Wednesday, May 14, 2025

હૈદ્રાબાદમાં વૈશ્વીક્ કક્ષાની પરિષદ " ભારત સમીટ" સંપન્ન

આપણા દેશના તેલંગણા રાજ્યના પાટનગર હૈદ્ર્બાદમાં તારીખ ૨૫–૨૬ એપ્રીલના રોજ સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન અને તેલંગણા સરકારના સંયુક્ત ઉપક્રમે એક વૈશ્વીક કક્ષાની પરિષદ " ભારત સમિટ "નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના જુદા જુદા આશરે ૧૦૦ દેશોમાંથી ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સદર પ્રતિનિધિઓની પૃષ્ઠભુમી રાજકારણ, શિક્ષણ અને કર્મનીષ્ઠ વિ.ની હતી.પરિષદની વ્યવસ્થા અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેમના મંત્રીમંડળે વિ. સક્રીય સહકાર આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ રાજ્યના કેટલાક મંત્રીઓએ તો ચર્ચાઓમાં ભાગ પણ લીધો હતો.

આશરે સને ૧૯૫૫માં ૭૦ વર્ષ પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નહેરુજીના નેતૃત્વ હેઠળ ' બાન્ડુગ પરિષદ'નું વૈશ્વીક સ્તરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધ પછી બ્રીટિશ અને પશ્ચીમી દેશોની ગુલામીમાંથી નવોદિત સ્વતંત્ર થયેલા એશીયા, આફ્રિકા અને દક્ષિણ અમેરીકાના દેશોના પ્રશ્નો અને તેના ઉપાયો માટે બિનજોડાણવાદ (Non- Alignment) પરદેશી નીતિ પસંદ કરવામાં આવી હતી.એકબાજુ અમેરીકાનો મુડીવાદી લોકશાહી બ્લોક ને બીજી બાજુએ સોવીયેત રશીયાનો સામ્યવાદી બ્લોકના બંનેમાંથી  સ્વતંત્ર દેશોએ પોતાનો વિકાસ શાંતિમાર્ગે કેવી રીતે કરવો તે સળગતો પ્રશ્ન હતો. તે વિચારસરણીના સર્જનમાં  દેશના વડાપ્રધાન નહેરુજી જેવા આર્દષ્ટાનો સિંહ ફાળો હતો.

સને ૨૦૨૫માં બરાબર ૭૦ વર્ષ પછી રાહુલ ગાંધી,સંસદમાં વિરોધપક્ષના નેતાના નેતૃત્વ હેઠળ ૧૦૦ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ હૈદ્રાબાદ પરિષદમાં હાજર રહ્યા હતા.વિશ્વભરના જુદાજુદા દેશોમાં સ્થાનિક કક્ષાએ પોતાના દેશમાં જનવિકાસ માટે પ્રગતિ કરતાં પરિબળોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. યજમાન તરીકે પરિષદના આયોજકોનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. આયોજકોને પોતાના પક્ષની ચુંટણી માટે મતદારોની ટકાવારી બે પાંચ ટકા વધારવામાં બિલકુલ રસ નહતો. પરંતુ વૈશ્વીક કક્ષાએ ઉભરી રહેલા લોકશાહી અને માનવ મુલ્યો વિરોધી પ્રત્યાઘાતી ધર્મ– જુજ લઘુમતિ મુડીવાદી જુથો– પ્રતિનિધિ સ્વરુપની ચુંટણીપ્રથાનો તોડમરોડ કરીને સત્તા પ્રાપ્ત કરનારા જમણેરી દેશો અને બહારના પરિબળોની ચુંગાલમાંથી મુક્ત થઇને નવીન વૈશ્વીક વ્યવસ્થાની રચના કેવી રીતે કરવી તે હતો. છેલ્લા સાત દાયકાઓમાં વિશ્વ ઘણું જ બદલાઇ ગયું છે. વૈશ્વીક રાજકારણ પણ ઘણું બદલાઇ ગયું છે. સદર જમણેરી ઉગ્ર ધાર્મીક પરિબળોના ટેકાવાળા સત્તાધીશોએ જે તે દેશમાં દુન્યવી માનવ કેન્દ્રીત વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માંડયા છે. સાત દાયકામાં જે તે દેશમાં જ્ઞાન–વિજ્ઞાન–ટેકનોલોજીના સહકારથી અસ્તીવમાં આવેલી આધુનિક સંસ્થા અને સંસ્કૃતિઓનો મૃત્યુ ઘંટ વગાડવા માંડયો છે. જેણે લાંબેગાળે માનવજાતની સભ્યતાને ટકી રહેવા માટે વૈશ્વીક સ્તર પર ગંભીર પડકાર પેદા કરી દીધો છે.

બીજા વિશ્વયુધ્ધ પછી વિશ્વના તમામ દેશોએ પોતાના દેશના આંતરિક અને એક બીજા દેશો ખાસ કરીને પડોશી દેશો સાથેના પ્રશ્નો ગમે તેવા ગંભીર હોય તો પણ ચર્ચા, આંતરિક સહકાર અને કાયદા શાસનમાં (રુલ ઓફ લો) વિશ્વાસ રાખીને શાંતિભર્યા માર્ગે ઉકેલ લાવ્યા હતા. આંતરીક અને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે હિંસા, લશ્કરી અથડામણ અને લડાકુ શસ્રોના ફાસીવાદી સરમુખ્તયારશાહી રીતરસમોને તિલાજંલી આપી હતી.બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હિટલરે સમગ્ર યુરોપમાં યહુદીનું એક કોમ તરીકે અને હિટલરના રાજકીય વિરોધીઓનું સમુળુ નિકંદન કાઢી નાંખવા માટે જે તે અધમભરેલી અમાનવીય રીતરસમો અપનાવી હતી તેને યુએસએ અને યુરોપના દેશોએ હોલોકાસ્ટ મ્યુઝીયમ બનાવી અભ્યાસના કેન્દ્રો તરીકે સ્થાપિત કરી છે. જેથી કરીને માનવજાતની આવતીકાલની પેઢી તેમાંથી બોધપાઠ લઇને તેવી ભુલોનુ વારંવાર પુનરાવર્તન ન કરે, કરાવે. વર્તમાન હૈદ્રાબાદ પરિષદનું સર્વનુમતે તારણ હતું કે ૨૧મી સદીના છેલ્લા બે દાયકઓમાં સને ૨૦૧૦ પછી ખાસ, જે તે દેશોની તમામ પ્રકારની લઘુમતીઓ જેવીકે ધાર્મીક,વંશીય,જાતીય કે લીંગ આધારીત અને દરેક દેશમાં સ્થાયી થયેલ પરદેશીઓ (Emigrants) સાથેનો બહુમતી પ્રજાનો વ્યવહાર 'પેલા હિટલરના વંશીય હોલોકાસ્ટ'નું પુનરાર્વતન કરાવે તેવો ક્રમશ થઇ રહ્યો જ નથી બલ્કે વધતો રહ્યો છે. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજા પેલી તમામ પ્રકારની લઘુમતીઓને રાષ્ટ્ર હિત માટે જાણે ખતરારુપ હોય તેમ  સતત તે બધાની સામે ધિક્કારીને નફરત અને હિંસક વર્તન કરતા થઇ ગયા છે. જેમાં સત્તાપક્ષનો પ્રત્યક્ષ કે પરોક્ષ કે બંને પ્રકારનો ખુલ્લી અને મુક સંમતી હોય છે.( These minorities presence are now being propagated as a serious threat to nation states.) હવે આ વંશીય, જાતિવાદીઅને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદે ખુબજ ટુંકાગાળામાં અસહિષ્ણુ અને હિંસક સ્વરુપ ધારણ કરી લીધું છે.

બીજો પ્રશ્ન, નાગરિક રાષ્ટ્ર રાજ્ય( National-State Civil Society) માટે કોણ ખતરનાક છે? આ પરિષદમાં મુખ્ય ચર્ચા હતી. ભારત સમિટમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આધુનિક નાગરિક રાષ્ટ્ર રાજ્ય માટે જે તે દેશમાં અતિ-જમણેરી ` બહુમતી ધર્માંધ–વંશીય–સત્તાપક્ષનીસરમુખત્યારી)નો મુખ્ય ખતરો છે. કારણ કે તે પૂર્વ-રાષ્ટ્ર રાજ્ય ફિલોસોફી(on the pre-nation state philosophies) અથવા પૂર્વ-આધુનિક(or pre-modern loyalties) વફાદારી પર આધારિત છે.જેણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રેરિત કર્યો છે.આધુનિક રાષ્ટ્ર રાજ્યનું સમગ્ર અસ્ત્તિત્વ અને વિકાસ તર્કવિવેક( Rationalism), ઉદારમતવાદ (Liberalism), ધર્મનિરપેક્ષતા (Secularism)અને વૈશ્વીક– સાર્વત્રિકતા (Globalization)ના દર્શન અને મુલ્યો પર આધારિત છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદી)આ મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે તે વિભાજનકારી રાજકારણ અને ઝેનોફોબિયા પર આધારિત છે. સદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ જેવા આધુનિક નાગરિક મૂલ્યોમાં માનતો નથી, જે લોકશાહી મુલ્યોને આધુનિક રાષ્ટ્ર રાજ્યોના બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવે છે. આમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ)બંધારણવાદની પણ વિરુદ્ધ છે. જે વ્યક્તિગત અધિકારો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથોને વિશેષ સામૂહિક અધિકારો સુનિશ્ચિત કરે છે. આ વૈશ્વીક કટોકટી ફક્ત રાજકીય,આર્થીક કે સામાજીક નથી તત્વજ્ઞાનીય પણ છે.માનવજાતને તેના તમામ પ્રકારના ભુતકાળના બંધનો અને નિષેધોમાંથી મુક્ત કરીને માનવકેન્દ્રી ધર્મનીરપેક્ષ સજીવ ઉત્ક્રંતિ આધારિત જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષોમાંથી ક્રમશ વિકસેલા મુલ્યોને આધારે નવી વિશ્વ વ્યવસ્થાનું સર્જન કરવા માટે અમે બધા પ્રગતિશીલ વૈશ્વીક પરિબળો અત્રે એકત્ર થયા છે. નવી વિશ્વ વ્યવસ્થાનું આપણે કેવું સર્જન કરવું છે તે પર ચર્ચા કરવા માટે પ્રેરિત થયા છે.. 

કોન્ફરન્સમાં સાત પેનલ અને બે દિવસ સુધી ચાલતું સમાપન સત્ર હતું. પ્રથમ પેનલ ચર્ચા 'લિંગ ન્યાય અને નારીવાદી ભવિષ્ય' (on 'Gender Justice and A Feminist Future',) પર હતી, જેમાં વિશ્વભરની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પેનલિસ્ટોએ ચર્ચા કરી હતી કે કેવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ) તેને અવરોધી રહ્યો છે. નારીવાદી વિદેશ નીતિ માટે એક પ્રસ્તાવ હતો. ખુલ્લી ચર્ચામાં, પ્રતિનિધિઓએ પિતૃસત્તા અને ધાર્મિક કટ્ટરવાદમાં તેના મૂળ પર ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો, જેનાથી પિતૃસત્તા અને રૂઢિચુસ્તતા વચ્ચેના જોડાણો બન્યા છે. જેના પર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી(અતિ-જમણેરી)ઓએ ખુબજ ઉંચી પિરામીડ બાંધી છે.

પેનલ બે 'હકીકત વિરુદ્ધ કાલ્પનિક: ખોટી માહિતીનો સામનો કરવો' ('Fact vs Fiction: Countering Disinformation')પર હતી, જેમાં તથ્યોને કેવી રીતે કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે અને જમણેરી દળો દ્વારા ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવી છે તેના પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ. બધા પેનલિસ્ટોએ દેશોમાં પ્રચાર પર જમણેરી રાજકારણ કેવી રીતે બને છે તે પર પ્રકાશ પાડ્યો અને પ્રગતિશીલ રાજકારણ બનાવવા માટે આવા પ્રચાર રાજકારણને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો. 

'યુવા અને આવતીકાલનું રાજકારણ' વિષય પરના પેનલે રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફક્ત યુવાનો જ વર્તમાન વિશ્વ વ્યવસ્થા બદલી શકે છે.આજે વિશ્વના તમામ રાષ્ટ્રોનું નવસર્જન ૨૧મીસદીમાં અરસપરસ દેશોની અંદર મોટાપાયે નાગરિક સ્થળાંતર ( Multilateral migration )પર થયેલુ છે.'નવી બહુપક્ષીયતા( ' New Multilateralism')ને કેવી રીતે આકાર આપવી' તે પણ પેનલમાં લાંબી ચર્ચા થઈ. બીજા વિશ્વયુધ્ધના અંત પછી જે વૈશ્વીકરણનો પવન ફુંકાયો હતો તેને આધારે આધુનિક વિશ્વ અને આધુનીક રાષ્ટ્રોનું સંચારક્રાંતિ ( Info-Tech-Revolution) દ્રારા જે નવસર્જન થયું હતું. તેથી રાષ્ટ્રની સીમાઓ જ હવે અપ્રસતુત બની ગઇ હતી. ત્યારે આ સંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારીત તમામ જમણેરી સરકારો પોતાના દેશમાં નાગરીક સ્થળાંતર વિરુધ્ધ આત્યંતિક પગલાં લેવા માંડી છે. બહપક્ષીય અને બહુ સાંસ્કૃતિક આધુનિક સમાજ સર્જનના વિરુધ્ધ મોટા પાયે તન મન અને ધનથી મોરચો માંડીને બેઠા છે. પોતાની સ્થાનિક પ્રજાને ' વિશ્વગુરુ' જેવા અતિકાલ્પનીક ભવ્ય ભુતકાળના ખ્યાલની પાછળ લોલીપપ આપીને મદહોશ બનાવીને પોતાની રાજકીય સત્તાનો અમાનુષિ અને બેફામ ઉપયોગ કરી રહી છે.

પેનલિસ્ટોએ તાજેતરના સમયમાં યુએન જેવા વિશ્વ સંગઠનોના નબળા પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બહુપક્ષીય સંધિઓમાંથી ખસી જવાથી વૈશ્વિક આબોહવા અને પર્યાવરણ પર પણ વિનાશક અસર પડે છે. પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પેરિસ કરારમાંથી અમેરિકાના ખસી જવાથી વિશ્વને આઘાત લાગ્યો છે. કોન્ફરન્સમાં ક્લાઇમેટ જસ્ટિસને વેગ આપવા પર એક પેનલ હતી, અને બધા પેનલિસ્ટ્સ અને પ્રતિનિધિઓએ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વિકસિત દેશોના બદલાતા વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓએ આને વધતી જતી દૂર-જમણેરી રાજકારણ સાથે જોડી હતી જેમને વિશ્વના સામાન્ય હિત માટે ઓછામાં ઓછી ચિંતા છે. આ હકીકત હોવા છતાં કે વિકસિત દેશો છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગના કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

'બહુલવાદ, વિવિધતા અને આદર સાથે ધ્રુવીકરણને દૂર કરવું વિષય પર પરિષદની પેનલે બહુલતા અને વિવિધતાની વિસ્તૃત ચર્ચા કરી, જે દૂર-જમણેરી દ્વારા વંશીય-રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ધ્રુવીકરણના અંતર્ગત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનો આદર કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 'અનિશ્ચિત સમયમાં આર્થિક ન્યાય' અને 'બહુધ્રુવીય વિશ્વમાં શાંતિ અને ન્યાય' પરના પેનલોએ વિશ્વની વિવિધતાઓ અને દૂર-જમણેરી દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચાને વધુ ગહન બનાવી હતી.

તા. ૨૬મી ઐપ્રીલના રોજ,લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીથી સમાપન સત્રમાં વિશેષ ચમક જોવા મળી. આ સત્રમાં પરિષદના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યાં મુખ્ય સહભાગી દેશોના રાજકીય નેતાઓએ તેમના દેશોને કેવી રીતે અતિ-જમણેરી ચળવળોનો ઉદય સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે તેના પર વાત કરી. ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓનો વિરોધ કરવા માટે ભારત જોડો યાત્રા કેવી રીતે હાથ ધરી તે વિશે વાત કરી, જે ભારતીય ભૂમિ પર વિભાજનકારી રાજકારણ અને નફરત ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની યાત્રા ફક્ત "નફરતના બજારમાં મહોબત્તનું બજાર" ખોલવા માટે હતી, અને ભારતના લોકોએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. બધા પ્રતિનિધિઓના ભાષણોમાં સમાનતાઓ જોઈ શકાય છે. બધાએ પોતપોતાના દેશોમાં અતિ-જમણેરીઓના ખતરા અને તે બીજા સમુદાય સામે કેવી રીતે નફરત પેદા કરી રહ્યું છે તેની વાત કરી. સત્રમાં ભાર મૂકવામાં આવ્યો કે નફરત એ વિશ્વભરમાં માત્ર અતિ-જમણેરીઓની મૂડી છે, અને તેનો સામનો કરવો જોઈએ. 

પરિષદ 'હૈદરાબાદ ઠરાવ: વૈશ્વિક ન્યાય પહોંચાડવી' નામની ઘોષણા સાથે સમાપ્ત થઈ, જેમાં પ્રાપ્ત કરવાના 44 મુદ્દાઓની યાદી આપવામાં આવી. ઘોષણાના છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે, "આપણે સાથે મળીને અન્યાયનો સામનો કરીશું, પરિવર્તનનો નવો યુગ શરૂ કરીશું, એક એવી દુનિયાનું નિર્માણ કરીશું જે શ્રમજીવી લોકોના અધિકારો અને આકાંક્ષાઓનું સન્માન કરશે અને બધા માટે જીવનની પૂર્ણતા સુનિશ્ચિત કરશે." આ રીતે પરિષદમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંત પર એક નવી દુનિયાની કલ્પના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નહેરુવાદી સમાજવાદ સાથે સુસંગત છે. એકંદરે, તેણે દેશોના પ્રગતિશીલ જોડાણ, નફરતથી મુક્ત સમાજ બનાવીને એક નવા સમાજ માટે આશા પેદા કરી.

( સંકલન અને ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.અટલાંટા–૫–૫–૨૫.)



--