Saturday, June 8, 2024

तू न हिंदू बनेगा , न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा |


तू न हिंदू  बनेगा , न मुसलमान बनेगा,
इंसान की औलाद है इंसान बनेगा |
ઇન્સાન(માનવ)બનવું એટલે શું?
कोई हिन्दू ,कोई मुस्लिम, कोई ईसाई  सब ने इंसान  नहीं बनने की  कसम  खाई है|
निदा फाज़ली
(1)ઇન્સાન તેને કહેવાય જેનો ધર્મ ઈન્સાનસિયત સિવાય બીજો કોઈ ધર્મ ન હોય! માટે બે ઇન્સાન વચ્ચે ક્યારેય ખાસ કરીને ધર્મને આધારે નફરત બિલકુલ ન હોઈ શકે.એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે સદીઓથી મહોબ્બ્ત,ત્યાગ,સહકાર જેવા માનવીય સદ્ગુણો કેળવીને આ વિશ્વને સમૃદ્ધ બનાવ્યું  છે.વિશ્વના તમામ ધર્મોએ પોતાના નિજી હિતો માટે એક ઇન્સાનને બીજા ઇન્સાન સાથે લડાવીને, ખૂના-મરકી કરીને ફક્ત માનવ બંધુઓનું લોહી લઈને સદર પૃથ્વીને લોહિયાળ બનાવી છે.ધાર્મિક  યુધ્ધો,જેહાદ,ધાર્મિક સત્યોને પડકાનારાઓને,સ્ત્રીઓને ડાકણ જાહેર કરીને જીવતી સળગાવી દેવાના વિ અમાનવીય કૃત્યો સંગઠિત રીતે સમૂહમાં કરનારા બીજા કોઇનહિ પણ બાયબલ,કુરાન અને ગીતાના ટેકેદારો,ભક્તો અને ભજનારા સિવાય બીજા કોઈ ન હતા, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય!        
(2) ઇન્સાન ની વફાદારી ફક્ત ઇન્સાન પ્રત્યે હોય. કોઈ પણ સમૂહ જેવાકે કુટુંબ,જ્ઞાતિ,જાતિ (સ્ત્રી કે પુરુષ)પંથ સંપ્રદાય,પ્રદેશ,રાષ્ટ્ર વી. સાથે ક્યારેય હોઈ શકે નહીં.
(3) વિશ્વના કોઈપણ ખૂણે નિવાસ કરતા માનવનો મૂળભૂત ધ્યેય જીજીવિષા ટકાવી રાખવાનો  (Biological urge to exist)ઐહિક(દુન્યવી) છે. ધર્મોના ઉપદેશો મુજબ કપોળકલ્પિત મોક્ષ,સ્વર્ગ,મુક્તિ.પાપ -પુણ્ય બિલકુલ નથી.
(4) એક ઇન્સાને બીજા ઇન્સાન સાથે આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવા કેવા ધર્મના આધાર સિવાયના નૈતિક સંબંધો વિકસાવવા તે જરૂરી છે.મૃત્યુ પછીના જીવન માટે વર્તમાન જીવનમાં ધર્મ આધારિત નૈતિક વ્યવહારો કરવાની જરૂર બિલકુલ નથી.
(5) કોઈપણ સુખ કે દુઃખની અસર ફક્ત માનવી જ વ્યક્તિગત ધોરણે અનુભવી શકે છે. બાકી ટોળા તો નફરત અને હિંસા જ ફેલાવી શકે.
(6) માનવી સ્વયં એક ધ્યેય છે. The Human Being is itself the value.) માનવીનો જયારે ધર્મ,રાજકીય સત્તા, રાજકીય પક્ષ કે તેનો નેતા,કે બીજો અન્ય સમૂહ સાધન તરીકે ઉપયોગ કરે છે ત્યારે માનવજાતની બર્બાદી થાય છે.
(7) દરેક માનવી માટે વર્તમાન જીવન જ પ્રથમ અને આખરી જીવન છે.માટે માનવી તરીકે અન્ય માનવનો સદર જીવનને ટકાવવા અને સમૃદ્ધ કરવા શાણપણ કેળવીને શાંતિભર્યા માર્ગે વિકસાવવા સિવાય અન્ય માર્ગ નથી.          

--