Tuesday, November 8, 2016

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે?

શું દેશમાં ઓઝોન લેયર ઓફ લોકશાહી પ્રદુષીત થઇ ગયુ છે? ખરેખર તમને નથી લાગતું કે તે પ્રદુષણથી બચવા સામ્યવાદી કમ મુડીવાદી ચાઇનાથી લાખોની સંખ્યામાં માનસ પ્રદુષણ રોકે તેવા માસ લાવવાની તાત્કાલીક જરૂર છે? રાજકીય પક્ષોના નેતાઓ જાતભાતના રાજકીય ફટાકડા ફોડી વાતાવરણ પ્રદુષીત કરતા હોય તો પ્રજા બોમ્બ(!) ફોડી ફેસબુક કે ટીવ્ટર મારફતે બીજે દીવસેનું વાતાવરણ પ્રદુષીત કરે તેમાં પ્રજાનો શું વાંક?  બીજેપી, કોગ્રેસ અને આપ પાર્ટીના દરરોજના  ટીવીના પડદે ફટાકડા યુધ્ધો જોઇને પ્રજા બીચારી ફક્ત ફુલઝરી પકડીને બેસી રહી છે.

દરરોજ રાતના ટીવી પર થતા સામસામી રાજકીય ગનપાવડરના હુમલાથી પ્રજાના બ્રેઇનમા ગાઢુ ધુમ્મ્સ છવાઇ ગયું છે.  જેથી વીવેકપુર્ણ, વૈજ્ઞાનીક ઢબે, તર્કપુર્ણ વાસ્તીકવીક રીતે નીરપેક્ષ વીચારવાનું છોડીને રાજકીય પક્ષો ઇચ્છે તેમ ઘેટાશાહીનો ભોગ બની ગઇ છે. પ્રજા આ મોટા (!) માણસોને પુછે છે કે હે રાજકીય વડીલો, અમારૂ દીવાળીનું પ્રદુષણ વધારે ખરાબ છે કે તમે રોજ રોજ જે અમારા કરવેરાના નાણાંનો ઉપયોગ કરીને જે બકવાસપુર્ણ માહીતી પ્રદુષણ કરો છો તે ખરાબ છે? મને અને તમને નથી લાગતું કે  આ બધા રાજકીય પક્ષોએ પેદા કરેલા અતીશય ઝેરી વાતવરણથી દેશની લોકશાહીનું ઓઝોન પળ જ સાવ ઘટી ગયું છે. જેની ઝેરી અસરોમાંથી બચવું મુશ્કેલ બનતું જાય છે.  


--