિશ્વવિદ્યાલય હાર્ડવર્ડ યુનિ માં Pro.of Pshchology & Cognitive Scientist & Public intellectual છે. અમેરિકાના વિશ્વ વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઇમ્સએ " Pro સ્ટીવન પિન્કરને જગતના 100 બેસ્ટ બૌધિકોમાંના એક ગણ્યા  છે."
 સદર પુસ્તકને બિલ ગેટ્સે પોતાની જિંદગીના બેસ્ટ પુસ્તક તરીકે પસંદ કરેલ છે.550પાનાં અને આશરે 1200રેફરન્સ બુક્સની નોંધ સાથે તૈયાર કરેલ આ પુસ્તક છે .
—-------------------------------------------------------            



--

Sunday, June 23, 2024

Subject: Proposal for Collaboration with District-Level Newspapers and Intellectuals


Bipin Shroff shroffbipin@gmail.com

1:08 PM (7 hours ago)
to Sam
My Dear Satubhai & friends,
We had very meaningful deliberations last Thursday, which was on 20th June24.
I would like to bring the attention of all your members regarding the suggestion by Kashikbhai from Canada. He suggested that we should try to have sincere & intellectual context with district level newspapers publishers in regional languages.
Can we prepare a blue print of publications matter on regular basis in relations to cultivate Rahuljee views on Our National problems related to human values ( नफरत के बजारमे म्होब्तकी दुकान), economic -industrial- agricultural policies for inclusive growth etc? We can also invite views on establishing decentralized-participatory political party structure from bottom-up. Creation, independent & nourishing of modern institutions in all walks of life. We can prepare long lists for the same.
But the real task will be to prepare a workable project for reaching to decentralize district publications- cum their owners etc on one side. & secondly, a group of people from our groups & others like minded  intellectuals  who can be pursued to cooperate in this project.
My humble request to you is  to forward this letter to all our group members  & request all of them to come with some positive suggestions on coming thursday.
With regards,
Bipin Shroff.

--

--

Saturday, June 8, 2024

तू न हिंदू बनेगा , न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा |


तू न हिंदू  बनेगा , न मुसलमान बनेगा,
इंसान की औलाद है इंसान बनेगा |
ઇન્સાન(માનવ)બનવું એટલે શું?
कोई हिन्दू ,कोई मुस्लिम, कोई ईसाई  सब ने इंसान  नहीं बनने की  कसम  खाई है|
निदा फाज़ली
(1)ઇન્સાન તેને કહેવાય જેનો ધર્મ ઈન્સાનસિયત સિવાય બીજો કોઈ ધર્મ ન હોય! માટે બે ઇન્સાન વચ્ચે ક્યારેય ખાસ કરીને ધર્મને આધારે નફરત બિલકુલ ન હોઈ શકે.એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે સદીઓથી મહોબ્બ્ત,ત્યાગ,સહકાર જેવા માનવીય સદ્ગુણો કેળવીને આ વિશ્વને સમૃદ્ધ બનાવ્યું  છે.વિશ્વના તમામ ધર્મોએ પોતાના નિજી હિતો માટે એક ઇન્સાનને બીજા ઇન્સાન સાથે લડાવીને, ખૂના-મરકી કરીને ફક્ત માનવ બંધુઓનું લોહી લઈને સદર પૃથ્વીને લોહિયાળ બનાવી છે.ધાર્મિક  યુધ્ધો,જેહાદ,ધાર્મિક સત્યોને પડકાનારાઓને,સ્ત્રીઓને ડાકણ જાહેર કરીને જીવતી સળગાવી દેવાના વિ અમાનવીય કૃત્યો સંગઠિત રીતે સમૂહમાં કરનારા બીજા કોઇનહિ પણ બાયબલ,કુરાન અને ગીતાના ટેકેદારો,ભક્તો અને ભજનારા સિવાય બીજા કોઈ ન હતા, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય!        
(2) ઇન્સાન ની વફાદારી ફક્ત ઇન્સાન પ્રત્યે હોય. કોઈ પણ સમૂહ જેવાકે કુટુંબ,જ્ઞાતિ,જાતિ (સ્ત્રી કે પુરુષ)પંથ સંપ્રદાય,પ્રદેશ,રાષ્ટ્ર વી. સાથે ક્યારેય હોઈ શકે નહીં.
(3) વિશ્વના કોઈપણ ખૂણે નિવાસ કરતા માનવનો મૂળભૂત ધ્યેય જીજીવિષા ટકાવી રાખવાનો  (Biological urge to exist)ઐહિક(દુન્યવી) છે. ધર્મોના ઉપદેશો મુજબ કપોળકલ્પિત મોક્ષ,સ્વર્ગ,મુક્તિ.પાપ -પુણ્ય બિલકુલ નથી.
(4) એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવા કેવા ધર્મના આધાર સિવાયના નૈતિક સંબંધો વિકસાવવા તે જરૂરી છે.મૃત્યુ પછીના જીવન માટે વર્તમાન જીવનમાં ધર્મ આધારિત નૈતિક વ્યવહારો કરવાની જરૂર બિલકુલ નથી.
(5) કોઈપણ સુખ કે દુઃખની અસર ફક્ત માનવી જ વ્યક્તિગત ધોરણે અનુભવી શકે છે. બાકી ટોળા તો નફરત અને હિંસા જ ફેલાવી શકે.
(6) માનવી સ્વયં એક ધ્યેય છે. The Human Being is itself the value.) માનવીનો જયારે ધર્મ,રાજકીય સત્તા, રાજકીય પક્ષ કે તેનો નેતા,કે બીજો અન્ય સમૂહ સાધન તરીકે ઉપયોગ કરે છે ત્યારે માનવજાતની બર્બાદી થાય છે.
(7) દરેક માનવી માટે વર્તમાન જીવન જ પ્રથમ અને આખરી જીવન છે.માટે માનવી તરીકે અન્ય માનવનો સદર જીવનને ટકાવવા અને સમૃદ્ધ કરવા શાણપણ કેળવીને શાંતિભર્યા માર્ગે વિકસાવવા સિવાય અન્ય માર્ગ નથી.          

--