Tuesday, July 1, 2025

સને ૧૯૭૫ની ઘોષિત કટોકટી અને મોદી કાળની ૧૧વર્ષોની અઘોષિત કટોકટીનાં લેખાંજોખાં– ભાગ–૩ અને અંતિમ.


સને ૧૯૭૫ની ઘોષિત કટોકટી અને મોદી કાળની ૧૧વર્ષોની અઘોષિત કટોકટીનાં લેખાંજોખાં– ભાગ–૩ અને અંતિમ.

(૧) આશરે ૧,૫૦૦૦૦(દોઢલાખ) લોકોને મીસા અને ડીઆઇઆર નીચે જેલમાં,કોઇપણ જાતના કાયદાકીય આધાર સિવાય ૨૧માસ સુધી જેલમાં ગોંધી રાખ્યા હતા.—મોદી સરકારના આંકડા–ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અસંવૈધાનિક અને અલોકતાંત્રિક હોવાનો આરોપ છે. UAPA, દેખીતી રીતે આતંકવાદ નિવારણ કાયદો, મોદી સરકાર દ્વારા નિયમિતપણે સરકારના ટીકાકારો ગણાતા લોકોને અટકાયતમાં લેવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં વકીલો અને કાર્યકરોથી લઈને પત્રકારો, પાદરીઓ, કવિઓ, શિક્ષણવિદો, નાગરિક સમાજના સભ્યો અને કાશ્મીરી નાગરિકોનો સમાવેશ થાય છે.–– 2014 માં મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાં કાયદાનો ઉપયોગ નજીવો હતો. પરંતુ 2014 થી 2020 ની વચ્ચે, UAPA હેઠળ 10,552 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સને ૨૦૨૧થી ૨૦૨૫ સુધીના UAPA હેઠળ અટકાયતના આંકડાઓ ઉપલબ્ધ નથી. , UAPA હેઠળ ધરપકડ કરેલ વ્યક્તીઓનો ગુનો સાબિત થવાનો દર બે ટકાથી પણ ઓછો છે. ભીમા કોરેગાંવના કેસના આરોપીઓની જે તે સમયે તમામની ઉંમર ધરપકડના ૭૫ વર્ષથી વધારે હતી તે બધાને સાડા છ વર્ષો પુરાવાના અભાવે એક પછી એક તમામને જામીન આપીને જેલમાંથી છુટા કરવામાં આવ્યા હતા.ફાધર સ્ટેન સ્વામી ૮૪ વર્ષની ઉંમરે જેલમાં ગુજરી ગયા હતા. જે દિવસે તેમની ધરપકડ કરવામાં આવી તે પહેલાંથી પાર્કીસન રોગના દર્દી હતા. ( સૌ. ગાર્ડીયન સમાચાર. How a terrorism law in India is being used to silence Modi's critics)

(૨)સંજયગાંધીના નસબંધી કાર્યક્રમમાં સુચિત લક્ષ્યાંક–૬૭લાખ. સિધ્ધી એક કરોડ દસલાખ.નસબંધીમાં મૃત્યુ પામનારના આંકડા ઉપલબ્ધ નથી. મોદી સરકારે કોવીડ–૧૯ સત્તાવાર મૃત્તકોના આંકડા આજદિન સુધી જાહેર કરેલા નથી. દસ દિવસ પહેલાં ઇન્ડીયન એકપ્રેસે તેના પેપરમાંપ્રથમ પાને તે આંકડો ફકત પચાસ લાખથી સાઇઠ લાખનો બતાવ્યો હતો. મોદી સરકારે સને ૨૦૧૪ પછી સત્તા ગ્રહણ પછી ભગીરથ કામ કર્યું છે.દેશ અને રાજ્યઓમાંનું આયોજન  પંચ અને' સ્ટેટીકલ સર્વે ડીપાર્ટમેંટની તાળાબંધી.સને ૨૦૦૨ના ગુજરાતના કોમી તોફાનોમાં મૃતકોનો આંક સાહેબે જે નક્કી કર્યો હોય તે! હવે ૨૦૨૭માં દેશની વસ્તીગણતરી થશે! આજે દેશની પાસે કુલ વસ્તી કેટલી, બેકારોની સંખ્યા.નાના મોટા ઉધ્યોગોના વિગતે આંકડાઓ, શિક્ષણ, આરોગ્યની સ્થિતિ બચત,મોંઘવારી, બધીજ આંકડાકીય માહીતી " જયશ્રી રામને ભરોસે".

(૩) ઇંદિરા સરકારે કટીકટી દરમ્યાન આશરે પોતાના ફરમાનને અમલમાં નહિ મુકવા માટે ૨૫૦૦૦ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને સસપેંડ કર્યા હતા. જેમાંથી ૧૪૦૦૦ કર્માચારીઓને પરત લીધા હતા.

(૪)  કટોકટીની શરુઆતથી જ ૨૫મી જુન ૧૯૭૫ની મધ્યરાત્રીથી અખબારી સેન્સર અમલમાં મુકીને બીજે દિવસે સવારે કોઇ દૈનિક દિલ્હી પાટનગરમાં  મળે જ નહી તેવું આયોજન કરી દિધેલું હતું આજે મોદી સરકારમાં તેનાથી વિપરિત સ્થિતિ નથી.પ્રણવ રોયનું એનડીટીવી અને તાજેતરમાં અમદાવાદમાં 'ગુજરાત સમાચાર'ને સાહેબની સામે પડવાનો પરચો સેન્સરશીપના કાયદા સિવાય પણ બતાવી દિધો હતો. દેશમાં એક જ મીડીયા ચાલે છે 'ગોદી મીડીયા ઉર્ફે મોદી મીડીયા'

(૫) ઇંદીરા ગાંધીએ લોકસભાની ચુંટણી જે સને ૧૯૭૬માં પ્રતિ પાંચ વર્ષે આવતી હતી તેને લંબાઇને ૧૯૭૭માં આયોજિત કરી. સમગ્ર ઉત્તર ભારતમાં સંજય ગાંધીની કુટુંબનિયોજન નીતિના અમલમાં જે અમાનુષી કાળોકેર વર્તાયો તેના દુષપરિણામો કોંગ્રેસપક્ષ માટે ભયંકર આવ્યા. તેને કારણે જે સમગ્ર ઉત્તર ભારતમાં કોગ્રેસની સને ૧૯૭૧માં ૨૩૬ લોકસભાની સીટો આવી હતી.સને ૧૯૭૭ તે ઘટીને બે, ફક્ત બે થઇ ગઇ. અનેસત્તા ગુમાવી.

મોદીજીનો સને ૨૦૨૪ની ચુંટણીમાં ' અબકી બાર ૪૦૦ પાર ' નો નારો હતો.ભાજપે ૨૪૦ સીટો મેળવી. બહુમતી ગુમાવી.પણ આંધ્રપ્રદેશ અને બિહારના પક્ષપલટુ મુખ્યમંત્રી ઓની મહેરબાનીથી મોદી સરકાર ચાલે છે. શું અને કેટલી કિંમત કે સોદાબાજી કરવી પડી હશે આવતી કાલના ઇતિહાસકારના શિરે છોડી દઇએ.!

ઇંદિરાજીની ઘોષિત કટોકટી અને મોદીકાળની અગીયાર વર્ષોની અઘોષિત કટોકટી અંગે મેં ફેસબુક પર ત્રણ લેખો અને બે યુ ટયુબસ એક વડીલ પત્રકાર કરણ થાપર અને દેશના અધિકૃત ઇતિહાસકાર રામચંદ્ર્ ગુહાની અંગ્રેજીમાં અને ભાઇ ઉર્વીશ કોઠારીની યુટયુબ ગુજરાતમાં ફોરવર્ડ કરી હતી.પ્રયત્નો કર્યા છે પ્રતિબધ્ધતા પ્રમાણે.

 


--

Friday, June 27, 2025

૨૫મી જુન સને ૧૯૭૫– ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો દિવસ–ભાગ–૨.


૨૫મી જુન સને ૧૯૭૫– ભારતના લોકશાહી ઇતિહાસનો કાળો દિવસ–ભાગ–૨.

ગઇકાલે મેં ગુજરાતમાં 'રેડીકલ હ્યુમેનીસ્ટ' ગ્રુપ તરફથી પોતાના સંગઠનની તાકાત ભલે મર્યાદિત હતી, પણ વૈચારીક તાકાતને કારણે જે કટોકટીનો વિરોધ કરેલો તેની માહિતી રજુ કરી હતી. આજે દેશવ્યાપી કટોકટીના જે પરિણામો આવ્યા તેની વિગતે આંકડાકીય માહિતી સાથે બને તેટલા ટુકાણમાં ક્રમશ લેખોમાં રજુ કરીશ.

(૧)૧૨મી જુન ૧૯૭૫ને દિવસે અલ્હાબાદ હાઇકોર્ટના  ન્યાયવિદ જસ્ટીસ જગમોહનસિંહાએ ચુકાદો આપ્યો કે શ્રીમતી ઇંદિરા ગાંધીએ પોતાની લોકસભાની ચુંટણીમાં ગેરરીતીઓ કરી છે. પોતાની કોર્ટ સમક્ષ જુબાનીમાં ૪૮ વાર જુઠઠુ બોલ્યા છે. માટે તેમની ચુંટણી રદબાતલ કરવામાં આવે છે. જસ્ટીસ સિંહા પોતાની વિરુધ્ધ ચુકાદો આપવાના છે તે શ્રીમતી ગાંધી સમજી ગયા હતા. સત્તાભુખ્યા રાજકારણીઓની માફક તેમણે વાયા વાયા અલ્હાબાદ હાઇકોર્ટના તે સમયના ચિફ જસ્ટીસએ સિંહાને સંદેશો આપ્યો હતો કે ચુકાદો બદલશો તો તમને દેશની સર્વોચ્ચ અદાલતમાં જસ્ટીસ બનવાની તક મળશે. જસ્ટીસ સિંહાના અવસાન પછી સદર હકીકત બીજે જ દિવસે ઇન્ડીયન એકસપ્રેસે આ સત્ય પ્રકાશિત કરી હતી.

(૨)૨૫મી જુને કટોકટી જાહેર કર્યા પછી જે ટોચના વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પુરી દિધા હતા. તેમાં મહારાષ્ટ્રના પુને શહેરની યરવડા જેલની એકજ બેરેકમાં કર્ણાટકના દેવગોડા, મહારાષ્ટ્રના મધુ દંડવતે, લાલકૃષ્ણ અડવાણી અને અટલબિહારી બાજપાઇને પુર્યા હતા. તેમાં વિનાયક દામોદર સાવરકરે ગોરીસરકાર પાસેથી જેલ મુક્તિ મળે તેવી જ પધ્ધતિ અજમાવીને બાજપાઇજી કટોકટીના ૧૯માસ દિલ્હીમાં પોતાને ઘરે રહ્યા હતા.

(૩) તે સમયના આર એસ એસના વડા બાબાસાહેબ દેવરસ પણ મીસાહેઠળ જેલમાં હતા. તેમણે શ્રીમતી ગાંધીને " મા દુર્ગા "નો અવતાર જાહેર કર્યા હતા. કટોકટીની સાથેજ આર આર એસ પર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મુક્યો હતો.આર આરએસ એવો દાવો કરે છે કે કટોકટી સામે અમારા કાર્યકરોએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને અપરંપારનું નુકસાન વેઠયું હતું. બાલાસાહેબ ઠાકરેની શીવસેનાએ પણ કટોકટીને ટેકો આપ્યો હતો.

જેલવાસ દરમિયાન, દેવરાસે ઇન્દિરા ગાંધીને એક નહીં પણ અનેક પત્રો લખ્યા હતા, જેમાં RSS કાર્યકરોની મુક્તિ અને સંગઠન પરના પ્રતિબંધો દૂર કરવાની વિનંતી કરવામાં આવી હતી..... RSSનો દાવો છે કે તેણે ઇન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલી કટોકટીનો વીરતાપૂર્વક વિરોધ કર્યો હતો અને આ પ્રતિકાર માટે ભારે પીડા સહન કરી હતી. પરંતુ એવા ડઝનબંધ સમકાલીન કથાઓ છે જે RSSના આ દાવાને વિવાદિત અને નકારી કાઢે છે......

"તત્કાલીન RSS વડા બાળાસાહેબ દેવરાસે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને સંજય ગાંધીના કુખ્યાત 20-મુદ્દાના કાર્યક્રમને અમલમાં મૂકવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. આ RSSનું વાસ્તવિક પાત્ર છે... તમે કાર્યની રેખા, એક પેટર્ન સમજી શકો છો. કટોકટી દરમિયાન પણ, RSS અને જન સંઘમાંથી ઘણા જે જેલમાંથી બહાર આવ્યા હતા, તેમણે માફીનામા (માફી) માંગી હતી. તેઓ માફી માંગનારા પહેલા હતા. પરંતુ RSS એ કટોકટી સામે લડ્યું ન હતું. તો ભાજપ શા માટે તે સ્મૃતિને છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે?" (સૌજન્ય: ટી.વી. રાજેશ્વર, ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ બ્યુરો [IB] ચીફ અને કટોકટી લાદવામાં આવી ત્યારે IB ના ડેપ્યુટી ચીફ)બીજા સીનીયર પત્રકાર પ્રભાષ જોશીનો નિષ્કર્ષ હતો: "તેઓ લડાયક દળ નથી અને તેઓ ક્યારેય લડવા માટે ઉત્સુક નથી. તેઓ મૂળભૂત રીતે સમાધાનકારી જૂથ છે. તેઓ ક્યારેય ખરેખર સરકારની વિરુદ્ધ નથી..." પ્રભાષ જોશી દ્વારા ઉપરોક્ત વાર્તા કટોકટીની 25મી વર્ષગાંઠ પર અંગ્રેજી સાપ્તાહિક તહલકામાં પ્રકાશિત "એન્ડ નોટ ઇવન અ ડોગ બાર્ક્ડ" લેખમાં પ્રકાશિત થઈ હતી.

During his imprisonment, Deoras wrote not one but many letters to Indira Gandhi, requesting the release of RSS workers and the removal of restrictions on the organization..... RSS claims that it opposed Emergency promulgated by Indira Gandhi heroically and suffered immensely for this resistance. But there are dozens of contemporary narratives which dispute and decry this claim of the RSS......

"Balasaheb Deoras, then RSS chief, wrote a letter to Indira Gandhi pledging to help implement the notorious 20-point programme of Sanjay Gandhi. This is the real character of the RSS. . . . You can decipher a line of action, a pattern. Even during the Emergency, many among the RSS and Jana Sangh who came out of the jails, gave mafinamas (apologies). They were the first to apologise. But the RSS did not fight the Emergency. So why is the BJP trying to appropriate that memory?" ( By Courtesy. T.V. Rajeswar, former Intelligence Bureau [IB] chief who was the deputy chief of IB when Emergency was imposed) Prabhash Joshi's conclusion was: "They are not a fighting force and they are never keen to fight. They are basically a compromising lot. They are never genuinely against the government . . ." The above narrative by Prabhash Joshi appeared in the article, "And Not Even a Dog Barked" published in the English weekly Tehelka on the 25th anniversary of the Emergency.

 

 


--

Thursday, June 26, 2025

સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

 સને ૧૯૭૫ની કટોકટી, અમે રેડીકલ હ્યુમેનિસ્ટ (એમ.એન. રોય વાદીઓ) તરીકે લડ્યા હતા.

(૧)માનવવાદી વિચારસરણી માનવકેન્દ્રીત પણ ધર્મનિરપેક્ષ–સેક્યુલર વિચારસરણી છે. તેનું ચાલકબળ સ્વતંત્રતા છે.૧૯૭૧થી અમને ઇંદિરાશાસન પધ્ધતીના લોકમનોરંજક સુત્રો "ગરીબી હટાવો,બેંકોનું રાષ્ટ્ટ્રીયકરણ, રાજાઓના સાલીયાણા નાબુદ કરો, ઇંડીયા ઇઝ ઇંદીરા એન્ડ ઇંદીરા ઇઝ ઇંડીયા' દેશ એટલે ઇંદીરા અને ઇંદીરા એટલે દેશ,( જેને ગમે તો ઇંદીરાની જગ્યાએ નમો શબ્દ બિનદાસ વાપરી શકે છે.)" વિ. પરથી ' દેશમાં એકહથ્થુ રાજકીયસત્તાના કાળા ડિબાંગ વાદળોની પાછળ લોકશાહીના તમામ બંધારણીય મુલ્યો' ઢંકાઇ જવાના છે.' તેવું તાર્કીકસત્ય ( Rational Truth) દેખાતું હતું. બીજુ જ્યાંસુધી ભારતીય સમાજ આધુનિક, ધર્મનીરપેક્ષ અને માનવકેન્દ્રીત સુખાકારી માટે પરિપક્વ ન થાય ત્યાં સુધી દેશનું સંસદીય લોકશાહી માળખું અને તેની કરોડરજ્જુ જેવું બંધારણ પણ ટકી રહેવું જોઇએ.રોયવાદીઓ તરીકે અમે તે સમયે અને આજે પણ સ્પષ્ટ છીએ કે દેશમાં અને વૈશ્વીકકક્ષાએ પક્ષીય રાજકારણ એ ફક્ત સત્તાલક્ષી ભ્રષ્ટાચારી રાજકારણની રમત બની ગઇ છે. એટલે અમારો સંઘર્ષ માનવકેન્દ્રીત સશક્તિકરણનો છે.

(૨) ઉપરના સંદર્ભમાં ઇન્ડીયન રેડીકલ હ્યુમેનિસ્ટ એસો.ના પ્રમુખ વી.એમ.તારકુંડેએ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર ન્યુદિલ્હી મુકામે સને ૧૯૭૪માં જયપ્રકાશજીની આગેવાની હેઠળ રાષ્ટ્રવ્યાપી સંસ્થા ' જનતંત્ર સમાજ'( Citizen for Democracy-CFD)ની સ્થાપના કરી.તે મીટીંગમાં હું ગુજરાતના રોયવાદી સાથીદારો, ચંદ્રકાંત દરૂ વિ. સાથે મેં પણ ભાગ લીધો હતો. જયપ્રકાશજીને બિહાર અને ગુજરાતના નવનિર્માણની ચળવળના સાથી મનીષી જાની અને અન્ય સાથીઓના વિધ્યાર્થી આંદોલને સંગઠિત લોકશક્તિ દ્રારા સત્તા પરિવર્તન તે પણ અહિંસક, કાયદો અને વ્યવસ્થામાં પુરો વિશ્વાસ રાખીને બંધારણીય મુલ્યોની મદદ લઇને  કરી શકાય છે તેવી વ્યાજબી આશા દેખાઇ.

(૩) બરાબર આજ દિવસે પચાસ વર્ષ પહેલાં ૨૫મી જુન ૧૯૭૫ના દિવસે તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી દેશમાં દાખલ કરી. ૧૨મી જુન ૧૯૭૫ના અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાએ શ્રીમતી ગાંધીને પોતાની લોકસભાની સભ્ય તરીકે ચુંટણીમાં ગેરરીતીઓ માટે, તે ચુંટણીને ગેરકાયદેસર સાબિત કરી. ચુકાદા મુજબ રાજીનામું આપવાને બદલે કટોકટી દાખલ કરીને પોતાની વડાપ્રધાન તરીકે સત્તા ચાલુ રાખી. એકમાત્ર સત્તાબચાવના હેતુ માટે જયપ્રકાશજીના એક વાક્ય ' પોલીસ અને લશ્કરને કટોકટીમાં લોકશાહી રીતરસમો સિવાયના હુકમો નહી માનવા' ના વાક્યને તોડમરોડ કરીને, સરકાર સામે લશ્કરને બળવો કરવાના આદેશ છે તેવો દુશપ્રચાર કરીને રાતોરાત દેશમાં મીસા હેઠળ આશરે દોઢ લાખ વિરોધપક્ષના નેતાઓ સહિત અન્યને જેલમાં પુરી દિધા.

(૪) દેશમાં તે સમયે ગુજરાત અને તામિલનાડુમાં બિનકોગ્રેસી સરકારો હતી. ગુજરાતમાં તે સમયે જનતા પક્ષના મુખ્યમંત્રી બાબુભાઇ જે.પટેલની સરકાર હતી. સમગ્ર દેશમાં ગુજરાતએ લોકશાહીનો ટાપુ બની ગયો. ઇંદિરાજીની કટોકટી વિરુધ્ધ લોકમત તૈયાર કરવાનું એક દેશવ્યાપી ગુજરાત રાજ્ય બની ગયું.

(૫)  સને ૧૯૭૫ની કટોકટી દરમ્યાન ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાના બે અધિવેશનનું આયોજન ચંદ્ર્કાંત દરૂની આગેવાની નીચે કરવામાં આવ્યું.એક  " ઓલ ઇંડીયા સીવીલ લિબર્ટીઝ કોન્ફરન્સ" જેમાં જસ્ટીસ એમ.સી ચાગલાના પ્રમુખ પણા નીચે આયોજીત થયું હતું. તેમાં મુખ્ય ભાગ લેનારોમાં નિવૃત્ત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા જે. સી. શાહ,, જસ્ટીસ વી. એમ તારકુંડે, યંગટર્ક મોહન ધારીયા (સંસદ સભ્ય), સોલી સોરાબજી વિ. બીજુ અધિવેશન "બંધારણ બચાવ' પર આયોજીત કરવામાં આવ્યું હતું.બંને અધિવેશનોમાં દેશના સર્વોચ્ચ ન્યાયવિદોએ પોતાના વિચારો રજુ કર્યા હતા. કોઇએ સશસ્ર ક્રાંતિ દ્રારા બળવો કરવાની હિમાયત કરી નહતી.

(૬)  આવા અધિવેશનનો અહેવાલ ભુમિપુત્રમાં, તંત્રી ચુનીભાઇ વૈધ્યએ પ્રકાશિત કર્યો. તેના પર સેન્સરશીપના કાયદાના ઉલ્લંઘન માટે પ્રેસ જપ્ત કરી અને કેસ કર્યો. દરુ સાહેબે ભુમિપુત્રના વકીલ તરીકે ગુજરાત હાઇકોર્ટમાં સેન્સરશીપ સામે રજુઆત કરીને સેન્સરશીપ ગેરકાયદેસર છે તેવું સાબિત કર્યું. દેશની મોદી સરકારની માફક જે ન્યાયાધીશ સરકાર વિરુધ્ધ ચુકાદો આપે એટલી તેની સરકારી સજા ઓછામાં ઓછી બદલી કરી દેવી. તે મજુબ ઇંદીરાઇ તાનાશાહીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદો આપનાર ન્યાયાધીશ સાકંળચંદ શેઠસાહેબ અને પી.ડી. દેસાઇ સાહેબની બદલી એકને આસામ અને બીજાને દક્ષીણના રાજ્યમાં કરી દીધી.

(૭) જયપ્રકાશજીએ કટોકટી દરમ્યાન "ન્યુઝ લેટર બુલેટીન" એક સેન્સર કર્યા સિવાયના દેશ વ્યાપી સમાચારો એકત્ર કરીને દરુસાહેબ પાસે મોકલવા અને તેમણે પ્રકાશિત કરવાના હતા. તે સમાચાર ગુજરાતના પોલિસ વડાને મળતાં તેમની ધરપકડ માટે પોલીસ તંત્ર તેમને ઘેર આવી ગયું. હવે સીધો દરુ સાહેબ સાથેનો પોલીસ વાર્તાલપ. સદર વાર્તાલાપ બરોડા સેન્ટ્રલ જેલમાં તે સમયના બાબુભાઇ જ.પટેલની સરકારના શિક્ષણમંત્રી નવલભાઇ શાહ સાથે થયો હતો.

(૮) પોલીસ અધિકારી–  તમે આ બધું કરતા હતા ત્યારે તમને પકડવામાં આવશે, એવો ભય ન હતો?

ચંદ્રકાન્ત દરુ– હું જે કાંઇ કરતો હતો તે એટલું બંધારણીય હતું અને કાયદેસરનું હતું તેથી મને પકડશે તેવો ભય નહતો.પણ દેશમાં જે પરિસ્થિતિ થઇ હતી, તેમાં મને પકડી લે તો જેલમાં જવાની પણ મારી તૈયારી હતી.

ન.શાહ. જે દિવસે તમને પકડવા આવ્યા ત્યારે તમારા મનની સ્થિતિ કેવી હતી.

દરુ– પોલીસ અધિકારીએ મને કહ્યું કે અમારે તમારા ઘરની જડતી લેવી પડશે. મેં કહ્યું કે તમને તે કામ કરતાં બે ત્રણ કલાક લાગશે. કેમ! પોલીસ તંત્ર જડતી લતું હતું હું મારા એરકન્ડીસન્સ ઓરડામાં જઇને સુઇ ગયો.

ન.શાહ. તમને ઉંઘ આવી?

દરુ– હા....એ જ માર્ગ હતો. જેલમાં જવાનું જ હતું. પછી નકામી ચિંતા શું કામ કરવાની? અગીયાર વાગે પોલીસ ઉઠાડીને મને પોલીસ કમીશ્નરની ઓફીસે લઇ ગયા. એકાદ કલાક તપાસ ચાલી.

પોલીસ– તમે જયપ્રકાશ દ્રારા બહાર પડનાર પત્રિકા પ્રકાશિત કરી બહાર પાડવાના એ વાત સાચી છે. સેન્સર કર્યા સિવાય પત્રીકા બહાર પાડવી તે ગુનો નથી?

દરુ– હા, હું કાયદાની મર્યાદામાં રહીને જ બધી કાર્યવાહી કરું છું.સેન્સરશીપ વિરુધ્ધ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવી ગયો છે. પછી મને એક મોટી પોલીસવાનમાં  બેસાડીને જામનગર લઇ ગયા. પાછલાભાગમાં મારી સુવાની સગવડ હતી, હું સુઇ ગયો…… મને થોડીવાર જેલની ઓફીસમાં બેસાડવામાં આવ્યો, તમારા માટે રુમ તૈયાર થાય છે. મને એમ કે હોટેલ જેવી સગવડ હશે. જુદો ઓરડો હશે. એક મોટા ઓરડામાં ખાટલો હતો અને એક જુનુ ટેબલ હતું. મેં પુછયું બાથરુમ? બહાર એક કુંડી બતાવી...... આ કુંડીમાંથી પાણી લઇને નહાવાનું છે? હું ચોકી ઉઠયો... ખુલ્લામાં... અને આવા પાણીથી નાહવાનું છે! સવારે એક પતરાના ડબ્બામાં ગરમ પાણી આવ્યું, એ ડબ્બાને ઉપાડવા માટે વચ્ચે લાકડાનો હાથો, તેમાંથી પાણી કાઢવા માટે વાંકો ચુકો ચંબુ આપવામાં આવ્યો... મારે માટે જેલના ચંબુમાં ચાહ આવી.ચંબુની દશા જોતાં જ ચાહ ન પી શક્યો.... બીજે દિવસે જેલનું ખાવાનું આવ્યું. મને ભુખ લાગી હતી. રોટલી ખાવા પ્રયત્ન કર્યો પણ તુટી જ નહી.....જામનગર શહેરના વકીલોને ખબર પડી. પણ વકીલોને મળવાની પરવાનગી ન મળી. પણ ચીઠ્ઠઠી મળીકે કોઇ વસ્તુ જોઇતી હોય તો વિના સંકોચે મંગાવજો.... .મારુ બીપી ઘટી ગયુ. ૧૧૦ નીચે ૬૦ થઇ ગયું... તરત જ હોસ્પીટલમાં દાખલ કર્યો. તપાસનાર ડૉકટર કે સાહેબ! મને ના ઓળખ્યો. તમે મારો કેસ  લડયા હતા અને જીત્યા હતા. તેને કારણે હું આજે ડૉકટર છું. તમને હું નિયમિત ચેક અપ કરીશ. ચિંતા ન કરતા. દરુ બોલ્યા! મારા જેવા બુધ્ધીજીવી માટે જેલની એકલતા એટલે ધીમું મૃત્યુ.

વડોદરા જેલનો એક પ્રસંગ... સાથી હસમુખ પટેલ અને મંદાબેનની કલમે...  આ સર્વોદય બેલડી જેલમાં પણ સાથે હતી. વડોદરાની જેલમાં મીસાવાસ્યમના સાથીદાર પ્રકાશ ન. શાહ પણ દરુના સાથી હતા. દરુથી સહજરીતે પુછાઇ ગયું હે પ્રકાશ! જેલમાં એસી ન હોય! હું તો યાર! ઘરમાં ૨૪ કલાક એસી અને બંધ પડે તો કાયમ માટે કામા હોટેલમાં એક એસીવાળો રુમ માટે રિઝર્વ કરેલો. પ્રકાશભાઇ પોતાની પ્રકાશમય લખાણને બદલે લેહકામાં કહી દીધુ દરુ સાહેબ અહીં જેલમાં લીમડાના પવનમાંથી એસી કરતાં વધુ ઠંડક આવશે. દરુ સાહેબની તહેનાતમાં એક વીસ વર્ષનો મનીયા નામનો નિરક્ષર ટપોરી મુકવામાં આવેલો. એકવાર દરુસાહેબને મનીયો કહે સાહેબ જેલની બહાર એક મંજી નામની મારી પ્રેમિકા છે. તેને મારે પ્રેમપત્ર લખવો છે.મેં મંજીને પત્ર મોકલવાની વ્યવસ્થા કરી છે. તમે મને હું બોલું તે પ્રમાણે મંજીને પ્રેમપત્ર લખી આપશો ને! મનીયો બોલતો ગયો અને દરુસાહેબે પારકર પેનથી મનીયાની મંજીને પત્ર લખ્યો.

અમારાચુનીકાકા વૈધ્ય– બંનેની ધરપકડ અને છુટટી પણ એક સાથે. વિનોબાજીએ એકવાર કહેલું કે રાષ્ટ્રપતિ કરતાં સ્થિતપ્રજ્ઞ થવું વધારે મુશ્કેલ છે. દરુ સેન્સરશીપના કેસના સંદર્ભમાં દેશવ્યાપી થઇ ગયા. પણ માનવ સ્વાતંત્રય માટેનો એમનો આગ્રહ, તે મુલ્યમાટે ખપી જવાની એમની તત્પરતા એમને રાષ્ટ્રના સીમાડાઓથી ક્યાંય ઉપર ઉઠાવે છે. ભુમિપુત્રનો કેસ લડતાં ફી ની વાત કરવાની હિંમત જ ના થઇ.. હસતાં હસતાં મારા ખભાપર હાથ મુકીને કહે કે રખે માનતા કે હું તમારા માટે કેસ લડું છું. હું તો મારી સ્વતંત્રતાના રક્ષણ માટે લડું છું.

દરુ સાહેબના બાળપણના મિત્ર આચાર્ય અરુણ દિવેટીયા(છોટાઉદેરવાળા) લખે છે કે " શ્રી પ્રકાશ ન. શાહે 'વૈશ્વીક માનવવાદ'માસીકમાં શ્રી ચંદ્રકાંત દરુ ઉપર એક લેખ લખ્યો હતો.તેનો ઉલ્લેખ વૈશ્વીક માનવવાદમાસિક( જેનો હું બી.શ્રોફ ૩૦ વર્ષ સુધી તંત્રી હતો)અને શ્રી પ્રકાશ ન. શાહના સૌજન્યની અપેક્ષાએ કરું છું,શ્રી દરુએ જયપ્રકાશ નારાયણને એમની રુબરુમાં કહેલું, સ્વાધીનતા સામે કશાનો કડદો હું ન કરું. એ જ દરુની જીવન નીષ્ઠા હતી. 'ફ્રીડમ' સ્વાધીનતા એમનો મુદ્રાલેખ હતો. દરુ એમ. એન રોયની ફિલસુફીથી રંગાયેલા હતા. રોય માનતા હતા કે માનવીની પ્રગતિની પ્રેરણા પાછળનું બળ સ્વતંત્રતાની જાળવણી છે. સ્વતંત્રતા માટેજ માનવીએ પ્રકૃતિના બળો સામે જન્મગત લડત આદરી છે. વર્તમાન માનવ સંસ્કૃતીનો વિકાસ એટલે માનવીનો સ્વતંત્રતાનો સંઘર્ષ.

મહેમદાવાદમાં અમારા ગ્રુપે  બજારના મધ્યમાં આવેલ સરદાર ચોકમાં જયપ્રકાશનું તૈલી ચિત્ર બનાવી સાથે ચંદીગઢની જેલ બેકગ્રાઉન્ડમાં પેઇન્ટ કરીને ડિસપ્લે કર્યું હતું. મહેમદાવાદ શહેર અને તાલુકના કિસાન કાર્યકરોને કટોકટી શું છે અને માનવ સ્વાતંત્રય પર કઇ રીતે ખતરો ઉભો કરે છે એ સમજાવવા શ્રી દરુ સાહેબ, પ્રકાશ ન. શાહ,પી માવલંકર,કિર્તીદેવ દેસાઇ અને પ્રસન્નવદન પટવારી વિ .નિયમિત આવતા હતા.

––––––––––––––––સને ૧૯૭૫ ની કટોકટી લેખ ભાગ–૨ હવે પછી.––––––––––––––––––––      

 



--

Sunday, June 22, 2025

Leave herd & Be Brave- ટોળું છોડો અને બહાદુર બનો.

ટોળાને છોડી દો અને બહાદુર બની જાવ.

વ્યક્તિને હંમેશા પોતાના કબીલા, ટોળી, કે કોઇપણ પ્રકારના સામાજીક જુથના રીત–રિવાજો અને નીતિઓથી બચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. જો તમે તેમાંથી મુક્ત થવા પ્રયાસ કરશો, તો તમે એકલતા અનુભવશો. ક્યારેક તમે ડરી જશો.ખરેખરતો,તમારી જાતના માલિક બનવાના પરાક્રમ માટે કોઈ કિંમત ખૂબ ઊંચી નથી. ભીડથી દૂર ચાલીને રહેવાનું તેનો અર્થ શું છે કે હું મારા માટે વિચારીશ, ભલે તે તમને બધું જ ચૂકવે? તમારી જાત પ્રત્યે સાચા રહેવાની બિનદાસ સ્વતંત્રતાના બદલામાં ટોળાની માલિકીની સલામતીનો અસ્વીકાર કરવો તેમાં કેટલો બધો અવર્ણીનીય આનંદ નિહિત છે.

એરીક ફ્રોમથી માંડીને તમામ મનોવૈજ્ઞાનીકોનો મત છે કે મોટાભાગના લોકોને  સ્વતંત્રતાનો ખ્યાલ જ ભયંકર ડરામણો( Fear of Freedom)લાગે છે.તેને બહુમતી ટોળાની સુરક્ષિત માનસીકતામાં ઓગળી જવામાં પોતાનું શ્રેય અનુભવાય છે. ટોળાના નેતાના આજ્ઞાપાલનમાં,તેની બિનશરતી વફાદારી અને ભક્તિમાં ટોળાના તમામ સભ્યોને 'ઇશ્વરી કવચ"નું સંરક્ષણ મળે છે તેવો સતત અહેસાસ થાય છે.ભલે ટોળાનો માલિક નખશીખ તે ટોળાનું જ સર્જન કેમ ન હોય ? ટોળાને જે આદેશ આપવામાં આવે છે તે પ્રમાણે વર્તન કરવામાં ટોળું પેલા નેતા પ્રત્યે વફાદારી પુજનીય ભાવ પ્રદર્શિત કરે છે.તેમને જે કહેવામાં આવે છે તે માને છે, જે પરિચિત છે તેનું પુનરાવર્તન કરે છે, શાંત આજ્ઞાપાલનનું જીવન જીવે છે, પછી તેઓ ખરેખર કોણ છે તે બનવાની ભયાનક જવાબદારી શું કરવા ઉપાડીને 'પેટ ચોળીને સૂળ ઉત્પન્ન કરે"! 

     ટુંકમાં જે વ્યક્તિ સામૂહિક નૈતિકતા, અંધશ્રદ્ધા અને આરામથી દૂર થવાની હિંમત કરે છે તે વિચાર, પ્રમાણિકતા અને એકાંતના ભારને સ્વીકારે છે.તે માટે હિંમત પ્રાપ્ત કરવી ખુબજ મહત્વપુર્ણ છે. તે સાથે સાથે માનવી તરીકે ટોળાથી મુક્તિ મેળવીને તે પણ ગૌરવ સાથે જીવવાનો આ એક માત્ર રસ્તો છે. આ રીતે તમે ટોળાને છોડી દો છો. આપણો સમાજ ટોળાની નૈતિકતા પર જ ઉભેલો છે.ટોળાના સમાજના મૂલ્યોની એક સિસ્ટમ જે વ્યક્તિને ઉન્નત કરવા માટે નહીં પરંતુ દરેકને સમાન રાખવા માટે રચાયેલ છે. ટોળામાં આજ્ઞાપાલન એ સદ્ગુણ છે, સંમતિ એ સલામતી છે, અને સુસંગતતા એ ભલાઈ છે. આ મૂલ્યો ક્યાંથી આવે છે? તે કુદરતી નથી. દૈવી કે ઇશ્વરી પણ નથી.ટોળાના સંચાલકોએ પોતાના હિત પ્રમાણે ટોળાને હાંકવા માટે બનાવેલા છે.

 ખરેખર હું અને તમે આ ટોળાના સભ્યોને ઓળખીએ છીએ ખરા?ટોળું હંમેશાં તમામ રીતે નબળી શક્તિ ધરાવનારા લોકોનું જ બનેલું હોય છે. ટોળાને આંતરિક શરણાગતી(Internal submission)અને બહારના સભ્યો સામે હુમલાખોરની માનસીકતા ઉભી કરવી(External aggressiveness) તે ટોળાનું સંગઠિત પણ મુળભુત લક્ષણ છે.

ટોળામાં પરંપરાગત નૈતિકતા, ખાસ કરીને ધાર્મિક નૈતિકતા પ્રેમથી નહીં પરંતુ ભય અને ઈર્ષ્યાથી જન્મે છે. જે ન્યાયીપણાના વેશમાં ખરેખર સમર્પણ, બલિદાન અને ત્યાગની નૈતિકતા હોય છે. ટોળાના હિત માટે શહીદ થવાની નૈતીક્તા હોય છે.તેથી જ્યારે કોઈ ટોળામાંથી વિદ્રોહ કરીને બહાર આવે છે અને સત્ય બોલે છે, ત્યારે ટોળું તેને ટોળાના વિશ્વાસઘાત માટે સજા કરે છે. ટોળું એક એવી માનસિકતાનું બનેલું જુથ છે જેને ભુલેચુકે તેના સભ્યોમાં ભિન્નતાનું સર્જન પેદા થાય તેનો સખત ભય અને તિરસ્કાર બંને છે.ટોળું એક જૂથ નથી.પણ એક સંગઠિત માનસિકતા છે. જેને પોતાનામાં પેદા થયેલા તફાવતનો ડર, શ્રેષ્ઠતાનો તિરસ્કાર એટલા માટે છે કે તેમાં તેનું વાસ્તવિક અસ્તિત્વ માટે જોખમ છે. ટોળાની નૈતિકતાનું સામ્રાજ્ય પોતાના સભ્યોને હંમેશાં "પિગ્મી" રાખવામાં રસ ધરાવે છે. તો વિકલ્પ શું છે?

 બળવા માટે બળવો કરનાર વ્યક્તિ નહીં,પણ કોઈ એવું જે પૂછે છે કે હું આ કેમ માનુ છું? આ મૂલ્યથી કોને ફાયદો થાય છે? જો મને જે શીખવવામાં આવ્યું છે તે બધું ખોટું હોય તો શું? આ પ્રશ્ન આરામદાયક નથી કે ટોળાના અસ્તિત્વ માટે સલામત પણ નથી.

હકીકતમાં,જર્મન તત્વજ્ઞાની નીત્શે તેને એક પ્રકારના મૃત્યુ તરીકે વર્ણવે છે. જૂના સ્વનું મૃત્યુ. વારસાગત માન્યતાઓનું પતન – આ તો ભયાનક અનુભૂતિ છે. એકવાર તમે ટોળાને છોડી દો છો, પછી નવજીવનમાં( ગાંધીજીવાળા નવજીવનમાં નહી) ત્યાં કોઈ નકશો નથી. તમને શું સાચું છે અને શું ખોટું છે તે કહેવા માટે કોઈ નથી. તમારી પોતાની સ્વતંત્રતાથી તમારું રક્ષણ કરવા માટે કોઈ નથી. પરંતુ તે જ જગ્યાએ જીવન શરૂ થાય છે.આવી મુક્ત ભાવના અગ્નિમાં જન્મે છે. તેઓ તેમના મૂલ્યો બનાવે છે. તેઓ નક્કી કરે છે કે શું મહત્વનું છે. તેઓ પોતાના જીવનના લેખક બને છે. અને આમ કરવાથી, તેઓ એવી શક્તિ જાગૃત કરે છે જે આપી શકાતી નથી કે છીનવી શકાતી નથી.તે ફક્ત મેળવી શકાય છે.

   આ હિંમત બીજાઓ સામે લડવાની હિંમત નહીં પણ પોતાની જાત સામે લડવાની હિંમત. આ એ ભાગ છે જે મોટાભાગના લોકો ટાળે છે.કારણકે તે ટોળાને છોડી દેવાની કાયમ માટેની ઉંડાણપુર્વકની એકલતા છે.સર્વસ્વ બાજુએથી હચમચાવીને કચડી નાખે તેવી એકલતા છે.ટોળાને બાય બાય કહીને કાયમ માટે બહાર નીકળનાર વ્યક્તિનો માર્ગ પીડા સાથે આવે છે.જે ટોળાના વર્ષોથી અનિવાર્ય બિનચુક ભાગ હતા હવે તેનાથી અલગ રીતે જીવવું તે જાણે તમારી ગેરસમજ તો નથી ને તેવી માનસિકતા ઘણીવાર કોરી ખાય છે. બોલવું એ ધિક્કારપાત્ર છે. અને તમારા પોતાના માર્ગ પર ચાલવાનો અર્થ ઘણીવાર એકલા ચાલવાનો થાય છે. પરંતુ આપણા બળવાખોર માટે એકાંત એ સજા નથી. તે એક ભેટ હતી. કારણ કે એકાંતમાં જ તમારી સમજણ શક્તિ(Conscience)મજબૂત બની શકે છે.મુક્ત કે સ્વતંત્ર થવાનો અર્થ શું છે? જૂના મૂલ્યોને નકારવા પૂરતું નથી. તમારે તમારા પોતાના નવા મૂલ્યો બનાવવા પડશે. પણ જે ધાર્મીક કે સામાજીક નૈતિકતા અનુસાર નહીં પણ વ્યક્તિગત સત્યને અનુસાર જીવન જીવવા માટે છે. આવા માણસનો જન્મ થતો નથી. તે દુઃખ, સંઘર્ષ, ગહન આત્મ જાગૃતિ દ્વારા પરિવર્તિત માનવ બને છે. તેને પસંદ કરવામાં કોઈ રસ નથી. તે ભય દ્વારા માર્ગદર્શન મેળવતો નથી. તે ફક્ત પોતાના માટે જવાબદાર છે. ટોળાના ત્યજનાર માટે આ હિંમતનું અંતિમ કાર્ય છે. ફક્ત ટોળું છોડવું જ નહીં, પરંતુ અસ્તિત્વની અંધાધૂંધીમાં એકલા ઊભા રહેવું અને ખુલ્લા હાથે તમારા જીવનનો અર્થ બનાવવો. જીવનને સમર્થન આપવું, પીડા, શંકા, અનિશ્ચિતતાને હા કહેવું, અને હજુ પણ તે પ્રાપ્ત કરેલા હેતુ સાથે જીવવાનું પસંદ કરવું. આવો નિર્ણય ટોળામાં રહેનાર પેલા નબળા લોકો માટે કદાપી નથી જ.

   ટોળાની જોહકમી શું છે તે સમજીને તેની સામે આમૂલ જવાબદારની હાકલ છે. રાહ જોવાનું બંધ કરો અને તમે જે છો તે બનવાનું શરૂ કરો. "તમે જે છો તે બનો.". કારણ કે તમે જે છો તે કોઇકની આપેલ દેન નથી. તે કંઈક કમાયેલું છે, એકાંતમાંથી કોતરેલું છે, શંકામાં બનાવેલું છે, ક્રિયા દ્વારા ઘડાયેલું છે. અને સત્ય એ છે કે મોટાભાગના લોકો ક્યારેય પ્રયાસ કરતા નથી. તેઓ ટોળા સાથે રહે છે. તેઓ તેને સુરક્ષિત રીતે રમે છે. તેઓ કોઈ બીજાનું જીવન જીવે છે, તેમનું શાસન બીજા દ્રારા થાય છે. તેને આપણે શાંતિ કહીએ છીએ. જે શાંતિ ખરેખર મૃત્યુ પછીની  કે કબરની શાંતિ હોય છે. પરંતુ જો તમે કિંમત ચૂકવવા તૈયાર છો, જો તમે સત્ય ખાતર આરામ ગુમાવવા તૈયાર છો. જો તમે એકલા રહેવા તૈયાર છો તો તમને કંઈક એવું મળશે જે કોઈ ટોળું તમને આપી શકશે નહીં. સ્વતંત્રતા એટલે જવાબદારીમાંથી મુક્તિ નહીં, પરંતુ સ્વૈચ્છીક જવાબદારી સ્વીકારીને તેના દ્વારા સ્વતંત્રતા પ્રાપ્ત કરવી. તમારા મનને તમારા પોતાનો માલિક બનાવવાનો છે. તમારા સ્વનું ટોળા પાસે મુકેલ માલિકીપણાનું હસ્તાંતર કરવાનું છે. ટોળું પોતે માલિક હોવાથી તે પોતાની માલ –મિલકતને મફત કેવી રીતે કિંમત ચુકવ્યા વિના છુટો કરે? ટોળાની નૈતિકતા ટોળાની વસ્તી વધારવાની હોય છે. ઘટાડવાની કે ઓછી કરવાની કદાપી નહી.

    જે દિવસે માનવી ટોળામાંથી મુક્ત બને છે તે દિવસથી તેનામાં જીજીવીષા ટકાવવાનો જ નહી,પણ તેની સંભવિત શક્તીઓનો વિકાસ કરવાની ઉત્તેજક શક્તીઓનો ધોધ વહેવા માંડે છે.કારણકે તેને પેલા ટોળાના ધસમસતા પ્રવાહ સામે તરવાનું છે. ટોળા સામે બળવો કરીને ભુલેચુકે તેણે બીજું ટોળું શોધી કાઢીને તેમાં પોતાના સ્વનું આત્મસમર્પણ કે બલિદાન આપવાનું નથી. સાથે સાથે તેણે નવા ટોળું પણ બનાવવાનું નથી. કારણ કે તેનો બળવો ટોળાની ગુલામી સામે હતો. તો પછી તે પોતે કેવી રીતે નવું ટોળું બનાવીને તેનો માલિક બની શકે?માલિકો બદલાવાથી ગુલામો મુક્ત થતા નથી પણ તે બધાની ગુલામીની જંજીરો વધુ ચકકાટ અને મજબુત બને છે.એક વાર જે ટોળાના ગર્ભમાંથી બહાર નીક્ળી જાય છે, તે પછી તેને નવા વણકંડારાયેલા પથ પર જીવવાના પડકારો પ્રમાણે પોતાની જીંદગીનું નાવ ચલાવવાનું આવડી જાય છે. તેને પોતાનો સહોદર એવો જોઈએ છે જે પોતાની માફક તે એકલા ચાલવાની હિંમત, ખતરનાક રીતે વિચારવાની અને મુક્તપણે જીવવાનો પોતાનો સ્વમાર્ગ શોધીને આબરુભેર ચાલી શકે. મારો લેખક તરીકે તમારી સામે પ્રશ્ન છે. શું તમે ટોળા સાથે રહેશો કે તમે જે છો તે બની જશો? ---

 



--

Monday, June 16, 2025

--અમદાવાદના બોઇંગ વિમાનનાખુબજ દુ;ખદ અકસ્માત



--અમદાવાદના બોઇંગ વિમાનના ખુબજ દુ;ખદ અકસ્માત–

અમદાવાદના બોઇંગ વિમાનના ખુબજ દુ;ખદ અકસ્માત સાથે સાથે કેટલાક વિમાનમાં જવાના ન હતા પણ છેલ્લી મિનિટે નિર્ણય કરીને તે ગોઝારા વિમાનના મુસાફર બની ગયા. બીજાએ પાકી જવાની ટીકીટ કનર્ફમ કરાવી હતી પણ કારણવશાત ન જઇ શક્યા અને બચી ગયા. એક પેસંજર નામે વિશ્વાસકુમાર રમેશ વિમાનની સીટ નંબર ૧૧–૧ 'ઇમરજન્સી એક્ઝીટ ગેટ' પાસે બેઠેલો હતો અને બચી ગયો!

ઉપરના ત્રણેય બનાવોને આપણે એક વૈજ્ઞાનીક અભિગમ, કારણની નિયમબધ્ધતા અને તેમાંથી  પરિણામ સ્વરુપે પેદા થતી અસરને તટસ્થતાથી મુલ્યાંકન કરીએ.

(૧) પ્રથમ આપણે તર્કબધ્ધ સત્યથી શરુઆત કરીએ. સદર વિમાની અકસ્સ્માત માટે જે કોઇ તેની ટેકનીકલ જવાબદાર હોય તે ખરી. પણ એ વાત કોઇપણ માનવમન સ્વિકારવા તૈયાર નથી કે આ અકસ્માત પેદા કરવા માટે કોઇ દૈવી કે ઇશ્વરી શક્તીને ખાસ રસ હતો. અને તે જ રીતે સંજોગોવશાત ગોઝારા વિમાનના જે પેસેંજરો બનવાના હતા અને ન બની શક્યા હતા તે બચી ગયા, તેમને બચાવવામાં પણ તે જ તર્ક મુજબ કોઇ દૈવીકે ઇશ્વરી શક્તીને કોઇ રસ ન હતો.

(૨) છેલ્લા બે ત્રણ વર્ષોમાં મારે અમેરીકાના વિમાની મથક અટલાંટા થી કતાર વિમાની વાયા દોહા–અમદાવાદ, કતાર– એરલાઇન્સમાં ચારથી વધારે સમય મુસાફરી કરવી પડી છે. મુસાફરીનો કુલ સમય પ્રથમ ૧૬ કલાક નોનસ્ટોપ અને બીજીવાર આઠ કલાક. કુલ ૨૪ થી ૨૬ કલાક. મારે જમણા પગની તકલીફને કારણે જે ઢિંચણમાંથી બિલકુલ ન વળતો હોવાથી એવી સીટ રીઝર્વ કરવવી પડે છે કે મારી સીટની સામે વધારે જગ્યા પગ લાંબો કરવાની હોય. મારી સિટ પછીની સીટ નંબર ૧૧–૧ જેવી કોમન સીટ આવે છે જેને અડકીને " ઇમરજન્સી એક્ઝીટ ગેટ" હોય છે. હવે વિશ્વાસકુમારની ૧૧–૧ સીટ અને તેની સાથેનો ઇમરજ્નસી ગેટની દિવાલ એક સાથે જોડાયેલી હોય છે. બંને એકી સાથે હવામાં ફંગોળાઇ જવાની શક્યતા પ્લેન  તુટવાની સાથે પણ આગ લાગતાં પહેલા ત્વરીત બની હશે. પણ તેમની મોઢું વિ. ચામડી તો દાઝેલી છે. બધું જ એક ક્ષણમાં  ગતિ અને દબાણના નિયમ પ્રમાણે વિશ્વાસકુમારનો જીવ બચાવવામાં કારણભુત છે. તેવું મારુ માનવુ છે. તેવું મારા અનુભવનું નમ્ર નિરિક્ષણ છે. હું સાચો છું તેવો દાવો મારો હોઇ શકે નહી. વિશ્વાસકુમારને બચાવવામાં અવકાશી દેવોને અપ્સરાઓ સાથે મઝા કરવામાં સમય ઓછા પડતો હોય તો !

(૩) જેને વિમાનમાં જવાનું હતું તે સમયસર પહોંચી ન શક્યા. તેવા બીજા વ્યાજબી, પ્રામાણીક કારણો હશે. તેના અંગે મને કોઇ શંકા કરવાનો અધિકાર ન જ હોઇ શકે. પણ તેમા જ્ઞાન આધારીત તાર્કીક કારણ આ પ્રમાણે છે. જે બચી ગયા છે તેમના વાહનોની ગતી વિ,અને બીજા કારણોનું સંચાલન, નિર્ણયોને વિમાનના અકસ્માત સાથે સીધો કે આડકતરો કોઇ સંબંધ ન હતો. કારણકે આ વિમાનને અકસ્માત ન નડયો હોત તો પણ તે સમયસર વિમાનમાં બેસવા માટે પહોંચી શક્યા જ    ન હતા. તેથી તે બચેલા જ હતા.! તાર્કીક કારણ– કોઇપણ બે બનાવોનું સંચાલન તેના સ્વતંત્ર નિયમોથી થતું હોય ત્યારે જે  બે પરિણામો આવે તેને આપણે સ્વતંત્ર પરિણામો જ ગણાવા જોઇએ. તે સત્યને ગળે લગાવવામાં લાગણીને કોઇ સ્થાન જ ન હોઇ શકે! 

Saturday, June 14, 2025

બોલો! હવે તો તમે ચોક્કસ માનશો કે !

 

બોલો! હવે તો તમે ચોક્કસ માનશો કે આ વિમાની અકસ્માતમાંથી ભગવાને તમને બચાવ્યા છે? એક પત્રકારે નિરઇશ્વરવાદી તત્વચિંતક બર્ટ્રાન્ડ રસેલને પુછેલો પ્રશ્ન.

રસેલનો જવાબ– આ ક્ષણે તો નહી જ ! કેમ?

બીજી ઓકટોબર ૧૯૪૮ના રોજ નોર્વે દેશના શહેર ત્રોન્દીહેઇમ (Trondheim)માંથી પ્રવચન આપીને જતા હતા. ત્યારે રસેલના પ્લેનને અકસ્માત થયો.પ્લેન સમુદ્રમાં પડયું. કુલ ૪૩ યાત્રીઓમાંથી ૨૪ બચી ગયા.૧૯ ડુબીને મૃત્યુ પામ્યા.

મારી સિગાર (ચિરુટે) મને બચાવી લીધો.તમારા ગોડે નહી! કારણ કે અમે ૨૪ યાત્રીઓ વિમાનમાં એ વિભાગમાં હતા જ્યાં ચાલુ વિમાને સિગાર કે ચીરુટ પીવાની છુટ હતી.તે વિભાગ સહીસલામત રહ્યો છે.

ફેસબુક વાંચનાર મિત્રો! એવું ભુલેચુકે ન માનશો કે આ લખાણ લખનારને અમદાવાદના પ્લેન અકસ્માતમાં ગુજરી ગયેલા પ્રત્યે તથા કુટુંબીજનો માટે દિલસોજી કે સહાનુભુતી નથી.

અમદાવાદથી મારી દિકરી ગાર્ગીનો ફોન અટલાંટાના ટાઇમ પ્રમાણે સવારે સાત વાગે ફોન આવે છે.

પપ્પા ક્યાં છે? કેમ ફોન ઉપાડતા નથી?

મમ્મી– તે બાથરૂમમાં અમદાવાદના અકસ્માતના સમાચારથી ખુબજ લાગણીસભર થઇ ને રડે છે. 

"દુનિયાભરમાં નજર નાખતાં તમને ખ્યાલ આવશે કે માનવીય ભાવનામાં થયેલી દરેક પ્રગતિ, ગુનાહિત કાયદામાં થયેલી દરેક સુધારણા, યુદ્ધ ઘટાડવા તરફનું દરેક પગલું, રંગીન જાતિઓ સાથે સારી વર્તણૂક તરફનું દરેક પગલું,( every step toward better treatment of the colored races) અથવા ગુલામીમાં ઘટાડો કરવા તરફનું દરેક પગલું, દુનિયામાં થયેલી દરેક નૈતિક પ્રગતિનો વિશ્વના સંગઠિત ચર્ચો દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો છે. હું ખૂબ જાણી જોઈને કહું છું કે ખ્રિસ્તી ધર્મ, જે તેના ચર્ચોમાં સંગઠિત છે, તે દુનિયામાં નૈતિક પ્રગતિનો મુખ્ય દુશ્મન રહ્યો છે અને હજુ પણ છે." 

~ બર્ટ્રાન્ડ રસેલ

—------------------------------------------------------------------------- 

 

 



--

Saturday, June 7, 2025

પાપ અને અનૈતીકતા વચ્ચેતફાવત શું?

પાપ અને અનૈતીકતા વચ્ચે તફાવત શું?

પાપની ટુંકામાં ટુકી અને સહેલામાં સહેલી વ્યાખ્યા છે,ધાર્મીક અને સામાજીક રિવાજોનો નિ;સહાય,અસહાયકે લાચાર વ્યક્તિના નીજી અને સામુહિક જીવન પર એક તરફી આતંકવાદી નિયંત્રણ.("Tyranny of custom & Convention.")

અનૈતિકતા એટલે એક માનવીનો બીજા માનવી પર શારિરિક કે માનસિક હુમલો.પણ અનૈતીકતા એ પાપ નથી. કારણકે તે દુષ્કાર્ય ધર્મ કે સામાજીક વ્યવહારોની નિપજ નથી. તેનો ઉપાય કાયદાના શાસનમાં છે.

 તેથી માનવવાદીઓ, નિરઇશ્વરવાદીઓ,રેશનાલીસ્ટો,અથવા લોકશાહી મુલ્યોમાં પ્રતિબધ્ધતા અને ગૌરવ આધારિત જીવન જીવતા માટે "પાપ" એક નકામો ખ્યાલ છે.તેના(પાપના) ઉભા આડા તમામ ખ્યાલો અને તેના આધરીત વ્યવહારોને નીજી જીવનમાંથી કાયમ માટે તિલાંજલી આપી દેવામાં જ આપણા વર્તમાન જીવનનો વિકાસ શક્ય છે.

વિશ્વના તમામ ધર્મોનો મુળભૂત અને પ્રાથમિક ધંધાકીય ઉપદેશ છે કે  માનવીએ આ પૃથ્વી પર જન્મી લઇને તેણે ક્યારેય માફ ન થઇ શકે તેવું "પાપ" કરેલ છે. મેં અને તમે કોઇપણ લૈંગિક એકમ સ્રી કે પુરુષ તરીકે જન્મ લીધો હોય તો પણ તેમાંથી મુક્ત થઇ જ શકો નહી. હવે! જુઓ! આ ધર્મોના સ્થાપિત હિતો. મને અને તમને આ પૃથ્વી પર જન્મ લઇને કરેલા "પાપ" માંથી કોણ બચાવશે? આપણને સૌ ને પાપોમાંથી બચાવવા માટે તો આ બધા ધંધાદારી ધાર્મિકોની દુકાનો રાત દિવસ ચાલુ છે!

 તમારે આવનારા બીજા જન્મમાં સુખસગવડની સ્વર્ગ જેવી રેલમછેલમ જોઇતી હોયતો આ જન્મમાં તમારા કાળામાથાના માનવી તરીકેના ગૌરવને ભુલી જઇને અમારા ધાર્મિક સામ્રરાજ્યના ગુલામ બની જાવ. માનવીય ગૌરવની વિભાવના તમામ ધર્મો માટે ખતરનાક છે. કારણ કે તે પાપના વિચાર સામેનો બળવો છે. તે ધર્મકેન્દ્રી સમાજ વ્યવસ્થામાંથી માનવકેન્દ્રીત ગૌરવ આધારીત સમાજ વ્યવસ્થાનું નવેસરથી નિર્માણ કરે છે.

જન્મ સાથે વણી લેવાયેલો પાપનો ખ્યાલ જ એવો વણલિખીત ઉપદેશ આપે છે કે આ તમારુ શરીર તમારા ઉપયોગ માટે બિલકુલ નથી. તેનું કાર્ય તો પાપના ભયથી તમારે તમારા શરીર, જાતિય સુખ,પ્રેમ, સ્વની સભાનતા વિ નું નિયમન ધર્મે સર્જન કરેલા આતંકી રુઢી રિવાજોને સમર્પણ કરી દેવાનું હોય છે.

અંતમાં આપણે પસંદ કરવાની છે માનવી નૈતિકતા આધારિત ગૌરવભેર નીજાનંદ માટેનું ખુલ્લુ મુક્ત જીવન કે પછી પિતૃસ્તાક "પાપ" ના ભયથી ગુલામ યુક્ત જીવન.

 

 

 

 

 


--

Thursday, June 5, 2025

શ્રદ્ધા( Belief-Faith) વિરુધ્ધ વિચારશક્તિ કે તર્કવિવેક શક્તિ (Reason or Rationality) -

 શ્રદ્ધા( Belief-Faith) વિરુધ્ધ વિચારશક્તિ કે તર્કવિવેક શક્તિ (Reason or Rationality) -


(1)  લોકો ઘણીવાર માને છે કે શ્રદ્ધા કંઈક સુંદર અને ઉમદા ખ્યાલ છે. તેઓ તેને શક્તિ,અથવા અંધારામાં પ્રકાશ તરીકે જુએ છે. જ્યારે તમે અંતિમ મૂળ તરફ જુઓ છો, ત્યારે તમને જે મળે છે તે ખૂબ જ અલગ છે. શ્રદ્ધા, તેના મૂળમાં, સત્ય શોધવા વિશે નથી. તે સત્યને ટાળવા વિશે છે. તે મુશ્કેલ પ્રશ્નો પૂછવા વિશે નથી. તે સરળ જવાબો સ્વીકારવા વિશે છે.  વિચારશક્તિ પ્રશ્નો પૂછે છે. શ્રદ્ધા તે પ્રક્રિયાને શાંત કરે છે. એક શોધ છે, બીજી બિનશરતી શરણાગતિ છે.


(2)  કોઈ વસ્તુમાં શ્રધ્ધા  રાખવા માટે તમારે વિચારશક્તિની  જરૂર બિલકુલ હોતી નથી. હકીકતમાં તો વિચારશક્તિ હંમેશાં શ્રધ્ધાના માર્ગમાં એક મોટી અડચણરુપ છે. કારણ કે તમે જેટલા હોશિયાર છો, તેટલા વધુ પ્રશ્નો તમે પૂછશો. અને શ્રદ્ધાને પ્રશ્નો પસંદ નથી. તે જિજ્ઞાસા પર નહીં, પરંતુ શ્રધ્ધા  વિચારશક્તિના આત્મસમર્પણ પર ખીલે છે. જો કોઈ તમને કહે કે કોઈ અજાણી વ્યક્તિ પાણી પર ચાલ્યો ગયો છે અથવા પાણી વાઇનમાં ફેરવાઈ ગયું છે, અથવા કોઇ માનવી મૃત્યુમાંથી સજીવન થયો છે, તો તમે પુરાવા માંગશો. તમે પુરાવા ઇચ્છશો.

(3)  પરંતુ શ્રદ્ધા તમને પુરાવા ન માંગવાનું કહે છે. તે કહે છે કે તમે આવી બાબતો પર પૂછો છો તે જ ખોટું છે.પાપ છે.અધાર્મીક છે. તમારી આ બધી શંકાઓ જ ખતરનાક છે. તે વિચારશક્તિ માટનો એક મોટો ખતરો છે. આ તે જગ્યા છે જ્યાં બંને એકબીજાથી દૂર થવાનું શરૂ કરે છે. વિચારશક્તિ પુરાવા પર આધાર રાખે છે. તે અવલોકનો, પરીક્ષણ અને પ્રશ્નો પૂછવા, તમારા મન બદલવા પર આધાર રાખે છે. તેને પ્રયત્નોની જરૂર છે. તે ધીમી પ્રક્રિયા છે. તે સ્વીકારે છે કે તે ખોટું હોઈ શકે છે. શ્રદ્ધા માટે કોઇ પુરાવાની જરુર જ નથી.

(4)   શ્રધ્ધાળુ સાચુ શું છે તેની ક્યારેય પરવા કરતો નથી. તે પોતાની જાત ને જ દિલાસો આપે છે. સ્વ સલામતીની પરવા કરે છે. તે તર્ક કરતાં વફાદારીને વધુ મહત્વ આપે છે. ચોકસાઈ કરતાં લાગણીને વધુ મહત્વ આપે છે. સમજ કરતાં સ્થિરતાને વધુ મહત્વ આપે છે. તેનો અર્થ એ નથી કે શ્રદ્ધા ધરાવતા લોકોમાં વિચારશક્તિ નથી. તેવું બિલકુલ નથી.ઘણા શ્રધ્ધાળુઓ ઉચ્ચ શિક્ષિત હોય છે. પરંતુ માનવીય શ્રદ્ધા તેને વિચારશક્તિ પ્રમાણે વિચાર કરતો રોકે છે. અટકાવે છે. એક અંધ સ્થાન બનાવે છે. શ્રધ્ધાળુ માનવી તેના મનમાં એક ભેદી ન શકાય તેવી અભેદ્ય દિવાલ બનાવે છે. ભલે તે વ્યવસાયે એડવોકેટ, ડૉકટર કે ગણિતશાસ્રી હોઈ શકે છે, છતાં તે બધા શ્રધ્ધાળુ ૧૦૦ ટકા હોઇ શકે છે. કારણ કે આ બધાની શ્રધ્ધા તે બધાને ધર્મ, ઇશ્વર,વિ. પવિત્ર વિષયો(?) વિશે પ્રશ્ન કરવા એ પાપ છે. આ ક્ષેત્રોમાં  તે બધાની વિચારશક્તિ બહેરમારી જાય છે. તેમના મગજમાં જુદા જુદા જે ભાગો છે.તેમાં કમ્પાર્ટમેન્ટલાઇઝેશન છે. તે મગજના એક ભાગને બંધ કરી રહ્યું છે, જ્યારે બીજામાં ઉપયોગ કરી રહ્યું છે.

(5) વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને તબીબી વિજ્ઞાનમાં સત્ય વિચારશક્તિના તટસ્થ ઉપયોગથી શોધાય છે. શ્રદ્ધા નકામી છે. તેની કોઈ ભૂમિકા નથી કારણ કે દુનિયામાં, પુરાવા વિનાની માન્યતા લોકોને દુઃખ પહોંચાડે છે. અને જ્યારે સૌથી મોટા પ્રશ્નોની વાત આવે છે, ત્યારે આપણે અહીં કેમ છીએ? મૃત્યુ પછી શું થાય છે? જીવનનો અર્થ શું છે? લોકો તર્ક છોડી દે છે. તેઓ શ્રદ્ધા તરફ દોડે છે કારણ કે તે સરળ, વધુ દિલાસો આપનાર અને ઓછું ભયાનક લાગે છે. પરંતુ દિલાસો સત્યનો વિકલ્પ ક્યારેય ન હોઇ શકે!  શ્રદ્ધા અને વિચારશક્તિ ક્યારેય એક જ પ્લેટફોર્મ પર ભેગા થઇને કામ કરી શકતા નથી. માનવી પોતાની વિચાર શક્તિનો ઉપયોગ એક વાસ્તવિકતાનો સામનો કરવા ઉપયોગ કરે છે. ભલે તે ગમે નહી.( દા;ત ડૉકટરે આપેલી કડવી દવા કોને પીવી ગમે?) શ્રધ્ધા આપણને કેવી રીતે વાસ્તવિકતામાંથી છટકી જવું તે શીખવાડે છે.

(6)   જો તમે ઇતિહાસ,  તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવાધિકારમાં થયેલી પ્રગતિ પર નજર નાખો, તો આપણને તરતજ ખબર પડશે કે સદર જ્ઞાનવિજ્ઞાનની શાખાઓમાં પ્રગતિ શ્રદ્ધામાંથી બિલકુલ આવી નથી.ગેલિલિયોએ ચર્ચને પડકાર ફેંક્યો કારણ કે તે પરંપરા કરતાં તેના ટેલિસ્કોપ પર વિશ્વાસ કરતો હતો. ડાર્વિનએ ઇશ્વરી સર્જનની વાર્તાને પડકાર ફેંક્યો કારણ કે તે સિદ્ધાંત કરતાં અવલોકન પર વિશ્વાસ કરતો હતો.આજે પણ કેટલાક ધાર્મિક જૂથો રસીઓ, ઉત્ક્રાંતિ અને આબોહવાના વિજ્ઞાનને નકારે છે. એટલા માટે નહીં કે વિજ્ઞાન ખોટું છે પરંતુ તે તેમની માન્યતાઓ સાથે બંધબેસતું નથી.શ્રદ્ધા પરિવર્તનનો પ્રતિકાર કરે છે પરંતુ વિચારશક્તિનો ઉપયોગ કરનારા લોકો વૈજ્ઞાનીક સત્યોને અપનાવે છે.


(7) સમાજના ડાહ્યા(?) લોકો કહે છે કે શ્રદ્ધા શાંતિ લાવે છે. પરંતુ તે શાંતિ ઘણીવાર કઠિન પ્રશ્નો અસ્તિત્વમાં નથી તેવું ડોળ કરવાથી આવે છે. તે અસ્વસ્થતાપૂર્ણ તથ્યોથી પોતાને બચાવવાથી આવે છે. તે શાંતિ નથી. ખરેખર તો તે શાહમૃગવૃત્તિ છે. વાસ્તવિકતાનો  ઇનકાર છે.આવો ઇનકાર એ ક્યારેય સદ્ગુણ બની શકે નહી. વાસ્તવિક શક્તિ પ્રશ્ન કર્યા વિના શ્રધ્ધા ન રાખવાની છે. તે દરેક વસ્તુ પર પ્રશ્ન કરવાની હિંમત રાખવાની છે. તમને જે શીખવવામાં આવ્યું હતું તે પણ ક્યારેય પ્રશ્ન નહીં કરે. વાર્તા સ્વીકારવી સરળ છે. તેની તપાસ કરવી મુશ્કેલ છે. તમારા માતાપિતાએ તમને જે કહ્યું તે માનવું ખૂબ જ સરળ છે. એકલા ઊભા રહેવું અને પોતાના માટે વિચારવું મુશ્કેલ છે.

 (8) શ્રદ્ધા આજ્ઞાપાલન શીખવે છે. વિચારશક્તિ આપણને  સ્વતંત્રતા શીખવે છે.શ્રદ્ધા કહે છે કે પૂછશો નહીં. મારી વિચારશક્તિ  મને વારંવાર, માનસીક સંતોષ ન થાય ત્યાંસુધી ફરી ફરી પ્રશ્નો પૂછવાનું કહે છે.  "ફક્ત શ્રદ્ધા રાખો" વાક્યનો ઉપયોગ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે કોઈ જવાબ ન હોય. જ્યારે કોઈ કહે છે કે તેનો સામાન્ય રીતે અર્થ થાય છે વિચારવાનું બંધ કરો, પૂછવાનું બંધ કરો અને શંકા કરવાનું બંધ કરો. તે શોધખોળ કરવાનો આહ્વાન નથી. તેનો આદેશ શરણાગતિ છે. જે લોકો કડક ધાર્મિક વાતાવરણમાં ઉછરે છે તેમને ઘણીવાર શીખવવામાં આવે છે કે વિચારશક્તિ ખતરનાક છે અને આધુનીક શિક્ષણ તેમને સત્યથી દૂર લઈ જશે ! વડીલો પ્રેરીત માન્યતાઓ  પર પ્રશ્ન ઉઠાવવો એ વિશ્વાસઘાતનું કાર્ય છે. જે ફક્ત સાબિત કરે છે કે તેમની માન્યતાઓ કેટલી નાજુક છે. જો સત્ય કોઈ પ્રશ્નમાં ટકી શકતું નથી, તો તે શરૂઆતમાં ક્યારેય સત્ય નહોતું.

(9) કેટલાક કહે છે કે શ્રદ્ધા એક અલગ પ્રકારનું જ્ઞાન છે. તે આધ્યાત્મિક સત્ય બાબત અંગે છે.ભૌતિક, દુન્યવી કે ઐહીક વાસ્તવિકતા વિશે નહીં. જે સત્યની ચકાસણી કરી શકાતી નથી,તેના અંગે જો પ્રશ્ન ઉઠાવી શકાતો નથી. તો તે સત્ય નથી પણ એક અંધવિશ્વાસ છે. રોજિંદા જીવનમાં પણ તે  ઘણો મોટો ભાગ ભજવે છે. જો કોઈ તમને કહે કે જન્માક્ષર હંમેશા સચોટ હોય છે અથવા ગુરુ. મંગળની વીંટીના નંગોમા ઉપચાર શક્તિ હોય છે અથવા કોઈ આકાશી ગ્રહો તેમના પર નજર રાખી રહ્યું છે, આ બધા પર અતુટ શ્રધ્ધા રાખો છો. કારણ કે તમે તેને સાચું ઇચ્છો છો. આવી શ્રધ્ધાઓ તો  તે ફક્ત ઇચ્છા શક્તિનું પરિણામ છે. ઇચ્છાશક્તિ વિચારશક્તિ કે તર્કશક્તિની વિરુદ્ધ છે. તમે શ્રદ્ધા પર જેટલો વધુ આધાર રાખશો, તેટલું જ તમારે તર્ક પર આધાર રાખવાની જરૂર ઓછી પડશે. તમે તમારા નિર્ણયને બીજા કોઈને સોંપી દો છો.

(10) શ્રદ્ધા એક પ્રદર્શન અને વફાદારીની કસોટી બની જાય છે. માન્યતા જેટલી વાહિયાત હશે, તેટલી જ તમારે તેનો બચાવ કરતા રહેવું પડશે. આ જ કારણ છે કે અંધ શ્રદ્ધા ઘણીવાર કટ્ટરતા તરફ દોરી જાય છે. જો તમે તમારી માન્યતાઓ પર શંકા કરી શકતા નથી, તો પછી જ્યારે તે ખોટી થાય છે ત્યારે તમે જોઈ શકતા નથી. જ્યારે હકીકતો તમારી માન્યતાને પડકારે  છે, ત્યારે તમે તમારા વિચારને બદલવાને બદલે તથ્યોને નફરત કરવાનું શરૂ કરો છો. તમે સત્યના ભોગે પણ, કોઈપણ કિંમતે તમારી શ્રધ્ધાનું રક્ષણ કરો છો. બીજી બાજુ, વિચારશક્તિ હંમેશા નિર્માણાધીન હોય છે. તે ખોટું હોવાનું સ્વાગત કરે છે તે રીતે તમે શીખો છો.

(11) શાળામાં આપણે વિવેચનાત્મક વિચારસરણી શીખવીએ છીએ. કારણ કે શંકા કરવામાં મજા આવે છે. કારણ કે તે તમારી ભૂલોને ટાળવામાં મદદ કરે છે. તમે જે સંભવિત છે અને જે નથી તેનાથી અલગ કરવાનું શીખો છો. જે સાબિત થયું છે તેનાથી જે દાવો કરવામાં આવે છે.તેને તમે બારિકાઇથી જોવા માટે સાધનો વિકસાવો છો.

(12) શ્રદ્ધા  શીખવે છે કે  પ્રશ્ન પૂછવો પાપ છે. નિશ્ચિતતા એ સર્વોચ્ચ ગુણ છે. પણ આ દુનિયામાં કંઈ પણ નિશ્ચિત નથી. બધું જ અનિશ્ચીત કે પરિવર્તનશીલ છે.જે લોકો કહે છે કે તેમની પાસે બધા જવાબો છે, તેઓ સામાન્ય રીતે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દે છે. તેમણે વિચારશક્તિને શ્રદ્ધા માટે અને સત્યને આરામ માટે, વિકાસને સ્થિરતા માટે બદલી નાખ્યો છે. અને તે શ્રદ્ધાની વાસ્તવિક કિંમત છે. તે વિચારશક્તિને અવગણતી નથી, પરંતુ તે તેને બદલે છે. શ્રદ્ધા સમજણ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. શ્રધ્ધા શંકા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. શ્રધ્ધાનું આજ્ઞાપાલન જિજ્ઞાસા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. પરંતુ વાસ્તવિક નૈતિકતા, વાસ્તવિક સમજણ, વાસ્તવિક પ્રગતિ, આમાંથી કંઈ પણ તમારા મગજને બંધ કરવાથી આવતું નથી. તે તેને ચાલુ કરવાથી આવે છે.

—--------------------------------------------------------------------------------------------------------------------------------------------



--

Monday, May 26, 2025

પાંજરાના આરામમાં આપનું સ્વાગત છે,

પાંજરાના આરામમાં આપનું સ્વાગત છે,

જ્યાં સ્થિરતા એક લક્ષણ છે, એક તબક્કો નથી.

આજ્ઞાપાલન માટે તાલીમ પામેલા, વર્તન કરવાનું શીખવવામાં આવેલા,

સ્વ-ખોદેલી કબરોમાં ઘરેલું હૃદય.

આપણે તેને શાંતિ કહીએ છીએ - પણ તે શામક દવા છે.

આપણે તેને સત્ય કહીએ છીએ - પણ તે અવતરણ છે.

તેમને તમારી જરૂર છે તૂટેલા, સુઘડ રીતે ફ્રેમ કરેલા -

અનુમાનિત, નમ્ર, પહેલેથી જ નામ આપવામાં આવ્યું છે.

Welcome to the comfort of the cage,

 Where stillness is a symptom, not a stage.

 Trained to obey, taught to behave,

 Domesticated hearts in self-dug graves.

 We call it peace— but it's sedation.

 We call it truth— but it's quotation.

 They need you broken, neatly framed—

Predictable, polite, already named.


--

Thursday, May 15, 2025

Personal letter for Public Awareness.

Personal letter for Public Awareness.
તમારો પત્ર ગંભીરતા પુર્વક વારંવાર વાંચ્યો. કારણકે તમારા પત્રના આધારે તમે રજુ કરેલા પ્રશ્નો કે મુદ્દાઓને બરાબર સૌ પ્રથમ હું સમજવા માંગતો હતો. તમારી રજુઆતમાં પ્રમાણીકતા હતી. સાથે સાથે તે ભગીરથ કાર્ય કરતાં કરતાં જે માનવીય અનુભવોમાંથી તમે પસાર થયા પછી તેના નીચોડનું સંકલન હતું. હવે હું જે લખું છું તે તમારે માટે, તમારી બૌધ્ધીક સજજતા અને પરિપક્કવતા માટે જ લખું છું.
તમારી રજુઆતમાં રેશનાલીઝમ, નાસ્તિકતા, વૈજ્ઞાનીક અભિગમ અને માનવવાદ વિ. નો ઉલ્લેખ વારંવાર આવે છે. તમે આ બધા ખ્યાલો કે વિભાવનાઓ જાણે એક જ અર્થ કે સમાન અર્થો ધરાવતી હોય તે રીતે ઉપયોગ કર્યો છે. હકીકતમાં ગુજરાતમાં જે કોઇ વૈચારીક શંભુમેળો ' રેશનાલીસ્ટ પ્રવૃત્તી' ના નામે વર્ષોથી ચાલ્યા કરે છે  તેને કારણે સદર પ્રવૃત્તી દિશાહીન અને વ્યક્તિ લક્ષી બની ગઇ છે.
રેશનાલીઝમ એક દુન્યવી કે ઐહીક સત્ય શોધવાનો માર્ગ છે. પધ્ધતિ છે. જેમાં બે પરિબળો છે.એક, ઇન્દ્રીયજન્ય અનુભવ( પાંચ ઇન્દ્રીયો, આંખ, નાક, કાન, જીભ અને ચામડી) ( Sense perception), અને બે,સદર ઇન્દ્રીયજન્ય અનુભવ દ્વારા મગજને મળેલ સંદેશાથી  સત્ય પારખી કરેલ નિર્ણય સમજશક્તિ ( Cognition) હોય છે. આ સત્ય કાયમ માટે પુરાવા આધારિત( Evidence Based) હોય છે.રેશનાલીઝમને સમજાવા માટે આનાથી વધારે દુનિયાના કોઇપણ ખુણે માનવીને સમજાવવા બીજા કોઇ માધ્યમની જરુર નથી.
    ઇશ્વરના અસ્તિત્વને રેશનાલીઝમને આધારે  સાબિત થઇ શકે તેમ નથી. તે ખ્યાલ કે વિભાવનાને ' નિરઇશ્વરવાદ કે નાસ્તીક્તા અંગ્રેજીમાં " Atheism" તરીકે ઓળખવામાં આવે છે. નાસ્તિક બનવું કે તે  લેબલ સ્વીકારવું મારા મત મુજબ ખુબજ સરળ છે. પણ ઇશ્વરના અસ્તિત્વનો 'ઇન્કાર' કર્યા પછી વ્યક્તિગત અને સામાજીક નૈતિક જીવન કેવી રીતે પ્રાપ્ત કરવું તે ખુબજ મુશ્કેલ છે. માનવ માનવ વચ્ચે ધર્મ, વંશ, જાતિ, કુટુંબ, પ્રદેશ અને રાષ્ટ્ર જેવા હિતોને બદલે માનવ કેન્દ્રીત   હિતો વિકસાવવા સરળ બિલકુલ નથી. તે જ્ઞાન મેળવવાનો માર્ગ  ખુબજ કપરો છે.
ધાર્મીક નૈતીક વ્યવહાર Religious Morality,( ઇશ્વરી શ્રધ્ધા પ્રેરીત) અને ધર્મનિરપેક્ષ નૈતીક વ્યવહાર Secular Morality( રેશનલ સત્યોથી પ્રાપ્ત કરેલ નૈતીક્તા) એ બે વચ્ચે સમાધાન શક્ય જ  નથી. જે માનવીનો નૈતીક વ્યવહાર ઇશ્વર અને તેના ધર્મના ભયથી નક્કી થતો હોય તેને નૈતીક વ્યવહાર કહેવાય? કોઇપણ ધાર્મીક સત્યો( ભલે તેનો આધાર જે તે ધર્મના ધર્મપુસ્તકોનો હોય) રેશનાલીઝમના માપદંડોથી સત્ય સાબિત થતા ન હોય તે વ્યક્તિ અને માનવ સમુહના કલ્યાણ  માટે કોઇ કામના હોઇ શકે જ નહી.
માનવવાદી વિચારસરણી જ્ઞાન આધારિત છે. જ્ઞાનનો આધાર દુન્યવી સત્ય છે. દુન્યવી સત્ય રેશનાલીઝમની મદદથી નક્કી થાય છે. માનવીય નૈતીકતા એ છે જે રેશનલ સત્યથી નક્કી થઇને માનવીને સુખ આપે. હું જ્યારે મારા સાથી માનવને મદદ કરું છું ત્યારે તે મદદ ઇશ્વરને ખુશ કરવા નહી પણ મને તેનાથી સુખ–સંતોષ મળે છે માટે કરુંછું. માનવ સહકારનું મુલ્ય માનવ અસ્તીત્વને ટકાવી રાખવા, વિકસાવવા અને સમૃધ્ધ કરવા લાખો વર્ષના જૈવીક ઉત્ક્રાંતિના સંધર્ષમાંથી દરેક સજીવમાં નાના મોટા પ્રમાણમાં વિકસતું આવ્યું છે. આવા જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં માનવ સહકાર અન્ય સજીવો કરતાં બૌધ્ધીક રીતે  વધુ વિકસેલો હોવાથી તે પૃથ્વીનો કર્તાહર્તા બની ગયો છે.
       મેં  તમને ગુજરાતીમાં 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી પુસ્તક ઘણા સમય પહેલાં વાંચવા માટે નહી પણ અભ્યાસ કરવા, આત્મસાત કરવા આપેલું હતું. તમે તમારી મુઝવણો અને અન્ય રજુઆતો કરી છે તેના પરથી સ્પષ્ટ તારણ છે કે ગમે તે કારણોસર તમે આ પુસ્તકનો જોઇએ તેટલો અભ્યાસ કરેલ નથી. પુસ્તક શુભેચ્છાથી આપવા સાથે મેં કહ્યું હયું કે સદર પુસ્તક મારો જિંદગીભરનો મિત્ર, માર્ગદર્શક અને તત્વજ્ઞાનીય સહાયક છે. તમારુ કાર્યક્ષેત્ર સમાજના ગમે તે સમુહનું હશે પણ તે બધાને તમારી ભાષામાં સમજ પ્રમાણે તેમની સમસ્યાઓના ઉકેલ માટે ચોકકસ મદદરુપ થઇ શકશો. મુખ્ય હેતુ તમારી બૌધ્ધીક સજ્જતાને વધુ શક્તિશાળી બનાવવાનો છે.
લોકોની ધાર્મીક કે રેશનલ જડતા ને સુધારવાનું આપણું કામ ક્યારેય ન હોવું જોઇએ. તે બધાને તેમની રીતે જીંદગી જીવવા દો. મને ચીંતા છે કે તમારી બૌધ્ધીક્તા સતત વિકસતી રહે માટે ના પ્રયત્નો અટકી ન જાય! શુભેચ્છા સાથે.
ઉપરનો સંવાદ એક કાલ્પનીક છે.
 ગુજરાતી પુસ્તકનું નામ– 'રેડીકલ હ્યુમેનીઝમ' સ્વાતંત્રય અને લોકશાહીની ફિલસુફી'
 અંગ્રેજીમાં લેખક– Justice V.M. Tarkunde -ગુજરાતીમાં અનુવાદક– પ્રો. દિનેશ શુક્લ.
સંપર્ક માટે મો. નં 94266 53821. ગિરિશભાઇ સૂંઢિયા, પાલનપુર.

--

Wednesday, May 14, 2025

હૈદ્રાબાદમાં વૈશ્વીક્ કક્ષાની પરિષદ " ભારત સમીટ" સંપન્ન

આપણા દેશના તેલંગણા રાજ્યના પાટનગર હૈદ્ર્બાદમાં તારીખ ૨૫–૨૬ એપ્રીલના રોજ સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન અને તેલંગણા સરકારના સંયુક્ત ઉપક્રમે એક વૈશ્વીક કક્ષાની પરિષદ " ભારત સમિટ "નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વભરના જુદા જુદા આશરે ૧૦૦ દેશોમાંથી ૪૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સદર પ્રતિનિધિઓની પૃષ્ઠભુમી રાજકારણ, શિક્ષણ અને કર્મનીષ્ઠ વિ.ની હતી.પરિષદની વ્યવસ્થા અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેમના મંત્રીમંડળે વિ. સક્રીય સહકાર આપ્યો હતો. એટલું જ નહિ પરંતુ રાજ્યના કેટલાક મંત્રીઓએ તો ચર્ચાઓમાં ભાગ પણ લીધો હતો.

આશરે સને ૧૯૫૫માં ૭૦ વર્ષ પહેલાં દેશના પાટનગર દિલ્હીમાં વડાપ્રધાન નહેરુજીના નેતૃત્વ હેઠળ ' બાન્ડુગ પરિષદ'નું વૈશ્વીક સ્તરની પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુધ્ધ પછી બ્રીટિશ અને પશ્ચીમી દેશોની ગુલામીમાંથી નવોદિત સ્વતંત્ર થયેલા એશીયા, આફ્રિકા અને દક્ષિણ અમેરીકાના દેશોના પ્રશ્નો અને તેના ઉપાયો માટે બિનજોડાણવાદ (Non- Alignment) પરદેશી નીતિ પસંદ કરવામાં આવી હતી.એકબાજુ અમેરીકાનો મુડીવાદી લોકશાહી બ્લોક ને બીજી બાજુએ સોવીયેત રશીયાનો સામ્યવાદી બ્લોકના બંનેમાંથી  સ્વતંત્ર દેશોએ પોતાનો વિકાસ શાંતિમાર્ગે કેવી રીતે કરવો તે સળગતો પ્રશ્ન હતો. તે વિચારસરણીના સર્જનમાં  દેશના વડાપ્રધાન નહેરુજી જેવા આર્દષ્ટાનો સિંહ ફાળો હતો.

સને ૨૦૨૫માં બરાબર ૭૦ વર્ષ પછી રાહુલ ગાંધી,સંસદમાં વિરોધપક્ષના નેતાના નેતૃત્વ હેઠળ ૧૦૦ દેશોના ૪૦૦ પ્રતિનિધિઓ હૈદ્રાબાદ પરિષદમાં હાજર રહ્યા હતા.વિશ્વભરના જુદાજુદા દેશોમાં સ્થાનિક કક્ષાએ પોતાના દેશમાં જનવિકાસ માટે પ્રગતિ કરતાં પરિબળોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. યજમાન તરીકે પરિષદના આયોજકોનો ઉદ્દેશ સ્પષ્ટ હતો. આયોજકોને પોતાના પક્ષની ચુંટણી માટે મતદારોની ટકાવારી બે પાંચ ટકા વધારવામાં બિલકુલ રસ નહતો. પરંતુ વૈશ્વીક કક્ષાએ ઉભરી રહેલા લોકશાહી અને માનવ મુલ્યો વિરોધી પ્રત્યાઘાતી ધર્મ– જુજ લઘુમતિ મુડીવાદી જુથો– પ્રતિનિધિ સ્વરુપની ચુંટણીપ્રથાનો તોડમરોડ કરીને સત્તા પ્રાપ્ત કરનારા જમણેરી દેશો અને બહારના પરિબળોની ચુંગાલમાંથી મુક્ત થઇને નવીન વૈશ્વીક વ્યવસ્થાની રચના કેવી રીતે કરવી તે હતો. છેલ્લા સાત દાયકાઓમાં વિશ્વ ઘણું જ બદલાઇ ગયું છે. વૈશ્વીક રાજકારણ પણ ઘણું બદલાઇ ગયું છે. સદર જમણેરી ઉગ્ર ધાર્મીક પરિબળોના ટેકાવાળા સત્તાધીશોએ જે તે દેશમાં દુન્યવી માનવ કેન્દ્રીત વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માંડયા છે. સાત દાયકામાં જે તે દેશમાં જ્ઞાન–વિજ્ઞાન–ટેકનોલોજીના સહકારથી અસ્તીવમાં આવેલી આધુનિક સંસ્થા અને સંસ્કૃતિઓનો મૃત્યુ ઘંટ વગાડવા માંડયો છે. જેણે લાંબેગાળે માનવજાતની સભ્યતાને ટકી રહેવા માટે વૈશ્વીક સ્તર પર ગંભીર પડકાર પેદા કરી દીધો છે.

બીજા વિશ્વયુધ્ધ પછી વિશ્વના તમામ દેશોએ પોતાના દેશના આંતરિક અને એક બીજા દેશો ખાસ કરીને પડોશી દેશો સાથેના પ્રશ્નો ગમે તેવા ગંભીર હોય તો પણ ચર્ચા, આંતરિક સહકાર અને કાયદા શાસનમાં (રુલ ઓફ લો) વિશ્વાસ રાખીને શાંતિભર્યા માર્ગે ઉકેલ લાવ્યા હતા. આંતરીક અને બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે હિંસા, લશ્કરી અથડામણ અને લડાકુ શસ્રોના ફાસીવાદી સરમુખ્તયારશાહી રીતરસમોને તિલાજંલી આપી હતી.બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીના નાઝીવાદી સરમુખ્તયાર હિટલરે સમગ્ર યુરોપમાં યહુદીનું એક કોમ તરીકે અને હિટલરના રાજકીય વિરોધીઓનું સમુળુ નિકંદન કાઢી નાંખવા માટે જે તે અધમભરેલી અમાનવીય રીતરસમો અપનાવી હતી તેને યુએસએ અને યુરોપના દેશોએ હોલોકાસ્ટ મ્યુઝીયમ બનાવી અભ્યાસના કેન્દ્રો તરીકે સ્થાપિત કરી છે. જેથી કરીને માનવજાતની આવતીકાલની પેઢી તેમાંથી બોધપાઠ લઇને તેવી ભુલોનુ વારંવાર પુનરાવર્તન ન કરે, કરાવે. વર્તમાન હૈદ્રાબાદ પરિષદનું સર્વનુમતે તારણ હતું કે ૨૧મી સદીના છેલ્લા બે દાયકઓમાં સને ૨૦૧૦ પછી ખાસ, જે તે દેશોની તમામ પ્રકારની લઘુમતીઓ જેવીકે ધાર્મીક,વંશીય,જાતીય કે લીંગ આધારીત અને દરેક દેશમાં સ્થાયી થયેલ પરદેશીઓ (Emigrants) સાથેનો બહુમતી પ્રજાનો વ્યવહાર 'પેલા હિટલરના વંશીય હોલોકાસ્ટ'નું પુનરાર્વતન કરાવે તેવો ક્રમશ થઇ રહ્યો જ નથી બલ્કે વધતો રહ્યો છે. જે તે રાષ્ટ્રની બહુમતી પ્રજા પેલી તમામ પ્રકારની લઘુમતીઓને રાષ્ટ્ર હિત માટે જાણે ખતરારુપ હોય તેમ  સતત તે બધાની સામે ધિક્કારીને નફરત અને હિંસક વર્તન કરતા થઇ ગયા છે. જેમાં સત્તાપક્ષનો પ્રત્યક્ષ કે પરોક્ષ કે બંને પ્રકારનો ખુલ્લી અને મુક સંમતી હોય છે.( These minorities presence are now being propagated as a serious threat to nation states.) હવે આ વંશીય, જાતિવાદીઅને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદે ખુબજ ટુંકાગાળામાં અસહિષ્ણુ અને હિંસક સ્વરુપ ધારણ કરી લીધું છે.

બીજો પ્રશ્ન, નાગરિક રાષ્ટ્ર રાજ્ય( National-State Civil Society) માટે કોણ ખતરનાક છે? આ પરિષદમાં મુખ્ય ચર્ચા હતી. ભારત સમિટમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આધુનિક નાગરિક રાષ્ટ્ર રાજ્ય માટે જે તે દેશમાં અતિ-જમણેરી ` બહુમતી ધર્માંધ–વંશીય–સત્તાપક્ષનીસરમુખત્યારી)નો મુખ્ય ખતરો છે. કારણ કે તે પૂર્વ-રાષ્ટ્ર રાજ્ય ફિલોસોફી(on the pre-nation state philosophies) અથવા પૂર્વ-આધુનિક(or pre-modern loyalties) વફાદારી પર આધારિત છે.જેણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રેરિત કર્યો છે.આધુનિક રાષ્ટ્ર રાજ્યનું સમગ્ર અસ્ત્તિત્વ અને વિકાસ તર્કવિવેક( Rationalism), ઉદારમતવાદ (Liberalism), ધર્મનિરપેક્ષતા (Secularism)અને વૈશ્વીક– સાર્વત્રિકતા (Globalization)ના દર્શન અને મુલ્યો પર આધારિત છે.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદી)આ મૂલ્યોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે, કારણ કે તે વિભાજનકારી રાજકારણ અને ઝેનોફોબિયા પર આધારિત છે. સદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, તે સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ જેવા આધુનિક નાગરિક મૂલ્યોમાં માનતો નથી, જે લોકશાહી મુલ્યોને આધુનિક રાષ્ટ્ર રાજ્યોના બંધારણ દ્વારા ગેરંટી આપવામાં આવે છે. આમ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ)બંધારણવાદની પણ વિરુદ્ધ છે. જે વ્યક્તિગત અધિકારો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સામાજિક જૂથોને વિશેષ સામૂહિક અધિકારો સુનિશ્ચિત કરે છે. આ વૈશ્વીક કટોકટી ફક્ત રાજકીય,આર્થીક કે સામાજીક નથી તત્વજ્ઞાનીય પણ છે.માનવજાતને તેના તમામ પ્રકારના ભુતકાળના બંધનો અને નિષેધોમાંથી મુક્ત કરીને માનવકેન્દ્રી ધર્મનીરપેક્ષ સજીવ ઉત્ક્રંતિ આધારિત જીજીવિષા ટકાવી રાખવાના સંઘર્ષોમાંથી ક્રમશ વિકસેલા મુલ્યોને આધારે નવી વિશ્વ વ્યવસ્થાનું સર્જન કરવા માટે અમે બધા પ્રગતિશીલ વૈશ્વીક પરિબળો અત્રે એકત્ર થયા છે. નવી વિશ્વ વ્યવસ્થાનું આપણે કેવું સર્જન કરવું છે તે પર ચર્ચા કરવા માટે પ્રેરિત થયા છે.. 

કોન્ફરન્સમાં સાત પેનલ અને બે દિવસ સુધી ચાલતું સમાપન સત્ર હતું. પ્રથમ પેનલ ચર્ચા 'લિંગ ન્યાય અને નારીવાદી ભવિષ્ય' (on 'Gender Justice and A Feminist Future',) પર હતી, જેમાં વિશ્વભરની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પેનલિસ્ટોએ ચર્ચા કરી હતી કે કેવી રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ(અતિ-રાષ્ટ્રવાદ) તેને અવરોધી રહ્યો છે. નારીવાદી વિદેશ નીતિ માટે એક પ્રસ્તાવ હતો. ખુલ્લી ચર્ચામાં, પ્રતિનિધિઓએ પિતૃસત્તા અને ધાર્મિક કટ્ટરવાદમાં તેના મૂળ પર ખૂબ જ રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો, જેનાથી પિતૃસત્તા અને રૂઢિચુસ્તતા વચ્ચેના જોડાણો બન્યા છે. જેના પર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી(અતિ-જમણેરી)ઓએ ખુબજ ઉંચી પિરામીડ બાંધી છે.

પેનલ બે 'હકીકત વિરુદ્ધ કાલ્પનિક: ખોટી માહિતીનો સામનો કરવો' ('Fact vs Fiction: Countering Disinformation')પર હતી, જેમાં તથ્યોને કેવી રીતે કાલ્પનિક બનાવવામાં આવી રહ્યા છે અને જમણેરી દળો દ્વારા ખોટી માહિતી કેવી રીતે ફેલાવવામાં આવી છે તેના પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ. બધા પેનલિસ્ટોએ દેશોમાં પ્રચાર પર જમણેરી રાજકારણ કેવી રીતે બને છે તે પર પ્રકાશ પાડ્યો અને પ્રગતિશીલ રાજકારણ બનાવવા માટે આવા પ્રચાર રાજકારણને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો. 

'યુવા અને આવતીકાલનું રાજકારણ' વિષય પરના પેનલે રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફક્ત યુવાનો જ વર્તમાન વિશ્વ વ્યવસ્થા બદલી શકે છે.આજે વિશ્વના તમામ રાષ્ટ્રોનું નવસર્જન ૨૧મીસદીમાં અરસપરસ દેશોની અંદર મોટાપાયે નાગરિક સ્થળાંતર ( Multilateral migration )પર થયેલુ છે.'નવી બહુપક્ષીયતા( ' New Multilateralism')ને કેવી રીતે આકાર આપવી' તે પણ પેનલમાં લાંબી ચર્ચા થઈ. બીજા વિશ્વયુધ્ધના અંત પછી જે વૈશ્વીકરણનો પવન ફુંકાયો હતો તેને આધારે આધુનિક વિશ્વ અને આધુનીક રાષ્ટ્રોનું સંચારક્રાંતિ ( Info-Tech-Revolution) દ્રારા જે નવસર્જન થયું હતું. તેથી રાષ્ટ્રની સીમાઓ જ હવે અપ્રસતુત બની ગઇ હતી. ત્યારે આ સંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારીત તમામ જમણેરી સરકારો પોતાના દેશમાં નાગરીક સ્થળાંતર વિરુધ્ધ આત્યંતિક પગલાં લેવા માંડી છે. બહપક્ષીય અને બહુ સાંસ્કૃતિક આધુનિક સમાજ સર્જનના વિરુધ્ધ મોટા પાયે તન મન અને ધનથી મોરચો માંડીને બેઠા છે. પોતાની સ્થાનિક પ્રજાને ' વિશ્વગુરુ' જેવા અતિકાલ્પનીક ભવ્ય ભુતકાળના ખ્યાલની પાછળ લોલીપપ આપીને મદહોશ બનાવીને પોતાની રાજકીય સત્તાનો અમાનુષિ અને બેફામ ઉપયોગ કરી રહી છે.

પેનલિસ્ટોએ તાજેતરના સમયમાં યુએન જેવા વિશ્વ સંગઠનોના નબળા પડવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બહુપક્ષીય સંધિઓમાંથી ખસી જવાથી વૈશ્વિક આબોહવા અને પર્યાવરણ પર પણ વિનાશક અસર પડે છે. પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ પેરિસ કરારમાંથી અમેરિકાના ખસી જવાથી વિશ્વને આઘાત લાગ્યો છે. કોન્ફરન્સમાં ક્લાઇમેટ જસ્ટિસને વેગ આપવા પર એક પેનલ હતી, અને બધા પેનલિસ્ટ્સ અને પ્રતિનિધિઓએ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વિકસિત દેશોના બદલાતા વલણ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેઓએ આને વધતી જતી દૂર-જમણેરી રાજકારણ સાથે જોડી હતી જેમને વિશ્વના સામાન્ય હિત માટે ઓછામાં ઓછી ચિંતા છે. આ હકીકત હોવા છતાં કે વિકસિત દેશો છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગના કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર છે.

'બહુલવાદ, વિવિધતા અને આદર સાથે ધ્રુવીકરણને દૂર કરવું વિષય પર પરિષદની પેનલે બહુલતા અને વિવિધતાની વિસ્તૃત ચર્ચા કરી, જે દૂર-જમણેરી દ્વારા વંશીય-રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ધ્રુવીકરણના અંતર્ગત ખતરા પર પ્રકાશ પાડ્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનો આદર કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. 'અનિશ્ચિત સમયમાં આર્થિક ન્યાય' અને 'બહુધ્રુવીય વિશ્વમાં શાંતિ અને ન્યાય' પરના પેનલોએ વિશ્વની વિવિધતાઓ અને દૂર-જમણેરી દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચાને વધુ ગહન બનાવી હતી.

તા. ૨૬મી ઐપ્રીલના રોજ,લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની હાજરીથી સમાપન સત્રમાં વિશેષ ચમક જોવા મળી. આ સત્રમાં પરિષદના વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો, જ્યાં મુખ્ય સહભાગી દેશોના રાજકીય નેતાઓએ તેમના દેશોને કેવી રીતે અતિ-જમણેરી ચળવળોનો ઉદય સરમુખત્યારશાહી તરફ લઈ જઈ રહ્યો છે તેના પર વાત કરી. ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા સર્જાયેલી પરિસ્થિતિઓનો વિરોધ કરવા માટે ભારત જોડો યાત્રા કેવી રીતે હાથ ધરી તે વિશે વાત કરી, જે ભારતીય ભૂમિ પર વિભાજનકારી રાજકારણ અને નફરત ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસે ગયા અને તેમને કહ્યું કે તેમની યાત્રા ફક્ત "નફરતના બજારમાં મહોબત્તનું બજાર" ખોલવા માટે હતી, અને ભારતના લોકોએ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કર્યું. બધા પ્રતિનિધિઓના ભાષણોમાં સમાનતાઓ જોઈ શકાય છે. બધાએ પોતપોતાના દેશોમાં અતિ-જમણેરીઓના ખતરા અને તે બીજા સમુદાય સામે કેવી રીતે નફરત પેદા કરી રહ્યું છે તેની વાત કરી. સત્રમાં ભાર મૂકવામાં આવ્યો કે નફરત એ વિશ્વભરમાં માત્ર અતિ-જમણેરીઓની મૂડી છે, અને તેનો સામનો કરવો જોઈએ. 

પરિષદ 'હૈદરાબાદ ઠરાવ: વૈશ્વિક ન્યાય પહોંચાડવી' નામની ઘોષણા સાથે સમાપ્ત થઈ, જેમાં પ્રાપ્ત કરવાના 44 મુદ્દાઓની યાદી આપવામાં આવી. ઘોષણાના છેલ્લા મુદ્દામાં કહેવામાં આવ્યું છે કે, "આપણે સાથે મળીને અન્યાયનો સામનો કરીશું, પરિવર્તનનો નવો યુગ શરૂ કરીશું, એક એવી દુનિયાનું નિર્માણ કરીશું જે શ્રમજીવી લોકોના અધિકારો અને આકાંક્ષાઓનું સન્માન કરશે અને બધા માટે જીવનની પૂર્ણતા સુનિશ્ચિત કરશે." આ રીતે પરિષદમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંત પર એક નવી દુનિયાની કલ્પના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે નહેરુવાદી સમાજવાદ સાથે સુસંગત છે. એકંદરે, તેણે દેશોના પ્રગતિશીલ જોડાણ, નફરતથી મુક્ત સમાજ બનાવીને એક નવા સમાજ માટે આશા પેદા કરી.

( સંકલન અને ભાવાનુવાદ કરનાર બીપીન શ્રોફ.અટલાંટા–૫–૫–૨૫.)



--

પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

ચલો! બંને ખ્યાલોને  વૈજ્ઞાનિક તર્કવાદને ( Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.

(1)   પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે.  તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!

વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. તેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં  પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવો હોય છે. IVF (In Vitro Fertilization) માતાના ગર્ભની બહાર સ્રી બીજ અને પુરુષબીજનું લેબોરેટરીમાં ફલીનીકરણ કરાવીને પછી તે ફલીનીકરણ થયેલ બીજને માતાના અથવા કુખ ભાડે આપનાર સ્રીના ગર્ભમાં મુકવામાં આવે છે મોટે ભાગે કૃત્રિમ ફલીનીકરણમાં દિકરો પસંદ કરવામાં આવે છે.

(2)   પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા  તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?

 વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે  બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની  વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.

(3)   પિતૃસત્તાક ખ્યાલ– પિતુસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.

 વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન(Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ  ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.

(૪) પિતૃસત્તાક ખ્યાલઆ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.

વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?

(A)  વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને  મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને  તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી.  પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.

(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં  " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.

(C)  જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાની જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.

(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" ( JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી  ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.

(E)   દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે..... 




eelam Patel


પિતૃસત્તાક સમાજ વિરુધ્ધ માનવસત્તાક સમાજ વ્યવસ્થા!

ચલો! બંને ખ્યાલોને  વૈજ્ઞાનીક તર્કવાદને (Scientific Rationalism) આધારે મુલ્યાંકન કરીએ. કોઇ મોટા તત્વજ્ઞાની સિધ્ધાંતો કે વૈજ્ઞાનીક સુત્રોનો આધાર લીધા સિવાય સામાન્ય જ્ઞાનને આધારે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આજની ચર્ચા શરુ કરીએ.

(1)   પિતૃસત્તાક ખ્યાલ–કુટુંબમાં દિકરાનો જન્મ હોવો એ સાત પેઢીના પુન્યનું પરિણામ હોય છે.  તે કુટુંબનો સાચો વારસદાર છે. અગાઉની અને હવે પછીની પેઢીનો તારણહાર છે.તે કુળ દિપક છે. તેના પિતાના વંશને આગળ લઇ જનાર હોય છે. જે કુટુંબમાં દિકરો ન હોય તો નજીકના સંબંધીનો દિકરો દત્તક લઇને પણ વંશનો વેલો ચાલુ રાખવા માટે કાયદા મુજબ દત્તકવિધાનની વિધી કરીને પસંદ કરે છે. પિતાના મૃત્યુબાદ શ્રાધ્ધ ક્રીયામાં પિંડ મુકનાર તેનો વારસદાર તો હોવો જોઇએ ને! નહિ તો મરનારનો જીવ અવગતીયે જાય!

વૈજ્ઞાનીક –તર્કવાદ.કોઇપણ સ્રીને દિકરો કે દિકરી જન્મે તેની જવાબદારી સ્રી– બીજની બિલકુલ નથી.જનીનશાસ્ર(Genetic)મુજબ સ્રી માત્ર અને માત્ર પોતાના ગર્ભમાં તૈયાર થયેલ સ્રી બીજના ફલીનીકરણ માટે જે પુરુષબીજને આવકારે છે. જેના જનીન લક્ષણોમાં જ ગરબડ ભરેલી છે. સ્રીબીજમાં ફક્ત x રંગસુત્રોની ૨૩ જોડી હોય છે.જ્યારે પુરુષ બીજમાં રહેલા રંગસુત્રો ( Chromosome) x & yની સંયુક્ત ૨૩ જોડી હોય છે.સ્રી બીજ અને પુરુષબીજના સંયોજનમાં જો X Xનું સંયોજન કે એકીકરણ થાય તો દિકરી જન્મે. પણ XYનું સંયોજન થાય તો દિકરો જન્મે. ફલીનીકરણની આ ક્રીયામાં કોઇ બહારના દૈવી કે માનવીય પરિબળનો ફાળો હોતો નથી.તેમ છતાં  પિતૃસત્તાક સમાજમાં દિકરીને જન્મ આપનાર માતાનો કુટુંબમાં અને તેના સમાજમાં દરજ્જો( સ્ટેટસ) કેવું હોય છે?

(2)   પિતૃસત્તાક ખ્યાલ– માનવ સંસ્કૃતી એટલે કૃષિસંસ્કૃતી એટલે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા. પિતૃસત્તાક સંસ્કૃતી જે આશરે ૧૦,૦૦૦ વર્ષ જુની છે.શિકારયુગ પછી સ્રીને ઘર,બાળઉછેર, કુટુંબ વ્યવસ્થા અને પુરુષના ભાગે ખેતીથી માંડીને બહારની તમામ જવાબદારી આધારીત શ્રમના વિભાજન સાથે તમામ દુન્યવી સત્તાનું પણ વિભાજન થઇ ગયું હતું. પિતૃસત્તાક સમાજમાં સત્તાની વહેંચણી કરનાર પણ સત્તાધીશ પુરુષ હતો. કુટુંબનો પુરુષ વડો, તેના ટેકામાં ધર્મની સત્તા અને રાજ્ય સત્તાના નીજી હિતો હતા. રામાયણમાં સીતાજી અને મહાભારતમાં દ્રોપદીજીના પાત્રોની આસપાસ પિતૃસત્તાક સમાજે જે તમામ નૈતીક મુલ્યો તૈયાર કર્યા હતા  તેમાંથી બહાર નીકળીને હિન્દુ સમાજ કેટલે સુધી પહોંચ્યો છે?

વૈજ્ઞાનીક –તર્કવાદ – પિતૃસત્તાક આધિપત્યવાળા સમાજના નૈતીક મુલ્યોને કારણે પોતાના પતિના નિર્ણયોમાં ભાગીદાર બનીને એકે રામાયણ અને બીજાએ મહાભારત બનાવવું પડયું. ખરેખર તો સીતાજી અને દ્રોપદીજી પોતાના પિતાના રાજદરબારમાં બાળપણથી ધનુર્વિધા અને શસ્રોની તાલિમ લઇને મોટા થયા હતા. સ્વયંવરમાંથી કેવા દાગીના પસંદ કર્યા કે જેને કારણે  બંને કુટુંબના રાજદરબારની સત્તાના કાવાદાવામાં વિના વાંકે ૧૪ વર્ષનો વનવાસ ભોગવવો પડયો.રામાયણ અને મહાભારતની સ્રી નાઇકાઓનું વ્યક્તીત્વ વીસમી એકવીસમી સદીની  વૈશ્વીકક્ષાની બે બળવાખોર લેખિકાઓ, ફ્રાંન્સની સીમોન દે બુઆ અને અમેરીકાની Objective Rationalist આયન રેનથી સહેજ પણ ઉણુ ઉતરતું ન હતું. આવા પિતૃસત્તાક મુલ્યોના ટેકામાં રચવામાં આવેલા ધાર્મીક ગ્રંથોના ગુણગાન ગાઇને કેટલાયનો તન,મન અને ધનનો ઉધ્ધાર થઇ ગયો છે.

(3)   પિતૃસત્તાક ખ્યાલ– પિતૃસત્તાક સમાજનું હિન્દુધર્મની નૈતીક્તા સાથે ગઠબંધન– સપ્તપદી આધારિત લગ્ન એક પવિત્ર બંધન છે કરાર નથી. (સદર બંધન બીજા સાતભવ સુધી ચાલુ રહેશે તેવો ગર્ભીત પણ વણ જાહેર કરેલો ધાર્મીક ઉપદેશ છે.) પડયું પાનુ નિભાવે જ છુટકો! ચાર વર્ણમાથીં જે વર્ણમાં જન્મ તેમાં લગ્ન અને મૃત્યુ પણ.

વૈજ્ઞાનીક તર્કવાદ–ધર્મનિરપેક્ષ નૈતીક્તાનો પાયો એહીક, દુન્યવી કે નિરઇશ્વરવાદી માનવ માનવ વચ્ચેનો સામાજીક વ્યવહાર છે.માનવીય નૈતીકતા આ જીવતા જીવે સુખી જીવન જીવવા માટે છે.મૃત્યુ પછીના પુરાવાહીન (Without any evidence based) ધાર્મીકગ્રંથોમાં જણાવેલા નૈતીક ઉપદેશોથી કપોળ– કલ્પીત પુન્ય, મુક્તિ, મોક્ષ વિ માટે નથી. લગ્ન એક કરાર છે. ધાર્મિક કે કોઇપણ પ્રકારનું (કાયદા સિવાયનું)બંધન તો નથી જ. પુખ્ત ઉંમરના સ્રી પુરુષને લગ્ન સિવાય પણ સાથે રહેવાનો બંધારણીય અધિકાર છે. સાતભવ તો શું આ ભવમાં શરીરના મેળાપ માટે થયેલાં લગ્નોમાં મનનો મેળાપ  ન થાય તો ' તું નહી તો ઓર સહીનો અબાધિત અધિકાર છે.' તે પણ પતિની હાજરીમાં કે કાયમી ગેરહાજરીમાં પણ '.

(૪) પિતૃસત્તાક ખ્યાલ– આ સંસ્કૃતિએ ટકી રહેવા માટે માનવીના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીની તમામ વ્યક્તિગત પ્રસંગો ઉપર કાબુ મેળવીને માનવીને તેનો ગુલામ બનાવી દીધો છે. તેની આ લોખંડી બેડીઓની જંજીરોમાંથી તેના એકાદ આંકડાને કે ટુકડાને તોડવાથી તમે ક્યારેય સ્વતંત્ર બની શકો જ નહી.પિતૃસમાજના મોભીઓ જેવાકે કુટુંબના વડા, માતા, પિતા,મા–બાપની હાજરીમાં કે ગેરહાજરીમાં તમામ વડીલોની લાગણીઓ, કાકલુદીઓ કે પછી ભયપ્રેરીત દાદાગીરીઓથી મજબુર બની સમાધાન કર્યું તો સીતાજી અને દ્રૌપદીજીની જેમ જીવનભરનો વનવાસ! તે બધાના ત્યાગ અને દુ;ખને સતત પોતાની સ્થિતિ સાથે સરખાવીને મન મનાવીને દરેક ઘડીએ સ્વપીડન કરીને જીવન પસાર કરવાનું.

વૈજ્ઞાનીક તર્કવાદ–પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સામે બળવો કેવી રીતે કરવો?

(A)  વ્યક્તિગત રીતે, પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને  મારા અને તમારા જીવનમાં પગ પેસારો કરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો– પછી ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. તમારા પોતાના લગ્નનો નિર્ણય કોઇપણ જોખમ લઇને  તમે પોતે જ કરો. કોઇકાળે લગ્ન તમારા ધર્મની રુઢી–રિવાજ– જ્ઞાતિના બંધનો પ્રમાણે ક્યારે ય ન કરો! ઇન્ડીયન મેરેજ રજીસ્ટ્રેશન એકટ મુજબ જ નોંધણી કરી ને લગ્ન થાય! રિસેપ્શન દિલથી રંગેચંગે કરો. " પણ નો ચાંલ્લો નો ગિફ્ટ" તેમાં સમાધાન એટલે પાછલે બારણેથી પિતૃસ્તાક પરિબળોનો છુપો પ્રવેશ. માટે લગ્ન પછી છોકરાના સંયુક્તકુટુંબ સાથે રહેવાનો પ્રસંગ જ ઉભો નહી થાય.તમારી પસંદગીથી અસ્તિત્વમાં આવેલ કુટુંબની સ્વતંત્રતાનું બલિદાન આપ્યા સિવાય જેના મા બાપ ને જે કોઇ આર્થીક કે અન્ય મદદ ચોક્ક્સ કરવી.  પણ એટલું ખાસ યાદ કરવું લેશમાત્ર ભુલાય જ નહી કે "ચકલીનું બચ્ચુ જે માળામાં જનમ્યું તે માળામાં તે પોતાનાં ઇંડા મુકતી નથી." આપણે તો મનુષ્ય છીએ. દરેક સજીવની Nest Leaving એ સહજ પ્રકૃતી છે.

(B) સ્રી– પત્નિ ગર્ભવતી બને પછી બાળકના જન્મ સુધી કોઇપણ જાતની ધાર્મિક વિધિ ક્યારેય ન કરાવવી. નિયમીત મેડીકલ ચેકઅપ ચોક્ક્સ કરાવતા જવું. પ્રસુતા માટે હોસ્પિટલમાં જવાની સાથે જ દિકરો કે દિકરીનું નામ પતિ–પત્નિએ એકબીજાની સંમતિથી ફાયનલ કરીને પ્રસુતા થાય પહેલાં થી જ લખાવી દેવુ. જન્મના પ્રમાણપત્રમાં  " નો બાબો કે બેબી". જન્મની સાથે તે ક્ષણેથી તે નામથી બોલાવવાનું શરુ.

(C)  જન્મ પછી તરતજ નવોદિત દિકરા કે દિકરીના કાનમાં બાયબલ, કુરાન કે ગીતાની આયાતો, શ્લોકો કોઇએ ક્યારેય બોલવાના જ નહી.ગ્રહો,નક્ષત્રો, રાશીફળ, જન્માક્ષર નો એન્ટ્રી, તેની સાથે જોડાયેલા તમામ પરોપજીવીઓની બાદબાકી! નો મુંડન કે ચૌલક્રીયા કે સુન્નત. અમેરીકામાં ૫૫ ટકાથી ૮૦ ટકા બેબી બોય (Male child)ની સુન્નત માબાપની સંમતીથી કર્યા પછી જ પ્રસુતાને હોસ્પિટલમાંથી રજાઆપવામાં આવે છે.

(D) આપણો દિકરો કે દિકરી જન્મથી શરુ કરીને ૧૮ વર્ષની ઉંમર પુરી કરે નહી ત્યાં સુધી કોઇપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધાર્મિક શિક્ષણ બિલકુલ નહી જ. " જય શ્રી કષ્ણ" (NO JKS CULTURAL) અને "સલામ આલે કુ" સંસ્કૃતિ બિલકુલ નહી. ૧૮ વર્ષની ઉંમર પુરી કર્યા પછી મા–બાપ તરીકે બાયબલ, કુરાન અને ગીતા વિ તેની પાસે મુકી દેવા. મને ૧૦૦% ટકાનો વિશ્વાસ છે કે વૈજ્ઞાનીક તર્કવાદને આધારે મેં અને તમે જો આપણા બાળકોને ઉછેર્યા હશે તો તે કોઇપણ ધર્મપુસ્તકને પસંદ કરવાને બદલે તે નિરઇશ્વરવાદી  ધર્મનીરપેક્ષ માનવવાદી જ બનશે. તે સમયે વર્તમાન પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને બચાવવા માટે " વેન્ટીલટર" પર મુકી દેવામાં આવી હશે.

(E)   દેશ અને વિશ્વ કોઇપણ પ્રકારના માનવસર્જીત ધર્મ, વંશ, જાતી,જ્ઞાતિ, પ્રદેશ કે રાષ્ટ્રવાદના ઘેનમાંથી મુક્ત રીતે શ્વાસ લઇને બિનદાસ રીતે પોતાની સંભવિત શક્તીઓનો ઉપયોગ કરીને તે જીવતો હશે.




--